Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધંધો ન ચાલતા આર્થિક સંકળામણથી કંટાળી યુવકની આત્મહત્યાઃ
જામનગર તા. ૨૮: જામનગરના એક વિદ્યાર્થીનીને મેડિકલ કોલેજની પ્રવેશ પરીક્ષામાં ઓછા માર્ક આવતા તબીબ બનવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે તેમ માની આ વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જ્યારે જોડિયાના એક યુવાને ધંધો ચાલતો ન હોવાથી વધેલી આર્થિક સંકળામણથી કંટાળી જઈ ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટીની શેરી નં.રમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ વાટલીયા નામના પ્રૌઢના પુત્રી કેસરબેન (ઉ.વ.૧૮) તબીબ બનવાનું સ્વપ્ન જોઈને અભ્યાસ કરી રહ્યા હતા.
ધો.૧રનો વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કર્યા પછી આ વિદ્યાર્થીનીએ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે નીટની પ્રવેશ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર થયું હતું. જેમાં સારા માર્ક ન આવતા અને હવે પોતે તબીબ નહીં બની શકે તેવા ખોટા વિચારથી નાસીપાસ થઈ ગયેલા કેસરબેન વાટલીયાએ ગઈકાલે બપોરે પોતાના ઘરે એક ઓરડામાં રહેલા પંખાના હુંકમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવતીનું મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી છે. પિતાનું નિવેદન નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
જોડિયા શહેરના લક્ષ્મીપરામાં રહેતા રોહિતભાઈ ભરતભાઈ કાનાણી નામના ચોવીસ વર્ષના પટેલ યુવાને ગુરૂવારની રાત્રે પોતાના ખેતરે જઈ લીમડાના ઝાડમાં દોરડું બાંધી ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતા ભરતભાઈ ભગવાનજીભાઈ કાનાણીએ પોલીસને જાણ કરી છે. જોડિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial