Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં આયોજનઃ
જામનગર તા. ૧: જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરે અરજદારોને મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૧૩ જેટલા અરજદારોએ વીજ લાઇન બાબત, પીજીવીસીએલનો પ્રશ્ન, જણસીની રકમ લઈને નાસી છૂટેલ વેપારી વિરૂદ્ધ કાર્યવાહી કરવા બાબતે, જમીન સંપાદન અંગે, કોર્પોરેશન વિસ્તારમાં દબાણ અંગે, જમીન માપણી, દબાણ દૂર કરવા વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જે પૈકી ૧૦ અરજીઓનો સ્થળ પર જ હકારત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કલેકટરે લગત અધિકારીઓને લોકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. તથા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલા અરજદારો સાથે ચર્ચા કરી તેઓની રજૂઆતો સાંભળી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેકટર બી. એન. ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, લગત વિભાગના અધિકારીઓ, અરજદારો વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial