Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિકો જ નહીં, પર્યટકો-ભાવિકોને પણ ઉલાળે છે અને શેરીઓમાં યુદ્ધે ચડે છે...
દ્વારકા તા. ૯: દ્વારકામાં આખલાઓના ત્રાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સ્થાનિક વકીલે જાહેર હિતની અરજી દાખલ કરતા હાઈકોર્ટે નગરપાલિકા પાસે જવાબ માગ્યો હોવાનું જાણવા મળે છે.
ગુજરાત હાઈકોર્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાથી વકીલ વિનોદચંદ્ર ઠાકરે એક જાહેર હિતની અરજી દાખલ કરી છે, જે મુજબ દ્વારકામાં જીવલેણ આખલાઓએ ઘણાં બધા જીવ લીધા છે. દ્વારકા નગરપાલિકા આ સંદર્ભે કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી. આખલાઓને રાખવા માટે સ્પેશ્યલ જગ્યા ફાળવાઈ છે, પણ આખલાઓને ત્યાં રખાતા નથી. આ રખડું આખલા દ્વારકામાં આવતા પર્યટકો માટે ભયરૂપ સાબિત થયા છે.
દ્વારકા નગરપાલિકા વતી ઉપસ્થિત થયેલા સરકારી વકીલે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા આખલાઓને પકડવા માટે સમયાંતરે ડ્રાઈવ કરવામાં આવે છે અને તેઓને ગૌશાળામાં પૂરવામાં આવે છે. ચેતન એન્ટ્રોરાઈઝને તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
જો કે, અરજદારે કહ્યું હતું કે, આ ફક્ત પેપરવર્ક છે, જમીન ઉપર કામ થતું નથી. તે પછી હાઈકોર્ટે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે જવાબ માગ્યો છે.
હાઈકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, અરજદારની અરજીમાં જણાવ્યા મુજબ ર હજાર આખલા દ્વારકાની શેરીઓમાં રખડી રહ્યા છે. આ એક ધાર્મિક સ્થળ અને પર્યટન સ્થળ છે, જ્યાં અનેક લોકો આવતા હોય છે. અરજદારે પોતાની અરજીમાં જુદી જુદી ઘટનાઓ ટાંકી છે. ન્યૂઝ પેપરના કટીંગ મૂક્યા છે.
આખલાઓને કારણે લોકોના જીવ ગયા હોય તેવા સમાચાર અહેવાલો કોર્ટ સમક્ષ મૂક્યા છે, ત્યારે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર બે અઠવાડિયામાં જવાબ આપે કે આખલાઓનો ત્રાસ દૂર કરવા તેઓએ શું કર્યું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial