Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેલંગાણાના પશમ્યાલરમમાં થયેલા ફેકટરી વિસ્ફોટમાં અત્યાર સુધીમાં મૃતાંક પહોંચ્યો ૩૬ પરહૈદ્રાબાદ તા. ૧: તેલંગણાના પશમ્યલારમની ફેકટરીમાં બનેલી દુર્ઘટના પછી હજુ પણ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી ૩૬ના મૃત્યુ થયા છે, તેથી આ ફેકટરી બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ છે.
તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના પશમ્યલારમમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક ૩૬ પહોંચી ગયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આજે આ અંગે માહિતી આપી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પરિતોષ પંકજે જણાવ્યું હતું કે, 'કાટમાળ દૂર કરતી વખતે ઘણાં મૃતદેહો મળી આવ્યા છે. કાટમાળમાંથી ૩૧ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાંચ લોકોના મોત થયા છે.'
તેલંગાણાના આરોગ્ય મંત્રી દામોદર રાજા નરસિંહાએ જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી આજે અકસ્માત સ્થળની મુલાકાત લેશે.' મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને કાટમાળમાં દટાયેલા શ્રમિકોને બચાવવા અને તેમને સારવાર પૂરી પાડવા માટે શક્ય તમામ પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.
ગઈકાલે ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટ પાછળ રાસાયણિક પ્રતિક્રિયા એક મુખ્ય કારણ હોઈ શકે છે. વિસ્ફોટ થયો ત્યારે પ્લાન્ટમાં લગભગ ૯૦ લોકો કામ કરી રહૃાા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને ૨ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરી. નોંધનીય છે કે, ફેક્ટરીના શ્રમિકો ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ ઉપરાંત તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત વિવિધ રાજ્યોના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial