તંત્રી લેખ
આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, અને દેશભરમાં શિવભક્તિની ગૂંજ છે. બીજી તરફ દેશભરમાં આન-બાન-શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન થઈ છે, બીજી તરફ જામનગરમાં પણ આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમોમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો, અને ઐતિહાસિક, દર્શનીય અને સરકારી સંકુલો તથા નાગરિકો દ્વારા ઘરો-દુકાનો-ફેક્ટરીઓ ત્રિવેણી રોશનીથી ઝળહળી ઊઠી હતી, તો ધર્મસ્થળોમાં પણ ત્રિરંગા સુશોભનો અને રોશનીથી અનોખી ગૌરશાળી આભાર ઊભી કરી રહ્યા હતાં. હજુ પણ આજે હર-ઘર તિરંગા અભિયાન હેઠળ ઘેર-ઘેર તિરંગો લ્હેરાઈ રહ્યો છે.
દેશભરમાં મંદિરો, મસ્જિદો, ચર્ચો, ગુરુદ્વારાઓ, બૌદ્ધ મઠો, પારસીઓના પાવન સ્થળો, આશ્રમો, દરગાહો, ઉપાશ્રયો સહિત ઠેર ઠેર ત્રિરંગો લ્હેરાયો અને તેમાં દેશની એક્તા, અખંડિતતા અને નેશન ફર્સ્ટની ભાવના ઝળકી. એટલું નહીં, ભારતના સ્વાતંત્ર્ય દિનના આગલા દિવસે શેખીબાજ શહબાજ શરીફની ધમકીનો જવાબ જાણે ભારતની જનતાએ જ આપી દીધો. ભારત એક, અખંડ અને એકજુથ છે, અને તેને પડકરવાની શેખી ભારે પડવાની છે તેવા સંકેતો ભારતના રાજકીય પક્ષોએ પણ પાકિસ્તાનને આપી દીધા છે.
દર વર્ષે આ સમયગાળામાં દેશભક્તિ અને ઈશભક્તિનો અનોખો સંગમ રચાય છે. શ્રાવણ મહિનામાં શિવ અને પાર્વતીજી પૃથ્વીલોકમાં નિવાસ કરે છે, તેથી શિવજીના ભક્તોનો ભક્તિમય ઉત્સાહ અનેકગણો વધી જતો હોય છે, તેમાં પણ સોમવારે જલાભિષેક, રૂદ્રાભિષેક, યજ્ઞો તથા કઠોર આરાધના-તપશ્ચર્યા સાથે ભારત જ નહીં, વિશ્વભરમાં પથરાયેલા શિવભક્તો શ્રાવણ મહિનાનું અથવા પ્રત્યેક સોમવારનું વ્રત કરતા હોય છે. સમુદ્રમંથન સમયે હળાહળ ઝેર નીકળ્યું, જે દેવોના દેવ મહાદેવે કંઠમાં ધારણ કર્યું, ત્યારે વિષની ગરમી શાંત કરવા માટે દેવો અને ઋષિમુનિઓએ શિવજી પર શિતળ જળ તથા દુગ્ધ (દૂધ) નો અભિષેક કર્યો હતો, તે ઉપરાંત ઠંડક પ્રદાન કરતા બિલ્વપત્રો (બીલીપત્રો) અર્પણ કર્યો, તે સમયથી શિવભક્તો દૈનિક શિવપૂજનમાં આ ત્રિ-અભિષેક કરતા રહ્યા છે. શિવપુરાનની વિદ્યોશ્વર સંહિતા મુજબ ભગવાન શિવશંકર પાર્વતીજી સાથે શ્રાવણ મહિનામાં પૃથ્વીલોકમાં નિવાસ કરતા હોવાથી શ્રાવણ મહિનામાં આ ત્રિ-અભિષેકની સાથે સાથે વિશેષ હોમહોમાદિ કાર્યો, યજ્ઞો, વ્રત-ઉપવાસ તથા દયા-દાન-સેવા પ્રવૃત્તિઓ સાથે શિવાલયોમાં વિશેષ દર્શન-પૂજા તથા સાંસ્કૃતિક, ભક્તિમય કાર્યક્રમો યોજાય છે.
આ વખતે કૃષ્ણજન્મોત્સવ સપ્ટેમ્બરના પ્રારંભે અને શ્રાવણ મહિનાના બીજા પખવાડિયામાં આવતી અષ્ટમીની મધ્યરાત્રિએ ઉજવાશે, અને 'નંદ ઘેર આનંદ ભયો'ની ગૂંજ ઊઠશે, તેથી ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિના સંયોજન સાથે અત્યારે દેશભરમાં ભક્તિમય ખુશીનો માહોલ છે, ત્યારે બીજી તરફ કેટલાક વિવાદો, કુદરતી ઘટનાક્રમો તથા બદલાઈ રહેલો રાજકીય માહોલના કારણે એક અજબોગરીબ પ્રકારની સ્થિતિ પણ ઊભી થઈ રહેલી જોવા મળે છે.
દેશમાં વર્ષ ર૦૧૪ માં યુપીએ સરકારનું પતન થયું અને 'અચ્છે દિન આને વાલા હૈ' જેવા સૂત્રો સાથે મોદી સરકાર રચાઈ,તે પછી કદાચ સૌ પ્રથમ વખત યુવાશક્તિ સામે રાજશક્તિને નમતું જોખવું પડ્યું, અને પેપરલીકના મુદ્દે કેન્દ્રિય શિક્ષણમંત્રીનું રાજીનામું પડ્યું. મોદી શાસનકાળમાં આ રીતે 'રાજીનામું' આપવું પડ્યું હોય, તેવી આ પ્રથમ ઘટના હતી. તે ઉપરાંત એક મહત્ત્વાકાંક્ષી બિલ જેપીસીને મોકલવું પડ્યું તથા મહિલા આરક્ષણ બિલ લટકી પડ્યું, તે પણ મોદી સરકારની આ વર્ષની પ્રથમ પીછેહઠ હતી. હવે યુજીસી-નેટના ત્રણ પ્રશ્નોપત્રો રદ્ કરીને નવેસરથી પરીક્ષા લેવી પડી રહી હોય, તો તે શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા પદ્ધતિ તથા રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારની 'સિસ્ટમ'માં ઘૂસી ગયેલા 'લીકેજ'નો પ્રત્યક્ષ પુરાવો છે. 'સિસ્ટમ' સમાન રહી, અને સરકારો બદલતી રહી, તેના કારણે પરીક્ષાઓમાં ગોલમાલ અને પેપરલીક જેવી ઉધઈ વધુ વ્યાપક બની છે, જેને નિવારવા માટે એકબીજાના ઝભ્ભા પર પડેલો ડાઘ બતાવીને રાજનીતિ કરવાના બદલે સમગ્ર પોલિટિકલ સિસ્ટમને આ મુદ્દે રાજનીતિ એક બાજુ રાખીને આ 'ઉધઈ'ને ખતમ કરવા પ્રબળ એકજુથતા સાથેની ઈચ્છાશક્તિ બતાવવાની જરૂર છે, અને તેની પહેલ જો વિપક્ષી તરફથી થતી હોય તો તેને આવકારીને સત્તાપક્ષે પરિણામલક્ષી અને નક્કર કદમ ઊઠાવવાની જરૂર છે. દેશમાં 'દિમાગી નક્સલવાદ'ની નવી ચર્ચા શરૂ થઈ ગઈ, અને વંદેમાતરમ્ના અપમાનનો મુદ્દો વકર્યો, તો નવા મુદ્દાઓને લઈને નવી નવી 'ઓનલાઈન' પાર્ટીઓ રચાવા લાગી છે, જે પ્રવર્તમાન પોલિટિકલ સિસ્ટમમાં પેધી ગયેલા સડાને આભારી છે, અને આ નવી ઓનલાઈન, ક્રાંતિ પક્ષ-વિપક્ષ જોયા વિના સીધી સિસ્ટમના સડા પર જ વાર કરતી હોવાથી પોલિટિકલ નેતાગીરીના ખભે રાખીને બંદુક ફોડીને પોતાના હિતો સાધતા રહેતા કેટલાક (કે ઘણાં બધા?) બ્યુરોક્રેટ્સ સામે પણ એક મોટો પડકાર છે. આ કારણે જ ભ્રષ્ટાચારી નેતાઓ અને બ્યુરોક્રેટ્સમાં ખળભળાટ વ્યાપ્યો હશે.
વર્ષ ર૦૧૩-૧૪ માં યુપીએ સરકાર સામે જનજુવાળ ઉપડ્ય હતો, ત્યારે જે લોકો આ વિરોધી ઝુંબેશની અગ્રીમ હરોળમાં હતાં, તે પૈકીના કેટલાક લોકોનું નિધન થઈ ગયું છે, અને થોડાક લોકો હજુ પણ જાહેરજીવન કે પોતાના ક્ષેત્રોમાં સક્રિય છે, બાકી ઘણાં મોટા ચહેરાઓ કાં તો નિષ્ક્રિય થઈ ગયા છે, ચૂપ થઈ ગયા છે અથવા નિરાશ થઈને વસવસો વ્યક્ત કરી રહ્યા હશે, તો કેટલાક ખ્યાતનામ ચહેરાઓ આજે યુ-ટર્ન લઈને વર્તમાન સરકાર સામે પણ જરૂર પડ્યે મહાઆંદોલનની વાતો કરવા લાગ્યા હોય તો તે શું સૂચવે છે, તે સૌ કોઈ સમજી શકે છે. અત્યારે પોલિટિકલ સિસ્ટમ હોય કે બ્યુરોક્રેસી હોય, શાસન હોય કે પ્રશાસન હોય, પક્ષ હોય કે વિપક્ષ, સરકારી સંસ્થાઓ હોય કે સહકારી સંસ્થાઓ હોય, કાનૂની સંસ્થાઓ હોય કે બંધારણીય સંસ્થાઓ હોય, તે તમામ જનતાની કસોટીએ ચડ્યા છે, અને સમગ્ર જનતા આ તમામથી પૂરેપૂરી સંતુષ્ટ નથી, તે હકીકત છે. લોકતંત્રમાં જે જનતા સિંહાસન પર બેસાડી શકે છે, તે ઊઠાડી પણ શકે છે અને સંતોષ થાય તો ફરીથી સત્તામાં લાવી શકે છે. પૂનરાવર્તન પણ કરી શકે છે, અને પરિવર્તન પણ કરી શકે છે, તે ભૂલવું ન જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ૮૦ મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ રહ્યો છે, અને જામનગર, હાલાર, સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવાયો છે, અને આન-બાન-શાનથી આપણાં દેશનો સ્વાતંત્ર્ય દિન ઉજવાઈ રહ્યો છે. ગઈકાલે પૂર્વ સંધ્યાએ દેશમાં ત્રિરંગી રોશની ઝળહળી ઊઠી હતી, અને આજે દેશભરમાં આપણો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લ્હેરાઈ રહ્યો છે. એટલું જ નહીં, દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરે છે, ત્યાં તથા ભારતીય દૂતાવાસો તથા ભારતીય યુનિટો-વૈશ્વિક પ્રોજેક્ટોમાં પણ આજે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાઈ રહ્યું છે. જામનગરનો ભૂજિયો કોઠો પણ નવીનિકરણ પછી સ્વાતંત્ર્ય પર્વ ત્રિરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યો હતો, અને તેની સાથે રણમલ તળાવ તથા મહાનગરની નાની-મોટી તમામ ઈમારતો, મંદિરો, સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, સમાજવાડીઓ વિગેરે તિરંગી રોશનીથી ઝળહળી ઊઠતા એક અલગ જ આભા પ્રગટી હતી.
ગઈકાલે જ રાષ્ટ્રપતિએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ૭૮ વીરતા પૂરસ્કારો અને ૮૯ મેન્શન ઈન ડિસ્પેચિસને મંજુરી આપી છે. ૧૯ જવાનોને શૌર્યચક્ર અને ૯ ને કીર્તિચક્રોથી સન્માનિત કરાશે. આ સન્માનો પૈકી ૧૩ પુરસ્કારો મરણોપરાંત અપાશે. આ પુરસ્કારો આપણી ખમીરવંતી ભારતીય સેનાની ત્રણેય પાંખ ઉપરાંત ગૃહમંત્રાલય હેઠળ કાર્યરત સુરક્ષાદળોના જવાનોને અપાતા હોય છે.
આપણાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરંપરાગત રીતે ગઈકાલે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતી વેળાએ પણ ભારતીય સેના અને સશસ્ત્ર સુરક્ષાદળોની પ્રશંસા કરી અને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને આતંકવાદીઓને તેના કુકૃત્યનું પરિણામ પણ ભોગવવું પડશે, તેવો કડક સંદેશ આપ્યો, અને આતંકવાદીઓ દુનિયામાં ક્યાંય પણ છૂપાયા હોય, તો તેને તથા તેના સમર્થકોને પણ પરિણામો ભોગવવા પડશે, તેવી ચીમકી આપીને પાકિસ્તાનને પણ પરોક્ષ રીતે વોર્નિંગ આપી હતી, અને તેમાં કદાચ ગઈકાલે જ પાકિસ્તાનના વડાપ્રધાને ભારતને સિંધુ જલ સંધિના મુદ્દે આપેલી ધમકીનો જવાબ પણ હતો. રાષ્ટ્રપતિએ સંબોધનમાં નક્સલવાદ નાબૂદી, ખેડૂતોના હિતો તથા પેપરલીક જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, અને દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવવાની પરંપરા નિભાવી હતી.
આ વર્ષે લાલકિલા પરથી વડાપ્રધાને આપણા દેશની આન-બાન-શાન, ગરિમા અને જુસ્સાદાર દેશભાવનાઓ સાથે તિરંગો લ્હેરાવીને સતત ૧૩ મી વખત સલામી આપી, તેની સાથે સાથે એક નવી ઐતિહાસિક પરંપરા પણ આજથી ઉમેરાઈ હતી, અને ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન જન-ગણ-મનની સાથે સાથે 'વંદે માતરમ્' રાષ્ટ્રગીત પણ ગૂંજ્યું, અને આ રાષ્ટ્રગીતને ૧પ૦ વર્ષ થયા, તેની ગરિમાગાથા પણ વર્ણવાઈ, તે આજના ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની લાલકિલ્લા પર થયેલી ઉજવણીની ઐતિહાસિક વિશેષતા પણ હતી.
આજે લાલકિલ્લા પરથી ધ્વજવંદન પહેલા રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ગૂંજ્યું અને વડાપ્રધાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી રાષ્ટ્રગાન 'જનગણ મન'ની રાષ્ટ્રધૂન સો તિરંગાને સલામી અપાઈ, ત્યારે એક ગૌરવપ્રદ દૃશ્ય ખડું થયું હતું, અને એક અતૂટ, અખંડ અને આધુનિક ભારતના દર્શન થયા હતાં. તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રવચનમાંથી પણ વિકસિત ભારતનો સંકલ્પ તથા ભારતની વિવિધતામાં એક્તાની તાકાત તથા આધુનિક ભારતની ગરવી વિકાસયાત્રા, ૧૪૦ કરોડ દેશવાસીઓનું સામર્થ્ય તથા ભારતીયોની ગૌરવગાથા પ્રગટી હતી.
વડાપ્રધાને ડિજિટલ ટ્રાન્ઝેક્શન, નળથી જળ, ગેસ કનેક્શન, શૌચાલયો, ગવર્નન્સમાં બદલાવ, જુના કાયદાઓને અલવીદા, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, આપદાઓ અને વૈશ્વિક અશાંતિ વચ્ચે પણ ઈકોનોમીની આગેકૂચ, મેઈક ઈન ઈન્ડિયા, વોકલ ફોર લોકલ, સેમીકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ કોરિડોર, ચીપ, એ.આઈ., ડેટા સેન્ટર, એનર્જી સિક્યુરિટી, પરમાણુ ઊર્જા, શાંતિ અક્ટી, પાંચ નવા પરમાણુ મથકો, ઈંધણ, પરંપરાગત ઊર્જા, દરિયામાં તેલભંડારોની ખોજ માટે સમુદ્રમંથન, વૈકલ્પિક ઊર્જા, પવન ઊર્જા, સૂર્ય ઉર્જા, સુર્યઘર યોજના, રેલવેનું આધુનિકરણ, હાઈડ્રોજન ટ્રેન, વર્ષ ર૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય, કોરોના-યુદ્ધની વિભિષિકા, વૈશ્વિક અશાંતિ, ખેડૂતોને સંબંધિત યોજનાઓ, એફપીએ અને ટ્રેડ એગ્રીમેન્ટ્સ, એમએસએમઈઝ, ટેક્સટાઈલ્સ, દરિયાઈ ેખેતી (મત્સ્યોદ્યોગ), વર્ક કલ્ચરમાં બદલાવ, રિફોર્મ્સ, શક્તિની સપ્તધારા, મેન્યુફેક્ચરીંગ, કૃષિ ફૂડ પ્રોસેસીંગ, ગ્લોબલ માર્કેટ, કોમ્યુનિકેશન ટેકનોલોજી, ગતિશક્તિ, પોર્ટ લેડ ડેવલપમેન્ટ, રક્ષાશક્તિ, ગ્રીન એન્ડ બ્લ્યુ ઈકોનોમી, સોફ્ટ પાવર, યોગા, બેન્કીંગ, ફાર્માસેક્ટર, વિકસિત ભારતના લક્ષ્યમાં યુવાઓનું યોગદાન, રિસર્ચ, સસ્તો ડેટા, સ્પેસ સેક્ટર, ખેલો ઈન્ડિયા, શૈક્ષણિક વિકાસ, સાઈન્સ ટેકનોલોજી, એક કરોડ યુવાનોને એ.આઈ.ની ટ્રેનિંગ, બાયો-ઈકોનોમી, ડ્રોન દ્વારા યોજનાકીય અમલિકરણ, ફ્રી ઓનલાઈન કોચીંગ, ખેલજગત માટે નવી યોજનાઓ, કોમનવેલ્થ, ઓલિમ્પિક, ટેલેન્ટ હન્ટ, નશામુક્ત ભારત, દિમાગી નક્લવાદ નાબૂદી, આતંકવાદ સામે પડકાર, સીમાપારના પડકારોને પછાડવાનો નિર્ધાર, મિશન સુદર્શન ચક્ર, મહિલાશક્તિ, મહિલા આરક્ષણ બિલ, વસ્તીગણત્રીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, એક દીપ સે જલે દીપ હજારો...
બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ભારતને આપેલી ધમકીના સંદર્ભે સિંધુ જલ સંધિનો ઉલ્લેખ કરીને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સણસણતો જવાબ આપતા રણકાર કર્યો છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને સિંધુ જળ સંધિ હેઠળની નદીમાંના જળ પર પહેલો હક્ક છે. તેમણે સિંધુ જળ સંધિ જ રદ કરવાની માંગણી ઊઠાવતા 'સુપર વચન'નો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર પણ વ્યંગ કર્યો હતો.
આજે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીની ગરિમા સાથે ધ્વજવંદન સાથે જ દેશવાસીઓને શુભેચ્છા આપી હતી. તેવી જ રીતે ગુજરાત તથા દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાજ્યોની રાજધાનીઓમાં ધ્વજવંદન કરાવ્યું. અને કેન્દ્રિય મંત્રી મંડળના સભ્યો, વિવિધ રાજકીય પક્ષોના વડાઓ, સામાજિક-સેવાભાવી સંસ્થાઓ અને દૂતાલયો-દૂતાવાસો તથા ક્યાંક દરિયામાં, ક્યાંક પહાડીઓ ઉપર, હિમાલયથી વિવેકાનંદ રોડ અને કીર્તિમંદિરથી પૂર્વાચલ સુધી ઠેર-ઠેર ત્રિરંગો લ્હેરાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
આજે સ્વાતંત્ર્ય પર્વના ગૌરવપ્રદ દિવસે હાલાર, ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓ તથા વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોને નોબત પરિવાર અને માધવાણી પરિવાર હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે પેકેજ્ડ ફૂડ પેકેટોનું માર્કેટ તેજીથી ગતિ પકડી રહ્યું છે, અને શાળાએ જતા બાળકો હોય કે નોકરીએ જતા કર્મચારીઓ, શ્રમિકો હોય કે કોન્ટ્રાક્ટરો, ગૃહિણીઓ હોય કે વયસ્કો હોય, તમામ વયજુથ, વર્ગો અને વિસ્તારોમાં પેકેજ્ડ ફૂડ પેકેટોમાંથી નાસ્તો કરી રહેલા જોવા મળે છે, ધીમે ધીમે માત્ર કામચલાઉ ધોરણે કે પ્રવાસ દરમિયાન બીજો કોઈ વિકલ્પ ન હોય, ત્યારે ખવાતા આ પડીકાં હવે તો નાસ્તો અને ઘણી વખત તો ભોજનનો પણ પર્યાય હોય, તેવી રીતે ખવાય છે અને બાળકો-કિશોરો તથા યુવા-વયજુથોમાં તો આ પેકેજ્ડ ફૂડ પેકેટો હવે વ્યસન (આદત) બનવા લાગ્યા છે. બીજી તરફ આ રીતે આપણે રૂપિયાનું માર્કેટ ધરાવતા આ 'પડીકાંઓ'માં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે સવાલો પણ ઊઠતા રહે છે, અને આ મુદ્દો હવે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે સખ્ત (કડક) વલણ અપનાવ્યું હતું અને કેન્દ્ર સરકારના વકીલને વેધક સવાલો પૂછીને વ્યંગાત્મક ટકોર પણ કરી હતી. સુપ્રિમ કોર્ટનું કહેવું એવું હતું કે અદાલતનો ઉદ્દેશ્ય કોઈ ઉદ્યોગ કે કંપનીને નુક્સાન પહોંચાડવાનો નથી, પરંતુ નાગરિકોના જાહેર આરોગ્યની સુરક્ષા તથા વ્યાપક જનહિતનો હેતુ છે.
આ સુનાવણી દરમિયાન બન્ને તરફના વકીલોએ અદાલતના ન્યાયવિંદે સમક્ષ પોતાની દલીલો આપી હતી, ત્યારે અદાલતની બે જજોની બેન્ચ પણ દલીલો સામે સરકાર પર ટકોર કરીને એફએસએસએઆઈ તથા કેન્દ્ર સરકારને તતડાવ્યા હતાં. અદાલતે કહ્યું હતું કે નાગરિકોને આ જેકફૂડમાં ખાંડ, મીઠું અને ફેટ કેટલા પ્રમાણમાં છે, તે જાણવાનો પૂરો પૂરો હક્ક છે, અને જો સરકાર કાંઈ નહીં કરે તો સ્વયં અદાલત આ અંગે નિર્દેશો આપી દેશે, કારણ કે આ કરોડો લોકોના સ્વાસ્થ્ય અને બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે, જેને હળવાશથી લઈ શકાય તેમ નથી.
પીઆઈએલ કરનાર અરજદારે સુપ્રિમ કોર્ટના આ જ વિષય પર અપાયેલા નિર્દેશોનું પૂરેપૂરૃં પાલન થતું નથી, તેવી દલીલ કરીને એફએસએસએઆઈની બેઠકમાં લેવાયેલા લેટેસ્ટ નિર્ણયોને અપૂરતા ગણાવ્યા હતાં, જેથી સુપ્રિમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદચંદ્રનની ખંડપીઠે કેન્દ્ર સરકારના વકીલનો જવાબ માગ્યો હતો, અને કડક શબ્દોમાં ટકોર કરી હતી કે સરકાર પર મોટી કોર્પોરેટ કંપનીઓનું પ્રેસર હોય તેવું લાગે છે, જેથી સરકાર તેઓની સામે ઝુકી રહી છે. અદાલતે એફએસએસએઆઈ અને કેન્દ્ર સરકારને બે અઠવાડિયામાં આ મુદ્દે સંતોષકારક કદમ ઊઠાવવા આદેશ કર્યો હતો અને આને અંતિમ મુદ્ત ગણાવીને અદાલતે ચેતવણી પણ આપી હતી કે જો આ મુદ્તમાં સરકાર કોઈ 'સંતોષકારક' નિર્ણય નહીં લઈ શકે, તો અદાલત પોતે જ અંતિમ આદેશ ફરમાવી દેશે. સરકાર, એફએસએસએઆઈ, ઉત્પાદકો અને સંબંધકર્તા સૌને સુપ્રિમ કોર્ટનો એ આદેશ બંધનકર્તા રહેશે.
આ સુનવાણી દરમિયાન અદાલતે કરેલી ટકોર અને ટિપ્પણીઓ ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. અરજદારની દલીલ હતી કે પડીકાઓમાં ભરેલી ખાદ્યચીજોમાં ખાંડ, મીઠું અને ફેટ નિયત મર્યાદા કરતા વધુ હોય તો પેકેટ પર સારી રીતે વાચી શકાય તેવી રીતે સ્પષ્ટ ચેતવણી લખવી પડશે, અને ગ્રાહકોએ તેઓ શું ખાઈ રહ્યા છે, તેની ખબર હોવી જોઈએ, તેની સામે કેન્દ્ર સરકારની દલીલ એવી હતી કે જો નવા નિયમો લાગુ થાય, તો નમકીન જેવી પરંપરાગત ભારતીય વાનગીઓ (ટ્રેડિશ્નલ ફૂડ) પણ તેની ચપેટમાં આવી જશે અને લગભગ દરેક ફૂડપેકેટ્સ પર રેડ લેબલ (ચેતવણીનું લાલ નિશાન તથા વિવરણ) લગાડવા પડશે. આ કારણે આ ક્ષેત્રે જોડાયેલા લાખો નાના વેપારીઓ, એમએસએમઈ તથા સામાન્ય છૂટક વેપારીઓની રોજીરોટી પર અસર કરશે. વિકસિત દેશોના નિયમો સીધેસીધા આપણા દેશમાં લાગુ કરી દેવા એ ઠીક નથી, કારણ કે ત્યાંના ખોરાકના ધોરણો અલગ છે. જો આ પ્રકારે વિકસિત દેશોના નિયમો લાગુ થશે, તો આપણા દેશના લાખો લોકોને તેની માઠી અસર પહોંચશે, વગેરે...
આ પ્રકારની દલીલોથી અકળાઈ ઊઠેલી સુપ્રિમ કોર્ટની બેન્ચે નારાજગી વ્યક્ત કરી, અને સરકાર કોર્પોરેટ ક્ષેત્રના દબાણમાં હોય અને ઝુકી રહી છે, તેવા શબ્દપ્રયોગો કરવાની સાથે સાથે એવો વેધક સવાલ પણ કર્યો શું ભારતે કાયમ 'અવિકસિત' દેશ જ રહેવું જોઈએ?
અદાલતે સ્પષ્ટ શબ્દોમાં સંકેતો આપી દીધા છે કે જાહેરહિત તથા જાહેર આરોગ્યના મુદ્દે હવે અદાલત કોઈ બાંધછોડ કરશે નહીં. અદાલતે કહ્યું કે, વિશ્વસમુદાયને દેખાવું જોઈએ કે ભારત પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર છે, જો કે ઉત્પાદકોને આ પ્રકારના કડક નિર્ણયથી વેચાણ (માર્કેટ) પર અસર થઈ શકે છે, પરંતુ પેકેટ પર યોગ્ય રીતે ચેતવણી છપાયા પછી તે જંકફૂડ ખાવું જોઈએ કે નહીં, તેનો અંતિમ નિર્ણય ગ્રાહકોનો હોવો જોઈએ. ટૂંકમાં કોર્પોરેટ કંપનીઓ કે ઉદ્યોગો તથા વ્યાપારીઓના હિત માટે જાહેર આરોગ્ય અને બાળકો, કિશોરો, યુવાનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય, તેવી સ્થિતિ સુપ્રિમ કોર્ટ ચલાવી લેવાની નથી, તે સ્પષ્ટ થઈ રહ્યું છે.
અદાલતે એવો વ્યંગ પણ કર્યો હતો કે પેકજ્ડ સ્નેક્સ અને જંકફૂડ ઉત્પાદકો આ પ્રકારના નિયમો લાગુ કરવાને લઈને આટલા બધા ડિસ્પેરેટ (આકૂળ-વ્યાકૂળ) કેમ થઈ રહ્યા છે? આપણા દેશમાં બહુ ઓછા લોકો ડ્રાયફૂટ્સ ખાય છે, જ્યારે (અમીરવર્ગ સહિત) મોટાભાગના બાળકો જંકફૂડ ખાય છે, અને હવે તેનો વ્યાપ વધી રહ્યો છે. તે જોતા તેઓના હેલ્થ પ્રોટેક્શનની સર્વોચ્ચ અગ્રતા અદાલતની છે, તેમ જણાવી સુપ્રિમ કોર્ટે ઉત્પાદકો તરફથી વકીલોએ કરેલી તમામ દલીલો ફગાવી દેતા હવે કેન્દ્ર સરકાર 'ફિક્સ'માં મૂકાઈ ગઈ હોય તેમ જણાય છે.
એફએસએસએઆઈ એ માવા-મસાલાઓની પડીકીઓ માટે પ્લાસ્ટિક-પીવીસીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યા પછી હવે પેકેજ્ડ ફૂડ સામે લાલબત્તી ધરવામાં આવી છે, જો કે બન્ને ચીજોના ઉત્પાદન કે વેંચાણ પર હાલ તુરત પ્રતિબંધ મૂકાયો નથી. આપણે જોઈએ છીએ કે સિગારેટના પેકેટ પર પણ આ પ્રકારની ચેતવણી લખાય છે, તેથી આ પ્રકારના કાનૂની કદમોની સાથે સાથે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાની પણ જરૂર છે, અને તેવી જનજાગૃતિ માટે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ તથા તેની સરકારે નેતૃત્વ સંભાળવું જોઈએ અને તમામ એનજીઓઝ તથા સામાજિક-આર્થિક-સાંસ્કૃતિક અગ્રણીઓએ આગળ આવવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કૃષ્ણ જન્મોત્સવ નથી, અને નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શિતળા સાતમ અને જન્માષ્ટમી-પારણાનોમના તહેવારો સપ્ટેમ્બરના પ્રારંભમાં હશે, પરંતુ શ્રાવણ મહિનામાં જ હશે.
આજથી શિવાલયો હર હર મહાદેવના નાદ્થી ગૂંજી ઊઠશે, તો શિવભક્તોનો શિવપ્રેમ પરાકાષ્ટાએ હશે. શ્રાવણ મહિનામાં જ ૧પ મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે અને દેશભરમાં રાષ્ટ્રપ્રેમ વધુ ઉભરાશે, તથા વૈવિધ્યસભર કાર્યક્રમો ધમધમશે. શ્રાવણ/ઓગસ્ટ મહિનામાં જ બંધુ-ભગિનિના પ્રેમની સરવાણી વહેવડાવતો પવિત્ર તહેવાર આવશે અને રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈઓને રાખડી બાંધશે, ભાઈઓ માટે મંગલકામના વ્યક્ત કરશે, અને ભાઈઓ પણ બહેનોને ભેટ-બક્ષીસો સાથે આજીવન સાથ-સુરક્ષાનું અભયવચન આપશે.
શ્રાવણ અને ઓગસ્ટ મહિનો ઘણી રીતે વૈવિધ્યપૂર્ણ છે. ઓગસ્ટ મહિનાના ઘણાં બધા ઘટનાક્રમો રાષ્ટ્ર માટે મહત્ત્વપૂર્ણ હતાં અને ઈતિહાસમાં આ મહિનો સૂવર્ણઅક્ષરે અને ગૌરવપ્રદ રીતે નોંધાયેલો છે, અને તેની સાથે શ્રાવણ મહિનાનો અદ્ભુત યોગાનુયોગ પણ રહ્યો છે.
ઓગસ્ટની પાંચમી તારીખ તો વિવિધ તબક્કે અને વિવિધ સંદર્ભમાં ભારતના ઈતિહાસમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સ્વાતંત્ર્ય સેનાનીઓએ ૧૯૪ર માં ક્વીટ ઈન્ડિયાની રણનીતિ પાંચમી ઓગસ્ટે ઘડી હતી, જેની ઘોષણા પછીથી થઈ હતી. બ્રિટિશ સલ્તનતે બંગાળના નવાબના એક ઓફિસર મહારાજા નંદકુમારને પાંચમી ઓગસ્ટ-૧૭૭પ ના ફાંસીએ ચડાવ્યા હતાં. વર્ષ ૧૯૯૧ માં જજ લીલાશેઠ પાંચમી ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધિશ બન્યા હતાં, તો ભારત સરકારે પાંચમી ઓગસ્ટ ર૦૧૯ ના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩પ(એ) નાબૂદ કરી હતી, તો વર્ષ ર૦ર૦ માં અયોધ્યામાં રામમંદિર માટે ભૂમિપૂજન પણ પાંચમી ઓગસ્ટે જ થયું હતું.
મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ૮ મી ઓગસ્ટ ૧૯૪ર ના ઓગસ્ટ ક્રાંતિનો પ્રારંભ થયો અને કરો યા મરોના સૂત્ર હેઠળ અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા'ની વોર્નિંગ સાથે અહિંસક ચળવળ શરૂ થઈ, જે દેશવ્યાપી બની ગઈ હતી અને બ્રિટિશ સલ્તનતની બુનિયાદને હચમચાવી દીધી હતી.
શ્રાવણ મહિનામાં દરેક સોમવારે શિવભક્તો વિશેષ શિવપૂજન કરે છે અને વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરે છે. શ્રાવણ મહિનામાં ચતુર્દશીના દિવસે રૂદ્રાભિષેક કરવામાં આવે છે, જેને 'સાવન શિવરાત્રિ' પણ કહે છે. શ્રાવણ સુદ ત્રીજ ને હરિયાળી ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે, તો પાંચમના દિવસે નાગપાંચમ મનાવાય છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શ્રાવણવદ પાંચમના દિવસે પણ નાગપંચમીનું પૂજન, બીજા દિવસે રાંધણછઠ્ઠ, ત્રીજા દિવસે શિતળા સાતમ અને પછી જન્માષ્ટમી તથા બીજા દિવસે પારણાનોમ ઉજવાય છે. આ પાંચ દિવસીય તહેવારો તથા વ્રતોને સાંકળીને ઠેર-ઠેર શ્રાવણિયા ભક્તિમેળાઓ યોજાય છે, તેની સાથે સાથે લોકમેળાઓ તથા મનોરંજન મેળાઓ પણ યોજાય છે. આ જ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉપરાંત યજ્ઞોપવિતધારકો જનોઈ બદલાવે છે. આમ, શ્રાવણ મહિના સાથે ઓગસ્ટનું અદ્ભુત સંયોજન થાય છે.
શ્રાવણ મહિનાના બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બર મહિનાના પ્રારંભે દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને 'નંદ ઘેર આનંદભયો, જય કનૈયાલાલ કી'નો નાદ્ ગૂંજી ઊઠશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં યાત્રાધામ દ્વારકામાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોવાથી તંત્રો અત્યારથી જ તેની તૈયારીઓ કરવા લાગ્યા છે. સરકારે ભારત ટેક્સીની જેમ સહકારી ધોરણે દ્વારકા શહેરમાં સહકારી ઓટોરિક્ષા સેવા શરૂ કરવી પણ અત્યંત જરૂરી છે, કારણ કે યાત્રાધામ દ્વારકામાં સ્થાનિક પરિવહન ઘણું જ મોંઘુ છે. તેવી જ રીતે યાત્રાધામ દ્વારકા, નાગેશ્વર, ગોપીતળાવ, બેટદ્વારકા, સુવર્ણતીર્થ, શિવરાજપુર વગેરે સ્થળોને સાંકળતી મીનીબસ સેવા પણ સહકારી ધોરણે શરૂ કરવી જોઈએ. તેવી જ રીતે બેટદ્વારકામાં પણ બસડેપો તથા પાર્કિંગથી દ્વારકાધીશના મુખ્ય મંદિરે થઈને શંખતળાવ, હનુમાનદાંડી, ચોર્યાસી ધૂણા, ગુરુદ્વારા, ડન્ની પોઈંટ સહિતના બેટદ્વારકાના સ્થાનિક દર્શનીય તથા પર્યટન સ્થળોને સાંકળી લેતી ટેક્સી સેવા તથા મીનીબસ સેવા 'સહકાર ક્ષેત્ર' દ્વારા શરૂ કરવાની જરૂર છે.
આ વર્ષે ૧પ મી ઓગસ્ટના દિવસે કેટલાક વિશેષ કાર્યક્રમો યોજાવાના છે, અને ૧૪ મી ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિન ઉજવાનાર છે. હર ઘર તિરંગા અભિયાન શરૂ થઈ ગયું છે, જે ૧૭ મી ઓગસ્ટ સુધી ચાલશે. આ પ્રકારના ગૌરવપૂર્ણ અને પાવન મહિનામાં જ દેશની રાજધાનીમાં જે કાંઈ બની રહ્યું છે, તે દુર્ભાગ્યપૂર્ણ ગણાય. ઘમંડ, જીદ, પાવર અને રાજનૈતિક ફાયદા માટે અજમાવાતી યુક્તિઓના કારણે સંસદનું ચોમાસું સત્ર લગભગ બરબાદ થઈ ગયું. જંતર-મંતર પછી તેવા જ દૃશ્યો ઝારખંડની રાજધાની રાંચીમાં જોવા મળ્યા. ક્યાંક પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યા પછી મહત્ત્વના બિલો અથવા પ્રસ્તાવ જેપીસીને મોકલવા પડી રહ્યા છે, તો ક્યાંક કેન્દ્રિય કાયદાઓ અથવા સૂચિત પ્રસ્તાવોની વિરૂદ્ધમાં વિધાનસભાઓમાં પ્રસ્તાવો પસાર થઈ રહ્યા છે, જે સંઘભાવના તથા ફેડરલ સ્ટ્રક્ચર માટે સારા સંકેત નથી.
આ વર્ષે ચોમાસું ખેંચાઈ રહ્યું છે, વિખેરાઈ રહ્યું છે અને અટવાઈ રહ્યું છે, જ્યાં વરસાદ પડે છે ત્યાં જળબંબાકાર થઈ જાય છે, અને જ્યાં નથી પડતો ત્યાં કેટલાક વિસ્તારો કોરા ધાકોડ છે. શ્રાવણ મહિનો આવ્યો છતાં સંતોષકારક વરસાદ નહીં થતા વિકટ સ્થિતિ ઊભી થઈ રહી છે. તેથી જન્માષ્ટમીના તહેવારો સમયે પણ પાછોતરો વરસાદ થાય, તો તેની સંભાવનાઓને અનુરૂપ વ્યાવસ્થાઓ પણ વહીવટી તંત્રે રાખવી પડશે અને તેને અનુરૂપ લોકલ તથા પબ્લિક પરિવહનની વ્યવસ્થાઓ કરવી પડશે. મંદિરોની વ્યવસ્થાપક સમિતિઓ, સંચાલકો, ટ્રસ્ટો તથા પૂજારીવર્ગે પણ આ પ્રકારની સ્થિતિને અનુરૂપ દર્શનની વ્યવસ્થા ગોઠવવી પડશે, જો કે બદલાઈ રહેલી સિસ્ટમલ જોતા આ અઠવાડિયામાં જ શ્રીકાર વરસાદ થઈ જાય અને જ્યાં નહીંવત વરસાદ થયો છે, તે હાલાર સહિતના તરસ્યા વિસ્તારોને તૃપ્તિ થઈ જાય, તેવો વરસાદ થાય, તેવો આશાવાદ પણ જાગ્યો છે. આ ધર્મ, ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના ત્રિવેણીસંગમ સમા શ્રાવણ મહિનામાં સર્વત્ર આનંદ પ્રસરે અને મેઘરાજાની મહેરબાની થઈ જાય, તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા (ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ) દ્વારા પાન-મસાલાના પેકીંગ કે પાઉચ માટે પ્લાસ્ટિક, પીવીસી તથા એલ્યુમિનિયમ ફોઈલના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં ખાદ્યચીજો તથા પેયપદાર્થો (ખાવા-પીવાની ચીજવસ્તુઓ) ની શુદ્ધતા, સુરક્ષા અને માનક અથવા પ્રમાણો નક્કી કરતા આ સરકારી સત્તામંડળ દ્વારા ખાવા-પીવાની ચીજવસ્તુઓ માટે લાઈસન્સ અપાય છે, અને દેશમાં ઉત્પાદિત થતી અને વેચાતી ખાવા-પીવાની ચીજવસ્તુઓની શુદ્ધતા અને સુરક્ષા પર સતત નજર સ્થાનિક તંત્રો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા પણ રાખવામાં આવતી હોય છે.
આથી હવે પાન-મસાલાના પેકેજીંગમાં પ્લાસ્ટિક કે પીવીસીના ફોઈલ કે પેકેજીંગની અંદર ચમકતી એલ્યુમિનિયમ વરખ કે મેટલાઈઝ્ડ લેયરનો ઉપયોગ હવે કરી શકાશે નહીં. આના વિકલ્પે કંપનીઓ અને ઉત્પાદકો અને પ્લાસ્ટિક સિવાયના કાગળ, પેપર બોર્ડ, સેલ્યુલોઝ અથવા અન્ય પ્રાકૃતિક ઢબે બનેલી સામગ્રીનો ઉપયોગ પેકેજીંગ માટે કરી શકશે. તે ઉપરાંત મોટા પેકેજીંગ માટે કાચની બોટલો/કંટેનર/બરણી વગેરેનો ઉપયોગ થઈ શકશે, અને તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ જરા પણ નહીં કરી શકાય.
આ નવા નિયમો મુજબ પાઉચ પેકેજીંગમાં પોલિએથિલીન, પોલી પ્રોપિલીન, પોલીએસ્ટર, પીવીસી કે તેના અન્ય સિન્થેટિક પોલિમર, કો-પોલિમર અથવા લેમિનેટ નહીં કરવાનો આદેશ પણ અપાયો છે. આ કારણે હવે પાન-મસાલાના પાઉચ મોંઘા થઈ શકે છે, જેની માઠી અસર છૂટક વેપારીઓ અને ગ્રાહકો સુધી પહોંચી શકે છે. આ નવા નિયમો ૧૦ મી ઓગસ્ટથી લાગુ કરી દેવામાં આવ્યા હોવાનું પણ જાહેર થયું છે.
આ નવા નિયમો લાગુ કરતા નવા ગેઝેટ નોટિફિકેશનના અર્થઘટનો મુજબ પાન-મસાલાની પડીકીઓથી લઈને તેના પેકેજીંગ સુધીની ચીજવસ્તુઓ પર આ નિયમો લાગુ થશે. આ નિયમો મુજબ ઈકો-ફ્રેન્ડલી, પર્યાવરણને અનુકૂળ ચીજોનો ઉપયોગ કરીને જ પાન-મસાલાની પડીકીઓ, નાના-મોટા પેકેજીંગ બનાવી શકાશે.
એફએસએસએઆઈ દ્વારા ફૂડ પેકેજીંગ એમેડમેન્ટ રેગ્યુલેશન-ર૦ર૬ નું નોટિફિકેશન જાહેર કરી દેતા આ નિયમો તત્કાલ ૧૦ મી ઓગસ્ટ-ર૦ર૬ થી લાગુ થઈ ગયા છે. આ કડક નિયમો લાગુ કરવાનો ઉદ્દેશ્ય પર્યાવરણ સુરક્ષાની સાથે સાથે જનઆરોગ્યની સુરક્ષાનો પણ જણાય છે. આ નિર્ણય પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ-૧૯૮૬ હેઠળ ઘડાયેલા અધિનિયમ તથા પ્લાસ્ટિક વેસ્ટ મેનજમેન્ટ રૂલ્સ-ર૦૧૬ હેઠળ લેવાયો છે.
પ્લાસ્ટિક પર ધીમે ધીમે વધુ ને વધુ કડક કાયદા અમલમાં આવતા કેટલીક કંપનીઓ પાન-મસાલાના પાઉચ કે પેકેટની ઉપરનું કવર કાગળનું રાખીને અંદરનું સ્તર પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમની વરખ કે પતરીનું રાખતી હતી, જેને આ નવા નિયમો વિરૂદ્ધ માનવામાં આવશે અને બન્ને તરફ પૂરેપૂરૃં પ્લાસ્ટિક ફ્રી પેકેજીંગ જ માન્ય રહેશે, તેવી ચોખવટ થઈ ગઈ છે.
વર્ષ ર૦૧૮ માં પણ ખાદ્ય સુરક્ષા અને તેના પેકેજીંગના માપદંડો નક્કી કરીને નિયમો સુધારાયા હતાં. હવે પાન-મસાલાને શેડ્યુલ-૪ માં નવી એન્ટ્રીના સ્વરૂપમાં સામેલ કરાયા છે. આ શેડ્યુલમાં સરકાર એવી ચીજવસ્તુઓનો સમાવેશ કરે છે, જેના પેકેજીંગ મટિરિયલ્સ માટે માસ નિયમો બનાવાયા હોય.
જો કે, પોલિથીન, પોલી પ્રોપિલીન કે પીવીસીના બદલે કાગળ કે પેપરબોર્ડ, પોલીમર કે સિન્થેટિક લેમિનેટ્સના બદલે સેલ્યુલોઝ, એલ્યુમિનિયમ ફોઈલ કે મેટેલાઈઝ્ડ કે ટ્રેડિશ્નલ પ્લાસ્ટિક પાઉચ કે પેકેટ્સના બદલે ડબલીઓ કે કાચની બોટલોનો ઉપયોગ થઈ શકશે, તેવું અર્થઘટન કરવામાં આવી રહ્યું હોવાથી એકંદરે મટિરિયલ્સ બદલશે, પરંતુ પાન-મસાલા એજ રહેશે. ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં તમાકુયુક્ત પાન-મસાલા (ગુટખા) પર પ્રતિબંધ જ છે, કે નાના-મોટા પેકેટ તથા પ્લાસ્ટિકના મોટા પેકેજીંગ થાય છે, તે બધાને આ નવા નિયમો લાગુ પડશે, તેના કારણે પાન-મસાલા હવે મોંઘા થઈ જશે, તે પણ નક્કી છે. આ નોટિફિકેશન જોતા તત્કાલ અસરથી નવા નિયમો મુજબનું જ પ્રોડક્શન કંપનીઓ કરી શકશે. આ નવા નિયમોની તત્કાળ અસર તો ડઝનેક પાન-મસાલા ઉત્પાદક કંપનીઓેને જ થશે, જે તે પછી છૂટક વ્યાપારીઓ તથા ગ્રાહકો સુધી પહોંચશે. આ નોટિફિકેશન ૭ મી ઓગસ્ટે જાહેર થયું, અને ૧૦ મી ઓગસ્ટથી જ લાગુ કરી દેવાયું, તેથી જુના ઉત્પાદિત સ્ટોક અને તેના ગ્રેસીંગ પીરિયડ અંગે કોઈ ચોખવટ થઈ રહી નહીં હોવાથી ભિન્ન-ભિન્ન અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે. આજે આ મુદ્દે અખબારો અને ન્યુઝ ચેનલોથી લઈને સોશિયલ મીડિયા સુધી વ્યાપક ચર્ચા થઈ રહી છે, તેથી આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બન્યો છે.
આ નિયમો જે નોટિફિકેશન દ્વારા તત્કાળ લાગુ કરી દેવાયા છે, તે જોતા જુના સ્ટોકનું વેંચાણ પણ નહીં થઈ શકે અને કંપનીઓ તથા દુકાનોમાંથી જુનો સ્ટોક પાછો ખેંચવો પડશે, અન્યથા તેને જપ્ત કરવો પડે તેવી સ્થિતિમાં એક પ્રકારની અસમંજસની સ્થિતિ પણ ઊભી થઈ છે, તેથી જ એવો વ્યંગ પણ થઈ રહ્યો છે કે નવા નોટિફિકેશનનો કડક અમલ થશે કે માત્ર વાતોના વડા જ થશે? એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે કે આ નવા નિયમો લાગુ કરતા પહેલા કંપનીઓને, જથ્થાબંધ અને છૂટક વેપારીઓને જુનો સ્ટોક રહી ન જાય તેટલી મુદ્ત આપવી જોઈતી હતી. બીજી તરફ એવું કહેવાય છે કે જુનો સ્ટોક રિકોલ કરીને તેનું નુક્સાન ઉત્પાદન કંપનીઓ જ ભોગવશે અને છૂટક વેપારીઓને તેનું નુક્સાન નહીં વેઠવું પડે, જો કે આ મુદ્દે કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.
આ નિયમભંગ બદલ કંપનીઓ કે વેપારીઓનું લાયસન્સ રદ્, મુદ્દામાલની જપ્તિ, ભારે દંડની જોગવાઈ છે અને ફૂડ સેફ્ટીના તંત્રોને દરોડા પાડીને તથા કડક ચેકીંગ કરીને આ નિયમોનું કડક પાલન કરવાની તાકીદ કરાઈ હોવાના અહેવાલો જોતા આ મુદ્દો પણ હવે સડકથી સંસદ સુધી પડઘાશે તે નક્કી જણાય છે.
આ નવા નિયમોની અમલવારી માટે જરૂરી ચેકીંગ એફએસઓ એટલે કે ફૂડ સિક્યોરિટી ઓફિસર્સ અને તેના તંત્રો કરી શકે છે. આ અધિકારીઓ રાજ્ય સરકારો હેઠળ દરેક જિલ્લા-તાલુકા સ્તર સુધી વિસ્તરેલા હોય છે. એફએસઓઝ પાસેથી કામ લેવા, જરૂરી મંજુરીઓ આપવા તથા સ્ટેટ-સેન્ટ્રલ કક્ષા સુધી કડીરૂપ કામ કરવા માટે નિમાયેલા હોય છે. આ અધિકારીઓ જરૂર પડ્યે સ્થાનિક તંત્રો કે પોલીસની મદદ પણ લઈ શકે છે. તેથી લોકલ એડમિનિસ્ટ્રેશન (સ્થાનિક તંત્રો) ને સ્વયંભૂ આ પ્રકારની તપાસણી કે દરોડા પાડવાના સ્વતંત્ર અધિકારો નહીં હોવાથી 'હપ્તાખોરો'થી સાવધાન રહેવાની કોમેન્ટો પણ થવા લાગી છે.
આ પ્રકારનો નિયમભંગ થતો હોય, કોઈ આ પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચતું હોય કે હપ્તાખોરીનો પ્રયાસ થતો હોય તો તેની જાણ કરવા માટે એફએસએસએઆઈ દ્વારા કેન્દ્રિય કંટ્રોલ રૂમ તથા ટોલ ફ્રી હેલ્પલાઈનના ફોન, મોબાઈલ તથા વ્હોટ્સ એપ નંબર તથા અધિકૃત ઈ-મેઈલ આઈડી ઉપરાંત ફૂડ સેફ્ટી પોર્ટલ, સ્ટેટ ફૂડ સેફ્ટી કમિશનર તથા સ્થાનિક ફૂડ સેફટી અધિકારીઓનો સંપર્ક કરીને જાણ કરી શકાય કે ફરિયાદ નોંધાવી શકાય છે, તેવું જાહેર થયું છે, પરંતુ જનજાગૃતિનો અભાવ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રાજ્ય સભામાં પણ બેંકર્સ બુક્સ ઓફ એવિડેન્સ બિલ-ર૦ર૬ સર્વાનુમત્તે પાસ થઈ ગયું, અને બ્રિટિશ સલ્તનતે બનાવેલો ૧૩પ વર્ષ જુનો કાયદો બદલાઈ ગયો. નવો આધુનિક કાયદો વર્તમાન ઈન્ટરનેટ અને ડિજિટલ યુગને અનુરૂપ બન્યો છે, અને હવે રાષ્ટ્રપતિની મંજુરી પછી દેશભરમાં લાગુ થઈ જશે, જો કે ગઈકાલે વિપક્ષે વોકઆઉટ કર્યું હતું, છતાં આ કાયદો પસાર કરવાની 'અનુકૂળતા' કરી આપવા માટે રોજીંદા સૂરોચ્ચાર અને હોબાળાના બદલે વિપક્ષે વોકઆઉટ કર્યું, તે આ કાયદા પ્રત્યે ગુપ્ત સહમતિ અથવા સર્વાનુમતિનો સંકેત આપે છે.
ગયા અઠવાડિયે જ આ બિલ લોકસભામાં પણ પસાર થયું હતું, અને રાજ્યસભામાં આ બિલ રજૂ કરતી વખતે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બિલને નવું સિમાચિન્હ (માઈલસ્ટોન) ગણાવીને આ બિલ રજૂ કરતી વખતે પણ વિરોધ પ્રદર્શિત કરવાના બદલે વિપક્ષે સકારાત્મક ચર્ચા કરી હોત તો તે લોકહિત માટે હોત, અને લોકતાંત્રિક પ્રક્રિયાને અનુરૂપ હોત, તે પ્રકારની વ્યંગાત્મક ટકોર પણ કરી હતી.
બ્રિટિશ શાસનકાળમાં જ્યારે વર્ષ ૧૮૯૧ માં આ પ્રકારનો કાયદો બન્યો હતો, ત્યારે ખાતાવહી, ચોપડા, રોજમેળ જેવી પદ્ધતિથી હિસાબો રખાતા હતાં, અને બેન્કીંગ સિસ્ટમમાં જરૂર પડ્યે એ ખાતાવહીઓ કે ચોપડાઓના બદલે તેની પ્રમાણિત કરેલી હસ્તલિખિત નકલોને આધાર-પુરાવા તરીકે માન્ય રાખીને ચોપડા-ખાતાવહી લઈને વારંવાર બેંકોના ધક્કા ખાવામાંથી લોકોને અને ખાસ કરીને વેપારીઓને મુક્તિ અથવા છૂટછાટ આપવા માટે તે સમયે આ કાયદો બન્યો હશે, અને તે જુના જમાનાની ટેકનોલોજી આજની કોમ્પ્યુટરાઈઝ એકાઉન્ટ સિસ્ટમ સાથે બિલકુલ સુસંગત નહીં હોવાથી આ ક્રાંતિકારી બદલાવ અત્યંત જરૂરી હતો, અને સમયની માંગ પણ હતી. આ કારણે જ વિપક્ષે અમિત શાહ સંસદમાં જંતરમંતર પર થયેલા લાઠીચાર્જ અંગે જવાબ ન આપે, ત્યાં સુધી સંસદ ચાલવા નહીં દેવાનો નિર્ધાર જાહેર કર્યો હોવા છતાં કદાચ વોકઆઉટ કરીને આ મહત્ત્વપૂર્ણ બિલ પાસ થઈ જાય, તેવી અનુકૂળતા કરી આપી હશે, અને વચલો રસ્તો કાઢ્યો હશે, તેવા અનુમાનોમાં તથ્ય છે, અને તેવું થયું હોય તો તેમાં કાંઈ ખોટું પણ નથી, પરંતુ રાજનીતિમાં અટવાઈને આ બિલ લટકી ન જાય, તે માટે શાસક પક્ષ તથા વિપક્ષોનું સમજદારીભર્યું યોગ્ય કદમ જ ગણવું જોઈએ.
'બેંકર્સ બુક્સ'ની વ્યખ્યાનું તો વિસ્તૃતિકરણ કરાયું છે જે, સાથે સાથે નવા કાયદામાં આ કાનૂનની જરૂરિયાત, ઉપયોગ અને સાંપ્રત સમયમાં તેના મહત્ત્વ અંગે પણ પૂર્વભૂમિકા રજૂ થઈ છે. જુના કાયદામાં પણ વખતોવખતના ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપો, માઈક્રોફિલ્મ, ટેપ જેવા બુનિયાદી માધ્યમોમાં સચવાયેલા હસ્તલિખિત, ટાઈપ કરેલા કે સમયની સાથે બદલતી ટેકનોલોજી હેઠળ સચવાયેલા ડેટાનો પુરાવા તરીકે સ્વીકાર થતો હતો, જ્યારે નવા કાયદા હેઠળ બેંકોના ડિજિટલ સ્વરૂપમાં સચવાયેલા, કોમ્પ્યુટરાઈઝ્ડ તથા ઈલેક્ટ્રોનિક્સ અદ્યતન સાધન-સુવિધાઓના માધ્યમથી સચવાયેલા રેકોર્ડસને અદાલતોમાં પણ આધાર-પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવામાં આવે, તેવી જોગવાઈ થઈ છે.
અત્યારે ડિજિટલ પેમેન્ટનો યુગ છે. ઘણી બધી હિસાબી પ્રક્રિયાઓ હવે ઓનલાઈન થવા લાગી છે, તેવામાં ૧૩પ વર્ષ જુનો કાયદો, અને તેમાં કેટલાક સુધારા-વધારાઓ થયા હોય તો પણ તે વર્તમાન ઝડપી બદલતા ડિજિટલ યુગમાં કોઈપણ રીતે બંધબેસતો નહીં હોવાથી તેના સ્થાને નવો અને અદ્યતન જોગવાઈઓ સાથેનો કાયદો અમલમાં મૂકાયો, તેથી સાયબર ક્રાઈમ અને ફ્રોડની સામે તપાસ તથા કાનૂની કાર્યવાહી પણ સરળ અને ઝડપી બનશે, તે હકીકત છે.
હવે વર્ચ્યુલ સ્ટોરેજ, ક્લાઉડ લોકેશન ઉપરાંત ઓનલાઈન-ઓફલાઈન સર્વર પર સાચવેલો ડેટા સહિત ઈલેક્ટ્રોનિક કે ડિજિટલ સ્વરૂપમાં રાખવામાં આવેલા રેકોર્ડઝને કાયદેસરના પુરાવા તરીકે અદાલતો ગ્રાહ્ય રાખશે, તેથી કાનૂની કેસોનો ઝડપી ઉકેલ પણ આવશે અને અદાલતો તથા વકીલોના રેકોર્ડઝમાં પણ ચોપડા, રજિસ્ટરો, ડાયરીઓ, નોંધપોથીઓ વગેરે ભૌતિક દસ્તાવેજો સાચવવા, અદ્યતન કરવા, સમયાંતરે બદલવા અને પ્રસ્તુત કરવાની કડાકૂટ ઘટી જશે, અને પછી તબક્કાવાર કાયમી અંત આવી જશે. આ કારણે આ કાયદાનો બેન્કીંગ ક્ષેત્ર, કાનૂનીક્ષેત્ર તથા સામાન્ય જનતાને પણ ફાયદો થશે.
જો કે, કેટલાક વિપક્ષોએ સંસદમાં વિસ્તૃત ચર્ચા કર્યા વગર આ બિલ પાસ કરી દેવાની સરકારી માનસિક્તાની ટીકા પણ કરી છે. કેટલાક લોકો એવી દલીલ કરી રહ્યા છે કે, આ પ્રકારની માન્યતાઓ મળી જતા લોકોમાં ફાયનાન્સિયલ પ્રાયવસી જોખમાશે, અને તેમાંથી જ નવી સમસ્યાઓ ઊભી થશે. કેટલાક તદ્વિષયક તજજ્ઞો પણ એવું માને છે કે, સ્ટ્રોંગ ડિજિટલ સેઈફગાર્ડઝ, ટેકનિકલ સિક્યોરિટી તથા તેને સંબંધિત માળખાકીય સુવિધઓની ઉણપના કારણે તથા ડિજિટલ રેકોર્ડ સાથે ખીલવાડની સંભાવનાઓ અને સુરક્ષાના મજબૂત પ્રબંધો વિના આ જોગવાઈઓ લાગુ કરવી યોગ્ય નથી.
વિરોધ પક્ષના નેતાઓમાંથી મોટાભાગના લીડર્સ દ્વારા આ રીતે વિપક્ષની ગેરહાજરીમાં અને ચર્ચા વગર આ કાયદો પસાર કરવાની સરકારની નીતિની આકરી ટીકા કરી રહ્યા છે, પરંતુ સંસદીય કાર્યવાહીમાં પણ બેક ચેનલ દ્વારા થતી ચર્ચાઓ તથા વચલો રસ્તો કાઢવા માટે થતી સમજુતિઓ રાજનૈતિક ઈન્ટરનલ અન્ડરસ્ટેન્ડીંગનો એક ભાગ જ હોવાથી ગૃહ ચાલવા નહીં દેવાના બદલે વોકઆઉટ કરીને ટ્રેઝરી બેન્ચ (શાસક પક્ષ) ને 'અનુકૂળતા' કરી આપવાની તરકીબ અજમાવાઈ હોવાની સંભાવના પણ નકારી શકાય નહીં. એકંદરે આ નવો કાયદો 'સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના મંત્ર મુજબ બેન્કીંગ સિસ્ટમ, ટ્રેડ, નાણાકીય વ્યવહારોને સંબંધિત હોવાથી લગભગ તમામ લોકોને સીધી કે આડક્તરી રીતે અસર કરતો હોવાથી ઉપયોગી સિદ્ધ થશે. આ કાયદો અમલમાં આવતા કાનૂની અને વ્યાપારી ક્ષેત્રે પણ પ્રભાવ પડશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં ગઈકાલથી રાજ્યવ્યાપી હરઘર તિરંગા અભિયાન શરૂ થયું છે, જે ૧૭ મી ઓગસ્ટ સુધી ચાલશે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા અને તિરંગા કોન્સર્ટના આયોજન પછી તબક્કાવાર ૧૭ મી ઓગસ્ટ સુધી તિરંગાયાત્રાઓ નીકળશે અને ઘેરઘેર તિરંગો ફરકાવાશે. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા તેને લઈને ૧૪ મી ઓગસ્ટે 'વિભાજન વિભિષિકા સ્મૃતિ' દિવસની ઉજવણી ઉપરાંત નાગરિકો પોતપોતાના ઘરે તિરંગો ફરકાવીને ઘર અને તિરંગા સાથે સેલ્ફી ખેંચીને વેબસાઈટ પર મૂકે, તેમાં અબાલવૃદ્ધ તમામ પરિવારજનો સામેલ થઈ શકે છે. સમગ્ર ગુજરાતમાં ૧ર૦૦ જેટલા તિરંગા યાત્રાઓની મંજુરી લેવામાં આવી છે, તે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ તિરંગાયાત્રાઓ નીકળશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.
એક તરફ ગુજરાતમાં તિરંગાયાત્રાઓ સાથે હર ઘર તિરંગા અભિયાન શરૂ થઈ રહ્યું છે, તો બીજી તરફ તા. ૧૪ મી ઓગસ્ટે વિભાજન વિભિષિકા દિવસ મનાવાશે. આ જ દિવસે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ઘણાં સ્થળે સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો પણ યોજાવાના છે.
૧૪ મી ઓગસ્ટે જ 'બંટવારા-૧૯૪૭' હિન્દી ફિલ્મ થિયેટરોમાં રિલિઝ થશે, તે ઉપરાંત ઝી-ફાઈવ ઓટીટી પ્લેટફોર્મ પર ભારત ભાગ્ય વિધાતા પણ રિલિઝ થઈ રહી છે. ભારત ભાગ્ય વિધાતાની કથાવસ્તુ ર૬/૧૧ ના મુંબઈ આતંકી હુમલાઓ દરમિયાન તબીબો, નર્સો, મેડિકલ સ્ટાફ દ્વારા દેખાડેલા અદમ્ય સાહસ અને માનવતાની સત્યઘટનાઓ પર આધારિત હોવાનું કહેવાય છે, જ્યારે 'બંટવારા-૧૯૪૭' ફિલ્મ આમિરખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ રાજકુમાર સંતોષી નિર્મિત ફિલ્મ છે, જેમાં સની દેઓલ, મુખ્ય ભૂમિકામાં હશે, જેની સાથે તેનો પુત્ર કરણ દેઓલ, અલીફઝલ અને શબાના આઝમી સહિતના કલાકારો હશે. આ ફિલ્મમાં ભાગલા સમયની ઘટનાઓને વણી લઈને અમન અને પ્રેમનો સંદેશ અપાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આમ, બન્ને ફિલ્મો દેશભક્તિ તથા માનવતા, શાંતિ અને એક્તાની ભાવનાને સાંકળીને ૧૪ મી ઓગસ્ટે રિલિઝ કરવામાં આવી રહી છે, જે સૂચક છે, અને પ્રાસંગિક પણ છે...
એક તરફ દેશમાં દેશભક્તિ, શાંતિ, એક્તા અને સ્નેહ-પ્રેમનો માહોલ ફેલાય, તેવા પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ યુવાનોને સડકો પર ઉતરીને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ક્યાંક વયસ્ક નેત્રી મહિલા અને પૂર્વ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવાની ઘટના બની રહી છે, તો બીજી તરફ યુવાવર્ગ તથા વિદ્યાર્થીઓની સ્વયં નેતાગીરી લઈને સરકારને હફાવનાર યુવાનેતા ગાંધીવાદી અન્ના હજારેને બુઢ્ઢા ગણાવીને તેઓએ આશ્રમમાં બેસી જવું જોઈએ, તેવું નિવેદન કરી રહ્યા છે. બીજી તરફ આ નિવેદનના શબ્દોને સાંકળીને 'ખડગે અંગે તમારૂ શું કહેવાનું છે?' જેવા સવાલો પૂછાઈ રહે છે, તો તેની સામે શાસક પક્ષના વયોવૃદ્ધ તરફ અંગૂલીનિર્દેશ કરતી કોમેન્ટો થઈ રહી છે. જંતર-મંતર અને ઝારખંડના આંદોલનો પરીક્ષાપદ્ધતિ સાથે સંકળાયેલી શૈક્ષણિક સમસ્યાના હોવા છતાં બન્ને આંદોલનોને અલગ-અલગ ચશ્માથી નિહાળવામાં આવી રહ્યા છે, અને આંદોલનકારીઓ પણ વિવિધ વિચારધારાઓમાં વહેંચાયેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા હોય, ત્યારે સવાલ એ ઊઠે કે શું આ દિવસો જોવા માટે જ લાખો સ્વાતંત્ર્યવીરોએ બલિદાનો આપ્યા હતા? શું આ પ્રકારની આઝાદી માટે જ કરોડો લોકોએ યથાશક્તિ યોગદાન આપ્યું હતું? શું આ અંધાધૂંધી અને અનિશ્ચિતતાઓ જોવા માટે જ લાખો માતાઓએ પોતાના વહાલસોયા દીકરા-દીકરીઓને સ્વાતંત્ર્ય ચળવળ માટે દેશને સમર્પિત કર્યા હતાં? આજે દુષ્કર્મ, ગુનાખોરી અને નફરત ફેલાવતા કૂકર્મીઓની ઘટનાઓના કારણે શહીદ થયેલા દેશભક્તોનો આત્મા નહીં દુભાતો હોય? શું દેશને હજુ પણ 'આભાસી આઝાદી' જ મળી છે?
શ્રાવણ મહિનામાં શિવભક્તિ સાથે સ્વાતંત્ર્ય પર્વ દેશભક્તિનો અનોખો સંગમ થવા જઈ રહ્યો છે, અને દેશભરમાં ધર્મભક્તિ અને દેશભક્તિનો અનોખો રંગ છવાઈ જવાનો છે, ત્યારે વૈશ્વિક અશાંતિ વચ્ચે પણ આપણો દેશ આખી દુનિયાને શાંતિનો સંદેશ આપવાની ક્ષમતા ધરાવે છે, આપણા દેશની મૂળભૂત ખાસિયત જ એ રહી છે કે આપણે આખી દુનિયાને પરિવાર માનીએ છીએ. આવી ઉત્કૃષ્ટ ભાવના હોય તેવા દેશમાં જ જ્યારે વિકૃતિ, અત્યાચાર, બળાત્કાર, ષડ્યંત્રો રચીને પ્રેમી-પ્રેમિકા કે પતિની હત્યા કે પછી સોશિયલ મીડિયાના સદુપયોગ તથા ઉપયોગિતા પર કલંક સમાન સંહારક અસરો હેઠળ બાળકો તથા સગીરો સાથે થતા જાતિય કુકર્મોનો પ્રભાવ વધવા લાગે, ત્યારે આપણે એ વિચારવું જ પડશે કે શું 'આઝાદી'ના ઓઠાં હેઠળ આપણે અનૈતિક અને અનિચ્છિનિય સ્વવિનાશ તરફ તો વળી રહ્યા નથી ને? સભ્યસમાજ અને સ્વતંત્ર ભારતના શાસન-પ્રશાસને પણ આ મુદ્દે ઊંડુ આત્મમંથન કરીને સમયસર અસરકારક ઉપાયો કાઢવા જ પડે તેમ છે.
આજે જ્યારે તિરંગાયાત્રા નીકળે, ઘેર-ઘેર તિરંગો લ્હેરાય કે 'ઓ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભરલો પાની' જેવા દેશભક્તિના ગીતો ગૂંજે ત્યારે પ્રત્યેક દેશવાસીની છાતી ગજ-ગજ ફૂલે, અને એક અલગ જ પ્રકારના ગૌરવની અનુભૂતિ થાય, પરંતુ જ્યારે સડક પર પડઘાતી લોકોની નારાજગી અને સંસદમાં થતો સિયાસી શોરબકોર સાંભળીયે ત્યારે એવો સવાલ પણ થાય કે શું હજુ પણ આપણે પૂરેપૂરા આઝાદ થયા નથી, કે પછી સ્વતંત્રતા હવે સ્વછંદતા તથા સરમુખત્યારશાહી જેવી વિચારધારાઓના વિરોધાભાસી સંયોજનમાં પલટાઈ રહી છે? સવતંત્રા અને સરમુખત્યારશાહી જેવી વિચારધારા એક સાથે આગળ વધી શકે નહીં, તેવી જ રીતે સ્વછંદતા અને સાચી લોકશાહી પણ એક સાથે પનપી શકે છે. એટલું જ નહીં, માત્ર રાજકીય પક્ષોના હિતો કે નેતૃત્વના ઘમંડ તથા શાસકપક્ષ-વિપક્ષ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાના બદલે નફરતભરી શત્રુતા વધવા લાગે ત્યારે લોકતંત્ર લજવાય છે અને ભારતમાતા દુભાય છે, તેવો ખ્યાલ પ્રગટે છે.
એક તરફ વરસાદની ખેંચના કારણે સૌની યોજનાના પાણી જળાશયો સુધી પહોંચાડવા પડી રહ્યા છે, તો બીજી તરફ દેશની રાજધાનીમાં 'પાણી' માપવાના પોલિટિકલ પ્રપંચો રચાઈ રહ્યા છે. મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે એક તરફ ઈંધણ બચાવવાની અપીલો કરાઈ રહી છે, તો બીજી તરફ કેટલાક નિરર્થક કાર્યક્રમો પાછળ ઈંધણનું આંધણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ ભાવનિયંત્રણ માટે તંત્રો દ્વારા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા હોવાની વાતો થતી હોય અને બીજી તરફ પેકેજ્ડ ફૂડ, સાબુ, બિસ્કિટ-ચોકલેટ તથા આવશ્યક ચીજવસ્તુઓમાં ભાવ વધારો ખાળવા માટે 'કોન્ટીટી' ઘટાડવાના કારસા રચાઈ રહ્યા હોય તો તે પ્રથા સાથે છેતરપિંડી નથી?
જો કે, આપણા દેશવાસીઓની દેશપ્રત્યેની વફાદારી, દેશપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને કોઠાસુઝ એટલી પ્રબળ છે કે આ બધા પડકારો ખમીને પણ રાષ્ટ્રીય પર્વો પૂરેપૂરી ખુમારી, ઉત્સાહ અને હૃદયપૂર્વકના જુસ્સાથી ઉજવતા રહે છે. આપણાં દેશમાં ઘોષિત અને અઘોષિત કટોકટીઓ સમયે પણ આપણે સ્વાતંત્ર્યપણે અને પ્રજાસત્તાક પર્વ પૂરેપૂરી ખુમારીથી ઉજવતા રહ્યા છીએ. આવો, ઘેર-ઘેર તિરંગો ફરકાવવાની સાથે સાથે શહીદોને સલામ કરીએ અને નવા ફાલતુ ફિરંગીઓની ફિતરતને ફગાવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઓટોમોબાઈલના ક્ષેત્રે ગઈકાલથી જે ચર્ચા થઈ રહી છે, તેના કારણે વાહનોની સંખ્યામાં વધારો તથા તેમાં પણ ઈલેક્ટ્રીક વાહનોની તરફ લોકોનો વધી રહેલો ઝુકાવ એક તરફ સારા સંકેત છે, નો બીજી તરફ વાહનોની વધી રહેલી સંખ્યાના કારણે તેની ટ્રાફિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ વ્યવસ્થાઓની ઉણપ તથા તેમાંથી ઊભી થતી કાયદો-વ્યવસ્થાના સંદર્ભે જાહેર સૂલેહ શાંતિની સ્થિતિની ચિંતા પણ ઊભી થઈ રહી છે, અને તેને લઈને સમાજ અને સરકારે જાગૃત રહેવાની જરૂર છે, તેમજ તંત્રોએ પાણીના પૂર પહેલા પાળ બાંધવાની જરૂર છે. જીએસટીમાં ઘટાડો થયા પછી વાહનોનું વેંચાણ વધ્યું હોય અને તેમાં વધુ વેંચાણ ઈલેક્ટ્રીક વાહનોનું થયું હોય તો તે સારી વાત છે, પરંતુ તે પછીની સંભાવનાઓને પણ લક્ષ્યમાં લેવી જ પડે તેમ છે.
ગઈકાલે એવા અહેવાલો આવ્યા કે જુલાઈમાં જ ગુજરાતમાં બે લાખથી વધુ વાહનો વેંચાયા અને તેમાં ખરીદનારાઓનો ઝુંકાવ ઈલેક્ટ્રીક વાહનો તરફ હતો, ત્યારથી તેની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે, અને તેના સંદર્ભે દેશવ્યાપી આંકડાઓ અને ગ્રાહકોના ઝુકાવની સમીક્ષા પણ થઈ રહી છે.
ફેડરેશન ઓફ ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશન્સના રિપોર્ટને ટાંકીને આવેલા અહેવાલો મુજબ જુલાઈ ર૦ર૬ માં પેસેન્જર વાહનોના વેંચાણમાં લગભગ આઠ ટકા ઈલેક્ટ્રીક કાર હતી અને સવાત્રણ લાખ ઈલેક્ટ્રીક ટેક્સીઓ ફરતી થઈ હતી. લગભગ રપ ટકા સીએનજી અથવા એલપીજીથી ચાલતા વાહનો વેંચાયા હતાં, જ્યારે પેટ્રોલથી ચાલતા વાહનો લગભગ ૪ર ટકા વેંચાયા હતાં. આ આંકડા પેસેન્જર કારના વેંચાણના છે, જે ઈલેક્ટ્રીક અને ગેસ આધારિત વાહનોના વધી રહેલા વેંચાણનો સંકેત આપે છે. બીજી તરફ જુલાઈમાં ડીઝલ આધારિત પેસેન્જર કારનું વેંચાણ માત્ર ૧૮ ટકા જેટલું જ રહ્યું હોવાનું જણાવાયું હતું. આ આંકડાઓ આવી રહેલા બદલાવની અનુભૂતિ કરાવે છે.
જુલાઈ ર૦ર૬ માં ઓટો રિટેઈલનું વેંચાણ ગયા વર્ષની સરખામણીમાં ર૬ ટકા વધીને રપ.૯૧ લાખ યુનિટ હોય, અને તેમાં બે લાખથી વધુ પેસેન્જર વાહનો ગુજરાતમાં વેંચાયા હોય, તો તે ઓટોમોબાઈલ ક્ષેત્રે એક સિદ્ધિ ગણાય, અને તેમાંથી પણ રપ થી ર૬ હજાર ઈલેક્ટ્રીક પેસેન્જર વાહનોનું વેંચાણ થયું હોય, તો તે કેટલાક અંશે પ્રોત્સાહક પણ છે. તેવી જ રીતે દેશમાં રપ થી ર૬ લાખ વાહનોના વેંચાણમાં સવાત્રણ લાખ જેટલા ઈલેક્ટ્રીક વાહનો હોય, તો તે પણ નોંધપાત્ર છે.
આંકડાઓ મુજબ જો એક મહિનામાં બે લાખથી વધુ દ્વિચક્રી વાહનો, ૮૭ હજારથી વધુ ઓટોરિક્ષા (થ્રી વ્હીલર) અને ૩ર હજારથી વધુ ઈલેક્ટ્રીક કાર વેંચાઈ હોય, તો તે કુલ વેંચાણની સરખામણીમાં આશાવાદી પહેલ જરૂર ગણાય, પરંતુ આ જ આંકડા એવું પણ દર્શાવે છે કે ઈલેક્ટ્રીક પેસેન્જર વાહનોના વેંચાણમાં હજુ ઘણાં જ સઘન અને સાર્વત્રિક પ્રયાસો સરકારે કરવા જ પડશે, અને તેમાં જબદરસ્ત જનસહયોગની પણ જરૂર છે.
જુેલાઈ-ર૦ર૬ માં કોમર્શિયલ કાર્ગો-ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સમાં પણ વધારો થયો છે, અને કોમર્શિયલ વાહનોનો જુલાઈ ર૦ર૬ નો આંકડો એક લાખ યુનિટને આંબી રહ્યા છે. જેમાં ૬૧ હજારથી વધુ પીક-અપ વાન અને છોટે હાથી જેવા વ્હીકલ્સ છે, તો ર૮ હજારથી વધુ ટ્રક તથા હેવી વ્હીકલ્સ છે, જેમાં ૧૬ વ્હીલ ધરાવતા વાહનો પણ છે. લગભગ દસ હજાર જેટલા મધ્યમકક્ષાના હેવી વ્હીકલ્સ છે. જુલાઈમાં ૧ લાખ ર૦ હજાર જેટલા ટ્રેક્ટર્સ પણ વેંચાયા છે, તો બાંધકામ ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતા ક્રેન, રોડરોલર, બુલડોઝર, લોડર વિગેરે સાડાપાંચ હજાર જેટલા વાહનો પણ વેંચાયા છે. આ કોમર્શિયલ વાહનોમાં ૭પ ટકાથી વધુ વાહનો ડીઝલથી ચાલતા વાહનો છે, તો સીએનજીથી ચાલતા ૧પ થી ર૦ ટકા વાહનો પણ વેંચાયા છે, જ્યારે કોમર્શિયલ સેગમેન્ટમાં પણ લગભગ સાડાત્રણ હજાર ઈલેક્ટ્રીક વાહનો વેંચાયા છે, જેથી એ પૂરવાર થાય છે કે હેવી ડ્યુટી વ્હીકલ્સમાં ઈલેક્ટ્રીક વાહનોની સ્વીકૃતિ થવા લાગી છે, જેને હવે પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
એક તરફ વૈશ્વિક યુદ્ધગ્રસ્ત સ્થિતિ તથા હોર્મુઝ સંકટના કારણે દેશમાં ઈંધણની બચત કરવા કારપુલીંગ, મેટ્રો ટ્રેન, સિટીબસોનો ઉપયોગ કરવાની અપીલો કરવામાં આવી રહી છે અને ડીઝલ-પેટ્રોલ-ગેસના વાહનોનો ઉપયોગ શક્ય તેટલો ઘટાડવાની સલાહો અપાઈ રહી હોય અને બીજી તરફ પેસેન્જર વાહનોના વેંચાણમાં મહત્તમ પેટ્રોલ તથા ગેસથી ચાલતા વ્હીકલ્સ હોય, તથા કોમર્શિયલ કાર્ગો વ્હીકલ્સમાં સૌથી વધુ ડીઝલ આધારિત વાહનો હોય, ત્યારે આ વિરોધાભાસ નિવારવો અત્યંત જરૂરી છે. તે ઉપરાંત વાહનોની વધતી જતી સંખ્યાને અનુરૂપ મઢાર્ગ્જીાો, પાર્કિંગની વ્યવસ્થાઓ તથા સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારવું પડે તેમ છે.
જો કે, તમામ સેગમેન્ટમાં ઈલેક્ટ્રીક વાહનોનું વેંચાણ શરૂ થયું છે, અને કેટલાક સેગમેન્ટમાં આશાવાદી વધારો ધીમે ધીમે થતો જોવા મળે છે, પરંતુ તેનો સંતોષ માનીને ગૌરવ લેવાના બદલે હકીકતે ઈલે. વાહનોનું વાસ્તવિક વેંચાણ વધે, તેવા નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવા જ જોઈએ, અને ગોબેલ્સ પ્રચાર પદ્ધતિના સ્થાને પારદર્શક રીતે વાસ્તવિક્તા સ્વીકારવી જોઈએ.
એક વાત સારી છે કે સરકારી-અર્ધસરકારી ક્ષેત્રોમાં ધીમે ધીમે ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, જો કે પબ્લિક પરિવહન તથા પબ્લિક સર્વિસિઝ (જાહેર સેવાઓ) માટે વપરાતા સરકારી વાહનોમાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ આઈએએસ, જીએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ જેવી કેડરના ઉચ્ચ અધિકારીઓ શહેરની અંદર જ લોકલ પ્રવાસ માટે પણ પેટ્રોલ કે ડીઝલના વાહનો વાપરતા હોય અને તેના તાબા હેઠળના વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓ-અધિકારીઓ પણ પબ્લિક ઈલે. ટ્રાન્સપોર્ટ કે મટ્રોટ્રેનના સંદર્ભે હજુ પણ પેટ્રોલથી ચાલતા દ્વિચક્રી વાહનો કે ફોર વ્હીલર્સનો ઉપયોગ કરતા હોય અને તેવી જ રીતે પદાધિકારીઓ અને નેતાઓ તથા તેના કાર્યકર્તાઓ પણ સિટીબસો, મેટ્રોટ્રેન કે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવાના બદલે ડીઝલ-પેટ્રોલ-ગેસ આધારિત વાહનો જ વાપરતા હોય તો કહેવું જ પડે ને કે 'ચેરિટી બિગીનીંગ ફ્રોમ ધ હોમ...', સ્વયંથી શરૂઆત કરો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે ને નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાના બંદરો વર્ષોથી ધમધમી રહ્યા છે. હાલાર પણ બંદરોની બે શ્રૃંખલામાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, અને હવે તેમાં વધારો થવા જઈ રહ્યો છે, કારણ કે રાજ્યસરકારે નવા ૬ બંદરો વિક્સાવવાનો જે ઈરાદો જાહેર કર્યો છે, તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાતનો પણ સમાવેશ થાય છે.
ભોગાત ઉપરાંત કચ્છના માંડવી તાલુકાનું નાના લાયની, ગીર સોમનાથ જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું વડોદરા (જિલ્લા) ગામ, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વાઢેરા, સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનું દામકા તથા ભાવનગર જિલ્લાના ઘોઘા નજીક લાખાણકા ગામે નવા પોર્ટસ સ્થાપવા માટે ગુજરાત સરકારે 'ગ્લોબલ એકપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ' મંગાવ્યા છે.
આ નવા બંદરોની સંભાવનાઓ અંગે વિસ્તૃત સ્ટડી કરવામાં આવ્યો હતો, અને તે પછી આઈઆઈટી-ખડગપુર દ્વારા આ સૂચિત સ્થળો અંગે પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થયો હતો. આ રિપોર્ટ મુજબ કાર્ગો બંદરો માટે અંદાજે રૂ।. ૧ર હજાર કરોડથી વધુનું ઈન્વેસ્ટમેન્ટ આવશે. આ માટે ખાનગી કંપનીઓ પાસેથી ગ્લોબલ ઈઓઆઈ મંગાવાયા છે, જેના ચોક્કસ માપદંડો નક્કી કરાયા છે. ગુજરાત સરકાર બિલ્ડ ઓન ઓપરેટ-ટ્રાન્સફર મોડેલના આધારે આ નવા બંદરો વિક્સાવવા માંગે છે અને તે માટે રસ ધરાવતી ખાનગી કંપનીઓ માટેના ચોક્કસ માપદંડો, ક્વોલિફિકેશન્સ તથા શરતો પણ નક્કી કરવામાં આવી છે.
વાઈબ્રાન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦ર૭ ના આયોજન પહેલા જ ગુજરાત સરકારે ઊઠાવેલું આ કદમ પણ ઘણું જ સૂચક છે. ગુજરાતનો દરિયાકિનારો અદ્યતન રીતે માપવાથી લગભગ ર૩૦૦ કિલોમીટર જેટલો થાય, જેમાં કદાચ કચ્છનો અખાત વગેરે વિસ્તારોનો પણ સમાવેશ થતો હશે, અને તેની સાથે સાથે પોર્ટર્સ વિક્સાવવાની વિપુલ સંભાવનાઓ છે. તેથી આ પ્રોઝેક્ટ ઘણો જ મહત્ત્વકાંક્ષી પણ ગણાય છે. હાલારમાં જામનગરના બેડીબંદરથી લઈને ઓખાબંદર વચ્ચે નાના-મોટા પોર્ટર્સ અત્યારે મોજુદ છે, તેને પણ આ નવા બંદરોની સ્થાપનાથી પ્રોત્સાહન મળશે, તેવી શક્યતાઓ પણ હોવાથી આ બંદરોની રાજ્વ્યાપી શ્રૃંખલા રાજ્ય અને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દરિયાઈ પરિવહન, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ઉપરાતં રોજગારી તથા અર્થતંત્ર માટે પણ ફળદાયી નિવડશે, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ નવી પરિયોજના માટે એકંદરે ૩પ હજાર કરોડનું પ્રારંભિક ઈન્વેસ્ટમેન્ટ આવશે, તેવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
આ નવા ૬ ગ્રીન ફિલ્ડ પોર્ટસનો પ્રસ્તાવ 'બૂટ' વિકાસ મોડલ હેઠળ વિક્સાવવા માટે હોવાથી તેમાં જાયન્ટ કંપનીઓ રસ ધરાવશે.
આ પ્રસ્તાવની સાથે સાથે પૂરક પ્રપોઝલમાં પણ દ્વારકાના મીઠાપુર સહિત સૌરાષ્ટ્રના કેટલાક સ્થળે શિપયાર્ડ અને કલસ્ટર વિક્સાવવાની દરખાસ્ત છે. મીઠાપુર ઉપરાંત ઘોઘા (ભાવનગર) વઢેરા (અમરેલી) અને કુછડી (પોરબંદર) માં પણ ગ્રીન ફિલ્ડ શિપયાર્ડ તથા મેગા શિપ બિલ્ડીંગ કલ્સ્ટરનો સમાવેશ આ પ્રસ્તાવમાં કરાયો છે. જે મહત્ત્વાકાંક્ષી છે અને આ કારણે વિસ્તાર વિકાસની સાથે વિપુલ સ્થાનિક અને સાર્વત્રિક રોજગારી ઊભી થવાની સંભાવનાઓ પણ દર્શાવાઈ છે.
હવે ર૧ મી ઓક્ટોમ્બર-ર૦ર૬ ની છેલ્લી નિયત તારીખ સુધીમાં ક્યા ક્યા ઈન્સ્ટીયાલિસ્ટો રસ દાખવે છે અને કઈ કઈ જાયન્ટ કંપનીઓના ઈઓઆઈ આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.
આ ગ્રીનફીલ્ડ પોર્ટર્સ ઈકો-ફ્રેન્ડલી અને પ્રકૃતિ-પર્યાવરણને અનુરૂપ રહીને વિક્સાવાશે અને તેમાં લોકલ પબ્લિક તથા સ્થાનિક પૂરક વ્યવસાયોને પણ ઘણો જ ફાયદો થશે. એટલું જ નહીં, આ પોર્ટર્સ શરૂ થતા કેટલાક રેઢા રહેતા દરિયાઈ વિસ્તારોમાં અવર-જવર વધતા દાણચોરી, એન્ટી-સોશ્યલ તથા એન્ટી-નેશનલ પ્રવૃત્તિઓ પર અંકુશ વધશે, તથા સ્થાનિક યુવાવર્ગને રોજગારીની તકો મળતા આ ડેવલપમેન્ટ એકંદરે બહુહેતુક પૂરવાર થશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે.
હાલારમાં જામનગરના રોઝીબંદર, સચાણા, બેડીબંદરથી લઈને સિક્કા, સલાયા, વાડીનાર અને ઓખા પોર્ટ સુધીના બંદર ક્ષેત્રોની શ્રૃંખલામાં ભોગાત જોડાય અને તેમાં નજીકમાં જ આવેલા પોરબંદર જિલ્લાનું કુછડી ઉમેરાય તો એકંદરે રાષ્ટ્રીય સુરક્ષા તથા ગેરકાનૂની દરિયાઈ પ્રવૃત્તિઓ પર પણ પરોક્ષ અંકુશ આવશે, જો કે આ કાર્ગો જહાજો, બાજ અને બોટ્સની સુરક્ષા તથા ચકાસણીની જવાબદારી પણ રાજ્ય-કેન્દ્ર સરકારના સંબંધિત તંત્રો પર વધશે, તેથી આ ક્ષેત્રે આગળ વધવાની સાથે સાથે આ વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષા પણ વધુ સઘન અને મજબૂત બનાવવી પડશે. આમ વિકાસ અને સુરક્ષા વચ્ચે સંકલન જાળવીને આગળ વધવું પડશે. એટલું જ નહીં, ખાનગી કંપનીઓના હિતો કરતા રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપીને જ આગળ વધવુંપડશે, તે સિક્કાની બીજી બાજુ છે.
ભૂતકાળમાં દક્ષિણ ગુજરાતના નાગરોલ પોર્ટના વિકાસની પરિયોજના સ્થાનિક ગ્રામજનો-માછીમારોના વિરોધના કારણે પત્ડાો મૂકવો પડ્યો હતો, તેના અનુભવે સરકારે નવા ૬ બંદરોના વિકાસ પ્રોજેક્ટની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરીને સ્થાનિક લોકો, ખેડૂતો, માછીમારો તથા અન્ય હિતધારકો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને તેઓને વિશ્વાસમાં લેવા પડશે, એટલું જ નહીં, તે સમયે જે રીતે કોઈ ગ્લોબલ બીડ-આવ્યું નહોતું, તેવી સ્થિતિ ફરીથી સર્જાય નહીં, તેની સરકારે કાળજી રાખવી પડશે. અહીં પણ સરકારે ખાનગી કંપનીઓ કે જાયન્ટ બીડરોના હિતોની સરખામણીમાં સ્થાનિક લોકો, માછીમારો અને ખેડૂતો સહિતના હિતધારકો તથા અસરગ્રસ્તોના હિતોને પ્રાધાન્ય રાખવા પડશે.
ભૂતકાળમાં ઘણી વખત આ પ્રકારના પ્રોજેક્ટોના પ્રારંભ કે અમલ સમયે વિપક્ષોની એવી ફરિયાદ રહી હતી કે પોર્ટના વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિયમો જ રાજ્ય સરકાર એવી રીતે બનાવે છે, જે લાભદાયી હોય, પરંતુ સ્થાનિક લોકોના હિતોની અવગણના કરાતી હોય અથવા સ્થાનિક લોકોને નુક્સાન થતું હોય આથી 'કોની કેપિટલિઝમના આરોપથી બચવા સરકારે આ ૬ બંદરોના ઈઓઆઈ આવ્ય પછી સાવધાનીપૂર્વક શરતો તથા નિયમો લાગુ કરવા પડશે. ખાસ કરીને સ્થાનિક ખેડૂતો, માછીમારો તથા શ્રમિકોના હિતો જોખમમાં ન મૂકાય અને સંભવિત નુક્સાનનું યોગ્ય વળતર મળી રહે, તેવી જોગવાઈઓ પહેલેથી કરવી પડશે અને આ સિક્કાની બીજી બાજુ પહેલેથી જ સરકારે ધ્યાને લેવી પડશે. જો સરકાર પ્રો-ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ નહીં, પણ પ્રો-પબ્લિક અભિયાન અપનાવશે, તો આ ૬ બંદરોનો વિકાસ એકંદરે ગુજરાત માટે ફળદાયી નિવડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સંયુક્ત રાષ્ટ્ર સંઘના વર્લ્ડ મેટિઓરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ) તથા મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે આપેલી વોર્નિંગ મુજબ ઓગસ્ટથી ઓક્ટોબર-ર૦ર૬ દરમિયાન પાવરફૂલ અલનીનો વધુ તીવ્ર બનશે અને સ્થિતિ વૈશ્વિક તાપમાનમાં અસાધારણ વધારો કરશે. આ કારણે હીટવેવ, દુષ્કાળ અને કેટલાક સ્થળે અતિવૃષ્ટિ સાથે ભારે પૂર આવતા તથા વાવાઝોડાઓ ફૂંકાતા જળજીવન તથા જીવસૃષ્ટિ પર ઘણી જ માઠી અસરો થશે. ભારતીય ઉપમહાદ્વીપ અને એશિયાના ઘણાં વિસ્તારોમાં અલ્પવૃષ્ટિ અથવા અસંતુલિત અને અનિશ્ચિત ચોમાસું રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
જો કે, ડબલ્યુ.એમ.ઓ. સુપર અલનીનો જેવા શબ્દપ્રયોગો કરતું હોતું નથી, પરંતુ પ્રશાંત મહાસાગરમાં વધતા તાપમાન તથા ગ્લોબલ વોર્નિંગના કારણે પુથ્વી પર અસહ્ય ગરમી (હીટવેવ), જંગલોમાં ભયાનક આગ અને અલ્પવૃષ્ટિની ખતરનાક સ્થિતિ તરફ અંગૂલીનિર્દેશ કરે છે, જેથી કૃષિ-ઉત્પાદન, પીવા અને વાપરવાના પાણીનો પુરવઠો અન્નસુરક્ષા પર ગંભીર વિપરીત અસરો પડી શકે છે.
યુ.એન.ની જુદી જુદી એજન્સીઓ દ્વારા વિવિધ દેશોની સરકારો તથા તંત્રોને આ સંભવિત ભયાનક સ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય તૈયારીઓ રાખવા અપીલ કરવામાં આવી રહી છે, અને અર્લી વોર્નિંગ સિસ્ટમ તથા બફરસ્ટોક સહિતના પૂર્વ-આયોજન સુનિશ્ચિત કરી લેવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
વૈજ્ઞાનિકોના અનુમાનો મુજબ આ અલનીનોની અસરો માર્ચ-ર૦ર૭ સુધી રહી શકે છે. આ વખતે અલનીનોના કારણે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોના મહત્તમ વિસ્તારોમાં અલ્પવૃષ્ટિ અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં અતિવૃષ્ટિ તથા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો, મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડ, મધ્યપ્રદેશના માળવા તથા મધ્ય જિલ્લાઓમાં સુપર અલનીનોની મહત્તમ અસરો થઈ શકે છે. તે ઉપરાંત રાજસ્થાનના પશ્ચિમ થાર તથા રણની નજીકના જિલ્લાઓ ઉત્તર કર્ણાટક અને તેંગાણાના કેટલાક વિસ્તારો તેમજ પૂર્વ ભારતના બિહાર અને ઝારખંડ સુધી અલનીનોની માઠી અસરો વર્તાઈ રહી છે. આ અંગે કેન્દ્રિય સંબંધિત વિભાગો તથા રાજ્યોના સંબંધિત વિભાગોને સતર્ક કરાયા હોવા છતાં સંકલન વધારવું અતિ જરૃરી છે.
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાાં બે કાંઠાળ તાલુકાઓમાં વરસાદ નહીંવત્ થયો છે, જ્યારે જામનગરમાં પણ જોઈએ તેવો વરસાદ થયો નથી. અપવાદરૃપ કેટલાક ડેમો સિવાય ગુજરાતના મહત્તમ જળાશયોમાં હજુ સુધી નોંધપાત્ર જળસંગ્રહ થયો નથી, તો સરદાર સરોવર ડેમ પણ હજુ ભરપૂર સપાટીએ પહોંચ્યો નથી, કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદર વિસ્તારોમાં વરસાદની કમી તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં થયેલી અલ્પવૃષ્ટિ ચિંતાજનક છે, જો કે હજુ ચોમાસું બાકી છે અને વરસાદની નવી નવી આગાહીઓ થવા લાગી છે, તેથી લોકો સંતોષકારક વરસાદની આશા પણ રાખી રહ્યા છે, પરંતુ સુપર અલનીનોની અસરો વધવા લાગતા તથા યુનો દ્વારા ચેતવણીઓ અપાયા પછી હવે સરકારી તંત્રોએ વધુ સતર્ક તથા લોકોએ માનસિક રીતે આ સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું હિતાવહ જણાય છે.
વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (ડબલ્યુએમઓ) અને યુનોના ખાદ્ય અને કૃષિ સંગઠન એફ.એ.ઓ. દ્વારા ભારતને અલનીનોને લઈને ગંભીર ચેતવણીઓ આપી છે અને ઓગસ્ટથી ધીમે ધીમે અલનીનો મજબૂત થશે અને ઓક્ટોબરમાં ચરમસીમાએ પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અલનીના કારણે દુષ્કાળ પડતા ખાદ્યાન્નની કટોકટી ઊભી થઈ શકે, તેવા દેશોની યાદીમાં એફ.એ.ઓ.એ ભારતને રાખ્યું છે, તથા ભારતમાં અનાજ, કઠોળ, કપાસ અને સોયાબિન સહિતના તેલિબિયાના ખેત-ઉત્પાદનોમાં ઘણો બધો ઘટાડો થવાની શક્યતાઓ પણ દર્શાવાઈ છે.
આજે જે વરસાદની નવી આગાહીઓ થઈ છે તે પૂર્વ અને ઉત્તર ભારત તરફના રાજ્યોની છે, જ્યારે ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી નથી, જે અલનીનોની અસર દર્શાવે છે.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આકાશી ખેતી છે. રાજ્યમાં કેટલાક મોટા ડેમો છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા તેમાં જળસંગ્રહ થયો નથી. ઘણાં ડેમ તો હજુ ખાલીખમ છે અથવા ચોમાસાના નવા નીરની નહીંવત્ આવક થઈ છે. દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર કરનાર વર્ષારાની સૌરાષ્ટ્રના ત્રણ-ચાર જિલ્લામાં રિસાયા હોય તેમ સરેરાશથી ઘણો જ ઓછો વરસાદ થતા કચ્છ, હાલારથી બરડા-બારાડી સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં નહીંવત્ વરસાદ જ થયો છે. જો અલનીનોના કારણે વરસાદ ખેંચાય અથવા પૂરતા પ્રમાણમાં મેઘવૃષ્ટિ નહીં થાય, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અછત કે અર્ધઅછત જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સંજોગોમાં 'સબ સલામત'ની કેસેટ વગાડીને ગાફેલ રહેવા જેવું નથી, અને પાણી પહેલા પાળ બાંધવાની કહેવત મુજબ પૂર્વઆયોજન ઘડી રાખવું અત્યંત જરૃરી છે. વર્તમાન શાસકોની માનસિક્તા (મોડ્સ ઓપરેન્ડી) મુજબ આગ લાગે ત્યારે કૂવો ખોદવાની કહેવતની જેમ જ્યારે અર્ધદુષ્કાળ જેવી સ્થિતિ હશે, ત્યારે તંત્રો હડિયાપટ્ટી કરશે, પરંતુ અત્યારે 'સરકાર અને સંબંધિત તંત્રો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે' તેવા છાપેલા જવાબો સાથે નિદ્રાધિન રહેશે.
હકીકતે આ સ્થિતિમાં રાજ્યકક્ષાએ તથા જે જિલ્લાઓમાં અલ્પવૃષ્ટિ થઈ છે, અને કૂવા-તળાવો-જળાશય ખાલીખમ છે, તેવા તાલુકાઓ સુધી તલસ્પર્શી સ્ટડી તથા સર્વે કરાવીને જો અલનીનોના અભિશાપથી વરસાદ ખેંચાય કે થાય જ નહીં, તો તેવા સંજોગોમાં ઊભી થનારી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવાનો માસ્ટર પ્લાન અત્યંત જ ઘડી કાઢવો જોઈએ.
એ પ્રકારની વ્યવસ્થાઓ અત્યારથી જ વિચારી રાખવી જોઈએ, કે જેથી વિકટ સ્થિતિ ઊભી થાય તો પશુઓના ઘાસ-પાણી, ખાદ્યાન્ન, લોકોને પીવાનું અને વાપરવાનું પાણી, થોડો-ઘણો વરસાદ થયો ત્યારે વાવણી કરી લીધી હોય તો તેવા ખેડૂતોનો પાક બચાવવા જે જળાશયોમાંથી ઉપલબ્ધ થઈ શકે, ત્યાંથી સિંચાઈ માટે નહેરોમાં પાણી છોડવા અને દુષ્કાળ કે અર્ધ-દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તો તેવા વિસ્તારોમાં શ્રમિક રોજગારી તથા પૂરક રોજગારીના વિકલ્પો વિચારી રાખવા જોઈએ. રાહતકામો શરૃ કરવા પડે તેમ હોય તેવા વિસ્તારોમાં માત્ર નિરર્થક આડેધડ ખોદકામના બદલે સ્થાનિક જરૃરિયાતો મુજબ ગુજરાતના રોડ-રસ્તા, જળસંગ્રહ કે સામાજિક સુખ-સુવિધાની જરૃરિયાતો સંતોષતા, પ્રોડક્ટીવ કે હેતુલક્ષી નાના-મોટા વિકાસના કામોનું નિર્માણ પણ થાય અને શ્રમિકોને રોજગારી તથા સ્થાનિકોને પૂરક રોજગારી મળી રહે, તેવો માસ્ટર પ્લાન અત્યારથી જ ઘડવો જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આઝાદી પછી આપણાં દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો અંતર્ગત કેટલીક તપાસ એજન્સીઓ રચાઈ છે, જે મોટા કૌભાંડો, મોટા અપરાધો અને વિશેષ પ્રકારના રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સુરક્ષા તથા જાહેર હિતના ચોક્કસ કિસ્સાઓમાં તપાસ કરીને અદાલતોમાં દોષીતોને રજૂ કરે છે.
છેલ્લા કેટલાક દાયકાઓથી કેન્દ્રીય તપાસ એજન્સીના દુરૂપયોગના આક્ષેપો વધ્યા છે. અને દોઢેક દાયકા પહેલા તો સુપ્રિમકોર્ટે સીબીઆઈને સરકારનો પઢાવેલો પોપટ કહીને ટિપ્પણી કરી હતી, એટલું જ નહીં, તે પહેલા અને પછી ૫ણ આ પ્રકારની ટકોરો અદાલતો કરતી રહી છે. સત્તાપરિવર્તનો થાય છે, પરંતુ આ આક્ષેપ દોહરાવાતો રહે છે અને પોલિટિકલ પાર્ટીઓ જ્યારે વિપક્ષમાં હોય ત્યારે આ પ્રકારના આક્ષેપો કરે છે, પરંતુ જ્યારે તે સત્તા પર આવે, ત્યારે ભૂતકાળના શાસકપક્ષો આ જ પ્રકારના આક્ષેપો કરે છે, તેથી એવું કહી શકાય કે કાં તો આ માત્ર રાજકીય આક્ષેપબાજી જ છે, અને આ સરકારી તપાસ એજન્સીઓમાં બંધારણીય ઢબે પોતાની ફરજો બજાવે છે, અથવા તો જે પક્ષો સત્તામાં હોય, તેઓના દબાણ હેઠળ કામ કરે છે, અને સરકારી એજન્સીઓનો દુરૂપયોગ સત્તાધારી પક્ષો હંમેશાં કરતા જ રહે છે, તેવા આક્ષેપોમાં તથ્ય છે.
હમણાંથી એવા આક્ષેપો વધ્યા છે કે મોદી સરકાર સત્તામાં આવ્યા પછી સરકારી કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરૂપયોગ ઘણો જ વધી ગયો છે અને વિપક્ષોને હેરાન કરવા કે ખતમ કરવા માટે ઈડી-સીબીઆઈનો વ્યાપક દુરૂપયોગ થાય છે. આ સંદર્ભમાં જ મલ્લિકાર્જુન ખડગેએ અયોધ્યા રામમંદિરમાં ચંદાચોરી પ્રકરણના સંદર્ભે કટાક્ષ કર્યો હતો કે નાની-મોટી આર્થિક ગરબડીના કિસ્સામાં કાર્યવાહી માટે તલપાપડ રહેતી ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓ આ સંવેદનશીલ અને મોટા નાણાકીય કૌભાંડમાં તપાસ કેમ કરતી નથી ? ઈડી, સીબીઆઈ ક્યાં છે ?
વર્તમાન સમયના વિપક્ષોના આ ગંભીર આક્ષેપોને સમર્થન મળે, તે પ્રકારનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો પણ રાજ્યસભામાં સરકારે જ આપેલા એક પ્રશ્નના જવાબમાં થયો છે, જેના આજે દેશવ્યાપી પડઘા પડી રહ્યા છે અને હાલમાં બેકફૂટ પર જણાતી કેન્દ્ર સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયેલી દેખાય છે. આ સનસનીખેજ ખુલાસા પછી તેના સંદર્ભે ટેલિવિઝન ચર્ચાઓમાં સરકાર પક્ષેથી આવેલા પ્રવક્તાઓ કોંગ્રેસ-યુપીએ શાસનકાળના આંકડાઓ દર્શાવીને બચાવ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ હાલની સ્થિતિ અંગે સ્પષ્ટ જવાબ આપવાની સ્થિતિમાં જણાતા હોતા નથી.
રાજયસભામાં સીપીઆઈ(એમ)ના સાંસદ શિવદાસને પુછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય, નાણા, રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ છેલ્લા પાંચ વર્ષમાં ૪૬૨૨ કેસો નોંધ્યા છે, જેમાં માત્ર ૧૦૪ જ લોકોને સજા થઈ છે. તે ઉપરાંત આઈટી વિભાગે ૨૧૨૭ કેસ નોંધ્યા, પરંતુ ૮૫૪ આરોપીઓ તો નિર્દોષ છુટી ગયા છે. ઈડીએ કરેલા કેસોમાં આરોપીઓને સજા થઈ હોય, તેવા કેસોમાં કન્વીકશન રેટ- એક ટકાથી પણ ઓછો હોય તો એવો સવાલ ઉઠે કે બાકીના ૯૯ કેસો શું હજુ પેન્ડિંગ છે ? જો તમામ નોંધેલા કેસોમાંથી એક ટકાને જ અદાલતોમાં સજા સંભળાવાઈ હોય, તો શું ૯૯ ટકા કેસ બોગસ હતા ? હજુ સુનાવણી બાકી હોય તો પણ તેમાંથી કેટલા ને સજા થશે અને કેટલા નિર્દોષ છુટી જશે તેવા તીખા તમતમતા સવાલોના જવાબો કોઈ પાસે હોતા જ નથી.
એક એવો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે, જેમાં ઈડી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં નોંધાયેલ ૧૦૮૦ કેસો છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે. જો કે, વર્ષ ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪માં ઈડીના કેસોમાં ઘટાડો થયો હતો પરંતુ છેલ્લા બે વર્ષમાં તેમાં ફરીથી ઉછાળો આવ્યો છે.
ચાલુ વર્ષે જૂન મહિના સુધીમાં ઈડીએ ૨૪૪૪ કેસ પીએમએલએ હેઠળ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા અને ૧૨૪૩ લોકોની ધરપકડ કરી છે, તે પૈકીના મહત્તમ કેસો જુદી જુદી સ્થિતિએ અદાલતોમાં પેન્ડિંગ છે.
છેલ્લા પાંચ વર્ષમાં આઈટી એકટ હેઠળ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૧૨૭ કેસો નોંધાયા હોય અને તેમાંથી માત્ર ૨૩૩ વ્યક્તિને જ દોષિત ગણાયા હોય, અને ૮૪૪ નિર્દોષ છુટયા હોય તો કહી શકાય કે ૧૦૦માંથી ૭૮ વ્યક્તિ કે પેઢીઓ સામેના આરોપો સિદ્ધ થઈ શક્યા નથી. જો આવું જ હોય તો એવું પૂરવાર થાય છે કે કાં તો આરોપો જ ખોટા હતા, અથવા તો અદાલતોમાં યોગ્ય રીતે કેસ રજૂ થયો નહોતો, અથવા તો પૂરતા આધાર-પુરાવા જ નહોતા.
સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે પીએમએલએ જેવા કડક કાયદાઓમાં જામીન મળવા ખૂબ જ મુશ્કેલ હોય, તેમાં વર્ષે ૧૦ થી પણ ઓછા કેસોનો નિકાલ થતો હોય અને સેંકડો કેસો નોંધાતા હોય, ત્યારે વર્ષો સુધી જેલમાં રહીને ટ્રાયલનો સામનો કર્યા પછી જે લોકો નિર્દોષ ઠરે, તેને વર્ષો સુધી વિના કારણે જેલમાં રહેવું પડે, તો તેનું જવાબદાર કોણ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દેશની જુદા જુદા રાજ્યોની ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આવ્યા, જેમાં બે બેઠક પર વિપક્ષના ઉમેદવારો જીત્યા અને ગુજરાતના માંજલપુરની બેઠક ભાજપે જાળવી રાખી. મધ્યપ્રદેશમાં બતિયાની ખાલી બેઠક પર થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી અને બેઠક જાળવી રાખી, પરંતુ સૌથી ચોંકાવનારૂ પરિણામ બિહારના બાંકીપુર વિધાનસભાની બેઠકનું હતું, જેમાં ભાજપના ઉમેદવારને પછાડીને જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે વિજય મેળવ્યો. આ પરિણામ ભાજપ માટે ઝટકા સમાન ગણાય, કારણ કે આ બેઠક હાલના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને રાજીનામું આપતા ખાલી પડી હતી, અને ત્રણ દાયકાથી અહીંથી ભાજપનો વિજય થતો હતો, અને ભારતીય જનતા પક્ષનો અજેય ગઢ ગણાતો હતો. આ ગઢ પ્રશાંત કિશોરે ધ્વસ્ત કર્યો તેની પાછળ એનડીએ કેન્દ્ર અને રાજ્ય સરકારો સામે જનતાની નારાજગી અને અસંતોષ તથા ઝેન-ઝેડ (યુવાવર્ગ) માં જંતરમંતરના સીજેપીના આંદોલનને મળેલી સફળતા અને મોદી સરકારની વિફળતાઓ જવાબદાર હોવાનો નિચોડ કાઢવામાં આવી રહ્યો છે, અને બેઠકવાર થઈ રહેલા વિશ્લેષણોમાં ભાજપમાં પ્રવેશેલી ખટરાગ, વિપક્ષોની બદલેલી રણનીતિ અને યુવાવર્ગમાં આવેલી ચેતનાના સંયોજનની પણ ચર્ચા થઈ રહી છે.
આ પરિણામો આવ્યા પછી આસામના કોંગી નેતા ગૌરવ ગોગોઈએ આસામની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પછાડવાનો રણટંકાર કરતા કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં આસામમાં એ.જે.પી., રાઈઝર પાર્ટી, સીપીઆઈ(એમ), સીપીઆઈ, સીપીઆઈ (એમએલ) ઓલ પાર્ટી હિબ લીડર્સ કોન્ફરન્સ સહિત આઠ રાજકીય પક્ષો એક મહાગઠબંધન રચીને આસામની ભાજપની સરકારને લોકતાંત્રિક ઢબે હટાવશે. આસામ ઉપરાંત વર્ષ ર૦ર૬ અને ર૦ર૭ ની આવી રહેલી તમામ ચૂંટણીઓમાં ભાજપને હરાવવા અને સત્તામાંથી હટાવવા કોંગ્રેસના નેતૃત્વમાં સ્થાનિક-પ્રાદેશિક સમીકરણને લક્ષ્યમાં લઈને જે મજબૂત ગઠબંધનો રચાશે, તે પહેલા રાજ્યો અને પછી કેન્દ્રમાંથી ભાજપ-એનડીએની સરકારોને હરાવા અને લોકતાંત્રિક ઢબે હટાવવાના નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે તો તમામ ચૂંટણીઓમાં ભાજપ સામે મોટો પડકાર ઊભો થઈ શકે તેમ છે.
મધ્યપ્રોદેશની દતિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યને એક કેસમાં ત્રણ વર્ષની સજા થતા કાનૂન મુજબ તેનું ધારાસભ્યપદ રદ્ થયું હતું. આ કારણે ખાલી પડેલી બેઠકપર ફરીથી જીતવું એ કોંગ્રેસ માટે પણ પડકાર હતો, પરંતુ કોંગ્રેસના પીઢ નેતા ઘનશ્યામસિંહે ભાજપના આસુતોષ તિવારીને નોંધપાત્ર લીડથી હરાવી દીધા અને કોંગ્રેસે પોતાનો કિલ્લો જાળવી રાખ્યો. વિશ્લેષકો આ વિજયને ભાજપની હાર વધુ માને છે, કારણ કે રાજ્ય અને કેન્દ્રમાં સત્તા હોવા છતાં કોંગ્રેસના સજા પામેલા પૂર્વ ધારાસભ્યની સામે બેન્કીંગ કૌભાંડના આક્ષેપો પૂરવાર થતા સજા થઈ હોવાનો મુદ્દો બૂમરેંગ પૂરો થયો હોય તેમ વિપરીત પરિણામ આવ્યું હતું. આ મુદ્દાને જ રાજકીય ષડયંત્ર ગણાવીને કોંગ્રેસ તરફ સહાનુભૂતિમાં પલટવામાં કોંગ્રેસને કદાચ સફળતા મળી હતી. આ ઉપરાંત ત્રીજા મજબૂત ઉમેદવાર આઝાદ અવાજ પાર્ટીના દામોદર યાદવે પણ માતબર મતો મેળવ્યા હતાં, તેથી ત્રિપાંખિયો જંગ કોંગ્રેસને ફળ્યો હતો.
ભાજપની આબરૂ ગુજરાતે જાળવી રાખી છે, અને માંજલપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવારો ૩૦ હજારથી વધુ મતે જીતી ગયા, પરંતુ સતીષભાઈ તેના પિતા ડો. યોગેશ પટેલની લોકપ્રિયતા અને લોકોમાં સહાનુભૂતિના મોજાના કારણે જીત્યા. એટલું જ નહીં, વિજય મળવા છતાં લીડ ઘણી જ ઓછી રહી, જેને વિશલેષકો દેશમાં ચાલી રહેલા અસંતોષ, નારાજગી અને દ્વિધાની સાથે પરિવર્તનની હવાનું કારણ ગણાવી રહ્યા છે. બીજી તરફ બાંદીપુર અને દતિયાની બેઠકો પર ભાજપને પછડાટ ખાવી પડી, તેને વિશ્લેષકો મોદી સરકાર તથા એનડીએ માટે ઝટકો ગણાવીને એવો સાવલ ઊઠાવી રહ્યા છે કે શું આ રાષ્ટ્રીયકક્ષાએ બદલાઈ રહેલી રાજનીતિનો પવન છે કે પછી અતિ આત્મવિશ્વાસનું પરિણામ છે? ક્યાંક વળતા પાણી તો થઈ રહ્યા નથી ને?
કેટલાક વિશ્લેષકો એવી દલીલ પણ કરે છે કે જો ભાજપ ખરેખર ઈવીએમ કે પ્રક્રિયામાં ખેલ પાડીને જ જીતતું જ હોય તો બાંકીપુર અને દતિયામાં હારે જ નહીં ને? આ તર્કમાં પણ વજુદ છે, પરંતુ રાજનીતિમાં જે દેખાતું હોય, તે ઘણી વખત હોતું નથી, જે હોય છે, તે ઘણી વખત દેખાતું હોતું નથી. કોને ખબર, બિહારની આંતરિક રાજનીતિ તથા ભાજપ-એનડીએના ઘટકપક્ષોના આંતરિક જુથવાદનો પરોક્ષ ફાયદો લઈને ચૂંટણીના રણનીતિકાર પી.કે. (પ્રશાંત કિશોર) એ ખેલી પાડી દીધો હોય!
ઝેન-ઝેડ એટલે કે યુવાવર્ગ હવે જાગૃત થઈ ગયો છે અને રાજનીતિની પરખ કરીને મગ અને ચોખાનું ગણિત તથા દૂધનું દૂધ અને પાણીનું પાણી તારવવાનું જ્ઞાન ધરાવે છે. સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીએ જો ઝારખંડમાં જેપીએસની અને જે એસએસસીની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિના મુદ્દે ચાલી રહેલા છાત્ર અને યુવા આંદોલનને સમર્થન જાહેર કર્યું હોય, તો એવું કહી શકાય કે હવે છાત્રો અને યુવાનો બિનરાજકીય તથા તટસ્થ આંદોલનો તરફ વળી રહ્યા છે અને કોઈપણ રાજકીય પક્ષોનો હાથો બનવા તૈયાર પણ નથી, અને એટલા ગાફેલ પણ નથી. હવે જ્યાં જ્યાં છાત્રો કે યુવા વર્ગને શિક્ષણક્ષેત્ર કે રોજગારીના ક્ષેત્રે અન્યાય થશે કે ગરબડ થશે, ત્યાં ત્યાં યુવાઓ સડકો પર .તરીને શાંત પણ મક્કમ અને સંગઠીત વિરોધ કરશે, ભલે પછી કોઈપણ પાર્ટીની સરકાર હોય!
રાજનીતિમાં જેવું દખાયું, તેનાથી તદ્ન વિરૂદ્ધ ગુપ્ત રણનીતિઓ ઘડાતી હોય છે. તેવા અભિપ્રાય સાથે કેટલાક વિશ્લેષકોનું એક જુથ બાંકીપુરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે ખાલી કરેલી બેઠક પર પ્રશાંત કિશોરના વિજયને ભાજપના ટોચના નેતૃત્વની ઊંડી ચાલ ગણાવી રહ્યા છે. આ એવું લોજિક છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી સમયે પ્રશાંત કિશોરે તમામ બેઠકો પર પોતાની અલગ પાર્ટીના ઉમેદવારો ઊભા કરીને વોટકટરનું કામ કર્યું, તેથી વિપક્ષોની સાથે સાથે નીતિશકુમારની પાર્ટી, જેડીયુના મતો પણ કપાયા, અને તેથી ભાજપને સૌથી વધુ બેઠકો મળી તે પછી નીતિશકુમારને હટાવીને ભાજપના મુખ્યમંત્રી બનાવાયા. હવે જેડીયુનું અસ્તિત્વ જ ખત્મ થઈ જાય, તે માટે પ્રશાંત કિશોરની સુરાજ પાર્ટી ભાજપની 'બી' ટીમ તરીકે ઉભરી આવ્યા પછી ભાજપ કોઈ નવો ખેલ નાંખશે, એ ઉપરાંત ભાજપના નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ 'કંટ્રોલ'માં રહેશે. આ તર્ક સામાન્ય રીતે ગળે ઉતરે તેવો નહીં હોવા છતાં 'પાર્ટી વિવિધ ડિફરન્સ'નું કાંઈ નક્કી નહીં, તે કાંઈપણ કરી શકે છે. કદાચ 'પીકે'ને આ ઈનામ પણ મળ્યું હોય!!
જે હોય તે ખરૂ, પ્રવર્તમાન ઘટનાક્રમો ઝેન-ઝેડ આંદોલનો તથા પેટાચૂંટણીના પરિણામો પછી સૌથી વધુ ચર્ચા એ થઈ રહી છે કે આ ક્યાંક બિઝિનિંગ ઓફ એન્ડ અથવા 'અંત'ની શરૂઆત તો નથી ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વહીવટી તંત્રમાં તાબા હેઠળની કચેરીઓ કે કર્મચારીઓને સામૂહિક રીતે એક સમાન સૂચનાઓ આપવાની હોય, ત્યારે પરિપત્રો પાઠવવામાં આવતા હોય છે. આ પદ્ધતિ માત્ર સરકારી, અર્ધસરકારી, બોર્ડ-નિગમો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સરકારી બંધારણીય સંસ્થાઓમાં જ નહીં, પરંતુ ન્યાયતંત્ર, સુરક્ષાદળો તથા કેટલીક ખાનગી અને સહકારી સંસ્થાઓ-કંપનીઓમાં પણ આ પ્રકારની વ્યવસ્થાઓ હોય છે, જે વહીવટી સરળતા તથા ઝડપી અમલીકરણના ઉદ્દેશ્યોથી અપાતી હોય છે.
આ પ્રકારની સામૂહિક સૂચનાઓ જ્યારે સામાન્ય જનતાને અસરકર્તા હોય કે કોઈ મોટા જનસમૂહ કે ચોક્કસ વર્ગ-સમાજ-વિસ્તારને સ્પર્શતી હોય, ત્યારે તેનો જનવિરોધ પણ થતો હોય છે, અને હાલના સોશિયલ મીડિયાના જમાનામાં તેની ત્વરીત અસરો પણ પડતી હોય છે.
હાલમાં આ પ્રકારના કેટલાક પરિપત્રો-આદેશોના જનવિરોધનો સીલસીલો ચાલી રહ્યો છે. તાજેતરમાં ચોથી જૂને રાજ્ય સરકારે કરેલા એક પરિપત્રનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા એક ઠરાવ પસાર કરાયો, જેના અનુસંધાને ઈલેક્ટ્રીસિટી એક્ટ-ર૦૦૩ તથા ટેલિગ્રાફ એક્ટ-૧૮૮પ હેઠળ જાહેર કરાયેલા પરિપત્રમાં ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતા હાઈ-ટેન્શન વીજલાઈનો તથા ઊભા કરાતા ટાવર્સના વળતર અંગે તાબાની કચેરીઓ તથા અધિકારીઓને તથા સંબંધિત સરકારી વિભાગોને મોકલવામાં આવી હતી, અને તમામ સંબંધિત જિલ્લા તંત્રોને અમલીકરણ માટે મોકલાઈ હતી. એટલું જ નહીં, સંબંધિત વિભાગોના મંત્રીઓ, સચિવો તથા મુખ્યમંત્રીને પણ મોકલાઈ જ હશે.
આ પરિપત્ર ખેડૂતોને વધુ અને વાજબી જમીન વળતર મળે, તે માટે કરાયેલા સરકારનો છેદ ઊડાડીને ખેડૂતો રાજસ્થાન મોડેલ મુજબનું વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો આ પરિપત્રનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે, અને આ આંદોલન બિનરાજકીય ઢબે લડત સમિતિની રચના કરીને આંદોલન ચલાવાઈ રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આમ આ મુદ્દે સરકાર કોઈ રસ્તો કાઢે, ત્યાં સુધી સસ્પેન્સ પણ સર્જાયું છે, જેની અસરો કદાચ શાસક પક્ષ સાથે સંકળાયેલા ખેડૂત અગ્રણીઓ સુધી પણ પહોંચી છે.
બીજી તરફ આંગણવાડી વર્કર્સનું પણ રાજ્યવ્યાપી આંદોલન નવમી ઓગસ્ટથી શરૂ થનાર છે. શિક્ષણ વિભાગમાં એનપીએસ એટલે કે નવી પેન્શન સ્કીમના પરિપત્ર સામે પણ શિક્ષકો, પંચાયત આરોગ્ય કર્મચારીઓ, મહેસુલ કર્મચારીઓ પણ વર્ષ ર૦૦પ પછી ભરતી થયેલા તમામ કાયમી કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના લાગુ કરવાની મુખ્ય માંગણી સાથે કરેલા આંદોલનો રાજ્ય સરકાર માટે ઊંઘ ઊડાડનારા પૂરવાર થઈ રહ્યા છે.
એવું નથી કે રાજ્ય-કેન્દ્ર સરકારના તંત્રો કે તેને સંલગ્ન સંસ્થાઓ, બોર્ડઅનિગમો કે વીજકંપનીઓ દ્વારા પરિપત્રો સામે જ વિરોધ થતો હોય, પરંતુ કેટલીક બંધારણીય સંસ્થાઓ દ્વારા પણ તેની સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ કે કાઉન્સિલો એસોસિએશનોને પરિપત્રિત કરે, ત્યારે તેની સામે પણ સામૂહિક વિરોધ ઊઠતો હોય છે.
ગુજરાત હાઈકોર્ટે ગત્ ૧પ મી એપ્રિલે અદાલતી કાર્યવાહી માટે એ-ફોર સાઈઝના કાગળ વપારવા તથા ચોક્કસ ફોર્મેટ લાગુ કરીને વહીવટી પ્રક્રિયામાં ઈ-કોર્ટ પદ્ધતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દશ્યથી એક આદેશ ફરીથી જાહેર કર્યો હતો, અને આ સિસ્ટમથી ડિજિટલ રેકોર્ડ સારી રીતે સચવાય, તથા વકીલો, પક્ષકારો તથા સંબંધિત તંત્રોને ચાલતા વિવિધ કેસોની માહિતી પારદર્શક રીતે મળી રહે તેવા ઉદ્દેશ્યો ચર્ચાયા હતાં. આ પરિપત્ર પહેલી ઓગસ્ટ ર૦ર૬ થી અમલી થઈ ગયો છે.
આ આદેશ પછી રાજ્યની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની અરજીઓ, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન્સ, ઓર્ડર્સ, જજમેન્ટ્સ વગેરે માટે એ-૪ સાઈઝના કાગળ જ વાપરવા તથા ગુજરાતી-અંગ્રેજી ભાષાના ચોક્કસ પ્રકારના ફોન્ટ્સ જ વાપરવાનું ફરજિયાત કરી દેવાયું હોવાના અહેવાલો પછી તેના કાનૂની ક્ષેત્રની સંસ્થાઓમાં તીવ્ર પડઘા પડ્યા છે.
પ્રેસ-મીડિયા અહેવાલો મુજબ ખાસ કરીને અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોના વકીલમંડળો (બાર એસોસિએશનો) તથા નાના-મધ્યમ વર્ગના વકીલો આ પ્રકારના પરિપત્રોનો પ્રબળ વિરોધ કરી રહ્યા છે.
વકીલ મંડળોમાં થતી ચર્ચા મુજબ ન્યાયિક પ્રક્રિયામાં લીગલ પેપરના બદલે એ-ફોર (છ૪) સાઈઝનો કાગળ તથા યુનિકોડ સેન્ટનો અમલ એકી સાથે સમગ્ર રાજ્યમાં કરવો યોગ્ય પણ નથી. અને વ્યવહારૂ પણ નથી, જો કે કેટલાક દસ્તાવેજો અને કાગળો માટે આ નિયમોમાંથી છૂટછાટ અપાઈ છે, તેમ છતાં આ પરિપત્રમાં બનાવેલી નવી સિસ્ટમ સામે રાજ્યવ્યાપી વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. વકીલ મંડળો આ નવા નિયમોના અમલીકરણમાં કઈ-કઈ મુશ્કેલીઓ પડી રહી છે, તેના ઉલ્લેખ સાથે જિલ્લે-જિલ્લેથી આવેદનપત્રો પણ પાઠવી રહ્યા છે.
આ પહેલા પણ આ મુદ્દે વકીલ સંગઠનોના પ્રબળ વિરોધ પછી ગુજરાત હાઈકોર્ટે અમલીકરણની તારીખો પણ લંબાવી હતી અને પુનઃ પરિપત્ર પણ કર્યો હતો. હવે આ સૂચનાઓ લાગુ જ કરી દેવામાં આવી છે, ત્યારે હવે દરેક જિલ્લામાંથી વકીલમંડળો-સંસ્થાઓના વિરોધને ગુજરાત હાઈકોર્ટની હાયેસ્ટ અથોરિટી સુધી પહોચાડવાની તજવીજ ચાલી રહી હોવાના સંકેતો પણ જોવા મળે છે.
આમ, અત્યારે શિક્ષકો, આંગણવાડી વર્કર્સ, ખેડૂતો પછી હવે વકીલો પણ વિવિધ મુદ્દે થયેલા પરિપત્રોનો વિરોધ કરી રહ્યા છે, અને સરકારી તથા ન્યાયતંત્રને સંબંધિત આ મુદ્દાઓને લઈને સામાન્ય જનતામાં પણ પડઘા પડી રહ્યા છે, ત્યારે સંબંધિત તંત્રોએ આ મુદ્દાઓને અવગણવા જેવા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રાત્રિથી ધીમી ધારે જામનગરમાં વરસાદ શરૂ થયો, પરંતુ જગતનો તાત સરકારની નીતિ-રીતિઓના કારણે પરેશાન છે. ગઈકાલે જામનગરમાં ખેડૂતોની વિશાળ રેલી વિરલબાગથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ અને રાજ્ય સરકારના તાજેતરના પરિપત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો તથા સરકારને ઉદ્દેશીન લખેલું આવેદનપત્ર કલેક્ટર કચેરીને સુપ્રત કર્યું. આ આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય હોવાની સાથે સાથે જગતના તાતની કકડતી આંતરડીનો અવાજ છે, તે પ્રકારની લાગણી પણ પ્રવર્તતી જોવા મળી હતી. ખાસ કરીને મહિલા કિસાનોની સામેલગીરીથી આ વિરોધની ગંભીરતા વધી ગઈ હતી. જે રીતે શાંતિપૂર્વક રેલી કાઢીને રામધૂનની ગૂંજ સાથે આવેદનપત્ર સરકારને પાઠવાયું, તે જોતા કિસાનોની ગાંધીચિંધ્યા રાહે પ્રબળ, પરંતુ શાંતિપૂર્ણ અવાજ ઉઠાવવાની મક્મતા પણ જણાઈ હતી.
આ આંદોલનમાં ખેડૂતોની સંગઠનાત્મક એક્તા માટે જેમણે જહેમત ઊઠાવી હતી તેવા સ્થાનિકથી માંડીને સ્ટેટ લેવલ સુધીના બિરાજકીય અગ્રણીઓએ જામનગર જિલ્લા કિસાન સમિતિના બેનર હેઠળ આ રેલી કાઢી હતી, જો કે કિસાન કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા પણ જામનગર જિલ્લામાં વીજળી-પાણી વગેરે સમસ્યાઓ માટે પણ અલગ-અલગ કિસાન આક્રોશ રેલીઓ કાઢી હતી, જેના કારણે હાલારના ખેડૂતોમાં પહેલેથી જ જાગૃતિ અને એકજુથતા રચાઈ હતી, અને હવે આ આંદોલન શરૂ થતા રાજ્ય સરકાર સામે એક નવો પડકાર ઊભો થયો છે. જો સીજેપી (કોકરોચ જનતા પાર્ટી) ની જેમ કેજેપી (કિસાન જનતા પાર્ટી) જેવું કોઈ ઓનલાનઈ આંદોલન શરૂ થાય, તો આ આંદોલનને વધુ વેગ મળે તેમ હોવાથી શાસકો-પ્રશાસકો પણ કદાચ ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરી રહ્યા હશે.
આ આંદોલનને રાજ્ય સરકારના એક મંત્રીના ભાએ પણ ખુલ્લેઆમ સમર્થન આપ્યું હોય, અને ભાજપના કેટલાક જિલ્લા-રાજ્ય કક્ષાના હોદ્દેદારોની નજીકના લોકો પણ આ આંદોલન પ્રત્યે ઝુકાવ રાખતા હોય કે સોફ્ટ કોર્નર રાખતા હોય તો ભાજપ માટે પણ આ એક નવો પડકાર જ ગણાય. આ કારણે સરકાર અને સંગઠનમાં પણ ટોપ-ટુ-બોટમ આમુદ્દે કોઈ ઉકેલ ઝડપથી કાઢવાનું દબાણ વધ્યું હય તેમ જણાય છે, કારણે આ રેલી તથા આવેદનપત્ર અપાયા પછી શાસન-પ્રશાસનમાં હડિયાપટ્ટી વધી ગઈ હોય તેમ જણાય છે અને આ મુદ્દે છેક રાજયની રાજધાની સુધી મોબાઈલ સેલફોનની ઘંટડીઓ રણકી ઊઠી હોવાની ચર્ચા થઈ રહી છે, જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે.
ખેતરોની વચ્ચેથી હાઈ ટેન્શન વિદ્યુત લાઈનો નીકળતી હોય અને તેના હેવી ટાવર્સ ઊભા કરતા હોય, ત્યારે ખેડૂતો તે જમીન પર કોઈ પાકા બાંધકામો કરી શકતા નથી કે મોટા વૃક્ષો ઉગાડી શકતા નથી, તેથી ખેડૂતોની આવક પર પ્રહાર થાય છે, અને સીધુ આર્થિક નુક્સાન થાય છે. આ જમીનની રી-સેલ વેલ્યુ પણ ઘટી જાય છે, અને સરકાર પૂરતુ વળતર પણ આપતી ન હોય ત્યારે ખેડૂતોને આ પ્રકારના આંદોલનો કરવા પડતા હોય છે. ખેડૂતો ગુજરાત સરકાર સમક્ષ રાજસ્થાન મોડલ મુજબ વળતર તથા અન્ય સંરક્ષણ આપવાની માંગણી કરી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે્ર રાજસ્થાનમાં વીજ ટાવર્સ અને વીજલાઈનો જેની જમીનમાંથી પસાર થતી હોય તેને પારદર્શી અને ઘણું જ વધારે વળતર અપાય છે.
બીજી તરફ સરકારી પક્ષનો દાવો છે કે પહેલા બે-ત્રણ ટૂકડે મળતી હતી, તે વળતરની રકમ એક સાથે આપવા અને જંત્રીના સ્થાને માર્કેટ મૂલ્યથી ડબલ વળતર આપવાનો સરકારે લીધેલો નિર્ણય ખેડૂતોના હિતમાં છે અને મહત્તમ ખેડૂત વર્ગોની લાગણી અને માંગણીનો તેમાં પદઘો પડે છે.
આ તરફ આ આંદોલનની જરૂર એટલે પડી કે સરકાર ઉપરાંત ખાનગી કંપનીઓ પણ આ મુદ્દા સાથે સંકળાયેલી છે. ખાનગી કંપનીઓના દબાણ હેઠળ સરકાર ખેડૂતોના હિતોની અવગણના કરી રહી હોવાના આક્ષેપો સાથે વિપક્ષો પણ સરકારને ઘેરી રહ્યા છે, અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ખેડૂતોને સમર્થન આપવા તૈયાર છે.
રાજ્ય સરકારે જિલ્લે જિલ્લે એક માર્કેટ રેન્ટ (બજાર મૂલ્ય) નિધારણ કમિટી બનાવીને ખેડૂતોને મહત્તમ વળતર આપી શકાય, તેવી વ્યવસ્થા કરી હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે, અને વિપક્ષના નેતાઓ ભ્રમ ઊભો કરીને રાજકીય રોટલી શેકવાનો આક્ષેપ કરી રહ્યા છે, તો વિપક્ષના નેતાઓ કહે છે કે તમે (ભાજપ) પણ ક્યાં દૂધે ધોયેલા છો? તમે પણ રાજકીય સરવાળા-બાદબાકી કરીને જ નિર્ણયો લ્યો છો ને? વગેરે...
જામનગરમાં આ રેલી નીકળી, તેમાં આજુબાજુના ઘણાં સરપંચો તથા સભ્યો સામેલ થયા, અને ગામેગામથી સ્થાનિક અગ્રણીઓ જોડાયા, તેના કારણે હવે ખેડૂતોનું આ આંદોલન નિર્ણાયક દિશામાં આગળ વધી રહ્યું હોવાથી આજે કે કાલે આ તમામ પ્રશ્નોના સંદર્ભે રાજ્ય સરકાર કોઈને કોઈ નિષ્કર્ષ પર જરૂર પહોંચશે, તેવી આશા રખાઈ રહી છે.
બીજી તરફ આ વખતે વરસાદ લંબાતા પણ ખેડૂતો પરેશાન છે, અને સામાન્ય જનતા પણ વરસાદમાં વિલંબ થતા વિમાસણમાં મૂકાઈ છે. જો કે, ગઈ રાતથી જામનગર સહિત ઘણાં સ્થળોમાં હાલારમાં વરસાદ ધીમી ધારે શરૂ થતા ઠંડક સાથે થોડી રાહત પ્રસરી છે. ખેડૂતો જ નહીં, સામાન્ય જનતામાં પણ એવી ચર્ચા છે કે કુદરત રૂઠે તો પણ મોડે મોડે મહેરબાની કરે છે, અને તેથી જ રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘમહેર થઈ છે. કેટલાક સ્થળે તો મેઘતાંડવ પણ થયું છે, પરંતુ અલનીનોના કારણે વરસાદ ઘણો જ ઓછો થશે અને દુષ્કાળના ડાકલા વાગશે, તેવી ભીતિ દૂર થઈ છે. તેથી એવું કહી શકાય કે કુદરત કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ, પર સરકાર કે ઘર તો અંધેર હી અંધેર હૈ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બૃહદ મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત છુટું પડયું અને ભાષા આધારિત રચાયેલા ગુજરાતમાં એક સમયનું સૌરાષ્ટ્ર સ્ટેટ વિલિન થઈ ગયું, જેના કારણે તે પછીથી સૌરાષ્ટ્રને સતત અન્યાય થતો રહ્યો હોવાની ફરિયાદ ઉઠતી રહી છે, અને તેમાંની એક મહત્ત્વપૂર્ણ ફરિયાદ હાઈકોર્ટને સંબંધિત છે., અને રાજકોટમાં હાઈકોર્ટની બેંચ અથવા શાખા શરૂ કરવાની માંગણી સતત થતી રહી છે. આ માંગણીને લઈને ૨૯મી જુલાઈ ૨૦૨૬ના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ મુખ્ય જિલ્લાઓમાં વકીલો અદાલતી કામકાજથી અળગા રહ્યા અને બહિષ્કાર વ્યક્ત કર્યો.
એ સાથે જ ૮૦ તાલુકાઓના ૬૦થી વધુ બાર એસોસિએશનોએ આ માંગણીઓ સાથે જિલ્લા કલેકટરોના માધ્યમથી સરકારને આવેદનપત્રો પાઠવ્યા. આ ચળવળમાં રાજકોટ, કચ્છ, જામનગર, મોરબી, જુનાગઢ, ભાવનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, વગેરે જિલ્લાઓ જોડાયા હતા.
વકીલ મંડળોએ પોતપોતાના જિલ્લાને પડતી અલગ-અલગ સમસ્યાઓ પણ આ આવેદનપત્રમાં આવરી લીધા હતા અને સમાન પ્રકારની સમસ્યાઓની સાથે સૌરાષ્ટ્ર સ્ટેટના સમયગાળાની ન્યાયક્ષેત્ર તથા કાનૂની ક્ષેત્રની સુવિધાઓ અને વિલય થયા પછીની સ્થિતિ વર્ણવીને સૌરાષ્ટ્ર સ્ટેટને બૃહદ મુંબઈમાં અને પછી ગુજરાતમાં વિલિન કરવાના તત્કાલિન ખોટા અને અયોગ્ય નિર્ણયને સુધારવાની જરૂર પણ ભારપૂર્વક આ ચળવળના માધ્યમથી જણાવાઈ રહી છે.
તાજેતરમાં જીએસટીની એક બ્રાન્ચ રાજકોટમાં શરૂ થયા પછી એક તરફ તો તે નિર્ણયને આવકાર અપાઈ રહ્યો છે, તો બીજી તરફ રાજકોટમાં હાઈકોર્ટ અથવા તેની તેની બેન્ચ (બ્રાન્ચ) શરૂ કરવાની માંગણી પણ બળવત્તર બનવા લાગી છે. અત્યારે દેશના છેક છેવાડાના જિલ્લાઓના લોકોને ઉચ્ચ ન્યાય મેળવવા માટે સેંકડો કિલોમીટર દૂરથી અમદાવાદ જવું પડતું હોય, તો તે મુશ્કેલીના નિવારણ માટે રાજકોટને અલાયદી હાઈકોર્ટ અથવા અમદાવાદ હાઈકોર્ટની બ્રાન્ચ કાયમી ધોરણે આપવાની માંગણી હવે તિવ્ર બની રહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ ઘણાં દૂર હોવાથી અમદાવાદની હાઈકોર્ટ સુધી આવવા-જવાના ખર્ચા તથા સમયનો બગાડ વધુ થાય છે, તે ઉપરાંત ન્યાય મળવામાં વિલંબ થવાનું એક વધુ કારણ પણ ઉમેરાય છે. અસીલો-વકીલો-સાક્ષીઓની નિયમિતતા તથા સાતત્યતા પર માઠી અસર પહોંચે છે અને ઘણાં લોકોની આટલી પહોંચ નહીં હોવાથી ન્યાયથી તેઓ વંચિત પણ રહી જાય છે. તેથી ગુજરાત હાઈકોર્ટની એક બ્રાન્ચ કાયમી ધોરણે રાજકોટમાં શરૂ થાય કે અન્ય કેટલાક રાજ્યોની જેમ ગુજરાતમાં એકથી વધુ હાઈકોર્ટની સાંપ્રત સમયની તાકીદની જરૂર લક્ષ્યમાં લઈને રાજકોટને અલાયદી હાઈકોર્ટ આપીને તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના અમદાવાદથી ઘણાં દૂર હોય તેવા જિલ્લાઓને આવરી લેવાની માંગણી વાજબી છે. વિદ્યાર્થીઓ, યુવાઓ, ખેડૂતો, શિક્ષકો પછી હવે વકીલો તથા કાનૂની-ન્યાયક્ષેત્રના લોકો પણ નારાજ થશે તો તેનું રાજકીય નુકસાન પણ થઈ શકે છે, જે સંભાવના ખત્મ કરવા એક પ્રો-પબ્લિક પોલિટિકલ ડિસિશન લેવાનું કદમ શાણપણભર્યું અને દૂરંદેશી વાળુ યોગ્ય પગલું ગણાશે, તે હકીકત છે.
સૌરાષ્ટ્ર સ્વતંત્ર સ્ટેટ હતું ત્યારે વર્ષ ૧૯૪૮ થી ૧૯૫૬ સુધી અલાયદી "સૌરાષ્ટ્ર હાઈકોર્ટ" હતી, અને તેનું મુખ્ય મથક રાજકોટ જ હતું. આઝાદી મળ્યા પછી સૌરાષ્ટ્ર સ્ટેટનું પૂનર્ગઠન થયું આ હાઈકોર્ટ હેઠળ તે સમયના તમામ પાંચ જિલ્લાઓને આવરી લેવાયા હતા, જેમાં રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. તે પછી રાજ્ય જિલ્લાઓના વિભાજનો થતા રહ્યા અને નવા જિલ્લાઓ રચાતા રહ્યા, બીજી તરફ વસ્તી વધારા તથા કામ-ધંધા-રોજગાર માટે અન્ય રાજ્યોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં આવીને ગુજરાતમાં હંગામી વસવાટ કરતા લોકોની જનસંખ્યા પણ વધતી રહી છે, તેના કારણે જ અદાલતોમાં કેસોની સંખ્યા વધતી રહી છે અને અપીલોની સંખ્યા પણ વધી છે, જેથી રાજકોટમાં સૌરાષ્ટ્રની હાઈકોર્ટ સ્થપાય તો તે જનહિતમાં પણ છે અને સાર્વજનિક ન્યાયના હિત માટે પણ મહત્ત્વપૂર્ણ સોપાન પણ ગણાશે.
આઝાદી પછી ભાષા આધારિત રાજ્યોની રચના માટે આંદોલનોનો સીલસીલો આવ્યો હતો, અને વર્ષ ૧૯૫૩માં તેલુગુ ભાષીઓના આંદોલન પછી મદ્રાસ પ્રેસિડેન્સીથી આંધ્રપ્રદેશ અલગ રાજ્ય બન્યું, તે પછી દેશમાં ભાષાના આધારે ૧૪ રાજ્યો અને ૬ કેન્દ્રશાસિત પ્રદેશો રચાયા. તે પછી પણ અલગ રાજ્યોની માંગણી ઉઠતી રહી છે. વર્ષ ૧૯૬૦માં બૃહદ મુંબઈનું વિભાજન થતાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો રચાયા, તો ભૂતકાળનું સૌરાષ્ટ્ર સ્ટેટને બૃહદ મુંબઈમાં સમાવી લેવાયું હતું, તે પણ ગુજરાતમાં આવી ગયું, વર્ષ ૧૯૬૩માં નાગાલેન્ડમાંથી આસામ અલગ થયું, ૧૯૭૨માં મેઘાલય, મણિપુર, ત્રિપુરા જેવા રાજ્યો રચાયા, કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પૂર્ણ કક્ષાના રાજ્યો બન્યા. તે પછી અરૂણાચલપ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો, તે પછી ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા વગેરે કેટલાક રાજ્યો રચાયા, પરંતુ સૌરાષ્ટ્રને રાજ્યનો દરજ્જો ક્યારેય અપાયો નહીં, અને આ દાયાકાઓ જુની માંગણી સત્તાપરિવર્તનો પછી બદલાયેલા શાસકપક્ષો અને પલટાયેલા પોલિટિકલ સિનેરિયો પછી પણ સંતોષાઈ નથી, સૌરાષ્ટ્રવાસીઓની કમનસીબી તથા સૌરાષ્ટ્રની નેતાગીરીની ઈન્ટરપાર્ટી નબળાઈ જ છે, તેમ કહેવું અસ્થાને નથી.
સૌરાષ્ટ્ર રાજય હતું ત્યારે તેનું બજેટ સરપ્લસ રહેતું હતું, તેવું કહેવાય છે, અને સૌરાષ્ટ્રના ગુજરાતમાં વિલીનીકરણ પછી વિકાસના ફળો ઉત્તર-દક્ષિણ ગુજરાત તરફ વધુ પહોંચ્યા અને સૌરાષ્ટ્રને અન્યાય થયો. એક સમયે સતત દુષ્કાળ પડતા હોવાથી સૌરાષ્ટ્રને જ્યારે અધિક હૂંફ અને આર્થિક સહયોગની જરૂર હતી ત્યારે પણ અવગણના કરાઈ હોવાની નારાજગી હંમેશાં સૌરાષ્ટ્રમાં રહી છે. જો કે, સરદાર સરોવર યોજના, સૌની યોજના તથા તળાવો-ચેકડેમોની શ્રૃંખલા વધ્યા પછી સૌરાષ્ટ્રની જળ સમસ્યા હળવી થઈ, પરંતુ સૌરાષ્ટ્ર સ્ટેટ હતું, તે સમયે રાજકોટમાં જે રાજ્યકક્ષાની સુવિધાઓ હતી, તે ઝુંટવાઈ ગઈ અને હાઈકોર્ટ તેમાંની એક મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે.
હવે વકીલોને માત્ર વિપક્ષો જ નહીં, પરંતુ માતબર સંસ્થાઓ, સમાજો તથા વિશેષ હસ્તીઓનું પણ સમર્થન મળવા લાગશે, અને અંદરખાને ભાજપમાં આંતરિક રીતે પણ રાજકોટમાં અલાયદી હાઈકોર્ટ સ્થાપવાની માંગણી વધી રહી છે, ત્યારે સરકારે આ મુદ્દે તત્કાળ નિર્ણય લેવો જોઈએ, કારણ કે પછી ઘણું મોડું થઈ જશે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે દર વર્ષે ગુરૂ પૂર્ણિમા ઉજવીએ છીએ અને ગુરૂજનોનું પૂજન કરીએ છીએ. ધર્મગુરૂઓના આશીર્વાદ મેળવીએ છીએ, અને શિક્ષકો, અધ્યાપકો, પ્રાધ્યાપકો વગેરે શિક્ષણ અને તાલીમ આપતા ગુરૂજનોનું પણ સન્માન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.. સંસ્કારોનું સિંચન કરતા અને ધાર્મિક-આધ્યાત્મિક પથદર્શન કરતા સંતો, મહંતો ગુરૂવર્યોને આજે ગુરૂદક્ષિણા આપવાનો પણ અવસર હોય છે, જેથી તેઓએ આપેલા જ્ઞાન, માર્ગદર્શન અને સંસ્કારોને અપનાવીને અને આપણું જીવન સત્માર્ગે વાળીને ધન્ય બનવાનો સંકલ્પ લેવો જોઈએ.
આજે શિક્ષણનો વિષય જ વિવાદનો વંટોળીયે ચડયો છે. અને ઝેન-ઝેડના આંદોલન તથા સીજેપીએ બીજેપીની સરકારને તેમની માંગણીઓ સ્વીકારવા અને શિક્ષણમંત્રીનું રાજીનામું આપવા મજબૂર કર્યા પછી હજુ પણ સડકથી સંસદ સુધી ચાલી રહેલું ધમાસાણ દુર્ભાગ્યપૂર્ણ છે. શિક્ષણ જેવો પવિત્ર વિષય વિવાદનો નહીં, પણ સંવાદનો છે, તે સમજવું પડશે.
શિક્ષણની વર્તમાન સિસ્ટમ, પરીક્ષાની સિસ્ટમ અને ગુરૂ-શિષ્યો-પ્રોફેસરો તેમજ વાલીઓની સુરક્ષા તથા તેઓના હક્કો-અધિકારોના સંરક્ષણની સિસ્ટમ સહિત આખું શિક્ષણક્ષેત્ર સુધારવાની જરૂર છે, અને તે માટે આત્મમંથન પણ કરવું પડે તેમ છે. આ વિષયને રાજનીતિથી હટાવીને સૌએ સાથે મળીને ધરમૂળથી ફેરફારો કરવા પડશે અને તે માટે વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરતા સર્વેક્ષણો, અભ્યાસો તથા સમયાંતરે આવતા તેના રિપોર્ટને ધ્યાને લઈને ગંભીરતાથી એકશન લેવા પડશે.
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયનો તાજો પીજીઆઈ-ડી એટલે કે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેકસ-ડિસ્ટ્રીક્ટસ જોઈએ તો તેમાં આપણાં ગુજરાત રાજ્યનું 'પરફોર્મન્સ' ચિંતાજનક છે.
કેન્દ્ર સરકારના જ શિક્ષણમંત્રી વિભાગે જાહેર કરેલા દેશના ૭૮૪ જિલ્લાઓના એ ઈન્ડેક્સમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાછળ રહી ગયું છે. રાજ્યો તો ઠીક, કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશોથી પણ ગુજરાત પાછળ ધકેલાઈ ગયું છે, અને તેના માટે આપણા રાજ્યની શિક્ષણ નીતિ, ખાનગી શિક્ષણને ઉત્તેજન, સરકાર શિક્ષણનું નિકંદન અને તેમાં ઈન્ટર પોલિટિકલ મિલિભગત જવાબદાર છે. તેવા આક્ષેપોમાં દમ છે.
આ ઈન્ડેકસમાં કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે જુદા જુદા માપદંડો સાથે કુલ ૬૦૦ માર્કસનું દેશવ્યાપી આંકડાકીય મુલ્યાંકન ૭૮૪ જિલ્લાઓમાં હાથ ધર્યું હતું અને તેનો રિપોર્ટ ગુજરાત માટે ક્ષોભજનક છે.
આ આંકડાકીય મૂલ્યાંકનોમાં ૭૦ ટકાથી વધુ માર્કસ મળે, તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશને 'ઉત્કર્ષ'ની કેટેગરી મળે, તેમાં તો ઠીક, ગુજરાત તો 'ઉત્તમ'ની કેટેગરી પણ મેળવી શકયું નથી. રિપોર્ટ મુજબ ઉચ્ચત્તમ સ્કોર મેળવીને શ્રેષ્ઠ કેટેગરીમાં આવેલા ૧૧૬ જિલ્લાઓમાં ગુજરાત ક્યાંય દેખાતું જ નથી !
ગુજરાતના ૨૮ જિલ્લા આ આંકડાકીય મૂલ્યાંકનમાં ૫૧ થી ૬૦ ટકાની "પ્રયેષ્ટા-૧"ની કેટેગરીમાં રહ્યા છે, જ્યારે પાંચ જિલ્લા હજુ પણ "પ્રયેષ્ટા-૨"ની કેટેગરીમાંથી ઉપર આવ્યા નથી. જે આપણા ગરવા ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રની વરવી વાસ્તવિકતા વર્ણવે છે. આ રિપોર્ટ આજે પ્રેસ-મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
દેશમાં શિક્ષણક્ષેત્રની સ્ટડી કરીને મૂલ્યાંકન માટે કેન્દ્ર સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા "યુડીએસઈ પ્લસ", "પરખ", અને "પ્રબંધ" પોર્ટલના ડેટાને આધાર બનાવીને તૈયાર કરાયેલા આ આંકડાકીય સ્ટડી રિપોર્ટમાં ૬ કેટેગરી રખાઈ હતી., અને ૧૧ ડોમેનના ૭૦ નિર્દેશકો પર તમામ જિલ્લાઓનું તુલનાત્મક પૃૃથ્થકરણ કરાયુ હતું. જેમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર હોવાના થતા રહેતા દાવાઓની હવા નીકળી ગઈ છે અને પોલ ખુલી ગઈ છે.
આ આંકડાકીય ઈન્ડેકસમાં કેરળ અને પંજાબ જેવા રાજ્યો ઉપરાંત ચંદીગઢ અને દિલ્હી જેવા કેન્દ્રશાસિત પ્રદેશો (દિલ્હી તથ કેન્દ્રશાસિત એવું રાજ્ય છે, જયાં રાજ્ય સરકારની સત્તાઓ સીમિત છે, પરંતુ શિક્ષણનો વિષય રાજ્ય સરકાર હસ્તક છે.) પણ શૈક્ષણિક પરિણામો તથા ડિજિટલ સુવિધાઓમાં ગુજરાત કરતા આગળ છે.
ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓને ટોચનો ગ્રેડ મળ્યો નથી., અને તેમાંથી ૨૮ જિલ્લાઓ ૬૦૦ માર્કસમાંથી ૩૦૧ થી ૩૬૦ ગુણ મેળવીને "પ્રયેષ્ટા-૧" યાદીમાં છે, જ્યારે જામનગર સહિત પાંચ જિલ્લાઓ તો "પ્રયેષ્ટા-૨" ની શરમજનક સ્થિતિમાં મુકાયા છે. અહેવાલો મુજબ જામનગર, કચ્છ, છોટા ઉદેપુર, દાહોદ વગેરે જિલ્લાઓ ૬૦૦માંથી ૨૪૧ થી ૩૦૦ ગુણ મેળવીને "પ્રયેષ્ટા-૨" ગ્રેડમાં ધકેલાઈ ગયા છે, જે ચિંતાનો વિષય ગણાય. આ કેટેગરીમાં ગુજરાતનો કોસ્ટલ બેલ્ટ (દરિયાઈ પટ્ટી)નો ઘણો હિસ્સો છે, જેથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વધુ ફોકસ કરવાની જરૂર જણાય છે. ગયા વર્ષે નવસારી જિલ્લાને અગ્રીમ હરોળમાં સ્થાન મળ્યું હતું અને ૬૦૦માંથી ૩૪૫ માર્કસ મેળવીને ટોચનું સ્થાન મળ્યું હતું, તેના માર્કસ વધવા જોઈએ, તેના બદલે ઘટીને ૩૩૯ ગુણ મળ્યા હોય અને મહિસાગર જિલ્લાને ૩૩૪ માર્કસ મળ્યા હોય, તો તે પણ મંથનનો વિષય છે, અને ખાસ કરીને રાજ્યની શિક્ષણનીતિ તથા એજ્યુકેશન સિસ્ટમના શ્રેષ્ઠ મોડલની ડંફાસો હાંકતા રહેતા રાજનેતાઓ સામે કેન્દ્રના જ શિક્ષણ વિભાગે બતાવેલું વાસ્તવિકતાનું દર્પણ છે.
કેન્દ્ર સરકારે આ રિપોર્ટ ૭મી જુલાઈ-૨૦૨૬ના દિવસે જાહેર કર્યો છે, જેને વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશના જિલ્લાઓનું એજ્યુકેશન ગ્રેડીંગ દર્શાવે છે. આ રિપોર્ટને પીજીઆઈ-ડી અંતર્ગત પીજીઆઈ ૨-૦ તરીકે ઓળખાવ્યો છે., જેમાં ૬૦૦ ગુણ અને ૭૦ માપદંડો સાથે ૬ શ્રેણીઓ સાથે દેશવ્યાપી વ્યાપક અને તંત્રસ્પર્શી મૂલ્યાંકન કરાયું છે.
જો કે, આ રિપોર્ટ મુજબ ૭૮૪માંથી રાષ્ટ્રીયકક્ષાએ ૪૬૨ જિલ્લાઓમાં સુધારો જણાયો છે., પરંતુ એક પણ જિલ્લો "ઉત્કૃષ્ટ"માં સ્થાન ધરાવતો નથી, અને માત્ર ૧૯ જિલ્લા જ "ઉત્તમ-૨"ની કેટેગરીમાં આવ્યા હોય, તો તે રાષ્ટ્રીયકક્ષાએ પણ ચિંતા અને ચિંતનનો મુદ્દો ગણાય. તે પૈકી જો જામનગર જિલ્લાએ ૬૦૦માંથી માત્ર ૨૯૭ ગુણ મેળવ્યા હોય અને પ્રયેષ્ટા-૨ની યાદીમાં હોય, તો તે પણ ચિંતાનો વિષય છે, જ્યારે દેવભૂમિ દ્વારકાને તેનાથી કાંઈક રાહતજનક એટલે કે ૬૦૦માંથી ૩૨૦ ગુણ મળ્યા હોય તો પણ હાલારના આ બંને જિલ્લાઓમાં શિક્ષણ સુધારણા માટે હજુ ઘણું કરવાનું બાકી છે., તેમ કહી શકાય. આ રિપોર્ટ મુજબ પરીક્ષાર્થીઓના પરિણામોમાં જામનગર જિલ્લા કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાને વધુ ગુણ મળ્યા હોય તો તે જામનગર જિલ્લાના શિક્ષણ વિભાગ તથા સ્થાનિક સત્તાતંત્રો માટે પણ વધુ લક્ષ્ય આપવા જેવો વિષય છે.
આ રિપોર્ટ અંગે થતી ચર્ચામાંથી મળતી માહિતી મુજબ જો ઈસીટી અથવા પ્રભાવી કક્ષા શિક્ષણમાં જામનગર જિલ્લાને ૬૧ અને દ્વારકા જિલ્લાને ૬૮ ગુણ, ઈન્ફ્રાસ્ટ્રકચર (ઈએફ એન્ડ એસઈ)માં જામનગર જિલ્લાને ૨૯ અને દ્વારકા જિલ્લાને ૩૩, સ્કૂલ સુરક્ષા અને બાલ શિક્ષણ (એસ.એસ. એન્ડ સી.પી.)માં જામનગર જિલ્લાને ૨૦ અને દ્વારકા જિલ્લાને ૨૩, ડિજિટલ લર્નિંગ (ડી.એલ.)માં જામનગર જિલ્લાને ૩૨ અને દ્વારકા જિલ્લાને ૨૩, તથા એડમિનિસ્ટર અથવા શાસન-પ્રક્રિયામાં જામનગર જિલ્લાને ૪૪ અને દ્વારકા જિલ્લાને સમાન ૪૪ અંક મળ્યા હોય તો દેશના છેવાડાના દેવભૂમિ દ્વારકા જિલ્લા કરતા પણ જામનગર જિલ્લો પાછળ રહી ગયો હોય તેવું તારણ નીકળે, તેથી આ રિપોર્ટને ઊંડો સ્ટડી કરીને તથા આંકડાઓની ખરાઈ કરીને જ્યાં જયાં કચાશ રહેતી હોય, ત્યાં ત્યાં તત્કાળ સુધારો કરવો જરૂરી છે.
કેટલાક તજજ્ઞો વિશ્લેષકોના તારણ મુજબ ગુજરાતમાં ખાનગી શિક્ષણનો દબદબો અને પક્ષ-વિપક્ષની મિલિભગતના કારણે રાજ્યનું શિક્ષણ ખાડે જઈ રહ્યું છે, જ્યારે કેટલાક વિશ્લેષકો એકંદરે એવરેજ સ્થિતિ જણાવીને રાજ્યમાં ઝડપી સુધારણાની સંભાવના દર્શાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત દુનિયાની પાંચમી ઈકોનોમીમાંથી ચોથી ઈકોનોમીમાં સરક્યા પછી ત્રીજા ક્રમે પહોંચવાની દિશામાં આગેકૂચ કરી રહ્યું છે, અને કોરોનાકાળ પછી મંદ પડેલા કેટલાક સેક્ટરો તથા એમએસએમઈમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે, ત્યારે નાના અને મધ્યમ કક્ષાના શહેરો પ્રેરકબળ બનતા ભારતના ઈ-કોમર્સ સેક્ટરનું કદ ઝડપભેર વધશે, તેવો રિપોર્ટ તાજેતરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
આ રિપોર્ટ મુજબ ભારતનું ઈ-કોમર્સ માર્કેટ વર્ષ ર૦૩પ સુધીમાં ચારગણું વધીને ૪૮ લાખ કરોડને આંબી જશે.
એનારોક અને ઈ.ટી. રિટેલના એક સંયુક્ત અહેવાલ મુજબ વર્ષ ર૦ર૪ માં ભારતનું ઈ-કોમર્સ બજાર ૧રપ અબજ ડોલરનું હોવાનો અંદાજ છે. આ રિપોર્ટ તાજેતરમાં મુંબઈમાં ધ ઈકોનોમિક ટાઈમ્સ ગ્રેટ ઈન્ડિયા રિટેઈલ સમિટ-ર૦રપ માં મૂકાયો હતો.
એનારોકના એકંદરે અભિપ્રાય મુજબ ભારતીય ઈ-કોમર્સ માર્કેટ વર્ષ ર૦૩પ સુધીમાં પપ૦ અબજ ડોલર એટલે કે લગભગ ૪૮ લાખ કરોડની નજીક પહોંચી જશે, એટલે કે પ્રવર્તમાન વૃદ્ધિમાં ૧પ ટકાનો વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વધારો થશે.
આ રિપોર્ટ મુજબ વર્ષ ર૦૩૦ ના અંત સુધીમાં ભારતીય ઈ-કોમર્સ માર્કેટનું મૂલ્ય ૩૪પ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે.
આ રિપોર્ટ મુજબ ઈન્ટરનેટનો વધી રહેલો વપરાશ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનું વિસ્તરણ, ટેકનોસેવી યુવાવર્ગમાં વધારો અને સ્માર્ટ ફોનનો વધી રહેલો ઉપયોગ આ વૃદ્ધિને ગતિશીલ બનાવી રહ્યો છે.
આ ઉપરાંત 'ડિજિટલ ઈન્ડિયા' જેવી સરકારી પહેલ અને લોજિસ્ટિક સપ્લાઈ ચેઈન નેટવર્કમાં ઝડપી સુધારાઓ પણ અર્થતંત્રને પ્રતિશીલ બનાવી રહ્યા છે. એક તરફ વૃદ્ધિ થઈ રહી છે, તો બીજી તરફ ટ્રમ્પના ટેરિફ કાર્ડ સહિતના પડકારો પણ વધી રહ્યા છે.
જો કે, આ રિપોર્ટ મુજબ મેટ્રોપોલિટન શહેરો ઉપરાંત ભારતમાં હવે મોટી મોટી કંપનીઓ પણ નાના અને મધ્યમકક્ષાના નગરોમાં વધી રહેલી જનસંખ્યાની ડિમાન્ડને પહોંચી વળવાના પ્રયાસો કરી રહી છે, જે ભારતીય માર્કેટને વેગ આપી રહી છે. ભારતીય રિટેઈલ ઈન્ડસ્ટ્રીની માર્કેટ સાઈઝ વર્ષ ર૦૩પ સુધીમાં રપ૦૦ અબજ ડોલર સુધી પહોંચી જશે, તેવો અંદાજ છે.
કોરોનાકાળ પહેલા વર્ષ ર૦૧૯ ની સરખામણીમાં ભારતીય માર્કેટમાં ત્રણગણી વૃદ્ધિ એક દાયકા પછી જોવા મળી હતી. લોકોની વધતી આવક, શહેરીકરણ, યુવાવર્ગમાં શિક્ષણ અને ટેકનોલોજીનો વધતો વ્યાપ, સતત વિસ્તરી રહેલો મિડલ ક્લાસ અને કેટલીક પ્રોત્સાહક પોલિસીઓ આ ગતિશીલ વૃદ્ધિના મૂળમાં હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.
એક તરફ માર્કેટમાં ગતિશીલતા જોવા મળી રહી છે, તો બીજી તરફ વિપક્ષની કેટલીક રાજ્ય સરકારો પછી હવે ભાજપ-એનડીએ શાસિત સરકારો દ્વારા પણ વોટબેંકને સાચવવા કે આકર્ષવા અપનાવાઈ રહેલી મફતની રેવડીની નીતિઓ, કેટલીક નીતિગત ખામીઓ, ટ્રમ્પફેઈમ ટેરિફ કાર્ડના કારણે પણ અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે, ત્યારે જોઈએ હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હજુ તો ગઈકાલે હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે એન્ટી પેપરલીક બિલ સંસદમાં રજૂ કર્યું અને તેના પર ચર્ચા થવાની બાકી હતી, ત્યાં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની કોલેજોના ત્રીજા વર્ષ બી.એ.એમ.એસ.નું સર્જરી એટલે કે શલ્યતંત્ર-૧ ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની આશંકા પછી ર૬ કોલેજોના ર૦૦૦ પરીક્ષાર્થીઓનું ભાવિ જોખમાયું છે, અને તેની સાથે ચેડાં કરવાની હરકત થઈ હોવાનું જણાવીને વિપક્ષો ભાજપ સરકાર પર તડાપીટ બોલાવી રહ્યા છે, અને તેના પડઘા સંસદ સુધી પડ્યા છે. આ પેપર ર૦ મી જુલાઈના લેવાયું હતું.
એવું કહેવાય છે કે, ગઈકાલે જૂનાગઢ તરફની કોલેજના કોઈ પ્રોફેસરે ઉત્તર ગુજરાતની કોઈ કોલેજમાં ઓબ્ઝર્વેશન દરમિયાન આ પેપર બપોરે સંપન્ન થયા પછી સાંજે વ્હોટ્સએપમાં જે ૧ર પ્રશ્નો આઈએમપી તરીકે દર્શાવાયા હતાં, તેમાંથી જ મોટાભાગના પ્રશ્નો પૂછાયા હોવાની આશંકાથી પહેલેથી પેપરલીક થયું છે કે પરીક્ષા પછી આ પ્રશ્નો વ્હોટ્સએપમાં ફરતા કરાયા છે, તેની તપાસ માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએે એક સમિતિ રચી હોવાની પુષ્ટિ કરતો યુનિવર્સિટીના જ એક અધિકૃત વ્યક્તિનો વીડિયો ફરતો થયો, તે પછી આ વાત આગની જેમ ફેલાઈ ગઈ અને તેના રાષ્ટ્રવ્યાપી પડઘા પડ્યા. આ સંભવિત પેરલીકની આશંકા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંબંધિત હોવાથી વિપક્ષના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને સાકળીને તડાપીટ બોલાવવા લાગ્યા હતાં, અને તે પછી આ મુદ્દો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો છે.
આ પેપરલીક એક જ કોલેજમાં થયું છે કે ઈન્ટરકોલેજ થયું છે, તથા પેપર લેવાયા પહેલા પ્રશ્નો વ્હોટ્સએપમાં ફરતા થયા હતાં કે તે પછી થયા હતાં, તે તપાસનો વિષય છે, પરંતુ અત્યારે પેપરલીકનો મુદ્દો ગરમાગરમ હોવાથી તથા આ પેપરલીક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની તાબા હેઠળની પરીક્ષામાં થયું હોવાથી જોતજોતામાં વિપક્ષોને નેતાઓની તડાપીટ બોલી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઈકાલથી જ આ મુદ્દે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે તો ઘણી જ ગંભીર આક્ષેપો પ્રેસ-મીડિયાના માધ્યમથી કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપની સરકારે હવે 'પેપરલીકીયા' સરકાર બની ગઈ છે જ્યાં બીજેપીનું શાસન છે, ત્યાં પેપરલીક થઈ રહ્યા છે. તેમણેે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે પેપરલીક કરતા પરિબળોને સીધી વડાપ્રધાન અને આરએસએસ સાથે સંબંધો છે, તેમણે ગુજરાતમાં થયેલા પીપરલીકની એક યાદી પણ મીડિયા સમક્ષ રજૂ કરી હતી.
તેમણે એવો આક્ષેપ કર્યો કે વડાપ્રધાને ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરી, પરંતુ સીબીઆઈ કે તપાસ એજન્સીઓ પુરાવા જ રજૂ કરે નહીં, અને આરોપીઓને ક્લીનચીટ મળી જાય, તો તને ફાસ્ટ ટ્રેક કોર્ટ, હવાઈ કોર્ટ, પાતાલ કોર્ટનો અર્થ શું? તેમણે પેપરલીકના આરોપીઓ જેલમાં સડી રહ્યા હોવાના નિવેદનને 'સફેદ જૂઠ' ગણાવ્યું હતું.
'આપ'ના સંજયસિંહ ઉપરાંત કોંગ્રેસના જયરામ રમેશ સહિતના રાષ્ટ્રીય નેતાઓએ પણ તીખા તમતમતા આક્ષેપો કર્યા હતાં, જેને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાઓએ ફગાવી દઈને 'આપ' શાસિત પંજાબ અને કોંગ્રેસ શાસિત રાજ્યો તથા કોંગ્રેસ સાથે ગઠબંધનની સરકારોના શાસનગાળામાં થયેલા પેપરલીકના કિસ્સાઓને યાદ કરાવીને પ્રતિઆક્ષેપો તથા પ્રતિ પ્રહારો કર્યા હતાં. આ બધા આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે યુવા વર્ગે એવા પ્રત્યાઘાતો આપ્યા છે કે સરકાર કોઈપણ પક્ષની હોય, પેપરલીકની ઘટનાઓ અટકવી જ જોઈએ અને યુવાવર્ગની મહેનત તથા પ્રામાણિક્તાની કદર થવી જોઈએ. જો તેવું નહીં થાય તો તમામ સ્થળે આંદોલનો થઈ શકે છે, ભલે સરકાર કોઈપણ પક્ષની હોય.
ગુજરાતમાં ભાજપ સરકારના શાસનકાળમાં વર્ષ ર૦૧૪ અને તે પછી વર્ષ ર૦૧૬-૧૭ માં રેવન્યુ તલાટી અને તલાટી-કમ-મંત્રીઓની ભરતી માટે લેવાતી પરીક્ષા, વર્ષ ર૦૧૮ માં ટેટ, મેખ્ય સેવિકા અને લોકરક્ષક દળ, વર્ષ ર૦૧૮ માં સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા, વર્ષ ર૦ર૧ માં સબ એડીટર, હેડક્લાર્ક, પશુ ચિકિત્સા અધિકારી, વર્ષ ર૦ર૩ માં જુ. ક્લાર્ક, વર્ષ ર૦ર૪ માં ઊર્જા ક્ષેત્ર સહિતની સંખ્યાબંધ પેપરલીકની ઘટનાઓનું લિસ્ટ હોવાનો દાવો કરીને સંજયસિંહે એક ચોક્કસ કંપનીના નામ સાથે ગંભીર આક્ષેપો કર્યા હતાં, અને ગુજરાતમાં બ્લેક લિસ્ટ થયેલી આ 'કંપની' જ બિહાર-યુ.પી. સહિત અન્ય રાજ્યોમાં કેટલાક સ્થળોએ પીપરલીક કરાવ્યા હોવાના અત્યંત ગંભીર આક્ષેપો કરતા સંજયસિંહે પેપરલીક પરિબળોના સંબંધો આર.એસ.એસ. સાથે પણ હોવાનું જણાવી યુવાનો-વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરીને થતી કમાણીનો હિસ્સો ભાજપવાળા લઈ જતા હોવાનો સણસણતો આક્ષેપ પણ સંજયસિંહે મૂક્યો હતો, અને આ વાતો હવાહવાઈ નહીં હોવાનો દાવો કર્યો હતો. તેમણે પેપરલીક કરનારા પેપરચોરોને ચંદાચોરો સાથે સરખાવીને કટાક્ષ પણ કર્યો હતો.
આ તરફ ગુજરાતમાં પ્રાદેશિક કક્ષાએ પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ શિક્ષણ વિભાગ અને રાજ્ય-કેન્દ્ર સરકાર પર તડાપીટ બોલાવી છે. તેમણે આયુર્વેદિક યુનિવર્સિટી ભ્રષ્ટાચારનું મેગા સેન્ટર બની ગયું છે, તેવો આક્ષેપ કરીને કહ્યું કે કાયદાઓ માત્ર કાગળ પર રહી ગયા છે. સરકાર ભ્રમ લેવાવવાનું બંધ કરે અને સ્વયં મુખ્યમંત્રી આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી કરે. તેના જવાબમાં ભાજપના પ્રવક્તાએ કડક કાયદાનો ઉલ્લેખ કરીને કહ્યું કે આયુર્વેદ યુનિ.ના પેપરલીકની આશંકા ઊભી થતા જ સંબંધિત તંત્રોએ નિષ્પક્ષ તપાસ આદરી છે, અને જો કોઈ દોષિત ઠરશે તો તે બધાને કડકમાં કડક સજા થશે.
આજે સંસદમાં એક તરફ નવા એન્ટી પેપરલીક મુદ્દે ચર્ચા થઈ રહી છે, બીજી તરફ આ આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને સવાલો-જવાબો તેના સ્થાને છે, પરંતુ હવે બધાએ સાથે મળીને 'પેપરલીક'ને અટકાવવા 'પેપરલીકરો'ની રાષ્ટ્રવ્યાપી ગેંગને ભેદવી જ પડશે, અન્યથા સિસ્ટમ અને સરકાર પરથી ઝેન-ઝેડને વિશ્વાસ જ ઊઠી જશે અને એક અનિચ્છનિય અને ભયાવહ સવાલ ઊભો થશે કે 'હવે શું?'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જંતર-મંતર પર થયેલા ઝી-ઝેડ આંદોલને મોદી સરકારને ડોલાવી દીધી અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું, અને કોકરોચ જનતા પાર્ટીએ વિદ્યાર્થી અને યુવાશક્તિની તાકાત દેખાડી દીધી તે પછી હવે કદાચ નીતિન ગડકરીની ખુરશી જોખમમાં છે, કારણ કે નવી ઈ-ર૦ જનતા પાર્ટી પણ સોશિયલ મીડિયામાં જન્મી છે અને કેજેપીની જેમ જ ર૦ ટકા ઈથોનોલવાળા ફરજિયાત પેટ્રોલ સામે જોરદાર અવાજ ઊઠાવ્યો છે.
કોકરોચ જનતા પર્ટીના સફળ આંદોલન પછી તેના નેતા દીપકેએ આજે જે નિવેદન આપ્યું છે, તેમાંથી પણ આ ચળવળ અહીં અટકાવાની નથી, પણ શિક્ષણ પછી હવે કોઈ નવા મુદ્દે પણ આ ચળવળ ચાલતી રહેશે, તેવા સંકેતો મળે છે. તે પછી સોશિયલ મીડિયામાં જ ઈ-ર૦ જનતા પાર્ટીની ચળવળ શરૂ થઈ છે અને તેની માંગણી લોકોની ઉપર ફરજિયાત ર૦ ટકા ઈથોનોલવાળું પેટ્રોલ થોપવાના બદલે જેને ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલ જોઈતું હોય, તેને તેવો વિકલ્પ આપવાની માંગણી જ કરવામાં આવી છે, પરંતુ જો સરકાર સીજેપીની જેમ આની પણ અવગણના કરશે, તો કેજેપી પણ આમાં જોડાઈ જાય, તેવી સંભાવના રહે છે.
'એક્સ' પ્લેટફોર્મ પર ગઈકાલથી શરૂ થયેલી આ ઓનલાઈન ચળવળમાં પણ ઝડપભેર યુવાનો જોડાઈ રહ્યા હોવાથી આ નવું આંદોલન પણ દેશવ્યાપી બને અને તેના પડઘા સડકથી સંસદ સુધી પડે, તેવા સંજોગો જણાય છે, જો કે સીજેપી સામે ઘૂંટણિયા ટેકવવા પડ્યા અને મોદી શાસનમાં ૧ર વર્ષે કોઈ મંત્રીએ આંદોલનના કારણે રાજીનામું આપવું પડ્યું, તેથી ડરી ગયેલી સરકાર હવે 'દૂધનો દાજિયો છાસ ફૂંકી ફૂંકી ને પીવે' તે કહેવત મુજબ આજે જ ઈથોનોલ મરજિયાત કરીને શુદ્ધ ૧૦૦ ટકા પેટ્રોલનો વિકલ્પ જાહેર કરી દ્યે, તો નવાઈ જેવું નહીં હોય.
ધર્મેન્દ્રભાઈની અટક પ્રધાન રહી ગઈ, પરંતુ પ્રધાનપદુ છોડવું પડ્યું તેની પાછળ સરકારની જીદ્ કારણભૂત ગણાય છે. એવું નથી કે આઝાદ ભારતમાં વિદ્યાર્થી આંદોલન કે યુવા આંદોલનને કારણે કોઈએ સત્તા કે હોદ્દો છોડવો પડ્યો હોય, આ પહેલા પણ નવનિર્માણ આંદોલન, અનામત વિરોધી આંદોલન, પાટીદાર આંદોલન, જે.પી. આંદોલન, ભાષાના મુદ્દે થયેલા આંદોલનો તથા અલગ રાજ્યના મુદ્દે થયેલા આંદોલનો સહિતના ઘણાં દૃષ્ટાંતો છે જેમાં કોઈને કોઈ રાજ્યના મંત્રી કે મુખ્યમંત્રીનેે વિદ્યાર્થી યુવા આંદોલનોના કારણે રાજીનામા આપવા પડ્યા હતાં, જો કે તે સમયે છાત્ર આંદોલન અને યુવા આંદોલનો તરીકે ઓળખાતા આંદોલનોના સ્વરૂપ અને પદ્ધિત અલગ હતી તથા તે સમયે ઈન્ટરનેટ નહીં હોવાથી સંચાર તથા સંદેશા-વ્યવહારના માધ્યમો તથા રીતરસમો પણ અલગ જ હતી. તે સમયે પણ લાઠીચાર્જ અને પોલીસ ગોળીબારો થતા હતાં, કર્ફયુ લાગતા હતાં અને ઘણી વખત તો અર્ધસૈનિક દળો કે સેનાની મદદ પણ લેવી પડી હતી. તે સમયે ક્રાંતિ કે યુવા ચળવળ તરીકે ઓળખાતા આંદોલનોને આજે ઝી-ઝેડ અથવા ઝેન-ઝેડ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે અને તેને અટકાવવા કે દબાવવા ઈન્ટરનેટ બંધ કરવાના ઉપાયો પણ તંત્રો અજમાવતા હોવા છતાં તે ઝડપથી પ્રસરે છે.
આઝાદ ભારતમાં જેટલા વિદ્યાર્થી કે યુવા આંદોલનો થયા, તે છી જે-તે રાજ્ય કે કેન્દ્રમાં ટૂંક સમયમાં કે તે પછીથી સામાન્ય (જનરલ) ચૂંટણીઓ સત્તાપરિવર્તન થયા હોય તેવા મહત્તમ ઉદાહરણો છે, જેથી વર્તમાન સરકાર પણ ફૂંકી ફૂંકીને કદમ ઊઠાવી રહી છે, અને ગઈકાલે દેશના જુદા જુદા ક્ષેત્રોના વરિષ્ઠ, નિર્વિવાદ અને અનુભવી દિગ્ગજોને સાંકળીને પરીક્ષાઓના સંદર્ભે જીંદન નિલેકણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય ટાસ્કફોર્સની રચનાની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં એસ. સોમનાથ, વી. કામકોટિ, તપન ડેકા, અનીતા કરવાલ, અમૃતલાલ મીના વગેરેનો સમાવેશ કરાયો છે. આ સંદર્ભે તથા સરકારની પીછેહેઠને સાંકળીને આજે પણ સડકથી સંસદ સુધી જે પડઘા પડી રહ્યા છે, તે આપણી સામે જ છે.
શિક્ષણ ખાતું પ્રહ્લાદ જોષીને સોંપીને હજુ નીટ પેપરલીક અને પરીક્ષા પદ્ધતિ અંગે સરકારે કડક પગલાં ઊઠાવવાની શરૂઆત જ કરી, ત્યાં હવે ઈ-ર૦ જનતા પાર્ટી નામની નવી ઝુંબેશે એક તરફ તો સરકારમાં આંતરિક હલચલ મચાવી દીધી છે, અને આજે જ તેના સંદર્ભે સરકારનું વલણ સ્પષ્ટ થઈ જશે, તેવી અટકળો ગઈકાલથી જ થઈ રહી હતી.
બીજી તરફ જંતર-મંતર પર થયેલા લાઠીચાર્જ અને પોલીસ અત્યાચારના આરોપો સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી ઊઠી છે, તથા જો ઈથોનોલના મુદ્દે નીતિન ગડકરીને ઘેરવામાં આવશે તો મોદી સરકાર સામે ખૂબ જ મોટો પડકાર ઊભો થઈ શકે છે, તેવા ગઈકાલના પ્રત્યાઘાતો પછી આજે સરકાર અને વિપક્ષ વચ્ચે જે પ્રહાર-પ્રતિપ્રહારો થઈ રહ્યા છે, તે દર્શાવે છે કે આ વખતે મોદી સરકાર બરાબરની ઘેરાઈ રહી છે.
સીજેપી સામે સરકારની પીછેહઠ અને હવે ઈ-ર૦ જનતા પાર્ટીની ચળવળ પછી ગેલમાં આવે ગયેલા વિપક્ષો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજીનામું પણ માંગી રહ્યા છે, અથવા વડાપ્રધાન સંસદમાં આવીને દેશના વિદ્યાર્થીઓની માફી માંગે તેવી માંગણી ઊઠાવી રહ્યા છે. ટાસ્ક ફોર્સની રચનાને વિપક્ષી વક્તાઓ 'દેખાડો' અથવા 'નાટકબાજી' ગણાવી રહ્યા છે.
જો કે, ટાસ્કફોર્સની રચનાને બદલે કેટલાક વિપક્ષી નિવેદનોમાં આને શિક્ષણ સુધારણાની દિશામાં પ્રથમ કદમ ગણાવીને તેને છાત્રોની મોટી જીત પણ ગણાવી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આપણી એજ્યુકેશન સિસ્ટમને નવો આકાર દેવાની દિશામાં આ ફક્ત પ્રથમ કદમ છેે, છતાં મોટું કદમ છે. અખિલેશ યાદવે પણ આને વિદ્યાર્થીઓની જીત ગણાવી છે. ટૂંકમાં આ સંસદીય સત્ર મોદી સરકાર માટે પડકારરૂપ તો વિપક્ષો માટે નવા મુદ્દા આપનાર અવસર બની રહેલું જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ટાઢક થઈ અને ગઈકાલે લાંબા સમય સુધી ઝરમરિયો વરસાદ પડ્યો, તથા હાલાર સહિત રાજ્યભરમાંથી સારા વરસાદના અહેવાલો આવવા લાગ્યા ત્યારે લોકોના દિલેન ટાઢક વળી હશે, અને જગતના તાતને પણ રાહત પહોંચી હશે, કારણ કે આ વર્ષે 'અલનીનો' નામનો અવરોધ આવવાથી દુષ્કાળ પડશે, તેવી ચર્ચાઓ લાંબા સમયથી થઈ રહી હતી, અને ચોમાસું મોડું શરૂ થયું અને વરસાદ લંબાયો, તેથી તે આશંકાઓ ધીમે ધીમે ગભરાટમાં બદલી ગઈ હતી અને આ કુદરતી પ્રક્રિયાને સાયન્ટિફિક કન્ફર્મેશન મળતું હોય, તેમ જણાવ્યું હતું. અલનીનો અને લા નીનો નામની આ કુદરતી પ્રક્રિયાઓ થતી હોય છે, તે હકીકત છે અને તેવા દુષ્પ્રભાવો દુનિયાએ ભૂતકાળમાં પણ અનુભવ્યા છે, પરંતુ તેની સાથે સાથે અલનીનોની અસરો ઘટાડે કે લગભગ અટકાવી દ્યે, તેવી સિસ્ટમો પણ કુદરતે જ ભૂતકાળમાં ઊભી કરી છે, તેથી હવામાન વિજ્ઞાન અને તેના અનુમાનો પણ એક સ્વીકૃત હકીકત છે, તેથી આ કોઈ વિવાદનો વિષય નથી, પરંતુ સંકલન અને સમજદારીનો સબજેક્ટ છે.
અમદાવાદમાં એક નવો જ વિવાદ ઊઠ્યો છે. બન્યું હતું એવું કે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું હોવા છતાં બે દિવસ પહેલા અમદાવાદમાં અનરાધાર (મેઘતાંડવ જેવો) વરસાદ વરસ્યો અને મહાનગર જળબંબાકાર બની ગયું હતું, હજારો લોકો જ્યાં ત્યાં અટવાઈ પડ્યા હતાં અને અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.
આ કારણે રેડ એલર્ટ જેવી સ્થિતિ હોવા છતાં યલો એલર્ટ અપાતા તંત્રની આલોચના કરતા પ્રત્યાઘાતો પ્રગટ થવા લાગ્યા હતાં, અને તેના કારણે આગાહીઓ અંગે આશંકાઓ પણ ઊભી થવા લાગી હતી. એવું કહેવાય છે કે હવામાન ખાતાના સમર્થન અથવા બચાવમાં રાહત કમિશનરે સ્વીકાર્યું હતું કે, હવામાન વિભાગની આગાહીઓ એ અનુમાનો હોય છે જે સાંકેતિક માર્ગદર્શન જ હોય છે. વરસાદી સિસ્ટમમાં અચાનક તીવ્રતા વધી જતાં યલો એલર્ટ જેવી સ્થિતિ રેડ એલર્ટમાં બદલી ગઈ હતી અને ભારે વરસાદ પડ્યો હતો.
જો કે, રાહત કમિશનરના આ ચર્ચાઈ રહેલા નિવેદનની સાથે ઘણાં લોકો સંપૂર્ણપણે સહમત નહોતા અને આ કારણે આગાહીઓમાંથી લોકોની વિશ્વસનિયતા ઘટી કે હટી જાય, તો તેના કારણે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ શકે છે, તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રકારની દહેશતને પણ અવગણી શકાય તેમ નથી.
આજે હવામાન ખાતું કે પછી અન્ય નેશનલ-ઈન્ટરનેશનલ મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ્સ-એજન્સીઝ, વેધર ડિપાર્ટમેન્ટ્સ વિગેરે કાંઈ હવાહવાઈ અનુમાનો કરતા હોતા નથી. અદ્યતન મશીનરી, સેટેલાઈટ પિક્ચર્સ તથા અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી હવામાન તથા વરસાદની આગાહીઓ થતી હોય છે, તેથી તેને માત્ર 'અનુમાનો' કહીંને ગૌણ ગણવા કે હળવાશથી લેવાની જરૂર નથી અને કદાચ રાહત નિયામકનો એવો કોઈ ઈરાદો પણ નહીં હોય, પરંતુ ઘણી વખત અચાનક થતા કુદરતી ફેરફારોને કારણે આ પ્રકારના અનુમાનોમાં થોડો-ઘણો તફાવત આવે, તો તેને પણ સ્વીકારવો પડે. ઘણાં લોકો એટલું જ કહે છે કે કુદરત મહાન છે... માનવી ગૌેણ છે!
હકીકતે સાયન્સ અને શ્રદ્ધા, કુદરત અને કૌશલ્ય તથા સિસ્ટમ અને સૃષ્ટિ વચ્ચે સમન્વય અને સંકલન જરૂરી છે. આ બન્ને તરફના તથ્યો પરસ્પર વિરોધી કે પ્રતિસ્પર્ધી નથી, પરંતુ એકબીજાના પૂરક છે. સૃષ્ટિ સર્વોપરી છે, તો સાયન્સ સાર્વત્રિક છે. આ તમામ પરિબળોનો સર્જનહાર પણ શક્તિશાળી જ હશે ને? આ કારણે જ કોઈ કવિએ લખ્યું છે કે, 'જિસ કી રચના ઈતની સુંદર, વો ખુદ કિતના સુંદર હોગા?...'
આ વખતે અલનીનોના કારણે સૂકો દુષ્કાળ પડશે, તેવી દહેશત હતી, તેના બદલે લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ રાજ્યના ઘણાં જિલ્લાઓમાં ઊભી થઈ ગઈ છે, તેની પાછળ કેટલાક હવામાન નિષ્ણાતો એકથી વધુ વરસાદી સિસ્ટમ્સ ઊભી થવાના તથા પેટર્ન બદલવાના બદલાવને કારણભૂત માને છે, જ્યારે કેટલાક નિષ્ણાતો આવું થવા માટે પીડીઓ એટલે કે પેસેફિક ડિકેડલ એસિલેશનને પણ જવાબદાર ગણાવે છે. તે ઉપરાંત ઈન્ડિયન ઓસન ડિપોલ, એટલાન્ટિક મલ્ટિડિકેડલ ઓસિલેશન પણ કારણભૂત હોવાના મંતવ્યો ઘણાં વિશ્લેષણો તરફથી આવ્યા છે. આ બધા મંતવ્યો, અભિપ્રાયો અને સિસ્ટમોએ એ પૂરવાર કરી દીધુ છે કે કુદરત વિષે હન્ડ્રેડ પર્સન્ટ (૧૦૦ ટકા) સટિક અનુમાન કરવું મુશકેલ છે. બીજા અર્થમાં કહીએ તો કુદરત મહાન છે અને માનવીય જ્ઞાન સીમિત છે. પ્રકૃતિ અને પૃથ્વી પરના પરિબળો પણ કુદરતી છે અને તેમાં થતા રહેતા બદલાવો પણ નેચરલ જ છે. માનવી તો માત્ર તેની ઓળખ કરીને તેને જુદા જુદા નામ આપે છે, તથા તેનો ઊંડો અભ્યાસ કરીને તથા ભૂતકાળના અનુભવો તથા સંશોધનોના સંયોજન સાથે કેટલાક અનુમાનો કરે છે, તથા અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી અને સ્પેસ ટેકનોલોજીના સંયોજનથી આગાહીઓ કરે છે, તેથી એમ કહી શકાય કે પ્રકૃતિ પ્રમુખ છે અને માનવી તથા સાયન્સ-ટેકનોલોજી તેના પૂરક કે સહાયક નહીં, પરંતુ ઓળખ કરીને સ્વયં સુરક્ષા માટે સતર્ક રહેતા પરિબળો છે.
જામનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા ર૪ કલાક દરમિયાન ધીમી ધારે વરસાદ પડ્યો છે, તો ઘણાં સ્થળે ચાર-પાંચ ઈંચ સુધી પાણી પડ્યું છે, જ્યારે દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માત્ર ઝરમરિયો વરસાદ જ થયો છે, જો કે એકંદરે આ વરસાદે રાહત અને ઠંડક તો આપી જ દીધી છે.
જામનગર મહાનગરપાલિકાએ વરસાદી માહોલ વચ્ચે જન્માષ્ટમીના મેળાનો નિર્ણય લીધો અને સપ્ટેમ્બરના પ્રથમ ૧૧ દિવસ સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણિયા મેળાનું પ્લાનિંગ કર્યું, ત્યારે ભૂતકાળમાં મેળાઓ સમયે જ પડેલા વરસાદે મજા બગાડી હતી અને અવ્યવસ્થા સર્જાઈ હતી, તેને યાદ કરીને આ વખતે મેળા દરમિયાન વરસાદ પડે તો પણ કાદવ કીચડ ન થાય, અને અચાનક વરસાદ પડે તો મેળામાં મહાલતા લોકોને તત્કાળ આશ્રય મળે, તેવા સુવિધાજનક વિશાળ શેડ કે ડોમ ઊભા કરવાની જરૂર પણ જણાવાઈ રહી છે.
રાજ્યમાં જે શહેરોમાં ભારે વરસાદના કારણે હોડીઓ ચલાવવી પડી છે, ત્યાં ભૂતકાળમાં આનાથી પણ વધુ વરસાદ થતા પાણીનો કુદરતી નિકાલ થઈ જતો હતો, તેને યાદ કરાવીને જાણકારો કહે છે કે હવે તો ચાર-પાંચ ઈંચ વરસાદ પડે ત્યાં શહેરો જળબંબાકાર થઈ જાય છે અને અતિવૃષ્ટિમાં ઘણાં નગરો-મહાનગરોમાં હોડીઓ ચાલવા લાગે છે, તે આડેધડ થયેલા બાંધકામો તથા આધુનિક વિકાસના કારણે પાસ સડકો-પુલો-માર્ગોના કારણે વરસાદના પાણીને પૃથ્વીમાં ઉતરવાની જગ્યા જ રહી નહીં હોવાનું પરિણામ છે. હવે જે પૂર આવે છે તે અધિકત્તમ માનવસર્જિત જ કહી શકાય. વિકાસની દોડમાં વરસાદી પાણીના કુદરતી વહેણો જ બુરાઈ ગયા અને પૃથ્વીને પણ પાક્કા ડામર-સિમેન્ટથી મઢી દેવામાં આવી અને રહેણાંક વિસ્તારો વધતા ખેતીની તથા ખુલ્લી જમીનો ઘટી ગઈ, તે બધા કરતૂતોના આ દુષ્પરિણામો છે. જે હોય તે ખરૂ, રહી રહીને વરસાદ પડતા હવે રાહત થઈ... પ્રકૃતિનો જય હો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઘણાં દાયકાઓથી જિલ્લાકક્ષાએ કલેકટરના અધ્યક્ષસ્થાને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકો યોજાતી રહી છે, જેમાં ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓ તથા તંત્રના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ તથા તમામ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહે છે અને પ્રજાકીય પ્રશ્નો, જરૂરિયાતો, ફરિયાદો તથા રજૂઆતો પર ચર્ચા થાય છ. અને સૂચનો-અભિપ્રાયોની આપ-લે થાય છે તથા ચોક્કસ વિષયો પર સંબંધિત અધિકારીઓને તાકીદ પણ કરાવે છે, પરંતુ આ પ્રકારની બેઠકોમાં હાજર રહેતા અધિકારીઓ-પદાધિકારીઓને ખબર જ હશે કે કેટલીક રજૂઆતો, સૂચનો તથા ફરિયાદો લગભગ દરેક મિટિંગમાં લાંબા સમય સુધી 'રિપિટ' થતી રહે છે, અને તેનો ઉકેલ આવતો હોતો નથી. ઘણી વખત તો આ પ્રકારના 'રિપિટેશન' પછી બેઠક દરમ્યાન હળવી પળોમાં ટકોર થતી રહે છે કે પ્રશ્નોનો 'ઉકેલ' વર્ષોથી આવતો ન હોય તો આ પ્રકારની બેઠકોનો અર્થ શું ? આ તે કેવું સંકલન ?
લગભગ અઢી દાયકા પહેલા જયારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, અને પ્રશાસનિક ઘણાં ફેરફારો કરાયા હતા, તે સમયે વર્ષ ૨૦૦૩માં લોકોની ફરિયાદો ઓનલાઈન મેળવીને તેનો સમયમર્યાદામાં ઉકેલ લાવવાના ઉદૃેશ્યથી એક પોર્ટલ શરૂ કર્યું હતું, જેને જનફરિયાદ નિવારણ પોર્ટલ તરીકે ઓળખવામાં આવ્યું હતું. તે પછી આ કાર્યક્રમને "સ્વાગત" (સ્ટેટ વાઈડ એટેન્શન ઓન ગ્રિવાન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) ફરિયાદ નિવારણ નામ અપાયું હતું. તે પછી અત્યાર સુધી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી સ્વયં નાગરિકોની ફરિયાદો સાંભળીને તેના ઉકેલ માટે સ્થળ પરથી જ સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કરે છે.
રાજ્યકક્ષાનો આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાય છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ પૂર્વસૂચના વિના વીડિયોવોલનો ઉપયોગ કરીને મહેસાણા, કચ્છ, ભાવનગર વગેરે જિલ્લાઓના જિલ્લાકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરપ્રાઈઝ ડિજિટલ વિઝિટ લીધી હતી અને આ જિલ્લાઓના અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ જિલ્લાતંત્રોને ગૌચર જમીન પર દબાણ, ખેતરોમાં જવા-આવવાના માર્ગો, જમીન સંપાદન તથા પૂનર્વસનને લાગતા પડતર પ્રશ્નો ૧૫ દિવસથી એક મહિનામાં ઉકેલી નાંખવા તાકીદ કરી હોવાના અહેવાલો આવ્યા હતા.
એવા અહેવાલો પણ આવ્યા હતા કે તેમણે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો કે લોકોના પ્રશ્નોનો માત્ર કાગળ કે ફાઈલ પર "નિકાલ" નહીં, પરંતુ અરજદારોને સંતોષ થાય તેવો "ઉકેલ" આવવો જોઈએ, અને જો અરજદારોને સંતોષ ન થાય, તો આખરી ઉકેલ સુધીની જવાબદારી સંબંધિત અધિકારીઓની જ રહેશે.
જો આટલા વર્ષો પછી પણ રાજ્યના મુખ્યમંત્રીને આ પ્રકારની તાકીદ કરવી પડતી હોય તો એમ કહેવું ખોટું નથી કે આ કાર્યક્રમ તકલાદી છે અને જે પ્રશ્નોનો "નિકાલ" બતાવી દેવાતો હોય, તેમાં અરજદારોને સંતોષ થાય તેવો "ઉકેલ" જ ન આવ્યો હોય, તેવી પૂરેપૂરી સંભાવના રહે છે, અને તે કારણે જ આ પ્રકારની તાકીદો કરવી પડતી હશે.
એવું કહેવાય છે કે મુખ્યમંત્રી મૃદુ પણ છે અને મક્કમ પણ છે. જો આવું જ હોય તો તેઓએ સ્વાગત ફરિયાદ નિવારણ તથા સંકલન-ફરિયાદ સમિતિઓમાં ચાલતી લોલંલોલ અને પોલંપોલ સામે કોઈ એવું મજબૂત મિકેનિઝમ ઊભું કરવું જોઈએ, કે જેથી આ પ્રકારના લોકપ્રશ્નોના ઉકેલ માટે યોજાતા તમામ કાર્યક્રમો તથા ફરિયાદ-સંકલન સમિતિ જેવી મિટિંગોમાં રજૂ થતાં પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં "ઉકેલ" ન આવે, તો તેના માટે સંબંધિત તંત્રના સંબંધિત કર્મચારીથી લઈને તેના સર્વોચ્ચ અધિકારી સુધીની આખી પેનલને જવાબદાર ગણીને તેની સામે કડક કાર્યવાહી થઈ શકે. આ માટે આઈએએસ અને જીએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ વગેરે બ્યુરોક્રેટસને પણ "જવાબદારી"માં સાંકળવા જોઈએ.
આ પ્રકારની સમિતિઓ તથા કાર્યક્રમોમાં પ્રશ્નોનો "નિકાલ" કરવા માટે "આ પ્રશ્ન કેન્દ્ર, રાજય કે જિલ્લા કક્ષાનો છે,", "આ પ્રશ્ન સબજયુડિસ કે કોઈ સમિતિને આધિન છે", "આ પ્રશ્ન સુસંગત નથી કે પૂરતી માહિતી નથી" જેવા રિમાર્કસનો પ્રયોગ થતો હોય છે, જેને "ઉકેલ" નહીં પણ કાગળ પર "નિકાલ" જ ગણવો પડે ને ?
જુદા જુદા સરકારી વિભાગો અને ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા જિલ્લા-તાલુકા કે વિભાગીય કક્ષાએ "લોક દરબારો" યોજાતા રહે છે, અને તેમાં "નિડરતાપૂર્વક" પોતાના પ્રશ્નો રજૂ કરવા લોકોને આહ્વાન કરવામાં આવે છે. અખબાર-મીડિયાના માધ્યમથી ઘણી વખત એવી રાવ સંભળાતી હોય છે કે આ પ્રકારના લોક દરબારો માટે સામાન્ય જનતાના વાસ્તવિક અરજદારો કે પીડિતોની હાજરી ઓછી હોય છે અને ગણ્યા ગાંઠ્યા સ્થાનિક આગેવાનો બોલાવીને "ફોર્માલિટી" જ નિભાવવામાં આવે છે.
જો હકીકતે લોક દરબારો અથવા વિશેષ અભિયાનો, ડ્રાઈવ કે ઝુંબેશો સાર્થક નિવડતી હોય તો વ્યાંજકવાદીઓનો વ્યાપ કેમ વધતો રહે છે ? ગુંડાગીરી કેમ ફાલતી-ફૂલતી રહે છે ? સરકારી કામોમાં ભ્રષ્ટાચાર શા માટે પનપતો રહે છે ? તસ્કરો-સમડીઓ પર કાયમી અંકુશ કેમ આવતો નથી ? શહેરી અને શેરીઓમાં લૂખ્ખા તત્ત્વોની રંજાડ કેમ ખતમ થતી નથી ? તે પ્રકારના પ્રશ્નો પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયા તથા લોકચર્ચા દરમ્યાન ઉઠવા જ ન જોઈએ.
જો કે, આ પ્રયાસો પરંપરાગત સરકારી અને "હોતી હૈ, ચલતી હૈ", ની માનસિકતાના બદલે જ્યાં જ્યાં અત્યંત નિષ્ઠાપૂર્વક અને પૂરેપૂરી ઈચ્છાશક્તિ સાથે થાય છે, ત્યાં સારા પરિણામો પણ આવતા હોય છે, પરંતુ તેની ટકાવારી ઘણી જ ઓછી છે, તેથી મુખ્યમંત્રીશ્રીએ "પર્સનલ એટેન્શન" સાથે અસરકારક મિકેનિઝમ ગોઠવવું ઘણું જ જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પેેપરલીક મુદ્દે દિલ્હીના જંતરમંતરથી શરૂ થયેલું બિનરાજકીય ગણાવાતું આંદોલન હવે સડકથી સંસદ સુધી ગૂંજી રહ્યું છે, અને જામનગર સહિત જિલ્લે જિલ્લે વિપક્ષ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના અહેવાલો આવી રહ્યા છે. બીજી તરફ સુપ્રિમ કોર્ટે તો આ મુદ્દે તત્કાળ સુનાવણી કરવાની અસમર્થતા દર્શાવી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસ તથા કેન્દ્ર સરકારને નોટીસો ફટકારતા મોદી સરકાર હવે સડકો, સંસદ અને કાનૂની ક્ષેત્રે પણ આ મુદ્દે ઘેરાઈ રહેલી જોવા મળી રહી છે.
દિલ્હી હાઈકોર્ટમાં જંતરમંતર પર સરકાર વિરોધી આંદોલન કરી રહેલા વાંગચૂક તથા અન્ય પ્રદર્શનકારીઓને જબરદસ્તીથી હટાવવા તથા આંદોલનકારીઓ પર પોલીસના લાઠીચાર્જને ગેરબંધારણીય ગણાવ્યો અને બંધારણે આપેલા અધિકારો મુજબ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતાં, ત્યારે પોલીસે બર્બરતા કરી અને અમાનુષી લાઠીચાર્જ કર્યો તે અંગે દલીલો કરી હતી, તો કેન્દ્ર સરકારના આસિસ્ટન્ટ સોલિસિટર જનરલે આ અરજીઓ અદાલતમાં કરીને માત્ર પબ્લિસિટી સ્ટંટ કરવામાં આવી રહ્યો છે, અને અરજદારો પોતે પીડિતો નથી, ઉલટાનો પોલીસ પર પથ્થરમારો થયો હતો અને સંખ્યાબંધ પોલીસકર્મી ઘાયલ થયા હતાં તથા વાહનોમાં તોડફોડ થઈ હતી. હિંસા થતા પોલીસે ના છૂટકે જરૂરી કાર્યવાહી કરવી પડતી હોય છે.
જો કે, અદાલતોએ પોલીસની ભૂમિકા અંગે કેટલાક પ્રશ્નો ઊઠાવ્યા હતાં, અને પૂછ્યું હતું કે જો આંદોલનની મંજુરી લીધી નહોતી અને ગેરકાયદે મંડળી રચી હતી, તો તેને પહોંચી વળવા ચોક્કસ પ્રક્રિયા અનુસરવાના બદલે સીધો બળપ્રયોગ કેમ કર્યો? જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય, ત્યારે દરેક પીડિતોને અલગ-અલગ એફઆઈઆર કરવાનું કેવી રીતે કહી શકાય?
તે પછી અદાલતે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટીસો ફટકારી અને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો, તેથી સરકાર કાનૂની ક્ષેત્રે પણ ઘેરાઈ ગઈ છે. અદાલતે તમામ સીસી ટીવી કૂટેજ, ફોટોગ્રાફ્સ, વીડિયો રેકોર્ડીંગ વગેરે સુરક્ષિત રાખવાનો પણ આદેશ આપતા કાનૂની ક્ષેત્રે પણ આ લડાઈ લાંબી ચાલશે, તેમ જણાય છે.
સંસદમાં પણ બન્ને ગૃહોમાં વિપક્ષો હોબાળો કરતા રહ્યા અને સરકારના મંત્રીઓ હડિયાપટ્ટી કરતા રહ્યા. રાજ્યસભામાં ખડગેએ ચોખ્ખું કહી દીધુ કે પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પછી બીજી વાત... તો લોકસભામાં પણ હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓના મુદ્દે સંસદમાં ચર્ચા કરવામાં સરકારને રસ નથી, બીજી તરફથી સરકાર તરફથી દાવો થતો રહ્યો કે સરકાર તો ચર્ચા માટે તૈયાર છે, પણ વિપક્ષો નવા નવા બહાના કાઢીને સંસદની કાર્યવાહી જ ચાલવા દેતા નથી.
બીજી તરફ અન્ના હજારેએ વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું કે કોઈ એક મંત્રીના રાજીનામાથી સરકાર નબળી નહીં પડી જાય. યુવાવર્ગની ચિંતા દૂર કરવા સરકારને અનુરોધ કરતા અન્ના હજારેના પત્ર પછી સરકારને વધુ ક્ષોભ થવો જોઈએ...
ગઈકાલે સાંજે રાહુલ ગાંધીએ યોજેલી પ્રેસ કોન્ફરન્સ અને તેમાં રજૂ થયેલો સ્લાઈડ-શો, કેન્દ્રિય મંત્રી જે.પી. નડ્ડાએ યોજેલી પ્રેસ-કોન્ફરન્સમાં રજૂ થયેલું પેપરલીકનું ફ્લેશ બેક, સરકાર અને સીજેપી વચ્ચે થયેલી વાતચીત, વાંગચૂકે કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં ભૂખ હડતાલ સમાપ્ત કરવાની શરતી તૈયારી બતાવી હોવાનો દાવો તથા જંતરમંતર પર પુનઃ થયેલું હિંસક છમકલું વગેરે ઘટનાક્રમોને સાંકળતા એવું સમજાય છે કે હવે પેપરલીકનો મુદ્દો અને સીજેપીની ચળવળ બહુર્મુખી બની ગઈ છે, અને વિદ્યાર્થીઓના હિતોમાં સરકારની જીદ અને રાજકીય પક્ષોના હિતોનું મિશ્રણ થતા આ મુદ્દો હવે સંસદમાં પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે, જેથી સરકાર સંસદમાં પણ ઘેરાઈ ગઈ હોય તેમ જણાય છે.
ગઈકાલે જામનગરમાં કોંગ્રેસે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને પૂર્વ સાંસદ સહિતના કોંગી નેતાઓને અટકમાં લેવાયા, તેવી જ રીતે જિલ્લે-જિલ્લે દેશભરમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો થતા રહ્યા, તો ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ પણ રાહુલ ગાંધીએ પી.એમ. હાઉસ સામે કરેલા ધરણાંના વિરોધમાં કોંગ્રેસ કાર્યાલયો સામે દેખાવો કર્યા. આ કારણે ઠેર-ઠેર ઘર્ષણ થયું અને બન્ને તરફના કાર્યકરો વચ્ચે ઘણાં સ્થળે હિંસક અથડામણો થઈ, અને તેને નિયંત્રણમાં લેવામાં સ્થાનિક તંત્રોના નાકે દમ આવી ગયો. આ કારણે સડકો પર પણ રાજ્યોથી રાજધાની સુધી કેન્દ્ર સરકાર માટે પડકારરૂપ પરિસ્થિતિ હતી.
આમ, સડકથી સંસદ, હોસ્પિટલોથી પોલીસ સ્ટેશનો, અદાલતથી સરકારી કાર્યાલયો અને રાજ્યોથી રાજધાની સુધી છાત્ર આંદોલનની ગૂંજ ગઈકાલે એવી ઊઠી હતી કે સડકથી સંસદ સુધી તેના ઘેરા પડઘા પડ્યા હતાં, જે કેન્દ્ર સરકાર સામે જબરો અસંતોષ તથા આક્રોશ દર્શાવે છે. આ ગૂંજ દેશભરમાં પડઘાઈ રહી છે અને રાજ્યોથી દેશની રાજધાની સુધી સરકારને હચમચાવી રહી છે. તેમાં હવે અન્ના હજારેએ પણ ઝંપલાવતા સરકાર ભીંસમાં જણાય છે.
ગત્ રાત્રે પણ જંતરમંતર પર હિંસા થઈ અને પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો પછી એવી આશંકા પણ જાગે છે કે વિદ્યાર્થીઓ સાથે કોઈ અસામાજિક તત્ત્વો તો ભળી ગયા નથી ને? શાંત આંદોલનને તોડી પાડવા કે ડહોળવાનો કિમિયો તો નથી ને? વિવિધ રાજકીય પક્ષોની વિદ્યાર્થી-પાંખો સિવાય અન્ય સામાન્ય વિદ્યાર્થીઓ કેટલા પ્રમાણમાં જંતરમંતર પર જોવા મળે છે? આ આંદોલનના મુદ્દે એવીબીપીનું વલણ કેવું છે? આ બધા સવાલો વચ્ચે આજે સંસદમાં જે કાંઈ બની રહ્યું છે, તે જોતા હવે ઉભય પક્ષો જીદ્ છોડીને સંસદ ચાલવા દેવી જોઈએ, તેવો સામાન્ય જનમત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સ્વ. પૂ. રતિલાલ દેવચંદ માધવાણી
વૈકુંઠવાસ તા. રર-૭-૧૯૮૭
ગુજરાતના સર્વપ્રથમ સાંધ્ય દૈનિક 'નોબત'ના આદ્યસ્થાપક અમારા સૌના પથદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા પૂ. રતિલાલભાઈ માધવાણીની આજે પુણ્યતિથિ છે.
તા. રર જુલાઈ, ૧૯૮૭ ના દિવસે માધવાણી પરિવારને કુઠારાઘાત લાગ્યો હતો, જ્યારે તેઓએ અનંતયાત્રાની વાટ પકડી હતી અને વૈકુંઠગમન કર્યું હતું. એ દિવસે 'નોબત' પરિવાર શોકગ્રસ્ત હતો, તો સમગ્ર હાલારમાં ગમગીની છવાઈ હતી, કારણ કે રતિલાલભાઈએ જન-જનના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.
સ્વ. રતિલાલભાઈ માધવાણી લોકોના હૃદયમાં વસવાટ કરતા હતાં, કારણ કે તેઓએ હંમેશાં સામાન્ય જનતાના અવાજને વાચા આપી હતી અને કોઈપણ ચમરબંધીની શેહ શરમ રાખ્યા વગર તથા પાપી પરિબળો તથા એન્ટી-સોશિયલ એલિમેન્ટ્સથી ડર્યા વગર પત્રકારિત્વ કર્યું હતું. તેઓ એવા નિડર પત્રકાર હતાં, જેઓએ લઘુઅખબારમાં પણ તેજીલી કલમથી ભલભલાના આસનો ડોલાવ્યા હતાં અને દિગ્ગજોને દર્પણ દેખાડ્યું હતું. તેઓ ખૂબ જ સંવેદનશીલ, કોમળ અને લાગણીપ્રધાન હતાં, પરંતુ અન્યાય, અવ્યવસ્થા કે અવળચંડાઈ કરનારાઓ સામે ખૂબ જ કડક અને મજબૂત વલણ ધરાવતા હતાં. તેઓ અવારનવાર ગામડાઓનો પ્રવાસ કરીને લોકોની વેદના સમજીને તેને વાચા આપતા હતાં, તેથી તેઓ હાલારીઓના હૈયે વસેલા હતાં.
તેઓ નિડર પત્રકારની સાથે સાથે સમકાલીન તથા ઐતિહાસિક વિષયોના અભ્યાસુ અને સાચા સાહિત્યકાર પણ હતાં. તેઓની કલમમાં પત્રકારિત્વ તથા સાહિત્યકલાનું મિશ્રણ જોવા મળતું હતું.તેઓના સાહિત્યસર્જનમાંથી માનવતા, ખુમારી અને ન્યાયપ્રિયતાની સાથે સાથે જી.કે. અને ઐતિહાસિક, રાજનૈતિક તથા આર્થિક જ્ઞાનવર્ધન કરતા વિવરણો પણ પ્રગટતા હતાં, અને તેઓના પોતાના અભિપ્રાયોમાંથી પવિત્રતા અને પ્રામાણિક્તા ટપકતી હતી. તેઓએ જામનગરની યશગાથા, મહાગુજરાતની યશગાથા જેવા ગ્રન્થો લખ્યા હતાં, જે આજે લગભગ અપ્રાપ્ય છે. તે ઉપરાંત આઝાદી પહેલાના સમયગાળામાં પણ તેઓએ 'લોહાણા મહાજનો' નામનો ગ્રન્થ લખ્યો હતો, અને 'બંડખોર' નામની નવલકથા પણ લખી હતી. તે ઉપરાંત 'મહાજનો', 'કસુંબીનો રંગ', 'ફટાકડા' વગેરે પુસ્તકો પણ તેઓએ લખ્યા હતાં. તેઓના પુસ્તકો અત્યારે કોઈ જુની લાઈબ્રેરીઓમાં સચવાયેલા હોઈ શકે, પરંતુ તેઓના આ સંભારણા આજે પણ અમોને પ્રેરણા આપી રહ્યા છે.
તેઓ પત્રકારિત્વ, સાહિત્યસર્જન ઉપરાંત સમાજસેવાના પણ ભેખધારી હોવાથી તેેઓમાં કલા, સાહિત્ય અને સેવાનો ત્રિવેણી સંગમ રચાયો હતો, જેને પત્રકારિત્વની રાહે પ્રવાહ મળ્યો હતો, તેમ કહી શકાય.
પૂ. ભાઈ પ્રથમ દૃષ્ટિએ કડક મિજાજી અને મોઢામોઢ સત્ય કહી દેતા હોવાથી કઠોર સ્વભાવના જણાતા, પરંતુ નજીક ગયા પછી તેઓની સંવેદનશીલતા, સ્નેહ, લાગણીશીલતા અને અણીશુદ્ધ માનવતાનો પરિચય થતો. તેઓ દીનદુઃખિયાના બેલી હતાં, તથા કોઈપણ કુદરતી આફતો, યુદ્ધનો સમય, રોગચાળાનો પ્રકોપ કે જનતાની સમસ્યા-પીડિતોની પરેશાની હોય ત્યારે તેઓ હંમેશાં અખબારના માધ્યમથી તથા વ્યક્તિગત રીતે પણ સમાજસેવા, દેશસેવા અને જનસેવાને જ પ્રાધાન્ય આપતા હતાં.
તેઓએ ટાંચા સાધનો, પારિવારિક જવાબદારીઓ અને અનિષ્ટ પરિબળોના પડકારો સામે લડતા હતાં. મજબૂતીથી સિંચેલું 'નોબત' સાંધ્ય અખબાર તરીકે વટવૃક્ષ બન્યું છે. 'નોબત' સાંજની સોબતની ઉક્તિ હવે ડિજિટલ પણ બની ગઈ છે. લોકલથી ગ્લોબલ સુધીના તમામ સમાચારો, ઉપરાંત વિવિધાસભર લેખો, સંગત વિભાગ, ખ્યાતનામ લેખકોના આર્ટિકલ્સ, વિશેષ સાપ્તાહિક-લેખો, ભવિષ્ય, જ્યોતિષ, ચિરવિદાય, રોજ-બ-રોજના ગામડાઓથી લઈને દુનિયાભરના સમાચારો, ભાવપત્રકો, સામાજિક-આર્થિક અને રાજકીય પ્રવાહો, રોજ-બ-રોજની પ્રવૃત્તિઓ તથા ઘટનાક્રમો, ક્રાઈમ અને દૈનિક પંચાંગ સહિતની વિવિધાસભર વાચન સામગ્રી પીરસતું 'નોબત' આ તમામ વિષયોના યૂ-ટ્યુબના માધ્યમથી વીડિયો સમાચાર, વિશેષ ઈન્ટરવ્યૂ, વ્હોટસ એપ ગ્રુપમાં બ્રેકીંગ ન્યૂઝ, તસ્વીરકથાઓ, વેબસાઈટ, ઈ-પેપર તથા સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી સાત-સમંદર પાર પહોંચ્યું છે અને દેશ-વિદેશમાં ગુજરાતીઓનું માનીતુ બન્યું છે, તે મજબૂત બુનિયાદ રાખીને તેનું સિંચન કરાવનારા સ્વ. પૂ. રતિલાલભાઈ માધવાણી તથા તેઓની કંડારેલી કેડીએ ચાલનાર માધવાણી પરિવાર તથા 'નોબત' પરિવારને તથા ત્રણેય પેઢીઓને સાંકળતા 'નોબત' ગ્રુપને આભારી છે.
દાયકાઓ વિતી ગયા, સમય બદલાયો, સદી બદલાઈ ગઈ છતાં વીસમી સદીના એ મહામાનવની પ્રેરણા અને પથદર્શન આજે ર૧ મી સદીમાં પણ ઉપયોગી બની રહ્યું છે, તે અમારા સદ્ભાગ્ય છે.
કુદરની ઘટમાળ અને ઈશ્વરની ઈચ્છા સર્વોપરિ છે, તે સ્વીકારીને આપણે પૂ. રતિલાલભાઈએ 'નોબત' તથા પત્રકારિત્વ, સાહિત્ય સર્જન અને સમાજસેવા માટે જીવન ખપાવ્યું તેમાંથી પ્રેરણા લઈએ અને તેઓની પુણ્યતિથિ નિમિત્તે તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ...
જામનગર,
તા. રર-૭-ર૦ર૬
- માધવાણી પરિવાર
- નોબત પરિવાર
ગઈકાલે જંતર-મંતર અને તે પછી સંસદ ભવન નજીક જે કાંઈ થયું, તે દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનિય ઘટનાક્રમો હતાં, અને કોઈ ઊંડુ રાજકારણ ખેલાઈ રહ્યું હોય, તેવા સંકેતો મળી રહ્યા હતાં. દેશની રાજધાનીમાં સડકથી સંસદ સુધી જાણે સંગ્રામ ચાલી રહ્યો હોય, તેવો આભાસ થતો હતો અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો તથા નિવેદનબાજીના ઘોડાપૂર આવ્યા હતાં. નેતાઓની નિવેદનબાજી, તંત્રોના તિક્કડમ્ અને સાચા-ખોટા દાવા-પ્રતિદાવાઓની આંધી વચ્ચે લોકતંત્ર જ જાણે અટવાઈ ગયું હોય અને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં જ લોકશાહી જાણે કોઈ ભૂલભૂલામણીમાં અટવાઈ ગઈ હોય તેવા દૃશ્યો ખડા થયા હતાં, તો વ્યંગવાણી તથા સણસણતા સવાલોના કારણે સ્વયં રાજનીતિ જ રણે ચડી હોય, તેમ જણાતું હતું.
ગઈકાલે સંસદના સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને જે સંબોધન કર્યું, તેના કેટલાક શબ્દપ્રયોગો ઘણાં જ સૂચક હતાં, તો કેટલીક વ્યંગોક્તિઓ પણ પડઘાઈ હતી. વડાપ્રધાને હૈદ્રાબાદના સ્કાઈરૂટ એરોસ્પેસ દ્વારા વિક્રમ-૧ ના સફળ પરીક્ષણની પ્રશંસા કરીને આ સિદ્ધિ મેળવનારી ટીમના સભ્યોની સરેરાશ ઉંમર માત્ર ર૮ વર્ષની હતી, તેની વાત કરતા કહ્યું કે, 'હું કોઈ પ૬ વર્ષના નૌજવાનોની વાત કરી રહ્યો નથી, પરંતુ દેશના ર૮ વર્ષના યુવાઓની વાત કરી રહ્યો છું, જેમણે અંતરીક્ષમાં ભારતનો ધ્વજ ફરકાવ્યો છે...'
આ શબ્દપ્રયોગો અને વ્યંગોક્તિ કોંગીનેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરવા માટે જ વડાપ્રધાને અજમાવી હોવાની ચર્ચા, રાજનૈતિક ગલિયારાઓમાંથી પ્રગટી અને પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ અને તેની સાથે સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કરેલા આક્ષેપોના વીડિયો પણ વાયરલ થવા લાગ્યા.
દિલ્હીમાં સીજેપીના આંદોલનને કચડી નાંખવાની નીતિ મોદી સરકારે અપનાવી હોવાની આલોચના વિપક્ષી વર્તુળોએ કરી છે. કોંગી નેતા રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઝાદ ભારતના ઈતિહાસના સૌથી વધુ યુવા વિરોધી વડાપ્રધાન છે. તેમણે કહ્યું કે, શિક્ષણના મુદ્દે અવાજ ઊઠાવનારાઓ પર લાઠીચાર્જ કરવાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, દેશમાં ૧પર પેપરલીક થયા, સાડાસાત કરોડ વિદ્યાર્થીઓ તેનાથી પીડિત બન્યા, પરંતુ એક પણ ગુનેગારને સજા થઈ નથી. પેપરલીક કરનારા અપરાધીઓ આઝાદ ઘૂમી રહ્યા છે, જ્યારે વાજબી મુદ્દાઓ ઊઠાવીને અવાજ ઊઠાવનારા વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને ઢસડવામાં આવે છે, મારવામાં આવે છે, સરકાર યુવાવર્ગ પર અત્યાચાર કરી રહી છે વિગેરે...
રાહુલે તો ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન એટલા યુવા વિરોધી છે કે તેઓ નિષ્ફળ ગયેલા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લઈ શકતા નથી!
શાસક પક્ષના પ્રવક્તાઓ તેનો જવાબ એવી રીતે આપી રહ્યા છે કે, આ પ્રકારના નિવેદનો રાહુલ ગાંધીની નિરાશા દર્શાવે છે અને કોંગ્રેસ વિદ્યાર્થીઓના મુદ્દે પોતાની રાજનીતિ ચમકાવવા માંગે છે. ખુદ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને આઝાદ ભારતના સૌથી વધુ યુવાવિરોધી ગણાવતા હોય, તો તેનો મતલબ એવો થાય કે ભૂતકાળમાં અન્ય વડાપ્રધાનો પણ યુવાવિરોધી તો હતાં જ... તેમાંથી કોંગ્રેસના કેટલા હતાં?
ભાઈની સાથે બહેન પ્રિયંકા ગાંધી વડેરાએ સીજેપીના કાર્યકરો પર બીજેપીની સરકારે લાઠીચાર્જ કરાવ્યો હોવાનો આક્ષેપ કરીને કહ્યું કે, સરકારે આવું કરવાના બદલે નિષ્ફળ નીતિઓ તથા બિનકાર્યક્ષમતાનું આત્મમંથન સરકારે કરવું જોઈએ. પહેલા નીટનું પેપરલીક થયું, અને હવે રિ-નીટની પરીક્ષામાં પણ ગરબડ થઈ હોવાના અહેવાલો વહેતા થયા છે. એવો દાવો કરાયો હતો કે હવે પરીક્ષા પદ્ધતિ પર વડાપ્રધાન સ્વયં દેખરેખ રાખશે, પરંતુ તેમ છતાં વારંવાર પેપરલીક થાય, તો શું સમજવું?
પ્રિયંકા ગાંધીએ એવી માંગણી પણ ઊઠાવી કે સંસદમાં આ તમામ મુદ્દે વિગતવાર ચર્ચા થવી જોઈએ, અને દેશના કરોડો યુવાઓની પરેશાની સાંભળીને વડાપ્રધાને તેનો જવાબ આપવો જ જોઈએ.
વડાપ્રધાને રાહુલ ગાંધી પર કરેલો કટાક્ષ તથા ગાંધી બ્રધર-સિસ્ટર (રાહુલ-પ્રિયંકા) ના તીખા તમતમતા નિવેદનો જોતા એવું લાગે છે કે સીજેપીની સામે બીજેપીના સંઘર્ષનો રાજકીય ફાયદો વિપક્ષોને થઈ રહ્યો છે. બીજી તરફ એવી અટકળો પણ છે કે આ એક ઊંડુ રાજકારણ છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ભાજપની એક વધુ 'બી' ટીમ ચાલાકીપૂર્વક ઊભી કરવામાં આવી રહી છે, જે મજબૂત બને અને યુવાવર્ગમાં લોકપ્રિય બને તો ભાજપ વિરોધી અને મોદીવિરોધી મતોમાં ભાગ પડાવે, જેનો સીધો ફાયદો પંજાબમાં ગુપ્ત રીતે આકાર પામી રહેલા ભાજપ-અકાલીદળ સંભવિત ગઠબંધન તથા કોંગ્રેસના એ અસંતુષ્ટોને થાય, જેઓ હાઈકમાન્ડથી નારાજ છે અને વાડ ઠેકવા (પક્ષપલટા) ની તૈયારીમાં છે!
ગઈકાલે જંતર-મંતર પર અભિજિત દીપકે બેભાન થયા, તો વાંગચૂકે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની ખબર સાંભળ્યા પછી ઉપવાસ ચાલુ રાખ્યા, તેના કારણે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચેનો સંઘર્ષ વધ્યો છે, તો રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓના હક્કોની વાત કરી છે. તેમણે લખ્યું હતું કે, શાંતિપૂર્ણ વિરોધ એ એક અકબંધ અને મૌલિક અધિકાર છે. વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના આદેશોનું આંખો બંધ કરીને પાલન કરનારા દરેક પોલીસ અધિકારી અને સરકારી કર્મચારી એ વાત ધ્યાનમાં રાખે કે સંવિધાન જ તમારો માલિક છે-સત્તા કાયમ માટે રહેતી નથી. જવાબદારી ચોક્કસપણ નક્કી કરવામાં આવશે. રાહુલ ગાંધીના આ નિવેદનમાં જવાબમાં પણ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે ક આ જ દિલ્હીમાં અડધી રાતે રામદેવ મહારાજ અને શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા હજારો લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, ત્યારે સંવિધાન યાદ ન આવ્યું? બીજી તરફ વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજોએ પણ વિદ્યાર્થીઓના આંદોલનને કચડવાની રીતરસમો સામે વિરોધ વ્યક્ત કર્યો છે, તેથી સરકાર બેકફૂટ પર જણાય છે.
સૌથી વધુ વિવાદ એ વાતનો છે કે જંતર-મંતર પર લાઠીચાર્જનો દિલ્હી પોલીસ ઈન્કાર કરી રહી છે, અને પથ્થરમારામાં સંખ્યાબંધ જવાનો ઘાયલ થયા હોવાનું જણાવી રહી છે, તો આંદોલનકારીઓ અને વિપક્ષો સરકારના ઈશારે આંદોલનકારીઓ પર પોલીસે જંતર-મંતર પર લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કરીને પોલીસ આંદોલનકારીઓ પર લાઠીયો વીંઝતી હોય, તેવા દૃશ્યો વાયરલ થઈ રહ્યા છે, જેના જવાબમાં એવું કહેવાઈ રહ્યું છે કે, એ દૃશ્યો જંતર-મંતરના નથી, પણ સંસદ પાસે બેરીકેડિંગ તોડીને ઘૂસવાના પ્રયાસો થયા, તે સમયના છે. આ બધા વિવાદો વચ્ચે જનતા પૂછી રહી છે કે મોંઘવારી, બેરોજગારી, આ વર્ષે વરસાદની અસમાનતાના કારણે ઊભી થનારી સ્થિતિ, વગેરેની સંસદમાં ચર્ચા ક્યારે થશે? એક મંત્રીનું રાજીનામું લેવાથી સ્થિતિ શાંત થતી હોય તો સરકારે જીદે ન ચડવું જોઈએ વિગેરે...
હકીકતે દાનચોરી તથા હોર્મુઝ તથા અન્યત્ર ભારતીય જહાજો પર થતા હુમલામાં ભારતીયોના મૃત્યુ જેવા મુદ્દાઓમાં કેન્દ્ર સરકાર ઘેેરાયેલી હોઈ, તે મુદ્દાઓ દબાઈ જાય અને સરકાર જે નક્કી કર્યા છે, તે બિલો બન્ને ગૃહોમાંથી હોબાળા વચ્ચે પણ પસાર થાય, તેવી રણનીતિ હેઠળ સરકારને પણ આ પ્રવર્તમાન સંજોગો અને સ્થિતિ સૂટ કરતી (અનુકુકળ આવતી) હોય તેમ જણાય છે, અને લોકશાહી કોઈ ભૂલભૂલામણીમાં અટવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે નગરથી નેશન સુધી જામનગરના નાનકડા એવા વિભાપર ગામની દીકરી પૃથ્વીએ મેળવેલી સિદ્ધિની ચર્ચા થઈ રહી છે અને આ ચર્ચાની ગૂંજ પૃથ્વીથી અંતરીક્ષ સુધી પડઘાઈ રહી છે. પૃથ્વીએ વિભાપર, જામનગર જિલ્લો, હાલાર, સૌરાષ્ટ્ર અને રાજ્ય સાથે દેશનું ગૌરવ વધાર્યું છે અને ભારતે કરેલા પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ માં કંટ્રોલ સિસ્ટમ લીડર તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવીને મહિલા સશક્તિકરણ સાથે 'મન હોય તો માળવે જવાય'ની માન્યતાને પણ સાર્થક કરી છે.
પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ માટેે ખૂબ જ જટિલ ગણાતી ઓટોપાયલોટ સિસ્ટમને સ્વયં ડિઝાઈન કરીને વિક્સાવી હતી. આ સિસ્ટમ રોકેટને અંતરિક્ષમાં ચોક્કસ દિશા અને સંતુલન (બેલેન્સ) જાળવી રાખવામાં મદદ કરે છે.
આ સિદ્ધિ બદલ પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયામાં અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે, અને સ્થાનિક જનપ્રતિનિધિઓથી લઈને વડાપ્રધાન સુધીના દિગ્ગજો તથા જિલ્લા તંત્રથી લઈને સ્પેસ સેક્ટર સાથે સંકળાયેલા સાયન્ટિસ્ટો અને તજજ્ઞો સુધીના લોકોએ અભિનંદન સાથે પૃથ્વીની પોતાની કોઠાસુઝ અને પરિશ્રમનેે પણ બીરદાવ્યા છે, અને તેના દ્વારા જ પૃથ્વીની કેટલીક નોંધપાત્ર સિદ્ધિઓની ચર્ચા પણ થઈ રહી છે.
તદ્નુસાર, પૃથ્વીએ ડીઆઈએટી એટલે કે ડિફેન્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી પૂણેમાંથી 'ગાઈડેડ મિસાઈન્સ' સ્પેશલાઈઝેશન સાથે માસ્ટ ઓફ ટેકનોલોજી (એમ.ટેક) ની ડીગ્રી મેળવી હતી. તે પહેલા તેણીએ આત્મીય ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી એન્જિનિયરીંગની ડીગ્રી મેળવી હતી. તેણીની સાથે ભણેલા તથા કામ કર્યું હોય તેવા સહાધ્યાયીઓના ફીડબેક પણ ચર્ચાઈ રહ્યા છે અને તેણીની વિશેષતાઓના ચોતરફ વખાણ થઈ રહ્યા છે. તેણી એનએનસી એટલે કે ગાઈડેન્સ, નેવિગેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગની નિષ્ણાત છે. નાની ઉંમરેથી જ નિપુણ પૃથ્વીએ જટિલ ટેકનોલોજીનો ગહન અભ્યાસ કર્યો છે, અને ડિફેન્સ તથા સ્પેસના બન્ને ક્ષેત્રોમાં તેણીની માસ્ટરી છે. તેણીએ જામનગરમાં હાઈસ્કૂલ કક્ષાનું શિક્ષણ મેળવ્યા પછી આ સિદ્ધિઓની હારમાળા સર્જી છે.
પૃથ્વી એક નાનકડા ગામના મધ્યમવર્ગિય પરિવારમાંથી ડીઆરડીઓ અને સ્પેસટેક સ્કાઈરૂટ એરોસ્પેસ સુધી પહોંચી છે. તે બદલ 'નોબત' પણ તેણીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
ભારતે હૈદ્રાબાદની અંતરીક્ષ સ્ટાર્ટ-અપ કંપની સ્કાયરૂટ એરસ્પેસ દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-૧'નું શ્રીહરિકોટાસ્થિત સતીશધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી સફળ પરીક્ષણ કર્યું, તેથી આપણો દેશ ખાનગી ક્ષેત્ર દ્વારા સ્પેસમાં પેલોડ સ્થાપિત કરનારો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. આ પહેલા આ સિદ્ધિ માત્ર અમેરિકા અને ચીને જ મેળવી હતી, અને હવે ભારત પણ આ ક્લબમાં જોડાઈ ગયો છે, જે દેશ માટે ગૌરવ તથા આપણાં દેશના સ્પેસ સાયન્ટિસ્ટો અને એન્જિનિયર્સ, સ્પેસ, ટેક-ડિઝાઈનરો માટે પણ ખૂબ જ ગરિમાપૂર્ણ ઉપલબ્ધિ છે. આ 'પૃથ્વી' પર 'સ્પેસ' સુધીની ગૌરવયાત્રામાં આપણા જિલ્લાની દીકરીએ મુખ્ય અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હોય, ત્યારે દરેક હાલારીઓ અને ગુજરાતીઓની છાતી પણ ગજ ગજ ફૂલે... કોંગ્રેચ્યુલેશન!
જામનગરમાં તાજેતરમાં ભારત ટેક્સી ચાલુ થઈ છે, તે ઉપરાંત સહકાર ક્ષેત્ર દ્વારા જ હવે કાર્ગો-ટ્રાન્સપોર્ટેશન (માલસામાનના પરિવહન) માટે સહકારી ક્ષેત્રની પોતાની ટ્રાન્સપોર્ટેશન ચેનલ ઊભી કરવાની સંભાવનાઓ પણ ચકાસાઈ રહી હોય, અને આ પ્રકારની પ્રવર્તમાન પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની દિશામાં સહકાર વિભાગ આગળ વધી રહ્યો હોય, તો તે આવકાર્ય ગણાય. જેવી રીતે સ્થાનિક પરિવહન કરતા વાહનો માટે 'કેબ' શબ્દ વપરાય છે, તેવી જ રીતે સ્પેસ સાયન્ટિસ્ટો, સ્પેસ એડવેન્ચર્સ તથા સ્પેસ ટુરિઝમની દિશામાં પણ દુનિયા આગળ વધી રહી છે, જેને 'સ્પેસ કેબ' કહેવાય છે.
વિક્રમ-૧ પણ આ પ્રકારની સ્પેસ કેબ છે, જે દુનિયાભરના નાના નાના ઉપગ્રહોને (ડિમાન્ડ મુજબ) અંતરીક્ષમાં પહેંચાડશે. અંતરીક્ષમાં ફેલાયેલા બિનઉપયોગી પદાર્થો (કચરા) ની સાફસુફી કરીને તેનો નિકાલ કરવાના ઉપયોગનું સંશોધન પણ કરશે. મુખ્ય કામ વૈશ્વિક સ્પેસ માર્કેટનો હિસ્સો બનીને વિવિધ કંપનીઓ કે સેક્ટરો પાસેથી કોમર્શિયલ ઓર્ડર મેળવીને નાના નાના ઉપગ્રહો લોન્ચ કરવાનું હશે, તેવા તારણો તદ્વિષયક ચર્ચાઓ તથા અહેવાલોમાંથી નીકળે છે.
વિક્રમ-૧ આગામી સમયમાં ૩પ૦ કિલોગ્રામ વજન સુધીનું વજન ધરાવતા ઉપગ્રહો પૃથ્વીની નીચલી કક્ષા (લો અર્થ ઓરબીટ) માં સ્થાપિત કરશે. તે પછી વિક્રમ-૧ (યુ) પપ૦ કિ.ગ્રા. સુધીનું વજન વહન કરવાની ક્ષમતા મેળવી લેશે. ભવિષ્યમાં આ જ કંપની વિક્રમ-ર અને વિક્રમ-૩ દ્વારા ૯૦૦ કિ.ગ્રા. સુધીની ક્ષમતા મેળવી લેશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જે એક અનોખી સિદ્ધિ હશે.
લોકોમાં એવી ચર્ચા પણ છે કે ખાનગી કંપનીઓ આ પ્રકારની સ્પેસ સિદ્ધિઓ મેળવે, તેમાં તો તે ખાનગી કંપનીઓના, હિતોને જ પ્રાધાન્ય આપશે, પરંતુ તેથી દેશને અને જનતાને કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ફાયદો થશે ખરો?
આ પ્રકારના પ્રશ્નો સ્વાભાવિક રીતે જ ઊઠે, કારણ કે 'દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે' તે કહેવત મુજબ કેટલાક કટુ અનુભવોના કારણે આ પ્રકારના પ્રશ્નો પબ્લિકમાં ઊઠતા હોય છે.
આ પ્રશ્નોનો જવાબ પણ અપાઈ રહ્યો છે. આ રીતે અમેરિકા અને ચીન પછી ભારત પણ આ ક્ષમતા હાંસલ કરીને પ્રાઈવેટ સેક્ટરને પ્રોત્સાહિત કરશે, તો સૌથી મોટો ફાયદો એ છે કે ગ્લોબલ સ્પેસ માર્કેટમાં ભારતનો દબદબો વધશે, અને આ સિદ્ધિ મળ્યા પછી મહાસત્તાઓની હરોળમાં ભારતની આગેકૂચને વેગ મળશે.
શ્રેણીક્ષદ્ધ નાના-નાના સેટેલાઈટ્સ વિક્રમ-૧, ર, ૩ દ્વારા અંતરીક્ષમાં ગોઠવાયા પછી આપણા દેશના દૂર દૂરના અંતરિયાળ વિસ્તારો, પહાડી ક્ષેત્રો, રણક્ષેત્રો અને દુર્ગમ વિસ્તારો સુધી સસ્તુ અને હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડી શકાશે.
આ જ રીતે વરસાદની આગાહીઓ, વાવાઝોડા, કુદરતી આફતો અને ભારે પૂરની ક્ષણભરમાં માહિતી મળી જતા તત્કાળ જાન-માલનું રક્ષણ કરવું શક્ય બનશે. એટલું જ નહીં, જમીન વિષયક સટીક ડેટા મળતા ખેત ઉત્પાદન વધારી શકાશે. આ ઉપરાંત 'ઈસરો'નું ભારણ પણ ઘટશે.
વિક્રમ-૧ માં ભારતના ૪૦૦ જેટલા એમએસએમઈની મદદ લેવાઈ, જેમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં તકનિકી લાયકાત ધરાવતા લોકોને પૃથ્વીની જેમ હાઈ-ટેક જોબ સાથે આગળ વધવાની તકો મળે છે. આ કંપનીઓ દ્વારા સરકારને ફી તથા ટેક્સીસની જંગી ચૂકવણી થતા દેશની તિજોરીને પણ ફાયદો થશે, તેવો દાવો થઈ રહ્યો છે, પરંતુ જોવાનું એ રહે છે કે આ દાવાઓ કેટલા પ્રમાણમાં સાર્થક થાય છે... વિભાપરની દીકરી અને જામનગરના ગૌરવ પૃથ્વીને પુનઃ પુનઃ અભિનંદન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દિલ્હી પોલીસે આજે સોનમ વાંગચૂકને હોસ્પિટલે ખસેડતા જ વિપક્ષો આગબબૂલા છે અને મોદી સરકાર પર તાનાશાહીના આરોપો લગાવીને લોકતંત્રની હત્યા કરાઈ રહી હોવાનો તમતમતો આક્ષેપ થઈ રહ્યો છે. બીજી તરફ પોલીસ હાઈકોર્ટના આદેશનો હવાલો આપીને બચાવ કરી રહી છે. ર૧ દિવસના ઉપવાસ પછી વાંગચૂકનું વજન ૯ કિલો જેટલુ ઘટી ગયા પછી ઘણાં નેતાઓએ વાંગચૂકને ઉપવાસ છોડવાની અપીલ કરી હતી. આજે જંતર-મંતર પરથ વાંગચૂકની સાથે અન્ય સમર્થકોને હટાવીને પોસ્ટર-બેનર્સ પણ હટાવી દેતા મોદી સરકાર પર ગંભીર આક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે.
ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના સર્વેસર્વા ગણાતા સોનિયા ગાંધીએ પણ તાજેતરમાં જ સોનલ વાંગચૂકની તરફેણ કરતા ઈંદિરા ગાંધીના સમયગાળામાં સોનમ વાંગચૂકના પિતાએ કરેલી ભૂખ હડતાલની સ્મૃતિઓ તાજી થઈ ગઈ અને લગભગ ચાર દાયકા પહેલાનો એ ઘટનાક્રમ પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પણ પડઘાવા લાગ્યો હતો, જેને લઈને નવી પેઢીના યુવાવર્ગમાં કુતૂહલ પણ જાગ્યું હતું.
હકીકતે પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયામાં એવી વાતો વહેતી થઈ છે કે સ્વયં સોનિયા ગાંધીએ જ પોતાની સાસુ ઈંદિરા ગાંધીના સમયગાળામાં બનેલી એ ઘટનાની ચર્ચા કોંગ્રેસના વફાદાર નેતાઓ સાથે કરી હતી, અને ઈંદિરા ગાંધીએ વર્ષ ૧૯૮૪ માં સોનમ વાંગચૂકના પિતા સોનમ વાંગ્યાલની લેહમાં જઈને મુલાકાત લીધી હતી અને તેઓને ભૂખ હડતાલ સમાપ્ત કરવા સમજાવ્યા હતાં, તેના સ્મરણો વાગોળ્યા હતાં.
સંસદનું ચોમાસ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે તેની તૈયારી માટે કોંગ્રેસ પાર્લામેન્ટરી કમિટીની બેઠકમાં આ ઘટનાની યાદ તાજી થઈ તે પછી સોનિયા ગાંધીએ ઈંદિરા ગાંધીના સમયગાળાની આ ઘટના વર્ણવી હોવાનું કહેવાય છે.
તે સમયે લદખ માટે અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગણી સાથે સોનમ વાંગચૂકે ગાંધીચિંધ્યા માર્ગે સત્યાગ્રહ આદર્યો હતો અને અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ શરૂ કરી હતી. તે સમયે તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ લેહ જઈને સોનમ વાંગચૂકને તેમની માંગણીઓ પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું હતું.
જો કે, તે જ વર્ષમાં ઈંદિરા ગાંધીની હત્યા થઈ ગઈ હતી, પરંતુ વર્ષ ૧૯૮૯ માં રાજીવ ગાંધી સરકારે લદ્દાખના કેટલાક સમુદાયોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપ્યો હતો. પિતા-પુત્રએ સરકાર સમક્ષ માંગણી મૂકવાનો સમાન પ્રકાર અપનાવ્યો છે. પિતાએ લદ્દાખને બંધરાણીય ઓળખ અપાવવા સંઘર્ષ કર્યો, તેના ઉલ્લેખો લદ્દાખ સ્ટડીઝમાં પ્રકાશિત થયેલા વાંગ્યાલના સંસ્મરણો અને અન્ય ઐતિહાસિક સાહિત્યમાંથી પણ મળે છે.
પિતાએ લદ્દાખની લડાઈ લડી, હવે પુત્ર કોંકરોચ જનતા પાર્ટી સાથે જોડાઈને પેપરલીકના મુદ્દે વિદ્યાર્થીઓની સાથે લડત આપી રહ્યા છે, જો કે સોનમ વાંગચૂકે અત્યાર સુધી તો લદ્દાખના બંધારણીય સંરક્ષણ તથા શૈક્ષણિક-સામાજિક વિકાસ માટે અભિયાનો ચલાવ્યા હતાં, પરંતુ પેપરલીકના મુદ્દે વિરોધ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા-પદ્ધતિમાં બદલાવના મુદ્દે સોનમ વાંગચૂકે ભૂખ હડતાલ શરૂ કરી હતી, છતાં કેન્દ્રિય શિક્ષણમંત્રીએ રાજીનામું આપ્યું નહીં.
બીજી તરફ અરવિંદ કેજરીવાલ, ડિમ્પલ યાદવ, સુપ્રિયા શુલે, પવન ખેડા, રાકેશ ટિકૈત, પ્રકાશ આંબેડકર વગેરેએ વાંગચૂકની મુલાકાત લીધી તો પૂર્વ કેન્દ્રિય કાનૂન મંત્રીએ વ્યક્તિગતરૂપે મુલાકાત લીધી હતી, તો અખિલેશ યાદવ સહિતના વિવિધ રાજકીય પક્ષોના ઘણાં નેતાઓએ વાંગચૂકના સમર્થનમાં નિવેદનો કર્યા હતાં.
રાજકીય ક્ષેત્રે જ નહીં, બોલીવૂડમાં પણ આ મુદ્દે ઘમાસાણ મચ્યું છે. આમિરખાને રોચોના પાત્ર વિષે કહ્યું કે વર્ષ ર૦૦૯ માં તેઓ વાંગચૂકને ઓળખતા નહોતા, તો કોઈએ વર્ષ ર૦૦૮ નો કોઈ વીડિયો વાયરલ કરીને તે સમયે આમીર ખાન વાંગચૂકને મળ્યા હોવાનો દાવો કર્યો, તે બીજી તરફ કિરણ રાવે વાંગચૂકને સમર્થન જાહેર કર્યા પછી આ મુદ્દો બોલીવૂડની એક ફેમિલી મેટરથી લઈને ફિલ્મમેકર્સ સુધીના વર્તુળોની આંતરિક ખેંચતાણનું હથિયાર પણ બની ગયો હતો. આ બધા વિવાદો વચ્ચે આમિર ખાને પણ વાંગચૂકની કથળતી તબિયતનો ઉલ્લેખ કરીને તેમના ઉપવાસ ટૂંકસમયમાં ખતમ થઈ જાય, તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દહેરાદૂનમાં કોંગ્રેસના 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમમાં દેશમાં ૧૦ વર્ષમાં ૧પર પેપર લીક થયા હોવાનું જણાવી સરકાર અને સમગ્ર સિસ્ટમ પર આકરા પ્રહારો કર્યા, તે સમયે મંચ પર જઈને એક પિતાએ પોતાની મહેનતુ પુત્રીએ પેપલીકના કારણે આત્મહત્યા કરી હોવાની આપવિતી રડતા રડતા રજૂ કરતા તેના પણ દેશવ્યાપી પડઘા પડ્યા છે, અને તેની સાથે વાંગચૂક સાથેના ઘટનાક્રમને સાંકળીને સરકારની ટીકા થઈ રહી છે.
આ બધા ઘટનાક્રમો પછી એવા તટસ્થ પ્રત્યાઘાતો પડી રહ્યા છે કે ભૂતકાળમાં ઈંદિરા ગાંધીએ જે સંવેદનશીલતા દર્શાવી હતી, તેવી સહાનુભૂતિ દર્શાવીને સરકારે શિક્ષણમંત્રીને હટાવવા જોઈએ અને પેપરલીક અટકાવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ બંધ થયા પછી ઈંધણની તંગીના કારણે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા તથા ઈથોનોલ મિશ્રિત ઈંધણ વાપરવાની ઝુંબેશને વધુ વેગીલી બનાવાઈ અને ઈ-ર૦ થી ઈ-૮પ પેટ્રોલનો વપરાશ વધારવાના ઉપયોગનો જોરદાર પ્રચાર-પ્રસાર કરાયો. પેટ્રોલ કરતા આ ઈંધણ સસ્તુ પડતું હોવાથી તેનો વૈકલ્પિક ઉપયોગ વધારવા તે પ્રકારના વાહનોનું ઉત્પાદન તથા વિશેષ પ્રકારના એન્જિનો બનાવવાની અનિવાર્યતાની ચર્ચાઓ પણ થઈ.
જો કે, ભારતમાં આ પ્રયોગ છેલ્લા ત્રણેક વર્ષથી થઈ રહ્યો છે. પ્રારંભમાં ઊર્જા સપ્તાહની ઉજવણી રિલાયન્સ દેશના ૮૪ પેટ્રોલપંપો પરથી ઈ-ર૦ ઈંધણનું વેંચાણ શરૂ કરાયું, અને તેને પાઈલોટ પ્રોજેક્ટ ગણાવાયો તે સમયે ઈ-ર૦ ઈંધણનો ઉપયોગ કરી શકાય, તે પ્રકારના વાહનોનું નિર્માણ કરવાની સૂચનાઓ અપાઈ, અને તે પ્રકારના એન્જિનો તૈયાર થયા, પરંતુ કેટલીક ફરિયાદો પણ ઊભી થઈ હતી. તે પછી તાજેતરમાં મિડલ ઈસ્ટની અશાંતિ અને હોર્મુઝ બંધ થવાના કારણે વૈકલ્પિક ઊર્જાથી સંચાલિત વાહનો ચલાવીને પેટ્રોલ-ડીઝલ-ગેસની બચત કરવાના અભિયાનો શરૂ થયા, પરંતુ તેમાંથી ઈ-ર૦ ના ઉપયોગનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો.
આ મુદ્દે હવે વધું ગરમાયો છે, અને છત્તીસગઢની અદાલતે એક કાર ઉત્પાદક કંપની સામે ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપીને નવી કાર અથવા વ્યાજ સાથે કેશ રિફંડ કરવાનો આદેશ કર્યો, તે કિસ્સાના કારણે ઈ-ર૦ ઈંધણ ફરીથી ટોક ઓફ ધ નેશન બન્યું છે.
એક ગ્રાહકે જુન-ર૦ર૪ માં એક હાઈબ્રિડ કાર ખરીદી, જેમાં ઈ-ર૦ નો વપરાશ થઈ શકે, તેવી સિસ્ટમ હોવાનું કહીંને કંપનીએ આ કાર ડિસેમ્બર-ર૦ર૩ માં (એટલે કે ઈ-ર૦ ઈંધણનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયા પછી) બની હોવાનું ગ્રાહકને જણાવ્યું હતું, તે પછી એક જ મહિનામાં ગાડી ધાંધિયા કરવા લાગી, તે પછી કાર ઉત્પાદન કંપનીએ હાથ ઊંચા કરી દેતા અને ગેરંટીમાં આ પ્રકારનો ફોલ્ટ નહીં હોવાનું કહીને રૂ।. પાંચ લાખથી વધુનો ચાર્જ જણાવ્યો, તે પછી ગ્રાહકે કાનૂની કદમ ઊઠાવ્યા અને મામલો રાયપુર જિલ્લા ગ્રાહક ફોરમમાં માર્ચ-ર૦રપ માં પહોંચ્યો, તે પછી અદાલતના આદેશથી લેબોરેટરી ચેકીંગ, ટેકનિકલ તપાસ વગેરે કરાયું અને સુનાવણીના અંતે ગ્રાહક અદાલતે ઠરાવ્યું કે ઈ-ર૦ ઈંધણને અનુરૂપ એન્જિન નહીં હોવા છતાં કંપનીએ ગ્રાહકને જાન્યુઆરી-ર૩ માં ઉત્પાદિત કાર (ડિસેમ્બર-ર૩ માં બની હોવા છતાં) વેંચી હતી, જેથી કાર કંપનીએ નવી કાર ગ્રાહકને આપવી પડશે, જે ઈ-ર૦ ઈંધણને અનુરૂપ હોય, અથવા તો રૂ।. ર૦.પ લાખ ગ્રાહકને ચૂકવવા પડશે. હવે દોઢ મહિનાની મુદ્ત મળી હોવાથી કંપની કદાચ અપીલ કરી શકશે અથવા ભૂલ સ્વીકારીને ગ્રાહક ફોરમના આદેશનો અમલ કરશે, તે ચર્ચાનો વિષય છે, પરંતુ આ કેસના કારણે દેશમાં ઈ-ર૦ ઈંધણ કેટલું ઉપયોગી છે અને કેટલું નુક્સાનકારક છે, તેની ચર્ચા એક વખત ફરીથી શરૂ થઈ ગઈ છે, અને ઈ-ર૦ ઈથોનોલના નિર્ણય બદલ મોદી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલ-ગેસ જેવું ઈંધણ વાહનો માટે પસંદગીનું ઈંધણ છે અને તેની સામે પર્યાવરણ સુરક્ષા આયાતબીલમાં ઘટાડો અને ઈંધણની પ્રવર્તમાન સંજોગોમાં તંગ સ્થિતિ સહિતના કારણો સાથે હાલમાં ઈ-ર૦ ઈંધણના વપરાશની તરફેણ કરવામાં આવી રહી છે, અને આ માટે પહેલેથી જ પ્રયત્નશીલ રહેવા કેન્દ્રિય માર્ગ-વાહનવ્યવહાર મંત્રી નીતિનભાઈ ગડકરી આ માટે જોરદાર ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે ઈ-ર૦ ઈથોનોલના ઉપયોગથી ગ્રાહકોને તો કોઈ ખાસ લાભ થતો નથી, પરંતુ વાહનોના એન્જિનો ખરાબ થઈ જાય છે, તે પ્રકારનો વિવાદ ઊઠ્યો હોવાથી તાજેતરમાં જ ગડકરીએ કહ્યું હતું કે, જેને ઈ-ર૦ માં વિશ્વાસ ન હોય, તે મોંઘુ પેટ્રોલ ભરાવે... બાકી ઈ-ર૦ નો ઉપયોગ કરવાથી તેના માટે સ્પેશ્યલ એન્જિનો બનાવાયા હોય, તેવા વાહનો બગડી જતાં હોવાની વાત ખોટી છે, વગેરે...
નીતિન ગડકરીને આ પ્રકારના અહેવાલો પ્રેસ-મીડિયામાં આવતા રહ્યા અને આ વિવાદ ચાલતો જ હતો, તેવામાં એક નવો જ વિવાદ ઊભો થયો. કેજરીવાલે તો 'સફેદ જૂઠ' બોલવાનો ધગધગતો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવ્યો અને ઈ-ર૦ ઈથોનોલનો ઉપયોગ કરનાર (મંત્રી) ને સજા કરવાની માંગણી પણ કરી દીધી હોવાના અહેવાલો પછી દેશની રાજનીતિ પણ ઉકળવા લાગી હતી.
વિપક્ષી નેતાઓએ તો ત્યાં સુધી આરોપો લગાવ્યા છે કે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના પરિવાર (દીકરાઓ) ની ખાંડ અને ઈથોનોલ કંપનીઓ છે, જેને ફાયદો પહોંચાડવા નીતિન ગડકરીએ ઈ-ર૦ ફરજિયાત કરવાનો પ્રયાસ કર્યો હશે.
આ પ્રકારના આરોપોનો જવાબ આપતા ગડકરીએ કહ્યું કે, દેશના ઈથોનોલ બિઝનેસના ૦પ ટકાથી પણ ઓછી ભાગીદારી છે અને તેના પર રૂ।. ૧૬૦૦ (સોળસો) કરોડનું દેવું છે. તેમણે આલોચકોને ઈ-ર૦ ઈંધણથી એન્જિન ખરાબ થતા હોવાના કોઈ પ્રામાણિક પુરાવા હોય તો રજૂ કરવાનો પડકાર પણ ફેંક્યો છે.
જેના જવાબમાં રસપ્રદ આંકડાઓ પણ રજૂ થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ દેશનો ઈથોનોલ બિઝનેસ વર્ષ ર૦રપ માં અંદાજે લગભગ રૂ।. પ૦ હજાર કરોડનો હતો, તો તે ગણતરીએ ગડકરીજીના દાવા મુજબ ૦.પ ટકા કેટલા થાય? એક બીજા અંદાજ મુજબ ભારતમાં ઈથોનોલ સંબંધિત ટર્નઓવર ૧ થી દોઢ લાખ કરોડનું હોય, તો તેના ૦.પ ટકા કેટલા થાય? જરા વિચારો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આગામી ૨૦ જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે એક તરફ સરકાર કોઈક મોટું કદમ ઉઠાવવા જઈ રહી હોવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે, અને મહિલા આરક્ષણ સાથે લોકસભાના મતવિસ્તારોના નવા સિમાંકન સંબંધિત પ્રસ્તાવ ફરીથી રજૂ થશે, તેવા સંકેતો મળી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષો અયોધ્યાના રામમંદિરમાં દાનચોરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે, અને મોદી સરકાર તથા ભારતીય જનતા પક્ષની ઘેરાબંધી કરશે, તેવા સ્પષ્ટ સંકેતો પણ મળી રહ્યા છે.
ગઈકાલથી શરૂ થયેલી ચર્ચા મુજબ સંસદમાં દાનચોરી ઉપરાંત એક એવો મુદ્દો પણ ઉછળવાનો છે, જેમાં કેન્દ્ર સકરકારની વિદેશનીતિ ઉપરાંત અર્થનીતિ સામે પણ સવાલ ઊભા થવાના છે. ગઈકાલે એવા અહેવાલો આવ્યા હતા કે ભારત સરકાર અને એલઆઈસીનો આઈડીબીઆઈ બેન્કમાં જે ૬૦.૭૨ ટકા જેટલો હિસ્સો છે, તે કેનેડાની દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ કંપની ફેયર ફૈકસ ફાયનાન્સિયલ હોલ્ડિંગ્સને વેચવાની ડીલ લભગભ ફાયનલ થઈ ગઈ છે.
ગઈકાલથી આધારભૂત વર્તુળોને ટાંકીને ચાલી રહેલી ચર્ચા મુજબ ભારતીય મૂળના કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સાની આ કંપનીએ આઈડીબીઆઈ બેન્કના શેરો માટે સૌથી ઊંચી બોલી લગાવી છે.
એવું કહેવાય છે કે આ સોદા માટે એમિરેટ્સ એનબીડી-(દુબઈ) પણ રેસમાં હતી, પરંતુ ફેયર ફૈકસની શેર દીઠ રૂા. ૮૧ની બોલી પછી આ ડીલ લગભગ ફાયનલ ગણાય છે. આ પહેલા ફેયર ફેકસે શેરદીઠ રૂા. ૭૫ની બોલી લગાવી હતી, જેને ઠુકરાવી દેવામાં આવી હતી, તે પછી ફેયર ફૈકસે બોલી વધારી દીધી હતી, અને આ સોદો થશે તો તે રૂા. ૫૩ હજાર કરોડથી વધુનો હશે, તેમ મનાય છે. જો આ ડીલ થશે તો ભારતીય બેન્કીંગ ઈતિહાસમાં આ સૌથી મોટું ફોરેન ઈન્વેસ્ટમેન્ટ હશે. એવું કહેવાય છે કે આ ડીલને ભારત સરકારના નાણા મંત્રાલયે પણ લીલી ઝંડી આપી દીધી છે. જો કે, આ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે અને જો આ સોદો થાય તો ફેયર ફૈકસે સાર્વજનિક શેરધારકો માટે એક ઓપન ઓફર પણ કરવી પડશે. બીજો એક અવરોધ પણ આ સોદાના સંદર્ભે પાર પાડવો પડે તેમ છે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ ફેયર ફૈકસની ભારતના કેરળની એક બેઠક સીએસબી બેન્કમાં હિસ્સેદારી છે, તેથી ફેયર ફૈકસે નવી ડીલ કરવી હોય તો કાં તો સીએસબીની હિસ્સેદારી છોડવી પડે અથવા વિલીનીકરણ કરવું પડે.
જો કે, આ મુદ્દે પણ નિર્ણય લેવાઈ ગયો છે, પરંતુ તેને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મંજુરી મળે, તેના પર સમગ્ર ડીલનો આધાર રહેવાનો છે, તેના કારણે જ કદાચ નાણાં મંત્રાલયની લીલી ઝંડી તથા લગભગ ફાયનલ થયેલી ડીલને હજુ આખરી ઓપ અપાયો નથી.
આ અહેવાલ પછી જો આ નિર્ણય લેવાયો હોય તો તેને કેટલાક શેરધારકો તથા ઈન્વેસ્ટરો વિગેરેના વર્તુળો દ્વારા મિશ્ર પ્રત્યાઘાતો અપાઈ રહ્યા છે, જ્યારે પહેલેથી જ રાષ્ટ્રીય બેન્કોના ખાનગીકરણનો વિરોધ કરી રહેલા વિપક્ષોએ આકરી ટીકા કરી છે.
વિપક્ષના વર્તુળોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે રાષ્ટ્રીય બેન્કોના ખાનગીકરણથી દેશની સાર્વજનિક સંપત્તિ ખાનગી માલેતુજારોના હાથમાં જશે, જે દેશહિતના વિરોધમાં છે. વિપક્ષી નેતાઓ ઉપરાંત કેટલાક કર્મચારી સંઘોએ પણ આ પ્રકારના કદમને વર્ષ ૨૦૦૩માં સંસદમાં અપાયેલા અવિશ્વાસનોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. જહોન બ્રિટાીસ સહિતના સાંસદોએ પણ વિદેશી કંપનીઓને ૫૦ ટકાથી વધુની હિસ્સેદારી આપવા સામે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે. કર્મચારી યુનિયનોના વર્તુળોમાં એવો ફફડાટ પણ વ્યાપી ઉઠયો છે કે જો સરકારી બેન્કનું ખાનગીકરણ થશે, તો પ્રવર્તમાન સ્ટાફ, વેતન અને નોકરીની શરતો વગેરે અંગે અસુરક્ષાની ભાવના ઊભી થશે, એટલું જ નહીં, અવિશ્વસનિયતા વધતા ગંભીર પ્રકારનું સંકટ પણ ઊભું થશે અને નિષ્ઠાપૂર્વક ફરજો બજાવતા ભારતીય નોકરિયાતોનું તથા બેન્કના વફાદાર કસ્ટમરોનું હિત પણ જોખમાશે.
પહેલેથી જ સરકારી બેન્કોના ખાનગીકરણ સામે કર્મચારી યુનિયનો વિરોધ કરતા રહ્યા છે. ઓલ ઈન્ડિયા આઈડીબીઆઈ ઓફિસર્સ અને સ્ટાફે દિલ્હીના જંતરમંતર પર ધરણાં પણ કર્યા હતા. આ ધરણાં દરમ્યાન વિપક્ષના કેટલાક સાંસદોએ તેઓની મુલાકાત લઈને સમર્થન પણ જાહેર કર્યું હતું.
ખાનગીકરણ થતાં જ અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી આરક્ષણ ખતમ થઈ જશે, કારણ કે અનામત માત્ર સરકારી બેન્કોમાં જ લાગૂ પડે છે. વિદેશી કંપની પોતાના હિતોનું જ રક્ષણ કરશે, અને પોતાના નફા માટે જ કામ કરશે, જેથી ગ્રામ્ય વિસ્તારોની બેન્કીંગ સેવાઓ, જનકલ્યાણની યોજનાઓ તથા સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચતા કરવામાં મુશ્કેલી પડશે, જેથી દેશની સામાન્ય જનતાને આ સોદો ઝટકા સમાન હશે, તે પ્રકારના ઘેરા પ્રત્યાઘાતો સંભળાઈ રહ્યા છે, તો તેની સામે આ તમામ આશંકાઓનો છેદ ઉડાડતી દલીલો પણ રજૂ થઈ રહી છે. જો કે, મહત્તમ જન સમર્થન કર્મચારી યુનિયનો તરફી જણાય છે અને વિપક્ષનું પણ સમર્થન મળ્યું હોવાથી આ મુદ્દો પણ સંસદમાં જોરદાર આક્રમકતા સાથે વિપક્ષના સાંસદો ઉઠાવશે, તેમાં કોઈ સંદેહ જણાતો નથી.
એ ઉલ્લેખનિય છે કે આ પહેલાં પણ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ આઈડીબીઆઈ બેન્કના કર્મચારીઓ સાથે મુલાકાત પછી ખાનગીકરણનો પ્રચંડ વિરોધ વ્યક્ત કરતા નિવેદનો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ફાયદામાં ચાલી રહેલા સાર્વજનિક ક્ષેત્રોને ખાનગી ક્ષેત્ર કે વિદેશી હાથોમાં સોંપવું એ દેશહિતના વિરોધમાં તો છે જ, પરંતુ સામાન્ય જનતા માટે અને બેન્કીંગ કર્મચારીઓના હિતોની પણ વિરૂદ્ધમાં છે. તેમણે પડકાર ફેંક્યો હતો કે કોંગ્રેસ આ પ્રકારની જનવિરોધી નીતિઓનો સડકથી સંસદ સુધી સામનો કરશે. કોંગી નેતા જયરામ રમેશે પણ આ નીતિનો જોરદાર વિરોધ કર્યો છે. હવે આ મુદ્દો સંસદમાં પણ જોરશોરથી ગુંજશે કે સરકાર વિપક્ષોને ગળે ઉતરે તેવી ચોખવટ કરીને વિરોધ સમાવશે, તે જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
હાલાર સહિત રાજ્યમાં વ્યાજખોરોની ક્રૂરતાના ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે, ઘણાં જ ઊંચા વ્યાજે લોકોને ગેરકાયદે નાણાની ધીરધાર કર્યા પછી મુદ્લ કરતા અનેકગણુ વ્યાજ વસૂલ્યા પછી અને મૂળ રકમ પણ ભરપાઈ કરી દીધા પછી પણ તોતિંગ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવી અને ધાકધમકી આપીને કે માર-કૂટ કરીને જમીન, માલ-મિલકત કે આભૂષણો જેવી કિંમતી ચીજો હડપી લેવાની વ્યાજંકવાદીઓની મોડસ ઓપરેન્ડી હોય છે.
ગઈકાલે જ ગુજરાતના પાટણ જિલ્લાની એક ઘટનાના સમાચારે આખા રાજ્યમાં ચર્ચા જગાવી હતી અને તેના રાજ્યવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે, કારણ કે સામાન્ય રકમની ઉઘરાણીમાં એક વ્યાજખોરે જે કૃત્ય કર્યું, તે માત્ર સરકાર જ નહીં, પરંતુ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. આ જ પ્રકારની ઘટનાઓ જો વધતી રહેશે, તો તેને લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર કાળુ કલંક અને શાસન-પ્રશાસનની ઘોર નિષ્ફળતા જ ગણવી પડે તેમ છે, કારણ કે જો નરાધમોને કાયદાનો ડર જ નહીં રહે, તો સામાજિક સમતુલા અને સુરક્ષા તદ્ન ભાંગી પડશે.
ગુજરાતના પાટણ જિલ્લાના ખાલકપુરા ગામની એક મહિલાએ વ્યાજખોર પાસેથી ઘરખર્ચને પહોંચી વળવા માટે પાંચ હજાર રૂપિયા વ્યાજે લીધા હતાં. તે પછી આ મહિલા પાસે વ્યાજખોરે ઉઘરાણી કરી, તો મહિલાએ થોડો વધારે સમય માંગ્યો, તો વ્યાખજરોે એ મહિલાને કોઈ જવલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધી હતી, અને તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાઈ, પરંતુ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થઈ ગયું. તેણીના મૃત્યુ પહેલા પોલીસે તેણીનું મૃત્યુ પહેલાનું નિવેદન (ડાઈંગ ડિક્લેરેશન) નોંધીને તપાસ હાથ ધરી છે. આ વ્યાજખોરને કડકમાં કડક સજા થવી જોઈએ, તેવી રાજ્યવ્યાપી માંગ પણ ઊઠી રહી છે.
આ કમકમાટીભરી અને નિંદનિય ઘાતકી ઘટનાના રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને તંત્ર તથા સમાજ સામે ગંભીર પ્રશ્નો ઊઠી રહ્યા છે. આટલી નજીવી રકમ માટે કોઈનો આટલી ક્રૂરતાથી જીવ લઈ લેવો, એ કાયદો-વ્યવસ્થા સામે તો એક પડકાર છે જ, પરંતુ આ પ્રકારની ક્રૂરતાભરી દયાહીન માનસિક્તા સમાજમાં પનપી રહી હોય તો તે સભ્યસમાજ સામે પણ લાલબત્તી છે. આટલા કડક કાયદાઓ હોવા છતાં જો વ્યાજખોરો અંકુશમાં રહેતા ન હોય અને રોજ-બ-રોજ આવી ઘટના બનતી રહેતી હોય તો તે રાજ્યના ગૃહવિભાગ અને રાજ્ય સરકાર માટે પણ લાંછન સમાન છે.
એક તરફ રાજ્યભરમાં ઠેર-ઠેર પોલીસતંત્ર દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશો ચલાવાઈ રહી છે, અને જનજાગૃતિ માટે પ્રયાસો વધારાયા છે તથા વ્યાજખોરોને વીણી વીણીને પાઠ ભણાવવાના દાવાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી નથી, તેથી આ બદી ડામવા માટે વધુ કડક કાયદા સાથે સામાજિક જાગૃતિ અને લોકોને જરૂર પડ્યે પાંચ-પચીસ હજાર જેવી રકમ સહકારી ક્ષેત્ર કે કોઈ સોશિયલ ફંડ ઊભુ કરીને ત્યાંથી ટૂંકી મુદ્ત માટે ઉછીની મળી રહે, તેવી કોઈ વ્યવસ્થા સમાજ-સરકારના સહિયારા સંયોજનથી થાય, તે અત્યંત જરૂરી છે.
એવું કહેવાય છે કે, પાટણની ઘટનાનો મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો છે. તે ઉપરાંત વિપક્ષી વર્તુળોમાં પણ આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાણો પડ્યા છે. વ્યાજખોરો કાંઈ સીમાપારથી આવતા નથી, તેઓ આપણી (સમાજની) વચ્ચે જ રહે છે અને સમાજની નજર સામે જ આ પ્રકારની ક્રૂરતા કરે છે. એવા અનેક દૃષ્ટાંતો રાજ્યભરમાંથી સંભળાય છે, જેમાં વ્યાજખોરોએ તોતિંગ વ્યાજની સામે જમીન, ખેતર, મકાન કે અન્ય સ્થાવર-જંગમ મિલકત પડાવી લીધી હોય. ઘણાં લોકો વ્યાજખોરોને કાયદાનો ડર ન હોવા પાછળ કોઈ મજબૂત અદૃશ્ય પીઠબળ અને સાઠગાંઠની આશંકાઓ પણ વ્યક્ત કરતા હોય છે, અને સંભવિત ભ્રષ્ટાચાર તરફ અંગૂલીનિર્દેશ થતો હોય છે.
જો પોલીસતંત્રના સંનિષ્ઠ પ્રયાસો અને સામાજિક જાગૃતિના પૂરપૂરા પ્રયત્નો છતાં જો આ ક્રૂર ગુનાખોરી અંકુશમાં આવતી ન હોય, તો સમાજોને સ્થાનિક ધોરણે વ્યાજખોરોના સામૂહિક બહિષ્કાર અને હિંમતપૂર્વકના પ્રતિકારની સાથે સાથે વ્યાજખોરો સામે લોકો વધુ મુક્તમને ફરિયાદ કરી શકે, તે માટે ગામે-ગામ અને શહેરોના પ્રભાવિત વિસ્તારોમાં અવારનવાર વ્યાજખોરમુક્તિ કેન્દ્રો ખોલવા જોઈએ. સરકારે પણ આ પ્રકારના કૃત્યોનો અસાધારણ કે માનવતા વિરોધી ગુન્હો ગણીને (આતંકવાદી કે ઉગ્રવાદી-અલગતાવાદી સામે થાય છે તેવી) કડક કાનૂની કાર્યવાહી થઈ શકે, તે માટે લેન્ડ ગ્રેબીંગ એક્ટ જેવો કડક કાયદો બનાવવો જોઈએ.
એવું નથી કે સરકાર, સમાજ કે પોલીસતંત્ર આ મુદ્દે કોઈ પ્રયત્નો જ કરતા નથી, પરંતુ આ તમામ પ્રયાસોને મજબૂત કાનૂની પીઠબળ મળે, તે માટે અત્યંત કડક કાયદાની જરૂર છે અને તે ઉપરાંત ગામેગામ વ્યાજખોરો સામે લોકઆંદોલનો તથા વ્યાપક જનજાગૃતિ પણ જરૂરી છે. સરકારની પ્રવર્તમાન વ્યાજખોરી વિરૂદ્ધની કડક ઝુંબેશો છતાં નિર્દય વ્યાજખોરોને અંકુશમાં લઈ શકાતા ન હોય તો 'લિકેજ' ક્યાં છે, તે શોધવું પડેે તેમ છે. આ રાજ્યવ્યાપી મુદ્દો ગુજરાતના સાંસદો આગામી સંસદીય સત્રમાં સંસદમાં પણ ઊઠાવશે, ધારાસભ્યો વિધાનસભામાં પણ ઉઠાવશે અને સ્થાનિક કક્ષાએ પણ રાજનેતાઓ 'વગદાર' વ્યાજખોર કૂચક્રને ભેદવા કટિબદ્ધ થશે તે ઉપરાંત લોકોને નાની-નાની રકમની લોન સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ થાય, તેવી કોઈ સામાજિક વ્યવસ્થા થશે, તો આ દૂષણ સામે પરિણામલક્ષી લડત આપી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સ્વ. લલિતાબેન રતિલાલ માધવાણી
વૈકુંઠવાસ તા. ૧૩-૦૭-ર૦૦૭
સંસ્કારોની સરવાણી સમા મમતાની મૂર્તિ એવા પૂ. બા વૈકુંઠવાસી થઈ ગયા, તેને બે દાયકા થયા છે, છતાં તેઓની મમતાનો છાંયડો અને સ્નેહભરી હૂંફની અનુભૂતિ અમે આજ પણ કરી રહ્યા છીએ. તેઓ આપણી વચ્ચે હતા, ત્યારે મમતા, પ્રેમ અને હૂંફાળો જે સ્નેહ વરસાવ્યો, તેને ક્યારેય વિસરી શકાય તેમ નથી.
પૂ. બા ની સાદગી, સરળતા અને ગૌરવપ્રદ જીવનશૈલી હંમેશાં પ્રેરણાત્મક રહી હતી. તેઓએ પરિવારને એવા સંસ્કારો આપ્યા, જે આજે પણ અમારૂ પ્રેરક પથદર્શન કરી રહ્યા છે. અમારા પૂ. પિતાશ્રી રતિલાલ માધવાણીના જીવનસંગિનિ તથા પરિવારના મોભી તરીકે તેઓએ હંમેશાં સમર્પિત ભાવથી યોગદાન આપ્યું છે, અને 'નોબત' દૈનિકનું પણ પડકારરૂપ સમયથી લઈને વટવૃક્ષ બન્યું ત્યાં સુધી પરિશ્રમપૂર્વક સિંચન કર્યું છે.
પૂ. બા માં સૌ કોઈને પોતાના પરિવારજન કરી લેવાની અદ્ભુત શક્તિ હતી અને તેઓના માયાળુ સ્વભાવના કારણે તેઓ અમારા બધાનું પ્રેરકબળ બન્યા હતા. તેઓ તે સમયે હતા, એવા જ અત્યારે પણ અમારી સ્મૃતિમાં જીવંત છે અને માતાની ખોટ તો ક્યારેય પૂરાય તેવી હોતી જ નથી. 'માઁ' શબ્દ ઉચારતા જ મમત્વનો ધોધ વહેતો હોય, તેવી લાગણી જન્મે છે. તેઓની કાલ્પનિક સ્મૃતિઓ વાગોળતા અનોખી પ્રેરણા સાથે અદ્ભુત શાંતિની અનુભૂતિ પણ થાય છે.
પૂ. બા નો પ્રસન્નચિત્ત ચહેરો, હંમેશાં સક્રિય રહેતી જીવનશૈલી, સુમધૂરવાણી, સંસ્કાર અને સંસ્કૃતિથી ભરપૂર કાર્યશૈલી અને હેતાળ મિલનસાર સ્વભાવના કારણે તેઓ સૌ કોઈના હૈયે વસી જાય, તેવું વ્યક્તિત્વ હતાં. તેઓ આજે પણ વૈકુંઠમાંથી અમારા બધા પર અમીભર્યા આશીર્વાદ વરસાવી જ રહ્યા છે, અને અમારો પ્રેરણાપથ કંડારી રહ્યા છે.
જ્યારે ૧૩ જુલાઈ-ર૦૦૭ ના પૂ. બા એ વૈકુંઠગમન કર્યું, ત્યારે અમોને બધાને કારમો આઘાત લાગ્યો હતો, પણ કુદરતની ઘટમાળમાં આપણું કાંઈ ચાલતું નથી. પૂ. બા ના સમગ્ર જીવનમાંથી હંમેશાં અમને બધાને પ્રેરણા મળતી રહે, અને તેઓનો દિવ્યાત્મા આપણા બધા પર હંમેશાં અમીભર્યા આશીર્વાદ વરસાવતો રહે, તેવી શ્રીજીને પ્રાર્થના સાથે પૂ. બા ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ...
જામનગર
તા. ૧૪-૦૭-ર૦ર૬
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર
જામનગરમાં સ્થાનિક પરિવહન માટે સિટીબસોની સેવા ધીમે ધીમે વિસ્તરી રહી છે. કેટલાક ઓછા જાણીતા થયેલા મહાનુભાવો, જાગૃત નાગરિકો અને પ્રોફેશ્નલો જુદા જુદા રૂટ પર સ્વયં મુસાફરી કરીને કદાચ 'રિયાલિટી ચેક' કરતા હોવાનું તથા કેટલાક પ્રતિષ્ઠિતો ઈંધણ બચાવવાના રાષ્ટ્રીય આહ્વાન તથા પર્યાવરણ જાગૃતિ માટે ઈલેક્ટ્રીક એરકન્ડિશન્ડ સિટીબસમાં રોજીંદો પ્રવાસ કરીને દૃષ્ટાંત બેસાડવાનો પ્રયાસ કરતા હશે,તેમ મનાય છે. ઈરાન-અમેરિકા યુદ્ધ ફરીથી ફાટી નીકળતા ફરીથી ઈધણના કરકસરપૂર્વકના ઉપયોગની દેશને જરૂર છે, ત્યારે ભાજપ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ સહિત જાગૃતિ નાગરિકો સિટીબસનો પ્રવાસ નિયમિત રીતે કરીને જનજાગૃતિ ફેલાવે તે આવકાર્ય પણ છે અને ઈચ્છનિય પણ છે.
બંગલુરૂમાં તો રાજ્ય સરકારના પરિવહન મંત્રીએ પોતે જ મોઢા પર માસ્ક પહેરીને સિટીબસમાં પ્રવાસ કર્યો, તે દૃષ્ટાંત આજે ટોક ઓફ ધ નેશન બન્યું છે. કર્ણાટકના પરિવહન મંત્રી બાપરાથી સુરેશે શનિવારે રાત્રે જ્યારેે સિટીબસમાં મુસાફરી કરી, ત્યારે તેની પાસે ટિકિટના છૂટા પૈસા નહીં હોવાથી કન્ડક્ટરે તેઓને બસમાંથી ઉતારી મૂક્યા હતાં, અને તેઓ પોતાની ઓળખ છૂપાવીને બસમાંથી ઉતરી પણ ગયા હતાં. તે પછી તેેેમણે જ્યાંથી તેઓને ઉતારી મૂકાયા હતાં, તે સ્થળેથી ઓટોરિક્ષામાં મુસાફરી કરી હતી, તો રિક્ષાચાલકે મીટરમાં દર્શાવેલા ભાડા કરતા વધુ ભાડું વસૂલ્યું હતું. મંત્રીએ વધારાનું ભાડું લેવાનું કારણ પૂછ્યું, તો ઓટોચાલકે મીટર બગડી ગયું હોવાનું જણાવી બહાનું કાઢ્યું હતું. આ પ્રવાસ દરમિયાન ડ્રાઈવરે પણ એેક સ્ટોપ પર બસ ઊભી રાખી નહોતી, તે પછી બી.એમ.ટી.સી.- સરકારી બસના ડ્રાઈવર અને કન્ડક્ટર બન્નેને સસ્પેન્ડ કરી દેવાયા હોવાના અહેવાલો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યા છે, અને મંત્રીની આ 'પોલખોલ' પ્રવૃત્તિને આવકાર મળી રહ્યો છે.
સિટીબસમાંથી ઓળખ આપ્યા વિના ઉતરી ગયેલા પરિવહન મંત્રીએ તે પછી ઓટોચાલકને પોતાની સાચી ઓળખ આપીને કડક ચેતવણી આપી હોવાના કારણે સ્થાનિક રિક્ષાચાલકોમાં ફફડાટ પણ વ્યાપી ગયો હતો.
બેંગ્લુરૂની આ પોલંપોલ દેશમાં બધી જગ્યાએ ચાલી રહી છે, અને જામનગર સહિત જ્યાં જ્યાં સિટીબસો ચાલે છે, તેવા સ્થળે આ પ્રકારના રિયાલિટી ચેક થતા રહે, તે ઈચ્છનિય પણ છે. કર્ણાટકના કોંગ્રેસી પરિવહન મંત્રીએ જ રિયાલિટી ચેક કર્યું તે જ પ્રકારનું રિયાલિટી ચેક ઘણી વખત પ્રેસ-મીડિયાવાળા પણ કરતા હોય છે, પરંતુ માત્ર મંત્રી જ નહીં, શાસક અને વિપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ પણ કરી જ શકે છે. આ પદ્ધતિથી 'સિસ્ટમ'માં સુધારો થઈ શકે છે. શરત માત્ર એટલી જ છે કે આ પ્રકારનું રિયાલિટી ચેક અવિરત અને જુદા જુદા વ્યક્તિઓ દ્વારા થતું રહેવું જોઈએ, અને ઉદ્દેશ્ય પબ્લિસિટી સ્ટંટ નહીં પણ જનજાગૃતિ ફેલાવવાનો હોવો જોઈએ.
બેંગ્લુરૂમાં તો રિયાલિટી કરવા નીકળેલા મંત્રીએ કદાચ કોઈ આસિસ્ટંટ કે સાથીદારને ગૂપચૂપ વીડિયો ઉતારી લેવાની વ્યવસ્થા કરી હશે, તેથી તે ઘટનાના વીડિયો પણ વાયરલ થયા હશે, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ જુદા જુદા વ્યક્તિઓ દ્વારા સતત સમયાંતરે થતી રહે તો 'સિસ્ટમ' સુધરી શકે. આ પ્રકારના રિયાલિટી ચેકમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફીની ગુપ્ત વ્યવસ્થા જ કરવી પડે, અન્યથા જેનું ચેકીંગ કરવાનું હોય, તે ચેતી જાય અને 'પબ્લિસિટી સ્ટંટ'નો મુખ્ય ઉદ્દેશ્ય હોવાની આલોચના પણ થાય, આ પ્રકારના રિયાલિટી ચેક માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, વિપક્ષના નેતાઓ પણ કરી શકે છે.
સૌરાષ્ટ્રમાં સિટીબસ સેવાઓમાં ઘણાં બધા સુધારા-વધારા થવા જરૂરી છે. બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મેટ્રો સિટીઝમાં કાંઈક ઠીક ઠીક ચાલે છે, પરંતુ બીઆરટીએસ સિવાયની સિટીબસ સેવાઓને હજુ ઘણાં સુધારા-વધારા અને લોજેસ્ટિક અને પબ્લિક સપોર્ટની જરૂર છે, અને તેની સાચી અને સચોટ માહિતી તથા ફીડબેક આ પ્રકારના રિયાલિટી ચેક સતત અને વાસ્તવિક રીતે નિષ્ઠાપૂર્વક તથા પબ્લિક સર્વિસ સુધારણાની શુદ્ધ ભાવનાથી થતા રહે તો જ મળી રહે છે, બાકી મિટિંગો યોજીને ચર્ચા કરીને તથા દલાતરવાડીઓના જ ફીડબેક માંગીને કાંઈ વળવાનું નથી, તથા સ્થાપિત હિતોના ઈશારે જો નાચતા રહેવાનું હોય તો આ પ્રકારના રિયાલિટી ચેક ખરેખર જ પબ્લિસિટી સ્ટંટ બની શકે છે.
તાજેતરમાં જ જે શહેરોમાં પી.એમ. દ્વારા બસો ફાળવીને ઈછેક્ટ્રીક બસોનો વ્યાપ વધારાયો છે અથવા નવી શરૂ કરાઈ છે, ત્યાં રિયાલિટી ચેકીંગ ઉપરાંત પબ્લિકને સિટીબસો તરફ વાળવા તથા નગરોમાં નિયત કરેલા બસસ્ટોપ પર ટાઈમટેબલ સાથેના બોર્ડ, સર્કલો પર છાપરાવાળા સ્ટેન્ડ, નજીકમાં પાણીની તથા સેનિટેશનની વ્યવસ્થા, સિટીબસોમાં છૂટા પૈસાની માથાકૂટ નિવારવાના ઉપાયો તથા સૌથી વધુ આ બસો અવિરત સેવા આપતી રહે તે જરૂરી છે. જામનગરમાં એક બસ રસ્તા વચ્ચે ખોટકાઈ ગઈ, તો સુરત, ગોંડલ, ઉપલેટા સહિતના શહેરોમાં માર્ગો પર ખાડાઓ કે વરસાદી પાણીના જલભરાવના કારણે ફસાઈ ગઈ હોવાના અહેવાલો પણ માર્ગોની મરામત, જલભરાવની સમસ્યા નિવારવા તથા 'સિસ્ટમ' સુધારવાની જરૂર જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર (ગ્રામ્ય) પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોલીસતંત્રે જે રક્તદાન કેમ્પ યોજ્યો અને તેમાં પોલીસ બેડાના જવાનો તથા અધિકારીઓએ બહોળી સંખ્યામાં જે રીતે રક્તદાન કરીને પોણાચારસોથી વધુ બોટલ બ્લડ એકત્રિત કર્યું, તેવા અહેવાલોએ હાલમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ તરફ લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.
પહેલુ એ મહત્ત્વનું અને આવકાર્ય છે કે પોલીસતંત્રે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદ માટે રક્તદાન કેમ્પ યોજીને સમાજ અને સમગ્ર દેશનું આ મુદ્દા તરફ ધ્યાન પણ ખેંચ્યું છે, અને થેલેસેમિયાની ગંભીરતા પણ સમજાવી છે. આ બીમારીથી ગ્રસ્ત બાળકો માટે આ રક્ત અમૃત જેવું જ છે જે તેઓને જીવન બક્ષે છે. પોલીસતંત્રની માનવતાલક્ષી બાજુ પણ ઉજાગર થઈ છે. તે ઉપરાંત થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સરકારી હોસ્પિટલોમાંથી કોઈપણ પ્રકારની પરેશાની વિના નિઃશુલ્ક રક્ત મળતું રહે અને નિયમિત રીતે લોહી ચડાવાય, તેમ જ આ પીડામાંથી ગુજરતા બાળકો અને પરેશાનીઓથી મુંઝાયેલા, અટવાયેલા વાલીઓ, માતા-પિતા અને પરિવારજનોને પણ બ્લડબેંક તથા થેલેસેમિયા વિભાગના તબીબો, નર્સીંગ સ્ટાફ તથા સિક્યોરિટી સ્ટાફ સહિત તમામની હૂંફ મળતી રહે, તેવા નિરંતર પ્રયાસોની જરૂર તરફ પણ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે, અને આ પવિત્ર કાર્ય સંપૂર્ણ સંવેદના તથા સહાનુભૂતિ સાથે કરતા સ્ટાફ તથા તબીબોની માનવીય સેવા તરફ પણ સૌનું ધ્યાન ખેંચાયું છે.
અત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની જીવાદોરી ડોનેટેડ બ્લડના આધારે જ લંબાતી હોય છે અને બોર્નમેરોના જટિલ અને રિસ્ક લેવા જેવી શસ્ત્રક્રિયા સિવાય થેલેસેમિયાનો કોઈ ઉપચાર ઉપલબ્ધ નથી, ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળક જન્મે જ નહીં, તે માટે જનજાગૃતિ ફેલાવવાની ઘણી જ જરૂરી છે. ઘણાં જ્ઞાતિ-સમાજોએ લગ્ન પહેલા જ વર-કન્યાના થેલેસેમિયા ટેસ્ટ કરાવીને આગમચેતી રાખવામાં આવે, તે માટે વિશેષ અભિયાનો આદર્યા છે, અને તદ્વિષયક માહિતી-માર્ગદર્શન અને વ્યવસ્થાઓ પણ કરવમાં આવી રહી છે. થેલેસેમિયા ટેસ્ટીંગ કેમ્પોના શ્રેણીબદ્ધ આયોજનો તથા બ્લડ ડોનેશનના મેગા કેમ્પો યોજવાની ઝુંબેશો ચાલી રહી છે, જે આવકારદાયક છે.
આમ છતાં, હજુ પણ આ વિષયે દરેક છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી વ્યાપક અને આયોજનબદ્ધ રીતે જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, અને તેમાં સરકારી મશીનરી તથા સ્થાનિક સામાજિક સપોર્ટના સુદૃઢ સંકલન તથા તદ્વિષયક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે એનજીઓઝ-સ્વૈચ્છિક, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના સતત સક્રિય સહયોગની જરૂર રહે છે. થેલેસેમિયા હાલમાં એક કાયમી સમસ્યા છે, અને તેની સામે લાંબી લડત લડવાની હોવાથી ઉક્ત પ્રકારના પ્રયાસો પણ સતત અને સક્રિયતાથી ચાલતા રહે તે જરૂરી છે. આપણે નવા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જન્મતા જ અટકાવવા તથા બે માઈનોર થેલેસેમિયાગ્રસ્ત પાત્રો દ્વારા માઈનોર થેલેસેમિયાગ્રસ્ત સંતાનો જન્મે જ નહીં, તેવા પ્રયાસો ખૂબ જ ઝડપથી વ્યાપક પ્રમાણમાં વધારવા જ પડે અને સતત ચાલુ જ રાખવા પડે તેમ છે.
થેલેસેમિયાગ્રસ્ત બાળકોના પરિવારજનો બોર્નમેરો મેચ થાય, તો પણ તેનું જટિલ અને પર્યાપ્ત ઓપરેશન કરાવવા માટે સરકારી હોસ્પિટલો ઉપરાંત જે હોસ્પિટલોમાં આ પ્રકારની શસ્ત્રક્રિયાઓમાં સારા રિઝલ્ટ આવતા હોય, તેવી ટ્રસ્ટ સંચાલિત કે ખાનગી હોસ્પિટલોમાં પણ ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોના બાળકોની શસ્ત્રક્રિયાઓ થાય, તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના જેવી જ કોઈ અલાયદી યોજના અમલી બનાવવી જોઈએ, જેમાં આ પ્રકારના ઓપરેશનો માટે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને તત્કાળ મદદ મળી રહે.
આ ઉપરાંત કેનદ્ર-રાજ્યસરકારોએ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટેની એવી અલાયદી વ્યવસ્થા કે કે રિઝર્વ બ્લડબેંકો ઊભી કરવી જોઈએ, જ્યાં બાળકોને નિયમિત અને ધક્કા ખાધા સિવાય જરૂરી બ્લડ પણ મળતું રહે અને તેના પરિવારોને વિવેકપૂર્ણ વ્યવહાર સાથે તબીબી તથા નર્સીંગ સિસ્ટમની હૂંફ પણ મળી રહે. આપણાં જ હજારો-લાખો બળકોની જિંદગીનો સવાલ હોવાથી કેન્દ્ર-રાજ્યકક્ષાએ અલાયદુ થેલેસેમિયા નિવારવા બોર્ડ ઊભું કરીને અને તેની સાથે સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી, ખાનગી હોસ્પિટલોને જોડીને તેના હેઠળ રાજ્યવાર થેલેસેમિયા નિવારણ બોર્ડ ઊભું કરીને અને તેની સાથે સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી, ખાનગી હોસ્પિટલોને જોડીને તેના હેઠળ રાજ્યવાર થેલેસેમિયા નિવારણ બોર્ડ અને જિલ્લાવાર અલાયદી અને સતત સક્રિય રહે તેવી જિલ્લા થેલેસેમિયા નિવારણ કમિટીઓ (વૈધાનિક રીતે) બને, જેમાં સંબંધિત તંત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સ્થાનિક જનપ્રતિનિધિઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીમંડળો રચીને તેનો સમાવેશ કરવામાં આવે તથા તેની સમયાંતરે બેઠકો યોજવા ઉપરાંત રોજીંદી કામગીરી અને પ્રવૃત્તિઓ માટે અલાયદુ મિકેનિઝમ ઊભું કરીને તેને રાજ્ય અને કેન્દ્રના આરોગ્ય વિભાગો દ્વારા ફંડીંગ કરવામાં આવે. એટલું જ નહીં, તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવે તે જરૂરી છે. આ પ્રકારની જિલ્લા સમિતિઓમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો જન્મ જ નહીં, તેની જનજાગૃતિમાં ઉપયોગી બનેે તેવી સંસ્થાઓ, વિશેષજ્ઞો અને લબ્ધપ્રતિષ્ઠિત સ્થાનિક અગ્રણીઓ તથા તબીબી જગતના નિષ્ણાતોને પણ સામેલ કરવા જોઈએ.
આ અનેવાંશિક બીમારી છે. દંપતીમાં બન્નેને માઈનોર થેલસેમિયા હોય તો મેજર થેલેસેમિયાગ્રસ્ત બાળક જન્મી શકે છે, અન આ પ્રકારની સંભાવનાઓને ટાળવા લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. તે ઉપરાંત ગર્ભાવસ્થાના ૧૧ થી ૧૬ મા અઠવાડિયા વચ્ચે પણ સીવીસી ટેસ્ટ કરાવાતો હોય છે. આ બધી તકેદારીઓ થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો જન્મદર ઘટાડવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય ગણાય.
આમ તો આ શુદ્ધ તબીબી જ્ઞાનનો વિષય છે, અને તે અંગે પૂરેપૂરી જાણકારી અને માર્ગદર્શન તો તબીબી નિષ્ણાતો તથા આરોગ્યતંત્ર જ આપી શકે, પરંતુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સંખ્યા વધતી અટકાવવા-ધીમે ધીમેે ઘટાડવા અને થેલેસેમિયા પર કાબૂ મેળવવા માટે ભગીરથ પ્રયાસો કરવા જરૂરી છે. હાલમાં થતાં પ્રયાસો 'ઊંટના મૂખમાં જીરૃં' જેવા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશભરની મહાનગરપાલિકાઓ અને રાજ્ય સરકારોનો સુપ્રિમ કોર્ટે જે મુદ્દે કાન આમળ્યો છે, તે સીધો જનતાને તો સ્પર્શે જ છે, પરંતુ 'સિસ્ટમ' માટે પણ શરમજનક ગણાય, જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત આ પ્રકારની ટકોર કરે, ત્યારે તેની દેશવ્યાપી અને દૂરગામી અસરો થતી જ હોય છે. સુપ્રિમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય તંત્રોને સાંકળીને જે વ્યાપક ટકોરો કરી છે, તે ઘણી વખત સામાન્ય જનતામાં પણ ચર્ચાતો વિષય છે, અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ટકોર જામનગર સહિત દેશભરની મહાનગરપાલિકાઓ અને મ્યુનિસિપાલિટીઓ તથા રાજ્ય-કેન્દ્ર સરકારોની ટોપ ટુ બોટમ બ્યુરોકેસીને પણ લાગુ પડે છે.
હકીકતે એક ચોક્કસની સુનાવણી દરમિયાન તાજેતરમાં બનેલી જીવલેણ હોનારતોને ટાંકીને સુપ્રિમ કોર્ટે આપેલી સૂચનાઓ કે આદેશોની અમલવારી સામે અત્યંત નારાજગી વ્યક્ત કરતા સુપ્રિમ કોર્ટે જે કાંઈ કહ્યું છે, જે દેશભરના શાસકો-પ્રશાસકો માટે ઝટકા સમાન તેમજ શરમજનક છે.
દિલ્હીના સાકેત વિસ્તારમાં જર્જરિત વિમાન ધરાશાહી થવી, માલવિયા નગરની આગ, લખનૌના અલીજંગના કોચિંગ સેન્ટરમાં લાગેલી ભયાનક આગ સહિતના ઘટનાક્રમોમાં તંત્રોની મિલીભગત, ભ્રષ્ટ નીતિ-રીતિ અથવા સખ્તાઈપૂર્વક અંગુલી નિર્દેશ કર્યો છે. દિલ્હીમાં ગેરકાયદેસર રીતે બહુમાળી ઈમારતો ખડકી દેવાઈ, અને તે તૂટી પડી, સાકેતની દુર્ઘટનામાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા, તો લખનૌની ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં લાગેલી ભીષણ આગ ૧પ નિર્દોષ લોકોને ભરખી ગઈ, તેવો ઉલ્લેખ કરીને સુપ્રિમ કોર્ટે સરકારી તંત્રોની આકરી ઝાટકણી કાઢી, તેને વ્યાપક આવકાર આપતા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
સુપ્રિમ કોર્ટની બે જજોની બેન્ચે જ્યારે કહ્યું કે કાયદો માત્ર દેખાડો કરવા માટે નથી. અદાલતે કહ્યું કે તંત્રો દ્વારા માત્ર ફેઈસ સેવીંગ એક્સરસાઈઝ થઈ રહી છે, એટલે કે આ પ્રકારની દુર્ઘટનાઓને છાવરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અદાલતે સામાન્ય જનતામાં વ્યાપી રહેલી જનભાવનાઓ તથા આશંકાઓને વાચા આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટનાઓ પછી મકાનમાલિકો, બિલ્ડરો વગેરે સામે કાર્યવાહી થાય છે, પરંતુ આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ હોય, તે વિસ્તારના તદ્વિષયક સંબંધિત અધિકારીઓ સામે કોઈ પગલાં જ લેવાતા નથી, જે ઘણી જ ગંભીર બાબત ગણાય.
અદાલતે ગેરકાયદે બાંધકામોના સંદર્ભે પૂછ્યું કે, આ પ્રકારના ગેરકાયદે કૃત્યો-બાંધકામો પકડાય છે, ત્યારે માત્ર બિલ્ડરો સામે જ કાર્યવાહી થાય છે, પરંતુ પાયાના નિયમોના લીરેલીરા ઊડ્યા હોય, તેવા વિસ્તારોના સંબંધિત અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કેમ થતી નથી. દિલ્હી એમસીડીના અધિકારીઓની મિલીભગતથી જ બેફામ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા હોવાની ટકોર પણ થઈ હતી.
મે મહિનામાં અદાલતે આપેલી સૂચનાઓ તથા વ્યક્ત કરેલી ચિંતાઓમાં સર્વોચ્ચ અદાલતની નારાજગી સ્પષ્ટપણે પડઘાય છે. કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું કે જો આવું જ ચાલશે તો સીધી જ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરીને લેખિતમાં સ્પષ્ટ આદેશો અપાશે, જે ઘણાં લોકો (અધિકારીઓ) ને ભીંસમાં મૂકશે. અદાલતનો ઈશારો ભ્રષ્ટ તંત્ર અને નેતાગીરીની મિલીભગત તરફ હોય તેવો આભાસ ઊભો થયો હતો.
સર્વોચ્ચ અદાલતે હકીકતે ખૂબ જ કડક અભિગમ અપનાવીને દિલ્હીની આઈઆઈટીના બે પ્રોફેસરો તથા બે ડ્રાફ્ટ્સમેનની એક સ્પેશ્યલ ઈન્સ્પેક્શન ટીમ બનાવવાનું ફરમાન પણ કર્યું છે. આ ટીમ એમસીડીના અધિકારીઓ સાથે સંકલન કરીને ઉક્ત તમામ ગેરકાયદે બાંધકામોની તલસ્પર્શી અભ્યાસ કરીને પોતાનો અહેવાલ અદાલતને સુપ્રત કરશે, અને આ સમગ્ર પ્રક્રિયાનું નિયમન એડિશનલ સોલીશીટર જનરલને સોંપાયું, તે અદાલતની આ મુદ્દે ગંભીરતા દર્શાવે છે. આ સંબંધિત રાજ્યો ઉપરાંત તામિલનાડુની નવી સરકારને પણ તામિલનાડુમાં થયેલા ગેરકાયદે બાંધકામો સામે લેવાયેલા પગલાંનો રિપોર્ટ માંગ્યો છે.
આ તમામ સુનાવણી અને સુપ્રિમ કોર્ટનું સખ્ત વલણ 'સિસ્ટમ'ની નફ્ફટાઈ અને પોલંપોલને પણ ઉજાગર કરે છે.
આ દેશવ્યાપી મુદ્દો જે રાજ્યોના માધ્યમથી ચર્ચાયો અને સુપ્રિમ કોર્ટે એમસીડી અને દિલ્હીની રાજ્ય સરકારની સિસ્ટમને લતાડ લગાવી હોવાથી દિલ્હીની સર્વાધિક ચર્ચા થઈ રહી છે, અને ત્યાં 'ત્રિપલ' એન્જિનની સરકાર છે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ભાજપની તથા તામિલનાડુમાં નવી રાજકીય પાર્ટી સત્તામાં છે, તેથી સ્વાભાવિક રીતે જ તેની જ આલોચના સંભળાય, પરંતુ વાસ્તવમાં જામનગર, ગુજરાત સહિત દેશભરમાં મોટાભાગની મહાનગરપાલિકાઓ અને શાસન-પ્રશાસનમાં સમાન સિસ્ટોમેટિક સડો વ્યાપી ગયો છે, અને તે તમામ રાજકીય પક્ષોને 'ભેદી' કારનામાઓ દ્વારા ભેદી શકે છે, તેથી હવે જનતાએ જ વધુ જાગવાની જરૂર છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશ અને રાજ્યમાં આઝાદી પછી ઘણી સરકારો બદલાઈ, અને તેની સાથે બ્યુરોક્રેટ્સ પણ બદલાતા રહ્યા, નેતૃત્વ બદલાયું, શાસક પક્ષો વિપક્ષમાં અને વિપક્ષી નેતાઓ શાસનમાં આવ્યા, ગયા ને બદલતા રહ્યા, વહીવટી તંત્રમાં અમલદારો બદલાતા રહ્યા, પરંતુ સરકારી રીત-રસમો, નીતિ-રીતિઓ, શાસન પદ્ધતિ કે અમલદારશાહી બદલી નહીં. આપણાં દેશમાં કેટલાક રાજાશાહી સમયના તો કેટલાક બ્રિટિશ સરકારના સમયના કાયદાઓ ચાલી રહ્યા છે. કેટલાક કાયદાઓ રદ્ થયા, કેટલાક બદલાયા, કેટલાક સુધારાયા અને કેટલાક નવા કાયદા ઘડાયા, પરંતુ સિસ્ટમ, નીતિ, પદ્ધતિ, અમલદારશાહી કે રીત-રસમો બદલી જ નહીં. આ પ્રકારની માન્યતાના ઘણાં દૃષ્ટાંતો આપણા દેશમાં ટોપ-ટુ-બોટમ મળતા જ રહ્યા છે. આપણાં દેશમાં સ્થાનિક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ દેશની જનતાએ ઘણી વખત આમૂલ પરિવર્તન થઈ જાય, તેવા જનાદેશો આપ્યા અને શાસનો બદલાતા રહ્યા, પરંતુ 'સિસ્ટમ', માનસિક્તા અને નીતિ-રીતિ બહું બદાલાય જ નહીં!!!
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ અને તેની સાથે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ થઈ. એક વખત ફરીથી ભારતીય જનતા પક્ષને પ્રચંડ જનાદેશ મળ્યો, તે પછી જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો નક્કી કરવામાં હાઈકમાન્ડે થોડી વાર લગાડી, અને તે દરમિયાન નવા બોડી અને ખાસ કરીને મેયર, ડે. મેયર, મહત્ત્વપૂર્ણ ગણાતી સ્થાયી સમિતિ (સ્ટેન્ડીંગ કમિટી) ના ચેરમેન તથા અન્ય હોદ્દેદારો કોણ બનશે, તેની અટકળો ચાલી, ઘણાં નામો ચર્ચાયા, પરંતુ ભાજપની વિશેષતા મુજબ તદ્ન નવા જ ચહેરાઓની પસંદગી થઈ અને આ નવા હોદ્દેદારોએ હવાલોએ હવાલો સંભાળી લીધો.
જામનગરના નવા મેયર અને હોદ્દેદારો ર૬ મી મે-ર૦ર૬ ના હવાલો સંભાળ્યો, અને તે સમયે નગરજનોને આશા જાગી હતી કે હવે તદ્ન નવા અને ઉત્સાહી હોદ્દેદારો ફટાફટ નગરની સમસ્યાઓનું નિવારણ કરશે અને તમામ સેવાઓને નિયમિત અને ઝડપી બનાવી દેશે.
બીજી તરફ નવા હોદ્દેદારોએ કામકાજ સંભાળ્યું, તેના એકાદ અઠવાડિયા પહેલા જ જામનગરમાં નવા મ્યુનિસિપલ કમિશનર મૂકાયા હતાં. તેઓએ હવાલો સંભાળતા જ પ્રારંભમાં ઘણી જ સક્રિયતા દાખવી હતી અને કેટલાક મુદ્દે ઊંડો રસ દાખવ્યો હતો. નગરના પ્રશ્નો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો, તેવી જ રીતે મેયર, ડે. મેયર, ચેરમેન સહિતના હોદ્દેદારો પણ પ્રારંભમાં તંત્ર સાથે સંકલન કરીને કેટલાક મુદ્દે ઝડપી નિર્ણયો લેવાનો પ્રયાસ કર્યો હતો, તથા પહેલેથી જ તેઓ નગરના મુખ્ય પ્રશ્નો, નગરજનોની સમસ્યાઓ તથા અપેક્ષાઓથી માહિતગાર હોવાથી તદ્વિષયક મુદ્દાઓ ઊઠાવ્યા હતાં.
નગરમાં થતી ચર્ચા મુજબ નેતૃત્વ અને સત્તાધીશો બદલાયા છે, પરંતુ નીતિ-રીતિ, કાર્યપદ્ધતિ અને 'સિસ્ટમ' બદલતા વાર લાગવાની છે, કારણ કે તે માટે નક્કર નિષ્ઠા, ધમધમતી તત્પરતા અને ઝનૂન હોવું જોઈએ, જે નવા અધિકારી-પદાધિકારીઓએ કેળવવું જ પડશે. જન-પ્રત્યાઘાતોમાંથી જ એવા સૂર પણ સંભળાઈ રહ્યા છે કે હજુ તો નવા મ્યુનિ. કમિશનર અને નવા મેયર તથા નવી બોડીને ત્રણ મહિના પણ થયા નથી, તેથી તેઓને સમય આપવો જોઈએ, અને તેલ અને તેલની ધાર જોયા પછી જ અંતિમ અભિપ્રાય સુધી પહોંચવું જોઈએ.
એ વાત સાચી છે કે એવી માન્યતામાં દમ છે કે સત્તા બદલાય, પરંતુ સિસ્ટમ બદલાય નહીં, નેતા બદલાય પણ નીતિ બદલાય નહીં, અમલદાર બદલાય, પરંતુ 'અમલ', એટલે કે કાર્યપદ્ધતિ બદલાય નહીં, પરંતુ એવા દૃષ્ટાંતો પણ છે કે જ્યારે આ જ શાસકો-પ્રશાસકો મક્કમ નિર્ધાર કરે, પ્રામાણિક પ્રયાસો કરે, પ્રબળ ઈચ્છાશક્તિ દાખવે અને ભ્રષ્ટાચાને પનપવા ન દ્યે, તો કાંઈપણ કરી શકાય છે, અને જનતાની અપેક્ષાઓ સંતોષી શકાય છે.
અત્યારે જામ્યુકોમાં પદાધિકારીઓ પણ નવા છે અને મુખ્ય અધિકારી એવા મ્યુનિ. કમિશનર પણ જામનગરમાં નવા મૂકાયા છે. નવા બોડી પાસે તેના સિનિયર અને અનુભવી વરિષ્ઠ સાથીદારોનું માર્ગદર્શન છે, જ્યારે મ્યુનિ. કમિશનર પાસે પણ અનુભવી સહયોગીઓ છે, અને સ્વયં તાલીમબદ્ધ અને ઉત્સાહી છે. તેથી આ શાસકો-પ્રશાસકો પાસેથી નગરજનો એવી આશા રાખે છે કે તેઓ અયોગ્ય 'સિસ્ટમ'ને જનલક્ષી 'સિસ્ટમ'માં બદલે અને આ પ્રકારનું લક્ષ્ય હાંસલ કરવામાં નવા પદાધિકારીઓના સહયોગી બને, તથા પરસ્પર પૂરક બને.
બસ, એટલું જ ધ્યાન રાખવાનું છે કે, સ્થાપિત હિતો, ભ્રષ્ટ પરિબળો અને ખુશામતખોર લેભાગુ તત્ત્વોને પોતાની નજીક ફરકવા જ ન દ્યે, અને ખાસ કરીને કૌભાંડિયા ગરબડદાઓથી હંમેશાં સાવધાન રહે...
આઝાદી પહેલા અને પછીના ઈતિહાસમાં એવા ઘણાં પદાધિકારીઓ અને અધિકારીઓ પણ નોંધાયા છે, જેને દાયકાઓ અને સદીઓ પછી પણ યાદ કરે છે... ચૂંટણીઓ જીતવી સહેલી છે, પણ લોકોના દિલ જીતવા અઘરા છે, અને જેઓ લોકોના દિલ જીતી લ્યે છે, તેઓને ક્યાંય મતો માટે મથવું પડતું હોતું નથી. તેવી જ રીતે લોકોના દિલ જીતનાર કેટલાક બ્યૂરોક્રેશ પણ ઈતિહાસમાં સૂવર્ણ અક્ષરે નોંધાયા છે...ગોલ્ડન ચાન્સ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની વાતો વચ્ચે ઈરાન-અમેરિકા વચ્ચે થંભી ગયેલા યુદ્ધમાં પલિતો ચપાયો છે, અને ઈરાનના અટકચાળા પછી અમેરિકાએ ફરી એરસ્ટ્રાઈક કરી છે, તો બીજી તરફ વિશ્વના ભારત સહિતના ઘણાં તટસ્થ દેશો વિશ્વમાં શાંતિની સ્થાપનાના હિમાયતી છે. વિશ્વમાં વાતાવરણ ડહોળાયેલું છે, તેવા સમયે વિશ્વશાંતિની વકીલાત કરતા દુનિયાના તટસ્થ દેશો યુદ્ધોના બદલે વિવાદાસ્પદ મુદ્દાઓ વાતચીત અને સમજદારીથી ઉકેલવાની હિમાયત પણ કરતા રહ્યા છે, તેથી ટ્રમ્પની તુમાખી અને પુતિનની જીદ્ વચ્ચે હાલતુરત વિશ્વમાં વ્યાપક શાંતિના મંડાણ થશે, તેવી આશા ઠગારી નિવડતી જણાય છે.
તકલીફ એ છે કે શાંતિદૂત બનવા નીકળેલા અને શાંતિના નોબેલ પુરસ્કારનો અભરખો રાખનારા ટ્રમ્પે પોતે જ ઈઝરાયલ-ઈરાનના યદ્ધ વચ્ચે ઝંપલાવીને યુદ્ધ વહોરી લીધું, અને દુનિયાની મહાસત્તા હોવા છતાં ઈરાનને વટથી હરાવી કે ડગાવી નહીં શકનાર અમેરિકાની છબિ પણ ખરડાઈ તેથી ઘરઆંગણે અમેરિકામાં જ ટ્રમ્પનો વિરોધ વધુ વકરી રહ્યો છે.
એક તરફ યુદ્ધો ખતમ કરીને વૈશ્વિક શાંતિ સ્થાપવાના સામૂહિક પ્રયાસો નિષ્ફળ બની રહ્યા છે, તો બીજી વિશ્વના ઘણાં દેશોમાં આંતરિક અશાંતિ, વિદ્રોહ અને આઝાદીના આંદોલનોના કારણે ગૃહયુદ્ધો ગતિ પકડી રહ્યા છે, જેમાં ભારતના બે પડોશી દેશોમાં ચાલતા ગૃહયુદ્ધો મોખરે જણાય છે. આ ગૃહયુદ્ધો કોઈ બે દેશો વચ્ચે ચાલતા સશસ્ત્ર યુદ્ધો જેવા જ હોવાથી વૈશ્વિક ચિંતા વધી રહી છે.
તે ઉપરાંત વિશ્વના ઘણાં દેશોમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. સિરિયામાં તો લાંબા સમયથી આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈંક્રોન સિરિયાના પ્રવાસે હતાં, ત્યારે જ થયેલો વિસ્ફોટ આંતરિક ખેંચતાણનું જ પરિણામ છે, જો કે બશર-અલ-રશીદ સિરિયાના શાસક બન્યા પછી માહોલ બદલાયો છે, અને વિવિધ દેશો સાથે સંબંધ સુધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિદ્રોહીઓ તેમાં અવરોધ ઊભા કરતા રહેતા હોવાથી બશર-અલ-રશીદને આંતરવિગ્રહનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે મૈંક્રોને પ્રવાસ યથાવત્ રાખીને વિદ્રોહીઓને જવાબ આપી દીધો છે, પરંતુ આ આંતરયુદ્ધ પડકારરૂપ તો છે જ...
ભારતના પડોશમાં પણ આંતરવિગ્રહની ઘટનાઓ બની રહી છે. મ્યાનમારમાં રખાઈન રાજ્યમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. મ્યાનમારના સૈન્ય શાસન સામે રખાઈનની આઝાદીની માગણી સાથે અરાકાન આર્મી ગૃહયુદ્ધ કરી રહી છે. બૌદ્ધ સશસ્ત્ર સમૂહે અરાકાન સેનાની રચના કરીને રખાઈનને મ્યાનમારથી સ્વતંત્ર કરવા આદરેલી લાંબી લડત રંગ લાવી રહી છે, અને લોકતંત્રની સ્થાપનાની દિશામાં ચાલી રહેલી લડતને સફળતા મળવાના સંજોગો ઉજળા થવા લાગ્યા છે. મ્યાનમારની તાત્માડો સેના અને રખાઈનની અરાકાન આર્મી વચ્ચેનું ગૃહયુદ્ધ લાંબા સમયથી ચાલે છે, અને હવે અરાકાન આર્મીનું વર્ચસ્વ વધી રહ્યું છે.
હાલમાં અરાકાન આર્મીએ રખાઈન સ્ટેટના મહત્તમ હિસ્સા પર કબજો મેળવ્યા પછી ત્યાંના સ્થાનિક વહીવટી, આર્થિક અને કાયદાકીય સરકારી કામકાજો પણ સંભાળી લીધા છે, અને હવે રખાઈનને સ્વતંત્ર લોકતાંત્રિક દેશ ઘોષિત કરવાની માંગણી પણ વધુ ને વધુ તીવ્ર બની રહી છે.
ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં તો એકથી વધુ આંતરયુદ્ધો ચાલી રહ્યા છે. લાંબા સમયથી બલુચિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કરવાની માંગણી સાથે બી.એલ.ઓ. એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાનની સેના સાથે ગૃહયુદ્ધ લડી રહી છે.
બલુચ સંસ્કૃતિઓના રક્ષણ તથા લોકતાંત્રિક શોષણથી મુક્ત શાસન માટે આ આંદોલન ચાલી રહ્યું છે. પાકિસ્તાન સરકાર અને સેના તેઓને ઉગ્રવાદી ગણાવે છે, જ્યારે બલુચો આ સંગઠનને ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક સંગઠન માને છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા, ત્યારે પાકિસ્તાન સાથે મહત્તમ બલુચો જોડાવા માંગતા નહીં હોવા છતાં તે સમયે પાકિસ્તાન તરફી પરિબળોએ બલુચિસ્તાન પર કબજો જમાવી દીધો અને તે માટે ખૂનખરાબા થયા, એ અલગ ઈતિહાસ છે. હવે બલુચિસ્તાન પાકિસ્તાનની સેનાને જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે, અને પાકિસતાનથી અલગ સ્વતંત્ર લોકતાંત્રિક ધર્મનિરપેક્ષ દેશ તરીકે માન્યતા મેળવવા માંગે છે.
બીજી તરફ પીઓકેમાં પાકિસ્તાનની સરકાર અને સેના સામે પીઓકેની પ્રજાએ બળવો કર્યો છે. પીઓકેના લોકો પાકિસ્તાનથી વાસ્તવમાં આઝાદી ઈચ્છે છે. આ માટે જમ્મુ-કાશ્મીર અવામી એક્શન કમિટીની રચના થઈ છે. પાકિસ્તાનની સેનાના અત્યાચારો તથા પાકિસ્તાન સરકારની ભેદભાવભરી પક્ષપાતપૂર્ણ નીતિ સાથે કહેવાતા આઝાદ કાશ્મીર પર દમન અને અવગણના સામે જેએએસીની આ ચળવળ આઝાદી પહેલાની અંગ્રેજો સામેની સ્વાતંત્ર્ય ચળવળની યાદ અપાવી રહી છે. પીઓકેમાં લોકો સડકો પર ઉતર્યા છે અને આઝાદીની માંગણી કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનની સરકાર અને સેનાએ પીઓકેમાં જતો દૂધ-શાકભાજી-જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પણ રોકી દેતા વિદ્રોહ વધુ વકર્યો છે. પીકોએના રાવલકોટ, મીરકોટ, કોટલી અને મુઝફ્ફરાબાદ સહિત અનેક સ્થળે પાકિસ્તાનની નિર્દય સેનાના અત્યાચારોનો સામનો કરીને લોકો સડકો પર ઉતર્યા છે અને નારેબાજી કરી રહ્યા છે. આ આંદોલનને કચડી નાખવા હિંસક દમન સાથે પાકિસ્તાનની સેનાએ સેંકડો લોકોને ગિરફ્તાર કર્યા છે, જેની સામે આંદોલનકારીઓએ પણ સ્વાતંત્ર્ય ચળવળ સમયના 'જેલભરો' આંદોલન જેવી ચળવળ શરૂ કરી છે. આંદોલનકારીઓએ પીઓકેને પાકિસ્તાનથી આઝાદ કરવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે.
આ ઉપરાંત સુદાન, નાઈઝીરિયા, સોમાલિયા, બુર્કિના ફાસો, માલી સહિતના ઘણાં દેશોમાં સરકાર સામે બળવાખોર જુથોની નાની-મોટી લડાઈઓ ચાલી રહી છે.
વિવિધ દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય યુદ્ધો કરતા યે ગૃહયુદ્ધો વધુ ખતરનાક હોય છે, કારણ કે દેશો વચ્ચેના યુદ્ધો માટે કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમ-કાયદાઓ તથા પરંપરાઓ છે, જ્યારે ગૃહયુદ્ધમાં કોઈ ચોક્કસ નિયમ-કાયદાઓ યુદ્ધોને અંકુશિત કે નિયંત્રિત કરતા નથી કે સરકારોનું નિયમન કરી શકતા હોતા નથી. પીઓકે અને રખાઈનની આઝાદીની લડાઈમાંથી બે નવા લોકતાંત્રિક દેશ બને કે પીઓકે ભારતમાં ભળી જાય તેવા સંજોગો છે. બીજી તરફ ચીને તાઈવાન ફરતે કરેલી કિલ્લેબંધી પણ વૈશ્વિક ચિંતાનું કારણ બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રાત્રે જામનગરમાં ગાજવીજ સાથે ઝરમરિયા ઝાપટાં શરૂ થયા અને મેઘાવી માહોલ જામ્યો, અને ઠંડક પ્રસરી તે પછી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી હાલારીઓ વરસાદની ચાતકડોળે રાહ જોઈ રહ્યા હતાં. આ વર્ષે ચોમાસું મોડું થયું અને અલનીનો નામનો અસુર આડો ફરતા તેની ગતિ પણ ધીમી પડી ગઈ. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી ગયો, પરંતુ હાલાર સહિત ચાર-પાંચ જિલ્લાઓમાં નહીંવત્ વરસાદ પડતા ચિંતા પ્રસરી છે, તેવામાં ગઈકાલે થયેલા અમીછાંટણા પછી હાલારીઓના હૈયે નવી આશા જન્મી છે અને ટાઢક પણ વળી છે, પરંતુ ગોરંભાયેલા વાદળછાંયા વાતાવરણ છતાં મેઘો મન મૂકીને વરસી રહ્યો નહીં હોવાથી હાલારના મોટાભાગના વિસ્તારોમાં લોકો ચિંતિત છે, અને દ. ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની જેમ સંતોષકારક વરસાદ પડી જાય, તે માટે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે. આજે પણ સવારથી વાદળછાંયા વાતાવરણના કારણે છવાયેલા મેઘાવી માહોલે લોકોની આશાને જિવંત રાખી હતી. ગત્ રાત્રે પણ જામનગર સહિત હાલારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં.
જો કે, ગુજરાતના લગભગ સવાબસ્સો તાલુકાઓમાં વરસાદ પડતા રાજ્યમાં હવે સૂકો દૃષ્કાળ તો નહીં પડે, અને હજુ પણ જરૂરી વરસાદ વરસતો રહેશે તો વર્ષ સારૂ જશે, તેવા અનુમાનો થઈ રહ્યા છે.
ગઈકાલે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી કરી દીધી, જેથી કેટલાક સ્થળે જનજીવન ખોરવાયું, પરિવહન અટવાયું અને સડકો પર સરિતાઓ વહેતી થઈ હોવાના અહેવાલો હતાં, તો આજે સવારથી જ થઈ રહેલા રાજ્યવ્યાપી વરસાદના કારણે કેટલાક સ્થળે સમસ્યાઓ સર્જાઈ રહી હોવાના દૃશ્યો ખડા થયા છે, તેમ છતાં લોકો ખુશખૂશાલ છે, કારણ કે વરસાદ ખેંચાયો અને તે પહેલાથી અલનીનોના કારણે આ વર્ષે વરસાદના અભાવે કે અલ્પવૃષ્ટિના કારણે દુષ્કાળ પડશે, તેવી આગાહીઓ તથા અનુમાનો થઈ રહ્યા હતાં.
જામનગરમાં તો ગઈકાલે પણ એક જર્જરિત ઈમારતનો હિસ્સો ભારે વરસાદમાં ધરાશાયી થયો હોવાની ઘટના પછી એવી ટીકા થઈ રહી છે કે નગરના જર્જરિત મકાનોને નોટીસો અપાઈ હોય અને તેનું અનુસરણ કરાયું હોય, તો આવી ઘટનાઓ બનવી જ ન જોઈએ. બીજી તરફ એવી આલોચના પણ થઈ રહી છે કે આ વખતે વરસાદ ખેંચાયો અને ચોમાસું મોડું બેઠું હોવા છતાં હજુ પણ જામ્યુકોની પ્રિ-મોન્સુન કામગીરી પૂરી થઈ ન હોય, તો તે શરમજનક છે.
આ વખતે વરસાદની પેટર્ન એવી જણાય છે કે જ્યાં પડે છે, ત્યાં દે ધનાધન... ભારેથી અતિભારે વરસાદ પડે છે અને કેટલાક વિસ્તારોમાં માત્ર છાંટાછૂટી પડે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો હજુ વરસાદના છાંટા પણ પડ્યા નથી, તેથી આ વર્ષે દુષ્કાળ કે અર્ધઅછત જેવી સ્થિતિ ઊભી નહીં થાય, તો પણ કેટલાક અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિની અસર ધરાવતા વિસ્તારોમાં ખેતી બચાવવા તથા આગામી ઉનાળા સુધી પીવાના પાણીની વિશેષ વ્યવસ્થાઓ કરવી પડશે, જેથી આ વર્ષે નર્મદા ડેમ સહિતના જળાશયોમાં જળસંગ્રહનું જતન કરીને કાળજીપૂર્વક વોટરમેનેજમેન્ટ કરવું જ પડશે.
એક તરફ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ હાલાર-કચ્છ વિગેરે જિલ્લાઓમાં હજુ અમીછાંટણા કે જોરદાર ઝાપટાં જ પડી રહ્યા છે, તેમાં પણ કેટલાક તાલુકાઓ તો કોરા ધાકોડ છે. તેથી વોટર મેનેજમેન્ટની સાથે જરૂર પડ્યે પશુધનને બચાવવા તથા ખેડૂતો-પશુપાલકો-ગોશાળાઓ તથા પાંજરાપોળોને મદદરૂપ થવા માટેના વૈકલ્પિક આયોજનો અત્યારથી જ વિચારીને જરૂરી મંજુરી મેળવી લેવી જોઈએ, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તરત જ એક્શન લઈ શકાય અને જનતા-જનાર્દનને મદદ કરી શકાય, જો કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતાની શાસન-પ્રશાસનની માનસિક્તા હોવાથી આ પ્રકારની આશા ઘણી વખત નઠારી પૂરવાર થતી હોય છે, પરંતુ આવતું વર્ષ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી આ વર્ષે તો શાસકો અને રાજનેતાઓ 'જાગૃત' રહેશે, તેવી આશા પણ છે...!
જામનગર સહિત હાલારમાં ઘણાં સ્થળે 'વરસાદના ચાર છાંટ પડ્યા નથી ને લાઈટ ગઈ નથી'નું વ્યંગાત્મક સૂત્ર સાર્થક જ કરવું હોય તેમ ઠેર-ઠેર વીજળીરાણી રિસાયા હતાં અને ક્યાંક લબૂક...ઝબૂક, ક્યાંક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો, તો ઘણાં સ્થળે લો વોલ્ટેજની સમસ્યા સર્જાઈ છે. આ વર્ષે અસહ્ય ગરમી પડી હોવાથી લોકોએ ગ્રામ્ય વિસ્તારો સહિત એરકન્ડીશન્ડ મશીનો (એ.સી.) ફીટ કરાવવી દીધા અને એક જ ઘરમાં બે-ત્રણ કે તેથી વધુ એ.સી. ફીટ કરાવ્યા અને તેટલી ક્ષમતા માટેનું નિયમાનુસાર અપગ્રેડેશન પોતાના ઘર કે વ્યવસાયના સ્થળોમાં નહીં કરાવતા ઠેર-ઠેર અંધારપટ જેવા દૃશ્યો પણ ઊભા થયા હતાં, તો જ્યાં ભારે વરસાદ થયો છે, તેવા જિલ્લાઓમાં કેટલાક સ્થળે વીજપોલ પડી જતા કે વીજવાયરો ધ્વસ્ત થતા પણ વીજ સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તો કેટલાક સ્થળે સાવચેતી ખાતર કામ ચલાઉ ધોરણે વીજપુરવઠો બંધ કરાયો હશે, જે હોય તે ખરૂ, પરંતુ હવે જુના જમાનાની જેમ કલાકો કે દિવસો સુધી વીજપુરવઠો ખોરવાઈ જાય, તેવું ચાલે તેમ નથી અને ઉહાપોહ મચે તેમ હોવાથી સંબંધિત તંત્રોએ સાવચેતી અને સક્રિયતા રાખવી અનિવાર્ય બની ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભૂતકાળમાં હાલાર, બરડો અને સોરઠનો દરિયાકાંઠો દાણોચોરી માટે કુખ્યાત હતો, અને તેમાં પણ હાલારના દાણોચોરો તો વિશ્વકુખ્યાત હતાં... એ સમયે દાણચોરીને માત્ર કાનૂની મુદ્દો ગણવામાં આવતો હતો, પરંતુ પછીથી લોકોમાં જાગૃતિ આવી તો બીજી તરફ શાસકોએ પણ બિનજરૂરી નિયંત્રણો હળવા કરવાની નીતિ અપનાવી. વર્ષ ૧૯૯૦ થી ર૦૦૦ ના દાયકામાં આપણા દેશે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી જે કિંમતી ચીજવસ્તુઓની દાણચોરી થતી હતી, તે પૈકીની ઘણી વસ્તુઓ આપણા દેશના માર્કેટમાં ઉપલબ્ધ બની તો કેટલાક ઉત્પાદનો આપણા દેશમાં જ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ થકી ઉપલબ્ધ થવા લાગ્યા. તે પછી તે જ નેટવર્કે હથિયારો અને ડ્રગ્સ જેવી ગેરકાનૂની ચીજોના દાણચોરીનો માર્ગ અપનાવ્યો છે, અને આ આંતરરાષ્ટ્રીય સ્મગલીંગ ગેન્ગની દિશા પણ બદલી ગઈ છે. આ પ્રકારના દાણચોરો કોઈપણ દેશને વફાદાર હોતા નથી કે કોઈનાય સગા હોતા નથી.
આ જ રીતે 'ઈમાનચોરી' કરતા પરિબળો પણ કોઈ દેશના વફાદાર, કોઈ ધર્મ-સંપ્રદાયના વાહક કે કોઈના યે સગા હોતા નથી. લાંચ-રૂશ્વત લઈને ખોટા કામ કરનારા, બોગસ દસ્તાવેજો કરીને મિલકતો હડપનારા, તોતિંગ વ્યાજના ચક્રમાં ફસાવીને લોકોનું સર્વસ્વ લૂંટી લેતા ગેરકાનૂની વ્યાજખોરો, સાઈબર ક્રાઈમ કે લોકોને લાલચ આપીને છેતરતા ઠગો, મિલકત કે ધન-સંપત્તિ માટે પોતાના જ પરિવારજનો સાથે વિશ્વાસઘાત કરતા આપ્તજનો અને જનતાને ખોટા વાયદાઓ કરીને મતો મેળવ્યા પછી મસમોટા કૌભાંડો કરતા રાજનેતાઓ 'ઈમાન' ચોરો છે, અને તેનામાં અને દાણચોરોમાં તફાવત એ છે કે દાણચોરો દેશના કાયદાનો ભંગ કરીને કાનૂનની-બંધારણની આત્મા પર પ્રહાર કરે છે, જ્યારે અન્ય ઉક્ત વિવિધ પ્રકારના 'ઈમાન' ચોરો તો દેશ-સમાજના કાયદા-સિદ્ધાંતો ઉપરાંત જનવિશ્વાસની પણ હત્યા કરે છે.
દાણચોરો કરતા યે 'દાનચોરો'ને વધુ ખતરનાક ગણી શકાય. દાણચોરો દેશ અને દેશવાસીઓને છેતરીને 'કમાઈ' લેવાના કારસ્તાન કરે છે, જ્યારે 'દાનચોરો' તો તેનાથી આગળ વધીને દેશ અને દેશવાસીઓ ઉપરાંત ઈશ્વરને પણ છેતરે છે. આ મુદ્દો અત્યારે દેશનો સર્વાધિક મુદ્દો છે, કારણ કે આસ્થાળુઓના વિશ્વાસ અને શ્રદ્ધાઓ પર 'દાનચોરો'એ કઠુરાઘાત કર્યો છે.
ભૂતકાળમાં જ્યારે દાણચોરો પકડાતા ત્યારે પણ તેઓની સામે તપાસ થતી, અને કાનૂની કાર્યવાહી થતી હતી. તે સમયે પણ દાણચોરો દોષિત પૂરવાર ન થાય, ત્યાં સુધી તેને નિર્દોષ ગણવામાં આવતા હતાં, તેવી જ રીતે કટ્ટર ઈમાનદારો પર પણ જ્યાં સુધી આરોપો પૂરવાર થાય નહીં, ત્યાં સુધી તેઓને દોષિત ગણવામાં આવશે નહીં, અને તે આપણા બંધારણે આપેલી સુરક્ષા છે. આપણા બંધારણ અને ન્યાયતંત્રમાં એક સૂત્ર પ્રચલિત છે કે ૧૦૦ ગુનેગાર ભલે નિર્દોષ છૂટી જાય, પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. આ સૂત્ર મુજબ જ લાંબી તપાસો ચાલે, સુનાવણીઓ થતી રહે અને એક સમયે ઘણો જ ચર્ચાસ્પદ બનેલો મુદ્દો જ્યારે જનતા પણ ભૂલી ગઈ હોય, ત્યારે એ કેસનો ફેંસલો થાય, અને તેમાં પણ એક સમયે જનતાની અદાલતમાં શકમંદ આરોપી ઠરેલા ગુનેગારો કે કૌભાંડિયાઓ પુરાવાના અભાવે કે શંકાનો લાભ આપીને નિર્દોષ છૂટી જતા હોય છે.
ભરોસેમંદ ટ્રસ્ટીમંડળો કે વ્યવસ્થાપક સમિતિઓ, કાનૂને રચેલી સંચાલક સંસ્થાનો, જનતાએ ચૂંટેલા શાસકો કે ખાનગી-ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક જાહેર ક્ષેત્રોની સંસ્થાઓ દ્વારા જ્યારે 'ઈમાન'ચોરી થાય કે સરકારી તંત્રો ભ્રષ્ટ બને, ત્યારે હંમેશાં તપાસ અને અંતિમ ફેંસલો આવતા સુધી એક પ્રકારની ભ્રમ તથા અસમંજસની સ્થિતિ ઊભી થતી હોય છે, જેનો લાભ લેવા તત્પર રહેતા પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોને પ્રચારનો મુદ્દો મળી જાય છે, અને એ મુદ્દાને ચગાવીને સત્તા મેળવી લીધા પછી એ મુદ્દાને જ અભેરાઈએ ચડાવી દેવાય ત્યારે એવું લાગે કે, 'હમામ મેં સબ નંગે હૈ...'
આ જ પ્રકારની એક અન્ય ચોરી થઈ રહી છે, જેના પર બહુ ઓછી ચર્ચા થતી હોય છે, અને તે છે ખાણચોરી...
આપણા દેશમાં પૃથ્વીના પેટાળામાંથી નીકળતી ચીજવસ્તુઓ પર સરકારનો હક્ક રહે છે, અને ધરતીમાંથી માટી, રેતી, પથ્થર, ધાતુ, ખનિજો વગેરે ખોદીને લઈ જવા માટે રોયલ્ટી ભરવી પડે છે અને તેના માટે નિયમ-કાયદા ઘડાયા છે, જેને માઈનીંગ એક્ટ કહે છે. વર્ષ ૧૯પ૭ માં ખાણ-ખનિજનો પ્રથમ કાયદો બન્યો હતો. ગુજરાતમાં માટી, પથ્થર, મોરમ વગેરે માટે વર્ષ ર૦૧૦ માં કાયદો બન્યો, જેમાં સુધારા-વધારા સાથે હાલમાં જીએમએમસીઆર એટલે કે ગુજરાત માઈનોર મિનરલ કોન્સેસર રૂલ્સ-ર૦૧૭ અમલી બન્યો છે. આ તમામ કાયદાઓનો ભંગ કરનારને આપણે ખનિજચોરો અથવા 'ખાણચોરો' કહી શકાય.
એક અંદાજ મુજબ ગુજરાતમાં ખાણ-ખનિજ ખાતુ દર વર્ષે લગભગ ૯ થી ૧૦ હજાર કેસો કરે છે, જેમાં ગેરકાનૂની રીતે ખાણ ખોદવી, ખનિજ ચોરી કરવી અથવા જેનું ગેરકાનૂની પરિવહન કે સંગ્રહ કરવાના ગુન્હાઓ હોય છે. સરકારી તંત્રોએ ખનિજચોરી અટકાવવા માટે ખોલેલી ખાણ-ખનિજ કચેરીઓ દ્વારા કરોડો રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવે છે, છતાં કેટલાક તંત્રવાહકો અથવા અધિકારી-કર્મચારીઓની સાઠગાંઠ હોવાના આક્ષેપો પણ વિવિધ સ્થળે થતા રહે છે. આવી જ રીતે દેશમાં પણ ગેરકાનૂની ખનનના હજારો મામલા નોંધાય છે. આ બધા 'ખાણચોરો' પણ ઈમાનચોરો તથા દાનચોરો અનેે દાણચોરીની હરોળમાં જ મૂકવા જેવા ગણાય.
સદીઓ સુધીના સંઘર્ષ પછી જ્યાં વિશ્વભરના આસ્થાળુઓનું કેન્દ્ર બન્યું હોય, ત્યાં 'દાનચોરી' થાય કે પછી ઢગલાબંધ મતો આપીને સત્તા સોંપ્યા પછી પણ કૌભાંડોના આરોપોમાં મુખ્ય શાસકો જેલમાં જાય અને લાંબી કાનૂની લડત ચાલે, તે પ્રકારની 'ઈમાનચોરી' થાય તેને કાનૂભંગ કરીને સ્વહિતાર્થે 'દાણચોરી' કે 'ખાણચોરી' કરતા માફિયાઓથી પણ ઘણાં જ ખતરનાક ગણાય, અને તેને અંકુશમાં લાવવા વ્યાપક જનજાગૃતિ અને સમજદારીની જરૂર છે. આ તમામ 'ચોરો'ના મુદ્દે ગમે તેવી રાજનીતિ રમાતી હોય, તો પણ અસ્સલ 'ચોરો'ને ઓળખી લઈને તેને બંધારણીય રસ્તે પાઠ ભણાવવાની તાકાત દેશની શાણી જનતામાં છે જ...
આ મુદ્દે એટલું જ કહી શકાય કે અસ્સલ દાનચોરોને પાઠ ભણાવો, પણ 'રામ કા નામ બદનામ ન કરો...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રાજ્ય સરકારે ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનો માટે ઉપયોગમાં લેવાતી જમીનનું વળતર માર્કેટ રેન્ટ મુજબ આપવાની જાહેરાત કરી, તેને એકંદરે આવકાર મળ્યો અને અંતે સરકારે ખેડૂતોની સંગઠનશક્તિ સામે ઝુકવું પડ્યું હોવાના પ્રત્યાઘાતો પડ્યા. બીજી તરફ વળતરના દરો ગ્રામ્ય, શહેરો અને મહાનગરોના વિસ્તારો માટે અલગ અલગ ટકાવારી પ્રમાણે વળતર આપવાની નીતિ સામે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને અન્યાય થનાર હોવાના તીખા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા વીજ કંપનીઓ તરફી અને ખેડૂત વિરોધી નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા હતાં. મોરબીના જેતપુરમાં આ મુદ્દે એક પખવાડિયાથી વધુ સમયથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હતાં, પરંતુ આ મુદ્દો હકીકતે રાજ્યવ્યાપી અસરો પાડી રહી હતી.
આ વિવાદની શરૂઆત આમ તો બે વર્ષ પહેલા થઈ હતી, જ્યારે મોરબીના હળવદ અને આજુબાજુના વીજકંપનીઓને ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઊભા કરવા સામે નજીવા વળતરનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાજુના વિસ્તારોમાં થાંભલા દીઠ એક લાખ રૂપિયાનું વળતર અપાતું હોય અને હળવદની આજુબાજુના વિસ્તારોમાં પ૦ હજાર રૂપિયાનું પ્રતિ પોલ વળતર અપાય, તે ભેદભાવ સામે શરૂ થયેલો વિરોધ વર્ષ ર૦રપ માં વધુ વકર્યો હતો અને આંદોલનના મંડાણ કર્યા હતાં.
તે સમયે દસેક ગામોના ખેડૂતોએ આદરેલું આંદોલન વિસ્તરતુ રહ્યું હતું. વર્ષ ર૦રપ ના જાન્યુઆરીમાં એક જિલ્લા કક્ષાની કમિટી બની હતી. તે સમયે તંત્રે જાહેર કરેલા એક નોટિફિકેશન સામે ખેડૂતોએ સંગઠીત થઈને હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતાં, પરંતુ ત્યાં રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષાની દલીલો કરવામાં આવી હતી અન મેગા પ્રોજેક્ટને લીલીઝંડી મળી ગઈ હતી. તે પછી ખેડૂતોનું આંદોલન વિસ્તરી રહ્યું હતું, અને તેને કિસાન સંગઠનો ઉપરાંત વિપક્ષોનું પણ સમર્થન મળતું રહ્યું હતું. ખેડૂતોની લાગણી અને માંગણી એવી હતી કે રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષાના પ્રોજેક્ટોનો વિરોધ નથી, પરંતુ ખેતરોમાં ઊભા થતા વીજપોલ તથા વીજલાઈનોના કારણે તેઓની આજુબાજુની પ્રભાવિત થતી જમીન તથા પાકપાણીને થતા નુક્સાન સામે જંત્રીથી ડબલ વળતર ઘણું જ ઓછું છે, જેમાં વધારો થવો જોઈએ અન ખેડૂતોને તેમના ખેતરની સુરક્ષા થાય અને બિનજરૂરી કનડગત નહીં થાય, તેવી બાહેંધરી મળવી જોઈએ.
ખેડૂતોએ જૂન-ર૦ર૬ માં આદરેલું આંદોલન વધુને વધુ તીવ્ર બની રહ્યું હતું, અને ભૂખ હડતાલ આદરી હતી, આ આંદોલન સળંગ ૧૪ દિવસ ચાલ્યા પછી અંતે રાજ્ય સરકારે ઝુકવું પડ્યું છે, અને રાજ્ય સરકારના નિર્ણયની કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખેડૂતોની મહત્તમ માંગણીઓ સ્વીકારી લેવાઈ હોવાની જાહેરાત કરવી પડી છે. આ ઉપવાસ છાવણીની મુલાકાતે વિપક્ષના નેતાઓ ગયા હતાં. આ દરમિયાન કેટલાક ખેડૂતોએ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા મૂંડન કરાવ્યું હતું અને તે પહેલા અમદાવાદમાં વિરોધ પ્રદર્શિત કરવા ટ્રેક્ટર રેલી કાઢી હતી, જેમાં અનેક જિલ્લાઓના ખેડૂતો જોડાયા હતાં. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો તથા ખેડુતોના દિગ્ગજ નેતાઓએ પણ આ મુદ્દે ખેડૂતોના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો યોજ્યા હતાં અને ઠેર ઠેર આવેદનપત્રો અપાયા હતાં.
મીડિયા અહેવાલો મુજબ થતી ચર્ચા અનુસાર રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે જે ખેતરમાંથી વીજલાઈનો જતી હોય, તેનું વળતર તે વિસ્તારની જંત્રીથી ડબલ નહીં, પરંતુ તે વિસ્તારમાં વર્તમાન માર્કેટ રેઈટથી ડબલ આપવામાં આવશે. આ પહેલા ખેડૂતો (જમીન માલિકો) ને તબક્કાવાર પેમેન્ટ અપાતું હતું તેના બદલે હવે વળતરની રકમ એક સાથે એડવાન્સમાં અપાશે, તે ઉપરાંત જરૂર જમીનના માપમાં પણ ખેડૂતોને નુક્સાન ન થાય તેવો અભિગમ અપનાવીને પાયાના વધારાનું એક મીટર ગણતરીમાં લેવાશે. સંબંધિત વિસ્તારની જમીનના માર્કેટ રેન્ટ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટી બનશે. આ કમિટી જે વળતર નક્કી કરશે, તો સિવિલ કોર્ટમાં અપીલ કરવાની નોબત જ નહીં આવે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મિશ્ર પ્રત્યાઘાતો છે. આજથી સરકારની આ ઘોષણાને મોટાભાગે આવકાર મળ્યો છે, સાથે સાથે કેટલોક અસંતોષ હજુ પણ પ્રગટી રહ્યો છે. અમિત ચાવડાએ આ મુદ્દે સરકાર પર પ્રહારો કરીને ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જને યાદ કરીને ભેદભાવભર્યા વલણનો આરોપ લગાવ્યો, તો શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો કડક રીતે અમલ કરાવીને ખેડૂતોને સાચા અર્થમાં મદદરૂપ થવાની વાત કરી હોવાના અહેવાલો વહેતા થયા. ઈશુદાન ગઢવીએ પણ ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો હતો. કિસાન કોંગ્રેસના અધ્યક્ષે આને ખેડૂતોની સંગઠન શક્તિની ફલશ્રૂતિ ગણાવીને ડબલ નહીં, પણ ચારગણું વળતર આપવું જોઈએ તેવા મતલબના ફીડબેક આપ્યા હોવાના અહેવાલો છે. તો કિસાન સંઘર્ષ સમિતિએ આ વીજલાઈનોના કારણે આગ લાગે કે જાનમાલનું નુક્સાન થાય, તેની સામે યોગ્ય માતબર વળતરની માંગણી કરી હોવાના અહેવાલો છે.
કેટલાક નેતાઓએ જમીન સંપાદન અધિનિયમ-ર૦૧૩ નો અમલ કરીને પોલ દીઠ પચાસ હજાર રૂપિયાનું માસિક ભાડુ તથા માર્કેટ રેન્ટથી ચારગણું વળતર ચૂકવાની માંગણી દોહરાવી છે, તો કેટલાક નેતાઓએ સરકારની આ જાહેરાતને એકંદરે સંતોષકારક ગણાવીને કેટલાક સૂચનો પણ કર્યા છે.
જો કે, સરકારનો દાવો એવો છે કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં આ 'ઉદાર' નિર્ણય ખેડૂતો સાથે વ્યાપક વિચાર-વિમર્શ-પરામર્શ કરીને લીધો છે, જેથી અક્ષય ઊર્જા એટલે કે સૂર્યઊર્જા અને પવન ઊર્જાને પણ વેગ મળે અને ખેડૂતોના હિતો પણ જળવાઈ રહે. એકંદરે આ મિશ્ર પ્રતિભાવોનો સારાંશ એટલો નીકળે છે કે આ નિર્ણય પછી ખેડૂતોની મહત્તમ માંગણીઓ સંતોષાઈ હોવા છતાં સરકારે અન્ય કેટલીક માંગણીઓ અંગે સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ, અને ખેડૂતોએ પણ આ માટે સરકારને સમય આપવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈરાન-અમેરિકા વચ્ચે ૬૦ દિવસના યુદ્ધ વિરામ અને તબક્કાવાર વાતચીત તથા અનિશ્ચિતતાઓ વચ્ચે હોર્મુઝ સંકટ હળવું થયા પછી ભારતના ઘણાં વહાણો હોર્મુઝ પસાર કરીને ભારતીય બંદરો આવી પહોંચ્યા છે અને હવે કેટલાક પ્રતિબંધો પણ હળવા થઈ ગયા હોવાથી પેટ્રોલ-ડીઝલ-ગેસ વગેરેના ભાવો ઘટશે તેવી અપેક્ષા હતાી, કારણ કે એક સમયે રૂ।. ૧૧૦ સુધી પહોંચેલા ક્રૂડના બેરલના ભાવમાં ત્રીસ-ચાલીસ રૂપિયા સુધીનો ઘટાડો થઈ ગયો છે.
ગઈકાલે જ્યારે સમાચાર આવ્યા કે કોમર્શિયલ ગેસના ભાવોમાં ધરખમ ઘટાડો થયો છે, ત્યારે સરકારી કંપનીઓ હવે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ત્વરીત ઘટાડો કરીને મોડું ચોમાસું તથા અલનીનોની આશંકાથી ફફડતા ખેડૂતો અને મોંઘવારીમાં પીસાતી સામાન્ય જનતાનેે કેન્દ્ર સરકાર રાહત આપશે. ખાસ કરીને ખાનગી પેટ્રોલિયમ કંપની નાયરાએ ડીઝલ અને પેટ્રોલમાં રૂ।. ૩ થી પ નો લીટરદીઠ ઘટાડો કર્યા પછી સરકારી કંપનીઓ પણ આ જ રીતે ઘટાડો કરશે તેવો આશાવાદ હતો, પરંતુ હકીકતે તેવું થયું નથી અને કેન્દ્ર સરકારે હાથ ઊંચા કરી દેતા પબ્લિકમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ છે.
કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ-ડીઝલના ભાવો સરકારી કંપનીઓ હાલતુરંત નહીં ઘટાડે, તેવી ચોખ્ખીચટ જાહેરાત કરી દીધી હોવાના અહેવાલોએ દેશવાસીઓને ચોંકાવી દીધા છે અને પબ્લિકમાં નિરાશા વ્યાપી ગઈ છે.
કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ વિભાગના મંત્રીએ કહ્યું કે હલાતુરંત પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા શક્ય જ નથી. હજુ પણ સરકારી કંપનીઓ ખોટ કરી રહી છે. હોર્મુઝ સંકટ હળવું થયા પછી નવું ક્રૂડ ખરીદાય અને ઓછા ભાવે ક્રુડની આયાત થાય, ત્યાં સુધી જુના ભાવે આવેલા ક્રૂડના ભાવો ઘટાડી શકાય તેમ નથી, તેવા મતલબની કેન્દ્રિય મંત્રીની વાત સાંભળીને એવો પ્રશ્ન ઊઠે છે કે આ સરકારના મંત્રી બોલે છે કે પછી કોઈ વેપારી પેઢીના ડીલર બોલી રહ્યા છે?
તેમણે દલીલ કરી કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસમાં પડતર કિંમતથી ઓછી કિંમતે વેંચાણ કરવાના કારણે ૩૦ મી જુન ર૦ર૬ સુધીમાં સાડાચીમોતેર હજાર કરોડ રૂપિયાથી વધુ રૂપિયાની ખોટ ગઈ છે. રિફાઈનરીઓ સામાન્ય રીતે બે મહિના પહેલા કાચું તેલ (ક્રૂડ) ખરીદતી હોય છે. અત્યારે બજારમાં જે ઈંધણ વેંચાય છે તે પશ્ચિમ એશિયા સંકટ સમયે ખરીદેલું મોંઘા ભાવનું ઈંધણ છે, તેથી હાલતુરંત ભાવો ઘટાડવા સંભવ નથી.
પુરીએ એવો તર્ક પણ રજૂ કર્યો છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ તથા ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન જ્યારે હોર્મુઝ સંકટ ઘેરાયું હતું, ત્યારે પણ ભારતના નાગરિકોને અત્યંત મોંઘા ઈંધણના ભાવથી બચાવ્યા હતાં અને સપ્લાઈ ચાલુ રાખી હતી. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં યુરોપિયન દેશોમાં ઈંધણના ભાવો ઊંચકાયા હતાં તેની સરખામણીમાં ભારતમાં માત્ર પ.પ૮ ટકા જેવો અત્યંત સાધારણ વધારો જ કરાયો હતો.
આ વાતચીત દરમિયાન હરદીપસિંહ પુરીએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવો સ્થિર રહેશે અથવા વધુ ઘટવા લાગશે અને થોડાક અઠવાડિયાઓ સુધી તેમાં વધારો થવાની સંભાવનાઓ ઊભી નહીં થાય તો સરકાર દેશમાં પેટ્રોલ-ડીઝલ-ગેસ (ઈંધણ) ના ભાવોમાં ઘટાડો કરવા 'વિચારી' શકે છે!
આ દરમિયાન પુરીએ એવો દાવો પણ કર્યો હતો કે હાલમાં ભારતની રિફાઈનરીઓની ક્ષમતા ર૭૦ એમટીપીએ (મિલિયન ટનસ પર એનમ) એટલે કે પ્રતિવર્ષ ર૭૦ મિલિયન ટનની છે, તે વધારીને ટૂંક સમયમાં ૩૦૦ એમટીપીએ કરાશે, જેથી ભવિષ્યમાં પણ ભાવો સ્થિર રહી શકે. હાલતુરંત તો પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા સંભવ જણાતા નથી તેવા સરકારી નિવેદનથી પબ્લિકમાં એક પ્રકારની નિરાશા પ્રવર્તે છે.
એવો સવાલ પણ ઊભો થાય કે જો ખાનગી કંપની ભાવો ઘટાડી શકતી હોય, તો સરકારી કંપનીઓ કેમ ભાવો ઘટાડી ન શકે? તેવો સવાલ લોકોના મનમાં ઊઠે તે સ્વાભાવિક છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડના ભાવો જ્યારે પણ વધે, ત્યારે તો તમામ કંપનીઓ તત્કાલ ભાવો વધારીને જુના ભાવે આવેલા પુરવઠામાં કમાણી કરી લેતી હોય છે, ત્યારે અત્યારે બેવડો માર ઝીલી રહેલી દેશની જનતાને રાહત આપવા માટે સરકારી કંપનીઓ ઈંધણના ભાવો તત્કાળ ઘટાડે, તેવા કદમ ઊઠાવવાના બદલે ખુદ પેટ્રોલિયમ મંત્રી જ બચાવની ભૂમિકા ભજવવા લાગે, ત્યારે જનતાને નિરાશા જાગે, તે સ્વાભાવિક છે.
જો કે, પુરીએ એલપીજીના સંદર્ભે પૂરેપૂરી માહિતી આપી હતી અને આગામી રણનીતિની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે વાતવાતમાં એવા સંકેતો આપ્યા કે સરકાર હવે દેશની અંદાજીત જરૂરિયાતનો ૩૦ દિવસ ચાલે તેટલો એલપીજીનો પુરવઠો રિઝર્વ રાખશે, અને તે માટે રૂ।. પ૦૦૦ કરોડ (પાંચ હજાર કરોડ) નું રોકાણ કરીને ભારત પેટ્રોલિયમ તેની ક્ષમતા વધારશે, અને વર્તમાન સંગ્રહ ક્ષમતા ર૦૦૦૦૦ મે.ટન છે, તે વધારીને ૩૪૦૦૦૦ મે.ટન કરશે. આમ રિફાઈનરીઓ તથા સરકારી કંપની ભારત પેટ્રોલિયમની સંગ્રહશક્તિ વધારીને કેન્દ્ર સરકાર આગામી સમયમાં જો અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તંગદિલી વધે, તો પણ એલીપીજીનો પુરવઠો પણ જળવાઈ રહે, તેવા પ્રયાસો કરી રહી હોય તેમ જણાય છે, પરંતુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો કરવેરા (વેટ સહિત) ઘટાડીને જનતાને રાહત આપશે, તો મોંઘવારીથી પીડાતી પ્રજાને રાહત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ગઈકાલે સાંજે થોડા સમય માટે કેટલાક મોબાઈલ સેલફોનમાં સિગનલ મળતા બંધ થઈ ગયા હતાં અને ઈન્ટરનેટ વ્યવહાર પણ ખોરવાયો હતો. મોબાઈલ ડેટા બંધ થતા જ ઘણાં વ્યવહારો ખોરંભે પડી ગયા હતાં. નાણાકીય વ્યવહારો જ નહીં,પરંતુ સંદેશા વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો, જેથી રોજીંદી જિંદગી પર વિપરીત અસરો પડી હતી. એવું કહેવાય છે કે, વોડાફોન-આઈડિયા (વીઆઈ) અને એરટેલનું નેટવર્ક ગઈ સાંજે કેટલાક સમય માટે ખોરવાઈ ગયું હતું.
આજે અદ્યતન ટેકનોલોજી તથા ઈન્ટરનેટના કારણે માનવજીવન ઘણું જ બદલી ગયું છે અને એક તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તો બીજી તરફ આ અદ્યતન વ્યવસ્થાઓ થોડીકવાર ખોરવાઈ જાય, તો પણ થોડા સમય માટે માનવી તરત પાંગળો અને હાંફળો ફાંફડો થવા લાગે છે, જેનું દૃષ્ટાંત ગઈકાલે સાંજે આપણે બધાએ જોયું પણ છે અને અનુભવ્યું પણ છે. આ સ્થિતિ એવું દર્શાવે છે કે, અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ આધારિત વ્યવસ્થાઓ જ્યારે ખોરવાઈ જાય, ત્યારે તેના વિકલ્પે ઓફલાઈન વિકલ્પો તથા કેટલાક દેશી પદ્ધતિના ઉપાયો પણ હોવા જોઈએ, જેથી વ્યવહારો તદ્ન ઠપ્પ થઈ જાય નહીં...
એવું નથી કે આવી સ્થિતિ માત્ર આપણા દેશમાં કે જિલ્લામાં જ થાય છે, આ ગ્લોબલ સમસ્યા છે. તાજેતરમાં જ લાલસાગરમાં લાંગરેલા જહાજોના લંગર સાથે ટકરાઈને કેટલાક અંડર શી (દરિયાના તળિયે બીછાવેલા) કેબલ્સ ક્પાઈ ગયા હતાં, જેના કારણે ભારત, પાકિસ્તાન તથા મીડલ ઈસ્ટના દેશોમાં ઈન્ટરનેટ ધીમુ પડી ગયું હતું અને કેટલાક સ્થળે બંધ થઈ ગયું હતું. આ કારણે સડક-રેલવે અને હવાઈ સેવાઓ, બેન્કીંગ સુવિધાઓ તથા ઘણી ઈન્ટરનેટ આધારિત સેવાઓ ખોરવાઈ જતા હાહાકાર મચી ગયો હતો.
વિશ્વનું ૯પ ટકાથી વધુ ઈન્ટરનેટ દરિયાના તળિયે બિછાવેલા સબમરીન કેબલ્સ આધારિત છે. જો આ કેબલ્સ તૂટી જાય, તો આપણે આખા દેશ અથવા મહાદ્વીપોમાં ઈન્ટરનેટ ધીમુ પડી જાય છે, અને ક્યારેક થોડા સમય માટે તદ્ન બંધ પણ થઈ જાય છે, અને તેની મરામત જટિલ અને મહેનત માંગી લેતી હોવાથી પડકારરૂપ બને છે.
કોરોનાકાળના ઉત્તરાર્ધમાં વર્ષ ર૦ર૧ માં પણ ફેસબુક, વ્હોટ્એપ, ઈન્સ્ટાગ્રામ સહિતની પેટા કંપનીની ઈન્ટરનેટ આધારિત ઓનલાઈન સુવિધાઓ ખોરવાઈ ગઈ, ત્યારે ઉહાપોહ મચી ગયો હતો. આ ખલેલ પહોંચી અને તમામ ડેટા સેન્ટર્સ ૬ કલાક માટે ઓફલાઈન થઈ ગયા હતાં, તેનું કારણ અક કોન્ફિગ્રેશન ક્ષતિ હતી. એમ કહેવાય છે કે, સાડાત્રણથી ચાર અબજ લોકો પ્રભાવિત થયા હતાં.
જ્યારે ગુગલ, એ.ડબલ્યુ.એસ કે મેટા જેવી જાયન્ટ ટેક કંપનીઓના સર્વર્સ ડાઉન થાય કે ક્લાઉડ, સિસ્ટમ્સ ખોરવાય, ત્યારે હજારો વેબસાઈટ્સ અન એપ્લિકેશન્સ એક સાથે ઠપ્પ થઈ જાય છે. આ કારણે પ્રવર્તમાન ઈન્ટરનેટ આધારિત તમામ પ્રવૃત્તિઓ, પ્રક્રિયાઓ અને સેવાઓ અટવાઈ જાય છે, ત્યારે આપણે અદ્યતન ટેકનોલોજીના વધી રહેલા વ્યાપની સિક્કાની બીજી બાજુ પણ અનુભવતા જોઈએ છીએ.
ઘણી વખત સ્થાનિક કારણોસર પણ ચોક્કસ વિસ્તારોમાં નેટવર્ક ખોરવાઈ તું હોય છે. જામનગરની જેમ જ એેક વિકાસ કામે સડકો ખોદવામાં આવે, તે ફરીથી પૂર્વવત થાય, ન થાય, ત્યાં બીજા કામ માટે ખોદકામ થાય. આ દરમિયાન જમીનમાં બીછાવેલી પાણીની પાઈપલાઈનો, અંડરગ્રાઉન્ડ વીજકેબલ્સ અને ઘણી વખત ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ પણ કપાઈ જતા હોય છે. આ કારણે પણ આખા શહેર, વિસ્તાર કે કેટલાક ચોક્કસ હિસ્સામાં ઈન્ટરનેટ ગાયબ થઈ જતું હોય છે, અને તેની મરામત થતા સુધી તમામ ડિજિટલ વ્યવહારો, ઈન્ટરનેટ આધારિત સેવાઓ તથા ઘણી વખત સંદેશાવ્યવહાર પણ ખોરંભાઈ જતો હોય છે. આ સ્થાનિક કારણોસર ઓનલાઈન સુવિધાઓ તથા ડિજિટલ પેમન્ટ તથા હોમ ડિલિવરી સહિતના વ્યવહારો ખોરવાઈ જતા ઘણી વખત વિચિત્ર સ્થિતિ ઊભી થતી હોય છે.
ઈન્ટરનેટ ઘણી વખત કૃત્રિમ અથવા શુદ્ધ ઈરાદાપૂર્વક પણ બંધ કરવામાં આવતું હોય છે. કાનૂન વ્યવસ્થા જાળવવા, પેપરલીક અટકાવવા, હિંસક તોફાનો, આંદોલનો અને ચળવળો દરમિયાન અફવાઓ ફેલાતી અટકાવવા અથવા વીવીઆઈપીના આગમન વખતે સુરક્ષા કારણોસર તંત્રો દ્વારા પણ ચોક્કસ-મર્યાદિત સમય માટે ઈન્ટરનેટ બંધ કરવામાં આવતું હોય છે.
ઘણી વખત સાયબર હુમલાઓ વધી જાય ત્યારે પણ ઈન્ટરનેટ અટકાવાય છે, તો કેટલીક વખત ચોક્કસ સ્પોટમાં સાયબર એટેકની આશંકાના કારણે પણ ઈન્ટરનેટ સુવિધા અટકાવી દેવામાં આવતી હોય છે. વર્ષ ર૦૧ર માં અલાસ્કાના મતનુસ્કા અને સુમિત્રાના વિસ્તારોમાં સાયબર હુમલાઓના કારણે ડિજિટલ સુવિધાઓ સદંતર ઠપ્પ થઈ જતા લોકોએ કોમ્પ્યુટર્સના બદલે ફરીથી ટાઈપરાઈટર્સનો ઉપયોગ કરવો પડ્યો તો. તે સમયે ત્યાં ઈન્ટરનેટ પૂર્વવત થતા અઢી મહિના જેટલો સમય લાગ્યો હતો.
વર્ષ ર૦૧૯ માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા પછી ત્યાં લાંબા સમય સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. તે પછી પણ સુરક્ષા કારણોસર અને આતંકી હુમલાઓ પછી અવાર-નવાર ઈન્ટરનેટ બંધ કરવામાં આવે છે. વર્ષ ર૦ર૪-રપ માં મણીપુરમાં અને છેલ્લા કેટલાક વર્ષો દમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ, આસામ, ઉત્તરપ્રદેશ, પ. બંગાળ વિગેરે શહેરોમાં પણ વિવિધ કારણોસર ઈન્ટરનેટ સુવિધા ચોક્કસ સમય માટે બંધ કરવી પડી હોય તેવા ઘણાં દૃષ્ટાંતો છે. ગુજરાતમાં પણ વર્ષ ર૦૧પ માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે તથા વર્ષ ર૦૧૬ માં તલાટીઓની ભરતી માટે લેવાનાર પરીક્ષા સમયે પણ કામચલાઉ ધોરણે ઈન્ટરનેટ બંધ કરાયું હતું, તે ઉપરાંત સીએએ વિરોધી આંદોલન તથા કેટલાક વિવિધ વિરોધ-પ્રદર્શનો સમયે પણ થોડા કલાકો માટે અલગ-અલગ સ્થળે ઈન્ટરનેટ બંધ કરાયું હતું. આ તમામ અનિવાર્ય ગણી શકાય તેવા પ્રતિબંધો સમયે પણ લોકોને મુશ્કેલી તો પડી જ હતી.
આ રીતે કૃત્રિમ, કુદરતી કે અનિવાર્ય સંજોગોમાં ઈન્ટરનેટ ઠપ્પ થાય, અટકાવાય, ધીમુ પડે કે ખોરવાઈ જાય, ત્યારે પણ કેટલીક સુવિધાઓ તદ્ન અટકી ન પડે અને તદ્ન ઓનલાઈન સુવિધાઓ કે ડિજિટલ વ્યવસ્થાઓના આધિન રહેવાના બદલે લોકોને તેનો કોઈ અસરકારક વિકલ્પ મળી રહે, તે દિશામાં વિચારવું જ જોઈએ. ખાસ કરીને સડક, રેલવે, હવાઈ પરિવહન, ડિજિટલ પેમેન્ટ તથા એજ્યુકેશન-હેલ્થ-સરકારી રોજીંદી સેવાઓમાં વૈકલ્પિક ઓફલાઈન વ્યવસ્થાઓ પણ બેકીંગમાં (પહેલા હતી તેવી રીતે) સક્રિય રાખવી જોઈએ, જેથી 'પેનિક' તથા અફરા-તફરી થતી અટકાવી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે મહારાષ્ટ્રથી દેશની રાજધાની સુધી ચોમાસાના આગમન અને મેઘવૃષ્ટિ ઉપરાંત સૌથી વધુ ચર્ચા શરદ પવારની નેશનલ કોંગ્રેસ પાર્ટીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સંભવિત વિલીનીકરણની થઈ રહી હતી અને આ પ્રકારનો દાવો ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એનસીપી (શરદ પવાર) ના નેતાઓ દ્વારા જ કરાયો હોવાનું કહેવાય છે. આ વખતે વિલીનીકરણની ગુપ્ત વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું તથા આખરી સમજુતિ સાથે શરદ પવાર અને સોનિયા ગાંધીની સહમતિ હોવાનો દાવો પણ પાર્ટીના અંતરંગ વર્તુળોને સાંકળીને કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજ્ય કક્ષાના એક કોંગી નેતાએ પણ વિલય અંગે હાઈકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી હોવાની પુષ્ટિ કર્યા પછી આ દિશામાં પ્રગતિ થઈ રહી હોવાનો આશાવાદ જાગ્યો છે.
લગભગ અઢી દાયકા પહેલા સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે વિદ્રોહ કરીને શરદ પવાર, પી.એ. સંગમા અને તારિક અનવર સહિતના નેતાઓએ નેશનલ કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. તે પછી મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારની એનસીપીનો દબદબો રહ્યો હતો. આ એનસીપીમાં પણ વિભાજન થયું અને અજિત પવારનું જુથ અલગ થઈ ગયું, જેનું ભાજપ અને શિવસેનાના બળવાખોર જુથ સાથે ગઠબંધન રચાયું. બીજી તરફ શિવસેનામાં પણ વિભાજન થયું અને એકનાથ શિંદેના જુથે બળવો કર્યો. મોટાભાગના ફંટાયેલા જનપ્રતિનિધિઓ વિદ્રોહી જુથોમાં જતા રહેતા તેઓના જુથની એનસીપી તથા શિવસેનાને મૂળ પક્ષો ગણવામાં આવ્યા અને ચૂંટણીપ્રતીકો બળવાખોર જુથોને ફાળવાયા. તે પછી મહારાષ્ટ્રમાં બાકી રહેલી શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસે મળીને મેળવેલી મહારાષ્ટ્રની સત્તા પણ ગઈ અને ભાજપ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીના ગઠબંધનની સરકાર રચાઈ.
મહારાષ્ટ્રમાં તે પછી મહાવિકાસ અઘાડીની સામે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ રચાઈ અને અભૂતપૂર્વ સમીકરણો રચાયા તથા અજબ-ગજબની ઘટનાઓ બની. મહારાષ્ટ્રમાં જે ઘટનાક્રમો બની રહ્યા હતાં તેની વ્યાપકઅસરો રાષ્ટ્રીય રાજનીતિ પર પણ પડી રહી હતી. મહારાષ્ટ્રમાં તો રાજનૈતિક ઉઠાપટક થતી રહી હતી, પરંતુ સંસદમાં પણ આ ઘટનાક્રમોનો સીધો લાભ એનડીએને થઈ રહ્યો હતો. કોંગ્રેસ તથા વિપક્ષો ભારતીય જનતા પક્ષ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા હતાં, ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તથા રાષ્ટ્રીય નેતાગીરી વચ્ચે પણ મત-મતાંતરો સપાટી પર આવ્યા હતાં. તે પછી આ જ પદ્ધતિથી અન્ય રાજ્યોમાં પણ સમીકરણો બદલાયા હતાં, જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિમાં પણ આંતરિક મતભેદો હોવાની વાતો વહેતી થઈ હતી. આ દરમિયાન એક હવાઈ દુર્ઘટનાએ ફરીથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.
વિમાન દુર્ઘટનામાં અજીત પવાર દિવંગત થયા પછી તેના સ્થાને તેઓના પત્ની સુનિત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવાયા, તે પહેલા શરદ પવાર અને સદ્ગત અજીત પવારની એનસીપીના પુનઃ જોડાણની વાતો વહેતી થઈ હતી, પરંતુ તે પછી સમીકરણો ફરી બદલાયા અનેે હવે શરદ પવારની એનસીપીના કોંગ્રેસમાં વિલીનીકરણની વાતો ફરીથી થવા લાગી છે અને હવે સ્થાનિક નેેતાઓ દ્વારા ઉભય પક્ષે પુષ્ટિ થવાના અહેવાલો પછી એવું મનાય છે કે ટૂંક સમયમાં શરદ પવારની એેનસીપીનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિધિવત વિલીનીકરણ થઈ જશે.
જો કે, શરદ પવારની એનસીપીમાં પણ બે ગ્રુપ છે. એક જુથ એવું માને છે કે રાજ્યકક્ષાએ ફ્રેન્ડલીફાઈટ કરીને રાષ્ટ્રીય કક્ષાએ એનસીપી (શરદ પવાર) દ્વારા એનડીએને સમર્થન આપવું જોઈએ, કારણ કે કેન્દ્ર, રાજ્ય અને બીએમસીમાં હવે એનડીએનું જ શાસન હોવાથી લોકોના કામો કરવા તથા અપેક્ષાઓ સંતોષવા માટે (ભલે બહાર રહીને પણ) એનડીએને સમર્થન આપવું જોઈએ. આ જુથ પૈકીના કેટલાક નેતાઓ તો રાજ્ય કક્ષાએ તથા સ્થાનિક સ્તરે પણ એનડીએ તરફી રાજનીતિ કરવી જોઈએ, તેવું માનતા હોવાનું કહેવાય છે. કદાચ આ કારણે જ વિલંબ થઈ રહ્યો હશે, જો કે અંતિમ નિર્ણય તો શરદ પવારનો જ હશે, તેથી આ વિલીનીકરણની સંભાવનાઓ વધુ મજબૂત છે. રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી વાતો જો હકીકતમાં બદલે, તો કોંગ્રેસ માટે તો ઉત્તમ તક હશે જ, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિ પણ કરવટ બદલશે...
આ પહેલા પ. બંગાળમાં કારમી હાર થયા પછી આસમાનમાં ઊડતા મમતા બેનરજી જમીન પર આવી ગયા, ત્યારે ખુદ સોનિયા ગાંધીએ મમતા બેનરજીને એવો પ્રસ્તાવ આપ્યો હતો કે તેઓ કોંગ્રેસમાં તૃણમુલ કોંગ્રેસની વિલીનીકરણ કરી નાખે, તો તેણીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવાશે. આ પ્રકારની વાતો વહેતી થઈ, ત્યારે મમતા બેનરજી અને ભત્રીજો અભિષેક બેનરજી દિલ્હીની મુલાકાતે પણ આવ્યા હતાં. તે પછી એવું બહાર આવ્યું કે મમતા બેનરજીએ કોંગ્રેસમાં વિલીનીકરણ પછી તેણીને તથા તેના ભત્રીજાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં અન્ય મહત્ત્વપૂર્ણ પદોની માંગણી કરી હતી. તે પછી આ વાત અટકી ગઈ છે, પરંતુ તૃણમુલ કોંગ્રેસના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલીનીકરણ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું નથી, અને આ વાત ગમે ત્યારે આગળ વધી શકે છે.
ભૂતકાળમાં રાજીવ ગાંધીના નિધન પછી જ્યારે કોંગ્રેસના ઘણાં દિગ્ગજો કોંગ્રેસ છોડવા લાગ્યા હતાં, ત્યારે સોનિયા ગાંધીએે પોતાનો રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય પડતો મૂકીને કોંગ્રેસની કમાન્ડ સંભાળી. તે પછી કોંગ્રેસ મજબૂત બની અને પ્રારંભિક પડકારો પછી કેન્દ્રમાં યુપીએની સરકાર રચીને દસ વર્ષ શાસન પણ કર્યું હતું. તેવી જ રીતે કોંગ્રેસ પુનઃ મજબૂત બનીને મજબૂત વિપક્ષ બન્યા પછી ઈતિહાસ દોહરાવી પણ શકે છે.
અત્યારે સંસદમાં એનડીએ ઘણું જ મજબૂત છે, અને હવે રાજ્યસભામાં પણ તોતિંગ બહુમતી મળી છે, તથા અધિકત્તમ રાજ્યોમાં ભાજપ અથવા એનડીએની સરકારો છે, ત્યારે કેન્દ્રમાં મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે, અને તે પૂર્તતા દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ જ કરી શકે તેમ છે. લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવો જ જોઈએ, પરંતુ હવે શું થાય છે તે જોવું રહ્યું...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દિલ્હીની રાજ્ય સરકારે નવી ઈવી પોલિસી જાહેર કરી છે. આ ઈલેક્ટ્રીક વાહન નીતિ હેઠળ ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે, તે ઉપરાંત કેટલીક છૂટછાટો તથા પ્રોત્સાહનો પણ જાહેર કરાયા છે. આ જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પ્રેસકોન્ફરન્સ યોજીને કરી હતી. આ બહુહેતુક નવી નીતિને આવકાર પણ મળી રહ્યો છે, તો કેટલાક પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં આ પ્રયોગ સફળ થાય અને વ્યાપક (જંગી) પબ્લિક રિસ્પોન્સ મળે, તો અન્ય રાજ્ય સરકારો પણ તેના આધારે પોતપોતાના રાજ્યોમાં આ પ્રકારની નવી યોજનાઓ બનાવશે. પોલિસીઓ ઘડશે અને લોકોને ઈવીના માર્ગે વાળવા માટે તેના ઉમદા ઉદ્દેશ્યો સમજાવી શકશે ખરી? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે, અને કેટલાક તર્કો પણ પડઘાઈ રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં જાહેર કર્યા મુજબ આ નવી પોલિસી પહેલી જુલાઈથી જ લાગુ થઈ જશે અને ૩૧ મી માર્ચ ર૦૩૦ સુધી અમલમાં રહેશે. આ નવી નીતિના મુખ્ય ઉદ્દેશ્યોમાં પર્યાવરણની સુરક્ષા, હવાઈ પ્રદૂષણમાં ઘટાડો અને પરિવહનના ઈંધણ તરીકે પેટ્રોલ-ડીઝલ-સીએનજી પરની નિર્ભરતા ઘટાડવાના હોઈ શકે છે.
આ પોલિસી અંતર્ગત દ્વિચક્રીય, ત્રિચક્રીય અને ફોરવ્હીલર્સ ઈલેક્ટ્રીક વાહનોમાં માતબર સબસિડી અપાશે. રૂ।. ૩૦ લાખ સુધીની એક્સ શો-રૂમ ઈલેક્ટ્રીક કારો પર લાગતી રજિસ્ટ્રેશન ફી તથા રોડ ટેક્સમાં સંપૂર્ણ માફી અપાશે. દ્વિચક્રીય વાહનો, જેવા કે સ્કુટર, બાઈક વગેરેની ખરીદી પર પહેલા વર્ષે રૂ।. ૩૦ હજાર, બીજા વર્ષે રૂ।. ર૦ હજાર અને ત્રીજા વર્ષે રૂ।. ૧૦ હજારની સબસિડી આપવાની જોગવાઈ કરાઈ છે. ત્રિચક્રીય વાહનો એટલે કે ઓટોરિક્ષા/ઈ-રિક્ષા પર પહેલા વર્ષે રૂ।. પ૦ હજાર સુધીની સબસિડી અપાશે, તેવું જાહેર કરાયું છે, જેની સત્તાવાર જાહેરાત સંબંધિત વિભાગ દ્વારા પરિપત્રિત પણ કરાશે.
આ નીતિ હેઠળ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી વધે અને જુના વાહનોનો ભંગાર પણ વેંચાઈ જાય તે માટે એક્સચેઈન્જની વ્યવસ્થા પણ અમલી બનશે, તેવા સંકેતો છે. જાણકારોના અભિપ્રાયો મુજબ જુના વાહનો સ્ક્રેપમાં આપીને નવા ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર રૂ।. પ૦૦૦ થી લઈને રૂ।. એક લાખ સુધીનું વિશેષ ઈન્સેન્ટિવ અપાશે.
આ પ્રકારની નવી નીતિ અમલી બને, ત્યારે તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાથી નક્કી કરી લેવું ઘણું જ જરૂરી હોય છે. જ્યારે સીએનજી આધારિત વાહનોનો પ્રચાર-પ્રસાર વધારાયો હતો, ત્યારે એક તરફ માર્કેટમાં સીએનજી (ગેસ સંચાલિત) વાહનો માર્કેટમાં આવી ગયા હતાં, તો બીજી તરફ ગેસ ભરાવવા વાહનચાલકોને કેટલાક કિલોમીટર દૂર જવું પડતું હતું, કારણ કે ગેસ આધારિત વાહનોમાં ગેસ ભરવાની વ્યવસ્થા માટે ગેસફિલીંગ સ્ટેશનો (ગેસના પંપો) શરૂ કરવાના નવા નીતિ-નિયમો અમલી બનવામાં વાર લાગી હતી. હજુ પણ કેટલાક સ્થળે આ સમસ્યા છે, તેથી આ અનુભવના સંદર્ભે એવા સવાલો ઊઠી રહ્યા છે કે, આ નવી પોલિસીના અમલીકરણ માટે આ જ સમસ્યા તો ઊભી નહીં થાય ને? ઈલેક્ટ્રીક વાહનો ચાર્જીંગ માટેનું નેટવર્ક પર્યાપ્ત અને ફૂલપ્રૂફ તો હશે ને? ચોમાસાની સિઝનમાં ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જીંગ સિસ્ટમમાં અવરોધ તો નહીં આવે ને? તેવી આશંકાઓ પણ ઊઠી રહી છે.
આ અંગે એવું જણાવાઈ રહ્યું છે કે આ યોજના ફૂલપ્રૂફ જ હશે, અને તમામ સંભાવનાઓ વિચારીને તેના નિવારણની વ્યવસ્થાઓ પણ થશે. રાજ્ય સરકાર આવતા ચાર વર્ષમાં આ યોજના પાછળ રૂ।. ૧પ હજાર કરોડનું રોકાણ કરશે. પહેલી જાન્યુ. ર૯ર૭ માં માત્ર ઈલેક્ટ્રીક ત્રિચક્રીય વાહનોનું જ રજિસ્ટ્રેશન થશે, અને વર્ષ ર૦ર૮ ના એપ્રિલથી માત્ર દ્વિચક્રીય ઈલેક્ટ્રીક વાહનોનું જ રજિસ્ટ્રેશન થશે. તેનો મતલબ એવો થાય કે આગામી પહેલી જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલ અને સીએનજી આધારિત ઓટોરિક્ષા વગેરે ત્રિચક્રીય વાહનોનું રજિસ્ટ્રેશન જ નહીં થાય, તેવી જ રીતે એપ્રિલ ર૦ર૮ થી આ પ્રકારના દ્વિચક્રીય વાહનો એટલે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ આધારિત સ્કુટર, બાઈક વગેરેનું રજિસ્ટ્રેશન જ નહીં થાય. આ પ્રકારના કડક નિર્ણયો પણ પર્યાવરણ સુરક્ષા, ઈંધણબચત તથા પર્યાવરણ સુરક્ષાને કેન્દ્રમાં રાખીને લેવાયા છે.
આ નવી પોલિસીમાં પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણ અને ઈંધણબચત જેવા ઉદ્દેશ્યોને વિપક્ષી વર્તુળોએ પણ આવકાર આપ્યો છે, પરંતુ આ રીતે અચાનક જ ઈલેક્ટ્રીક વાહનોની નવી નીતિ લાગુ કરી દેવાથી ગરીબ-મધ્યમ વર્ગિય વાહનચાલકો અને ગિગ વર્કર્સ, ડિલિવરી બોય વગેરેને આર્થિક ફટકો પડશે, તેવી દહેશત પણ બતાવાઈ રહી છે.
ઈલેક્ટ્રીક વાહનોના સમયોચિત ચાર્જીંગ, બેટરીઓ ખરાબ થઈ જવાની સમસ્યા તથા બિનઉપયોગી થઈ ગયેલી બેટરીઓના સુરક્ષિત યોગ્ય નિકાલનો પ્રશ્ન ઊભો થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા વિના તથા તમામ વ્યવસ્થાઓની પ્રયોગાત્મક સફળતા સાથે પર્યાપ્ત વ્યાપક્તા વધાર્યા વિના સીધેસીધા જ એક-બે વર્ષમાં આ પ્રકારના કડક નિયમનો લાગુ કરી લેવા હિતાવહ કે વ્યવહારૂ નહીં હોવાના મંતવ્યો વ્યક્ત થઈ રહ્યા છે. તેની સામે એવો જવાબ પણ અપાઈ રહ્યો છે કે પર્યાવરણની સુરક્ષા, જીવસૃષ્ટિ પર ખતરો ઊભો કરી રહેલું હવાઈ પ્રદૂષણ અને પ્રવર્તમાન સમયમાં ડીઝલ-પેટ્રોલ-ગેસ જેવા ઈંધણ પરની નિર્ભરતા વગેરે ઘટાડવા માટે આ પ્રકારની થોડીઘણી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવામાં સૌએ સહભાગી બનવું જોઈએ, અને પાર્ટી પોલિટિક્સથી ઉપર ઊઠવું જોઈએ.
એકંદરે એવું કહી શકાય કે તબક્કાવાર વર્ષ ર૦ર૭ સુધીમાં દ્વિચક્રીય અને ત્રિચક્રીય વાહનોનું નવું રજિસ્ટ્રેશન બંધ કરવાથી આગામી એક દાયકા સુધીમાં હવાઈ પ્રદૂષણ ઘણું ઘટી શકે અને પ્રોત્સાહક યોજનાઓ થકી બહુચક્રીય ઈલેક્ટ્રીક વાહનોનો વ્યાપ પણ વધતો રહે તો માત્ર પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણની સુરક્ષા જ નહીં, પરંતુ જીવસૃષ્ટિને પણ નૈસર્ગિક નવજીવન આપી શકાય, તેમ હોવાથી જે આશંકાઓ ઊઠી રહી છે તેનો ઉકેલ લાવીને પણ આ પ્રકારની પોલિસી દિલ્હીની જેમ અન્ય રાજ્યો પણ અપનાવી શકે છે.
ગુજરાત રાજ્ય દ્વારા પણ વર્ષ ર૦ર૧ માં ઈવી અંગે પોલિસી બની હતી, હવે આ પ્રકારની પોલિસી અપનાવવાની પહેલ ભાજપ શાસિત રાજ્યો ઝડપથી કરશે, તથા વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીના વતનના રાજ્ય ગુજરાતમાં પણ દિલ્હીની નવી યોજનાનો અભ્યાસ કરીને રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરીને એ જ પ્રકારના અથવા તેનાથી પણ વધુ ઉદાર પ્રોત્સાહનો જાહેર કરાશે, તેવી આશા સેવાઈ રહી છે, જો કે દિલ્હી નાનું રાજ્ય અને દેશની રાજધાની છે, તથા ત્યાં હવાઈ પ્રદૂષણની સર્વાધિક સમસ્યા છે, તેથી ત્યાં આ પ્રકારની પોલિસી તત્કાળ અમલી બની શકે, તેવી દલીલ થઈ રહી છે, પરંતુ આખા ગુજરાતને લક્ષ્ય બનાવીને પ્રાયોરિટીમાં અમદાવાદ સહિતના વધુ હવાઈ પ્રદૂષણ તથા વાહનો ધરાવતા શહેરો-જિલ્લાઓમાં પ્રયોગાત્મક પ્રારંભ તો થઈ જ શકે ને? ભૂપેન્દ્રભાઈ વિચારશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ ગુજરાત સહિત ડ્રગ્સનો જથ્થો ઠેર ઠેરથી પકડાઈ રહ્યો છે, અને ગુજરાતમાં ડ્રગ્સ એડિક્સ વધી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે મોટાભાગે ડ્રગ્સના બંધાણીઓ કોલજિયનો બનતા હોવાની વાતોએ ચિંતા વધારી દીધી છે, તો બીજી તરફ કુમળી વયથી જ તમાકુના વિવિધ પ્રકારોનું સેવન કરતા બાળકોની સંખ્યા વધી રહી છે અને કન્યાઓ તથા મહિલાઓ પણ તમાકુના વ્યસનમાં વધુને વધુ સંખ્યામાં લપેટાઈ રહી હોવાના તારણો નીકળી રહ્યા છે, ત્યારે વાલીઓ, સમાજ અને સામાજિક-ધાર્મિક-સંગઠનાત્મક અને સંસ્થાકીય આગેવાનોએ જાગવાની જરૂર છે.
ગુજરાતમાં ઠેર-ઠેર વધી રહેલી આ બદીની ચર્ચા શરૂ થઈ છે. તે પહેલા આ ચર્ચા રાષ્ટ્રીય કક્ષાએ શરૂ થઈ હતી અને કેન્દ્ર સરકારે રાજ્યોને ઉદ્દેશીને આ અંગેની એડવાઈઝરી પણ ભૂતકાળમાં જાહેર કરી હતી.
તમામ શેક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ, ટ્યુશન ક્લાસીઝ, સંશોધન કેન્દ્રો, કૌશલ્યવર્ધન કેન્દ્રો, તાલીમ કેન્દ્રો અને બાલમંદિરથી આઈઆઈએમ, આઈઆઈટી તથા સાયન્ટિસ્ટ ક્ષેત્રોની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની શાખાઓ, પ્રયગશાળાઓને સાંકળીને આખા શિક્ષણ ક્ષેત્ર (ટોટલ એજ્યુકેશન સેક્ટર) ને તમાકુ અને ડ્રગ્સમુક્ત કરવાની આ પહેલને માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવમાં પંચાયતથી પાર્લામેન્ટ અને આંગણવાડીથી કેન્દ્રિય સચિવાલય તથા એમ્બેસી સુધી ચૂસ્તપણે અમલી બનાવવાની જરૂર છે.
આ પહેલનો પ્રારંભ કેન્દ્ર અને રાજ્યોના શિક્ષણ વિભાગના તમામ કાર્યાલયો, સચિવાલય, જિલ્લા તંત્રો, તાલુકા તંત્રો અને તમામ સરકારી કચેરીઓ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ તથા ગૃહવિભાગથી શરૂ કરીને તમામ મહેકમોમાં ટોપ ટુ બોટમ અમલ કરીને પછી તેને છેક ગ્રામ્યસ્તર સુધી વિસ્તારવાથી જ તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ અને ડ્રગ્સમુક્ત સમાજની આશા રાખી શકાશે.
કેન્દ્ર સરકારની એડવાઈઝરીમાં તો તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાઓના ઉદ્દેશ્યને અગ્રતા અપાઈ હતી, પરંતુ તમાકુમુક્ત અને ડ્રગ્સ મુક્ત સમાજના ઉદ્દેશ્ય સાથે દેશવ્યાપી જનઆંદોલન શરૂ થવું જોઈએ, અને આ ચળવળ અવિરત ચાલતી રહેવી જોઈએ.
ટી.ઓ. એફઈઆઈ એટલે કે તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાઓના મેન્યુઅલનો કડક અમલ કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને ભૂતકાળમાં એડવાઈઝ આપી હતી. તેનો કેટલો અમલ થાય છે અને તેના હકારાત્મક કેવા પરિણામો છે, તેનો સ્ટડી થઈ રહ્યો છે.
ગ્લોબલ યુથ ટોબેકનો રિપોર્ટ કોરોનાકાળ પહેલા જાહેર થયો અને તેના ડેટા સામે આવ્યા પછી આ પ્રકારની એડવાઈઝરીઓ કેટલીક વિશ્વકક્ષાની સંસ્થાઓ તથા કેટલાક દેશોએ પણ પોતાના દેશોમાં જાહેર કરી હતી. એ રિપોર્ટમાં ભારતીય બાળકોમાં તમાકુના વ્યસનીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી હોવાનું બહાર આવ્યું હતું. આજે વર્ષો વિતી ગયા પછી પણ સ્થિતિમાં સુધારો થયો નથી અને આંકડાઓ વધતા જ રહ્યા છે.
ભારતમાં ૧૩ થી ૧પ વર્ષના વયજુથમાં તે સમયે સાડાઆઠ ટકા બાળકો તમાકુના વ્યસનીઓ હોવાનું જાહર થયું હતું, જે સંખ્યા અત્યારે કદાચ દોઢી કે ડબલ થઈ ગઈ હશે, કારણ કે તે સર્વે થયો તેને સાતેક વર્ષ થઈ ગયા છે. તે સમયે એવા તારણો રજૂ થયા હતાં કે ભારતમાં સાડાપાંચ હજારથી વધુ બાળકો દરરોજ તમાકુના વ્યસની બની રહ્યા છે. આ ગણતરી મુજબ અત્યારે તો દેશમાં કરોડો બાળકો વિવિધ તમાકુ પ્રોડક્ટ્સના વ્યસની થઈ ગયા હોવા જોઈએ. માત્ર તમાકુ જ નહીં, ડ્રગ્સના બંધાણીઓ પણ ઝડપભેર વધી રહ્યા હોવાની ભીતિ સેવાઈ રહી છે.
ધૂમ્રપાનને લઈને બીજા ચિંતાજનક અને ચોંકાવનારા તારણો બહાર આવ્યા હતાં. દેશમાં જીવનભર ધૂમ્રપાન કરનારા વ્યસનીઓ પૈકીના પપ (પંચાવન) ટકા લોકોએ ર૦ વર્ષની ઉંમર થતા પહેલા જ ધૂમ્રપાન કરવાનું શરૂ કરી દીધુ હોય છે. ધૂમ્રપાન પછી યુવાવર્ગ ખૂબ જ ઝડપથી અને સરળતાથી ડ્રગ્સનું સેવન કરવા તરફ વળી જાય છે, તેવા તારણો પણ નીકળ્યા છે.
તમાકુનું સતત સેવન કરવાથી જીવનું જોખમ ઊભું થાય છે. તમાકુની આદતના કારણે મોઢું, ગળું, અન્નનળી, મૂત્રાશય, કિડની, સ્વાદુપીંડ અને સર્વિક્સ સહિતના કેન્સરનું જોખમ વધે છે. ધૂમ્રપાનથી ફેંફસાનું કેન્સર, હાર્ટએટેક, સ્ટ્રોક અને શ્વાસના દર્દોનું જોખમ વધે છે. પેટની લાઈનીંગને. નુક્સાન પહોંચે છે, કબજિયાત વધે છે, જે અનેક અન્ય બીમારીઓને જન્મ આપે છે. આંખ, કાન, બેલેન્સ અને ગેસ્ટ્રોલાઈઝની ગંભીર બીમારીઓ પણ આ કારણે ઉદ્ભવી શકે છે.
એવું નથી કે વ્યસનો છોડી શકાતા જ નથી, તમાકુ છોડી શકાય છે, આ માટે દૃઢ સંકલ્પ લેવો પડે અને જીવનભર બીડી-સિગારેટ પીતા હોય કે તમાકુવાળા પાન-માવા-ગુટ્ખા ખાધા હોય, તેને બધાને ક્યાં કેન્સર થાય છે? તેવા પ્રકારની દલીલો-તર્કોને સૌ પ્રથમ દિલોદિમાગમાંથી હટાવી દેવા પડે. તે પછી ખૂબ જ મક્કમ રહીને તમાકુને તિલાંજલિ આપી દેવી પડે, અને તે પછી કઈપણ સંજોગોમાં આદત ફરી લાગુ ન પડે તે માટે સ્વયં જ દૃઢ રહેવું પડે.
તમાકુ છોડી દીધા પછી કોઈપણ વ્યક્તિ ગમે તેટલો આગ્રહ કરે, મગજ કામ કરતું નથી, ડાયજેસ્ટીંગ પ્રોબ્લેમ થાય છે, તે પ્રકારની વિટંબણાઓ ઉદ્ભવે કે પછી થોડા દિવસો કે મહિનાઓ માટે સુસ્તી અનુભવાય કે અપચા જેવું રહે, તો પણ જો તમાકુનું સેવન રજમાત્ર પણ પુનઃ શરૂ થાય નહીં, તો તેનાથી કાયમી છૂટકારો મળી જાય છે, અને જીવ પરનું સંભવિત જોખમ પણ ટળી જાય છે, તે હકીકત છે.
હમણાંથી ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સનો જંગી જથ્થો પકડાય છે. તમાકુ જેટલું જ ખતરનાક ડ્રગ્સનું સેવન છે. ડ્રગ્સનું વ્યસન ખૂબ જ મોંઘુ, ખતરનાક અને શારીરિક-માનસિક તમામ ક્ષમતાઓનો વિનાશ કરનારૂ હોય છે. તેનાથી તો દૂર જ રહેવું સારૂ અને કોઈના આંધળા અનુકરણ કે પછી ટેન્શનો હળવા કરવા માટે શરાબના વ્યસનમાંથી ડ્રગ્સ તરફ વળ જવાથી હંમેશાં સાવધ રહેવું જોઈએ. ટૂંકમાં તમાકુ હોય કે શરાબ, કે પછી ડ્રગ્સ હોય, તે બધા વ્યસનોનો અંજામ ખૂબ જ ખરાબ આવી શકે છે, અને સારો અંજામ ક્યારેય આવતો જ નથી.
ગુજરાતમાંથી ડ્રગ્સનો જંગી જથ્થો પકડાતો હોવાથી ડ્રગ્સ માફિયાઓમાં પણ ફફડાટ હશે, કારણ કે પાકિસ્તાન સાથેની જમીન બોર્ડર તદ્ન બંધ થયા પછીથી પંજાબ-હરિયાણાના માર્ગે મોકલાતા ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ઘૂસાડવા માટે જુના જમાનામાં સ્મગલીંગ માટે ઉપયોગમાં લેવાતા માર્ગોનો ઉપયોગ થઈ રહ્યો હોય, અને ગુજરાતમાંથી ડ્રગ્સને દેશભરમાં મોકલાઈ રહ્યો હોય તો તે ખતરનાક છે, અને ગુજરાતની ભાવીપેઢીને બરબાદ કરીને ખોટા માર્ગે વાળનાર છે. આ કારણે હવે આ મુદ્દે સમાજ અને પબ્લિકે જાગૃત રહીંને એજન્સીઓને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં મદદરૂપ થવા અને યુવા વર્ગ પર નજર રાખીને ડ્રગ્સના આડે ચડતા અટકાવવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં ધમાકેદાર શાળા પ્રવેશોત્સવ મનાવાયા. રાજ્યભરમાં મંત્રી-મહાનુભાવો-સચિવો તથા જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિતના પદાધિકારીઓ-આગેવાનો ગામડાઓ સુધી પહોંચ્યા અને પહેલેથી કરેલા સર્વે મુજબ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને આધ્યાત્મિક શિક્ષણમાં પ્રવેશપાત્ર બાળકો-વિદ્યાર્થીઓને મોજમસ્તીભર્યા માહોલમાં સ્કૂલોમાં પ્રવેશ કરાવ્યો. આ પ્રવેશોત્સવ દરમિયાન કેટલાક દાતાઓએ ઉદાર દિલે દાન આપ્યું, તે ગ્રામજનો-સ્થાનિક આગેવાનોએ કાર્યક્રમોમાં સંપૂર્ણ સહયોગ આપ્યો. વર્ષ ર૦૦૩ થી ચાલી આવતી આ સરકારી પરંપરા નિભાવાઈ ગઈ અને હવે આખુ તંત્ર પોતપોતાની મૂળ ચીજો તફ વળ્યું હશે, અને વીક એન્ડ તથા તાજિયાની રજાઓ પછી સરકારી કચેરીઓમાં પહેલાની જેમ જ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપલબ્ધ રહેશે, તેવું માની શકાય.
આ વખતે પણ શાળા પ્રવેશોત્સવ દરમિયાન કેટલીક ક્ષતિઓ સપાટી પર આવી ગઈ, તો કેટલાક ગામોમાં પ્રાથમિક શાળાઓની ખૂટતી જરૂરિયાતો કે વહીવટી-ટેકનિકલ સમસ્યાઓ પણ નજરે પડી. આ કાર્યક્રમોમાં મોટાભાગે શાસક પક્ષના નેતાઓ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોવાથી આ પ્રકારની ક્ષતિઓ કે સમસ્યાઓ પર ઢાંકપીછોડો થઈ શકે, પરંતુ કેટલાક સ્થળે રાજનીતિને બાજુ પર મૂકીને, આ કાર્યક્રમોમાં શિક્ષણ જેવા પવિત્ર કાર્ય તથા ભાવિ પેઢીની બુનિયાદ મજબૂત કરવાના ઉદ્દેશ્યો સામેલ હોવાથી વિપક્ષના નેતાઓ, પદાધિકારીઓ પણ જોડાયા હોય, ત્યાં ઢાંકપીછોડા થઈ શકતો હોતો નથી, અને પોલંપોલ બહાર આવી જતી હોય છે. તે ઉપરાંત સોશિયલ મીડિયાના યુગમાં કેટલાક જાગૃત નાગરિકો પણ મોબાઈલ સેલફોનમાં રેકોર્ડીંગ કરીને શિક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો, સમસ્યાઓ કે ખામીઓને પ્રકાશમાં લાવવાનો સંનિષ્ઠ અને પવિત્ર પ્રયાસ કરતા હોવાથી પણ હવે બધી વાત પર ઢાંકપીછોડો કરવો મુશ્કેલ છે.
આ કારણે જ એક સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન એવો ઘટસ્ફોટ થયો, જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતાં. હાલારની એક પ્રાથમિક શાળામાં ધામધૂમથી પ્રવેશોત્સવ તો ઉજવાયો, પરંતુ એવું બહાર આવ્યું કે એ પ્રાથમિક શાળામાં તો ચારેય શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એ પછી પ્રેસ-મીડિયામાં આ વાત છવાઈ ગઈ અને સોશિયલ મીડિયાની પાંખો આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. આ સત્ય બહાર એટલા માટે આવ્યું કે ત્યાં વિપક્ષના ધારાસભ્ય હાજર હતાં. આ જ રીતે શિક્ષકો, સુવિધા કે બુનિયાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી ઘણાં સ્થળે હશે, તો પણ બધી જગ્યાએ વિપક્ષના નેતાઓ કે સંનિષ્ઠ જાગૃત અગ્રણીઓની હાજરી નહીં હોય, કે પછી તેઓથી વાસ્તવિક્તા છૂપાયેલી રાખવામાં સફળતા મળી હશે. ઘણી સરકારી શાળાઓ ખૂબ જ સુંદર કામ કરે છે, શિક્ષકો ઉત્સાહી છે અને સ્થાનિક સહયોગ તથા ગ્રામજનો-દાતાઓની હૂંફ તથા અદ્યતન સાધન-સુવિધાઓ ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી હોય છે, તેની નોંધ પણ લેવાવી જ જોઈએ.
ગુજરાતમાં વર્ષ ર૦ર૪-રપ માં જિલ્લાવાર શિક્ષકોની જગ્યાઓ તથા તેની સામે ખાલી જગ્યાઓના આંકડાઓ મુજબ જામનગર જિલ્લામાં ૬૬૩ સરકારી પ્રાથમિક શાળાઓ ધોરણ ૧ થી ૮ ના ર૮૬૧ શિક્ષકો છે, અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ૮૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ થી ૮ માં ર૪૭૬ શિક્ષકો છે. તેવી જ રીતે જામનગર મહાનગરમાં ૪૪ સ્કૂલોમાં ૩૯૯ શિક્ષકો છે. રાજ્યના આંકડાઓ મુજબ રાજ્યમાં લગભગ ૩ર હજાર સરકારી પ્રાથમિક શાળાઓ છે, જેમાં ૧૯ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હતી, તે પૈકી ૧૧ હજાર જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પછી બીજા તબક્કામાં ૩ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ભરવાની છે. રાજ્યમાં ૧૬૦૦ થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. વર્ષ ર૦ર૪-રપ માં બજેટસત્રમાં તત્કાલિન શિક્ષણ મંત્રીએ આ આંકડાઓ આપ્યા પછી કેટલીક ભરતી પ્રક્રિયાઓ થઈ, અને કેટલીક પ્રક્રિયાઓ ચાલી રહી છે, તેમ છતાં કેટલીક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોય, ત્યાં કેવી સ્થિતિ હશે, અને તેને રજા પર જવું પડે, ત્યારે બાળકોના શિક્ષણનું શું થતું હશે, તે સમજી શકાય તેવું છે.
આંકડાઓ મુજબ વર્તમાન પ્રક્રિયા દરમિયાન ૧૧ હજાર તથા ૩૯૦૦ થી વધુ શિક્ષકોની ભરતી પછી પણ ૪ થી પ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેશે, જેમાં છાપરે ચડેલી એક પણ શિક્ષક વગરની હાલારની સરકારી પ્રાથમિક સ્કૂલ પણ સામેલ હશે ને?
ગુજરાતમાં વિપક્ષી નેતાઓ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ તથા ખાનગી શિક્ષણને પ્રોત્સાહિત કરવાના મુદ્દે સરકારને ઘેરતા હોય છે. વિપક્ષના નેતાઓ ૧૧ મહિનાના કરાર પર શિક્ષકોની સેવાઓ લેવાતી જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ પણ કરતા હોય છે. રાજ્યની વિધાનસભામાં પણ દોઢ હજારથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોવાની ચર્ચા થઈ હતી. જ્ઞાનસહાયક જેવી શોષણપદ્ધતિ બંધ કરીને નિયમિત પૂરા પગારથી કાયમી શિક્ષકની નિમણૂક કરવા તથા અત્યારે ફરજો બજાવી રહેલા કરાર આધારિત જ્ઞાનસહાયકોને કાયમી કરવાની માંગણી પણ વિપક્ષો દ્વારા થઈ છે.
શાળા પ્રવેશોત્સવો દરમિયાન જ કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓમાં ઈમારતોની સ્થિતિ, વાયરીંગ અને જર્જરિત સંકુલો જોવા મળ્યા હશે, અને દર વર્ષની જેમ પ્રિ-મોન્સુન સાવચેતીના પગલાં લેવાની ફોર્માલિટી પણ પૂરી કરવાની હશે, તેથી રાજ્ય સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. સરકારી શાળાઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલોમાં વરસાદી સિઝનમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેવા ઉદ્દેશ્ય સાથે કેટલીક સૂચનાઓ પણ અપાઈ રહી છે. આ અંગે જિલ્લાના પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓ કડક નિરીક્ષણ કરશે તેમ જાહેર થયું છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ માટે જર્જરિત ઓરડાઓમાં કે સ્કૂલોમાં અભ્યાસવર્ગો કે અન્ય કાર્યક્રમો નહીં ચલાવવા, મેદાન, છત તથા વરસાદી પાણી ભરાતા હોય, તેવા સ્થળોની સફાઈ કરીને સેઈફ સ્ટેજ નક્કી કરવા, ઈલેક્ટ્રીક વાયરીંગ તથા મધ્યાહ્ન ભોજન કેન્દ્રોની પ્રિ-મોન્સુન ચકાસણી કરી લેવા તથા ખુલ્લા વાયરો, નબળી સ્વીચો કે ખામીયુક્ત અર્થીંગ, જોખમી વીજલાઈનોની તત્કાળ મરામત કરીને આઈએસએસ પ્રમાણિત વીજ ઉપકરણોનો ઉપયોગ કરવા, ભારે વરસાદ-પૂર જેવી સ્થિતિ માટે ઈમરજન્સી પ્રોટોકોલ નક્કી કરવા અને જરૂર પડ્યે વિદ્યાર્થીઓના તત્કાળ સ્થળાંતરની વ્યવસ્થા રાખવા આ ગાઈડલાઈન્સ દ્વારા તાકીદ કરાઈ છે. આમાં ક્યાંય ક્ષતિ રહેશે, તો જિલ્લા કક્ષાના બન્ને શિક્ષણાધિકારીઓની જવાબદારી ગણી શકાય, તેવી ગાઈડલાઈન્સ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈરાન-અમેરિકા વચ્ચે ૬૦ દિવસના યુદ્ધવિરામ પછી કાયમી શાંતિ સ્થપાશે, તેવા આશાવાદ વચ્ચે બન્ને દેશો વચ્ચે હજુ પણ અવિશ્વાસનું વાતાવરણ છે, અને ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે છે, જો કે ઈઝરાયલ દ્વારા હુમલા ચાલુ રહ્યા હોવાથી આ પ્રકારનું અવિશ્વાસનું વાતાવરણ રહે તે સ્વાભાવિક પણ છે, પરંતુ અનિશ્ચિતતાઓ હજુ પણ છવાયેલી હોવાથી ઈંધણનો પુરવઠો જાળવવાના પ્રયાસો બધા દેશોએ ચાલુ રાખ્યા છે. ભારતમાં દોઢેક મહિના ચાલે તેવો પુરવઠો હોવા ઉપરાંત હવે નવો પુરવઠો આવવા લાગ્યો હોવાથી આપણાં દેશને બહુ વાંધો આવે તેવું નથી, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ ખુલી ગયા પછી ભારત સરકારે યુદ્ધ સમયે લીધેલા કેટલાક કડક નિર્ણયોની પનર્વિચારણા કરીને કેટલીક છૂટછાટો કરવાની દિશામાં પહેલું કદમ ઊઠાવ્યું છે અનેે એલપીજી સંદર્ભે લદાયેલા કેટલાક અંકુશો હટાવી લેવામાં આવ્યા છે. કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ (નોન-ડોમેસ્ટિક) હેતુઓ માટે સરકારે યુદ્ધ સમયે કેટલાક અંકુશો મૂક્યા હતાં અને બલ્ક ખરીદી-વેંચાણ તદ્ન બંધ કરાયું હતું. હવે તેમાં પ૦ ટકા સુધીની છૂટછાટ અપાઈ છે. હવે સી-૩ અને સી-૪ નો ઉપયોગ ફરીથી વધી શકે છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ઘરેલુ રાંધણગેસની પ્રાયોરિટી યથાવત્ રહેશે અને તેના ભાવોમાં કોઈ વધારો થશે નહીં, જો કે જે લોકો પાઈપલાઈનથી ગેસ મેળવતા હોય, એવા પીએનજીના ગ્રાહકોને એલપીજી કનેક્શન નહીં મળે, એ નિયમ યુદ્ધ પછી લાગુ કરાયો હતો તે યથાવત્ રખાયો છે, અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.
હોર્મુઝ સ્ટ્રેટ ખુલી ગયા પછી ક્રૂડ ઓઈલના બેરલના ભાવ, જે ૧ર૦ ડોલર સુધી પહોંચી ગયા હતાં, તેમાં ર૦ ટકાથી ૪ર ટકા સુધીનો ઘટાડો થયો છે, અને ગઈકાલ સુધીમાં ૭ર ડોલર સુધી પહોંચી ગયા છે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં હજુ ઘટાડો કરાયો નથી, જેની લોકો રાહ જોઈ રહ્યા હતાં. આવું થવાના કારણો પણ અપાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવો ઘટી ગયા હોવા છતાં પહેલાથી ખરીદેલું ક્રૂડ જે રસ્તામાં હોય તથા જેનો સોદો થઈ ગયો હોય, તેના ભાવો મૂળ ખરીદકિંમત મુજબ જ રહે, તે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, લેબરચાર્જ, કરવેરા, ઘસારો વગેરે ઉમેરાતા ક્રૂડના ભાવોની ખરીદકિંમત વધી જાય. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે ભાવો જાળવી રાખવા જ્યારે ક્રૂડનું બેરલ રૂ।. ૧૦૦ થી ૧ર૦ વચ્ચે હતું, ત્યારે એક્સાઈઝ ડ્યુટી શૂન્ય સુધી ઘટાડી હતી, તેને સરભર કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ કારણે સરકારે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઘટાડો થવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રાહત આપી નહીં હોય તેમ મનાય છે.
પેટ્રોલ-ડીઝલના ભાવો પર જ માર્કેટ, ટ્રાવેલીંગ, ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ડસ્ટ્રીઝ સેક્ટરનો આધાર હોવાથી જો થોડો-ઘણો પણ ભાવઘટાડો થાય, તો તેની અસરો આ તમામ સેક્ટર્સ પર થતા લોકોને ઘણી રાહત થાય તેમ છે, તેથી સરકારે ઈંધણના ભાવોમાં ઘટાડો થાય તેવો નિર્ણય લેવો જ જોઈએ. બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા માટે પેટ્રોલિયમ પેદાશો મોંઘા જ રાખવાની નીતિ અપનાવાઈ રહી હોય, તો પણ પહેલા મુસાફરીથી લઈને કાર્ગો સુધીના પરિવહન માટે પર્યાપ્ત ઈલેક્ટ્રીક વાહનો ઉપલબ્ધ થઈ જતા સુધી સરકારે રાહ જોવી જોઈએ અને ક્રૂડ આધારિત ઈંધણના ભાવો ઘટાડવાનું કદમ ઝડપભેર ઊઠાવવું જોઈએ, તેવા મંતવ્યો હકીકતલક્ષી ગણાય. જો પબ્લિકને ક્રૂડના ઘટતા ભાવોનો લાભ નહીં મળે તો મોંઘવારી ફાટી નીકળશે તથા અલનીનોની અસરથી જો વર્ષ નબળું જશે, તો સ્થિતિ બેકાબૂ બની જશે, તેવી આશંકાઓમાં વજુદ છે. આજે નહીં તો કાલે, કેન્દ્ર સરકાર ઈંધણના ભાવોમાં રાહત આપશે, તેવી આશા રાખીને બેઠેલી પ્રજાને જો નિરાશા સાંપડશે, તો તેના પડઘા આગામી વિવિધ ચૂંટણીમાં દેશવ્યાપી ધોરણે પડી શકે છે.
ગઈકાલે ભારતીય જનતા પક્ષ રપ મી જૂન-૧૯૭પ માં લદાયેલી કટોકટીની વરસી મનાવી રહ્યો હતો, ત્યારે વિપક્ષો અયોધ્યાના રામમંદિરમાં દાનની ચોરી, ઈંધણના ભાવ તથા તાજેતરના અગ્નિકાંડો તથા બિહારના એન્કાઉન્ટરના મુદ્દે ભાજપ પર તડાપીટ બોલાવી રહ્યા હતાં. આ આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે એલપીજી પરથી અંકુશો ઊઠ્યા પછી હવે સરકાર કેવા કદમ ઊઠાવે છે, તેના પર સૌની નજર મંડાયેલી રહેવાની છે.
હોર્મુઝ સ્ટ્રેટને લઈને સતત વિરોધાભાસી સમાચારો આવી રહ્યા છે. એક તરફ યુનો દ્વારા અમેરિકાના સહયોગથી ઓમાનના દરિયામાંથી નવો રૂટ એક્ટિવેટ કર્યા પછી ઈરાને ત્યાંથી પસાર થતા જ્હાજો મિસાઈલની રેન્જમાં હોવાનું જણાવી હુમલાની ગંભીર અને ગર્ભિત ધમકી આપ્યા પછી એવું પ્રતીત થાય છે કે હોર્મુઝ સંકટ ગમે ત્યારે ફરીથી સર્જાઈ શકે છે. આ સંજોગોમાં સરકારે ભવિષ્યને ધ્યાને લઈને રણનીતિ નવેસરથી નક્કી કરવી પડે તેમ છે. તો બીજી તરફ મોંઘવારીથી પીડાતી પ્રજાએ સંકટના સમયે સરકારને સતત સહયોગ આપ્યા પછી હવે જો બધું બરાબર હોય તો ક્રૂડના ભાવમાં થયેલા જંગી ઘટાડાના કારણે પેટ્રોલિયમ પદાર્થોની કિંમતોમાં થવાપાત્ર ઘટાડાનો મહત્તમ લાભ કંપનીઓને નહીં, પરંતુ ગ્રાહકો (જનતા) ને મળે, તે સુનિશ્ચિત કરવું જોઈએ. જો એવું નહીં થાય તો જનતામાં આક્રોશ વધશે, અને કોંગ્રેસની 'ગૂંજ' તથા વિપક્ષોની ફોજ દિલ્હી (કેન્દ્ર સરકાર) ને રાજકીય રીતે ઘેરી વળશે, તે નક્કી છે. આશા રાખીએ કે એકાદ અઠવાડિયામાં દેશવાસીઓને 'રાહત'ના સમાચાર મળે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ભીમ અગિયારસ છે, જેને નિર્જલા એકાદશી પણ કહે છે. આ વખતે અધિક (પરસોત્તમ) મહિનો પ્રથમ જયેષ્ઠ (જેઠ) મહિનામાં હતો, તેથી ભીમ અગિયારસ એક મહિનો મોડી થઈ છે. ભીમ ભૂખ્યો રહી શકતો નહીં અને એકાદશીનું વ્રત કરી શકતો નહીં હોવાથી વ્યાસજીએ જેઠ સુદ-એકાદશીના દિવસે જળ ગ્રહણ કર્યા વગર એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશીઓના વ્રતનું ફળ મળશે, તેવી સલાહ આપી હતી. આ નિર્જલા વ્રત ભીમે કર્યું હતું, તેથી આ એકાદશીને ભીમ અગિયારસ અથવા નિર્જલા એકાદશી કહેવાય છે, તેવી કથા છે. ઘણાં લોકો આ એકાદશીને પાંડવ પૂર્ણિમા અથવા પાંડવી પૂનમ પણ કહે છે. આ વ્રત કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે, અને વર્ષની મોટી અગિયારસ અથવા મોક્ષદાયિની એકાદશી પણ કહેવાય છે.
જુના જમાનાથી એેવું કહેવાય છે કે ભીમ અગિયારસથી અષાઢી બીજ વચ્ચે શ્રીકાર વર્ષા થાય છે. ભીમ અગિયારસના દિવસે અમીછાંટણા થાય છે, તેને શુભ માનવામાં આવે છે. અખાત્રીજ પછી ખેડૂતોએ ખરીફ સિઝન માટે કરેલા પરિશ્રમની ફલશ્રૂતિ મેળવવાનો અવસર જેઠ મહિનામાં ભીમ અગિયારસથી શરૂ થાય છે. આ વર્ષે પણ આ પરંપરા જળવાય અને સાર્વત્રિક શ્રીકાર વર્ષા થાય, તવી આશા સ્વાભાવિક રીતે જ સૌ કોઈ રાખે છે.
ગઈકાલે આવેલ ફોરકાસ્ટ મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આગામી ૭ દિવસમાં ભારે પવન અને વરસાદ સાથે વરસાદ થશે. મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને ત્યાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ગઈકાલે જ ર૪ કલાકમાં દસ-બાર ઈંચ વરસાદ થઈ ગયો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ થયા પછી એકાદ-બે અઠવાડિયામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતો હોય છે. આ વખતે ચોમાસું મોડું થતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વિલંબથી આવશે, પરંતુ આ વર્ષે અલનીનોની કેટલીક અસર થશે, તે અંગે મતમતાંરો છે.
એવું કહેવાય છે કે અલનીનોની વિપરીત અસરો શરૂ થઈ ગઈ છે અને તેની માઠી અસરો હાલાર સહિત ગુજરાતના ચાર-પાંચ જિલ્લામાં થઈ શકે છે. તે ઉપરાંત પ્રાચીન વર્ષા વિજ્ઞાન તથા કુદરતી બદલાવ પરથી થતી આગાહીઓ સાથે ટીટોડીએ ખેતરમાં ઈંડા મૂક્યા હોવાના દાવો કરીને નબળા ચોમાસાની આગાહીઓ થઈ રહી છે. આ સંજોગોમાં લોકોને તદ્ન સચોટ અને વાસ્તવિક જાણકારી મળતી રહે અને હકીકતે જો નબળા ચોમાસાની સંભાવનાઓ હોય તો લોકોને તથા ખેડૂતોને સમયોચિત રીતે માહિતગાર કરીને તેને મદદરૂપ થવાનો માસ્ટરપ્લાન પણ અત્યારથી જ વિચારી લેવો જોઈએ. અલનીનોની બહુ અસર ન થાય, અથવા અરબી સમુદ્રમાં પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડાયપોલ અલનીનોની વિપરીત અસરોનેે અટકાવી શકે છે અને દુષ્કાળની સંભાવનાઓને પણ મહદ્અંશે ઘટાડી શકે છે, તેથી આજે એકાદશીના પવિત્ર પર્વે એેવું પ્રાર્થીએ કે સારો વરસાદ થાય, અને અલનીનોનો કાળો પડછાયો ન પડે. વર્ષ સારૂ જાય અને ધનધાન્યની ઉણપ રહે નહીં.
આમ છતાં, બદલતા ઋતુચક્ર, સંભાવનાઓ તથા ફોરકાસ્ટને ધ્યાને લઈને આગમચેતી રાખવી જરૂરી છે. જુના જમાનાની જેમ અત્યારે ટાંચા સાધનો તથા ઢીલી સંચાર વ્યવસ્થા નથી. આજના ઈન્ટરનેટ યુગમાં હજારો કિલોમીટર દૂર દરિયામાં થતી ઘટનાઓની રજેરજ માહિતી મોકલી પણ શકાય છે, અને નિહાળી પણ શકાય છે, તેથી મોસમ પર બાજ નજર રાખીને સાયન્ટિસ્ટો, તંત્રો અને સરકાર તમામ જરૂરી આગોતરા કદમ પણ ઊઠાવી શકે છે, અને જરૂર પડ્યે કરકસરના કદમ પણ ઊઠાવી શકે છે. આ માટે પ્રવર્તમાન ઉપલબ્ધ જળરાશિ તથા ભૂગર્ભ સપાટીની સમીક્ષા કરીને અત્યારથી જ કેટલાક અંકુશો મૂકવાનું વિચારી શકાય છે, અને તે દિશામાં કદાચ કેટલાક તંત્રોએ કદમ ઊઠાવવાનું શરૂ પણ કરી દીધું છે.
કેન્દ્ર સરકારે દેશના ૩૧પ થી વધુ સૌથી વધુ એવા જિલ્લાઓ અલગ તારવ્યા છે, તેમાં પણ સિંચાઈની સુવિધાઓ ઘણી જ ઓછી હોય, તેવા જિલ્લાઓને પ્રાયોરિટીમાં રાખ્યા છે. આ જિલ્લાઓમાં પાણીની કરકસર અને બચત માટે જરૂર પડ્યે કડક કદમ ઊઠાવવાની તૈયારી પણ રખાઈ હોવાની પૂરેપૂરી સંભાવના છે.
અલ્પવૃષ્ટિની સ્થિતિમાં દાળ, તેલિબિયાનું અનાજ-કઠોળના વિકલ્પે અથવા મહત્તમ વાવેતર કરવામાં ખેડૂતોને મદદરૂપ થવા, પશુધનને નિભાવવા તથા લોકોને પીવાનું પાણી પૂરૃં પાડવા માટે પ્લાન એ, બી, સી, બનાવીને તેનો અમલ કરાવવાનું માઈક્રો પ્લાનિંગ કરવું પણ આવશ્યક છે. તે ઉપરાંત અનાજ, કઠોળ અને આવશ્યક ચીજવસ્તુઓનો બંફરસ્ટોક તથા ઘાસચારાનો વિપુલ જથ્થો સંગ્રહી રાખવા જેવા કદમ ઊઠાવવા પણ જરૂરી છે. આ તમામ બાબતો કેન્દ્ર સરકારના માસ્ટ પ્લાનમાં હશે જ, તેવી આશા રાખીએ...
ગુજરાતમાં હજુ ચોમાસું પહોંચ્યું નથી અને હાલારમાં ચોમાનું મોડું પડ્યું છે, ત્યારે અલનીનોની આશંકાને લઈને સ્થાનિક તંત્રો પણ એલર્ટ થઈ ગયા છે. જામનગર સહિતના ૧૦ શહેરોમાં આંશિક 'નળબંધી' થઈ રહી છે અને જ્યાં દૈનિક જળવિતરણ થતું હતું, ત્યાં હવે એકાંતરા જળવિતરણ થશે, તેવું જાહેર થયું છે. તે ઉપરાંત કેટલાક નગરો તથા ગ્રામ વિસ્તારોમાં તો ચાર-પાંચ દિવસ કે અઠવાડિયે પાણી પુરવઠો અપાતો હોવાની રાવ પણ ઊઠી રહી છે. જો વરસાદ વધુ ખેંચાય, તો પ્રવર્તમાન નળબંધીમાં વધારો પણ થઈ શકે છે.
જો આગામી સમયને સુરક્ષિત રાખવા માટે વર્તમાનમાં થોડી કરકસર કરવી પડે, કે તકલીફ ભોગવવી પડે, તો નાગરિકોએ સહયોગ પૂરો પાડવો જોઈએ, જે આપણું કર્તવ્ય છે, પરંતુ પીવાના પાણી પર કાપ મૂકવાની સાથે સાથે વિવિધ કામો માટે ભૂગર્ભમાંથી દરરોજ વિપુલ જળરાશિ ખેંચતા લોકો પર 'જળબંધી' કરવી જરૂરી છે. તે પણ ન ભૂલવું જોઈએ. આજે નિર્જલા એકાદશીના દિવસે પ્રભુને પ્રાર્થીએ કે પુષ્કળ વરસાદ વરસાવીને અલનીનોને અટકાવી દ્યે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપની સ્નેહાળ સ્મૃતિઓ... પ્રેરણાનું ઝરણું...
માધવાણી પરિવાર અને 'નોબત' પરિવારના માતૃતુલ્ય અને 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીના જીવનસંગિની સ્વ. ઉર્મિલાબન માધવાણીની આજે પુણ્યતિથિ છે. આજે તેઓની સ્નેહાળ સ્મૃતિઓ વધુ તાજી થઈ છે, અને અમને સૌને તેની પ્રેરણાદાયી હૂંફની અનુભૂતિ આજે પણ થઈ રહી છે.
વર્ષ ર૦૧૯ ની ર૪ મી જૂનનો એ દિવસ અમારા માટે આઘાતજનક હતો, જ્યારે આપ અમને બધાને છોડીને અનંતયાત્રાએ નીકળી ગયા હતાં. આપે હંમેશાં અમનેે સૌનેે પ્રેમાળ પથદર્શન સાથે હૂંફાળુ વાત્સલ્ય આપ્યું હતું. આપની મમતાળું હૂંફ, નિખાલસ સ્વભાવ, શાંત મનોવૃત્તિ અને જીવનના પડકારો સામે ઝઝુમવાની તાકાત અમારા માટે હંમેશાં પ્રેરણાદાયી રહેશે. આપનું સદાચાર, સંસ્કાર અને સાદગીભર્યું જીવન અમારા બધા માટે હંમેશાં અનુકરણીય બન્યું છે.
માતૃત્વની શિતળ છાયા ગુમાવ્યા પછી ક્યારેય પુનઃ મળતી નથી. આપ અમારા બધાના માતૃતૃલ્ય હતાં. આપની અણધારી વિદાય હતી, પરંતુ ઈશ્વરની આ ઘટમાળ પાસે પામર મનુષ્યનું કાંઈ ચાલતું નથી. જન્મ-મરણ ઈશ્વરને આધીન હોય છે, તેથી આપ અનંતયાત્રાએ નીકળી ગયા પછી આપની ખોટ આજ સુધી પૂરી શકાઈ નથી.
આપની પ્રેરણાદાયી સ્મૃતિઓ તથા માતૃત્વના શિતળ છાંયડાને સ્મરીને આજે પણ અમને બધાને જીવનના સંઘર્ષો સામે લડવાની તથા સર્વજનહિતાય, સર્વજનસુખાય જીવવાની તથા સૌને મદદરૂપ થવાની પ્રેરણા મળે છે.
આપના રાશીર્વાદ હંમેશાં અમારા પર વરસતા રહે અને વૈકુંઠમાંથી પણ અમારા બધા પર આપની અમી દૃષ્ટિ રહે તેવી શ્રીજીને પ્રાર્થના સાથે અમે બધા ખૂબ જ ભાવપૂર્વક આપને સ્મરણાંજલિ-સહ-શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.
જામનગર
તા. ર૪-૦૬-ર૦ર૬
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર
એક તરફ સામાન્ય જનતામાં હંમેશાં એક કોમન ફરિયાદ સંભળાતી હોય છે કે સરકારી-અર્ધ સરકારી કચેરીઓ-બોર્ડ-નિગમોમાં કોઈપણ કામ મોટાભાગે પૈસા આપ્યા વિના થતું જ નથી, તો બીજી તરફ સરકાર પારદર્શક વહીવટનો દાવો કરતી રહે છે. ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન માટે જ ઘણી બધી સેવાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. અને સિસ્ટમ પણ હવે ટ્રાન્સપરન્ટ અને ડિજિટલાઈઝેશન સાથે અદ્યતન થઈ રહી હોવાનું જણાવાય છે. આ વિરોધાભાસી મંતવ્યો-દાવાઓ વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરોએ જાહેર જનતાને ભ્રષ્ટાચારી તંત્રો અંગે જાણકારી આપવાનો અનુરોધ કર્યા પછી વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો એક વધુ વખત 'ટોક ઓફ ધ સ્ટેટ' બન્યો છે.
બન્યું છે એવું કે આણંદના એક પૂર્વ આર.એ.સી.ની સામે ચાલી રહેલી એક તપાસ પછી એસીબી દ્વારા તેણી સામે ગૂન્હો નોંધવામાં આવ્યો હતો. એન્ટિ કરપ્શન બ્યુરોની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો કે તેણીએ પોતાના અને પોતાના પરિવારના નામે વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતો તેણીની આવક કરતા ઘણી વધુ છે. વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ દરમ્યાન તેણીના આવક-ખર્ચ વચ્ચે ઘણી બધી વિસંગતતા સામે આવી હોવાનો દાવો પણ કરાયો છે. આ ડિફરન્સ આ અધિકારીએ કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાની પ્રબળ સંભાવનાઓ દર્શાવે છે. તેણીએ આ માલ-મિલકતો સત્તાનો દુરૂપયોગ દ્વારા આર્થિક લાભ મેળવીને વસાવી હોવાનો આરોપ મુકાયો છે, અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ જુદી જુદી કલમો હેઠળ ગૂન્હો નોંધ્યા પછી જાહેર જનતાને એવો અનુરોધ કરાયો છે કે તંત્રને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે સહયોગ આપે અને કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારી ભ્રષ્ટાચાર આચરીને ગેરકાયદેસર રીતે સંપત્તિઓ ખરીદતા હોય કે મિલકતો વસાવતા હોય તો તેની જાણ એસીબીને તત્કાળ કરે.
આ વિવાદાસ્પદ કેસ સાથે સંકળાયેલા મહિલા અધિકારી સામે અન્ય કેટલાક કેસો પણ થયા હતા અને સજા થઈ હતી, હવે તેણીની મિલકતને લઈને એસીબી દ્વારા કેસ થયો હોવાના અખબારી અને પ્રેસ મીડિયાના અહેવાલો ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓ માટે બોધપાઠરૂપ છે અને તંત્રમાં ચર્ચાનો વિષય બન્યા છે.
તાજેતરમાં જ એસીબીને સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓને એન્ટિકરપ્શન એકટ હેઠળ દબોચ્યા છે અને લાખો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. આ અધિકારીઓની સંપત્તિ પણ આવક કરતા ઘણી જ વધુ નીકળી હતી. એસીબીએ સીઆઈડી ક્રાઈમના ઈન્સ્પેકટર અને કોન્સ્ટેબલને રૂ।. ૩૦ લાખની લાંચ લેવાના કેસમાં દબોચ્યા. તેથી ખાતાની ક્રેડેટિબિલિટી વધી હતી. તે ઉપરાંત જમીનની કોઈ ફાઈલના નિકાલ માટે એક ડેપ્યુટી મામલતદાર, જપ્ત કરેલા વાહનને છોડાવવા માટે જીએસટીના એક અધિકારી દ્વારા રૂ।. ૧૦ લાખ લેતા ઝડપાયા હોવાના રાજ્યના જુદા જુદા સ્થળે નોંંધાયેલા ગૂન્હા જોતા ભ્રષ્ટાચાર પણ હવે "મોંઘો" થઈ ગયો હોવાનું તારણ નીકળે છે.
વર્ષ ૨૦૨૫ના એક રિપોર્ટ મુજબ બે વર્ષમાં એસીબીએ રાજયમાં ભ્રષ્ટાચાર વિરોધી ૨૧૩થી વધુ ગૂન્હાઓ નોંધીને ૩૧૦ ભ્રષ્ટાચારીઓને દબોચી લીધા હતા. જેમાં વર્ગ-૧ના ૧૩ તથા વર્ગ-૨ના ૩૫ અધિકરીઓ સામેલ છે. સૌથી વધુ કેસ ગૃહ-મહેસુલ અને પંચાયત વિભાગમાં નોંધાયા છે.
તાજેતરમાં મોટી ખાવડી પાસેથી પીજીવીસીએલના કર્મચારીઓ પકડાયા હતા, જેની સામે રૂ।. ૮૦ હજારની લાંચ લેવાનો આરોપ મુકાયો છે. તે પહેલા કલ્યાણપુરના હરિપરમાં તો સરપંચના પરિવારજનો જ લાંચ કેસમાં પકડાયા હતા. આ પ્રકારના દૃષ્ટાંતો ચોતરફ ચાલી રહેલા ભૂંડા ભ્રષ્ટાચારના છે.
જો કે, આ દૃષ્ટાંતો તો પકડાયેલા ભ્રષ્ટાચારીઓના છે. આઈસબર્ગની જેમ આ પકડાયેલા કેસો કરતા અનેકગણો ભ્રષ્ટાચાર ઉધઈની જેમ જનતાને કોતરી રહ્યો છે, અને ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે જરૂરી પૂરાવા અને સરકારી ખાતા સામે બાથ ભીડવાની હિંમતના અભાવે ઘણી વખત ભ્રષ્ટાચારીઓની ફરિયાદ કાં તો થતી જ નથી અને કાં તો પૂરવાર થતી નથી, તેથી જ આ ભોરીંગ વધુ ને વધુ ભરડો લઈ રહ્યો છે.
એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા છટકાં ગોઠવાય, આરોપીઓ રંગે હાથ પકડાય અને તે સમયે તેની વ્યાપક પબ્લિસિટી થાય, તેથી લાંચમાં પકડયેલા અધિકારી-કર્મચારીઓની આબરૂ જાય કે સમાજમાં નીચાજોણું થાય તેથી લાંચ-રૂશ્વતના રવાડે નહીં ચડવા વડીલો સલાહ આપતા અને અધિકારી-કર્મચારીઓ પણ આ પ્રકારની સંભાવનાઓથી ડરતા હતા, પરંતુ હવે ધીમે ધીમે આ પ્રકારની શરમ-સંકોચ રહ્યા નથી અને પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને કાનૂની લડત લડીને ઘણાં લાંચ રૂશ્વતના આરોપીઓ વર્ષો સુધી કેસ ચાલ્યા પછી નિર્દોષ છૂટી જતા હોય છે, તેથી એક નવી ચર્ચાએ પણ ઊઠી છે કે છટકું ગોઠવીને પૂરતા પૂરાવા સાથે રંગેહાથ સ્વયં લાંચ લેતા અધિકારીઓ-કર્મચારીઓ નિર્દોષ છૂટવા જ ન જોઈએ. આ સંદર્ભેે એસીબીના થતા કેસોમાં કેટલાને સજા થાય છે, અને કેટલા નિર્દોષ છૂટે છે, તેની ચર્ચા સાથે સવાલો પણ ઉઠતા રહે છે કે આ માટે "સિસ્ટમ" જવાબદાર છે ? કોણ જવાબદાર છે ?
ભ્રષ્ટાચારના કારણે માનવજિંદગીઓ પણ હોમાતી હોય છે. સુરતનો તક્ષશીલા અગ્નિકાંડ હોય, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, કે પછી ગઈકાલનો લખનૌનો અગ્નિકાંડ હોય, આ બધા અગ્નિકાંડોમાં હોમાયેલી જિંદગીઓ પાછળ ભ્રષ્ટ રીતિ-નીતિ તથા લાંચિયા અધિકારીઓ જ જવાબદાર ગણાય ને ?
એક કરચોરીના કેસમાં રૂ।. ૨૦ લાખની લાંચની માંગણી કરવાના આક્ષેપ હેઠળ આણંદના ઈન્કમ ટેકસના એક ઉચ્ચ અધિકારી તથા એક એડવોકેટને સીબીઆઈ દ્વારા રંગેહાથ પકડાયા હતા. આ કેસમાં એટલા સચોટ પૂરાવા એકત્રિત કરાયા હતા કે સ્પેશિયલ કોર્ટે આ બંનેને સજા ફટકારી હતી. ઈન્કમ ટેકસના તે સમયના ૨૩ વર્ષ પહેલાના ડેપ્યુટી ડાયરેકટર કક્ષાના ઉચ્ચ અધિકારી અને તેની મદદ કરનાર એડવોક્ેટને અનુક્રમે બે વર્ષ તથા એક વર્ષની સજા ફટકારાઈ હતી. આ ચૂકાદા સામે થયેલી અપીલમાં હાઈકોર્ટે આ સજા યથાવત રાખી છે. આ દૃષ્ટાંત મજબૂત પૂરાવા હોય તો દાયકાઓ પછી પણ અપરાધીઓ છુટી શકતા નથી. આ પ્રકારના સોલીડ કેસમાં લાંચિયાઓને છટકબારી મળતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વર્ષે ચોમાસું અટવાઈ ગયું અને ગરમી વધી ગઈ તેથી ગુજરાતીઓ પરેશાન છે. રાજ્યમાં ગરમી અસહ્ય બની રહી છે અને તેમાં હવે ભેજનું ૩૦ થી ૬૦ ટકા સુધીનું પ્રમાણ ઉમેરાતા બફારો પણ વધ્યો છે. આ કારણે માર્કેટમાં એરકન્ડીશન્ડ મશીનોનું પ્રમાણ વધ્યું છે, તેથી વીજ પુરવઠાની માંગ પણ વધી છે. આ જ કારણે વીજલાઈનો પર દબાણ વધતા વીજળીના ધાંધિયા પણ વધ્યા છે અને નાના-મોટા વીજફોલ્ટ વધી જતા વીજકંપનીની ટીમોની હડિયાપટ્ટી પણ વધી છે.
કેરળમાં ચોમાસાના આગમન પછી જે ગતિથી ચોમાસું આગળ વધતું હોય, તેમાં આ વખતે બદલાવ આવ્યો છે. ચોમાસાની ઉત્તરીય સીમા અત્યારે હૈદ્રાબાદ, સોલાપુર, રાંચી થઈને પસાર થઈ રહી છે. ઉત્તર ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. આ કારણેે દક્ષિણ ઉત્તર તરફથી પટ્ટીમાં વરસાદની એક્ટિવિટી વધી છે. હવામાન ખાતાને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ઉ. ગુજરાતથી પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધીની પટ્ટીમાં સપાટીથી પ.૮ કિ.મી.ની ઊંચાઈ પર રચાયેલી ટ્રફ લાઈન અને નીચલા સ્તરે ફૂંકાઈ રહેલા દક્ષિણ-પશ્ચિમ પવનોના કારણે ગઈકાલે સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનને માઠી અસર પહોંચવા છતાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે, અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ તા. ર૮ થી જૂન સુધીમાં પડી શકે છે.
હવામાન ખાતાએ ર૮ મી જૂન સુધીની કરેલી છૂટાછવાયા, મધ્યમ વરસાદની આગાહીમાં મધ્ય-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના નામ છે, પરંતુ સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં માત્ર હળવા વરસાદનું અનુમાન કરાયું છે. તોફાની પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની સંભાવના દર્શાવાઈ છે. આમ, એક તરફ ચોમાસાના આગમનના કારણે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી વહેલી થશે, તેવી શક્યતા જણાવાઈ રહી છે, તો બીજી તરફ કચ્છ-સૌરાષ્ટ્રના મહત્તમ જિલ્લાઓ બાકાત રહેતા ચિંતા પણ વધી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમી ગતિથી આગળ વધીને આવતીકાલે મહારાષ્ટ્ર સુધી પહોંચશે, તેવી આગાહી છે, પરંતુ ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ આગમનની કોઈ ચોક્કસ તારીખ નક્કી થઈ શકી નથી. અત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડે, તે પ્રિ-મોન્સુન એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ છે. આમ, મોડું થતું ચોમાસું, અલનીનોની અસરો અને રાજ્યના જળાશયોમાં ખૂટી રહેલો જળરાશિ ચિંતાજનક છે, તેથી રાજ્ય સરકારે 'સબ સલામત'ની રાબેતામુજબની રેકર્ડ વગાડવાના બદલે સમયોચિત કદમ ઊઠાવવા જોઈએ.
ગઈકાલે ર૧ મી જૂને યોગ દિવસ ઉજવાયો અને જામનગર-હાલાર સહિત ઠેેર ઠેર યોગશિબિરો યોજાઈ. યોગાના કાર્યક્રમો દરમિયાન એકત્રિત થતા લોકોમાં પણ ખેંચાયેલું ચોમાસું, અલનીનોની અસર અને જળાશયોમાં ઉપલબ્ધ જળસંગ્રહની જ સર્વાધિક ચિંતા વ્યક્ત થઈ રહેલી જોવા મળી રહી હતી. લોકો જામનગરમાં તો પહેલા વરસાદી ઝાપટાંમાં જ શહેરમાં થયેલા જળભરાવને યાદ કરીને પ્રિ-મોન્સુન કામગીરીની ટીકા કરી રહ્યા હતાં, ત્યારે કેટલાક લોકો વ્યંગમાં એવું કહેતા પણ સંભળાયા હતાં કે ચોમાસું મોડું આવવાનું હોવાથી તંત્રોને ક્ષતિ સુધારવા અને બાકી રહી ગયેલી પ્રિ-મોન્સુનની કામગીરી કરવાની તક મળી ગઈ છે, તો કેટલાક લોકો નિંભર તંત્રો આ કુદરતે આપેલી તકનો લાભ નહીં ઊઠાવે, તો મહાનગરની 'મહાદશા' કેવી હશે? તેવો સવાલ પણ ઊઠાવી રહ્યા હતાં. સામાન્ય જનતાની આ લાગણીઓ અને ચિંતાઓની અસર હંમેશાં ઉજવણીઓના મૂડમાં રહેતા શાસકો-પ્રશાસકો સુધી પહોંચી હશે કે કેમ? તે તો રામ જાણે, પરંતુ દેશમાં ફરીથી એક વખત અયોધ્યાના રામમંદિરનો મુદ્દો જુદા સ્વરૂપે ફરીથી 'ટોક ઓફ ધ નેશન' બન્યો છે, તેની થોડી ઘણી ચર્ચા પણ થતી જોવા મળી હતી. અયોધ્યાના રામમંદિરમાં ગોલખચોરીના મુદ્દે રચાયેલી એસઆઈટી આજે યુ.પી.ને પ્રાથમિક રિપોર્ટ આપશે, તેવા અહેવાલો વચ્ચે દેશભરના પ્રત્યેક ધાર્મિક સ્થળોમાં શ્રદ્ધાળુઓને મંદિર માટે કરેલા દાન પર 'તરાપ' મારતા, દર્શન માટે ઊંચો ચાર્જ વસૂલતા કે પ્રસાદમાં ઘાલમેલ કરતા પરિબળોને સાંકળીને કોઈ કડક કાયદા બનવા જોઈએ, તેવા જન-પ્રત્યાઘાતો પણ સંભળાઈ રહ્યા હતાં, જો કે સર્વાધિક ચિંતા અલ્પવૃષ્ટિ અને સંભવિત દુષ્કાળની જ થઈ રહી છે.
આવી ચિંતા વ્યક્ત થઈ રહી હોય, તે સ્વાભાવિક છે, કારણ કે ચોમાસાની અનિશ્ચિતતાઓ સાથે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં ર૦ ટકા જેટલો જળસંગ્રહ ઓછો હોવાના અહેવાલો પછી અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તેવા સંજોગોમાં માત્ર સિંચાઈ નહીં, પરંતુ લોકોનો પીવાના પાણી તથા પશુ-પંખીઓના નિભાવનો પ્રશ્ન ઊભો થાય તેમ છે. અત્યારે તો સૌની યોજના અને નર્મદા યોજનાનો સહારો છે, પરંતુ જો દુષ્કાળ પડે તો અણકલ્પ્ય સ્થિતિ ઊભી થાય અને દાયકાઓ પહેલા ઊભા થતા દૃશ્યો ફરીથી જોવા મળે, તેવી સંભાવના નકારી શકાય નહીં.
અહેવાલો મુજબ સૌરાષ્ટ્રમાં ૧૪૦ થી વધુ ડેમોમાં અત્યારે માત્ર ર૭.૪૦ ટકા જ જળસંગ્રહ છે. આખા રાજ્યની વાત કરીએ, તો રાજ્યમાં ર૦૦ થી વધુ ડેમોમાં પણ ૩૬.૯૪ ટકા જ જળસંગ્રહ છે, જેના પર આખા રાજ્યનો આધાર છે, તે નર્મદા ડેમમાં પણ ૬પ ટકાની આજુબાજુ જળસંગ્રહ છે. ગયા વર્ષે તો આ જ સમયગાળામાં પ્રિ-મોન્સુનના ભારે વરસાદ અને તે પછી ચોમાસાની એન્ટ્રી થતા ડેમોમાં પ૦ ટકા જેટલો જળસંગ્રહ થયો હતો, જ્યારે આ વર્ષે તો હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ વર્ષે દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અડધો ડઝન જિલ્લાઓમાં ઘણાં ડેમોમાં શુન્ય જળરાશિ હોવાથી સૂકાઈ ગયા છે, અને મેદાનો જેવા બની ગયા છે, જ્યારે ૧૧૦ જેટલા ડેમોમાં માત્ર ર૦ ટકા કે તેથી ઓછું જ પાણી બચ્યું છે.
જળસંગ્રહની રાજ્યની કુલ ૮.૯૧ લાખ એમસીએફટી જેટલી ક્ષમતા છે, તેમાં સૌરાષ્ટ્રની ૯૧ હજારથી વધુ એમસીએફટીની ક્ષમતા છે, પરંતુ તેમાંથી અત્યારે નર્મદા સહિત ૪.ર૪ લાખ એમસીએફટી જળસંગ્રહ છે. તેથી જો ભીષણ દુષ્કાળ પડે તો આ જળસંગ્રહ પણ ઓછો પડે તેમ હોવાથી ભૂગર્ભ જળસપાટી જાળવી રાખવા અત્યારથી જ આગમચેતીના પગલાં લેવા જરૂરી છે.
જો કે, ગયા વર્ષે સરદાર સરોવર ડેમમાં ગત્ વર્ષે આ સમયગાળામાં હતો, તેનાથી સવાયો જળસંગ્રહ હોવાથી રાજ્ય માટે રાહતરૂપ છે, પરંતુ જું કહેવાઈ રહ્યું છે, તે મુજબ અલનીનોની વિપરીત અસરો સર્વાધિક હાલાર સહિત સૌરાષ્ટ્રના ચાર-પાંચ જિલ્લાઓને થવાની હોય તો તેના પર ધ્યાન કેન્દ્રિત (ફોકસ) કરીને પાણીની બચત, કરકસર અને ખાસ કરીને ભૂગર્ભ જળસપાટી જાળવી રાખવા નવા બોર કરવા તથા પ્રવર્તમાન બોરમાંથી ખૂબ જ મોટો જથ્થો ઉલેચવા પર સંતોષકારક વરસાદ થતા સુધી અંકુશો મૂકવાની જરૂર જણાય છે.
ટૂંકમાં, આ વર્ષે અલનીનોની વિપરીત અસર થાય, વરસાદ ઓછો પડે, દુષ્કાળ કે અછત જેવી સ્થિતિ ઉપસ્થિત થાય અથવા હાલાર સહિત કેટલાક જિલ્લાઓમાં વધુ વિષમ સ્થિતિ ઊભી થાય, તો તેના માટે અલાયદો માસ્ટર પ્લાન અત્યારથી જ તૈયાર રાખવાની જરૂર છે, અને ઉપરાંત આગામી વર્ષ માટે તમામ લોકો તથા પશુધન માટે પીવાનું પાણી, વાપરવાનું પાણી, ખેતીની સિંચાઈને અગ્રતા આપીને અન્ય હેતુઓ માટે જંગી જળ વપરાશ પર હાલતુરંત અંકુશો મૂકવાની તાતિ જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને આડે હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્યમાં આ સંદર્ભે રાજકીય હલચલ તેજ બની ગઈ છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું એકચક્રીય શાસન રહ્યું છે, પરંતુ વર્ષ ર૦ર૭ ની ચૂંટણીમાં આ વખતે માત્ર કોંગ્રેસ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી પણ જોરદાર ટક્કર આપવાની તૈયારી કરી રહી છે, અને આ વર્ષે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ રાજ્યવ્યાપી માઈક્રો પ્લાનીંગ અમલમાં મૂકી દીધું હોય તેવા સંકેતો છે.
ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં હોદ્દાઓની જાણે લ્હાણી કરી છે. આ પહેલા પણ રાજ્યવ્યાપી નિમણૂકો થઈ હતી. ગઈકાલે જાહેર થયેલી યાદી મુજબ રાજ્યમાં ૧ર નવા ઉપપ્રમુખો અને ૧૪ સંગઠનમંત્રીઓ ઉપરાંત યુવા, મહિલા અને વિદ્યાર્થી મોરચાઓના નવા પ્રમુખો નિમાયા છે. આ નિમણૂકોમાં જ્ઞાતિ-જાતિ, વર્ગ અને પ્રદેશનું સંતુલન બેસાડવાનો પ્રયાસ થયો હોય તેમ જણાય છે. ભૂતકાળમાં યુવા આંદોલનો સાથે જોડાયેલા કેટલાક યુવાનેતાઓને આ નિમણૂકોમાં પણ સ્થાન મળ્યું છે, અને પરીક્ષાઓમાં ગરબડ, પેપરલીક અને સરકારી ભરતીઓના મુદ્દે અવારનવાર અવાજ ઊઠાવનાર યુવરાજસિંહ જાડેજાનો સમાવેશ કરાયો છે. તાજેતરમાં ઓનલાઈન ઉભરેલી કોકરોચ પાર્ટીને પણ 'આપ'નું મૂક સમર્થન હોય તેમ જણાય છે. તાજેતરમાં 'આપ'ના સાંસદ સંજયસિંહે કરેલા કેટલાક નિવેદનો પણ ગુજરાતમાં પડઘાઈ રહ્યા છે.
આ વખતે આમ આદમી પાર્ટી દિલ્હીના પરાજ્યનો બદલો ગુજરાતમાં લેવા કમર કસી રહી હોય તેમ જણાય છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રવર્તમાન શાસન સામેની ત્રણ દાયકાની એન્ટી ઈન્કમ્બન્સીનો લાભ લેવા અને કોંગ્રેસનો વિકલ્પ બનીને શક્તિશાળી વિપક્ષ બનવા અથવા ભાજપને પછાડીને ગુજરાતમાં પંજાબની જેમ સરકાર રચવાના સપના જોઈ રહી હોવાથી તેને અનુરૂપ તૈયારીઓ અત્યારથી જ આદરી દીધી હોય તેવું સ્પષ્ટ જણાય છે. ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપીને જો વર્ષ ર૦ર૭ માં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાઠું કાઢી શકે, તો તેનો ફાયદો આગામી ચૂંટણીઓમાં થઈ શકે છે. દિલ્હીમાં સત્તા પાછી મેળવવી અને પંજાબમાં સત્તા જાળવી રાખવાના પડકારો વચ્ચે આમ આદમી પાર્ટી અત્યારે તો રાષ્ટ્રીય કક્ષાએ પડેલા ભંગાણ પછી હવે અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસો કરી રહી છે. આ સંજોગોમાં જો ગુજરાતમાં કમ-સે-કમ મુખ્ય વિપક્ષ બની શકે, તો પણ સર્વાઈવ કરવામાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રુસ્ટર ડોઝ મળે તેમ છે. આ કારણે ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી માત્ર ભાજપ નહીં, પરંતુ કોંગ્રેસને પણ ટક્કર આપવાનો ભરપૂર પ્રયાસ કરશે. પંજાબમાં આમ આદમી પાર્ટીને ભાજપનું ત્યાં બહું ઉપજતું નહી હોવાથી સૌથી વધુ ફાઈટ કોંગ્રેસ જ આપવાની છે, તેથી ગુજરાતમાં કોંગ્રેસને પડકારીને 'આપ' એક કાંકરે બે નિશાન સાધવાના પ્રયાસ કરી રહી હોય તેમ જણાય છે.
કોંગ્રેસે તાજેતરમાં ખેડૂતોના પ્રશ્ને અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ રેલી અમદાવાદથી નીકળી, પરંતુ ઓગણજ સુધી જ પહોંચી અને ત્યાં સભામાં ફેરવાઈ ગઈ. ઓગણજમાં ભાજપ સરકાર વિરોધી દેખાવો થયા અને તીખા-તમતમતા ભાષણો પણ થયા. આ રેલીને સરકાર (ભાજપ) ના ઈશારે ઓગણજમાં જ રોકી દેવાઈ હોવાનો આક્ષેપ પણ થયો હતો.
હવે આમ આદમી પાર્ટીએ એવો આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસે માત્ર પબ્લિસિટી સ્ટંટ જ કર્યો હતો. કોંગ્રેસે ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા માત્ર ડ્રામેબાજી જ કરી હતી. હકીકતે કોંગ્રેસે આ રેલી માટે ગાંધીનગર સુધી જવાની મંજુરી જ લીધી નહોતી, પરંતુ માત્ર ઓગણજ સુધીની જ મંજુરી માંગી હતી, પરંતુ ગાંધીનગર કૂચના બહાને ખેડૂતોને અંધારામાં રાખીને ખેડૂતોની પરેશાનીઓનો રાજકીય લાભ લેવાનો જ પ્રયાસ થયો હતો, તે પ્રકારના પ્રેસ-મીડિયાના અહેવાલો પછી કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટી પર ખેડૂતોને ગુમરાહ કરવાનો આક્ષેપ લગાવ્યો છે.
ગઈકાલથી થઈ રહેલી રાજ્યવ્યાપી ચર્ચા મુજબ આમ આદમી પાર્ટીએ ગઈકાલે પડકાર ફેંક્યો હતો કે જો કોંગ્રેસે ગાંધીનગર સુધીની રેલીની મંજુરી માંગી હોય અને તેને નામંજુર કરીને ઓગણજ સુધીની જ મંજુરી અપાઈ હોય, તો કોંગ્રેસ પોલીસના જવાબનો પત્ર જાહેર કરે. પોલીસે હકીકતે પહેલેથી જ કથિત રીતે ૧૪ મી જૂને જ અમદાવાદના ઓગણજ સુધીની જ મંજુરી આપવા છતાં કોંગ્રેસે ખેડૂતોને અંધારામાં રાખીને ગેરમાર્ગે દોર્યા હતાં.
બીજી બાજુ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભાજપની 'બી' ટીમ તરીકે કામ કરતી હોવાના વારંવાર આક્ષેપો કરતી રહે છે, અને આ વખતે પણ 'આપ'ના કાર્યકરોએ ખેડૂતોની રેલીમાં ઘૂસણખોરી કરીને ખેડૂતોને ઉશ્કેર્યા હતાં. જો કોંગ્રેસના નેતાઓએ શાણપણ દાખવીને કંટ્રોલ ન કર્યો હોત તો લાઠીચાર્જ થયો હોત અને કડદાકાંડ જેવો ઘાટ સર્જયો હોવાનો દાવો કરીને કોંગ્રેસે તે તરફ જ અંગુલીનિર્દેશ કર્યો છે.
આ દૃષ્ટાંત જોતા એવું લાગે છે કે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૂરેપૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે અને ત્રિપાંખિયા જંગમાં ભાજપને પડકારશે.
આમ આદમી પાર્ટીને ભાજપે રાષ્ટ્રીયકક્ષાએ તોડી નાંખી છે, અને સંસદમાં મોટો ઝટકો આપ્યો છે, પરંતુ ગુજરાતમાં પ્રાદેશિક કક્ષાએ આમ આદમી પાર્ટી ભાજપને ફાયદો થાય, તેવા પ્રયાસો કરતી હોય તો તેને રાજનીતિમાં બધું ય ચાલે, તેવી માન્યતાની ફલશ્રૂતિ જ ગણવી પડે. આપણાં દેશમાં રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા અભિગમો હોય, તેેમાં કોઈ નવાઈ નથી, ઘણાં પ્રાદેશિક પક્ષો રાજ્યકક્ષાએ ફ્રેન્ડલી ફાઈટ કરીને રાષ્ટ્રીય કક્ષાએ પરસ્પર તાલમેળ જાળવતી હોય છે. કેટલાક રાજકીય પક્ષો કેન્દ્રમાં સામસામે હોય, પણ રાજ્યમાં સહિયારૂ શાસન ચલાવતા હોય કે ગઠબંધનમાં સાથીદારો હોય, તેવા ઘણાં દૃષ્ટાંતો છે.
વર્ષ ર૦ર૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ઔદ્યોગિક ઘરાનાઓ તથા તેની સાથે સંકળાયેલા જાહેર જીવનમાં પ્રતિષ્ઠિત કેટલાક મહાનુભાવો-ઉદ્યોગપતિઓ કે રાષ્ટ્રીય કક્ષાએ જનપ્રતિનિધિત્વ કરતા વ્યક્તિવિશેષો ઉપરાંત કેટલાક જ્ઞાતિ સમાજોમાં રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષા સુધીના હોદ્દાઓ ધરાવતા હાલારના મહાનુભાવો પણ માત્ર ફંડીંગ કે બેક ગ્રાઉન્ડ સપોર્ટના બદલે પ્રત્યક્ષ રીતે મેદાનમાં ઉતરે અને વિવિધ રાજકીય પક્ષોમાંથી ચૂંટણીમાં ઝંપલાવે, તેવા સંકેતો મળી રહ્યા છે. જો તેવું થશે તો સૌરાષ્ટ્રના રાજકીય સિમરણો બદલાઈ જશે.
છેલ્લે... ગઈકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એેજીએમમાં મુકેશભાઈ અંબાણીએ જિયોના આઈપીઓ ઉપરાંત એ.આઈ.ના યુઝર્સ નહીં, પણ મેનયુફેક્ચર બનવાની સાથે આગળ વધવાનો સંકેત આપતા જામનગર હવે એ.આઈ.ના ક્ષેત્રે પણ ગ્લોબલ હબ બનવા જઈ રહ્યું છે, તેના સંદર્ભે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં વાદળછાયા વાતાવરણ પછી ગઈકાલે પોણાઈંચ જેવો વરસાદ પડ્યોઅને થોડા સમય માટે ઠંડક પ્રસરી, માહોલ બદલાયો અને આહ્લાદક વાતાવરણના કારણે મજા પડી ગઈ, પરંતુ થોડા સમયમાં જ તડકો તપવા લાગ્યો. જામનગરની જેમ જ હાલારમાં કેટલાક સ્થળે હળવા ઝાપટા પડ્યા. આ પ્રિ-મોન્સુન વરસાદ હતો, અને ચોમાસું હજુ બાકી છે, ત્યાં જ પ્રારંભિક વરસાદે ગાઈ-વગાડીને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી.
જામનગરમાં ખડકાયેલા વિકાસના માચડાઓ પર આ પ્રારંભિક વરસાદ પછી ગંદકી અને બદબુનું આવરણ ચડી ગયુંઅને સોહામણા સંકુલોમાં ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. આ કારણે લોકોમાં પહેલા વરસાદની આવેલી પ્રારંભિક ખુશી તો જાણે હવામાં જ ઊડી ગઈ.
ગઈકાલે પોણા ઈંચના ઝાપટા પછી જે સ્થિતિ જોવા મળી, તેમાં વિકાસના કામોની અણઘડતા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. જામનગર મહાનગરપાલિકાનું પ્રવેશ દ્વાર, મહાનગરપાલિકા પાસેથી ભીડભંજન મહાદેવના મંદિરના સામેનો તળાવની પાળ તરફનો માર્ગ, જિલ્લા અદાલતનું પટાંગણ, લાલબંગલો સંકુલ, ટાઉનહોલ, અપના બજાર, પંચેશ્વર ટાવર તરફનો માર્ગ, ગ્રેઈન માર્કેટ, ત્રણદરવાજા, ધરારનગર, ડી.કે.વી., હાપા રોડ તથા ઘણાં સોસાયટી વિસ્તારોમાં થયેલો જળભરાવ થોડા સમય માટે તો એવો દેખાતો હતો, જાણે કે આખું નગર જ ગટર બની ગયું હોય!
જામનગરને છોટીકાશી પણ કહે છે. છોટીકાશી એટલે મંદિરોની નગરી. આ ધર્મનગરી એક સમયે સુંદર રજવાડીનગર પણ હતું. આ મહાનગરમાં આજે પણ રૂડો-રૂપાળો ઓવરબ્રિજ અને નવનિર્મિત ભૂજિયો કોઠો, લાખેણું લાખોટા તળાવ અને રળ્યામણા સર્કલો ઊભા કરાયા છે, પરંતુ સોનાની થાળીના લોઢાની મેખની જેમ અણઘડ ગટર વ્યવસ્થા, સ્વચ્છતાના નામે માત્ર ડ્રામેબાજી અને તુંડમિજાજી માનસિક્તાના કારણે પહેલા વરસાદે જ ગંદી દુર્દશા જોવા મળી હતી.
જાનગરમાં વરસાદી પાણીના નિકાલ અને વપરાતી ડ્રેનેજ લાઈન અને ગટર જાણે નરક હોય, તેવા દૃશ્યો ઊભા થયા હતાં. નગરમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી તથા કચરાના ઢગલા ભળી જતા જામનગર જહન્નમ બની ગયું હોય, તેવા દૃશ્યો ખડા થયા હતાં. જિલ્લા તંત્રના હાર્દ સમા વિસ્તારો તથા લાલબંગલા સર્કલમાં આવેલી જામ્યુકો સહિતની કચેરીના પ્રાંગણમાં જ સ્કુટર-બાઈકના અડધા વ્હીલ ડૂબી જાય તેવા પાણી ભરાઈ જતા સ્વયં અધિકારી-કર્મચારીઓ પણ હાલાકી ભોગવી રહેલા દેખાયા હતાં. આ કારણે થોડા કલાકો માટે કેટલીક કામગીરી પણ ખોરવાઈ ગઈ હતી. નાગનાથ ગેઈટ પાસેના મહેશ્વરી વાસ વિસ્તારોમાં તો કેનાલ અને ગટરના ગંધાતા પાણીએ દોઝખના દૃશ્યો ખડા કરી દીધા હતાં. આ તમામ દૃશ્યો નપાવટ પ્રિ-મોન્સુન કામગીરી અને તે પહેલા અણઘડ રીતે નિર્માણ થયેલા કે રિપેર કરાયેલા માર્ગોમાં રખાયેલી બેદરકારી કે પછી આચરાયેલા સંભવિત ભ્રષ્ટાચારની ગવાહી પૂરે છે. લોકો સવાલો ઊઠાવી રહ્યા છે કેે કરોડોના ખર્ચે વિકાસના માચડા ખડકતા સત્તાધીશોને મૂળભૂત જરૂરિયાતો કે બુનિયાદી જન-જરૂરિયાતોની ખબર જ નહીં હોયકે પછી આંખ આડા કાન કરાતા હશે? તેરી બી ચૂપ... મેરી બી ચૂપ...
એવું કહેવાય છે કે, જામનગરમાં હજુ પ્રિ-મોન્સુન કામગીરી ચાલી જ રહી છે, તેવામાં વરસાદી ઝાટું પડી જતા આવું થયું છે. જો એવું જ હોય તો પ્રિ-મોન્સુન કામગીરીના સમયગાળા તથા પ્રારંભિક ટાઈમીંગ અંગે પણ પૂનર્વિચાર કરવો જ પડે, કારણ કે મે-જૂનમાં પ્રિ-મોન્સુન વરસાદી ઝાપટાઓની શક્યતાઓ રહેતી જ હોય છે. હવે, જાગ્યા ત્યારથી સવારની જેમ જામનગર મહાનગરપાલિકાના તંત્રો નગરમાં વરસાદી પાણીના નિકાલની વ્ય્વસ્થાઓનુ પુનઃનિરીક્ષણ કરીને જરૂરી સુધારા-વધારા કરે તથા નગરમાં ખડકાયેલા તથા છૂપાયેલા ઉકરડાઓ અને કચરાના પથારાઓને તાત્કાલિક હટાવે, તે અત્યંત જરૂરી છે.
જામનગરની જેમ જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, ઓખા, રાવલ, ભાણવડ, ખંભાળિયા, કલ્યાણપુર સહિતના તાલુકાઓમાં પણ પ્રથમ વરસાદી ઝાટપા પછી આ જ પ્રકારના દૃશ્યો જોવા મળ્યા હોવાની ફરિયાદ ઊઠી છે. ઠેર-ઠેરથી આ પ્રકારના દૃશ્યો પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રગટી રહ્યા છે, તેથી સમગ્ર હાલારમાં પહેલા વરસાદે પ્રિ-મોન્સુન કામગીરીની પોલંપોલ તો ખોલી જ નાંખી છે અને શાસન-પ્રશાસન અંગે એવો વ્યંગ પણ થઈ રહ્યો છે કે 'કાગળા તો બધે જ કાળા...'
જ્યાં સુધી આપણી બુનિયાદી વ્યવસ્થાઓ નહીં સુધરે ત્યાં સુધી યુપીઆઈ કે એ.આઈ.ના ક્ષેત્રે દેશની સિદ્ધિઓના ગુણગાન ફિક્કા જ લાગે. વિકાસની સાથે જો લોક-કલ્યાણ કે સામાન્ય જનતાની સુખાકારીની ચિંતા નહીં જોવાય, તો તે વિકાસ અધુરો ગણાય. સામાન્ય લોકોની જિંદગીને સરખી, સુવિધામય અને પોષણક્ષમ બનાવવા માટે નક્કર પ્રયાસો થવા પણ જરૂરી છે. ખોખલા હાડપીંજરોને સોના-ચાંદીના આભૂષણો પહેરાવીને તેને સમૃદ્ધ મનુષ્ય તરીકે રજૂ કરવામાં આવે, તો તેમાં જીવ આવી જવાનો નથી.... માત્ર આભાસ જ ઊભો થવાનો છે!
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ પહેલા વરસાદે જ જલભરાવ થયો. દેશની રાજધાની દિલ્હીમાં તો બારે ય માસ હવે કોઈને કોઈ વિટંબણા ઊભી થતી જ રહે છે. એક તરફ તૂટેલી કે તોડેલી પાર્ટીઓના નેતાઓ સંસદના આંટાફેરા લગાવી રહ્યા છે, તો બીજી તરફ વાયુ-પ્રદૂષણથી કાયમી પીડાતું દિલ્હી પણ ઘણી વખત વરસાદ-વાવાઝોડા અને બદલાતી મોસમનું શિકાર થતું રહ્યું છે. નગરથી નેશન સુધી ચોમાસાના ઈન્તેજાર વચ્ચે પ્રિ-મોન્સુનથી ઊભી થતી બદબુ અન ગંદકી ઘણું ઘણું કહી જાય છે...
હાલારની હાલાકી અને નગરમાં નર્કાગાર જેવી સ્થિતિ માટે આત્મનિરીક્ષણ કરવું પડે તેમ છે. શાસકો-પ્રશાસકો તો આ સ્થિતિ માટે જવાબદાર છે જ... પરંતુ જન-સામાન્યની પણ સહિયારી જવાબદારી છે. નાગરિકોનું પણ કર્તવ્ય છે કે જાહેર સ્વચ્છતા જળવાય અને તંત્રો દ્વારા થતી વિકાસ પ્રક્રિયાને વેગ મળે, તેમાં સક્રિય સહયોગ આપે. પહેલા વરસાદે ઘણા સ્થળે ખૂણે-ખાચરેથી ફેંકાયેલો કચરો કે છોડાયેલા ગંદા પાણી માટે આપણે પણ જાગૃત રહેવું પડશે. પબ્લિક ન્યુસન્સ અથવા જાહેર અડચણો ફેલાવતા તત્ત્વોને અટકાવવા પડશે. એપાર્ટમેન્ટ, મહોલ્લા, સોસાયટીઓના સંચાલકો, સ્થાનિક અગ્રણીઓ તથા વોર્ડ-કોર્પોરેટરોથી માંડીને ધારાસભ્યો સુધીના ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓએ આ જવાબદારી ઊઠાવવી પડશે.
છેલ્લે... આપણાં હાલારના ગૌરવ અને માત્ર ઔદ્યોગિક નહીં, પણ સામાજિક-સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે અગ્રેસર રહેલા રઘુવંશી સમાજના શ્રેષ્ઠી એવા આપણા પરિમલભાઈ ફરીથી રાજ્યસભાના સભ્ય બન્યા છે અને ઝારખંડ વિધાનસભામાંથી ચૂંટણી લડીને પુનઃ સાંસદ બન્યા છે, તેને સમગ્ર હાલાર અને સમાજ તરફથી હાર્દિક અભિનંદન પાઠવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજના ઈન્ટરનેટ યુગમાં 'ડિજિટલ'નો દબદબો જોવા મળી રહ્યો છે. આજે ભારત જેવા બહુવર્ગીય દેશમાં શાકભાજી કે રિક્ષાભાડું પણ 'ડિજિટલ' ટેકનોલોજીના માધ્યમથી ચૂકવાય છે અને મોટા-મોટા વ્યાપાર-વ્યવસાયોના જંગી પેમેન્ટ પણ ડિજિટલી થાય છે. હવે તો 'ડિજિટલ' ટેકનોલોજીનો દબદબો એટલો વધ્યો છે કે, આંતરરાષ્ટ્રીય કરારો પણ ડિજિટલી થવા લાગ્યા છે, અને વિવિધ દેશોના સામૂહિક પ્રસ્તાવો ય ડિજિટલી રજૂ થવા લાગ્યા છે.
તાજેતરમાં જ ભારતે સ્લોવાકિયા સાથે ડિજિટલ ટેકનોલોજીના ઉપામાંગનો વ્યાપ વધારવા મહત્ત્વપૂર્ણ ડિજિટલ એમ.ઓ.યુ. કર્યા છે. તે પહેલા દ. કોરિયા સાથે પણ ઈલેક્ટ્રોનિક પેમેન્ટ પદ્ધતિઓને સાંકળવા અને વ્યાપ વધારવાના એમ.ઓ.યુ. થયા હતાં. તે ઉપરાંત દેશમાં નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી ઈઆર નેટ અને સેમી-કન્ડક્ટર લેબોરેટરી જેવા સંગઠનો સાથે ડિજિટલ એમ.ઓ.યુ. થયા છે.
આ પ્રકારની સમજુતિઓ, કરારો અથવા તો મેમોરેન્ડમ (ઈરાદાપત્રો) માં ઈલેક્ટ્રોનિક ઢબે હસ્તાક્ષર થતા હોય છે, જે ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેને જુદા જુદા દેશોએ વૈધાનિક માન્યતા આપેલી હોય છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક હસ્તાક્ષર (સહી) એ આઈ.ટી. એક્ટ-ર૦૦૦ હેઠળ માન્યતા મળી છે. તે ઉપરાંત ભારતે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ડિયા સ્ટેકને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિસ્તારવા માટે ર૩ દેશો સાથે સમજુતિઓ કરી છે. આ જ રીતે દુનિયાના દેશોને ડિજિટલ ટેકનોલોજી માટે પરસ્પર સમજુતિઓ કરી છે.
આ પ્રકારના એક ડિજિટલ એમ.ઓ.યુ. ગઈકાલે અમેરિકા અને ઈરાનના રાષ્ટ્રપતિઓ દ્વારા થયા છે, જેમાં ૧૪ મુદ્દા પર અમેરિકા-ઈરાન સહમત થયા છે, તથા યુદ્ધ બંધ કરીને ૬૦ દિવસમાં અંતિમ શાંતિ સમજુતિ કરવાનો નિર્ધાર વ્યક્ત થયો છે.
ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો જી-સેવનની બેઠકમાં હતાં અને વડાપ્રધાન સાથે દ્વિપક્ષિય વાતચીત અને પત્રકાર પરિષદ યોજાઈ, તેને લઈને આજે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. બીજી તરફ પહેલા નિર્ધારિત કર્યા મુજબ રૂબરૂમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ઈરાનના સર્વોચ્ચ નેતાઓ જે એમ.ઓ.યુ.માં સહી કરવાના હતા, તેના બદલે બન્ને દેશો (અમેરિકા અને ઈરાન) ના રાષ્ટ્રપતિઓ દ્વારા શાંતિ સમજુતિ પર 'ડિજિટલ' હસ્તાક્ષર કરાયા છે, જેને વૈધાનિક માન્યતા મળેલી છે. આ હસ્તાક્ષર થયા પછી બન્ને દેશો તેનો અમલ કરવા બંધાયેલા છે, અને એક પણ પક્ષ (દેશ) તેનો ભંગ કરે તો આ એમઓયુ ખતરામાં પડી શકે છે.
જો કે, ટ્રમ્પ બોલે કાંઈક, કરે કાંઈક અને વિચારે કાંઈક જુદુ, તેથી જે એમઓયુ થયા છે, તેને જ આંતરરાષ્ટ્રીય ધરાધોરણો મુજબ માન્ય ગણવા પડે, પરંતુ ગઈકાલે ટ્રમ્પે ફરીથી કહ્યું કે ઈરાન સમજુતિનું પાલન નહીં કરે અથવા ચાલાકી કરશે તો અમેરિકા ફરીથી બોમ્બ વરસાવશે. બીજી તરફ ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટ ૬૦ દિવસ માટે ખોલ્યું હોવાની વાતો વહેતી કરી, તે પછી એવી આશંકાઓ ઊઠી રહી છે કે આ 'ડિજિટલ' એમ.ઓ.યુ.નું 'અસ્સલ' અમલીકરણ થશે ખરૂ?
આ અંગે વિરોધાભાસી પ્રત્યાઘાતો અને મંતવ્યો સામે આવી રહ્યા છે. જે મુદ્દાઓ પર સહમતી થઈ છે અને હવે પછી જે મુદ્દા ચર્ચાવાના છે, તેમાં તો બહું વાંધો નહીં આવે, પરંતુ ઈઝરાયલ સખણું નહીં રહે અને હીઝબુલ્લાના બહાને લેબેનોન પર કે હમાસ પર હુમલાના નામે ગાઝા પર હુમલા કરશે, તો અવરોધ પણ આવી શકે છે, તેવું ઘણાં વશ્વિક વિશ્લેષકો કહે છે. બીજી તરફ વૈશ્વિક પ્રવાહો, યુદ્ધો અને પશ્ચિમ-મધ્યમ પૂર્વમાં ચાલતા ડિપ્લોમેટિક પ્રવાહોના જાણકારો સહિત મોટાભાગના વિશ્લષકો અવું માને છે કે ઈઝરાયલ અમેરિકાનું હકીકતે નહીં માને તો ટ્રમ્પ તેને અલગ પાડી દેશે અને સહયોગ પણ નહીં આપે, પરંતુ ઈરાન-અમેરિકા વચ્ચે હવે ફરીથી પૂર્ણ કક્ષાનું યુદ્ધ થવાની શક્યતાઓ નહીંવત્ છે.
નેતન્યાહૂને ઘરઆંગણે આવી રહેલી ચૂંટણીઓમાં પરાજય કે ખુરસી ગુમાવવાનો ભય રહે છે, તેથી ઈઝરાયલની વાયડાઈ અથવા અમેરિકા-ઈઝરાયલની ગુપ્ત મીલીભગતના કારણે જો ઈઝરાયલના હુમલા ચાલુ રહે, અને ઈરાન પણ ઈઝરાયલ પર હુમલો કરે તો તેવા સંજોગોમાં આ હંગામી એમ.ઓ.યુ. નિષ્ફળ જાય તેમ છે. બીજી તરફ અમેરિકાની મિલીભગત નહીં હોય તો ઈરાન-ઈઝરાયલના સંભવિત ભાવિ સંઘર્ષમાં હવે અમેરિકા હસ્તક્ષેપ નહીં કરે અને મદદ નહીં કરે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે. આ 'ઈફ એન્ડ બટ'ની શક્યતાઓ વચ્ચે અત્યારે તો યુદ્ધ બંધ થયું અને એક-બે દિવસમાં હોર્મુઝ સંપૂર્ણપણે ખુલી જશે, તેને જ આ એમ.ઓ.યુ.ની ફલશ્રૂતિ ગણવી પડે તેમ છે.
ભારતે પણ ટ્રમ્પની ડબલ ઢોલકી વગાડવા તથા 'મૂખ મેં રામ, બગલ મેં છૂરા'ની કહેવત મુજબ બેવડા ધોરણ અપનાવવાની મનોવૃત્તિને પારખીને માત્ર ને માત્ર ભારતના હિતો તથા ભારતીય સુરક્ષાને કેન્દ્રમાં રાખીને જ કદમ ઊઠાવવા પડે અને રણનીતિ અપનાવવી પડે તેમ છે, કારણ કે ટ્રમ્પનો ભરોસો તો તેના ઘનિષ્ઠ મિત્રદેશો પણ કરે તેમ નથી. આ પ્રકારની દ્વિપક્ષિય વાટાઘાટોમાં કોઈ દેશ કે તેના વડાની વ્યક્તિગત પ્રશંસા થાય, તેથી ફૂલાઈ જવાના બદલે મિત્રદેશ તરીકે ભારતની પડખે હોવાનો દાવો કરતા અન્ય દેશની મનોવૃત્તિ પારખવી પડે તેમ છે, અને તેમાં ભારત પારંગત છે. ટ્રમ્પે મીઠી-મીઠી વાતો કરી, તે જ સમયે 'ઈન્ડો-પેસિફિક' એપમાંથી 'ઈન્ડો' કાઢી નાંખવું, તે કદમ ઘણું જ સૂચક છે, તેથી સાવધાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં એક તરફ વડાપ્રધાનના ૧ર વર્ષના શાસનકાળના સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણીઓ થઈ રહી છે, તે બીજી તરફ શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ થઈ રહી છે. આ ઝાકઝમાળ વચ્ચે રાજ્યમાં વિવિધ મુદ્દે આંદોલનોની મોસમ પણ ચાલી રહી હોય તેમ જણાય છે. મોરબી જિલ્લામાં ખાનગી કંપનીની વીજલાઈનો માટે ખેડૂતોના ખેતરોમાં ઊભા કરાતા હાઈવોલ્ટેજ વીજસ્તંભોની સામે આક્રોશ જાગ્યો છે, તો ખેડૂતોના વિવિધ પ્રશ્નોને સાંકળીને કોંગ્રેસેે તાજેતરમાં જ અમદાવાદથી ખેડૂતોની ટ્રેક્ટર રેલી કાઢી હતી, જેને ગાંધીનગર જવા દેવામાં આવી નહોતી, અને ઓગણ જ પાસે જ અટકાવી દેવામાં આવી હતી. આ કારણે રાજ્યમાં ખેડૂતવર્ગ રાજ્ય સરકારથી નારાજ હોવાનો વિપક્ષનો દાવો ચર્ચાના કેન્દ્રમાં છે.
રાજ્યમાં વર્ષ ર૦૦૩ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથનો પ્રારંભ થયો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીક નરેન્દ્રભાઈએ હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના નાના નાના ગામડાઓમાં જઈને એક પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય, તે માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી હતી, અને કન્યાઓની કેળવણીને પ્રોત્સાહિત કરવાનું અભિયાન પણ આદર્યું હતું. તે સમયે જે જુસ્સો, સંવેદનશીલતા અને સમયબદ્ધતા જોવા મળી હતી, તેવી હવે કદાચ રહીં નથી. બીજી તરફ શાળા પ્રવેશોત્સવને 'તાયફો' ગણાવતા વિપક્ષી નેતાઓ ઘણી વખત વ્યંગાત્મક આલોચનાઓ પણ કરતા હોય છે. આ મહોત્સવ દરમિયાન એક તરફ શિક્ષકો (ગુરુજનો) ની અગત્યતા સમજાવીને આદર-સન્માન અપાતું હોય છે, પરંતુ બીજી તરફ અત્યારે રાજ્યના અનુભવી અને વયસ્ક-વરિષ્ઠ શિક્ષકોનો એક વર્ગ ઘણો જ નારાજ છે, અને ખેડૂતો પછી હવે એ આદરણીય ગુરુજનો પણ રાજ્ય સરકાર સામે આંદોલન આદરવાના છે.
અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે અને મહત્તમ તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે, ત્યારે શાળા-પ્રવેશોત્સવો દરમિયાન બાળકોના આરોગ્ય અને પાણી-છાંયડા-પરિવહન માટે વિશેષ કાળજી રખાય, તે જરૂરી છે. વલસાડના મલાવ ગામમાં વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન બે બાળકો ચક્કર ખાઈને પડી ગયા પછી પણ પૂરતી રાળજી નહીં લેવાઈ હોવાની તથા ળાળકોને જે ઘેટાં-બકરાની જેમ લવાયા હોવાની જે ફરિયાદ ઊઠી છે, તેના જેવી કોઈ દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનિય ઘટના શાળ-પ્રવેશોત્સવો દરમિયાન માત્ર જામનગર કે હાલાર જ નહીં, સમગ્ર રાજ્યમાં ન બને, તે માટે સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મંત્રીમંડળે ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આ કાર્યક્રમોમાં રાજ્યના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સાથે મંત્રીઓ-મહાનુભાવો પણ જોડાવાના છે. જો આ પ્રકારની કોઈ ઘટના બનશે, તો તેનું લાંછન ત્યાં ઉપસ્થિત મહાનુભાવોને પણ લાગશે, તેથી વિશેષ સાવધાની જરૂરી છે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના શિક્ષણ ક્ષેત્રના કેટલાક સંગઠનોએ આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ત્રણ દિવસ સુધી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે, અને જામનગર સહિત તા. ૧૭ થી ર૦ જૂન સુધી જે મુદ્દે વિરોધ-પ્રદર્શનો આદર્યા છે, અને આવેદનપત્રો અપાઈ રહ્યા છે, તે મુદ્દો પણ ગુરુજનો (શિક્ષકો) ના આત્મ સન્માન અને કારકિર્દી સાથે સંકળાયેલો છે. કદાચ આ આંદોલનની સંભાવનાઓને ધ્યાને લઈને જ શિક્ષણ વિભાગે શાળા-પ્રવેશોત્સવની તારીખો બદલી નાંખી હશે!
બીજી તરફ ટેટ પરીક્ષા પાસ કરવાના મુદ્દે વર્ષ ર૦૧૦ પહેલા નિયુક્ત થયેલા હજારો વરિષ્ઠ શિક્ષકોમાં આક્રોશ છે, એવી રજૂઆત કરવામાં આવી રહી છે કે ટેટનો નિયમ વર્ષ ર૦૧૦ માં આવ્યો, પરંતુ તે પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને પણ ટેટની પરીક્ષા પાસ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની રાવ સાથે એ અનુભવી અને વરિષ્ઠ શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હોય તો તે યોગ્ય નથી.
રાજકોટના પ્રા. શિક્ષક સંઘે તો કેન્દ્રિય શિક્ષણ મંત્રીને પત્ર લખીે આ મુદ્દે તત્કાળ હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે, અને સુપ્રિમ કોર્ટના આદેશના સંદર્ભે એક્સન લેવાય તો સંખ્યાંબધ શિક્ષકોની નોકરી પર સંકટ આવશે, જેથી તેની ડાયરેક્ટ અસરો શિક્ષણ કાર્ય ઉપર પણ પડશે, જેથી બાળકોનું હિત જોખમાશે, તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હકીકતે સુપ્રિમ કોર્ટના એક ચૂકાદા પછી શિક્ષકોને ટેટની પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરાયું છે, અનેે તે માટે ૩૧ મી ઓગસ્ટ ર૦ર૮ સુધીની મુદ્ત અપાઈ છે. ટેટની પરીક્ષાઓ લેવાય છે અને તેની લાયકાત હોય તો જ નોકરીમાં ચાલુ રહી શકાય, કે પ્રમોશનને પાત્ર બની શકાય, તેવો નિર્ણય થયા પછી દાયકાઓ પહેલા જે શિક્ષકો નોકરીમાં જોડાયા હતાં, અને તે સમયની લાયકાત પૂરવાર કરી હતી, તેઓને શિક્ષણ અધિકાર અધિનિયમ ર૦૦૯ હેઠળ ફરીથી નવી લાયકાત મેળવવા પરીક્ષા આપવી પડે, તે અન્યાયકર્તા હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર સમક્ષ શિક્ષકોએ જુના શિક્ષકો માટે પણ 'ટેટ' ફરજિયાત કરાવવાના મુદ્દે પુનઃ વિચાર કરીને કોઈ રસ્તો કાઢવા રજૂઆત કરી છે. આ માટે રાજ્ય સરકારો અને હિતધારકો, શિક્ષક સંઘો અને સંગઠનો તથા શિક્ષણ અને કાનૂની ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને ઉકેલ લાવવો જરૂરી છે. સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈપણ શિક્ષકની નોકરી જોખમાય નહીં અને પ્રમોશનો અટકે નહીં.
આ નિયમો અસ્તિત્વમાં આવ્યા તે પહેલાથી લાંબા સમયથી સેવારત શિક્ષકોને માટે ટેટના વિકલ્પે બીજી કોઈ મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવી જરૂરી છે. પુરસ્કારો, એવોર્ડ કે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન મેળવેલા વયસ્ક અને વરિષ્ઠ અનુભવી શિક્ષકોની સેવાઓની સુરક્ષા માટે નીતિગત તથા કાનૂની પગલાં પણ જરૂર પડ્યે લેવા પડે, તો લેવા જોઈએ. આ માટે કોઈને કોઈ વચલો રસ્તો કાઢવા કેન્દ્રિય શિક્ષણ વિભાગ સુધી થયેલી રજૂઆતો છતાં કોઈ રિસ્પોન્સ નહીં મળે તો આ આંદોલન વધુ ગતિ પકડશે, તેવા સંકેતો છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય, તેની સાથે સાથે કોઈપણ વરિષ્ઠ, વયષ્ક, અનુભવી શ્રેષ્ઠ શિક્ષકની નોકરી છીનવાઈ ન જાય, તેવા સંનિષ્ઠ સરકારી પ્રયાસો પણ અત્યંત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતિ થઈ ગઈ અને શુક્રવારે હસ્તાક્ષર થવાના છે, તેથી ઈંધણની અછતની સંભવિત સ્થિતિ દૂર થઈ ગઈ છે. હજુ હોર્મુઝ સ્ટ્રેટ વાસ્તવમાં ખુલી જાય અને ઈઝરાયલ દ્વારા લેબનોન સ્થિત હીઝબુલ્લા પર થતા હૂમલા બંધ થઈ જાય, અથવા અમેરિકા-ઈરાન સમજૂતિમાં ત્યાંનો મુદ્દો સામેલ નહીં હોવાથી તેને અવગણવામાં આવે, તો જ બે મહિના માટે થયેલી કામચલાઉ સમજૂતિ કાયમી બની શકે છે. હવે તો માત્ર ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે, તેવી બાહેંધરીથી જ ચલાવી લેવું પડશે, અને યુરેનિયમનો જથ્થો કબજે કરવા તથા ઈરાનમાં પોતાની કઠપૂતળી સરકાર રચવાના ટ્રમ્પના ઓરતાં અધૂરા જ રહી જશે, તેમ જણાય છે.
આ સમજૂતિના જાહેર થયેલા ૧૪ મુદ્દા જોતાં તો ઈરાનનો હાથ ઊંચો રહ્યો હોય તેવું લાગે છે. ઈરાનને યુદ્ધમાં થયેલા નુકસાન સામે વળતર અથવા મદદ, સીઝ કરેલા ફંડ પૈકી અડધું તરત જ રિલીઝ કરવું, અમેરિકી નાકાબંધી હટાવવી, ઈરાન સામેના તમામ પ્રતિબંધો હટાવવા, સાર્વભૌમત્વમાં હસ્તક્ષેપ નહીં, ૩૦૦ અબજ ડોલરનો ઈરાનમાં રિકન્સ્ટ્રકશનનો પ્લાન વગેરે ઉપરાંત ઈરાને બાકીના મુદ્દે વાટાઘાટો શરૂ કરવા માટે પણ જે ત્રણ શરતો રાખી છે, તે જોતાં ઈરાનનું પલડું ભારે રહ્યું છે, અને ટ્રમ્પે ઈરાનના તેલક્ષેત્રો હડપ કરી લેવા અથવા ત્યાં પાકિસ્તાન જેવા જીહજુરિયા શાસકોને બેસાડીને પરોક્ષ રીતે વેનેઝુએલા ફેઈમ પોતાની હકુમત ચલાવવાના જે સપનાં જોયા હતા, તેનાથી તદૃન વિપરીત અંજામ આવ્યો છે. એવું કહી શકાય કે ઈઝરાયલ-ઈરાનના યુદ્ધને હાઈજેક કરીને અમેરિકાએ પોતાના શિરે લઈ લીધું તે બૂમરેંગ પૂરવાર થયું છે. ફૂટબોલની ભાષામાં એવું કહી શકાય કે આ કદમ લઈને અમેરિકાએ સેલ્ફગોલ કરી લીધો છે એટલે કે વિરોધી ટીમના બદલે પોતાને જ નુકસાન કરી દીધુ છે. ક્રિકેટની ભાષામાં કહી શકાય કે પ્રારંભમાં ઈરાનની અગ્રીમ હરોળના નેતાઓ અને સૈન્ય અધિકારીઓને મારી નાંખીને ફટકાબાજી પછી ટ્રમ્પ પછીથી હિટવિકેટ થઈ ગયા છે અને તેની ટીમ પણ હારી ગઈ છે.
બીજી તરફ ઈરાનને પણ આ યુદ્ધમાં ઘણું નુકસાન થયું છે. હવે ઈરાનના રિકન્સ્ટ્રકશન માટેની પ્રક્રિયા કાંઈ રાતોરાત થઈ જવાની નથી અને હજુ તો અંતિમ શાંતિ સમજૂતિ ૬૦ દિવસ પછી થવાની છે, ત્યારે અત્યારે ઈરાનને બેઠું કરીને અમેરિકાની સેનાએ કરેલા જંગી નુકસાન પછી પુનઃ ધમધમતુ કરવામાં વર્ષો લાગી જવાના છે. બીજી તરફ ઈરાને અમેરિકાના લશ્કરી મથકો પર આક્રમણ કરવા માટે પોતાની આજુબાજુના મુસ્લિમ દેશોમાં પણ હૂમલા કરવા પડયા, તેથી પડોશી દેશો સાથે વધુ વણસેલા સંબંધો પુનઃ ઠીક કરવામાં વાર લાગશે, એટલું જ નહીં, ક્ષેત્રિય અસહયોગનો સામનો પણ ઈરાનને કરવો પડશે, આમ છતાં, ઈરાને અમેરિકા સામે બાથ ભીડીને મહાસત્તાની હવા કાઢી નાંખી છે, તે પ્રકારનું ગૌરવ ઈરાન લઈ શકે છે. જો કે, આને ટ્રમ્પે ચોખવટ કરી છે કે અમેરિકા ૩૦૦ મિલિયન ડોલરનું વળતર આપશે, તે ફેક ન્યૂઝ છે અને ઈરાન પરમાણુ હથિયાર નહીં રાખવા સંમત થયું જ છે. અંતિમ સમજૂતિ હજુ બાકી છે.
ઈરાનમાં પણ આ શાંતિ સમજૂતિ સામે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા વર્તુળો અને જૂથો ઉપરાંત આમજનતા પણ નારાજ છે અને ઈરાનમાં ઠેર-ઠેર લોકો પ્રવર્તમાન શાસકો સામે સડકો પર ઉતર્યા છે, તેથી આ ચળવળ જો લાંબી ચાલશે, તો ઈરાનને થાળે પડવામાં મોટી અડચણ ઊભી થવાની છે. બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિએ તો તાજેતરમાં રાજીનામાની પેશકશ કરી હતી, તથા ઈરાનની સેના ત્યાંની સરકારના કંટ્રોલમાં નહીં હોવાની જે સ્થિતિ ઊભી થઈ હતી, તે જોતાં ત્યાંની સેના અને સરકાર વચ્ચે તાલમેલ બેસાડવાનો પડકાર પણ ઈરાન સામે રહેશે.
આ બધા તથ્યો અને સંભાવનાઓ જોતા હજુ અમેરિકા અને ઈરાનના યુદ્ધમાં કોણ જીત્યુ કે કોણ હાર્યુ, તે નકકી થઈ શકે તેમ નથી. હકીકતે આ યુદ્ધમાં કોઈ જીત્યું નથી, પરંતુ બંને દેશો હાર્યા છે, પરંતુ નેતન્યાહુનો હાથ ઊંચો રહ્યો છે, અને ઈરાન-અમેરિકાની શાંતિ સમજૂતિમાંથી ઈઝરાયલને અલગ રાખીને નેતન્યાહુએ છેલ્લા બોલે સિક્સર મારી દીધી હોય, તેમ જણાય છે. તેથી અત્યારે તો આ સમજૂતિ ફ્રી પબ્લિક એન્ટરટેઈનમેન્ટ જેવી છાપ ઊભી કરી રહી છે.
હવે આજે ટ્રમ્પ-મોદીની સંભવિત મુલાકાતની ચર્ચા વચ્ચે દેશમાં મોદી સરકારની વિદેશનીતિ પર વિપક્ષો પ્રહારો કરી રહ્યા છે, જ્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે કોંગ્રેસની કિસાન-ટ્રેકટર રેલીને અટકાવી દેવાના મુદ્દે પણ રાજકારણ ગરમાયુ છે. કિસાન કોંગ્રેસના પ્રમુખ સહિતના હાલારના નેતાઓ પણ એ રેલીમાં જોડાયા હોવાથી હાલારમાં પણ તેના પડઘા પડ્યા છે. કેટલાક વિશ્લેષકોના મંતવ્યો એવા છે કે ખેડૂતોના મુદ્દે કદાચ રાજ્ય સરકાર સેલ્ફ ગોલ કરી રહી છે. બીજી તરફ કથિત રીતે ઉચ્ચારાયેલા "જંત્રુ-બંત્રુ" જેવા શબ્દ પ્રયોગોની થઈ રહેલી ટીકા પણ "હિટ વિકેટ" જેવી જ છે.
એવું નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ સેલ્ફ ગોલ કરે કે હિટ વિકેટ થાય, તેવા કદમ ઉઠાવે છે, પરંતુ આપણાં દેશમાં કેન્દ્ર-રાજય સરકારો દ્વારા લેવાતા કેટલાક નિર્ણયો પણ ઘણી વખત એવા જ હોય છે.
હમણાંથી ઉજવણીઓનો સીલસીલો ચાલી રહ્યો છે અને ગામડાઓ અને શહેરોમાં ઠેર-ઠેર વિવિધ પ્રકારની ઉજવણીઓ ચાલી રહી છે. આ પ્રકારના કાર્યક્રમો દરમ્યાન પણ ઘણી વખત સેલ્ફ ગોલ કે હિટ વિકેટ જેવી સ્થિતિ ઊભી થતી હોય છે. જામનગરમાં પણ એક ઓડિટોરિયમમાં યોજાયેલા એક સંમેલનમાં જામ્યુકોના નવા પદાધિકારીઓની બેઠક વ્યવસ્થામાં ગરબડ થઈ ગઈ અને તે પછી જે કાંઈ બન્યુ, તે રમુજ સાથે અચંબો ઊભો કરનારૂ હોવાની ચર્ચા થઈ રહી છે. આ સંમેલનનું આયોજન કરનારા લોકો માટે આ સંમેલન જ સેલ્ફ ગોલ અથવા હિટ વિકેટ જેવું પૂરવાર થયું હશે. જો કે, પછીથી ડેમેજ કંટ્રોલના સફળ પ્રયાસોથયા, પરંતુ કેમેરાની આંખે ચડેલા આ દૃશ્યોએ તો "ટોક ઓફ ધ ટાઉન" બની જ ગયા હશે ને ? ફ્રી પબ્લિક એન્ટરટેઈનમેન્ટ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આખી દુનિયા જેની અત્યંત આતૂરતાથી રાહ જોઈ રહી હતી, તે સમાચાર આજે આવ્યા છે અને ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ સમજુતિનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે, અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તથા ઈરાનના રાષ્ટ્રપતિ અને સંસદના અધ્યક્ષ આવતા ટૂંક સમયમાં જીનીવામાં હસ્તાક્ષર કરશે, તેવા અહેવાલોએ વિશ્વ સમુદાયમાં નવો આશાવાદ જગાવ્યો છે. અવાર-નવાર 'ડીલ' ફાયનલ થઈ હોવાના અહેવાલો પછી ક્યાંક ને ક્યાંક અવરોધ આવતો હતો તેથી સમજુતી અટકી જતી હતી, તેથી સવાલ એ ઊઠી રહ્યો છે કે જે સમયમર્યાદા નક્કી થઈ છે, તે દરમિયાન ઈઝરાયલના હુમલાઓ કે અન્ય કારણે કોઈ અવરોધ તો નહીં આવે ને? અંતે ફાયનલ થયેલી આ ડીલ ક્યાંક તૂટી નહીં જાય ને? આ ડીલ સફળ થાય તો તેનો શ્રેય કોને જશે? બન્ને પક્ષો વિજયનો દાવો કરશે, પણ હકીકતમાં કૌન જીતા... કૌન હારા?
એવા અહેવાલો છે કે આ સમજુતિ મુજબ અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પેદાશો તથા સંલગ્ન પ્રોડક્ટ્સ પર લાદેલા તમામ પ્રતિબંધો હટી જશે. ઈરાનને નાણાકીય સંસાધનોનો એક્સેસ પાછો મળશે. આગામી બે મહિના (૬૦ દિવસ) સુધી અમેરિકાએ ઈરાનના ર૪ અબજ ડોલર મુક્ત કરવા અંગે વાટાઘાટો થશે, પરંતુ તે પહેલા જ ૧ર અબજ ડોલર રીલીઝ કરી દેવાશે. અમેરિકા અને તેના સાથીદાર દેશો યુદ્ધથી ઈરાનને થયેલું નુક્સાન ભરપાઈ કરવા માટે અંદાજે ૩૦૦ અબજ ડોલરની યોજનાઓ બનાવશે. અત્યારે લેબેનોન સહિત તમામ મોરચે તત્કાળ યુદ્ધવિરામ થશે. અમેરિકા તેની નાકાબંધી હટાવી લેશે. ઈરાનની આંતરિક બાબતોમાં કોઈ બહારનો દેશ (અમેરિકા) હસ્તક્ષેપ નહીં કરે. અમેરિકાનું સૈન્ય પાછું ખેંચાશે.
સૌથી મોટા સમાચાર એ છે કે કોમર્શિયલ દરિયાઈ પરિવહન માટે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલી નંખાશે, અને ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવવાનું વચન દોહરાવશે. આગામી બે મહિના સુધી વાટાઘાટો થાય, ત્યાં સુધી અમેરિકા કોઈ નવા આર્થિક પ્રતિબંધો નહીં લગાવે કે મિડલ ઈસ્ટમાં સૈન્ય તાકાત નહીં વધારે. આ માટે યુનોની સુરક્ષા પરિષદ આખરી કરારને મંજુરી આપશે. આ સમજુતિ પર દેખરેખ રાખવા યુએનએસસી દ્વારા વિશેષ પ્રબન્ધો કરાશે અને મોનિટરીંગ સિસ્ટમ અમલી બનાવાશે.
સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ પણ છે કે ઈરાનનો મિસાઈલ આ ડીલનો ભાગ નહીં હોય, બીજી તરફ અમેરિકા અને ઈરાને બન્નેએ પોતાનો વિજય થયો હોવાનો દાવો કર્યો છે. ઈરાને અમેરિકા સામે પોતાની જીત થઈ હોવાનો દાવો કર્યો તેની સામે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ પણ અમેરિકાનો વિજય થયો હોવાનું જણાવી કહ્યું કે, ઈરાન હવે યુરેનિયમ નહીં રાખી શકે. આમ વિરોધાભાસી અહેવાલો છતાં આખરે આ સમજુતિ થઈ જ જશે, અને હસ્તાક્ષર પણ થઈ જશે, તેવું સ્પષ્ટ જણાય છે, જો કે તે પછી શું થશે, તેની અટકળો થઈ રહી છે, પરંતુ હોર્મુઝ ખુલી જતા ભારત સહિતના દુનિયાના ઘણાં દેશોને રાહત થશે. બીજી તરફ અમેરિકાએ યુદ્ધ સમયે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની આપેલી છૂટ પાછી ખેંચાઈ જશે, તો ભારત સહિતના રશિયાના મિત્રદેશો માટે ઉલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ સર્જાશે.
ઈઝરાયલ દ્વારા લેબેનોન પર થતા હુમલા અટકાવવા ટ્રમ્પે ધમકાવ્યા પછી પણ નેતન્યાહૂ દ્વારા હુમલા ચાલુ રખાતા એક અનિશ્ચિતા ઊભી થઈ છે, પરંતુ ઈરાન-અમેરિકા વચ્ચે સમજુતિ પર હસ્તાક્ષર પછી કદાચ આગામી ૬૦ દિવસ સુધી નેતન્યાહૂ લેબેનોન પર હુમલા ન કરે, પરંતુ હિઝબુલ્લા પર આક્રમણના નામે તંગદિલી ચાલુ રહે કે પછી હમાસ પર હુમલા કરે, તેવી પ્રબળ શક્યતાઓ છે, કારણ કે યુદ્ધ સમાપ્ત થઈ તો ઘરઆંગણાની રાજનીતિને કારણે નેતન્યાહુને સત્તાનું સિંહાસન ગુમાવવું પડે તેમ હોવાથી તેઓ કોઈને કોઈ દિશામાં યુદ્ધ જેવી સ્થિતિ ચાલુ જ રાખશે, અને તેની અસરો ઈરાન-અમેરિકાની સમજુતિ પર પડી શકે છે. ટ્રમ્પ એક તરફ નેતન્યાહુને તતડાવે, બૈરૂત પર હુમલાઓને વખોડે, અને લેબેનોન સાથે શાંતિ સમજુતિ કરવા છતાં હિઝબુલ્લા-હમાસ પર હુમલાઓના નામે નેતન્યાહુ હુમલા ચાલુ રાખે, તેથી કોઈ ચતૂરાઈપૂર્વકની બેવડી ચાલ ઈઝરાયલ-અમેરિકા સાથે મળીને ચાલી રહ્યા હોય, તેવી આશંકા પણ ખોટી નથી.
બીજી તરફ હવે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાનું દબાણ વધશે. આખી દુનિયા આ યુદ્ધ પણ સમાપ્ત થાય તેવું ઈચ્છશે, કારણ કે આ બહાને અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે તો ફરીથી નવું ક્રાઈસીસ શરૂ થશે.
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામને યુરોપના દેશો, કતાર સહિતના ખાડીના દેશો તથા પાકિસ્તાન સહિતના એશિયાના કેટલાક દેશોએ તરત જ આવકાર આપ્યો છે, પરંતુ રશિયા અને ચીનની પ્રારંભિક ચૂપકીદી પણ ઘણી જ સૂચક છે.
આંતરરાષ્ટ્રીય રાજનીતિના વિશ્લેષકોના પ્રારંભિક પ્રત્યાઘાતોનું તારણ કાઢીએ, તો હકીકતે અમેરિકાને આ સમજુતિ કરવી પડી, તે સ્થિતિ દુનિયાની મહાસત્તા ગણાવતા અમેરિકા અને તેના તુંડમિજાજી રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે જબરો ફટકો પડ્યો છે. અમેરિકાને ખાડીના દેશોમાં 'રક્ષક' માનતા દેશો હવે સમજી ગયા છે કે અમેરિકાની કઈ કઈ નબળાઈઓ અને મર્યાદાઓ છે, તો બીજી તરફ ખાડીના દેશો-મીડલ ઈસ્ટમાં હવે ઈરાનનું વર્ચસ્વ વધશે, કારણ કે આ યુદ્ધ શરૂ કર્યું, ત્યારે અમેરિકાને ઈરાક અને વેનેઝુએલાની જેમ જ ઈરાનને 'હસ્તગત' કરવાનો મનસુબો હતો, પરંતુ સ્થિતિ તેનાથી વિપરીત થઈ અને ખાડીના દેશોમાં સ્થાપિત અમેરિકાના સૈન્ય મથકો ઈરાને તબાહ કરી નાંખ્યા. આ યુદ્ધે દુનિયાને એ પણ સમજાવ્યું છે કે માત્ર સમૃદ્ધ હોવાથી કે સૈન્ય શક્તિ સર્વાધિક હોવાથી જ યુદ્ધો જીતી શકાતા નથી, પરંતુ ભૌગોલિક, સામરિક અને વ્યૂહાત્મક વાસ્તવિક્તાઓ પણ લક્ષ્યમાં લેવી પડતી હોય છે. યુદ્ધમાં તુમાખી કે તનાશાહી ચાલતી નથી.
હજુ આ સમજુતિની જાહેરાત જ થઈ છે, ત્યાં ક્રૂડના ભાવમાં કડાકો બોલ્યો અને ગ્લોબલ માર્કેટ્સ પર જે પોઝિટિવ પ્રભાવ પપડ્યો તે નોંધનિય છે. આ સમજુતિથી એ પણ પ્રતિપાદિત થયું છે કે અમેરિકાથી દબાવાની જરૂર નથી. રાહુલ ગાંધીની ભાષામાં કહીએ તો 'અમેરિકાના આજ્ઞાંકિત બનીને હા...જી... કરવાની જરૂર નથી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર સહિત હાલારમાં જુલાઈ સુધી પીવાના પાણીનો પુરવઠો જળવાઈ રહેશે અને તે દરમ્યાન ચોમાસુ બેસી ગયા પછી વાવણીલાયક વરસાદ પણ થઈ જશે, તેવા આશાવાદ વચ્ચે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો, આગાહીઓ તથા સંભાવનાઓ જોતા આવતુ વર્ષ પડકારરૂપ રહેવાના સંકેતો પણ મળી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને સુપર અલનીનોની દશેહત અકળાવી રહી છે, અને આ અંગે જે અનુમાનો તથા આશંકાઓ પ્રેસ-મીડિયા અને હવામાન નિષ્ણાતો તથા વિવિધ ખાનગી એજન્સીઓ દ્વારા વ્યક્ત થતી હતી, તેનું હવે કન્ફર્મેશન થઈ ગયું છે, અને હવે સત્તાવાર રીતે જાહેર કરાયુ છે કે પેસિફિકના પાણી ગરમ થતા સર્જાયેલા સુપર અલનીનોની માઠી અસર ભારત સહિતના દેશોને થવાની છે.
નેશનલ ઓસિયેનિક એન્ડ એસ્મોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ) નામની અમેરિકાની સાયન્ટિફિક અને રેગ્યુલેટરી ઓથોરિટીના રિપોર્ટ મુજબ પ્રશાંત મહાસાગરમાં અસાધારણ રીતે તાપમાન વધવા લાગતા અલનીનોની અધિકૃત શરૂઆત થઈ ચૂકી છે, અને તે વર્ષ-૨૦૨૬માં (ચાલુ વર્ષે જ) સુપર અલનીનોમાં બદલવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. આ કારણે ભારત સહિત દુનિયાભરમાં ભીષણ ગરમી અને નબળા ચોમાસાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
આ ઉપરાંત વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન(ડબલ્યુ.એમ.ઓ.)ના જુદા જુદા રિપોર્ટો પણ જણાવે છે કે પૂર્વ પ્રશાંત મહાસાગરનું તાપમાન ઝડપભેર વધી રહ્યું છે. આ વૃદ્ધિ બે અંશ સેન્ટિગ્રેડથી વધી શકે છે. જે સુપર અલનીનોની દસ્તક હશે. સુપર અલનીનોની આ બોર્ડર છે, જ્યાંથી મહા અલનીનોનો પ્રારંભ ગણાય છે. વર્ષ ૧૯૭૮માં જે રીતે વિશ્વભરમાં મહા અલનીનોએ દુષ્કાળ, જળસંકટ એન બેરોજગારીના કારણે હાહાકાર મચાવ્યો હતો, તેવી જ સ્થિતિ આ વર્ષે સર્જાઈ શકે છે. આ ઉપરાંત હીટવેવના કારણે પબ્લિક હેલ્થ પર પણ ગંભીર ખતરો ઊભો થઈ શકે છે.
જો કે, કેટલાક હવામાન ક્ષેત્રના સાયન્ટિસ્ટોએ પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડિપોલ્સ એટલેકે પોઝિટિવ આઈઓડીની આશા છે. આ સ્થિતિને ઈન્ડિયન અલનીનો પણ કહેવાય છે. આ સ્થિતિ ઊભી થાય તો સુપર અલનીનોનો પ્રભાવ કેટલાક અંશે ઘટી શકે છે.
એનઓઅએની આગાહી મુજબ વર્ષ ૨૦૨૬ના મે થી જુલાઈ વચ્ચે અલનીનો વિકસીત થવાની ૮૨ ટકા સંભાવના જણાવાઈ હતી, અને તેની શરૂઆત થઈ ગઈ હોવાના અહેવાલો પછી ભારત સહિત દુનિયાભરમાં આ અંગે ચિંતા જાગી છે. ભારત સરકાર દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય નીતિપંથની બેઠકમાં સ્વયં વડાપ્રધાને આ મુદ્દે વિશેષ ચિંતા વ્યકત કરીને કેટલાક દિશા-નિર્દેશો આપ્યા હોવાના અહેવાલો જોતા ભારતને પણ આ સુપર અલનીનોની માઠી અસર થવાની છે, ત્યારે જેટલો વરસાદ પડે, તેનું ટીપેટીપું સંગ્રહ કરીને તથા ખેતી, સિંચાઈ, પશુપાલન, પાણી પુરવઠો અને ખાદ્યાનને લઈને અત્યારથી જ ગામ, તાલુકા, જિલ્લા, રાજ્ય એન રાષ્ટ્રીય કક્ષા સુધીનું ફ્રેમવર્ક તૈયાર કરીને માઈક્રોપ્લાનીંગ કરવાની જરૂર છે.
એક તરફ ઈરાન-અમેરિકા, રશિયા-યુક્રેન, ઈઝરાયલ-હીઝબુલ્લા/હમાસના યુદ્ધો તથા પાકિસ્તાનમાં આંતર ગૃહ યુદ્ધો અને અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે સરહદી છમકલાઓ ઉપરાંત આતંકી ઘટનાઓના કારણે દારૂગોળાના ઉપયોગથી પર્યાવરણ બદલી રહ્યું છે, અને કલાઈમેટ ચેઈન્જ થઈ રહ્યું છે, તેવામાં સુપર અલનીનોના કારણે ધરતી પર વિનાશ વેરાય અને સમગ્ર જીવસૃષ્ટિ પર ખતરો ઊભો થાય, તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. સુપર અલનીનોની અધિકૃત જાહેરાત પછી હવે દુનિયાના બધા દેશોએ યુદ્ધો અને દારૂગોળાનો અયોગ્ય ઉપયોગ થતો હોય તેવી તમામ પ્રવૃત્તિઓ તત્કાળ અટકાવી દેવી જોઈએ.
શાસ્ત્રોમાં પ્રલય (કયામત) જેવા ઉલ્લેખો છે, તેવી સ્થિતિ ઊભી થાય, તે પહેલા પૃથ્વીવાસીઓએ ચેતી જવાની જરૂર છે, કારણ કે સુપર અલનીનો કે કલાઈમેટ ચેઈન્જ કોઈ ચોક્કસ દેશ કે વૈશ્વિક જૂથ નહીં, પરંતુ આખી પૃથ્વી પર વસવાટ કરતી માનવી સહિતના જીવસૃષ્ટિને બરબાદ કરી શકે છે.
હમણાંથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા ખૂબ ચાલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.)ને એક અવસર તરીકે સ્વીકારવાની વાત કરે છે, અને આ અદ્યતન ટેકનોલોજીનો સહાયક તરીકે ઉપયોગ કરવાની સલાહો પણ કેટલાક બુદ્ધિજીવીઓ આપી રહ્યા છે, અને તેમાં વજુદ છે. પરંતુ પ્રવર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને સંજોગો તથા ખાસ કરીને સુપર અલનીનોની આહટના સમયે એ.આઈ.નું વિસ્તરણ કદાચ દુષ્કાળમાં અધિક માસ જેવું બની રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ પણ રહે છે.
એવું કહેવાય છે કે એ.આઈ. ટેકનોલોજીમાં પુષ્કળ ઊર્જા અને પાણીની જરૂર પડતી હોય છે. અને જંગી પાણી પુરવઠાનો આ માટે અત્યારે જ ઉપયોગ થઈ રહ્યો હોવાના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. બીજી તરફ સુપર નીનોના કારણે ચોમાસુ નબળુ જતા પીવાના પાણીની પણ તીવ્ર તંગી ઊભી થવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે. આ સ્થિતિમાં જો લોકોને પાણીનું ટીપેટીપું બચાવવાની સલાહ આપીએ અને બીજી તરફ અદ્યતન ટેકનોલોજીમાં પાણીનો જંગી પુરવઠો વાપરીએ તો તે તર્ક સંગત પણ નથી અને નૈતિક પણ નથી. આ માટે દરિયાનું પાણી મીઠું કરીને વાપરવાની દલીલ થતી હોય છે, પરંતુ એવો સવાલ પણ ઊઠે છે કે એ જ ટેકનોલોજી વાપરીને દુષ્કાળ જેવા સંજોગોમાં લોકોની પીવાનું પાણી પ્રાયોરિટીમાં પૂરૃં પાડવું જોઈએ, કારણ કે લોકતંત્રનું હિત સર્વોપરિ ગણાય..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણો દેશ આઝાદ થયો, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને દેશના ર૦ થી વધુ રાજ્યોમાં પણ કોંગ્રેસનું જ શાસન હતું. તે સમયે વિપક્ષમાં મુખ્યત્વે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સામ્યવાદી), સોશ્યાલિસ્ટ પાર્ટી (સમાજવાદી), કિસાન મજદુર પ્રજા પાર્ટી, ભારતીય જનસંઘ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા, રામરાજ્ય પરિષદ, શેડ્યુલ કાસ્ટ ફેડરેશન સહિતના પક્ષો હતાં, જો કે વર્ષ ૧૯પ૧-પર ની પહેલી લોકસભા ચૂંટણી વખતે પ૩ જેટલા રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને નોંધપાત્ર સંખ્યામાં અપક્ષો પણ ચૂંટાયા હતાં.
તે પછી વર્ષ ૧૯૮૮-૮૯ સુધી દેશમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું, પરંતુ કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ વધ્યું. વર્ષ ૧૯૬૯ મં સિન્ડિકેટ-ઈન્ડિકેટના જમાનામાં કોંગ્રેસના ભાગલા પડ્યા અને શાસક-સંસ્થા કોંગ્રેસના સ્વરૂપમાં કોંગ્રેસ વહેંચાઈ ગઈ, અને તે પછી કોંગ્રેસમાંથી છૂટા પડીને કેટલાક નાના-નાના પક્ષો સ્થપાતા રહ્યા. કોંગ્રેસનું છેલ્લું સૌથી મોટું વિભાજન, જ્યારે યુપીએ ગઠબંધનની સરકાર રચાવાની હતી, ત્યારે સોનિય ગાંધીના વિદેશી મૂળના મુદ્દે વિવાદ થયો, ત્યારે થયું હતું અને શરદ પવાર, પી.એ. સંગ્મા વગેરે દિગ્ગજોએ કોંગ્રેસ છોડીને નેશનલ કોંગ્રેસ પાર્ટી સ્થાપી હતી, અને તેમાં કોંગ્રેસના ઘણાં દિગ્ગજો જોડાયા હતાં. આ પાર્ટીએ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને જોરદાર ટક્કર આપી હતી.
મહારાષ્ટ્રની વિધાનસભાની ગત્ ચૂંટણી પછી ઓપરેશન લોટ્સથી ઓળખાતા રાજકીય એજન્ડાની ખૂબ ચર્ચા થઈ હતી. તે પછી એનસીપી અને શિવસેનામાં પણ વિભાજનો થયા હતાં. એનસીપીના સર્વેસર્વા શરદ પવારના ભત્રીજા સ્વ. અજીત પવારના નેતૃત્વમાં વિદ્રોહ થયો અને એનસીપીના બે ભાગલા પડી ગયા. અજીત પવારનું જુથ ભાજપ અને શિવસેનાના બાગી જુથ સાથે જોડાયું અને મહારાષ્ટ્રમાં સતતા હાંસલ કરી તે પછી શરદ પવાર જુથની એનસીપી ત્યાં વિપક્ષમાં છે. આ દરમિયાન અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયા પછી તે જુથનું નેતૃત્વ સ્વ. અજીત પવારના પત્ની સુનેત્રા પવારે સંભાળ્યું, અને તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
અજીત પવારના નિધન પછી તેના ગ્રુપનું શરદ પવારના જુથમાં વિલીનીકરણ અથવા મૂળ એનસીપીના બન્ને જુથના એકીકરણના પ્રયાસો પણ થયા હતાં, પરંતુ સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવાયા પછી ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું હતું, અને શરદ પવારનું જુથ વિપક્ષમાં યથાવત્ રહ્યું હતું.
પ. બંગાળમાં મમતા બેનરજીની સત્તા ગઈ, તે પછી તૃણમુલ કોંગ્રેસમાં બળવો થયો અથવા કરાવાયો, તે પણ તૃણમુલ કોંગ્રેસનું મૂળ પાર્ટી કોંગ્રેસમાં વિલીનીકરણ કરવાની વાતો વહેતી થઈ અને સોનિયા ગાંધી સાથે મમતા બેનરજીની સૂચક મુલાકાત, સોનિયા ગાંધીએ મમતાને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તથા તેના ચર્ચાસ્પદ બનેલા ભત્રીજા અભિષેક બેનરજીને મહાસચિવને સમકક્ષ હોદ્દા આપવાની કરેલી ઓફર તથા રાહુલ ગાંધી અને અભિષેક બેનરજી વચ્ચે થયેલી લાંબી ચર્ચા પછી એ લગભગ નક્કી મનાતું હતું કે કોંગ્રેસમાં તૃણમુલ કોંગ્રેસનું વિલીનીકરણ થઈ જશે, પરંતુ તે પછી અભિષેક બેનરજીએ મમતાને રાજ્યસભામાં મોકલીને ત્યાં તેને ખડગેની જગ્યાએ વિપક્ષના નેતાનું પદ આપવાની માંગણી કરી હોવાના અહેવાલો આવ્યા, અને તે પછી કોંગ્રેસના નેતા કે. વેણુગોપાલે આ તમામ વાતો જ પાયાવિહોણી હોવાનું જણાવતા તૃણમુલ કોંગ્રેસનું કોંગ્રેસમાં વિલીનીકરણ થવાની વાતો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય તેવું લાગ્યું અને મમતા-અભિષેક પણ દિલ્હીથી કોલકાતા પરત ચાલ્યા જતા આખી વાત સમેટાઈ ગઈ.
જો કે, રાજનીતિમાં બહારથી દેખાય, તેવું જ હોતું નથી અને 'બેકડોર' એટલે કે પડદા પાછળથી જે ગતિવિધિઓ ચાલતી હોય તે જાહેર થતી હોતી નથી.
મહારાષ્ટ્ર શિવસેનાના એક નેતાએ એવું સૂચન કર્યું કે ભૂતકાળમાં કોંગ્રેસમાંથી છૂટા પડેલા હોય, તેવા પક્ષોએ કોંગ્રેસમાં વિલીન થઈ જવું જોઈએ. આ નિવેદન પછી તૃણમુલ કોંગ્રેસના ભારતીય રાજકીય કોંગ્રેસમાં વિલીનીકરણની સંભાવનાઓ હજુ પણ જિવંત છે અને બેકડોર ચર્ચાઓ-ગુફ્તેગો ચાલી રહી છે, તેવા સંકેતો મળી રહ્યા છે, જ્યારે શરદ પવાર જુથ અને અજીત પવાર જુથ વચ્ચે એક્તા ન સધાય, તો શરદ પવાર જુથની એનસીપી કોંગ્રેસમાં ભળી જાય, તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે.
હકીકતે, કોંગ્રેસને મજબૂત બનાવીને જ રાષ્ટ્રીય કક્ષાએ મોદી સરકારને પડકાર આપી શકાય તેમ છે, કારણ કે રાષ્ટ્રવ્યાપી અને સૌથી જુની પાર્ટી કોંગ્રેસ જ છે. કોંગ્રેસના ભોગે કેટલાક રાજ્યોમાં મજબૂત બનેલા પ્રાદેશિક પક્ષો પૈકી મૂળ કોંગ્રેસી ગોત્રની રાજકીય પાર્ટીઓ જો કોંગ્રેસમાં ભળી જાય, તો રાષ્ટ્રીય કક્ષાએ પણ એક મજબૂત વિરોધ પક્ષ ઊભો થઈ શકે અને કેટલાક રાજ્યોના સમીકરણો પણ બદલી જાય, તેવી ગણતરીથી થઈ રહેલી આ નવી હિલચાલે એનડીએ અને મોદી સરકારની ઊંઘ ઊડાડી દીધી હોવાનો દાવો પણ થઈ રહ્યો છે, અને એવું થાય તો ઈન્ડિયા ગઠબંધન કોંગ્રેસના નેતૃત્વમાં ફરી મજબૂત બને તથા ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્યોમાં સત્તા પણ મેળવી શકે, તેવી શક્યતાઓ જણાવાઈ રહી છે.
પંજાબમાં અકાલીદળ નબળું પડતા ત્યાં આમ આદમી પાર્ટી ઉપરાંત કોંગ્રેસ પણ મજબૂત બનશે, તેવી શક્યતા છે. તમિલનાડુ અને કેરળમાં કોંગ્રેસ સત્તામાં ભાગીદાર છે. તે ઉપરાંત હિમાચલપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક સહિતના રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત છે, અને સત્તામાં છે, ત્યારે રાજ્યોમાં નબળા પડી રહેલા પ્રાદેશિક રાજકીય પક્ષોનો સીધો રાજકીય ફાયદો કોંગ્રેસને થઈ રહ્યો હોવાના વ્યક્ત થઈ રહેલા તર્કોમાં પણ વજુદ છે.
એક અભિપ્રાય એવો છે કે કોંગ્રેસે ગઠબંધનની રાજનીતીમાં ઘણો ભોગ આપ્યો છે, અને કેટલાક પ્રાદેશિક પક્ષો કે નવા રચાયેલા રાજકીય પક્ષો કોંગ્રેસના ભોગે જશક્તિશાળી બન્યા છે, ત્યારે કોંગ્રેસે હવે કાં તો 'એકલો જાને રે...'ની નીતિ અપનાવી જોઈએ, અથવા સન્માનજનક બેઠકો મેળવીને જ ગઠબંધન કે ચૂંટણી પહેલાની સમજુતિઓ કરવી જોઈએ, જો કે ભાજપ અને એનડીએના વર્તુળો આ બધા કોન્સેપ્ટ તથા સંભાવનાઓનું શેખચલીના સપના ગણાવી રહ્યા છે, પણ....?!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈ.વી.નો ઉપયોગ વધારવા 'મોટા માણસો' કરે પહેલ... નગરબસમાં પ્રવાસની ઝુંબેશને ૧ર વર્ષની ઉજવણીમાં જોડીએ...
ઈરાન-અમેરિકા યુદ્ધ ફરીથી શરૂ થયા પછી ઈંધણની અછતની વિશ્વવ્યાપી સમસ્યા ઝડપથી ખતમ થાય, તેમ જણાતું નથી, ત્યારે ઈંધણનું સ્વરૂપ બદલવા તથા પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવાના પ્રયાસો વધુ તેજ બનાવવા પડશે અને તેના સંદર્ભે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવો, કારપુલીંગ અને સાર્વજનિક વાહનોમાં સ્થાનિક મુસાફરી સહિતનો પ્રવાસ કરવાનો આગ્રહ રાખવાની ઝુંબેશ પણ હવે ટોપ ટુ બોટમ શાસકો અને તંત્રોએ સ્વયં અપનાવીને દૃષ્ટાંત બેસાડવું પડશે, જેના કારણે સામાન્ય જનતાને પણ પ્રેરણા મળશે અને ખાનગી ટુ વ્હીલર્સ, કાર અને અન્ય પેટ્રોલ-ડીઝલ-ગેસ આધારિત વાહનો ઓછા દોડશે. હવે સરકારી-અર્ધસરકારી અને પબ્લિક પરિવહનમાં પણ વધુમાં વધુ ઈલેક્ટ્રીક વાહનો દોડાવવાનો સમય પાકી ગયો છે, તેથી ક્રમશઃ ઈલેક્ટ્રીક વાહનોનો મહત્તમ અને સહિયારો ઉપયોગ કરીને પેટ્રોલ-ડીઝલ-ગેસની ડિમાન્ડ ઘટાડીને આ વૈશ્વિક અને રાષ્ટ્રીય કૃત્રિમ આફત સામે સૌએ સાથે મળીને જ લડવું પડશે, અને તેની આગેવાની નેતાઓ તથા ઉચ્ચ અધિકારીઓએ જ લેવી પડશે.
ગઈકાલે સમાચાર આવ્યા કે જામનગરમાં ઈલેક્ટ્રીક સિટીબસો દોડાવાની છે અને તેની ટ્રાયલ હાપાથી ગાંધીનગર વચ્ચે લેવામાં આવી છે. અત્યારે કેટલાક રૂટો પર જે સિટી બસો ચાલે છે, તેના સ્થાને તો સિટીબસો આવી જશે, પરંતુ તે ઉપરાંત પણ જામનગરથી નજીકના ગામડાઓ તથા ચોતરફ વિક્સેલા સોસાયટી વિસ્તારોને સાંકળીને આ બસસેવા ચલાવવી પડશે અને પ્રારંભમાં સિટીબસો તરફ લોકોને વાળવા માટે જુદા જુદા રાહતભર્યા પ્રયોગો પણ કરવા પડશે. એટલું જ નહીં, નેતાગણ તથા અધિકારી-કર્મચારીઓએ પોતે પણ સિટીબસમાં જ પ્રવાસ કરીને પ્રવર્તમાન સંજોગોમાં પ્રેરણાત્મક દૃષ્ટાંત બેસાડવું જોઈએ. આ માટે વડાપ્રધાનના શાસનગાળાના ૧ર વર્ષની ઉજવણી સાથે સાંકળીને તમામ સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, સમાજના શ્રેષ્ઠીઓ તથા નેતાગણ પણ કમ-સે-કમ વૈશ્વિક યુદ્ધગ્રસ્ત સ્થિતિના કારણે ઈંધણની સમસ્યા ચાલે, ત્યાં સુધી આ ઈલેક્ટ્રીક સિટીબસોમાં જ મહત્તમ મુસાફરી કરવાનો આગ્રહ રાખે.
વડાપ્રધાન તરીકે ૧ર વર્ષ અને તે પહેલા મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ મળીને નરેન્દ્રભાઈએ અઢી દાયકાના શાસન દરમિયાન જે ઝુંબેશો ચલાવી, તેનો પ્રારંભ પોતે કર્યો છે. દૃષ્ટાંત તરીકે સ્વચ્છતા અભિયાન આદર્યું, તો પોતે જ સફાઈ રાખવાને પ્રાધાન્ય આપવા લાગ્યા હતાં. તેવી જ રીતે જુદી જુદી ઝુંબેશો સ્વયંથી શરૂ કરીને સરકાર અને સંગઠનના હોદ્દેદારો, નેતાઓ તથા કાર્યકરોથી લઈને સમાજના જુદા જુદા વર્ગોને પણ તેમાં જોડતા રહ્યા છે. આ જ રીતે જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, કમિશનર, કલેક્ટર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ, સભ્યો, સરકારી-અર્ધસરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓ જો ઈલેક્ટ્રીક સિટીબસોમાં જ મહત્તમ સ્થાનિક પ્રવાસ કરવાનો આગ્રહ રાખે. એટલું જ નહીં, નગરના ઉદ્યોગપતિઓ, બિલ્ડરો તથા વ્યાપારી પેઢીઓ પણ જો પોતાના સ્ટાફ અને કામદારો-શ્રમિકોને ઈલેક્ટ્રીક સિટીબસોની મુસાફરી કરવા પ્રેરણા આપે, અને પોતે પણ અનુસરે, તો ઈલેક્ટ્રીક સિટીબસો ખાલી દોડવાના બદલે ભરચક્ક દોડશે.
જો આ ઈલેક્ટ્રીક સિટીબસો નિયમિત દોડશે અને સતત ઉપલબ્ધ થતી રહેશે, અને ઠેર-ઠેર સિટીબસ સ્ટેન્ડો ઉપરાંત વ્યવહારૂ અભિગમ દાખવીને વિવેકી સ્ટાફ દ્વારા મુસાફરોને ચડવા-ઉતરવાની સગવડ આપશે, તો સિટીબસો પહેલાની જેમ જ સફળતાપૂર્વક સારા પરિણામો એકંદરે હાંસલ કરી શકશે. આ માટે પ્રારંભિક સમયમાં થોડી ધીરજ રાખવી જરૂરી ફેરફારો કરતા રહેવા તૈયાર રહેવું પડશે.
જો જામનગર મહાનગરપાલિકા મહિલાઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો વિગેરે માટે પ્રારંભમાં નિઃશુલ્ક અથવા ટોકન દરે સિટીબસમાં પ્રવાસની સુવિધા આપશે અને શ્રમિકો, દરરોજ પ્રવાસ કરતા નોકરિયાતો અને નાના વ્યવસાયિકોને કન્સેશન આપશે. એટલું જ નહીં, છૂટાની માથાકુટ ના થાય તે રીતે મિનિમમ ટિકિટનો દર ઓછો રાખશે, તો આ બસ સેવા સફળ થશે. પ્રારંભમાં બધા લોકો માટે નિઃશુલ્ક સેવા આપીને મહત્તમ લોકોને સિટીબસ તરફ વાળીને પ્રવર્તમન સમયમાં પેટ્રોલ-ડીઝલની મહત્તમ બચત કરવાનો પ્રયોગ પણ કરવા જેવો ખરો...
જેવી રીતે શ્રમયજ્ઞો, વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો અને સ્વદેશીની ઝુંબેશ, વોકલ ટુ લોકલ, આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો ચાલે છે, તેવી જ રીતે 'ચાલો, સિટીબસમાં જ પ્રવાસ કરીએ' જેવી ઝુંબેશ ચલાવીને નેતાગણ અને આગેવાનો, મહિલા અગ્રણીઓ અને બુદ્ધિજીવીઓ સ્વયં દરરોજ સિટીબસનો ઉપયોગ કરશે, તો આ અભિયાન બહુહેતુક પૂરવાર થશે.
બીજી તરફ જેવી રીતે સીએનજી આધારિત ઓટોરિક્ષા અને રિક્ષાછકડાઓની સંખ્યા વધારીને ડીઝલ આધારિત વાહનો ઘટાડાયા, તેવી જ રીતે હવે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધારવાનો અભિગમ પણ અપનાવવો અત્યંત જરૂરી છે. રિક્ષાચાલકોના હિતો પણ જળવાય, ઈલેક્ટ્રીક સિટીબસોનો ઉપયોગ પણ વધે અને ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગોને તેનો આર્થિક ફાયદો તો થાય જ, પરંતુ પર્યાવરણ સુધરે તથા હાલના સંજોગોમાં ઈંધણની ક્રાઈસીસ ચાલી રહી છે, ત્યારે સાર્વજનિક વાહનોનો સામૂહિક પ્રયોગ 'મોટા માણસો' સહિત બધા કરતા થાય, તો આ કોન્સેપ્ટ બહુહેતુક પૂરવાર થવાનો છે. જો તેમ નહીં થાય તો દળી દળીને ઢાંકણીમાં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે સહન ન થાય એવી ગરમી પડી રહી છે અને તાપમાન જુના રેકોર્ડ તોડી રહ્યું છે. વયોવૃદ્ધ અને પ્રૌઢ વયજુથના લોકોએ તો ભૂતકાળમાં પ્રચંડ ગરમી, દુષ્કાળો અન સતત અલ્પવૃષ્ટિ તથા અનાવૃષ્ટિનો અનુભવ કર્યો છે, પરંતુ નવી પેઢીએ આ બધા વર્ણનો અભ્યાસ દરમિયાન કે પછી ઈતિહાસના સ્ટડી અથવા જનરલ નોલેજના વાચનમાંથી જ મેળવ્યા હશે. ઘણાં આઝાદીકાળના વડીલો છપ્પનિયા દુષ્કાળની કપરી સ્થિતિની વાતો કરતા હોય છે, તો પચાસ-પંચાવન વર્ષની ઉંમરના લોકો તેના બાળપણ કે યુવાવયે અનુભવેલી દુષ્કાળની સ્થિતિના અનુભવો વર્ણવતા હોય છે. આ કપરાકાળને પણ પાછળ છોડે, તેવી સુપર અલનીનોની સ્થિતિ આવી રહી છે, જેને લઈને વૈજ્ઞાનિકો 'એન્વાયરમેન્ટ બોમ્બ' જેવી વોર્નિંગ આપી રહ્યા છે, તેથી સરકાર, સમાજ અને ખાસ કરીને આકાશી ખેતી તથા જળઆધારિત ઉદ્યોગ-ધંધા કરતા લોકોએ સાવધાન થઈ જવું જરૂરી છે, અને અત્યારથી જ કપરાકાળનો સામનો કરવાની તૈયારીઓ આદરવી જરૂરી છે.
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ દ્વારા ચાલુ (જૂન) મહિના માટે જાહેર કરેલા રિપોર્ટે આખી દુનિયાને હચમચાવી દીધી છે. આ રિપોર્ટમાં હવામાન મોડેલનું અપડેટ્સ અપાયું છે. આ વૈશ્વિક મોડેલ મુજબ પેસિફિક મહાસાગરમાં રચાઈ રહેલા વિનાશક 'સુપર અલનીનો'ના કારણે ચાલુ વર્ષ (ર૦ર૬) ના અંત સુધીમાં પેસિફિક મહાસાગરનું તાપમાન પ્લસ ૩ થી ૪ અંશ સન્ટિગ્રેડ સુધી વધી શકે છે. આ અપડેટ્સ તો ત્યાં સુધીના સંકેતો આપે છે કે પેરૂ અને ઈકવેડોરના દરિયાઈ વિસ્તારોમાં તાપમાન પ્લસ પાંચ અંશ સેન્ટિગ્રેડ સુધી વધી શકે છે. તેનો અર્થ એવો થાય કે જ્યાં હાલમાં મહત્તમ ૪૦ થી ૪પ અંશ સેન્ટિગ્રેડ તાપમાન પહોંચતું હોય ત્યાં પ૦ થી પપ અંશ સેન્ટિગ્રેડ સુધી તાપમાન પહોંચી શકે છે. એવું કહેવાય છે કે આટલું ઊંચુ તાપમાન પૃથ્વી પરના મહત્તમ લોકો સહન કરી શકે તેમ નથી, જો કે દરિયામાં વધતું તાપમાન જમીન પર વસવાટ કરતા લોકોને સીધુ અસર ન કરે તો પણ તેની અસરો માનવી અને સમગ્ર પ્રાણીસૃષ્ટિ માટે અસહ્ય બની શકે છે.
અવનીનો એક નેચરલ હવામાન પ્રક્રિયા છે, જેમાં વિષુવવૃતિય પટ્ટામાં આવેલા પેસિફિક મહાસાગરનું પાણી અસાધારણ રીતે ગરમ થઈ નબળા થઈ જતા પવનો ઉલટી તરફ ફૂંકાવા લાગે છે. ગરમ પવનો અને ઠંડા-ગરમ દરિયાઈ પ્રવાહોના કારણે પૃથ્વી પરના વાયુમંડળનું કુદરતી ચક્ર ખોરવાઈ જાય છે, તેથી ભારત જેવા દક્ષિણ-પશ્ચિમ મોન્સુન પર આધારિત અને કૃષિપ્રધાન ઈકોનોમી દેશમાં માઠી અસરો પડે છે. તેમાં પણ આ વખતે જ્યારે સુપર અલનીનોની પ્રબળ સંભાવનાઓ દર્શાવાઈ રહી છે, ત્યારે આગામી ચોમાસાના ઉત્તરાર્ધ એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ગુજરાત સહિતના પાંચેક રાજ્યોમાં અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાતા દુષ્કાળ પડી શકે છે. અછત-અર્થઅછત કે દુષ્કાળ જેવી સ્થિતિના કારણે ખેતી પાકો નિષ્ફળ ગયા પછી મોંઘવારી માઝા મૂકી શકે છે. ચોમાસું નિષ્ફળ ગયા પછી આવતો (આગામી) શિયાળો પણ ગરમ રહે અને વર્ષ ર૦ર૭ ના પ્રારંભે અભૂતપૂર્વ હીટવેવનું કારણે જળાશયોનું થોડું-ઘણું બચેલું પાણી પણ ખૂટી શકે છે.
બીજી તરફ પેસિફિક અને આટલાન્ટિક મહાસાગરોના તાપમાન વચ્ચે મોટો તફાવત સર્જાતા દુનિયાના કેટલાક દેશોમાં વાવાઝોડા ફૂંકાય, જંગલોમાં દાવાનળ અને કેટલાક દેશોમાં પાણીની તીવ્ર તંગી સર્જાય તો દુનિયાના કેટલાક ભાગોમાં તેનાથી વિપરીત અતિવૃષ્ટિ અને ભારે પૂર પણ વિનાશ વેરી શકે છે. જીવનજરૂરી ચીજવસ્તુઓની વૈશ્વિક સપ્લાઈ ચેઈન ખોરવાઈ જતા દુષ્કાળમાં અધિકમાસ જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે, અને આખું વિશ્વ કદાચ મહામંદીના ખપ્પરમાં હોમાઈ શકે છે.
આ ભયાનક સ્થીતિ ટળી જાય, અને કુદરતી રીતે જ સુપર અલનીનોની અસરો ઓછી થઈ જાય, તેવું ઈચ્છીએ. આ પહેલા વર્ષ ૧૯૮ર-૮૩, વર્ષ ૧૯૯૭-૯૮ અને વર્ષ ર૦૧પ-૧૬ માં સુપર અલનીનોની સ્થિતિ ભારત સહિત દુનિયાના દેશોએ અનુભવી જ છે, પરંતુ આ વખતે યુદ્ધોના કારણે હવામાન પર થયેલી અસર, ગ્લોબલ વોર્મિંગ તથા તેની ફલશ્રુતિ સ્વરૂપે ક્લાઈમેટ ચેઈન્જ જેવા નવા પડકારો ઊભા થયા છે, ત્યારે સરકારે કે જનતાએ આ વખતે ગાફેલ રહેવા જેવું નથી. આ પહેલા પણ અલનીનો અને સુપર અલનીનોનો સામનો આપણે બધાએ કર્યો જ છે, તેના અનુભવે આગામી પડકારોનો પણ મક્કમતાથી સામનો કરવો જ પડે તેમ છે, કારણકે તેનો વિકલ્પ માત્રને માત્ર વિનાશ જ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને જળસંરક્ષણ, ખાદ્યચીજોનો બફર સ્ટોક, ઓછા પાણીથી પુષ્કળ પરિણામો આપતા પાકો તરફ ખેડૂતોને વાળવા અને પાણી પહેલા પાળ બાંધવાના તમામ કદમ ઊઠાવવા અત્યારથી જ શ્રેણીબદ્ધ, આયોજનબદ્ધ અને સમયબદ્ધ પગલાં લેવા જોઈએ. આવી રહેલા કપરાકાળને લઈને અપાતી આ પ્રકારની ચેતવણીઓથી ગભરાવાની કે હતાશ થવાની પણ જરૂર નથી. આપણાં દેશે છપ્પનિયા દુષ્કાળથી લઈને આઝાદી પછીના પણ ડઝનેક આફતકાળનો સામનો કર્યો છે. તે સમયે તો ટાંચા સાધનો હતાં, જળસંગ્રહના સાધનો ઓછા હતાં અને સંચાર-વ્યવસ્થા મર્યાદિત હતી. આજની ઈન્ટરનેટ યુગમાં ઝડપી કોમ્યુનિકેશન, જળસંચય, જળસંગ્રહ, જળબચત, ખાદ્યાન્ન બચત અને પ્લાનિંગ અને આગમચેતી સાથેની ખેતી સહિતના તમામ કદમ ઊઠાવીને સુપર અલનીનોને 'સુપર' લડત આપી શકાય તેમ છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે ત્યાં એક ગુજરાતી કહેવત ઘણી જ પ્રચલીત છે, જેમાં કહેવાયું છે કે, લાકડાના લાડુ, ખાય તે પણ પસ્તાય અને ખાય નહીં, તે પણ પસ્તાય... મતલબ કે લાકડાના લાડુ ખાવા જાય, તેના દાંત તૂટી જાય કે ખાઈ શકે જ નહીં, તેમ તેને એમ થાય કે આવું મેં કેમ કર્યું?
બીજી તરફ લાકડાના લાડુ ખાવામાં અચકાય, તેને એમ થાય કે મેં લાડવાનો સ્વાદ માણવાની તક ગુમાવી. હકીકતે આ એક વ્યંગાત્મક કહેવત છે, જે મોટાભાગે લગ્ન કરવા કે નહીં કરવાના પરિપ્રેક્ષ્યમાં વપરાય છે. આ સાથે જ લગ્ન નહીં કરનાર, અથવા એકલા રહેનાર કેટલાક મહાનુભાવો મુખ્યમંત્રી, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા હોવાના દૃષ્ટાંતો પણ અપાતા હોય છે.
તેવી જ રીતે જ્યારે કોઈ શાસક, હોદ્દેદાર કે સત્તાધિકારી પોતાને સત્ત જ ન હોય તેવા હુકમો ચલાવે, અથવા પોતાની મર્યાદા અથવા નીતિ-નિયમોને અવગણીને કોઈ મનસ્વી નિર્ણયો કરે ત્યારે એવું કહેવામાં આવતું હોય કે, 'તેઓ તો લાકડાની તલવાર ચલાવે છે...!'
ઘણી સરકારો, શાસકો અને અધિકારી-પદાધિકારીઓ આ પ્રકારની લાકડાની તલવાર ચલાવતા હોય છે. રાજાશાહી કે સુલતાનશાહી ચાલતી હોય, ત્યાં રાજા, રાણી, નવાબ કે સુલતાન પાસે એકાધિકાર હોઈ શકે, પરંતુ લોકતાંત્રિક દેશોમાં લિખિત બંધારણ અથવા બ્રિટનની જેમ કાનૂન આધારિત નિર્ણયો લેવા રાજા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે દેશના વડા બંધાયેલા હોય છે અને જ્યારે બંધારણ કે પ્રસ્થાપિત નિયમ-કાયદા વિરૂદ્ધ કોઈ સત્તાધીશો મનસ્વી રીતે નિર્ણયો લેવા લાગે, આદેશો દેવા લાગે કે એક્સન લેવા લાગે, ત્યારે એવું કહી શકાય કે તેઓ લાકડાની તલવાર ચલાવી રહ્યા છે...
આવી જ લાકડાની તલવાર ચલાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયાને ગોટે ચડાવી રહ્યા છે. તેઓએ દુનિયાના દેશો પર જે ટેરિફ નાંખ્યો હતો, જે અમેરિકાના બંધારણને અનુરૂપ નહીં હોવાથી અમેરિકાની સર્વોચ્ચ અદાલતે તેને ગેરકાયદે ઠરાવ્યો હતો, જેથી ટ્રમ્પની લાકડાની તલવાર મ્યાન થઈ હતી અને ટેરિફ લાદવાની સત્તાની મર્યાદામાં રહીને નવા નિયમો કરાયા હતાં, જો કે કાયદાની છટકબારીઓ શોધીને તેઓ નવા નવા ટેરિફદરો માટે ધમપછાડા કરી રહ્યા છે, પરંતુ એક વખત તો તેને પરોઠના પગલાં ભરવા જ પડ્યા હતાં.
આવી જ પછડાટ ટ્રમ્પને ફરીથી લાગી છે. ટ્રમ્પે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઈમિગ્રેશન પર આધારિત માઈગ્રેશન અટકાવવા વિઝા ફી માં તોતિંગ વધારો કર્યો હતો. વિદેશી તકનીકી (ટેક) વર્કરો માટે એચ-૧-બી વિઝાની ટ્રમ્પે લાદેલી એક લાખ ડોલરની ફી ને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ગેરકાયદે ઠેરવી છે.
બન્યું એવું કે ગત્ વર્ષે આ જંગી વિઝા ફી વધારો ઝીંકાયા પછી અમેરિકાની ર૦ જેટલી રાજ્ય સરકારોના એટર્ની જનરલોએ ટ્રમ્પના આ પગલાંને અદાલતમાં પડકાર્યું હતું, અને દલીલો રજૂ કરી હતી. અદાલત એ દલીલો સાથે સંમત થઈ હતી, કે સંસદની મંજુરી વિના રાષ્ટ્રપતિને આટલી તોતિંગ વિઝા ફી લાદવાનો અધિકાર જ નથી!
ટ્રમ્પના આ નિર્ણયથી ગત્ વર્ષથી ભારતીય વ્યવસાયિકો, ટેક-વર્કરો-ઈમિગ્રેશનને ફટકો પડ્યો હતો, કારણ કે એચ-૧-બી વિઝા મેળવવાનો ખર્ચ એક વ્યક્તિ દીઠ માત્ર બે થી પાંચ હજાર ડોલર થતો હતો, તે સીધો એક લાખ ડોલર થઈ જતા કંપનીઓ-વ્યવસાયિકો માટે તે અસહ્ય હતો અને તે કારણે ભારતીય તકનીકી ક્ષેત્રના એચ-૧-બી વિઝા મોંઘા દાટ થઈ જતા ઘણાં રોજગારવાંચ્છુઓના સપના રોળાઈ ગયા હતાં, પરંતુ ફેડરલ કોર્ટના આ ચૂકાદા પછી ટ્રમ્પના નિર્ણયો પર અંકુશ આવશે, પરંતુ તેઓ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરશે કે બીજી છટકબારી શોધીને પોતાના નિર્ણયનેે વળગી રહેશે કે પછી ફેડરલ કોર્ટના આદેશ પછી હવે ભારત સહિતના એચ-૧-બી વિઝાધારકોને તત્કાળ રાહત મળશે, તેની ચર્ચા થઈ રહી છે.
મોટાભાગના વિશ્લેષકો એવું માને છે કે, ટ્રમ્પને હાલતુરત તો ફેડરલ કોર્ટનો આદેશ માનવો જ પડશે, પરંતુ તેઓ સંસદમાં પ્રસ્તાવ મૂકીને અથવા બીજી કોઈ રીતે એચ-૧-બી વિઝાના મુદ્દે અડચણો ઊભી કરી શકે છે. ટ્રમ્પ પાસે આ મુદ્દે કોંગ્રેસ (સંસદ) ની મંજુરી મેળવવાનો વિકલ્પ છે, પરંતુ જ્યારે ર૦ ડેમોક્રેટિક સ્ટેટ એકજુથ થઈ ગયા હોય, ત્યારે 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા'ના રાષ્ટ્રપતિ માટે ફેડરલ કોર્ટને અનુસરવું જ શાણપણભર્યું ગણાશે. લાકડાની તલવાર વાપરનાર અંતે તો પછડાટ જ ખાતો હોય છે...
ટ્રમ્પની જેમ જ વિશ્વના ઘણાં દેશોના શાસકો પણ ઘણી વખત 'લાકડાની તલવાર' ચલાવતા હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની લાકડાની તલવાર સામે લોખંડની તલવાર આવી જાય કે પછી લોખંડની ઢાલ આવી જાય, ત્યારે લાકડાની તલવારોની પોલ ખૂલી જતી હોય છે અને લાકડાની તલવારના ટૂકડે ટૂકડા થઈ જતા હોય છે.
છેલ્લા એક-દોઢ દાયકાથી આ જ રીતે લાકડાની તલવારો ચલાવીને એકચક્રી શાસન કરનારા મમતા બેનરજી, સ્ટાલીન અને વિજયન વિગેરે પૂર્વ મુખ્યમંત્રીઓને પણ સમજાઈ ગયું હશે કે તેઓની પાસે તો લાકડાની તલવાર હતી, હકીકતે અસલી તલવાર તો લોકતંત્રમાં મતદારોની પાસે જ હોય છે, અને જ્યારે જનતાની તલવાર વિંઝાય છે, ત્યારે મજબૂતમાં મજબૂત સરકારો પણ ગબડી પડતી હોય છે. પબ્લિકને જ્યારે એવું લાગે કે 'હવે બસ થયું', ત્યારે લોકતાંત્રિક ક્રાંતિઓ પણ સર્જાતી હોય છે. એટલું જ નહીં, લોકતાંત્રિક દેશોમાં પણ જનાક્રોશ જાગ્યા પછી બંધારણીય રસ્તે તખ્તાપલટ થઈ શકતા હોય છે. આથી હજુ પણ 'લાકડાની તલવારો' વિંઝતા શાસકોએ ચેતી જવા જેવું છે, કારણ કે જ્યારે જનતા જાગે છે, ત્યારે તાનાશાહોને ભાગવું પડે છે...
ભારતમાં વ્યક્તિ ગમે તેટલો મોટો હોય, પરંતુ તે બંધારણ કે કાયદાથી પર નથી. કોઈપણ વ્યક્તિ ભલે સેલેબ્રિટી હોય કે વિશ્વકક્ષાનો ખેલાડી હોય, દેશના કાયદા-કાનૂન માનવા જ પડે છે. માત્ર પ્રસ્તાવ થયો હોય અને મંજુરીની પ્રક્રિયા પૂરી થઈ ન હોય, છતાં કોઈ કિંમતી પ્લોટનો કબજો 'લાકડાની તલવાર' ચલાવીને કરી લીધો હોય, તો તેને પણ અદાલતમાં ઝટકો લાગતો હોય છે, તેથી લાકડાની તલવાર ચલાવતા લોકોએ ચેતવા જેવું છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ર૩ જેટલી રાજકીય પાર્ટીએ નવી દિલ્હીમાં બેઠક યોજીને 'ઈન્ડિયા ગઠબંધન'ના નેજા હેઠળ મોદી સરકારને ઘેરવા કોઈ મોટી જાહેરાત કરવાના હોવાની અટકળો પહેલેથી જ હતી અને મમતા બેનરજી તો ગઈકાલથી જ દિલ્હી પહોંચી ગયા હતાં, અને આગામી સમયમાં મોદી સરકાર સામે મોટો પડકાર ઊભો થવાનો હોવાનો દાવો પણ થઈ રહ્યો છે, તો બીજી તરફ નીટ પેપરલીક તથા સીબીએસઈની પરીક્ષામાં ગરબડ-ગોટાળાઓને લઈને આંદોલનો ચાલી રહ્યા છે. ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી ઉભરેલી કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતરમંતર પર કલાકો સુધી જે વિરોધ-પ્રદર્શન કર્યું હતું, તે ટ્રેલર હતું અને પિક્ચર હજુ બાકી છે, તેવો દાવો પણ થઈ રહ્યો છે.
દિલ્હીના જંતરમંતર પર કોકરોચ જનતા પાર્ટીના વિરોધ-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ ઉમટ્યો, ત્યારે અન્ના હજારેનું યુપીએ સરકાર સામે આદરેલું આંદોલન યાદ આવી ગયું. તે પછી કેન્દ્રમાં મોદી સરકાર રચાઈ અને તેના એક વર્ષ પછી અન્ના હજારેના આંદોલનમાંથી રચાયેલી પોલિટિકલ પાર્ટી 'આપ'નું વર્ષ ર૦૧પ માં દિલ્હીમાં શાસન સ્થપાયું. તે પછી યમુનાજીમાં ઘણાં પાણી વહી ગયા છે અને આમ આદમી પાર્ટી હવે માત્ર પંજાબમાં રાજ્ય સરકાર ધરાવે છે, અને દિલ્હીમાં સત્તા ગુમાવી છે. આ તરફ કોંગ્રેસે વર્ષ ર૦૧૪ થી ઘણી ચૂંટણીઓમાં પરાજ્ય મેળવ્યો તો કેટલાક મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં આજે પણ કોંગ્રેસની અથવા તેની સાથેના ગઠબંધનની સરકારો અસ્તિત્વમાં છે. પ. બંગાળની ચૂંટણીમાં મમતા બેનરજી હાર્યા પછી હવે ફરીથી ર૩ વિપક્ષો એકજુથ થઈ રહ્યા છે, તો બીજી તરફ નવી કોકરોચ પાર્ટી પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે.
કોકરોચ જનતા પાર્ટીના વિરોધ-પ્રદર્શનમાં મુખ્ય માંગણી નીટ પેપર લીક મામલે કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ અને યુવાપાંખ પણ એ જ માંગણી સાથે દેશભરમાં ગયા મહિનાથી જ ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે, તેમ છતાં કોકરોચ જનતા પાર્ટીને વધુ મહત્ત્વ મળ્યું અને વ્યાપક પ્રમાણમાં પ્રચાર-પ્રસાર થવા લાગ્યે, તેથી એવો સવાલ પણ ઊઠ્યો કે દેશની રાજધાનીમાં માત્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રચાયેલી રાજકીય પાર્ટીમાં આ રીતે યુવાવર્ગ ઉમટી પડે, તે શું પડોશી દેશોમાં થયેલા જેના ઝી આંદોલનો જેવી શરૂઆત છે કે પછી કોંગ્રેસ દ્વારા આ જ પ્રકારના સમાન મુદ્દે ચાલી રહેલા દેશવ્યાપી આંદોલનોને કાઉન્ટર કરવાની કોઈ છૂપી ચાલબાજી છે?
આમ પણ મહારાષ્ટ્ર, દિલ્હી અને હવે પ. બંગાળમાં પ્રાદેશિક પક્ષોને પછડાટ મળ્યા પછી હવે મજબૂત વિપક્ષ તરીકે ફરીથી કોંગ્રેસનો ઉદય થઈ રહ્યો હોય, તેવો માહોલ ઊભો થઈ રહ્યો છે. કોંગ્રેસે કેરળમાં ડાબેરીઓના નેતૃત્વવાળા મોરચાને હરાવીને યુડીએફએ શાસન સ્થાપ્યું છે. કર્ણાટકમાં આંતરવિરોધ ખતમ કરીને ડી.કે. શિવકુમારના નેતૃત્વમાં સરકાર રચાઈ ગઈ છે. દક્ષિણ ભારતમાં તેલંગણામાં કોંગ્રેસનું શાસન છે, જ્યારે તમિલનાડુમાં વિજયની સરકારમાં કોંગ્રેસ ભાગીદાર છે. પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસનું શાસન છે, અને લોકસભામાં પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લીડર ઓફ ઓપોઝીશન (એલઓપી) નું પદ મળ્યું છે. આમ ફરીથી ઈન્ડિયા ગઠબંધન મજબૂત બને તો પણ તેનું નેતૃત્વ તો હવે કોંગ્રેસ જ 'હક્ક'થી કરી શકે છે.
આ કારણે જ રાષ્ટ્રવ્યાપી વિપક્ષી એકતા થાય, તો મોદી સરકાર સામે નવેસરથી પડકાર ઊભો થાય તેમ છે, જો કે હજુ પણ તમિલનાડુમાં ડીએમકે, કેરળ અને બંગાળમાં લેફ્ટ તથા આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીની પાર્ટી ઈન્ડિયા ગઠબંધનમાં જોડાય તેવી સંભાવનાઓ પહેલેથી જ જણાવાઈ રહી હતી, પરંતુ આજે સાંજે શું થાય છે, તે જોવાનું રહે છે.
ઈન્ડિયા ગઠબંધનની રચના થતા પહેલા જ કેટલાક વિરોધાભાસી નિર્ણયો આવ્યા અને કેટલાક રાજકીય પક્ષોએ ગોળ-ગોળ વાતો કરી અને કેટલાક પક્ષોએ આ ગઠબંધનમાં જોડાવાની અનિચ્છા વ્યક્ત કરી રહ્યા છતાં કેટલાક રાજ્યોમાં એક-બે વર્ષમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ જ નહીં, પરંતુ વર્ષ ર૦ર૯ ની લોકસભાની ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને પણ વિપક્ષો એકજુથ થઈને મોદી સરકારને સડકથી સંસદ સુધી ઘેરવાનો જોરદાર પ્રયાસ કરશે, તે નક્કી છે.
એનડીએના નેતાઓ પણ કોકરોચ જનતા પાર્ટીની વિરૂદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ગીરીરાજ કિશોરસિંહે તેને ટૂકડે ટૂકડે ગેંગની શાખા ગણાવી તો કેટલાક નેતાઓએ અલગ નકસલીઓની ગેંગનું નવું સ્વરૂપ ગણાવ્યું. બીજી તરફ દીપકેએ કરેલો રણકાર જોતા આ પાર્ટી હવે વિધિવત રીતે રાજકીય પક્ષ તરીકે ચૂંટણીપંચમાં રજિસ્ટ્રેશન કરાવીને ચૂંટણીઓમાં ઝંપલાવશે કે પછી બિનરાજકીય રીતે દેશવ્યાપી યુવાઆંદોલનનું સ્વરૂપ ધારણ કરશે, તે અંગે વિવિધ અનુમાનો થઈ રહ્યા છે.
બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં જંતર-મંતર પર જે આંદોલન કર્યું, તેના કરતા પણ વધુ ભીડ હોય તેવું આંદોલન કોંગ્રેસે હાલાર અને ગુજરાત સહિત ઠેર-ઠેર લગભગ એક પખવાડિયાથી આદર્યું છે, અને હજું પણ તે ચાલુ રહેવાનું છે. કોંગ્રેસના આંદોલનોમાં સવિનય કાનૂનભંગ કરતા આંદોલનકારીઓ પર વોટર કેનનનો મારો અને ટિયરગેસનો ઉપયોગ પણ થઈ રહ્યો છે, અને એકાદ સ્થળે નહીં, પણ જિલ્લે-જિલ્લે આ આંદોલન ચાલી રહ્યું છે.
એનએસયુઆઈ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ સહિતની કોંગ્રેસની જુદી જુદી પાંખો દ્વારા સરકારની આંખ ઉઘાડવા આશ્ચર્યજનક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, જેને જુદા જુદા સ્થળે લોકોનું જબરદસ્ત સમર્થન પણ મળી રહ્યું છે, જ્યારે કોકરોચ જનતા પાર્ટીને સરકારે 'શાંતિપૂર્વક' આંદોલન કરવા દીધું, અને આંદોલનકારીઓએ પણ 'સંયમ' જાળવ્યો, તેને જુદા જુદા વિશ્લેષકો જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે.
હવે જોવાનું એ રહે છે ક ઈન્ડિયા ગઠબંધનમાં નહીં જોડાયેલા વિરોધ પક્ષો સાથે 'કોકરોચ પાર્ટી' ગઠબંધન કરે છે કે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થાય છે કે પછી કોઈ બિનરાજકીય જન-ઝી આંદોલનનું સ્વરૂપ પકડે છે. જો આમાંથી કાંઈ નહીં થાય તો આ સોશિયલ મીડિયાનું એક અલગ પ્રકારનું આંદોલન હશે અથવા સમયાંતરે સક્રિય વર્તમાન રાજનીતિ અને પોલિટિકલ સિસ્ટમનો હિસ્સો બની જશે... જોઈએ, શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમતી નેશનલ ટીમો હોય કે લીગ મેચો હોય, લોકલ ટુર્નામન્ટો હોય કે વિવિધ ટ્રોફીઓ હોય, તેનું આયોજન, સંચાલન, નિયંત્રણ અને નિયમન બીસીસીઆઈ કરે છે. સુરક્ષા કે વૈશ્વિક દ્વિપક્ષિય સંબંધો, યુદ્ધની સ્થિતિ કે કુદરતી આફતો ચૂંટણી કે રાષ્ટ્રીય કટોકટી, રોગચાળા જેવા સંજોગોમાં સરકારી નિયમો-સૂચનાઓને ધ્યાને લેવી પડે છે, પરંતુ આવક-જાવક, ટાઈમ ટેબલ, ફંડીંગ, ક્રિકેટના નિયમો, ખેલાડીઓ-મેનેજમન્ટને લગતા નિયમો તથા કોચ, સ્ટાફ, મેનજેરની નિમણૂકો વગેરેનું સંપૂર્ણ નિયમન બીસીસીઆઈ જ કરે છે, જેમાં ભારત સરકાર કે અન્ય કોઈ રાજ્ય સરકાર અથવા બંધારણીય સંસ્થાનું નિયમન હોતું નથી, જો કે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો સાથે સંકલન જાળવવું પડતું હોય છે.
બીસીસીઆઈ પર સરકારનું પ્રત્યક્ષ કે પ્રશાસનિક નિયંત્રણ હોતું નથી. આ એક સંપૂર્ણ સ્વતંત્ર, સ્વાયત અને ખેલજગતની એવી ખાનગી સંસ્થા છે, જેને સરકાર કોઈ ગ્રાન્ટ આપતી નથી, અને આ સંસ્થા આવક સ્વયં મેળવે છે, જો કે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ક્રિકેટ મેચો નિહાળવા આવતા પ્રેક્ષકો પાસેથી ટિકિટના દર વસૂલવા કરતા અનેેકગણી વધુ કમાણી મેચોના લાઈવ ટેલિકાસ્ટની છે. સ્પોન્સરશીપ વેચીને કરે છે, જે હવે અબજો રૂપિયા સુધી પહોંચી છે. આ સરકારી સંસ્થા હોવાથી તેને માહિતી અધિકારનો કાયદો લાગુ નથી થતો હોવાની ચર્ચા ઘણાં સમયથી થતી રહી છે, જો કે આ સંસ્થાએ પણ દેશના નિયમ-કાયદા તથા સરકારની વખતોવખતની સૂચનાઓ અન્ય સંસ્થાઓની જેમ જ બીસીસીઆઈએ પણ માનવી પડતી હોય છે. આ ખેલ સંસ્થા હવે વિશ્વની ધનાઢ્ય ખેલ સંસ્થાઓની હરોળમાં આવી ગઈ હોવાથી તેને આવકવેરાના કાયદા હેઠળ આવરી લેવા તથા દેશનું પ્રતિનિધિત્વ કરીને આંતરરાષ્ટ્રીય મેચો રમતી હોવાથી તેની કાનૂની અને કરવેરાની જવાબદારીઓ વધારવાની માંગ પણ વખતોવખત ઊઠતી રહે છે.
બીસીસીઆઈની સ્થાપનાને પણ ૯૮ વર્ષ થયા છે. વર્ષ ૧૯ર૮ માં રચાયેલી આ સંસ્થા આજે અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. બીસીસીઆઈની પ્રગતિયાત્રાની વાતો તો થતી જ રહે છે, પરંતુ તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા ટૂંક સમયમાં લેવાનારા એક નિર્ણયનો મુદ્દો ખેલજગત અને મીડિયા વર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની એક બેઠકમાં 'કૂલીંગ ઓફ પીરિયડ'નો કડક નિયમ લાગુ કરવાનો નિયમ લાગુ કરવા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ, તેવા અહેવાલો પછી નિવૃત્તિ જાહેર કરીને વિદેશી લીગ મેચોમાં તરત જ જોડાઈ જતા બીસીસીઆઈની વિવિધ ક્રિકેટ ટીમોના ક્રિકેટરો પર અંકુશ લાવવાનો મુદ્દો 'ટોફ ઓફ ધ સ્પોર્ટસ વર્લ્ડ' બન્યો છે.
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના એક ઓલરાઉન્ડર ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી અને તરત જ વિદેશી લીગ મેચમાં જોડાયા હોવાના અહેવાલો આવ્યા, તે પછી 'સંન્યાસી' ક્રિકેટરોનો કૂલીંગ ઓફ પીરિયડ હેઠળ આવરી લેવાની ચર્ચા તેજ બની છે.
અહીં સંન્યાસી એટલે સંસારમાંથી સંન્યાસ લેનાર નહીં, પરંતુ બીસીસીઆઈ હેઠળ રમતા ક્રિકેટરો જ્યારે ચોક્કસ મેચો (વન-ડે, ટેસ્ટ, ટી-ર૦ વગેરે) માંથી નિવૃત્તિ જાહેર કરે, ત્યારે તેને તેટલા પૂરતો સંન્યાસ લીધો કહેવાય, કેટલાક ક્રિકેટરો તમામ પ્રકારની સત્તાવાર રમાતી બીસીસીઆઈના નેજા હેઠળની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરે તેને સંપૂર્ણ સંન્યાસ લીધો એવું કહી શકાય. આ પ્રકારની નિવૃત્તિની જાહેરાત સચિન તેંદુલકર સહિતના ઘણાં દિગ્ગજોએ કરી છે, પરંતુ તે પછી તેઓ કોઈ વિદેશી લીગ મેચમાં જોડાયા નથી, જો કે કેટલાક ક્રિકેટરો વિદેશી લીગમાં તત્કાળ જોડાવા માટે જ બીસીસીઆઈ અંતર્ગત રમાતી ટુર્નામેન્ટોમાંથી નિવૃત્તિ જાહેર કરતા હોવાનું ધ્યાને આવ્યા પછી હવે બીસીસીઆઈ 'કૂલીંગ ઓફ પીરિયડ'નો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ નિયમ એવો હશે કે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેેર કરનાર કોઈપણ ક્રિકેટર નિવૃત્તિના પાંચ વર્ષ સુધી કોઈપણ વિદેશી લીગમાં રમી શકશે નહીં, અને જો નિયમભંગ કરે તો તેને ભારતીય ક્રિકેટના કોઈપણ ભાગ કે પ્રવૃત્તિમાં જોડાઈ શકશે નહીં.
હકીકતે અત્યારની બીસીસીઆઈની નીતિ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અંતર્ગત ડોમેસ્ટિક ક્રિકેટ, આઈપીએલ કે આંતરરાષ્ટ્રીય મેચો-રમતોમાં કોઈપણ ખેલાડી વિદેશી લીગમાં ભાગ લઈ શકતો નથી. જો એવું કર્યું હોય તો ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવો પડે. આ નીતિના કારણે જ કેટલાક ખેલાડીઓ પારિવારિક અને અન્ય અંગત કારણો અથવા ઉંમરના કારણે નહીં પણ વિદેશી લીગમાં રમવાના પ્રોફેશ્નલ હેતુથી જ નિવૃત્તિ જાહેર કરવા લાગ્યા હોવાનું જણાતા હવે બીસીસીઆઈ પાંચ વર્ષના કૂલીંગ ઓફ પીરિયડ લાગુ કરવા જઈ રહ્યું હોવાના સંકેતો મળ્યા પછી આ મુદ્દો ખેલજગત અને મીડિયા જગતમાં તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ આ જ કોન્સેપ્ટ અથવા ભૂમિકા હેઠળ રાજકીય ક્ષેત્ર પણ કેટલાક કડક નિયમો બનવા જોઈએ, તેવા સૂચનો થવા લાગ્યા છે.
વાસ્તવિક વયનિવૃત્તિ સુધીનો કૂલીંગ ઓફ પીરિયડ રાખવો જોઈએ. આવું થાય તો રાજકીય ક્ષેત્ર બંધારણીય માર્ગે થતી અયોગ્ય રાજકીય બદવૃત્તિ અટકાવી શકાશે.
આ ઉપરાંત વયનિવૃત્ત થયા પછી કેટલાક ન્યાયવિંદે (જજો) ને પણ ટૂંક સમયમાં જ કોઈ રાજકીય પક્ષ તરફથી કોઈ માનનીય પદવી કે રાજ્યસભાના સભ્ય થવાની તકો અપાતી હોય છે, તેથી જજો માટે વયનિવૃત્તિ પછી પાંચ વર્ષનો કૂલીંગ ઓફ પીરિયડ રાખવાની સિફારીશ પણ થઈ રહી છે.
આ ઉપરાંત ચૂંટણી કમિશનર, કેગ, કેન્દ્રિય એજન્સીઓના વડાઓ તથા અન્ય બંધારણીય સંસ્થાઓના ઉચ્ચ પદાધિકારીઓ માટે પણ નિવૃત્તિ પછી ચોક્કસ સમયનો એવો કૂલીંગ ઓફ પીરિયડ લાગુ કરવો જોઈએ, જેથી લાલચ કે પ્રેસર આપીને તેઓનો રાજકીય ગેરલાભ લેવાની સંભાવના જ ન રહે. વિવિધ ચર્ચાઓના તારણોમાંથી નીકળતા આ સૂચનો ગંભીરતાથી વિચારવા જેવા ખરા..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હાલાર સહિત ગુજરાતમાં ઠેર-ઠેર ડ્રગ્સ, ગાંજો અને વિદેશી દારૂ અવારનવાર પકડાતો હોવાથી ગુજરાત નશીલા દ્રવ્યોનું પ્રવેશદ્વાર બની રહ્યું હોવાની ટીકા થઈ રહી છે અને આ મુદ્દે વિપક્ષો ભાજપ સરકાર પર તડાપીટ બોલાવી રહ્યા છે... તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોટો જથ્થો પકડાય, ત્યારે તંત્રની પીઠ થાબડીને રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી તથા ડ્રગ્સ માફિયાઓને ઝેર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હોય છે. આ ઉપરાંત રાજ્યમાં આ સંદર્ભે ચાલતી ઝુંબેશોની વિગતો પણ જાહેર થતી હોય છે, તેમ છતાં દિવસે દિવસે નશીલા દ્રવ્યોની હેરાફેરી વધી રહી હોય તો સમગ્ર સિસ્ટમ અને નેટવર્કમાં આમૂલ પરિવર્તનની જરૂર પણ રહે છે, ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારે કેટલાક કદમ ઊઠાવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે.
આ મુદ્દે અત્રેથી 'નોબત'ના તંત્રલેખો તથા વિશેષ અહેવાલોના માધ્યમથી પણ વખતોવખત કેટલાક સૂચનો કરાયા છે અને આ અંગે વ્યક્ત થતા જન-પ્રતિભાવો પણ વર્ણવાયા છે. અખબારો-મીડિયામાં આ મુદ્દો ઘણી વખત ચર્ચાના ચાકડે પણ ચડ્યો છે.
ગઈકાલે વહેતા થયેલા અહેવાલો મુજબ રાજ્યના ગૃહ વિભાગે રાજ્યની સાડાપાંચસો કિલોમીટર લંબાઈ ધરાવતી બોર્ડર રેન્જનું નવેસરથી વર્ગિકરણ કર્યું છે, જેમાં નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ છે. આ વિભાજનના કારણે પાકિસ્તાન સાથેની ગુજરાતની સરહદ, દરિયાઈ સરહદ અને રાજસ્થાનને સંલગ્ન સરહદી ગુજરાતના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓનું સંકલન, પેટ્રોલીંગ અને મોનિટરીંગ વધુ મજબૂત અને ફૂલપ્રૂફ બનશે તેવો દાવો કરાયો છે.
ગુજરાતમાં લગભગ અઢીસો કિ.મી. લંબાઈની દરિયાઈ સરહદ છે, જ્યાંથી દાણચોરી, ઘૂસણખોરી અને આતંકવાદીઓના પ્રવેશની સંભાવના ઉપરાંત ગેરકાનૂની ચીજવસ્તુઓની હેરાફેરી તથા દુશ્મન દેશો દ્વારા જાસૂસી જેવી પ્રવૃત્તિઓની પ્રબળ શક્યતાઓ રહેતી હોય છે. ગુજરાત સાથે લગભગ ૪૦૦ કિ.મી.થી વધુ લંબાઈની પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ તથા રાજસ્થાનમાંથી થતી નશીલા દ્રવ્યોની હેરાફેરીના તમામ મુદ્દાઓને ધ્યાને લઈને રાજ્યના ગૃહવિભાગે નવી બનાસકાંઠા રેન્જ બનાવી હશે. આ રેન્જમાં કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, મોરબી જિલ્લાના સરહદી વિસ્તારોને સમાવાયા છે, જ્યારે રાજકોટે રેન્જમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લો તથા રાજકોટના ગ્રામ્ય વિસ્તારોને સમાવાયા હોવાનું કહેવાય છે. આ વર્ગિકરણ પછી પાકિસ્તાન સરહદેથી ડ્રગ્સની હેરાફેરી, ઘૂસણખોરી અને દાણચોરી જેવી પ્રવૃત્તિઓ ઉપરાંત સંભવિત આતંકી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે રાજ્ય-કેન્દ્રની તમામ સુરક્ષા એજન્સીઓ નજર રાખશે.
આ વિભાજન પછી રાજ્ય પોલીસના વિવિધ વિભાગો, બોર્ડર પોલીસ, મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, એ.ટી.એસ. વગેરે એજન્સીઓ તથા કસ્ટમ્સ, નાર્કોટિક્સ સહિતની સંલગ્ન કેન્દ્રિય એજન્સીઓ સંકલિત રીતે કામ કરશે, તેવો દાવો કરાયો છે.
બીજી તરફ ગુજરાતમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટએ પણ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ ગંગેશ ડેલ્ટા નામની ભારત-બાંગલાદેશની સરહદેથી મહત્તમ ઘૂસણખોરી કરીને સમગ્ર ભારતમાં ફેલાઈ ગયેલા બાંગલાદેશીઓની ગેરકાયદેસરતા પૂરવાર કરીને તેઓને દેશનિકાલ કરવાનું આ દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટને સફળ બનાવવા તમામ એજન્સીઓ દિવસ-રાત મહેનત કરી રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ માટે ગુજરાત સરકારે છેલ્લા ૬ મહિનાથી તૈયારી કરી હોવાનો દાવો પણ કરાયો છે.
થોડા મહિનાઓ પહેલા અમદાવાદના ચંડોળામાંથી ગેરકાયદે બાંગલાદેશીઓની વસાહતને હટાવીને ગેરકાયદે પ્રવૃત્તિ કરતા દબાણો દૂર કરાયા પછી હવે આ ઘૂસણખોરો કોઈ એક સ્થળે અને એક સાથે રહેવાના બદલે રાજ્યભરમાં છૂટાછવાયા ફેલાઈ ગયા છે, અને વિવિધ જિલ્લાઓમાં ભાડાના મકાનોમાં, લેબર કોલોનીઓમાં કે ઝુંપડપટ્ટીઓમાં રહેવા લાગ્યા હોવાના ઈનપુટ પછી રાજ્યભરમાં આ પ્રકારના શકમંદોની અટકાયતો કરીને તેઓની તપાસણી અને ચકાસણી કરાઈ રહી છે, અને જે શકમંદો અનધિકૃત વસાહતી ઘૂસણખોર પૂરવાર થઈ રહ્યા છે, તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરીને પરત મોકલી દેવાની કાર્યવાહી થઈ રહી છે. ઓપરેશન ડેલ્ટા હન્ટની તપાસનો રેલો હાલાર સુધી પહોંચ્યો છે અને ખંભાળિયા પછી સમગ્ર દરિયાઈ સરહદી વિસ્તારો સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ સઘન ઝુંબેશ ચાલી રહી હોવાના અહેવાલો પછી ફફડાટ વ્યાપ્યો હોવાના પણ અહેવાલો ચર્ચામાં છે.
રાજકોટ, ચોટીલા સહિતના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાંથી ગેરકાયદે રહેતા બાંગલાદેશી શકમંદો દબોચાયા હોવાના અહેવાલો છે અને કેટલાક ઘૂસણખોરોએ પોતાની ઓળખ ઊભી કરવા નકલી ઓળખપત્રો કે દસ્તાવેજો ઊભા કર્યા હોય અથવા પારિવારિક કે લગ્ન-સંબંધો બાંધીને તેની આડમાં ભારતીયતા મેળવાના અથવા છૂપાવાના પ્રયાસો થયા હોય, તો તે દિશામાં સુરક્ષા એજન્સીઓ સંકલનથી કામ કરી રહી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. હાલારમાંથી પણ ડઝનેક શંકાસ્પદ ગેરકાયદે બાંગલાદેશીઓની સઘન પૂછપરછ ચાલી રહી હોવાનું કહેવાય છે. આ અંગે અધિકૃત રીતે જ્યારે સંપૂર્ણ વિગતો જાહેર કરાશે ત્યારે ઘૂસણખોરી કરવાની તરકીબો, મોડસ-ઓપરેન્ડી અને સંખ્યા બહાર આવશે. એવું કહેવાય છે કે, ઘૂસણખોરોને મદદ કરનાર, આશરો આપનાર કે મકાન-મિલકત ભાડે આપનાર સામે પણ કાનુની પગલાં લેવાશે.
હમણાંથી આગ-અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને દિલ્હી-બિહારની કરૂણાંતિકાઓની સાથે ગુજરાતની તક્ષશીલા અને રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનના અગ્નિકાંડોની યાદ પણ તાજી થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારે એક વખત ફરીથી ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓની સઘન તપાસ કરવાની જરૂર છે. આ મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા જિલ્લા તંત્રો વચ્ચે સુદૃઢ સંકલનની જરૂર રહે છે, કારણ કે અત્યારે જે ખામીઓ રહી જાય છે, અને સંભવિત ભ્રષ્ટાચાર અને લાપરવાહી ઉપરાંત જવાબદારીઓની ફેંકાફેંકી થતી હોવાથી પણ આ પ્રકારની દુર્ઘટનાઓને સંપૂર્ણપણે અંકુશિત કરી શકાતી નથી. રાજ્યની બોર્ડર પરથી કેફી દ્રવ્યો જ નહીં, ગુનેગારો, ઘૂસણખોરો અને ડ્રગ્સ માફિયાઓ તથા તેના એજન્ટોને પણ દબોચવામાં આવે અને એજન્ટો તથા કેરિયરોને પકડી સંતોષ માનવાના બદલે તેના મૂળિયા સુધી પહોંચીને ડ્રગ માફિયાઓ તથા દેશની વિરૂદ્ધ કાવતરા કરતા પરિબળોની ધરી તોડવાની જરૂર છે, જેમાં ભ્રષ્ટ નેતાગણ, બ્યુરોક્રેટ્સ અને સ્થાનિક બૂટલેગરો સામેલ હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક સમય હતો, જ્યારે મમતા બેનર્જી પ. બંગાળમાં સર્વેસર્વા હતાં અને કેન્દ્રની મજબૂત સરકારોને પણ હંફાવતા હતાં. લગભગ દોઢ દાયકાના શાસન દરમિયાન તેણીએ કેન્દ્રમાં પહેલા યુપીએ સરકાર અને પછી એનડીએ સરકાર સામે કેટલાક મુદ્દે બાથ ભીડી હતી. કેન્દ્રિય એજન્સીઓને પ. બંગાળમાં જઈને કાર્યવાહી કરવમાં ધોળે દિવસે તારા દેખાતા હતાં, તો ગત કેટલીક ચૂંટણીઓ સમયે કેન્દ્રિય ગૃહમંત્રીને પણ હંફાવ્યા હતાં, અને કેટલાક મુદ્દે એનડીએના નેતાઓને પણ અદાલતનો આશરો લેવો પડી રહ્યો હતો.
એ જ મમતા બેનર્જી અત્યારે પોતાના જ પક્ષમાં એકલા-અટુલા પડી ગયા હોય, તેમ જણાય છે. પ. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી તૃણમુલ કોંગ્રેસમાં દબાયેલો તીવ્ર અસંતોષ સ્પ્રીંગની જેમ ઉછળ્યો અને વિધાનસભામાં ચૂંટાયેલા તૃણમુલ કોંગ્રેસના ૮૦ માંથી પ૯ ધારાસભ્યોએ મમતા બેનર્જીના બદલે ઋતબ્રત બેનર્જીને સમર્થન આપ્યું છે. પાર્ટી દ્વારા નક્કી થયા, તે નેતાના બદલે વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ અધ્યક્ષે પ૯ ધારાસભ્યોનું સમર્થન ધરાવતા ઋતબ્રત બનર્જીને ફાળવી દીધા પછી પ. બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની હાલત પણ મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરેની શિવસેના જેવી થઈ ગઈ છે. મીડિયા ડિબેટીંગમાં ઋતબ્રત બેનર્જીને એકનાથ શિંદે સાથે સરખાવાઈ રહ્યા છે અને આ બધો ખેલ પડદા પાછળથી ભારતીય જનતા પક્ષનો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો કેટલાક વિશ્લેષકો આ વિદ્રોહ માટે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને જવાબદાર ગણાવી રહ્યા છે.
એવું કહેવાય છે કે, ઋતબ્રત બેનર્જીને મમતા બેનર્જીએ પાર્ટીમાંથી કાઢી મૂક્યાની જાહેરાત કરી હોવા છતાં ઋતબ્રત બેનર્જી સહિતના ધારાસભ્યો હજુ પણ મમતા બેનર્જીને તો પોતાના નેતા માને છે, પરંતુ તેને અભિષેક સામે વાંધો છે. આ કારણે જ લગભગ ૬૦ બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભામાં જુદો ચોકો જમાવીને તૃણમુલ કોંગ્રેસનું વિધાનસભા પક્ષનું નેતૃત્વ જ મમતા બેનર્જી પાસેથી આંચકી લીધું છે. અટકળો તો ત્યાં સુધી થઈ રહી છે કે પક્ષાંતર વિરોધી કાયદા મુજબ બે-તૃતીયાંશથી વધુ ધારાસભ્યોનું સમર્થન મેળવીને ઋતબ્રત બેનર્જીએ આખેઆખી તૃણુમલ કોંગ્રેસ જ મમતા-અભિષેક પાસેથી આંચકી લીધી છે.
અત્યારે પાનખરમાં ખરી પડતા પીપળાના પાનની જેમ મમતા બેનર્જી પણ ખરી રહેલા પીપળાના પાનની હાંસી ઊડાવતી પીપળાની જ તાજી ફૂટલી કુંપણીઓ સમાન ઋતબ્રત બેનર્જી સહિતના બળવાખોરોને કહી રહ્યા હશે કે, 'મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...'
કર્ણાટકમાં કોંગ્રેસના મુખ્યમંત્રી બદલાયા અને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ પછી આખરે સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું અને તેના સ્થાને ડી.કે. શિવકુમાર કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા. ગઈકાલે નવા મંત્રીમંડળે શપથ લીધા. આ ઘટનાક્રમ પછી મનમાંને મનમાં કદાચ સિદ્ધારમૈયા પણ પીપળાના પાનની જેમ શિવકુમારને ઉદ્દેશીને કહી રહ્યા હશે કે, 'મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા'.
આ કાવ્યપંક્તિનો સારાંશ એવો છે પાનખરમાં ઘરડા થઈ ગયેલા પીપળાના સૂકાયેલા પાન ખરી પડે, ત્યારે એ જ વૃક્ષમાં નવી નવી ઉગેલી કુમળી કુંપણો ખરતા પાનની હાંસી ઊડાવતી હોય અને ખરતા પાન તે કુંપણીને કહેતા હોય કે આજે અમારા પર વિતી રહી છે, તેવી સ્થિતિ તમારી પણ આવશે. ધીરજ રાખજો...
કવિની આ કલપનામાંથી બોધપાઠ એવો નીકળે છે કે કોઈની નબળી સ્થિતિ કે કોઈપણ કારણે કોઈની દૂર્દશા ચાલી રહી હોય, ત્યારે તેની મજાક ઊડાવવી કે અપમાન કરવું યોગ્ય નથી, કારણ કે એવી જ સ્થિતિ આપણી પણ આવવાની શક્યતા હોય છે, અને એ જ કુદરતનો ક્રમ છે.
અત્યારે દેશના કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત લગભગ બે ડઝન રાજ્યોમાં ભાજપનું શાસન છે, અને તે રાજ્યોની સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની સંસ્થાઓમાં પણ ભાજપનું વર્ચસ્વ છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર છે. લોકસભામાં ભાજપને બહુમતી મળી નથી, પરંતુ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશકુમારની પાર્ટીઓ તથા કેટલાક અન્ય પક્ષોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સમર્થન છે. આ સંજોગો અત્યારે દેશના મહત્તમ રાજ્યોમાં ભાજપનો દબદબો દર્શાવે છે. બીજી તરફ પ. બંગાળમાં જે ઘટનાક્રમ સર્જાયો છે, તેમાંથી બોધપાઠ લઈને એનડીએના નેતાઓએ પણ મમતા બેનર્જી કે તૃણમુલ કોંગ્રસની મજાક ઊડાવવા કે વ્યંગ કરવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે કવિ કહે છે કે, પીપળ પાન ખરંતા... હસતી કુંપણીયા... મુજ બિતી તુ જ બિતશે... ધીરી કુંપણીયા...
જામનગર અને હાલારના કેટલાક હાંસિયામાં ધકેલાયેલા દિગ્ગજ નેતાઓ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો પણ વિચારતા હશે કે 'પીપળ પાન ખરતા-હસતી કુંપણીયા!'
બધાના દાયકા આવે છે અને જાય છે. એ જ પ. બંગાળમાં ડાબેરી પક્ષોએ ત્રણ દાયકાથી વધુ એકચક્રીય શાસન એ જ બંગાળી જનતાના જનાદેશથી ભોગવ્યું હતું, અને તે પછી તેવી જ મજબૂતીથી તૃણમુલ કોંગ્રેસે દોઢ દાયકા જેટલું શાસન ભોગવ્યું હતું. આ જ બંગાળી જનતાએ આ વખતે ભાજપને ચાન્સ આપ્યો છે, ત્યારે એ દિમાગમાં રાખવાની જરૂર છે કે એ જ બંગાળની જનતાને સંતોષ નહીં થાય તો ફરીથી પરિવર્તન લાવી શકે છે, અને ભાજપને પણ ઘેર બેસાડી શકે છે.
આખરે ભારતીય જનતા પક્ષનો સૂરજ મધ્યાન્હે છે, અને કેન્દ્રિય કક્ષાએ કદાચ એેક કિચન કેબિનેટ તથા સંગઠનમાં એક ત્રિપુટીનો દબદબો છે, ત્યારે એક-દોઢ દાયકા પહેલા જેનો દબદબો હતો, તેવા માર્ગદર્શક મંડળમાં મૂકાયેલા અડવાણી-મુરલીમનોહર જોષી જેવા એક સમયના ભાજપના સર્વેસર્વા હતાં, તેવા નેતાઓ પણ મનોમન કહેતા હશે કે, પીપળ પાન ખરંતા, હસતી કુંપણીયા... મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તો પૂનરાવર્તનનો પવન ફૂંકાયો અને મતદારોએ મહત્તમ જનાદેશ આપ્યો, તે પછી જામનગર મહાનગરપાલિકામાં નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, ત્યારે પૂર્વ મેયરો તથા ચેરમેનો પણ કહેતા હશે કે 'પીપળ પાન ખરંતા... હસતી કુંપણીયા... મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રશિયાએ કીવને ખેદાન-મેદાન કરી નાંખે તેવા હુમલા કર્યા તો ઈઝરાયલે લેબેનોન તથા હમાસ પર એટેક કર્યો, અને બીજી તરફ ઈરાને મીડલ ઈસ્ટમાં કૂવૈત, દુબઈ પર આક્રમણ શરૂ કર્યું હોવાના તથા અમેરિકાએ કેશ્મ ટાપુ પર વળતો હુમલો કર્યો હોવાના અહેવાલો જોતા નજીકના રાજ્યમાં યુદ્ધો અટકે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે મુક્ત થાય, તેવું લાગતું નથી, અને આ જ કારણે વિશ્વભરમાં ચિંતા વ્યાપી છે. ભારતમાં ઈંધણનો પૂરતો જથ્થો હોવાના થતા રહેલા દાવા છતાં જો આ બધા યુદ્ધો લંબાય તો ઘણી જ કપરી સ્થિતિ સર્જાય તેમ હોવાથી સરકાર અને પબ્લિકે સાથે મળીને ઈંધણના કરકસરપૂર્વકના ઉપયોગ તથા ઈ.વી. તથા પરંપરાગત ઊર્જાના સ્થાને સૌર ઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ, તેવી અપીલો થઈ રહી છે, તો બીજી તરફ વિરોધ પક્ષો પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિમાં સમતુલન જાળવવા અને મોંઘવારી અંકુશમાં રાખવામાં મોદી સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાની તડાપીટ બોલાવી રહી છે, કારણ કે ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવોમાં થઈ રહેલા વધારાના કારણે તમામ ચીજવસ્તુઓ મોંઘી થવા લાગતા પબ્લિક પરેશાન છે અને કચવાટ વ્યાપી રહ્યો છે.
આજે વિશ્વ સાયકલ દિવસ મનાવાઈ રહ્યો છે, અને સાયકલની પ્રગતિ યાત્રા વર્ણવાઈ રહી છે, તેની સાથે સાથે સાયકલના લોકલ પરિવહન માટે ઉપયોગ વધારીને પ્રવર્તમાન ઈંધણની ક્રાઈસીસની સ્થિતિમાં સહયોગી બનવાની સલાહ પણ અપાઈ રહી છે, તો બીજી તરફ હજુ પણ મોંઘવારી વધશે, તેવા મતલબના એક રિપોર્ટે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
રેટિંગ એજન્સી ક્રિસિલે ગઈકાલે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઉત્તરોત્તર વધારો થતા ભારતીય ઈકોનોમિ પર ફૂગાવાજન્ય પ્રેસર વધશે. આ કારણે આગામી થોડા મહિનાઓમાં પરિવહન, પ્રવાસન અને ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થશે, જેથી મોંઘવારી બેકાબૂ બનશે. આ રિપોર્ટમાં કરાયેલા દાવાઓ ચિંતા વધારનારા છે. આગામી અઠવાડિયામાં કદાચ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ત્રણ રૂપિયા જેટલો વધારો ઝીંકાય અને જો વૈશ્વિક ક્રૂડના ભાવોમાં સ્થિરતા રહેશે તો પણ છૂટક મોંઘવારી દરમાં ૦.૩૬ ટકાનો વધારો થઈ શકે છે, જે વધીને ૦.૪૮ ટકા સુધી પહોંચી શકે છે.
આપણાં દેશમાં હજુ પણ બળદગાડા, ઘોડાગાડી તથા ઉત્તરભારતમાં અન્ય પ્રાણીઓ જોડીને ચાલતા સાધનો દ્વારા દુર્ગમ વિસ્તારોમાં પરિવહન થાય છે, તો સાયકલ, ટ્રાઈસિકલ અને પેડલરિક્ષાઓ દ્વારા સ્થાનિક પરિવહન પણ હજુ થઈ રહ્યું છે, તેમ છતાં માલસામાનનું પરિવહન ૭૧ ટકા જેટલું સડક-પરિવહન કરતા વાહનો દ્વારા થાય છે, તો વિદેશી ઈંધણ પર નિર્ભર ૪ર ટકા પરિવહન ઉપરાંત હવાઈ અને દરિયાઈ પરિવહન માટે પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણની જરૂરિયાત અનિવાર્ય રહે છે, જે અર્થતંત્ર પર દબાણ ઊભું કરે છે.
આ રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, પરિવહન ખર્ચ વધવાથી લોકોની મૂળભૂત જરૂરિયાતો જ મોંઘીદાટ થઈ શકે છે. રસોડાની ચીજવસ્તુઓ, દૂધ અને તેની બાય-પ્રોડક્ટ્સ, ચા-કોફી, મસાલા, કઠોળ, ફળો અને શાકભાજી સહિત જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ મોંઘીદાટ બની શકે છે.
આ રિપોર્ટનેે ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ માત્ર રસોડાની જ નહીં, જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થશે, જેમાં ટેક્ષટાઈલ્સ, વુડન ઈન્ડસ્ટ્રીઝ, ઈલેક્ટ્રોનિક્સ સિમેન્ટ, કોલસો, ધાતુઓ, સિરામિક્સ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થતા અને રસાયણો, કોલ્ડ-સ્ટોરેજ તથા વીજ પુરવઠો મોંઘો થતા થોડા મહિનાઓ પછી મોંઘવારી હાહાકાર મચાવશે, તેવી દહેશત છે.
બીજી તરફ સરેરાશ મોંઘવારી દર માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નક્કી કરેલા માપદંડો હજુ જળવાઈ રહ્યા છે, અને એકંદરે મોંઘવારી દર રિઝર્વ બેંકના ચાર ટકાના માપદંડથી નીચે છે, પરંતુ થોડા મહિનાઓમાં મોંઘવારી આ માપદંડને ઓળંગી જશે, તેવી જે આશંકા વ્યક્ત થઈ રહી છે, જેને અવગણવા જેવી નથી.
એક અંદાજ મુજબ ચાર ટકાનો માપદંડ ઓળંગી ગયા પછી મોંઘવારી બે થી છ ટકાની વચ્ચે રહેશે. આરબીઆઈ મોંઘવારીમાં વધારો, સ્થાનિક અપેક્ષાઓ, ડિમાન્ડ એન્ડ સપ્લાઈ, અલનીનો, નબળા ચોમાસાની સંભાવના તથા હવામાનને સંલગ્ન બાબતો પર નજર રાખી રહી છે અને ઈકોનોમિ ક્રેશ ન થઈ જાય અને પબ્લિકને શક્ય તેટલી રાહત થાય, તેવા કદમ ઊઠાવી રહી છે, તેમ છતાં ચોતરફથી ઊભા થઈ રહેલા પડકારો તથા વૈશ્વિક કક્ષાએ અશાંતિ, યુદ્ધો અને કુદરતી આફતો તથા ઘરઆંગણે તે ઉપરાંત ચોમાસાની અનિયમિતતા, પ્રાકૃતિક આપદાઓ અને સરકારી નીતિઓમાં સંભવિત ફેરફારોના કારણે મોંઘવારી બેકાબૂ બની જશે, તેવી દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. આ તમામ કારણે ખાધ વધશે, જે અર્થતંત્રને ડામાડોળ કરી દેશે, તેવી આશંકા પણ રહે છે. તે ઉપરાંત સુપર અલનીનોની ભારતને થનારી સંભવિત ખતરનાક અસરોથી પણ મોંઘવારી વધી શકે છે.
આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા 'રેવડી' વહેંચવાની વૃત્તિ પણ દેશના અર્થતંત્ર પર નવું દબાણ ઊભું કરી શકે છે. તમિલનાડુમાં 'વિજય' સરકારે ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂરા કરવા જે નિર્ણયો લીધા છે, તેથી ત્યાંની પબ્લિકના કેટલાક વર્ગોને તો લાભ થશે, પરંતુ રાજ્યનું અર્થતંત્ર નબળું થતા તેનું પ્રેસર અંતે રાષ્ટ્રીય કક્ષા સુધી રહેશે, તેવી જ રીતે મહારાષ્ટ્ર સરકારે સહકારી ક્ષેત્રના રૂ।. બે લાખ સુધીના દેવા માફ કરવાના કરેલા નિર્ણય તથા પ. બંગાળમાં ભાજપ સરકારે કરેલા વાયદા પૂરા કરવા જે નિર્ણયો લેવાશે, તે પણ સંબંધિત રાજ્યોની ઈકોનોમિને અસર કરશે, જેનું અંતિમ પ્રેસર રાષ્ટ્રીય કક્ષાએ આવશે. આ તમામ કારણોસર આગામી સમયમાં મોંઘવારી માઝા મૂકશે, તેવી અટકળો થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારતના રાજકારણમાં કોઈએ ધાર્યો નહીં હોય તેવો બદલાવ જોવા મળી રહ્યો છે, અને તૃણમુલ કોંગ્રેસમાં ભાગંભાગ તથા શિસ્તભંગના પગલાં લેવાયા પછી હવે પ. બંગાળના એ જ તંત્રો હવે તૃણમુલ કોંગ્રેસના નેતૃત્વની સામે કાર્યવાહી કરી રહ્યા છે, જે તંત્રો દોઢ દાયકાથી મમતાદીદીનો પડ્યો બોલ ઝીલતા હતાં. એવું કહેવાય છે કે પક્ષાંતર વિરોધી કાનૂન લાગુ પાડી શકાય નહીં, તેવી રીતે 'નિયમાનુસાર' કેટલાક ધારાસભ્યો તથા સંસદસભ્યોના જુથો પ. બંગાળની વિધાનસભા તથા સંસદમાં પાટલી બદલવાની તૈયારીમાં છે, અને આમ આદમી પાર્ટી રાજ્યસભામાં તૂટી, તેેવી જ રીતે પ. બંગાળમાં પણ 'ખેલા હોને વાલા હૈ...'
કોંગ્રેસે કર્ણાટકનો કકળાટ માંડ માંડ નિપટાવ્યા પછી હવે અન્ય કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક કક્ષાએ ચાલી રહેલી આંતરિક ખેંચતાણ પર અંકુશ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પંજાબના પ્રાદેશિક નેતાઓને દિલ્હીનું તેડું આવ્યા પછી હવે કોંગ્રેસની હાઈકમાન્ડ અન્ય રાજ્યોમાં પણ સંગઠનને પુનઃ ચેતનવંતુ બનાવવાની વ્યૂહરચના ઘડી રહી હોય તેવું લાગે છે. કોંગ્રેસ માટે હવે પછીની ચૂંટણીઓમાં નોંધપાત્ર વિજય મેળવવો જ પડે તેમ છે, કારણ કે સતત ચૂંટણીઓ હાર્યા પછી કોંગ્રેસની સ્થિતિ ધીમે ધીમે પ્રાદેશિક કક્ષાના હારેલા પક્ષો કરતાયે બદતર બની રહી છે, તેથી હવે કોંગ્રેસે કોઈ એવી આક્રમક અને આયોજનબદ્ધ રણનીતિ ઘડી હોવાના સંકેતો મળી રહ્યા છે, જેમાં કોગીજનોમાં નવો જુસ્સો અને ઉત્સાહ વધારી શકાય.
દિલ્હી ગુમાવ્યા પછી હવે આમ આદમી પાર્ટી પણ સંઘર્ષ કરી રહી છે અને પંજાબમાં રાજ્યની સત્તા સંભાળવાની સાથે સાથે દેશવ્યાપી પ્રસાર-પ્રચાર અને વ્યાપ વધારવાના પ્રયાસો કરી રહી છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલાક સ્થળે નોંધપાત્ર સફળતા મળ્યા પછી હવે ગુજરાત વિધાનસભાની વર્ષ ર૦ર૭ ની ચૂંટણીની તૈયારી થઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીને તેનું વેરવિખેર સંગઠન નવેસરથી સમારવું પડે તેમ છે.
ભારતીય જનતા પક્ષના દક્ષિણ ભારતના એક દિગ્ગજ નેતા હવે પોતાની પાર્ટી અથવા નવું સંગઠન ઊભું કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાના અહેવાલો પછી વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપાને દ. ભારતમાં પહેલા કોળિયે માખી આવી હોય, તેવો ઘાટ સર્જાયો છે, તો બીજી તરફ સુપ્રિમ કોર્ટમાં થયેલી એક ટિપ્પણીના શબ્દોને પકડીને વિદેશમાં હાલમાં વસી રહેલા એક યુવાને ઓનલાઈન ઝુંબેશ ચલાવ્યા પછી સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી રચીને શરૂ કરેલું કેમ્પેઈન હવે પોતાને વિશ્વની સૌથ્ી મોટી પાર્ટી ભાજપને પડકાર ફેંકી રહ્યું છે, જેથી ભાજપ સામે પડકાર વધ્યો છે. એવું કહેવાય છે કે જૂનના પહેલા અઠવાડિયામાં જ વંદા પાર્ટીના અધ્યક્ષ અભિજિત ઈયકે ભારતમાં આવશે અને મોદી સરકાર સામે આંદોલનના મંડાણ કરશે. તેમણે દિલ્હીમાં એક વિશાળ આંદોલન કરીને બંધારણીય માર્ગે પેપરલીકના જવાબદાર કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરવાની તૈયારી બતાવીને સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સને આહ્વાન કર્યું હોય, તો તે એક નવો અને અનોખો પડકાર હશે.
ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે ટોપ ટુ બોટમ ખેંચતાણ અને ખટરાગ સામે આવી રહ્યો છે. ક્યાંક ભાજપના સાંસદ જ જિલ્લા કક્ષાના ભાજપના નેતાઓની પોલ ખોલી રહ્યા છે, તો ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અંતરઘાત થયો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બમ્પર વિજય પછી નવા પદાધિકારીઓની નિયુક્તિમાં વાર લાગી, અને તે પછી જે નિર્ણયો લેવાયા, તે પછી હવે એક તરફ નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ વર્ષોથી વફાદારીપૂર્વક એક્ટિવ રહેલા કેટલાક જુના અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ-નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેમ જણાય છે.
દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પક્ષમાં પણ હવે હાઈકમાન્ડ સર્વોપરિ છે, અને આંતરિક લોકતાંત્રિક વ્યવસ્થાઓની સિસ્ટમ હોવા છતાં (ઉપરના આદેશ મુજબ) પાર્ટીના પદાધિકારીઓની બિનહરિફ અથવા સર્વાનુમત્તે થતી વરણીઓ થઈ રહી છે. આ કારણે ધીમે ધીમે વધી રહેલો છૂપો આંતરિક અસંતોષ ક્યારેક સ્પ્રીંગની જેમ ઉછળશે અથવા અચાનક મોટો ધડાકો થશે, કે પછી અસંતોષનો જવાળામૂખી સંગઠનને છીન્ન-ભિન્ન કરી નાંખશે, તેવી માન્યતા ધરાવતા લોકો કહી રહ્યા છે કે, 'જસ્ટ વેઈટ એન્ડ વોચ...'
મોંઘવારી, બેરોજગારી, દાદાગીરી તથા એકતરફી રાજનૈતિક પ્રવાહોની વચ્ચે લોકશાહી રૂદન કરી રહી હોય અને પોલિટિકલ પાર્ટીઓ લોકતાંત્રિક વ્યવસ્થાઓના નામે ડ્રામેબાજી કરી રહી હોય, ત્યારે કોઈપણ નવો શક્તિશાળી વિકલ્પ ઉભરી આવે, તો લોકો તેના તરફ ખેંચાતા હોય છે. કોંગ્રેસના દાયકાઓના શાસન પછી લોકોએ છેલ્લા દસ-બાર વર્ષથી દેશમાં ભારતીય જનતા પક્ષનો ભરોસો કર્યો, પરંતુ દિલ્હીની જનતાએ તે સમયે જ આમ આદમી પાર્ટીનો ભરોસો કર્યો. આમ આદમી પાર્ટીના ઉદય પછી લોકોને પોતાની જ પાર્ટી હોય તેવો અહેસાસ થયો અને આજે યુવાવર્ગ જેવી રીતે કોકરોચ જનતા પાર્ટી તરફ આકર્ષાવા લાગ્યો છે, તેવી જ રીતે વર્ષ ર૦૧પ માં યુવાવર્ગ આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયો હતો. આમ આદમી પાર્ટીનો પંજાબમાં પણ વિજય થયા પછી જે કોઈ ખેલ રચાયા, એ આપણે જોયા જ છે. હવે આમ આદમી પાર્ટી માત્ર પંજાબમાં જ શાસન ધરાવે છે, અને કેટલાક સ્થળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા પછી નવો આશાવાદ જાગ્યો છે, પરંતુ હવે કોકરોચ જનતા પાર્ટીની ઓનલાઈન ઝુંબેશ હવે સૌથી વધુ આમ આદમી પાર્ટીને પ્રભાવિત કરશે, તેવું લાગે છે. આનું કારણ એ છે કે દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જ અન્ના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીમાં પ્રામાણિક, શુદ્ધ અને પારદર્શક રાજનીતિના સિદ્ધાંતો અપનાવીને જે લોકો પોતાની ઉજ્જવળ કારકિર્દી, પ્રતિષ્ઠિત પદો કે ઉચ્ચ પગારની નોકરીઓ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં, તેઓ હવે ધીમે ધીમે કોકરોચ જનતા પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા હોય તેવું લાગે છે. દસ-બાર વર્ષ પહેલા અનોખા તરવરાટ સાથે જે યુવાવર્ગ આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો, અને અત્યારે થોડો પરિપકવ અને ચાલીસીની ઉંમરે પહોંચ્યો છે, તેવો વર્ગ પણ હવે કદાચ નવા વિકલ્પ તરીકે કોકરોચ જનતા પાર્ટીને નિહાળી રહ્યો હોય તેવું બની શકે છે.
વિશ્લેષકો આ પ્રકારની તમામ અટકળો વચ્ચે જુદા જુદા તારણો કાઢી રહ્યા છે, પરંતુ નવા નવા વિકલ્પો જ્યારે નિષ્ફળ જશે, ત્યારે 'ઓલ્ડ ઈઝ ગોલ્ડ'ની જેમ દેશની જનતાને સાચા સોનાની પરખ થશે, તેવા દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે હવે ૬ઠ્ઠી જૂનની રાહ જોવી રહી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી કોમર્શિયલ એલ.પી.જી.ના ભાવમાં વધારો ઝીંકાયો છે. ફરીથી આ વધારો થતા હોટલ-રેસ્ટોરન્ટ-ભોજનાલયોથી લઈને હોસ્ટેલો-વિદ્યાર્થી ભવનોમાં રહેતા વિદ્યાર્થીઓ-નોકરિયાતો વગેરેના ખિસ્સા પર અસરો પડશે અને પેટ્રોલ-ડીઝલ-એલપીજી-સીએનજી સહિતના ઈંધણમાં સતત થઈ રહેલો ભાવ વધારો હવે સામાન્ય જનતા માટે અસહ્ય બની રહ્યો છે. તો બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે ઈંધણ અને ઊર્જાના મુદ્દે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે.
દેશમાં કોઈ મોટા વિકાસ પ્રોજેક્ટો આકાર લેતા હોય, ઓપરેશન સિંદૂર જેવા સેનાના પરાક્રમોના કારણે ભારતનો વિજય થતો હોય કે પ. બંગાળ જેવી અભૂતપૂર્વ જીત ભારતીય જનતા પક્ષે હાંસલ કરી હોય, કે પછી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો કેસરિયો લહેરાયો હોય, ત્યારે જેવી રીતે તેની ક્રેડિટ પ્રવર્તમાન વડાપ્રધાનને આપીને મીડિયા-સોશિયલ મીડિયામાં તેઓને નવાજવામાં આવતા હોય છે, તેવી જ રીતે આજે જ્યારે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને ઈંધણના ભાવો આસમાનેે જઈ રહ્યા છે, ત્યારે તેની સામાન્ય જનતાને પડતી વિપરીત અસરોના સંદર્ભે પણ અંતે તો પબ્લિક વડાપ્રધાન અથવા કેન્દ્ર સરકારને જ જવાબદાર ગણતી હોય છે, જેથી ધીમે ધીમે દેશમાં એન્ટી ઈન્કમ્બન્સી ઊભી થઈ રહી છે, અને તેને હવે અંડર એસ્ટીમેટ કરવા જેવી નથી.
એક તરફ માઝા મુકતી મોંઘવારી અને બીજી તરફ બેકારીના કારણે પણ કેટલુક યુવાધન ગુનાખોરીના માર્ગે વધુને વધુ ધકેલાઈ રહ્યું છે. એટલું જ નહીં, હવે જેન ઝી માં વધી રહેલો અસંતોષ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત થયેલી જનતાની નારાજગી ઉપરાંત હતાશા અને નિરાશામાં યુવાનોમાં આત્મહત્યાના વધી રહેલા બનાવો પણ માત્ર સરકાર જ નહીં, સમાજ માટે પણ લાલબત્તી સમાન છે.
ગુજરાતથી ડ્રગ્સની થતી હેરાફેરીનો મુદ્દો પણ હવે ધીમે ધીમે પડકારરૂપ બનતો જાય છે, અને તેની સાથે સાથે રાજ્યના યુવાધનમાં વધતી જતી શરાબ અને ડ્રગ્સની બદી પણ ચિંતાજનક બની છે. યુવાવર્ગને ડ્રગ્સના રવાડે ચડાવીને તેની પાસે ગેરકાનૂની ગોરખધંધા કરાવવાની મોડસ ઓપરેન્ડી તથા સંગઠીત અપરાધોમાં ઉચ્ચ કક્ષા સુધી (ટોપ ટુ બોટમ) સાઠગાંઠના કારણે શાંતિપ્રિય ગુજરાત ધીમે ધીમે પોતાની આગવી ઓળખ ગુમાવીને ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેમ જણાય છે.
ગુજરાત ગુનાખોરી તરફ ધકેલાઈ રહ્યું છે, તેમાં મોંઘવારી, બેરોજગારી, કાયદો-વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિ ઉપરાંત હવે પ્રવર્તમાન સંજોગોમાં ઈંધણ-ઊર્જાની કૃત્રિમ અછત, કાળાબજાર અને સતત ભાવવધારાના કારણે ઊભો થઈ રહેલો અસંતોષ પણ કાંઈક અંશે જવાબદાર છે. બીજી તરફ ખોબલે ખોબલે મતો આપીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા સૂકાન જે પાર્ટીઓને સોંપ્યું છે, તે ભારતીય જનતા પક્ષ અને એનડીએ પાસેથી લોકોની આકાંક્ષાઓ પણ વધી રહી છે. તેથી ગુજરાત અને કેન્દ્ર સરકારે આ મુળભુત મુદ્દાઓ તરફ વધુ લક્ષ્ય આપવું અત્યંત જરૂરી છે.
પ્રવર્તમાન સંજોગો વચ્ચે આ વર્ષે ચોમાસું નબળુ રહેશે અને અલનીનોની વિપરીત અસરોની સંભાવનાઓ સાથે કેટલોક આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે, પરંતુ અત્યારની ગરમી, બફારો અને કેટલાક સ્થળે થયેલા ચોમાસા પહેલાના (પ્રિ-મોન્સુન) વરસાદના કારણે આ વર્ષે ખેતી તથા પાક-પાણીની સ્થિતિ અંગે પણ દ્વિધા પ્રવર્તી રહી છે, તેથી આ સ્થિતિમાં પ્રજા સરકાર પાસેથી રાહત અને મદદની આશા રાખે તે સ્વાભાવિક છે, પરંતુ જો આ જ રીતે ભાવવધારો થતો રહ્યો, અને મોંઘવારી વધતી રહી, તો જનાક્રોશ જેન ઝી જેવા આંદોલનોમાં પરિણમે તેવી સંભાવનાઓ પણ ચર્ચામાં છે.
રાજકીય પક્ષો ભલે રાજનીતિ કરતા રહે, અને રાજ્યસભાની ચૂંટણીઓમાં પોતાના વાસ્તવિક સંખ્યાબળના કારણે મળતી બેઠકો ઉપરાંત વધુને વધુ બેઠકો મેળવવા ભલે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાતી રહે, પરંતુ જો જનતાને પરેશાન કરતી આ મૂળભૂત સમસ્યાઓ અને ચિંતાઓનું નિરાકરણ નહીં આવે તો એક કવિની પંક્તિઓ જેવી સ્થિતિ ઊભી થશે, જેમાં કહેવાયું છે કે જે દિવસે જનતાની જઠરાગ્નિ જાગશે, તે દિવસે ભસ્મકણી પણ... હાથ નહીં આવે...
આજે એલપીજીના કોમર્શિયલ બાટલામાં રૂ।. ૪ર સુધીનો વધારો થયો, અને નાના બાટલામાં પણ ભાવવધારો કરાયો તેથી નાના-ગરીબ-મધ્યમ વર્ગને હાલાકી ભોગવવી પડી રહી છે. ભલે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ વધારો કરાયો ન હોય, પરંતુ કોમર્શિયલ ગેસનો ભાવવધારો અંતે તો સામાન્ય જનતાને જ ખમવો પડતો હોય છે, તેથી હવે રાજ્ય-કેન્દ્ર સરકારે જનતાને વાસ્તવિક રાહત પહોંચાડવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસું થોડું નબળું રહેશે, પણ દુષ્કાળ નહીં પડે, તે પ્રકારની મિશ્ર આગાહી કરી હોવાથી તેની અસરો કૃષિ આધારિત માર્કેટ પર પડવાની છે, તો બીજી તરફ ઈરાન-અમેરિકા અને રશિયા-યુક્રેેન યુદ્ધ પછી ઈઝરાયલ દ્વારા લેબેનોન તથા હવે ગાઝાપટ્ટીમાં હમાસ પર હુમલાના તાજેતરના પ્રયાસો પછી વધી રહેલી વૈશ્વિક અશાંતિની સીધી અસરો ગ્લોબલ માર્કેટ અને ઈકોનોમી પર પડી રહી છે.
અલનીનોની અસરના કારણે આ વર્ષે ભારતમાં ૯૦ ટકા (પ્લસ-માયનસ ૪ ટકા) વરસાદ થશે, તેવું અનુમાન કરાયું છે, જ્યારે ગત્ ચોમાસામાં એકંદરે ૧૦૮ ટકા જેટલો વરસાદ પડ્યો હતો. આ વખતે ઉનાળો ઘણો જ ગરમ છે અન તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે તથા ઘણાં જળાશયો અત્યારથી જ ખાલી થવા લાગ્યા હોવાથી આવતા વર્ષે (આ ચોમાસા પછી) તદ્ન ખાલીખમ જળાશયોમાં ઓછા વરસાદના કારણે જળસંગ્રહ પણ ઘટી જશે, તથા ભૂગર્ભ જળસપાટી પણ નીચી જશે, તેથી આગામી વર્ષો કપરા પૂરવાર થશે. આ કુદરતી સ્થિતિની વિકટતા ઉપરાંત પ્રવર્તમાન વૈશ્વિક અશાંતિના પરિણામે અર્થતંત્ર, વ્યાપાર, ઉદ્યોગ અને રોજગારીની દૃષ્ટિએ પણ આગામી વર્ષો પડકારજનક રહેશે. બેકાબૂ મોંઘવારી અને નબળા વર્ષના કારણે દેશની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ શકે છે. નબળા ચોમાસાના કારણે મોંઘવારીનો દર ચાલુ ક્વાર્ટર પછી સાડાપાંચ ટકાને ઓળંગી જશે, તેવા અનુમાનોએ પણ ચિંતા વધારી દીધી છે.
કેન્દ્રિય સરકારી વિભાગો આવી રહેલી વિકટ સ્થિતિ અંગે અત્યારથી જ સંકલન કરીને માસ્ટર પ્લાન ઘડી કાઢે તે ઈચ્છનિય રહેશે. કેન્દ્રના ખેતીવાડી ખાતાએ આ પ્રકારની તૈયારીમાં રહેવાની સૂચના રાજ્ય સરકારો તથા કેન્દ્રના તાબાની ખેતી-સિંચાઈ-બાગાયત-વનવિભાગ વગેરેને આપી દીધી હોવાના અહેવાલો પછી હવે રાજ્ય સરકારોના વિવિધ વિભાગોએ પણ આવી રહેલી સંકટની સ્થિતિ માટે અત્યારથી જ મેગા માસ્ટર પ્લાન ઘડવો પડશે. માત્ર મિટિંગોથી નહીં ચાલે, ટોપ ટુ બોટમ કામ કરવું પડશે.
આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે વૈશ્વિક તથા ઘરેલુ કારણોસર ભારતનું ફોરેક્સ રિઝર્વ એટલે કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર ઘટી રહ્યો હોવાના અહેવાલોએ ચિંતા વધુ વધારી દીધી છે. ફેબ્રુઆરી-ર૦૦૬ માં ભારતનો વિદેશ મુદ્રા ભંડારે ૭ર૮ અબજ ડોલરનો વિક્રમ સર્જ્યો, ત્યારે તેનો ઢોલ વગાડીને પ્રચાર કરાયો હતો, પરંતુ અત્યારે આ વિદેશી ભંડાર ૬૮ર અબજ ડોલરની આજુબાજુ છે, જેનો અર્થ એ થયો કે ભારતનું ફોરેક્સ રિઝર્વ ૭.પ૧ અબજ ડોલર ઘટી ગયું છે, અને ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
હકીકતે ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ પછી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડના ભાવમાં વધારા સાથે પ્રારંભમાં (ચૂંટણીલક્ષી?) અંકુશ રખાયા પછી ભારતમાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં થયેલા ભાવવધારાના કારણે મોંઘવારી ઝડપથી વધવા લાગી છે અને સરકારી આંકડા મુજબ મોંઘવારીની 'ઊંચાઈ' અંકુશમાં હોવા છતાં તેની 'જાડાઈ' વધી રહી હોવાનો થઈ રહેલો વ્યંગ યથાર્થ છે. આ પરિબળોની અસર સીધી અર્થતંત્ર પર પડતી હોય છે. ભારતમાં પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે ડોલર સામે રૂપિયો નબળો પડ્યા પછી ક્રેશ ન થઈ જાય, તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માર્કેટમાં હસ્તક્ષેપ કર્યો અને મુદ્રાભંડારમાંથી ડોલર્સ વેંચવા પડ્યા હોવાના કારણે ફોરેક્સ રિઝર્વ અથવા વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો આવ્યો હોવાના આર્થિક ક્ષેત્રના તજજ્ઞોએ તારણો કાઢ્યા છે.
નોંધપાત્ર બાબત એ પણ છે કે વિદેશી મુદ્રા ભંડારનો મહત્તમ હિસ્સો વિદેશી ચલણ હોય છે, જેમાં ત્રણ અબજ ડોલરનો ઘટાડો તજજ્ઞોના તારણોને સમર્થન આપે છે. તે ઉપરાંત સોનાના ભંડારમાં થયેલા ૪પ અબજ ડોલરના ઘટાડા પાછળ પણ વૈશ્વિક તંગદિલી, અનિશ્ચિતતાઓ અને ડામાડોળ સ્થિતિ કારણભૂત હોય તેમ જણાય છે. છેલ્લા એકાદ મહિનાથી ડોલર સામે રૂપિયો સતત તૂટતો રહ્યો અને ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યા પછી આરબીઆઈએ લીધેલા શ્રેણીબદ્ધ પગલાં તથા માર્કેટમાં હસ્તક્ષેપ પછી રૂપિયાનું મૂલ્ય અમેરિકી ડોલર સામે સુધરીને જળવાઈ રહ્યું છે.
ગ્લોબલ વોર્નીંગ, ક્લાઈમેટ ચેઈન્જ અને કુદરતી આફતોની માઠી અસર પણ પડી રહી હોવાથી વિશ્વભરના અર્થતંત્રો હાલક ડોલક થઈ રહ્યા છે. આપણાં દેશમાં પણ એક તરફ રેકોર્ડબ્રેક ગરમી અને બીજી તરફ યુ.પી.-બિહાર-બંગાળમાં જીવલેણ આંધી-વરસાદ અને પૂરની પરિસ્થિતિ પણ દેશના અર્થતંત્રને ડામાડોળ બનાવી રહી છે, તેમાં સરકારની અણઘડ નીતિઓ તથા નિષ્ફળતાઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી હોવાનો અભિપ્રાય પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
જો કે, રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં ઈન્ડિયન ઓસિયન ડીપોલના કારણે ભારત પર અલનીનોની ખતરનાક અસરો ઓછી થશે અને પ્રતિકૂળ સ્થિતિમાં થોડી રાહત મળતા સંતોષકારક વરસાદ થવાથી ખેતઉત્પાદન જળવાઈ રહેશે, તેવો આશાવાદ પણ વ્યક્ત કરાયો છે. ફેબ્રુઆરી-ર૦ર૬ માં મિડલ ઈસ્ટના યુદ્ધ પછી અમેરિકન ડોલર સામે રૂપિયો ૬ ટકા જેટલો ઘસાયો હોવાથી આરબીઆઈ સતર્ક છે અને શ્રેણીબદ્ધ કદમ ઊઠાવાઈ રહ્યા હોવાનો દાવો પણ કરાયો છે.
એક અંદાજ એવો પણ છે કે જો ચોમાસું ઠીકઠાક રહેશે અને ઈરાન-અમેરિકા યુદ્ધ થંભી જશે, તો ભારતીય અર્થતંત્ર ફરીથી દોડતું થઈ જશે, પરંતુ 'ઈફ એન્ડ બટ'ની અનિશ્ચિતતાઓ તથા ચોમાસા અંગે થઈ રહેલી આગાહીઓમાં સરકારની નીતિઓ સામે ઊઠી રહેલા સવાલોના કારણે સ્થિતિ ચિંતાજનક જ ગણાય.
ગ્લોબલ કંપની જેફ્રીઝના એક રિપોર્ટ મુજબ ગયા માર્ચ મહિનાથી (માર્ચ ર૦રપ થી) છૂટક રોકાણકારો (રિટેઈલ ઈન્વેસ્ટર્સ) દ્વારા સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં થઈ રહેલા જંગી રોકાણની અસરો પણ રૂપિયાના ધોવાણ માટે જવાબદાર છે. તે ઉપરાંત વિદેશી રોકાણકારોએ પાછા ખેંચેલા રોકાણો પણ આ માટે કારણભૂત ગણાય છે. આ જ રિપોર્ટમાં ભારત માટે કેટલાક આશાવાદી સંકેતો પણ અપાયા છે.
હાલમાં અંતિમ સપ્તાહના અંતે ગોલ્ડ રિઝર્વ પણ ૪.પ૩ અબજ ડોલર ઘટી ગયું હોય, અને ફોરેક્સ રિઝર્વમાં સાડાસાત અબજથી વધુના ઘટાડાની અસર જોતા એવું લાગે છે કે, અત્યારે સતર્ક રહીને 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવવી એ શાણપણભર્યું વલણ ગણાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પેપરલીકના મુદ્દે પ્રારંભિક ઈનકાર પછી સત્ય હકીકત સ્વીકારવી પડી અને પરીક્ષા રદ્ કરીને પુનઃ પરીક્ષા લેવા ઉપરાંત આ મુદ્દે ઉચ્ચ કક્ષાની તપાસ શરૂ કરવી પડી અને અદાલતની ફટકાર સાંભળવી પડી, તે પછી હવે સીબીએસઈ પરીક્ષામાં ગરબડ થઈ હોવાના મદ્દે ઘમાસાણ મચ્યું છે. કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અંતે સ્વીકારવું પડ્યું છે કે સીબીએસઈ પરીક્ષાના પરિણામોમાં ગરબડ થઈ છે, જેની તેઓ જવાબદારી સ્વીકારે છે. સીબીએસઈ ઓન સ્ક્રીન માર્કીંગ સહિતના મુદ્દે સરકાર તરફથી પ્રધાને ખાતરી આપી છે કે એક પણ વિદ્યાર્થીની ફરિયાદ વણઉકેલાયેલી નહીં રહે અને તમામ સ્તરે જવાબદારી નક્કી કરાશે. સીબીએસઈ બોર્ડે ધોરણ ૧ર ની પરીક્ષા માટે પુનઃ મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, અને કોઈપણ વિદ્યાર્થીને અન્યાય ન થાય, તેવા પગલાં લેવાઈ રહ્યા છે. પ્રધાને દાવો કર્યો કે ઓએસએમ ટેકનોલોજીની દેખરેખ માટે આઈઆઈટી-કાનપુર અને મદ્રાસ જેવી સંસ્થાઓને જવાબદારી સોંપીને સિસ્ટમને સંપૂર્ણ ફૂલપ્રૂફ બનાવાઈ રહી છે વગેરે...
ધર્મેન્દ્ર પ્રધાનના આ દાવાઓને અને સ્વીકૃતિ પછી તેના પર તડાપીટ બોલી રહી છે, અને પ્રારંભ ઢીલાઢોળ કરવા પાછળનું રહસ્ય શું હતું? તેવા સવાલો સાથે વિપક્ષો શિક્ષણમંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે અને આ મુદ્દે સ્વયં વડાપ્રધાન હસ્તક્ષેપ કરે, તેવી માંગણી ઊઠી રહી છે, ત્યારે હવે સરકારે દેશની 'ટોપ ટુ બોટમ' પરીક્ષા પદ્ધતિઓ તથા પેપર પ્રક્રિયાઓમાં ધરમૂળથી સુધારા-વધારા પાદર્શક રીતે કરવા જોઈએ, અન્યથા લોકોનો સમગ્ર સિસ્ટમ અને સરકારમાંથી વિશ્વાસ સંપૂર્ણપણે ઊઠી જશે અને હતાશ થયેલો યુવાવર્ગ વધુ નારાજ થશે તો જેન ઝી જેવા આંદોલનોની શક્યતા નકારી શકાતી નથી, તેવી ચેતવણી પણ અપાઈ રહી છે. બીજી તરફ સરકારે આ તમામ મુદ્દે જરૂરી તમામ કદમ ઊઠાવ્યા છે અને તમામ પ્રકારના સુધારા-વધારા કરવા સરકાર તૈયાર છે, તેવો બચાવ પણ કરવામાં આવી રહ્યો છે.
આ મુદ્દે કોંગી નેતા અને એલઓપી રાહુલ ગાંધીએ ટીકા-ટિપ્પણી કરી તો શિક્ષણમંત્રીએ પોલિટિકલ જવાબ આપ્યો કે રાહુલ ગાંધી સતત ચૂંટણીઓ હારવાથી હતાશ થઈને આ પ્રકારના નિરર્થક નિવેદનો કરી રહ્યા છે, અને આપણાં દેશની સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિનો વિરોધ કરતા રહ્યા છે. તેઓ ક્યારેક ઈવીએમનો વિરોધ કરે છે, ક્યારેક ડિજિટલ ઈન્ડિયાનો વિરોધ કરે છે તો ક્યારેક અન્ય ટેકનોલોજી સામે વાંધા-વચકા ઊભા કરે છે. આ મુદ્દે તેઓએ રાજકારણ કરવાના બદલે વિદ્યાર્થીઓનો માનસિક તનાવ ન વધે, તે માટે ખોટા નિવેદનો ન કરવા જોઈએ.
રાહુલ ગાંધીએ રણકાર કર્યો કે શિક્ષણ મંત્રી આ પ્રકારના પ્રહારો કરીને વિપક્ષને ૧૮.પ લાખ વિદ્યાર્થીઓનો અવાજ દબાવી નહીં શકે. રાહુલ ગાંધીએ એવો સણસણતો સવાલ પણ ઊઠાવ્યો, જેનો યોગ્ય જવાબ સરકાર આપી શકી નથી.
રાહુલ ગાંધીએ પૂછ્યું કે ભૂતકાળમાં બીજા નામથી સક્રિય હતી અને વિવાદોમાં સપડાઈ હતી તે કોએમ્પ્ટ કંપનીને જ આ કામનો કોન્ટ્રાક્ટ આપવા પાછળનું રહસ્ય શું છે? સરકારે આ કંપનીની હિસ્ટ્રી તપાસ્યા વિના જ કોન્ટ્રાક્ટ આપી દીધો હોય તો તે ગંભીર બેદરકારી ગણાય અને જાણીજોઈને આ કોન્ટ્રાક્ટ અપાયો હોય તો તેમાં શિક્ષણ વિભાગના મોટામાથાની સાઠગાંઠ હોવી જોઈએ. વડાપ્રધાને આ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ, તેવા સૂરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જો લાખો પરીક્ષાર્થીઓના ભવિષ્ય અંગે વડાપ્રધાન ચિંતિત હોત તો તેઓએ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રીપદેથી તગેડી મૂક્યા હોત. રાહુલ ગાંધીનું આ નિવેદન ઘણું જ સૂચક છે, અને ચર્ચામાં છે.
રાહુલ ગાંધી અને ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચેના જુબાની જંગ પછી દેશભરમાં વિદ્યાર્થીઓ-વાલીઓમાં એવો સવાલ ઊઠી રહ્યો છે કે વિપક્ષો દ્વારા આક્ષેપો થયા અને સરકારે ભૂલ સ્વીકારી લીધી, પણ હવે શું? હવે દેશની પરીક્ષા પદ્ધતિઓ ખરેખર ફૂલપ્રૂફ રહેશે? હવે કોઈપણ પેપરલીક નહીં થાય? અત્યાર સુધીના પેપરલીક અને પરીક્ષા કૌભાંડો-પરિણામ કૌભાંડોના અસલ દોષિતોને કડકમાં કડક કાનૂની રાહે સજા કરીને દેશભરમાં ફેલાયેલા પેપરલીક અને પરીક્ષા કૌભાંડના માફિયાઓનું નેટવર્ક જડમૂળથી ખતમ થશે કે પછી નાની માછલીઓને પકડીને મગરમચ્છોને 'સેઈફ પેકેજ' (છટકબારીઓ) આપીને છાવરવાના કારસા યથાવત્ રહેશે? આ ક્ષેત્રે એક્ટિવ માફિયાઓના મૂળ ક્યાંક સરકાર કે તંત્રના મોટા માથાઓ કે પોલિટિકલ ગોડફાધરો સુધી ફેલાયેલા તો નથી ને? તેવા સવાલો ઊઠી રહ્યા છે અને હવે આ મુદ્દે યુવાવર્ગમાં ધગધગતો આક્રોશ અને વ્યાપક નારાજગી વોર્નિંગ બેલ જેવી જણાય છે.
સીબીએસઈની ઓએસએમ સિસ્ટમ અંગે પણ લોકોમાં ચર્ચા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને તો આ પ્રક્રિયાની ખબર હશે, પરંતુ સામાન્ય જનતામાં એવું કુતૂહલ પણ છે કે આ ઓએસએમ હકીકતે છે શું?
હકીકતે સીબીએસઈ બોર્ડે પેપર ચકાસવાની પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવાના હેતુથી ઓન સ્ક્રીનીંગ માર્કીંગ (ઓએસએમ) મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મૂકી હતી, જેમાં બોર્ડની ધોરણ ૧ર ની પરીક્ષાના પેપરોની ઉત્તરવહીઓની હાર્ડકોપી ચકાસવાના બદલે તેની ડિજિટલ સ્કેન કરેલી તપાસીને માર્કસ પણ ઓનલાઈન મૂકે છે, જેથી આખી પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ રહે, અને પ્રક્રિયા ઝડપી બને. આ પદ્ધતિ નિષ્ફળ ગઈ અને ૧૧ લાખ જેટલા વિદ્યાર્થીઓએ નિયત ફી ભરીને પુનઃ મૂલ્યાંકન કરાવવાની અરજી કરી. ઓનલાઈન સ્ક્રીનીંગ દરમિયાન પરીક્ષાર્થીઓની અધુરી કે અસ્પષ્ટ સ્કેનીંગ કરેલી ઉત્તરવહીઓ તપાસવી, કેટલાક જવાબો ચકાસ્યા કે માર્કીંગ આપ્યા વિના જ છોડી દેવા, સરવાળામાં ભૂલો અને ઓનલાઈન પોર્ટલ ક્રેશ થવાના કારણે પરીક્ષાર્થીઓ તેનો ભોગ બન્યા હોવાની રાવ ઊઠી. સરકારે આ પ્રકારની ભૂલો થઈ હોવાનું તો સ્વીકાર્યું, પરંતુ આ કૌભાંડ હતું કે બેદરકારી? તેની ઊંડી તપાસ કરીને દોષિતોને કડક સજા તો થવી જ જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓએ સરકારી વાહનોનો અંગત ઉપયોગ નહીં કરવા અને અત્યંત જરૂર હોય, ત્યારે જ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો અને 'અન્ય' લોકોને પણ સરકારી વાહનોનો 'લિમિટેડ' ઉપયોગ કરવાની અપીલ કરી હોય તો તે આવકારદાયક છે, અને આ અભિગમ હાલમાં ચાલી રહેલી ઈંધણની ક્રાઈસીસ માટે જ નહીં, પરંતુ કાયમી ધોરણ (અમદાવાદના મેયરની જેમ જાહેરાત કરીને) તમામ પદાધિકારીઓ-અધિકારીઓ અપનાવે, તો તે ઉત્તમ દૃષ્ટાંત ગણાશે. જામનગરના પદાધિકારીઓની જેમ અન્ય પાલિકા-મહાપાલિકા-પંચાયતોના પદાધિકારીઓએ પણ આ જ પ્રકારનો અભિગમ જાહેર કરવો જોઈએ અને અમલમાં મૂકવો જોઈએ.
અમદાવાદના મેયરની જેમ પર્સનલ ઉપયોગ માટે પણ ઈલેક્ટ્રીક વ્હીકલ (ઈ.યુ.) નો ઉપયોગ કરવાની જાહેરાત પણ પદાધિકારીઓ અને અધિકારીઓ કરે તે જરૂરી છે. અહીંથી ગઈકાલે જ અમદાવાદના મેયરનું દૃષ્ટાંત આપીને નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા નવા વરાયેલા પદાધિકારીઓને સરકારી વાહનો તથા સુખ-સુવિધાઓનો ન્યુનત્તમ ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો હતો. હવે આ દિશામાં નવા પદાધિકારીઓની સાથે સાથે અધિકારીઓ પણ આ અભિગમમાં જોડાઈને સાંપ્રત સમયના ઈંધણની સંભવિત અને પ્રવર્તમાન સંકટને હળવું કરવાના રાષ્ટ્રીય પ્રયાસોમાં સામેલ થાય, તો સોનામાં સુગંધ ભળે તેવું છે. જો ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ અંગત રીતે પણ વધારાશે, તો બાકીનો સ્ટાફ પણ તેને અનુસરશે. લોકલ પરિવહનમાં પણ ઈ.યુ.નો ઉપયોગ વધે અને ઈલેક્ટ્રીક ઓટોરિક્ષાનો મહત્તમ ઉપયોગ કરવાના શક્ય તેટલા પ્રયાસો નગરજનો પણ કરેે, તો તે બહુહેતુક અને સમયોચિત યોગ્ય કદમ ગણાશે.
'નોબત'ના તા. ર૬ મી મે ના તંત્રીલેખમાં જામનગર સહિત રાજ્યના મહાનગરોમાં ઈલેક્ટ્રીક સિટીબસો વધુમાં વધુ દોડાવીને પ્રવર્તમાન સંજોગોમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ, શ્રમજીવીઓ, કામદારો વગેરે માટે નિઃશુલ્ક સ્થાનિક મુસાફરીનો પ્રયોગ કરવાનું સૂચન કરવામા આવ્યું હતું, અને જે-તે સમયે તેની નગરચર્ચા પણ થતી સંભળાઈ હતી, પરંતુ તે સમયે મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ નિમાયા નહોતા, પરંતુ હવે નવા મેયર અને અન્ય પદાધિકારીઓ તથા સ્ટેન્ડીંગ કમિટીની બોડી નિમાઈ ગઈ છે, તેથી હવે નગરમાં પ્રવર્તમાન સંજોગોમાં નિઃશુલ્ક અને/અથવા ટોકન દરે સિટીબસો (ઈલેક્ટ્રીક) દોડાવવાનો નિર્ણય લઈ શકાય છે. જો આવું થશે, તો પેટ્રોલ-ડીઝલના વાહનોમાં પ્રવાસ કરતા સ્થાનિકોને તો સિટીબસો તરફ વાળી જ શકાશે, પરંતુ સિટીબસોમાં સુખી-સંપન્ન લોકો પણ પ્રવાસ કરીને દૃષ્ટાંત બેસાડશે તો ઈંધણની ઘણી જ બચત થઈ શકશે. બસ, જરૂર છે... ઈલેક્ટ્રીક બસોની તત્કાળ ફાળવણીની...
પ્રવર્તમાન શાસન પ્રણાલિની આગવી પબ્લિસિટી સિસ્ટમ મુજબ ધૂમ-ધડાકે પ્રચાર તો કરાયો છે કે કેન્દ્રિય યોજના હેઠળ જામનગરમાં ઈલેક્ટ્રીક સિટી બસો દોડશે, અને તે માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા બસમથક વગેરે પણ તૈયાર થઈ રહ્યા છે. હવે, આ બસોનો ઉપયોગ પ્રવર્તમાન સંકટના સમયે આયોજનબદ્ધ રીતે કરવામાં આવે તે જરૂરી છે.
શાસન-પ્રશાસન દ્વારા એવી પોલિસી નક્કી કરવામાં આવે કે હવે પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ-નિગમો તથા સરકારી-અર્ધસરકારી વિભાગો અને જાહેર સાહસો માટે વાહનોની ખરીદી કરવામાં આવે, ત્યાર તેમાં મહત્તમ વાહનો માત્ર ઈલેક્ટ્રીક વાહનો જ હોય, તે ઉપરાંત પ્રાકૃતિક સોલાર પોલિસીની યોજનાઓની જેમ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટેેે માતબર સબસિડી જાહેર કરવામાં આવે તો તે પણ ઈંધણનો ઉપયોગ ઘટાડીને પ્રવર્તમાન સંકટનો સામનો કરવા માટે જ નહીં, પરંતુ કાયમી ધોરણે પર્યાવરણ, આર્થિક અને હેલ્થની દૃષ્ટિએ પણ ફળદાયી સિદ્ધ થશે.
જામનગરમાં અત્યારે લોકલ પરિવહન મહત્તમ ઓટોરિક્ષા તથા પેસેન્જર રિક્ષાછકડામાં થાય છે, ત્યારે સીએનજીના ભાવો વધી રહ્યા છે, તથા ઈંધણની તંગી છે, ત્યારે ડીઝલ તથા સીએનજી સંચાલિત રિક્ષાઓના સ્થાને ઈલેક્ટ્રીક રિક્ષાનું ચલણ વધે તે માટે વહીવટીતંત્રએ પણ પ્રયાસો કરવા જોઈએ. જો તંત્રના જ કોઈ અધિકારીઓ કે શાસકોના સગા-સંબંધી રિક્ષાઓ ભાડે આપવાના વ્યવસાયમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય તો તેઓ પણ હવે પછી ઈલેક્ટ્રીક રિક્ષાઓ જ વસાવે, તેવી ઝુંબેશ ચલાવી શકાય. તે ઉપરાંત રિક્ષા માટે લોન આપતી બેંકો તથા ઈલેક્ટ્રીક રિક્ષાના જથ્થાબંધ ડીલરો સાથે સંકલન કરીને ઈલેક્ટ્રીક રિક્ષાઓની સંખ્યા વધારી શકાય. આમ, સૌ સાથે મળીને સહિયારા પ્રયાસો કરે તો પેટ્રોલ-ડીઝલના વિકલ્પો અપનાવીને સંકટનો સામનો કરવા ઉપરાંત કાયમી ધોરણે નાણા અને પર્યાવરણ બન્નેને બચાવી શકાય તેમ છે.
ઈલેક્ટ્રીક વ્હીકલ્સની મર્યાદાઓ તથા ટેકનિકલ મુશ્કેલીઓ દૂર કરીને ઈલેક્ટ્રીક વાહનો તથા ઈથોનલ જેવા વૈકલ્પિક ઈંધણ પ્રત્યે વિશ્વસનિયતા વધારવા ઉચ્ચ અને સર્વોચ્ચ કક્ષાએ સરકાર તથા ઈલેક્ટ્રીક વાહનની ઉત્પાદક કંપનીઓના સંચાલકો-માલિકોએ પણ સાચા મનથી પૂરતા પ્રયાસો કરવાની જરૂર છે, કારણ કે માત્ર અપીલો કરીને કે અભિયાનો ચલાવીને નહીં ચાલે.
બીજી તરફ લોકોને પ્રવાસો ટૂંકાવવા તથા હવાઈ યાત્રાઓ મર્યાદિત કરવાની અપીલો થઈ રહી છે, તો તેના પર કટાક્ષ કરતા કેટલાક વ્યંગાત્મક ગીતો પણ પ્રચલીત થયા છે. 'ઈન્ડિયાના ભાયુ ભલે પેટ્રોલ ગોતે, ઈન્ડિયાની બાયુ ગેસના બાટલા ગોતે' જેવા ગીતોમાંથી પણ પ્રવર્તમાન વિકટ સ્થિતિના પડઘા સંભળાય છે, તેથી હવે હકીકતે પેટ્રોલ-ડીઝલ-ગેસની કરકસર કરવા માટે ઈલેક્ટ્રીક વાહનો, સૌર ઉર્જા, વૈકલ્પિક ઈંધણ વગેરેેનો ઉપયોગ વધારવાની પહેલ સ્વયં સત્તાધારીઓ તથા સલાહકારોએ કરવી જોઈએ, અને દુનિયાની સૌથી મોટી પાર્ટીએ ટોપ-ટુ-બોટમ આ અભિગમને પૂરેપૂરો અમલમાં મૂકવો જોઈએ.
એવા અહેવાલો પણ આવ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટમાં નિર્ણય લેવાયા પછી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૧ મુદ્દાઓની એસઓપી તૈયાર કરી છે, અને સરકારી વિભાગો તથા તાબાની તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને પણ શક્ય હોય ત્યાં સુધી પોતાના ખાનગી ડીઝલ-પેટ્રોલના વાહનોના બદલે એસ.ટી. કે રેલવે મેટ્રો દ્વારા પરિવહન કરવા સૂચવ્યું છે તથા સરકારી, અર્ધસરકારી, બોર્ડ-નિગમો, ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓને જરૂરી મિટિંગો, વીડિયો કોન્ફરન્સથી જ યોજવા અને એકથી વધુ કચેરીઓનો ચાર્જ હોય તેવા ખાતા-વિભાગ-કચેરીના વડાઓ પોતાની મુખ્ય કચેરીના વાહનનો જ જરૂર પડ્યે ઉપયોગ કરે, તથા રાજ્ય-જિલ્લાની બહાર યોજાનાર સેમિનારો-તાલીમ-પરિસંવાદો-સ્ટડી પ્રવાસોમાં શક્ય હોય ત્યાં સુધી ભાગ નહીં લેવાની સૂચનાઓ અપાઈ છે.
ટૂંકમાં, અધિકારી-કર્મચારીઓ અને જનતાને પેટ્રોલ-ડીઝલ બચાવવાની જેે સલાહ અપાઈ રહી છે, તેને અનુસરવું જરૂરી છે, પરંતુ એ જ નિયમો પદાધિકારીઓ તથા મંત્રી મહોદયોને પણ 'ટોપ ટુ બોટમ' લાગુ થવા જોઈએ, અન્યથા વધુને વધુ વ્યંગાત્મક ગીતો રચાતા જ રહેશે.
ગઈકાલે જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો નિમાયા અને જિલ્લા પંચાયતના પણ નવા સુકાનીઓની વરણી થઈ ગઈ. ભાજપની વિશેષતા મુજબ મોટાભાગની નિમણૂકો અનપેક્ષિત હતી, જ્યારે કેટલીક અટકળો સાચી પણ પડી. હાલારની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ તથા પંચાયતી ક્ષેત્રે હોદ્દેદારો નિમાયા પછી હવે લોકોની અપેક્ષાઓ સંતોષવા કામે લાગી જવાનું છે, અને સૌથી મોટી કસોટી ચૂંટણીઓ દરમિયાન કરાયેલા વાયદાઓ પૂરા કરવાની છે. તદુપરાંત નવા હોદ્દેદારો પાસે કાંઈક વિશેષ, કાંઈક નવું અને જન-જનને ઉપયોગી તથા લોકોને ગમી જાય તેવું અનોખું કામ કરવાની સોનેરી તક છે, અને નવી ટીમોનું સંયોજન પણ જુસ્સાભર્યું અને તરવરિયું દેખાતું હોવાથી સફળતાઓ મળવાના ચાન્સીસ પણ વધુ છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોને કેટલીક સુવિધાઓ મળતી હોય છે અને લોકોની સેવા સારી રીતે કરી શકે તે માટે વિશેષ ભથ્થા તથા વાહન સહિતની સગવડો ઉચ્ચ પદાધિકારીઓને મળતી હોય છે. થોડા વર્ષો પહેલા વીઆઈપી કલ્ચર હટાવવાની માત્ર વાતો જ થઈ, કારણ કે વાહનો પરથી લાલ લાઈટ હટાવાઈ, પરંતુ અન્ય વાહનોથી કાંઈક અલગ તરી આવે અને માભો પડે તેવી રીતે વિશેષ પદાધિકારીઓની ગાડીઓને તૈયાર કરાતી હોય છે, અને પહેલા કરતા વધુ કિંમતી વાહનોની ખરીદી થવાની ટીકાઓ પણ થતી રહી છે, પરંતુ આ જ પ્રકારની કેટલીક સુવિધાઓ વિપક્ષના નેતાઓને પણ મળી જાય, ત્યારે ઘણી વખત 'આવ ભાઈ હરખા, આપણે બે છે સરખા' અથવા 'તેરી બી ચૂપ... મેરી બી ચૂપ...' જેવી સિક્રેટ અન્ડરસ્ટેન્ડીંગ પણ થઈ જતી હોય છે. હોદ્દાને અનુરૂપ સુખ-સુવિધાઓ મળે, તે પછી તેનો મહત્તમ ઉપયોગ લોકોની સેવા માટે જ થાય અને અંગત ઉપયોગ કે દુરૂપયોગ ન થાય, તે જોવાની જવાબદારી પણ શાસક પાર્ટી અને તેની નેતાગીરીની ગણાય.
નવા હોદ્દેદારો-ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પોતે જ સ્વયં સેવાને સર્વોપરિ માનીને પોતાને મળવાપાત્ર સુખ-સુવિધાઓ અને પગાર-ભથ્થા વગેરેને ગૌણ માનવા જોઈએ. જો પદાધિકારીઓ જ દંભ કે નાટક કર્યા વગર ખરા દિલથી સાદગી અપનાવે અને પાર્ટીનું નેતૃત્વ તેને બીરદાવે, તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત સ્ટાફ તથા અન્ય નેતાઓ-કાર્યકરો પણ તેને અનુસરે, પરંતુ જે પદાધિકારીઓ જ સિમાડાઓ ઓળંગે તો પછી તાબાના ક્ષેત્રોમાં તો તેની અસરો પડવાની જ છે અને તેના કારણે જ 'તેરી બી ચૂપ... મેરી બી ચૂપ' જેવી કટાક્ષિકાઓ સંભળાતી હોય છે.
ગઈકાલે જામનગરની જેમ જ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ જ્યાં તાજેતરમાં ચૂંટણીઓ થઈ હતી, ત્યાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા તથા સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો, કારોબારી સમિતિના સભ્યો વગેરેની વરણી થઈ હતી. ભાજપની તોતિંગ બહુમતી હોવાથી ચૂંટણીના બદલે સર્વાનુમતેે (ઉપરથી નક્કી થયા મુજબ) વરણી થઈ હતી.
જો કે, રણમાં મીઠી વીરડી મળે તેવી રીતે ગઈકાલે અમદાવાદના નવા નિમાયેલા મેયરે કરેલો એક નિર્ણય તરત જ 'ટોક ઓફ ધ સ્ટેટ' બની ગયો હતો અને આ પ્રકારના નિર્ણયને તો વિરોધીએ પણ આવકારવો જ પડે તેવો હતો. સામાન્ય રીતે મેયરપદ મળતા જ મેયરની ગાડી, પ્રોટોકોલ તથા અન્ય સુવિધાઓ મેળવવાની અપેક્ષા રહેતી હોય છે, પરંતુ અમદાવાદના નવા વરાયેલા મેયર હિતેષ બારોટે મેયરનો બંગલો નહીં વાપરવા, તથા મહાનગરપાલિકાના મેયરને મળતુ વાહન વાપરવાના બદલે પોતાના પર્સનલ ઈ.વી. (ઈલેક્ટ્રીકલ વ્હીકલ) જ વાપરવાનો નિર્ણય જાહેર કર્યો હતો, અને તેના આ નિર્ણય પછી એવી ચર્ચા પણ થઈ રહી છે કે, 'જોઈએ... રાજ્યના બીજા કેટલાક મેયરો બારોટજીને અનુસરે છે તે...'
તેમણે સ્વયં વિનમ્રતાથી પોતાની અંગત ગાડી વાપરવા તથા વધારાની સરકારી સુવિધાઓ નહીં લેવાની વાત કરી અને એક અનુકરણીય દૃષ્ટાંત બેસાડ્યું, તેની ચોતરફ પ્રશંસા થઈ અને સોશિયલ મીડિયામાં પણ તેને બહોળો પ્રતિસાદ મળ્યો. તેઓનો આ નિર્ણય સરકારી સુવિધાઓ અને બંગલાઓ માટે લડતા રહેતા કેટલાક 'સેવકો' માટે બોધપાઠરૂપ પણ છે.
જો કે, કોઈપણ પદાધિકારી તેઓને નિયમાનુસાર મળતી સુવિધાઓ જો લોકસેવા માટે ઉપયોગ કરે, તેમાં કાંઈ ખોટું પણ નથી અને સામાન્ય અને ગરીબ વ્યક્તિ પણ જે ચૂંટણી જીતીને પદાધિકારી બને, તો તે પણ નિશ્ચિંતપણે સંતોષકારક રીતે સમયોચિત જનસેવા કરી શકે, તે માટે આ સેવાઓનો ઉપયોગ થાય, તે માટે જ આ પ્રકારની વ્યવસ્થાઓ અપાતી હોય છે, પરંતુ આ સુવિધાઓનો ઉપયોગ જનસેવા માટે જ થાય અને લોકોને પદાધિકારીઓ હંમેશાં ઉપલ્બધ રહે, તેની કાળજી પણ લેવી જ પડે. ખાસ કરીને સરકારી કે સંસ્થાનું કામ કાઢીને હરવા-ફરવાની યાત્રાઓ થાય કે અન્ય રીતે સુવિધાઓનો દુરૂપયોગ થાય, તે ચલાવી લેવાય નહીં, પણ...?!
એવું નથી કે રાજકીય ક્ષેત્રે આ પ્રકારની સાદગીનો આ પ્રથમ કિસ્સો છે. દેશને આઝાદી મળી ત્યારથી આજ સુધી આ પ્રકારની સાદગી તથા સ્વયંશિસ્ત, પ્રામાણિક્તા અને નિષ્ઠાના અનેક દૃષ્ટાંતો મળી રહે છે. સૌથી મોટું દૃષ્ટાંત ગાંધીજી છે, જેઓ સર્વેસર્વા હોવા છતાં કોઈ સરકારી હોદ્દો લીધો નહોતો. લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હોવા છતાં કેટલી સાદગીભરી જિંદગી જીવતા હતાં તે સર્વવિદ્તિ છે. આ પ્રકારના ટોપ ટુ બોટમ ઘણાં બધા દૃષ્ટાંતો મળે છે, જે ખરેખર અનુકરણીય અને પ્રેરણાદાયી જ ગણી શકાય. આ પ્રકારની પહેલ હંમેશાં આવકારદાયક જ ગણાય, શરત માત્ર એટલી જ કે તેને વાસ્તવમાં નિભાવવી પડે, અન્યથા દંભ કે ડ્રામેબાજીની મહોર લાગી જાય...
પ્રવર્તમાન સમયમાં આ પ્રકારની ડ્રામેબાજી અને દંભ કરવાના આક્ષેપો અરવિંદ કેજરીવાલ પર લાગ્યા હતાં. તેઓ ગાડી-બંગલો-વીઆઈપી સગવડો નહીં લેવાની કસમો ખાતા હતાં, પરંતુ સત્તા મળ્યા પછી તેના પર શીશમહલ, સિક્યોરિટી તથા મેટ્રોમાં પ્રવાસ કરવાના બદલે ગાડીઓ વાપરવાના આક્ષેપો થયા હતાં, અને તેઓ દંભ અથવા ડ્રામેબાજી કરી રહ્યા હોવાના આક્ષેપો પણ થયા હતાં.
તેવી જ રીતે વડાપ્રધાને અપીલ કર્યા પછી ભાજપના કેટલાક નેતાઓ તથા સરકારમાં મંત્રીપદ ભોગવતા મહાનુભાવોએ પોતાના ગાડીના કાફલામાં કાપ મૂકવાની જાહેરાત કરી અને તેનો અમલ પણ કર્યો, પરંતુ કેટલાક નેતાઓએ વિદેશ પ્રવાસ રદ્ કર્યા પછી સરકારી ખર્ચે ફોરેન ટુર કરવાના બહાના શોધી કાઢ્યા હોવાના આક્ષેપો પણ થયા. જે હોય તે ખરૂ, પરંતુ કથની અને કરણીમાં ફેર હોય, તેને હવે જનતા જરાયે પસંદ કરતી નથી, અ પણ હકીકત છે.
સાદગી તથા સુવિધાઓના મુદ્દે જ રાજકીય વર્તુળોમાં કેજરીવાલને યાદ કરવામાં આવે છે, તેવું નથી, પરંતુ જેલમાં રહીને 'જનસેવા'ના કોન્સેપ્ટના સંદર્ભે પણ કેજરીવાલ યાદ આવી જાય તેમ છે. ગઈકાલે જામનગરમાં સવારે ભાજપ કાર્યાલયમાંથી નવા હોદ્દેદારોના નામો જાહેર કરાયા અને તે પછી જનરલ બોર્ડ મળ્યું, અને નવા હોદ્દેદારોએ કાર્યવાહી શરૂ કરાવી, ત્યારે જનરલ બોર્ડમાં ગુજસીટોકના બે આરોપીઓએ પોલીસ પહેરા હેઠળ જેલમાંથી જનરલ બોર્ડમાં (અદાલતની મંજુરીથી) હાજરી આપી, ત્યારે ઘણાંને જેલમાં રહીને મુખ્યમંત્રીપદ જાળવી રાખનાર કજરીવાલ યાદ આવી ગયા હશે, જો કે તે પછી સ્થાનિક અદાલતે કેજરીવાલને દારૂકાંડમાં નિર્દોષ ઠરાવ્યા, પણ તેની સામે ત્યાંની હાઈકોર્ટમાં અપીલ થઈ છે. બીજી તરફ કેજરીવાલને જનાદેશ નહીં મળતા તેઓએ હાલતુરંત દિલ્હીની સત્તા ગુમાવી છે.
જો કે, અંતિમ સર્વોચ્ચ અદાલતી નિર્ણયોની રાહ જ જોવી પડે, તે દિલ્હી હોય કે જામનગર...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા બે-ત્રણ દિવસથી કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલી એક ભવિષ્યાવાણી 'ટોક ઓફ ધ નેશન' બની છે, અને તેના વૈશ્વિક પ્રત્યાઘાતો પણ ચર્ચાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ એવી ભવિષ્ય વાણી કરી હતી કે કેન્દ્રની એનડીએ સરકાર એકાદ વર્ષ જ ચાલશે અને એક વર્ષમાં પ્રવર્તમાન શાસનનો અંત આવશે. બીજી તરફ અરવિંદ કેજરીવાલે પણ કહ્યું છે કે, નેપાળમાં જો જેન ઝી ત્યાંની સરકારને પછાડી શકતું હોય, તો ભારતમાં પણ જેન ઝી ની ચળવળ તખ્તાપલટ કરી શકે છે. કાંઈક એવા જ નિવેદનો કેટલાક અન્ય વિપક્ષી નેતાઓએ પણ કર્યા છે.
અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે, બાંગલાદેશમાં જેન ઝી સરકારને ઉથલાવી શકતું હોય તો ભારતમાં પણ પેપરલીક કરનારા શાસનને ઉખેડી શકે છે. મનિષ સિસોદિયાએ કહ્યું કે, હવે ભારતમાં પણ જેન ઝી જેવું આંદોલન થઈ શકે છે. આ જ પ્રકારના નિવેદનો બે-ત્રણ દિવસથી જુસ્સા સાથે મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાની એરણે ચડ્યા છે. આ તમામ નિવેદનોને રાહુલ ગાંધીની ભવિષ્ય વાણી તથા પેપરલીક, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તથા બેરોજગારી-મોંઘવારી જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને સાંકળીને તેના સંદર્ભે લોકોના તીવ્ર પ્રત્યાઘાતો અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેના પડી રહેલા પડઘાઓની ચર્ચા ગ્લોબલ ટોકીંગ તથા ડિબેટીંગના વિષયો બન્યા છે. આ મુદ્દાઓની વાસ્તવિક્તા તથા ઉદ્દેશ્યો વિષે જુદા-જુદા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
હકીકતે રાહુલ ગાંધીએ સીબીઆઈ અને ડિજિટલ ઈવેલ્યુએશન સિસ્ટમ એટલે કે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમની ક્ષતિના કારણે લાખો વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તે જ સીલસીલો આગળ વધારીને સોશિયલ મીડિયાના માધ્યમથી મોદી સરકાર પર તડાપીટ બોલાવી હતી, તેની સાથે સાથે રાહુલ ગાંધીએ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મન્દ્ર પ્રધાનને વિશેષ રીતે નિશાન બનાવ્યા હતાં, જે ઘણું જ સૂચક છે.
વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીને નિશાન બનાવીને રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપો કર્યા અને કહ્યું કે, આ બન્નેની જોડીએ વધુ એક સંસ્થાને ગેરરીતિનું પ્રતીક બનાવી દીધી છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં મોદી સરકારના શાસનના દાયકામાં પ્રથમ વખત આટલા ગંભીર સવાલો ઊઠ્યા છે. પેપરલીક પછી પણ ઓન-સ્ક્રીન માર્કિંગ, સિસ્ટમમાં ગોટાળા અને ખોટા માર્કિંગની ફરિયાદો ઊઠી છે. આટલા બધા આક્ષેપો છતાં શિક્ષણ મંત્રી ખુરશીનેે ચિટકીને બેઠા છે!
રાહુલ ગાંધીએ દૃષ્ટાંતો સાથે આક્ષેપ કર્યો કે સિસ્ટમની ખામી સામે અવાજ ઊઠાવનારા વિદ્યાર્થીઓને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સત્ય એ છે કે મોદી સરકાર યુવાવર્ગ અને જેન-ઝી થી ડરી ગઈ છે, કારણ કે હવે યુવાવર્ગ સવાલો ઊઠાવી રહ્યા છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, જો કોઈ સવાલો ઊઠાવે તો સરકાર તેઓને ડરાવે, ધમકાવે અને કચડી નાંખે છે, પરંતુ આ જ યુવાવર્ગ સરકારનો ઘમંડ તોડશે.
આ આક્ષેપોને ભાજપના પ્રવક્તાઓ અને નેતાઓ સતત ચૂંટણીઓ હારી રહેલા નેતા (રાહુલ ગાંધી) ની હતાશા ગણાવે છે, અને મોદી સરકારનો વિરોધ કરતા કરતા રાહુલ ગાંધી દેશવિરોધી બની ગયા છેે, તથા નકારાત્મક રાજનીતિ રમીને દેશમાં વિખવાદ તથા અરાજક્તા ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ તેઓ સફળ થવાના નથી.
વિપક્ષો અને શાસક પક્ષના નેતાઓની આ બયાનબાજીમાં કોણ સાચું અને કોણ ખોટું છે, એ તો જનતા જ નક્કી કરશે, પરંતુ એ હકીકત છે કે હાલમાં ડીઝલની કૃત્રિમ તંગી, ઈંધણના ભાવોમાં વધારો અને વધી રહેલી મોંઘવારી ઉપરાંત મોંઘુદાટ શિક્ષણ તથા ઘણાં સ્થળે કથળી રહેલી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે જનતામાં ભારે અસંતોષ ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં, છેલ્લે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી ભાજપ-એનડીએ તરફી ઝુંકાવ ધરાવતા હતાં, તેવા લોકો પણ હવે દબાતા અવાજે પણ મોદી સરકાર પ્રત્યે અણગમો વ્યક્ત કરી રહ્યા છે, તે ઉપરાંત પેપરલીક તથા બેરોજગારી જેવા મુદ્દે પણ તેઓ હવે પોતાનો અભિપ્રાય બદલી રહેલા સંભળાય છે, તે જોતા એવું લાગેે છે કે શાસકોએ વહેમમાં રહેવા જેવું નથી, અને ડેમેજ કંટ્રોલ નહીં થાય, તો તેની વિપરીત અસરો થઈ શકે છે.
કુલબર્ગીની ભાગ્યશ્રીની આત્મહત્યા પછી યુવાવર્ગમાં રોષ ફેલાયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાવર્ગ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની માંગણી ઊઠાવી રહ્યો છેે, તો રાહુલ ગાંધીએ પણ શિક્ષણમંત્રીને જવાબદાર ઠરાવ્યા છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ અવનવી કોમેન્ટો પણ કરી રહ્યા છે, ત્યારે જેન ઝી ની ચળવળ તથા કોકરોચ જનતા પાર્ટી જેવા અભિયાનોને સરકારે અંડર એસ્ટિમેટ કરવા જેવા નથી.
કેટલાક નિષ્ણાતો પણ તટસ્થ અભિપ્રાય આપી રહ્યા છે કે, પેપરલીક જેવી ઘટનાઓ તથા પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રણાલિની નિષ્ફળતાઓના કારણે મહેનતુ વિદ્યાર્થીઓ આઘાત અનુભવી રહ્યો છે અને તેના વાલીઓની તકલીફો બેવડાઈ રહી છે, ત્યારે સરકારે આ પ્રકારે પ્રતિષ્ઠાનો કે ઈગોનો પ્રશ્ન બનાવવાના બદલે પારદર્શક, અસરકારક અને વિશ્વસનિય પગલાં ઊઠાવવા જ જોઈએ.
અત્યારે કેન્દ્ર સરકારની સૌથી વધુ ટીકા ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવો તથા પેપરલીકના મુદ્દે થઈ રહી છે. આજે પણ સીએનજીના ભાવોમાં પ્રતિકિલે બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આમ, પેટ્રોલ-ડીઝલ અનેે સીએનજીમાં તબક્કાવાર કરાઈ રહેલો ભાવવધારો સામાન્ય જનતાને છેતરપિંડી જેવો લાગી રહ્યો છે, કારણ કે આ ભાવવધારો ક્યા માપદંડો કે લોજીકના આધારે કરવામાં આવી રહ્યો છે, તે કોઈને સમજાતું જ નથી. લોકોને એવું લાગે છે કે સરકાર એકસામટા દસ-પંદર કે વીસ રૂપિયા વધારવાના બદલે નાની-નાની રકમનો વધારો એટલા માટે કરી રહી છે કે લોકોને જોરનો ઝટકો ન લાગે, અને ધીરે ધીરે લોકોના ખિસ્સા પર બોજ વધતો જાય, તેથી ઉહાપોહ થાય નહીં. હવે ભવિષ્યવેતાઓની ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે તે જોવાનું રહે છે, કારણ કે આ પ્રકારની સ્વપનીલ અપેક્ષા રાખનારાઓની સંખ્યા પણ દેશમાં ઓછી નથી, અને તેનું કારણ પ્રવર્તમાન પ્રવાહો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે પણ પેટ્રોલ-ડીઝલમાં લિટરે અઢીથી પોણાત્રણ રૂપિયાનો વધારો કરાયો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયકાંઠેે મીઠા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે અને સંખ્યાબંધ મીઠાના અગરો, તેના પરિવહન સાથે સંકળાયેલા લોકો, હજારો શ્રમિકો, ટ્રાન્સપોર્ટ તથા સંલગ્ન બ્રોમાઈન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પ્રત્યક્ષ રોજગારી મળી રહી છે, તો તેના કારણે હોટલ, રસ્ટોરન્ટ, લોજીંગ, બોર્ટીંગ અને પી.જી. સહિતના છૂટક વ્યવસાયો દ્વારા પણ હજારો લોકોને રોજગારી મળી રહી છે. આ તમામ ગરીબ-મધ્યમવર્ગિય પરિવારો મીઠાના અગરો તથા તેને સંલગ્ન વ્યવસાયો સાથે સંકળાયેેલા છે.
પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવો અને ખાસ કરીને ડીઝલની તંગીના કારણે ટ્રાન્સપોર્ટેશનને ઘણી જ માઠી અસર પહોંચી છે. કંડલા તથા મુન્દ્રા જેવા બંદરો પરથી ડીઝલની અછતના કારણે દરરોજ કન્ટેનરોની અવર-જવર પાંચ હજારના બદલે માત્ર એક હજાર જેટલી જ રહી ગઈ છે. ડીઝલ ભરાવા ટ્રકોની લાંબી લાંબી લાઈનો લાગે છે, અને અર્ધો કે આખો દિવસ લાઈનમાં ઊભા પછી ડીઝલ મળે છે. તે પછી માંડ એક દિવસ ટ્રકો ચાલે છે, તેમાં પણ રેશનીંગ કરાતા લિમિટેડ જથ્થો ખલાસ થતા રસ્તામાં પણ ટ્રકોને પૂરતું ડીઝલ મળતું નહીં હોવાથી મીઠા (નમક) નું પરિવહન કરતો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભારે મુશ્કેલી અનુભવી રહ્યો છે, અને તેની વિપરીત અસર સ્વાભાવિક રીતે જ મીઠા ઉદ્યોગ પર થઈ છે. બીજી તરફ પેટ્રોલના ભાવ આજે લિટરે ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યા અને ડીઝલ પણ ૧૦૦ રૂપિયાને આંબવા લાગ્યું હોવાથી લોકોમાં ઉહાપોહ અને મીઠા ઉદ્યોગમાં ગભરાટ છે.
કચ્છ, મુન્દ્રા ઉપરાંત સરહદી સાંતલપુરમાં પણ ૧૦ થી ૧ર લાખ ટન જેટલો મીઠાનો જથ્થો તૈયાર છે, અને તેનું પરિવહન ચોમાસા પહેલા થઈ જવી જરૂરી છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશન ધીમુ કે ઠપ્પ થાય તો આ જથ્થો વેડફાઈ જાય તેમ છે. કચ્છના નાના રણમાં દેશનું ૩૦ ટકા મીઠું ઉત્પાદિત થાય છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થતો સતત વધારો ડીઝલની તંગીના કારણે એઆઈટીડબલ્યુએ દ્વારા એડવાઈઝરી જાહેર થઈ છે અને તંત્રો, કંપનીઓ તથા ગ્રાહકોને સહાનુભૂતિ દાખવીને ટ્રાન્સપોર્ટરો સામે કડક કદમ નહીં ઊઠાવવા અનુરોધ પણ કરાયો છે. કોઈપણ ટ્રાન્સપોર્ટ ઓપરેટરને બ્લેકલિસ્ટમાં મૂકવા કે કાનૂની કાર્યવાહી નહીં કરીને સહૃદયતા તથા માનવતા દાખવવાનો અનુરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના વર્તુળોના જણાવ્યા મુજબ અત્યાર કોમર્શિયલ વાહનોની અવરજવર દિવસે દિવસેે વધુ ને વધુ ઘટી રહી છે. મીઠા ઉદ્યોગને સંબંધિત કોલસો, તરલ ચીજો તથા મીઠાના પરિવહનમાં ડીઝલની તંગીના કારણે ૩૦ ટકાનો ઘટાડો થયો હોવાનું તથા ઘણાં શહેરોના પેટ્રોલપંપો પાસે ડીઝલ માટે ટ્રકોની લાઈનો છેલ્લા ચાર-પાંચ દિવસથી વધુને વધુ લાંબી થઈ રહી છે.
મીઠા ઉદ્યોગમાં મીઠું પકવવા માટે વપરાતા મશીનો તથા પંપોનેે ચલાવવા માટે પણ ડીઝલનો જંગી વપરાશ થતો હોય છે, પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં ડીઝલની તંગી મીઠું પકવવાની પ્રક્રિયામાં પણ બાધક બની રહી છે. બ્રાઈનના નિકાલ માટેના પંપો બંધ થતા મોટો અવરોધ સર્જાયો છે. ડીઝલની તંગીના કારણે ઈનપુટ કોસ્ટ વધી જતા આર્થિક ફટકો પણ લાગી રહ્યો છે. માત્ર મીઠા ઉદ્યોગ જ નહીં, મત્સ્યોદ્યોગ અને કૃષિ-ઉદ્યોગને પણ ડીઝલની તંગીના કારણે ફટકો પડી રહ્યો છે.
ગુજરાતના સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનોએ પણ આ મુદ્દો ઉચ્ચ કક્ષા સુધી ઊઠાવ્યો છે અને જિલ્લા તંત્રને આવેદનપત્રો સુપ્રત કરીને મીઠા ઉદ્યોગ માટે જંગી જથ્થો (આવક સપ્લાઈ) ફાળવવાની માગણી ઊઠાવી છે અને તેમાં સબસિડી અથવા ભાવોમાં રાહતની માગણી પણ થઈ રહી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા મીઠાના અગરો પણ મુશ્કેલીમાં મૂકાયા છે, અને હાલાર સહિત ગુજરાતના મીઠા ઉદ્યોગને મરણતોલ ફટકો પડવા જઈ રહ્યો છે. મીઠાના અગરો માટે ડીઝલને વિશેષ ક્વોટા પણ ફાળવાયો નહીં હોવાની રાવ ઊઠી રહી છે, તો બીજી તરફ પેટ્રોલના ભાવવધારાના કારણે પૂરક વ્યવસાયો પણ ગોટાળે ચડ્યા છે.
ડીઝલના જથ્થાબંધ અને રિટઈલ ભાવોનું અંતર હોવાથી ખાનગી પંપોના બદલે સરકારી કંપનીઓના પંપો પરથી જ ઉદ્યોગો અને મોટી ટ્રાન્સપોર્ટ કંપનીઓ તથા ઈજારેદારોએ ખરીદી શરૂ કરી દેવાથી પણ ડીઝલની તીવ્ર તંગી ઊભી થઈ રહી હોવાના તારણો નીકળી રહ્યા છે, અનેે તેને લઈને 'સરકારી કૃત્રિમ તંગી'નો વ્યંગ પણ થઈ રહ્યો છે.
હાલારમાં પણ આઝાદી પહેલાથી જ મીઠા ઉદ્યોગ ફાલ્યો-ફૂલ્યો છે અને મીઠા ઉદ્યોગ આધારિત કેમિકલ ઉદ્યોગ પણ વિસ્તર્યો છે, ત્યારે મીઠા ઉદ્યોગને થતી માઠી અસર સામાન્ય ગરીબ પરિવારોથી લઈને તવંગર ઉદ્યોગપતિ સુધીના તમામ વર્ગોને વિપરીત અસર પહોંચી છે, અને તેમાં સૌથી વધુ મીઠા ઉદ્યોગ તથા તેની સાથે સંકળાયેલા કેમિકલ ઉદ્યોગોના શ્રમિકોને મુશ્કેલીમાં મૂકાવું પડી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં પણ મીઠા ઉદ્યોગ ઉપરાંત મત્સ્યોદ્યોગને ડીઝલની તંગીની વિપરિત અસરો પડી રહી હોવાની રાવ ઊઠી રહી છે. આ વખતે પેટ્રોલ-ડીઝલમાં રૂપિયાના ગુણાંકમાં એટલે કે પોણાત્રણ રૂપિયાનો વધારો અસહ્ય છે. અમરિકાના વિદેશ મંત્રીએ ગઈકાલે કરેલા નિવેદન પછી ટૂંક સમયમાં હોર્મુઝ સંકટ સમાપ્ત થઈ જશે, તેવી આશા જાગી હોવા છતાં તેવું થયા પછી પણ સ્થિતિ પૂર્વવત થવામાં વાર લાગશે, તેથી મીઠાના ઉદ્યોગ માટે અલગથી બલ્ક ડીઝલનો જથ્થો ફાળવવા તથા ચોમાસાને ધ્યાને લઈને મીઠા ઉદ્યોગના ટ્રકોને પ્રાયોરિટી આપવા માગણી સરકારે સંતોષવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ફરીથી ડીઝલ-પેટ્રોલના ભાવોમાં વધારો કરાતા પેટ્રોલ તો લિટરે સો રૂપિયાના ભાવને આંબવા લાગ્યું છે, તો ડીઝલ પણ સદી ફટકારવાની તૈયારીમાં છે. બીજી તરફ દેશભરમાંથી ઈંઘણની તંગીના અહેવાલો આવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ પંપો પર વાહનોની લાંબી-લાંબી લાઈનો લાગી છે, તો વાહનાચાલકો-ખેડૂતોમાં આ કારણે પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોના કારણે તમામ ચીજવસ્તુઓ મોંઘી થતી હોવાથી સામાન્ય જનતામાં પણ નારાજગી ફેલાઈ રહી છે, અને સરકારી ઓઈલ કંપનીઓ સામે સવાલો ઊઠી રહ્યા છે, અને ડિમાન્ડ અને સપ્લાઈનું સમતુલન જાળવવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાની ટીકા થઈ રહી છે.
એક તરફ સરકારી તંત્રો પેટ્રોલ-ડીઝલ-ગેસનો પૂરતો પુરવઠો હોવાના દાવાઓ સાથે 'સબ સલામત'નો ઢોલ પીટી રહ્યા છે, તો બીજી તરફ પંપો પર લાગેલી લાંબી લાંબી લાઈનો કાંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. સરકારી તંત્રો કહે છે કે, અફવાઓ ઊડતા લોકો જરૂર કરતા વધુ ખરીદી કરવા લાગતા કૃત્રિમ તંગી ઊભી થઈ રહી છે, અને તેના કારણે પેટ્રોલ પંપો પર (ખાસ કરીને ડીઝલના વેંચાણમાં) રેશનીંગ પણ થઈ રહ્યું છે, ત્યારે લોકો ટ્રમ્પનો આજનો પુનઃ કરાયેલો એ દાવો ઝડપથી સાચો ઠરે, તેવી પ્રાર્થના કરી રહ્યા છે, જેમાં ટ્રમ્પે કહ્યું છે કે, ટૂંક સમયમાં યુદ્ધ ખતમ થશે, અને ઈંધણના ભાવો ઝડપથી ઘટી જશે.
કતર અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ ઈરાન-અમેરિકા યુદ્ધ ખતમ કરાવવા માટે પહોંચી ગયા હોવાના અહેવાલો પછી વિશ્વભરમાં એવી ચર્ચા થઈ રહી છે કે આ વખતે કદાચ વચગાળાની સમજુતિ થઈ જાય અને યુદ્ધ અટકે તથા હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જાય, તો વિશ્વ એક મોટા સંકટ અને ખતરનાક યુદ્ધના ખતરાથી બચી જશે.
એક તરફ પાકિસ્તાન મધ્યસ્થી હોવાનો દાવો કરીને ઈરાન-અમેરિકાને (બન્નેને) છેતરી રહ્યું હોવાની ટીકા થઈ રહી છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં જ મોંઘવારીના માર તથા ઈંધણની તંગીના કારણે ત્યાંની સરકાર સામે ઘરઆંગણે અસંતોષ વધી રહ્યો છે. એવા અહેવાલો છે કે, ભારતની સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીની ઓનલાઈન ફેલાયેલી આગ હવે સીમા પાર પહોંચી છે અને પાકિસ્તાનમાં પણ ત્યાંની સરકારના વિરોધમાં 'કોકરોચ અવામી પાર્ટી'ના ટેગ સાથે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. અહેવાલો મુજબ ભારતની 'કોકરોચ જનતા પાર્ટી'ની જેમ જ 'કોકરોચ અવામી પાર્ટી'ના ફોલોઓર્સ ઝડપથી વધી રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. આ કારણે એવો વ્યંગ પણવ થવા લાગ્યો છે કે, જો બાંગલાદેશમાં પણ આ જ પ્રકારની ઝુંબેશ ચાલશે, તો ત્રણેય દેશનું જેન ઝેડ (યુવાવર્ગ) મળીને અખંડ ભારતની દિશામાં ફંટાઈ જશે, તો નવો ઈતિહાસ સર્જાશે. વિશ્વના ઘણાં દેશોમાં જેન ઝેડ આંદોલન સફળ થયા હોવાથી ભારત, પાકિસ્તાન ઉપરાંત અન્ય દેશોમાં પવણ ગરીબી, બેરોજગારી અને મોંઘવારી સામે આ પ્રકારે નવતર, અદ્યતન અને ઈન્ટરનેટ આધારિત યુવા-આંદોલનો-જનચળવળો ફેલાવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
આપણાં દેશમાં પણ બેરોજગારીની સમસ્યા વિકરાળ બની રહી છે. એક તરફ વડાપ્રધાન આજે દેશભરમાં રોજગાર મેળાઓના આયોજનો વચ્ચે પ્રતિકાત્મક નિમણૂકપત્રોનું વિતરણ કરીને રોજગારવર્ધક ઈન્ટરરેક્શન કરી રહ્યા છે, તો બીજી તરફ સીજેઆઈના કોકરોચ અને પરપોટા જેવા શબ્દપ્રયોગો પછી (તેમણે આ અંગે સ્પષ્ટતા કર્યા પછી પણ) બેરોજગારી સામેનો યુવાવર્ગનો આક્રોશ સમી રહ્યો જણાતો નથી, અને હવે આ કોન્સેપ્ટ સીમાપાર પહોંચ્યો છે. આ સ્થિતિમાં દેશવ્યાપી બેરોજગારી અને ડીઝલ-પેટ્રોલના ભાવો વધવાથી આસમાનને સ્પર્શી રહેલી મોંઘવારીમાંથી ઊઠી રહેલો જનાક્રોશ દેશવ્યાપી જન-આંદોલનનું સ્વરૂપ ઝડપથી ધારણ કરી શકે છે.
એવું કહેવાય છે કે, ભારતમાં સીજેપીના એક્સ હેન્ડલ પર પ્રતિબંધ મૂકી દીધો હોવા છતાં અન્ય દેશોમાં હજી પણ સક્રિય છે. એવી પણ ચર્ચા છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અભિયાન માત્ર મજાક-મજાકમાં નહીં, પરંતુ પૂરેપૂરા આયોજન સાથે સમજી-વિચારીને શરૂ થયું છે. હવે અભિજીત દિપકે ભ્રષ્ટાચારીઓ સામે ઝુંબેશની જાહેરાત કરીને લોકોને ભ્રષ્ટાચારના આધાર-પુરાવા મોકલવાની હાકલ કરી છે. સીજેપીએ ભારતીય રાજકારણમાં શિક્ષણ, ઉદ્યોગ, ઊર્જા, રોજગારી તરફ વાળવા, સરકારી સિસ્ટમો દુરસ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું હોવાના પણ અહેવાલો છે, જેમાં નિવૃત્ત થતા સીજેઆઈને નિવૃત્ત થયા પછી કોઈ સરકારી હોદ્દો કે રાજ્યસભાના સભ્ય બનવા પર પ્રતિબંધ, મહિલાઓને સંસદમાં પણ ૩૩ ટકાને બદલે પ૦ ટકા અનામત અને કેન્દ્ર-રાજ્ય સરકારોના મંત્રીમંડળોમાં પણ અડધોઅડધ મહિલાઓનો સમાવેશ, ઉદ્યોગપતિઓના મીડિયા હાઉસીઝ પર પ્રતિબંધ, પક્ષપલટુઓને બે દાયકા સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને (એસઆઈઆર જેવી પ્રક્રિયા અંતર્ગત) યોગ્ય મતદારોના નામ કાપવા બદલ ચૂંટણી કમિશનર સામે કડક પગલાં લઈને તેન યુએપીએ લાગુ કરવા જેવી માંગણીઓ સાથે અભિયાન તરફ અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે.
આ અભિયાન જો નિષ્પક્ષ, તદ્ન બિનરાજકીય અને વાસ્તવમાં જનલક્ષી, મોંઘવારી-બેરોજગારી વિરોધી તથા દેશવ્યાપી સમસ્યાઓના નિવારણ માટે જ ચલાવાશે. આ જ રીતે ફોલોઅર્સ વધતા રહેશે, અને આ 'ઓનલાઈન' ચાલી રહેલી ઝુંબેશ હકીકતે રાજકીય પક્ષ તરીકે વિધિવત્ ચૂંટણીના મેદાનમાં ઉતરવાના કેજરીવાલ ફેઈમ અભિયાન બદલે હકીકતે બિનરાજકીય ચળવળ ચલાવશે, તો દેશભરમાં કેેન્દ્ર અને રાજ્ય સરકારો માટે 'વોચ ડોગ'નું કામ કરશે. એટલું જ નહીં, ભ્રષ્ટાચારી અધિકારીઓ, નેતાઓ તથા ટોપ ટુ બોટમ સડેલી સિસ્ટમના નિષેધનું લોકતાંત્રિક જન-આંદોલન બની જશે.
ઘણાં લોકો એવું માને છે કે, આ ઓનલાઈન ચળવળ પાછળ કોઈ ચબરાક પોલિટિકલ માઈન્ડ કામ કરી રહ્યું છે અને દિપકે માત્ર મહોરૂ છે. જે હોય તે ખરૂ, પરંતુ જો આ અભિયાન સડેલી રાજનીતિથી દૂર રહીને એક તટસ્થ એનજીઓ અથવા બિનરાજકીય પાર્ટી બનીને પ્રવર્તમાન પોલિટિકલ સિસ્ટમ સામે સમતોલ લડત આપશે, તો તેને પ્રચંડ જનસમર્થન મળશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા ચાર-પાંચ દિવસથી સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચા સી.જે.પી.ની થઈ રહી છે, અને હવે બીજેપી વર્સીસ સીજેપીની કોમેન્ટો પણ થઈ રહી છે. એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલી રહેલી આ ઝુંબેશના કારણે સરકાર પણ મુંઝાઈ ગઈ છે અને આ ઓનલાઈન ચળવળ હવે ભારતના જેન ઝેડ યુવા વર્ગનું અસરકારક પ્લેટફોર્મ બની ગઈ છે.
એક બેરોજગાર યુવકે એક વેબસાઈટ ઉપરાંત સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામમાં ભલે આ પ્રકારની કોમેન્ટો મજાકિયા મૂડમાં મૂકી હોય બેરોજગાર હોવાની શરતે સભ્યપદ આપવાની રમુજ સાથે કોકરોચ પાર્ટીના નામે માત્ર ૬૦ જેટલી પોસ્ટ મૂકાઈ હોય, પરંતુ તેના દોઢ કરોડથી વધુ ફોલોઅર્સ થઈ જતા આ જ પ્લેટફોર્મ પર મહત્તમ ફોલોઅર્સ ધરાવતા ભારતીય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પણ પાછળ રહી ગયા હોય તો તે પ્રવર્તમાન રાજનૈતિક વ્યવસ્થાઓ પ્રત્યે યુવાપેઢીનો આક્રોશ દર્શાવે છે. કેટલાક દેશોમાં જેન ઝેડ આંદોલનોએ કરેલા તખ્તાપલટના અનુભવે કેટલાક લોકો તો આને ભારતમાં યુવાક્રાંતિના એંધાણ બતાવવા લાગ્યા છે, તો કેટલાક લોકો ધરમૂળથી રાજનૈતિક પરિવર્તનના સપના પણ જોવા લાગ્યા છે!
હકીકતે સીજેઆઈ એટલે કે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસે એક કેસની સુનાવણી વખતે ટિપ્પણી કરી હતી. કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ અને પેરાસાઈટ જેવા હોય છે, અને તેમાંથી કેટલાક (યુવાનો) સોશિયલ મીડિયા તથા આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છે. કાંઈક તેવા પ્રકારની થયેલી ટિપ્પણી પછી સોશિયલ મીડિયા મારફત બેરોજગાર યુવાવર્ગે સીજેઆઈની કથિત ટિપ્પણી સામે તીવ્ર આક્રોશ દર્શાવ્યો અને સીજેઆઈએ સ્પષ્ટતા પણ કરી હતી કે તેની ટિપ્પણી અલગ સંદર્ભમાં હતી, પરંતુ તેનું જુદી રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે. સીજેઆઈએ દેશના યુવાધન માટે તેઓને ગૌરવ હોવાની વાત પણ કરી હતી, અને નકલી ડીગ્રીધારી યુવાવર્ગના સંદર્ભમાં જ આ ટિપ્પણી કરી હોવાની ચોખવટ થઈ હતી.
જો કે, સીજેઆઈની સ્પષ્ટતા છતાં સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના ફોલોઅર્સ વધતા ગયા અને બીજેપી અને કોંગ્રેસ કરતા વધુ ફોલોઅર્સનો દાવો થયો અને સીેજેપી વર્સીસ બીજેપીનો વ્યંગ થવા લાગ્યો, તે પછી આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બન્યો છે.
એક સુનાવણી દરમિયાન થયેલી ટિપ્પણીને કેન્દ્રમાં રાખીને સોશિયલ મીડિયાના ચોક્કસ પ્લેટફોર્મ પર આ ઝુંબેશ શરૂ કરનાર અભિજિત દિપકે વિષે પણ વિવિધ ટિપ્પણીઓ થવા લાગી છે, અને તે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી માટે કામ કરતો હોવાની વાતો વહેતી થઈ છે. તેમણે 'કોકરોચ જનતા પાર્ટી' એટલે કે 'સીજેપી' નું 'એક્સ' પરનું એકાઉન્ટ બ્લોક કરી દેવાયું હોવાનો દાવો કરીને 'કોકરોઝ ઈઝ બેક' અને 'કોકરોચ ડોન્ટ ડાઈ' એવી ટેગલાઈનથી કોકરોચ જનતા પાર્ટી ઓફ ઈન્ડિયા (સીજેપી) નામનું નવું એકાઉન્ટ બનાવતા તેમાં પણ તેના લાખો ફોલોઅર્સ થઈ ગયા, અને પછી તો વિપક્ષના કેટલાક નેતાઓ તથા સેલિબ્રિટીઝ પણ ફોલો કરવા લાગ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ ઓનલાઈન પોલિટિકલ પાર્ટીનું રાજનૈતિક કે વૈધાનિક અથવા બંધારણીય મહત્ત્વ જે ગણાતું હોય તે ખરૂ, પરંતુ આ ઓનલાઈન ટ્રેન્ડ પ્રવર્તમાન મુખ્ય રાજકીય પક્ષો અને શાસક પક્ષ માટે તો પડકારરૂપ છે જ...
બેરોજગારોને લઈને ટિપ્પણી ભલે શાસક પક્ષના કોઈ નેતાએ કરી નથી, પરંતુ આ પ્રકારની ઓનલાઈન ઝુંબેશને મળેલો યુવાવર્ગનો પ્રતિસાદ જોતા દેશની બેરોજગારોની સમસ્યા કેટલી ગંભીર છે, તે પૂરવાર થયું છે અને બેરોજગારીની વ્યથાને આ રીતે મળેલો પ્રતિસાદ આપણાં દેશમાં પણ જેન ઝેડ જેવા આંદોલનોની સંભાવનાઓ દર્શાવે છે, અને તેથી જ એવી વાતો પણ વહેતી થઈ છે કે આ મુદ્દે સરકાર મુંઝવણમાં છે, કારણ કે સરકારનું કોઈપણ સત્તાવાર નિવેદન આ મુદ્દાનેે વધુ તીવ્ર બનાવી શકે છે. સરકાર આ મુદ્દે પોતાના તરફથી કોઈ ચોખવટ પણ કરી શકે તેમ નથી, કારણે આ ટિપ્પણી સરકારે કે શાસક પક્ષના કોઈ નેતાની નથી, જ્યારે સીજેઆઈએ સ્વયં આ અંગેે સ્પષ્તા કરી દીધી હોવા છતાં જો નવા નવા નામે આ ઓનલાઈન ઝુંબેશ ચાલતી રહેે અને ચળવળનું સ્વરૂપ ધારણ કરે તો દેશવ્યાપી જનાક્રોશ ફાટી નીકળે તેમ છે, અને તેે કારણે જ શાસક પક્ષ આ મુદ્દે મોટાભાગે કોઈ એવું નિવેદન નહીં આપે, જેથી વિવાદ વધુ વકરે.
રમત-રમતમાં મજાકિયા મૂડમાં શરૂ થયેલી આ ઝુંબેશ ખરેખર ગંભીર સંકેતો આપે છે કે પછી બધું જ પ્રિ-પ્લાન્ટેડ છે, તે અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોકરોચ અથવા વંદા જેવા જંતુને કેન્દ્રમાં રાખીને ચાલી રહેલી આ ઓનલાઈન (સીજેપી હેન્ડલ) શરૂ કરનાર અભિજિત દિપકે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન સબજેક્ટનો વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું છે. તેમણે પૂણેમાં જર્નાલિઝમ કરીને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો હતો. એવું કહેવાય છે કે અભિજિતે અમેરિકામાં જોબ મેળવવા માટે અરજીઓ કરી છે, અને તેની ઈચ્છા અમેરિકામાં જ વસવાટ કરવાની હોય, તેમ જણાય છે. તેમણે પોતે કહ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે કે મજાક મજાકમાં તેમણે આ બધું કર્યું હતું, અને ક્રોકોચ રાતોરાત વાયરલ થઈ જશે, તેવી રીતે પોતાને અપેક્ષા પણ નહોતી.
કેટલાક લોકો ભૂતકાળમાં 'આપ' માટે ત્રણેક વર્ષ સુધી કોમ્યુનિકેશન ઈન્ચાર્જ તરીકે કામ કરનાર અભિજિતની આ ઓનલાઈન ઝુંબેશને ભાજપ-કોંગ્રેસ વિરોધી રાજકીય ષડ્યંત્ર ગણાવી રહ્યા છે. દેશના યુવાધન (જેન ઝેડ) ને ઉશ્કેરવા માટે પહેલેથી ફોલોઅર્સ તૈયાર કરીને આયોજનપૂર્વક આ ઝુંબશ દિલ્હીમાં વાપસી માટે તો થઈ રહી નથી ને? તેવી વાતો રાજધાની દિલ્હીમાં પણ વહેતી થઈ છે.
આ મુદ્દો એટલો બધો ઝડપથી ઉછળ્યો કે સીજેઆઈએ પોતાની મૌખિક ટિપ્પણી અંગે ખુલાસો કરવો પડ્યો કે તેઓએ જે ટિપ્પણી કરી હતી નકલી અનેે બોગસ ડીગ્રીના આધારે વકીલાતના ક્ષેત્રમાં ઘૂસી જનારા પરિબળો માટે જ હતી, જેને તમામ યુવાવર્ગના સંદર્ભમાં ગણીને ખોટી રીતે વર્ણવવામાં આવી રહી છે. તેઓના કોકરોચ અને પરજીવી જેવા શબ્દોના કારણે ઉછળેલો આ મુદ્દો હવે રાજકીય ક્ષેત્રે અત્યાર તો છવાઈ જ ગયો છે, હવે તેની વાસ્તવિક અસરો કેટલી થાય છે, તે જોવાનું રહે છે, જો કે બેકાર બેરોજગારીની હકીકત તો સપાટી પર આવી જ ગઈ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણા દેશમાં ન્યાયતંત્ર બંધારણીય સંસ્થાઓમાં સૌથી વધુ વિશ્વસનિય ગણાય છે અને દેશવાસીઓને ન્યાયતંત્રમાં સર્વાધિક ભરોસો છે, પરંતુ ઝળહળતા ચંદ્રમાં કાળા કલંકની જેમ ન્યાય મેળવવામાં થતો વિલંબ ન્યાયતંત્રની નબળાઈ પણ ગણી શકાય. આપણાં દેશમાં સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળતો થાય, તે માટે એક દેશવ્યાપી અને પરિણામલક્ષી ઝુંબેશ ચલાવવી પડે તેમ છે અને તેમાં ન્યાયતંત્ર, બાર, સરકાર અને જનતા જનાર્દનના સક્રિય સહયોગ અને સુદૃઢ સંકલન જરૂરી છે.
હિન્દી ફિલ્મનો સની દેઓના મૂખે બોલાયેલો 'તારીખ પે તારીખ'વાળો ડાયલોગ ભારતના ન્યાયતંત્ર પર એક એવું મેણું છે, જે ક્યારે ભાંગશે? તેનો જવાબ ક્યારેય મળ્યો જ નથી.
આપણાં દેશમાં દાયકાઓ જુના સંખ્યાબંધ કેસો પેન્ડીંગ છે. આ કેસો પેન્ડીંગ રહેવા પાછળ કોઈ એક કારણ જવાબદાર નથી. જુદા જુદા કેસ માટે અલગ અલગ કારણો જવાબદાર હોય છે. તે ઉપરાંત વધતી જનસંખ્યા અને ગુનાખોરી તથા કાનૂની પ્રક્રિયાઓની સરખામણીમાં ન્યાયતંત્રમાં જજીસ, સ્ટાફ અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખૂબ જ ધીમી ગતિએ થતો વધારો પણ વિલંબિત ન્યાય પ્રણાલી માટે જવાબદાર ગણી શકાય.
દેશની જિલ્લા અદાલતો અને હાઈકોર્ટોમાં કરોડો કેસોનો ભરાવો થયો છે અને સુપ્રિમ કોર્ટમાં પણ કેસોની સંખ્યા વધતી જાય છે. પ્રવર્તમાન પ્રગતિશીલ યુગમાં વિકાસ પ્રક્રિયાઓ વિસ્તરી રહી છે અને વ્યાપાર-ઉદ્યોગ-શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે, તેની સાથે સાથે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, સાઈબર ક્રાઈમ, સામાજિક-પારિવારિક-આર્થિક તકરારો પણ વધી રહી છે, અને કાનૂની જાગૃતિ તથા નાગરિક અધિકારોની જોગવાઈઓ પ્રત્યે લોકજાગૃતિના કારણે પણ લોકો પોતાના હક્કો માટે અદાલતોના દ્વાર ખખડાવતા થયા છે. આ ઉપરાંત પણ ઘણાં લોકલથી ગ્લોબલ કક્ષા સુધીના ઘણાં કારણો એવા છે, જેના કારણે અદાલતોમાં માત્ર ક્રાઈમ જ નહીં, પરંતુ હક્ક-દાવા, સિવિલ કેસો, જાહેર હિતની અરજીઓ તથા સામૂહિક-સામાજિક-ધાર્મિક અને બંધારણીય અર્થઘટનો સહિતના કેસો ટોપ ટુ બોટમ અદાલતોમાં વધી રહ્યા છે.
કેસોનો ભરાવો ઘટાડવા ન્યાયતંત્રે લોકઅદાલતો, પ્રિ-લિટીગશન અને મિડિએશન જેવા ઉપાયો વધાર્યા છે અને જામીનને અધિકાર અને જેલને અપવાદ ગણીને જેલોમાં ઓવરલિમિટ અંડરટ્રાયલ કેદીઓની સંખ્યા ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. અદાલતો ઘણી વખત ઓવરટાઈમ કામ કરીને પણ કેસો ઘટાડવાના પ્રયાસો કરી રહી છે. આ તમામ પ્રકારના અદાલતોના પ્રયાસો તથા ન્યાયતંત્રના અભિગમોમાં સરકારોનો સહયોગ પણ જરૂરી હોય છે. કેન્દ્ર અને રાજ્યસરકારો જો અદાલતોના ઈન્ફ્રાસ્ટ્રકચર અને સિસ્ટમના આધુનિકરણ, ડિજિટાઈઝેશન તથા અદ્યતન સિસ્ટમો માટે હજુ પણ વધુ ઝડપી અને પર્યાપ્ત ફંડીંગ કરે તથા લોજીસ્ટિક સપોર્ટ પૂરો પાડે, તો દેશમાં સરળ-ઝડપી અને સસ્તો ન્યાય મળવા લાગે અને કેસોનો નિકાલ પણ ઝડપી બને.
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે પણ અદાલતોમાં કેસોના ભરાવા અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું અને દેશની અદાલતોમાં કરોડોની સંખ્યામાં કેસોના ભરાવા અંગે સરકારનો રોડ-મેપ જણાવ્યો. અમદાવાદમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન ન્યાયમાં વિલંબ અને કરોડો કેસોના ભરાવાનો મુદ્દો વિસ્તૃત રીતે ચર્ચાયો, તે દરમિયાન મેઘવાલે કેસોના ઝડપી નિકાલ માટે ઈ-કોર્ટ, ફેઝ-૩ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેસોની સુનાવણી ઝડપી બનાવવાની દિશામાં રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ રહેલા પગલાંની વિગતો આપી હતી.
મેઘવાલે આ ઉપરાંત મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા એજિંગ એનાલિસિસ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત પણ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે અદ્યતન ટેકનોલોજી અને નવીનત્તમ સિસ્ટમોના સમન્વયથી આગામી સમયમાં પેન્ડીંગ કેસોમાં ઝડપથી ઘટાડો જોવા મળશે. અમદાવાદમાં કેસોના ભરાવાના સંદર્ભે તેમણે દેશવ્યાપી કેસોના ભરાવાના સંદર્ભે તેમણે દેશવ્યાપી નૂતન અભિગમની વિગતો આપી હતી.
તાલુકા-જિલ્લા કક્ષાથી સુપ્રિમ કોર્ટના સ્તરે જુના પેન્ડીંગ કેસોનો તત્કાળ ઉકેલ લાવવા સરકાર દ્વારા એક ખાસ 'એજિંગ એનાલિસિસ સિસ્ટમ' શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ સૌથી જુના કેસોનું વર્ગિકરણ કરીને ૧૦ વર્ષ, ર૦ વર્ષ, ૩૦ વર્ષ જુના કે તેથી જુના કેસોની યાદી બનાવાશે અને તેને ટોપ પ્રાયોરિટી આપીને તેનો નિકાલ કરવામાં આવશે, તેવો કેન્દ્રિય મંત્રીનો દાવો વાસ્તવમાં કેટલો અથાર્થ ઠરે છે, તે જોવાનું રહે છે...
મેઘવાલે એડીઆરના માધ્યમથી પણ પેન્ડીંગ કેસોમાં ઝડપભેર ઘટાડો લાવવાની ચાલી રહેલી પ્રક્રિયા પર પ્રકાશ પાડ્યો હતો. એડીઆર એટલે અલ્ટરનેટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન...
લોકઅદાલતો અને મીડિયેશન અથવા મધ્યસ્થતા જેવા ઉપાયો સતત ચાલુ રાખીને જુના કેસોનો સૌહાર્દપૂર્ણ નિકાલ થયા પછી અપીલોનું પ્રમાણ ઘટે છે અને જુના-નવા કેસોનો ઝડપી ઉકેલ આવી જતા પેન્ડીંગ કેસોનું પ્રમાણ ઘટે છે. તે ઉપરાંત હવે ઈન્ટરનેટ યુગમાં આધુનિક તકનીકી (અદ્યતન ટેકનોલોજી) નો ભરપૂર ઉપયોગ કરવા માટેનું ઈન્ફ્રાસ્ટ્રકચર પણ વિસ્તરી રહ્યું હોવાનો દાવો કરતા મેઘવાલે ઈ-કોર્ટના અભિગમમાં ત્રીજા તબક્કા અંતર્ગત પેપરલેસ પ્રોસીઝર્સના કારણે ન્યાય સસ્તો અને ઝડપી બનશે, તેવો સંકેત પણ આપ્યો હતો. એ.આઈ.ના પ્રયોગ સાથ ડિજિટલ પ્લેટફોર્મના કારણે વકીલો તથા અરજદારો ઓનલાઈન માધ્યમથી ઝડપથી જોડાઈ શકશે. આ તમામ પ્રકારના સહિયારા પ્રયાસોથી પેન્ડીંગ કેસોનું ભારણ નોંધપાત્ર રીતે ઘટી જશે તેવો કેન્દ્રિય મંત્રીનો આશાવાદ વાસ્તવિક હકીકત બને, તેવું ઈચ્છીએ...
આ તમામ પ્રયાસોમાં બારને સક્રિય રીતે સાંકળવામાં આવી રહ્યું છે, તો સરકારના કાયદા વિભાગ અનેે ન્યાયતંત્ર વચ્ચે તાલમેલ વધારીને અદાલતોના સંકુલોનું આધુનિકરણ અને નવીનિકરણ પણ થઈ રહ્યું હોવાના કારણે હવે પેન્ડીંગ કેસોના નિકાલ સાથે અદાલતો સુધી પહોંચે તે પહેલા જ કેટલાક નાના-મોટા કેસોનો સુખદ અને સમાધાનકારી ઉકેલ આવી જાય, તે માટે આપણી પ્રાચીન ન્યાયપ્રણાલીઓનો અભ્યાસ કરીને નૂતન અભિગમો અપનાવી શકાય છે.
જો કે, જુના કેસોને ટોપ પ્રાયોરિટી આપીને તેનો નિકાલ કરવાની સાથે સાથે નવા કેસોના નિકાલ કે ઉકેલ લાવવાની ગતિ પણ વધારવી પડે તેમ છે, અન્યથા જુના કેસોના નિકાલ થાય, પરંતુ નવા કેસોનો નવેસરથી ભરાવો થતો જાય, તેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે, તેથી જાગ્યા ત્યારથી સવાર... જુના કેસોનો નિકાલ, નવા કેસોના ઉકેલમાં ઝડપ, કેસોમાોં સંભવતઃ સમાધાનના પ્રયાસો અને નાના-મોટા કેસોનો ભરાવો અટકાવવા નવો અભિગમ જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ અને પરિણામો આવ્યા પછી હવે પદાધિકારીઓની બદલી થઈ રહી છે અને હાલારની ત્રણ નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં મહત્તમ નગરપાલિકાઓમાં ભાજપનો પરચમ લહેરાયો છે, પરંતુ હાલારની ત્રણ નગરપાલિકામાંથી બે નગરપાલિકામાં કોંગ્રેસ અને એક નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે, જો કે જામનગર મહાનગરપાલિકામાં ફરીથી ભારતીય જનતા પક્ષને જનાદેશ મળ્યો છે, અને તના પદાધિકારીઓની પણ ટૂંક સમયમાં ચૂંટણી (વરણી) થવાની છે.
ગઈકાલેે હાલારની ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરીને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિમાયેલા પદાધિકારીઓને બિરદાવાયા અને તેઓનું અદકેરૂ સન્માન કરાયું, તથા કેટલાક અન્ય હોદ્દેદારોની વરણી પણ થઈ.
આ સાથે જ હવે વહીવટદારના શાસનની સમાપ્તિ થશે અને નવી બોડી પદભાર સંભાળી લેશે, અન હવે નગરજનો પણ પોતાની સમસ્યાઓ ઉકેલાય અને અપેક્ષાઓ ઝડપથી સંતોષાય, તેવી અપેક્ષા રાખશે.
હાલારની ત્રણ નગરપાલિકાઓમાંથી બે નગરપાલિકાઓમાં મહિલા પ્રમુખો વરાયા છે, અને એક નગરપાલિકામાં મહિલા ઉપપ્રમુખ વરાયા છે. આમ, ૬ પદાધિકારીઓમાંથી ત્રણ મહિલા પદાધિકારીઓ નિમાયા છે. ગુજરાતમાં પ૦ ટકા મહિલા અનામતના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અડધોઅડધ મહિલા પદાધિકારીઓ પણ સત્તામાં સક્રિય ભાગીદાર હશે અને તેથી મહિલાઓના મુદ્દાઓ તથા ઘરલુ સમસ્યાઓને પ્રાધાન્ય મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને અનામતનો લાભ મળતા તેેઓ પદાધિકારી તરીકે નિમાય જાય, તે પછી તેઓ ૧૦૦ ટકા સ્વયં સક્રિય રીતે સહભાગી બને તો જ મહિલાઓને અનામત આપવાનો ઉદ્દેશ્ય મૂળભૂત સ્વરૂપે સિદ્ધ થઈ શકે, તેથી મહિલાઓ પોતે જ સક્રિય રીતે સહભાગી બનીને સત્તા અને સંચાલનમાં સક્રિય રહે અને પોતાના પતિ કે અન્ય કોઈપણ પરિવારજનને પોતાના વતી પરોક્ષ રીતે સત્તા ભોગવવાની તકો ન આપે, તે અત્યંત જરૂરી છે, અન્યથા અનામતનો અસલ ઉદ્દેશ્ય જ માર્યો જશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પચાસ ટકા મહિલા અનામત લાગુ થયાને એક દાયકાથી વધુ સમય થયો, પરંતુ હજુ ઘણાં સ્થળે ચૂંટાયેલા કે વરાયેલા મહિલા પદાધિકારીઓની સત્તા પરોક્ષ રીતે તેણીના પતિદેવ કે પછી અન્ય કોઈ પુરુષ પરિવારજન જ ભોગવતા હોય છે, અને તેને સાંકળીને જ થોડા વર્ષો પહેલા કદાચ વડાપ્રધાને એસ.પી. (સરપંચ પતિ) જેવો કટાક્ષ કર્યો હતો. આ સ્થિતિ નિવારવા ચૂંટાયેલા મહિલા પદાધિકારીઓના પરિવારજનોએ જ સ્વયં શિસ્ત જાળવીને મહિલા પદાધિકારીઓને સ્વતંત્ર રીતે તેઓની ફરજો બજાવવા દેવી જોઈએે અને તે માટે સચવયં માર્ગદર્શન અને પ્રેરણા આપીને મજબૂત પીઠબળ પૂરૃં પાડવું જોઈએ. આ માટે રાજકીય પક્ષો તથા સ્થાનિક અગ્રણીઓએ પણ ખુલ્લા દિલે મહિલા પદાધિકારીઓને સપોર્ટ કરવો જોઈએ. માત્ર મહિલા પદાધિકારીઓ જ નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટાયેલા તમામ મહિલાઓએ પોતે જ સંસ્થાકીય સંચાલન, મિટિંગો તથા સંસ્થાકીય અને સરકારી કામોમાં હાજર રહીને સક્રિય ભૂમિકા અદા કરવાનો આગ્રહ રાખવો જ જોઈએ.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે તાલુકા-જિલ્લા પંચાયતો અને નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં નવા શાસકોએ હવે ચૂંટણી ટાણે કરેલા વાયદાઓ પૂરા કરવાના પ્રયાસો આદરી દેવા પડશે અને લોકોની મૂળભૂત સમસ્યાઓ ઉકેલીને અપેક્ષાઓ પણ સંતોષવી પડશે.
ખંભાળિયામાં સમસ્યાઓના કાયમી ઉકેલ માટે ચોક્કસ રણનીતિ ઘડવી પડશે, અને કેટલીક કાયમી સ્વરૂપની સમસ્યાઓ ઉકેલવા માટે અગ્રતાક્રમે પગલાં લેવા પડશે, તે ઉપરાંત ચૂંટણી પ્રચાર દરમિયાન અપાયેલા વચનો પૂરા કરવાને પ્રાયોરીટિ આપવી પડશે. ખાસ કરીને અવારનવાર ઊઠતી ભ્રષ્ટાચાર તથા નબળી ગુણવત્તાના કામો અંગે ઊઠતી રહેતી ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કરીને જરૂરી 'સાફસુફી' પણ કરવી પડે તેમ છે. નગરની જુની સમસ્યાઓ તથા અણઘડ વિકાસ પ્રક્રિયામાંથી ઉદ્ભવતી નવી નવી સમસ્યાઓ ઉકેલવાને પ્રાયોરીટિ આપવી પડશે.
જામ-રાવલમાં તો પહેલેથી જ અલગ જ પ્રકારનું રાજકારણ ખેલાતું રહ્યું છે. આ વખતે તોતિંગ બહુમતી કોંગ્રેસને મળી હોવા છતાં ત્યાં કોંગ્રેસના નક્કી કરેલા ઉમેદવાર સામે વિદ્રોહ થાય અને કોંગ્રેસે નક્કી કરેલા ઉમેદવાર સામે પ્રમુખપદે ફોર્મ ભરાય, તથા ચૂંટણી કરવી પડે, તે સ્થિતિ રાવલની અલગ જ પ્રકારની સ્થાનિક રાજનીતિની ગવાહી પૂરે છે. જો કે, આ વિદ્રોહ સફળ થયો નહીં અને કોંગ્રેસના જ ઉમેદવાર પ્રમુખપદે બિરાજ્યા, પરંતુ આ પ્રકારની સખળ-ડખળ હજુ પણ ચાલતી જ રહેશે, તેવું લાગે છે. આમ પણ રાવલને નગરપાલિકા મળી, ત્યારથી જ અસ્થિરતા રહી છે અને જેને બહુમતી મળી હોય, તેવા પદાધિકારીઓને અધવચ્ચેથી સત્તા ગુમાવી પડી હોય, તેવી ઘટનાઓ અવારનવાર બની છે. ગત્ ચૂંટણીમાં તો ભાજપ-કોંગ્રેસને હરાવીને સત્તા પર આવેલ એક ગ્રુપ પછીથી ભાજપમાં ભળી ગયું હતું, અને આ વખતે પણ પહેલા કોળિયે માખીની કહેવતની જેમ પ્રારંભે જ બળવો થયો હોય, તો તે ઠીક ગણાય નહીં. નવા શાસકો હવે રાજકીય કાવાદાવાના બદલે સમસ્યાઓ ઉકેલવા અને ભ્રષ્ટાચારથી મુક્ત વહીવટ કરવાને અગ્રતા આપશે, તેવી અપેક્ષા નગરજનોને હશે, અને તેવી જ અપેક્ષા સિક્કા નગરપાલિકાના નવા શાસકો પાસેથી ત્યાંના નગરજનોને રહેશે. લોકોના મન જીતવાની આ સોનેરી તક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
યાત્રાધામ દ્વારકાની છેલ્લા બે દાયકામાં કાયાપલટ થઈ ગઈ છે. પ્રવાસન નિગમ, યાત્રાધામ વિકાસબોર્ડ અને રાજ્ય-કેન્દ્ર સરકારો દ્વારા યાત્રાધામ દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર સહિતના હાલારના યાત્રાધામો, પવિત્ર ધામો અને નાના-મોટા તીર્થસ્થળોના વિકાસ, યાત્રિકોની સુવિધાઓ તથા વિવિધ મેગા પ્રોજેક્ટો તથા યોજનાઓ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરાયો છે, જેથી આશા એવી હતી કે યાત્રાધામોની સિકલની સાથે સાથે જવાબદાર શાસકો અને તંત્રોની માનસિક્તા પણ બદલાઈ ગઈ હશે, પરંતુ કમભાગ્યે તેવું કાંઈ થયું હોય તેેમ જણાતું નથી, અને 'હોતી હૈ ચલતી હૈ'ની માનસિક્તા તથા જવાબદારીઓની ફેંકાફેંકી કરવાની સરકારની મનોવૃત્તિ હજુ બદલી જ નથી, પણ યાત્રિકો, પ્રવાસીઓ, મુલાકાતીઓ, દર્શનાર્થીઓની મૂળભૂત વ્યવસ્થાઓ હંમેશાં અવિશ્વસનિય, અણઘડ અને બોદી જ રહેે છે. કેટલાક અપવાદોનેે બાદ કરતા દાયકાઓ જુની રીઢી માનસિક્તાઓ હજુ બદલી જ નથી, જેથી અવારનવાર અનિચ્છિનિય ઘટનાઓ તથા દુર્ઘટનાઓ સર્જાતી રહે છે.
યાત્રાધામ દ્વારકામાં ગોમતી સ્નાન કરતા બે યુવાનો તણાયા અને એક યુવકનો જીવ ગયો, તે ઘટના સ્થાનિક શાસકો, તંત્રો અને અહીં સ્નાનાર્થે તથા દર્શનાર્થે આવતા યાત્રિકો-દર્શનાર્થીઓ માટે પણ આંખ ઉઘાડનારી છે. આ પ્રકારની દુર્ઘટના થયા પછી થોડી-ઘણી સાવચેતીઓ રખાય, વ્યવસ્થાઓ સુધારાય, અને 'જૈસે થે' થઈ જતું હોય છે.આ જ સ્થળે અવારનવાર સ્નાન કરવા જતા ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટના આ પહેલા પણ ઘણી વખત બની હોવા છતાં અહીં રાઉન્ડ ધ ક્લોક રેસક્યુ ટીમ કે તરવૈયાઓની વ્યવસ્થા પણ જો થઈ શકતી ન હોય, તો મોટા મોટા સુશોભિત સંકુલો અને રૂડા-રૂપાળા ઝળહળતા સ્થળો સહિત વિકાસના માચડા ઊભા કરવાનો કોઈ અર્થ ખરો?
યાત્રાધામ દ્વારકામાં ગોમતીજીમાં સ્નાન કરવાનું મહત્ત્વ ગંગા-યમુના-નર્મદા સહિતની પવિત્ર નદીઓમાં સ્નાન જેટલું જ મહત્ત્વપૂર્ણ અને કેટલાક તહેવારો-ધાર્મિક પ્રવૃત્તિઓના સમયે ગોમતી સ્નાનનું વિશેષ મહાત્મય હોવાથી અહીં બારેય માસ મોટી સંખ્યામાં યાત્રિકો સ્નાન માટે આવતા હોય, ત્યારે દરિયા સાથે જોડાયેલા ગોમતીજી અને દરિયાના સંગમ સ્થળ સહિત ગોમતીજીના તમામ ઘાટો તથા સંલગ્ન દરિયા કિનારે યાત્રિકો-સ્નાનાર્થીઓની સુરક્ષા-સલામતિ માટે કાયમી અને રાઉન્ડ ધ ક્લોક સંપૂર્ણ વ્યવસ્થાઓ અનિવાર્ય છે.
ગોમતીજીના કાંઠે સ્નાન કરવા જતા લોકોએ પણ સાવધ રહેવું જોઈએ, કારણ કે અન્ય યાત્રાધામોની એક તરફ જ વહેતી નદીઓ જેવું દ્વારકાની ગોમતી નદીનું વહેણ નથી. અહિં દરિયાની ભરતી અને ઓટ સીધી અસર કરતી હોવાથી અહીં ભલભલા તરવૈયાઓની તણાઈ જવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે, તેથી અહીં પવિત્ર સ્નાન શાંતિથી અને સલામત રીતે કરીને નીકળી જવાનું સલામત રહે છે, અને તે દરમિયાન ગોમતી કાંઠાના છીછરા પાણીમાંસ્નાન કરવું વધુ હિતાવહ રહે છે. અહીં લાંબી સાંકળોની વધુ વ્યવસ્થા કરીને ફ્લોટીંગ બાઉન્ડ્રી બાંધવી જરૂરી છે, જેથી ભરતી અને ઓટ વખતે તે સ્થિતિ સ્થાપક બાઉન્ડ્રીને નાની-મોટી કરીને યાત્રિકોની સુરક્ષા અને સલામતિ વધુ સુનિશ્ચિત કરી શકાય.
થોડા વર્ષો પહેલા ગોમતીકાંઠે તથા દરિયાકાંઠે સલામતિ-સુરક્ષા માટે વધુ કાળજી લેવાતી હતી અને ગોમતીઘાટો પાસે લાંબી ફ્લોટીંગ સાંકળો પકડીને સ્નાનની વ્યવસ્થા વધુ વિસ્તારવાની વાતો થઈ હતી, પરંતુ 'માનસિક્તા'ના પ્રભાવ હેઠળ ફરીથી 'જૈસે થે' થઈ ગયું અને બેદરકારી વધી ગઈ હોય તેમ જણાય છે.
ગોમતીકાંઠે સ્નાન પછી મહિલાઓ વસ્ત્ર ચેઈન્જ કરી શકે (કપડા બદલી શકે) તે માટેની સુવિધાઓ વિસ્તારવાની વાતો પણ થઈ હતી, તે ઉપરાંત સેનિટેશન, ઠેર-ઠેર પીવાનું શુદ્ધ પાણી અને માર્ગદર્શન કેન્દ્રોની વાતો થઈ હતી, પરંતુ ઠેર-ઠેર તેવું કાંઈ થયું નહીં અને હવે તો બધું જ મોંઘા ભાવે 'વેંચાતું' લેવું પડે તેવી હાલત થઈ ગઈ હોવાની ફરિયાદો ઊઠતી રહે છે.
આ પહેલા વર્ષ ર૦રપ માં જૂન મહિનામાં પણ સાત લોકો ડૂબ્યા હતાં અને ર૧ મી મે ના દિવસે ત્રણ તીર્થયાત્રીઓ ડૂબવા લાગ્યા હતાં, જેમાંથી કેટલાક કમભાગી યાત્રિકોના મૃત્યુ પણ થયા હતાં, અને તે સમયે પણ અહીં ર૪ કલાક રેસ્ક્યુ ટીમોની માગણી ઊઠી હતી અને જોખમી ઢબે સ્નાન કરવા જતા યાત્રિકોને ચેતવવા અથવા અટકાવવા માત્ર બોર્ડ લગાવીને કે સૂચનાઓ આપવાના બદલે ગોમતીકાંઠે સંભળાય તેવી રીતે પી.એ. (પબ્લિક એડ્રેસ) સિસ્ટમથી સતત સૂચનાઓ પ્રસારિત થતી રહે, ગોમતીજીમાં સાંકળો બિછાવીને બાઉન્ડ્રીમાં જ સાંકળ પકડીને યાત્રિકો સ્નાન કરે, તેવી ફૂલપ્રૂફ વ્યવસ્થા કરવા અને જોખમી સ્નાન અટકાવવા સતત પહેરો ગોઠવવાની જરૂર જણાવાઈ રહી છે.
દ્વારકાની દુર્ઘટનાઓ તથા અન્ય નદી-જળાશયો-તળાવો-સરોવરો-નહેરો કે દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ માટે કોને જવાબદાર ગણવા, તેવો પ્રશ્ન કાયમ ઊઠતો રહે છે. સંબંધિત શાસકો આ માટે બહુ ગંભીર નથી, તંત્રો પરિપત્રો કે ગાઈડલાઈન્સ જાહેર કરીને અને બહુ બહુ તો ચેતવણીના બોર્ડ લગાવીને કે જાહેરનામા પ્રસિદ્ધ કરીને સંતોષ માને છે અને ડૂબનારા લોકો પૈકી મોટાભાગના લોકો પોતે જ પૂરતી કાળજી રાખતા નથી અને ચેતવણીઓને અવગણે છે. ઊંડા પાણીમાં નહાવા જતા અટકાવનાર જવાનો સાથે તકરારો પણ ઘણાં લોકો કરતા જોવા મળે છે. હકીકતે તે યોગ્ય નથી, તો ફરજ પરના જવાનોએ પણ યાત્રિકો-દર્શનાર્થીઓ સાથે સંયમિત અને શિસ્તબદ્ધ રીતે વર્તતા અન્ય સાથીદારોને અનુસરવું જોઈએ. એકંદરે આ સહિયારી જવાબદારીઓ છે, પરંતુ કોઈ પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર જ નથી!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે ભારતમાં વિક્રમ સંવત મુજબ અધિક મહિનો ચાલી રહ્યો છે, જેને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. અધિક મહિનો પવિત્ર ધર્મકાર્યો અને દાન-પુણ્ય ઉપરાંત પડકારરૂપ પણ હોવાનું કહેવાય છે. અધિક મહિનાને લઈને ઘણી માન્યતાઓ, કથાઓ અને રિવાજો પ્રચલીત છે, તો અધિક મહિનાનેે સાંકળીને 'દુષ્કાળમાં અધિક માસ' જેવી કહેવતો પણ ઘણી છે.
એક તરફ આ વર્ષે અલનીનોના કારણે ચોમાસું નબળું જશે, તેવી આગાહીઓ થઈ રહી છે, તો બીજી તરફ ઈન્ડિયન ઓશન પોલના કારણે ભારતમાં અલનીનોની અસર ઓછી થશે, તેવો આશાવાદ પણ જણાવાઈ રહ્યો છે.
'દુષ્કાળમાં અધિક માસ'ની કહેવતની જેમ જ વૈશ્વિક ઉથલપાથલો વચ્ચે ઈરાન-અમેરિકા વચ્ચે હવે મહાયુદ્ધના મંડાણ ફરીથી થાય, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મૂળ જેના કારણે યુદ્ધમાં અમેરિકા ધકેલાયું, તે ઈઝરાયલ હવે બાજુ પર રહી ગયું છે અને અમેરિકા-ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે આ યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધની બુનિયાદ બનશે કે કેમ? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.
આ મુદ્દે વૈશ્વિક વિશ્લેષકો, ગ્લોબલ મીડિયા અને તદ્વિષયક નિષ્ણાતો વચ્ચે મત-મતાંતરો છે. કોઈ એમ કહે છે કે બદલાયેલા સંજોગોમાં અને ચીન-રશિયા સાથે ટ્રમ્પના થોડા બદલાયેલા વલણો જોતા ત્રીજુ વિશ્વયુદ્ધ જ ફાટી નીકળે તેવી સંભાવના થોડી ઘટી રહી છે અને ઈરાન-અમેરિકા વચ્ચે લિમિટેડ (વિશ્વયુદ્ધ નહીં, પરંતુ દ્વિપક્ષીય) મહાયુદ્ધની સંભાવના ઊભી થવા લાગી છે. ટ્રમ્પની ચીનની મુલાકાત પછી તાઈવાનને લઈને તેના બદલેલા સૂર જોતા એવું લાગે છે કે, રશિયા-ચીન અને અમેરિકા હવે પરસ્પર ટકરાવાના બદલે પોતપોતાના દેશો તથા ટ્રમ્પ પોતાના કેટલાક 'ગુપ્ત' હિતોને પ્રાથમિક્તા આપી રહેલા દેખાય છે. યુક્રેને રશિયા પર આક્રમક હુમલો કર્યા પછી રશિયા-યુક્રેન યુદ્ધ પણ હવે પુનઃ વેગ પકડશે, તેવું જણાય છે, તો બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે પણ બેકચેનલ વાટાઘાટો ચાલી રહેલી હોવાના અહેવાલો પછી વૈશ્વિક સમિકરણો ધળમૂળથી બદલાઈ રહ્યા હોય તેમ જણાય છે. પાકિસ્તાને બલુચિસ્તાન લગભગ ગુમાવી જ દીધુ છે, અને પાકિસ્તાનની સેનાનું બલુચિસ્તાન પર ઘણું જ ઓછું નિયંત્રણ રહ્યું છે, તેવા અહેવાલો છે. આ તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે પણ સંઘર્ષ વધી રહ્યો છે, અને ઈઝરાયલ-લેબનોનની સરકારો વચ્ચે સમજુતિ છતાં ઈઝરાયલે હિઝબુલ્લાના ઠેકાણાઓ પર હુમલા ચાલુ રાખ્યા છે. આ બધા ઘટનાક્રમો દુનિયાને એક અલગ જ પ્રકારના વર્લ્ડ ઓર્ડર અથવા વૈશ્વિક સમિકરણો તરફ લઈ જાય છે. ટ્રમ્પે લાલ ટોપી પહેરીને કોઈ કડક સંદેશ આપ્યો હોવાનો એ.આઈ. વીડિયો જાહેર થયો તેને પેન્ટાગોન દ્વારા ગૂપચૂપ થઈ રહેલી તૈયારીઓ જોતા એવું જણાય છે કે ઈરાનને મસળી નાખવા અમેરિકા બહુલક્ષી અને વ્યાપક પ્લાન બનાવી રહ્યું છે, તો બીજી તરફ ઈરાને પણ ચેેતવણી આપી દીધી છે કે જો અમેરિકા ફરીથી હુમલા કરશે, તો ઈરાન મિડલ-ઈસ્ટના અમેરિકાના ઠેકાણા અને ટ્રમ્પના મિત્રો (મિત્રદેશો) પર ભિષણ હુમલા કરીને જડબાતોડ જવાબ આપશે.
જો ઈરાન અમેરિકા યુદ્ધ ફરીથી ફાટી નીકળે તો અમેરિકા ઈરાન પાસે રહેલા યુરેનિયમને ટાર્ગેટ બનાવે તો અભૂતપૂર્વ વિનાશ સર્જાય અથવા અમેરિકા યુરેનિયમનો જથ્થો જપ્ત કરવામાં સક્ષમ થાય તો પણ ઈરાન મરણિયા પ્રયાસ તરીકે તેની અડોશ-પડોશના અમેરિકન ઠેકાણા, અમેરિકાએ કરેલી નાકાબંધીના જહાજો અને ખાસ કરીને અમેરિકાના મિત્ર દેશો પર હુમલા કરે તો આ મહાયુદ્ધ કોઈ પણ દિશામાં ફંટાઈ શકે છે, અને તેના પરિણામે આખી દુનિયામાં અફરા-તફરી ફેલાઈ શકે છે. નવા સમિકરણો મુજબ અત્યારે દુનિયાના દેશો ત્રણ ભાગમાં વહેંચાઈ રહ્યા છે, અને તે પૈકી ભારત સહિતના કેટલાક તટસ્થ ગણાતા દેશોની ભૂમિકા પણ તે સમયે મહત્ત્વની બનવાની છે.
સંકટના સમયમાં પડખે ઊભા રહેલા દેશો પોતાના સ્વાર્થે મોઢું ફેરવી લેશ, ત્યારે કેવી સ્થિતિ ઊભી થશે, તેની કલ્પના પણ કંપાવનારી છે, અને આ દરમિયાન ચીન તાઈવાનને ગળી જાય, ભારત પી.ઓ.કે. પાછું મેળવવાના પ્રયાસો કરે કે રશિયા યુક્રેનને મહાત કરવા કોઈ નવો દાવ ખેલે તથા અફઘાનિસ્તાનની તાલીબાનની સરકાર પાકિસ્તાન સરહદો પર દ્વિપક્ષીય વિવાદાસ્પદ સ્થળો મેળવવાની કોશિશ કરે, બીજી તરફ ઈઝરાયલ-હિઝબુલ્લા, હુતી ઉપરાંત હમાસને પરાસ્ત કરવા અને અમેરિકા ગાઝાપટ્ટી સહિતના વિશ્વના નાના-મોટા સરહદી વિવાદો ધરાવતા દેશો કે વેનેઝુએલા જેવા આર્થિક રીતે ફળદાયી પૂરવાર થાય, તેવા દેશો પર કબજો જમાવવાનો પ્રયાસ કરે તો સેેમિ વિશ્વયુદ્ધ, ભીષણ ખંડિય યુદ્ધો કેે પછી પૂર્ણકક્ષાના વિશ્વયુદ્ધની સંભાવનાઓ પણ નકારી શકાય નહીં.
ઈરાન-અમેરિકા યુદ્ધમાં જો બન્ને તરફથી ભીષણ પ્રહારો થાય તો મીડલ-ઈસ્ટમાં ભારે તબાહી મચી જાય, અને સમૃદ્ધ યુરેનિયમ પર ખતરો જણાય, ત્યાર જો ઈરાન છેલ્લા પ્રહાર તરીકે હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ તળિયેથી પસાર થતી ઈન્ટરનેશનલ મહત્ત્વપૂર્ણ કેબલોના નેટવર્કને જ ખતમ કરી નાખે તો દુનિયાના મોટાભાગના દશોમાં ઈન્ટરનેટ ધીમુ પડી જાય, ડિજિટલ વ્યવસ્થાઓ ખોરવાઈ જાય અને સંદેશાવ્યવહારની સુવિધાઓ વેર-વિખેર થઈ જાય, તેવું બની શકે છે, અને એવું બને તો અડધી કે તેથી વધુ દુનિયા ૧૮ મી સદી જેવી સ્થિતિમાં પહોંચી શકે છે, કારણ કે અત્યારની દુનિયા પેટ્રોલ-ડીઝલ, ગેસ, ઊર્જા, સંદેશાવ્યવહાર, ઈન્ટરનેટ અન અદ્યતન ટ્રાન્સપોર્ટેશન-ટ્રાવેલીંગ પર જીવી રહી છે, અનેે આ બધું ખોરવાઈ જાય તો ૧૮ મી સદી કરતાયે વધુ પાછળ દુનિયા ધકેલાઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવો વધ્યા પછી હવે એલપીજી અને પીએનજીમાં પણ ભાવવધારો થવાની સંભાવનાઓ વધી રહી છે, જો કે રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગમાં કદાચ બહુ વધારો હાલતુરત નહી થાય, પરંતુ જો પ. એશિયામાં તંગદિલી વધે અને હોર્મુઝ બંધ જ રહે તો તમામ પ્રકારના ઈંધણની તીવ્ર વૈશ્વિક તંગી લાંબાગાળે અણકલ્પ્ય સ્થિતિ પણ ઊભી થઈ શકે છે, અને તેથી જ ચેતતા નર સદા સુખી...
એક ઠંડાપીણાની એડમાં 'જોરોં કા ધક્કા ધીરે સે લગે...' જેવા કાંઈક શબ્દપ્રયોગો કરાયા છે, અને અત્યારે સરકાર કાંઈક એવું જ કરી રહી છે. પેટ્રોલિયમ પદાર્થોના ભાવોમાં ધીમે ધીમે વધારો કરાશે જેથી જનતાને એક સાથે 'જોરોં કા ધક્કા' લાગે નહીં અને ક્રમશઃ ભાવ વધારાની સાથે સાથે પુરવઠો જાળવી રાખવા માટે કરકસર કરવાને જનઆંદોલનનું સ્વરૂપ આપીને એકંદરે ડિમાન્ડમાં ક્રમશઃ ઘટાડો આવે, તેવી રણનીતિ અપનાવાઈ રહી છે.
વડાપ્રધાનની અપીલને માન આપીનેે ઘણી રાજ્ય સરકારોએ કોમન પુલની સિસ્ટમ અપનાવવા તથા પેટ્રોલ-ડીઝલ-સીએનજીના ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરવાની જાહેરાતો કરી છે તથા સુરક્ષા કાફલાઓમાં કાપ મૂક્યો છે. સુપ્રિમ કોર્ટે પણ અનુસંધાન લીધુ છે, તો મિટિંગો, સેમિનારો અને મેળાવડાઓના સ્થાને વર્ચ્યુલ બેઠકો, વેબિનારો તથા ઓનલાઈન ગેધરીંગના કોરાનાકાળના અનુભવોને દોહરાવાઈ રહ્યા છે, અને તે સમયની માગ પણ છે.
સરકાર તરફથી પબ્લિકને કારપુલીંગ કરવા એટલે કે એક જ કારમાં એક દિશામાં જતા પરિવારજનો અવર-જવર કરે અને દ્વિચક્રી તથા ફોરવ્હીલર્સનો ઉપયોગ ઘટાડે તથા સાર્વજનિક વાહનો અને મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધારે, સિટી બસોમાં સ્થાનિક પરિવહન કરે તે પ્રકારનો અનુરોધ કરાઈ રહ્યો છે, અને જુદા જુદા પ્લેટફોર્મ પરથી વિવિધ મહાનુભાવો દ્વારા અપીલો કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર સહિતના મહાનગરોમાં ઈલેક્ટ્રીક સિટીબસો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવીને દ્વિચક્રી વાહનો તથા ફોરવ્હીલર્સનો ઉપયોગ ઘટાડવાના શ્રેણીબદ્ધ કદમ ઊઠાવી શકાય તેમ છે. જામનગરમાં ટૂંક સમયમાં રપ નવી ઈલેક્ટ્રીક સિટીબસો ફરતી થશે, તેવી જાહેરાત પણ થઈ છે અને આ બસોનું સંચાલન જનમાર્ગ ફાઉન્ડેશન કરશેે. આ ફાઉન્ડેશનમાં મહાનગરપાલિકા તથા જિલ્લા તંત્રના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. પી.એમ-ઈ બસ પ્રોજેક્ટ હેઠળ મળનારી પ૦ ઈલેક્ટ્રીક બસો નગરમાં દોડતી થશે, તેવી જાહેરાત પણ થઈ છે, ત્યારે સિટીબસો તરફ ટ્રાફિક વળે અને ખાસ કરીને પોતાના દ્વિચક્રી વાહનો જ્યાં ફોરવ્હીલરના વિકલ્પે તમામ લોકો સિટીબસોનો ઉપયોગ કરતા થાય તે માટે પણ ચોક્કસ પોલિસી ઘડવી પડે તેમ છે.
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સંપન્ન થઈ છે, અને નવા પદાધિકારીઓ સત્તા સંભાળનારા છે, ત્યારે પ્રારંભમાં વર્તમાન ગ્લોબલ ક્રાઈસીસને લક્ષ્યમાં લઈને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા થોડાક મહિનાઓ માટે ફ્રી ઈલેક્ટ્રીક બસ સેવાનો નગરવ્યાપી પ્રયોગ કરવા જેવો છે. તે પછી પણ મહિલાઓ માટે ફ્રી તથા વિદ્યાર્થીઓ-નોકરિયાતો માટે કન્સેસન (નજીવા દરે) સિટીબસ સેવાની ખૂબ જ નિયમિત તથા સુવિધાજનક અને વિશ્વસનિય સેવાઓ અપાય, તો તે બહુહેતુક પૂરવાર થઈ શકે છે.
જામનગર સહિત રાજ્યના મહાનગરોમાં વધુમાં વધુ સુવિધાઓ અને ઝડપી ઈલેક્ટ્રીક સિટીબસો દોડાવીને તેમાં ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, પ્રોફેસરો, નેતાઓ પોતાના વાહનોનો આ વૈશ્વિક કટોકટી ખતમ થાય, ત્યાં સુધી ઉપયોગ મોટા પ્રમાણમાં ઘટાડે અને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો થતો જાય, તેવી પ્રેરણા આપતા સ્વૈચ્છિક અભિયાનો આદરવા જેવા છે.
જામનગરમાં હાલમાં જે સિટીબસ સેવા ખોડંગાતી ખોડંગાતી ચાલે છે, તેની પાછળ પૂર્વ શાસકોની ઈચ્છાશક્તિનો અભાવ જણાતો હતો, હવે જ્યારે આયોજનપૂર્વક સિટીબસ સેવાનો વિસ્તાર કરાઈ રહ્યો હોય તો નવા શાસકો ઈલેક્ટ્રીક સિટીબસો સમગ્ર શહેરને તથા પડોશી ગામોને આવરી લઈને દોડાવે અને લોકલ પરિવહનને મહત્તમ રિસ્પોન્સ મળે, તેવી આશા સામાન્ય જનતાને જાગી છે, ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં કામ-ધંધો-અભ્યાસ-પારિવારિક સામાજિક અને વ્ય્વહારિક કામે પોતાના દ્વિચક્રી વાહનો તથા ફોરવ્હીલર્સનો ઉપયોગ કરતા લોકો પણ આ સિટીબસોમાં જ હાલતુરત પ્રવાસ કરેે અને પેટ્રોલ-ડીઝલની, સીએનજીની બચત થાય, તેવું અભિયાન આદરીને તેની શરૂઆત શાસક પક્ષોના નેતાઓ-કાર્યકરોથી જ થાય, તો તે આવકારદાયક છે. જો એવું થશે તો ડ્રામેબાજી અને દંભ થઈ રહ્યો હોવાના આક્ષેપોનો જવાબ પણ આપી શકાશે, પણ...?!
એવું કહેવાય છે કે જામનગરમાં સિટીબસો ખોટમાં ચાલે છે અને કરાર મુજબ કોન્ટ્રાક્ટરને નિયત કરેલી રકમ દર મહિને ચૂકવાતી જ હશે. હાલમાં તો આમ પણ મોટાભાગે નિષ્ફળ ગયેલી સિટીબસ સેવાની કોન્ટ્રાક્ટ બેઈઝ વ્યવસ્થાના સ્થાને વિસ્તૃત અને ઓર્ગેનાઈઝ્ડ સિટી બસ સેવા ચાલુ થાય, તો તે આવકારદાયક જ રહેશે.
જો કે, સિટીબસોના પ્રારંભે તેના તરફ લોકોને વાળવાનો મોટો પડકાર રહેવાનો છે, કારણ કે શહેરમાં ઓટો રિક્ષાઓ પણ દોડે છે, તેથી તેઓના હિતો જાળવીને ઈલેક્ટ્રીક રિક્ષાઓનું પ્રમાણ વધારવાની પોલિસી પણ અલગથી નક્કી કરવી પડે તેમ છે.
સિટીબસો તરફ લોકોને વાળવા દાયકાઓ પહેલા હતી તેવી સમયબદ્ધ અને નિયમિત સિટીબસ સેવાઓ એસ.ટી. નેટવર્કની જેમ જ શરૂ કરવી પડશે અને તેની નિયમિત સમીક્ષા તથા સ્ટેક હોલ્ડર્સ, પ્રવાસીઓ તથા ખાસ કરીને બુદ્ધિજીવી વર્ગ, ગરીબ-મધ્યમ વર્ગો સહિત નગરજનોના પ્રતિાવો તથા સૂચનો સરળતાથી મેળવીને તેના આધારે સુધારા-વધારા કરતા રહેવા જરૂરી બનવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે જુની ફિલ્મો તથા તદ્વિષયક અર્વાચીન ધાર્મિક સિરિયલોમાં રાવણ, કંસ, હિરણકશ્યપુ, મહિષાસુર જેવા રાક્ષસોને અટ્ટહાસ્ય કરતા, પોતાને સર્વાધિક શક્તિશાળી અને અન્યોને તુચ્છ માનતા તથા અત્યંત અહંકાર અને આડંબરમાં પોતાને જ છેતરતા જોયા હશે. આજના યુગમાં પણ આ જ પ્રકારના કેટલાક આસૂરી મનોવૃત્તિના તૂંડમિજાજીઓ મોજુદ છે. દુનિયામાં હલચલ મચી જાય અને શાંતિના આંચળા હેઠળ વૈશ્વિક અશાંતિ ફેલાય જાય અને તેના આવરણ હેઠળ પોતાનો ઉલ્લુ સીધા થઈ જાય તેવા પ્રયાસો કરતા કેટલાક દેશોના દિગ્ગજોને જ્યારે સણસણતો તમાચો પડે કે ઘમંડ ઉતરી જાય, તેવી ઘટનાઓ બને, ત્યારે આ પ્રકારની માનસિક્તા ધરાવતા તાનાશાહો રાતોરાત કાચીંડાને પણ શરમાવે તેવી રીતે બદલતા જોવા મળતા હોય છે. આ પ્રકારના 'દિગ્ગજો' બીજા દેશોમાં જ છે, તેવું નથી, આપણા દેશમાં પણ સિંહનું મહોરૂ પહેરીને ફરતા કેટલાક નિશાળીયા મોજુદ છે, અને તે માત્ર રાજકીય નહીં, અન્ય સેક્ટર્સમાં પણ બુઠ્ઠી તલવાર લઈને ફાંકેબાજી કરતા ફરી રહ્યા છે. આ પ્રકારના દિગ્ગજો દરેક કક્ષાએ, દરેક સંગઠનો અને પક્ષ-પાર્ટી-સંસ્થાઓમાં હોય છે, અને તે સૌ કોઈ જાણે જ છે.
અમેરિકાને અર્વાચીન લોકતાંત્રિક વ્ય્વસ્થાઓમાં સૌથી જુનો લોકતાંત્રિક દેશ ગણવામાં આવે છે અને તેને અત્યારે મહાસત્તા પણ કહેવામાં આવે છે. વિશ્વના સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ દેશોમાં અમેરિકા અગ્રીમ ગણાય છે અનેે વિશ્વમાં મુખ્યત્વે વ્યાપારનું ચલણ અમેરિકા ડોલર હોવાથી અમેરિકાનો વિશ્વવ્યાપી પ્રભાવ પણ છે. આ કારણે જ અમેરિકાના રાષ્ટ્રપતિની પ્રત્યેક નીતિઓ (પોલિસીઓ) ની અસર આખી દુનિય પર પડતી હોય છે. આ કારણેે જ અમેરિકાના પ્રવર્તમાન રાષ્ટ્રપતિની 'હરકતો'ના કારણે આખી દુનિયામાં આજે અસ્થિરતા, અનિશ્ચિતતાઓ, અવિશ્વાસ, અરાજક્તા, અંધાધૂંધી, અશાંતિ અનેે આક્રોશનો માહોલ સર્જાયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઘરઆંગણે જ ઈઝરાયલના ચારે ચડીને યુદ્ધ વહોરી લેવાની ટીકા થઈ રહી છે, તો મોંઘવારી અનેે આર્થિક ઉથલ-પાથલો ઉપરાંત કાનૂની ક્ષેત્રે પણ પછડાટો ખાધા પછી અને પોકળ પાકિસ્તાનને પ્યાદુ બનાવીને ઈરાનનેે પટાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયા પછી ટ્રમ્પને સમજાયું છે કે પાકિસ્તાનથી ઈરાન માને તેમ નથી, પરંતુ પાકિસ્તાન પણ ડબલ ઢોલકી વગાડીને અંદરપેટે ઈરાનને સપોર્ટ કરી રહ્યું છે, તેથી હવે ઈરાનને 'મેનેજ' કરવા ટ્રમ્પ ચીન પહોંચીને જીનપીંગની જી હજુરી કરવા લાગ્યા છે. બીજી તરફ તાઈવાનના મુદ્દે ચીને તમાચો ઝીંકી દીધો હોવાના અહેવાલો પછી ટ્રમ્પ મજાકનું પાત્ર પણ બની ગયા હોય તેમ જણાય છે.
અમેરિકા-ઈરાન વચ્ચે સુલેહ કરાવવાનું તો દૂર રહ્યું, આ પ્રકારની સ્થિતિમાંથી પોતાના દેશને માંડ માંડ સંભાળવામાં ઘણાં દેશોના વડાઓ વ્યસ્ત છે, ત્યારે પાકિસ્તાનને પડતું મૂકીને ટ્રમ્પ ચીન પહોંચ્યા છે, તો બીજી તરફ ભારતમાં બ્રિક્સના સભ્યદેશોના મંત્રીઓની ગૂફ્તેગો પણ થઈ રહી છે, જે ઘણી જ સૂચક છે.
સંયુક્ત નિવેદનમાં ભલે ચીને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો કબજો અયોગ્ય ઠેરવ્યો હોય અને પરમાણુ શસ્ત્રોના મુદ્દે ટ્રમ્પના સૂરમાં સૂર પુરાવ્યો હોય, તો પણ 'હિન્દી-ચીની ભાઈ-ભાઈ'ની નારેબાજી વચ્ચે ચીને ભારતની પીઠમાં છૂરો ભોંક્યો હતો,તે ઈતિહાસ ભૂલાયો નથી, તેથી ટ્રમ્પ પાણી પણ કદાચ ફૂંકી ફૂંકીને પીતા હશે, પરંતુ ગુજરાતમાં કહેવત છે કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે... જો કે, ટ્રમ્પ અને જીનપીંગમાં 'બાપ' કોને ગણવા તે પણ એક કોયડો જ છે ને?
અમેરિકામાં ટ્રમ્પ લોકતાંત્રિક તાનાશાહી ચલાવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો ભારતમાં પણ તેવા જ આક્ષેપો થઈ રહ્યા છે. ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં વડાપ્રધાન અને એક કેબિનેટ મંત્રી જે નક્કી કરે તે જ થાય, અને વિપક્ષના નેતા માત્ર શોભાના ગાંઠિયા બની રહે, તેવી વ્યવસ્થાના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પણ ચાલુ સુનાવણીએ થયેલી ટિકા-ટિપ્પણીએ દેશમાં ચર્ચાનો વિષય બની છે, જો કે અંતિમ સુનાવણી પછી કદાચ આ મુદ્દો સુપ્રિમ કોર્ટની લાર્જર બંધારણીય બેન્ચમાં જશે, પરંતુ વિશ્વના લોકતાંત્રિક દેશોમાં જો તાનાશાહીની માનસિક્તા પનપી રહી હોય તો તે સારા એંધાણ નથી.
ઈરાન અને અમેરિકાના યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી વિશ્વભરમાં ઈંધણની તંગી સર્જાતા તેની માઠી અસરો પડી રહી છે, અને ચૂંટણીઓના કારણે થયેલા વિલંબ પછી ભારતમાં પણ હવે સરકારી કંપનીઓની 'ખોટ' ઘટાડવા પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવોમાં વધારો ઝીંકી જ દેવાયો છે, ત્યારે હવે મોંઘવારીનો વિસ્ફોટ થવાનો છે. જે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નેતૃત્વની નાકામયાબી અને અશાંતિના અસૂરોના અટ્ટહાસ્ય જેવી સ્થિતિ બતાવે છે. આ તો હજી શરૂઆત છે... હજુ તો ઘણું બધું સહન કરવું પડશે તેથી ચીન-અમેરિકાની ભાઈબંધી પણ જો હોર્મુઝ ખુલ્લુ કરાવી શકતી હોય તો તેને વૈશ્વિક સમર્થન મળવું જોઈએ.
આજે સવારથી ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં લિટરે ત્રણ રૂપિયા જેટલો અને સીએનજીમાં કિલે બે રૂપિયા જેવો ભાવવધારો ઝીંકી દેવાયા પછી મોદી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે.
કોંગ્રેસે 'મહંગાઈમેન' ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો હુમલો કરતા કહ્યું કે તેમણે દેશની જનતા પર મોંઘવારીનું હંટર ચલાવ્યું છે, તો અન્ય વિપક્ષોએ પણ મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે. દેશવાસીઓને વિદેશ પ્રવાસો ઘટાડવાની સલાહ આપીને પોતે જ વિદેશ પ્રવાસે ઉપડી ગયા હોવાની વ્યંગવાણી પણ પડઘાઈ રહી છે, તો પબ્લિકમાં પણ ઈંધણના ભાવવધારાને કારણે તમામ ચીજોના ભાવો વધશે, તેની ચિંતાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ગુજરાતનું સૌ પ્રથમ ગુજરાતી સાંધ્ય દૈનિક 'નોબત' નવા અને અદ્યતન રૂપરંગ તથા દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપો સહિત પ્રવર્તમાન યુગને અનુરૂપ પૂરક સેવાઓ સાથે શાનદાર સીત્તેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે, જેનું માત્ર અમને જ નહીં, નોબતના પ્રિય વાચકો અને દુનિયાભરમાં પથરાયેલા હાલારીઓને પણ ગૌરવ છે. આ અવસર અમારા માટે નવી પ્રેરણા, નવો જુસ્સો અને નવા આયામો સાથે પ્રગતિની હરણફાળ ભરવા માટે પ્રેરક છે. આ શુભ અવસરે નોબત પરિવાર અને માધવાણી પરિવાર ૭૦ વર્ષની સફરમાં સહયોગી બનનાર સૌ કોઈનો આભારી છે.
આજે 'નોબત'માં નાનામાં નાના ગામડાથી માંડીને દેશ-દુનિયાના તમામ સમાચારો અને તાજમાં તાજુ અપડેટ વાચકોને અખબાર, ઈ-પેપર અને બ્રેકીંગ ન્યૂઝ મારફત તો પીરસે જ છે, પરંતુ તેની સાથે સાથે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી પણ નિયમિત રીતે પ્રસ્તુત કરે છે.
હાલારમાં દાયકાઓથી 'નોબત-સાંજની સોબત' એ કહેવત પ્રચલિત છે. આજે પણ એવા ઘણાં બધા લોકો છે, જેઓ જ્યાં સુધી 'નોબત' વાચી ન લ્યે, ત્યાં સુધી તેઓને ચેન પડતું નથી. આ પ્રકારના પ્રતિભાવો વાચકો વિવિધ માધ્યમો દ્વારા અમારા સુધી જ્યારે પહોંચાડે છે, ત્યારે અમને ગૌરવ સાથે કાર્યસંતોષ (જોબ સેટીસફેક્શન) થતું હોય છે.
વર્ષ ૧૯પ૬ થી શરૂ થયેલી યાત્રા અત્યારે સાત દાયકા પૂર્ણ કરી રહી છે, ત્યારે તેની બુનિયાદમાં 'નોબત'ના આદ્યસ્થાપક રતિલાલ માધવાણીની દિવસ-રાતની અને દાયકાઓ સુધીની અથાગ મહેનત અને તેની સાથે સમગ્ર માધવાણી પરિવાર તથા નોબતની સાથે પરિવારની જેમ સંકળાયેલા 'નોબત' પરિવારનો પરિશ્રમ પણ સંકળાયેલો છે. આજે માધવાણી પરિવારની ચોથી પેઢી સુધીના વિસ્તરેલા આ સહિયારા પ્રયાસોની ફલશ્રૂતિ જ છે, કે 'નોબત'ને આટલો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, અને પ્રવર્તમાન ઈન્ટરનેટ યુગમાં પણ અદ્યતન આયામો સાથે આ સાંધ્ય દૈનિક તેની વિકાસયાત્રા અવિરત જાળવી રાખી છે, અને હાલારીઓ સહિત દેશ-વિદેશના વાચકો અને વીડિયો સમાચારના દર્શકોનો પ્રેમ સંપાદન કર્યો છે.
'નોબત'ની સ્થાપનાથી આજપર્યંત માત્ર પત્રકારિત્વ કે વિશેષ લેખમાળાઓ જ નહીં, પરંતુ સામૂહિક સેવાઓ, જનજાગૃતિ, સેવાયજ્ઞો અને લોકશિક્ષણ તથા જરૂર પડ્યે દાનની સરવાણી વહાવીને 'નોબત' પરિવારે હંમેશાં, જનસેવાને પ્રભુસેવા માનીને દુષ્કાળ, રોગચાળો, કોરોનાકાળ અને દાયકાઓ પહેલાના યુદ્ધોના સમયગાળામાં પણ લોકસેવાની પ્રત્યેક પ્રવૃત્તિઓમાં સહયોગ આપ્યો છે. અન્યાય, લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતો માટે અવાજ ઊઠાવ્યો છે. સારી અને સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી છે અને સમાજ સુધારણા, નવા અભિગમો તથા અભિયાનોનું હંમેશાં સમર્થન કર્યું છે. સમાજવિરોધી, દેશવિરોધી કે માનવતા વિરોધી પ્રવૃત્તિઓને વખોડવા તથા તેની સામે અવાજ ઊઠાવવામાં કોઈનીયે શેહશરમ રાખી નથી.
જેમ ફળદ્રુપ જમીનમાં એક દાણો વાવીએ અને હજાર દાણા ઉગી નીકળે, તેમ 'નોબત'ના પ્રત્યેક સમાચારો, લેખો, તંત્રીલેખો અને વિજ્ઞાપનો પણ માત્ર અખબારો જ નહીં, પરંતુ બ્રેકીંગ ન્યૂઝ, વ્હોટ્સએપ ગ્રુપ સેવા, યુ-ટ્યુબ વીડિયો સમાચાર અને સોશિયલ મીડિયાના લગભગ તમામ પ્લેટફોર્મ દ્વારા માત્ર હાલાર નહીં, દેશ-દુનિયામાં ફેલાય જાય છે. 'નોબત'નું ઈ-પેપર સાંજે મૂકાય, ત્યાં સુધી દેશ-વિદેશમાં રાહ જોવાતી હોવાના ફીડબેક પણ અમને મળે છે, જેથી અમન વધુ ને વધુ ઝડપી, સચોટ અને સર્વગ્રાહી આઉટપુટ આપવાની પ્રેરણા મળે છે. વાચકો અને વિજ્ઞાપનદાતાઓના ફીડબેક અને સૂચનો જ અમારા માટે પથદર્શક અને પ્રેરક પરિબળો છે.
આજે સાત દાયકાની શાનદાર સફળ સફરમાં સહયોગી બનેલા સૌ કોઈને બીરદાવવાનું અમારૂ કર્તવ્ય છે. આજના આ ગૌરવપૂર્ણ દિવસે 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર 'નોબત'ના પ્રિય વાચકો, વિજ્ઞાપનદાતાઓ, વિતરકો, એજન્ટો, પ્રતિનિધિઓ, પત્રકારો, કોમ્પ્યુટરરૂમ, મશીન, એડવર્ટાઈઝીંગ, એકાઉન્ટથી લઈને ટેકનિકલ કામકાજ સંભાળતા અમારા સહયોગી સ્ટાફ-મિત્રો, શુભેચ્છકો અને હરહંમેશ અમારી પડખે ઊભા રહેતા અમારા અંતરંગ સ્નેહી-મિત્રો-પરિવારો સહિત સૌ કોઈનો આભાર માનીને અમે સૌ કોઈને ઉજ્જવળ ભવિષ્ય, સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખ-શાંતિ-સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નીટ-યુજીનું પેપર લીક થયા પછી દેશભરમાં જેન-ઝેડમાં આક્રોશ છે તો વાલીઓ વિફર્યા છે. પેપરલીકના કારણે પરીક્ષા જ રદ થઈ જાય, ત્યારે પેપરલીકના પાપીઓને તો પનિશમેન્ટ થાય, ત્યારે ખરી, પરંતુ તે પહેલા જ આ પરીક્ષા જેમણે પ્રામાણિક્તાથી અને ઘણી જ મહેનત કરીને આપી હોય, તે લાખો પરીક્ષાર્થીઓને વગર વાંકે સજા થઈ રહી છે, તેથી એવું કહી શકાય કે 'કરે કોઈ અને ભોગવે કોઈ...' તેવી આ સ્થિતિ માટે શાસન-પ્રશાસનની નિષ્ફળતા, બેદરકારી અથવા મિલિભગતના આક્ષપોમાં વજુદ છે.
આ પહેલા જ્યારે જ્યારે પેપરલીકની ઘટનાઓ બની છે, તે સમયે પણ આજની જેમ જ મોટા મોટા દાવાઓ કરાયા હતાં અને પેપરલીક કૌભાંડોના મૂળિયા જ ખતમ કરીને પેપરલીક માફિયાઓને નેસ્તનાબૂદ કરવાની ડંફાસો હંકાઈ હતી, પરંતુ તે પછી પણ નીટ-યુજી જેવી મહત્ત્વપૂર્ણ પરીક્ષાનું પેપર પણ જો સિફતપૂર્વક લીક થઈ જાય અને લાખો રૂપિયામાં અનેક સ્થળે તેનું વેંચાણ થાય, તો તેને સંબંધિત તંત્રોની નિષ્ફળતા ગણવી, મોટા માથાઓની મિલિભગત ગણવી કે પછી 'સબસલામત'નો ઢોલ પીટતા રહેતા શાસકો-પ્રશાસકોની ઘોર નિષ્ફળતા અને બેદરકારી ગણવી, કે પછી આપણાં 'નસીબ' ગણવા, તે જ સમજાતું નથી.
આ દેશવ્યાપી પેપરલીક કૌભાંડની તપાસ સીબીઆઈ કરી રહી છે, પરંતુ કોંગ્રેસના યુવાનેતા સચિન પાયલોટે આ કૌભાંડની ન્યાયિક તપાસ સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશ કે નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને સમિતિ રચીને કરાવવાની જે માગણી ઊઠાવી છે, તેને જેન-ઝેડનું સમર્થન મળી રહ્યું છે. જો સરકારના એટલે કે શાસન-પ્રશાસન તથા સંબંધિત તંત્રોના હાથ ચોખ્ખા હોય અને આ કૌભાંડ માફિયાઓએ જ કર્યું હોય તો ન્યાયિક તપાસ આપવામાં સરકારને કોઈ વાંધો હોવો ન જોઈએ. સીબીઆઈની છાપ સરકારના તોતા તરીકેની હોવાથી પારદર્શક, સચોટ અને પરિણામલક્ષી તપાસ સોંપવી હોય તો તે ન્યાયક્ષેત્રના નેતૃત્વ હેઠળ એસઆઈટી કે સમિતિ રચીને જ સોંપવી જોઈએ તેવો જનમત ઘડાઈ રહ્યો છે.
સીબીઆઈએ મેસેન્જર એપથી નીટ-યુજીનું પેપર મેળવનાર માસ્ટર માઈન્ડને ગઈકાલે દબોચ્યો અને ગેસપેપરના નામે લાખો રૂપિયામાં ઠેર-ઠેર વેંચાયેલા પેપર ખરીદનારા લોકો સહિતના તમામ લોકોની ધરપકડ પણ થશે, પરંતુ અત્યારે તો એનટીએેની આ બેદરકારી સામે રર લાખથી વધુ વિદ્યાર્થીઓ તો ટેન્શનમાં આવી જ ગયા છે.
પ્રામાણિક પરીક્ષાર્થીઓને પોતાની મહેનત પાણીમાં ગઈ તેના વસવસાની સાથે ફરીથી પરીક્ષા આપવા જતી વખતે કેવી તૈયારી હશે, કેવા સંજોગો હશે, કે નવેસરથી લેવાનારૂ પેપર ખૂબ જ અઘરૂ, અટપટુ કે લેન્ધી હશે તો? ફરીથી તો પેપરલીક નહીં થઈ જાય ને? તેવા પ્રશ્નો સાથેનું જે કન્ફ્યુઝન ઊભું થઈ રહ્યું છે, તેનો ઉકેલ મળી રહ્યો નથી અને આ કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને ટેન્શનના કારણે અન્યાય થશે તો જવાબદાર કોણ? તેવા પ્રશ્નોનો જવાબ પણ કોઈ પાસે નથી.
દેશભરમાં એવી ચર્ચા છે કે લગભગ દર વર્ષે દેશના કોઈને કોઈ ખૂણથી કોઈને કોઈ પરીક્ષાના પેપરલીક થવાની ઘટનાઓ વધી રહી છે, અને તે પછી પેપર રદ થાય, તપાસ થાય, કેટલીક ધરપકડો થાય, તેમ છતાં આ સીલસીલો અટકતો નથી અને પેપરલીક માફિયાઓનું નેટવર્ક વધુને વધુ મજબૂત થતું હોય તો કોઈને કોઈ મજબૂત પીઠબળ હોવું જ જોઈએ. આ પેપરલીક માફિયાઓને પંપાળનારા કોણ છે? શું પોલીસ અને સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓ માત્ર માછલીઓ જ પકડી શકે છે અને મગરમચ્છો કોઈ શક્તિશાળી રક્ષાકવચમાં સુરક્ષિત રહી જાય છે? આ ભ્રષ્ટ નેટવર્ક આંતરરાજ્યની સાથે સાથે આંતરપક્ષીય પણ છે? તેવા સવાલો ઊઠે જે કે પેપલીક માફિયાઓની આ ગેંગ અનેક રાજ્યોમાં વિસ્તરી ચૂકી છે અને આજ સુધીના ઈતિહાસમાં પેપરલીક થયા છે, તે પૈકી કેટલાક અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા રાજકીય પક્ષો સત્તામાં છે, તેથી પેપરલીકની ઉધઈ તમામ પ્રકારના શાસનો-પ્રશાસનોને કોરી ખાવા લાગી છે, જેનો કોઈ તોડ પ્રવર્તમાન સરકાર કે સંબંધિત સત્તાવાળાઓ કાઢી શકયા નથી, તેમ કહી શકાય.
પેપરલીક થાય એટલે પરીક્ષા જ રદ્ કરી દેવી એ અંતિમ ઉપાય નથી, અને વ્યવહારૂ પણ નથી, કારણ કે તેમ કરવાથી લાખો પ્રામાણિક અને મહેનતુ પરીક્ષાર્થીઓને અન્યાય થાય છે. મોરલ ડાઉન થાય, ડિપ્રેશન આવે કે કોઈ અનિવાર્ય કારણોસર પરીક્ષા આપી ન શકાય, તો તેનું ભવિષ્ય બગડે છે. બીજી તરફ પેપરલીક થયા પછી કોણે કોણે તેનો ઉપયોગ કર્યો છે, તેના સ્પષ્ટ તારણો કાઢવા લગભગ અસંભવ હોવાથી પરીક્ષા રદ્ કરવાનો વિકલ્પ અપનાવાય છે, જો કે હવે આ બદીને દૂર કરવી જ હોય, તો ડાળીઓ કાપ્યે નહીં ચાલે, આ બદીને જડમૂળથી ખતમ જ કરવી પડે તેમ છે. આ માટે પરીક્ષા પદ્ધતિ બદલવી, સિસ્ટમોને ફૂલપ્રૂફ બનાવવી અને પેપરલીક સાથે સંકળાયેલા જવાબદારોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કડકમાં કડક સજા કરીને કાયદાનો પેપરલીક માફિયાઓમાં ડર બેસાડવો વગરે શ્રેણીબદ્ધ કદમ ઊઠાવી શકાય. આ માટે જવાબદાર કે મદદગાર સાગરિતો પૈકી કોઈ ગમે તેટલા મોટા નેતા, અધિકારી કે ઉદ્યોગપતિના નબીરા હોય, તો તેને વિશેષઢબે બંધારણીય મર્યાદામાં સબક શીખવવો જોઈએ.
દેશભરમાંથી આક્રોશ ઊઠ્યા પછી એવા પ્રત્યાઘાતો આવી રહ્યા છે કે એનટીએમાંથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે. સુપ્રિમ કોર્ટમાં આજે જ થયેલી અરજીમાં એનટીએનું પુનર્ગઠન કરવા અને હવે પછીની એનટીએની પરીક્ષા ન્યાયિક દેખરેખ હેઠળ લેવાય તેવો આદેશ આપવાની માગણી થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પાંચેક વર્ષ પહેલા કવિડ-૧૯ નો રોગચાળો ફેલાયો, તે સમયે આપણા દેશમાં લોકડાઉન લગાવાયું હતું, અને જનજીવન જાણે થંભી ગયું હતું. માત્ર આવશ્યક ચીજવસ્તુઓ તથા સેવાઓ ચાલુ રહી અને સાથે-સાથે વર્ક ફ્રોમ હોય એટલે કે ઈન્ટરનેટના માધ્યમથી ઘરબેઠા કામ, મિટિંગો અને વર્ચ્યુલ ફંક્શનો તથા સેમિનારોના બદલે વેબિનારો યોજવાની અદ્યતન પદ્ધતિઓ અપનાવાઈ, તથા ડિજિટલ પેમેન્ટનો યુગ શરૂ થયો હતો. એ પછી ધીમે ધીમે લોકડાઉન હળવું કરાયું અને તબક્કાવાર છૂટછાટો અપાતી ગઈ, જેને અનલોક વન, અનલોક ટુ વગેરે નામો અપાયા એ સમયગાળો સૌને યાદ હશે, જ્યારે લોકડાઉન લાગુ કરતા પહેલા એક દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું હતું, અને તે પછીના દિવસોમાં પરિવહન તથા લોકોની અવર-જવર પર અંકુશ લગાવવા તે સમયની કલમ-૧૪૪ લાગુ કરાઈ હતી, જેન લોકોએ 'સેમિ લોકડાઉન' ગણાવ્યું, અને પછી લોકડાઉન લગાવીને તેને તબક્કાવાર લંબાવાયું હતું અને તબક્કાવાર હટાવાયું હતું.
લોકડાઉન તો વર્તમાન પેઢીને યાદ હશે, પરંતુ આપણા દેશમાં લગભગ છ દાયકા પહેલા સુવર્ણ અંકુશ ધારો લાગુ કરાયો હતો, તે સિનિયર સિટીઝનો પૈકીના ૭૦ થી ૮૦ વર્ષના વયોવૃદ્ધ લોકોને કદાચ ઝાંખો ઝાંખો યાદ હશે, જો કે આર્થિક અને ધાતુ માર્કેટના અનુભવીઓ તથા અભ્યાસુઓને આ મુદ્દાઓ અભ્યાસ કે જી.કે. (સામાન્ય જ્ઞાન) માં જાણવા મળ્યા જ હશે. આ ધારો ભારત-ચીન યુદ્ધ પછી કેન્દ્રિય નાણામંત્રી મોરારજી દેસાઈએ પ્રારંભિક રીતે લાગુ કર્યો હતો, પરંતુ તેના ઉદ્દેશ્યો સિદ્ધ થયા નહોતા.
વર્ષ ૧૯૬ર માં યુદ્ધની કટોકટી સમય તે સમયના કેન્દ્રિય નાણામંત્રી મોરારજીભાઈ દેસાઈએ લગાવેલા સુવર્ણ અંકુશ ધારાનો જે કાયદો સૂચવ્યો હતો, તેને વર્ષ ૧૯૬૮ માં સંસદ દ્વારા વ્યાપક સ્વરૂપમાં લાગુ કર્યો હતો, જેમાં વ્યક્તિગત સોનું સંગ્રહવા પર અંકુશો લગાવાયા હતાં, અને સોનાની દાણચોરી અટકાવવાનો ઉદ્દેશ્ય જણાવાયો હતો. એટલું જ નહીં, ૧૪ કેરેટથી વધુ શુદ્ધતા ધરાવતા સોનાના આભૂષણો બનાવવા પર પ્રતિબંધ લગાવી દેવાતા સોનીઓ માત્ર તૈયાર આભૂષણોની મરામત કે પોલિસ જ કરી શકતા હતાં. બેંકો દ્વારા સોનાના બદલે અપાતી લોન પર કડક પ્રતિબંધો લગાવ્યા હતાં, જો કે આ અધિનિયમ વર્ષ ૧૯૯૦ માં નિરસ્ત (રદ) કરી દેવાયો હતો, જો કે અત્યારે બીઆઈએસ હોલ માર્કીંગ તથા આયાત-વેંચાણ-નિકાસ અને અન્ય નિયમો અમલમાં છે.
કોરોનાકાળનું લોકડાઉન એટલા માટે યાદ આવી ગયું કે છેલ્લા બે દિવસમાં કર્ણાટક, તેલંગણા અને ગુજરાતના વડોદરામાં પણ વડાપ્રધાને વર્ક ફ્રોમ હોમ, સાર્વજનિક વાહનોમાં જ પ્રવાસ કરવાનો આગ્રહ, પેટ્રોલ-ડીઝલના વપરાશમાં કરકસર (ઘટાડો), ઈલેક્ટ્રીક વાહનો તથા લોકલ ટ્રેનો, મેટ્રો અને ઈલેક્ટ્રીક બસોમાં રોજીંદો પ્રવાસ, વર્ક ફ્રોમ હોમ, વર્ચ્યુલ મિટિંગો તથા વિદેશ પ્રવાસો ટાળીનેે દેશમાં જ હરવાફરવા જવાની લોકોને આગ્રહભરી અપીલ કરી છે, અને આ અપીલો પશ્ચિમ એશિયાની અશાંતિ તથા વૈશ્વિક કક્ષાએ ચાલી રહેલા યુદ્ધોના સંદર્ભે કરવામાં આવી છે.
જેવી રીતે ર૦ર૦-ર૧ પછી લોકડાઉના લાગુ કરતા પહેલા લોકોને માનસિક રીતે તૈયાર કરાયા હતાં અને સ્વૈચ્છિક લોકડાઉન જેવો પ્રયોગ કરાયો હતો, તેવી જ રીતે વડાપ્રધાન પેટ્રોલ-ડીઝલ અને ગેસની સંભવિત તંગી કે ભાવવધારા સાથે મોંઘવારી માટે લોકોને માનસિક રીતે તૈયાર કરી રહ્યા હોય, તેવું લાગે છે. આવું કદમ ઊઠાવવું પડે તેના કારણો પણ છે, અને તેમ થાય તો કદાચ સેમિ લોકડાઉન ગણી શકાય, તેવા નિયંત્રણો નાછૂટકે લગાવવા પડે, તો પણ જનતા માનસિક રીતે દૃઢ રહે, તેવો હેતુ હોઈ શકે છે. લોકોએ પેનિક થવાની (ગભરાવાની) જરૂર નથી અને સરકાર 'ઓછામાં ઓછી'' તકલીફ લોકોને પડવા દેશે, તેવી હૈયાધારણ પણ અપાઈ રહી છે. ટૂંકમાં 'સાવચેત' સંકેતો અપાઈ રહ્યા છે.
વડાપ્રધાન છેલ્લા બે દિવસથી એકાદ વર્ષ માટે સોનું કે સોનાના આભૂષણો નહીં ખરીદવાની અપીલ પણ કરી રહ્યા છે, અને તેવું કરીનેે દેશની આર્થિક મજબૂતી ટકાવી રાખવામાં જનસહયોગ ઈચ્છી રહ્યા છે. તેઓ વિદેશી પ્રવાસો ટાળવા ઉપરાંત નાની-મોટી રોજીંદી જીવન ઉપયોગી ચીજવસ્તુઓથી માંડીને વાહનો કે આધુનિક સાધનો પણ શક્ય હોય ત્યાં સુધી સ્વદેશી જ ખરીદવાની અપીલ પણ કરી રહ્યા છે, અને દેશી ખાતરનો ઉપયોગ વધારીને વિદેશી ફર્ટિલાઈઝર-રસાયણિક ખાતરોનો ઉપયોગ અડધાથી વધુ ઘટાડવાની અપીલ પણ કરી રહ્યા છે. આ કારણે વયોવૃદ્ધ લોકોને મોરારજીભાઈ દેસાઈનો સુવર્ણ નિયંત્રણ ધારો યાદ આવી ગયો છે, કારણ કે તે સમયે સોનાના વ્યાપાર પર કડક અંકુશો લગાવ્યા હતાં.
જો કે, મોરારજી દેસાઈનો સુવર્ણ નિયંત્રણ ધારો તદ્ન અલગ સંજોગો અને સંદર્ભોના કારણે લાગુ કરાયો હતો, જે દાયકાઓ સુધી ચાલ્યો હતો, જ્યારે અત્યારે સુવર્ણની ખરીદી એકાદ વર્ષ માટે ઓછી કરવાની અપીલ કરવામાં આવી રહી છે અને ઉદ્દેશ્યો પણ અલગ છે, પરંતુ આ પ્રકારની અીપલથી માર્કેટ પર અસરો તો થતી જ હોય છે.
જો કે, વડાપ્રધાનની આ અપીલોના વિપક્ષોએ કડક પ્રત્યાઘાતો આપ્યા છે. રાહુલ ગાંધીએ આને મોદી સરકારની નિષ્ફળતાનું પ્રમાણ ગણાવ્યું છે, આમ આદમી પાર્ટીના સંજયસિંહે વ્યંગ કર્યો કે ચૂંટણી પછી હવે લોકોને ગેસ અને પેટ્રોલની લાઈનો લગાવવી પડશે. વિપક્ષના અન્ય નેતાઓએ પણ કાંઈક એવા જ પ્રત્યાઘાતો આપ્યા અને પશ્ચિમ એશિયાના યુદ્ધના સંદર્ભે કેન્દ્ર સરકારે યોગ્ય નીતિ નહીં અપનાવી હોવાની ટીકા કરી, અને કહ્યું કે હવે હાલાકી, પરેશાની અને મોંઘવારી માટે જનતાએ તૈયાર રહેવું પડશે. આર્થિક બોજ જનતાની કમર તોડી નાંખશે વગેરે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એશિયન ડેવલપમેન્ટ બેંકે વર્ષ ર૦ર૬ માટે ફૂગાવાનો અંદાજ ૬.૯ ટકા કરી દેવાયો છે, જે અગાઉ ૪.પ ટકા મૂકાયો હતો. આમ, અઢી ટકાનો વધારો વૈશ્વિક યુદ્ધગ્રસ્ત સ્થિતિના કારણે કરાયો છે. ફૂગાવાનો અંદાજ વધારાયો, તે દેશમાં મોંઘવારી વધવાના સંકેતો આપે છે. સપ્લાઈ ચેઈન ખોરવાઈ જતા ક્રૂડના ભાવો આસમાને પહોંચવાના કારણે ભારતનો જીડીપી પણ ૦.૬ ટકા ઘટીને ૬.૩ ટકા થઈ જશે. આ ગંભીર સ્થિતિને કારણે ઊભી થનારી વિકટ પરિસ્થિતિ અને તેના નિવારણના ઉપાયો અંગે દેશવ્યાપી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને ગઈકાલના વડાપ્રધાને વિવિધ સ્થળે કરેલા ભાષણોમાં પણ આવી રહેલી વધુ વિકટ પરિસ્થિતિની ચિંતા ઝળકી હતી અને તેના માટે સ્વયંશિસ્તનો સંદેશ પણ વડાપ્રધાને દેશવાસીઓને આપી દીધો હતો.
ગઈકાલે જામનગરમાં લાલબંગલા સર્કલમાં થયેલા અભિવાદન પછી વડાપ્રધાને કરેલા સંબોધનમાં ગુજરાતની વિકાસયાત્રા અને ગુજરાતીઓની પ્રશંસાની સાથે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના સંસ્મરણો પણ વ્યક્ત કર્યા હતાં, જેનો ઉલ્લેખ તેઓએ આજના તેઓના સોમનાથના કાર્યક્રમ દરમિયાન કરેલા સંબોધનમાં વિસ્તૃતપણે કર્યો છે. તેઓએ સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારને આઝાદીકાળના મહાપુરુષો સાથે સાંકળીને તથા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રાજેન્દ્રબાબુને બીરદાવીને પરોક્ષ રીતે તે સમયે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના વિષયે રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાયેલા મત-મતાંતરો તરફ પણ ગર્ભિત સંકેત કરી દીધો હતો. આજે સોમનાથ અને ગઈકાલ રાત્રે જામનગરના પ્રવાસો પહેલા વડાપ્રધાને કર્ણાટક અને તેલંગણાનો પ્રવાસ સંપન્ન કર્યો હતો, અને તેમાં સિકંદરાબાદમાં કરેલા તેમના ભાષણનો એક મોટો હિસ્સો તેઓના ભૂતકાળના 'રાષ્ટ્રજોગ પ્રવચનો' જેવો જણાયો હતો.
ગઈકાલે વડાપ્રધાને સિકંદરાબાદમાં એક જંગી જનસભાને સંબોધન કર્યું, તે દરમિયાન વર્તમાન વૈશ્વિક તંગદિલીનો ઉલ્લેખ કર્યો. પડોશમાં ચાલી રહેલા યુદ્ધોની અસર ભારત પર ઘણી જ વિપરીત અને ગંભીર રીતે પડી છે, જેને 'સંકટની ઘડી' ગણાવીને વડાપ્રધાને કહ્યું હતું કે, અગાઉ પણ જ્યારે જ્યારે સંકટની ઘડી આવી ત્યારે રાષ્ટ્રીય સંકટના સમયે દેશવાસીઓએ સરકારને મજબૂત સમર્થન આપ્યું હતું, અને જરૂર પડ્યે દેશહિતમાં સરકારને સોનાનું દાન પણ કર્યું હતું. અત્યારે સોનાના દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી સોનું અને સોનાના આભૂષણો ખરીદવાનું ટાળવું જોઈએ, અને હુંડિયામણ બચાવવું જોઈએ.
વડાપ્રધાને પ્રવર્તમાન આર્થિક સંકટથી બચવા મેટ્રોરેલમાં સ્થાનિક મુસાફરી કરવા, પેટ્રોલ-ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા, વાહનોનો બિનજરૂરી ઉપયોગ બંધ કરવા, ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવાનું, વર્ક ફ્રોમ અને વીડિયો કોન્ફરન્સ દ્વારા મિટિંગો તથા કાર્યક્રમોની (કોરોનાકાળની જેમ) વ્યવસ્થાઓ પુનઃ શરૂ કરવા અથવા વિસ્તારવા, વિદેશ પ્રવાસો ટાળવા, ખાદ્યતેલનો વપરાશ ઘટાડીને વિદેશી હુંડિયામણ બચાવવા, ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ અડધોઅડધ ઘટાડવા તથા દેશી ખતરોનો ઉપયોગ વધારવા તથા સૌર ઊર્જાનું ઉત્પાદન વધારવા સહિતના ઉપાયો માટે દેશવાસીઓનો સહયોગ માંગ્યો હતો.
સામાન્ય રીતે દેશવાસીઓને ઉદ્દેશીને કોઈ મોટી ઘોષણા કે અપીલો કરવાની હોય, ત્યારે વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરતા હોય છે, પરંતુ આ વખતે પૂર્વનિયોજિત કાર્યક્રમોની વચ્ચે વડાપ્રધાને આ પ્રકારની અપીલ કરી, અને તેના સંદર્ભે (તરત જ) ગૃહમંત્રી અમિત શાહ સહિતના રાષ્ટ્રીયકક્ષાના નેતાઓ પણ તેને ટાંકીને દેશવાસીઓને જુદી જુદી અપીલો કરવા લાગ્યા, તે ઘણું જ સૂચક છે.
વૈશ્વિક તારણો કાઢતી સંસ્થાઓ, યુનો સાથે સંકળાયેલી આર્થિક-વ્યાપારિક તથા સ્વાસ્થ્ય ક્ષેત્રની સંસ્થાઓ તથા વિવિધ દેશોના ગ્રોથરેટ અને ઈકોનોમિના અંદાજો કરતી સંસ્થાઓ દ્વારા અમેરિકા, ઈરાન, ઈઝરાયલ, યુક્રેન, રશિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, લોબેનોન સહિતના દેશોની યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં ડામાડોળ થયેલા અર્થતંત્રો અને વ્યાપાર ઉદ્યોગ તથા સપ્લાઈ ચેઈનને મરણોતલ ફટકાઓના કારણે જે ભયાવહ આગાહીઓ થઈ રહી છે તથા અનુમાનો કરાઈ રહ્યા છે, તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે, અને આ જ ગંભીર સંભાવનાઓનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને 'સ્વયંશિસ્ત' જાળવવાની અપીલ કરી હોય, તેમ જણાય છે. વડાપ્રધાન જે હુંડિયામણ બચાવીને દેશના અર્થતંત્રની મજબૂતી ટકાવી રાખવાની વાત કરી રહ્યા છે, તે જોતા પ્રવર્તમાન સ્થિતિમાં આપણા દેશની ઈકોનોમિ પણ ડગમગાઈ રહી હોવાનો આભાસ થાય છે, અને એવું હોય તો તે આપણાં દેશ અને સરકાર ઉપરાંત આપણા બધા માટે પણ પડકારજનક છે. ઘણાં વિશ્લેષકો ગઈકાલે વડાપ્રધાને કરેલી અપીલોને સમયોચિત ગણીને સંકટના સમયે દેશવાસીઓની એકજુથતાની જરૂર જણાવી રહ્યા છે, તો બીજી તરફ દેશની ઈકોનોમિને પડનારા ફટકાનો સરકારી એકરાર ગણાવીને પ્રવર્તમાન સ્થિતિને પહોંચી વળવામાં સંભવિત નિષ્ફળતાઓની વ્યંગાત્મક ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે.
ગઈકાલે વડાપ્રધાને કરેલી અપીલોની ભીતરથી દેશમાં મોંઘવારી ફાટી નીકળશે, તેવી દહેશત વ્યક્ત થઈ રહી હોવાનું માનતા જાણકારોના મતે અત્યાર સુધી (કદાચ ચૂંટણીઓના કારણે) અંકુશમાં રાખવામાં આવેલા પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવોમાં હવે વધારો થશે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા બધી ચીજવસ્તુઓ મોંઘી થશે, જેથી મોંઘવારીનો માર વધશે. જો સરકારી કંપનીઓ દરરોજ એક હજાર કરોડનું નુક્સાન વેઠીને હકીકતે ભાવો અંકુશમાં રાખતી હોય, તો તે સ્થિતિ દેશના અર્થતંત્ર માટે પણ યોગ્ય નથી, અને તેથી જ કદાચ વડાપ્રધાને પેટ્રોલ-ડીઝલ અને ગેસનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી હશે, અને સૌર ઊર્જા સહિતની વૈકલ્પિક ઊર્જા આધારીત સાધનો-યંત્રોનો મહત્તમ ઉપયોગ કરવાની સલાહ આપી હશે.
ટ્રમ્પનો ચીનનો પ્રવાસ નક્કી થઈ ગયો, તે ઘણું જ સૂચક છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સુલેહ કરાવવા નીકળેલું પાકિસ્તાન નિષ્ફળ થઈ રહ્યું છે, ત્યારે ઘણાં વૈશ્વિક વિશ્લેષકો પણ હવે ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ બંધ કરાવવામાં હવે કોઈ વશ્વસનિય અને બન્ને તરફ ખૂબ જ સારા સંબંધો ધરાવતા મધ્યસ્થીની જરૂર જણાવી રહ્યા છે. ઈરાને અમેરિકાના પ્રસ્તાવનો જવાબ આપ્યા પછી યુદ્ધ ખતમ થશે, તેવી આશા જાગી હતી, પરંતુ બન્ને તરફ કેટલાક મુદ્દે ઊભી થયેલી મડાગાંઠ ઉકેલાતી નથી, ત્યારે આપણાં દેશને પણ લાંબાગાળાની અસરો થવાની છે. ભૂતકાળમાં ખાદ્યાનની સંકટ સમયે એક ટાઈમ ભોજન, યુદ્ધોના સમયે બ્લેકઆઉટ, કોરોના સમયે લોકડાઉન અને વિવિધ રસિકરણ અભિયાનોમાં જે રીતે ભારતે મક્કમ લડત આપી હતી, તેવી જ લડત માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે સરકારી વિભાગો, શાસક પક્ષના સંગઠનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતે 'સ્વયંશિસ્ત' માટેની વડાપ્રધાનની અપીલોનો અમલ કરીન દૃષ્ટાંત બેસાડે, તેવી અપેક્ષા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા ચાર-પાંચ દિવસથી જામનગર નવા રૂપરંગ સજી રહ્યું છે, અને તંત્રો ઉંધામાથે રાત-દિવસ કામ કરી રહ્યા છે. છોટીકાશી જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થવાનું હોવાથી તેઓને આવકારવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં પ. બંગાળ, આસામ અને પુડુચેરીમાં થયેલા વિજય પછી ભારતીય જનતા પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ અનોખો જુસ્સો પ્રવર્તી રહ્યો છે.
સોમવારે સોમનાથમાં યોજાનારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા તથ વડોદરાના કાર્યક્રમો માટે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન જામનગરથી પ્રવાસ શરૂ કરી રહ્યા છે અને રાત્રિ મૂકામ કરવાના છે, તેથી હાલારીઓમાં હરખ છે તો સિક્યોરિટી રિઝન્સના કારણે તંત્રોની જવાબદારી પણ ઘણી જ વધી ગઈ છે. આજે તંત્ર દ્વારા રિહર્સલ તથા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની દોડધામ વચ્ચે નગરજનો પણ કેટલાક સુધારા-વધારા રાતોરાત થઈ રહ્યા છે, તેથી ખુશ છે, તો રોજીંદા જનજીવન પર થોડી અસર પણ પડી રહી છે, જો કે વીવીઆઈપી પ્રોગ્રામ સમયે આ પ્રકારના થતા ફેરફારોથી લોકો ટેવાઈ પણ ગયા છે. બીજી તરફ વડાપ્રધાનનો આ રાત્રિમૂકામ ઘણો જ સૂચક પણ માનવામાં આવી રહ્યો છે.
આ પહેલા પણ વડાપ્રધાને ઘણી વખત જામનગરની મુલાકાત લીધી છે. વર્ષ ર૦રપ ની પહેલી માર્ચે તેઓએ વનતારાની મુલાકાત લીધી હતી, અને ઉદ્ઘાટન પછી વાઈલ્ડલાઈફ બોર્ડની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. વર્ષ ર૦ર૪ માં લોકસભાની ચૂંટણી સમયે પણ તેઓએ જામનગરમાં મોટી જનસભાને સંબોધન કર્યું હતું. વર્ષ ર૦રર માં ૧૦ મી ઓક્ટોર વડાપ્રધાને જામનગરથી અંદાજે ૧૪પ૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ, સૌની યોજના વિવિધ લિંકના પેકેજનું લોકાર્પણ, લાલપુર બાયપાસ જંક્શન ફ્લાય ઓવર, હાપા માર્કેટ યાર્ડ રેલવે ક્રોસીંગ ઉપરાંત ૪૦ મે.વોટ સોલાર પી.વી. પ્રોજેક્ટનું દેશને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હાલારના મુખ્ય મુખ્ય કાર્યક્રમોમાં હંમેશાં જનમેદની ઉમટતી હોય છે, અને રોડ-શોના આયોજનો પણ સફળ રહેતા હોય છે.
વર્ષ ર૦૧૬ ના ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાને જે સુદર્શન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું, તેનું વર્ષ ર૦ર૪ ના ફેબ્રુઆરીમાં લોકાર્પણ કર્યું હતું. રૂા. ૯૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલો સુદર્શન બ્રિજ આજે ટુરિસ્તો માટે આકર્ષણનું કેન્દ્ર અને ગુજરાતનું નજરાણુ ગણાય છે. તેઓએ તે સમયે ડૂબેલી દ્વારકાની અંડરવોટર ડૂબકી મારીને પૂજા-અર્ચના કરી હતી, તે દૃશ્યો ગ્લોબલી વાયરલ થયા હતાં, અને એ પ્રવાસ દરમિયાન તેઓએ રૂા. ૪૧૦૦ કરોડથી વધુ રકમના વિકાસકામોના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતાં. તેઓએ વર્ષ ર૦રર માં વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસિનનું ભૂમિપૂજન કર્યું હતું, તે સમયે પણ તેની વૈશ્વિક પ્રસિદ્ધિ થઈ હતી. આ ઉપરાંત વડાપ્રધાને વર્ચ્યુલી પણ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી હતી, તો જામનગર અને હાલારના ઘણાં વિકાસકામોનું વર્ચ્યુલ લોકાર્પણ પણ કર્યું હતું.
આ પહેલા વડાપ્રધાન જ્યારે જ્યારે જામનગર કે હાલારની મુલાકાતે આવ્યા છે, ત્યારે જામનગર કે હાલારને કેન્દ્ર સરકાર તરફથી કાંઈક ને કાંઈક આપીને ગયા છે. વર્ષ ર૦ર૪ ની ચૂંટણી પહેલા આવ્યા હતાં, ત્યારે પણ ગુજરાત સહિત દેશના વિકાસ તથા લોક-કલ્યાણના ક્ષેત્રે કેટલાક વાયદાઓ કર્યા હતાં, અથવા વચનો આપ્યા હતાં. આ વખતે વડાપ્રધાન જામનગર-હાલારને લઈને કોઈક મોટી જાહેરાત કરશે, અને/અથવા હાલારની તથા જામનગરની કેટલીક કાયમી સમસ્યાઓ ઉકેલાઈ જાય, તેવી ઘોષણા કરશે, તેવી આશા સેવાઈ રહી છે.
વર્ષ ર૦ર૪ માં વડાપ્રધાને ચૂંટણી પહેલા જામનગર અને હાલારના મતદારો પાસે જે અપેક્ષા રાખી હતી અને અપીલ કરી હતી,તે પછી જામનગર સંસદીય મતદાન વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા ઉપરાંત મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોના મતદાતાઓએ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પૂનમબેન માડમને એક વખત ફરીથી દેશની પાર્લામેન્ટમાં આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે, અને તે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપને જંગી જનાદેશમાં પણ વડાપ્રધાનની લોકપ્રિયતાની મહત્તમ ભૂમિકા હોવાનું કહેવાય છે, ત્યારે વડાપ્રધાન પાસે જામનગર-હાલાર અને મોરબીની અપેક્ષાઓ હોય, તે સ્વાભાવિક છે.
વડાપ્રધાનના આગમનના કારણે ચાલી રહેલી તૈયારીઓના કારણે તથા વડાપ્રધાનના આગમનથી વિદાય સુધી સુરક્ષા-સલામતિ તથા વ્યવસ્થાઓને લઈને કેટલાક પ્રતિબંધો, નિયમનો કે ફેરફારોના સ્થાનિક જનજીવનને કેટલીક મુશ્કેલીઓ કે અસુવિધા થાય, તે સ્વાભાવિક છે, પરંતુ આ પ્રકારની કાળજી રાખતી વખતેે સામાન્ય જનતાને ઓછામાં ઓછી મુશ્કલી પડે અને માનવીય કે તબીબી ઈમરજન્સી જેવા કિસ્સાઓમાં વ્યવહારૂ અભિગમ દાખવવામાં આવે, તેવી અપેક્ષા પણ રહેતી હોય છે. આ કારણે જનસહયોગની સાથે સાથે તંત્રોનું સુદૃઢ સંકલન તથા સર્વક્ષેત્રિય સમજદારીની પણ અપેક્ષા રહેતી હોય છે.
જામનગરના નગરજનો છેલ્લા ચાર-પાંચ દિવસથી થતી તંત્રોની દોડધામ તથા શહેરની બદલી રહેલી સિકલના સંદર્ભે કટાક્ષમાં એવું કહેતા પણ સંભળાય છે કે જો વડાપ્રધાન દર પખવાડિયે કે મહિને આવતા હોય તો કેવું સારૂ!
આવા ઉદ્ગારો નીકળે, તેની પાછળ લોકોની અપેક્ષાઓ અને તેની ફલશ્રૂતિના પડઘા પડતા હોય તેવું લાગે છે. માર્ગો પરના ખાડા બૂરાઈ જાય, માર્ગો પરથી રખડુ ઢોર તો ઠીક, આવારા શ્વાન પણ (ભલે, વીવીઆઈપી રૂટ પૂરતા) હટી જાય, ચોતરફ ગંદકીનું નામોનિશાન ન રહેવા પામે, ેંજંતુનાશક દવાઓનો છંટકાવ થઈ જાય, રોડ પર નમેલી (ઝાડની) ડાળીઓ કપાઈ જાય, અને ટ્રાફિક પોલીસ એકદમ ચૂસ્ત-દુરસ્ત જણાય, તથા પોલીસ વ્યવસ્થા ચાકચોબંધ રહે, તેથી લોકો થોડી હાલાકી વેઠીને પણ આ ફેરફારોને આવકારતા હોય છે, જો કે કોર્ટ પાસે કૂતરાના સંદર્ભે જે થાય, તે શાણપણપૂર્વક નિવારી શકાયું હોત...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કલ્યાણપુર તાલુકાની પોલીસ પગપાળા પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે હર્ષદ નજીકથી ચાર બિનવારસુ પેક્ેટ મળી આવ્યા અને તેમાંથી સાડાચાર કિલો વજન થાય, તેનાથી પણ વધુ નશીલી ડ્રગ્સનો જથ્થો મળ્યો અને જુદી જુદી બે જગ્યાએથી મળેલા આ જથ્થાની કિંમત સવાબે કરોડથી વધુ થવા જાય છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી હોવાના અહેવાલો પછી આ રીતે હાલારના દરિયાકાંઠેથી આ પહેલા પકડાયેલી બિનવારસુ નશીલી ડ્રગ્સની હિસ્ટ્રી તાજી થઈ ગઈ અને ગુજરાત ક્યાંક 'ગેટ-વે ઓફ ડ્રગ્સ ઈન ઈન્ડિયા' તો બની નથી ગયું ને? તેવા સવાલો સાથે હાલાર ડ્રગ્સનું હબ બનાવવા અને હાલારીઓને ડ્રગ્સની હેબિટ પાડવાનું ષડ્યંત્ર તો રચાયું નથી ને? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. નશીલી ડ્રગ્સ જેવી જીવલેણ અને ખતરનાક આદત યુવાવર્ગને પડી જાય, તો આખો સમાજ બરબાદ થઈ જાય અને સંખ્યાબંધ પરિવારો પાયમાલ થઈ જાય, તે પણ નક્કર વાસ્તવિક્તા છે, જેથી આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારે ખૂબ જ ગંભીરતાથી એક્સન લેવાની જરૂર છે.
આ પ્રકારની ગેરકાનૂની હેરાફેરીમાં ઘણી વખત થોડો-ઘણો જથ્થો પકડાવીને ખૂબ જ મોટો જથ્થો સગેવગે કરવાની ચાલ પણ સ્મગલરો ચાલતા હોય છે, તો ઘણી વખત વાસ્તવમાં જંગી જથ્થો ઘૂસાડી દીધા પછી થોડોઘણો જથ્થો બચ્યો હોય, ત્યારે જ પકડાતો હોય તેવું બની શકે તે ઉપરાંત કદાચ પકડાઈ જવાની બીકથી આ બિનવાસુ જથ્થો દરિયામાં ફેંકી દેવાતો હોય તો વાસ્તવમાં કેટલો જથ્થો ઘૂસાડવામાં સફળતા મળી છે, અથવા તેમાં સંપૂર્ણ નિષ્ફળતા મળી છે, તેની સર્વગ્રાહી અને ઊંડી તથા વ્યાપક તપાસ પણ કરવી અત્યંત જરૂરી હોય છે, અને કદાચ પોલીસ તથા એજન્સીઓ એ પ્રકારની તપાસ કરતી જ હશે, પરંતુ આ પ્રકારે હાલારના દરિયાકાંઠેથી વારંવાર પકડાતો જથ્થો માત્ર સરકાર નહીં, પરંતુ હાલાર સહિત ગુજરાતના રહીશો તથા ખાસ કરીને યુવાવર્ગ માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય ગણાય, તેથી આ અંગે સમાજે પણ વધુ જાગૃત થવાની જરૂર છે.
આ પહેલા પણ હાલારની દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટીમાં નશીલી ડ્રગ્સનો બિનવારસુ જથ્થો પકડાયો હતો. તે ઉપરાંત નશીલી ડ્રગ્સની હેરાફેરી તથા સંગ્રહ કરવાના પ્રયાસો પણ થતા રહે છે. હાલારમાં છેલ્લા બે વર્ષમાં નશીલી ડ્રગ્સ સંબંધિત ૧૩પ કેસ નોંધાયા અને ૩૦૦ થી વધુ આરોપીઓ ઝડપાયા છે. બન્ને જિલ્લામાંથી આ સમયગાળામાં ર૪૪ કરોડથી વધુ કિંમતનો નશીલી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે, જ્યારે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૩૭ર૭ કરોડથી વધુ કિંમતનું ૪૧ હજાર કિલોથી વધુ નશીલું ડ્રગ્સ પકડાયું હોવાના આંકડા પણ બહાર આવ્યા હતાં. ફેબ્રુઆરી સુધીના આંકડાઓ આવ્યા પછી પણ નશીલી ડ્રગ્સનો જથ્થો પકડાતો હતો, તેમાં હર્ષદ પાસેથી મળેલો બિનવારસુ જંગી જથ્થો ટોક ઓફ ધ હાલાર બન્યો છે.
આ પહેલા જ્યારે દ્વારકાના વરવાળા પાસેથી વર્ષ ર૦ર૪ ના જૂન મહિનામાં ૩ર કિલોથી વધુ અફઘાની ચરસ પડાયું હતું, જેની કિંમત રૂ।. ૧૬ કરોડ આકારાઈ હતી. તે સમયે પણ ઊંડી તપાસ કરાઈ હતી, તો તાજેતરમાં મોટી ખાવડી પાસે ૮૩ લાખના હેરોઈન સાથે ચાર શખ્સો દબોચાયા, ત્યાં સુધીમાં ઠેર ઠેરથી નશીલું ડ્રગ્સ પકડાતું રહ્યું છે. વર્ષ ર૦ર૪ માં તો જૂન મહિનામાં બેટદ્વારકાથી ૮૬૩ ગ્રામ અફઘાની ચરસ, ઓક્ટોબરમાં જામનગર, જોડિયાના બંદર રોડ તરફ ઝાડી-ઝાંખરામાંથી પ.૮પ કિલો ચરસ અને માર્ચ ર૦ર૪ માં બેડેશ્વરમાંથી એક ડ્રગ સિંડિકેટનો પર્દાફાશ થયો, ત્યારે પણ આ નશીલું ડ્રગ તસ્કરીનું રેકેટ પાકિસ્તાની ડ્રગ દાણચોરો સાથે સંકળાયેલું હોવાની વાતો વહેતી થઈ હતી. મોટી ખાવડી પાસેથી કરિયાણાની દુકાનમાંથી પણ ૬૬૬ ગ્રામ ગાંજો પકડાયો હોવાના અહેવાલો નજીકની ખાનગી કંપનીઓ માટે પણ ચિંતાજનક ગણાય.
ગુજરાત વિધાનસભામાં પણ હાલાર સહિત ગુજરાતમાં નશીલા ડ્રગ્સની હેરાફેરીનો મુદ્દો ઘણો ચર્ચાયો હતો. સરકારને પ્રશ્નો પૂછાયા હતાં અને સરકારે તેના જવાબો પણ આપ્યા હતાં. છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં ૩૦૦ થી વધુ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરાઈ અને લગભગ ર૪૪ કરોડ રૂપિયાથી વધુ કિંમતનો નશીલી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો. આ આંકડો જ બતાવે છે કે ગુજરાત ધીમે ધીમે દેશભરમાંથી નશીલા ડ્રગ્સ ઘૂસાડવા માટેનું ગેટ-વે બની રહ્યું છે. આ ઉપરાંત યુવાધનમાં ડ્રગ્સની બદી ધીમે ધીમે વધી રહી છે, અને તેનાથી ઘણાં લબ્ધ પ્રતિષ્ઠિત પરિવારો પણ અલિપ્ત નથી, તે નક્કર હકીકત જોતા નશીલા ડ્રગ્સના મુદ્દે હવે ખોખલી દારૂબંધી જેવી ઢીલી નીતિ નહીં ચાલે અને એ માટે સરકારે અને સમાજે અત્યંત કડક પગલાં લેવા જ પડશે.
તદ્ન તાજા અહેવાલો મુજબ રાજકોટ પોલીસની એસઓજી ટીમે ૧૦૮ કિલો ગાંજો લઈ જતો ટ્રક ઝડપ્યો છે. ઓરિસ્સાથી આવેલા આ ટ્રકમાંથી ગાંજો ઘેલા સોમનાથ નજીક એક હોટલ પાસેથી પકડાયો અને આ જથ્થો કાલાવડ પહોંચાડવાનો હતો, તેવો ઉલ્લેખ મીડિયા રિપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે. આ ગાંજાનો જથ્થો લગભગ પ૪ લાખથી વધુ રૂપિયાની કિંમતનો હતો. પોલીસે ટ્રક અને સેલફોન સહિત રૂ।. ૮૪ લાખની માલમત્તા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા તથા સંલગ્ન અન્ય શખ્સોની શોધખોળ થઈ રહી હોવાના અહેવાલો છે.
શોર્ટકટમાં નાણા કમાવાની લાલચ, કડક નશાબંધી-દારૂબંધી છતાં ચાલતી લોલંલોલ અને પલંપોલ તથા ગૂપચૂપ રીતે નશીલા દ્રવ્યોની વધી રહેલી ગુપ્ત ડિમાન્ડના કારણે ગુજરાતમાં નશીલા દ્રવ્યેનો વધતો પગપેસારો ભાવિ પેઢીને બરબાદ કરી દેશે.
ઓરિસ્સાથી ગાંજાનો જંગી જથ્થો આ જ શખ્સો આ પહેલા પણ ત્રણ વખત લાવ્યા હતાં. પહેલી અને બીજી વખત દોઢ મણ તથા ત્રીજી વખત બેે મણ જથ્થો ઘૂસાડવામાં સફળ થયા પછી આ વખતે સાડાપાંચ મણ જેટલો ગાંજો લાવવા જતા ઝડપાઈ ગયેલા શખ્સો પાસેથી આ પ્રકારના અન્ય રેકેટોની માહિતી મેળવવાના પ્રયાસો થશે, પરંતુ આ ગાંજો અંતે ક્યાંક તો વપરાતો હશે ને? આ તો એક પકડાઈ ગયેલા ટ્રકની કહાની માત્ર ગાંજાની જ છે, પરંતુ અનેક પ્રકારના નશીલા ડ્રગ્સ તથા દેશી-વિદેશી દારૂના થતા ડમ્પીંગ સામે હવે જનતાએ પણ જાગૃત થવું પડશે અને આપણી જ આવતી પેઢીનેે પાયમાલ કરવાના ચાલી રહેલા ષડ્યંત્રોનો પર્દાફાશ કરવો પડશે. આ માટે પ્રામાણિક તંત્રોને બીરદાવવા પડશે અને ભ્રષ્ટ પરિબળોને ખુલ્લા પાડીને કડક સજા કરાવવી પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આસામ, પ. બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ. પ. બંગાળ, આસામ અને પુદુચેરીમાં ભાજપ-એનડીએને સ્પષ્ટ જનાદેશ મળ્યો અને કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ ગઠંબધનને પણ સ્પષ્ટ બહુમતી મળી. તમિલનાડુમાં ટીવીકેને બહુમતીમાં દસ બેઠકો ઘટી, જેતે લઈને ત્યાં દ્વિધા ઊભી થઈ છે. કોંગ્રેસે પાંચ બેઠકો સાથે સમર્થન આપ્યા પછી પણ હજુ પાંચ બેઠકો ખૂટતી હતી તેથી ગઈકાલ સુધી સસ્પેન્સ સાથે અનિશ્ચિતતાઓ જોવા મળી રહી હતી. થલપતિ વિજય રાજ્યપાલને મળી આવ્યા પછીનો ઘટનાક્રમ જોતા આજે તમિલનાડુમાં કાંઈક નવા જુની થશે, તેમ જણાય છે.
પ. બંગાળમાં તો ભાજપને તોતિંગ બહુમતી મળી છે અને મતદાન તથા મતગણતરી થઈ ત્યાં સુધી તો ગત્ ચૂંટણીની સરખામણીમાં હિંસક ઘટનાઓ ઓછી થઈ હોવાનો દાવો પણ ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર અને લગભગ નિશ્ચિત મનાતા શુભેન્દુ અધિકારીએ કર્યો હતો, અને ભાજપ વિજય સરઘસો નહીં કાઢે, અને ચૂંટણી પછી હિંસા આચારનાર સામે કડક પગલાં લેવાશે, તેવા દાવાઓ પણ થયા હતાં, જો કે મતગણતરી સંપન્ન થઈ અને મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઈન્કાર કરીને ચૂંટણીપંચ સામે ગંભીર આક્ષેપો કર્યા પછી એક તરફ રાજકીય અનિશ્ચિતતાઓ તથા બંધારણીય સંકટ ઊભું થયું હોવાની વાતો વહેતી થઈ તો બીજી તરફ નવમી મે ના દિવસે નવી સરકારની શપથવિધિ યોજાશે, તેવી જાહેરાત પણ થઈ ગઈ.
અત્યારે પ. બંગાળમાં સ્થિતિ એવી છે કે ત્યાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થવા જઈ રહી હોવાથી ચૂંટણીપંચની ભૂમિકા હવે નવી સરકારની રચના સુધીની જ રહી છે, તો બીજી તરફ મમતા બેનરજીએ રાજીનામું નહીં આપ્યું હોવાથી અભૂતપૂર્વ બંધારણીય અનિશ્ચિતતાઓ પણ ઊભી થઈ હતી.
સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી પૂરી થાય અને પરિણામો આવી જાય, તે પછી મુખ્યમંત્રી રાજ્યપાલને રાજીનામું સુપ્રત કરે અને રાજ્યપાલ નવી સરકારની રચના થાય, ત્યાં સુધી વચગાળાની (રખેવાળ) સરકાર તરીકે સેવા ચાલુ રાખવાની સૂચના આપે છે, અથવા વિનંતી કરે છે. એ કારણે રાજ્ય તદ્ન સરકાર વિહોણું રહેતું નથી, જો કે બંધારણીય જોગવાઈઓ મુજબ રખેવાળ સરકાર કોઈ નીતિવિષયક નિર્ણયો લઈ શકતી હોતી નથી.
આ વખતે પ. બંગાળના કિસ્સામાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે આપેલા આદેશો તથા કેન્દ્રિય સુરક્ષાદળો તથા અધિકારીઓ ઉપરાંત ન્યાયતંત્રની દેખરેખના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારની સત્તાઓ ઘણી જ સીમિત થઈ ગઈ હતી, તેથી ચૂંટણી પછીની સ્થિતિમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી અંગે પણ અભૂતપૂર્વ અનિશ્ચિતતાઓ ઊભી થઈ ગઈ હતી. આ બધા ઘટનાક્રમો વચ્ચે ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી પદના દાવેદાર શુુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ અને તેના જમણા હાથ સમા યુવા સાથી ચંદુનાથ રથ પર અંધાધુંધ ગોળીબાર કરીને તેની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી. તે પછી ગઈ આખી રાત પ. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને દ્વિધા તથા અનિશ્ચિતતાઓ પ્રવર્તતી રહી હતી, અને આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. ટીએમસીએ પણ ચંદ્રનાથની હત્યાની ટીકા કરી છે!
આ પ્રકારની પ. બંગાળની હિંસક રાજકીય સંસ્કૃતિ વખોડવાલાયક છે, અને આઝાદી પછીના બે-ત્રણ દાયકા અવારનવાર રાષ્ટ્રપતિ શાસનો પછી સાડાત્રણ દાયકાના ડાબેરીઓના શાસન દરમિયાન પનપેલી પોલિટિકલ ઈજારાશાહી તથા દોઢ દાયકાના મમતા શાસન દરમિયાન ચૂંટણીઓમાં પણ હિંસા, ધાકધમકી, બળપ્રયોગ તથા ભયના માહોલની અસરો રાતોરાત ખતમ નહીં થાય, તે પણ હકીકત છે અને અન્ય રાજકીય પક્ષોના કેટલાક સ્થાનિક નેતાઓના નિવેદનો અને અભિગમો પણ રાતોરાત બદલાવાના નથી. ટૂંકમાં કોઈ દૂધનું ધોયેલું નથી, તેથી હવે પછીની સરકાર સામે પણ 'સ્વયં સિસ્ત' રાખવા સહિતના મોટા પડકારો રહેવાના છે. ચૂંટણી પછીની હિંસામાં અડધો ડઝન જેટલી હત્યાઓ થઈ છે. સ્વાભાવિક રીતે જ ચંદુનાથ રથની હત્યા માટે ભાજપ ટીએમસીને જવાબદાર ઠેરવે અને ટીએમસી તેનો ઈન્કાર ભલે કરે, પરંતુ પ. બંગાળની હિંસક રાજનૈતિક માનસિક્તાને બદલવા બધા પક્ષોએ ઘણી મહેનત કરવી પડશે, તે પણ હકીકત છે.
પ. બંગાળની આ હિંસક રાજનૈતિક સંસ્કૃતિનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો હોવાના મીડિયા અહેવાલો ચિંતાજનક છે. જૂનાગઢમાં ભાજપના ચૂંટણીપ્રચાર માટે ગયેલી ભાજપની ટીમમાં ગુજરાત પરત આવ્યા પછી વિખવાદ થયો અને જૂનાગઢમાં સંગઠનના એક હોદ્દેદારે તથા એક કાર્યકરે સોશિયલ મીડિયામાં ભાજપના જ ધારાસભ્ય વિષે મેસેજ મૂક્યો અને તે પછી ધારાસભ્ય અને કોર્પોરેટરના ઈશારે બૂકાનીધારીઓએ તેઓ પર હુમલો કર્યો હોવાના અહેવાલો ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે અને પ. બંગાળની હિંસક માનસિક્તા ધરાવતી રાજકીય મનોવૃત્તિ ગુજરાત સુધી પહોંચી હોવાની ટિપ્પણીઓ પણ થવા લાગી છે.
બીજી તરફ તમિલનાડુમાં ડીએમકેએ કોંગ્રેસ પર બેક સ્ટલિંગ (પીઠમાં છરો ભોંકવા) નો આરોપ લગાવ્યો છે, તો બહુમતીથી થોડીક ઓછી બેઠકો મેળવનાર ટીવીકેને સત્તાથી દૂર રાખવા ઘોરવિરોધી પ્રાદેશિક પક્ષો ડીએમકે અને એઆઈએમડીએમકે એક થઈને ગઠબંધન બનાવશે, તેવા અહેવાલો પછી ગઈકાલથી જ સસ્પેન્સ અને અનિશ્ચિતતાઓ જોવા મળી રહી હતી, અને તેમાં આજનું અપડેટ જોતા આ પ્રકારની અભૂતપૂર્વ ઘટનાઓની કલ્પના કદાચ બંધારણના ઘડૈયાઓએ પણ નહીં કરી હોય, તેમ કહી શકાય.
તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીન અને પરાજીત કે વિજયી બનેલા અન્ય મુખ્યમંત્રીઓએ બંધારણીય પરંપરાઓ મુજબ રાજીનામા આપ્યા હોય, અને રાજ્યપાલના આદેશથી નવી સરકારની રચના સુધી રખેવાળ સરકાર ચલાવી રહ્યા હોય, તો રાજીનામું નહીં આપનાર મમતા બેનર્જી કાર્યવાહક મુખ્યમંત્રી ગણાય કે નહીં, તેની ચર્ચાઓ વચ્ચે આજે (૭ મી મે ના) પ. બંગાળની વિધાનસભાનો કાર્યકાળ જ પૂરો થઈ જતા જુની વિધાનસભા જ વિખેરાઈ જશે, અને ચૂંટણીપંચે નવી વિધાનસભાનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધુ હોવા છતાં મમતા બેનર્જીએ સત્તાવાર રીતે ગઈકાલ સુધી રાજીનામું જ નહીં આપતા તેની ટીકા પણ થઈ રહી છે, તો સમાજવાદી પાર્ટી, આપ અને અન્ય કેટલાક પક્ષો તેનું સમર્થન પણ કરી રહ્યા છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો પછી ભાજપ-એનડીએને ભલે ત્રણ રાજ્યોમાં બહુમતી મળી હોય, પરંતુ આ કારણે જ વિપક્ષો ફરીથી એકજુથ થઈ રહ્યા છે અને ફરીથી ઈન્ડિયા ગઠબંધન સક્રિય થવા લાગ્યું છે, તે પણ હકીકત છે, જો કે વિપક્ષો ફરીથી એકજુથ થાય, તો તેનું નેતૃત્વ કોણ કરશે, તથા વર્ષ ર૦ર૭ ની કેટલાક રાજ્યોની ચૂંટણીમાં રણનીતિ કેવી હશે, તેની ચર્ચા પણ થવા લાગી છે. લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે, અને તે માટે ભાજપ-એનડીએ સામે વિપક્ષો એકજુથ થતા હોય, તો તે સમયની માગ પણ છે. આ માટે ગઠબંધનનું નેતૃત્વ કોઈ રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષના કોઈ કરિશ્માઈ નેતા કરે, તે પણ અત્યંત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં શીપ બ્રેકીંગ યાર્ડ પછી હવે હાલારમાં શીપ રીપેર ફેસેલિટીની સ્થાપના થવા જઈ રહી હોવાના અહેવાલોએ માત્ર હાલારીઓ જ નહીં, પરંતુ પશ્ચિમ ભારતના દરિયાઈ વિસ્તારોનું પણ ધ્યાન ખેંચ્યું છે, અને આ મહત્ત્વકાંક્ષી જાયન્ટ પ્રોજેક્ટ વાડીનાર બંદરે સ્થાપવાના ચક્રો હવે ઝડપથી ગતિમાન થશે, તેવા આશાવાદ વચ્ચે કેન્દ્રિય કેબિનેટના ગઈકાલના બે નિર્ણયોની દેશવ્યાપી ચર્ચા પણ થઈ રહી છે. બીજી તરફ પ્રવર્તમાન શાસન પદ્ધતિમાં પ્રવર્તી રહેલી પબ્લિસિટીની વિશેષતાઓના વ્યંગ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ જાયન્ટ પ્રોજેક્ટ જો હાલારમાં સ્થપાઈ રહ્યો હોય, તો તેને આવકારવો જ જોઈએ, પરંતુ તેનો જમીન પર કેટલી સમયમર્યાદામાં અમલ થશે, તેની ચોખવટ પણ થવી જરરી છે.
ગઈકાલે કેન્દ્રિય કેબિનેટમાં ગુજરાતને સાંકળતા જે નિર્ણયો લવાયા, તેમાં વાડીનારમાં અદ્યતન સુવિધાઓ સાથે શીપ રીપેર ફેસિલિટીની સ્થાપનાના નિર્ણયનો પણ સમાવેશ થાય છે. આ સમાચારે ગઈકાલથી જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉત્સુક્તા જગાડી દીધી છે. વાડીનાર આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે, પરંતુ તેની આજુબાજુના ગામો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ તથા રિલાયન્સ, એસ્સાર પાવર્સ અને નયારા જેવી જાયન્ટ કંપનીઓને સાંકળે છે. એટલું જ નહીં, વાડીનાર પણ મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક સ્થળે આવેલું અગત્યનું ડેસ્ટિનેશન છે.
વાડીનાર દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા પોર્ટ ટ્રસ્ટ) નું ઓઈલ જેટી ટર્મિનલ છે, અને નજીકમાં જ ઈન્ડિયન ઓઈલ, જાયન્ટ ઔદ્યોગિક કંપનીઓ, સોલ્ટવર્કર્સ, દરિયાઈ પ્રાકૃતિક સૌંદર્ય, અને રંગબેરંગી જીવસૃષ્ટિ ધરાવતો નરારા ટાપુ અને કોલસા તથા ગેસ આધારિત કેપ્ટિવ થર્મલ પાવર પ્લાન્ટ આવેલા છે. દરિયાકાંઠાના આ વિસ્તારો કોસ્ટલ અને રાષ્ટ્રીય સુરક્ષા તથા દરિયાઈ પરિવહન માટે પણ ખૂબ જ વ્યૂહાત્મક ક્ષેત્ર છે. આ વિસ્તાર ઔદ્યોગિક-વ્યાપારિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વાડીનાર હાલાર-બારાડીની ભાતીગળ સંસ્કૃતિનો સંગમ છે, જ્યાંથી દરિયાઈ પરિવહન તથા સડક પરિવહનની નવી દિશાઓ ખુલી રહી છે.
આ વાડીનારમાં અત્યાધુનિક સુવિધાસંપન્ન શીપ રીપેર ફેસિલિટીનો પ્રોજેક્ટ આવશે, અને તેના કારણે સ્થાનિક રોજગારીની વિપુલ તકો ઊભી થશે, તથા વિસ્તાર વિકાસ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પણ દિશાઓ ખુલશે, તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટમાં લગભગ રૂ।. ૧પપ૦ કરોડથી વધુનું રોકાણ કરશે. આ કામને જાયન્ટ શીપ (વિરાટકાય જહાજો) ના રીપેરીંગ માટે દેશને વિદેશના વિશાળ શીપ યાર્ડો પર નિર્ભર રહેવું નહીં પડે. એટલું જ નહીં, પરંતુ જહાજોની મરામતની કોસ્ટ પણ ઘટશે તથા દેશનું મૂલ્યવાન વિદેશી હુંડિયામણ પણ બચશે, તે પ્રકારના મસમોટા દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ જાયન્ટ પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડ લિમિટેડનું સહિયારૂ સાહસ હોવાનું પણ જાહેર થયું છે.
એવું કહેવાય છે કે આ હાઈટેક ફેસિલિટીમાં ૬પ૦ મીટર લાંબી જેટી બનાવાશે, અને બે વિશાળકાય ફ્લોટીંગ ડ્રાય ડોક તૈયાર કરાશે, જેમાં જાયન્ટ શીપ્સ (વિરાટકાય જહાજો) ની મરામત કરવાની અદ્યતન સુવિધાઓ હશે તથા નિભાવ પણ કરાશે. આ આધુનિક તરતું વર્કશોપ હશે, જેને અનુરૂપ દરિયાઈ માળખાઓ પણ બનાવાશે, જેથી આ તમામ પ્રક્રિયા સરળ, ઝડપી અને સુરક્ષિત થઈ શકશે, અને મહામુલો સમય પણ બચશે.
ભારતમાં લાંબા દરિયાકાંઠે કેટલાક સ્થળે શીપ રીપેર યાર્ડસ છે, પરંતુ વહાણોની મરામતના વૈશ્વિક ક્ષેત્રમાં તેની હિસ્સેદારી ઘણી જ ઓછી છે. શીપ રીપેર માર્કેટમાં ભારતનો કબજો વૈશ્વિક દૃષ્ટિએ એક ટકા જેટલો પણ નહીં હોવાનું કહેવાય છે. એક અંદાજ મુજબ ભારતની દરિયાઈ સરહદથી માત્ર ૩૦૦ દરિયાઈ માઈલના વિસ્તારમાંથી દુનિયાનું ૭ થી ૯ ટકા દરિયાઈ પરિવહન થાય છે, તેથી ભારતમાં શીપ રીપેર માર્કેટ વિક્સાવવાની વિપુલ તકો પણ છે.
ભારતમાં એકંદરે ૪૦ થી વધુ જહાજ મરામત યાર્ડ હોવા છતાં આ ક્ષેત્ર ઘણાં બધા પડકારો સામે ઝઝુમી રહ્યું છે, અને આ તમામ પડકારોનો ઊંડો અભ્યાસ કરીને વાડીનારનો આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યો હોવાની ચર્ચા પણ આ ક્ષેત્રના અભ્યાસુઓ તથા અનુભવીઓના વર્તુળોમાં થઈ રહી છે. ખાસ કરીને પૂરક વ્યવસાયો, લઘુ-મધ્યમ ઉદ્યોગો તથા લાજેસ્ટિક સેવાઓના કારણે રોજગારી વધશે, તેમ કહેવાય છે.
ભારતના વિશાળ ઓઈલ ટેન્કર્સ ધરાવતા જહાજો, કાર્ગો જહાજો વગેરે વિરાટકાય જહાજોના રીપેરીંગ માટે તથા ડ્રાય ડોકીંગ માટે ભારતના જહાજોને અત્યારે વિદેશમાં જવું પડે છે, કારણ કે ર૩૦ મીટરથી વધુ લંબાઈ ધરાવતા જહાજો માટે પર્યાપ્ત ડ્રાઈ-ડોક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આપણા દેશમાં હાલમાં સુવિધાઓ નહીંવત્ છે. આ કારણે ભારતના જહાજોને સીંગાપુરના કેપેલ ઓફશોર એન્ડ મરીન જેવા મોટા શીપ રીપેરીંગ યાર્ડમાં જવું પડે છે. તે ઉપરાંત યુરોપના નેધરલેન્ડ યાર્ડ, દક્ષિણ કોરિયાનું હુંડઈ મિપો ડોકયાર્ડ, યુએઈમાં દુબઈનું ડ્રાયડોક્સ વર્લ્ડ, મધ્યપૂર્વમાં આવેલા યાર્ડર્સ તથા ચીનનું કોસ્કો શીપીન હેવી ઈન્ડસ્ટ્રી યાર્ડ પણ જાયન્ટ જહાજોનું રીપેરીંગ કરે છે.
ભારતમાં ૪પ જેટલા શીપ રીપેરીંગ કરતા યાર્ડ હોવા છતાં ભારતના જહાજોને વિદેશોના યાર્ડોમાં રીપેરીંગ કરાવવા જવું પડે છે, તેના કારણોમાં ભારતીય બંદરો પર દરિયામાં જહાજોને રીપેરીંગ માટે રાખવાની આવશ્યક ઊંડાઈ ધરાવતા સ્થળો ઘણાં જ ઓછા છે, તેમાં પણ ઘણાં શીપ રીપેર યાર્ડસ ભારતીય નૌસેના માટે જહાજોના નિર્માણ તથા રીપેરીંગ માટે કાયમી ધોરણે રોકાયેલા રહે છે, તેથી બાકીના રીપેરીંગ યાર્ડ (વહાણો રીપેર કરવાના ગેરેજ) માં અન્ય તમામ જહાજો રીપેરીંગ માટે આવતા હોવાથી મરામતમાં વિલંબ થાય છે, અને વિદેશી યાર્ડ કરતા દોઢો સમય ખર્ચાતા હોય છે. આ કારણે વિદેશી રીપેર યાર્ડસ પર વધુ આધાર રાખવો પડે છે.
વાડીનારમાં ઊભી થનારી જહાજ મરામત સુવિધામાં ૩૦૦ મીટર સુધીની લંબાઈ ધરાવતા જહાજોના રીપેરીંગની સુવિધા હશે, જો કે આ પરિયોજના સાકાર થવા માટે હવે લગભગ ત્રણ વર્ષ લાગી શકે તેવું જાહેર થયું છે, એટલે કે વર્ષ ર૦ર૯ ની લોકસભાની ચૂંટણીઓના વર્ષમાં જ વાડીનારમાં આ સુવિધા શરૂ થાય, અને તેનું ઉદ્ઘાટન કરવા રાષ્ટ્રીય નેતૃત્વ આવે, તેવી શક્યતાઓ ગણી શકાય. આ પ્રોજેક્ટથી હાલારમાં એમએસએમઈ સેક્ટરને પણ પ્રોત્સાહન મળશે, તેવો દાવો કરાયો છે.
વિરાટકાય રિફાઈનરીઓ, કચ્છનો અખાત, અનુકૂળ દરિયાઈ વિસ્તાર, ઔદ્યોગિક ઝોન, રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વપૂર્ણ એકમો, ભારતીય સેનાની ત્રણેય પાંખો, એરપોર્ટસ અને બંદરોની નજીકમાં ઉપલબ્ધિ અને વનતારાના કારણે ગ્લોબલ મેપમાં મહત્ત્વપૂર્ણ બનેલું હાલાર હવે વાડીનાર બંદર પર વહાણો રીપેર કરવાના આંતરરાષ્ટ્રીય કક્ષાના હબ તરીકે પણ વૈશ્વિક મહત્ત્વ મેળવનાર હોઈ, વાડીનાર વિસ્તારના સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મૂળભૂત સુવિધાઓ તથા ગ્રામ્ય માળખાકીય સગવડો માટે રાજ્ય-કેન્દ્ર સરકાર વધુ ધ્યાન આપશે, તેવી આશા જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ગુજરાતમાં ધોરણ ૧ર ની પરીક્ષાઓના બન્ને પ્રવાહોના પરિણામો આવ્યા, અને હાલારમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં હરખની હેલી જોવા મળી, તો વાલીઓના ચહેરાઓ પર તેમના સંતાનોના ઉત્તીર્ણ થવાના આનંદની સાથે આગળના ઉચ્ચ અભ્યાસ માટેની વ્યવસ્થાઓ કરવાની થોડી ઘણી ચિંતાઓ પણ ઝળકી. અત્યારે મોંઘાદાટ થઈ ગયેલા શિક્ષણમાં ધો. ૧ર પછી હવે ક્યા ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે જવું, કઈ કોલેજ કે શૈક્ષણિક સંસ્થા પસંદ કરવી, તેના પછી એડમિશન તથા પ્રવેશ મળી ગયા પછી વિદ્યાર્થીના નિવાસ, ભોજન, પરિવહન તથા ફી ભરવાની વ્યવસ્થાથી લઈને તેમાં થનારા ખર્ચની જોગવાઈ કવા સુધીની હડિયાપટ્ટીમાં વિદ્યાર્થીઓ-વાલીઓ વ્યસ્ત થઈ જશે. આ તમામ પ્રક્રિયાઓ તથા તૈયારીઓ દરમિયાન ખાસ કરીને મધ્યમ વર્ગિય પરિવારો માટે સંતાનોના ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થાઓ કરવી એ એક મોટો પડકાર હશે.
જામનગર જિલ્લામાં ધોરણ ૧ર મું-સાયન્સ પ્રવાહનું ૯૦ ટકા જેવું પરિણામ આવ્યું અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયન્સ પ્રવાહનું ૮૭ ટકા જેવું પરિણામ આવ્યું છે, તો સામાન્ય પ્રવાહમાં જામનગર જિલ્લામાં લગભગ ૯૩ ટકા જેવું પરિણામ આવ્યું, તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયન્સ પ્રવાહનું પરિણામ ૯પ ટકાથી વધુ આવ્યું છે.
જામનગર જિલ્લામાં ગયા વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૩ થી ૯૪ ટકાની વચ્ચે હતું, જે આ વખતે ૯૩ ટકાથી થોડુક નીચું (૯ર.૯૯ ટકા) રહ્યું છે, તો ગયા વર્ષે જામનગર જિલ્લાનું સાયન્સ પ્રવાહનું પરિણમ લગભગ ૯૧ ટકાને આંબવા જઈ રહ્યું હતું, તે ઘટીને ૯૦ ટકા થયું છે. આમ, આ વખતે ઊંચા પરિણામો આવવા છતાં ગત્ વર્ષની સરખામણીમાં જામનગર જિલ્લાનું ધોરણ ૧ર નું એકંદરે પરિણામ ઓછું આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯પ.ર૭ ટકા છે, જે ગત્ વર્ષે ૯પ.૬૯ ટકા હતું, જે નજીવો ઘટાડો દર્શાવે છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આ વર્ષે ૮૬.૮૮ ટકા આવ્યું છે, તો ગત્ વર્ષે ૯૦.૮૮ ટકા હતું જે નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
આમ, એકંદરે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ગત્ વર્ષના પરિણામોની સરખામણીમાં એકંદરે હાલારમાં આ વર્ષે ઘટાડો થયો છે, જેના કારણોના વિશ્લેષણો થશે અને તારણો નીકળશે, પરંતુ અત્યારે તો ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ 'આગળ હવે શું?' ક્યાં એડમિશન લેવું તેની મથામણ સાથે અને એડમિશન પછીની સંલગ્ન વ્યવસ્થાઓની દોડધામમાં લાગી ગયા છે.
આ અહેવાલો વચ્ચે જામનગર જિલ્લામાં નગર સહિત ૯ જેટલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૦૦ ટકા જેવું પરિણામ આવ્યું હોવાના અહેવાલોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, તે ઉપરાંત વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ અનુસાર વર્ગિકરણ જોતા એકંદરે સારૃં પરિણામ હોવા છતાં પણ ગત્ વર્ષના હાલારના પરિણામોની સરખામણીમાં ઓછું પરિણામ આવ્યું હોય તો તેનું ચિંતન પણ કરવું જ જોઈએ, અને ચિંતા કરવાની સાથે સાથે જ્યાં જ્યાં નબળા પરિણામો આવ્યા હોય, ત્યાં ત્યાં આગામી વર્ષે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ગઈકાલે એક તરફ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોનો ઝંઝાવાત હતો, તો બીજી તરફ ગુજરાત એસ.એસ.સી./એચ.એસ.સી. બોર્ડના પરિણામો આવી રહ્યા હતાં. બોર્ડના પરિણામો પછી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની બુનિયાદ મજબૂત બને, તે પ્રકારની પસંદગીમાં વ્યસ્ત છે, તો ચૂંટણીઓના પરિણામો આવ્યા પછી રાજકીય પક્ષો નવી સરકારોની રચનાની તૈયારીઓ માટે ગડમથલ કરી રહ્યા છે. આ વખતે જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. માત્ર તમિલનાડુમાં ટીવીકેને જુજ બેઠકો ઘટે છે, જેની જોગવાઈ તો તે કરી જ લેશે.
આ વખતેના પરિણામો આવ્યા પછી સામાન્ય જન-પ્રતિભાઓ તથા નેતાઓના પ્રત્યાઘાતો ઘણાં જ રસપ્રદ છે. આ પરિણામોમાં ભાજપ-એનડીએનો હાથ ઊંચો રહ્યો હોવા છતાં કોંગ્રેસ માટે પણ આ ચૂંટણીઓ થોડી ફળદાયી નિવડી હોય તેમ જણાય છે. કેરલમાં સત્તા મેળવી અને તમિલનાડુમાં કિંગમેકરની સ્થિતિ પ્રાપ્ત થઈ, તે કોંગ્રેસ માટે દક્ષિણ ભારતમાં એક નોંધપાત્ર સિદ્ધિ છે, જો કે ઉત્તર-પૂર્વ ભારતમાં કોંગ્રેસનો રકાસ કોંગ્રેસ માટે ચિંતા-ચિંતન અને આત્મમંથનનો વિષય પણ છે.
પ. બંગાળમાં મમતા દીદીની અસાધારણ હાર તથા તમિલનાડુમાં સ્ટાલિનનો ભૂંડો પરાજય અને આસામમાં ગૌરવ ગોગોઈ એ દર્શાવે છે કે લોકતંત્રમાં જનતા જ સર્વોપરિ છે અને વિફરે (નારાજ થાય) તો માત્ર સત્તાધારી પાર્ટીને જ નહીં, દિગ્ગજ નેતાઓને પણ ઈવીએમના માધ્યમથી ઘરભેગા કરી શકે છે. આથી અત્યારે પ્રચંડ બહુમતથી પુનઃ ચૂંટાયેલા કે નવો જનાદેશ મેળવેલા પક્ષો અને નેતાઓએ પણ ઘમંડ કે ફાંકામાં રહેવા જેવું નથી, પરંતુ 'માપ'માં રહીને વાસ્તવિક 'જનસેવા'માં લાગી જવાનું છે.
જો પ્રત્યાઘાતોની વાત કરીએ તો ભારતના પ્રેસ-મીડિયામાં તો સ્વભાવિક રીતે જ જેનો વિજય થયો તેના ગુણગાન ગવાઈ રહ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રેસ-મીડિયામાં પણ ભાજપના વિજયના દ. ભારતમાં કોંગ્રેસને સમર્થન અને ડાબેરી પક્ષોને ઝટકાના સમાચારો સાથે વિશ્લેષણો થઈ રહ્યા છે.
ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીનું પણ ગઈકાલે પરિણામ આવ્યું. આ પરિણામ અપેક્ષિત જ હતું, કારણ કે આ બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી ખાલી પડી હતી અને ત્યાં ભાજપે તેમના જ પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી હતી, તેથી સહાનુભૂતિ તથા સ્વર્ગસ્થ ગોવિંદભાઈની કારકિર્દીની અસરોના કારણે આ વિજય નક્કી જણાતો હતો. આમ પણ પેટા ચૂંટણીઓમાં રાજ્યમાં જેની સત્તા હોય તેના તરફી જ મોટાભાગે જનાદેશ મળતો હોય છે, જો કે આ મતગણતરી દરમિયાન ર૩૦૦ થી વધુ મતો 'નોટા'ને પણ મળ્યા હતાં, તો કોંગ્રેસના ઉમેદવારે પોતાના પરાજય માટે ઈવીએમને દોષિત ઠેરવ્યું હોવાના અહેવાલો પછી વિવાદ છેડાયો હતો, જો કે ખેલ અને ચૂંટણીઓમાં તો જો જીતા વોહી...!
એવું કહેવાય છે ક ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ અહેવાલો વહેતા થતા જ હાલારમાં હલચલ વધી રહી છે અને વિવિધ અટકળો પણ થવા લાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, અને તબક્કાવાર લીડ અને વિજયના આંકડાઓ સામે આવી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો પછી હવે તેમાં હોદ્દેદારોની નિમણૂકો માટે રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા શરૂ થયા પછી હવે રેસમાં કોણ-કોણ છે, તેની ચર્ચા ગામેગામ અને નગરો-શહેરોમાં થઈ રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દાઓ કોને સોંપવા તે માટે ચાલી રહેલી અથવા સંપન્ન થયેલી રનીંગ સેન્સ પ્રક્રિયા તથા પોષ્ટ સેન્સ પ્રક્રિયામાં કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારોના મંતવ્યો સાંભળીને તેનું તારણ (સેન્સ) મોવડી મંડળને પહોંચાડાય છે, અને તે પછી પ્રદેશ કક્ષાનું મોવડી મંડળ (કદાચ દિલ્હીવાળાને પૂછીને) નિરીક્ષકોએ સુપ્રત કરેલી પેનલોમાંથી હોદ્દાવાર નામો ફાયનલ કરે છે અને તેની જાણ ગુપ્ત રીતે જિલ્લા-તાલુકા કે શહેર કક્ષાના પાર્ટીના હોદ્દેદારોને કરવામાં આવે છે. રનીંગ અને પોસ્ટ સેન્સ પ્રક્રિયા પછી આખરી નિર્ણય પ્રાદેશિક મોવડીમંડળ (હાઈકમાન્ડ) લ્યે ત્યાં સુધી પોસ્ટ સેન્સ પ્રક્રિયા ચાલે છે.
ઘણી વખત કેટલીક પાર્ટીઓમાં કેટલાક શહેરો કે તાલુકા-જિલ્લા માટે હોદ્દેદારો કોને નિમવા, તેનો નિર્ણય લેવાઈ ચૂક્યો હોવા છતાં પાર્ટી દ્વારા 'સિસ્ટમ'ને અનુસરવા દેખાવ ખાતર સેન્સ પ્રક્રિયા કરવામાં આવતી હોય તેવું લાગે છે. આ કારણેે કટાક્ષમાં એ પ્રકારની સેન્સ પ્રક્રિયાને 'નોનસેન્સ' પ્રક્રિયા પણ કહી શકાય. 'નોનસેન્સ' પ્રક્રિયા પછી તત્કાળ હાઈકમાન્ડ દ્વારા હોદ્દેદારોના નામો જાહેર કરી દેવાય, તો કહીં શકાય કે આખી પ્રક્રિયા જ સિસ્ટોમેટિક ફોર્માલિટી જ હતી. જો સેન્સ પ્રક્રિયા પછી હાઈકમાન્ડમાં એક એક સંસ્થાવાર અને હોદ્દાવાર દાવેદારો તથા સ્થાનિક અગ્રણીઓ-કાર્યકર્તાઓના લેવાયેલા મંતવ્યો, પેનલવાર સમીક્ષા તથા વિસ્તૃત ચર્ચા-વિચારણા-પરામર્શ પછી નિર્ણયો લેવાય અને તે અંગે 'ઉપર' કોઈને પૂછવું પડે, તો પૂછીને તથા લેવાયેલા નિર્ણયો સાથે 'દિલ્હી' સંમત ન થાય તો સંભવિત સ્થિતિની તર્કબદ્ધ દલીલો સાથે પરામર્શ પછી અંતિમ નામો ફાયનલ કરવામાં આવે, તો જ તેને એક પ્રકારની આંતરિક લોકતાંત્રિક સિસ્ટમ્સનું પ્રામાણિકતાપૂર્વક પાલન કર્યું ગણાય. પ્રવર્તમાન સમયમાં આવુું થાય છે ખરૃં? તેનો સાચો જવાબ પણ ઓપન સિક્રેટ જ છે, અને આપણે જાણીએ જ છીએ.
આથી એવું કહી શકાય કે જો રાજકીય પક્ષો દાવેદારો, જમીન જમીની કાર્યકરો તથા સ્થાનિક નેતાઓના મંતવ્ય-અભિપ્રાયો પૂરેપૂરા લક્ષ્યમાં લઈને અંતિમ નિર્ણયો લેતા હોય તો જ તે યોગ્ય ગણય, અન્યથા આ પ્રક્રિયાને 'નોનસેન્સ' જ ગણવી પડે.
આમ તો બધા રાકીય પક્ષોમાં આ પ્રકારની સિસ્ટમ્સ અપનાવાતી જ હોય છે, પરંતુ તેને જુદા જુદા નામે કે જુદી જુદી પદ્ધતિથી અમલી બનાવાતી હોય છે. જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જે પાર્ટીએ બહુમતી મેળવી હોય તે પાર્ટીઓ 'સેન્સ' પ્રક્રિયા કરતી હોય છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મોટાભાગે ભાજપે બહુમતી મેળવી છે, તેથી કદાચ તેમાં રનીંગ 'સેન્સ' પ્રક્રિયા અને પોસ્ટ રનીંગ પ્રક્રિયા પણ પડકારરૂપ બની રહી છે, એટલું જ નહીં, હોદ્દેદારોના જે નામો ચર્ચામાં હશે, તે દાવેદારોના નામ પાર્ટી દ્વારા સિક્રેટ લેટર (પેક કવર) માં મોકલાતી યાદીમાં નહીં હોય અને નવા જ નામ નીકળશે, તેવી સંભાવનાઓને કારણે હિન્દીમાં કહી શકાય કે, 'જો નામ ચર્ચે મેં હોતા હે... વો પરચે મેં નહીં હોતા!'.
આજે બપોર સુધીની પાંચ રાજ્યોની વિધાનસભાઓ માટે થઈ રહેલી મતગણતરીના પરિણામો તથા સરસાઈ જોતા દેશમાં પરિવર્તન અને પુનરાવર્તનની એક અનોખી લહેર જોવા મળી છે, જે ભાજપ શાસિત રાજ્યોમાં પુનરાવર્તન તથા જ્યાં ભાજપનું થોડા દાયકા પહેલા સુધી નહીંવત્ અસ્તિત્વ હતું, તેવા રાજ્યોમાં ભાજપને બમ્પર વિજય મળતો જોવા મળી રહ્યો છે, કેરળ, તમિલનાડુમાં અલગ જ તસ્વીર જોવા મળી રહી છે.
આ પરિણામો દેશની જનતાનો મિજાજ તો દર્શાવે જ છે, પરંતુ આટલી બમ્પર જીત પછી વિજયી રાજકીય પક્ષોની જવાબદારી પણ વધારે છે. બીજી તરફ ચૂંટણી પંચ અને ચંટણી પ્રક્રિયા સામે ઊઠતા રહેલા સવાલો પણ વધુ ઘેરા બનશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
પ. બંગાળમાં મમતા દીદીના યુગનો અંત, તમિલનાડુમાં ડીએમકેનો દેશવટો અને કેરળમાં કોંગ્રેસને જનાદેશ મળતા દેશમાંથી ડાબેરી પક્ષોનો વાવટો વિંટાઈ રહેલો જોવા મળી રહ્યો છે. એકંદરે આ પુનરાવર્તન સાથે પરિવર્તનનો પવન દેશમાં ઈન્કમ્બન્સી અને એન્ટી-ઈન્કમ્બન્સીના ગણિતો માંડતા પોલિટિકલ પંડિતો માટે કોયડો બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનો બમ્પર વિજય થયો, અને ઘણી પાલિકા-પંચાયતોમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા વિપક્ષી ઉમેદવારો જીત્યા. આ કારણે પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં નિયમાનુસર વિપક્ષના નેતા માટે જરૂરી સંખ્યા પણ વિપક્ષની રહી નહીં હોવાથી જામનગર સહિત કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તો વિપક્ષના નેતાની ઓફિસ અથવા ચેમ્બરને તાળા લાગી શકે છે, તેવી ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે.
જનતાએ ભલે ખોબલે ખોબલે મતો આપ્યા હોય, પરંતુ લોકતંત્રમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક મજબૂત વિરોધપક્ષ હોવો અત્યંત જરૂરી છે. શાસકો પણ જનસેવા માટે જ ચૂંટાતા હોય છે, પરંતુ તેની સાથે તંદુરસ્ત સ્પર્ધા કરતો અને જનહિત માટે સહયોગ તથા જરૂર પડ્યે વિરોધ કરતો વિપક્ષ તો હોવો જ જોઈએ, અન્યથા 'લોકતાંત્રિક તાનાશાહી'ની માનસિક્તા પનપતા વાર નથી લાગતી... હાલમાં પણ વિશ્વના ઘણાં દેશોમાં આ પ્રકારના દૃષ્ટાંતો મોજુદ છે. પહેલી ટર્મ કરતા ઘણી જ તો તોતીંગ બહુમતી મેળવીને અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ પણ કદાચ આ પ્રકારના નોકતાંત્રિક સરમુખત્યાર બની ગયા હોય, તેવું લાગે છે.
પ્રવર્તમાન સમયમાં તો જનતાએ મજબૂત બહુમતી આપી હોય અને સત્તા પ્રાપ્ત થઈ હોય, તેમ છતાં વિપક્ષના ચૂંટાયેલા અલ્પમતના સભ્યોને પણ પક્ષાંતર કરાવવા અથવા રાજીનામું અપાવવાના પ્રયાસો થતા હોય તો તે શુદ્ધ લોકતાંત્રિક રણનીતિ નથી, પરંતુ સામ, દામ, ભેદની નીતિ અપનાવીને વિપક્ષોને નામશેષ કરવાનો પ્રયાસ જ ગણાય, અને તેવું થતું હોય ત્યારે સાચુકલી લોકશાહી પર ખતરો મંડરાવા લાગતો હોય છે. આપણાં દેશમાં આઝાદી મળી ત્યારથી અત્યાર સુધીમાં આ પ્રકારની રણનીતિ અવાર-નવાર વિવિધ રાજ્યોમાં અપનાવાતી રહી છે, અને સ્થાનિક કે પ્રાદેશિક કક્ષાએ આ કારણે સત્તાપલટા થયા હોવાના દૃષ્ટાંતો પણ આઝાદી પછીના ઈતિહાસમાં મળી રહે છે.
આપણાં દેશમાં પક્ષાંતર વિરોધી કાયદો લાગુ થયો અને વર્ષ ૧૯૮પ માં બાવનમાં (પર મા) બંધારણીય સુધારા દ્વારા ૧૦ મી અનુસૂચિ ઉમેરાઈ. વર્ષ ૧૯૬૭ થી ૧૯૭૦ માં આયારામ-ગયારામની પ્રવૃત્તિ એટલી ફાલીફૂલી હતી, કે એક જ દિવસમાં બે-ત્રણ પક્ષપલટા થતા, તો વારંવાર ચૂંટાયેલી સરકારો કે શાસનો તૂટી પડતા હતાં. જેની સામે કડક કાયદો લાગુ થયો, જે એક માઈલસ્ટોન પૂરવાર થયો. તે સમયે ચૂંટાયેલા સભ્યોના એકતૃતીયાંસ સભ્યો સામૂહિક પક્ષાંતર કરે, તો તેને પક્ષનું વિભાજન ગણીને માન્ય રાખવાની જોગવાઈ થઈ, અને જો એકલ-દોકલ પક્ષાંતર કરે, તો તેનું સભ્યપદ (ધારાસભ્ય કે સાંસદ તરીકેનું અને જ્યાંથી ચૂંટાયા હોય તે બેઠકનું સભ્યપદ) ગુમાવવું પડે, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને વડાપ્રધાન રાજીવ ગાંધી હતાં.
આ કડક કાયદો લાગુ થયા પછી પક્ષાંતરની પ્રવૃત્તિમાં ઘટાડો થયો, પણ અટકી નહીં. નાના ગૃહો તથા ઓછા સભ્યો ધરાવતા વિધાનસભા કે સંસદીય દળોમાં એક-તૃતીયાંસ સભ્યો મળીને પક્ષનું વિભાજન કરવા લાગ્યા, અને તેમાંથી પક્ષપલટાની એક અલગ જ પદ્ધતિ શરૂ થઈ ગઈ. આ કારણે વર્ષ-ર૦૦૩ માં પક્ષાંતર વિરોધી કાયદામાં એક તૃતીયાંસ સંખ્યાને વિભાજન ગણવાની જોગવાઈ રદ્ કરતો બંધારણીય સુધારો સંસદમાં પસાર કરાયો. બંધારણમાં ૯૧ મો સુધારો કરીને ચૂંટાયેલા સભ્યોની ગૃહમાં સંખ્યાના બે-તૃતીયાંસ સભ્યો પોતાની પાર્ટી એકસાથે છોડીને બીજા રાજકીય પક્ષમાં મર્જ થઈ જાય, એટલે કે વિલય (વિલિનિકરણ) થાય, તો જ તેને માન્યતા આપી શકાય. તે પ્રકારની કેટલીક વધુ કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવી. એટલું જ નહીં, સંસદ કે વિધાનસભાઓમાં બહુમતીથી ચૂંટાયેલા પક્ષના કુલ સભ્યોના ૧પ ટકાનું જ મંત્રીમંડળ બની શકે, તેવી જોગવાઈ કરાઈ. આ કારણે જમ્બો મંત્રીમંડળો રચીને મંત્રીપદોની લાલચ આપવાની મોકળાશ પણ ખતમ થઈ ગઈ. આ સુધારા મુજબ જો કોઈપણ ચૂંટાયેલો સભ્યો પોતાનો પક્ષ છોડે, અને બીજા પક્ષમાં જાય, તો તેને પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરાવી શકાય તેવી જોગવવાઈ થઈ, જે બીજો માઈલસ્ટોન પૂરવાર થઈ.
જો કોઈ ચૂંટાયેલા સભ્યને પોતે જે પક્ષમાંથી ચૂંટાયેલો હોય, તેની વિચારધારા કે અન્ય કોઈપણ કારણે વાંધો પડે, તો તેમનું પોતાનું ધારાસભ્યપદ કે સંસદસભ્ય પદ છોડીને રાજીનામું આપવું પડે અને પછી બીજા પક્ષમાંથી લડવું પડે તેવી જોગવાઈ થઈ. આ વધુ કડક જોગવાઈઓ થઈ ત્યારે કેન્દ્રમાં એનડીએની સરકાર હતી અને વડાપ્રધાન અટલબિહાર વાજપેયી હતાં.
જો કે, આ જોગવાઈઓ છતાં હજુ પણ પક્ષાંતરની પોલિટિકલ પદ્ધતિ તદ્ન ખતમ થઈ નથી. હવે નવા નિયમો મુજબ પહેલા પક્ષ છોડનાર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાનું પદ છોડે છે, અને પછી બીજા પક્ષમાંથી ચૂંટણી લડે છે અથવા રાઘવ ચઢ્ઢા સહિતના સાત સાંસદોની જેમ બે તૃતીયાંસ સભ્યોનું જુથ પક્ષ છોડીને બીજા પક્ષમાં 'બંધારણીય' રીતે જોડાઈ જાય છે.આ કારણે હવે સંસદ, વિધાનસભાઓમાં તો વિપક્ષ નબળો પડી જ રહ્યો હતો, અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ એવું જ થઈ રહ્યું છે, જે બંધારણીય હોવા છતાં લોકતંત્ર માટે અનુકૂળ ગણાય નહીં.
જો કે, આવી સ્થિતિ અત્યારે જ ઊભી થઈ છે અને વિપક્ષો વિહોણાં કે નહીંવત્ વિપક્ષી સભ્યો ધરાવતા ગૃહો હોય જેવું અત્યારે જ થઈ રહ્યું નથી, પરંતુ ભૂતકાળમાં પણ એવી સ્થિતિ હતી, જ્યારે ઘણી વખત ગૃહમાં વિપક્ષના ગણ્યા-ગાંઠ્યા સભ્યો જ ચૂંટાઈને આવ્યા હોય...
દેશને આઝાદી મળી, તે પછી ૧૯પર થી ૧૯૬ર સુધી લોકસભામાં સામ્યવાદી પક્ષ માત્ર ૧૬ થી ર૯ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ હતો, અને કોંગ્રેસની તોતિંગ બહુમતી હતી. વર્ષ ૧૯૮૦ માં ઈન્દિરા ગાંધીની વાપસી થઈ, ત્યારે જનતા પાર્ટી પાસે માત્ર ૪૧ બેઠકો હતી. તે પહેલા વર્ષ ૧૯૭૧ માં પણ કોંગ્રેસ પાસે પ્રચંડ બહુમત હતો, તો બધા વિપક્ષોનો કુલ આંકડો પણ ૧૦૦ બેઠકો સુધી પહોંચતો નહોતો. વર્ષ ૧૯૮૪ માં તો કોંગ્રેસ પાસે પ૪૩ માંથી ૪૦૪ બેઠકો હતી, અને ત્યારે લોકભામાં તેલુગુ દેશમ પાર્ટી ૩૦ બેઠકો સાથે સૌથી મોટી વિપક્ષી પાર્ટી હતી. વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ માં લોકસભામાં સૌથી મોટા વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પાસે અનુક્રમે ૪૪ અને બાવન બેઠકો હતી.
આ જ પ્રકારે ગુજરાત સહિત ઘણી વિધાનસભાઓમાં ભૂતકાળમાં વિપક્ષી સભ્યોની સંખ્યા ઘણી જ ઓછી હતી, અને પ્રવર્તમાન સમયમાં પણ દેશની કેટલીક વિધાનસભાઓમાં આ પ્રકારની સ્થિતિ છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ એવું થવા લાગ્યું છે, અને ત્યાં પણ પક્ષાંતરની નવી તરકીબો અજમાવાતી હોય છે.
આપણા દેશનો ઈતિહાસ એવો પણ રહ્યો છે કે પૂર્ણ બહુમત કે તોતિંગ જનાદેશ આપ્યા પછી પણ જનતા એકાદ ટર્મ માટે બીજો ચાન્સ આપે છે, અને તે પછી સંતોષ ન થાય તો સત્તા પરથી ઉખેડીને ફેંકી પણ દ્યે છે, તે હકીકત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ગુજરાતનો ૬૭મો સ્થાપનાદિન છે, અને ગરવા ગુજરાતે ૬૬ વર્ષની ગૌરવવંતી છતાં પડકારભરી સફળ યાત્રા સંપન્ન કરી છે, જે ગુજરાતીઓની ખુમારી અને ખુદૃારી દર્શાવે છે. ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈ સ્ટેટમાંથી છુટું પડયું અને પહેલી મે-૧૯૬૦ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની રચના થઈ હતી, તે પછી સાડા છ દાયકાની સફર દરમ્યાન ગુજરાતે ઘણાં પડકારોનો સામનો કર્યો છે. ભયંકર દુષ્કાળો, કુદરતી આફતો, કોમી તોફાનો, અનેક પ્રકારના જન આંદોલનો તથા સંઘર્ષોનો સામનો ગુજરાતે કર્યો છે, તેમ છતાં ગુજરાત અને ગુજરાતીઓએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદીકાળથી લઈને આજ પર્યંત માત્ર રાજકીય જ નહીં, ઉદ્યોગ, વ્યાપાર, સાયન્સ-ટેકનોલોજી, સ્પેસ, હેલ્થ, એજ્યુકેશન સહિત અનેક ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનુરૂપ યોગદાન આપ્યું, મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી, કૃષિ-સિંચાઈ, રોજગાર અને માળખાકિય ક્ષેત્રે હરણફાળ ભરી અને વખતોવખત દેશને સબળ નેતૃત્વ પૂરૃં પાડયું તે ગુજરાતીઓની ખુમારી, કુશળતા, કૌશલ્ય અને ક્ષમતા દર્શાવે છે. પ્રત્યેક ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલે તેવી ઘણી સિદ્ધિઓ ગુજરાતે હાંસલ કરી છે અને તમામ ક્ષેત્રે દેશની પ્રગતિમાં સ્થાપનાદિનથી આજ સુધી હંમેશાં સિંહફાળો આપ્યો છે, તે હકીકતને કોઈ નકારી શકે તેમ નથી.
ગુજરાતે અનેક ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાં કેટલાક ક્ષેત્રે ત્રુટિઓ રહી ગઈ હોય, ધાર્યા પરિણામો ન આવ્યા હોય કે મૂળભૂત સેવા-સુવિધાઓમાં ખામી રહી ગઈ હોય, તો તેની ખેલદિલીથી સમીક્ષા કરીને તેની પૂર્ણતા કરવાનો સંકલ્પ પણ આજે લેવા જેવો છે. આપણે જ્યારે ગુજરાતની ગરિમાની વાત કરીએ, ત્યારે સાડા છ દાયકાની સફળ સફર દરમ્યાન સહભાગી થનાર, બલિદાનો આપનાર અને વખતોવખત દિશાદર્શન કરનાર તમામ ગુજરાતીઓને યાદ કરીએ અને તેઓના પંથે આગળ વધવાનો સંકલ્પ કરીએ...
ગુજરાત વર્ષ ૧૯૬૦ની પહેલી મે ના સ્વતંત્ર રાજ્ય બન્યુ, તે પછી સતત ઘણાં પડકારો, વિપત્તિઓ અને સંઘર્ષોનો સામનો પહેલેથી જ ગુજરાત કરતું રહ્યું છે અને તમામ કસોટીઓમાંથી સાંગોપાંગ પાર ઉતરતું રહ્યું છે, તે ગુજરાત અને ગુજરાતીઓની અનોખી ગૌરવગાથા છે. આજે ઘણાં ગુજરાતીઓ દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે, અને મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પણ શોભાવી રહ્યા છે. ગુજરાતીઓ સાહસિક અને સૌજન્યશીલ હોય છે, અને તેથી જ ગુજરાતની ઘણી હસ્તીઓએ દેશ અને દુનિયામાં ઝળહળતી સફળતાઓ મેળવી છે અને હાલમાં પણ મેળવી રહ્યા છે.
એ તો બધાને ખબર જ છે કે ભાષા આધારિત રાજ્યોની વર્ષ ૧૯૫૬થી થયેલી રચનાઓ પછી તે સમયના મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મરાઠાવાડ (મહારાષ્ટ્ર) અલગ-અલગ રાજ્યોની રચના માટે આંદોલનો થયા હતા અને મહાગુજરાત આંદોલન પછી બંને રાજ્યોને વર્ષ ૧૯૬૦ના પહેલી મે ના દિવસે માન્યતા અપાઈ, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા બન્યા, તે પછી બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ, ઘનશ્યામ ઓઝા, ચિમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબિલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા છે. આ પૈકી એકથી વધુ સમયગાળો (ટર્મ) માટે ત્રણ-ચાર નેતાઓ રહ્યા હતા, તો પાંચેક વખત રાષ્ટ્રપતિ શાસન પણ રહ્યું હતું.
ગુજરાતની સ્થાપના થઈ ત્યારે હંગામી ધોરણે અમદાવાદ અને પછી ગાંધીનગર રાજધાની બની, પરંતુ પ્રારંભના વર્ષોમાં રાજયકક્ષાના ઈન્ફ્રાસ્ટ્રકચર, મિકેનીઝમ અને પર્યાપ્ત આવકના અભાવે ઘણાં પડકારો આવ્યા. રાજ્યમાં વીજળી, પાણી, સડકોની સુવિધાનો અભાવ હતો. ૧૯૭૦ના દાયકામાં રાજકીય ઉથલ પાથલો વચ્ચે નવનિર્માણ આંદોલનમાં ચિમનભાઈ પટેલની સરકાર ઉથલી ગઈ અને વર્ષ ૧૯૭૫માં પહેલી બિન કોંગ્રેસી જનતા મોરચાની સરકાર રચાઈ, જેના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ બન્યા. કટોકટીકાળમાં ગુજરાતમાં વિપક્ષી મોરચાની (જનતા મોરચાની) સરકાર હતી, પરંતુ ૧૯૭૬માં માધવસિંહ સોલંકીની સરકાર આવી, વર્ષ ૧૯૭૭માં ફરી જનતા પાર્ટીની સરકાર રચાઈ, પરંતુ વર્ષ ૧૯૮૦માં ઈન્દિરા ગાંધીની વાપસી પછી પુનઃ કોંગ્રેસની રાજય સરકાર બની. તે પછી અનામત વિરોધી આંદોલનો થયા અને ૧૯૮૦ના દાયકામાં નવા પડકારો આવ્યા.
કોંગ્રેસના બદલતા શાસનો દરમ્યાન ચિમનભાઈ પટેલ પછી માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના મુખ્યમંત્રી તરીકેના સમયગાળાઓ ઘણાં જ પડકારજનક રહ્યા હતા અને તે દરમ્યાન કોમી તોફાનો તથા કર્ફ્યુનો સીલસીલો પણ રાજયભરના શહેરોમાં ચાલ્યો હતો. રાજ્યમાં જનતાદળ અને ભાજપની સંયુક્ત સરકાર પણ આવી અને ગઈ. વર્ષ ૧૯૯૦ના દાયકા પછી રાજ્યમાં એક તરફ અશાંતિ અને રાજકીય ઉથલ પાથલો હતી, તો રાજ્યમાં વર્ષ ૧૯૮૦ થી ૧૯૯૦ વચ્ચે પડેલા સતત દૂષ્કાળોએ પણ પડકારો ઊભા કર્યા હતા, તો નર્મદા વિરોધી અને નર્મદા તરફી આંદોલનોના કારણે પણ રાજ્યમાં સતત અનિશ્ચિતતા તથા અજંપો રહ્યો હતો. વર્ષ ૧૯૯૨ના અયોધ્યા આંદોલન અને પછીના સમયમાં આંદોલનો, હિંસક તોફાનો અને સતત કર્ફ્યુ જેવા ઘટનાક્રમો પછી વર્ષ ૧૯૯૫માં કેશુબાપાની સરકાર આવી, અને પછી સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા, પરંતુ બળવો થતાં શંકરસિંહ વાઘેલાએ રાજપાની સરકાર રચી, આ ટૂંકા ટૂંકા ગાળામાં પુનઃ મુખ્યમંત્રી બદલ્યા, તે પછી કેશુબાપા ફરીથી મુખ્યમંત્રી બન્યા, પરંતુ વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં ભાજપની સરકાર ડગમગવા લાગી, ત્યારે ભાજપના હાઈકમાન્ડે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. તેઓએ વર્ષ ૨૦૧૩ સુધી ગુજરાતનું સુકાન સંભાળ્યું અને વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા, આમ, ગુજરાતની રચના થઈ, તે પછી ઘણાં રાજકીય પડકારોનો સામનો કરવો પડયો હતો.
જો કે, ગુજરાત રાજ્યની રચના થયા પછી ઈસરોની સિદ્ધિઓ, ગુજરાતી વિજ્ઞાનીઓની ઉપલબ્ધિઓ, ડો.ભાભા, ડો. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોના કારણે રાજ્યની ગરિમા વધી, ૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ થયો. ટેક્સટાઈલ્સ, પેટ્રોકેમિકલ્સ, હીરા ઉદ્યોગ ધમધમ્યા, જામનગર સહિત રાજ્યમાં રિફાઈનરીઓ વિકસી. સરદાર સરોવર યોજના તે પછી ૧૯૯૦-૨૦૦૦ના દાયકામાં ચર્ચાના કેન્દ્રમાં રહી અને અંતે સંપન્ન થઈ. અને ત્યાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થપાઈ, તથા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" ને વૈશ્વિક ગૌરવ પ્રાપ્ત થયું.
ગુજરાતની સ્થાપના પછી વર્ષ ૧૯૬૦ના દાયકાથી વીજળીકરણ વિસ્તાર્યું અને આજે ગામડાઓ સુધી વીજપુરવઠો પહોંચ્યો છે. નર્મદા યોજના તથા અન્ય યોજનાઓ હેઠળ પાણી પુરવઠો ઘેર-ઘેર પહોંચાડાય છે. વેપાર-ઉદ્યોગમાં વૃદ્ધિ થઈ છે. ગુજરાત ઔદ્યોગિક હબ બન્યું છે. બિન પરંપરાગત ઉર્જાના ક્ષેત્રે પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. આ બધી ગુજરાતની ગૌરવયાત્રાની સિક્કાની બીજી બાજુ પણ છે. ગુજરાત હજુ પણ કેટલાક ક્ષેત્રોમાં પાછળ છે. જે પ્રકારનો પ્રચાર થાય છે, તેના કરતાં વાસ્તવિકતા જુદી હોવાની આલોચના પણ વખતો વખત થતી રહી છે. તે ઉપરાંત ગુજરાતની ગૌરવયાત્રામાં ગુજરાતની સ્થાપના પછી આજ પર્યંતની તમામ સરકારો જ નહીં, પરંતુ ખમીરવંતા ગુજરાતીઓ, દાતાઓ, વિવિધક્ષેત્રોના મહારથીઓ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને સેવાના ભેખધારીઓ તથા અથાગ પરિશ્રમ કરતા તમામ સામાન્ય ગુજરાતીઓ પણ યશભાગી છે. ગુજરાત અને વિશ્વભરમાં પથરાયેલા ગરવા ગુજરાતીઓને ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે હજુ તો પ. બંગાળમાં મતદાન પૂરૃં જ થયું હતું, ત્યાં પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ્સ આવવા લાગ્યા હતાં, અને પ. બંગાળમાં ભાજપ-એનડીએની સરકાર રચાશે તેવા આંકડાઓ આવવા લાગ્યા હતાં, તે પછી આ સીલસીલો ચાલતો રહ્યો અને આજે સવાર થતાં થતાં પોલ્સ ઓફ પોલ્સ એટલે કે તમામ સર્વેની સરેરાશ કાઢીને રાજ્યવાર અનુમાનિત આંકડાઓ દર્શાવાયા, જેને લઈને મતમતાંતરો હોય એ સ્વાભાવિક છે.
ગઈ મોડી રાત સુધીમાં એક પછી એક એક્ઝિટ પોલ્સ આવતા ગયા, અને કેટલાક એક્ઝિટ પોલ્સમાં ટીએમસીની બમ્પર જીત બતાવાઈ. તે પછી તમામ સર્વેની સરેરાશ કાઢતા ટીએમસી અને ભાજપને બન્નેને ૧૪૦ ની આસપાસ બેઠકો બતાવાતા કાંટે કી ટક્કર બતાવાઈ રહી છે. તમિલનાડુમાં ફરીથી ડીએમકેની સત્તા આવે તેવા સંકેતો છતાં કેટલાક સર્વેમાં નવી પાર્ટી સાથે ડીએમકે અને એડીએમકે (એઆઈએડીએમકે) નો ત્રિપાંખિયો જંગ દર્શાવી ત્યાં પણ કાંટે કી ટક્કર બતાવાઈ રહી છે, જો કે આસામ અને પુડુચેરીમાં ભાજપ (એનડીએ) ને જનાદેશની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે, તો કેરળમાં ડાબેરીઓના ગઠબંધનની એલડીએફની સત્તા કોંગ્રેસના નેતૃત્વવાળું યુડીએફ ગઠબંધન લઈ રહ્યું હોવાનું દર્શાવાઈ રહ્યું છે.
આપણાં દેશમાં એક્ઝિટ પોલ્સ જ્યારે વાસ્તવિક પરિણામોની નજીક હોય, ત્યારે તેની જોરદાર વાહવાહી થતી હોય છે, અને તે જ સર્વે એજન્સી દ્વારા કરાયેલા એક્ઝિટ પોલ બીજી ચૂંટણીમાં ખોટા પડે, ત્યારે તેનો બહું ઉલ્લેખ થતો હોતો નથી. આમ પણ એક્ઝિટ પોલ્સ કરનાર એજન્સીઓ પોતે જ એવું સ્પષ્ટ કહેતી હોય છે કે આ અનુમાનો જ છે, બાકી મતગણતરી પછી જે રિઝલ્ટ આવે તે ખરૃં...
ઓક્ઝિટ પોલ્સ થોડા દિવસો માટે એક પ્રકારનો રાજકીય માહોલ જરૂર ઊભો કરે છે, પરંતુ જ્યાં સુધી 'એક્ઝેટ રિઝલ્ટ' ન આવે, ત્યાં સુધી માત્ર દેશવ્યાપી ચર્ચાઓનો વિષય જ રહે છે.
પ. બંગાળ વિધાનસભા માટે વર્ષ ર૦૧૧ માં ડાબેરી પક્ષોના ૩૪ વર્ષના શાસનનો અંત આવશે, તેવા તારણો કાઢતા એક્ઝિટ પોલ્સ તૃણમુલ કોંગ્રેસને બહુમતી દર્શાવતા હતાં, પરંતુ એક્ઝેટ પરિણામોમાં મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસને ર૧૧ બેઠકો આપીને એક્ઝિટ પોલ્સથી પણ વધુ બેઠકો મળી હતી. વર્ષ ર૦૧૬ માં પણ તૃણમુલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર દર્શાવતા એક્ઝિટ પોલ્સ આવ્યા હતાં, પરંતુ એક્ઝેટ પરિણામો આવ્યા, ત્યારે તૃણમુલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપતો જનાદેશ મળ્યો હતો, અને બમ્પર જીત મળી હતી. ગત્ ચૂંટણી એટલે કે વર્ષ ર૦ર૧ ની પ. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર બતાવાઈ હતી અને ભાજપની તમામ સર્વોચ્ચ નેતાગીરીએ એડીચોટીનું જોર લગાવ્યું હતું, છતાં તુણમુલ કોંગ્રેસને ર૯૪ માંથી ર૧પ બેઠકો મળી હતી અને 'કાંટે કી ટક્કર' બતાવીને ભાજપના શાસનના સપના સેવાઈ રહ્યા હતાં, તે ખોટા ઠર્યા હતાં અને ભાજપને માત્ર ૭૭ બેઠકો મળી હતી, જો કે એ પહેલા પ. બંગાળની વિધાનસભામાં સીંગલ ડિજિટનો આંકડો ધરાવતા ભાજપે ૭૭ બેઠકો મેળવીને ઊંચો જમ્પ લગાવ્યો હતો, પરંતુ સત્તાપ્રાપ્તિના સપના અધુરા રહી ગયા હતાં.
આ વખતે પણ ભાજપની સરકારની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે, અને તૃણમુલ કોંગ્રેસ કરતા વધુ બેઠકો બતાવાઈ રહી છે, પરંતુ પ. બંગાળમાં એક્ઝિટ પોલ્સનો ઈતિહાસ જોતા 'એકઝેટ' પરિણામોની ખબર તો ચોથી મે ના જ પડશે.
તમિલનાડુમાં આઝાદી પછી વર્ષ ૧૯૮૭ માં કોંગ્રેસને હરવીને ડીએમકેએ સત્તા સંભાળી, ત્યારથી ત્યાં ક્ષેત્રિય પક્ષોનો દબદબો રહ્યો છે. તે પછી ત્યાં ડીએમકે તથા એઆઈએડીએમકેની વારાફરતી સત્તા રહી છે. વર્ષ ર૦૧૧ માં એક્ઝિટ પોલ્સ દ્વારા એઆઈએડીએમકેની બમ્પર જીતના કરાયેલા અનુમાનો સાચા પડ્યા હતાં, તો વર્ષ ર૦૧૬ માં ડીએમકે સાથે કાંટે કી ટક્કર બતાવાઈ હોવા છતાં ફરીથી એઆઈએડીએમકેને સત્તા મળી હતી,જો કે વર્ષ ર૦ર૧ માં એક્ઝિટ પોલ્સ દ્વારા ડીએમકેને બહુમતીની સંભાવના બતાવાઈ હતી, જે સાચી પડી હતી. આમ તમિલનાડુમાં સરેરાશ એક્ઝિટ પોલ્સ સાચા પડ્યા છે. એવી જ રીતે કેરળમાં વર્ષ ર૦ર૧ માં એલડીએફની સત્તાવાપસીના અનુમાનો સાચા પડ્યા હતાં. આ વખતે સત્તા પરિવર્તનના અનુમાનો થઈ રહ્યા છે, તેથી દક્ષિણ ભારતના આ રાજ્યોમાં એક્ઝિટ પોલ્સ એક્ઝેટ પરિણામોની નજીક રહ્યા હોવાના કારણે ત્યાં આ વખતે પણ એક્ઝિટ પોલ્સે આશાવાદ જગાવ્યો છે.
આસામમાં પણ વર્ષ ર૦૧૧ માં આસામ ગણ પરિષદ અને ભાજપના સંદર્ભે અક્ઝિટ પોલે દર્શાવેલી સંભાવનાઓ પછી વર્ષ ર૦૧૬ માં સત્તા પરિવર્તનની સંભાવના જણાવી, અને ખરેખર પહેલી વખત આસામમાં ભાજપની સરકાર રચાઈ, અને વર્ષ ર૦ર૧ માં સીએએના મુદ્દે પ્રચંડ પડકાર છતાં ભાજપને પુનઃ સત્તા મળી. આ વખતે પણ એક્ઝિટ પોલ્સ કાંઈક એવા જ સંકેતો આપી રહ્યા છે, પરંતુ એક્ઝેટ પરિણામોની જ રાહ જોવી રહી.
કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમં પણ વર્ષ ર૦ર૧ માં એક્ઝિટ પોલ્સના અનુમાનો સાચા પડ્યા હતાં, અને એનડીએની સરકાર રચાઈ હતી. જેના પુનરાવર્તનના સંકેતો આ વખતે પણ એક્ઝિટ પોલ્સે આપ્યા છે. આ એક્ઝિટ પોલ્સ હકીકતે 'એકઝેટ' ઠરે છે કે રિજેક્ટ થાય છે, તે તો ચોથી મે ના દિવસે જ ખબર પડશે.
લોકસભાની ચૂંટણીઓમાં વર્ષ ૧૯૯૮ અને ૧૯૯૯ માં લગભગ સાચા પડેલા એક્ઝિટ પોલ્સ વર્ષ ર૦૦૪ મા પુનરાવર્તન અને 'સાઈનીંગ ઈન્ડિયા'ના અનુમાનોનો પરપોટો ફૂટ્યો અને કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર રચાઈ હતી,અને વર્ષ ર૦૦૯ માં પણ પુનઃ જનાદેશ આપ્યો હતો. વર્ષ ર૦૧૪ માં ભાજપાને સાદી બહુમતી માંડ મળશે, તેવા અનુમાનો હતાં, પરંતુ મોદી લહેરમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી હતી, અને વર્ષ ર૦૧૯ માં પુનરાવર્તનની આગાહી પણ સાચી પડી હતી, પરંતુ વર્ષ ર૦ર૪ માં ભાજપને સ્પષ્ટ બહુમતી જેટલી બેઠકો ન મળી અને અન્ય પક્ષોના ટેકાથી એનડીએની સરકાર રચાઈ. વર્ષ ર૦ર૬ માં છત્તીસગઢની વિધાનસભાના સરેરાશ એક્ઝિટ પોલ્સ સાચા ઠર્યા નહોતાં.
આ જ રીતે ગત્ હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર રચાશે, તેવા અનુમાનો હતાં, પરંતુ તેનાથી તદ્ન વિપરીત ભાજપને બહુમતી મળી હતી. આ જ પ્રકારનો ઈતિહાસ દેશની ઘણી વિધાનસભાઓના એક્ઝિટ પોલ્સનો પણ છે. તેથી કહી શકાય કે એક્ઝિટ પોલ્સ હંમેશાં સાચા જ હોય તેવું પણ નથી અને હંમેશાં ખોટા હોય તેવું પણ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભલે ભાજપની સુનામી આવી હોય અને રાજ્યભરમાં કેસરિયો લહેરાયો હોય, પરંતુ કેટલાક એવા પરિણામો પણ આવ્યા છે કે જે એવું પૂરવાર કરે છે કે હવે મતદારો માત્ર પક્ષ-પાર્ટી-વિચારધારા જ નહીં, ઉમેદવારોની પરખ પણ કરે છે અને મોટાભાગે પક્ષપલટુઓને નાપસંદ કરતા હોવા છતાં ઘણી જગ્યાએ પક્ષાંતર કરનારા ઉમેદવારો પણ જીત્યા છે, તેથી એવું કહી શકાય કે મતદારો માત્ર પાર્ટી કે જ્ઞાતિ-સમાજ વગેરે નહીં, પરંતુ ઉમેદવારની વ્યક્તિગત પરખ કરીને મતદાન કરે છે, જે મતદારોની પુખ્તા અને સમજદારી દર્શાવે છે. બીજી તરફ કેટલાક હારેલા ઉમેદવારો ચૂંટણી પ્રક્રિયા ઈ.વી.એમ.ના મુદ્દે કાનૂની લડત આપવાનું વિચારી રહ્યા હોવાની વહેતી થયેલી વાતોએ પણ ચર્ચા જગાવી છે. આ પ્રકારની ફરિયાદો લગભગ તમામ ચૂંટણીઓ પછી ઊઠતી હોય છે, પરંતુ રાજ્યભરમાં બનેલી કેટલીક નોંધપાત્ર ઉલટફેર તથા આશ્ચર્યજનક હારજીતની ઘટનાઓની સાથે સાથે ચૂંટણી જીતવા માટેની તરકીબો તથા ગાડરિયા પ્રવાહની દલીલો છતાં એ પણ હકીકત છે કે રાજ્યમાં ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો છે અને એન્ટી-ઈન્કમ્બન્સી છતાં ભાજપે પુનઃ પ્રચંડ જનાદેશ મેળવ્યો છે. ઘણાં લોકો આ વિજયને વિપક્ષોની નબળાઈનું પરિણામ ગણાવે છે, ઘણાં લોકો ભાજપની વ્યૂહરચના, માઈક્રો પ્લાનિંગ તથા કાર્યકર્તાઓની ફોજને યશભાગી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક વિશ્લેષકો ત્રિપાંખિયા જંગમાં શસક પક્ષ વિરોધી મતો વહેંચાઈ ગયા હોવાના કારણો પણ વર્ણવી રહ્યા છે, જો કે આવા કારણો અને તારણો માટે સંસ્થાવાર, બેઠકવાર અને ઉમેદવારને પણ લક્ષ્યમાં રાખીને ઊંડી સમીક્ષાની જરૂર રહે છે, પરંતુ એટલી મહેનત ક્યાં કોઈ કરે છે?
જનતાનો જનાદેશ આખા રાજ્યમાં એકતરફી કે એકસરખો નથી, પણ કોંગ્રેસનો રકાસ જોતા ખરેખર કોંગ્રેસે પણ આત્મમંથન કરવાની જરૂર હોવાના મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે, તો ભાજપે પણ જવલંત વિજયને પચાવીને જનસેવામાં લાગી જવું જોઈએ. મુખ્ય રાજકીય પક્ષોના માથાઓનો પરાજય પણ એ પૂરવાર કરે છે કે, મતદારો હવે સમજી-વિચારીને મતદાન કરે છે, અને માત્ર પાર્ટી, વિચારધારાને નહીં, પરંતુ કમ-સે-કમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં તો ઉમેદવારોનું પણ મૂલ્યાંકન કરે છે. બીજી દૃષ્ટિએ લોકલ ચૂંટણીઓમાં જ્ઞાતિ-જાતિ-પારિવારિક સંબંધો અને મિત્રતા વગેરે ફેક્ટર પણ થોડી ઘણી અસર કરતા હોય છે, તે પણ ધ્યાનમાં રાખવું પડે તેમ છે.
જામનગરમાં ધવલ નંદા અને દિગુભા જાડેજા જેવા દિગ્ગજ સ્થાનિક નેતાઓનો પરાજય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, પરંતુ આ પ્રકારનો પરાજય થયો હોય તેવા તેઓ એકલ-દોકલ દિગ્ગજ નથી, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ હાર્યા અને પૂર્વ આઈપીએસ ઓફિસર મનોજ નિનામા પણ હાર્યા. ભાજપના આ દિગ્ગજ ઉમેદવારો ઉપરાંત અમરેલી જિલ્લામાંથી લોકપ્રિય લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્રી સોનલ ડેર પણ હારી ગયા છે, તેવી જ રીતે રાજ્યમાં એવા ઘણાં ભાજપના દિગ્ગજોનો પરાજય થયો છે, તે આશ્ચર્યજનક ગણાય.
જામનગરના વતની જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન રાજકોટમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા હતાં, તેઓ હાર્યા છે. વડોદરાના સર્વપરિચિત મહિલા નેતા અમી રાવત કોંગ્રેસ તરફથી વડોદરામાં હારી ગયા છે. વડોદરામાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા બાળાસાહેબ સૂર્વેનો પણ પરાજય થયો છે.
રાજકોટમાં પણ કોંગ્રેસના જાણીતા ચહેરા હાર્યા છે, જેમાં વશરામ સાગઠિયાનો પરાજય થયો છે. તેઓ પણ આમ આદમી પાર્ટીમાં ગયા પછી કોંગ્રેસમાં પરત ફર્યા હતાં, અને કોંગ્રેસમાંથી પૂરી તાકાતથી ચૂંટણી લડ્યા હતાં. તેમનો પરાજય રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના ભાઈ પણ હાર્યા છે, તો અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા જેવા અગ્રગણ્ય લોકલ કોંગી લીડર્સને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે.
આમ આદમી પાર્ટીને પણ ઘણાં ઝટકા લાગ્યા છે. ગત્ ચૂંટણીમાં તેજતર્રાર યુવાનેતા તરીકે ઉભરેલા પાયલ સાકરિયા હારી ગયા, તેવી જ રીતે ગુજરાત પ્રદેશ કક્ષાએ કાર્યરત સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા હાર્યા છે. તે ઉપરાંત કોંગ્રેસે રાજકોટમાં સોશ્યલ મીડિયા સ્ટાર આર.જે. આભાને મેદાનમાં ઉતાર્યા હતાં, પરંતુ તેઓ જીતી શક્યા નથી. ત્રણેય મુખ્ય પક્ષોના દિગ્ગજો તથા પ્રદેશકક્ષાના લીડર્સના ગઢમાં ગાબડા પડ્યા હોય તેવા કેટલાક પરિણામો પણ ચોંકાવનારા રહ્યા છે.
એવું નથી કે મતદારો સેલેબ્રિટિઝ કે કલા કે સાહિત્ય ક્ષેત્રે લોકપ્રિય કલાકારોને ચૂંટણીમાં પણ 'લાઈક' કરીને મત આપી દ્યે, અને એવું પણ નથી કે પક્ષાંતર કરનારા બધા નેતાઓને મતદારો નકારે જ છે. હકીકતે મતદારો ઉમેદવારની વિશેષતા,વ્યવસાય અને વિવિધ ક્ષેત્રના કૌશલ્ય ઉપરાંત જનસેવાની ક્ષમતા તથા તત્પરતાની દૃષ્ટિએ પણ મુલવતા થયા છે, અને તેથી જ કેટલાક પક્ષપલટુઓ હાર્યા, તો કેટલાક જીત્યા પણ છે. તેવી જ રીતે વિવિધ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ઘણાં ઉમેદવારો હાર્યા છે, તો કેટલાક જીત્યા પણ છે.
હવે નવા ચૂંટાયેલા તમામ ઉમેદવારો નગરસેવક કે પંચાયતી પ્રતિનિધિ તરીકે જનતાની અપેક્ષાઓ સંતોષે અને સુખ-દુઃખમાં પ્રજાની પડખે ઊભા રહે, તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે સવારથી જબરદસ્ત ઉત્તેજન, કુતૂહલ, ઈન્તેજારી અને આશાવાદ વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી શરૂ થઈ છે, અને જામનગર દ્વારકા જિલ્લાની બન્ને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ખંભાળિયા, જામરાવલ અને સિક્કા નગરપાલિકાઓ તથા સલાયાની એક બેઠક માટે પેટા ચૂંટણીના આજે પરિણામો આવી રહ્યા છે, તેવી જ રીતે જામનગર મહાનગરપાલિકા ૧૬ વોર્ડના ૬૪ માંથી એક બેઠક બિનશરિફ થતા ૬૩ બેઠકના પરિણામો પણ આજે તબક્કાવાર આવી રહ્યા છે. સવારથી જુદા જુદા મતણતરી કેન્દ્રો પર ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે, અને જબરો ઉન્માદ છવાયેલો જોવા મળી રહ્યો છે.
જામનગર-હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં પણ આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે મતગણતરી ચાલી રહી છે. જામનગર ઉપરાંત ૧૪ મહાનગરપાલિકાઓ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ઉપરાંત ૩ર જિલ્લા પંચાયતો, ખંભાળિયા, જામનગર અને સિક્કા ઉપરાંત ૮૧ નગરપાલિકાઓનું સૂકાન જનતા કોને સોંપે છે, તેનો ફેંસલો થઈ રહ્યો છે. આજે જે જનાદેશ આવી રહ્યો છે, તે પછી સ્વાભાવિક રીતેજ 'કહીં ખુશ, કહીં ગમ' જેવા સંજોગો ઊભા થતા હોય છે.
જો કે, કોઈપણ ચૂંટણી જંગમાં સ્પર્ધા થાય તો બેઠકવાર કોઈ એક ઉમેદવારનો જ વિજય થતો હોય છે અને બાકીના ઉમેદવારોનો પરાજય થતો હોય છે, તે સનાતન સત્ય સ્વીકારીને મોટાભાગે હારેલા ઉમેદવારો ખેલદિલીપૂર્વક જનાદેશને માથે ચડાવીને હાર સ્વીકારતા હોય છે, અને વિજય થયેલા પોતાના પ્રતિસ્પર્ધીને અભિનંદન આપતા હોય છે અને તે જ આપણાં દેશની તંદુરસ્ત લોકશાહીની ખૂબસુરતી છે કેટલાક સ્થળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નાની-મોટી અનિચ્છિનિય ઘટનાઓ પણ બનતી હોય છે, પરંતુ લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન હોતું નથી. ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ ઘણી જ ઓછી બનતી હોય છે. આજે જે પરિણામો આવશે, તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ભવિષ્ય તો નક્કી કરશે જ, પરંતુ ઉમેદવારો અને રાજકીય પક્ષોની પણ દિશા નક્કી કરશે. જનાદેશ સર્વોપરિ હોય છે, છતાં ક્યાંક કોઈ ગેરીતિ કે અનિયમિતતાઓ થઈ હોય, તો ત્યાંથી ફરિયાદો ઊઠે એ સ્વાભાવિક છે, અને તેની પારદર્શક ઢબે તપાસ કરીને લોકોને સંતોષ થાય, તે રીતે ફરિયાદોનું નિવારણ કરવાની જવાબદારી પણ ચૂંટણી પંચની ગણાય.
આજે હાલાર સહિત રાજ્યમાં ભાજપનો ભગવો ઠેર-ઠેર લહેરાયો છે, તો કેટલાક સ્થળે વિપક્ષોએ હાજરી નોંધાવી છે. પૂર્ણ પરિણામો પછી ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થશે. આજે જે ઉમેદવારોનો વિજય થયો છે, તેની જવાબદારી આજથી જ વધી જાય છે,અને ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારો સમક્ષ કરેલા વાયદાઓ ઉપરાંત પણ જ્યાંથી જનપ્રતિનિધિત્વ મળ્યું છે, તે વિસ્તારના તમામ નાગરિકોના સુખ-દુઃખમાં સહભાગી થઈને કોઈપણ ભેદભાવ વગર 'જનસેવા' કરવાની કાળજીપૂર્વક જવાબદારી નિભાવવી પડશે. અત્યારે જે જનાદેશ આવ્યો છે, તે આપણી સામે જ છે.
હવે એ યુગ રહ્યો નથી, કે ચૂંટણી પછી જનતા બધું ભૂલી જાય અને જનતાના પ્રતિનિધિઓ પોતાની મૂળભૂત ફરજો બજાવવાથી વિમૂખ થઈ જાય, અને જનતા ગુપચૂપ સહન કર્યા કરે. હવે તો જે મતદારોએ મતો આપ્યા હોય અને તેની અપેક્ષાઓ મુજબની જનસેવા તેમણે ચૂંટેલા જનપ્રતિનિધિ ન કરે, તો તેઓ સોશ્યલ મીડિયા, પ્રેસ-મીડિયાના માધ્યમથી અવાજ ઊઠાવતા થયા છે. એટલું જ નહીં, જરૂર પડ્યે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહો પણ કરતા હોય છે. કેટલાક જાગૃત નાગરિકો તો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પર બાજ નજર રાખે છે, અને કોઈપણ સમયે જરૂર પડે તો અદાલતોના દ્વાર પણ ખખડાવતા હોય છે, તેથી જીતે તે આજે ભલે મન ભરીને જશ્ન મનાવે, પરંતુ આવતીકાલથી જ 'જનસેવા'માં લાગી જવાનું છે, તે ભૂલાય નહીં... અન્યથા જનતા જવાબ જરૂર માગશે...
જે ઉમેદવારો હારી જાય, તેમણે હતાશ કે નિરાશ થવાની જરૂર તો નથી જ, પરંતુ તેનાથી વિપરીત બેવડા જોશથી જનસેવાના કામે લાગી જવાનું છે. હારેલા ઉમેદવારોએ જનતાની સેવા તેઓ કરતા જ રહેશે...
આજે જે પરિણામો આવી રહ્યા છે છે, તેની અત્યારથી જ સમીક્ષા શરૂ થઈ ગઈ છે, અને હાર-જીત માટે કારણભૂત પરિણામો તથા કારણોના સંશોધનો થઈ રહ્યા છે, તો બીજી તરફ નવા હોદ્દેદારો કોણ હશે, પ્રમુખ કે મેયર કોણ બનશે તથા રાજકીય પક્ષો એ માટે ક્યા માપદંડો અપનાવશે, તેની ચર્ચા વચ્ચે અત્યાર સુધીમાં આવી ચૂકેલા મહત્તમ પરિણામો પછી રાજકીય પક્ષો પણ તદ્વિષયક સમીક્ષાઓ પણ કરી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર નેતાઓ-કાર્યકરોને સસ્પેન્ડ કરવાનો સીલસીલો પણ ગઈકાલથી જ શરૂ થઈ ગયો હતો. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધોમધખતો તાપ, બપોરે અગ્નિજાળા જેવી લૂ અને કેટલાક વિસ્તારોમાં અટપટી ગલી-શેરીઓમાં ગોઠવેલા મતદાન મથકોની ભૂલભૂલામણી વચ્ચે પણ જામનગરમાં પ૭ ટકાથી વધુ મતદાન થયું હોવાના અહેવાલોએ દ્વિધા ઊભી કરી દીધી છે. રાજ્યભરમાં શહેરી મતદારો ઉદાસિન રહ્યા હોય કે પછી બબળતા ઉનાળાની અસર થઈ હોય, પરંતુ ઉમેદવારો અને રાજકીય પક્ષોની અપેક્ષા મુજબનું ધીંગુ મતદાન થયું નથી, તેમાં પણ જામનગરમાં એક યુવા ઉમેદવારના હાર્ટએટેકથી થયેલા નિધને ગમગીની ફેલાવી દીધી હતી.
રાજ્યમાં મહાનગરપાલિકાઓનું સરેરાશ મતદાન પ૦ ટકાથી ઓછું રહ્યું છતાં ઘણી મહાનગરપાલિકાઓમાં ગત્ ચૂંટણીની સરખામણીમાં મતદાન વધ્યું હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. બીજી તરફ જ્યાં નગરપાલિકાની ચૂંટણીઓ હતી, તે નાના શહેરો (નગરો) માં ભલે અપેક્ષા જેવું ઊંચુ મતદાન ન થયું હોય, પરંતુ મહાનગરપાલિકા કરતા વધુ રહ્યું છે, તો તાલુકા-જિલ્લા પંચાયતોમાં પણ કાંઈક એવીજ સ્થિતિ છે.
શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોના મતદારોએ વધુ મતદાન કર્યું તેમ છતાં ગત્ ચૂંટણીઓની સરખામણીમાં જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ઓછું મતદાન થયું છે, જો કે બે-ત્રણ મહાનગરપાલિકાઓમાં બમ્પર મતદાન થયું હોય, તો એકંદરે કહી શકાય કે મતદાન અંગે અપેક્ષાઓ રખાઈ હતી તેવું મતદાન થયું નથી, છતાં ઠીક ઠીક મતદાન નોંધાયું છે.
ગઈકાલે જામનગર અને હાલાર સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ છે અને આવતીકાલે મતગણતરી થવાની છે, ત્યારે અટકળોનું બજાર ગરમ છે. કેટલીક ન્યૂઝ ચેનલોમાં રસપ્રદ વિશ્લેષણો પ્રસારિત થઈ રહ્યા છે, તો કેટલાક અનુભવીઓ, પત્રકારો તથા રાજકીય વર્તુળોના મંતવ્યોના આધારે વિવિધ અનુમાનો પણ થઈ રહ્યા છે. મતદાનની ટકાવારી એટલી ઊંચી નથી કે એકંદરે એટલી બધી ઓછી પણ નથી, જેથી પરિવર્તન કે પૂનરાવર્તનનો ચોક્કસ અંદાજ લગાવી શકાય. બીજી તરફ કેટલાક સ્થળે ઈવીએમ ખોટકાઈ જતા બદલવા પડ્યા હતાં તેની ચર્ચા પણ થઈ રહી હતી.
જો કે, જે પ્રકારે વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલો થઈ રહી હતી, વિવિધ સંસ્થાઓ, સરકારીવિભાગો અને મહાનુભાવો દ્વારા વિવિધ રીતે મતદાતા જાગૃતિના પ્રયાસો થયા હતાં, તેમજ ચૂંટણીપંચ દ્વારા પણ 'સ્વીપ' જેવા કાર્યક્રમો યોજીને મહત્તમ અને રેકોર્ડબ્રેક મતદાન કરવાનો સંદેશ વહેતો કર્યો હતો, જેમાં પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાનો પણ સિંહફાળો હતો, તેમ છતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે એકંદરે ખૂબ જ ઊંચુ મતદાન થયું નહીં, તેથી તેના વિવિધ કારણોના ઊંડાણમાં જઈને તેના તારણોના આધારે ભવિષ્યની ચૂંટણીઓમાં વિશેષ તકેદારી રાખવા અને મહત્તમ મતદાન માટે હજુ પણ વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા જરૂરી છે.
આપણે ત્યાં ચૂંટણીઓ યોજવા માટે જિલ્લા કક્ષાએ કોઈ પૂર્ણકક્ષાની કાયમી વ્યવસ્થા, મિકેનિઝમ કે મહેકમ હોતું નથી. કલેક્ટર અને તેના તાબાની કચેરીઓમાં બેસતી ચૂંટણી શાખાઓ સિવાય જિલ્લા કે તાલુકા, નગર કે મહાનગર કક્ષાએ કોઈ અલાયદુ સ્થાયી (કાયમી) ચૂંટણી તંત્ર હોતું નથી, તેથી જુદી જુદી ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ સરકારી વિભાગોના અધિકારી-કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા માટે તાલીમ આપે છે. ચૂંટણીઓ સંપન્ન કરવામાં આવે છે, અને તે પછી કેલેક્ટર અને તેના તાબા હેઠળની ચૂંટણી સંબંધિત શાખાઓ દ્વારા સંપન્ન થયેલી ચૂંટણીઓનું દફ્તર પોટલા વાળીને નિભાવવામાં આવે છે. આ કારણે ઉત્તરોત્તર અનુભવોના આધારે જરૂરી સુધારા-વધારા ઘણી જ ધીમી ગતિએ થતાં હોય છે, અને તેમાં સાતત્ય જળવાતું નથી.
આપણા વિશાળ દેશમાં કોઈને કોઈ ચૂંટણી લગભગ દર વર્ષે ચાલતી જ હોવાથી પ્રવર્તમાન પદ્ધતિથી થતી ચૂંટણી પ્રક્રિયાના કારણે જે-તે વિભાગના ચૂંટણી પ્રક્રિયા માટે રોકાયેલા અધિકારી-કર્મચારીઓના મૂળ ફરજના કામો ચૂંટણી ચાલે ત્યાં સુધી મોટાભાગે સ્થગિત થઈ જતા હોય છે, અને ચૂંટણીઓ પૂરી થયા પછી પણ પેન્ડીંગ કામો નિપટાવવા જતા રોજીંદા કામોમાં વિલંબ થતો હોય છે, જેનો ભોગ અંતે તો સામાન્ય જનતાએ જ બનવું પડતું હોય છે. આ કારણે જ ચૂંટણીઓ માટે અલાયદુ તંત્ર, મિકેનિઝમ ઊભું કરીને તેને કાયમીધોરણે અલાયદું મહેકમ બનાવવાના સૂચનો-અભિપ્રાયો પણ અવારનવાર વ્યક્ત થતા રહેતા હોય છે.
બીજી તરફ ચૂંટણીઓ માટે આપણા વિશાળ દેશમાં આટલું મોટું મહેકમ કાયમી ધોરણે નિભાવવું, નાણાકીય રીતે પણ પરવડે નહીં અને તેના માટે નવું અલાયદુ વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવું પડે, જે પણ ખૂબ જ ખર્ચાળ બની રહે તેમ હોવાની દલીલો પણ થતી હોય છે, અને આ પ્રકારના વાદવિવાદ કે તર્કો-દલીલોની સાથે જ આપણાં દેશમાં 'વન નેશન-વન ઈલેક્શન'ની ડિમાન્ડ પણ ઊઠતી રહે છે, જો કે તે પણ પ્રેક્ટીકલ ઘણું જ અઘરૂ અને પડકારરૂપ કદમ નિવાડી શકે છે. 'વન નેશન-વન ઈલેક્શન'નો કોન્સેપ્ટ તદ્ન ખોટો નથી, અને મુશ્કેલ જરૂર છે, પરંતુ અસંભવ તો નથી જ... તે પ્રકારનો જનમત પણ ધીમે ધીમે ઘડાવા અને પડઘાવા લાગ્યો છે.
એક અભિપ્રાય એવો પણ પડઘાઈ રહ્યો છે કે આખા દેશમાં તમામ ચૂંટણીઓ માટે આ પ્રકારની સુધારણા અઘરી પડી શકે છે, પરંતુ ગુજરાત જેવું કોઈ એક રાજ્ય નક્કી કરીને ત્યાં 'વન સ્ટેટ-વન ઈલેક્શન'ના અભિગમ હેઠળ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતો તથા પાલિકા-મહાનગરપાલિકાઓની ચુંટણીઓ દર પાંચ વર્ષે એકી સાથે જ સંપન્ન થઈ જાય, તેઓ પ્રયોગ કરે, તો પણ લોકોને અડધોઅડધ રાહત થાય તેમ છે. આ માટે પાંચ વર્ષ માટે લોકોએ જે જનાદેશ આપ્યો હોય, તેને ફરજિયાત અનુસરવું પડે, અને અધવચ્ચેથી જો શાસન તૂટી જાય કે શાસકો બહુમતી ગુમાવે, તો બાકીના સમય માટે કાં તો વહીવટદારો નિમાય, અથવા સર્વપક્ષીય શાસન ચલાવીને પાંચ વર્ષ પૂરા કરાવાઈ, તેવા વિકલ્પો વિચારવા પડે, અને પ્રથમ દૃષ્ટિએ વ્યવહારૂ ન જણાય, છતાં તેની ચર્ચા તો થવી જ જોઈએ, કારણ કે કોઈપણ સુધારો વ્યાપક ચર્ચા પછી જ થવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આવતીકાલે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, અને ૧૬ વોર્ડ માટે ૬૪ કોર્પોરેટરોની પસંદગી કરવાની છે. જામ્યુકો ઉપરાંત હાલારની બન્ને જિલ્લા પંચાયતો-તાલુકા પંચાયતો તથા કેટલીક નગરપાલિકાઓ તથા પેટાચૂંટણી માટે પણ આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે આપણે બધા નગરજનોએ જાગૃત રહીને આવતીકાલ પ્રાયોરિટીમાં મતદાન કરવાનું છે. તેવી જ રીતે હાલારના તમામ મતદાતાઓ તથા રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે હાલાર સહિત સમગ્ર રાજ્યના મતદારોએ અવશ્ય ભૂલ્યા વગર મતદાન કરવાનું છે, કારણ કે મતાધિકાર એ હક્ક છે અને મતદાન એ આપણી દેશના નાગરિક તરીકેની પવિત્ર ફરજ છે.
મતદાન એટલે આગામી પાંચ વર્ષ આપણી જ સુખ-સુવિધા, સેવા અને વિકાસ-લોકકલ્યાણ માટે જનપ્રતિનિધિઓની સચોટ પસંદગી કરવાની ઉજળી તક... મતદાન એટલે આપણી જ પંચવર્ષિય યોજનાની બુનિયાદ... મતદાન એટલે પૂનરાવર્તન અથવા પરિવર્તન કરવાનો પંચવર્ષિય અવસર... મતદાન એટલે દેશના લોકતંત્રને વધુ મજબૂત કરવાનું આપણું મૂળભૂત કર્તવ્ય...
ઘણાં લોકો પક્ષ કેે પેનલ જોઈને મતદાન કરતા હોય છે, તો ઘણાં લોકો ઉમદવારને કેન્દ્રમાં રાખીને મતદાન કરતા હોય છે. ઘણાં લોકો વિચારધારાને અનુરૂપ મતદાન કરતા હોય છે, તો ઘણાં લોકો ઉમેદવારો-પક્ષોએ કરેલા કાર્યો અને/અથવા આગામી પાંચ વર્ષમાં કરવાના કામોના વાયદાઓ કે ચૂંટણી ઢંઢેરાઓને પણ ધ્યાને લેતા હોય છે. આપણાં દેશમાં મતદાન ગુપ્ત રહે છે અન કોઈપણ પ્રકારના ભય, ડર કે દબાણ વિના મતદાન થઈ શકે છે, તેથી પોતાના જ આત્માના અવાજ પ્રમાણે દરેક મતદારે સમજી-વિચારીને મતદાન કરવું જોઈએ. જો કોઈપણ પાર્ટી, ઉમેદવાર કે પેનલ પસંદ ન આવે તો હવે ઈવીએમમાં 'નોટા'નું બટન હોય છે, જે દબાવીને પસંદગીનો ઈન્કાર પણ મતદાર કરી શકે છે, જે તેના મતદાનમાં જ ગણાય છે, તેથી મતદાન અવશ્ય તો કરવું જોઈએ ને?
આપણે સગા-સંબંધી, જ્ઞાતિ-સમાજ અને સ્નેહી-મિત્રોના સંબંધોને અનુરૂપ પણ મતદાન કરતા હોઈએ છીએ. આપણા દેશમાં મતદાર પોતે જ કોઈપણ માપદંડને અનુરૂપ મતદાન કરી શકે છે, તેથી આપણો અંતરાત્મા જે કહે, તે મુજબ મતદાન કરવું જોઈએ. ટૂંકમાં ગાડરિયા પ્રવાહની જેમ કોઈથી દોરવાઈને, ડરીને કે બોજા-લાલચમાં આવીને મતદાન અયોગ્ય છે, અને તે પ્રકારની હરક થતી હોય તો તરત જ સ્થાનિક તંત્રોનું ધ્યાન દોરીને તેવી પ્રવૃત્તિ અટકાવી શકાય છે. આપણે એક જાગૃત નાગરિક તરીકે કોઈના ભોગે મતદાન તો કોઈપણ સંજોગોમાં કરવું જ જોઈએ.
અત્યંત અનિવાર્ય કારણો સિવાય મતદાન નહીં કરનાર મતદાતાઓને (વોટર્સને) આગામી પાંચ વર્ષ સુધી કોઈપણ ફરિયાદ કરવાનો બંધારણીય અને કાનૂની અધિકાર તો છે, પરંતુ નૈતિક અધિકાર નથી, કારણ કે પાંચ વર્ષે માત્ર થોડી મિનિટો કે કલાકો મતદાન માટે ન ફાળવી શકતા હોય તો પછી પાંચ વર્ષની વોરંટી કેે ગેરંટીનો નૈતિક અધિકાર પણ ગુમાવવો જ પડે ને?
ટૂંકમાં આવતીકાલે ઊઠીને શક્ય હોય તો સૌ પ્રથમ મતદાન કરવાનું છે અને પછી બીજું કામ કરવાનું છે. જો કોઈ એવા સંજોગો ઊભા થાય કે સવારે મેળ ન પડે તો બપોરે કે સાંજ સુધીમાં તો મતદાન કરી જ દેવું જોઈએ. જેવી રીતે લગ્નમાં મુહૂર્તનો સમય ન સચવાય, તો પણ આપણ લગ્નવિધિ તો પૂરી કરીએ જ છીએ. બહારગામ જવું હોય એ એક બસ કે ટ્રેન ચૂકી જવાય તો બીજી બસ કે ટ્રનમાં જતા જ હોઈએ છીએ. તેવી જ રીતે મતદાન પણ અચૂકપણે આવતીકાલે કરી જ દેવાનું છે, તેવો નિર્ધાર કરીને આજથી જ તે મુજબનું પૂર્ણ પ્લાનિંગ કરીને શિડ્યુલ ગોઠવી લેવું જોઈએ.
તાજેતરમાં કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં જબદરસ્ત મતદાન થયું છે, તેે દર્શાવે છે કે આપણા દેશમાં હવે મતદારો જાગૃત થયા છે અને જેન ઝેડ (નવા મતદારો) માં પણ જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે, તેથી જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ રકોર્ડબ્રેક મતદાન થાય, તેવો નિર્ધાર કરીએ.
સામાન્ય રીતે ગુજરાતમાં ચૂંટણીઓ હિંસક બનતી નથી અને અપવાદોને બાદ કરતા એકંદરે ચૂંટણીઓ શાંતિપૂર્ણ સંપન્ન થતી હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે કેટલાક જિલ્લાઓમાં ઘર્ષણ, મારામારી તથા એકાદ સ્થળે તો હત્યાની કમનસીબ ઘટના પણ બની છે. આથી સૌ કોઈને અપીલ છે કે ચૂંટણીના પવિત્ર કાર્યમાં બધા સંયમ જાળવે, અને આપણાં શાંતિપ્રિય રાજ્ય ગણાતા ગુજરાતની ગરિમા વધારે...
ઘણી વખત ચૂંટણીના વેરઝેર નહીં પણ જુની અંગત અદાવતોના ઝઘડા પણ ચૂંટણીમાં ખપાવી દેવાતા હોય છે, તેથી જ તંત્રો દ્વારા આ પ્રકારના જ્યાં ગેંગવોર સામાન્ય દિવસોમાં ચાલતી રહેતી હોય, ત્યાં કેટલાક છાપેલા કાટલા જેવા ગુનાખોરો, બૂટલેગરોને રાઉન્ડઅપ કરી લેવાતા હોય છે.
આપણે આજ સુધી તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોને સાંભળ્યા, હવે આપણે જ અંતિમ નિર્ણય લઈને ખૂબ જ સમજી-વિચારીને મતદાન કરવાનું છે, અને પ્રલોભન કે ધાકધમકી આપતા તત્ત્વોને ખુલ્લા પાડવાની હિંમત કરીને તંત્રને તુરત જાણ કરવાની છે... આપણે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની ચૂંટણીઓ કરતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને અલગ પ્રકારની તથા આપણી રોજીંદી જરૂરિયાતો તથા ઘરઆંગણાની સેવાઓ સાંકળીને જુદી રીતે પક્ષ-ઉમેમદવારની પસંદગી પણ કરતા હોઈએ છીએ, અને તેમાં આપણું મન જે કહતું હોય, અંતરાત્માનું અવાજ જે સૂચવતો હોય, તેને જ મત આપવો જોઈએ. આવો, આપણે આવતીકાલે બળબળતો ઉનાળો હોય કે લગ્નગાળો હોય, કે પછી અન્ય મહત્ત્વના કામકાજ હોય, તેને 'મેનેજ' કરીને પણ અવશ્ય મતદાન કરીએ, કારણ કે આપણી જ ઘરઆંગણાની આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે જનપ્રતિનિધિઓ પસંદ કરવાનો મોકો હવે પાંચ વર્ષ જ મળવાનો છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના મતદાનની આડે હવે આજ સહિત બે દિવસ રહ્યા છે, તો તમિલનાડુમાં ગઈકાલે મતદાન સંપન્ન થયું છે. અન્ય ત્રણ રાજ્યોની વિધાનસભાઓ માટે આ પહેલા જ મતદાન થઈ ચૂક્યું છે. હવે પ. બંગાળમાં બીજા તબક્કાનું મતદાન ર૯ મી એપ્રિલના થવાનું છે, અને આ તમામ રાજ્યોની વિધાનસભાઓની મતગણતરી ચોથી મે ના દિવસે થવાની છે, જ્યારે ગુજરાતની વિધાનસભાની ઉમરેઠની બેઠક માટે ગઈકાલે થયેલા મતદાનનું પરિણામ પણ ચોથી મે ના દિવસે જ આવશે, તેવી જ રીતે પ. બંગાળ અને તમિલનાડુની ચૂંટણીના ગઈકાલે થયેલા મતદાનના પરિણામો ચોથી મે ના આવશે.
તેવી જ રીતે મતગણતરી સંપન્ન થયા પછી જામનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોમાં જનાદેશ ક્યાં ક્યાં કોના તરફ ઢળ્યો છે, તેની ખબર પણ તા. ર૮ મી એપ્રિલના સાંજ સુધીમાં પડશે, પરંતુ બળબળતો ઉનાળો તથા મતદારોની નિરસતા રાજકીય પક્ષોને અકળાવી રહી છે, તેથી રવિવારે સવારથી જ મતદારોને બુથ સુધી પહોંચાડવા ઉમેદવારો અને કાર્યકરો હડિયાપટ્ટી કરશે. આ દરમિયાન આદર્શ આચારસંહિતાનો ચૂસ્ત અમલ કરાવવો, એ ચૂંટણી તંત્ર માટે પણ પડકારૂરપ રહેશે.
જો કે, અન્ય કેટલાક રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં અકંદરે શાંતિપૂર્વક મતદાન થાય છે અને રાજકીય પક્ષો તથા ઉમેદવારો પણ કાર્યકરોને મર્યાદાઓ ઓળંગવા દેતા હોતા નથી, તેમ છતાં ચૂંટણીઓમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છિનિય ઘટના ન બને, તથા ચૂંટણીની વ્યવસ્થાઓને લઈને પણ તંત્રોએ ચોક્સાઈ રાખવી પડતી હોય છે અને તેન લઈને તંત્રો સજ્જ હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. સા કોઈ ઈચ્છે છે કે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મુક્ત અને ન્યાયી ધોરણે સંપન્ન થઈ જાય.
તમિલનાડુમાં થયેલા જંગી મતદાનને ભલે પરિવર્તનની હવા ગણાવાઈ રહી હોય પરંતુ જનાદેશ અંગે સ્થિતિ કદાચ ઓપન સિક્રેટ જેવી જણાય છે, જો ક જનતાના મનમાં શું છે, તેની કલ્પના થઈ શકે તેમ નથી, પરંતુ તમિલનાડુનો ઈતિહાસ જોતા એ રાજ્યમાં અચાનક મોટું પરિવર્તન આવતું હોતું નથી અને જ્યારે એવું પરિવર્તન આવે છે, ત્યાર ખૂબ જ ચોંકાવનારા ઉલટફેર થતા હોય છે, જેનું દૃષ્ટાંત ખુદ ડીએમકે અને એઆઈડીએમકે જેવી પ્રાદેશિક પક્ષોના સ્થાપકોએ આપ્યું હોવાનું દૃષ્ટાંત છે. આમ પણ આ સસ્પેન્સ ખૂલવામાં હવે જાજા દિવસો આડે રહ્યા નથી. ચોથી મે ના દિવસે બધી ખબર પડી જશે.
ગઈકાલથી જ પં. બંગાળમાં પહેલા તબક્કામાં થયેલું જંગી વિક્રમજનક મતદાન તાજેતરના દાયકાઓની એક નવો ટ્રેન્ડ બતાવે છે. તૃણમુલ કોંગ્રસ આ મતદાનને મમતાદીદીને પુનઃ જનાદેશ મળ્યો હોવાનો દાવો કરી રહી છે, તો એનડીએ અને ખાસ કરીને ભારતીય જનતા પક્ષ પહેલા તબક્કામાં જ તૃણમુલ કોંગ્રેસનું ધોવાણ થઈ ગયું હોવાનો દાવો કરે છે. આ દાવા-પ્રતિદાવાઓ રાજકીય પક્ષો કરે, તે તો સ્વાભાવિક છે, પરંતુ તટસ્થ રાજકીય વિશ્લેષકો તથા પ્રેસ-મીડિયાના દિગ્ગજો પણ આ વખતે કાંઈક નવાજુની થવાના સંકેતો આપી રહ્યા છે, તેથી હવે આ અંગે વિવિધ પ્રકારના તર્કો પણ અપાઈ રહ્યા છે.
એક સમયે એવું કહેવાતું હતું કે, જ્યારે જ્યારે બમ્પર મતદાન થાય, ત્યારે ત્યાર જનતાએ પરિવર્તનનો જ જનાદેશ આપ્યો હોવાની ધારણા થઈ શકતી હતી, પરંતુ હવે તેવું રહ્યું નથી. બમ્પર મતદાનના કારણે તમિલનાડુમાં પરિવર્તન આવી જશે, તેવી ધારણા તો થઈ શકે તેમ નથી, પરંતુ આ વખતે તમિલનાડુમાં સ્ટાલિનની લોકપ્રિયતા એવીને એવી જ રહી છે અને ડીએમકેનું વર્ચસ્વ અકબંધ રહ્યું છે, કે તેમાં ઘટાડો થયો છે, તેની કસોટી પણ થવાની છે. હવે ચૂંટણીપંચ પણ વધુમાં વધુ મતદાન માટે તટસ્થ પ્રયાસો કરતું હોય છે અને 'સ્વીપ' જેવા કાર્યક્રમો યોજતું હોય છે, તેથી પણ ટકાવારી વધી હોવાથી કોઈએ વહેમમાં રહેવા જેવું નથી. તેવી જ રીતે કોઈએ સપના જોવાની પણ જરૂર નથી. હજુ પં. બંગાળમાં બીજા તબક્કાનું મતદાન બાકી છે, ત્યારે અત્યારે તો માત્ર અટકળો જ કરવાની રહે છે, કારણ કે પ. બંગાળમાં બીજા તબક્કાનું મતદાન સંપન્ન થઈ જાય, ત્યાં સુધી 'એક્ઝીટ પોલ્સ' પણ જાહર થઈ શકે તેમ નથી.આજે સાંજથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર પડઘમ શાંત થઈ જશે, પરંતુ તે પછી પણ ડોર-ટુ-ડોર સંપર્ક અથવા ખાનગી બેઠકોનો સિલસિલો ચાલશે. જોઈએ ગુજરાતમાં પ. બંગાળ-તમિલનાડુ જેવું ધીંગુ મતદાન થાય છે કે પછી પાંખુ મતદાન થાય છે તે... કારણ કે તેના પર પરિણામોનો આધાર રહેવાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે પહલગામ હુમલાની પહેલી વરસી હતી અને ર૬ નિર્દોષ પર્યટકોની ધર્મ પૂછીને ઘાતકી હત્યા કરનાર આતંકીઓ પર ફીટકાર વરસાવીને લોકો દ્વારા હત્યાઓનો ભોગ બનનાર મૃતકો અને તેના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત થઈ રહી હતી. આજે વૈશ્વિક અશાંતિના માહોલ વચ્ચે પણ પહલગામ આતંકી હુમલાની કરૂણ અને કંપાવનારી યાદ તાજી થઈ, તેની સાથે સાથે આપણા દેશમાં આતંકી પ્રવૃત્તિઓને સીમાપારથી ફેલાવનાર પાકિસ્તાનના પ્રપંચોની ચર્ચા પણ થઈ રહી છે. વિચિત્રતા તો જુઓ, જે દેશમાં ઉછરતા આતંકીઓ માત્ર ભારત જ નહીં, દુનિયાભરના અનેક આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલા હોય છે, તે જ પ્રપંચી પાકિસ્તાન હાલમાં 'શાંતિદૂત' બનીને ઈરાન-અમેરિકા વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરી રહ્યું છે. આ પાકિસ્તાનને ભાજપ, એનડીએ કે સંઘના નેતાઓ વખોડે કેે ટીકા કરે, તેની પાછળ દેશ પ્રેમ જ હોઈ શકે, છતાં તેમાં રાજનીતિની આશંકાઓ ઊઠતી હોય અને થોડું-ઘણું વજુદ માની પણ લઈએ તો સમજી શકાય, પરંતુ હવે તો આ પાકિસ્તાનના પ્રપંચને વિપક્ષના કેટલાક નેતાઓ એવો જડબાતોડ જવાબ આપી રહ્યા છે, જે પૂરવાર કરે છે કે જ્યારે દેશના સાર્વભૌમત્વ, એક્તા અને અખંડીતતાની વાત હોય, ત્યારે પક્ષ-વિપક્ષ ઓગળી જાય છે અને માત્ર 'ભારત' જ રહી જાય છે, તે પાકિસ્તાનને ભરી પીવા માટે સક્ષમ છે.
ગઈકાલે પહલગામ આતંકી હુમલાની પહેલી વરસીના સમયે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ તો પાકિસ્તાનનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને પહલગામ હુમલા માટે તેને જવાબદાર ગણાવ્યું. એટલું જ નહીં, ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને ચોખ્ખુચટ સંભળાવી દીધુ કે હવે તો પાકિસ્તાન ઈચ્છે તો પણ જમ્મુ-કાશ્મીરમાં પહલગામ જેવા હુમલા કરી શકશે નહીં. તેમણે કહ્યું કે તેમનો (રાજ્ય સરકારનો પણ) પૂરેપૂરો પ્રયાસ રહેશે કે જમ્મુ-કાશ્મીરમાં પહલગામ જેવી ઘટનાઓ ભવિષ્યમાં ક્યારેય બને જ નહીં. તેમણે કહ્યું કે ગયા વર્ષના પહલગામ હુમલાની થોડી-ઘણી માઠી અસર ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝ પર પડી છે, પરંતુ હવે સ્થિતિ ઘણી જ સુધરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી અમરનાથ યાત્રા, વૈષ્ણોદેવીના દર્શનાર્થે તથા પૃથ્વીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના કુદરતી સૌંદર્યને માણવા ફરીથી ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ ઉમટવા લાગશે.
જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવાનો નિર્ધાર વ્યક્ત કરતા ઓમરે વૈશ્વિક શાંતિ જાળવવાની પણ હિમાયત કરી. તેમણે ઈરાન પર અમેરિકાના હુમલાને અયોગ્ય ગણાવીને કહ્યું હતું કે, આ યુદ્ધની માઠી અસર આખી દુનિયા પર પડી રહી છે. તેમણે પક્ષીય રાજનીતિને બાજુ પર રાખીને અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સ્થિતિ કંટ્રોલમાં તથા સારી હોવાનું મંતવ્ય વ્યક્ત કરી તેમાં પ્રબળ જનસહયોગ તથા રાજનૈતિક એકજુથતા તરફ પણ ઈશારો કર્યો હતો.
ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં આતંકવાદી હુમલો થયો ત્યારે પણ આતંકીઓની ટીકા કરી હતી, અને કહ્યું હતું કે, આ પ્રકારના હુમલા કરનારા મુઠ્ઠીભર લોકોના કારણે શાંતિ અને ભાઈચારાની ભાવનાને ઠેંસ પહોંચે છે. તેમણે બધાને એક લાકડે હાંકવાની માનસિક્તા સામે પણ સવાલો ઊઠાવ્યા હતાં અને કોઈ નિર્દોષ ખોટી રીતે ફસાય ન જાય, તેની કાળજી લેવા પર પણ ભાર મૂક્યો હતો.
પ્રેસ-મીડિયામાં ભારતીય સેનાના પહલાગમ હુમલાની પહેલી વરસીના સંદર્ભે કરાયેલા નિવેદનો પણ ચર્ચામાં છે, જેમાં કહેવાયું છે કે માનવતાની હદો વટાવવી ન જોઈએ, અને તેવું ન થાય તો જડબાતોડ જવાબ અપાય છે. (આ મુદ્દે) ભારત એકજુથ છે. ભારત વિરૂદ્ધ કરવામાં આવેલા દરેક કૃત્યનો જવાબ નિશ્ચિત છે. ન્યાય જરૂર મળશે, ઓપરેશન સિંદૂર ચાલુ છે, વગેરે...
સેનાના નિવેદનમાંથી નીકળતા સારાંશની ચર્ચા વચ્ચે ઓપરેશન સિંદૂર હજુ ચાલી રહ્યું હોવાનો મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. છેલ્લા થોડા મહિનાઓથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવેદનો તથા પડોશી નાપાક દેશને અપાતી ગર્ભિત ચેતવણીઓ જોતા એવું જણાય છે કે ઓપરેશન સિંદૂર હેઠળ જ કાંઈક તો 'મોટુ' થવાનું જ છે. જે હોય તે ખરૂ, અત્યારે વૈશ્વિક અશાંત માહોલ વચ્ચે ભારત યુદ્ધ કે સીમા પર સંઘર્ષ શરૂ કરે તેવું જણાતું નથી. હા... પાકી ખબર મળી હોય કે માહિતી નક્કર હોય તો પીઓકેમાં પુનઃ ધમધમતા થયા હોય તેવા આતંકી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક કે પછી કોઈ અન્ય રીતે આક્રમણ કરીને દેશના હિતોનું રક્ષણ માટે કોઈ અણધાર્યું કદમ ઊઠી પણ શકે છે. જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદે બ્લેક આઉટ અને મોકડ્રીલ થઈ રહી છે, તે પણ ઘણી જ સૂચક છે.
એવું કહેવાય છે કે પાક. પ્રેરિત આતંકવાદી સંગઠનો અને ગાઝાપટ્ટીમાં કાર્યરત હમાસ નામક આતંકી સંગઠનની મોડસ ઓપરેન્ડી સમાન છે. પહલગામ હુમલા પછી પાક. સ્થિત ભારત વિરોધી આતંકી સંગઠનોના હમાસ સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા છે અને શ્રેણીબદ્ધ મિટિંગો યોજાઈ રહી છે. આ બેઠકો પીઓકે અને બાંગલાદેશ તથા પાકિસ્તાનના મેગા સિટીઝમાં યોજાઈ હોવાની બાતમી એજન્સીઓને મળી છે. હમાસની સાથે ધરોબો વધારીને આ પ્રકારની બેઠકોમાં સામેલ થનાર જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા સહિતના પાક. સ્થિત આતંકી સંગઠનો ભારત વિરોધી કોઈ મોટું કાવતરૂ રચી રહ્યા હોવાની એજન્સીઓને શંકા છે.
કદાચ ગુપ્તચર ઈનપુટ્સના આ પ્રકારના રિપોર્ટોના આધારે જ પાકિસ્તાનને ભારત તરફથી ચેતવણીઓ અપાઈ રહી હોય, અને ધીરગંભીર તથા ઓછાબોલા ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ ગર્ભિત ભાષામાં નાપાક પડોશીને ચેતવી રહ્યા હશે, અને તેથી જ ચાલુ રખાયેલા ઓપરેશન સિંદૂર પર સૌની નજર મંડાયેલી રહેવાની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે દેશભરમાં મહિલા અનામતની ચર્ચા છે. નારી શક્તિ વંદન અધિનિયમ-ર૦ર૬ નો બંધારણીય સુધારો લોકસભામાં પસાર થઈ શક્યો નહીં, તે પછી આ મુદ્દો રાજકીય સમરાંગણના હથિયાર જેવો બની ગયો છે, અને રાજકીય પક્ષોના આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે ચર્ચાના ચાકડે ચડ્યો છે, ત્યારે અન્ય ક્ષેત્રોમાં પણ આ મુદ્દો પડઘાવા લાગ્યો છે, અને વિવિધ સંગઠનો તથા બંધારણીય સંસ્થાઓમાં પણ નારીશક્તિને પ્રેરણા આપતા અભિગમો અપનાવાઈ રહ્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ૦ ટકા અનામતનો અમલ નવેમ્બર-ર૦૧૪ થી થયો હતો. ગુજરાત સરકારે ગુજરાત સ્થાનિક પ્રાધિકરણ અધિનિયમ સંશોધન-ર૦૦૯ અંતર્ગત આ જોગવાઈઓ લાગુ કરી હતી. આ અનામત ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ (નગર નિગમ) માં અમલી બની હતી. આ મહિલા અનામત પછાત વર્ગનો ક્વોટા યથાવત્ રાખીને અમલી બની છે, મતલબ કે પછાત વર્ગોની નિયત અનામતની બેઠકોમાં પણ પ૦ ટકા એટલે કે અડધોઅડધ મહિલા બેઠકો હશે. આ કારણે જ અત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ૦ ટકા મહિલાઓ ચૂંટાય છે અને ચૂંટાયા પછી પણ પ્રમુખ, ઉપપ્રમુખ અને વિવિધ સમિતિના અધ્યક્ષસ્થાને અથવા સરપંચો તરીકે પણ સેવાઓ આપી રહી છે.
હવે વિવિધ બંધારણીય પ્રક્રિયાઓ, સેવાઓ તથા વિવિધ એકમોમાં પણ નારીશક્તિનું સન્માન વધી રહ્યું છે, તથા માત્ર સરકારી કે અર્ધસરકારી વિભાગો જ નહીં, સ્વાયત્તતા (ઓટોનોમી) ધરાવતા બંધારણીય તંત્રો તથા સંગઠનોમાં પણ મહિલા અનામતની જોગવાઈઓ થવા લાગી છે. સુપ્રિમ કોર્ટે બાર એસોસિએશનોના હોદ્દેદારોમાં પણ ૩૦ ટકા મહિલા અનામતને લઈને વિશેષ કાળજી લીધી છે.
સુપ્રિમ કોર્ટે ૪ ડિસેમ્બર-ર૦રપ ના દિવસે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને આગામી બાર કાઉન્સિલોની રાજ્યવાર ચૂંટણીઓમાં પણ ૩૦ ટકા મહિલા અનામત સુનિશ્ચિત કરવાના નિર્દેશો આપ્યા હતાં. આ નિર્દેશો રાજ્યવાર બાર કાઉન્સિલો, હાઈકોર્ટ બાર એસોસિએશન, જિલ્લા-તાલુકા-શહેર બાર એસોસિએશનોને આવરી લઈને લાગુ કરાયા છે.
સુપ્રિમ કોર્ટે દેશભરના તમામ બાર એસોસિએશનોમાં ૩૦ ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાના નિર્દેશોનું પાલન નહીં કરવા સામે કડક ચેતવણી આપી દીધી છે, અને કહ્યું છે કે, આ પ્રકારની હરકત કરનાર બાર એસોસિએશનોને સસ્પેન્ડ કરી શકાય છે, અને નવેસરથી ચૂંટણી કરાવી શકાય છે. સુપ્રિમ કોર્ટે આ ચેતવણી કેટલાક બાર એસોસિએશનોએ નિર્દેશોનું પાલન નહીં કર્યું હોવાનું ધ્યાને આવ્યા પછી કરી હોવાનું કહેવાય છે. સુપ્રિમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટોના રજિસ્ટ્રાર જનરલોને તમામ બાર એસોસિએશનો સુધી તત્કાળ પહોંચાડવાના નિર્દેશો પણ આપ્યા છે. સર્વોચ્ચ અદાલતે નિર્દેશોનું પાલન નહીં કરનાર બાર એસોસિએશનોની યાદી પણ માંગી હોવાથી હવે જે એસોસિએશનોએ નિર્દેશોનું પાલન કર્યું નથી, તેવા એસોસિએશનોએ પણ અનુસરવું જ પડવાનું છે. જો ચૂંટણીઓ પછી પણ ૩૦ ટકા અનામતનો ક્વોટા પૂરો થતો ન હોય, તો તેના વિકલ્પે હાઈકોર્ટ, ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજીસ, ચૂંટાયેલા હોદ્દેદારો તથા બાર એસોસિએશનોના વરિષ્ઠ મહિલા વકીલો દ્વારા નિયુક્તિઓ કરીને પણ મહિલા આરક્ષણ જળવાઈ રહે તેવા નિર્દેશો અપાયા હોય, તો તે ન્યાયતંત્રની મહિલા આરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
હવે ૧ર મી મે ના દિવસે આગામી સુનાવણી દરમિયાન એ પણ સુનિશ્ચિત થઈ જશે કે ૩૦ ટકા મહિલા અનામતની વ્યવસ્થાઓ દેશભરમં થઈ ગઈ છે, અને તેમાં મુશ્કેલીઓ હશે, તો તેના નિવારણની દિશા પણ તે દિવસે મળી જશે.
સુપ્રિમ કોર્ટની મહિલા આરક્ષણ પ્રત્યેની આ પ્રતિબદ્ધતાની નોંધ રાષ્ટ્રીય કક્ષાથી જિલ્લા કક્ષા સુધીના પોલિટિકલ મહાનુભાવોએ પણ લેવા જેવી છે. આ મુદ્દે ખુલ્લી રાજનીતિ ખેલવાના બદલેે વાસ્તવમાં મહિલા આરક્ષણ કઈ રીતે સુનિશ્ચિત થઈ શકે છે, અને તેમાં કેટલી પ્રબળ ઈચ્છાશક્તિ અને તટસ્થ પ્રામાણિક્તા (ન્યુટ્રલ ઓનેસ્ટી) હોવી જોઈએ તે ન્યાયતંત્ર પાસેથી શિખવા જેવું છે.
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસે જિલ્લા ન્યાયાલયોને કાનૂની વ્યવસ્થાને ન્યાયતંત્રની કરોડરજ્જુ ગણાવી છે, અને કહ્યું કે નાગરિકો માટે જિલ્લા ન્યાયાલયો સરળતાથી ઉપલબ્ધ હોય છે અને ન્યાયતંત્રની બુનિયાદ છે. સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટ ન્યાયતંત્રનું મસ્તિષ્ક છે, અનેે જિલ્લા ન્યાયાલયો ન્યાયતંત્રના મહત્ત્વપૂર્ણ અંગો છે. ઉચ્ચ ન્યાયાલયો કાનૂનની વ્યાખ્યા કરીને તેને પરિસ્કૃત કરીને આકાર આપી શકે છે, જયરે જિલ્લા ન્યાયતંત્રો મહત્ત્વના અંગો શરીરની રક્તવાહિનીઓ જેવા છે, જે સમગ્ર ન્યાયતંત્રને ધબકતું રાખે છે. આમ, જિલ્લા ન્યાયતંત્રોના મહત્ત્વ તથા તેની જવાબદારીઓ અંગે સીજેઆઈએ જે કાંઈ કહ્યું છે, તે ઘણું જ સૂચક અને મહત્ત્વપૂર્ણ છે.
દેશમાં ઝડપી અને સસ્તો ન્યાય ઝડપથી પ્રાપ્ત થાય અને વિલંબિત કેેસોનો ઝડપી નિકાલ થાય, તે માટે અદાલતો અને બાર દ્વારા સહિયારા પ્રયાસો ઉપરાંત જનજાગૃતિ પણ જરૂરી છે. કેટલાક કેસો અદાલત સુધી આવતા જ અટકે તે માટે પ્રિ-લિટિગેશન અને મિડિયેટર તથા લોકઅદાલતોના પ્રયોગો વચ્ચે જો વકીલમંડળો-બાર કાઉન્સિલોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે, તો ઉક્ત ઉદ્દેશ્યોની ઉપલબ્ધિમાં પણ સંવેદનશીલ સહયોગ વધશે, તેવી આશા પણ રખાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સામાન્ય રીતે ખૂબ જ સંયમિત ભાષા બોલતા નેતાઓ પણ ચૂંટણી ટાણે ઘણી જ જુસ્સાવાળી તથા આક્રમક ભાષા વાપરવા લાગતા હોય છે, અને હવે તો સોશિયલ મીડિયા, પ્રેસ-ઈલે. મીડિયાના સંયોજનથી બીજી જ સેકન્ડે નેતાઓના નિવેદનો વાયરલ થઈ જતા હોય છે. આ નવો ટ્રેન્ડ સિક્કાની બે બાજુ જેવો છે, કારણ કે ઘણી વખત આ પ્રકારના નિવેદનો જબરદસ્ત રાજકીય ફાયદો કરાવનારા હોય છે, તો ઘણી વખત બૂમરેંગ પણ પૂરવાર થતા હોય છે.
ગુજરાતમાં ર૮ મી એપ્રિલ અને પાંચ રાજ્યોમાં ચોથી મે ના દિવસો મહત્ત્વપૂર્ણ હશે, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પછી તેની મતગણતરી ર૮ મી એપ્રિલે થશે, અને જેની ચૂંટણી થઈ રહી છે, તે પાલિકા-મહાપાલિકા-તાલુકા, જિલ્લા પંચાયતોમાં નવા નેતાઓ ચૂંટાશે, તો પાંચ રાજ્યોમાં પણ ચોથી મે ના દિવસે ચૂંટણીઓ સંપન્ન થયા પછી નવા સત્તાધીશો સત્તાના સૂત્રો સંભાળશે. આથી કહી શકાય કે એક અઠવાડિયામાં ગુજરાતની જનતાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે અને બે અઠવાડિયામાં પાંચ રાજ્યોમાં નવી વિધાનસભાઓ માટે મતદારોએ જનાદેશ આપી દીધો હશે.
અત્યારે ગુજરાત સહિત દેશમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે, અને ગુજરાતમાં રાજકીય પક્ષોના પ્રાદેશિક કક્ષા અને રાષ્ટ્રીય કક્ષના નેતાઓ પાંચ રાજ્યોની ચૂંટણીઓ માટે હડિયાપટ્ટી કરી રહ્યા છે, અને બળબળતા ઉનાળાની ગરમીમાં પરસેવો વહાવી રહ્યા છે. એટલું જ નહીં, ગરમાગરમ ભાષણબાજી પણ દિવસે દિવસે આક્રમક બની રહી છે, ત્યારે કેટલાક નેતાઓ અમર્યાદ ભાષાશૈલી અપનાવીને તથા ટીકાપાત્ર શબ્દપ્રયોગો કરીને પોતાનો ઉભરો કાઢી રહ્યા છે, તો ઘણાં નેતાઓ શાલિન અને સંયમિત ભાષામાં પોતાની વાત મતદારો સમક્ષ મૂકી રહ્યા છે. કેટલાક સર્વોચ્ચ કક્ષાના નેતાઓ પણ વ્યંગ અને આક્ષેપોની ઝડી વરસાવીને ચૂંટણી પ્રચારને ધગધગતો રાખી રહ્યા છે.
સુરતમાંથી શ્રમજીવીઓના પલાયનના મુદ્દે શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉત કરેલા નિવેદને દેશની રાજધાની સુધી પડઘા પાડ્યા છે. તેમણે આજે પણ ગુજરાતની સરકાર દિલ્હીની નેતાગીરી જ ચલાવે છે, તેવા મતલબનું નિવેદન કરતા રાજનીતિ ગરમાઈ છે. સુરતની વાત કરતા કરતા રાઉતે મહિલા અનામતના નામે નવા સીમાંકનોનો મુદ્દો પણ ઉછાળ્યો અને પ. બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા મશીનરીના દુરૂપયોગનો આક્ષેપ પણ લગાવી દીધો, તે ઘણું જ સૂચક છે. સંજય રાઉતના નિવેદનો સ્ફોટક અને વ્યંગાત્મક તો હોય જ છે, સાથે સાથે ઘણાં જ સૂચક પણ હોય છે, તેેમાં પણ ચૂંટણી ટાણે ઊઠતા પ્રત્યેક મુદ્દાઓનો મતદારો પર સીધો પ્રભાવ પડતો હોય છે. બીજી તરફ 'આપ'ના નતાઓને સાંકળતું કહેવાતું સવા કરોડનું સુરતનું હવાલા કૌભાંડ પણ ચર્ચામાં છે.
પ. બંગાળમાં તો બહુપાંખિયો જંગ જામ્યો છે. મજબૂત મહિલા મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રસના સર્વેસર્વા મમતા બેેનર્જી ભાજપ, કોંગ્રેસ અને ડાબરી પક્ષો સામે બાથ ભીડી રહ્યા છે, તો તેને હરાવવા એનડીએની ટોચની નેતાગીરી પણ મદાને પડી છે, તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આક્રમક શૈલીથી મમતા દીદીને પડકારી રહ્યા છે, તે જ તૃણમુલ કોંગ્રેસની તાકાત પૂરવાર કરે છે. બીજી તરફ અનેક વિવાદો તથા આક્ષેપોથી ઘેરાયેલા મમતાદીદી માટે પણ પ. બંગાળની ચૂંટણી એકતરફી રીતે પ્રચંડ બહુમતીથી જીતવી અઘરી જણાય છે, જો કે મુખ્ય મુકાબલો તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જણાય છે. જોઈએ, શું થાય છે તે...
બીજી તરફ તમિલનાડુમાં ફરીથી ભાષાના મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આઝાદી પહેલાના ઘણાં દાયકાઓથી જેની બુનિયાદ રચાઈ ગઈ હતી, તે ભાષા વિવાદ ફરીથી પડઘાયો છે, જે ચૂંટણીઓમાં ત્યાં મતદારો પર અસર કરી શકે છે.
ચૂંટણી સમયે આરોપો-પ્રત્યારોપોનો મારો ચાલે અને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો કે ઉમેદવારોની ખામીઓ વર્ણવાય, તે સ્વાભાવિક છે અને લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી હેઠળ નિડરતાથી પોતપોતાના મંતવ્યો રજૂ કરવાની છૂટ હોય છે, પરંતુ જ્યારે પોતા માટે કે પોતાના પક્ષ માટે મતો માંગતા હોઈએ, ત્યારે આપણે લોકો માટે ભવિષ્યમાં શું શું કરવા માંગીએ છીએ તેનો રોડ મેપ પણ રજૂ થવો જોઈએ.
રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા આ અંગે પ્રચાર-પત્રિકાઓ છપાવીને, અખબારોમાં સરળ અને લોકભોગ્ય ભાષામાં જોહરાતો છપાવીને, પ્રેસ-કોન્ફરન્સો યોજીને, વિવિધ તમામ મીડિયાનો ઉપયોગ કરીને વ્યાપક પ્રચાર-પ્રસાર થતો હોય છે, અને ચૂંટણી ઢંઢેરાઓ પણ પ્રસિદ્ધ કરાતા હોય છે. આ તમામ પ્રચાર પદ્ધતિઓમાં પોતાની કે પક્ષની અથવા સત્તામાં રહ્યા હોય તેની ઉપ્લબ્ધિઓની સાથે સાથે હવે પછી શું કરવાનો પ્લાન છે, જેથી જનતાની સમસ્યાઓ ઘટે અને સુવિધાઓ વધે તેવો અભિગમ જરૂરી છે. માત્ર વિરોધીઓની ટીકા કર્યે રાખ્યાથી, ભૂતકાળની તેઓની ભૂલો ગણાવ્યે રાખવાથી કે પ્રવર્તમાન શાસકોની ખામીઓ જ માત્ર ગણાવ્યે રાખવાથી મતદારોને હવે સરળતાથી રિઝવી શકાતા નથી, કારણ કે યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર, હાલાર, ગુજરાતભરમાં પરશુરામ જયંતીની ઉજવણી તથા અક્ષય તૃતિયાના કાર્યક્રમો ગઈકાલથી ધમધમી રહ્યા છે. કોઈએ અખાત્રીજ ગઈકાલે મનાવી હોય કે આજે અક્ષયતૃતિયાની ઉજવણી થઈ રહી હોય, આ શુભ-મંગલ દિન ભારતીય સંસ્કૃતિમાં વૈવિધ્યપૂર્ણ મહત્ત્વ ધરાવે છે, અને દેશના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી પરંપરાઓ અને અલગ-અલગ નામોથી ઉજવાતી અક્ષય તૃતિયા સાથે સાંસ્કૃતિક, આર્થિક તથા સામાજિક મહત્ત્વો સંકળાયેલા છે, તે હકીકત છે.
અક્ષયતૃતિયાને તળપદી ગુજરાતી ભાષામાં અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શુભ ઉદ્ઘાટનો, મંગલ પ્રસંગો તથા કોઈપણ નવા સાહસોનો પ્રારંભ થાય છે. અખાત્રીજના દિવસે સોનું, ચાંદી, મિલકત, જમીન કે અન્ય કિંમતી ચીજવસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે અને આ દિવસે વિશેષ દાન-પુણ્ય, જપ-તપ અને પૂજા-પાઠનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે પારિવારિક મંગલ પ્રસંગો પણ યોજાતા હોય છે, અને દેશના જુદા જુદા પ્રદેશોમાં વિવિધાસભર રીતે ઉજવાતી અખાત્રીજ એક સામાજિક અને સામુદાયિક એક જુથનાતું પ્રતીક પણ બની રહે છે.
આ દિવસે સોના-ચાંદી-કિંમતી વસ્તુઓની ખરીદી તથા મંગલ પ્રસંગોના આયોજનોના કારણે માર્કેટીંગ તથા રોજગારીની તકો પણ વધતી હોવાથી અક્ષયતૃતિયાનું આર્થિક મહત્ત્વ પણ છે, કારણ કે આ દિવસે જ ખેડૂતો પણ ખેતીઓજારોનું પૂજન કરીને નવા ખરીફ વર્ષના ખેતીકામે લાગી જાય છે, અને આવતુ વર્ષ સારૃં નિવડે તેવી કામના કરે છે. આમ, આ મંગલ દિવસ એક સર્વક્ષેત્રિય અને સાર્વજનિક મહાત્મય તો ધરાવે જ છે, તે ઉપરાંત જન-જનના હૈયે વસતું વૈવિધ્યપૂર્ણ પર્વ પણ છે.
પરશુરામ વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે અને દશાવતારમાં એક અલગ જ પ્રકારનું વ્યક્તિત્વ છે. પરશુરામનું નામ પણ તેઓ કૂહાડીધારક હોવાનું પ્રતિપાદિત કરે છે. તેઓ જમદગ્નિ ઋષિના તથા રેણુકા દેવીના પુત્ર હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામ પાસેની રેણુકા નદી પરશુરામની અવતારલીલા સાથે સંકળાયેલ છે.
જામનગરમાં પણ ગઈકાલે પરશુરામ જયંતીની ઉજવણી આખું અઠવાડિયું ચાલી અને ૧ર મી એપ્રિલથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. આ દરમિયાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર ભૂદેવોને પરશુરામ એવોર્ડ, બાળકો-બહેનો માટે વિશેષ સ્પર્ધાઓ, પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા, તો બ્રહ્મસમાજના સેંકડો લોકોએ પરશુ દીક્ષા લીધી, જે જામનગરની કદાચ પ્રથમ ઘટના હતી. પરશુરામ જયંતીની ઉજવણીના કારણે સમસ્ત બ્રહ્મસમાજમાં ઉત્સાહ તો હતો જ, પરંતુ શિક્ષણ, વિકાસ અને સંસ્કૃતિને સાંકળતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના માધ્યમથી સામાજિક વિકાસ તથા શૈક્ષણિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન પણ મળ્યું હતું. હાલારમાં ઠેર-ઠેર આવી જ રીતે પરશુરામ જયંતીની ઉજવણી સાથે અખાત્રીજની ઉજવણીનું અદ્ભુત સંયોજન છોટીકાશીની આગવી આભા છે.
હાલારની સાથે ભૌગોલિક, સાંસ્કૃતિક અને વ્યાપારિક રીતે સંકળાયેલા પોરબંદરમાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીના મંદિરે તો અખાત્રીજના દિવસે દર્શનાર્થીઓની ભીડ જામી હતી. હકીકતે વર્ષમાં એક જ વખત તમામ દર્શનાર્થીઓને અખાત્રીજના દિવસે સુદામાજીના મંદિરમાં નિજગૃહમાં પ્રવેશીને સુદામાજીના ચરણસ્પર્શ કરીને નિજદર્શન કરવાનો પવિત્ર અવસર મળે છે. પ્રચલિત કથા મુજબ સુદામાજી દ્વારકાધીશ શ્રીકૃષ્ણને મળવા દ્વારકા ગયા અને ભેટ આપવા માટે તાંદુલ (ચોખા અથવા પૌઆ) ની પોટલી લઈને ગયા હતાં. પહેલા તો પોટલી સંતાડી, પરંતુ શ્રીકૃષ્ણ ત પોટલી લઈ લીધી અને તાંદુલ ખાધા, અન સુદામાજીના ચરણ સ્પર્શ કર્યા તેથી ભક્તજનો પણ અખાત્રીજના દિવસ શ્રીકૃષ્ણ જેના ચરણ સ્પર્શ કર્યા હતાં, તના ચરણ સ્પર્શ કરીને સુદામા મંદિરમાં સુદામાજી અન તેઓના ધર્મપત્ની સુશીલાજી અને રાધે-કૃષ્ણના દર્શન કરી દ્વારકાધીશ શ્રીકૃષ્ણને પ્રાર્થે છે.
આ વખતે અક્ષયતૃતિયા ક્યાંક રવિવાર તો ક્યાંક સોમવારે (આજ) ઉજવાઈ રહી છે, કારણ કે આ તિથિ બન્ને દિવસો વચ્ચે વહેંચાયેલી છે. ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાધામો ગંગોત્રી અન જમનોત્રીના દ્વાર (કપાટ) પણ ગઈકાલે અખાત્રીજના દિવસે ખૂલ્યા અને પુષ્પવૃષ્ટિ થઈ.
અખાત્રીજના દિવસે પવનની દિશા મુજબ ઘણાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનીઓ વરસાદની આગાહી કરતા હોય છે અને પહોર મુજબ પવનની દિશા તથા ગતિ પર આધારિત અનુમાનો કરતા હોય છે. અભ્યાસુઓ તથા વર્ષા વિજ્ઞાનીઓએ અખાત્રીજના પ્રથમ પહોરમાં પશ્ચિમથી પૂર્વ તરફ પવન હોવાથી વનરાજી ખીલી ઊઠે તેવા વરસાદની આગાહી કરી છે, અને વાયવ્યમાંથી પણ લહેરખીઓ આવી હોવાથી વાવણીલાયક વરસાદના અનુમાનો કરાયા હતાં.
ગઈકાલે જ ભારતની સરકારી કંપની મઝગાંવ શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કોલંબો ડોકયાર્ડ પીએલસીમાં પ૧ ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો, જેને અખાત્રીજના દિવસે એક મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક સફળતા માનવામાં આવે છે, કારણ કે ચીન માટે આ કરાર એક જોરદાર ઝટકા સમાન છે. આ ઉપરાંત ભારતના ઉપરાષ્ટ્રપતિનો અખાત્રીજના દિવસ શ્રીલંકાનો પ્રવાસ અને ત્યાંના તમિલ પરિવારોને આવાસોની સોંપણીના કાર્યક્રમો પણ એક સમજપૂર્વકની રણનીતિ ગણવામાં આવી રહી છે. આ સફળતાપૂર્વકના કદમની સાથે સાથે બાંગલાદેશમાં બે દિવસ પહેલા જ ભારતીય રાજદૂત તરીકે પૂર્વ રેલવેમંત્રી દિનેશભાઈ ત્રિવેદીની નિમણૂકની પાછળ કુટનીતિ અને રાજનીતિનું સંયોજન થયું હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
ગઈકાલે વૈશ્વિક અજંપો યથાવત્ રહ્યો હતો, પરંતુ આજે ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે વાટાઘાટો પછી યુદ્ધ સમાપ્ત થઈ જશ અને અખાત્રીજથી જ આખી દુનિયા શાંતિનો શ્વાસ લેશ, તેવી આશા હતી, પરંતે હવે આવતીકાલે શાંતિવાર્તા યોજાશે, તેવા અહેવાલો પછી પણ હજુ ઈરાન પૂરેપૂરૃં સહમત થતું નથી, તેવા અહેવાલોએ ચિંતા જન્માવી છે, તો બીજી તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પ્રચારની અસર પણ અખાત્રીજના વિવિધાસભર કાર્યક્રમો તથા ઉજવણી પર સ્વાભાવિક રીતે જ પડી હતી.
'નોબત'ના વાચકો તથા 'નોબત'ની સોશિયલ મીડિયાની પ્રવૃત્તિઓના ફોલોઅર્સ-દર્શકો-વિજ્ઞાપનદાતાઓ સહિત 'નોબત' અને માધવાણી પરિવાર સાથે સંકળાયેલા સૌ કોઈને અખાત્રીજની ખૂબ ખૂબ શુભકામનાઓ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજનીતિમાં ઘણી વખત જે હોય, તે દેખાતું નથી અને જે દેખાતું હોય તે અસલમાં હોતું નથી. અસલિયત છુપી રહી જતી હોય છે અને ગુમરાહ કરતા બાબતો દેખાતી હોય છે અથવા તો ઈરાદાપૂર્વક દેખાડાતું હોય છે. ગઈકાલે સાંજે સંસદમાં કાંઈક એવું જ થયું છે. મોદી સરકાર મહિલા આરક્ષણ માટે નારી શક્તિ વંદન અધિનિયમને સંલગ્ન ત્રણ કાયદાઓ માટેનો બંધારણીય સુધારો નં-૧૩૧ લોકસભામાં પસાર કરવામાં નિષ્ફળ રહી છેે. સરકારને વિપક્ષોની એકજૂથતા બેકફૂટ પર ધકેલી દીધી છે. બંધારણીય સુધારણા માટે લોકસભામાં વોટીંગ કરવું ફરજીયાત હોય છે અને તેમાં બે તૃતીયાંશ બહુમતી પણ ફરજીયાત હોય છે. ગઈકાલે સાંજે લોકસભામાં સરકારે રજૂ કરેલા બિલની તરફેણમાં સાદી બહુમતી મળી પરંતુ સરકાર બે તૃતીયાંશ બહુમતી મેળવી શકી નહીં, તેથી બિલ અટકી ગયું અને ફરીથી દેશની બહેનોનું આરક્ષણનું સપનું છીનવાઈ ગયું. તથા તેને સંબંધિત પ્રક્રિયા જ સમાપ્ત થઈ ગઈ, મોદી સરકાર હારી ગઈ અને વિપક્ષોની એકજૂથતા જીતી ગઈ છે, તેવું દેખાય છે, અને મોદી સરકાર વગર વિચાર્યે ઉતવાળમાં ઉઠાવેલું કદમ બૂમરેંગ પૂરવાર થયું છે, તે પ્રકારના વિશ્લેષણો ગઈકાલે સાંજથી જ થઈ રહ્યા હતા. અને લોકસભામાં ઝટકો લાગ્યા પછીના એનડીએ નેતાઓના નિવેદનો તથા સરકારને વિફળ બનાવ્યા પછીના વિપક્ષના નેતાઓના નિવેદનો પણ ગઈકાલે સાંજથી જ પ્રેસ-મીડિયામાં પડઘાય છે. આ કારણે ઘણાં લોકો એવો વ્યંગ પણ કરી રહ્યા છે કે વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય...
જો કે, રાજનીતિમાં જે દેખાતુ હોય, તેવું જ ઘણી વખત હોતું નથી અને જે હકીકત હોય છે તે છુપી રહી જતી હોય છે. રાજકીય પક્ષો દ્વારા ઘણી વખત લોકોને ભ્રમિત કરવા માટે વ્યૂહરચનાઓ અપનાવાતી હોય છે, જેની સામાન્ય લોકો કલ્પના પણ કરી શકતા હોતા નથી.
એનડીએ પાસે લોકસભામાં બહુમતી તો છે, પરંતુ બે-તૃતીયાંશ બહુમતી નથી, છતાં મોદી સરકારે આ કદમ ઉઠાવ્યુ, તેથી કાં તો કેટલાક વિપક્ષોનો ટેકો મળી જશે, તેવી આશા હોય અથવા તો હાથે કરીને હારી જવાની ઊંડી રણનીતિ પણ અપનાવાઈ હોઈ શકે, તેવું માનતા વિશ્લેષકો કહે છે કે પ.બંગાળની ચૂંટણી તથા વર્ષ-૨૦૨૭ સુધીમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓમાં રાજકીય લાભ લેવા માટે એનડીએની સરકારે ઊંડી ચાલ ચાલી છે, અને તેની આ ટ્રેપમાં વિપક્ષો ફસાઈ ગયા છે. હવે ભાજપ અને એનડીએ દ્વારા દેશભરમાં ગામે ગામ અને નગરો-મહાનગરોમાં વિપક્ષો વિરોધી પ્રચાર ઝુંબેશ ચલાવશે, રેલીઓ નીકળશે, દેખાવો યોજાશે અને વિપક્ષોએ મહિલા અનામત થવા દીધું નહીં અને વિપક્ષોએ જ બીલો અટકાવી દીધા હોવાની આક્ષેપબાજી થશે, વિપક્ષોને તથા ખાસ કરીને કોંગ્રેસ પર મહિલાઓના વિરોધી હોવાના આક્ષેપોની ઝડી વરસસે. આની શરૂઆત તો ગઈકાલે જ લોકસભાની કાર્યવાહી પૂરી થયા પછી સંસદ સંકૂલથી જ થઈ ગઈ હતી અને આજે જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. હવે આ મુદ્દો હાલની અને ભવિષ્યની તમામ ચૂંટણીઓમાં અગ્રીમ હરોળનો મુદ્દો બનશે, તે નક્કી જ છે.
આ સમજપૂર્વકનું જોખમ ઉઠાવ્યું હોય, તેમ જણાતુ હોવા છતાં તેનો રાજકીય ફાયદો મોદી સરકાર કે એનડીએને કેટલો થાય છે, તે તો ભવિષ્યમાં જ ખબર પડશે, પરંતુ ચર્ચા દરમ્યાન જ વડાપ્રધાને હળવી શૈલીમાં વિપક્ષોને ઉદ્દેશીને આ બિલ પાસ થવા દેવાય અને વિપક્ષો સહયોગ આપે, તો તેને "ક્રેડિટ" આપવા સરકાર તૈયાર છે, એવું કહીને સંકેત કર્યો હતો કે જો વિપક્ષો આ બિલ પાસ થવા નહીં દે, તો તેનો રાજકીય ફાયદો તેમને (એનડીએ) થશે. આ ત્રણેય બિલો પર ચર્ચા દરમ્યાન એનડીએના કેટલાક સાંસદોએ પણ આ જ પ્રકારની વાત કરી હતી, તો ચર્ચાનો સાંસદમાં જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે પણ કાંઈક એવી જ ટકોર કરી હતી અને કહ્યું હતું કે આ બિલ પસાર નહીં થાય, તો દેશની મહિલાઓ વિપક્ષોને માફ નહીં કરે, અને પ્રચાર કરવા જવું પણ મુશ્કેલ બનશે. તે પછી બિલ ઉડી ગયું અને વિધિવત સમાપન કરતી વખતે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ પણ આવી જ વાત કરી. એ પછી સંસદના સંકુલમાં જ નારેબાજી થઈ, તથા આજે એનડીએ દ્વારા વિપક્ષોની સામે દેશવ્યાપી વિરોધ-પ્રદર્શનો પણ શરૂ થઈ ગયા છે, તે જોતાં એવું જણાય છે કે આ ત્રણેય બિલ પાસ થાય, તેટલી બે-તૃતીયાંશ બહુમતી નહીં હોવા છતાં બિલો સાંસદમાં રજૂ કરીને સરકાર દ્વારા શતરંજની ચાલની જેમ એક રાજકીય દાવ ખેલવામાં આવ્યો છે. અને તે સરકારને કેટલો ફળે છે અને વિપક્ષોને કોઈ રાજકીય નુકસાન થાય છે કે પછી એનડીએ માટે બૂમરેંગ પૂરવાર થાય છે, તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.
જો કે, વિપક્ષોએ આ મુદ્દે બિલો પાસ થવા દીધા હોત તો તેની ક્રેડિટ સરકાર એકલી લઈ જાત કે પછી તમામ પક્ષોને તેનો રાજકીય ફાયદો થયો હોત, તે અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ દાયકાઓથી મહિલા અનામતનો લાભ ફરીથી એક વખત રાજકીય ચાલબાજીઓના કારણે અટકી ગયો છે અને બિલો લટકી ગયા છે, તે હકીકત છે...
બીજી તરફ ઈઝરાયલ-ઈરાનની લડાઈમાં વગર વિચાર્યે કૂદી પડેલા અમેરિકા તથા મહાસત્તા સાથે ટકરાવાના ઈરાનને પણ હવે પીછેહઠ કરવી પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જતા આખી દુનિયાને રાહત થઈ છે અને અમેરિકાએ રશિયન ક્રૂડ ખરીદવા પરના પ્રતિબંધો હળવા કરવા પડી રહ્યા છે. અમેરિકાએ નાકાબંધી ચાલુ રાખી હોવા છતાં અંતે યુદ્ધ વિરામ કાયમી થવાના સંજોગો વધુ ઉજળા થઈ રહ્યા છે. જો ઈરાન અમેરિકાને યુરેનિયમ ડસ્ટ સુપ્રત કરી દેશે તો કહી શકાય કે ખાયા પીયા કુછ નહીં...ગ્લાસ તોડા બારહ આના...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હમણાંથી લોકોની મૂળભૂત જરૂરિયાતોની સેવા-સુવિધાઓમાં ઘણાં સ્થળે સુધારો-વધારો થવા લાગ્યો છે. કેટલાક સ્થળે ગમે ત્યારે વીજળી ગુલ થઈ રહી હતી, ત્યાં વીજપુરવઠો હમણાંથી નિયમિત થવા લાગ્યો છે. જામનગરમાં કેટલાક વિસ્તારોમાં કોઈ ચોક્કસ ટાઈમ ટેબલ વિના કે મોડી રાત્રે પાણી પુરવઠો આવતો હતો, ત્યાં યોગ્ય સમયે પૂરતા પ્રવાહમાં દિવસના સમયે જ પાણી પુરવઠો અપાવા લાગ્યો છે. ઘણાં વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે ફરતી ગાડીઓની નિયમિતતા, ચોખ્ખાઈ અને તેના કર્મચારીઓની કાર્યપદ્ધતિ પણ લોકોની અપેક્ષા મુજબની થઈ રહી છે. ઘણાં સ્થળે ગંદકીની લાંબા સમયની ફરિયાદો ઉકેલાવા લાગી છે.
હાલારના નગરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારે થોડા-ઘણાં લોકેચ્છા મુજબના હકારાત્મક કદમો ઊઠાવાઈ રહ્યા છે, અને પરિવર્તનો થઈ રહ્યા છે. આ પ્રકારની ચર્ચા સાથે લોકોમાં એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓના સમયમાં જે બુનિયાદી પ્રશ્નો હતાં, તે વહીવટદારોના શાસનમાં કેમ હળવા થવા લાગ્યા છે, અને આ પ્રકારના પરિવર્તનો પાછળનું કારણ શું હોઈ શકે?
ઘણાં લોકો આને વહીવટદારોનું પ્રો-પબ્લિક વલણ માને છે, તો રાજકીય દબાણથી મુક્ત થયા પછી તંત્રો છૂટથી કામ કરી રહ્યા હોવાની માન્યતા પણ વ્યક્ત થઈ રહી છે. ઘણાં લોકો કહે છે કે આ તો ચાર દિવસ કી ચાંદની ઔર ફીર અંધેરી રાત જેવું છે. ચૂંટણી પછી ફરીથી પહેલા જેવું જ થઈ જશે, ભલે સત્તામાં કોઈપણ પાર્ટી આવે...
એક મહત્ત્વપૂર્ણ અભિપ્રાય મહત્તમ લોકો વ્યક્ત કરી રહ્યા છે કે, અત્યારે પણ તંત્રોના માધ્યમથી એન્ટી-ઈન્કમ્બન્સી ઘટાડવા તથા મતદારોનો અસંતોષ ઊભો થઈ ન જાય, તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ કારણે જ પાણીપુરવઠો, વીજપુરવઠો, સફાઈ, સ્ટ્રીટલાઈટ જેવી રોજીંદી સેવાઓમાં ક્રમશઃ સુધારો જોવા મળી રહ્યો છે. આચારસંહિતાના કારણે તંત્રો પરના કેટલાક રોજ-બ-રોજના કામો ઓછા થઈ જતા સનદી અધિકારીઓ તેનો 'સદુપયોગ' કરી રહ્યા હોવાની વાતો થઈ રહી છે, જો કે તેમાં સત્યનો રણકાર હોય છે કે વ્યંગવાણી હોય છે, તે સમજી શકાય તેવું નથી.
જો કે બધી જગ્યાએ એવું નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેવા નગરો તથા જામનગરમાં કેટલાક સ્થળે ઉલ્ટી પરિસ્થિતિ પણ જોવા મળે છે, જ્યાં લોકોની બુનિયાદી ફરિયાદો ઘટવાના બદલે વધી હોય, કેટલાક સ્થળેથી એવી રાવ પણ ઊઠી રહી છે કે ચૂંટણીની કામગીરી હોવાના નામે તથા આચારસંહિતાના બહાને ચૂંટણી સાથે લાગતું-વળગતું ન હોય, તેવા મહત્ત્વના કામો પણ કરવામાં આવી રહ્યા છે. જે હોય તે ખરૃં. આ બધું આ મહિનાના અંત સુધી જ રહેવાનું છે, અને તે પછી નવા જનપ્રતિનિધિઓ આવશે, અને પછી ફરીથી 'જૈસે થે...!'
જો કે, અમદાવાદ મહાનગરપાલિકા (એએમસી) દ્વારા ઉઠાવાયેલા તાજેતરના કેટલાક કદમ જ્યાં ચૂંટણી છે, તેવા વિસ્તારોના વહીવટદાર અમલદારોએ પણ અપનાવવા જેવા છે. અમદાવાદમાં પ્રદૂષણના ધારાધોરણો (ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ) નો અમલ ન કરતા હોય, તેવા બાંધકામોની રજાચિઠ્ઠી જ રદ્ કરી નાંખવાના આદેશો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે આપ્યા હોવાના અહેવાલો પછી 'હોતી હૈ ચલતી હૈ' ચલાવતા બિલ્ડરો તથા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપ્યો હોવાના તથા તેના કારણે લોકોમાંથી પણ પ્રશંસનિય પ્રતિભાવો આવી રહ્યા હોવાના પ્રત્યાઘાતો પડઘાઈ રહ્યા છે. આ પ્રકારના કડક કદમ ઊઠાવીને દબાણરહિત વહીવટ આપવાની તક અન્ય વહીવટદારોએ પણ ઝડપી લેવા જેવી ખરી...
એવું કહેવાય છે કે, મિશન મિલિયન ટ્રી ઝુંબેશ હેઠળ અમદાવાદના બાગાયત વિભાગે એક પ્લોટ પર પ્લાનટેશન કર્યું હોવાનો દાવો કર્યો હતો, તે પ્લોટ પર તો હેલ્થ સેન્ટર બંધાયેલું મળ્યું હતું. તે પછી કમિશનરની કડકાઈ (સ્ટ્રોંગનેશ) વધી ગઈ હતી. આ ઉપરાંત ગરમી માટે હોટ સ્પોટની જેમ જ આવારા કૂતરાઓ માટે પણ હોટસ્પોટ (જોખમી જગ્યા) જાહેર કરીને જરૂરી કદમ ઊઠાવવાના એએમસીના કદમની પ્રશંસા પણ થઈ રહી છે, જેનો પ્રભાવ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓના તંત્રવાહકો પર પડે, અને થોડા દિવસો માટે સાચુકલી જનસેવાની તક તેઓ ઝડપી લ્યે, તેવું ઈચ્છીએ...
હાલારમાં જામનગર મહાનગરપાલિકા ઉપરાંત ખંભાળિયા અને રાવલ નગરપાલિકાની ચૂંટણીઓ છે, ત્યારે ત્યાંના વહીવટદારો માટે તો 'જનસેવા'નો આ ગોલ્ડન ચાન્સ છે જ, પરંતુ જ્યાં ચૂંટણીઓ નથી, તેવા શહેરોમાં પણ રોજીંદી મૂળભૂત સેવા-સુવિધાઓ સારી રીતે અને નિયમિત કરવાની તક પણ તંત્રવાહકોએ ઝડપવા જેવી છે, અને ચૂંટાયેલી પાંખો માટે દૃષ્ટાંતો સેટ કરવા જેવા છે. કોઈપણ કારણોસર થતી હોય તો પણ દરેક પ્રકારની સુધારાલક્ષી પહેલ અને અનુકરણીય અભિગમ ચૂંટણીઓ પછી પણ એટલી જ પ્રસ્તુત રહી શકે છે, બસ, ચૂંટાયેલા નવા જનપ્રતિનિધિઓ અને હોદ્દેદારોની હૃદયપૂર્વકની 'ઈચ્છાશક્તિ' હોવી જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે આઈપીએલની સિઝન ચાલી રહી છે, અને ગરમી, યુદ્ધ અને ચૂંટણીઓના માહોલ વચ્ચે પણ ક્રિકેટની ચર્ચા અગ્રીમ હરોળમાં થતી રહી છે, તેના ઘણાં કારણો પણ છે. આપણી મૂળભૂત દેશી રમતો પણ તદ્ન વિસરાઈ નથી, પરંતુ આધુનિક સ્વરૂપમાં પુનઃ સ્વીકૃતિ પામી રહી છે,તે ઉત્સાહપ્રેરક છે. કૃષ્ણકાળથી રમાતી ગેડી-દડાની રમતને આજે હોકી કહેવાય છે, અને મલ્લ-કુસ્તી પણ આજે અદ્યતન બની છે, તો કબડ્ડી અને ખો-ખો જેવી રમતો પણ ટકી રહી છે. આ રમતોની રનીંગ કોમેન્ટ્રી પણ હવે ક્રિકેટની જેમ જ રસસભર અને વૈવિધ્યપૂર્ણ બની રહી છે.
ક્રિકેટના ક્ષેત્રે અત્યારે ગૌતમ ગંભીરની 'ગંભીરતા'ની ચર્ચા મીડિયા-સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ રસિયાઓની નુક્કડ ચર્ચાઓ સુધી થઈ રહી છે, તેનું કારણ ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ ગૌતમ ગંભીરની ગંભીરતાને લઈને કરેલું નિવેદન છે, જો કે મન્સુફીથી કરાયેલું એ મુનાફી નિવેદન ગંભીરની પ્રશંસા પણ કરે છે, અને એક કડવી વાસ્તવિક્તા પણ ઉજાગર કરે છે, અને તેમાંથી જન્મી છે 'કડવાશ'ની કથા...
આપણાં વડીલો હંમેશાં કહેતા હોય છે કે, દવા ભલે કડવી હોય, પરંતુ તે દર્દ મટાડે છે અને રોગ ભગાડે છે. કદાચ ગંભીરની 'ગંભીરતા' કોઈ ટીમ મેમ્બર્સને ખટકતી હોય કે 'કડક' વલણ ગમતું ન હોય, તો પણ 'ગંભીરતા'ની એ જ ખૂબી છે અને ખામી પણ છે. આ પ્રકારની ગંભીરતા ધરાવતા ગૌતમ જેવા ઘણાં ગંભીરો આપણી વચ્ચે પણ હોય જ છે ને?
ધર્મગુરુઓ, ફિલોશોફરો તથા અધ્યાપકો (ભણાવતી વખતે) હંમેશાં કહેતા હોય છે કે, સત્ય કડવું હોય છે, પરંતુ તે જીવન સુધારે છે. ચૂંટણી ટાણે ઘણી વખત આ જ પ્રકારનું કડવું સત્ય પણ પ્રગટતું હોય છે, જો કે સત્યનો નકાબ ઓઢીને આવતા અસૂરી અસત્યોથી ચેતવા જેવું ખરૃં...
કડવું સત્ય પણ સીધેસીધુ, તોછડાઈ કે કડવાશથી કહેવામાં આવે તો તે ઘણી વખત બિનઅસરકારક બનતું હોય છે, અને ક્યારેક તો ઘાતક પણ બનતું હોય છે, તેથી સત્ય કહેવાની પણ એક સંયમિત આવડત હોવી જરૂરી છે. કોઈને ઓછું સંભળાતું હોય, ઓછું દેખાતું હોય, બોલવા-ચાલવાની તકલીફ હોય તો તેને મોઢામોઢ તોછડા વિશેષણો આપીને સંબોધવાથી બચવું જોઈએ. કદાચ એટલે જ 'દિવ્યાંગ' શબ્દપ્રયોગનો આગ્રહ રાખવામાં આવતો હશે. એવી જ રીતે વૈશ્વિક રાજનીતિ હોય કે ચૂંટણીનો ચક્રવ્યૂહ હોય, પરંતુ કડવું સત્ય પણ ઘણી વખત કટ્ટર કડવાશ ઊભી કરી દેતું હોય છે. એ સત્ય સારા શબ્દોમાં પણ કોઈને ખૂંચે નહીં તેવી રીતે બોલી શકાતું હોય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વાણી વિલાસ કરતા કેટલાક બોલકા બેકાબૂ નેતાઓએ આ સિદ્ધાંત સમજીને ભાષણબાજી કરવી જોઈએ...
સત્ય હંમેશાં કડવું જ હોય, તેવું નથી, પરંતુ જે સત્ય આપણને અનુકૂળ આવતું ન હોય, ગમતું ન હોય, પોલખોલનું માધ્યમ બનતું હોય કેે પછી બાજી ઉંધી વાળી દેનારૂ હોય તો તે કડવું લાગે, પરંતુ એ જ સત્ય જો આપણાં પ્રતિસ્પર્ધી કે ટીકાકારની પોલ ખોલતું હોય, આપણને અનુકૂળ આવતું હોય કે પછી સાનુકૂળ હોય તે 'સત્ય મેવ જયતે'નો પર્યાય બની જાય છે, તે પણ કડવી વાસ્તવિક્તા જ છે ને?
કાયદાઓ કડક હોય તો લોકોની સુરક્ષા અને સલામતિ વધે છે, અને આ કારણે જ કેટલાક કાયદાઓ વધુ કડક બનાવાયા છે. કાયદાની છટકબારીઓ બંધ કરવા માટે ઘણાં સુધારાઓ થયા છે અને કેટલાક કાયદાઓ ધરમૂળથી બદલી પણ નંખાયા છે. કાયદા કડક હોય તેની સાથે તેનો તટસ્થ અને લોકલક્ષી અમલ થાય, અને ટ્રાન્સપરન્સી જળવાય તે પણ જરૂરી હોય છે. જો કાયદાનું અમલીકરણ ભેેદભાવપૂર્ણ કે કોઈ બાહ્ય પ્રભાવ હેઠળ અયોગ્ય રીતે થાય કે કાયદાનો દુરૂપયોગ થાય, સત્તાનો દુરૂપયોગ થાય કે પછી કાયદાનું ઢીલુપોચુ અમલીકરણ થાય, તો લોકોની સુરક્ષા-સલામતી ઉપર જોખમ પણ ઊભું થતું હોય છે, જેથી ભારત જેવા લોકતાંત્રિક દેશમાં આ મુદ્દે ઘણી જ સાવધાની રાખવી જરૂરી હોય છે.
કાયદાના હાથ લાંબા હોય છે, અને ન્યાયમાં વિલંબ થાય, તો પણ ભારત જેવા લોકતાંત્રિક દેશમાં અંતે તો ન્યાય મળતો જ હોય છે અને સત્યનો જય થતો હોય છે. આ પ્રકારના સુવાક્યો આપણે રોજ-બ-રોજ સાંભળતા જ હોઈએ છીએ.
આમ દરેક મુદ્દાની સિક્કાની બે બાજુ તો હોય જ છે. કડવી દવા બીમારી ભગાડે અને કડવું સત્ય જીવન સુધારે છે, એ નક્કર હકીકત છે. યોગ્ય રીતે અમલ થાય તો કડક કાયદાથી લોકોની સુરક્ષા અને સલામતિ વધે છે, તે પણ નક્કર વાસ્તવિક્તા છે, પરંતુ કડવા વેણ એટલે કે કડવા શબ્દોથી થતી ટીકા કે કોઈનું અપમાન તો હંમેશાં સુમધૂર સંબંધો બગાડે જ છે, તેમાં કોઈ સંદેહ નથી.
લોકતાંત્રિક દેશોમાં સુરક્ષા એજન્સીઓને કડક કાયદાઓનું પીઠબળ હોય છે, પરંતુ સત્તાધારી પક્ષ કે ચોક્કસ પરિબળો દ્વારા કાયદાઓનો દુરૂપયોગ ન થાય, તેનું ધ્યાન રાખવું પડે, અન્યથા ટ્રમ્પફેઈમ ટેરિફ કે યુદ્ધો જેવા અતિરેકો થતા રહેતા હોય છે, જો કે અમેરિકાની સંસદમાં હવે ટ્રમ્પને અંકુશમાં રાખવા કોઈ પ્રસ્તાવ આવી રહ્યો છે, પરંતુ હવે તે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવું છે...
પરિવાર હોય, સમાજ હોય કે દેશ હોય, કે પછી વૈશ્વિક વ્યવહારો હોય, કડવા વેણ અને મનસ્વી વલણ હંમેશાં પોતાના પગ પર કૂહાડી મારવા જેવું નિવડતું હોય છે, તેથી સત્ય પણ મીઠાશથી બોલાવું જોઈએ અને ધન, સત્તા, શક્તિ કે જ્ઞાનના ઘમંડમાં કડવા વેણ હંમેશાં પોતાનો જ વિનાશ નોતરતા હોય છે, તે હંમેશાં યાદ રાખવું જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, તો પ.બંગાળ, આસામ, કેરળ, તમિલનાડૂ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાઓ અને આઠ રાજ્યોમાં ખાલી બેઠકોની પેટા ચૂંટણીઓનો પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. આ ચૂંટણી પ્રચાર દરમ્યાન આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો તો જાણે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ તેનાથી પણ વધુ તિવ્રતાથી કેટલાક રાજકીય પક્ષોમાં ફાટી નીકળેલો અસંતોષ પણ સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષા સુધી ચર્ચાની વિષય બન્યો છે. ખાસ કરીને અપેક્ષિત ટિકિટો ન મળી હોય, તેવા ઈચ્છાધારી નેતાઓ-કાર્યકરો કોઈને કોઈ રીતે અસંતોષ પ્રગટ કરી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો, જે મુખ્ય ત્રણ રાજકીય પક્ષો વચ્ચે રાજ્યવ્યાપી ફાઈટ છે, તે ત્રણેય પક્ષોમાં ઓછા-વત્તા અંશે છુપો કે જાહેર અસંતોષ ઉકળી રહ્યો છે, જે પક્ષની ટિકિટ મેળવનાર સત્તાવાર ઉમેદવારો માટે સારા સંકેત નથી. જો કે, બધા પક્ષો ડેમેજ કંટ્રોલની કોશિશ કરી રહ્યા છે અને કેટલાક સ્થળે તો મનામણાં થઈ પણ રહ્યા છે. બીજી તરફ રિસામણા-મનામણાં વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ હવે "રિસોર્ટ કલ્ચર" દેખાવા લાગ્યું છે અને ફોર્મ પાછા ખેંચવાની મુદ્દત સુધી કેટલાક ટિકિટધારક ઉમેદવારોને સંબંધિત પક્ષો દ્વારા સામૂહિક રીતે "બહાર" લઈ જવામાં આવી રહ્યા છે, જેથી સામેનો પક્ષ તેના ઉમેદવારને "તોડી" ન જાય !
જામનગરમાં પણ આ જ પ્રકારનો અસંતોષ વિવિધ રાજકીય પક્ષોમાં જોવા મળ્યો અને કેટલાક "સેવકો" એ તો ટિકિટ નહીં મળતા જ પાટલી બદલવા અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આક્રોશ વ્યક્ત કરવાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી, તો કેટલાક "દુભાયેલા" કાર્યકરો ગૂપચૂપ ચૂંટણી આવે તેની રાહ જોઈ રહ્યા છે અને મતદાનના સમયે "ખેલ" નાખવાની ગૂપ્ત હિલચાલ પણ ચાલી રહી હશે, તો કેટલાક પાયાના પથ્થરો જેવા નેતાઓ-કાર્યકરો પાર્ટીનો આદેશ માથે ચડાવીને પ્રચારકાર્યમાં જોતરાઈ પણ ગયા છે. જો કે, "મૂળ ભાજપ"ના નામે નગરથી નેશન સુધી ફરતો થયેલો કોઈ પત્ર ટોક ઓફ ક ટાઉન, સ્ટેટ અને હવે ટોક ઓફ ધ નેશન બન્યો હોય, તેમ જણાય છે, જેના સંદર્ભે જવાબ પણ અપાઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ, આપ સહિતના અન્ય રાજકીય પક્ષોમાં પણ કેટલાક સ્થળે ફાટફૂટની વાર્તા વહેતી થઈ છે.
આજે ફોર્મ પાછા ખેંચવાની મુદ્દત બપોરે પૂરી થઈ જતા ચિત્ર હવે સ્પષ્ટ થવા લાગ્યુ છે અને કેટલીક નગરપાલિકાઓની બેઠકો સહિત ઘણી બેઠકો બિનહરીફ થઈ હોવાના અહેવાલો છે. બીજી તરફ ચૂંટણીતંત્રે પણ આદર્શ આચાર સંહિતાના અમલ સહિતની અમલવારી શરૂ કરી દીધી છે. બીજી તરફ પાંચ રાજ્યોની ચૂંટણીઓનો પ્રચાર પણ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો અને તીખા તમતમતા ભાષણો થઈ રહ્યા હતા. રાજકીય પક્ષોના સર્વોચ્ચ બંધારણીય પદો પર બિરાજમાન દિગ્ગજો પણ ચૂંટણીઓના સ્ટાર પ્રચારક તરીકે અલગ જ મિજાજમાં જણાઈ રહ્યા હતા, અને તેઓના તેજાબી ભાષણો વાયરલ થઈ રહ્યા હતા. એવું કહી શકાય કે હવે જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ચક્રવ્યૂહ ઘેરો બનતો જાય છે, તેમ તેમ પ્રચારાત્મક 'ટેમ્પો' પણ જમાવટ કરી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં સ્થાનિક સમસ્યાઓ, લોકોની અપેક્ષાઓ, ફરિયાદો, શાસન-પ્રશાસનની ઉપલબ્ધીઓ અને નિષ્ફળતાઓ, ગેરરીતિ-ભ્રષ્ટાચારના આક્ષેપો તથા ટ્રાન્સ્પરન્ટ સ્કીમ્સથી લઈને યોજનાકીય સિદ્ધિઓના મુદ્દાઓ ઉપરાંત રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ તથા છેક ટ્રમ્પની નાકાબંધી, ભારતની સંસદમાં નારીશક્તિ વંદન બિલ અને ગઈકાલે ટ્રમ્પે ૪૦ મિનિટ સુધી કરેલા ટેલિફોનિક વાતચીતનો ઉલ્લેખ પણ કરવામાં આવી રહ્યો છે. પ. બંગાળમાં તો શબ્દોના તીર એવા છૂટી રહ્યા છે કે પ્રતિસ્પર્ધીનું ચીરહરણ જ થઈ જાય. ઘણાં લોકોને ચૂંટણી પ્રચારમાં થતા ચારિત્ર્ય હરણ અને બેફામ વાણી વિલાસ અયોગ્ય લાગતો હોય છે, જ્યારે ઘણાં લોકો તેને મફતનું મનોરંજન ગણતા હોય છે. ઘણાં લોકો ઉચ્ચ બંધારણીય હોદ્દાઓ પર બિરાજમાન સ્ટાર પ્રચારકોએ થોડો સંયમ અને શબ્દોની મર્યાદા જાળવવી જોઈએ. તેવો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે તો ઘણાં લોકો "જંગ ઔર પ્યાર મેં સબ જાયઝ હૈ" ની કહેવત મુજબ ચૂંટણીને જંગ ગણીને તેમાં અભિવ્યક્તિની આઝાદી અમર્યાદ થઈ જાય, તો તેને ક્ષમ્ય ગણવી જોઈએ, તેવું પણ માને છે. ઠીક છે, "ખ્યાલ અપના અપના...પસંદ અપની અપની !".
આ વર્ષે અત્યારથી જ બળબળતો ઉનાળો શરૂ થઈ ગયો છે, અને બપોરે લોકડાઉન કે કર્ફયુ હોય, તેવો માહોલ સર્જાઈ રહ્યો છે, ત્યારે બપોર સુધી અને બપોર પછી મતદાન વધુ થવાની સંભાવના છે, તો બીજી તરફ તમામ મતદાન કેન્દ્રો પર મતદારો માટે છાંયડો, પીવાનું પાણી અને પ્રાથમિક સારવાર જેવી પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ રાખવાનો પડકાર પણ ચૂંટણીતંત્ર સામે રહેવાનો જ છે.
ચૂંટણીઓના ચક્રવ્યૂહ વચ્ચે લોકસભા અને વિધાનસભામાં મહિલા અનામતની ચર્ચા પણ થઈ રહી છે અને વિવિધ અટકળો પણ થઈ રહી છે. લોકસભામાં અત્યારની ૫૪૨ થી વધીને ૮૫૦ની આજુબાજુ બેઠકો થશે, તો ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠકોમાં પણ વધારો થશે. ગુજરાતની લોકસભાની બેઠકો પણ વધશે. નવા સિમાંકન પછી સંસદીય મત વિસ્તારોનું સ્વરૂપ બદલાતા સમીકરણો પણ બદલાઈ જશે, આ અંગે વિવિધ સમીક્ષાઓ થઈ રહી છે તથા ઊંડો અભ્યાસ કરવામાં અવાી રહ્યો છે. સંસદમાં નારીશક્તિ વંદન (મહિલા આરક્ષણ) અધિનિયમ રજૂ થાય, તે પહેલા જ તેની ચર્ચા સડકથી સંસદ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી શરૂ થઈ ગઈ છે અને ચૂંટણી પ્રચારનો મુદ્દો પણ બની છે. જો કે, પંચાયત-પાલિકા-મહાપાલિકાાઓમાં સ્થાનિક મુદ્દાઓ વધુ પ્રભાવી રહેતા હોય છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ડો. ભીમરાવ રામજી આંબેડકરની જયંતી છે, તેઓને બંધારણના ઘડવૈયા ગણવામાં આવે છે. તેઓ બંધારણની ડ્રાફટ સમિતિના અધ્યક્ષ હતા અને બંધારણ સભા દ્વારા બંધારણના ઘડતર તથા આખરી ઓપ આપવામાં તેઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેઓને ડો. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ આપણે ઓળખીએ છીએ. ડો. ભીમરાવ (બાબાસાહેબ) આંબેડકરની જયંતી ઉજવાઈ રહી છે, ત્યારે જ આ અઠવાડિયામાં દેશમાં બંધારણીય ઘટનાક્રમો પણ બની રહ્યા છે, જે બંધારણ સભા અને ડો. બાબાસાહેબ આંબેડકરની દૂરંદેશી તથા સચોટતા દર્શાવે છે.
અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા દેશના કેટલાક રાજયોમાં વિધાનસભાના જનરલ ઈલેકશન તથા પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે, તે પણ બંધારણીય હેઠળ જ યોજાઈ રહી છે.
એ બંધારણ જ છે, જેની જોગવાઈઓ હેઠળ સુપ્રિમકોર્ટ એસઆઈઆરના મુદ્દે સુનાવણી કરીને ચૂંટણીપંચ અને સંબંધિત સરકારોને જરૂરી દિશાનિર્દેશ આપી રહી છે. પ.બંગાળમાં એસઆઈઆરમાં ૯૦ લાખ મતદારોના નામ કપાયા, તે મુદ્દે સુપ્રિમકોર્ટે જે સમતોલ અને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે, તે આપણાં દેશના સ્વયંસ્પષ્ટ લેખિત બંધારણને જ આભારી છે.
ડો. બાબાસાહેબ આંબેડકરના વડપણ હેઠળ ડ્રાફટ કમિટીમાં તૈયાર થયેલા મુસદાને બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. તે પહેલા આ બંધારણ આઝાદ ભારતમાં જરૂર પડયે કાયદા-કાનૂન કે મજબૂત અધિકારો સિવાયની જોગવાઈઓમાં સુધારા-વધારા થઈ શકે, તેવી વ્યવસ્થાઓ પણ એ જ બંધારણમાં કરવાની વિશેષ કાળજી રાખવામાં આવી હતી. અને આ બંધારણ લાગુ પડયુ ત્યારથી અત્યાર સુધીમાં સવાસોથી વધુ બંધારણીય સુધારાઓ થઈ ચૂક્યા છે.
આઝાદી પછી થયેલા બંધારણીય સુધારાઓની માહિતી નોબતની ગત દિવાળી પૂર્તિમાં એક વિસ્તૃત લેખમાં અપાઈ હતી. આ બંધારણીય સુધારાઓ હેઠળ જ આપણાં દેશમાં મહિલાઓને સંસદની લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો પર આરક્ષણ આપવાનું વિધેયક વર્ષ-૨૦૨૩માં મૂકાયુ હતું આ બિલનું નામ હતું નારીશક્તિ વંદન વિધેયક-૨૦૨૩...
આ બિલ વર્ષ ૨૦૨૩માં પસાર તો થઈ ગયું, પરંતુ તેમાં નવુ સિમાંકન નવી વસતિ ગણતરીના આધારે થવું જરૂરી છે, હવે નવી વસતિ ગણતરી થયા પછી નવું સિમાંકન થાય, તેની રાહ જોવાઈ રહી છે.
આપણાં દેશમાં દર દસ વર્ષે વસતિ ગણતરી થાય છે અને છેલ્લી વસતિ ગણતરી વર્ષ ૨૦૧૧માં થઈ હતી, અને તે પછી વર્ષ ૨૦૨૧માં વસતિ ગણતરી થવાની હતી, પરંતુ કોવિડ-૧૯ના કારણે તેમાં વિલંબ થયો હતો. હવે આ વર્ષે વસતિ ગણતરી થવા જઈ રહી છે. આ વસતિ ગણતરી થતા જ નવું સિમાંકન નક્કી થશે, અને લોકસભા, દેશની તમામ વિધાનસભાઓમાં (દિલ્હી સહિત) મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રહેશે. જેવી રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામત છે, તેવી જ રીતે (પછાત વર્ગો સહિત) લોકસભા અને દેશની વિધાનસભાઓમાં પણ ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે.
આ સમગ્ર પ્રક્રિયા પણ આપણાં એ જ દીર્ઘદૃષ્ટિપૂર્વક તૈયાર કરાયેલા લિખિત બંધારણને જ આભારી છે, અને આ બિલની મહત્તમ જોગવાઈઓ અંગે દેશમાં વિસ્તૃત ચર્ચાઓ પણ થઈ હતી. આ બિલ પણ બંધારણમાં ૧૦૬મા સુધારા તરીકે વર્ષ-૨૦૨૩મા પસાર થયું હતું. તે પછી હવે આ બિલને અંતિમ ઓપ અપાયા પછી ૧૨૮મા બંધારણીય સુધારા તરીકે ઓળખાશે. આ સુધારામાં નવા સિમાંકનની વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે. આ બિલમાં એસ.સી. અને એસ.ટી.ની અનામત બેઠકોમાં પણ ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. હવે આ વિષય પર ૧૬મી એપ્રિલથી સંસદમાં ચર્ચા થવાની છે, ત્યારે કોંગ્રેસે આ બિલના ટાઈમીંગ પર સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે વડાપ્રધાને આ બિલ અંગે દિલ્હીના વિજ્ઞાનભવનમાં મહિલા સમુદાયો સાથે પણ સંવાદ કર્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશના બંધારણીય વડા છે. તેઓ આજે ગુજરાતની મુલાકાતે છે અને રાજધાની ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. બીજી તરફ હાલાર સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જયંતીની ઉજવણીના ભવ્ય કાર્યક્રમો, રેલીઓ અને સમારોહો યોજાઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ ડો. આંબેડકરને સ્મરણાંજલિ અર્પીએ અને બંધારણના મૂળભૂત મૂલ્યો તથા બંધારણના ઘડવૈયાઓની દેશભાવનાને જાળવી રાખવાનો સંકલ્પ લઈએ...
આજે જ્યારે દેશ અને દુનિયા સામે નવા પડકારો ઊભા થઈ રહ્યા છે અને આઝાદીકાળની દેશભક્તિની પ્રબળ ભાવનાને પુનઃ પ્રજ્વલિત કરવાની જરૂર છે, ત્યારે દેશ માટે શહીદી આપનાર તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રવિવારે સવારે સમાચાર આવ્યા કે ઈસ્લામાબાદમાં ઈરાન-અમેરિકાની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે અને અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળો પોતપોતાના દેશમાં પરત ફર્યા. તે પછી જે કાંઈ અનિશ્ચિતતાઓ, આશંકાઓ અને સંભાવનાઓ ઊભી થઈ રહી છે, તે આપણી સામે જ છે. રવિવારના ઘટનાક્રમોમાં કહીં ખુશી કહીં ગમ જેવા રહ્યા, કારણ કે લગભગ આખી દુનિયા ઈચ્છતી હતી કે ઈરાન-અમેરિકા વચ્ચે સમાધાન થઈ જાય, અને સંપૂર્ણ સમજૂતિ ન થાય, તો પણ હોર્મુઝ સ્ટ્રેટ બધા માટે કાયમ માટે ખુલી જાય. આ આશા સંતોષાઈ શકી નહીં અને પાકિસ્તાનની લીંબડ જશ ખાટવાની નિયત પણ ખુલ્લી પડી ગઈ. અત્યાર સુધી વિશ્વમાં યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે જ્યારે જ્યારે વાટાઘાટો થઈ છે, તે બહુ જાજો પ્રચાર-પ્રસાર કર્યા વિના અને તટસ્થ સ્થળ અને મધ્યસ્થીની સક્રિય ભૂમિકા હેઠળ થઈ છે, પરંતુ પાકિસ્તાનમાં તો કોઈ "ઈવેન્ટ" હોય તેમ ફોટોસેશન યોજાયા અને બંને દેશો વચ્ચે પાકિસ્તાનની ભૂમિકા માત્ર ટપાલી જેવી જ રહી ગઈ હોય તેવો આભાસ ઊભો થયો, જેની વૈશ્વિક ટીકા પણ થઈ.
દુનિયા હજુ આ બેડ ન્યૂઝનો આઘાત સહન કરવાનો પ્રયાસ કરી જ રહી હતી, ત્યાં ગઈકાલે રવિવારે બીજા બેડ ન્યૂઝ આવ્યા કે સ્વર સામગ્રી સ્વ. લતામંગેશકરના બહેન અને વિખ્યાત ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. તે પછી ગઈકાલે ઈરાન-અમેરિકાના સમાચારોના સ્થાને દિવંગત આશા ભોંસલેજીના જીવન સંઘર્ષ અને ઉપલબ્ધિઓની ચર્ચા થવા લાગી, અને તેણીના ગીતો પણ દિવસભર ગૂંજ્યા. દેશ-વિદેશમાં શ્રદ્ધાંજલિઓ અપાઈ.
ગઈકાલે જ બપોરે આઈપીએલમાં લખનૌની ટીમ સામે ગુજરાત ટાઈટન્સ ટીમ જીતી ગઈ અને સાંજે બેંગલુરૂની ટીમ સાથે મુંબઈની ટીમની રસાકસીની મોજ પણ ક્રિક્ેટ રસિયાઓએ માણી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હારી ગઈ.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવારો નક્કી થયા પછી કોણ કોની સામે છે અને કોણે કોણે છેલ્લી ઘડીએ પાટલી બદલી છે, તેની ચર્ચા વચ્ચે કેટલાક જિલ્લાઓમાં કેટલાક બિનહરીફ વિજેતાઓ જાહેર થાય તેવી સ્થિતિ પણ ઊભી થઈ, કારણ કે ત્યાં એક જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે.
જો કે, ગઈકાલથી ગુંજી રહેલો મુખ્ય મુદ્દો આજે ટોક ઓફ ધ નેશન બન્યો છે, અને તે મુદ્દો છે મહિલા અનામત બિલ...
કેન્દ્રની મોદી સરકારે મહિલા અનામત બિલને નારીશક્તિ વંદન અધિનિયમ-૨૦૨૩ સર્વસંમતિથી સપ્ટેમ્બર-૨૦૨૩મા જ પસાર કર્યું હતું, તો તે સમયે કોંગ્રેસની માંગણી છતાં સરકારે એ કાયદો કેમ લાગૂ કર્યો નહી ? તેવો પ્રશ્ન ઉઠાવીને કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ આગામી તા. ૧૬ એપ્રિલથી આ જ અધિનિયમ પર ચર્ચા કરવા માટે બોલાવાયેલી વિશેષ સંસદસત્રની બેઠકના ટાઈમીંગ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અઢી વર્ષે આ જ અધિનિયમ પર ચર્ચા કરવા વિપક્ષોને વિશ્વાસમાં લીધા વિના સંસદની વિશેષ બેઠક બોલાવવામાં આવી છે, અને હવે અમને આ અધિનિયમ સર્વસંમતિથી પસાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ અંગે વિસ્તૃત ચર્ચા માટે પહેલા સર્વપક્ષિય બેઠક બોલાવવી જોઈએ, કારણ કે પૂરતી ચર્ચા વિના ઉતાવળે આ અધિનિયમ લાગુ કરી દેવો યોગ્ય નથી.
હકીકતે વર્ષ ૨૦૨૯થી લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે ૧૬ એપ્રિલથી આ અધિનિયમ પર ચર્ચા કરવા માટે સંસદની વિશેષ બેઠક બોલાવી છે, અને તેમાં સહયોગ આપવા અને આ બિલને રાજનીતિથી અલગ ગણીને સર્વાનુમતે લાગુ કરવા વિપક્ષોને અપીલ કરતો પત્ર લખ્યો છે. જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગી અધ્યક્ષ ખડગેએ કહ્યું કે દેશમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ ચાલી રહી છે, રાજકીય ફાયદો મેળવવા માટે આ બેઠક બોલાવાઈ રહી છે. આ માટે વિસ્તૃત પરામર્શ માટે રાજકીય પક્ષોને પૂરતો સમય મળી રહે, તે માટે હાલની વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીઓ સંપન્ન થયા પછી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે અને તે પણ સર્વસંમતિ સાધવામાં આવે, તે યોગ્ય રહેશે.
ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગૂગલી ફેંકી એન તેની સામે ખડગેએ બાઉન્ડ્રી ફટકારી હોય તેવો ઘાટ સર્જાયો છે, હવે કેન્દ્ર સરકાર સર્વસંમતિ માટે કેવા પ્રયત્નો કરે છે, તે જોવાનું રહ્યું. જો કે, સરકારની બહુમતી હોવાથી આ બિલ પસાર તો થવાનું જ છે, બસ, ટાઈમીંગનો સવાલ છે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થવા લાગ્યા અને આમઆદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારીપત્રો ભરવાની તાજવીજ હાથ ધરાઈ, તે પછી રાજ્યના લગભગ જિલ્લાઓમાં ચોતરફ ચર્ચાઓનો જાણે ચક્રવાત ઉઠયો છે અને અટકળોની જાણે કે આંધી આવી હોય તેમ ઉકળાટ અને અજંપો જોવા મળી રહ્યો છે.
આજે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારીપત્રો ભરવા માટે ધસારો વધ્યો અને તેની સાથે જ કેટલાક પક્ષપલટો કરનારા નેતાઓને તરત જ ટિકિટ મળી જતા મૂળ વફાદાર કાર્યકરોમાં અસંતોષ પ્રગટ થયો, તો કેટલાક ટિકિટવાંચ્છુઓને ટિકિટ નહીં મળતા નારાજગી વધી. ક્યાંક ભાજપમાં ભડકો થયો તો ક્યાંક કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો. આમઆદમી પાર્ટી પણ કેટલાક જિલ્લાઓમાં અવઢવમાં હોય તેવું લાગ્યું.
આજે શનિવાર છે અને સાંજ સુધીમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને પક્ષવાર કોણ કોની સામે મેદાનમાં છે, તથા કેટલા અપક્ષોએ નસીબ અજમાવ્યું છે, તે પણ ખબર પડી જશે, તે પછી આવતીકાલે રવિવારે ઉમેદવારો અને પક્ષો પ્રચાર શરૂ કરશે, અને ચૂંટણી સભાઓ, રેલીઓ અને પ્રેસ મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો અને પક્ષો મતદારો સુધી પોતાનો સંદેશ પહોંચતો કરવાના પ્રયાસો શરૂ કરશે.
આ વખતે પણ ચૂંટણીટાણે જ પક્ષાંતરો તથા ઘરવાપસીની વણજાર ચાલી અને કેટલાક નેતાઓ તો પક્ષાંતર કર્યા પછી થોડા કલાકો કે દિવસોમાં જ પોતાના પક્ષમાં પરત ફર્યા, તેના કારણે આ ચૂંટણીમાં હકીકતે કોણ પોતાના છે અને કોણ પારકા છે તે સમજવામાં પણ પક્ષો અને ઉમેદવારોને વાર લાગે તેમ છે, અને હવે સમયગાળો પણ ટૂંકો છે, તેથી અજંપો અને ઉચાટ પણ રાજકીય વર્તુળોમાં વધી રહ્યા છે.
કોઈપણ ચૂંટણીઓ સમયે તહેવારો આવતા હોય, કોઈ પણ પ્રકારના પ્રસંગો હોય કે કોઈપણ પ્રકારની ઉજવણીઓ થતી હોય, તો તેને ચૂંટણીઓ સાથે પ્રત્યક્ષ કે પછી પરોક્ષ રીતે જોડી જ દેવામાં આવતા હોય છે, પછીભલે ચૂંટણીઓ કે તેના પ્રચાર સાથે તેને કોઈ વાસ્તવિક સંબંધ કે લેવાદેવા જ ન હોય...!?
જો કે, યુદ્ધ, ચૂંટણી, ઋતુચક્ર અને રોજ-બ-રોજના ઘટનાક્રમોની જનમાનસ પર અસરો તો થતી જ હોય છે, કારણ કે આ ઘટનાક્રમોની જનજીવનને પણ અસર થતી હોય છે. આ કારણે જ પ્રવર્તમાન વૈશ્વિક ઘટનાક્રમોની અસર પણ જનસમુદાય પર વર્તાઈ રહી છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સામે એક અવરોધ ઊભો થવાની સંભાવના હતી, તે હવે ખતમ થઈ ગઈ છે, કારણ કે સુપ્રિમકોર્ટે ગઈકાલે ૨૭ટકા ઓબીસી અનામતની નીતિ સામે વાંધો લઈને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે આપવાની અરજી ફગાવી દીધી છે. પાટીદાર આંદોલન સમયે અગ્રીમ હરોળમાં ભૂમિકા ભજવનાર યુવાનોએ આ માટે સુપ્રિમકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જો કે, આ મુદ્દે અરજદારોને હાઈકોર્ટમાં જવા સૂચવ્યુ હોવાથી હવે દડો અરજદારના મેદાનમાં છે. આ મુદ્દે હાઈકોર્ટ જે નિર્ણય આપે તેની આવખતેની ચૂંટણી પર કેટલી અસર થઈ શકે છે, તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપે જામ્યુકોમાં મોટા માથાઓની ટિકિટો કાપી છે, અને ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જામનગર મહાનગરપાલિકામાં ૬૪માંથી ૫૦ નવા ચહેરા ભાજપે મેદાનમાં ઉતાર્યા છે, અને ૧૪ રિપિટ કર્યા છે. આ વખતે ખરાખરીનો ખેલ છે અને રસાકસીભર્યો જંગ જામવાનો છે. આજે ઉમેદવારીપત્રો ભરાઈ ગયા પછી બદલાયેલા સમીકરણો અને પલટાઈ રહેલા માહોલની સાચી ખબર પડશે, તથા આગામી એકાદ-બે દિવસમાં ચૂંટણી પ્રચાર પણ વેગ પકડી લેશે. ઉમેદવારીપત્રોની ચકાસણી તથા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ વીતી જાય, તે પછી મતદારો સામે પણ પસંદગીના વિકલ્પો નજર સામે હશે. મતદારો પણ આ વખતે ખૂબ જ સમજી વિચારીને તથા નગર તથા નગરજનોના હિતમાં જ જનાદેશ આપશે, તેવી આશા સેવાઈ રહી છે. જામનગર મહાનગરપાલિકામાં ગુજસીટોકના ૩ આરોપીઓએ ફોર્મ ભર્યા, તે ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે.
હાલારની બંને જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતો અને કેટલીક નગરપાલિકાઓ માટે પણ આજથી જ પ્રચારના ભૂંગળા વાગવા લાગશે. આ વખતે આમઆદમી પાર્ટી પણ પૂરી તાકાતથી મેદાનમાં હોવાથી ત્રિપાંખીયો જંગ ખેલાશે, તો પોતાની તાકાત પર ચૂંટણી જીતી શકે, તેવા તાકતવર અપક્ષો કે અન્ય ક્ષેત્રિય પાર્ટીઓના ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે, ત્યાં બહુપાંખિયો જંગ ખેલાશે.
મોટા ભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનું શાસન છે, તેથી કેટલા કામો અને જનસેવાનો ફાયદો પણ થઈ શકે છે અને એન્ટી ઈન્કમ્બન્સી તિવ્ર હશે ત્યાં ચોંકાવનારા પરિણામો પણ આવી શકે છે. નેતાઓની લોકપ્રિયતા તથા શાસનની સફળતાના દાવાઓ પણ મતદારોની કસોટીની એરણે ચડવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ત્રણ રાજ્યો જેવું ધીંગુ મતદાન ગુજરાતમાં થશે ખરૃં ? પાર્ટી ઉપરાંત ઉમેદવાર પણ મતદારોની કસોટીની એરણે...
ગઈકાલે ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં ધીંગુ મતદાન થયું, તે લોકતંત્રની જીત છે અને મતદારોમાં આવી રહેલી જાગૃતિની ફલશ્રુતિ છે, તેની સાથે સાથે આ ધીંગુ મતદાન ખરેખર પરિવર્તનની હવા દર્શાવે છે કે પૂનરાવર્તનનો જનાદેશ છે, તે તો પરિણામો આવે, ત્યારે જ ખબર પડશે, કારણ કે આ બાબતે ચોક્કસ અનુમાનો કરવા અઘરા જણાય છે.
આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ટીમે એડીચોટીનું જોર લગાવીને સત્તા જાળવી રાખવાના પૂરેપૂરા પ્રયાસો કર્યા છે, તો કોંગ્રેસના ગૌરવ ગોગોઈની ટીમે પણ પરિવર્તન માટે પૂરતા પ્રયાસો કર્યા છે. જો કે, અંતિમ ફેંસલો તો મતદારોએ જ કર્યો છે, જે મત ગણતરી પછી ખબર પડી જશે.
પુડ્ડુચેરીમાં હિંસક ઘટનાઓ છતાં મતદાન સંપન્ન થઈ ગયું છે, અને બંને મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. હવે જનાદેશ કોના તરફ ગયો છે, તે જાણવા માટે પરિણામોની રાહ જોવી પડશે.
કેરળમાં તદ્દન અલગ પ્રકારની રાજકીય શતરંજ ખેલાઈ રહી છે. અત્યારે ત્યાં ડાબેરી પક્ષોનું ગઠબંધન એલીડીએફ સત્તામાં છે, અને પિનરાઈ વિનયન મુખ્યમંત્રી છે, તો કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ગઠબંધન યુડીએફ ઉપરાંત આ વખતે ભાજપના નેતૃત્વમાં એનડીએ પણ પોતાની નોંધપાત્ર હાજરી નોંધાવવા માટે ઓડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
આ ત્રણેય રાજ્યો પૈકી આસામ અને કેરળમાં પૂર્ણ કક્ષાની રાજ્ય સરકારો છે જ્યારે પુડ્ડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ ત્રણેય રાજયોમાં જે ધીંગુ મતદાન થયું છે, તેને આવકારવાની સાથે સાથે આ વખતે ચોંકાવનારા પરિણામો આવશે, તેવા અનુમાનો પણ થવા લાગ્યા છે.
ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે એકાદ હજાર જેટલા રાજ્યમાં ફોર્મ ભરાયા પછી આજે તમામ સ્થળે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયામાં તેજી આવી છે. જે મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી થવાની છે, ત્યાં આજથી ચહલ પહલ થોડી વધી ગઈ છે અને ભાજપના ઉમેદવારોની યાદીમાં વિલંબ થતા તથા અન્ય પક્ષોના કેટલાક અપવાદો સિવાય પૂરેપૂરા ઉમેદવારી પત્રો ભરાયા નહીં હોવાથી ગઈકાલ સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું નહોતું. પરંતુ આજે અને આવતીકાલે ઉમેદવારીપત્રો ભરાઈ ગયા પછી ચિત્ર સ્પષ્ટ થઈ જશે, તેમ જણાય છે.
આ વખતે મતદારોનો મિજાજ કઈ તરફ રહેશે અને કયા ક્યા મુદ્દાઓને ધ્યાને લઈને મતદાન થશે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. ઘણાં લોકો આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ હોવાનું કહે છે, તો વિપક્ષો માટે પણ વિજય સરળ નથી, તેવા તારણ નીકળી રહ્યા. આ બધા વચ્ચે આમઆદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને બંને ફાઈટ આપી શકશે અને પોતાનો વ્યાપ વધારશે કે પછી કોઈ એક રાષ્ટ્રીયપક્ષના મતો કાપશે, તે અંગેના ગણિત પણ મંડાઈ રહ્યા છે.
ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૧મી એપ્રિલ છે, અને રાજ્ય સરકારની કચેરીઓમાં બીજા શનિવારની રજા હોય છે, તેથી શહેર-તાલુકા-જિલ્લા કક્ષાના ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારીપત્રો ભરી શકાય, તે માટે આ સંબંધિત કચેરીઓ રજાના દિવસે પણ ખુલ્લી રહેશે, તેવું જાહેર થયા પછી એ ગુંચવણ અથવા મુંઝવણ દૂર થઈ ગઈ છે, અને આવતીકાલે સાંજ સુધીમાં તમામ ઉમેદવારીપત્રો ભરાયા પછી ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે.
ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓમાં અત્યારે ભાજપનું શાસન છે, પરંતુ તેને જાળવી રાખવામાં કેટલી સફળતા મળશે, તે થનારા મતદાન તથા મતદારોના મિજાજ પર આધારિત છે. કેટલાક શહેરોમાંથી કેટલીક ફરિયાદો ઉઠવા લાગી તો કેટલાક વિસ્તારોએ મતદાનના બહિષ્કારની હિલચાલ આદરી હોવાથી રાજકીય પક્ષો માટે તે ચિંતાજનક પણ ગણાય જ ને ?
રાજ્યની ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ આ વખતે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ જણાય છે. આ વખતે રાજકીય પક્ષ, વિચારધારા અને રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપરાંત મતદારો ઉમેદવારની પોતાની છાપ, સક્રિયતા અને પ્રામાણિકતા વગેરે પણ લક્ષ્યમાં રખાશે, તેમ જણાય છે. મતદારો ભલે અત્યારે મન કળવા ન દેતા હોય, પરંતુ જેમ જેમ ચૂંટણી પ્રચારનો માહોલ જામશે, તેમ તેમ મતદારોમાં પણ જાગૃતિ આવશે. આ વખતે પણ મતદાનના દિવસોમાં કેટલાક પારિવારિક-સામાજિક પ્રસંગોનું સંયોજન થશે, તથા ઉનાળાની ગરમી પણ હશે, તેથી બહોળું મતદાન થાય, તે માટે મતદાનના દિવસે સવારથી જ રાજકીય પક્ષો તથા ઉમેદવારો મતદારોને મતદાન મથકો તરફ મોકલવાની તાજવીજ કરશે અને ચૂંટણીપંચ તથ તટસ્થ રીતે વધુમાં વધુ મતદાન થાય, તેવા પ્રયાસો કરશે, તો ત્રણ રાજ્યોની જેમ ગુજરાતની લોકલ ઈલેકશનમાં પણ ધીંગુ મતદાન થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર મહાનગરપાલિકા સહિત હાલારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા પછી પ્રારંભિક દિવસોમાં ભલે ઠંડુ વાતાવરણ જણાતુ હોય અને રાજકીય પક્ષો અવઢવમાં કે વ્યૂહરચનાના ભાગરૂપે વિલંબ કરી રહ્યા હોય, પરંતુ ચૂંટણીતંત્રે તો ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી જ દીધી છે અને ટાઈમટેબલ મુજબની પ્રક્રિયાઓ સંપન્ન કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થઈ જાય, તે માટે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલ થશે, તેવી આશા સેવાઈ રહી છે.
જામનગરમાં તો પોલીસતંત્રે કોમ્બીંગ નાઈટ યોજીને વાહનોનોું ચેકીંગ કર્યું અને ધૂમ સ્ટાઈલથી દ્વિચક્રી વાહનો ચલાવતા અને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બાઈક સવારો તથા નિયમભંગ કરતા ચાલકોને દંડયા હતા. આ કારણે ચૂંટણી સમયે કોઈ ડખ્ખો ન થાય કે મતદારોને ડરાવવા, ધમકાવવા કે લલચાવવાનો પ્રયાસ ન થાય, તે માટે તંત્ર અત્યારથી જ સતર્ક થઈ ગયું હોવાનો આભાસ પણ ઊભો થયો છે.
રાજકીય પક્ષોએ પણ આ ચૂંટણી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોય તેમ જણાય છે, અને ત્રણેય પક્ષો માટે કદાચ ઉમેદવારોની પસંદગી જટિલ બની રહી છે. બીજી તરફ રાજયકક્ષાએથી ભાજપે ઉમેદવારોની પસંદગી માટે એ,બી,સી અને ડીની ફોર્મ્યુલા અપનાવી હોવાના અહેવાલો પછી હવે બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ફોર્મ ભરવાની મુદ્દતના છેલ્લા બે દિવસોમાં મહત્તમ ઉમેદવારો ફોર્મ ભરશે, તેમ જણાય છે. વિલંબથી ઉમેદવારોની યાદી જાહેર કરવા પાછળનું ગણિત કદાચ એવું પણ હોઈ શકે કે, જે ટિકિટ વાંચ્છુએને ટિકિટ ન મળે, તે પૈકીના કોઈને પક્ષ પલટો કરવા કે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવા માટે પૂરતો સમય જ મળે નહીં. જો કે, ઉમેદવારીની પસંદગીમાં વિલંબ એક કોયડો જ બની રહ્યો છે.
આમ પણ સામાન્ય રીતે પ્રારંભિક દિવસોમાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ધીમી જ રહેતી હોય છે, પરંતુ એક વખત ઉમેદવારોની યાદી જાહેર થઈ જાય, પછી જો વિલંબ થાય તો તે હંમેશાં ચર્ચાનો વિષય બનતો હોય છે. જો કે, રાજ્ય કક્ષાએથી લીલીઝંડી મળે, તે પછી જ ઉમેદવારો ફોર્મ ભરવા જતા હોય છે, તેથી અત્યારે જે કાંઈ બની રહ્યું છે, તેમાં અસાધારણ કાંઈ નથી, તેવું માનનારો પણ એક વર્ગ છે. બીજી તરફ કેટલાક ઉમેદવારો જેલમાંથી ઉમેદવારી નોંધાવવાના હોવાથી કેટલીક કાનૂની પ્રક્રિયાઓને લઈને પણ મથામણ થઈ રહી છે.
યુદ્ધ વિરામ અંગે ગુંચવણ ઊભી થયા પછી એક તરફ યુદ્ધની વૈશ્વિક સ્થિતિ અને બીજી તરફ ઋતુચક્રની અનિયમિતતાના ચક્કરમાં મતદારોમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો નહોતો અને ચૂંટણી પ્રચારનો ટેમ્પો પણ જામી રહ્યો નહોતો, પરંતુ હવે એવું લાગે છે કે રાજકીય પક્ષો તરફથી જેમ જેમ યાદી જાહેર થતી જશે, તેમ તેમ ચૂંટણી પ્રચાર પણ વેગીલો બનશે અને માત્ર સોશ્યલ મીડિયા અને સ્થાનિક પ્રારંભિક પ્રચારનો વ્યાપ વધીને પ્રચારસભાઓ, પ્રેસ-મીડિયા ડિબેટીંગ્સ અને ડોર-ટુ-ડોર સંપર્ક સુધી પહોંચશે, તેમ જણાય છે. જો કે, ગઈકાલે જિલ્લા/તાલુકા પંચાયત તથા પાલિકા માટે એકલ દોકલ ફોર્મ ભરાયા હતા, પરંતુ જામનગર મહાનગરપાલિકા માટે ફોર્મ ભરાયું નહોતું.
બીજી તરફ ભાજપે જિલ્લા-તાલુકા પંચાયત સહિતના ઉમેદવારોની સંભવિત યાદી પણ આજે અત્રે પ્રસિદ્ધ થઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનોની ચૂંટણીઓ જાહેર થયા પછી રાબેતા મુજબ પક્ષપલટાઓનો સીલસીલો શરૂ થયો અને પોતાના પક્ષથી સંતોષ ન હોય તેવા નેતાઓ અન્ય પક્ષમાં સામેલ થવા લાગ્યા. હજુ ઉમેદવારોના નામ પૂરેપૂરા જાહેર થયા નથી અને રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણપણે સંપન્ન કરી નથી, ત્યાં પક્ષાંતરની શરૂઆત થઈ છે, તેથી ઉમેદવારોના નામો જાહેર થયા પછી જે ટિકિટ વાંચ્છુઓને ટિકિટ નહીં મળી હોય, તે પૈકીના કેટલાક કદાચ અપક્ષ ઉમેદવારી કરીને પોતાના અને સામેના પક્ષોના ઉમેદવારોનું ગણિત બગાડી શકે છે અન્ય કેટલાક અસંતુષ્ટ ઈચ્છાધારી નેતાઓ અન્ય પક્ષમાંથી ટિકિટ મેળવીને સામે પડી શકે છે કે પછી પક્ષાંતર કરીને પક્ષીય વફાદારી બદલી શકે છે. આ વખતે એવું થવાના ચાન્સીસ વધુ છે કારણ કે આ વખતે કેટલીક બેઠકો માટે ચોક્કસ રાજકીય પક્ષોને ઉમેદવારો પણ મળતા નહીં હોવાના અહેવાલો પછી તદ્વિષયક ચિંતા પણ સંબંધિત ક્ષેત્રો અને પક્ષોમાં ઊભી થઈ જ હશે.
ગઈ ચૂંટણીમાં જામનગરના છઠ્ઠા વોર્ડમાં ચાર કોર્પોરેટરોમાંથી મહત્તમ બીએસપી (બહુજન સમાજ પાર્ટી)ના હતા, પરંતુ તેમાંથી એક કોર્પોરેટરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા પછી ત્યાં સમીકરણો બદલાયા છે, તો ગત ચૂંટણીમાં હતો, તેવો ટેમ્પો પણ જોવા મળી રહ્યો નથી અને મતદારોની નિરસતા પણ મહાનગરના રાજનેતાઓને અકળાવી રહી છે. હવે ઉમેદવારીપત્રો ભરાયા પછી પણ મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય, તે માટેની કવાયત પહેલેથી જ કરવી પડે તેમ છે..
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે મતદારોની નિરસતતા અને સત્તાકીય પક્ષોના અવઢવ પછી અણધાર્યા અને ચોંકાવનારા પરિણામોની અટકળો થવા લાગી છે. અને ઓછું કે વધુ મતદાન કોને ફાયદો અને કોને નુકસાન કરી શકે તેમ છે, તેના ગણિત મંડાઈ રહ્યા છે, તો હાલારની કેટલીક નગરપાલિકાઓ તથા પંચાયતોને લઈને પણ અટકળો શરૂ થઈ રહી છે. બંને જિલ્લા પંચાયતોમાં આ વખતે પૂનરાવર્તન થશે કે પરિવર્તન થશે, તે અંગે પણ અનુમાનો થઈ રહ્યા છે. જો કે, ઉમેદવારોની પસંદગી, રાજકીય પક્ષોના પ્રતિસ્પર્ધીઓ તથા અપક્ષ ઉમેદવારોના ફોર્ભ ભરાયા પછીની સ્થિતિ, પ્રચાર-પ્રસાર તથા છેલ્લી ઘડીની ગોઠવણો પર બધો મદાર રહેવાનોે છે.
સ્વાભાવિક રીતે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો સીધા મતદારો સમક્ષ પોતાની વાત રજૂ કરી શકતા હોય છે અને મતદાનના દિવસે પણ "પર્સનલ ટચ" તથા પારિવારિક સંબંધોના કારણે વિધાનસભા-લોકસભાની ચૂંટણીથી મોટા ભાગે વધુ મતદાન થતું હોય છે. જોઈએ, આ વખતે મતદાનની ટકાવારી કેટલી રહે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના કેલેન્ડર મુજબ મંગળવારની રાત સુધીમાં ઈરાન જંગ નહીં છોડે, તો મસળી નાખવાની ધમકી આપનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ મુદ્દત પૂરી થાય તે પહેલા જ બે અઠવાડિયાના યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી અને ઈરાને પણ તેની પુષ્ટિ કરી, તે પછી દુનિયાભરના લોકોેએ રાહતનો શ્વાસ લીધો હશે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી લગભગ આખી દુનિયાના દેશોને પરેશાની થઈ રહી હતી અને ઈંધણ સિવાયની ચીજવસ્તુઓનું વૈશ્વિક પરિવહન પણ અટવાઈ પડયું હતું.
આજે વહેલી સવારે જ્યારે આ જાહેરાત થઈ, ત્યારે પ્રાંરભિક અહેવાલો થોડા વિરોધાભાસી જણાયા હતા. પરંતુ સવાર થતાં થતાં બંને દેશો તરફથી ૧૪ દિવસના યુદ્ધ વિરામના અહેવાલોને પુષ્ટિ મળી ગઈ, અને એવા પ્રત્યાઘાતો પડવા લાગ્યા કે, જે થયું, તે ઠીક થયું, દેર આયે દુરસ્ત આયે...
સ્વાભાવિક રીતે જ બંને દેશોએ પોતાની ટંગડી ઊંચી રાખી હોય તેવા નિવેદનો પણ આવ્યા. ઈરાને દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનની તમામ ૧૦ શરતો માન્ય રાખી છે, અને શાંતિવાર્તા માટે તૈયારી બતાવી છે, તો બીજી તરફ અમેરિકાએ દાવો કર્યો કે અમેરિકાના સૈન્ય હેતુઓ અને લક્ષ્યો સિદ્ધ થઈ ગયા છે, અને નાટોના સહયોગ વિના જ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લુ કરાવવામાં અમેરિકાને સફળતા મળી છે, વગેરે...
હકીકતે વર્ષ ૧૯૯૪માં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) ની સ્થાપના થઈ હતી, જેમાં અત્યારે ૩૨ દેશો સભ્યપદે છે. આ એક સહિયારૃં સૈન્ય સંગઠન છે, છેલ્લે વર્ષ ૨૦૨૪મા સ્વીડન આ સૈન્ય સંગઠનમાં જોડાયુ હતું. આ સંગઠનમાં અમેરિકા, યુ.કે., કેનેડા, ક્રોએશિયા, જર્મની, ગ્રીસ, નેધરલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, તુર્કી, ફ્રાન્સ, ઈટાલી સહિતના ૩૨ દેશો વચ્ચે એવી સમજૂતિ છે કે જરૂર પડયે તેઓ પરસ્પર સૈન્ય સહાય કરશે. આ માટે કેટલીક ચોક્કસ શરતો રખાઈ હતી.
બન્યું એવું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને ઈરાને જ્યારે વૈશ્વિક ઈંધણ-ઊર્જાનો પુરવઠો અટકાવ્યો, ત્યારે અમેરિકા પર દબાણ વધ્યુ અને ટ્રમ્પે નાટો દેશોને હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા માટે અપીલ કરી, પરંતુ નાટો સંગઠન કે સભ્ય દેશો તેને અનુસર્યા નહીં.
આ કારણે ટ્રમ્પ ગિન્નાયા અને ઈરાનને મસળી નાખવાની ધમકીઓ આપીને તથા ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હૂમલાઓ કરીને યુદ્ધ વકરાવ્યુ, પણ પછી તે યુદ્ધ જ ટ્રમ્પના ગળાની ફાંસ બની ગયું. ટ્રમ્પને યુદ્ધમાંથી સન્માનભેર બહાર નીકળવું હતું. પરંતુ મજબૂત કે ગળે ઉતરે તેવું કારણ મળતુ ન હતું, તો બીજી તરફ વૈશ્વિક દબાણ વધી રહ્યું હતું એન વૈશ્વિક ઊર્જા પુરવઠો ખોરવાઈ રહ્યો હતો. બીજી તરફ ઈરાનની પણ ફ્રન્ટલાઈનની નેતાગીરી ખતમ થઈ રહી હતી, ઈરાનના સુપ્રિમ લીડર આયાતોલ્લા અલી ખોમેઈનીના મોત તથા સેનાના લીડર્સ અને પોલિટિકલ લીડર્સ માર્યા ગયા હતા. સૈન્ય ખુવાર થઈ રહ્યું હતું અને ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન તથા શસ્ત્ર સરંજામ ખુટી રહ્યો હતો. જો કે, જુસ્સો ક્યારેય ખુટ્યો નહીં, અને છેલ્લે ટ્રમ્પને ફરીથી યૂ-ટર્ન લેવો પડયો, જે ઘમંડી વૈશ્વિક અન્ય નેતાઓ માટે પણ બોધપાઠરૂપ છે.
હવે ટ્રમ્પ પણ ઈરાનની ૧૦ શરતો પર વાતચીત થશે, તેવું જણાવી રહ્યા હોય અને ઈરાન પણ ૧૦ શરતો અમેરિકાએ સ્વીકારી હોવાનો દાવો કરી રહ્યું હોય, તો એવું લાગે છે કે જો આ બે અઠવાડિયાના યુદ્ધ વિરામ દરમ્યાન આ ૧૦ મુદ્દાઓ પર કોઈ મડાગાંઠ ઊભી થાય તો કાંઈ પણ થઈ શકે છે. જો કે, એકાદ બે મુદ્દા પર પરસ્પર સહમતિ નહીં થાય, તો પણ યુદ્ધ વિરામ લંબાઈ શકે છે. આખી દુનિયા એવું ઈચ્છે છે કે ફરીથી આ યુદ્ધ શરૂ ન થાય અને ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ કે અન્ય કોઈપણ દરિયાઈ માર્ગ બંધ કે નિયંત્રિત ન થાય. ઈરાનના સુપ્રિમ લીડર મોજતબા ખોમેઈનીએ પણ આ યુદ્ધ વિરામને અનુસરીને હૂમલાઓ અટકાવી દેવાના આદેશો આપ્યા છે, જો કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વહાણોએ ઈરાન અને ઓમાનને ટોલ આપવો પડશે, તેવા અહેવાલોએ ગુંચવણ પણ ઊભી કરી છે. તો અમેરિકામાં ટ્રમ્પ સામે ઘર આંગણે પણ કડકારો ઊભા થઈ શકે છે.
ઈરાન-અમેરિકા યુદ્ધ હકીકતે ઈઝરાયલના કારણે શરૂ થયું હતું, તેથી ટ્રમ્પનું યુદ્ધ વિરામ ઈઝરાયલને પણ લાગુ પડશે, તેવું મનાય છે, અને ટ્રમ્પે યુદ્ધ વિરામની જાહેરાત કરતા પહેલા બે વખત નેતન્યાહુ સાથે વાત કરી હતી, તેવા પણ અહેવાલો છે, બીજી તરફ લેબેનોનમાં પણ શાંતિ સ્થપાશે, કારણ કે હીઝબુલ્લાએ પણ ૧૨ દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. હવે ફરીથી ભીષણ યુદ્ધની સંભાવનાઓ ઘણી જ ઓછી હોવા છતાં બંને તરફથી પરસ્પર અવિશ્વાસનો માહોલ છે, તે જોતા થોડા દિવસ થોભો અને રાહ જુઓ,ની નીતિ અપનાવીને વિશ્વસમુદાય કાયમી યુદ્ધ વિરામ માટેના જ પ્રયત્નો કરશે.
ટ્રમ્પે ઈરાન પર ગઈ રાત્રે હૂમલા અટકાવવા પાકિસ્તાને અનુરોધ કર્યો હોવાનો દાવો કર્યો અને પછી યુદ્ધ વિરામ માટે ચીનની અપીલને લક્ષ્યમાં લાવી હોવાની વાત કરી તેથી હકીકતે ટ્રમ્પે ઈરાનને મસળી નાખવાના બદલે ઈરાનની તમામ ૧૦ શરતો પર વાતચીતની સહમતિ દર્શાવી, તેમાં ટ્રમ્પની પીછેહઠ ન દેખાય, તે માટે મધ્યસ્થી માટે શાહબાઝ-મુનીરનો ઉલ્લેખ કરી રહ્યા હોય તથા પછીથી ચીનને યશ આપવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવો આભાસ પણ ઊભો થાય છે., આમ પણ અમેરિકા ઈરાન પર હમાસ, હીઝબુલ્લા અને હુતી આતંકી સંગઠનોને સમર્થન આપવાના આરોપો કરતુ રહ્યું છે, તો ભારત પાકિસ્તાન પર જૈસ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુઝાહુદ્દિન, ટીઆરએફ વગેરે આતંકી સંગઠનોને સમર્થન આપીને ભારતમાં સીમાપાર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવે છે, તેથી એક પ્રકારના બે દેશ એક બીજાને સમજી શકતા હોય તે પણ સ્વાભાવિક જ છે, જો કે, આ યુદ્ધ વિરામમાં થોડી ઘણી પણ ભૂમિકા હોય, તો એમ કહી શકાય કે આ આતંકવાદ પ્રેરક દેશે કાંઈક તો સારૃં કામ કર્યું !
આ યુદ્ધ વિરામની સીધી અસર ભારતને પણ થશે. ભારતમાં પણ ઈંધણની સ્થિતિ વિકટ બની રહી હતી અને ખાસ કરીને રાંધણગેસની સ્થિતિ વધુને વધુ બગડી રહી હતી. તથા શોર્ટેજના કારણે મોદી સરકાર સામે કોંગી નેતા રાહુલ ગાંધીએ તડાપીટ પણ બોલાવી હતી. જો યુદ્ધ ચાલુ રહ્યું હોત તો આ સ્થિતિ વધુ વણસી હોત અને તેની અસરો દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીઓના પ્રચાર પણ થઈ હોત, કારણ કે આ મુદ્દો ત્રિપલ એન્જિન કે ડબલ એન્જિનની સરકારો હોવાના દાવાઓ કરતા એનડીએ માટે પણ પડકારરૂપ હતો. હવે બે અઠવાડિયાના યુદ્ધ વિરામના કારણે ચૂંટણી પ્રચારના મુદ્દાઓ પણ બદલાઈ જશે. અત્યારે વિશ્વમાં એક જ સમાન પ્રકારની ચર્ચા થઈ રહી છે કે બોલીને વારંવાર ફરી જતા ટ્રમ્પ હવે આ અલ્પ વિરામ દરમ્યાન યુદ્ધ વિરામને અનુસરસે કે પછી આ પણ કોઈ નવી વ્યૂહ રચના હશે ? જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે વિવિધ સંદર્ભોમાં કોવિડ-૧૯ની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, અને કોવિડ-૧૯ના પ્રથમ લોકડાઉનથી લઈને સતત લગભગ બે-ત્રણ વર્ષ સુધી તેની અસરોની કડવી યાદો પણ તાજી થવા લાગી છે. જો કે, પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કેન્દ્ર સરકાર કોવિડ-૧૯ની સ્થિતિને જે રીતે સરકાર અને દેશવાસીઓએ હેન્ડલ કરી હતી, તેવી જ હેન્ડલ કરવાનો દાવો કેન્દ્ર સરકાર તરફથી થતા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગી સાંસદ રાહુલ ગાંધીએ શાબ્દિક પ્રહારો કર્યા છે, તો કોવિડ-૧૯ના લોકડાઉન સમયે થયેલા એક કોન્સ્ટેડિયલ કેસમાં હાઈકોર્ટની સુઓમોટો સુનાવણી પછી મદુરાઈની સેસન્સ કોર્ટે નવ પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી હોવાના અહેવાલોના સંદર્ભે પણ લોકડાઉન દરમ્યાન બનેલી ઘાતકી દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનિય ઘટનાની કમકમાટી ઉપજાવતી યાદો તાજી કરાવી દીધી છે. આ ઘટનામાં લોકડાઉન દરમ્યાન દુકાન ખુલી રાખવા જેવા સામાન્ય ગૂન્હામાં પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારતા વેપારી પિતા-પુત્રના મૃત્યુ નિપજયા હતા, જેમાં અદાલતે આ ઘટનાને ક્રૂરતાની પરાકાષ્ટા ગણાવીને ફાંસીની સજા સંભળાવ્યા પછી આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બની ગયો છે.
કોવિડ-૧૯નો પ્રકોપ શરૂ થયા પછી અને ભારતમાં કેસો વધવા લાગ્યા પછી વર્ષ ૨૦૨૦માં ૨૨મી માર્ચે સ્વૈચ્છિક જનતા કર્ફ્યુનો પ્રયોગ થયો હતો, અને ૨૪મી માર્ચથી ૧૪ દિવસ માટેે સાર્વજનિક લોકડાઉન લાગુ થયુ હતું, તે પછી બીજા તબક્કામાં ત્રીજી મે અને ચોથા તબક્કામાં ૧૮મી મે સુધી લોકડાઉન લંબાવાયુ હતું તે પછી ધીમે ધીમે પ્રતિબંધો હળવા કરાયા હતા, તથા પહેલી ડિસેમ્બર-૨૦૨૦થી તબક્કાવાર અનલોક શરૂ થયુ, અને ક્રમશઃ પ્રતિબંધો વધુ હળવા થતા ગયા, જે પ્રક્રિયા ૩૧મી માર્ચ-૨૦૨૨ સુધી ચાલી હતી. કોરોનામાં લોકોની જિંદગી બદલી ગઈ, ઘણાં જીવ ગયા, એ ગમખ્વાર ઘટનાક્રમ તથા પડકારરૂપ સમયગાળાને અત્યારે જુદા જુદા સંદર્ભોમાં જ્યારે જ્યારે યાદ કરવામાં આવે છે, ત્યારે ત્યારે એ કપરા દિવસોની યાદો ફિલ્મની સ્ક્રીપ્ટની જેમ નજરો સમક્ષ તરવા લાગે છે.
એ લોકડાઉન દરમ્યાન દેશભરમાં માનવતા પણ મહેંકી ઉઠી હતી અને કેટલાક દુર્ભાગ્યપૂર્ણ તથા નિંદનીય બનાવો પણ બન્યા હતા, જેમાં તમિલનાડૂના સાથનકૂલમ કસ્ટોડિયલ ડેથની કમકમાટીભરી ઘટનાનો પણ સમાવેશ થાય છે. તબક્કાવાર લોકડાઉન લંબાવાઈ રહ્યું હતું, તે સમયે ૧૯ જૂન ૨૦૨૦ના દિવસે નિર્ધારિત સમય કરતા વધુ સમય દુકાન ખુલી રાખ્યાના આરોપમાં જયરાજ અને બેનિક્સ નામના વેપારી પિતા-પુત્રની અટકાયત કરાઈ હતી અને રાત્રે પોલીસ સ્ટેશનમાં બેરહમીથી મારપીટ થઈ હતી. એવું કહેવાય છે કે વર્ષ ૨૦૨૦ની ૨૨મી જૂને પુત્ર બેનિકસ અને ૨૩ જૂને પિતા જયરાજનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ ઘટનાની હાઈકોર્ટે સુઓમોટો સુનાવણી કરીને સીબીઆઈને તપાસ સોંપ્યા પછી પોલીસકર્મીઓ સહયોગ નહીં આપતા હાઈકોર્ટે સંબંધિત પોલીસ સ્ટેશન મહેસુલ વિભાગના નિયંત્રણમાં મૂક્યુ, તે પણ આઝાદ ભારતની કદાચ અભૂતપૂર્વ ઘટના હતી.
હાઈકોર્ટે જો આ કેસની સતત દેખરેખ રાખી ન હોત તો આ અત્યાચારી ઘટના દબાઈ ગઈ હોત એન દિવંગત પિડિત પિતા-પુત્રને ન્યાય મળ્યો ન હોત. આ કેસમાં ઈન્સ્પેકટરથી માંડીને કોન્સ્ટેબલ સુધીના ૧૦ આરોપીઓ હતા, તેમાંથી એક આરોપીને કોરોના જ ભરખી ગયો હતો, જ્યારે બાકીના નવને સજા મળી છે.
તમિલનાડૂની આ ઘટના લોકડાઉનના સમયગાળાની અમાનવિય અને કાળજુ કંપાવનારી હતી, તેથી તેને પ્રથમ લોકડાઉનના માર્ચથી મેના પ્રથમ તબક્કાને યાદ કરાઈ રહ્યો છે, અને પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કોવિડ-૧૯ના સમયગાળા સાથે સરખાવીને તે સમયે જે રણનીતિ અપનાવીને તબક્કાવાર રાહતના કદમ ઉઠાવાયા હતા, તેવી જ રીતે હેન્ડલ કરવાની વાતો થઈ રહી છે, તો કોવિડના સમયગાળાનો જ ઉલ્લેખ કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ પ્રવર્તમાન સમયગાળાની કપરી સ્થિતિમાં સરકાર પર પ્રહારો કર્યા છે.
દેશમાં એલપીજીની તંગીનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે "પીએમ મોદી" એ હાલના ગેસ સંકટને કોવિડની જેમ હેન્ડલ કરવાનું કહ્યું હતું અને ખરેખર અત્યારે સ્થિતિ કોવિડ જેવી જ છે. મોટી જાહેરાતો, શૂન્ય નીતિ અને બધો જ બોજ ગરીબો પર...!
તેમણે ઉમેર્યું કે મર્યાદિત આવક ધરાવતા શ્રમિકો માટે રાંધણગેસ ખરીદવો પોસાય તેમ નહીં હોવાથી તેઓ ફરી એક વખત (કોરોનાકાળની જેમ) ગામડાઓ તરફ પલાયન કરી રહ્યા છે. શ્રમિકોના આધારે જ ચાલતા ટેક્સટાઈલ અને મેન્યુફેકચરિંગ ઉદ્યોગો પ્રવર્તમાન વૈશ્વિક યુદ્ધના સંકટના કારણે ઊભી થયેલી સ્થિતિમાં ભાંગી રહ્યા છેે. અહંકાર જ્યારે નીતિ બની જાય ત્યારે અર્થતંત્ર પડી ભાંગે છે અને દેશ દાયકાઓ પાછળ ધકેલાઈ જાય છે વગેરે...
રાહુલ ગાંધીએ ભલે આ પ્રકારનું નિવેદન રાજકીય ઉદ્દેશ્યથી કે વ્યંગમાં આપ્યું હોય, પરંતુ જે રીતે સરકાર કેરોસીનની છુટ આપી રહી છે અને પાંચ કિલોના સિલિન્ડરનું વેચાણ તથા રેસ્ટોરન્ટોને લાકડાના ચૂલાની છૂટ તથા પરોક્ષ રીતે કેરોસીન અને રાંધણગેસના રેશનીંગ જેવા કદમ ઉઠાવી રહી છે, તે જોતાં કાં તો યુદ્ધ લાંબુ ચાલે, તો તેવી સ્થિતિમાં પરિસ્થિતિનો સામનો કરવામાં સહયોગી બનવા માટે લોકોને માનસિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે, અથવા તો અત્યારે "સબ સલામત"ની રેકર્ડ વગાડાઈ રહી છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક જૂદી જ છે...! જે હોય તે ખરૃં, ઈરાન સંકટ ઝડપથી ઉકલી જાય, તેવી આશા વચ્ચે ટ્રમ્પના અલ્ટિમેટમ પછી આ જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ, રશિયા-યુક્રેન યુદ્ધ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલી, ખાડીના દેશો પર ઈરાનના હૂમલાઓ પછી વણસતી સ્થિતિ વચ્ચે હવે ભારત અને પાકિસ્તાનના મંત્રીઓ વચ્ચે શરૂ થયેલું વાક્યુદ્ધ જોતા જો આ પ્રવર્તમાન સંઘર્ષોનો વ્યાપ વધી જશે, તો ભયંકર યુદ્ધોના કારણે માનવજીવન પર તો ખતરો મંડરાયેલો જ છે, પરંતુ વિશ્વના પર્યાવરણને થનારૂ મોટું નુકસાન ભાવિ પેઢી માટે પણ ખતરનાક બની શકે છે.
આ પ્રકારના પૂર્વ કક્ષાના યુદ્ધોમાં કોઈની પણ જીત થાય કે કોઈ પણ દેશ હારે, પરંતુ તેની માઠી અસરો સમગ્ર જીવસૃષ્ટિ, પર્યાવરણ અને જમીન-હવા-પાણી સહિતની નૈસર્ગિક બક્ષિસને થતી જ હોય છે, અને તેના દુષ્પરિણામો ભોગવવા પડતા હોય છે.
ટ્રમ્પે ગઈકાલે જ ધમકી આપી અને નરકમાં ધકેલવાનો વાણીવિલાસ કર્યો તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને જો પરમાણુ મથકો કે તેને સાંકળતા ઈન્ફ્રાસ્ટ્રકચર્સ પર હૂમલો થાય કે પછી મિજાજ ગુમાવીને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની મૂર્ખામી કોઈપણ દેશ કરી બેસે, તો શાસ્ત્રો-ગ્રન્થોમાં વર્ણવાયેલા પ્રલય અથવા કયામત થકી પૃથ્વી પરની સમગ્ર સૃષ્ટિ જ જોખમમાં આવી જાય અને અંતરિક્ષ સુધી માત્રને માત્ર બરબાદી અને વિનાશક સંહાર જ ફેલાવા લાગે, તેવી બિહામણી સંભાવનાઓ પણ ધ્રુજાવનારી છે. જો કોઈપણ દેશના સુકાની મિજાજ ગૂમાવે અને કોઈ સર્વ-વિનાશક કદમ ઉઠાવી બેસે, તો તે કોઈના એ હિતમાં નહીં હોય, તેવી ચેતવણીઓ પણ વ્યક્ત થવા લાગી છે, ત્યારે ખુદ આતંકવાદના જ્વાળામુખી પર બેસેલા પાકિસ્તાન જેવા દેશના બદલે સંયુકત રાષ્ટ્રસંઘ કે પછી ભારત સહિતના તટસ્થ અથવા બંને તરફ સારા સંબંધો ધરાવતા દેશોનું ગ્રુપ સક્રિય હસ્તક્ષેપ કરે, તેવી માંગ પણ હવે વિશ્વના જુદા જુદા ખૂણેથી ઉઠવા લાગી છે.
ટ્રમ્પની ગોળ ગોળ વાતો, વારંવાર યૂ-ટર્ન, ગમે તેવા શબ્દપ્રયોગો તથા વિરોધાભાસી નિવેદનોના કારણે વિશ્વમાં ભ્રમ ઊભો થાય છે. ગઈકાલે ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે સોમવાર સુધીમાં ઈરાન સાથે "ડીલ" થઈ જશે, અને આ માટે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે એવી શેખી પણ મારી કે જો ઈરાન સાથે ડીલ નહીં થાય, તો ઈરાની ઓઈલક્ષેત્રો પર તેનો (અમેરિકા કે ટ્રમ્પનો?) કબજો હશે, ટ્રમ્પે ફરીથી ભારતીય સમય મુજબ બુધવારની સવાર સુધીનું ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું ત્યારે પણ મંગળવાર સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખવાની કડક ચેતવણી આપી હતી. ઈરાને તો ટ્રમ્પના આ તમામ દાવાઓ તથા ચેતવણીઓને ફગાવીને કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનો અમેરિકા (ટ્રમ્પ)ની હતાશા અને ગભરાટ પૂરવાર કરે છે. ટ્રમ્પ જીતવાના દાવા કરતા કરતા પીછેહઠ કરી રહેલા જણાય છે. જો કે, ટ્રમ્પે ઈરાનના બ્રિજ અને તેલક્ષેત્રો પર એટેકની પણ ધમકી આપી છે.
બુશહરમાં આવેલા ન્યુક્લિયર પ્લાન્ટ પાસેની એક ઈમારતને યુદ્ધ દરમ્યાન નુકસાન પહોંચ્યુ અને એક કર્મચારીનો જીવ ગયો, તે પછી ઈરાને જે ચેતવણી ઉચ્ચારી છે, તે આખી દુનિયાને હચમચાવી દેનારી છે અને ખાસ કરીને જંગલમાં ફેલાતા દાવાનળની જેમ જો ખાડીના દેશો સુધી પૂર્ણ કક્ષાનું યુદ્ધ ફેલાઈ જાય તો ભયાનક ત્રીજા વિશ્વયુદ્ધ અથવા તો મિડલ-ઈસ્ટના સીમાડા ઓળંગીને આ યુદ્ધ બે-ચાર દેશો નહીં, પરંતુ ઘણાં બધા દેશો વચ્ચે ફેલાય જાય, તો તેના દુષ્પરિણામો આખી દુનિયાને ભોગવવા પડે તેમ છે. અમેરિકામાં ઘર આંગણે ફેલાતો અસંતોષ પણ કદાચ ટ્રમ્પને અકળાવી રહ્યો છે, તેવામાં હવે દુનિયાના દેશોએ શાંતિ માટે સક્રિય હસ્તક્ષેપ કરવો જ જોઈએ, અન્યથા ઘણું મોડુ થઈ જશે.
ઈરાનના ફોરેન મિનિસ્ટર અબ્બાસ અરાધચીએ આ મુદ્દે અમેરિકા અને ઈઝરાયલ પર આક્ષેપોની ઝડી વરસાવી છે. તેમણે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનના ન્યુક્લિયર પ્લાન્ટ પાસે સૈન્ય કાર્યવાહી થઈ હતી, ત્યારે પશ્ચિમના દેશોએ અત્યંત કડક વલણ અપનાવ્યું હતું અને તીખી આલોચના કરી હતી, પરંતુ ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક હૂમલા થઈ રહ્યા છે, ત્યારે એ જ દેશો આ પ્રકારની કોઈપણ ચિંતા કરવાના બદલે મૌન સેવી રહ્યા છે, તે ઠીક નથી.
અરાઘચીએ તો એવો ભય પણ વ્યક્ત કર્યો છે કે મનસ્વી વલણ સાથે બેજવાબદારી પૂર્વક ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક વારંવાર થતા હૂમલાઓના કારણે જો રેડિએશન ફેલાશે તો માત્ર તહેરાન નહીં, પરંતુ ખાડીના દેશોમાં પણ જીવસૃષ્ટિ બરબાદ થઈ જશે, તેમણે એવો દાવો પણ કર્યો છે કે બુશહર ન્યુક્લિયર પ્લાન્ટની આજુબાજુ ચાર-ચાર વખત બોમ્બવર્ષા થઈ, અને ઈરાનના પેટ્રોકેમિકલ સ્થળો પર જે હૂમલાઓ થઈ રહ્યા છે, તેના કારણે રેડિએશનનો રિસાવ થશે તો ઈરાનની આજુબાજુના અમેરિકાના મિત્રદેશો પણ બરબાદ થઈ જશે.
ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સીલના કતાર, કૂવૈત, યુએઈ, બહેરીન, ઓમાન અને સાઉદી અરેબિયા સહિતના દેશોમાં ઈરાનની રેડિએશન રિસાવની સંભાવના અથવા ચેતવણીએ હાહાકાર મચાવી દીધો છે. અને આ દેશોની જનતામાં પણ ગભરાટ ફેલાયો છે.
પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન થાય, પરંતુ પરમાણુ મથકો પર હૂમલા થાય, તો પણ રેડિએશનનો ખતરો તો વધતો જ રહેવાનો છે, અને તેમાં પણ હવે યુદ્ધગ્રસ્ત દેશો સંયમ પણ ગુમાવી રહ્યા છે, ત્યારે સમગ્ર માનવ-જીવન સહિતની જીવસૃષ્ટિ અને પ્રકૃતિ પર જ જોખમ ઊભું થઈ રહ્યું છે. આ સંજોગોમાં વિશ્વના શાંતિપ્રિય દેશો, તટસ્થ દેશો તથા સંયુક્ત રાષ્ટ્રસંઘે જો ટ્રમ્પના દાવા મુજબ ઈરાન સાથે આજે ડીલ થઈ જાય, તો તે પછી પણ સાવધ રહેવું જ પડે તેમ છે, કારણ કે યુદ્ધગ્રસ્ત દેશો અત્યારે શતરંજની રમતની જેમ વ્યૂહાત્મક ચાલ ચાલી રહ્યા હોય તેમ જણાય છે.
ખાસ કરીને જો રેડિએશનનો રિસાવ (લીકેજ) થાય, તો તે મિત્રદેશો કે દુશ્મન દેશો જેવી કોઈ સરહદો નહીં સમજે કે તેને અટકાવવાની ફૂલપ્રૂફ સિસ્ટમ પણ કોઈ પાસે નહીં હોય, તેથી હવે ઈરાન-ઈઝરાયલ અને "શાંતિદૂત" બનવા નીકળેલા અને પોતે જ યુદ્ધના જનક બનેલા ટ્રમ્પે વાસ્તવિકતા સમજવી જ પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા, અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. છેક અફઘાનિસ્તાનમાં આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ હોવા છતાં છેક ઉત્તર ભારત સુધી તથા પડોશી દેશોમાં આ ધરતીકંપે ભય ફેલાવ્યો હતો. જો કે, બહુ મોટું નુકસાન થયું હોવાના સમાચાર ગઈકાલે મોડી રાત સુધી આવ્યા નહોતા.
આ કુદરતી ધરતીકંપની જેમ જ હમણાંથી રાજકીય ક્ષેત્રે પણ રોજ-બ-રોજ ભૂકંપ જેવા જ ઝટકા આવી રહ્યા છે. એક તરફ ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે અને દુનિયામાં ઈઝરાયલ-ઈરાન-અમેરિકા યુદ્ધનો ઉચાટ છે, તેની સાથે દરરોજ એવા ઘટનાક્રમો બની રહ્યા છે, જે રાજભૂમિને કંપાવી રહ્યા છે.
ગઈકાલે દિલ્હીમાં તો રાઘવ ચઢ્ઢાના મુદ્દે આમઆદમી પાર્ટી પર ભાજપ-કોંગ્રેસના નેતાઓ વ્યંગ કરી રહ્યા હતા, તેવા સમયે ચઢ્ઢાનું સોશિયલ મીડિયાના માધ્યમથી આવેલું નિવેદન પણ વાયરલ થયું હતું. રાઘવ ચઢ્ઢા પછી કોંગ્રેસના એકાદ-બે નેતાઓએ કરેલા નિવેદનો પણ ગઈકાલે ચર્ચામાં રહ્યા હતા, અને આ મુદ્દો ગઈકાલે "ટોક ઓફ ધ કેપિટલ" બની ગયો હતો.
આ તરફ જામનગરમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી આયારામ-ગયારામનો સીલસીલો શરૂ થયા પછી રાજકીય પક્ષોને ભૂકંપ જેવા જ ઝટકા લાગી રહ્યા હશે, તો બીજી તરફ હવે ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ઉમેદવારો નક્કી થઈ જાય, તેની રાહ જોવાઈ રહી છે, કારણ કે ઉમદવારો નક્કી ન થાય, ત્યાં સુધી પાર્ટી દ્વારા થતા પ્રચારમાં બહુ "ટેમ્પો" જળવાતો હોય, તેમ જણાતુ નથી.
કુરદતે પણ કરવટ બદલી છે. એક તરફ દુનિયાના જુદા જુદા હિસ્સામાં ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે, તો બીજી તરફ રણપ્રદેશોમાં કરા પડી રહ્યા છે, અને ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે થોડી ઠંડી, બળબળતી બપોરે ગરમી અને બપોર પછી કમોસમી વરસાદ થતા ઋતુચક્ર પણ બદલી ગયું હોય, તેવો અહેસાસ થઈ રહ્યો છે. માવઠાના કારણે પ્રસરેલી ઠંડક છતાં કેટલાક ખેડૂતમિત્રોને નુકસાન થયું હશે, તેને મુંઝવણ થઈ રહી હશે.
રાજકીય ક્ષેત્રે પણ "કમોસમી" માહોલ છવાયો છે. ગુજરાતથી આસામ અને બંગાળ તથા દિલ્હીથી તામિલનાડૂ અને કેરળ સુધી નવા નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે, અને પક્ષપલટાની મોસમ ખીલવાનો પ્રારંભ થઈ ગયો છે. પ.બંગાળમાં તો સરકારી તંત્ર જ ધ્વસ્ત થઈ ગયું હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. રાજકીય પક્ષોના દિગ્ગજો વિવિધ રાજ્યોના ચૂંટણી પ્રવાસે નીકળી રહ્યા હોવાથી રાજધાની દિલ્હીમાં રાજકીય ડ્રામેબાજી ઘટી ગઈ છે, પરંતુ રાઘવ ચઢ્ઢાના પ્રકરણે દિલ્હીની રાજનીતિમાં પણ ગરમી લાવી દીધી છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે પેટ્રોલ, ડીઝલ, ગેસ વગેરેના સંદર્ભે થઈ રહેલી અટકળો તથા સરકાર તરફથી થતા "સબ સલામત"ના દાવાઓ વચ્ચે દેશની જનતા અટવાઈ રહી હોય તેમ જણાય છે.
આણંદની ઉમરેઠ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં ૨૩મી એપ્રિલે મતદાન થવાનું છે અને ચોથી મે ના દિવસે મત ગણતરી પછી તેનું પરિણામ આવવાનું છે. ભારતીય જનતા પક્ષે તો પહેલેથી જ દિવંગત ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદભાઈને ટિકિટ ફાળવી દીધી હતી. ગોવિંદભાઈનું નિધન થયા પછી ખાલી પડેલી બેઠક પરથી તેમના જ પુત્રને મેદાનમાં ઉતારીને ભાજપે એક વ્યૂહાત્મક રણનીતિ અપનાવી છે, તો વિપક્ષ તરફથી કટાક્ષ કરવામાં આવી રહ્યો છે કે પરિવારવાદ પર હંમેશાં પ્રહારો કરતા ભાજપના ઘણાં નેતાઓ તથા એનડીએના ઘણાં નેતાઓના પરિવારજનો પણ રાજનીતિમાં છે અને વારસામાં મળેલા હોદ્દાઓ પણ ઘણાં "વારસદારો" ભોગવી રહ્યા છે, તેને પરિવારવાદ ન કહેવાય ?
જો કે, ભાજપ તરફથી આ પ્રકારની ટિકા-ટિપ્પણીઓના જવાબમાં એવું કહેવામાં આવતુ હોય છે કે કોઈ રાજકીય પક્ષનું પ્રમુખપદ વંશ પરંપરાગત ધોરણે એક જ પરિવાર પાસે રહે, તેને પરિવારવાદ કહેવાય, બાકી, પોતાની મહેનતથી આગળ વધેલા યુવા નેતાઓને રાજનીતિમાં કોઈ તક મળે, તો તેને પરિવારવાદ થોડો કહેવાય ?
જો ઉમરેઠની બેઠક પર આમઆદમી પાર્ટી ઉમેદવાર ઉતારશે, તો ત્રિપાંખીયો જંગ ખેલાશે. નવમી એપ્રિલે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જાય, તે પછી ઉમરેઠની પેટા ચૂંટણી જીતવા ઉમેદવારો તથા રાજકીય પક્ષો આકાશ-પાતાળ એક કરશે, તે પણ નક્કી છે.
ચૂંટણીપંચે પણ ચૂંટણીઓની તૈયારીઓ આદરી છે અને આચાર સંહિતાના અમલ માટે બેઠકો યોજાઈ રહી છે, તો બીજી તરફ રાજ્યના ચૂંટણીપંચ સમક્ષ લેખિત રજૂઆત થઈ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થયા પછી પણ એસ.ટી. બસો પરથી શાસક પક્ષના નેતાઓની તસ્વીરો હટાવાઈ નથી, તથા એ.ટી.એમ., બેંકીંગ સંકુલોમાં પણ નેતાઓની તસ્વીરો છે. રાજ્ય સરકારની વિવિધ વેબસાઈટમાં નેતાઓની તસ્વીરો હટાવાઈ નથી. દીવાલો પર ચૂંટણી ચિહ્નો ચીતરવામાં આવ્યા છે. કેટલાક શહેરોમાં મુખ્યમાર્ગો અને જાહેર સંકુલો પરથી આ પ્રકારના બોર્ડ-બેનર્સ હટાવવાની શરૂઆત થઈ છે, પરંતુ આ કામગીરી વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓ જેટલી ગંભીરતાથી થઈ રહી નહીં હોવાની રાવ પણ વિપક્ષ દ્વારા થઈ રહી છે, તો પક્ષ પલટાનો સીલસીલો શરૂ થતા ઝટકા પર ઝટકા રાજકીય ક્ષેત્રે પણ અનુભવાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ જામનગર સહિત હાલારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ પ.બંગાળની વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પણ ચરમસીમાએ પહોંચ્યો છે, તેવામાં પ.બંગાળમાં મતદારયાદીને લઈને કોઈ વિવાદ થતા સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના મુદ્દે સુપ્રિમકોર્ટે જે કડક વલણ અપનાવ્યું છે, તે જોતા આ વિવાદ હવે માત્ર પ.બંગાળમાં જ નહીં, દેશભરની વિવિધ ચૂંટણીના પ્રચારમાં પણ પડઘાવાનો જ છે.
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર માટે ગયેલા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે વ્યંગમાં કહ્યું કે તેઓ ચૂંટણી પ્રચાર માટે આખુ પખવાડિયુ પ.બંગાળમાં રહેવાના છે, તો આસામમા ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કોંગી નેતા રાહુલ ગાંધીએ "રિમોટ કંટ્રોલ"થી આસામમાં શાસન ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરતા આ મુદ્દો ફરીથી ચર્ચાસ્પદ બન્યો છે.
દેશમાં યુપીએની સરકાર હતી, અને મનમોહનસિંહ વડાપ્રધાન હતા,ત્યારે ભાજપ એવા આક્ષેપો કરતો હતો કે કેન્દ્રની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે, અને મનમોહનસિંહ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને પૂછ્યા વિના કોઈ નિર્ણય લઈ શકતા નથી, વગેરે...
હવે રાહુલ ગાંધીએ આસામ સરકાર દિલ્હી (ભાજપ હાઈકમાન્ડ કે પછી પી.એમ.) ના ઈશારે ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા છે. તેમણે આસામને અલગ-અલગ ધર્મ, જાતિ, વિચારધારાના લોકો એક સાથે રહેતા હોવાથી ફૂલોનો ગુલદસ્તો ગણાવ્યો અને ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા, અને કેન્દ્ર સરકાર પણ રિમોટ કંટ્રોલથી ચાલતી હોવાના પ્રહારો કર્યા.
રાહુલ ગાંધીએ જે કાંઈ કહ્યું, તેના કારણે પ્રવર્તમાન યુદ્ધગ્રસ્ત વૈશ્વિક રાજનીતિ વચ્ચે ગ્લોબલ પ્રત્યાઘાતો પણ પડવાના છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો રશિયા, ઈરાન કે ઈરાક પાસેથી ક્રૂડ ખરીદવું હોય તો ભારત જેવા સ્વતંત્ર દેશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજુરી લેવી પડે છે. આપણે ટ્રમ્પને પુછ્યા વિના ક્રૂડ પણ ખરીદી શકતા નથી.
આટલેથી જ નહીં અટકતા રાહુલ ગાંધીએ સણસણતો આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાને ભારતનો ડેટા ડોનાલ્ડ ટ્રમ્પને સોંપી દીધો છે, અને ટ્રમ્પ તેનો મનસ્વી રીતે ઉપયોગ કરી શકે છે, વગેરે...
એ પછી ટ્રેડ ડીલ પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ અમેરિકન કંપનીઓનો નવ લાખ કરોડ રૂપિયાનો સામાન ખરીદવાનો નિર્ણય ભારતના નાના વ્યવસાયિકો તથા ઉદ્યોગોને નુકસાન કરશે, તેવા મંતવ્યો સાથે પી.એમ. મોદી ટ્રમ્પના નિયંત્રણમાં હોવાનું જણાવી ડીલ સામે સવાલો ઉઠાવ્યા.
દેશના આસામ, પ.બંગાળ, ગુજરાત સહિતના રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આંધ્ર પ્રદેશની વર્ષ ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીઓમાં ગોલમાલ થઈ હોવાના તમતમતા આક્ષેપો તથા આંકડાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે સનસનાટી મચાવી દીધી છે. તેમણે વર્ષ ૨૦૨૪માં મધ્યરાત્રિથી રાત્રિના બે વાગ્યા વચ્ચે કુલ મતદાનના ૪.૧૬ ટકા મતો પડયા હતા, અને ૧૭ લાખ મતોની ગોબાચારી થઈ હોવાનો આક્ષેપ કરીને દર ૨૦ સેકન્ડે એક મત પડયો હોવાનો દાવો કર્યો હોવાના અહેવાલોએ ૨૦ સેકન્ડમાંથી ૧૪ સેકન્ડ ઈવીએમને રિસેટ થતા લાગતી હોય તો ૬ સેકન્ડમાં કેવી રીતે મતદાન થઈ શકે ? વગેરે સવાલો ઉઠાવ્યા હતા, તેવા અહેવાલો વહેતા થયા છે.
આ પ્રકારના અહેવાલો વહેતા થયા પછી મીડિયા અને સોશ્યલ મીડિયામાં ઈવીએમનો મુદ્દો ફરીથી ઉછળવા લાગ્યો હતો અને "ભૂતિયા મતદાન" થી જંગી બહુમતી મેળવાઈ રહી હોવાની કોમેન્ટો થવા લાગી હતી.
તે ઉપરાંત ચૂંટણીપંચે મતદાનના જુદા જુદા સમયે જે આંકડા જાહેર કર્યા, તેનો પણ ટાંગામેળ થતો નહીં હોવાનું જણાવીને એક વરિષ્ઠ વકીલ તથા રાષ્ટ્રીય કક્ષાના એક સમયના રાજનેતાએ પણ ફોર્મ નંબર ૧૭ (સી) નો ઉલ્લેખ કરીને એવો અભિપ્રાય આપ્યો છે કે લોકતંત્રને બચાવવા માટે વીવીપેટની સ્લિપોની ગણતરી કરવાની જે માંગણી ઉઠી રહી છે, તેને ચૂંટણીપંચે સ્વીકારી લેવી જોઈએ.
જો કે, ચૂંટણીપંચે આ મુદ્દે કોઈ સત્તાવાર જવાબ આ લખાય છે, ત્યાં સુધી આપ્યો હોવાનું જાણમાં નથી, પરંતુ એવું કહેવાય છે કે ચૂંટણીપંચે બે વર્ષ પછી આ પ્રકારના આક્ષેપો કરવાની હરકતને જ ગેરબંધારણીય ગણાવી દીધી અને જો ગોબાચારી થઈ જ હોય તો સમય મર્યાદામાં ચૂંટણીપંચમાં રજૂઆત, અપીલ કરવી જોઈતી હતી, અથવા કોર્ટનો દરવાજો ખખડાવવો જોઈતો હતો, પરંતુ આંધ્રપ્રદેશના કોઈ ઉમેદવારે આવું કર્યું નથી, ત્યારે આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને બેબુનિયાદ આક્ષેપો કરવા યોગ્ય નથી, તેમ જણાવીને તમામ આરોપો નકારી દીધા હતા. રસપ્રદ વાત એ છે કે આ આક્ષેપો કરનાર અર્થશાસ્ત્રી બીજું કોઈ નહીં, પરંતુ કેન્દ્રીય મંત્રીના પતિ હોવાથી આ મુદ્દાને વધુ હવા મળી હોવાનું કહેવાય છે.
રિમોટ કંટ્રોલ અને ઈવીએમમાં ગોબાચારીના મુદ્દા એક વખત ફરીથી ઉછળ્યા છે, અને ચૂંટણી પ્રચારમાં તેનો ભરપૂર ઉપયોગ પણ થઈ રહ્યો છે, ત્યારે આ બંને મુદ્દા પોતાનો જનાદેશ આપતી વેળાએ મતદાતાઓના દિમાગમાં પણ છવાયેલા રહેશે એ નક્કી છે.
હાલાર સહિત ગુજરાતમાં ઘણાં જિલ્લાઓમાં કુદરતી માહોલ પણ બદલાયો છે અને ક્યાંક ક્યાંક કમોસમી વરસાદ પણ થયો છે. રાજ્યની રાજનીતિમાં પણ "કમોસમી" વરસાદ જેવી ઘટનાઓ સર્જવા લાગી છે અને આ રાજનૈતિક માવઠાઓ કોને ફાયદો કરાવશે, અને કોને હાનિ કરશે, તે તો ૨૮મી એપ્રિલે પરિણામો આવ્યા પછી જ સમજાશે, પરંતુ અત્યારે તો યુદ્ધની ગર્જનાઓ કરતાંયે વધુ ઘોંઘાટિયા ચૂંટણી પ્રચારના પડધમ વાગવા લાગ્યા છે, જોઈએ, જનતાનો જનાદેશ શું આવે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે સાંજે રાજ્યના ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી અને રાજકીય પક્ષોના પ્રચારના ભૂંગળા શરૂ થઈ ગયા. હજુ તો ચૂંટણીની તારીખો જાહેર થઈ પણ નહોતી,ત્યાં ભાજપે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા તથા ફોર્મ વિતરણ શરૂ કરી દીધા હતા, તો આમઆદમી પાર્ટીએ તો ઘણાં બધા ઉમેદવારોના નામોની જાહેરાત પણ શરૂ કરી દીધી છે, અને હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રિપાંખીયો કે બહુપાંખીયો જંગ પણ શરૂ થઈ જશે.
ચૂટણીપંચે ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે, જે ૪.૧૯ કરોડ જેટલા મતદારો જનાદેશ આપશે અને એકંદરે મહાપાલિકાઓના ૭૦૦થી વધુ વોર્ડ અને જિલ્લા-તાલુકા પંચાયતોની ૬૩૦૦થી વધુ બેઠકો માટે મતદાન કરશે. આ ચૂંટણીઓ ત્રિપલ એન્જિનનો દાવો કરતા ભારતીય જનતા પક્ષ માટે અગ્નિ પરીક્ષા સમાન હશે, તો વિપક્ષો માટે પણ ચેલેન્જ હશે. જો ઉમેદવારોની પસંદગી, ચૂંટણી પ્રચાર કે વિવિધ સમીકરણોમાં થાપ ખાધી, તો ધાર્યા પરિણામો તો ઠીક, પરંતુ અસ્તિત્વનો સવાલ પણ કેટલાક શહેરો-જિલ્લાઓમાં ઊભો થઈ શકે છે.
રાજકીય પક્ષો હવે ઉમેદવારોની પસંદગી કરીને ટિકિટો ફાળવશે, તે પછી ઉમેદવારીપત્રો ભરાય, ચકાસણી અને પાછા ખેંચવાની મુદ્દત વિતે ત્યાં લગભગ બે અઠવાડિયા તો વીતી જશે. જો કે, રાજકીય પક્ષો તો અત્યારથી જ જોરદાર પ્રચાર શરૂ કરી દેશે, પરંતુ ૧૬મી માર્ચ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થયા પછી મતદાન પહેલા પ્રચાર-પડઘમ શાંત થવાની મુદ્દત સુધી માત્ર આઠ-દસ દિવસનો જ ગાળો એવો રહેશે, જેમાં ઉમેદવારો પૂરી તાકાતથી પ્રચાર કરી શકશે. આમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ વાગ્યા પછી હવે રાજ્યમાં ઈલેકશન ફીવર પ્રસરી જશે એ નક્કી છે.
ચૂંટણીઓ આવતા જ આયારામ ગયારામનો સીલસીલો પણ શરૂ થઈ જશે અને કદાચ તેનો પ્રારંભ પણ થઈ ગયો છે. બીજી તરફ મતદારોને લલચાવવા પણ પૂરતા પ્રયાસો થવાના છે, તો બીજી તરફ ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગયા પછી હવે તંત્રો મોટાભાગે ચૂંટણી પ્રક્રિયામાં જોતરાઈ જશે, જેથી લોકોના રોજીંદા સરકારી કામકાજો પણ ત્રણેક અઠવાડિયા સુધી અટવાઈ જશે, અથવા ધીમી ગતિએ તંત્રો દ્વારા અન્ય કામગીરી થશે. કોઈપણ પ્રકારની જનરલ ઈલેકશનની પ્રક્રિયા ચાલુ થાય, તે પછી આદર્શ આચાર સંહિતાનો અમલ, ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ, ટ્રેનિંગ, લોજિસ્ટિક અને સ્ટ્રકચરલ વ્યવસ્થાઓ તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી સહિતના કામે તંત્રો લાગી જતા હોવાથી સ્વાભાવિક રીતે જ તેની અસર લોકોના રોજીંદા સરકારી કામો પર પણ થતી હોય છે.
જામનગર મહાનગરપાલિકા ઉપરાંત હાલરની બંને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ થઈ રહી છે, તેથી સમગ્ર હાલારમાં ગઈકાલથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે, અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ સામાન્ય જનતા પર હજુ ચૂંટણીયો રંગ ચડ્યો હોય તેમ જણાતુ નથી, કારણ કે સામાન્ય જનતા રાંધણગેસની તંગી તથા મોંઘવારીની લટકતી તલવારના કારણે ગૂંચવાયેલી અને મુંઝાયેલી દેખાય છે.
ગુજરાતથી ગ્લોબલ કક્ષા સુધી આજે વહેલી સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની જનતાને રાષ્ટ્રજોગા સંબોધન પર સૌની નજર મંડાયેલી હતી અને આશા તો એવી હતી કે ટ્રમ્પ કદાચ હોર્મુઝનો મુદ્દો પડતો મૂકીને કાં તો યુદ્ધ વિરામની જાહેરાત કરશે, અથવા તો તે પ્રકારની અપીલ કરશે, પરંતુ તેનાથી વિપરીત ટ્રમ્પે તો અમેરિકા યુદ્ધ જીતી ગયું છે અને ઈરાન તદ્દન બરબાદ થઈ ગયું છે, તેવો દાવો કરીને યુદ્ધ હજુ બે-ત્રણ અઠવાડિયા ચાલશે અને ઈરાન પર ભીષણ હૂમલો કરાશે, તેવી વાતો દોહરાવી, તેથી એવું કહી શકાય કે ટ્રમ્પે કોથળામાંથી બિલાડુ કાઢયુ અને આખી દુનિયાની યુદ્ધ થંભી જશે, તેવી આશા ઠગારી નિવડી છે. ટ્રમ્પે આજે જે કાંઈ કહ્યું તેનો સારાંશ એવો નીકળે કે દુનિયામાં ઈંધણ અને ઊર્જાની તંગી ઉપરાંત હવે ઈન્ટરનેટ અને સંચાર વ્યવસ્થાઓ ખોરવાઈ જવાનો ખતરો પણ ઊભો થયો છે, અને યુદ્ધ વધુ આક્રમક બનવાનું છે.
બીજી તરફ યુદ્ધ યથાવત રહેશે તેવી ટ્રમ્પની જાહેરાત પછી ક્રૂડના ભાવમાં વધારો અને શેરબજારમાં ઉથલપાથલના કારણે આખી દુનિયા હચમચી ઉઠી છે. ઈરાને એમેઝોનના સ્થળની આજુબાજુ હૂમલા કર્યા પછી હવે ગ્લોબલ ડેટા સેન્ટર્સ તથા ગૂગલ સહિતની ઓનલાઈન સેવાના મથકો પર પણ હૂમલા થાય, અને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટના તળિયે બિછાવેલા કેબલ્સને નુકસાન થાય, તો શું થાય ? તેવા પ્રશ્નો વચ્ચે ગ્લોબલ માર્કેટ પછી ભારતીય માર્કેટ પર થનારી ટૂંકા ગાળાની તથા લાંબા ગાળાની અસરો અંગે પણ અટકળો થવા લાગી છે. હજુ ટ્રમ્પના આજના ભાષણે દુનિયાને અસમંજસ અને અનિશ્ચિતતાઓ તરફ ધકેલી જ હતી, ત્યાં ઈન્ડોનેશિયામાં ૭.૪ની તીવ્રતાના ભૂકંપ પછી સુનામિની ચેતવણી પણ અપાઈ રહી છે, તે જોતા આખી દુનિયાની માઠી દશા બેઠી હોય તેવું જણાય છે.
જો હવે યુએઈ અને અન્ય ખાડીના દેશો જંગમાં ઝંપલાવે અને યુદ્ધ હજુ લાંબુ ચાલે, તેથી ઉર્જા અને ઈંધણના સંકટ સાથે મોંઘવારી વધે, તો તેની વિપરીત અસરો ભારત પર પણ થાય, અને તેના કારણે પ્રવર્તમાન ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન ગુજરાત અને પ.બંગાળ સહિત જ્યાં જ્યાં ચૂંટણીઓના માહોલ છે, ત્યાં ત્યાં એન્ટી ઈન્કમ્બન્સીનો પ્રચારાત્મક લાભ વિપક્ષોને થાય અને શાસક પક્ષ સામે પડકારો વધે તેવા સંકેતો મળી રહ્યા છે, જોઈએ, હવે શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત રાજ્યનું ચૂંટણીપંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા માટે તડામાર તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી ઉપરાંત બસપા સહિતના રાજકીય પક્ષો તથા કેટલાક અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીના મેદાનમાં ઉતરશે, તેથી પસંદગી પ્રક્રિયાથી માંડીને પ્રચાર-પ્રસારનું પ્લાનીંગ પણ થઈ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. અને અવનવા ગણિત મંડાઈ રહ્યા છે.
જામનગરમાં વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરની ગણતરીએ ૬૪ બેઠકો માટે ચૂંટણી થશે. ભાજપે તો આજથી જ જામ્યુકોની ચૂંટણીના સંદર્ભે ફોર્મ વિતરણ સહિતની પ્રક્રિયા આદરી છે અને હવે આગામી દિવસોમાં સેન્સ મેળવવાથી માંડીને ઉમેદવારોની જાહેરાત સુધીનો પ્રથમ તબક્કાનો ધમધમાટ ચાલશે. તે પછી આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી તંત્ર સંપૂર્ણપણે ચૂંટણી પ્રક્રિયાના કામે લાગી જશે, જ્યારે રાજકીય પક્ષો તથા સ્થાનિક નેતાઓ પ્રચાર-પ્રસાર અને મતદારોને રિઝવવાના કામે લાગશે. ભાજપની જેમ જ અન્ય રાજકીય પક્ષો દ્વારા પણ ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ થશે. જો કે, આખરી ચિત્ર તો ચૂંટણીની તારીખો જાહેર થયા પછી તથા ઉમેદવારીપત્રો ભરાયા પછી જ સ્પષ્ટ થશે.
જામનગરના રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે "ઉપરથી" કોઈને કોઈ માપદંડો તો જરૂર સૂચવાશે. ભાજ૫ે ભૂતકાળમાં નો રિપિટ થિયરી, યુવા અને બુઝુર્ગ ઉમેદવારોનું સંયોજન, ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારો તથા ચોક્કસ વયમર્યાદા માટે કોઈ ચોક્કસ રણનીતિ ઘડાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
કોંગ્રેસ સામે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાયા પછી ત્રણ ગણા મૂરતિયામાંથી પસંદગી કરવાનો પડકાર છે, તો ગત ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મળેલી સફળતાને ધ્યાને લઈને વિપક્ષો દ્વારા કોઈ ચૂંટણી સમજૂતિ થાય અથવા ફ્રેન્ડલી ફાઈટ થાય, તેવા સંજોગો પણ સર્જાઈ રહ્યા છે. કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ચૂંટણીની સમજૂતિ થાય, તેવી શક્યતા ઓછી હોવાથી જામનગર મહાનગરપાલિકામાં પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે, તથા કેટલાક વોર્ડમાં બહુ પાંખીયો જંગ હશે, તેવા અનુમાનો પણ થવા લાગ્યા છે.
જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ અલગ-અલગ રણનીતિ ઘડાઈ રહી છે. એટલે કે આ વખતે આખા મહાનગરમાં રાજકીય પક્ષો દ્વારા સમાન વ્યૂહરચના નહીં હોય, પરંતુ પ્રત્યેક વોર્ડમાં એસઆઈઆર પછીની સ્થિતિની સમીક્ષા તથા અન્ય સમીકરણોને ધ્યાને લઈને અલગ-અલગ વ્યૂહ નક્કી કરીને ઉમેદવારો ચૂંટણી લડશે, તેમ જણાય છે.
નગરના કેટલાક વોર્ડમાં ભાજપ મજબૂત છે, ત્યાં આપ અને કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી કાળજીપૂર્વક થશે, તથા જ્યાં વિપક્ષો મજબૂત છે, ત્યાં ભાજપ મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારશે, તે સ્પષ્ટ છે.
ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી સામે વોર્ડ નંબર ૬મા બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોનો પડકાર છે, તો ભાજપ માટે કેટલાક ચોક્કસ વોર્ડમાં વિપક્ષની જોરદાર ટક્કરનો સામનો કરવો પડી શકે છે.
જામનગર મહાનગરપાલિકા સામેની એન્ટી ઈન્કમ્બન્સી, તાજેતરમાં વૈશ્વિક અશાંતિની સ્થિતિમાં ઊભા થયેલા સંજોગોના કારણે રાંધણગેસની પડેલી અછત, કેટલીક રોજીંદી અણ ઉકેલ રહેતી સમસ્યાઓ તથા ભ્રષ્ટાચાર, કૌભાંડો અને સાંઠગાંઠના વિપક્ષો દ્વારા કરાતા સતત આક્ષેપોના કારણે ભારતીય જનતાપક્ષ માટે જામનગર મહાનગરપાલિકામાં સરળતાથી પુનઃ જનાદેશ મળવો અઘરો ગણાવાઈ રહ્યો છે, તો બીજી તરફ મહાનગરમાં થયેલા વિકાસના કામો, કેટલીક સુવિધાઓમાં વધારો તથા લોક-કલ્યાણ અને ત્રિપલ એન્જિનની સરકારો દ્વારા મહાનગરને થયેલા યોજનાકીય લાભો ઉપરાંત વડાપ્રધાનની લોકપ્રિયતાનો ફાયદો પણ ભાજપને મળશે, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, તેથી અત્યારે રાજકીય દૃષ્ટિએ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ ગણી શકાય.
ઘણાં લોકો કહે છે કે મુખ્ય રાજકીય પક્ષોને સ્થાનિક આંતરિક જુથવાદ અને ખટરાગનો પણ સામનો કરવો પડી શકે છે, અને ખાસ કરીને ટિકિટોની વહેંચણી થયા પછી જો અસંતોષનો પરપોટો ફૂટશે, તો ચૂંટણીઓ દરમ્યાન મોટા ઉલટફેરની સંભાવનાઓ પણ રહે છે. આ કારણે અત્યારે રાજનીતિમાં પ્રવાહી સ્થિતિ છે અને કોઈપણ રાજકીય પક્ષે "વહેમ"માં રહેવા જેવું નથી.
જામનગરમાં લગભગ દરેક ચૂંટણીઓમાં ચર્ચાના ચાકડે ચડતી કેટલીક સમસ્યાઓ બે દાયકાના શાસન પછી પણ અણ ઉકેલ રહી હોવાનો જવાબ મતદારો ભાજપના શાસકો પાસે માંગશે. આ સમસ્યાઓમાં રખડતા ઢોર, કરડી ખાતા આવારા શ્વાન, અણઘડ ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થાનો સદંતર અભાવ, કેટલાક વોર્ડમાં કાયમી ગંદકી, મોટા દબાણો સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ (વ્હાઈટ હાઉસ ફેઈમ) વગેરેના કારણે નગરજનો સ્વાભાવિક રીતે જ નારાજ છે, તો આ તમામ મુદ્દે નિવેદનીયા અને નાટકીયા વિરોધ સિવાય વિપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ કોઈ સફળ રજૂઆતો કે કાનૂની કાર્યવાહી કરી નથી, તે પણ હકીકત છે. જો કે, આ વખતે જામ્યુકોની ચૂંટણી જીતવી ભાજપ માટે સરળ નહીં હોવાથી વિપક્ષો પાસે અવસર છે, પણ... ? ! ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગયા અઠવાડિયે દેશના ગૃહમંત્રી પ.બંગાળના ચૂંટણી પ્રચારમાં ગયા હતા, ત્યારે જાહેરસભામાં તેઓએ જનતાની અદાલતમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પોલિટિકલ ચાર્જશીટ મૂક્યું હતું, અને હવે જામનગરમાં કોંગ્રેસે જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી શાસન કરતા ભાજપ પર ચાર્જશીટ મૂક્યુ છે, કાનૂનની અદાલતમાં જેમ આરોપી પર પ્રાથમિક દૃષ્ટિએ પૂરાવા હોય કે આરોપોમાં તથ્ય જણાતુ હોય, ત્યારે ચાર્જશીટ મુક્યા પછી કેસ ચાલે અને તબક્કાવાર સુનાવણી પછી ન્યાયપાલિકા ફેંસલો સંભળાવે, તેવી જ રીતે પોલિટિકલ પાર્ટી દ્વારા પ્રતિસ્પર્ધી પાર્ટી પર મૂકાતુ ચાર્જશીટ ૫ણ જનતાની અદાલતમાં રજૂ થાય છે, ચૂંટણી પ્રચાર દરમ્યાન બંને પક્ષે દલીલો થાય છે અને અંતે જનતા પોતાના મતાધિકાર દ્વારા પોતાનો ફેંસલો સંભળાવે છે. ન્યાયની અદાલતોમાં બંધારણને ધ્યાને રાખીને તથા વિવિધ કાયદાઓને અનુરૂપ ચૂકાદા લખાતા હોય છે, જ્યારે જનતાની અદાલતમાં ઉમેદવાર કે પાર્ટીની જનમાનસમાં છાપ, કરેલા લોક હિતના કાર્યો, ભવિષ્યમાં કરવાના કામોનો રોડ-મેપ, પ્રામાણિકતા, પરફોર્મન્સ સહિતના ઘણાં માપદંડોને અનુરૂપ જનતા વિવિધ ચૂંટણીઓમાં મતદાન કરીને પોતાનો ચૂકાદો સંભળાવતી હોય છે. આ કારણે રાજકીય પક્ષો પ્રતિસ્પર્ધી પર ચાર્જશીટ મૂકીને ચૂકાદો પોતાની તરફેણમાં આવે, તે દલીલો સાથે જોરદાર ચૂંટણી પ્રચાર કરતા હોય છે.
જામનગર મહાનગરપાલિકાની મુદ્દત પૂરી થઈ જતા હાલમાં વહીવટદારનું શાસન છે. એ પહેલા ભાજપનું શાસન હતું, તેથી ભાજપના શાસકો પર કોંગ્રેસે તહોમતનામુ રજૂ કરીને જનતાની અદાલતનો ફેંસલો માંગ્યો છે. છેલ્લા બે દાયકાથી જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હતું અને એ દરમ્યાન ભ્રષ્ટાચાર અને કૌભાંડો થયા હોવાના આરોપો લગાવવા કોંગ્રેસે પ્રેસ-કોન્ફરન્સ યોજી, અને ભાજપના શાસન સામે ચાર્જશીટ મૂક્યુ, તે પછી જામનગરમાં જાણે ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો હોય, તેમ જણાય છે. ટૂંક સમયમાં જ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થશે અને આદર્શ આચારસંહિતા લાગી જશે, અને તે પછી મહાનગરમાં ચૂંટણી પ્રચારનો ઝંઝાવાત ફૂંકાશે, જેના સંકેતો કોંગ્રેસના ચાર્જશીટ અને તે પછી આવેલા પ્રત્યાઘાતો દ્વારા મળી રહ્યા છે.
જામનગરના પૂર્વ સાસંદ, ખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય અને દાયકાઓથી હાલારની રાજનીતિના કેન્દ્રમાં રહેલા વિક્રમભાઈ માડમે ભાજપના શાસકો દ્વારા નગરજનોને કેન્દ્રમાં રાખીને નહીં, પણ બિલ્ડરો તથા ઈજારેદારોને ફાયદો પહોંચાડવા કામ કરી રહ્યા હતા અને દરેક વિકાસકામમાં ૪૦ ટકા કમિશન લેવાતુ હતું, તેવા મતલબનું તોહમત મૂક્યુ હતું, અને કોંગ્રેસે જે વિસ્તૃત અને મુદ્દાવાર તહોમતનામુ (ચાર્જશીટ અથવા આરોપપત્ર) રજૂ કર્યું છે, તે અંગે ચાંદીબજાર ચોકમાં ભાજપના નેતાઓ સાથે જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર પણ ફેંક્યો હતો, તો કોંગી ધારાસભ્ય લલિતભાઈ વસોયા, તથા શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના નેતાઓએ પણ ભાજપ અને તેની સ્થાનિક નેતાગીરી પર સણસણતા આરોપો લગાવ્યા હતા. અને ભાજપના શાસનમાં કઈ કઈ સુવિધાઓ મળી નથી અને કઈ કઈ સમસ્યાઓ નથી ઉકેલાઈ તેની લાંબી યાદી રજૂ થઈ હતી.
કોંગ્રેસના આ આરોપનામાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ પહેલા લાલપુરમાં આમઆદમી પાર્ટીના વડા કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ-કોંગ્રેસ પર લગાવેલા આક્ષેપોને સાંકળીને આ વખતે જામનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે, તો તેમાં કોનું પલડું ભારે રહેશે, તેની ચર્ચા પણ શરૂ ગઈ છે.
એક તરફ જામનગર સહિત હાલારમાં ભાજપ-કોંગ્રેસ પર તડાપીટ બોલી રહી છે, તો બીજી તરફ પ.બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સામે ભાજપ અને કોંગ્રેસ અલગ-અલગ રીતે ચૂંટણી લડી રહ્યા છે, અને લૂપ્ત થતા જતા ડાબેરી પક્ષોને ગણી લઈએ, તો પ.બંગાળમાં ચતુર્કોણીય મૂકાબલો થવાનો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ તૃણમુલ કોંગ્રેસ અને મમતા સરકાર પર ચાર્જશીટ રજૂ કર્યું હતું, તેની ચર્ચા ટોક ઓફ ધ નેશન બની છે.
શનિવારે પ.બંગાળમાં ભાજપ તરફથી સ્ટાર પ્રચારક તરીકે ચૂંટણી પ્રચાર કરવા ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મમતા સરકાર પર ચાર્જશીટ મુક્યુ હતું અને તે માટે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. અમિતભાઈએ ૧૪ મુદ્દાનું ચાર્જશીટ મૂકીને મમતા સરકારના ૧૫ વર્ષના પ.બંગાળ પર શાસનની નિષ્ફળતાઓ વર્ણવી હતી અને "કટમની"ની સિસ્ટમ પર ગહન વ્યંગ પણ કર્યો હતો. તેમણે મમતા સરકાર પર ભ્રષ્ટાચાર, વોટબેંકની રાજનીતિ, સિન્ડીકેટ, કૌભાંડો તથા ઘુસણખોરોને છાવરવા જેવા સંખ્યાબંધ આરોપો લગાવ્યા હતા અને મમતા બેનર્જી હિંસાનો રાજનીતિમાં બેધડક ઉપયોગ કરતા હોવાનો ગંભીર આક્ષેપ પણ લગાવ્યો હતો.
સામાન્ય રીતે કાનૂનની અદાલતો એટલે કે ન્યાયની દેવડીમાં તહોમતનામુ, આરોપપત્ર કે ચાર્જશીટ જેવી પ્રક્રિયાઓ થતી હોય છે, પરંતુ જનતાની અદાલતમાં ચૂકાદો મેળવવા તથા પોતાની તરફેણમાં જનમત કરવા માટે પ્રતિસ્પર્ધી પક્ષો પર તહોમતનામુ અથવા ચાર્જશીટ મૂકવાની આ પરંપરા હવે નગરથી નેશન સુધી વ્યાપી રહી છે, ત્યારે આશા રાખીએ કે જે કોઈ ચાર્જશીટો મૂકતા હોય, તેની પ્રત્યેક વિગતોને ધ્યાને લઈને તથા તેની પરખ કરીને તથા તેની યથાર્થતા તપાસીને જ જનતા મહાનગરપાલિકા હોય કે વિધાનસભા હોય, તમામ ચૂંટણીમાં મૂક્ત મને યોગ્ય ચૂકાદો આપશે તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજકોટના રેન્જ આઈજી બનેલા નિર્લિપ્ત રાયે લોકદરબારો યોજવાની જે જાહેરાત કરી છે, તે નવી નથી. અને આ પહેલા પણ પોલીસતંત્ર દ્વારા લોકદરબારો યોજાતા રહ્યા છે., પરંતુ તેમણે વ્યાજખોરો સામે જે લાલ આંખ કરી છે, અને છાપેલા કાટલા જેવા ગૂનેગારો સામે અત્યંત કડક કાનૂની કાર્યવાહી કરવાના જે સંકેતો આપ્યા છે, તેના કારણે ગૂનાખોરો તથા વ્યાજખોરોમાં જરૂર ફફડાટ વ્યાપ્યો જ હશે. હવે રાય જિલ્લાવાર લોકદરબારો યોજાશે, અને લોકોને ગૂનાખોરો, વ્યાજખોરો અને ગુંડા તત્વો સામે નિડર બનીને ફરિયાદ કરવાની તક આપશે, તેવું જાહેર થયું છે.
પોલીસતંત્ર દ્વારા વ્યાજખોરો સામેની ઝુંબેશ આ વખતે માત્ર ફોર્માલિટી કે પરંપરા નિભાવવા ખાતર રાબેતા મુજબ કે અન્ય કેટલાક જિલ્લાઓની જેમ દેખાવ ખાતર નહીં, પરંતુ હકીકતે વ્યાજખોરો પર તૂટી પડવાની દૃઢ માનસિકતા સાથે જ શરૂ થશે, તેવા સંકેતો મળી રહ્યા છે અને પ્રારંભમાં પહેલી અને બીજી એપ્રિલે રાજકોટ જિલ્લામાં યોજાનાર લોકદરબાર પછી ખબર પડી જશે કે આ લોકદરબાર પછી તંત્ર કેટલી ઝડપી અને સચોટ તથા પરિણામલક્ષી કાર્યવાહી કરે છે તે આ વખતે સૌરાષ્ટ્રની જનતા પણ ઘણી જ આશાવાદી છે, કારણ કે નિર્લિપ્ત રાયે ભૂતકાળમાં વિવિધ સ્થળે તેમની ફરજો દરમ્યાન પણ ગૂનેગારો, ગુંડાઓ અને વ્યાજખોરો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને ફફડાટ ફેલાવ્યો હોવાની ચોતરફ ચર્ચા થઈ રહી છે. બીજી તરફ ગલકાલે જ એક યુવાને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલો છે.
રાજકોટ રેન્જમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ (ગ્રામ્ય), મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાઓનો સમાવેશ થાય છે. નિર્લિપ્ત રાયે રેન્જ આઈજી તરીકે હવાલો સંભાળ્યા પછી ગોંડલથી શરૂ કરીને હાલાર સહિત વિવિધ જિલ્લાઓની મુલાકાતો લઈને જે કડક કાર્યવાહીઓ કરી છે, તે જોતાં લોકદરબારોમાં પણ તે જ પ્રકારની તત્પરતા અને સમયોચિત સચોટતા તો જોવા મળશે જ, પરંતુ પાછળથી પરેશાની થશે તેવા ડરથી અસામાજીક તત્વો, ગુંડાઓ અને વ્યાજખોરો સામે રાવ કરવા કે ફરિયાદ નોંધાવવા આગળ નહીં આવતા પીડિતો પણ હવે આગળ આવશે અને તે પછી તેઓને ન્યાય અને સુરક્ષા તથા દોષિતોને નશ્યત થશે, તેવી આશા સેવાઈ રહી છે.
હાલારની મુલાકાત દરમ્યાન રાજકોટના રેન્જ આઈજીની શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ તથા અભિગમ જોતા રાજકોટ રેન્જમાં આવતા જિલ્લાઓના લોકોમાં પણ હિંમત અને આશાનો સંચાર થશે, એટલું જ નહીં ભ્રષ્ટ પરિબળોમાં પણ ફફડાટ વ્યાપશે, તેવી ધારણા રાખવામાં આવી રહી છે. તદુપરાંત જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એક વર્ષમાં થયેલી કામગીરીના આંકડા પણ સામે આવ્યા છે.
લોકોમાં એવી પણ ચર્ચા છે કે સરકારી તંત્રોમાં કી પોસ્ટ પર નિમાતા અધિકારીઓ અને અમલદારો પ્રારંભમાં અત્યંત કડક વલણ અપનાવીને સિક્કો જમાવી દેતા હોય છે અને ઘણી વખત પાછળથી કોઈ અકળ કારણોસર કે પોલિટિકલ પ્રેસર હેઠળ કે પછી તાકતવર અને વગદાર ભ્રષ્ટ પરિબળોના કારણે ઢીલા પડી જતા હોય છે. ઘણાં લોકો એવા વ્યંગ પણ કરતા હોય છે કે એક વખત સિક્કો જમાવ્યા પછી કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાનું કદ કે મૂલ્ય વધારવાનો પ્રયાસ કરતા હોય છે. આ બધી લોકધારણાઓ સાચી હોય કે ખોટી હોય, તો પણ તેની વિભાવનાને નજર અંદાજ તો કરી જ શકાય નહીં. આ જ લોકોમાં નિર્લિપ્ત રાયના મુદ્દે અલગ અભિપ્રાય પ્રવર્તતો હોય, અને નવા ડીઆઈજીનો અભિગમ હંમેશા લોકલક્ષી અને ગૂનેગારો, વ્યાજખોરો, ગુંડા તત્વો અને અસામાજીક તત્વો-બૂટલેગરો માટે અત્યંત કડક રહેશે, તેવા અનુમાનો થઈ રહ્યા હોય, ત્યારે એટલું જ કહી શકાય કે રાજકોટના નવા રેન્જ આઈજીના આ અભિગમની અસરો હાલારના બંને જિલ્લાઓમાં પણ અવશ્ય પડવાની જ છે, અને રાજકોટ રેન્જના બધા જિલ્લાઓમાં લેન્ડ ગ્રેબીંગ કરતા અને જમીન કૌભાંડો કરતા તત્વો પર પણ તવાઈ આવવાની પૂરેપૂરી સંભાવના છે.
રેન્જ આઈજીએ પોતાના પ્રવાસ દરમ્યાન જે જંગી દબાણો હટાવડાવ્યા, તેની પણ ચર્ચા થઈ રહી છે, અને ૧૩ વોન્ટેડ આરોપીઓ માટે ઈનામની જાહેરાત કરી તથા સત્તાવાર પ્રવાસ દરમ્યાન જે રીતે તંત્રોને દોડતા કર્યા, તેની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે, તો જામનગર જિલ્લાના આઠ પીએસઆઈની બદલીની પણ પોલીસબેડામાં ચર્ચા છે.
ગુજરાતમાં એક કહેવત છે કે "અમલદાર આરંભે સૂરા..." પરંતુ નિર્લિપ્ત રાયની અત્યાર સુધીની અમરેલી એસપીથી લઈને સ્ટેટ મોનિટરીંગ સેલ સહિતની નોંધપાત્ર કામગીરી જોતા તેઓ દિવસે દિવસે વધુને વધુ સક્રિય પણ બનતા જશે, તથા લોકપ્રિય પણ બનતા જશે, તેવો અંદાજ પોલીસતંત્રના જાણકાર વર્તુળોમાં થઈ રહ્યો છે, તો બીજી તરફ "આરંભે સૂરા"ની ઉક્તિને ખોટી ઠરાવીને રેન્જ આઈજીનું કાયમ માટે જનલક્ષી અને ઈમાનદાર અધિકારીની છાપ જાળવી રાખશે, તેવો આશાવાદ પણ લોક વ્યક્ત કરી રહ્યા છે.
વ્યાજખોરીના મૂળમાં જઈને લોકોને વ્યાજખોરો પાસે જવું જ ન પડે, તેવા ઉપાયો શોધીને અમલમાં મૂકવા પડે તેમ છે., જો વ્યાજખોરોની સામેની ઝુંબેશ ખરેખર બનાવવી જ હોય, તો પહેલા તો લોકોમાં વ્યાપેલા કોઈ "અદૃશ્ય" ડરનો માહોલ હટાવવો પડશે. અને સંભવિત ભ્રષ્ટ "સડા"ને પણ દૂર કરવો પડશે, અને માત્ર કાનૂની નહીં પરંતુ જનજાગૃતિના પ્રયાસો પણ વધારવા પડશે, તથા સંભવિત સાંઠગાંઠો તોડવી પડશે. લોકોને વ્યાજખોરો પાસે જવું જ ન પડે તેવા ઉપાયોની જરૂર છે.
ઘણાં લોકો કોઈ બીમારી, સંતાનોના લગ્ન કે ઉચ્ચ અભ્યાસ માટે ના છૂટકે ઊંચા વ્યાજદરે નાણા લઈને વ્યાજખોરોના વિષચક્રમાં ફસાતા હોય છે. આ પ્રકારના લોકોને જરૂર પડયે સરળતાથી નાની-મોટી ટૂંકા ગાળાની લોન મળી રહે, તેવી કોઈ યોજના સરકારે અને સમાજોએ શરૂ કરવી જોઈએ. બીજી તરફ ધંધાકીય સાહસ, ખોટ કે અન્ય ફાયનાન્સિયલ કારણોસર ઘણાં લોકો વ્યાજખોરોનો ભોગ બનતા હોય છે, જ્યારે ઘણાં લોકો વ્યાજખોરી, વિદેશ જવાની લાલચ કે રાતોરાત કમાઈ લેવાના ચક્કરમાં ફસાઈ જતા હોય છે. આ બધા માટે સરકાર, સમાજ અને પોલીસતંત્રે સાથે મળીને કોઈ નક્કર ઉપાયો કરવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી આઈપીએલ અથવા ઈન્ડિયન પ્રિમિયર લીગ મેચોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. બેંગલુરૂમાં ભૂતકાળમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનાર મૃતકોના સન્માનમાં આ વખતે આઈપીએલનો ઓપનીંગ સેરેમની રદ થયા પછી પહેલી લીગ મેચ શરૂ થવાની સાથે જ આ ટૂર્નામેન્ટનો વિધિવત પ્રારંભ થઈ જશે.
આ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ ભારતીય ઓપનર બેટધર અને ગુજરાત ટાઈટન્સ ટીમના કપ્તાન શુભમન ગીલનું ઈમ્પેકટ પ્લેયરના નિયમનો વિરોધ દર્શાવતું નિવેદન ચર્ચામાં આવ્યું છે, જેને સોશ્યલ મીડિયામાં વ્યાપક સમર્થન પણ મળી રહેલુ જણાય છે.
હકીકતે વર્ષ-૨૦૨૩માં ઈમ્પેકટ પ્લેયરનો નિયમ પ્રસ્તૂત થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્લેઈંગ ઈલેવન ઉપરાંત બારમો ખેલાડી હોય છે. આ ટીમ મેચ શરૂ થતાં પહેલા જ ડિકલેર કરવાની હોય છે, અને ટીમ જાહેર થયા પછી મેચ શરૂ થઈ જાય એટલે આ બાર ખેલાડી જ ફાયનલ ગણાય છે, જેમાં ચાલુ મેચ દરમ્યાન ફેરફાર કરી શકાતો નથી, જ્યારે આઈપીએલમાં પ્લેઈંગ ઈલેવન ઉપરાંત બીજા પાંચ એવા ખેલાડીઓના નામ જાહેર કરાય અને આ સબસ્ટિટ્યુટ ખેલાડીઓનો કેટલાક ચોક્કસ પ્રકારના સંજોગોમાં ઉપયોગ થઈ શકે, તેવી જોગવાઈઓ આ નિયમ હેઠળ કરવામાં આવી છે. આ પાંચ ખેલાડીઓ પૈકી કોઈપણ ખેલાડીને ચાલુ મેચે પ્લેઈંગ ઈલેવનના કોઈ ખેલાડી સામે બદલી શકાય છે, અને તે માટે ચોક્કસ શરતોનું પાલન કરવાનું હોય છે.
જો કે, આ પ્લેઈંગ ઈલેવન ઉપરાંતના પાંચ ખેલાડીઓનો નિયમ માત્ર ભારતીય ઘરેલુ ક્રિકેટ આઈપીએલ માટે જ લાગુ કરાયો હોવાથી તેને આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ કે મેચોમાં લાગુ કરી શકાશે નહીં, તેવી ચોખવટ પણ વિવિધ માધ્યમો દ્વારા થઈ છે, તેમ છતાં આ નવો નિયમ ઘણો જ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બનવા જઈ રહ્યો છે. મોટા ભાગના વિવેચકો અને આલોચકો આ નિયમના કારણે ક્રિકેટની રમતનો રોમાંચ ઘટી જશે તથા ઓલરાઉન્ડર ખેલાડીઓનું મહત્ત્વ ઘટી જશે, જે એકંદરે આખી ટીમને વિપરીત અસર કરશે, તેવા અભિપ્રાયો ક્રિકેટ નિષ્ણાતો કે ક્રિકેટ પ્રેમીઓ જ નહીં, ખુદ દિગ્ગજ ક્રિકેટરો પણ આપવા લાગ્યા છે.
આ નિયમ મુજબ ટોસ ઉછળ્યા પછી પણ કોઈપણ એક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનના કોઈપણ એક ખેલાડીના સ્થાને (જાહેર કરાયેલા પાંચ સબસ્ટિટ્યુટમાંથી) બદલી શકાશે, જે બેટીંગ અને બોલીંગ પણ કરી શકશે, તેનો મતલબ એવો પણ થઈ શકે કે પ્લેઈંગ ઈલેવનના સ્થાને પ્લેઈંગ ટ્વેલ્વ (બાર ખેલાડીઓની ટીમો) મેદાનમાં રહેશે.
વર્ષ ૨૦૨૪માં બસીસીસીઆઈ દ્વારા લાગુ કરાયેલા આ નિયમની મુદ્દત વર્ષ ૨૦૨૭ સુધી વધારવાના નિર્ણય સામે આઈપીએલની ટીમોની ૧૦ ટીમોના કપ્તાનો વચ્ચે પણ ગરમાગરમ ચર્ચા થઈ હોવાના અહેવાલો પછી અને હવે શુભમન ગીલે આ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યા પછી આ મુદ્દો ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. બીજી તરફ બીસીસીઆઈ દ્વારા આ નિયમને વર્ષ ૨૦૨૭ સુધી લંબાવી જ દીધો હોવાથી તે અંગે ચાલુ ટૂર્નામેન્ટમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ આ મુદ્દે આવતા વર્ષે વ્યાપક ચર્ચા પછી કાંઈક ફેરફાર થાય કે આ નિયમ જ હટાવી દેવાય એવા પ્રયાસો અત્યારથી શરૂ થઈ ગયા હોય તેમ જણાય છે. જો કે, વર્ષ ૨૦૨૭ સુધી ફેરફારના મૂડમાં બીસીસીઆઈ જ નથી.
આ નિયમનો ભૂતકાળમાં રોહિત શર્મા, ગ્લેન ફિલિપ્સ અને અક્ષર પટેલ વગેરેએ વિરોધ કર્યા પછી ઘણાં ક્રિકેટરોએ આ નિયમનો વિરોધ કર્યો હતો, તો ક્રિકેટ રસિયાઓમાં ચર્ચા ચાલતી રહી હતી.
હવે શુભમન ગીલે કહ્યું છે કે ઈમ્પેકટ પ્લેયરનો નિયમ ખેલાડીઓના કૌશલ્યને ખતમ કરી દ્યે છે. અને ટીમના પડકારોને પહોંચી વળવાની ક્ષમતા પણ ઘટી શકે છે.
એવું કહેવાય છે કે ગત ૨૫મી માર્ચે યોજાયેલી આઈપીએલ-૨૦૨૬ની તમામ ટીમોના કપ્તાનોની બેઠકમાં પણ મોટા ભાગના કપ્તાનો આ નિયમની વિરૂદ્ધમાં જણાયા હતા, અને બીસીસીઆઈને આ નિયમની સમીક્ષા કરવાની માંગણી પણ ઉઠાવાઈ હતી. જો કે, આ મુદ્દે બીસીસીઆઈનું આ લખાય છે ત્યાં સુધી કોઈ સ્પષ્ટ નિવેદન નથી.
શુભમન ગીલ ગુજરાત ટાઈટન્સ ટીમનો કપ્તાન છે અને ૧૯મી પ્રિમિયર લીગ મેચો શરૂ થાય, તે પહેલા જ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે, અને મોટાભાગના કપ્તાનો પણ જો આ નિયમનો વિરોધ કરી રહ્યા હોય તો, આ મુદ્દે બીસીસીઆઈને સમીક્ષા કે પુનર્વિચારણા કરવામાં કોઈ વાંધો હોવો જ ન જોઈએ અને આવતા વર્ષથી જ આ નિયમ રદ થઈ જાય, અને તેના કારણે ક્રિકેટરોને જો સંતોષ થતો હોય અને ટૂર્નામેન્ટની મોટા ભાગની ટીમો પણ સંમત હોય તો આ નિયમને વળગી રહેવાનું કોઈ યોગ્ય કારણ પણ જણાતુ નથી.
અત્યારે એક તરફ ઈઝરાયલ-અમેરિકાના ઈરાન સાથેના યુદ્ધના કારણે ઊભી થયેલી સ્થિતિ વચ્ચે ભારતમાં આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે, તો બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં જુદી જુદી ચૂંટણીઓનો માહોલ પણ જામ્યો છે, તેવામાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર પણ પોલિટિકલ પ્રભાવ પડશે, અને આઈપીએલના પ્લેટફોર્મ્સ કે તેને સંબંધિત ડિબેટીંગ કે વિવાદોનો ઉપયોગ રાજકીય પ્રચાર માટે કરવાના કિમીયા પણ અજમાવાઈ શકે છે, તેથી ચૂંટણીપંચે પણ જાગૃત રહેવા જેવું ખરૃં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં ગઈકાલે જ રામનવમીની ઉજવણીનો ઉમંગભર્યો માહોલ છે, તેવી જ રીતે યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા સહિત હાલારમાં પણ હરખભેર રામનવમીની ઉજવણી થઈ રહી છે, ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. આ વખતે કેટલાક સ્થળે ગઈકાલે તો કેટલાક સ્થળે આજે રામ નવમીની ઉજવણી થઈ રહી છે, અને આસ્થા અને ભક્તિનો જાણે મહાસાગર ઉછળી રહ્યો છે. ચોતરફ ભગવાન શ્રીરામનો જયજયકાર થઈ રહ્યો છે, તો રઘુવંશીઓ દ્વારા જામનગરમાં રામ નવમીની ઉજવણી પછી પારણાના સમૂહ ભોજનનું પણ આયોજન થયું છે. જામનગરમાં નીકળેલી વિશાળ શોભાયાત્રામાં પણ ઉમંગભેર નગરજનો જોડાયા હતા. યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા અને જામનગરના અખંડ રામધૂન મંદિરોમાં પણ વિશેષ રામધૂન સાથે ભક્તિભાવપૂર્વક રામ નવમીની ઉજવણી થઈ રહી છે.
બીજી તરફ અયોધ્યામાં રામ નવમીની ઉજવણી નિમિત્તે વિશેષ દર્શન તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ ગયા, તેવી જ રીતે દેશભરમાં શ્રીરામ જન્મોત્સવ તથા તેને સંલગ્ન ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે આખો દેશ જાણે કે રામમય બની ગયો છે.
જો કે, પ.બંગાળમાં આ વખતે શ્રીરામ જન્મોત્સવની સાથે સાથે રાજનીતિ પણ ધમધમવા લાગી છે, અને વિધાનસભાની આગામી ચૂંટણીઓની આચાર સંહિતા વચ્ચે જોરદાર ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે.
આ તરફ ગુજરાતમાં પણ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તથા આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો ધમધમાટ પણ વેગ પકડવા લાગ્યો છે.
આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવંત માને ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે, અને અમરેલી પછી જામનગર જિલ્લામાં પણ ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફેેંક્યું છે, અને લાલપુરના માર્કેટીંગ યાર્ડ પાસે યોજાયેલી જનસભામાં ભાજપ અને રાજ્ય-કેન્દ્ર સરકારો પર આકરા પ્રહારો કર્યા પછી હાલારમાં રાજકીય માહોલ ગરમાયો છે.
જો કે, આમઆદમી પાર્ટીના નિશાન પર કોંગ્રેસ પણ હતી અને વક્તાઓએ બંને રાષ્ટ્રીય પક્ષો પર ગંભીર આક્ષેપોની ઝડી પણ વરસાવી હતી, જેના તિવ્ર પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે.
જો કે, કેજરીવાલે જયારે એવું કહ્યું કે ત્રણ દાયકા પહેલા ગુજરાત નંબર વન રાજ્ય હતું, ત્યારે એવું લાગ્યું કે તેઓે ભાજપના શાસન પહેલાના શાસકોને વખાણી રહ્યા છે અને એે કારણે પરોક્ષ રીતે કોંગ્રેસના ભૂતકાળના શાસકોનો ભાજપના શાસકોની સાથે સરખામણી કરી રહ્યા હોય, તેવો આભાસ પણ ઘણાં લોકોને થયો હશે.
કેજરીવાલે કહ્યું કે ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પક્ષે ગુજરાતને બરબાદ કરી નાખ્યુ છે. આજથી ત્રીસેક વર્ષ પહેલા ગુજરાતમાં લોકો સુખી અને સમૃદ્ધ હતા.
તેમણે આજે ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં અંતિમ હરોળમાં ધકેલાઈ ગયું હોવાનું જણાવીને એવો આક્ષેપ લગાવ્યો કે આજે ભારતીય જનતા પાર્ટી માત્ર કરોડપતિ-અબજોપતિઓ તથા અમીરોની પાર્ટી બની ગઈ છે.
કેજરીવાલે આજથી ત્રીસ વર્ષ પહેલાના શાસનના વખાણ કર્યા પછી એવી ચર્ચા પણ થઈ રહી છે કે કેજરીવાલ કોંગ્રેસના ભૂતકાળના શાસનને આડકતરી રીતે વખાણ કરી રહ્યા હતા કે પછી કેશુબાપાના શાસનની પ્રશંસા કરી હતી, કે પછી જનતાદળ ગુજરાતના જમાનાને યાદ કરી રહ્યા હતા ?
કેજરીવાલે તેમના આગવા અંદાજમાં ભાજપ પર પ્રહારો કર્યા અને પંજાબમાં આમઆદમી પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા જનલક્ષી શાસનની પ્રશંસા કરીને પંજાબમાં બધા ખુશહાલ છે, તેવા દાવા પણ કર્યા. જ્યારે કેજરીવાલે ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરી, તથા પેપર લીકની યાદ અપાવીને કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ બંને સાથે મળીને ગુજરાતની પ્રજાને લૂંટી રહ્યા છે, ત્યારે થોડો સમય માટે છવાયેલો સન્નાટો ઘણું બધુ કહી જાય, તેવો હોવાની ચર્ચા પ્રત્યક્ષદર્શીઓમાં થતી હતી.
ટૂંકમાં ગુજરાતની જનતાએ આ વખતે ત્રિપાંખીયા જંગ દરમ્યાન ભાજપ, કોંગ્રસ કે આમઆદમી પાર્ટી પૈકી કોને સત્તા સોંપવી તે નક્કી કરવું પડે તેમ છે, તો પ.બંગાળમાં મમતા બેનર્જીને પુનઃ સત્તા સોંપવા અંગે ત્યાંની જનતાએ નિર્ણય લેવાનો છે. ગુજરાતની શાણી જનતા સારી રીતે સમાજ કે રાજનીતિમાં ભાવનાત્મક લાગણીઓની ભેળસેળનું પરિણામ કેવું આવી શકે છે, તેથી ત્રણેય રાજકીય પક્ષોને પૂરેપૂરી રીતે જાણી-પીછાણી અને ઉમેદવારોને ઓળખીને જ જનાદેશ આપશે, તેવી આશા રાખીએ અને રામનવમીના પર્વે જય શ્રી રામના જયઘોષ સાથે રાજ્યના મંગલમય ભવિષ્યની કામના કરીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે મધ્ય-પૂર્વની યુદ્ધની સ્થિતિ અને તેની ભારત પર અસરો તથા કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવાઈ રહેલા પગલાં અંગે માહિતી આપવા કેન્દ્ર સરકારે ગઈકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લેકસભાના વિપક્ષના નેતા અને ટી.એમ.સી.ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા નહીં હોવાથી તે અંગે રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી હતી અને ઘેરા મિશ્ર પ્રત્યાઘાતો આ બેઠકમાં અપાયેલી માહિતીના સંદર્ભે પણ દેશભરમાં પડયા હતા. આ બેઠકમાં કેટલાક વિપક્ષી નેતાઓએ મોદી સરકારને કેટલાક તીખા સવાલો પુછ્યા હોવાના અહેવાલો પણ દેશભરમાં પડઘાયા હતા.
ગઈકાલે સર્વપક્ષીય બેઠક દરમ્યાન સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલબાજી પણ બોલી હતી અને સરકાર પર તડાપીટ બોલી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારે "સબ સલામત"ની રાબેતા મુજબની વાતો દહોરાવી હતી.
સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંની વિગતવાર માહિતી આપતા વિદેશ સચિવે જ્યારે કહ્યું કે દેશવાસીઓએ ડરવાની કોઈ જરૂર નથી., ત્યારે વિપક્ષ તરફથી વ્યંગાત્મક ટિપ્પણીઓ થઈ હોવાની પણ ચર્ચા થઈ રહી છે. વિદેશ સચિવે એવો દાવો કર્યો કે આપણાં દેશમાં ઈંધણના ક્ષેત્રે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે અને સરકાર વિશ્વિક સ્થિતિ પર નજર રાખીને સતત કદમ ઉઠાવી રહી છે.
આ બેઠકની અધ્યક્ષતા કરતા રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ચર્ચા દરમ્યાન કેન્દ્ર સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંને સમર્થન આપ્યું હતું. બેઠકમાં જણાવાયુ હતું કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો છે અને વધુ પાંચ જહાજ ભારત તરફ આવી રહ્યા છે. પેટ્રોલિયમ મંત્રીએ પણ કહ્યું કે દેશમાં પેટ્રોલિયમ પેદાશોની કોઈ તંગી હાલમાં નથી. હોર્મુઝ સ્ટેટમાં ઘણાં દેશોના જહાજો ફસાયેલા છે, તેમાંથી આપણાં કેટલાક વહાણો પૂરવઠો ભરીને આવી રહ્યા છે અને આવી ગયા છે, તેને સરકારની વ્યૂહાત્મક સફળતા ગણાવી વિપક્ષોએ સરકારને સહયોગ આપવો જોઈએ. મહત્ત્વપૂર્ણ વાત એ પણ હતી કે વર્ષ ૧૯૮૧થી અમેરિકા ઈરાન સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરતુ રહ્યું હોવાનો સ્વીકાર પણ કેન્દ્ર સરકારે કર્યો હોવાનું ચર્ચાય છે.
રક્ષામંત્રીની અધ્યક્ષતામાં સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ તથા સચિવોએ વિગતો રજૂ કરી ત્યારે જ વિપક્ષોએ અણીયાળા સવાલો ઉઠાવ્યા હતા અને બેઠક પૂરી થયા પછી જુદા જુદા સ્થળે તીખા પ્રત્યાઘાતો પણ આપ્યા હતા. વિપક્ષોએ વર્તમાન સ્થિતિને સાંકળીને વડાપ્રધાને કોવિડ-૧૯નો ઉલ્લેખ કરતા ઊભી થયેલી દ્વિધા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને આવા નિવેદનો પછી લોકડાઉન જેવા પ્રતિબંધોની સંભાવનાઓના કારણે લોકોમાં બિનજરૂરી ગભરાટ ફેલાવી શકે છે, તેવી આલોચના પણ કરી હતી, જેને સરકારે "તપાસ થશે" તેવો રાબેતા મુજબનો જવાબ આપીને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હોવાના અહેવાલોને સરકારે પુષ્ટિ આપી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે વડાપ્રધાને ભારતની સ્પષ્ટ નીતિ દોહરાવીને ટ્રમ્પને કહેવામાં આવ્યું છે કે ભારત યુદ્ધની તરફેણમાં નથી. વૈશ્વિક શાંતિને પ્રાયોરિટીનો સંદેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચાડી દેવામાં આવ્યો હોવાનો દાવો પણ કરાયો હતો.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ પણ વિપક્ષના નેતાઓએ સર્વપક્ષીય મિટિંગમાં ભાગ લીધો, તે બદલ આભાર વ્યક્ત કરવાની સાથે સાથે તેમણે વિપક્ષોનો આ સ્થિતિમાં સહયોગ અને રાષ્ટ્રીય એક જૂથતાની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે હાલમાં દેશમાં ઈંધણ-ગેસની અછત વાસ્તવિક નથી, તેની સામે પણ વિપક્ષોએ સવાલો ઉઠાવ્યા છે. આ બેઠક આ સાંપ્રત સ્થિતિમાં અત્યંત આવશ્યક પણ હતી અને અસાધારણ પણ હતી.
કોંગ્રેસે સર્વપક્ષીય બેઠક બોલાવવાના ટાઈમીંગ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા અને મોદી સરકારની ઢીલી ઢફ વિદેશીનીતિની ટીકા પણ કરી હતી. કોંગી નેતા મણિકમ ટાગોરે કહ્યું કે આ સર્વપક્ષીય બેઠક ઘણી જ મોડી છે, જે વહેલી યોજવાની જરૂર હતી. ભૂતકાળમાં રાષ્ટ્રીય કક્ષાની આ પ્રકારની સર્વપક્ષીય બેઠકોમાં નરસિંહારાવ, વાજપેયી અને મનમોહનસિંહ સહિતના વડાપ્રધાનો સામેલ થતા હતા, જયારે વર્તમાન વડાપ્રધાન આ બેઠકમાં ભાગ લેવાથી દૂર ભાગે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી તરફ વિપક્ષી નેતાઓએ રાહુલ ગાંધીના "કોમ્પ્રોમાઈઝ પી.એમ."વાળા નિવદનોને દહોરાવીને કહ્યું હતું કે હાલમાં વિદેશનીતિ એક પ્રકારની મજાક બની ગઈ છે અને વડાપ્રધાનની નીતિઓના કારણે આજે દેશ આ સ્થિતિમાં ધકેલાયો છે વગેરે...વગેરે...
ભારતીય જનતાપક્ષના પ્રવક્તાઓએ પ્રતિ આક્ષેપો કરતા કહ્યું કે આ પ્રકારની વૈશ્વિક કટોકટી જેવા સમયે પણ વિપક્ષો સંવેદનશીલ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે, અને ગંભીરતાથી વર્તી રહ્યા નથી. વગેરે...વગેરે...
આ તરફ ગુજરાતમાં પણ ઈંધણનો પૂરતો પુરવઠો છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી, વગેરે સ્પષ્ટતાઓ મુખ્યમંત્રી, મંત્રીઓ અને જિલ્લાતંત્રો દ્વારા થઈ રહી છે, અને હાલારના બંને જિલ્લામાં પણ આવી જ ચોખવટો થઈ છે.
આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજ્ય સરકારે ગઈકાલે રાજ્યના ત્રણ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશો કર્યા છે, જેમાં જામનગરના ૩૧મી માર્ચે નિવૃત્ત થઈ રહેલા કલેકટર કે.વી. ઠક્કરના સ્થાને અમરેલીના વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી પી.બી.પંડયાની થયેલી નિમણૂકનો પણ સમાવેશ થાય છે, આશા રાખીએ કે ઠક્કર સાહેબની જેમ જ પંડયા સાહેબ જિલ્લાની જનતાની સેવા કરશે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સ્વ. શેખરને સ્નેહભરી શ્રદ્ધાંજલિ...
વર્ષ ૧૯૯૬ની ૨૫મી માર્ચનો એ દિવસ કારમો આઘાત આપી ગયો હતો, જે દિવસે અમારા બધાના લાડીલા અને બહોળા મિત્રમંડળ, વાચકવર્ગ તથા હાલારીઓના હૈયે વસેલા શેખરે અનંતયાત્રાની વાટ પકડી લીધી હતી.
અમારા બધાના પથદર્શક અને નોબતના આદ્યસ્થાપક પૂ. સ્વ. રતિલાલભાઈ માધવાણીના પગલે પગલે ચાલીને "નોબત"ના માધ્યમથી જન-જનને મદદરૂપ થનાર તથા અખબારને તત્કાલિન ૫ડકારોનો સામનો કરીને આધુનિક અને વધુ લોકભોગ્ય બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર શેખરની એ વિદાય અમારા માટે અસહ્ય અને આંચકો આપનારી હતી.
આજે પણ શેખરભાઈની કાર્યપદ્ધતિ, સચોટતા અને કામ પ્રત્યેનું સમર્પણ અમારા બધા માટે પ્રેરણારૂપ છે. નોબત પરિવાર અને માધવાણી પરિવાર જ નહીં, સમગ્ર વાચકો તથા દેશ-વિદેશ સુધી પથરાયેલા સ્વ. શેખરભાઈના મિત્રવર્તુળની યાદોમાં આજે પણ સ્વ. શેખરભાઈ જિવંત છે. આજે પણ "નોબત"ના વાર્ષિક લવાજમનો ડ્રો હોય કે કોઈપણ પ્રસંગ હોય, કે પછી "નોબત"ના સ્થાપના દિનની ઉજવણી હોય, સ્વ. શેખરભાઈની સ્મૃતિઓ સૌ કોઈ મમળાવતા હોય છે. શેખરભાઈ હંમેશાં પડકારોને પણ પડકારવાની ક્ષમતા ધરાવતા હતા. તેઓ સ્પષ્ટ વક્તા અને ખૂબ જ સંવેદનશીલ પણ હતા. સેવાકાર્યોને સમર્પિત શેખરભાઈ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને નગરના લોક-કલ્યાણ, હાલારના હિત અને દેશની પ્રગતિના ક્ષેત્રે હંમેશાં સક્રિય રહેતા હતા.
શેખરભાઈ સેવાકાર્યો માટે સદૈવ તત્પર અને કદુરતી આફતો, અન્ય સામાજિક કે સંસ્થાકીય કામો તથા સમાજ માટે હંમેશાં ઉપલબ્ધ રહેતા હતા, અને તેઓએ જયારે અનંત વિદાય લીધી ત્યારે નોબત અને માધવાણી પરિવાર તથા તેઓના બહોળા મિત્રમંડળ ઉપરાંત તેઓની સાથે સંકળાયેલા તમામ લોકો ઊંડા આઘાતમાં સરી પડયા હતા. અને હંમેશાં હસતા મુખે લોકોના સુખ દુઃખના સહભાગી થતા હતા. નોબતની તમામ પ્રવૃત્તિઓ તથા પ્રક્રિયાઓમાં સ્વ. શેખરભાઈએ કંડારેલી કેડીઓ ધોરીમાર્ગ જેટલી વિસ્તરી છે, અને આજના પરિવર્તનશીલ આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ ઉપયોગી બની રહી છે, જે તેઓની દીર્ઘદૃષ્ટિ તથા નિપુણતા દર્શાવે છે.
આપણે બધા સ્વીકારીએ છીએ કે જન્મ અને મૃત્યુ મનુષ્યના હાથમાં નથી. અને જેનો જન્મ થાય છે, તેઓની અનંત વિદાય પણ થાય જ છે, પરંતુ સ્વ. શેખરભાઈના દેહાંત પછી પણ તેઓ પ્રેરણા, સ્મરણો તથા આદર્શોના સ્વરૂપે આપણી વચ્ચે જિવંત હોય, તેવો જ અહેસાસ થાય છે, તે જ તેઓની ટૂંકી જિંદગીની વિશાળ ઉપલબ્ધિ છે.
આપણાં સૌના હૃદયે હંમેશાં ધબકતા રહેતા સ્વ. શેખરની પુણ્યતિથિ નિમિત્તે તેઓના સેવાકાર્યોને સ્મરીને તેઓને ભાવભીની સ્મરણાંજલિ-સહ-શ્રદ્ધાંજલિ અર્પીએ...
જામનગર તા. ૨૫-૩-૨૦૨૬
- માધવાણી પરિવાર - નોબત પરિવાર
નગર થી નેશન અને યુનોથી યુએસએ સુધી ગઈકાલે સાંપ્રત સ્થિતિમાં ટ્રમ્પે કરેલી જાહેરાત, તે પહેલા ભારતની સંસદમાં મિડલ ઈસ્ટના યુદ્ધમાં ભારતની સ્થિતિ તથા શાંતિ સ્થાપનાના વૈશ્વિક પ્રયાસોમાં ભારતની સંભવિત ભૂમિકા તથા અમેરિકા અને ઈરાન સહિત વિશ્વના જુદા જુદા દેશો તથા વૈશ્વિક નેતાઓના વિરોધાભાસી નિવેદનોની વણઝાર ચાલી હતી. ભારતમાં કેન્દ્ર સરકારે રવિવારથી આદરેલી શ્રેણીબદ્ધ બેઠકો અને સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી તેના વિપક્ષના નેતાઓએ આપેલા પ્રત્યાઘાતો તથા વૈશ્વિક નેતાઓના વિવિધ મંતવ્યો વચ્ચે એકંદરે આંશિક યુદ્ધ વિરામને આવકાર મળ્યો હતો અને આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. આખી દુનિયા હવે શાંતિ ઝંખે છે અને શાંતિની વાતો કરનારા વૈશ્વિક નેતાઓ ઊંડા પાણીમાં રમતા હોય તેમ જણાય છે.
વૈશ્વિક અશાંતિની જવાળા સમી રહી નથી, તેવા સંજોગોની વચ્ચે નગરથી નેશન સુધી પણ ધમાચકડીના અહેવાલો આવી રહ્યા છે. અદાવતો અને વેરઝેરના કારણે મારામારીની ઘટનાઓએ ચર્ચા જગાવી છે અને રાજકીય પક્ષો સાથે સંબંધો ધરાવતા પરિબળો વચ્ચે ડખો થાય, ત્યારે તેના રાજકીય પ્રત્યાઘાતો પણ પડતા જ હોય છે. બીજી તરફ ગુજરાતમાં ગઈકાલે ઘણાં સ્થળે પેટ્રોલપંપો તથા ગેસ રિફીલીંગ સ્ટેશનો પર વાહનોની લાંબી લાંબી કતારો લાગ્યા પછી રાજ્ય સરકારે ચોખવટ કરવી પડી હતી કે રાજ્યમાં ઈંધણનો પૂરતો પૂરવઠો મોજુદ છે અને લોકોને અફવાઓથી ગેરમાર્ગે દોરાઈને ગભરાવાની જરૂર નથી. ગુજરાત સરકાર, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને આ ચોખવટ કરવા માટે ગઈકાલે સહિયારૂ નિવેદન આપવું પડયુ હતું.
ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીએ જાણી જોઈને પેટ્રોલપંપ બંધ રાખનાર અથવા નફાખોરીના હેતુથી વાહનચાલકોને ધક્કા ખવડાવનાર માલિકો-સંચાલકો સામે કડક શબ્દોમાં ચેતવણી ઉચાર્યા પછી સાંજ થતા થતા સ્થિતિ સુધરી રહી હોવાનો દાવો પણ કરાયો હતો.
યુનોના વિવિધ વિભાગો અને ખાસ કરીને વિશ્વ આરોગ્ય સંગઠનના યુદ્ધને લઈને આવેલા નિવેદનોના પડઘા યુએસએ સુધી પડયા હતા, તો યુએઈ તથા ખાડીના દેશો સુધી યુદ્ધ વિરામની અટકળો તેજ બની હતી., તેવામાં ટ્રમ્પે યૂ-ટર્ન લઈને ઈરાન સાથે યુદ્ધ વિરામની વાતો ચાલી રહી હોવાનું કહીને પાંચ દિવસના આંશિક યુદ્ધ વિરામની એક તરફી જાહેરાત તો કરી દીધી, પરંતુ તેના થોડા કલાકોમાં જ ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદનનું અર્થઘટન પોતાની રીતે કરીને આ ઘોષણાને અમેરિકાની હાર ગણાવી દીધી હતી.
આજે યુદ્ધને ત્રણ અઠવાડિયા પૂરા થવા જઈ રહ્યા છે, અને ચોથુ અઠવાડિયુ શરૂ થવાનું હતું તેવા સમયે જ ટ્રમ્પે શાંતિ માટે એક અઠવાડિયુ વાતચીત ચાલશે તેવો દાવો કરીને ઈરાનના કોઈપણ ઊર્જા ઠેકાણાઓ પર હૂમલો કરવામાં નહીં આવે, તેવી જે ગોળ-ગોળ વાતો કરી, તેને ઈરાને સમર્થન નહીં આપ્યું હોવાથી ગઈકાલથી જ એક પ્રકારની વૈશ્વિક અસમંજસ ઊભી થઈ ગઈ હતી. એક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત અખબારે તો મોસાદનું ગણિત સંપૂર્ણપણે નિષ્ફળ પૂરવાર થયું હોવાનું જણાવીને ઈઝરાયલ-અમેરિકાની પાસે પીછે હઠ કરવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો તેવું તારણ રજૂ કર્યું હતુ, તો કેટલાક વિશ્લેષકોએ યોગાનુયોગ ભારતની સંસદમાં પી.એમ. મોદીએ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે મધ્યસ્થીના મુદ્દે જે ઈશારો કર્યો હતો તેને ટાંકીને ભારતની જ ભૂમિકાને વખાણી હતી, જ્યારે કેટલાક વિશ્લેષકોએ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના ભારત સહિત કેટલાક ન્યુટ્રલ મિત્ર દેશોની બેક ડોર સતત વાટાઘાટો તથા મધ્યસ્થીનું આંશિક પરિણામ ગણાવી આ પાંચેક દિવસના યુદ્ધવિરામને કાયમી યુદ્ધ વિરામ અથવા યુદ્ધના અંતની જાહેરાતમાં ફેરવવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. કેટલાક વિશ્લેષકોએ ઈરાનના હોર્મુઝના પ્રતિબંધોના કારણે આખી દુનિયાને થઈ રહેલી અસરોને લઈને અમેરિકા તથા ઈઝરાયલે વ્યૂહાત્મક પીછેહઠ દર્શાવી હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જ્યારે વૈશ્વિક નેતાઓના અવરિતપણે આવી રહેલા વિરોધાભાષી નિવેદનોના કારણે યુદ્ધ વિરામ કે આંશિક યુદ્ધ વિરામ અંગે ગઈકાલે જ આશંકાઓ વ્યક્ત કરી હતી.
હજુ યુદ્ધ વિરામ અને શાંતિ-અશાંતિની ચર્ચાઓ થઈ જ રહી હતી, ત્યાં ગઈકાલે રાત્રે વધુ એક આંચકો આપનારા અહેવાલોએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. કોલંબિયા એરફોર્સનું એક વિમાન ઉડાન ભરતા જ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં ત્યાંની સેનાના ૧૧૦ જવાનો સવાર હતા. આ દુર્ઘટનામાં થયેલી સંભવિત જાનહાનિ અટકળો વચ્ચે જ્યારે આગની જ્વાળાઓનો વીડિયો વાયરલ થઈ ગયો, ત્યારે અમદાવાદની એ વિમાન દુર્ઘટનાની યાદ તાજી થઈ ગઈ હતી, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મુસાફરોનો જીવ ગયો હતો અને ચમત્કારિક રીતે એક મુસાફરનો જ જીવ બચ્યો હતો, જો કે, કોલંબિયાનું વિમાન સૈન્યનું હતું, જ્યારે અમદાવાદથી પેસેન્જર વિમાને ઉડાન ભરી હતી. બંને દુર્ઘટનાઓમાં કેટલીક સમાનતાઓ પણ છે.
યુદ્ધ, યુદ્ધવિરામ અને શાંતિની પુનઃ સ્થાપનાની વાત કરીએ, તો ટ્રમ્પે ઈરાન સાથે ફળદાયી વાતો કરવાનો દાવો કર્યો, જેને ઈરાને ગણતરીની કલાકોમાં જ ફગાવી દીધો, તે પછી એવું પણ બન્યું, જે ટ્રમ્પ માટે વધુ શરમજનક ગણાય. અમેરિકામાં ઘરઆંગણે જ ટ્રમ્પે "સળગતું" પકડી લીધુ, તેના પર કટાક્ષ કરતા એવી ટકોર થઈ કે અમેરિકાએ તંગદિલી ઓછી કરવી હોય તો, પહેલા ઈઝરાયલને યુદ્ધ કે હૂમલા કરતા પૂરી રીતે અટકાવવું જોઈએ, ટ્રમ્પની જ સરકારમાં આતંકવાદ વિરોધી ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂકેલા જોસેફ જો કેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે ટ્રમ્પ જ્યારે જ્યારે શાંતિની પહેલ કરતા નિવેદનો કરે છે, ત્યારે ત્યારે ઈઝરાયલ (ટ્રમ્પને પૂછ્યા-ગાંઠયા વગર) ઈરાન પર હૂમલાઓ કરીને વાટાઘાટો શરૂ જ થવા દેતુ નથી, જેને અટકાવવાની જરૂર છે.
હવે આખી દુનિયા ઈચ્છે છે કે યુદ્ધવિરામ થાય, હોર્મુઝ સ્ટેટ ખૂલી જાય અને ટ્રમ્પને સદ્બુદ્ધિ આપે, નેતન્યાર્હુ નૈતિકતા દાખવે અને ઈરાન પણ ડહાપણ દાખવે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે દુનિયા યુદ્ધોના જ્વાળામુખી પર બેઠી છે અને રશિયા-યુક્રેન, ઈઝરાયલ-ઈરાન-અમેરિકા અને હવે અફઘાનિસ્તાન-પાકિસ્તાન યુદ્ધ વકરતા ક્યાંક ત્રીજા વિશ્વયુદ્ધની બુનિયાદ તો તૈયાર થઈ રહી નથી ને ? તેવા સવાલો ઉઠવા લાગ્યા છે. આ સંજોગોમાં હવે પ્રત્યેક દેશને પોતાની સુરક્ષાની ચિંતા હોય એ સ્વાભાવિક છે. હવે યુદ્ધના પ્રકારો પણ બદલાવા લાગ્યા છે. પહેલાના જમાનામાં ભૂમિદળો હાથી-ઘોડા-રથ અને તીર-ધનુષ્ય, ભાલા, તલવાર અને ચક્રો જેવા હથિયારોથી યુદ્ધ થતા, તે પછી સમય બદલાતો ગયો,દરિયાઈ માર્ગે તથા આકાશ માર્ગે હૂમલાઓ થવા લાગ્યા, તોપગોળા, દારૂગોળા, મશીનગનો, ટેન્કો અને બોમ્બ વર્ષાથી લઈને પરમાણુ હૂમલા સુધીના ખતરનાક પ્રયોગો પણ થયા.
પહલગામ હૂમલા પછી જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું, ત્યારે ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી, પરંતુ આપણે મીડિયાવોરમાં કદાચ પાછળ રહી ગયા અને પાકિસ્તાન જૂઠ્ઠાણા, ખોટા દાવા અને જૂની તસ્વીરો તથા વીડિયો રજૂ કરીને ભ્રમ ફેલાવવા લાગ્યું હતું તે પછી કદાચ ભારતીય સેનાના જ કોઈ ઉચ્ચ અધિકારીએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે ભારતીય સેનામાં પણ એક એવી અલાયદી મીડિયા બ્રાંચ કે પાંખ હોવી જોઈએ, જે દુશ્મન દેશના ભ્રમ ફેલાવનારા મીડિયા રિપોટર્સને કાઉન્ટર કરી શકે અને વાસ્તવિકતા દુનિયા સમક્ષ ખૂબ જ અસરકારક રીતે પ્રસ્તૂત કરી શકે.
વર્તમાન યુગમાં મોટા યુદ્ધ જહાજો, અદ્યતન યુદ્ધ વિમાનો, સબમરીનો તથા મિસાઈલોની સાથે સાથે નાના નાના હથિયારો, ડ્રોન અને અદ્યતન બોટ્સ તથા માનવરહિત નાના યુદ્ધ વિમાનોનો ભંડાર પણ અત્યંત જરૂરી છે. ઓપરેશન સિંદૂર સમયે પણ પાકિસ્તાને ડ્રોનવર્ષા જ કરી હતી, જે ભારતીય સુરક્ષા પ્રણાલિએ ઈન્ટરસેપ્ટ કરીને આકાશમાં જ નષ્ટ કરી દીધી હતી. ઈરાન પણ અડોશ-પડોશમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો તથા ઈઝરાયલ પર મિસાઈલો અને બોમ્બ વર્ષાની સરખામણીમાં ડ્રોનના હૂમલાઓ વધુ કરી રહ્યું છે અને અબજો રૂપિયાના યુદ્ધ વિમાનોના વિકલ્પે આ સેંકડો ડ્રોન્સ દુશ્મનને હંફાવવામાં ખૂબ જ ઉપયોગી બની રહ્યા હોય, તેવું પણ લાગે છે. જો કે, અદ્યતન યુદ્ધ વિમાનોનો સંપૂર્ણ વિકલ્પ તો ડ્રોન બની જ ન શકે, પરંતુ દુશ્મનની તાકાત તોડવા તથા હફાવવા અને નાના જોખમમાં મોટી સફળતાઓનું કામ તો ડ્રોન્સ કરી જ શકે છે, અને તે હવે સંપૂર્ણપણે પૂરવાર પણ થઈ ચૂકયું છે.
આ કારણે જ તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહે પણ યુદ્ધમાં ડ્રોનનું મહત્ત્વ સમજાવ્યું હતું. દિલ્હીમાં એક રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ સંમેલન યોજાયુ હતું. આ સંમેલનને સંબોધતા રાજનાથસિંહે જે કાંઈ કહ્યું હતું તે ઘણું જ મહત્ત્વપૂર્ણ અને સૂચક હતું, અને યુદ્ધોના બદલતા પ્રકારોની ગવાહી પૂરે તેવુ હતું. રાજનાથસિંંહના આ મંતવ્યોની ઘણી ચર્ચા પણ થઈ રહી છે, ક્યારેકતેઓ જે કાંઈ બોલે છે, તે ઘણું જ ગહન હોય છે.
તેમણે કહ્યું હતું કે ડ્રોનના માળખાનું ઉત્પાદન જ નહીં, પરંતુ ડ્રોનની એરફ્રેમથી લઈને બેટરી, એન્જિન અને સોફટવેર સહિતના તમામ પાર્ટસનું ઉત્પાદન પણ ભારતમાં જ થાય, તેવી આત્મનિર્ભરતા કેળવવી જરૂરી છે. ભારતે ડ્રોનના સંપૂર્ણપણે ભારતમાં જ ઉત્પાદન માટે કોઈ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવી પડશે.
તેમણે કહ્યું કે પ્રવર્તમાન યુદ્ધોમાં ડ્રોન અને કાઉન્ટર ડ્રોન ટેકનોલોજીના મહત્ત્વને સ્પષ્ટપણે ઉજાગર કર્યું છે. રશિયા-યુક્રેન અને ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધોમાં ડ્રોનના થતા સફળ પ્રયોગો જોતા એ તો સમજી જ શકાય છે કે ભવિષ્યના યુદ્ધોમાં પણ ડ્રોન અને કાઉન્ટર ડ્રોન ટેકનોલોજીની ભૂમિકા વ્યૂહાત્મક અને વ્યાપક રીતે વધતી જ રહેવાની છે.
ટૂંકમાં છેલ્લા એક દાયકાથી વિશ્વમાં થયેલા જુદા જુદા યુદ્ધો તથા પ્રવર્તમાન યુદ્ધો પરથી એટલું તો નક્કી થઈ જ ગયું છે કે ભૂમિદળ, વાયુસેના અને નેવી ઉપરાંત અદ્યતન ટેકનોલોજી તથા બદલતી રણનૈતિક અને કૂટનૈતિક પોલિસી અને પ્લાનીંગમાં મૂળભૂત રિફોર્મ્સ માટે નવી પાંખો ઊભી કરવી પણ જરૂરી છે. ભારતીય સેનામાં જ એ.આઈ., શસ્ત્ર પ્રોડકશન, ડ્રોન ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા સુરક્ષા મીડિયા પાંખ જેવા વિભાગો સક્રિય રીેતે સામેલ હોઈ અને તેમાં પ્રાઈવેટાઈઝેશન કે કોઈનો હસ્તક્ષેપ ન હોય, એટલું જ નહીં, તેને સંપૂર્ણ ઓટોનોમી (સ્વાયત્તતા) અપાય, તે સમયની માંગ છે અને તે કોઈપણ સરકાર હોય, તેની બુનિયાદી પ્રતિબદ્ધતા હોય, તે અત્યંત જરૂરી છે.
ડ્રોનના માળખા જ નહીં, પરંતુ સંપૂર્ણ ડ્રોન અને તેની સુરક્ષા અને સંચાલન પ્રણાલિ પણ પૂર્ણરૂપે ભારતીય હોવી જોઈએ. રાજનાથસિંહે તો ડ્રોન ઉત્પાદન ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટ્સથી લઈને અવકાશી (સ્પેસ) ટેકનોલોજી સુધીનું સંયોજન ભવિષ્યના યુદ્ધોમાં અનિવાર્ય બનનાર હોવાથી આ તમામ ક્ષેત્રે ભારતે હવે સ્વનિર્ભર બનવું જ પડશે.
વર્તમાન યુગમાં તમામ ઉત્પાદનો પર એ.આઈ. તથા રોબોટિક્સ સિસ્ટમોનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે જો આપણે પણ મજબૂત બદલાવ તથા પોલિસી નહીં બદલીએ તો સંરક્ષણક્ષેત્રે પાછળ રહી જઈશું, તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણો દેશ કૃષિપ્રધાન ગણાય છે, પરંતુ કૃષિ આધારિત ઉદ્યોગો સહિતના ઔદ્યોગિક એકમો ઝડપભેર વધી રહ્યા છે, અને શહેરો વિસ્તરી રહ્યા છે. મોટા મોટા શહેરોની નજીકના ગામડાઓનું શહેરીકરણ તથા વિલીનીકરણ થઈ રહ્યું છે, તો શહેરો પર વસતિ અને તેની સુવિધાઓ-ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું દબાણ વધી રહ્યું છે. આપણાં શહેરનો હિસ્સો બની ગયા છે. તો ઘણી ગ્રામ પંચાયતો શહેરને સંલગ્ન હોવાથી કેટલુંક વહીવટી તથા સુખ-સુવિધાઓને સંબંધિત સમસ્યાઓ પણ સર્જાતી હોય છે.
ગુજરાતમાં જેમ જેમ ઉદ્યોગો વિકસતા ગયા, તેમ તેમ શહેરીકરણ પણ વધ્યું. વર્ષ-૧૯૮૦ના દાયકામાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મેગા સિટી ગણાતા હતા અને મેટ્રોપોલિટન સિટી બન્યા હતા તે પછી ક્રમશઃ અન્ય શહેરોને પણ મ્યુનિસિપાલિટી અથવા મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો, જેને હવે મહાનગર સેવા સદન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પછી વર્ષ ૨૦૨૫માં પહેલાના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર અને જામનગર મળીને ૮ મ્યુનિસિપલ કોર્પોરેશનો હતા, તેમાં અન્ય ૯ મહાનગરપાલિકાઓનો ઉમેરો થતા ગુજરાતમાં કુલ ૧૭ મ્યુનિ. કોર્પોરેશનો અથવા મહાનગર સેવા સદનો થયા. આમ, નગરોમાંથી મહાનગરો બનવાનું કારણ મૂળભૂત વસ્તી વધારા કરતા પણ વધુ ગામડાના લોકોનું સ્થળાંતર છે. મોટી સંખ્યામાં ગામડાના લોકો વિવિધ કારણોસર શહેરોમાં વસવાટ કરવા લાગ્યા છે.
સરકારે મોટા શહેરોની આજુ-બાજુના વિસ્તારો માટે અર્બન ડેવલપમેન્ટ પ્લાન અમલી બનાવ્યા છે, જેને આપણે જાડા, ખાડા, વાડા, રાડા વગેરે ટૂંકા નામે ઓળખીએ છીએ. ગુજરાતમાં છેલ્લી વસતિ ગણતરી સમયે શહેરી વસતિ ૪૨ ટકાની આજુબાજુ હતી, જેમાં વર્ષ ૨૦૨૧ પછી અત્યાર સુધીમાં ૮ ટકાનો વધારો થયો છે અને શહેરી વસતિ ૫૦ ટકાને ઓળંગી ગઈ છે, તેથી કહી શકાય કે ગુજરાતના ગામડાઓનું ઝડપભેર શહેરીકરણ થઈ રહ્યું છે, અને જે ગામડા મોટા શહેરોથી દૂર છે, તે ભાંગી રહ્યા છે.
અત્યારે ગામડાઓ તથા શહેરોની વસતિ લગભગ સરખી થઈ ગઈ છે, અને વર્ષ ૨૦૨૭માં ગુજરાતની વસતિ લગભગ ૭.૫ કરોડે પહોંચશે, જેમાં શહેરો તથા ગામડાઓમાં ૩૭ અને ૩૮ ટકાની વચ્ચે વસતિ રહેશે. આનો અર્થ એવો થાય કે ગાંધીજીના ગામડાઓનું ગરવુ ગુજરાત હવે શહેરી સ્ટેટ બનવા જઈ રહ્યું છે. એક અંગ્રેજી અખબારે કાઢેલા તારણો, વસતિ ગણતરી ક્ષેત્રના અનુભવીઓ, તદ્વિષયક તજજ્ઞો અને પ્રવર્તમાન કેટલાક ડેટાની દૃષ્ટિએ એટલુ જરૂર કહી શકાય કે ગુજરાત ઝડપભેર ગામડાઓના ગુજરાતની ઓળખ ગુમાવી રહ્યું છે, અને અર્બન સ્ટેટ તરીકેની નવી પહેચાન પણ બનાવી રહ્યું છે. ગુજરાતમાં વિશ્વ બેંકના એ તારણોને સમર્થન મળી રહ્યું છે, જેમાં કહેવાયુ હતું કે વર્ષ ૨૦૫૦ સુધીમાં દુનિયાની ૭૦ ટકા જેટલી વસતિ શહેરી વિસ્તારોમાં રહેતી હોવાનો અંદાજ ઉકત વિવિધ પરિબળોના ઊંડા અભ્યાસ પછી કાઢવામાં આવ્યો છે. કદાચ આ કારણે જ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને અગ્રીમ વિકસિત દેશ બનાવવાના લક્ષ્ય માટે પણ શહેરીકરણને સકારાત્મક બદલાવ ગણાવાઈ રહ્યો છે.
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસના મૂળ બૃહદ મુંબઈ રાજ્ય હતું, ત્યારથી જ ફેલાવા લાગ્યા હતા, પરંતુ કૃષિપ્રધાન રાજ્ય હોવાથી નેશનલ પોલિસીઝ તથા પોલિટિકલ ઈન્ટ્રેસ ગ્રામ્યલક્ષી હતો. ગુજરાત રાજ્યની રચના પછી પણ બે દાયકા વીતી ગયા પછી ધીમે ધીમે વર્ષ ૧૯૯૦ના દાયકાથી ઉદ્યોગો વિકસવા લાગ્યા અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ) ઉદ્યોગોને પ્રોત્સાહનો આપતી નવી નીતિ પણ બની હતી. તે પછી જેમ જેમ ઔદ્યોગિકરણ વધતુ ગયું તેમ તેમ શહેરીકરણ પણ વધતુ ગયું. હાલારમાં પહેલા મીઠાપુરમાં જાયન્ટ ટાટા કંપની, સિક્કાની દિગ્વિજયગ્રામ સિમેન્ટ ફેકટરી અને દ્વારકાની એ.સી.સી. સિમેન્ટ ફેકટરીઓ જ હતી, પરંતુ તે પછી ક્રમશઃ રિલાયન્સ, એસ્સાર આવ્યા, નયારા બન્યુ, બીજી નાની-મોટી વિવિધ ક્ષેત્રની ઘણી ફેકટરીઓ ધમધમવા લાગી, ફર્ટિલાઈઝર તથા માઈન્સ આધારિત ઉદ્યોગો વિકસ્યા, દિગ્જામ જેવી મીલ ધમધમતી રહી. જામનગરનો બાંધણી ઉદ્યોગ તથા બ્રાસ ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો, અને તેના કારણે શહેરોનો વિસ્તાર તથા વસતિ વધવા લાગ્યા. સમયાંતરે દિગ્જામ, એ.સી.સી. જેવા ઉદ્યોગો બંધ થયા, પરંતુ તેની સામે અન્ય મધ્યમ તથા ભારે ઉદ્યોગોનું આગમન થયું, અને આ જ રીતે સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિકરણ તથા શિક્ષણનો વ્યાપ વધતા શહેરીકરણ પણ વધ્યું. આ શહેરીકરણના ફાયદા અને ગેરફાયદા ભલે ગમે તે હોય, પરંતુ વર્તમાન યુગની વાસ્તવિકતા એ જ છે કે હવે શહેરોને વધુ સુદૃઢ, સુવિધાજનક અને ગ્રામ્ય તથા શહેરી સંસ્કૃતિઓનું સંયોજન કરીને વ્યક્તિ વિકાસ, ગ્રામ વિકાસ અને વિસ્તાર વિકાસની દિશામાં વાસ્તવિક તથા નક્કર કદમ ઉઠાવવાનો સમય આવી ગયો છે. કદાચ એટલે જ વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષમાં રાજ્ય સરકારે શહેરી બજેટમાં પણ વધાર્યું અને ૨૦૨૬-૨૭ને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું હશે !
આગામી એક દાયકામાં ગુજરાતની ૫૫ ટકા જનસંખ્યા શહેરોમાં વસવાટ કરતી હશે, તેવો અંદાજ છે, જ્યારે સમગ્ર ભારત દેશમાં આગામી એક દાયકા પછી પણ ગ્રામ્ય વિસ્તારોમાં ૬૦ ટકાથી વધુ વસતિ રહેતી હશે. આમ રાષ્ટ્રીય સરેરાશ સાથે સરખાવીએ, તો ગુજરાતનું ઝડપી શહેરીકરણ થઈ રહ્યું છે, જેના લાભાલાભો અંગે અત્યારે તો માત્ર અટકળો જ કરવી રહી !
આવું થવા પાછળના કારણોમાં અગાઉ વાત થઈ, તે મુજબ, ઔદ્યોગિકરણ અને શિક્ષણનો વ્યાપ વધવા જેવા કારણો તો છે જ, તે ઉપરાંત પણ ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારી, ગુંડાગીરી, શૈક્ષણિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની કમી, માલેતુજારને મદદરૂપ થાય તેવી નીતિઓ તથા મુખ્ય રાજકીય પક્ષોનું પડદા પાછળનું "ઈલૂ-ઈલૂ" પણ જવાબવાર ગણી શકાય. ટૂંકમાં શહેરીકરણ તથા આધુનિકરણના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે.
ગામડાઓને તદ્દન ભાંગવા પણ ન દઈ શકાય અને શહેરોને વિકસતા પણ અટકાવી નહીં શકાય કે વિસ્તરતા પણ અટકાવી શકાય તેમ નથી. તેથી હવે સરકાર અને સમાજે શહેરો ભલે વિકસતા રહે, પરંતુ ગામડાઓને તદૃન ભાંગવા નહીં દેવા માટે સહિયારા અને પડકારરૂપ પ્રયાસો કરવા જ પડશે, અન્યથા આપણે આપણી પ્રાચીન અને બુનિયાદી ગરિમા તથા સંસ્કૃતિ જ ગુમાવી દઈશું...જાગ્યા ત્યારથી સવાર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવવાના હતા, પરંતુ હવામાનમાં પલટો આવ્યા પછી તેઓ ઉડાન ભરી શક્યા નહીં, પરંતુ તેઓએ જામનગરના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાં વર્ચ્યુલ હાજરી આપી અને ખેડૂત સંમેલન-સંબોધન પણ કર્યું.
યોગાનુયોગ ગઈકાલે જ બપોર પછી ચક્રવાત જેવો તોફાની પવન ફૂંકાયો. આ મિની વાવાઝોડામાં હોર્ડિંગ્સ-બોર્ડ-સોલાર પેનલ્સ તથા ઝુંપડાઓના છાપરાઓ જેવી ચીજવસ્તુઓ ઉડવા લાગી. ઘણાં વૃક્ષો અને થાંભલાઓ પડી ગયા, માલ-મિલકતને ઘણું નુકસાન થયું, અને સૌથી વધુ નુકસાન આ વંટોળિયાની સાથે થયેલા કમોસમી વરસાદના કારણે ખેતીવાડીને થયું. હજુ સવારે જ મુખ્યમંત્રીએ ખેડૂતોને કરેલા સંબોધનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિલક્ષી નીતિ તથા ખેડૂતલક્ષી યોજનાઓની વાતો કરી હતી. હવે તે જ દિવસે આવેલી આ કુદરતી આફતના કારણે થયેલા વ્યાપક નુકસાન બદલ રાજ્ય સરકાર ખેડૂતોને રાહત આપે અને નવું રાહત પેકેજ જાહેર કરે તેવી અપેક્ષાઓ ખેડૂતો રાખી જ રહ્યા હશે. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની પડખે ઊભી હોવાનો હંમેશાં દાવો કરતી રાજ્ય અને કેન્દ્ર સરકાર આ કુદરતી આફત પછી કેટલી ઝડપથી ખેડૂતોને સહાયભૂત થવાનું જાહેર કરે છે તે...
સામાન્ય રીતે નેતાઓ વાયદાઓ કરવામાં અને જાહેરાતો કરવામાં હંમેશાં પાવરધા હોય છે અને મીઠી-મધુરી ભાષામાં નવા નવા વચનો આપતા રહેતા હોય છે. પરંતુ પછી થી બધું ભૂલી જવાનું હોય છે. જો કે, ઘણાં નેતાઓ એવા પણ હોય છે, તેઓ વાયદાઓ કે વચનો આપવાના બદલે ડાયરેકટ એકશન લેતા હોય છે, અને વાસ્તવમાં લોકોના દુઃખમાં સહભાગી થતા હોય છે.
ઘણાં નેતાઓ જ કહે છે, તે અવશ્ય કરતા હોવાનો દાવો કરતા હોય છે અને કદાચ ઘણાં નેતાઓ પોતાના વચનો-વાયદાઓ કે લોકોને આપેલા આત્મવિશ્વાસ મુજબના કદમ ઉઠાવીને પોતાનું બોલેલું યથાર્થ ઠેરવતા હશે, પરંતુ જેઓ જનતાને સંપૂર્ણ સમર્પિત હોય છે, જનતાની સમસ્યાઓને સમજતા હોય છે, અને લોકોની મુશ્કેલીઓને ઓળખી શકતા હોય છે, તેઓને બોલવાની, વચનો આપવાની કે વાયદાઓ કરવાની જરૂર જ પડતી હોતી નથી, કારણ કે તેઓ સીધા જનલક્ષી તથા જરૂરી કદમ તત્કાળ એન સમયોચિત ઢબે ઉઠાવી જ લેતા હોય છે.
કોઈપણ કુદરતી આફત આવે, ત્યારે ખેડૂતો તથા અન્ય લોકોને હાલાકી ભોગવવી પડે અને નુકસાન થાય, તેવા સમયે તેઓને તત્કાળ સાંત્વના અને આશ્વાસનોની સાથે સાથે તત્કાળ કોઈપણ પ્રકારની મદદ કે સધિયારાની જરૂર હોય છે, અને તેવી મદદ ઝડપભેર મળી જાય તો જગતનો તાત તે કાયમી ધોરણે યાદ રાખતો હોય છે, પરંતુ ગઈકાલે આવી તેવી કે તેથી વધુ હાનિકર્તા આફતો આવ્યા પછી મોટી મોટી જાહેરાતો થાય, પરંતુ તેના સર્વે કરાવવા, ફોર્મ ભરાવવા અને લાંબી લાંબી પ્રક્રિયા કરવામાં આવે, તે પછી પણ જો નુકસાનીના પ્રમાણમાં નહીંવત જ રાહત મળે તો ખેડૂતોમાં તથા અન્ય પીડિતોમાં પણ સ્વાભાવિક રીતે જ અસંતોષ રહેતો હોય છે.
ઘણી વખત કોઈ કુદરતી આફત પછી રાહત પેકેજ જાહેર થાય, અને તેના સંદર્ભે સર્વેક્ષણ અને અન્ય પ્રક્રિયા એટલી લાંબી ચાલે કે ત્યાં સુધીમાં બીજી કુદરતી આફત વરસી પડી હોય, તેવા સમયે પીડિતોને બેવડો માર પડતો હોય છે. આવું ઘણી વખત થયું પણ છે. જો કે, કેટલાક રાહત પેકેજો સમયોચિત અને ન્યાયસંગત રીતે ચૂકવાતા હોય છે, પરંતુ મોટા ભાગે તેવું થતું હોતું નથી.
જામનગરમાં તો ૫૦થી વધુ વૃક્ષો પડી ગયા તથા વીજલાઈનના ટાવરો પડી જતા કેટલોક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જામનગરની જેમ જ રાજ્યભરમાંથી વિવિધ ક્ષેત્રે થયેલા વ્યાપક તથા લોકોને પહેલી હાલાકીના અહેવાલો ઘણાંજ અકળાવનારા તથા સાર્વત્રિક અને ચિંતાજનક પણ છે.
આ પ્રકારની કુદરતી આફતો પછી ખેતી તથા ખેડૂતોને થતા નુકસાન પછી તેઓને મદદરૂપ થવા સમયસર અને સંતોષકારક રાહત પેકેજ તો જાહેર થવા જ જોઈએ, પરંતુ તેની સાથે સાથે આ જ કારણે પશુપાલકો, નાના વ્યાવસાયિકો, ખેત મજૂરો કે ખેતીવાડીને સંલગ્ન કામ-ધંધા તથા પેઈડ સેવાઓને થયેલા નુકસાન પછી તેવા અત્યંત જરૂરતમંદ લોકોને પણ કોઈને કોઈ પ્રકારે રાહત મળી રહે અને પુનઃ સ્થાપનમાં મદદ મળી રહે, તેવા રાહત પેકેજો પણ જાહેર થવા જોઈએ, કારણ કે, કુદરતી આફતો પછી જિંદગીની ગાડી પુનઃ પાટે ચડાવવા અને વ્યવસાય-ધંધામાં ટકી રહેવા એ કમનસીબ લોકોને પણ ઘણો જ સંઘર્ષ કરવો પડતો હોય છે.
કુદરતી આફતો અને તેના કારણે થયેલા નુકસાનને રાજનીતિનો વિષય બનાવવાના બદલે શાસકપક્ષ અને વિપક્ષો સાથે મળીને પીડિતો તથા જરૂરતમંદોને મદદરૂપ થાય અને રાજધર્મનું પાલન કરે તે પણ અત્યંત જરૂરી છે, પરંતુ વિપક્ષો દ્વારા થતી સારી રજૂઆતોને રાજનીતિ ગણાવીને તેની વગોવણી કરવી યોગ્ય નથી, તેવી જ રીતે સરકારે ઉઠાવેલા યોગ્ય કદમથી ખરેખર લોકોને રાહત પહોંચી હોય, છતાં માત્ર નકારાત્મક ઢબે ટીકા કરવી એ પણ યોગ્ય નથી. કુદરતી આફતો હોય કે આગ-અકસ્માત-દુર્ઘટનાઓ હોય, પીડિત જનતાની પડખે ઊભા રહેવાની ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓની પવિત્ર ફરજ છે અને તેમાં કોઈ જનતા પર ઉપકાર કરતું નથી, તે પણ સમજી લેવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર મહાનગરપાલિકા, હાલારની તાલુકા-જિલ્લા પંચાયતો તથા ઘણી નગરપાલિકાઓની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગઈકાલે આમઆદમી પાર્ટીએ નગારે ઘા ગજવી દીધો છે. અને એક પત્રકાર પરિષદમાં ગુજરાતની તમામ ૧૨ હજાર જેટલી (સ્થાનિક સ્વરાજ્યની) બેઠકો પર આમઆદમી પાર્ટી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે, તેવી ઘોષણા કરી દીધી છે. આ કારણે આ વખતે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે તાલુકા-જિલ્લા પંચાયતો અને પાલિકા-મહાપાલિકાઓમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે, તે લગભગ નક્કી થઈ ગયું છે.
પ્રેસ કોન્ફરન્સમાં જાહેર થયેલી આમઆદમી પાર્ટીની ચૂંટણીની વ્યૂહરચના, રણનીતિ, ચૂંટણી સમિતિઓની રચના, સેન્સ પ્રક્રિયા, ઉમેદવારોની પસંદગી અને પ્રચાર-પ્રસાર વ્યવસ્થા તથા એકજૂથ થઈને ચૂંટણી પૂરી તાકાતથી લડવાની તત્પરતા સાથેની વિસ્તૃત માહિતી અપાઈ, ત્યારે એવું જણાતું હતું કે આ વખતે આમઆદમી પાર્ટી ફ્રન્ટફૂટ પરથી ચૂંટણી લડશે અને ગુજરાતમાં ભાજપનો મજબૂત વિકલ્પ બનીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઝળહળતો વિજય મેળવવા માટે પૂરી તાકાત લગાડી દેશે, તેવા સંકેતો પણ પ્રેસ કોન્ફરન્સમાં આમઆદમી પાર્ટીના પ્રાદેશિક નેતાઓની બોડી લેન્ગવેજ પરથી વર્તાઈ રહ્યા હતા.
જો કે, આ પ્રેસ કોન્ફરન્સમાં આમઆદમી પાર્ટીના પ્રાદેશિક નેતાઓએ ઉમરેઠ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે આમઆદમી પાર્ટીની રણનીતિના પત્તા ખોલ્યા નહીં, અને રાષ્ટ્રીય નેતાઓ સાથે પરામર્શ પછી નિર્ણય લેવાશે, તેવી જે વાત કરી તે ઘણી જ સૂચક છે.
ગુજરાતની રણનીતિને જાણતા કેટલાક વિશ્લેષકો હજુ પણ આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને મહાત આપવા માટે જિલ્લાવાર અલગ-અલગ રણનીતિ અખત્યાર કરશે, તેવા અભિપ્રાયો આપી રહ્યા છે, પરંતુ મોટા ભાગે રાજકીય પંડિતો એવું માની રહ્યા છે કે શરાબ કૌભાંડમાં રાઉઝ એવન્યૂ કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા પછી અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદીયા જેવા નેતાઓ બમણાં જોરથી ગુજરાતમાં પ્રચાર કરશે અને હાઈકોર્ટમાં થયેલી અપીલમાં કોઈ વિપરીત સ્થિતિ ઊભી નહીં થાય, તો આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી જ એકલા હાથે ફતેહ હાંસલ કરીને રાષ્ટ્રીય તથા પ્રાદેશિક કક્ષાએ પોતાની સ્થિતિ અત્યંત મજબૂત કરવાની રણનીતિ આમઆદમી પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ જરૂર અપનાવશે અને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સામે સંયુક્ત રીતે લડશે, તેવા સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે.
આ વખતે રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એ.પી. સેન્ટર આમઆદમી પાર્ટી માટે સૌરાષ્ટ્ર બનશે અને તેમાં પણ હાલારની અગ્રિમ ભૂમિકા હશે, કારણ કે આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી ખંભાળીયાના વતની છે, જ્યારે આમઆદમી પાર્ટીના બે ધારાસભ્યો સૌરાષ્ટ્રના છે, તથા તે પૈકી હેમંતભાઈ ખવા જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્ય તરીકે લાંબા સમય સુધી સેવાઓ આપનાર વિક્રમભાઈ માડમની કર્મભૂમિ પણ ખંભાળીયા અને જામનગર છે, તો જામનગર કોગ્રેસ દ્વારા તાજેતરમાં જમ્બો ટીમ જાહેર કરાઈ છે, જેમાં ૧૧ ઉપપ્રમુખો, ૯ મહામંત્રી અને ૨૪ મંત્રીઓ નિમાયા છે. દ્વારકા જિલ્લામાં પણ વિક્રમભાઈ માડમની ટીમ છે. તેથી ત્રિપાંખીયો જંગ ખેલાય તો પણ કોંગ્રેસ પણ પૂરી તાકાતથી ચૂંટણી લડશે અને ફાઈટ આપશે, તે સ્પષ્ટ છે. જામનગર શહેરમાં પણ દિગુભા જાડેજાની ટીમ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી છે, જેને કોંગ્રેસના સ્થાનિક અને પ્રાદેશિક કક્ષાના નેતાઓનો સક્રિય ટેકો રહેશે, તે સ્વાભાવિક છે.
જો કે, પ્રવર્તમાન સમયમાં જ્યાં જ્યાં વહીવટદારો નિમાયા છે, તે મોટા ભાગની જિલ્લા-તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન હતું. જામનગરમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની ટીમ તો મહાનગરપાલિકાની ચૂંટણી માટે સક્રિય છે જ, પરંતુ સંસદ સભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો અને જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના પૂર્વ હોદ્દેદારોની ટીમ તથા વ્યાપક કાર્યકર્તાઓની સંગઠન શક્તિ સાથે ભાજપ પણ પોતાનો દબદબો જાળવવા એડીચોટીનું જોર લગાવશે, તે પણ સ્વાભાવિક છે. તે ઉપરાંત રાજ્ય અને કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકારોનો પરોક્ષ ફાયદો પણ ભાજપને મળવાનો છે. હાલાર અને સૌરાષ્ટ્રમાં ભાજપના ઘણાં દિગ્ગજો છે, જે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને ટક્કર આપવા અને વિજયનો વાવટો દોહરાવવા અત્યારથી જ રણનીતિ ઘડી રહ્યા છે.
ભાજપનું શાસન જ્યાં જ્યાં હતું, ત્યાં ત્યાં થયેલા વિકાસ અને લોકલક્ષી યોજનાઓમાં પ્રજાને સંતોષ હશે, તો તેનો ફાયદો પણ ભાજપને મળશે, પરંતુ તેવી જ રીતે જો એન્ટી ઈન્કમ્બન્સી વધુ વ્યાપી ગઈ હશે, તો તેનો ઝટકો પણ ભાજપને લાગી શકે છે, આવું થાય તો તેનો સીધો અને વધુ ફાયદો આમઆદમી પાર્ટીને થશે કે પછી કોંગ્રેસને થશે તે અંગેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
જામનગરની વાત કરીએ તો નગરની વર્ષો જૂની અનેક સમસ્યાઓ જેમની તેમ છે, અને જાયન્ટ કરપ્શનના આરોપો વિપક્ષો લગાવી રહ્યા છે, તે ઉપરાંત માળખાકીય સુવિધાઓ સરકારી કામકાજ તથા સુખ-સુવિધાઓના મુદ્દે ઘણાં સ્થળે લોકોમાં જોરદાર નારાજગી હોવાથી તેનો ફાયદો આપ અને કોંગ્રેસને મતોના સ્વરૂપમાં મળી શકે છે. તેનાથી વિપરીત જ્યાં જ્યાં લોકોને શાસકોથી સંતોષ હશે, અથવા નારાજગી વ્યાપક નહીં હોય અથવા તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન સમયે પણ સ્થાનિકના બદલે રાષ્ટ્રીય નેતૃત્વ પ્રત્યેનો લગાવ અસર કરશે તો ભાજપને ફાયદો થશે. જો કે, તેનાથી ઉલટુ રાજ્ય કે કેન્દ્ર સરરાર પ્રત્યેની એન્ટી ઈન્કમ્બન્સી ભાજપને રાજકીય નુકસાન પણ પહોંચાડી શકે છે, તેથી જામનગર મહાનગરપાલિકા અંગે અત્યારથી અનુમાન કરવું વહેલું ગણાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર મહાનગરપાલિકાએ કેટલાક લોકો વેરો નહીં ભરતા હોવાથી જે તે આખા વિસ્તારનો પાણી પૂરવઠો બંધ કરવાની જાહેરાત કરી તેની સામે ઉહાપોહ ઉઠ્યો હતો. ઘણી સોસાયટીઓમાં વર્ષોથી રહેતા નાગરિકો પહેલેથી જ તદ્દન નિયમિતપણે પાણીવેરા સહિતનો તમામ કરવેરો જામનગર મહાનગરપાલિકાને ચૂકવતા આવ્યા છે, અને તે પૈકી ઘણાં લોકો એવા છે કે જેઓની પાસે જામનગર મહાનગરપાલિકાના પાણીના જોડાણ સિવાય પાણીનો બીજો સોર્સ કે બોર-કૂવો પણ નથી, તેવા લોકોની સ્થિતિ કેવી કફોડી થશે, તેનો જરા પણ વિચાર કર્યા વિનાનો કથિત નિર્ણય તત્કાળ ફેરવવો જ પડે તેમ હતો, કારણ કે આ પ્રકારની અન્યાયી તથા અણઘડ જાહેરાત મૂળમાંથી જ ખોટી ગણાય.
ઘણાં લોકો વીજળી બીલ નથી ભરતા તો વીજ કંપનીવાળા બીલ નહીં ભરનારનું જ કનેકશન કાપે, અને તે પછી નિયમાનુસાર દંડ ભરાવે, રિકનેકશન ચાર્જ ભરાવે અને બાકી બીલ વસુલે તે પછી જે-તે ગ્રાહકોનો વીજ પુરવઠો ચાલુ કરે. આ પ્રક્રિયા બીલ નહીં ભરનારને વ્યક્તિગત અસર કરે છે, તેના બદલે જે વિસ્તારમાં કેટલાક લોકોએ વીજ બીલ ન ભર્યું હોય, તો તે આખા વિસ્તારને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે તો શું થાય ?
નિયમિત પણે વેરાઓ ભરનારાઓનો પાણી પુરવઠો એક દિવસ માટે પણ કોઈપણ કારણ વિના મનસ્વીપણે બંધ કરવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંત તથા દેશના બંધારણે નાગરિકોને આપેલા મુળભૂત અધિકારોનો પણ ભંગ છે, તેથી આ પ્રકારનો નિર્ણય લેવાયો હોય કે તે અમલમાં મૂકાયો હોય, કે પછી તે પ્રકારનો ડર દેખાડાઈ રહ્યો હોય, તો તે કાનૂની દૃષ્ટિએ પણ યોગ્ય ઠેરવી નહીં શકાય. આ અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત થશે તેવા સંકેતો મળતા તંત્રો દોડતા થયા છે.
બીજી તરફ નાગરિકોની પણ ફરજ છે કે તમામ કરવેરા નિયમિત ભરવા જોઈએ. જો કરવેરા નહીં ભરીએ, તો વિવિધ સેવા-સુવિધાઓનો પણ હક્ક રહેશે નહીં. અને સુકા સાથે લીલું બળે, તેમ નિયમિત કરવેરાઓ ભરનારાઓને પણ વગર વાંકે મુશ્કેલી ભોગવવી પડે. આથી બાકીદારોએ તત્કાળ વેરો ભરવો જોઈએ, અને તંત્રોએ પણ આખા વિસ્તારના વાલ્વ બંધ કરીને પાણી પુરવઠો અટકાવવાના બદલે નોટીસો અપાઈ હોય, તેવા મકાનોના જ નળ જોડાણો કાપવા જોઈએ.
દૃષ્ટાંત તરીકે હાલારમાં વીજ વિભાગની વર્તુળ કચેરી દ્વારા મેગા-ડીસ કનેકશન ડ્રાઈવ ચાલી રહી છે, અને વીજળીના કરોડો રૂપિયાની વસુલાત માટે ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ કવાયતમાં બંને જિલ્લાની ત્રણ ડઝન જેટલી કચેરીઓની સાડા ત્રણસોથી વધુ ટીમો કામે લાગી હતી. આ ટીમો બાકીદારોના વીજ કનેકશનો કાપીને નિયમાનુસાર કડક કાર્યવાહી પણ કરી રહી છે, પરંતુ આ કાર્યવાહી માત્ર બાકીદારો સામે જ વ્યક્તિગત રીતે કરવામાં આવે છે. જો વીજ કંપની પણ જામ્યુકોના તંત્ર જેવી જ મુર્ખામી કરે, તો અંધારપટ્ટ જ સર્જાઈ જાય ને ?
જામ્યુકોનો આ અંગે ઉહાપોહ ઉઠયા પછી ના છૂટકે પરોઠના પગલા ભરવા પડે અને પછી પાણી પુરવઠો તત્કાળ ચાલુ કરવો પડે તેવા સંજોગોમાં હકીકતે બાકીદારો હોય, તેઓ પણ તેનો ગેરલાભ ઉઠાવે, તે પહેલા જ જરૂરી ચોખવટ કે સુધારો કરીને નિયમિત કરવેરા ભરતા કોઈપણ નાગરિકનો પાણી પુરવઠો એકાદ દિવસ પૂરતો પણ અટકાવાય નહીં તેેની કાળજી જરૂરી હતી.મુખ્યમંત્રી સ્વયં આ અંગે તંત્રને નિર્દેશો આપશે, તેવી આશા નગરજનોને પણ છે. જ્યાં સુધી નિયમિત બીલ ભરનારાઓ તથા નિયમિત કરવેરા ભરનારાઓને તકલીફ નહીં પડે કે હેરાન નહીં થવુ પડે, ત્યાં સુધી ઠીક છે, અન્યથા આ પ્રકારે સત્તાના દુરૂપયોગ સામે તો અદાલતોના દ્વારા પણ હંમેશાં ખૂલ્લા જ રહેતા હોય છે, તે ભૂલવું ન જોઈએ.
આ મુદ્દે જનતાની દુભાવેલી ભાવનાને વાચા આપવા "નોબત" દ્વારા તા. ૧૬ માર્ચે ચોથા પાને પ્રજાને "પડતા પર પાટુ" જેવી સ્થિતિમાં થોડો સમય પાણી પુરવઠો બંધ નહીં કરવાની પણ અપીલ તંત્રોને કરાઈ હતી, તેમ છતાં તે જ દિવસે આ જાહેરાત થઈ અને બીજા દિવસે અમલ સાથે તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર થયો તેથી નિયમિત કરવેરા ભરતા પ્રામાણિક નાગરિકોનું દિલ દુભાયુ છે, તેથી આ પ્રકારનો મનસ્વી નિર્ણય માત્ર મોકુફ રાખ્યે કે પાછો ખેંચ્યે નહીં ચાલે, પરંતુ તંત્રવાહકોએ આ બદલે જનતાની માફી પણ માંગવી જોઈએ, ખાસ કરીને પ્રામાણિક કરદાતાઓની માફી માંગવી જોઈએ, તેમ નથી લાગતું ?
જ્યાં સુધી આ પ્રકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તામાં હતા, ત્યાં સુધી આટલા કડક પગલાં બહુ લેવાયા નહીં, અને હવે વેરા વસુલાતની કડક ઝુંબેશો ચાલી રહી છે, તે આગામી ચૂંટણીમાં પણ પડઘાશે અને નિયમિત અને પ્રામાણિક રીતે કરવેરા ભરતા નગરજનોમાં નારાજગી હશે, તો તે પણ રિફલેકટ થશે, તે પણ હકીકત છે. તે ઉપરાંત જિલ્લા અદાલત કે હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી પણ થઈ શકે છે તેથી ભવિષ્યમાં આ પ્રકારના નિર્ણયો લેતા પહેલા તકેદારી રખાશે તેમ ઈચ્છીએ.
ટૂંકમાં પાણી પુરવઠો (સેનિટેશન) વીજળી પુરવઠો જેવી જીવન જરૂરી સેવાઓ અચાનક અને સામૂહિક રીતે આખા વિસ્તારો માટે નિયમિત વેરા કે બીલો ભરનારાઓને પણ દંડાવુ પડે તેવી રીતે બંધ કરવી તે અન્યાયકર્તા અને અમાનવિય હરકત ગણાય. વેરા નહીં ભરતા લોકોને જરૂરી નોટીસો આપી દીધા પછી તેના વ્યક્તિગત જોડાણો કાપવાનો તંત્રને અધિકાર હશે, પરંતુ આખે આખી સોસાયટીઓ, ટાઉનશીપો કે વિસ્તારોનો પાણી પુરવઠો અટકાવવો એ જરાયે ન્યાયસંગત નથી. આ અંગે વહીવટદાર અને મ્યુનિ. કમિશનર ચોખવટ કરશે અને તંત્રમાં ટોપ-ટુ-બોટમ યોગય સૂચનાઓ અપાશે તેવું ઈચ્છીએ. અત્યારે તો આ વિવાદાસ્પદ પ્રક્રિયા સ્થગિત કરાઈ હોવાથી ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતીમાં એક વાર્તા ઘણી જ પ્રચલીત છે, જેને તળપદી ભાષામાં વર્ણવાઈ છે. "મોટાઈનો ડંડિકો" નામની આ વાર્તા વિશ્વકક્ષાના ઘણાં ધૂરંધરોથી લઈને વિવિધ ક્ષેત્રના માંધાતોને પણ ટકોર કરે છે. આ માર્મિક વાર્તા આમ તો બાળવાર્તા જેવી જ લાગે, પરંતુ તેનો મર્મ અને હાર્દ ઘણું જ ગહન અને મંથનયોગ્ય છે. તદ્દન સાદી-સીધી અને સરળ ભાષામાં વર્ણવાયેલી આ વાર્તા આજે વૈશ્વિક અશાંતિના વમળોમાં ફસાયેલા કેટલાક દિગ્ગજોને આબેહૂબ લાગુ પડે છે. ખાસ કરીને, પોતાની એક ચોક્કસ મજબૂત ઈમેજ બનાવનારી મહાશક્તિશાળી શખ્સયિતોને આ વાર્તા એકદમ ફીટ બેસી જાય તેવી છે.
આ વાર્તા સસલાઓની મિટિંગમાં રાજા નક્કી કરકવાનો પ્રસ્તાવ પસાર થાય, ત્યાંથી શરૂ થાય છે, એક જંગલમાં સસલાઓએ મિટિંગ યોજી અને સસલાઓનો મુખિયા (રાજા) નક્કી કરવા માટે પ્રસ્તાવ મૂક્યો, આ સમયે એક તંદુરસ્ત અને દૃઢ ગણાતા સસલાએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો, અને સસલા સમાજે તેને રાજા તરીકે નિયુક્ત કરીને ઊંચા સ્થાને બેસાડયો. તે પછી આ રાજા બનેલુ સસલુ ખૂબ રાજી થયું અને સસલા સમાજને સમાજજોગુ સંબોધન કર્યું, પરંતુ સભા બરખાસ્ત થાય, તે પહેલા એક બુદ્ધિશાળી સસલાએ એક કવેરી કાઢી અને સમસ્યા રજૂ કરી.
એ બુદ્ધિશાળી સસલાની વાત તો બધાને ગળે ઊતરી ગઈ અને સમસ્યા ૧૦૦ ટકા સાચી પણ લાગી, તેથી સમગ્ર સસલા સમાજ આ સમસ્યાનો હલ શોધવા "ચિંતન" કરવા લાગ્યો. ચર્ચા-પરામર્શ, વિચાર-વિમર્શ અને અભિપ્રાયોની આપ-લે થયા પછી સમસ્યાનો ઉપાય સ્વીકૃત થયો અને તેનો અમલ પણ થયો.
કવેરી અથવા સમસ્યા એ હતી કે તમામ સસલાઓ સરખા દેખાતા હોવાથી જે સસલુ રાજા બન્યુ છે, તેને ઓળખવું કેમ ?...તેનો ઉપાય એ નીકળ્યો કે એ સસલાના પૂંછડે ડંડિકો (લાકડીનો ટૂકડો) મજબૂત બાંધી દેવો..જેથી તે રાજા છે, તેવી ઓળખ થઈ શકે.
રાજા બનેલુ સસલુ પણ ખૂબ ખુશ હતું, અને રાજાના મૂગટ સમાન પૂંછડે બાંધેલો ડંડિકો ઊંચો રાખીને ફરવા લાગ્યું.
એક વખત સસલા સમાજની એક સમિતિ હિંસક પ્રાણીઓથી પોતાની સોસાયટી (સમાજ)ને બચાવવાના ઉપાયો માટે ભેગી મળી હતી, ત્યારે જ સિંહની ગર્જના અને વાઘની ત્રાડ સંભળાઈ. બધા સસલા ભાગવા લાગ્યા અને સસલા રાજા પણ ભાગ્યા, બીજા સસલાઓ ઝડપથી ભાગવા લાગ્યા પરંતુ, ડંડિકાના ભારના કારણે સસલા રાજા બહુ ઝડપથી દોડી શકતા નહોતા, પરંતુ પૂરા પ્રયાસો કરીને જીવ બચાવવાના ફાંફા મારી રહ્યા હતા. ભાગતા ભાગતા પૂંછડે બાંધેલો ડંડિકો બે ઝાડી-ઝાંખરા વચ્ચે એવો ફસાયો કે ઘણું જોર કરવા છતાં સસલુ ભાગી શક્યું નહીં, અને જંગલી પ્રાણીનું શિકાર થઈ ગયું.
આ ગુજરાતી વાર્તા અત્યારે કેટલાક દિગ્ગજોને આબેહૂબ લાગુ પડે છે. અત્યારે સમગ્ર વિશ્વમાં યુદ્ધનો માહોલ છે. વર્ષોથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ તથા ઈઝરાયલ-ઈરાન-અમેરિકા વચ્ચેના પ્રવર્તમાન યુદ્ધ વચ્ચે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ સૈન્ય સંઘર્ષ થઈ રહ્યો છે, તથા એરસ્ટ્રાઈક તથા સરહદી હૂમલાઓ થઈ રહ્યા છે. બીજી તરફ દુનિયાના દેશો ઉર્જા સંકટ, મોંઘવારી અને બેરોજગારીના ખપ્પરમાં ધકેલાઈ રહ્યા છે. શહેરની શેરીઓથી લઈને રાજધાની ના રાજમાર્ગો સુધી લોકો ગેસના બાટલા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિના માસ્ટર માઈન્ડ તરીકે દુનિયાના દેશો ડોનાલ્ડ ટ્રમ્પને આગળ કરી રહ્યા છે, જેઓ વર્તમાન ઘટનાક્રમના સર્જક પણ છે, અને ઉત્તેજક પણ છે.
પ્રવર્તમાન સ્થિતિમાં જે યુદ્ધો ચાલી રહ્યા છે, તેમાં વાસ્તવિક યુદ્ધો કરતાંયે વધુ તેનું વ્યાપક અને આભાસી ચિત્ર રજૂ કરવાનું સમાંતર મીડિયાવોરની મોટી ભૂમિકા છે. એવું કહેવાય છે કે યુદ્ધમાં દુશ્મન દેશને વ્યાપક નુકસાન અને પોતાને નહીંવત નુકસાન બતાવવા માટે સોશ્યલ મીડિયાનો વ્યાપકપણે દુરૂપયોગ થઈ રહ્યો છે, તો સંચાર, ઈન્ટરનેટ અને પ્રેસ મીડિયાના માધ્યમોથી મોટા મોટા દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે ફેક ન્યુઝ તથા પ્રોપાગન્ડા ફેલાવવા માટે એ.આઈ.નો દુરૂપયોગ કરીને જુઠ્ઠા વીડિયો અને પ્રેઝન્ટેશન બતાવાઈ રહ્યા છે અને વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે સસલાના પૂંછડે ડંડિકો બાંધ્યો હોય તેવી જ હાલત અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ થઈ ગઈ હોય, તેમ જણાય છે.
દુનિયામાં માત્ર અમેરિકા જ શક્તિમાન દેશ છે અને ટ્રમ્પ જ બુદ્ધિશાળી વૈશ્વિક નેતા છે, તેવા સ્વયં ભ્રમમાં રહેતા ટ્રમ્પના ટેરિફાતંક પછી હવે ઈરાન સાથે યુદ્ધ કરીને સર્વસત્તાધિશ બનવાના અભરખાના કારણે ટ્રમ્પ દુનિયાના નીતિ-નિયમો તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓ-સમજૂતિઓનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે, પરંતુ ઈરાને નમતુ નહીં જોખ્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનથી મૂક્ત અને સુરક્ષિત કરવા માટે અમેરિકાને યુરોપીય દેશો, નાટો અને કેટલાક મિત્ર દેશોનો સહયોગ નહીં મળતા ટ્રમ્પે નાટો દેશોને ધમકી આપી દીધી હતી.
ટૂંકમાં,ટ્રમ્પની સ્થિતિ અત્યારે પૂંછડે ડંડિકો બાંધેલા સસલા રાજા જેવી છે, અને આવી જ સ્થિતિ પોતાને સર્વશક્તિશાળી અને સમર્થ માનતા અન્ય ઘમંડી વૈશ્વિક નેતાઓ માટે બોધપાઠરૂપ પણ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આખી દુનિયાને ટેરિફના મુદ્દે ગોટાળે ચડાવ્યા પછી ટ્રમ્પે દુનિયાને રણભૂમિમાં બદલી નાખી છે અને હોર્મુઝના માર્ગે દરિયાઈ પરિવહન મોટાભાગે બંધ કરાવીને ઈરાને જાણે આખી દુનિયાનું ગળુ દબાવી દીધુ હોય તેમ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રૂડના ભાવ વધ્યા અને પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પુરવઠો ખોરવાયો, તેમાં પણ રાંધણગેસની તંગીના કારણે ભારતમાં ડબલ એન્જિનની સરકારો ફિક્સમાં મૂકાઈ ગઈ હોય તેમ જણાય છે.
આ અજંપાભર્યા વૈશ્વિક માહોલની વચ્ચે ભારતી ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભાઓની જનરલ ચૂંટણી જાહેર કરી દેતા હવે ચૂંટણી જંગ જામશે, અને દેશભરમાં રાજકીય માહોલ ગરમાશે. પાંચમાંથી ચાર રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે, જ્યારે પ. બંગાળમાં બે તબક્કામાં મતદાન થશે. આ ઉપરાંત કેટલીક પેટા ચૂંટણી થશે, જેમાં ગુજરાતના ઉમરેઠના ધારાસભ્યનું નિધન થતા ખાલી પડેલી વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી પણ સામેલ છે. આ કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની નોબત વાગે, તે પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે અને અત્યારથી ત્રણેય રાજકીય પક્ષો ચોગઠાં ગોઠવવા લાગ્યા છે.
આ પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં તો વિપક્ષની સરકારો છે, તમિલનાડૂ, કેરળમ્ અને પ. બંગાળમાં વિપક્ષોની રાજય સરકારો છે, જ્યારે આસામમાં ભાજપની તથા પુડ્ડુચેરીમાં ભાજપ સમર્થિત ભારતીય આર.એન. કોંગ્રેસની સત્તા છે. જો કે, ભાજપ પ. બંગાળમાં મમતા બેનર્જીનો લોકતાંત્રિક માર્ગે તખ્તાપલટ કરીને ભાજપની સકરાર રચવાના સપના સેવી રહ્યું છે, તો કોંગ્રેસને પણ આ વખતે મમતા બેનર્જીની એન્ટી ઈન્કમ્બન્સીનો ફાયદો મળે તો પ્રબળ જનાદેશની આશા છે. સૌથી વધુ રસપ્રદ ચૂંટણી પણ પ.બંગાળમાં જ થવા જઈ રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે.
આ વખતે રસપ્રદ બાબત એ પણ છે કે આજે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી રહ્યા હતા, તે જ ચીફ ઈલેકશન કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાર્યવાહી આદરી છે. જ્ઞાનેશકુમારે પણ સંકેતોમાં ચેતવણી પણ આપી જ દીધી છે કે ચૂંટણીપંચ બંધારણીય સંસ્થા છે, જે બંધારણની જોગવાઈઓ મુજબ જ ચૂંટણીઓ કરાવે છે, તેથી રાજકીય હિંસા કે મતદારોને લલચાવવાની કોઈ પણ હરકત ચલાવી લેવાશે નહીં, મતલબ કે પ.બંગાળમાં ચૂંટણીપંચ અને રાજય સરકાર માટે પણ પડકારો રહેવાના છે, એટલું જ નહીં, ચૂંટણીપંચની બુઠી તલવાર પણ રાજકીય રીતે મમતા બેનર્જીને ભારે પડી શકે છે.
પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓની સાથે સાથે ૬ રાજ્યોની આઠ વિધાનસભાની ખાલી બેઠકોની પણ પેટા ચૂંટણી છે, જેમાં ગુજરાતની ઉમરેઠ બેઠક ઉપરાંત કર્ણાટક, ગોવા, નાગાલેન્ડ, મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં પણ પેટા ચૂંટણી હોવાથી આ ચૂંટણીઓમાં તમામ મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત જે તે રાજયોના પ્રાદેશિક રાજકીય પક્ષો પણ પૂરી તાકાતથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે, તેથી કોઈ પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે રાજકીય પક્ષો માટે આ વખતે ચૂંટણીઓ જીતવી એટલી સરળ જણાતી નથી, અને પ્રારંભિક ઓપિનિયન પોલ્સનો સીલસીલો પણ ચૂંટણીની તારીખો જાહેર થતા જ શરૂ થઈ ગયો છે.
હજુ તો ગઈકાલે ચૂંટણીપંચે ચૂંટણીની તારીખો જાહેર જ કરી હતી, અને આચાર સંહિતા લાગુ થઈ રહી હોવાથી તંત્રો પણ છેલ્લી ઘડીના કામકાજ અને વહીવટ સમેટી રહ્યા છે, ત્યાં જ પ્રારંભિક ઓપિનિયન પોલના તારણો પણ રજૂ થવા લાગ્યા હતા અને એક ઓપિનિયન પોલે તો પં.બંગાળમાં મમતા બેનર્જી તરફી પરિણામોની શક્યતા પણ જણાવી દીધી હતી. જો કે, ટીએમસીને ૪૩ થી ૪૫ ટકા અને ભાજપને ૧૦૦ થી ૧૧૫ બેઠકો મળવાની શક્યતા સાથે તૃણમુલ કોંગ્રેસને ભાજપ જબ્બર ટક્કર આપશે, તેમ જણાવીને રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસને ૧૩ થી ૧૫ ટકા મતો સાથે માત્ર ૫ થી ૬ બેઠકોની જ સંભાવના જણાવી હતી, જો કે, આ તદ્દન પ્રારંભિક સર્વેક્ષણ છે. કેરળના એક ઓપિનિયન પોલમાં ૧૪૦ બેઠકો પર કોંગ્રેસના ગઠબંધન અને ડાબેરીઓના ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર દર્શાવાઈ છે, હવે ચૂંટણી પ્રચારની જમાવટ થાય અને ઉમેદવારો જાહેર થાય, તથા ભાજપ, કોંગ્રેસ, પ્રાદેશિક પક્ષો, તૃણમુલ કોંગ્રેસ, ડાબેરીઓ ઉપરાંત અન્ય પક્ષો પણ કયાં, કેટલા અને કેવા ઉમેદવારો મેદાનમાં ઉતારે છે, તેના પર બધો મદાર રહેવાનો છે. અત્યારે તો બધા પક્ષો માટે સીધા ચઢાણ જેવું છે અને સ્થિતિ ભરેલા નાળિયેર જેવી છે, તેવું કહી શકાય.
આસામમાં ભાજપ તરફી ઝોકનું અનુમાન કરતા કેટલાક વિશ્લેષકો તમિલનાડૂમાં પણ ઉલટફેરની આશા રાખી રહ્યા છે. જો કે, કેરળમાં સામ્યવાદીઓ સામે કોંગ્રેસના નેતૃત્વવાળુ ગઠબંધન આ વખતે ફાવી જાય, તો નવાઈ જેવું નહીં હોય, જો કે, પુડ્ડુચેરીને લઈને હજુ કોઈ અવધારણા કે ચોક્કસ અંદાજ થઈ રહ્યો નથી, જોઈએ...હવે ચૂંટણી જંગ જામ્યા પછી કેવા કેવા પલટા આવે છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે દેશભરમાં રાંધણગેસની અછતના મુદ્દે ઉહાપોહ છે અને સરકાર "સબ સલામત"ની વાતો જ દોહરાવી રહી છે, પરંતુ ઠેર-ઠેર જોવા મળતા દૃશ્યો કાંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ગેસના બાટલાનું બુકિંગ ઓટોમેટિક સિસ્ટમથી જ થાય છે, તેથી ગેસ એજન્સીઓની ઓફિસોમાં બુકીંગ થઈ શકતુ નથી, અને ઓટોમેટિક સિસ્ટમમાં ટેકનિકલ ક્ષતિઓ-સર્વર ડાઉન કે પછી અન્ય કોઈ કારણે બુકીંગમાં વિલંબ થાય કે બુકીંગ થાય જ નહીં, તેવા સંજોગોમાં લોકો (કસ્ટમર્સ) ગેસ એજન્સીઓની ઓફિસે પહોંચી જતા હોય છે, અને ત્યાં પણ માત્ર લાચારીભર્યા ગોળ ગોળ જવાબો મળતા હોવાથી લોકોમાં નારાજગી વધી રહી છે. બીજી તરફ આ અસંતોષ ક્યાંક એટલી એન્ટી ઈન્કમ્બન્સી ઊભી ન કરી દ્યે, કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અણધાર્યો ફટકો પડે, તેવી ચિંતા કદાચ ભાજપના અંતરંગ સ્થાનિક વર્તુળોથી માંડીને પ્રદેશ કક્ષા સુધી ફેલાઈ ગઈ હોય, તેવા સંકેતો પણ મળી રહ્યા છે. આ કારણે જ જિલ્લા તંત્રો દ્વારા સતત "સબ સલામત" ની જાહેરાતો કરાવીને તથા જિલ્લા કક્ષાએ સમીક્ષા બેઠકોનો સીલસીલો ચાલ્યા પછી હવે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ મુદ્દે ખાસ બેઠક બોલાવવી પડી હશે, તેવો વ્યંગ પણ વિપક્ષી સમર્થકોના વર્તુળોમાં વ્યક્ત થઈ રહ્યો છે.
બીજી તરફ શાસક પક્ષમાં પણ આ મુદ્દે ગુપસુપ અને અટકળો તથા આશંકાઓ શરૂ થઈ ગઈ હોવાનું ચર્ચાય છે. આ સ્થિતિમાં પોલિટિકલ ડેમેજ કંટ્રોલ માટે બોલાવાઈ હોય કે પછી સંકટના સમયમાં પ્રજાની પડખે ઊભા રહેવાનો રાજધર્મ નિભાવવા આ બેઠક બોલાવાઈ હોય, તો પણ કહી શકાય કે દેર આયે....દૂરસ્ત આયે.!!
ગઈકાલે એવા એહવાલો આવ્યા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેે બેઠક બોલાવીને રાજ્યમાં ગેસનો પુરવઠો, ઈંધણ એટલેકે પેટ્રોલ, ડીઝલ, ઓઈલ વગેરેની સ્થિતિ, વિતરણ વ્યવસ્થા તથા કાળાબજાર વગેરે તમામા પાસાઓની ચર્ચા વિચારણા અને સમીક્ષા કરી હતી. આ બેઠક દરમ્યાન રાજયભરના તંત્રોને કેન્દ્રની ગાઈડલાઈનનું કડક પાલન કરવા સૂચવવા તથા લોંગ ટર્મ પ્લાનીંગનું ચૂસ્ત અમલીકરણ કરવાના નિર્દેશો પણ અપાયા. આ પ્રકારની બેઠક બોલાવાઈ, રાજ્યભરમાંથી માહિતી મેળવાઈ અને કેટલાક નક્કર આયોજનો તથા નિર્દેશો અપાયા હોય તો તેમાંથી જ ફલિત થાય છે કે રાજયમાં રાંધણગેસના પુરવઠાની સ્થિતિ ઠીક નથી અને ઈંધણના પુરવઠા અંગે પણ દ્વિધા પ્રવર્તે છે. આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ પડઘાયો હતો.
જો કે, સરકારે સંકટના સમયે પ્રજાની પડખે ઊભુ રહેવું જ જોઈએ, અને આ પ્રકારની સમીક્ષા કરવી તથા આવશ્યક તમામ કદમ ઉઠાવવા, એ સરકારનો રાજધર્મ છે, અને ભૂપેન્દ્રભાઈએ તંત્રને ઢંઢોળ્યું હોય તો તે સમયની માંગ પણ હતી અને સરકારનું કર્તવ્ય પણ હતું, પરંતુ આ પ્રકારની તકેદારી જો ઈરાન સંકટ વધારે વકરી રહ્યું હતું, ત્યારે જ રખાઈ હોત અને લોકોને ગભરાટમાં બિનજરૂરી રીતે ઈંધણ અને ગેસ માટે પડાપડી કરવી પડે, તેવી સ્થિતિ જ સર્જાવા દીધી ન હોત તો કદાચ "રાજધર્મ" યોગ્ય રીતે બજાવ્યો હોવાની છાપ ઊભી થાત. હજુ પણ ઘોડા છૂટી જાય, તે પહેલા તબેલાને તાળા મારવાની તૈયારી તંત્રો અને સરકારે કરી, તે સારૂ છે, અન્યથા કોઈ અનિચ્છનિય અને વિસ્ફોટક ગંભીર સ્થિતિ ઊભી થતા વાર લાગી ના હોત...દેર આયે દૂરસ્ત આયે...
કેન્દ્રીય સ્તરે પણ ભારે અસમંજસ અને દ્વિધા પ્રવર્તી રહી છે. સાંસદ તો જાણે રાજનીતિનો અખાડો બની ગઈ હોય, તેમ રોજીંદી નારેબાજી અને શાસકપક્ષની બહુમતીના જોરે બીલો-પ્રસ્તાવોની બહાલીના નાટકો ભજવાઈ રહ્યા છે. હકીકતે ગેસના બાટલા માટે દર દર ભટકતા લોકોની હાડમારીને "સબ સલામત"ની બૂમરેંગમાં દબાવી દેવાની ગૂપ્ત રણનીતિમાં ક્યાંક ને ક્યાંક જાણતા કે અજાણતા પણ વિપક્ષો પણ સહભાગી બની રહ્યા હોય તેમ જણાય છે, અત્યારે વૈશ્વિક સંકટની ઘડીમાં શાસન પીછેહટ કરે, તે પણ યોગ્ય નથી અને તેનો ગેરલાભ ઉઠાવાય, તો તે પણ યોગ્ય નથી.
એક તરફ રાંધણગેસની અછત અથવા સરકારના દાવા મુજબ પૂરતો પુરવઠો હોવા છતાં અછતની અફવા ફેલાતા પહેલા દરરોજ લગભગ ૫૫ લાખની આજુબાજુ ગેસના બાટલાના બુકીંગ થતા હતા, જે હવે દરરોજ ૭૫ લાખને વટાવી ગયા છે. બીજી તરફ સરકાર લોકોને ગભરાટમાં આવીને ગેસના સિલિન્ડરનું જરૂરિયાતથી વધુ બુકીંગ ન કરાવે, તેવી અપીલ કરી રહી છે. ઘણાં લોકો એવો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે જો બધું જ બરાબર હોય અને માર્કેટમાં રાંધણગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોય તો સરકારે હોટલ-રેસ્ટોરન્ટોને કોલસો, કેરોસીન વગેરે દેશી પદ્ધતિઓની છૂટ કેમ આપવી પડી ? બે બાટલા વચ્ચે બુકીંગનો સમયગાળો અવાર નવાર કેમ વધારવો પડ્યો ? તેવા સવાલોના જવાબો મળશે ખરા ?
આ તરફ ઈરાનના રાજદૂતે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને ભારતના કેટલાક તેલવાહક જહાજો હોર્મુઝ પાર કરવાની ઈરાનને મંજુરી આપી હોવાના અહેવાલો સકારાત્મક જણાય છે, તો ઈરાનના કેટલાક નેતાઓ પર અમેરિકાએ કરોડોના ઈનામની જાહેરાત કર્યા પછી એવું જણાય છે કે આ યુદ્ધે મહાસત્તાને પડકારી છે અને ત્રણેય દેશોને હવે આ યુદ્ધ મોંઘુ પડી રહ્યું હોવા છતાં કોઈ નમતુ જોખવા તૈયાર નથી.
એલપીજી અછતના કારણે હાલારમાં પણ હાલાકી છે. જામનગર જિલ્લા પુરવઠા તંત્ર સુધી નગરમાં ગેસના બાટલાના બુકીંગમાં પડતી મુશ્કેલીની ફરિયાદો પહોંચી છે, તો દ્વારકામાં પણ રાંધણગેસ તથા કોમર્શિયલ ગેસનું બુકીંગ કરતા સર્વરો ડાઉન થઈ ગયા, અને એક અઠવાડિયાથી કોમર્શિયલ ગેસની સપ્લાય જ ખોરવાઈ જતા કાળાબજારી વધી છે, તો ઘણાં પરિવારોના મંગલ પ્રસંગો પણ ખોરવાઈ ગયા હોવાની રાવ ઉઠી છે. આ સ્થિતિમાં ખોટી માહિતી અપાય, કે જનતાને ભ્રમમાં રખાય તે પણ ખોટું છે અને રાષ્ટ્રીય કટોકટીના સમયમાં અફવાઓ ફેલાવાય તે પણ ખોટું છે....સબ કો સન્મતિ દે ભગવાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે લોકસભાના અધ્યક્ષ તરીકે ઓમ બીરલા ફરીથી અધ્યક્ષસ્થાનેથી ગૃહ ચલાવતા દેખાયા. બુધવારે તેમની સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ રદ થયા પછી તેઓએ ફરીથી કામ સંભાળી લીધુ, પરંતુ વિપક્ષી સાંસદોએ દેશમાં એલપીજીની તંગીના મુદ્દે હોબાળો કરતા પહેલા ગૃહને બપોર સુધી સ્થગિત કરી દીધુ હતું. વિપક્ષના સાંસદોએ ગૃહની બહાર સંસદ સંકુલમાં જ એલપીજીના મુદ્દે દેખાવો પણ કર્યા અને સરકાર પર પેટ્રોલ અને એલપીજીના સ્ટોકને લઈને વાસ્તવિકતા છુપાવાઈ રહી હોવાના આક્ષેપો કર્યા. વિપક્ષોનું મંતવ્ય એવું હતું કે દેશમાં હકીકતે પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસની ભારે તંગી છે, પરંતુ સરકાર હકીકતો છુપાવીને જનતાને ગૂમરાહ કરી રહી છે.
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા (લીડર) રાહુલ ગાંધીએ પણ સટાસટી બોલાવી અને સરકારને એલપીજીની તંગીના નિવારણ માટે ચર્ચાની સરકારને નોટીસ આપી, તે પછી ગૃહમાં સરકાર ઝુકી અને આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગઈ. ગૃહમાં પણ રાહુલ ગાંધીએ આ મુદ્દે ચર્ચાનો પ્રારંભ કરાવ્યો અને મોદી સરકારને ઘેરી આ દરમ્યાન ગૃહમાં બંને તરફથી હાકલા-પડકારા પણ થતા રહ્યા. રાહુલે કહ્યું કે ગૃહમાં વડાપ્રધાન (નરેન્દર) અને દેશમાં સિલિન્ડર ગાયબ છે, ત્યારે પણ હોબાળો મચ્યો, તે પછી વિપક્ષના સાંસદોએ દેશભરમાં રાંધણગેસ માટે લાગેલી લાંબી લાંબી લાઈનોના દૃષ્ટાંતો આપીને સરકારને સવાલ કર્યો કે જો દેશમાં રાંધણગેસ, પેટ્રોલ, ડીઝલની તંગી જ ન હોય, તો આટલી લાંબી લાઈનોમાં રાંધણગેસ માટે લોકો કેમ ઊભા રહેલા દેખાય છે ? ડીઝલ, પેટ્રોલપંપો અને સીએનજીના પંપો પર વાહનોની લાંબી લાઈનો કેમ છે ? શું હકીકતે આ યુદ્ધની માઠી અસરો નથી ? આ અંગે સરકાર શું છુપાવી રહી છે અને આ સમસ્યાના નિવારણ માટે નક્કર પગલાં કેમ લેવાઈ રહ્યા નથી ? તેવા સવાલોની ઝડી સંસદની અંદર અને બહાર વરસાવી હતી.
એક તરફ સડકથી સંસદ સુધી પેટ્રોલિયમ પદાર્થો અને ખાસ કરીને રાંધણગેસની તંગીનો મુદ્દો પડઘાઈ રહ્યો હતો, તો બીજી તરફ ઈલેકટ્રીક ચુલાઓની ડિમાન્ડ પણ અચાનક એટલી બધી વધી ગઈ કે ઘણાં સ્થળે સ્ટોક જ ખાલી થઈ ગયો હોવાના અહેવાલો આવ્યા હતા. તે પછી તો ઈન્ડકશનની માંગ વધવા તથા સ્ટોક ઘટી જતા માર્કેટમાં ઈન્ડક્શનના ભાવોમાં પણ ૧૫ થી ૩૦ ટકાનો વધારો થયો હતો. જો કે, કેટલાક વેપારી મંડળોએ આ રાષ્ટ્રીય કક્ષાની સ્થિતિમાં સંકટના સમયે લોકોની પડખે ઊભા રહેવા તથા ભાવો નહીં વધારવાનો નિર્ણય લીધો હતો અને લોકોની મજબૂરીનો લાભ નહીં ઉઠાવવા વેપારીઓને અપીલો પણ થઈ રહી હતી.
એક તરફ સરકારી તંત્રો અવાર નવાર ચોખવટો કરી રહ્યા હતા કે આ માત્ર અફવા જ છે. અને દેશમાં રાંધણગેસ સહિત પેટ્રોલિયમ પદાર્થોનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે, તો બીજી તરફ લોકોમાં એટલો ગભરાટ ફેલાયો હતો કે બધા કામ પડતા મૂકીને લોકો રાંધણગેસ માટે હડિયાપટ્ટી કરી રહ્યા હતા. આ સ્થિતિનો ગેરલાભ લેવા ઈચ્છતા પેધી ગયેલા પરિબળો પણ સક્રિય થઈ ગયેલા જોવા મળ્યા હતા.
અમેરિકા-ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સાથે મીડિયા વોર પણ ચાલી રહ્યું હોય, તેમ જુદા જુદા અહેવાલો આવે, તેનો રદિયો આવે અથવા કન્ફયુઝન રહે, તે પછી ફરીથી કન્ફર્મ થાય, તેવી ગુંચવણો પણ ઊભી થઈ રહી છે, અથવા કરવામાં આવી રહી છે. ગઈકાલે બપોરે અહેવાલો આવ્યા હતા કે હોર્મુઝમાંથી પસાર થવાની ઈરાને ભારતના જહાજોને મંજુરી આપી દીધી છે. થોડી વારમાં જ એવા અહેવાલો આવ્યા કે દેશને આવી કોઈ મંજુરી અપાઈ નથી. જો કે, બપોર પછી ફરીથી અહેવાલો આવ્યા કે ભારતીય જહાજોને હોર્મુઝની દરિયાઈ પટ્ટીમાંથી પસાર થવાની મંજુરી બંને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે થયેલી વાતચીત (ટેલિફોનિક વાટાઘાટો) પછી ઈરાન સરકારે આપી દીધી છે. તે પછી આ બંને પ્રકારના વિરોધાભાસી અહેવાલોના કારણે એક પ્રકારની અનિશ્ચિતતા ઊભી થયા પછી સમી સાંજે સત્તાવાર ચોખવટ થઈ કે બંને દેશોના પ્રદેશમંત્રીઓએ વાતચીત કરી છે, પરંતુ તેનું પરિણામ શું આવ્યું, તે કહેવું વહેલુ ગણાશે !
ગઈકાલે ઈરાનના નવા સુપ્રિમ લીડર મોજતબા ખામેનેઈએ હોર્મુઝ સ્ટેટનો જળમાર્ગ તેલ શિપિંગ માટે બંધ રહેશે અને ઈઝરાયલ-અમેરિકા સામે બદલો લેશે. તેમણે પડોશી દેશોને પણ અમેરિકી સૈન્ય ઠેકાણા બંધ કરવા અથવા સંઘર્ષમાં ફસાવાની ચેતવણી આપી દીધી, અને પોતાના પિતા આયાતોલ્લાઅલી ખામેનેઈની નીતિઓને યથાવત રાખવાના સંકેતો આપ્યા. આ કારણે અનિશ્ચિતતાઓ વધી રહી હોવાથી ગભરાયેલી જનતાને સરકારે સ્પષ્ટ અને સારી માહિતી નિરંતર આપતા રહેવું જોઈએ, તેવા પ્રત્યાઘાતો પણ પડઘાયા હતા.
બીજી તરફ સંસદમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ ગઈકાલે ચોખવટ કરતા કહ્યું કે દેશમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ, વગેરેની સપ્લાઈ, સંપૂર્ણપણે સામાન્ય છે તથા કોઈપણ પ્રકારની અછત નથી. કાચા ઓઈલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની કે બીનજરૂરી સંગ્રહ કરવાની કોઈ જરૂર નથી.
તેમણે એમ પણ કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વિશ્વનું લગભગ ૨૦ ટકા ક્રૂડ ઓઈલ અને એલપીજીને અસર થઈ છે. ભારતે હવે પોતાની રણનીતિ બદલી છે, ભારતે હોર્મુઝ ઉપરાંત અન્ય વૈકલ્પિક માર્ગો દ્વારા પણ ૪૦થી વધુ દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાત શરૂ કરી દીધી છે. રશિયા, કેનેડા અને નોર્વે સહિતના દેશો પાસેથી ભારતે હોર્મુઝ સિવાયના અન્ય માર્ગે પણ પુરવઠો મેળવીને હોર્મુઝ પરની નિર્ભરતા જ ૭૦ ટકા ઘટાડી દીધી છે. વૈકલ્પિક સપ્લાય સક્રિય થઈ જતા દેશમાં ઈંધણ કે ગેસની તંગી પડવાની સંભાવના ઘણી જ ઓછી હોવાથી લોકો સ્વયં સંગ્રહ ન કરે, તેવી અપીલો પણ સરકારે કરી છેે, ત્યારે જોઈએ, નજીકના ભવિષ્યમાં આ સંકટ હટે છે, ઘટે છે કે પછી ગોટે ચડે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણાં દેશમાં આઝાદી મળી તે પછી બંધારણીય સંસ્થાઓ, સરકારી તપાસ એજન્સીઓ તથા બંધારણીય પદો પર બિરાજતા હોદ્દેદારો તદ્દન નિષ્પક્ષ, લોકલક્ષી અને બંધારણને અનુરૂપ સ્વાયત્ત હશે, તેવી વિભાવના સાથે બંધારણના ઘડવૈયાઓએ બંધારણનું ઘડતર કર્યું હતું, અને જરૂર પડયે મૂળભૂત બાબતો તથા મૌલિક અધિકારો સિવાય બંધારણમાં સુધારા-વધારા કરવાની સત્તા પણ સંસદને આપી હતી, તથા તેની બંધારણીય સમીક્ષા કરવાની સત્તા સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચોને આપી હતી...આઝાદી મળી તેને સાડા સાત દાયકાથી વધુ સમય થઈ ગયો, તે દરમ્યાન બંધારણમાં ૧૨૫થી વધુ સુધારાઓ સંસદે બંધારણીય જોગવાઈઓ મુજબ કર્યા, તે પૈકી કેટલાક સુધારા વિવાદાસ્પદ રહ્યા અને કેટલાક બંધારણીય સુધારાઓ સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચ સુધી પણ પહોંચ્યા...આઝાદી મળી તે પછી રાજનૈતિક મૂલ્યો, પક્ષ-વિપક્ષ વચ્ચેનું સાંમજસ્ય અને પરસ્પર આદરની પરંપરાઓ સુદૃઢ બની હતી, પરંતુ હવે ધીમે ધીમે તેના પર સંકુચિત રાજનીતિ અને સ્થાપિત હિતો પ્રભાવી બની રહ્યા હોય તેમ જણાય છે. એક તરફ બંધારણીય સંસ્થાઓ પર સત્તાધારીપક્ષનો પ્રભાવ વધી રહ્યો હોવાના આક્ષેપો થાય છે, તો બીજી તરફ વિપક્ષ તમામ બંધારણીય સંસ્થાઓ તથા એજન્સીઓ પર રાજનૈતિક દૃષ્ટિએ ખોટા પ્રહારો કરી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ તમામ અનિચ્છનિય અને બિનજરૂરી વિવાદો વચ્ચે લોકોને દેશના ન્યાયતંત્ર પર ભરોસો છે અને સર્વોચ્ચ અદાલત તથા હાઈ કોર્ટના કેટલાક નિર્ણયો દૂરગામી અને લોકતંત્રની તંદુરસ્તી વધારનારા પૂરવાર થઈ રહ્યા છે, જેના કારણે આપણાં દેશનું લોકતંત્ર સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મજબૂત અને વિશ્વસનિય છાપ ઊભી કરી રહ્યું છે.
જો કે, હવે આપણાં દેશમાં ન્યાયતંત્ર પર પણ સવાલો ઉઠે તેવી પ્રવૃત્તિઓ વધી રહી છે. તાજેતરમાં એન.સી.આર.ટી.ના પુસ્તકોમાંથી ન્યાયતંત્ર પર ભ્રષ્ટાચારનું પ્રકરણ હટાવાયુ, તે મુદ્દે સોશ્યલ મીડિયામાં થયેલી ટિપ્પણીઓના મુદ્દે દેશના સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી અને ચીફ જસ્ટીસના વડપણવાળી સુપ્રિમ કોર્ટની બેન્ચે જે વેબસાઈટ્સના માધ્યમથી આવી ટિપ્પણીઓ કરનારાઓની ઓળખ કરીને કેન્દ્ર સરકારને કડક પગલા લેવા સૂચવ્યુ અને કહ્યું કે આ પ્રકારના પરિબળો જો દેશની બહાર હશે, તો પણ તેને છોડીશું નહીં. સી.જે.આઈ.એ કહ્યું કે જ્યુડિશ્નરીમાં ખામીઓ હોય, તેની ટીકા થાય, તેના તેઓ વિરોધી નથી. આવી આલોચના નક્કર તથ્યો પર આધારિત અને દુર્ભાવનાઓથી પ્રેરિત હોવી ન જોઈએ, તેવો સારાંશ સુપ્રિમ કોર્ટની ટિપ્પણીઓમાંથી નીકળે છે.
સામાન્ય રીતે અદાલતો નક્કર તથ્યો, બંધારણ, નિયમ-કાયદા અને પૂરાવા-આધારો-દસ્તાવેજોના આધારે જ નિર્ણયો લેતી હોય છે, પરંતુ ૧૩ વર્ષથી કોમામાં રહેલા ૩૧ વર્ષના યુવાનને ઈચ્છામૃત્યુની મંજુરી આપીને સર્વોચ્ચ અદાલતે એક સંવેદનશીલ અને ભાવનાત્મક ફેંસલો પણ સંભળાવ્યો છે.
ગઈકાલથી પંજાબ-હરિયાણા હાઈકોર્ટે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૮૮૧, જે એન.આઈ. એકટ તરીકે ઓળખાય છે, તેને લઈને આપેલો ફેંસલો દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પંજાબ અને હરિયાણા એવા રાજ્યો છે, જેની રાજધાની ચંદીગઢ છે, જે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, અને પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટ રાજધાની ચંદીગઢમાં છે, જે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ તરીકે ઓળખાય છે. આ હાઈકોર્ટે એન.આઈ. એકટ હેઠળ આવતા ચેક રિટર્નના એવા કેસો તથા તેની અપીલોને પહેલા મેડિયેશન માટે મોકલવાનો નિર્દેશ કર્યો છે. અદાલતે કહ્યું કે એન.આઈ.એકટના તમામ કેસો સીજેએમ અથવા જેએમએફસી જેવી ટ્રાયલ કોર્ટો દ્વારા મેડિયેશન માટે ન મોકલ્યા હોય, તેવા કેસો મધ્યસ્થતા માટે મોકલવા જ જોઈએ. અદાલતે એમ પણ કહ્યું કે ચેક બાઉન્સના કેસો સામાન્ય રીતે એક પ્રકારના ખાનગી વ્યવહારો છે, જેમાં સ્ટેટ (રાજ્ય) ને પક્ષકાર બનાવી ન શકાય. પંજાબ-હરિયાણા કોર્ટનો આ નિર્દેશ ગઈકાલથી ટોક-ઓફ ધ નેશન બન્યો છે, અને માત્ર કાનૂની ક્ષેત્રે જ નહીં, પબ્લિકમાં પણ આ નિર્દેશોની તરફેણમાં અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.
આ ઉપરાંત કાનૂની ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રમાં પણ દિલ્હીની ટ્રાયલ કોર્ટે જેેને શરાબ કૌભાંડ કેસમાં નિર્દોષ છોડી મૂકયા હતા, તે કેજરીવાલ, સિસોદીયા સહિત ૨૩ આરોપીઓ તરફથી દિલ્હીની હાઈ કોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પર વિશ્વાસ નહીં હોવાનું જણાવીને સીબીઆઈએ કરેલી અપીલની સુંનાવણી કોઈ અન્ય 'નિષ્પક્ષ' બેન્ચ કરે તેવી માંગણી કરી છે, તેની પણ દેશવ્યાપી ચર્ચા થઈ રહી છે, "આપ"ના એક નેતાએ કોઈ ચોક્કસ જજને ભાજપ સાથે શું સંબંધ છે ? તેવો સવાલ પણ ઉઠાવ્યો હોવાની ચર્ચા મીડિયામાં થઈ રહી છે...ગત તા. ૨૭ ફેબ્રુઆરીના દિવસે ટ્રાયલ કોર્ટે શરાબ કૌભાંડમાં કેજરીવાલ-સિસોદીયા સહિતના આરોપીઓને નિર્દોષ છોડી દીધા પછી સીબીઆઈને અપીલમાં રાહત મળી અને હવે પછીની સુનાવણી હાઈકોર્ટમાં ૧૬મી માર્ચે થવાની છે, ત્યારે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ આરોપીઓ તરફથી કરાયેલી માંગણીનો મુદ્દો ઘણી બધી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બન્યો છે, કારણ કે આ પ્રકારની માંગણી પણ ન્યાયતંત્રની તટસ્થતા સામે સવાલ ઉઠાવે છે અને ચીફ જસ્ટિસનો કોઈપણ નિર્ણય ન્યાયતંત્રની વિશ્વસનિયતા અને તટસ્થતા અંગે થયેલા આક્ષેપોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ દર્શાવનારો હશે, જોઈએ, હવે શું થાય છે તે...
ગુજરાત વિધાનસભામાં હાલારના એક ધારાસભ્યે પૂછેલા પ્રશ્નના જવાબમાં જામનગરની એક સ્કૂલને કરાયેલા દંડની વિગતો અપાઈ હોવાનો મુદ્દો હાલારમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને ફી વધારા અંગેનો આ મુદ્દો પણ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હોવાની વાતો વહેતી થયા પછી એક તરફ ખાનગી શાળા સંચાલકો દ્વારા ઉઘરાવાતી તોતીંગ ફી, બીજી તરફ રાજ્ય સરકારની ફી નિર્ધારણ સિસ્ટમ અને ત્રીજી તરફ વાલીઓ-વિદ્યાર્થીઓના હિત તથા શાળા સંચાલકોની વિટંબણાઓ અંગે પણ ભિન્ન-ભિન્ન પ્રત્યાઘાતો પડી રહ્યા છે, ત્યારે, જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે એવા અહેવાલો વહેતા થયા હતા કે ભારત સરકારે પડોશી દેશોને ૧૦૦% સીધુ વિદેશી રોકાણ (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ)ની છૂટ આપી છે, અને આ નિર્ણય મોદી સરકારની કેબિનેટમાં લેવાયો છે, ત્યારે ઘણાં લોકોને આશ્ચર્ય થયું હતું. સ્વદેશી અને લોકલ ફોર વોકલના નારા સાથે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાના સરકાર સમર્થક સંગઠનો-નેતાઓના "અભિયાનો" નું શું થયું ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા હતા. જો કે, સરકારના પ્રવક્તા મંત્રીએ કેબિનેટમાં લેવાયેલા ૬ મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં આ મુદ્દાને બહુુ સ્પર્શ્યો નહીં હોવાથી સસ્પેન્સ પણ સર્જાયું હતું.
સત્તાવાર સમાચારો મુજબ સરકારના પ્રવક્તા અને માહિતી-પ્રસારણ વિભાગના કેન્દ્રીય મંત્રીએ આપેલી માહિતી મુજબ ગઈકાલે કેબિનેટમાં દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વેને જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડતી ગ્રીન ફિલ્ડ સડક માટે રૂ।. ૩૬૩૦ કરોડ, પ.બંગાળ અને ઝારખંડમાં બે નવી મલ્ટી ટ્રેકિંગ રેલવે પરિયોજનાઓ, જલજીવન ૨.૦ પ્રોજેકટ, બદનાવર-થાંદલા-તિમરવાની નેશનલ હાઈ-વેને ફોરલેન કરવાનો પ્રોજેક્ટ અને તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને ઈન્ટરનેશનલ દરજ્જો આપવાની મંજુરી અપાઈ હોવાની જાહેરાત થઈ હતી, આ ઉપરાંત પ્રવર્તમાન સંજોગોમાં રાંધણગેસ તથા પેટ્રોલિયમ ચીજ-વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા તથા સંગ્રહખોરી-કાળાબજાર પર અંકુશ રાખવા માટે શ્રેણીબદ્ધ કદમ ઉઠાવવાના નિર્ણયની ચર્ચા પણ થઈ હતી.
જો કે, તે પછી એફડીઆઈનો મુદ્દો ટોક ઓફ ધ નેશન બની ગયો અને મીડિયા હાઉસ તથા ઈન્ડસ્ટ્રિયલ એકમોથી લઈને રાજકીય અને બિઝનેસ ક્ષેત્રોમાં પણ આ મુદ્દે ચર્ચા થવા લાગી હતી. તે પછી એવી ચોખવટ થઈ હતી કે ભારત સાથે જે દેશોની સરહદો જોડાયેલી છે, તે દેશો માટે એફડીઆઈ માટે વર્ષ ૨૦૨૦માં જે એફડીઆઈ માટે જે પ્રતિબંધો મૂકાયા છે, તે હળવા કરાવ્યા છે, પરંતુ તદૃન હટાવી લેવાયા નથી, મતલબ કે આ પડોશી દેશોને ૧૦૦% એફડીઆઈની છૂટના જે અહેવાલો આવ્યા હતા, તેમાં એવી ચોખવટ થઈ હતી કે ભારત સરકારે દેશના સરહદી પડોશી દેશો દ્વારા ભારતમાં થતા એફડીઆઈ માટે કેટલીક ઘણી મોટી પણ શરતી છૂટછાટો આપી છે, પરંતુ સંપૂર્ણ છૂટછાટ અપાઈ નથી.
તે પછી એવા વિગતવાર અહેવાલો આવ્યા કે વર્ષ ૨૦૨૦માં લાગુ કરાયેલી પોલિસી (પ્રેસનોટ-૩) જોગવાઈઓમાં સુધારા-વધારા કરાયા છે. હવે પડોશી દેશોના શેરધારકો ધરાવતી કંપનીઓ ૧૦% સુધીનું પ્રત્યક્ષ મૂડી રોકાણ ભારત સરકારની મંજૂરી વિના કરી શકે છે... એવું પણ કહેવાયુ કે આ નીતિ હેઠળ ભારત સાથે સરહદો ધરાવતા ચીન,બાંગલાદેશ, ભૂટાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન માટે આ છૂટછાટ અપાઈ છે., એવું પણ ચર્ચાયુ કે ઈલેકટ્રોનિકસ, કેપિટલ ગૂડ્સ સહિતના પસંદગીના મેન્યુફેક્ચરીંગ માટે ૬૦ દિવસમાં એપ્રુવલ મળી જાય, તેવું મિકેનિઝમ ઊભું કરાયુ છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાકાળ દરમ્યાન આ અંગે જે પ્રતિબંધો લગાવાયા હતા, તેમાં જ ઘણી રાહત મળી હોવાના પ્રત્યાઘાતોની સાથે સાથે એવા પણ અહેવાલો છે કે આ પ્રકારે છૂટછાટનો લાભ મેળવીને વિદેશી કંપનીઓ કે રોકાણકારો દ્વારા કરાયેલા મૂડી રોકાણ છતાં મોટા ભાગનો અંકુશ, નિયમન અને સંચાલન ભારતીય નાગરિકો પાસે જ રહેશે, તેથી ગભરાવા જેવું નથી.
આ પ્રકારની પોલિસી બદલાયેલા વૈશ્વિક સમિકરણોને અનુરૂપ છે અને ટ્રમ્પ ફેઈમ લોકતાંત્રિક મહાસત્તાની દાદાગીરીને કાઉન્ટર કરવા માટે જરૂર હતી. "નેશન ફર્સ્ટ" ને સુસંગત આ નિર્ણય જરૂરી સેઈફગાર્ડઝ સાથે લેવાયો છે, તેથી આ રણનીતિ "પરફેકટ" છે, તેવા પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે અને ઘણાં લોકો આ પ્રકારની રણનીતિને પગ પર કૂહાડો મારવા જેવી ગણાવી રહ્યા છે. ખાસ કરીને યુનોમાં હંમેશાં ભારત વિરોધી વલણ અપનાવતા રહેતા તથા સરહદે અવારનવાર છમકલા કરતા ચીનને તો આ પ્રકારની છૂટછાટ મળવી જ નહીં જોઈએ, તેવા અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.
એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ છૂટછાટો ભારત સરકારે સેફટી માટે મજબૂત સેઈફ ગાર્ડઝ રાખ્યા છે. સંવેદનશીલ સેકટરોમાં એફડીઆઈ (૧૦%)ની મંજુરી અથવા છૂટછાટ ત્યારે જ મળવાપાત્ર થશે, જેયારે જે કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય, તેના પૂરેપૂરા કંટ્રોલ સાથે મહત્તમ શેરહોલ્ડરો ભારતીય નાગરિકો જ હોય, મતલબ કે ભારતીય શેર હોલ્ડરોનું જ હિત પ્રાયોરિટીમાં રહી શકે, તેવો પ્રબંધ કરાયો છે.
એક સમયે ચીનની તમામ ચીજોનો બહિષ્કાર કરાઈ રહ્યો હતો અને ચીનની કેટલીક સોશ્યલ મીડિયા એપ્સ અને ઓનલાઈન પ્રવૃત્તિઓ પર ધડાધડ પ્રતિબંધો પણ લગાવાઈ રહ્યા હતા, જ્યારે આજે વૈશ્વિક સમીકરણો બદલાઈ રહ્યા હોવાથી હળવેકથી છૂટછાટો અપાઈ રહી છે, તેથી જ કહેવાયુ છે ને કે "સમય સમય બલવાન હૈ...નહીં પુરૂષ બલવાન..."
આ વર્ષ ૨૦૨૦ની એક પ્રેસનોટ સ્વરૂપની પોલિસીમાં કરાયેલા સુધારા-વધારા અંગે ગઈકાલે તત્કાળ કોઈ પ્રત્યાઘાતો આવ્યા નહીં, કારણ કે હળવેકથી અપાયેલી છૂટછાટો (ઢીલ) ની જાહેરાત પણ "હળવેક" થી જ કરાઈ છે, જેથી તેનો ઊંડો અભ્યાસ કર્યા પછી જ કોઈ ચોક્કસ પ્રત્યાઘાતો અર્થશાસ્ત્રીઓ અને વિદેશનીતિ જાણકારો આપી શક્યા હતા. જો કે, કેટલાક વિપક્ષી નેતાઓએ એવી આલોચના કરી હતી કે મોદી સરકારની કોઈ નીતિરીતિ સ્થિર રહેતી નથી. કેટલાક પ્રત્યાઘાતો એવા પણ આવ્યા કે આપણાં દેશમાં આતંકવાદીઓ મોકલતા પાકિસ્તાનને આ પ્રકારની છૂટ ન આપવી જોઈએ. પડોશી દેશ બાંગલાદેશની ભારત વિરોધી નીતિ પણ નવી સરકાર આવ્યા પછી પણ હિન્દુઓ પર હૂમલા થતા હોય તો તેના પર પણ આ છૂટછાટ તથા ઈંધણનો જંગી જથ્થો આપવાની શું જરૂર છે ? જોઈએ, હવે સરકાર આ મુદ્દે શું જવાબ આપે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દીકરો એક કુળ તારે, દીકરી બે કુળ તારે, ન્યાય ક્ષેત્રે મહિલા સશક્તિકરણ... કયોં કી સાસ ભી કભી બહુ થી...
આઠમી માર્ચે જામનગર અને હાલાર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં મહિલા વિકાસ ફિવરની ઉજવણી થઈ, અને માત્ર ફોર્માલીટી ખાતર કે પરંપરા નિભાવવાના બદલે આ વર્ષે સરકારી વિભાગો જ નહીં, પરંતુ દેશભરની મહિલા સંસ્થાઓ, એનજીઓઝ, શાળા-કોલેજો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સુરક્ષાદળો અને ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રથી માંડીને રાજકીય પક્ષો દ્વારા પણ આ ઉજવણી થઈ, તેમાં પણ ન્યાયતંત્ર દ્વારા થયેલી વિવિધ ઉજવણીઓએ પણ સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ, અને ન્યાયક્ષેત્રે મહિલાઓની સહભાગિતા વધારવાના થઈ રહેલા પ્રયાસોની પણ વિશેષ ચર્ચાઓ થઈ.
મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સુપ્રિમ કોર્ટમાં "ઈન્ડિયન વિમેન ઈન લો"ના વિષય પર એક સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં સી.જે.આઈ. સૂર્યકાન્ત અને જસ્ટિસ નાગરત્નાએ જે કાંઈ કહ્યું અને ઉપયોગી સૂચનો કર્યા, તેની દેશવ્યાપી ચર્ચા થઈ રહી છે. આ સૂચનો ખરેખર ઘણાં જ ઉપયોગી અને મહિલા દિવસની ઉજવણીને સુસંગત હતા.
આ સંમેલન દરમ્યાન મહિલાઓ માટે ૩૦ ટકા અનામત, વર્ક લાઈફ બેલેન્સ અને પ્રમોશનની માંગ પણ ઉઠી, અને કાનૂની વ્યવસ્થામાં મહિલાઓ સામેના પડકારો, સમાનતા તથા ભવિષ્યની વાતો થઈ. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને સુપ્રિમ કોર્ટના મહિલા જસ્ટિસ સહિતના વક્તાઓએ સૂચવેલા મુદ્દાઓ એક પ્રકારે સાંકેતિક પણ છે અને કાંઈક અંશે વ્યંગાત્મક પણ છે.
આ સંમેલનમાં દેશભરમાંથી મહિલા જજો તથા મહિલા વકીલોએ ઉત્સાહપૂર્વક અને જાગૃતિપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના અભિપ્રાયો સ્પષ્ટ ભાષામાં અને એકદમ નિડરતા અને સચોટથી રજૂ કર્યા હતા.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જ કાંઈ કહ્યું તે કાનૂન ક્ષેત્રે કાર્યરત મહિલાઓ માટે પ્રેરણાત્મક પણ હતુ અને હજુ પણ ઉદૃેશ્યો પૂરા થયા નહીં હોવાની સ્વીકૃતિ પણ હતી. સી.જે.આઈ. સૂર્યકાન્તે કહ્યું કે એક સદી પહેલા અંગ્રેજોના શાસનકાળ વખતે મહિલાઓને કાયદાની પ્રેકટીસ કરવાની છૂટ પણ હતી નહીં. અત્યારે કાનૂની ક્ષેત્રે મહિલાઓની વધી રહેલી ભાગીદારીની વાત કરતા તેઓએ કહ્યું કે વર્તમાન સ્થિતિમાં કાયદાના ક્ષેત્રે મહિલાઓની બહાદુરી અને નિષ્ઠાને બીરદાવવા જ જોઈએ, સાથે સાથે તેઓએ સંસ્થાનોમાં મહિલાઓની સમાન ભાગીદારીની સફર હજૂ અધુરી જ છે.
સી.જે.આઈ. સૂર્યકાન્તના અભિપ્રાયોનો નિચોડ એવો નીકળે છે કે કાયદાના ક્ષેત્રે અજાણતામાં એવો માહોલ બની ગયો છે કે જે મહિલાઓ પર જાણે અદૃશ્ય બોજ લાદે છે, જેમાં વારંવાર પુછાતા સવાલો, દિવસ-રાત કામ અને પરિવારની ઉમ્મીદો સામેલ છે.
કાનૂની ક્ષેત્રે મહિલાઓની સહભાગિતા વધારવાના અવરિત પ્રયાસોની જરૂર જણાવતા તેઓએ કહ્યું કે માત્ર મહિલા ધારાશાસ્ત્રીઓની સંખ્યા જ નહીં, પરંતુ મહિલા જજોની સંખ્યા પણ વધવી જરૂરી છે. તેઓએ કહ્યું કે અદાલતોની બેન્ચમાં સામેલ પ્રત્યેક મહિલા જજ એક મોટો સંદેશ આપે છે અને નારી સશક્તિકરણ પ્રતિપાદિત થાય છે. તેઓએ હાઈકોર્ટના કોલેજિયનને પણ અનુરોધ કર્યો કે તેઓ સુપ્રિમકોર્ટમાં પ્રેકટિસ કરતી મહિલા વકીલોના એવા નામો પર પણ વિચાર કરે, જેઓને તેઓની સાથે જોડાયેલા રાજયોમાં જજના સ્વરૂપમાં પ્રમોશન આપી શકાય.
આ સંમેલનમાં મહિલા જજ જસ્ટિસ નાગરત્નાએ દૃષ્ટાંતો સાથે કહ્યું કે રાજ્ય સરકારોના વિવિધ વિભાગોની પેનલોમાં કમ-સે-કમ ૩૦ ટકા મહિલા વકીલો હોવી જ જોઈએ. જસ્ટિસ નાગરત્નાએ કોેલજિસ્ટના ટાઈમટેબલ અંગે પણ હાઈકોર્ટને મહત્ત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. તેણીએ જુસ્સાભેર કહ્યું કે અમે અમારા હક્કો માત્ર મહિલા હોવાના આધારે જ નહીં, પરંતુ અમારી કાબેલિયત અને નિષ્ઠાના આધારે અમારા હક્કો માંગીએ છીએ.
આ સંમેલનમાં અપાયેલી માહિતી મુજબ અત્યારે જિલ્લા કક્ષાએ ન્યાયિક ક્ષેત્રે કાનૂની મહિલા અધિકારીઓની સંખ્યા ૩૫ ટકાથી વધુ છે, જે એક મોટા બદલાવનો હકારાત્મક સંદેશ છે. મીડિયા ડિબેટીંગ તથા અહેવાલો મુજબ આ સંમેલન પછી તેના દેશવ્યાપી પ્રતિભાવો અને પ્રત્યાઘાતો પણ ઘણાં જ સકારાત્મક અને પ્રેરણાત્મક છે.
સુપ્રિમકોર્ટના આ સંમેલન પછી બાર એસોસિએશનો અને બાર કાઉન્સીલોથી આગળ વધીને હાઈકોર્ટો અને સુપ્રિમ કોર્ટો સહિત અદાલતોમાં પણ મહિલા સભ્યો (જજો)ની સહભાગિતા વધે, તેના પર ભાર મૂકાયો, જે દેશભરની ન્યાયવાંચ્છુ કરોડો મહિલા પક્ષકારો માટે પણ એક પ્રેરક અને આશાવાદી પહેલ છે.
ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ "પ્રક્રિયામાં ઝડપ લાવવા" પર આધારિત હતી, તો આ વર્ષે "અધિકાર અને ન્યાયની સાથે સાથે પ્રત્યેક બાલિકા અને મહિલાના સશક્તિકરણ માટે વાસ્તવિક કાર્યવાહી" ના વિષય પર આખી દુનિયામાં ઉજવણી થઈ હતી, અને આ થીમમાં સમાવિષ્ટ "ન્યાય" ના ક્ષેત્રે મહિલાઓની સહભાગિતા વધારવાની જે નેમ વ્યક્ત થઈ રહી છે, તેનું અસલ કારણ આ વખતે આ વિષય પર સર્વક્ષેત્રિય જનમત પણ ઊભો થયો છે, તેમાં છુપાયેલું છે.
આ વર્ષે મહિલા દિવસની ઉજવણીનો મુખ્ય વૈશ્વિક વિષય "ગિવ ટૂ ગેન" હતો, જે પરસ્પર સહયોગ અને સંસાધનોની ઉપલબ્ધિ તથા મહિલા સશક્તિકરણના માધ્યમથી સંપૂર્ણ સમાજના વિકાસનો અવસર સૂચવે છે. આમ પણ ગુજરાતીમાં કહેવત છે કે દીકરો એક કુળ તારે પણ દીકરી બે કુળ તારે...!
એક તરફ મહિલા દિવસ ઉજવાયો, તો બીજી તરફ ઈરાનની મહિલા ફૂટબોલ ટીમ વિદેશની ધરતી પર અટવાઈ પડી અને તેની સ્વદેશ પરત જવાનો મુદ્દો પણ વિવિધ દેશો માટે પડકાર બની ગયો, જે સૂચવે છે કે મહિલા સશક્તિકરણના વૈશ્વિક ઉદ્દેશ્યમાં હજુ ઘણાં પડાવ આવવાના બાકી છે.
જામનગરની જેમ રાજકોટમાં પણ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી સરકાર વિરોધી પ્રદર્શનો કરતી રહે છે. યોગાનુયોગ વિશ્વ મહિલા દિવસની ઉજવણી પછીના દિવસોમાં વિવિધ મુદ્દે મહિલાઓ સરકાર સામે આંદોલનો કે દેખાવો કરી રહી છે. રાજકોટમાં તો મહિલા કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવીને ગેસ અને શાકભાજીના વધેલા ભાવો સામે ગેસના બાટલા સાથે પ્રદર્શનો થયા અને જાહેરમાં ચૂલો સળગાવીને તેના પર રસોઈ બનાવી.
ગેસના ભાવના વધારા સામે વિરોધ પ્રદર્શન દરમ્યાન ભૂતકાળમાં યુપીએના શાસન સમયે પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવવધારા સામે અવારનવાર પ્રદર્શનો કરતા હતા, તે સ્મૃતિ ઈરાની અત્યારે ક્યાં છે ? તેવા સુત્રોચ્ચાર સાથે તેણીની તસ્વીરો દેખાડાઈ, અને તે પછી સોશ્યલ મીડિયામાં કોમેન્ટો પણ થઈ, એવો વ્યંગ પણ થયો કે ક્યોં કી સાસ ભી કભી બહુ થી...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રાત્રે જામનગરમાં ફટાકડા ફૂટવા લાગ્યા અને દિવાળી જેવો માહોલ ઊભો થયો. હાલાર અને ગુજરાત સહિત આખો દેશ અને જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરે છે, તે વિશ્વભરના વિસ્તારોમાં ખુશીનો માહોલ હતો અને જોરદાર ઉજવણીઓ થઈ રહી હતી, કારણ કે ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની શાનદાર જીત થઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી-૨૦ ફાઈનલ મેચમાં દશેરાના દિવસે ઘોડા ખૂબ દોડયા અને ૧૪૦ કરોડ દેશવાસીઓના દિલ જીતી લીધા. ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સતત બીજી વખત અને એકંદરે ત્રીજી વખત ચેમ્પિયન બની. ટીમ ઈન્ડિયામાં સામેલ ત્રણેય ગુજ્જુ ખેલાડીઓએ પણ આ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને ખાસ કરીને બૂમરાહ અને અક્ષર પટેલે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. સંજુ સેમસન અને ઈશાન કિશન સહિત તમામ ખેલાડીઓએ મજબૂત ટીમવર્કથી પોતાની તમામ તાકાત ઝીંકી દીધી. મેન ઓફ ધ મેચ જાહેર થયેલા બૂમરાહ ઉપરાંત આખી ટીમે પૂરા એફર્ટથી મેચ જીતી લીધી.
આ વિજયની ઉજવણી રાતભર ચાલી. દેશભરમાં ફટાકડા ફૂટ્યા, મીઠાઈઓ વહેચાઈ અને પાર્ટીઓ યોજાઈ. ક્રિકેટ રસિયાઓ જ નહીં, પરંતુ તમામ દેશવાસીઓ અને દુનિયાભરમાં પથરાયેલા ભારતીયોએ વિજયોત્સવ મનાવ્યો. ટી-૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં ટૂર્નામેન્ટની યજમાન ટીમે પોતાના જ દેશમાં આ વર્લ્ડ કપ જીત્યો હોય, તેવી આ પ્રથમ ઘટના છે અને ત્રીજી વખત ચેમ્પિયન થયા પછી ભારતીય ટીમનો જુસ્સો તો વધ્યો જ હશે, પરંતુ ક્રિકેટ રસિયાઓમાં પણ આ વિજયનો રોમાંચની ઉત્તેજના ફેલાઈ હતી.
આ વિજય અસાધારણ હતો. જે ટીમ દક્ષિણ આફ્રિકા સામે સુપર એઈટમાં જ હારી ગઈ હોય અને એ જ દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને ફાઈનલ સુધી પહોંચી હોય, તે ન્યુઝીલેન્ડની ટીમને ૯૬ રને હરાવીને ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનેલી ભારતીય ટીમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા ગણાય.
ફાઈનલ મેચ પહેલા ન્યુઝીલેન્ડની ટીમના કેપ્ટન તથા અન્ય ખેલાડીઓ જે રીતે માઈન્ડ ગેઈમ રમી રહ્યા હોય, તેવા નિવેદનો આપી રહ્યા હતા અને ન.મો. સ્ટેડિયમમાં લાખો ભારતીયોના દિલ તોડીને પોતાની ટીમના વિજયની ડંફાસો મારી રહ્યા હતા, તેઓ ફાઈનલમાં પૂરી ૨૦ ઓવર પણ રમી શક્યા નહીં, અને ૧૯ ઓવરમાં ઓલઆઉટ થઈ ગયા, તે પૂરવાર કરે છે કે તેઓ ઓવર કોન્ફીડન્સમાં હાર્યા અને ભારતીય ટીમ પૂરેપૂરા પ્લાનીંગ અને ટીમવર્ક તથા હાર્ડવર્કના કારણે જીતી ગઈ. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલીંગ કરી, તે પણ કદાચ તેનો ઓવર કોન્ફીડન્સ જ હતો. સેમિ ફાયનલમાં પણ ઈંગ્લેન્ડ બેટીંગ સામે ટોસ હાર્યા પછી ભારતીય ટીમે પહેલા બેટીંગ કરીને ૨૫૦થી વધુ રન કર્યા હતા અને ભારતીય ટીમ એકતરફી રીતે જીતી જશે, તેવું લાગતુ હતું, પરંતુ ઈંગ્લેન્ડે જોરદાર વાપસી કરી અને એક તબક્કે ભારતીય ટીમના જંગી જુમલાને ઓળંગી જશે, તેવું લાગતુ હતું, પરંતુ અંતે ભારતીય ટીમ માંડ માંડ જીતી હતી અને ફાઈનલમાં પહોંચી હતી. આ કારણે જ જ્યારે ભારતીય ટીમનો સ્કોર ૨૫૦થી વધુ નોંધાવ્યો હોવા છતાં ભારતીય ટીમના ચાહકોને આશંકા હતી કે ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે ટીમ ઈન્ડિયા કેવી રીતે જીતશે ?
તે પછી ભારતીય ટીમનું બેટીંગ શરૂ થયું ત્યારે આ ટૂર્નામેન્ટમાં છેલ્લી ચાર-પાંચ મેચોથી નિષ્ફળ જઈ રહેલો ઓપનર અભિષેક શર્મા પણ ચાલ્યો અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયેલા સંજુ સેમસને જંગી સ્કોર ખડકવામાં મુખ્ય ભૂમિકા નિભાવી. તે પછી ઈશાન કિશને પણ ફટકાબાજી કરી. ટીમ ઈન્ડિયાનો કપ્તાન સૂર્યકુમાર યાદવ બેટીંગમાં નિષ્ફળ રહ્યો પણ તેની કેપ્ટનશીપ તથા કોચ ગૌતમ ગંભીરની માર્ગદર્શક ભૂમિકાની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. ખેલાડીઓને કોચીંગ, સપોર્ટીંગ અને ફિટનેસ મો ટીમ ઈન્ડિયાની સાથે રહેલી આખી સપોર્ટીંગ ટીમ તથા મેનેજમેન્ટ પણ આ વિજયના યશભાગી ગણાય, તદૃુપરાંત ટીમ ઈન્ડિયાના દેશ અને વિશ્વવ્યાપી ચાહકોના મેન્ટલી સપોર્ટને પણ યાદ કરવો જ પડે.
આજે જયારે ક્રિકેટની રમત આપણાં દેશના નાગરિકોની મનપસંદ રમતો પૈકીની એક રમત ગણાવા લાગી છે, અને રાજાશાહીના સમયમાં જામનગરના રાજવી જામ રણજીતસિંહે સ્વયં ક્રિકેટ રમીને તથા ક્રિકેટની રમતમાં આપણા પ્રદેશને પ્રોત્સાહન મળે, તેવા પ્રયાસો કરીને આ ખેલને લોકપ્રિય બનાવ્યો, તેની બુનિયાદ પર આજે બીસીસીઆઈ વિશ્વની સૌથી ધનાઢય ખેલ સંસ્થા બની ગયું છે, ત્યારે હવે બીસીસીઆઈની ફરજ પણ એ છે કે આપણા દેશની અન્ય મૂળભૂત રમતોને વધુ પ્રોત્સાહિત કરે અને મહિલા ક્રિકેટ ટીમ તથા ડોમેસ્ટીક ક્રિકેટને ઉત્તેજન આપ્યા પછી હવે અન્ય રમત-ગમતમાં પણ યોગદાન આપે, ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના કૌશલ્યવાન ખેલાડીઓને ક્રિકેટ સહિત તમામ રમત-ગમતોમાં આગળ વધવા માટે કોઈ પૂરક સંસ્થા ચલાવે.
ટી-૨૦ વર્લ્ડ કપ પૂરો થયા પછી હવે ઈન્ડિયન પ્રિમિયર લીગની મેચો શરૂ થશે, અને ફરીથી દેશભરમાં ક્રિકેટ ફિવર ફેલાશે. બીસીસીઆઈ અને ક્રિકેટરો ભલે આ પ્રકારની ટૂર્નામેન્ટોના માધ્યમથી કરોડો-અબજો રૂપિયા કમાતા હોય, પરંતુ સમાજ અને દેશ પ્રત્યેની નૈતિક ફરજો પણ વધુ દિલ ખોલીને બજાવવી જ જોઈએ, અને આ માટે બીસીસીઆઈની કમાણીના અમુક ટકાના રેગ્યુલર ફંડીંગ સાથે કોઈ એવી સ્વતંત્ર સંસ્થા ઊભી કરીને છેક ગ્રામ્ય વિસ્તારો સુધીના તથા તમામ વયજૂથના ખેલાડીઓને જરૂરી તાલીમ, સાધનો અને સુવિધાઓ મળી રહે, તેવો કોઈક કોન્સેપ્ટ વિચારવો જોઈએ, અમદાવાદની મેચ જોવા આવેલા બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને આઈસીસીના વર્તમાન ચેરમેન જય શાહ અને તેમના પિતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ કોન્સેપ્ટ સંદર્ભે પહેલ કરી શકે છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દેશમાં વિવિધાસભર કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે અને જામનગર સહિત ગુજરાતમાં પણ કેટલાક સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોએ ધ્યાન ખેંચ્યુ હતું, તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા પડાપડી કરી રહ્યાં હતાં, અને પેટ્રોલ-ડીઝલ પંપો પર લોકોની ભીડ જામી હતી. લોકો વાહનોમાં ફૂલટેન્ક ઈંધણ ભરાવવા ઉપરાંત વધારાનું પેટ્રોલ-ડીઝલની ખરીદી કરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળી રહ્યાં હતાં, અને ઈંધણનો સાવચેતી ખાતર થોડો સંગ્રહ કરવાનું વલણ જોવા મળી રહ્યું હતું. બીજી તરફ રાંધણ ગેસના ભાવમાં પણ રાતોરાત ૬૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા ગરીબ-મધ્યમવર્ગના પરિવારો સુધી યુદ્ધની માઠી અસરો પહોંચી છે.
આવું થવાનું કારણ લંબાઈ રહેલું અમેરિકા અને ઈઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ અને તેની સાથે સંકળાયેલા કેટલાક ઘટનાક્રમોમાં છુપાયેલું છે. અમેરિકા વધુને વધુ આક્રમક બની રહ્યું છે અને ઈઝરાયલ આગમાં ઘી હોમી રહ્યું હોય, તેમ લેબનોન અને હિઝબુલ્લા પર હૂમલાઓ કરી રહ્યું છે, તો ઈરાન પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. ઈરાનનું હજારો કિલો મીટર દૂર શ્રીલંકા પાસે પહોંચેલુ જહાજ અમેરિકાએ ફૂંકી માર્યા પછી તંગદિલી વધી જ રહી હતી અને ઈરાને હોર્મુઝની ખાડીમાંથી અમેરિકા, યુરોપ, સમર્થક દેશોના તેલવાહક જહાજો પર પ્રતિબંધ ફરમાવ્યા તેથી ભારતમાં પણ ક્રૂડ ઓઈલની તંગી ઊભી થશે તથા પેટ્રોલ-ડીઝલના ભાવો ઘણાં જ વધી જશે, તેવી આશંકાઓ ઉઠ્યા પછી મોંઘવારી ફાટી નીકળશે, તેવી વાતો વહેતી થઈ ગઈ હતી, તો ખાનગી કંપનીઓએ ગેસના ભાવ વધારવાના સંકેતો આપ્યા હતાં.
હવે પછી તરેહ-તરેહની અફવાઓ ઉડી રહી હતી. તેથી લોકોમાં ગભરાટ પણ ફેલાયો હતો. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ અફવાઓ ફેલાવા લાગી હતી, અને લોકો ડ્રમ, પીપ, કેરબા અને બેરલ લઈને નાના-મોટા તમામ સ્થળોએ ડીઝલ ખરીદવા ઉમટી પડતા ડીઝલની કૃત્રિમ તંગી સર્જાઈ હતી. ઘણાં પેટ્રોલપંપો પર "ડીઝલ નથી" ના બોર્ડ લાગ્યા અને વાહનોની કતારો લાગી, ત્યારે દાયકાઓ જૂના લાયસન્સરાજના સમયે ખડા થતા દૃશ્યો ઘણાં વડીલોને યાદ આવી ગયા હતાં.
તે પછી કેટલાક જિલ્લાઓમાં જિલ્લા તંત્રોએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે, જિલ્લાના દરેક પેટ્રોલપંપ પર ઈંધણનો ૫ૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ અફવાઓના કારણે લોકો મોટા પાયે સંગ્રહ કરવા લાગ્યા હોવાથી અછત જેવી કામચલાઉ સ્થિતિ દેખાઈ રહી છે. વાસ્તવમાં ખેતી, વાહનો તથા મશીનો માટે જરૂરી ડીઝલનો પૂરતો જથ્થો હોવાથી લોકોએ ગભરાવાની કે ગેરમાર્ગે દોરાઈને ખોટી રીતે સંગ્રહ કરવાની જરૂર નથી, કારણ કે તેમ કરવાથી લેભાગુ તત્ત્વો તેનો ગેરફાયદો ઉઠાવતા હોય છે.
ગઈકાલથી જ તંત્રો ઉપરાંત કેટલાક મીડિયા હાઉસ તથા સોશ્યલ મીડિયા દ્વારા પણ લોકોને અફવાઓથી દૂર રહેવા અને લાઈનો લગાવીને બીનજરૂરી ખરીદી કરવાની કે ડીઝલ-પેટ્રોલનો પુરવઠો સંગ્રહીત કરવાની જરૂર નથી, તેવી અપીલ કરવામાં આવી રહી હતી, તો પાછલા બારણે ઘરેલું અને કોમર્શિયલ એમ બન્ને પ્રકારના ગેસના ભાવોમાં વધારો ઝીંકી દેવાયો હતો.
આ યુદ્ધ લાંબુ ચાલે, અને પુરવઠો ખૂટી જાય, તેવા સંજોગોને પહોંચી વળવાના ઉપાયો થઈ રહ્યાં હતાં, તેવામાં હોર્મુઝની ખાડીમાંથી તેલ જહાજોને ઉડાવી દેવાની જે દેશોને ઈરાને ચીમકી આપી હતી, તે યાદીમાં ભારતનું નામ નહીં હોવાથી ભારતને રાહત થઈ હતી, તો બીજી તરફ અમેરિકાએ એક મહિના માટે રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદવાની ભારતીય કંપનીઓને છૂટ આપી દેતા ભારતની ચિંતા મોટા ભાગે ટળી ગઈ છે અને યુદ્ધ વધુ ચાલે, તો પણ ભારત પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો જથ્થો જળવાઈ રહેશે, તેવા દાવાઓ પણ થઈ રહ્યાં છે. જો કે, કામચલાઉ ભાવ વધારા માટે લોકોએ પણ તૈયાર રહેવું પડશે, તેવું લાગે છે.
બીજી તરફ આ આંતરરાષ્ટ્રીય સંકટ અને ટ્રમ્પની તૂમાખીની આડઅસરોના કારણે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ ઉથલપાથલ મચી ગઈ છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે, ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની છૂટ કે પ્રતિબંધ આપનાર ટ્રમ્પ કોણ...? વડાપ્રધાન મોદી આ મુદ્દે કેમ ચૂપ છે...? વિગેરે...
રાહુલ ગાંધીએ મોદી સરકારની વિદેશનીતિની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, "આ એક વ્યક્તિના ભ્રષ્ટાચાર અને શોષણનું પરિણામ છે...!"
રાહુલ ગાંધીએ "કોમ્પ્રોમાઈઝડ પી.એમ." જેવા શબ્દ પ્રયોગો સાથે કહ્યું હતું કે, "અમેરિકા આપણે ક્યાંથી તેલ (ક્રૂડ) ખરીદવું તે કેવી રીતે નક્કી કરી શકે...? રશિયા કે ઈરાન પૈકી ભારત કોની પાસેથી ક્રૂડ (તેલ) ખરીદશે, કે નહીં ખરીદે, તેનો ફેંસલો અમેરિકા કરશે, પણ આપણા વડાપ્રધાન ફેંસલો નહીં કરે"...
આ પહેલા કોંગ્રેસ પક્ષે આ મુદ્દે ટીકા કરી હતી કે, આ "અમેરિકી બ્લેક મેઈલીંગ" ક્યાં સુધી ચાલશે ? રશિયાએ પણ મિત્રતા હોવા છતાં ભારતને હવે ડિસ્કાઉન્ટ નહીં, પણ પ્રિમિયર ભાવે ક્રૂડ આપવાની વાત કરી છે.
આ તરફ ટ્રમ્પની તૂમાખી એટલી વધી ગઈ છે કે, તેઓ દુનિયાના કોઈપણ નીતિ-નિયમો કે કાયદા-કાનૂનને માનવા તૈયાર નથી. કોઈ ટચૂકડા દેશના રાષ્ટ્રપતિને તેમની પત્ની સાથે તેમના જ દેશમાંથી ઉઠાવી લાવીને જેલમાં પૂરી દેવા અને ઈરાનના સુપ્રિમ લીડરને મારી નાંખ્યા પછી તેના ઉત્તરાધિકારી તરીકે તેના પુત્રની તાજપોશીને નકારવા જેવા ટ્રમ્પના કદમ અન્ય દેશોના સાર્વભૌમત્વ અને અસ્મિતાને ખંડિત કરનારા છે, અને વિશ્વ સમુદાય તેની સાથે સમંત નહીં હોય, તો પણ પોતાની શક્તિઓનો દૂરઉપયોગ કરી રહેલા આ લોકતાંત્રિક તાનાશાહને કોણ અટકાવી શકે...? સિંહ (ટ્રમ્પ) ને કોણ કહેવા જાય કે, 'તેનું મોઢું ગંધાય છે...?'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ટી-૨૦ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે દિલધડક મુકાબલો જામ્યો હતો અને ભારતે ૨૫૩ રનનો જંગી સ્કોર ખડો કરી દીધા પછી એવું લાગતું હતું કે ભારત સરળતાથી જીતી જશે, પરંતુ ઈંગ્લેન્ડના બેટધરોએ એવી આક્રમક રમત રમી કે છેલ્લે ભલભલાના હૃદયની ધડકનો તેજ થઈ જાય, તેવો રોમાંચ જામ્યો હતો.
જો કે, છેલ્લે ભારતીય બોલરોએ વાપસી કરીને ઈંગ્લેન્ડની ટીમને ૨૪૭ રને ઓલ આઉટ કરીને મેચ જીતી લીધી હતી. તેથી એવું કહી શકાય કે જો જીતા વોહી સિકંદર...
હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે ત્યારે ભારતને હરાવનાર દ.આફ્રિકાની ટીમને જે ટીમે પરાજય આપ્યો હતો, તે ન્યુઝીલેન્ડની મજબૂત ટીમ સામે ભારતનો મુકાબલો થવાનો છે. જો કે, ભારતની ટીમ પણ અત્યારે સમોવડી ગણાય છે, બસ, દશેરાના દિવસે ઘોડા દોડવા જોઈએ...
આ સેમિફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના ગુજરાતના ખેલાડીઓ બુમરાહ, હાર્દિક અને અક્ષરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી જે ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે.
હાલારમાં વન-ડે ક્રિકેટના મેચની જેટલી ચર્ચા થઈ રહી છે, એટલી જ ચર્ચા યાત્રાધામ દ્વારકામાં ઉજવાયેલા ફૂલડોલ ઉત્સવ અને તેને સંલગ્ન ઘટનાક્રમોની થઈ રહી છે. યાત્રાધામ દ્વારકામાં "પોલીસ" લખેલી થાર કારને અસલી પોલીસે આંતરીને ડુપ્લીકેટ પોલીસને પકડી લીધા અને તેઓએ કોઈ રોકટોક વગર હરી ફરી શકે તેવા હેતુથી "પોલીસ" લખીને કારમાં પ્રવાસ કર્યો હોવાની કેફિયત આપી હોવાની વાતો વહેતી થયા પછી લોકોમાં કુતૂહુલ સાથે સસ્પેન્સ જાગ્યું હતું અને ફરી એક વખત "ડુપ્લીકેટ" અને "નકલી"ની ચર્ચા શરૂ થઈ ગઈ હતી, તથા સોશ્યલ મીડિયામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તથા ગુજરાતમાં ગુન્હાખોરીની વધી રહેલી હિંમત અંગે વિવિધ કોમેન્ટો પણ થવા લાગી હતી.
આ ઘટનાની સાથે સાથે યાત્રાધામ દ્વારકા જેવા પવિત્ર સ્થળે શેરડીના રસમાં કાંઈક પીવડાવીને પહેલી માર્ચે કોઈ અજાણ્યા યુવાનોએ જામજોધપુરના તરસાઈથી પગપાળા દ્વારકા પહોંચેલા બે વડીલોને શેરડીના રસમાં કાંઈક પીવડાવીને બેભાન કરી દીધા અને તેની પાસે રહેલી હજારો રૂપિયાની રોકડ રકમ તથા સોનાના કિંમતી આભૂષણોની લૂંટ ચલાવી હોવાની ઘટનાએ તો માત્ર હાલાર નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં સનસનાટી ફેલાવી દીધી હતી., આ ઘટનાએ એવી શીખ પણ આપી હતી કે કોઈ અજાણ્યા લોકો જ્યારે કાંઈ ખાવા-પીવા કે તેની સાથે ક્યાંય જવાની ઓફર કરે ત્યારે સતર્ક થઈ જવું અને તેનાથી પીછો છોડાવી લેવો જ હિતાવહ રહે છે.
સિક્કાની બીજી બાજુની જેમ પોલીસતંત્ર દ્વારા કેટલાક લોકોને માનવતાભરી મદદ કરવામાં આવી, પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા પણ સેવા કેમ્પોના માધ્યમથી યાત્રિકો-પદયાત્રીઓની મદદ કરવામાં આવી, તથા એકંદરે સુરક્ષિત અને સલામતીભરી દર્શન તથા અન્ય વ્યવસ્થાઓ ફૂલડોલ ઉત્સવ દરમ્યાન યાત્રાધામોમાં જાળવી શકાઈ, તેની પણ નોંધ લેવી જ જોઈએ.
બીજી દૃષ્ટિએ એવું પણ કહી શકાય કે ભલાભોળા વયોવૃદ્ધ પદયાત્રીઓને ભોળવીને અને તેને કોઈ ઘેન ચડે તેવું પીણું પીવડાવીને તેને લૂંટી લેનાર દુષ્ટો જેટલા જ દોષિત એ લોકો પણ છે, જેઓ પદયાત્રીઓ સહિત દૂર-સુદુરથી દ્વારકા દર્શનાર્થે આવેલા યાત્રિકો-ભાવિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને નફાખોરી દ્વારા તેઓને લૂંટતા હોય, પવિત્ર યાત્રાસ્થળોમાં આવતા પરિવારો, પદયાત્રીઓ, દર્શનાર્થીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને બેફામ નફાખોરી કરવી એ પણ ઉઘાડી લૂંટ જ ગણાય, અને તેના પર નિયંત્રણ રાખી નહીં શકતા તંત્રો અને શાસકો પણ તેના માટે જવાબદાર જ ગણાય ને ?
આ વખતે ધૂળેટીના પર્વે ગુજરાતમાં ડૂબી જવાથી ૨૫થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલોએ ગમગીની ફેલાવી જ હતી, તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પણ એક ગમખ્વાર સમાચાર આવ્યા, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ-કલ્યાણપુરના કબીરનગરમાં ધૂળેટીમાં રંગે રમ્યા પછી તળાવમાં નહાવા ગયેલા કિશોરના ગમખ્વાર મૃત્યુના સમાચારે બધાને હચમચાવી દીધા હતા. આ ઘટના આપણા બધા માટે બોધપાઠરૂપ છે અને ખાસ કરીને વાર-તહેવારે કે કોઈપણ પ્રસંગે નદી-તળાવ-ચેકડેમ કે જળાશયોમાં બાળકો-કિશોરો કે યુવાનો જ નહીં, કોઈપણ વયજૂથના લોકો નહાવા જાય કે વહેણ પસાર કરવા જાય, ત્યારે ખૂબ જ સતર્ક રહે અને બિનજરૂરી સાહસ ન કરે, તે અત્યંત જરૂરી છે, અને આ માટે સમાજ, સરકાર અને પંચાયતી સંસ્થાઓએ વિસ્તૃત જનજાગૃતિ ફેલાવવી જોઈએ, થા આવી ઘટનાઓ બનતી જ અટકે તેવા સ્થાનિક તથા સર્વવ્યાપી પ્રબંધો પણ કરવા જોઈએ.
ટૂંકમાં યાત્રાધામોમાં દર્શન, પર્યટન અને પ્રકૃતિનો આનંદ મનભરીને માણીએ, પરંતુ તેમ કરવા જતા આપણાં કે આપણાં સ્વજનો કે કોઈપણ લોકોના જીવનું જોખમ ઊભું થાય, કોઈ છેતરી કે ભરમાવી જાય કે લૂંટી જાય, તેની સામે અત્યંત સાવધ રહેવું પડે, અને આવી ઘટનાઓ અટકાવવા સર્વવ્યાપી, સચોટ પ્રયાસો સતત ચાલતા જ રહેવા જોઈએ.
દ્વારકા મંડળના જ એક ગામે એક આવકારદાયક નિર્ણય લીધો અને ધાર્મિક કે પ્રાસંગિક ક્રિયાઓ દરમ્યાન પશુબલિ ચડાવવાની અયોગ્ય અને ક્રૂર પ્રથાને તિલાંજલી આપી, તે પછી આ જ પ્રકારના સંકલ્પો ગામેગામથી લેવાશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે, ત્યારે એક નવી આશાનો સંચાર પણ થયો છે...વેલડન..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હાલારમાં ગઈકાલે ધૂળેટીનું પર્વ ખૂબ આનંદપૂર્વક અને પરંપરાગત રીતે ઉજવાઈ ગયું. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવાયો, અને ડાકોર-દ્વારકા સહિતના ભગવાન શ્રીકૃષ્ણના યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી, તો ગામેગામ હોળી-ધૂળેટીનો તહેવાર ઘણાં જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આનંદપૂર્વક ઉજવાયો, જો કે, ગુજરાતમાં કેટલીક ગમખ્વાર ઘટનાઓ બની, જે એક પ્રકારનું સોશ્યલ એલર્ટ પણ આપે છે.
જામનગર શહેર, યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા સહિતના હાલારના બંને જિલ્લાઓમાંથી હોળી-ધૂળેટીપર્વની ઉજવણીની સાથે સાથે કેટલાક માનવીય, સામાજિક અને પ્રેરણાત્મક સેવાકાર્યોના પણ અહેવાલો આવ્યા અને ફૂલડોલ ઉત્સવ જેવા પ્રસંગે લાખો યાત્રિકો ઉમટયા હોવા છતાં એકંદરે વ્યવસ્થાઓ અને સુરક્ષા-સલામતી જળવાઈ રહી હતી, તે માટે તંત્રો અને સંસ્થાઓની સાથે સાથે સ્થાનિકો અને જનતા તથા ખાસ કરીને ભાવભક્તિથી દૂર-દૂરથી પગપાળા તથા અન્ય રીતે આવેલા લાખો યાત્રિકો-દર્શનાર્થીઓની સ્વયં-શિસ્ત તથા સૌજન્યતાને પણ બીરદાવવી જ પડે.
બીજી તરફ કેટલાક લેભાગુ પરિબળોએ જુદી જુદી સેવાઓ, વ્યવસ્થાઓ, પરિવહન, નિવાસ-ભોજન અને અલ્પાહારથી માંડીને ઓનલાઈન સેેવાઓ તથા કેટલાક સ્થળે તો પૂજા સામગ્રી, પ્રસાદ સામગ્રી તથા ભગવાન શ્રીકૃષ્ણને લગતી ચીજવસ્તુઓના વેંચાણમાં પણ નફાખોરી થઈ હોવાની ફરિયાદો કેટલાક યાત્રાસ્થળોમાંથી ઉઠતી હતી, તો કેટલાક સેવાભાવી લોકો તથા સંસ્થાઓ કેટલીક સેવાઓ તથા સામગ્રી રાહતદરે કે નિઃશુલ્ક પૂરી પાડતા તથા અટવાયેલા યાત્રિકોને મદદરૂપ થઈ રહેલા પણ જોવા મળ્યા હતા. એકંદરે સમગ્ર ઉજવણીઓ ઉમંગભેર અને શાંતિપૂર્વક સંપન્ન થયા હતા. જો કે, આ અનુભવો પરથી બોધપાઠ લઈને તંત્રો-સંસ્થાઓ, વ્યવસ્થાપકો-સમાજ અને સરકાર દ્વારા પણ આગામી તહેવારોમાં જરૂરી સુધારા-વધારા તથા વિશેષ કાળજી રાખવામાં આવશે, તેવી આશા રાખીએ.
સિક્કાની બીજી બાજુની જેમ ગઈકાલે ગુજરાતમાં અનેક સ્થળે ગમખ્વાર ઘટનાઓ પણ બની હતી. જેથી ચંદ્રમાની રોશનીમાં કલંક (કાલિમા) જેવી સ્થિતિ ઊભી થઈ હતી.
ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં ડૂબી જવાથી ૨૫થી વધુ લોકોના જીવ ગયા હોવાના અહેવાલો ઘણાં જ ગમખ્વાર છે અને ધૂળેટીની ઉજવણીનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો, તેના કારણે રાજ્યમાં થઈ રહેલી ધૂળેટીના રંગમાં ભંગ પડયો.
ગઈકાલે અમરેલીમાં નદીમાં તણાઈ જવાથી એક, સુરતની કીમ નદીમાં નહાતી વખતે ડૂબી જવાથી ત્રણ, કડી(થોળ) પક્ષી અભ્યારણ્ય નજીક તળાવમાં ડૂબી જવાથી એક, મહેસાણાના મોટી દાઉ નજીક જળાશયમાં ડૂબી જવાથી બે, કોઠંબા ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ, અમદાવાદ શહેરના જુદા જુદા જળાશયોમાં ડૂબી જવાથી ચાર, બારડોલીમાં નદીમાં નહાવા જતા ડૂબી જવાથી ચાર અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા સ્થળે ચેકડેમ અને તળાવમાં ડૂબી જવાથી ત્રણ વ્યક્તિઓનો જીવ ગયો. આ ગમખ્વાર ઘટનાઓ પછી હોળી-ધૂળેટી પર્વે રંગે રમીને નહાવા જતા કે પછી નદી-તળાવોમાં જુદી જુદી રમતો રમવા કે પછી બેધ્યાનપણે નહાવા પડવા કે જળમાર્ગો પાર કરવા સામે હવે આપણે બધાએ સ્વયં પણ જાગૃતિ રાખવાની ખાસ જરૂર હોય તેમ નથી લાગતું ?
દ્વારકાની ગોમતી નદીમાં પણ સંગમ સ્થળે કે ઉંડાણમાં નહાવા કે સમુદ્રસ્નાન કરવા જતા ઘણું જ સાવચેત રહેવું પડે તેમ છે, કારણ કે આ સ્થળે ગોમતી નદી સીધી દરિયામાં મળતી હોવાથી દરિયાની ભરતી-ઓટની સીધી અસર નદીમાં થતી હોવાથી તથા ગોમતી નદીની રેતી ક્યારેક વધુ તણાઈ જતાં નદી ક્યાં ઊંડી હશે અને ક્યાં છીછરી હશે તેની ખબર નહીં પડતી હોવાથી ગોમતી સ્નાન કરતી વખતે પણ ઘણું જ ધ્યાન આપવું પડે તેમ છે.
ધૂળેટીનો ઉત્સવ, ગણેશોત્સવ તથા અન્ય ઉત્સવો સમયે નદી, તળાવ, જળાશયોમાં સ્નાન કરવાની પરંપરાઓ હોવાની જાણ બધાને હોવાથી સરકાર, સમાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા તેના તંત્રોએ પણ આ બાબતે સુરક્ષા તથા ચેતવણીની સુદૃઢ વ્યવસ્થાઓ સાથે જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, કારણ કે, આ પ્રકારની ઘટનાઓમાં જેમણે સ્વજનોને ગુમાવ્યા હોય, તેઓની આખી જિંદગી પણ ગમખ્વાર યાદોમાં જ વિતતી હોય છે. સબકો સન્મતિ દે ભગવાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે હૂતાશણી પર્વે હોલિકાદહનના કાર્યક્રમ ઠેર ઠેર યોજાયા અને આવતીકાલે ધૂળેટીનો રંગોત્સવ ઉજવાશે. હોલિકા દહનની સાથે હોળીના અગ્નિમાં નફરત, દુશ્મનાવટ, વ્યસનો, ક્રોધ, જીદ, દુર્ગુણો અને દુર્ભાવનાઓ હોમી દેવાની કામના કરવામાં આવતી હોય છે અને સૌના જીવનમાં સદાચાર, સંસ્કારો, શાંતિ-સમૃદ્ધિ અને સદ્ભાવના સાથે સદ્ગુણોના સ્વરૂ:પમાં રંગો ભળી જતા જિંદગી નિજાનંદ તથા "સર્વજન સુખાય, સર્વજન હિતાય"ની ભાવનાઓથી રંગાઈ જાય, તેવી શુભકામનાઓ આજે આપણાં સૌના મનમાં ઉદ્ભવવી જ જોઈએ.
અત્યારે વિશ્વમાં ચાલી રહેલી યુદ્ધની જ્વાળા પણ ઝડપથી સમી જાય અને અમેરિકા, ઈરાન, ઈઝરાયલ તથા રશિયા અને યુક્રેનના યુદ્ધો ખતમ થઈ જાય, તેવી આશા તો વિશ્વભરમાં રખાઈ રહી હશે, પરંતુ આજે સવાર સુધીના ઘટનાક્રમો જોતાં હાલ તુરંત આ યુદ્ધ તત્કાળ થંભે તેવું લાગી રહ્યું નથી, પરંતુ તેનાથી વિપરીત વિશ્વના ઘણાં દેશો આ યુદ્ધમાં ઈરાન અને ઈઝરાયલ-અમેરિકાની તરફેણ અને વિરોધ કરી રહ્યા છે, તે જોતા આ યુદ્ધ ક્યાંક વિશ્વયુદ્ધમાં તો પલટી નહીં જાય ને ? તેવી આશંકાઓ પણ વધુને વધુ મજબૂત બની રહી છે. આ યુદ્ધમાં ઈસ્લામિક દેશો પણ બે ભાગમાં વહેચાઈ ગયા છે અને તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂ:પે વિશ્વમાં જુદા જુદા સ્વરૂ:પમાં સક્રિય ખતરનાક આતંકવાદી સંગઠનો પણ જોડાઈ રહ્યા હોવાથી આ યુદ્ધ વધુ વિનાશક અને વ્યાપ બનશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ યુદ્ધમાં અદ્યતન ટેકનોલોજી, નવી રણનીતિઓ તથા દુશ્મનને હંફાવવાની તદ્ન નવી અને આધુનિક પદ્ધતિઓ અપનાવાઈ રહી હોવાથી ઈરાન-અમેરિકા-ઈઝરાયલનું આ યુદ્ધ તકનીકી પરીક્ષણો અને પ્રયોગોનો અવસર પણ બની રહ્યું હોય તેમ જણાય છે.
ઈરાને અમેરિકાના મિત્ર દેશોમાં આવેલા અમેરિકન સ્થળો પર વિનાશક હૂમલાઓ કર્યા પછી હવે અમેરિકા જરૂ:ર પડયે સેનાને મેદાનમાં ઉતારવાની વાતો પણ કરવા લાગ્યું છે, જેથી આ યુદ્ધ અત્યાર સુધી હવાઈ હૂમલાઓ સુધી મર્યાદિત હતું, તે હવે જમીની યુદ્ધ તથા દરિયાઈ ક્ષેત્રે સામસામે આવીને પ્રત્યક્ષ લડાઈમાં પરિવર્તિત થઈ રહેલું જોવા મળે છે, અને હવે તેમાં એ.આઈ. અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે.
તાજેતરના અહેવાલો મુજબ ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવીને કરાયેલા હૂમલાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.)નો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હોવાના સમાચારો પછી એક નવી જ પ્રકારની ચર્ચા થઈ રહી છે. દુશ્મનોને હંફાવવા ભૂતકાળમાં રાસાયણિક હથિયારો, જૈવિક હથિયારો અને પાણીમાં ઝેર ભેળવીને કે હવાને ઝેરીલી બનાવીને ગુંગળાવનારો ગેસ ફેલાવીને તથા આગ લગાડીને કે પછી દુશ્મન દેશોમાં જતી નદીઓમાં અચાનક જ પાણી છોડીને શત્રુની સેનાને મહાત કરવાના પ્રયાસો થતા રહ્યા છે, અને તેમાં હમણાંથી સોશ્યલ મીડિયા વોર તથા ઈન્ટરનેટના માધ્યમથી લોકોમાં ગભરાટ, પરસ્પર નફરત કે વેરઝેર ફેલાવવાના ખતરનાક, અનિચ્છનિય તથા અનૈતિક નુસ્ખાઓ ઉમેરાયા છે. હવે તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પ્રયોગ થતાં આ વિષયને આજની તારીખે ગ્લોબલ ટોકીંગ, ડિબેટીંગ અને ડિસ્કશનનો મુદ્દો બન્યા છે.
તાજેતરના અમેરિકન હૂમલાઓમાં અમેરિકાની સેનાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટુલ્સનો ભરપૂર ઉપયોગ કરવાના અહેવાલો છે, તેમાં પણ યુદ્ધના વિવિધ ઓપરેશનોનું પ્લાનિંગ, રણનીતિ અને સ્પોટ ડિસીશન તથા લોકેશન કેપ્ચરીંગ, ડેટા કલેકશન અને એનાલિસિસના સંયોજન સાથે યુદ્ધના ઓપરેશનમાં એ.આઈ.નો ભરપૂર ઉપયોગ કર્યો હોવાના અહેવાલો પછી એવો સવાલ ઉઠી રહ્યો છે કે આ પ્રયોગને કેટલો વિશ્વસનિય ગણાય ? જો આ પ્રયોગ ખરાઈ કર્યા વિના જ થતો રહે તો તે ક્યાંક, પોતાના પગ પર જ કૂહાડો મારવા જેવું તો નહીં હોય ને ? આ પ્રકારની નવીનતમ રણનીતિ જો ઓનલાઈન જ લિક થઈ જાય તો ? વગેરે સવાલોની ઝડી પણ વરસી રહી છે, અને આ પ્રયોગ ભવિષ્યમાં વિશ્વશાંતિ, વૈશ્વિક સુરક્ષા અને પ્લેનેટ (પૃથ્વી)ની સલામતી માટે જ ખતરો તો નહીં બની જાય ને ? તેવી શંકાઓના જવાબ કદાચ કોઈ પાસે નથી.
અત્યારે ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન ડ્રોન દ્વારા ખેંચેલી તસ્વીરો કે રેકોર્ડ કરાયેલી વીડિયો, ઈન્ટરસેટર કરેલી ઓડિયો ક્લિપ, સેટેલાઈટના માધ્યમથી મેળવેલી તસ્વીરો, જમીન હીલચાલની માહિતી, સિગ્નલ ઈન્ટેલિજન્સ, સિક્રેટ ઈન્ટેલિજન્સ, ગૂપ્તચર રિપોર્ટસ, ન્યુઝ એન્ડ મીડિયા એનાલિસીસ તથા ભૌગોલિક-હિસ્ટોરિકલ તથા પ્રાકૃતિક સ્થિતિઓના ડેટા એકત્રિત કરીને તેનું ગહન વિશ્લેષણ કરીને (દેશી ભાષામાં વલોવીને) તેમાંથી ગણતરીની ક્ષણોમાં જ પેટર્ન પકડીને પ્લાનિંગ સૂચવવાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શક્તિનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય માનવી માટે આટલો બધો ડેટા એકત્રિત કરી, તેને સમજીને તેમાંથી કોઈ પ્લાનિંગ ખૂબજ ઝડપથી કરવું અત્યંત કપરૃં ગણાય, જે એ.આઈ. થોડી ક્ષણોમાં જ કરી આપતું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. એ.આઈ. દ્વારા આ બધા વિશ્લેષણ પછી ગણતરીના સમયમાં હવે પછીના સંભવિત પ્રતિકાર તથા સમય-સંજોગો-સ્થિતિને ધ્યાને રાખીને આપણા હવે પછીના ટાર્ગેટ્સ પણ નક્કી કરી આપે છે, તેથી જ અમેરિકાએ ઈરાનના સુપ્રિમ લીડરને સટીક રીતે ટાર્ગેટ બનાવીને ખતમ કર્યા હોવાની જોરદાર ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ એ.આઈ.નો ઉપયોગ કરીને યુદ્ધમાં ઉઠાવેલા બધા જ કદમ સફળ થઈ રહ્યા છે ખરા ? તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે, અને એ.આઈ.ના દર્શાવેલા તમામ વિકલ્પો કેટલા સફળ થયા અને કેટલા નિષ્ફળ રહ્યા, તેનો હિસાબ-કિતાબ તો ભવિષ્યમાં થશે, પરંતુ આ પ્રયોગ કયાંક સેલ્ફ ગોલ કરવા જેવો તો નહીં નિવડે ને ? તેવી આશંકાઓ પણ ઉઠી રહી છે. એન્થ્રોપિકના ક્લાઉડ મોડેલનો ઉપયોગ શસ્ત્રો ચલાવવામાં નહીં પરંતુ યુદ્ધની રણનીતિ માટે પણ અલ્ગોરિધમની ભૂમિકા પ્રભાવી બની રહી હોય તેમ જણાય છે. જો કે, હજુ વ્યાપાર ક્ષેત્રે અંતિમ નિર્ણયો એ.આઈ. નહીં, પરંતુ માનવી જ લેતો હોવાથી થોડા સેઈફ ગાર્ડ છે, પરંતુ સ્પોટ ડિસિસનના સમયે એ.આઈ.નો કેટલો ભરોસો કરવો, તે હજુ વિશ્વસનીય ઢબે નકકી થઈ શકતું નથી, તેમ છતાં અમેરિકન અને ઈઝરાયલે આ પ્રયોગ કેટલો કર્યો અને કેટલો સફળ રહ્યો, તેની ખબર યુદ્ધ વિરામ પછી વિસ્તૃત રીતે પડશે અને તે પછી નક્કી થશે કે એ.આઈ.નો પ્રયોગ કેટલો વિશ્વસનીય અને સચોટ છે.
આ ઈન્ટેલિજન્સનો આર્ટિફિશિયલ અવતાર કેટલો વિશ્વસનીય છે, અને અંતિમ નિર્ણય લેવાનું માનવીએ હાથમાં રાખવા જેવું છે, તેવો કોન્સેપ્ટ એટલા માટે પસંદ કરાઈ રહ્યો છે કે કેટલાક સિમ્યુલેશનમાં એ.આઈ. એ યુદ્ધમાં પરંપરાગત શસ્ત્રોના બદલે પરમાણુ હથિયારોના ઉપયોગની ભલામણ કરી દીધી હતી. જો માનવી અંતિમ નિર્ણય લેતો ન હોય તો પરમાણુ યુદ્ધના જ મંડાણ થઈ જાય ને ?
પરમાણુ શસ્ત્રોના ઉપયોગથી કેટલો સંહાર થાય, કેટલો વિનાશ થાય અને આપણી પૃથ્વી ખતરામાં પડી જાય, તેવી સંવેદનાસભર વિચારણા માનવી જ કરી શકે, એ.આઈ.નું મશીન તો માત્ર શસ્ત્રોની ઘાતકતા અને સંહારક શક્તિની જ ગણતરી કરી શકે, તેથી એ.આઈ. નો ઉપયોગ ઘણો જ સમજપૂર્વક કરવો પડે તેમ છે.
આ કારણે જ કદાચ આપણાં દેશની સર્વોચ્ચ અદાલતે વકીલો તથા ન્યાયધીશોને એ.આઈ.ના ઉપયોગ સામે ચેતવ્યા છે, સુપ્રિમકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ જજ પોતાના ચૂકાદામાં એ.આઈ. દ્વારા જનરેટ કરાયેલા ખોટા કેસ અથવા કાયદાનો સંદર્ભ ટાંકે છે, તો તેને માત્ર કાનૂની ભૂલ નહીં, પરંતુ જે-તે જજની ગેરરીતિ જ ગણવામાં આવશે. એવું કહેવાય છે કે આ પ્રકારના કડક નિર્દેશો સુપ્રિમકોર્ટે એટલા માટે આપ્યા કે એક ટ્રાયલ કોર્ટે એ.આઈ. જનરેટેડ કેટલાક એવા ચૂકાદાઓ ટાંક્યાં હતા, જે અસ્તીત્વમાં જ નહોતા...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દુનિયામાં યુદ્ધનો માહોલ છવાયો છે અને ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસરો ભારત સહિત આખી દુનિયામાં થવાની છે. ભારતના એક તેલવાહક જહાજ પર પણ હૂમલો થયો છે. ઈરાનમાં ભારતે જેમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યુ છે, તે ચાબહીરમાં પણ નુકસાન થયુ છે. આ ઉપરાંત યુદ્ધના કારણે ઈરાને જ્યાં જ્યાં અમેરિકાના સૈન્ય ઠેકાણાં છે, ત્યાં ત્યાં ઈરાને હૂમલા કર્યા છે, તેની અસરો ટી-૨૦ના વર્લ્ડકપની મેચ પર પણ પડી છે.
આ યુદ્ધના કારણે મિડલ ઈરાનના દેશમાં ભારે તંગદિલી છે, અને દુબઈ, અબુધાબી સહિતના દેશોમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ પર ઈરાનના હૂમલાઓના કારણે ટી-૨૦ના વર્લ્ડકપમાં રમી રહેલી ઝિમ્બાબ્વેની ટીમ અટવાઈ પડી હતી. દ.આફ્રિકા સાથેની મેચ રમવા રોકાયેલા ખેલાડીઓ અચાનક કેટલાક એરપોર્ટ બંધ કરી દેવાતા અટવાઈ ગયા હતા. બીજી તરફ બાંગલાદેશનો એક દિગ્ગજ ક્રિકેટર મક્કામાં ફસાઈ ગયો હોવાના અહેવાલો છે. બીજી તરફ અબુધાબીમાં પણ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની એક મેચમાં પણ ખલેલ પડી અને વન-ડે મેચ પડતી મૂકાઈ.
આ યુદ્ધનો તત્કાળ અંત નહીં આવે તો સપ્લાય ચેઈનને માઠી અસર પહોંચતા વૈશ્વિક પરિવહન ખોરવાઈ જતા દુનિયાભરમાં આવશ્યક ચીજવસ્તુઓ તથા રો-મટિરિયલ્સની તંગી ઊભી થશે, તથા ખાસ કરીને ક્રૂડ, ખનિજ, ગેસ અને જીવનજરૂરી માલ-સામાનની સપ્લાય ચેઈન ખોરવાઈ જતા મોંઘવારી ફાટી નીકળશે તથા પ્રોડકશન, ખરીદ-વેચાણ તથા પરિવહનને ઘણી જ મોટી વિપરીત અસર ઊભી થઈ શકે છે.
અમેરિકા અને ઈઝરાયલના સુપ્રિમ લીડર ખેમનાઈને ખતમ કર્યા, તેનો વિશ્વભરમાં વિરોધ ઉઠયો છે, તથા પડોશી દેશ પાકિસ્તાન અને પીઓકેમાં અમેરિકા વિરોધી પ્રદર્શનો કરી રહેલા પોતાના જ દેશના નાગરિકો પર પાક.સરકારે ગોળીબાર કરાવતા કેટલાક પ્રદર્શનકારીઓના મૃત્યુ થયા, તેથી એક અલગ જ પ્રકારનો આક્રોશ ઊભો થયો છે.
ઈરાનમાં પણ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. ખેમનાઈના રૂઢીચૂસ્ત શાસનથી મૂક્તિ માંગતી યુવાજનતા (જેનઝેડ) ખુશ છે અને ઘણાં સ્થળે ખેમનાઈના ખાતમા પછી ખુશી પણ મનાવાઈ રહી હતી, તો બીજી તરફ આ ખુશી મનાવી રહેલા લોકો પર આડેધડ ગોળીબાર કરતા બાઈકસવારો પણ જોવા મળ્યા હતા. ઈરાનમાં સુપ્રિમ લીડર અને ઘણાં બધા સૈન્ય અફસરો તથા સરકારના મંત્રી તથા અન્ય રાજનૈતિક હોદ્દેદારો, અડવાઈઝર્સ વગેરે ઈઝરાયલ-અમેરિકાના હૂમલામાં માર્યા ગયા પછી પણ ઈરાને કેટલાક ઈસ્લામિક સ્ટેટ (મુસ્લિમ શાસન હોય તેવા રાજ્યોમાં) આવેલા અમેરિકી ઠેકાણાઓ પર હૂમલા કર્યા હોવાથી તે દેશ પણ ઈરાનથી નારાજ જણાય છે.
ગઈકાલે ટ્રમ્પે ઈરાનની નવી નેતાગીરી વાતચીત માટે તૈયાર હોવાની વાત કરી અને સાથે સાથે મોડું થઈ ગયું હોવાની ટકોર પણ કરી, તેથી ગઈકાલે રાત્રિ સુધી એક તરફ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહ્યા, તો બીજી તરફ ભીષણ હૂમલાઓ પણ થતા રહ્યા.
આખું વિશ્વ ઇચ્છે છે કે માત્ર ઈરાન-અમેરિકા-ઇઝરાયલનું હાલનું યુદ્ધ જ નહીં, પરંતુ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ ખતમ થઈ જાય, કારણ કે આ યુદ્ધો આખી દુનિયાની માત્ર ઈકોનોમિ કે બિઝનેસ જ નહીં, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને પરિવહન તથા જનજીવનને પણ છિન્ન-ભિન્ન કરી રહ્યા છે.
અત્યારે જ ક્રૂડના બેરલના ભાવો વધ્યા છે, જે યુદ્ધ લંબાય તો વધુ ભડકે બળે, જેથી તમામ વસ્તુઓ મોંઘી થશે.
વૈશ્વિક રાજનીતિ, યુદ્ધો તથા મીડલ ઈસ્ટના કૂટનૈતિક જાણકારો પણ બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. એક વર્ગ એવો છે કે જે ઈરાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે, અને ટ્રમ્પની દાદાગીરી તથા ઈઝરાયલની આક્રમકતાની ટીકા કરે છે. બીજો વર્ગ એવો છે કે જે રૂઢીચૂસ્ત પ્રવર્તમાન ઈરાન સરકાર દ્વારા હિઝબુલ્લાહ, હમાસ અને હુતી જેવા કહેવાતા આતંકી સંગઠનોને પ્રોત્સાહન અપાતુ રહ્યું હોવાથી ઈરાન-આતંકવાદ પ્રેરક દેશ બની રહ્યો હોવાના અમેરિકા અને ઈઝરાયલના તર્કની તરફેણ કરે છે તથા ઈરાનના પરમાણુ શક્તિ બનવાના મનસુબાઓનો સખ્ત વિરોધ કરે છે.
ઈરાને બહેરીન, કતાર, કૂવૈત એન યુએઈમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો પર હૂમલા કર્યા. ગઈકાલે પણ દુબઈ, દોહા અને પનામામાં વિસ્ફોટો સંભળાતા રહ્યા, પામ જુબેરાહ અને બુર્જ અલ અરબ સહિતની ખ્યાતનામ ઈમારતો તથા અસ્કયામતોને નુકસાન થયું તે પછી દુબઈનું એરપોર્ટ પણ બંધ કરી દેવાતા સંખ્યાબંધ પ્રવાસીઓ રઝળી પડયા છે, જેમાં ઘણાં બધા ગુજરાતીઓ છે.
એ પછી યુએઈના પોલિટિકલ એડવાઈઝર અનવર ગહગાશે ઈરાનને વોર્નિંગ આપી અને પડોશીઓને નુકસાન નહીં પહોંચાડવાની અપીલ સાથે સમજદારીપૂર્વક નિર્ણયો અને એકશન લેવાની સલાહ પણ આપી. ખાડીના દેશો સામે ઈરાનની આક્રમકતાને વખોડતા તેમણે કહ્યું કે ઈરાન અત્યારે એક નાજુક પરિસ્થિતિમાં છે અને એકલું-અટુલું પડી ગયું છે. ઈરાને એ સમજવું જોઈએ કે તેમનું આ યુદ્ધ અમેરિકા-ઈઝરાયલની સાથે સાથે પડોશી દેશો સાથે તણાવ પણ વધારી રહ્યું છે, કારણ કે ઈરાન પડોશી દેશો પર પણ અંધાધૂંધ હૂમલા કરી રહ્યું છે.
રશિયા અને ચીનની આલોચના પછી ટ્રમ્પ-નેતન્યાહુ સામે પણ એક વ્યૂહાત્મક પડકાર ઊભો થયો છે અને આ બંને શક્તિશાળી નેતાઓનો પોત-પોતાના દેશમાં જ વિરોધ વકરી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે, ઈરાની એરફોર્સ દ્વારા કુદર્શિતાન તથા પર્શિયન ગલ્ફના દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર હૂમલો કર્યા પછી ઢગલાબંધ દેશોએ ઈરાનને સમજપૂર્વક કામ લેવાની તથા અમેરિકા-ઈઝરાયલને પણ યુદ્ધ ખતમ કરીને શાંતિપર્વક વાટાઘાટો કરવાની અપીલો કરી છે.અત્યારે વિશ્વના દેશો ત્રણ ભાગમાં વહેંચાઈ રહ્યા છે, જે પૈકી બંને તરફ ઝુકાવ ધરાવતા દેશો ઉપરાંત ઘણાં ભારત જેવા તટસ્થ દેશો પણ છે. જો કે, આમ છતાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ શરૂ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલ અને મનિષ સિસોદીયાને નિર્દોષ ઠરાવીને સીબીઆઈની ઝાટકણી કાઢી, તે પછી સ્વાભાવિક રીતે જ "આપ"ના નેતાઓ ગેલમાં છે, કાર્યકરો જોશમાં છે અને ભાજપના નેતાઓ બેકફૂટ પર જણાય છે. જો કે, કેજરીવાલે પ્રથમ જ પ્રત્યાઘાતમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસની પણ ટીકા કરતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે આમઆદમી પાર્ટી કોંગ્રેસ કે ઈન્ડિયા ગઠબંધન સાથે જોડાવાના બદલે હવે બેવડા જોરથી એકલા હાથે ચૂંટણીઓ લડવાની નીતિ અપનાવશે. "આપ" દેશભરમાં "છુટકારા"ની ઉજવણી કરી રહ્યું છેે, તો જામનગરમાં પણ આમઆદમી પાર્ટીએ કિસાન બચાવ યાત્રા આજે કાઢી છે.
ભાજપના નેતાઓએ હજુ "આપ"ના પાપ ધોવાયા નથી અને બીજા ઘણાં કેસો બાકી છે, તથા સીબીઆઈએ અપીલ કરી હોવાથી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો આપ્યા, તો અન્ના હજારે એ ન્યાયતંત્રના ફેંસલાને માથે ચડાવવાની વાત કરી છે, તો બીજી તરફ કેજરીવાલે "કોંગ્રેસને શરમ ન આવતી ?" તેવા શબ્દપ્રયોગો કરવા પડયા, તેની પાછળનું ઘેરું રહસ્ય પણ ચર્ચાના ચાકડે ચડ્યું છે.
હકીકતે કેજરીવાલ અને મનિષ સિસોદીયા નિર્દોષ છુટયા પછી કોંગ્રેસના પ્રવક્તાએ આને ભાજપની ઊંડી ચાલ ગણાવી હતી અને કોંગ્રેસ મૂક્ત ભારતની નીતિ ધરાવતા ભાજપે "આપ" ને આગળ કરીને કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર રચ્યું હોવાનો અંદેશો પણ વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત કેજરીવાલ અને સિસોદીયાએ નીચલી અદાલતે નિર્દોષ ઠરાવ્યા પછી હજુ હાઈકોર્ટ અને તે પછી સુપ્રિમકોર્ટ સુધી કાનૂની લડત ચાલવાની છે, તેથી આમઆદમી પાર્ટીએ બહુ હરખાવા જેવું નથી, તેવા નિવેદનો પણ આવ્યા હતા, તેથી વિવિધ અટકળો વહેતી થઈ હતી.
વાસ્તવમાં પંજાબમાં અત્યારે "આપ" ની સરકાર છે, અને ત્યાં ભાજપનું પહેલેથી જ બહુ વર્ચસ્વ નથી, અને તેની સાથે દાયકાઓ સુધી ગઠબંધનમાં રહેનાર અકાલીદલ પણ નબળુ પડી ગયું હોવાનું મનાય છે. આ કારણે આગામી ચૂંટણીમાં પંજાબ વિધાનસભામાં કોંગ્રેસને બહુમતી મળે, તેવા સંજોગો હોવાથી કોંગ્રેસ આમઆદમી પાર્ટી સાથે ગઠબંધન કરે, તેમ જણાતુ નથી. બીજીતરફ ગુજરાતમાં તાજેતરના કોઈ સર્વેક્ષણમાં પણ ભાજપના વળતા પાણી થાય કે ભાજપની સત્તા ચાલી જાય, તેવી સંભાવનાઓ ઊભી થાય કે ન થાય, તો પણ ગુજરાતમાં આમઆદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાના કારણે વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને પાછળ છોડીને આમઆદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બની શકે તેમ હોવાના તારણો નીકળ્યા હોવાની વાતો વહેતી થઈ હતી. હવે જયારે કેજરીવાલ અને મનિષ સિસોદીયાને નીચલી અદાલતે નિર્દોષ છોડયા પછી સ્વાભાવિક રીતે જ આમઆદમી પાર્ટીની લોકપ્રિયતા પહેલા કરતા વધી શકે છે, અને પંજાબ તથા ગુજરાતમાં આમઆદમી પાર્ટીને ફાયદો થઈ શકે તેમ છે, આ કારણે જ કોંગ્રેસ એવી આશંકા રાખી રહી હશે કે ભાજપે જ આમઆદમી પાર્ટીને ઉત્તેજન આપવા સીબીઆઈ દ્વારા નબળા પૂરવા રજૂ કરીને કેજરીવાલ એન્ડ કાું. ને નિર્દોષ છોડાવ્યા હશે. જો કે, આવું થાય, તે સરળતાથી ગળે ઉતરે તેવું નથી, પરંતુ એવરીથીંગ ઈઝ પોસિબલ ઈન વોર એન્ડ પોલિટિક્સ !
ગઈકાલથી જ ભાજપ અને "આપ" તથા કોંગ્રેસના નેતાઓના નિવેદનોની ભરમાર વચ્ચે સીબીઆઈએ રાઉઝ એવન્યૂ કોર્ટના ફેંસલા સામે હાઈકોર્ટમાં અપીલ કરવાની પ્રક્રિયા આદરી દીધી હતી અને "આપ"ના નેતાઓની આ ખુશી અલ્પજીવી નિવડશે અને નીચલી અદાલતે નજરઅંદાજ કરેલા તથ્યો, પૂરાવાઓ તથા નાશ કરી દેવાયેલા પૂરાવાઓને લક્ષ્યમાં લઈને હાઈકોર્ટે યોગ્ય નિર્ણય લેશે, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, તેવા દાવાઓ થઈ રહ્યા હતા. અને કેજરીવાલના વકીલે પણ આ ફેંસલો કેજરીવાલ સરકારની શરાબનીતિની યથાર્થતા અંગે હતો, તથા અપીલ કરવાનો સૌને અધિકાર છે, તેવું કહ્યા પછી હવે દડો હાઈકોર્ટના મેદાનમાં પડવાનો છે, તે નક્કી છે.
જો કે, હાઈકોર્ટે પણ જો રાઉઝ એવન્યુ કોર્ટનો જ ફેંસલો બહાલ રાખ્યો અને સીબીઆઈ સામે જ સવાલો ઉઠ્યા તો ભાજપ સરકાર અને તેના તંત્રવાહકોની કેવી હાલત થશે ? તેની રાજકીય અસરો કેટલી પડશે અને તેનો રાજકીય ફાયદો "આપ" ને કેટલો થશે ? તે તો ઓપન સિક્રેટ જ છે ને ?ૃ
તેનાથી વિપરીત જો હાઈકોર્ટે રાઉઝ એવન્યુ કોર્ટનો ફેંસલો પલટાવ્યો, અને ફરીથી કેજરીવાલ અને મનિષ સિસોદીયા સહિતના આ કેસના આરોપીઓને દોષિત ઠરાવ્યા કે કેસ ફરીથી ચલાવવા નીચલી અદાલતને આદેશ આપ્યો, તો "આપ" ના નેતાઓ માટે આ ખુશી ટૂંકા ગાળાની રહેશે. જો કે, તેવું થવાની સંભાવના ઓછી ગણાવાઈ રહી છે.
સામાન્ય રીતે અપીલ થયા પછી ઉપલી અદાલત આખો કેસ ફરીથી ચલાવતી હોતી નથી કે નવા પૂરાવા લેવાતા નથી, પરંતુ જો નીચલી અદાલતે કોઈ મહત્ત્વપૂર્ણ પૂરાવા કે તથ્યો ધ્યાને લીધા જ ન હોય, તો તેના પર સુનાવણી થઈ શકે છે. જોઈએ, હવે શું થાય છે તે... જસ્ટ વેઈટ એન્ડ વોચ...
ભારતીય જનતા પક્ષ માટે રાઉઝ એવન્યુ કોર્ટનો ચૂકાદો એટલા માટે ઝટકા સમાન છે કે કેજરીવાલ અને તેના અન્ય નેતાઓની લોકપ્રિયતા શરાબ કૌભાંડ, મની લોન્ડ્રીંગ કેસ, શિશમહેલ તથા અન્ય કથિત કૌભાંડોના કારણે ઘટી હતી, અને હવે જો તેને ક્લિનચીટ મળે, તો દિલ્હી સ્ટેટના સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ ફરીથી હાંસિયામાં ધકેલાઈ શકે તેમ હોવાનું ઘણાં વિશ્લેષકો માને છે.
ગઈકાલે ભાજપને અકળાવે તેવા એક બીજા સમાચાર પણ આવ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ ફરીથી પ્રગટ થયા અને કહ્યું કે તેમણે ક્યારેય એવું કહ્યું જ નથી કે તેઓ બીમાર હતા. તેમણે એક કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન કહ્યું કે તેમણે ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે આપ્યું હતુ...આ નિવેદન પછી તેઓના રાજીનામા પાછળના કારણો અંગે થતી અટકળોનો તો અંત આવ્યો, પરંતુ આ કાર્યક્રમ માટે કરેલા પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના પૂર્વ સાંસદ રામસિંહ કસવાની મુલાકાત લેતા ક્યાંક તેઓ કોંગ્રેસ તરફ ઢળી રહ્યા તો નથી ને ? તેવા સવાલો ઉઠવા લાગ્યા હતા, તો કોઈએ ધનખડ "યોગ્ય" સમયે ખેલ નાખશે, તેવી અટકળો કરતા સંકેતો આપ્યા હતા કે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હુતાશણીના તહેવારો આવી રહ્યા છે, અને દ્વારકામાં ફૂલડોલ ઉત્સવના દર્શને જવા પદયાત્રીઓનો પ્રવાહ વહી રહ્યો છે. પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર કેમ્પો ઊભા થયા છે, અને સેવાની પણ સરવાણી વહી રહી છે, અને આ દૃશ્યો આપણી સંસ્કૃતિ અને સંસ્કારની મૂળભૂત બુનિયાદનો પરિચય આપે છે. આટલા મોટા જનસમૂહને લક્ષ્યમાં લઈને યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા સહિતના યાત્રાસ્થળો પર તંત્રો પણ કામે લાગી ગયા છે. પોલીસતંત્ર પણ રોજ-બ-રોજ વધી રહેલા યાત્રિકો અને પદયાત્રી સંઘોની સમીક્ષા કરીને સુરક્ષા પ્લાન અપડેટ કરતા રહે છે. જ્યારે વહીવટીતંત્ર યાત્રિકોની સુવિધાઓ માટે જરૂરી ગોઠવણો કરી રહ્યા છે. રેલવે તંત્ર અને એસ.ટી.તંત્ર પણ મુસાફરોના ધસારાને પહોંચી વળવા વધારાની ટ્રીપો ગોઠવી રહ્યા છે. આ પ્રકારની અત્યારે જોવા મળતી સ્થિતિ એક સુંદર ચિત્ર ઊભું કરે છે, અને એકંદરે તહેવારોનો ઉમંગ તથા ભક્તિનો રંગ હાલારમાં હિલોળે ચડયો હોય તેમ જણાય છે.
અત્યારે જુના અનુભવોને ધ્યાને લઈને ભલે ચૂસ્ત-દૂરસ્ત પ્રબંધો કર્યા હોય, તેમ છતાં તંત્રોએ ગાફેલ રહેવા જેવું નથી અને ખાસ કરીને ભાગદોડ, આગજની કે અનિચ્છનિય બનાવો કે દુર્ઘટના થતી જ અટકાવવાના ઉપાયોની રોજેરોજ સમીક્ષાઓ કરીને સુરક્ષા, સલામતિ અને યાત્રિકોને સંબંધિત વ્યવસ્થાઓ અપડેટ કરતી રહેવી પડે તેમ છે. ખાસ કરીને પરિવહનની વ્યવસ્થાઓમાં તકસાધુઓ સામાન્ય રીતે લેવાતા ટિકિટભાડા કરતા અનેકગણાં ભાડા વસુલે કે મુસાફરોને ખીચોખીચ ઘેટા-બકરાની જેમ ભરીને સુરક્ષા પર જોખમ ઊભું કરે, તો તેની સામે યાત્રિકો-મુસાફરોને તરત જ રક્ષણ મળે, તેવી ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ પણ ઊભી કરવી જોઈએ.
જો કે, આ વર્ષે હુતાશણી પર્વની ઉજવણીને "ગ્રહણ" લાગશે, પરંતુ જ્યાં દેખાવાનું નથી, ત્યાં તેની અસરો નહીં થાય, પરંતુ ફાગણ સુદ પૂર્ણિમા તથા તેના બીજા દિવસે દર્શન તથા ઉજવણીના કાર્યક્રમમાં થોડા ફેરફારો થશે. વિષ્ણુ ભગવાન, શ્રીકૃષ્ણના મંદિરો તથા વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો-પાવન સ્થળોમાં ફૂલડોલ ઉત્સવ તો ઉજવાશે જ, પરંતુ સમય અંગે ભિન્ન-ભિન્ન અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે, પરંતુ સેંકડો કિલોમીટર સુધીનું અંતર કાપીને પગપાળા દ્વારકા આવતા પદયાત્રીઓને ચંદ્રગ્રહણને કારણે નિરાશ નહીં થવું પડે.
જો હોળી પ્રાગટ્ય બીજી માર્ચે થાય, તો પણ ત્રીજી માર્ચે ગ્રહણના કારણે ધૂળેટી ચોથી માર્ચે ઉજવાશે, તેવી સંભાવનાઓના કારણે આ વખત હોળી અને ધૂળેટીનો ઉત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે, તેવું કહેવાય છે, જોઈએ શું થાય છે તે...
આ વખતે પણ હોળી-ધૂળેટીના તહેવારો બોર્ડની પરીક્ષાઓની વચ્ચે જ આવ્યા છે, તેથી હોળી-ધૂળેટી ઉત્સવની ઉજવણી પર પરીક્ષાની અસરો પડશે, પરંતુ પરીક્ષાર્થીઓ પર આ તહેવારોની ઉજવણીની કોઈ અસર ન થાય, અને પૂરેપૂરી તૈયારી સાથે પરીક્ષા આપી શકે, તે જોવાની જવાબદારી તંત્રો ઉપરાંત આપણી બધાની સહીયારી છે, તે ભૂલવું ન જોઈએ, અને જવાબદારી માત્ર સરકાર પર જ ઢોળી નહીં શકાય. ખરૃં ને ?
એક તરફ છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરમાં હુતાશણી અને ધૂળેટીના તહેવારોની રંગત જામવા લાગી છે. બજારોમાં લોકો આ પાવન પર્વની ઉજવણી માટેની ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે, અને રંગ ઉડાડવાની પીચકારીઓ તથા જુદા જુદા રંગોની ખરીદી માટે લોકો ધીમે ધીમે માર્કેટમાં નીકળી રહ્યા છે, તો બીજી તરફ આ વર્ષે હુતાશણી પર્વના રંગમાં રાજનીતિનો રંગ પણ ભળવા જઈ રહ્યો છે, કારણ કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણીતંત્ર દ્વારા વોર્ડવાર ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂકો થયા પછી હવે ચૂંટણી લક્ષી રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ છે. બીજી તરફ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે કેજરીવાલ, સિસોદિયા અને તમામ ૨૩ આરોપીઓને શરાબ કૌભાંડમાં નિર્દોષ છોડી મૂક્યા પછી મોદી સરકારની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. જોઈએ, હવે સીબીઆઈ અપીલ કરે છે કે નહીં. આ અહેવાલોના કારણે હોળીના રંગોમાં રાજનીતિનો ઘેરો રંગ ઉમેરાયો છે અને કેજરીવાલ તથા તેની ટીમની હોળી સુધરી ગઈ છે.
આ તરફ જામનગર મહાનગરપાલિકાની પાંચ વર્ષની કામગીરી અંગે જુદા જુદા વિશ્લેષણો થઈ રહ્યા છે, અને વિપક્ષોને એન્ટી-ઈન્કમ્બન્સીનો ફાયદો કેટલો થશે, અને શાસકપક્ષ ત્રિપલ એન્જિનના શાસનની ઉપલબ્ધિઓ વર્ણવીને મતદારોને કેટલા રિઝવી શકશે, તે તો હજુ કહી શકાય તેમ નથી, પરંતુ ભારતીય જનતાપક્ષ અને કોંગ્રેસનો આંતરિક ખેંચતાણનો ફાયદો લેવા આમઆદમી પાર્ટી શતરંજ બિછાવી રહી છે, તે સ્પષ્ટ દેખાય છે. બીજી તરફ ભાજપ ત્રિપલ એન્જિનની સિદ્ધિઓ વર્ણવે છે, તે બૂમરેંગ સમાન પૂરવાર થાય અને કેન્દ્ર-રાજ્ય પ્રત્યેની એન્ટી-ઈન્કમ્બન્સી પણ જો ભાજપને નડે અને તેમાં આંતરિક અસંતોષ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ-નેતાઓની નારાજગીનો ઉમેરો થાય, તો ભાજપને સત્તા જાળવી રાખવી અઘરી પણ પડી શકે છે.
આવું થવાની સંભાવનાઓ એટલા માટે પણ વર્તાય છે કે દાયકાઓથી શાસનમાં હોવા છતાં કેટલીક મૂળભૂત સમસ્યાઓ પણ ભાજપના શાસકો ઉકેલી શક્યા નથી, તો શહેરની ચોતરફ વિસ્તરેલા વિસ્તારો સહિત નગરની ઘણી બુનિયાદી અપેક્ષાઓ પણ પૂરેપૂરી સંતોષી શકાઈ નથી. જો કે, વિપક્ષી વર્તુળોમાં પણ હુંસાતુંસી વર્તાતી હોવાથી જનમત કઈ તરફ ઝુકશે, તે અત્યારથી તો કહી શકાય તેમ નથી, પરંતુ એટલું જરૂર કહી શકાય કે આ વખતે જામ્યુકોની ચૂંટણી જીતવી એ ત્રણેય મુખ્ય પક્ષો માટે સીધા ચઢાણ તો છે જ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
થોડા દિવસો પહેલા દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદજીએ રૂપેણ બંદર પરથી ગૌમાંસ પકડાય, તે સંદર્ભે નિવેદન આપ્યું હતું અને દોષિતો સામે અત્યંત કડક કાનૂની કદમ ઉઠાવવાની જોરદાર માંગ ઉઠાવી હતી. દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામમાં ગૌમાંસની હેરાફેરી થતી હોવાના મુદ્દે હિન્દુ સંગઠનોએ પણ નારાજગી વ્યકત કરીને આ સંદર્ભે વધુ કડક કદમ ઉઠાવવાની માંગણી કરી હતી. ગુજરાતમાં ગાય માતાના રક્ષણ માટે રાજ્ય સરકાર નક્કર કદમ ઉઠાવે, તેવી માંગણી પણ પડઘાઈ હતી. તે પછી રાજ્યભરમાં ગૌમાંસ, ગૌહત્યા અને ગાયોના સંરક્ષણની જરૂર હોય જેવા મુદ્દાઓ ચર્ચાતા રહ્યા પછી હવે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો છે.
ગૌમાંસના મુદ્દે ગઈકાલે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તનાતની પણ થઈ હતી.
હકીકતે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યુ હતું કે બે વર્ષમાં મહીસાગર અને અમરેલી જિલ્લાઓમાંથી ૧૯૫૭ કિલો ગૌમાંસ પકડાયુ હતું અને ૩૧ આરોપીઓની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરી હતી. ગૌવંશના મુદ્દે કોંગી ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે જો ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો ગુજરાત સરકાર આપશે, તો કોંગ્રેસ તેને ટેકો આપશે. રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યુ હતું કે ગૌવંશ મામલે ૨૨૯ ગૂન્હા દાખલ કરાયા છે, અને ૧૮૦ લોકોને તડીપાર કરાયા છે. બે વર્ષમાં ૧૦ ગૌવંશને (કતલખાને જતા) છોડાવ્યા છે.
વિધાનસભામાં ગુંજેલો બીજો મુદ્દો રાજ્ય સરકારને (દારૂબંધી હોવા છતાં) વિદેશી દારૂના વેચાણના કારણે રૂ।. એક અબજથી વધુની આવક થઈ છે. અમદાવાદ-ગાંધીનગરની ૩૨ હોટલ્સને વિદેશી દારૂના વેચાણની મંજુરી આપવામાં આવી છે. ઈમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે આ જવાબ આપ્યો હતો, જ્યારે ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દે રાજ્યનું ગૃહખાતુ સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીના મુદ્દે સરકાર સતર્ક છે, અને કચ્છમાં જ્યાંથી ડ્રગ્સ પકડાયુ હતું, ત્યાં અત્યારે પોલીસ સ્ટેશન બનાવી દેવાયુ છે, વિગેરે...
ધારાસભ્યોના પ્રશ્નો તથા સરકારના જવાબોમાંથી એવું તારણ કાઢી શકાય કે ગુજરાતમાં "કડક" દારૂબંધી હોવા છતાં માત્ર ગેરકાયદેસર જ નહીં, પરંતુ કાયદેસર રીતે પરમીટો ઉપર પણ વિદેશી દારૂ વેચાય છે, અને પીવાય છે. ગુજરાતમાંથી પકડાતા ડ્રગ્સનો મુદ્દો સરકારના મંત્રી કે નાયબ મુખ્યમંત્રી એકાદ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરીને હળવાશથી લઈ લે, તે ઠીક નથી. જનપ્રત્યાઘાતો મુજબ ડ્રગ્સ, દારૂ અને ગૌમાંસના મુદ્દે રાજ્ય સરકાર જોઈએ તેટલી ગંભીર જણાતી નથી. બીજી નોંધપાત્ર બાબત એ પણ છે કે ગુજરાતમાં ગૌમાતાને રાજ્યમાતા બનાવવાની રાજ્ય સરકાર તૈયારી બતાવે તો કોંગ્રેસ સમર્થન આપશે, તેવો દાવો પણ કરાતો હોવાથી જો ગૌમાતાને આ જ રીતે રાષ્ટ્રીય સન્માન મળે કે રાષ્ટ્રીય પવિત્ર પશુધન કે એવું કોઈ બિરૂદ અપાય, કે જેથી તેની સુરક્ષા કરવી અને રાષ્ટ્રીય અને બંધારણીય ફરજ બની જાય, તેવી સંભાવનાઓ વધી ગઈ છે. જો કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની જેમ રાષ્ટ્રીય નેતાઓ આ મુદ્દે કેવા પ્રત્યાઘાતો આપે છે, તે જોવાનું રહે છે.
ભાજપ માટે કેટલાક જિલ્લાઓમાં મુશ્કેલી ઊભી થતી દેખાય છે. કોઈ શહેરમાં સ્મશાનમાં બેસીને ભાજપના જ બીજા નેતાઓ પર આક્ષેપોનો મારો ચલાવાય છે, તો જામનગર જેવા શહેરોમાં તાજેતરમાં નિમાયેલા કેટલાક હોદ્દેદારો પ્રત્યે અસંતોષ તથા સંનિષ્ઠ કાર્યકરો, નેતાઓની નારાજગીનો મદ્દો ચર્ચામાં છે, તેવામાં ડ્રગ્સ, ગૌમાંસ, ગૌવંશ જેવા મુદ્દાઓને કારણે વિધાનસભામાં તોતીંગ બહુમતી ધરાવતી સરકાર પણ મુંઝવણ કે ગૂંચવણમાં હોય તેવો આભાસ થાય છે. આ કારણે જ રાજ્ય સરકારે પાઠવેલા શિક્ષકોની કામગીરીને સાંકળતા પરિપત્રને લઈને પણ આશંકાઓ વ્યક્ત થવા લાગી છે.
એક તરફ આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે અને વિદ્યાર્થી ભાઈ-બહેનોને શુભેચ્છાઓ પઠાવાઈ રહી છે, તેમ જ વિદ્યાર્થીઓને એકાદ પેપર નબળુ જાય કે પરીક્ષા બરાબર ન જાય, તો પણ નાસીપાસ કે હતાશ નહીં થવા તથા પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પરીક્ષા આપવાની સલાહ અપાઈ રહી છે, અને તે ૧૦૦ ટકા સાચી અને જરૂરી છે, તો બીજી તરફ સરકારે પાઠવેલા પરિપત્રમાં જ શિક્ષકોના વર્તુળોને શ્રદ્ધા કે વિશ્વાસ જણાતા નથી, તેથી એ મુદ્દો પણ બે દિવસથી રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
હકીકતે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે એક પરિપત્ર પાઠવીને પ્રાથમિક શિક્ષકોને કેટલાક અપવાદ સિવાય બિન શૈક્ષણિક કામગીરીમાંથી મૂક્તિ આપી દીધી, તે પછી પણ શિક્ષકોને હજુ પણ કોઈને કોઈ બહાને બિનશૈક્ષણિક કામગીરીમાં જોતરવામાં આવશે, તેવી આશંકાઓ શિક્ષણજગતમાં ઉભરી રહી છે.
જો કે, શિક્ષક સંઘોએ આ નિર્ણયને આવકાર્યો છે, કારણ કે ઘણાં સમયથી શિક્ષકસંઘો આ માટે રજૂઆતો કરી રહ્યા હતા પરંતુ આ પરિપત્ર પરપોટાનીફ જેમ ફૂટીને નિરર્થક બની જશે અને કોઈને કોઈ રીતે કે પછી પરોક્ષ રીતે ભરમાવી કે દબાણ ઊભું કરીને પણ શિક્ષકો પાસે રાજકીય મેળાવડાઓને રાષ્ટ્રીય કાર્યક્રમનું સ્વરૂપ આપીને શિક્ષકો પાસેથી બિન શૈક્ષણિક કામગીરી કરાવતી રહેશે, તેવી આશંકાઓ પણ ઉઠી રહી છે, જેનું સ્પષ્ટ નિવારણ કરવા દરેક જિલ્લાકક્ષાએ સક્ષમ અધિકારી કે કલેકટરો દ્વારા સરકારે ચોખવટ કરવી જોઈએ, તેવો જનમત અવગણવા જેવો નથી.
વિરોધપક્ષના ધારાસભ્યોની સંખ્યા વિધાનસભામાં ભલે ઓછી હોય, પરંતુ લોકોની વચ્ચે જઈને આ થોડાક ધારાસભ્યો સરકારને ઢગલાબંધ મુદ્દે ઘેરી રહ્યા છે. આમઆદમી પાર્ટીએ તો કેટલાક દૃષ્ટાંતો સાથે ભાજપ સરકાર "આપ"ના નેતાઓ પર હુમલા કરતા દોષિતોને છાવરવાનો આક્ષેપ લગાવ્યો છે, અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ આપી દીધી છે...જોઈએ...હવે શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા ૫૬૦૦ કરોડની જોગવાઈ કરી છે, અને ખેડૂતોને ખેતીના ઓજારો, સાધન-સામગ્રી ખરીદવા માટે સબસીડીની ફાળવણી માટે પણ રૂ।. ૧૫૫૦ કરોડથી વધુની વ્યવસ્થા પણ બજેટમાં કરી છે. તદુપરાંત મહિલાઓની સ્વરોજગારી માટે પણ ફાળવણી થઈ છે, તે જોતાં રાજ્ય સરકારનો અભિગમ ગામડાઓ તથા ગ્રામવાસીઓને સમૃદ્ધ અને સશક્ત બનાવવાનો લાગે, તો બીજી તરફ રાજ્ય સરકારે આ જ બજેટમાં રાજ્યમાં પાંચ નવા સેટેલાઈટ ટાઉનના વિકાસની જાહેરાત પણ કરી છે, તેથી સવાલ એ ઉઠે છે કે રાજ્ય સરકાર ગ્રામ વિકાસ પર વધુ ભાર મૂકી રહી છે કે પછી શહેરીકરણની તરફેણ કરી રહી છે ?
એક તરફ વિરોધપક્ષો રાજ્ય સરકાર પર ગામડાઓના ભોગે રાજ્ય સરકાર શહેરીકરણને પ્રોત્સાહિત કરવાના આક્ષેપો કરી રહ્યા છે, તો તેની સામે ભાજપ એવો સવાલ ઉઠાવી રહ્યું છે કે વિપક્ષોને શહેરીજનોની સુવિધાઓ વધે, તેમાં શું વાંધો છે ? શહેરી વિસ્તારોમાં રહેતા લોકો શું ગુજરાતના રહેવાસી અને ભારતના નાગરિક નથી ?
પક્ષ-વિપક્ષના આરોપો-પ્રત્યારોપો વચ્ચે જનતાના મિશ્ર પ્રતિભાવોનો નીચોડ એવો નીકળે છે કે શહેરનો વિકાસ થાય, તેમાં કોઈ પણ ગુજરાતી કે ગુજરાત નિવાસીને વાંધો હોઈ જ શકે નહીં, પરંતુ ગામડાઓના ભોગે કે ગ્રામ્ય વિસ્તારોની અવગણના કરીને માત્ર શહેરી વિકાસ તરફ જ વધુ ધ્યાન અપાઈ રહ્યું હોય તો તે યોગ્ય નથી.
ગુજરાતના બજેટમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે કોઈ ભેદભાવ રખાયો નથી અને સમતોલ ફાળવણી થઈ છે, તેવા દાવા સાથે કેટલાક આંકડાઓ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે, અને વીબી-જીરામ-જી યોજના માટે થયેલી રૂ।. ૧૫૦૦ કરોડની ફાળવણી પણ ગ્રામીણ વિસ્તારોને કેન્દ્રમાં રાખીને થઈ હોવાનો તર્ક અપાઈ રહ્યો છે. રાજ્ય સરકાર અઢી હજાર જેટલી નવી બસો ખરીદી રહી હોય, અને તેમાંથી ૧૦૦૦ જેટલી બસો આદિવાસી વિસ્તારો તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મૂકવાની જાહેરાત પણ રાજ્ય સરકારની સમતોલ વિકાસની નીતિ દર્શાવતી હોવાની દલીલો થઈ રહી છે.
ગુજરાત સરકારે અત્યાર સુધીના સૌથી મોટા રૂ।. ૪.૦૮ લાખ કરોડથી વધુ રકમના બજેટમાં જે જોગવાઈઓ કરી છે, તે પૈકી કેટલીક જોગવાઈઓ ગ્રામલક્ષી છે, કેટલીક શહેરલક્ષી છે, તો ઘણી બધી જોગવાઈઓ ગામડાઓ, શહેરો તથા દુર્ગમ વિસ્તારો, ટાપુઓ અને પહાડી વિસ્તારો સહિતના તમામ વિસ્તારોને આવરી લીધી હોવાનું તારણ પ્રસ્તૂત થયેલા આંકડાઓ પરથી નીકળે છે, અને રાજ્ય સરકાર અને તેના તંત્રો પણ આ જ પ્રકારનો દાવો કરી રહ્યા છે, પરંતુ જેવી જાહેરાતો થઈ છે, તે જ પ્રકારની ફાળવણી, અમલીકરણ અને અનુસરણ થશે, તેવી આશા રાખીએ.
રાજ્યમાં ગામડાઓ ભાંગી રહ્યા છે, અને શહેરો પર ભારણ વધી રહ્યું છે, તેવી ચર્ચા તો વર્ષોથી થતી જ રહી છે, ગામડાઓમાંથી રોજગારી માટે એક તરફ યુવાવર્ગ શહેરોમાં આવી રહ્યો છે, તો દીકરા-દીકરીને વરાવવા-પરણાવવા કે ભણાવવા ગામડા છોડીને શહેરોમાં મકાનો બનાવીને કે ભાડાથી રહેવા જતા ગ્રામીણોની સંખ્યા પણ કૂદકે-ભૂસકે વધી રહી છે. ઉદ્યોગિકરણ પણ શહેરીકરણનું એક પ્રોત્સાહક પરિબળ છે. ઘણાં બધા સંયુક્ત પરિવારો હવે વિભક્ત પરિવારોમાં બદલાઈ રહ્યા હોવાથી પણ શહેરો તરફની દોટ વધી રહી છે. આમ, શહેરીકરણ વધી રહ્યું હોવાથી રાજ્ય સરકાર શહેરીજનો માટે વધુ જોગવાઈઓ કરે, તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ ગામડાઓને ભાંગતા અટકાવવા ગામડાઓમાં જ શહેરો જેવી સુવિધાઓ તથા રોજગારીની તકો વધારવા પર પણ એટલો જ ભાર મૂકીને વાસ્તવમાં સમતોલ વિકાસ થાય, તે ઈચ્છનિય છે.
પ્રવાસન વિકાસનો પણ શહેરીકરણ તથા ગ્રામવિકાસમાં સિંહફાળો છે, જામનગર જેવા શહેરોમાં ઔદ્યોગિકરણ ઉપરાંત પ્રવાસન વિકાસના કારણે પણ જનસંખ્યા અને વસવાટી વિસ્તારો વધ્યા છે, તો આ જ પ્રકારના કારણોસર ઓખામંડળ સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય વિકાસ પણ થયો છે. પ્રવાસન વિકાસને વેગ, સડકોના આધુનિકરણ અને વિસ્તૃતિકરણ, રેલવે સુવિધાઓ તથા હવાઈ યાત્રાઓની સુવિધાઓમાં વધારાની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસીઓને અનુરૂપ સુવિધાઓના વિસ્તણના કારણે મળી રહ્યો છે, તો સિક્કાની બીજી બાજુની જેમ શહેરીકરણ તથા ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ વધારવાના અભિગમની સિક્કાની બીજી બાજુ પણ છે. તેથી જ ગામડાઓના ભોગે શહેરીકરણને ઉત્તેજન મળે નહીં, તેવો આગ્રહ સેવવામાં આવતો હોય છે.
જો કે, ઔદ્યોગિકરણ તથા શહેરની વિકાસ તથા ગામડાાઓને શહેરો જેવા બનાવવાની દોટમાં જલ-વાયુ અને ભૂમિ પ્રદુષણ અને ક્ષારયુક્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેતી લાયક જમીનની ફળદ્રુપતા ઘટી રહી હોવાની સમસ્યાઓ પણ વધી રહી છે. આ સમસ્યાઓના ઉકેલ માટે સરકારી યોજનાઓ તથા તંત્રોના પ્રયાસોને વ્યાપક જનસહયોગની જરૂર રહે છે, તેવી જ રીતે ભ્રષ્ટાચારીઓ અને સ્થાપિત હિતો સામે સચેત રહેવાની પણ જરૂર રહે છે. ઘણાં લોકો શહેરો જેવી સગવડોની લ્હાયમાં ગામડાઓ તેની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ઓળખ, સૌજન્યતા, સુંદરતા તથા શુદ્ધ હવા-પાણી પણ ગુમાવી રહ્યા હોવાનો વસવસો પણ વ્યક્ત કરતા હોય છે, અને તેમાં તથ્ય પણ છે.
તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જામનગરની કચેરીને બોર્ડ દ્વારા રૂ।. બે કરોડનું એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઈલ વાહન ફાળવાયુ છે અને આ વાહન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરતુ રહેશે અને પ્રદુષણ માપતુ રહેશે. રાજ્યના બજેટમાં કરાયેલી પ્રદુષણ નિવારણની જોગવાઈ વિશે ભલે બહુ ચર્ચા થતી નહીં હોય, પરંતુ અમદાવાદ સહિત રાજ્યના શહેરો તથા ઈન્ડસ્ટ્રીયલ ઝોન્સમાં વધી રહેલુ હવાઈ પ્રદુષણ, નદી-તળાવો, દરિયામાં જળ પ્રદુષણ અને ભૂમિ સંરક્ષણના બદલે જમીનના ક્ષારોની વૃદ્ધિની સમસ્યાઓનો ઉકેલ તો લાવવો જ પડે તેમ છે, અને તેના માટે માત્ર મોબાઈલ વાનથી નહીં ચાલે, પ્રબળ અને જનલક્ષી રાજકીય ઈચ્છાશક્તિ (પોલિટિકલ વીલપાવર)ની પણ જરૂર પડવાની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એવા અહેવાલો આવ્યા છે કે યાત્રાધામ પાવાગઢમાં વિકેન્ડમાં યાત્રિકોનો ધસારો વધી જતો હોવાથી ત્યાંના વહીવટીતંત્રે દર રવિવારે તળેટીથી આગળ જવા માટે ભારે ટ્રાફિકને પહોંચી વળવા વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે, અને માચી સુધી જવા માટે માત્ર એસ.ટી. બસો, એમ્બ્યુલન્સો, સરકારી વાહનો તથા પાવાગઢ ગામની ટેકસી પાસીંગ ગાડીઓ જ પ્રવેશ કરી શકશે અને અવર-જવર કરી શકશે. આ ઉપરાંત પશુઓ કે પશુઓ જોડીને માલ-સામાનનું વહન કરવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે, એટલે કે ઘોડા, ઘોડાગાડી, બળદ કે બળદગાડી દ્વારા માલ-સામાનનું વહન કે ગાય, ભેંસ વગેરે પશુઓને દોરીને લઈ જવા પર માચીથી દુધિયા તળાવ સુધીના રસ્તે પ્રતિબંધ મૂકાયો છે.
આ ઉપરાંત ત્યાંના વહીવટીતંત્રે ખાનગી પાર્કિંગ સ્થળો પર પણ પાવાગઢ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા દરો કરતા વધુ ચાર્જ વસુલવો નહીં, એટલું જ નહીં, ખાનગી જમીન કે પોતાની જમીન કે સંકુલમાં પાર્કિંગ કરવા દેવા માટે પણ જમીનના કબજેદારોએ પૂર્વ પરવાનગી લેવાની રહેશે. અત્યારે મર્યાદિત સમયગાળા માટે બહાર પડાયેલા નોટિફિકેશનની મુદ્દત વધી પણ શકે તેમ હોવાથી આ પ્રકારના પ્રતિબંધો કાયમી ધોરણે લાગુ પડે અને સ્થાનિકોને પણ પરેશાની ન થાય અને યાત્રિકોને પણ સરળતા અને સુગમતા વધે, તે પ્રકારના નિયમનો તથા નિયંત્રણો રાજ્યના દરેક યાત્રાધામોમાં અલગ-અલગ સ્થાનિક સંજોગો, જરૂરિયાતો અને ભૌગોલિક સ્થિતિને અનુરૂપ ઘડાય, તે જરૂરી છે.
હુતાશણીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે દ્વારકા અને નજીકના બેટ દ્વારકા, નાગેશ્વર, હર્ષદ માતાજી સહિતના પાવન યાત્રાસ્થળો પર પણ આ પ્રકારના પ્રબંધો તથા પ્રતિબંધો મર્યાદિત સમય માટે લગાવાશે અને તેની વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ થશે, પરંતુ આ તમામ પ્રબંધો-વ્યવસ્થાઓ તથા વૈકલ્પિક સુવિધાઓનો પૂરતો પ્રચાર-પ્રસાર નહીં થતો હોવાથી તહેવારો કે ઉજવણીઓના દિવસોમાં યાત્રિકો અટવાતા હોય છે અને નફાખોરી તથા ઉઘાડી લૂંટનો ભોગ બનતા હોય છે.
આમ પણ સરકારી કાર્યક્રમો, સિદ્ધિઓ તથા મહત્ત્વપૂર્ણ દિવસોના સંદર્ભે સરકાર દ્વારા વિજ્ઞાપનો અપાતા જ હોય છે, ત્યારે મહત્ત્વના પર્વો, તહેવારો દરમ્યાન પબ્લિક માટે કરાયેલી વ્યવસ્થાઓ તથા દ્વારકા જેવા મોટા યાત્રાધામોમાં કાયમી ધોરણે કરાયેલી વ્યવસ્થાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે માત્ર માહિતીખાતા દ્વારા પ્રેસનોટોના બદલે વ્યાપક પ્રચાર-પ્રસાર થાય, તેવી રીતે અખબારી માધ્યમોથી જાહેરાતો તથા સ્થાનિક કક્ષાએ યાત્રાધામના શહેરો-ગામો-સંકુલોમાં ઠેર-ઠેર પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઊભી કરીને સતત માર્ગદર્શક એનાઉન્સીંગ થતું રહેવુ જરૂરી છે. આવું કરવાથી અજાણ્યા યાત્રિકો લોકલ નફાખોરીનો ભોગ બનતા અટકશે, અને લેભાગૂ તત્ત્વો ઉઘાડી લૂંટ નહીં કરી શકે. રાજ્યના કેટલાક યાત્રાધામોમાં આ પ્રકારની પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે, પરંતુ તે માત્ર મુખ્ય મંદિરની આસપાસ જ હોવાથી યાત્રિકોને સંપૂર્ણ અને સમયોચિત માહિતી પહોંચતી જ નથી અને તેઓ મજબૂરીમાં "લૂંટાતા" હોય છે, અને આ સ્થિતિ "ઓપન સિક્રેટ" છે, અને સૌ કોઈ જાણે જ છે.
યાત્રાધામોમાં મુખ્ય મંદિરોની નજીક યાત્રિકે પોતાના મોબાઈલ, સામાન, કેમેરા વગેરે રાખી શકે, અને પરત મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ હોય છે અને સમયાંતરે તેનું નવીનીકરણ કે વિસ્તૃતિકરણ થતું રહેતુ હોય છે, પરંતુ તેની જાણ બહારથી આવતા યાત્રિકોને હોતી નથી અને રેલવે સ્ટેશન, બસડેપો કે અન્ય વાહનોમાંથી ઉતરે કે પોતાના વાહનો નિયત કરેલા પાર્કિંગમાં મૂકે તે પછી છેક મંદિર સુધીના માર્ગે તગડી રકમ વસુલીને આ ચીજવસ્તુઓ સાચવતા ખાનગી સ્ટોલ અને શોપ ઊભા કરીને ત્યાં સતત એનાઉન્સીંગ થતું હોવાથી મોટાભાગના લોકો લૂંટાતા હોય છે, અને વહીવટીતંત્ર, મંદિર સમિતિઓ કે પંચાયત-પાલિકાઓ દ્વારા નિઃશુલ્ક કાયમી સુવિધાઓ સુધી પહોંચી શકતા નથી. આથી સર્વવ્યાપી સતત એનાઉન્સીંગ ઉપરાંત આ પ્રકારના મોબાઈલ કે થેલાદીઠ રૂ।. ૧૦૦ કે તેથી વધુ તગડી રકમ વસુલી અને યાત્રિકોની મજબૂરી તથા પૂરી માહિતીની અજ્ઞાનતાનો લાભ ઉઠાવતા લેભાગૂ ધંધાર્થીઓ પર "લગામ" લગાવવી જોઈએ.
યાત્રાધામોમાં પાર્કિંગ, અમાનતી સામાનઘર, નિવાસ, ભોજન, અલ્પાહાર તથા બૂટ-ચપ્પલ સાચવવા વગેરે સુવિધાઓ માટે ઘણાં સ્થળે ખૂલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવાતી હોય છે, અને યાત્રિકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવાતો હોય છે. બૂટ-ચપ્પલ સાચવવા માટે પણ મોટા ભાગના યાત્રાસ્થળોમાં નિઃશુલ્ક સુવિધાઓ હોય છે, પરંતુ માહિતી અને માર્ગદર્શન તથા સતત એનાઉન્સીંગ, ઠેર-ઠેર માર્ગદર્શક બોર્ડના અભાવે યાત્રિકો કાં તો આવી સગવડ આપતા ખાનગી લેભાગૂઓનો ભોગ બનતા હોય છે, અથવા તો ગમે ત્યાં બૂટ-ચપ્પલ ઉતાર્યા પછી તેની ચોરીનો ભોગ બનતા હોય છે તેથી યાત્રાધામો અને મેળાઓ, મેળાવડાઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓ હોવા છતાં યાત્રિકો લૂંટાતા હોય તો તેના પર અંકુશ લાવવાના બહુલક્ષી કદમ ઉઠાવવા જ પડે તેમ છે.
હમણાંથી ખિસ્સાકાતરૂ ઉપરાંત રસ્તા પર હાથમાંથી મોબાઈલ ઝુંટવી જતી તથા ભીડમાં ઘુસીને લોકોએ પહેલા આભૂષણોની ચીલઝડપ કરવાની પ્રવૃત્તિઓ ચલાવતી ગેંગોનો પ્રકોપ વધ્યો છે અને યાત્રાધામો, મેળાઓ, અને ધાર્મિક-સામાજિક પ્રસંગોમાં સ્વયં શૂટેડ-બૂટેડ થઈને સજ્જન-સન્નારી હોય તેવા પહેરવેશમાં ઘૂસી જઈને લોકોની કિંમતી ચીજવસ્તુઓ ચોરીને કે સેરવીને ભાગી જવાની નવી મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે, જેની સામે તંત્રોએ વધુ ચોકસાઈ, અદ્યતન ટેકનોલોજી આધારિત નિરીક્ષણ અને ઘટના પછી ભોગ બનનારની મદદ માટે ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ ઊભી કરવાની જરૂર પણ વધી ગઈ છે.
તંત્રો દ્વારા થતી વ્યવસ્થાઓની જાણ જન-જન સુધી પહોંચે તેવી કાયમી સિસ્ટમ ઊભી કરવા ઉપરાંત યાત્રાસ્થળોમાં નફાખોરી કે ઈજારાશાહી ઊભી કરીને યાત્રિકોને બહાર લૂંટતા પરિબળોને કડકમાં કડક સજા થાય તેવો કોઈ કાયદો પણ ગુજરાત વિધાનસભાએ ઘડવો જોઈએ, અને આવા ગોરખધંધા ચાલતા હોય, ત્યાંના સ્થાનિક જવાબદાર તંત્રો તથા સંસ્થાઓની જવાબદારી નક્કી કરીને તેઓને પણ દંડ-સજા થાય, તેવો કડક કાયદો જરૂરી છે, કારણ કે અત્યારે આવા નિંભર પરિબળોને કાયદાનો ડર જ રહ્યો નથી.
બેટ દ્વારકાનો સુદર્શન બ્રિજ જેટલો વિખ્યાત બન્યો છે, તેટલીજ કૂખ્યાત ત્યાંની પાર્કિંગ વ્યવસ્થા તથા અન્ય મૂળભૂત વ્યવસ્થાઓ બની રહી છે. યાત્રિકોને "ધરાર" લૂંટાવું જ પડે તેવી ઈજારાશાહી નાગેશ્વર, દ્વારકા, બેટ દ્વારકામાં ઊભી થઈ છે અને પ્રસાદની સામગ્રી, ચા-નાસ્તો, રિક્ષા, ભોજન અને નિવાસથી માંડીને ચીજવસ્તુઓ કે બૂટ-ચપ્પલ સાચવવા માટે પણ યાત્રિકોની લૂંટ ચાલી રહી હોય ત્યારે કડક નિયમ-કાયદા અત્યંત આવશ્યક બન્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં દારૂબંધી વર્ષ ૧૯૬૦થી જ લાગુ પડી ગઈ હતી. વર્ષ ૧૯૬૦માં મુંબઈ રાજ્યમાંથી ગુજરાત છુટુ પડયુ અને સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારથી જ રાજ્યમાં દારૂબંધી (નશાબંધી) લાગુ પડી હતી.
હકીકતે ગુજરાતના પનોતા પુત્ર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દારૂબંધીના પ્રખર હિમાયતી હતા, તેથી તેઓના સન્માનમાં ગુજરાત રાજયની રચનાથી જ દારૂબંધી લાગુ પડી ગઈ હતી. બૃહદ મુંબઈ રાજ્યમાં પ્રોહીબિશન એકટ-૧૯૪૯ અમલમાં હતો, અને તેમાં ઘણાં કડક સુધારા થયા હતા. વર્ષ ૧૯૬૦માં તેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો બન્યા, તે પછી મહારાષ્ટ્રમાં તો વિદેશી દારૂનું વેચાણ તથા ઉત્પાદનની છૂટછાટ મળી પરંતુ ગુજરાતે ગાંધીજીના માનમાં સ્થાપના થતાં જ સંપૂર્ણ દારૂબંધી લાગુ કરી દીધી હતી અને આજ પર્યંત દારૂબંધી છે. જો કે, આરોગ્યના હેતુઓ માટે, મિલ્ટ્રીમેનો માટે અને વિદેશી મહેમાનો માટે વખતોવખત છૂટછાટ અપાતી રહી છે અને એ માટે અલાયદી પરમીટ (પરમીશન) લેવી પડે છે., પરંતુ ગુજરાતમાં દેશી કે વિદેશી દારૂનું સેવન, વેચાણ, હેરફેર, સંગ્રહ, ઉત્પાદન કે તદ્વિષયક માર્કેટીંગ કરવાની સખ્ત મનાઈ છે, એટલું જ નહીં, દારૂ બનાવવાનો કાચો માલ, મોલાસીસ, નવસાર, રસાયણો કે સાધનો પકડાય તો પણ વર્ષ ૧૯૬૦નો પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
જો કે, ગાંધીનગરના ગિફ્ટસિટીમાં પરમીટના આધારે દારૂના વેચાણ અને સેવનની છૂટ અપાઈ છે, અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં પરમીટ ધરાવતા લોકોને વેચાણ માટેના પરવાના પણ અપાયા છે. જો કે, ત્યાં પણ ૨૧ વર્ષની ઉંમરથી નીચેની વયના લોકોને દારૂના સેવનની છૂટ નથી.
આ તો કાનૂની દૃષ્ટિએ રાજ્યમાં 'કડક' દારૂબંધીની વાત થઈ, પરંતુ હકીકતે રાજ્યમાં દારૂબંધી કેટલી કડક છે અને જેટલો જંગી જથ્થો પકડાય છે, તેનાથી અનેકગણો વધુ દારૂનો જથ્થો પીવાય છે, જેમાં મોટા પ્રમાણમાં ઉત્પાદિત થતા દેશી દારૂ તથા મોટા પ્રમાણમાં ઘુસાડાતો વિદેશી દારૂ હોય છે. આ જંગી જથ્થો એક સમાંતર માર્કેટ ધરાવે છે, જે તદૃન ગેરકાયદે હોવા છતાં સિસ્ટોમેટિક રીતે ખૂલ્લેઆમ ધમધમી રહી છે. આવું કેમ થઈ રહ્યું છે એ પણ ઓપન સિક્રેટ જ છે ને ?
ગુજરાતની જેમ જ બિહારમાં એપ્રિલ ૨૦૧૬માં તે સમયની મહાગઠબંધન સરકારે સંપૂર્ણ દારૂબંધી લાગૂ કરી હતી. મહાગઠબંધનમાં જનતાદળ યુનાઈટેડ, રાષ્ટ્રીય જનતાદળ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સામેલ હતા. તે સમયે તેજસ્વી યાદવ, નીતિશકુમારના સમર્થનમાં હતા, અને નીતિશકુમારે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન તે સમયે મહિલાઓને સંપૂર્ણ દારૂબંધીનું વચન આપ્યું હતું અને તેનું પાલન કરીને સંપૂર્ણ દારૂબંધી લાદવામાં આવી હતી. ગુજરાતની જેમ જ બિહારમાં દારૂબંધી સફળ થઈ રહી નહીં હોવાની ચર્ચાઓ પણ અવારનવાર થતી રહે છે, અને તેમાં તથ્ય પણ છે.
બિહારમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ થઈ, તેને એપ્રિલમાં દસ વર્ષ પૂરા થશે. આ સમયે દારૂબંધીના કાયદાની પુનઃ સમીક્ષા કરવાની માંગણી બિહારમાં જોરશોરથી ઉઠી રહી છે. બિહારની વિધાનસભામાં સૌથી વધુ ચર્ચા પણ દારૂબંધીની જ થઈ રહી છે. એવું કહેવાય છે કે નીતિશકુમારની જીદના કારણે બિહારમાં દારૂબંધી લાગુ કરી દીધા પછી એક તરફ તો ગુજરાતની જેમ જ બિહારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પીવાય છે અને પકડાય છે, અને દારૂબંધી નિષ્ફળ ગઈ છે તો બીજી તરફ આ નીતિના કારણે બિહાર સરકારના ખજાનાને ફટકો પડી રહ્યો છે., બિહારમાં દારૂબંધી લાગૂ નહોતી, તે સમયે સરકારને શરાબ પરના શુલ્કમાંથી જે મબલખ આવક થતી હતી, તે સદંતર બંધ થઈ ગઈ છે, અને તે ભ્રષ્ટાચારીઓ તથા બૂટલેગરોના હાથમાં જઈ રહી હોવાની વાતો પણ થઈ રહી છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે બિહારની વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ના પ્રમુખ મૂકેશ સહનીએ એવો આક્ષેપ લગાવ્યો છે કે ભાજપ સ્વયં બિહારમાંથી શરાબબંધી ખતમ કરવા ઈચ્છે છે, પરંતુ તે બીજાના ખભે રાખીને બંદુક ફોડવા માટે જુદી જુદી પદ્ધતિથી શરાબબંધી સામે સવાલો અન્ય લોકો, સંગઠનો કે પાર્ટીઓ દ્વારા ઉઠે તેવું પરસેટશન ઉભું કરવામાં આવી રહ્યું છે. તેમણે એવો સણસણતો સવાલ ઉઠાવ્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની અસ્વસ્થાનો ગેરલાભ ભાજપ ઉઠાવી રહ્યો છે, અને બિહારના શાસન પર ભાજપ પ્રભાવી બની રહ્યો છે. ટૂંકમાં પાછલા બારણેથી ભાજપ જ બિહારમાં દારૂબંધી હળવી કે ખતમ થઈ જાય, તેવી ચાલ ચાલી રહ્યું છે.
બિહારમાં કોંગ્રેસના એક ધારાસભ્યે તો તમામ ધારાસભ્યો તથા અધિકારીઓના બ્લડ ટેસ્ટની માંગણી ઉઠાવી દીધી, તો રાજકીય પક્ષો એકબીજા પર આરોપો-પ્રતિઆરોપો કરી રહ્યા હતા. બિહારના કેબિનેટ મંત્રી અશોક ચૌધરીએ વર્ષ ૨૦૧૬થી આજ સુધી પકડાયેલી શરાબના આંકડા આપ્યા, તો અન્ય માદક દ્રવ્યો પણ પકડાયા હોવાથી ડ્રગ્સની બદી પણ વધી રહી હોવાના આક્ષેપો થયા, અને ઉડતા પંજાબની જેમ ઉડતા બિહારની વાતો પણ થવા લાગી છે.
તેજસ્વી યાદવ પણ અવારનવાર શરાબબંધીના કારણે બિહારની સરકારની તિજોરીનો અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવે છે અને કહે છે કે શરાબબંધીના ગેરકાયદે દારૂના કારોબારની ૪૦ હજાર કરોડ રૂપિયાની સમાંતર ઈકોનોમી રાજ્યમાં ચાલી રહી છે.
ગુજરાતમાં વર્ષ ૧૯૬૦ થી સંપૂર્ણ શરાબબંધી છે અને બિહારમાં વર્ષ ૨૦૧૬થી શરાબબંધી લાગુ કરાઈ છે. પરંતુ બંને રાજ્યોમાં દારૂની હેરફેર, વેચાણ, સંગ્રહ, સેવન અને ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થયા જ નથી, અને તેથી જ આ પોલિસીની ફેર વિચારણાની માંગણી ઉઠતી રહે છે. ગુજરાતમાં તો ગાંધીના રાજયમાં દારૂબંધી સંપૂર્ણપણે હટાવવી શક્ય નથી, પરંતુ બિહારમાં આ મુદ્દો લગભગ તમામ રાજકીય પક્ષોમાં મૂક સહમતિ હોવાની ગુસપુસ થતી રહે છે, પરંતુ કોઈ ખુલીને દારૂબંધી તદૃન હટાવી લેવાની માંગણી ઉઠાવી રહ્યું નથી. આ સંજોગોમાં બિહાર ભાજપ પણ આ દારૂબંધી હટાવવાની તરફેણમાં હોય તો પણ બિહારના જ નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા પછી આ પ્રકારની બૂમરેંગ પૂરવાર થઈ શકે તેમ હોવાથી ભાજપ પાછલા બારણેથી શરાબબંધી હળવી કરવાની ફિરાકમાં હોવાના આક્ષેપો થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
"સમય સમય બલવાન હૈ નહીં પુરૂષ બલવાન, કાબે અર્જુન લૂંટયો, વહી ધનુષ વહી બાણ..." જેવી પંક્તિઓમાંથી એક નક્કર વાસ્તવિકતા પ્રગટે છે. ખરેખર, સમય બલવાન પણ છે અને ઔષધ પણ છે. જિંદગીની કડવી સ્મૃતિઓ તથા દિલ પર લાગેલા ઝખમોને સમયનો મલમ જ હળવા કરી શકે છે. કોઈ પણ વિપરીત સંજોગો, ગેરસમજ, ગુસ્સા કે મજબૂરીના કારણે બગડેલા સંબંધો પણ સમય જતા સુધરી જતા હોય છે, તો દુઃખના ડુંગર પણ સમય જતા હટી જતા હોય છે, સમય એવું ઔષધ છે, જે જૂના દર્દોને મટાડીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે, એવી જ રીતે આ જ સમયમાં એટલી તાકાત પણ છે, જે ભલભલા તાનાશાહોને પણ તબાહ કરી શકે છે અને હરામખોરોને હણી પણ શકે છે. એક સમયે સર્વ સત્તાધીશ કે સર્વાધિક બુદ્ધિશાળી ગણતા લોકો પણ એ જ સમયની થપાટો પડયા પછી સત્તાવિહોણા-લાચાર અને પાગલ કે બુદ્ધુ બની જતા હોવાના ઘણાં દૃષ્ટાંતો ઈતિહાસમાં મોજુદ છે.
ગુજરાતના ભૂતકાળમાં ઘણાં દિગ્ગજો આજે અતિતના અંધકારમાં અટવાઈ રહ્યા છે, તો હાલારના ઘણાં મોટા માથાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે.
દુનિયામાં પણ હિટલર, ઈદી અમીન, નેપોલિયન જેવા તાનાશાહો તથા સદામ હુશેન જેવા શક્તિશાળી સરમુખત્યારોનો અંજામ કેવો આવ્યો હતો, તેની કથાઓ તવારીખમાં લખાઈ ગયેલી છે અને તેના વિષે આપણે બાળપણથી જ ભણતા પણ આવ્યા છીએ. આ દૃષ્ટાંતોના કારણે જ "સમય સમય બલવાન હૈ" અને "એક દિન બીક જાયેગા માટી કે મોલ" જેવી પંક્તિઓ વધુ ને વધુ પ્રચલીત બની રહી છે.
ટ્રમ્પના ટેરિફે આખી દુનિયામાં ઉથલ-પાથલ મચાવી દીધી અને વ્યાપારનો ટ્રમ્પે હથિયારની જેમ ઉપયોગ કર્યો. વિશ્વની સૌથી જૂની (અર્વાચીન યુગની) લોકશાહી ધરાવતા અમેરિકાની ચાર વર્ષ પહેલા જે થોડી ઘણી ઈજ્જત અને આદર હતા. તે ટ્રમ્પે હવે તદ્દન ડુબાડી દીધા છે. માત્ર સમૃદ્ધિ, સૈન્ય તાકાત કે વૈશ્વિક નિયમોને નેવે મૂકવાની એકતરફી મન્સુફી દેખાડીને દુનિયાનું દિલ જીતી શકાતુ નથી કે દુનિયાને દબાવીને મહાન બની શકાતુ નથી. હવે ટ્રમ્પને તેમના જ દેશની સર્વોચ્ચ અદાલતે લપડાક લગાવી અને ટ્રમ્પની ટેરિફ નીતિને ગેરકાયદે ઠરાવી દીધી ત્યારે યાદ આવી ગયું કે ખરેખર "સમય" જ બલવાન છે, ટ્રમ્પ નહીં, પરંતુ ટ્રમ્પ સર્વોચ્ચ અદાલતનું માનવા પણ તૈયાર નથી, હવે શું ?
અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે કટોકટીની કલમોનો ઉપયોગ કરીને ટ્રમ્પે ટેરિફ વધાર્યા છે, પરંતુ આ સત્તા ફક્ત અમેરિકાની કોંગ્રેસ (સંસદ) ને જ છે, અમેરિકાના રાષ્ટ્રપતિને આ સત્તા જ નથી, એટલે કે ટ્રમ્પના ટેરિફને સંબંધિત તમામ નિર્ણયો ગેરબંધારણીય હતા. પરંતુ મોડી રાત્રે ટ્રમ્પે ગઈકાલે જ સુપ્રિમ કોર્ટના ફેંસલાને ઠુકરાવીને આખી દુનિયા પર વધુ ૧૦ ટકા ટેરિફની જાહેરાત કરી દીધી !
જો કે, અમેરિકાના બંધારણ અને ત્યાંની સંસદની પ્રણાલિકાઓ મુજબ હવે પછી શું થાય છે અને ટ્રમ્પે ગઈરાત્રે પ્રેસ કોન્ફરન્સમાં નનૈયો ભણ્યા પછી સર્વોચ્ચ અદાલતનો આ ચૂકાદો ટ્રમ્પ માટે બાહય થાય છે કે પછી હજુ કોઈ નવું ગતકડું નીકળે છે, તે તો હવે જ ખબર પડશે, પરંતુ એ હકીકત છે કે અત્યારે તો અમેરિકાના તૂંડમિજાજી રાષ્ટ્રપતિ ટ્રમ્પની હેંકડી તો વહેલી મોડી નીકળી જ જશે, પરંતુ અત્યારે તો ટેરિફાતંક ઝઝુંબી જ રહ્યો છે.
બીજી તરફ ટ્રમ્પ હવે ચીનની મુલાકાતે જવાના છે. જ્યારે ટ્રમ્પે ભારત પર પણ ૫૦ ટકા ટેરિફ ઝીંક્યો હતો અને દુનિયાના ઘણાં દેશો પર ટ્રમ્પના ટેરિફનો આતંક છવાયો હતો, ત્યારે પુતિન, જીનપીંગ અને પી.એમ. મોદીની ત્રિપુટીએ ચીનમાં એક કાર્યક્રમમાં સંયુક્ત રીતે હાવભાવ દેખાડ્યા, તે પછી ટ્રમ્પને પણ અંદાજ આવી ગયો હશે કે આ ત્રણેય દેશો જો એકજૂથ થઈ જાય અને યુરોપ તથા અન્ય દેશો સાથે વ્યાપારિક તથા સામરિક અને કૂટનૈતિક સંબંધો વધી જાય, તો જગતના જમાદારને પણ હંફાવી શકે છે...
ગઈકાલે રાત્રે પોતાના દેશની જ સર્વોચ્ચ અદાલતની અવગણના કરીને મનસ્વીપણુ દેખાડનાર ટ્રમ્પની હરકતોની જેમ જ તેઓના નિર્ણયો પણ બદલતા રહે છે અને શાહબાજ જેવા વડાપ્રધાનોની વ્યંગાત્મક ઢબે બેઈજ્જતિ પણ તેઓ કરતા રહે છે, તેથી ચીનની મુલાકાત પછી કોથળામાંથી બિલાડૂ નીકળે છે કે પછી ચીનનો ચિંટિયો તેને પરેશાન કરે છે, તે જોવાનું રહે છે. જો કે, ટ્રમ્પ-જીનપીંગની મુલાકાત પહેલા અને પછી પણ ભારતે ચેતવા જેવું ખરૃં, જો કે, ગઈરાત્રે ટ્રમ્પે ભારત સાથેની ટ્રેડ ડીલમાં કોઈ બદલાવ નહીં થાય, તેમ પણ કહ્યું છે. અને આનો અર્થ એવો પણ થાય કે ભારત પર ૧૮ ટકા ટેરિફ ચાલુ જ રહેશે.
"સમય સમય બલવાન હૈ"ની બીજી બાજુ તાજુ દૃષ્ટાંત શેખ હસીના અને તારિક રહેમાન છે. દાયકાઓ સુધી બાંગલાદેશ પર એકચક્રી શાસન કરનાર શેખ હસીના અત્યારે ભારતમાં રાજ્યાશ્રય લઈ રહ્યા છે, અને તેની પાર્ટીને અવામી લીગને તો ચૂંટણી લડવાનો પણ અધિકાર અપાયો નહોતો, અને તેણીના ઘોર વિરોધી ખાલિદા જીયાના પુત્ર તારિક રહેમાન દાયકાઓ સુધી દેશથી દૂર રહ્યા પછી હવે બાંગલાદેશના વડાપ્રધાન બની ગયા છે. તારિક રહેમાન અને તેની સરકાર ભારત સાથેના બદલાતા વલણો પણ "સમય સમય બલવાન હૈ" ની જ દેણ છે ને ?
બીજી તરફ એ આઈ સમિટ દરમ્યાન વિવિધ દેશો સાથે ભારતની વાટાઘાટો તથા કેટલાક કરારોની વચ્ચે અમેરિકાના ભારતમાં રાજદૂત સર્જીયો ગોરે સંકેત આપ્યા છે કે ટ્રમ્પ હવે ભારતના પ્રવાસે આવવાની ઈચ્છા પણ ધરાવે છે. બીજી તરફ ઈરાન સાથે યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે.
આ બધા ઘટનાક્રમો વિશ્વના ઝડપભેર બદલાતા સમીકરણો અને ટ્રમ્પ સહિતના વિશ્વના શક્તિશાળી ગણાતા નેતાઓની બદલતી માનસિકતા જોતા માનવું જ પડે કે "સમય સમય બલવાન હૈ...નહીં માનવ બલવાન..."
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં અન્ડરબ્રિજ નજીકના સોસાયટી વિસ્તારમાં વિકાસનું કામ પૂરૃં કર્યા વિના ગાયબ થયેલા ઈજારેદાર સામે મહિલાઓએ માનવસાંકળ રચી અને તંત્રમાં દોડધામ મચી ગઈ. તે પછી આ ઘટનાને સોશ્યલ મીડિયા તથા પ્રેસ મીડિયામાં વ્યાપક પ્રસિદ્ધિ પણ મળી, આ જ પ્રકારે અત્યારે સોશ્યલ મીડિયાના માધ્યમથી વીડિયો બનાવીને લોકોની સમસ્યાઓ, ગુણવત્તા વગરના કામો અને ગંદકી-ઉકરડા વગેરેની વાસ્તવિકતા લોકો સ્વયં ઉજાગર કરી શકે છે, જે સોશ્યલ મીડિયાનો સદુપયોગ ગણી શકાય.
આ જ રીતે શિક્ષણ, આરોગ્ય, જનકલ્યાણ, યોજનાકીય પ્રચાર, જનલક્ષી સંચાર-પ્રચાર અને જનજાગૃતિ માટે સોશ્યલ મીડિયાનો સદુપયોગ બહોળા પ્રમાણમાં થવા લાગ્યો છે, અને મનોરંજન, સમાચાર, સંદેશા વ્યવહાર તથા વિવિધ ઉજવણીઓ માટે પણ સોશ્યલ મીડિયાનો વ્યાપક સદુપયોગ પણ વધી રહ્યો છે, તેથી સોશ્યલ મીડિયાની માત્ર નકારાત્મક બાબતોનો જ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરીને આ નવતર મીડિયા પર માછલાં ધોનારા પરિબળો સામે સજાગ રહેવું જરૂરી છે, પરંતુ તેઓ પણ તદ્દન ખોટા નથી. તેથી સંયોજીત અને તટસ્થ રીતે આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારવું જ જોઈએ ને ?
થોડો સમય પહેલા ત્રણ કિશોરીઓએ કોરિયન વીડિયો ગેઈમ્સના ચક્કરમાં પોતાનો જ જીવ લઈ લીધો અને આત્મહત્યા કરી લીધી હતી, તે પછી આપણાં દેશમાં બાળકો અથવા સગીરવયના કિશોર-કિશોરીઓ માટે સોશ્યલ મીડિયા અને વીડિયો ગેઈમ્સ તથા ઓનલાઈન ગેમ્બલીંગ વગેરે પર હકીકતમાં ચૂસ્ત પ્રતિબંધ લાદવાની જરૂર હોવાની જોરદાર માંગણી પણ ઉઠી હતી, અને ધીમે ધીમે આ અંગે જનમત પણ ઘડાઈ રહ્યો હતો, પરંતુ રાજનૈતિક મુદ્દાઓમાં અટવાયેલા રાજનેતાઓએ સંસદ અને રાજયોની વિધાનસભામાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો નહીં, અને લોકોની વચ્ચેજ ચર્ચાતો રહી ગયો હતો.
જો કે, ગઈકાલથી આપણાં દેશમાં સગીર વયજૂથ માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મુકવાની વાત ફરીથી જોરશોરથી થવા લાગી છે, અને આ અભિપ્રાય એક આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાંથી ઉભરીને આવ્યો છે. અને હવે આ મુદ્દો કેન્દ્ર સરકારના ઉચ્ચ નેતાઓ અને અધિકારીઓથી લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક પ્રેસ-મીડિયા સુધી પડઘાઈ ચૂક્યો છે, તેથી બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદમાં પણ આ મુદ્દો ગુંજવાનો છે, અને આ કારણે રાજનેતાઓ અને બ્યુરોક્રેટસ માટે પણ આ અંગે કોઈ નક્કર કદમ ઉઠાવવું અનિવાર્ય બની જવાનું છે.
બન્યું છે એવું કે દિલ્હીમાં "ઈન્ડિયા એઆઈ સમિટ" દરમ્યાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સની જેમ ભારતમાં પણ બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મુકવાની અપીલ કરી હતી અને તેના દેશવ્યાપી તથા વિશ્વવ્યાપી પ્રત્યાઘાતો પણ પડયા હતા.
મેક્રોને કહ્યું હતું કે ફ્રાન્સે ૧૫ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મુકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પહેલાં સ્પેન, ગ્રીસ સહિતના યુરોપિયન દેશો પણ સામેલ થયા છે, ત્યારે ભારત પણ તેમાં જોડાઈ જાય, તે બાળરક્ષણ માટે ખૂબ જ સારું ગણાશે. બાળકોનું સોશ્યલ મીડિયાની ખતરનાક અને નકારાત્મક બાજુ સામે રક્ષણ કરવું કે માત્ર કાયદો ઘડવાની વાત નથી, પરંતુ સભ્યતાની પણ વાત છે.
ઓસ્ટ્રેલિયા પછી ફ્રાન્સ અને કેટલાક યુરોપિયન દેશો પણ આ પહેલમાં જોડાતા હોય અને તેમાં જો ભારત જેવો બહોળી કિશોર વયની જનસંખ્યા ધરાવતો દેશ પણ જોડાય જાય, તો સોશ્યલ મીડિયાના માધ્યમથી અબજો રૂપિયાની કમાણી કરતી વિશ્વકક્ષાની કંપનીઓ પર પણ પ્રેસર આવશે. મેક્રોને પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છેે કે વિશ્વની સૌથી વધુ યુવાવર્ગની જનસંખ્યા ધરાવતા ભારત જેવા વિશાળ દેશમાં જો ક્રાંતિકારી ફેરફાર થશે, તો તેની અસર વિશ્વભરમાં પડશે જે સગીર વય જૂથના હિતમાં હશે, અને પી.એમ. મોદી પણ સમર્થન આપશે.
નવી દિલ્હીના ભારત મંડપમમાં ગઈકાલે ઈન્ડિયા એ.આઈ. સમિટનું ઉદ્ઘાટન થયું, તેનું થીમ પણ એ.આઈ.નો ઉપયોગ સર્વજન હિતાય, સર્વજન સુખાય કરવાનું રાખવામાં આવ્યું છે, ત્યારે દેશભરના કરોડો સગીરોના હિતાર્થે સોશ્યલ મીડિયા પર વાજબી અંકુશ મુકવામાં આવે કે ઈન્ટરનેટ જેવી અદ્યતન ટેકનોલોજીનો દુરૂપયોગ અટકાવવા માટે કડક નિયમો બનાવવા પડે કે કાયદો ઘડવો પડે, તો તેમાં પાછીપાની કરવી જોઈએ નહીં, અને શાસને સોશ્યલ મીડિયા ક્ષેત્રના સ્થાપિત હિતો ગમે તેટલા તાકતવર હોય, તો પણ તેના દબાણમાં આવવું જોઈએ નહીં, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.
જો કે, ભારત જેવા વિશાળ દેશમાં ઈન્ટરનેટ કે સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ થતો અટકાવવા કે સગીર વયજૂથ માટે સોશ્યલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો શક્ય છે ખરો ! તેવો પ્રયોગ કેટલો સફળ થાય ? શું આ પ્રકારના પ્રતિબંધોથી સગીર વયજુથ એ જ સોશ્યલ મીડિયાના સદુપયોગથી વંચિત રહી નહીં જાય ? આ પ્રકારની આશંકાઓ પણ ઉઠી રહી છે, જ્યાર આ પ્રકારનું કદમ નહીં ઉઠાવાય તો સગીર વયજૂથ પર બરબાદીના માર્ગે જવાનો ખતરો પણ મંડરાતો રહેશે, તે પણ હકીકત છે, તેથી આ મુદ્દે સંસદ, વિધાનસભાઓ તથા લોકમંચો-જાહેર પ્લેટફોર્મ પર પણ વ્યાપક ચર્ચાઓ કરીને કોઈપણ યોગ્ય નિર્ણય તો સગીર વયજૂથના હિતાર્થે કેન્દ્ર સરકારે લેવો જ પડે તેમ છે, તે નક્કર હકીકત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે એક તરફ ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજ્યનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું, તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ જામ્યુકોના સંકુલમાં જનરલ બોર્ડમાં રૂ।. ૧૮૫૪ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. આ બંને બજેટના પ્રતિભાવો અને વિશ્લેષણો ગઈકાલથી જ પ્રેસ-મીડિયા, સોશ્યલ મીડિયા તથા રાજકીય વર્તુળોમાં પડઘાવા લાગ્યા હતા.
નાણામંત્રીએ વર્ષ ૨૦૨૬-૨૭માં કરેલી ફાળવણીઓ અને જાહેરાતોની વિસ્તૃત વિગતો હવે સૌ કોઈની સામે આવી ગઈ છે, અને તેનું ઊંડુ અધ્યયન પણ થઈ રહ્યું છે., ખાસ કરીને સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની જાહેરાત, સોમનાથ અને અંબાજીમાં અદ્યતન બસપોર્ટ, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે, પોરબંદર સહિત પાંચ શહેરોના એરપોર્ટનો વિકાસ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામોનું ડેવલપમેન્ટ, દ્વારકા, કચ્છનો માતાનો મઢ, ગીરનાર, અંબાજી તથા ડાકોરમાં ધાર્મિક મેળાઓ માટે વિશેષ જોગવાઈ, સોમનાથ અને શીવરાજપુર બીચના વિકાસનો ઉલ્લેખ, વિસાવાડા, પોરબંદરનો સ્થાનિક વિકાસ હિરાસર સહિત રાજ્યના પાંચ શહેરોને સેટેલાઈટ ટાઉન બનાવવાની યોજના, રાજકોટ સહિત ચાર શહેરોમાં આઈ હબની સ્થાપના, જામનગર સહિત ત્રણ શહેરોમાં આઈ.વી.એફ.ની સગવડ વગેરે જોગવાઈઓ અને જાહેરાતો ધ્યાન ખેંચે તેવી છે.
વિરોધપક્ષના પ્રતિભાવો સ્વાભાવિક રીતે જ ટીકાત્મક હોય છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે બજેટમાં ખેડૂતોને અપાતી વીજસહાયમાં કાપ મૂકાયો હોવાનું જણાવી સરદાર સરોવર યોજનાનું ફંડીંગ પણ ઘટાડી દેવાયો હોવાની આલોચના કરી હતી. તો આમઆદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં કૂપોષણ નિવારવાના મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. ગોપાલ ઈટાલિયાએ પણ શિક્ષકોની ઘટ તથા ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓના અભાવના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વિપક્ષી તેના અમિત ચાવડા સહિતના નેતાઓએ બજેટને ચૂંટણીલક્ષી ગણાવીને સરકારે ગામડાઓને અન્યાય કરીને આગામી પાલિકા-મહાપાલિકાઓની ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને શહેરોને વધુ ફાળવણી કરવાની ટકોર સાથે કહ્યું હતું કે રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં બજેટમાં રૂ।. ૭ હજાર કરોડથી વધુની ફાળવણી કરી છે, જયારે ગ્રામ્ય વિસ્તારો માટે માત્ર રૂ।. ૬૯ કરોડનો વધારો સૂચવાયો છે, જે ગામડાઓ સાથે દેખીતો અન્યાય છે. ગરીબોના કાચા મકાનોને પાકા બનાવવા બજેટમાં કોઈ વધારો થયો નથી. ખેડૂત વીજ સહાય યોજનામાં રૂ।. ૧૨૮૯ કરોડનો ઘટાડો કરાયો છે. સ્વચ્છ ભારત અભિયાન માટેની જોગવાઈઓમાં પણ રૂ।. ૧૩૧ કરોડનો ઘટાડો કરાયો છે.
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા કરવેરા નાખ્યા નથી, તેમ જણાવી બજેટમાં સમાજના તમામ વર્ગોનું ધ્યાન રખાયુ હોવાનો દાવો કર્યો હતો તથા હાઈસ્પીડ કોરિડોર, આદિવાસી વિસ્તાર વિકાસ, વિકસિત ગુજરાત-૨૦૪૭ વગેરેનો આંકડાકીય વિગતો સાથે ઉલ્લેખ કરીને નાણામંત્રી કનુભાઈ દેસાઈની પીઠ થાબડી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ પત્રકાર પરિષદ યોજીને ગત વર્ષ કરતા ૩૭,૮૦૩ કરોડ રૂપિયાના વધારા સાથે રજૂ થયેલા રૂ।. ૪.૦૮ લાખ કરોડના બજેટની વિસ્તૃત વિગતો આપી હતી.
ગુજરાતના મોટા ભાગના શહેરોના ઉદ્યોગજગત તથા શાસકપક્ષના નેતાઓ અને બુદ્ધિજીવીઓના હકારાત્મક પ્રતિભાવો આવ્યા છે, તો ખેડૂતવર્ગ અને જેન-ઝેડમાંથી મિશ્ર પ્રત્યાઘાતો આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેકસની અપેક્ષા સંતોષાઈ નહીં હોવાના પ્રત્યાઘાતો પણ પડયા હતા. હીરા ઉદ્યોગના ક્ષેત્રોના મુદ્દે લોકો નારાજ થયા હોવાની પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી, અને નાના વેપારીઓ માટે બજેટમાં કોઈ જોગવાઈ નહીં હોવાના પ્રત્યાઘાતો પડયા હતા. હીરા ઉદ્યોગની લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રે સહાયની જાહેરાતની અપેક્ષા સંતોષાઈ નહીં હોવાની નારાજગી પણ તદ્વિષયક પ્રત્યાઘાતોમાં પડઘાઈ હતી.
એક તરફ ગુજરાતના બજેટને લઈને વિવિધ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા હતા, તો બીજી તરફ ગઈકાલે જામનગર મહાનગરપાલિકામાં પ્રગટેલા દસ માથાવાળા રાવણ તથા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે જનરલ બોર્ડમાં રજૂ થયેલા બજેટની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી.
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ વિપક્ષોએ વિવિધ મુદ્દા ઉઠાવ્યા હતા અને સૂચનો પણ કર્યા હતા. તે પહેલા સભાગૃહ પાસે ધરણા, સુત્રોચ્ચાર, પ્રદર્શન કરીને શાસકપક્ષ દ્વારા ૪૦ ટકાનો ભ્રષ્ટાચાર ચલાવાઈ રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. બજેટમાં સ્ટ્રીટ વેન્ડર્સ માટે ચોક્કસ જગ્યા નક્કી કરીને ટ્રાફિકની સમસ્યા નિવારવાની સાથે સાથે ફેરિયાઓની રોજીરોટી છીનવાઈ ન જાય, તેવો ઉપાય કરવાનો "નોબત" દ્વારા અત્રેથી કરાયેલા સૂચનો પ્રતિઘોષ સંભળાયો હતો, અને મહાનગરપાલિકાના રિઝર્વ-પ્લોટોમાં ફેરિયાઓને જગ્યાની ફાળવણી ઉપરાંત ઓવરબ્રિજની નીચે ફૂડઝોન તથા ગેઈમ ઝોન બનાવવાની જાહેરાત પણ થઈ હતી.
ઓવર બ્રિજની નીચે ફૂડઝોન, પાર્કિંગ અને ગેઈમ ઝોન બનાવવાની વાતો એ પહેલા પણ થઈ હતી, પરંતુ કોઈ કારણે તેમાં પ્રગતિ થઈ હોય તેમ જણાતું નથી. જો કે, ભાવબાંધણા ઉપરાંત પણ ઓવરબ્રિજની નીચે જ કોઈપણ પ્રવૃત્તિઓ થાય, તો તેમાં શોટ સરકીટ, આગ-દુર્ઘટના કે અન્ય જોખમો ઊભા ન થાય, તેની કાળજી રાખવા તથા સેઈફગાર્ડ નક્કી કરવા પણ વિચારવું પડે તેમ છે.
ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થયા પછી એક તરફ બજેટનો વિસ્તૃત અભ્યાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ ગયા વર્ષના બજેટ સાથે તુલના કરવામાં આવી રહી છે, અને રાજ્ય સરકારે ભૂતકાળમાં કરેલી જાહેરાતો પૈકી કેટલી વાસ્તવમાં અમલી બની અને કેટલી વિસરાઈ ગઈ તેની ટિકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે, તેવી જ રીતે જામનગર મહાનગરપાલિકાના ગત વર્ષના બજેટ તથા તે પછી કરાયેલી જાહેરાતો અને કરાયેલા વાયદાઓમાંથી કેટલા અમલી બન્યા અને કેટલા વિસરાઈ ગયા, તેની સમીક્ષા પણ થઈ રહી છે.
કેન્દ્રીય બજેટમાં જ રેલવે બજેટ રજૂ થઈ જતું હોવાથી પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલી કેટલીક જાહેરાતોમાં હાલાર અને સૌરાષ્ટ્રની રેલવેને લગતી કેટલી માંગણીઓ સંતોષાઈ છે, તે બિલોરી કાચ લઈને જોવું પડે તેમ હોવાના પ્રત્યાઘાતો સાથે દ્વારકાથી મથુરા થઈને હરિદ્વારની ટ્રેનો અંગે ભૂતકાળમાં તત્કાલિન રેલવે રાજ્યમંત્રી દ્વારા કરાયેલા વાયદાઓનું શું થયું ? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.
એકંદરે આ ત્રણેય બજેટોમાં રજૂ થયેલી આંકડાઓની ભરમારની ટીકા-ટિપ્પણી સાથે સાથે કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતોની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શરાબીઓ ઝુમતા જોવા મળી રહ્યા છે, તેવી જ રીતે નશાબંધી હોવા છતાં ડ્રગ્સના વ્યસનીઓ પકડાતા રહે છે. ગુજરાતમાં લાંબો દરિયા કિનારો હોવાથી આ રસ્તે ડ્રગ્સ ઘુસાડવાનો કોન્સેપ્ટ ડ્રગ્સ માફિયાઓને જૂના સ્મગલીંગના દરિયાઈ માર્ગોમાંથી મળ્યો હશે, પરંતુ હવે ડ્રગ્સ માટે ગુજરાત કદાચ ગેટ વે ઓફ ઈન્ડિયા બની ગયું છે, અને ગુજરાતમાં પણ ડ્રગ્સના પેડલર્સ અને એજન્ટો ઉપરાંત વ્યસનીઓ પણ વધી રહ્યા હોવાના સંકેતો મળતા રહે છે.
ગઈકાલે જ અહેવાલો આવ્યા હતા કે પોરબંદરના દરિયામાંથી કરોડોની કિંમતનું ૨૦૦ કિલો ડ્રગ્સ પકડાયું છે. આ પહેલાં પણ એપ્રિલમાં પોરબંદરથી લગભગ ૨૦૦ કિ.મી. દૂર એક બોટને આંતરીને પુછપરછ કરાતા ડ્રગ્સ તસ્કરો દરિયામાં જથ્થો ફેંકીને ભાગ્યા હતા, જેની કિંમત લગભગ ૧૮૦૦ કરોડ થતી હતી. વર્ષ ૨૦૨૪માં પણ ૮૬ કિલો ડ્રગ્સ પકડાયું હતું, જેની કિંમત રૂ।. ૬૦૦ કરોડ જેટલી અંદાજવામાં આવી હતી. તે પહેલાં આ વિસ્તારમાંથી જ અંદાજે ૨૦૦૦ કરોડની ૩૩૦૦ કિલો ડ્રગ્સ ઝડપાઈ હતી.
તાજેતરમાં જ એસઓજીએ ખાવડી નજીકથી એક હોટલમાંથી લગભગ ૮૩ લાખની હેરોઈન સાથે ચાર શખ્સોને દબોચ્યા હતા. તે પહેલા સપ્ટેમ્બર ૨૦૨૪માં જોડિયા તાલુકામાંથી રૂ।. ૨૫ લાખની કિંમતનું ૪૯૮ ગ્રામ ડ્રગ્સ, અને ઓકટોબરમાં દરિયાકાંઠેથી બે લાખથી વધુ કિંમતનું એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું હતું.
વર્ષ ૨૦૨૪માં દ્વારકા જિલ્લામાં બિનવારસુ ડ્રગ્સનો સીલસીલો ચાલ્યો હતો, અને દરિયાકાંઠેથી જૂન ૨૦૨૪માં ૩૨ કિલો અફઘાની ડ્રગ્સ મળી આવ્યુ હતું, જેની કિંમત લગભગ રૂ।. ૧૬ કરોડની થવા જતી હતી. એટીએસ દ્વારા સલાયામાંથી ૧૨૦ કિલો હેરોઈન પકડાયેલું, જેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હતા. મે ૨૦૨૩માં પણ ખંભાળીયામાંથી દોઢ લાખના ડ્રગ્સ સાથે મુંબઈનો સપ્લાયર ઝડપાયો હતો.
વર્ષ ૨૦૨૦થી વર્ષ ૨૦૨૫ દરમ્યાન ગુજરાતમાંથી લગભગ ૧.૩૦ લાખ કિલોથી વધુ નશીલા પદાર્થો ઝડપાયા છે, જેમાં ૭૧,૪૮૭ કિલો ગાંજો, ૫૬,૪૭૭ કિલો અફીણ, ૨૦૪૭ કિલો સિન્થેટિક ડ્રગ્સ અને ૨૦૪ કિલો કોકેઈનનો સમાવેશ થાય છે. ગુજરાત ડ્રગ્સનું પ્રવેશદ્વાર બની ગયું તેના કારણોની ચર્ચા પણ અવારનવાર થતી રહે છે.
શ્રીલંકામાં વર્ષ ૨૦૧૯માં રાજકીય ઉથલપાથલ થઈ અને મૈત્રીપાલ સિરિસેના ત્યાંના રાષ્ટ્રપતિ બન્યા, પછી ડ્રગ્સ માફિયાઓ અને તસ્કરો પર તવાઈ બોલાવી અને ડ્રગ્સના ગૂન્હામાં ઝડપાયેલા ચાર આરોપીઓને ફાંસીએ ચડાવાયા, શ્રીલંકામાંથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ ઓસ્ટ્રેલિયા ખંડ તથા યુરોપના દેશોમાં ડ્રગ્સનો જથ્થો મોકલતા હતા. પરંતુ ત્યાંના કાયદા કડક થઈ જતા ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારા પર પડી, ત્યાંથી ભૂતકાળમાં મોટા પાયે દાણચોરી થતી હતી. અને તે પણ ડ્રગ્સ માફિયાઓ ગુજરાતમાં થઈને કેટલાક રાજ્યોમાં થોડો જથ્થો મોકલે, પરંતુ મોટા ભાગનો જથ્થો બીજી બોટોમાં ભરીને લાઓસ, જામનગર, ઉઝબેકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અને યુરોપના દેશો તરફ મોકલવાની ડ્રગ્સ માફિયાઓની આખી આંતરરાષ્ટ્રીય સરકીટ કામ કરી રહી હોવાનું કહેવાય છે.ં
ભૂતકાળમાં હાલારના સલાયા અને ઓખા તથા કચ્છના માંડવી સહિતના સૌરાષ્ટ્રના બંદરે સોનુ, ઈલેકટ્રોનિક સામાન અને અદ્યતન ઘડિયાળો વગેરેની દાણચોરી થતી હતી અને પોરબંદરના ગોસાબારામાં આરડીએકસ તથા હથિયારોની ખેપ પણ ઉતરી હતી, અને જેનો ઉપયોગ મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટીંગ માટે થયો હતો. હવે આ જ રૂટ પર ડ્રગ્સની હેરાફેરી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, અને કેટલાક નવા સ્થળો પણ ડ્રગ્સ માફિયાઓ તથા તસ્કરોએ શોધી કાઢ્યા હોય, તેમ લાગે છે. લાંબા દરિયા કાંઠો, હજારો બોટો, સેંકડો નાના વહાણો તથા મોટા જહાજોની વિશાળ મહાસાગરમાં દેખરેખ કરવી એ પડકારરૂપ કામગીરી કોસ્ટગાર્ડ, નૌકાદળ, મરીન પોલીસ સહિતની એજન્સીઓ કરી રહી છે.
એવું કહેવાય છે કે અફીણનું સર્વાધિક ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે, અને ગુજરાતના દરિયાકાંઠેથી પકડાતા ડ્રગ્સના જથ્થાઓમાં અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન તથા ઈરાન પણ સંડોવાયેલા હોવાના સંકેતો તથા કેટલાક પૂરાવાઓ પણ મળતા હોય છે. યુનોના એક રિપોર્ટ મુજબ દુનિયામાં થતા કુલ ઉત્પાદનમાં અફઘાનિસ્તાનના અફીણ ઉત્પાદનનો હિસ્સો ૮૦ ટકા જેટલો હોય છે, અને અફીણના જુદા જુદા બાય-પ્રોડક્ટસ આખી દુનિયામાં મોકલાય છે. અફીણનો મહત્તમ જથ્થો ગુજરાતના દરિયાઈ માર્ગે વિશ્વના દેશોમાં મોકલવાની નવી સાયકલ શરૂ થઈ હોય કે સરકીટ ગોઠવાઈ હોય, તો તેના છાંટા ગુજરાતના યુવાધન પર પડયા વિના રહેવાના નથી, તે પણ હકીકત છે.
જો કે, અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી નશીલા પદાર્થોની દાણચોરી ઉપરાંત ગુજરાતમાં જ ડ્રગ્સ બનાવવાની મોડસ ઓપરેન્ડી પણ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહી છે. વર્ષ ૨૦૨૦માં ભરૂચ જિલ્લા સી ગામમાંથી એફેડ્રિન ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી, અને વર્ષ ૨૦૨૦માં સુરતના કડોદરામાંથી પણ ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ હતી, તેના બીજા વર્ષે જ વલસાડના ડુંગરીમાંથી ડ્રગ્સનું કારખાનું ઝડપાયું હતું. વર્ષ ૨૦૨૨માં ભરૂચના પાનોલીમાંથી ૧૩૮૩ કરોડના જુદા જુદા ડ્રગ્સ પકડાયા હતા. તે પછી સાવલીના મોકસીન કેમિકલ ફેકટરીમાં ઉત્પાદિત થતા ડ્રગ્સનું કૌભાંડ ઝડપાયુ હતુુ, અને આ ડ્રગ્સની કિેંમત પણ એક હજાર કરોડથી વધુની હતી. ગુજરાતમાં જુદા જુદા સ્થળે ડ્રગ્સના ઉત્પાદન તથા હેરાફેરીના આ કિસ્સાઓ પછી "ઉડતા ગુજરાત"ના વ્યંગ સાથે આલોચનાઓ પણ થઈ હતી.
એક તરફ ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ આખી દુનિયાને સપ્લાય કરવાની "સિસ્ટમ" ગોઠવાઈ હોવાની ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ રાજ્યમાં ડ્રગ્સ એડિકટસ વધી રહ્યા હોવાની ચિંતાજનક આશંકાઓ પણ ધીમે ધીમે વાસ્તવિકતામાં ફેરવાઈ રહી હોય તેમ જણાય છે, ત્યારે ગૃહમંત્રી-કમ-નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી શ્રીલંકા ફેઈમ કડક કદમ ઉઠાવીને આ ખતરનાક ડ્રગ્સ સરકીટને તોડી પાડે અને રાજ્યની યુવાપેઢીને ડ્રગ્સના રાક્ષસથી બચાવે, તેવું ઈચ્છીએ.
ગુજરાતમાં દારૂબંધી અને નશાબંધીની સફળતા માટે સરકાર,સમાજ અને સંતોએ સહિયારા પ્રયાસો કરવા પડે તેમ છે, કારણ કે આ ઉધઈ જેવી બદી સરળતાથી ખતમ થાય તેમ નથી, આ માટે રાજ્ય સરકારે જ પહેલ કરવી પડે તેમ છે. અને "વાસ્તવિક" પ્રયાસો કરવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત સરકારે જામનગર જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વિજય ખરાડીની નિમણૂક કરી છે, તેઓ જામનગરમાં આ પહેલા મ્યુનિ. કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે, તે સમયે શહેરના ઈન્ફ્રાસ્ટ્રકચરની સુધારણા અને સમસ્યાઓના નિવારણ માટે કેટલાક નોંધપાત્ર કામો કર્યા હતા, અને તેમની અનુભવી તથા વહીવટી કુશળતાનો લાભ આખા જિલ્લાને મળશે, અને પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સાથે મળીને જામનગર શહેર તથા જિલ્લાની દાયકાઓથી ચાલતી રહેલી જીદ્દી સમસ્યાઓ ઉકેલશે, એટલું જ નહીં, શહેર અને જિલ્લાની જનતાઓની અપેક્ષાઓ સંતોષવા માટે જિલ્લા તંત્ર અને રાજ્ય-કેન્દ્ર સરકાર વચ્ચે કડીરૂપ કામ કરશે, તેવી આશા રાખીએ...
જો કે, જામનગર શહેરની કેટલીક નવી સમસ્યાઓનો નિવેડો લાવવા અત્યારે જે હિલચાલ થઈ રહી છે, તેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધીના કેટલાક વિભાગોના સંકલનની જરૂર પડવાની હોવાથી તેમાં પણ ખરાડીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેવાની છે. તેઓ આખા જિલ્લાના પ્રભારી હોવાથી જિલ્લાના મુખ્યમથક એવા જામનગરની સમસ્યાઆો અને સુવિધાઓમાં પણ લક્ષ્ય આપશે અને ભૂતકાળમાં શહેરમાં જે રીતે સુધારા-વધારા કરાવ્યા હતા, તેવી જ રીતે જિલ્લાના પ્રભારી તરીકે પણ સમગ્ર જિલ્લામાં સરકાર સાથેના સંકલનની જરૂર હોય ત્યાં કડીરૂપ ભૂમિકા પણ બજાવશે અને શહેર તથા જિલ્લા તંત્રના પથદર્શક પણ બનશે, તેવી નગરજનોને અપેક્ષા છે.
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારના ડિમોલીશનના મુદ્દે તો સંસદસભ્ય પૂનમબેન માડમે હાલ તુરત ડિમોલીશન નહીં થાય, અને રેલવેતંત્ર માત્ર જરૂર પૂરતા ડિમોલીશન માટે પણ રેલવેની જમીન પર જ હોય તેવા દબાણોને ત્યાં રહેતા લોકોને પૂરતી મુદ્દત આપીને હટાવવાની નોટિસ સંબંધિત કાયદા-કલમની સંદર્ભ સાથે આપે, તે પ્રકારની તંત્ર સાથે થયેલી વાતચીતની વિગતો બહાર આવ્યા પછી હાલ તુરત એ મામલો ઠંડો પડયો હોય, તેવું લાગે છે, પરંતુ આ તમામ બાબતે માત્ર જામનગર નહીં, પરંતુ આખા સંસદીય મત-વિસ્તારમાં આ જ પ્રકારની કાળજી રેલવે તંત્ર રાખશે, તેવી જે વાત થઈ રહી છે, તેના ફોલો-અપમાં પણ સ્વાભાવિક રીતે જ જિલ્લા તંત્ર, મ્યુનિ.કમિશનરની સાથે સાથે ગાંધીનગર દિલ્હી સુધી સંબંધિત મંત્રાલયો સાથે સંકલન કરવાની કડીરૂપ કામગીરી પણ પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવ અંગત રસ લઈને નિભાવશે, તેવી હાલારના નગરજનો અપેક્ષા રાખી રહ્યા છે.
જામનગરની ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોરનો ત્રાસ, કરડતા રખડુ કૂતરા, નહીંવત પાર્કિંગ સુવિધા, સ્ટ્રીટ વેન્ડર્સ માટે વોર્ડવાર ચોક્કસ સ્થળો નક્કી કરીને તેની ટ્રાન્સપરન્ટ અને ઝડપી ફાળવણી, શહેરમાં જે જાહેર સંકુલો, ચોકડીઓ કે સર્કલો પાસે ટ્રાફિક વધી ગયો છે અને અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે, ત્યાં કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ટ્રાફિક પોઈન્ટ, ચોકીઓ અને પેટ્રોલીંગ વધારવા તથા માત્ર ટ્રાફિક મદદનીશો (સહાયકો)થી કામ ચલાવવાના બદલે નાના-મોટા દરેક સ્થળે ટ્રાફિક સહાયકોની સાથે જવાબદાર ટ્રાફિક કોન્સ્ટેબલો-અધિકારીઓ નિમવા સહિતના પડકારો છે, જેમાં, ભલે આખા જિલ્લા માટે નિમાયા હોય, પરંતુ જિલ્લાના મુખ્યમથકમાં ભૂતકાળમાં કરેલી કામગીરી તથા અનુભવના આધારે કડીરૂપ ભૂમિકા ખરાડી સાહેબ અદા કરશે, તેવી આશા પણ સ્વાભાવિક રીતે જ નગરજનો રાખી રહ્યા છે.
જામનગરના હનુમાન ટેકરી આજુબાજુ ડિમોલીશનનો મુદ્દો તો હાલ તુરત સ્થગિત થયો છે અને તેનો દડો સાંસદ, જિલ્લાતંત્ર અને રેલવે વિભાગના મેદાનમાં છે, પરંતુ એક નવી ઉદ્ભવેલી સંભવિત સમસ્યા સામે પણ અત્યારથી જનતામાંથી જે વિરોધ ઉઠી રહ્યો છે, તેને પણ અવગણવા જેવો નથી, કારણ કે એ સંભવિત સમસ્યા સાથે તો સેંકડો શ્રદ્ધાળુઓની ભાવના અને સંવેદનાઓ સંકળાયેલ છે.
બન્યું છે એવું કે જામનગરની મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કર્યું અને તેમાં સરકારી રોડ પર બાલા હનુમાન મંદિરનો ગેઈટ ઊભો કરવાની વાત થઈ. કોઈપણ મંદિરનો સુશોભિત ગેઈટ ઊભો થાય, તેની સામે કોઈને વાંધો જ હોય નહીં, પરંતુ આ ગેઈટ ઊભો કરવા જતા કોઈ અન્ય મંદિર કે નગરજનોની સુવિધા ખુંચવાઈ જાય નહીં, તે જોવાની જવાબદારી પણ સંલગ્ન સંસ્થાઓ અને મ્યુનિ. તંત્રની જ ગણાય, અને આ કિસ્સામાં પણ બાલા હનુમાનજી મંદિરની નજીકમાં આવેલા સત્યનારાયણ મંદિરની અવર-જવરની સુવિધા અવરોધાય અને બાલા હનુમાન માટે સરકારી અથવા મહાનગરપાલિકાની જમીનમાં ગેઈટ ઊભો થાય, તો સત્યનારાયણ મંદિર તરફ જતી ચાલ બંધ થઈ જાય તેમ હોવાની રજૂઆત પહેલા એ મંદિરના મુખ્યાજીએ લેખિતમાં કરી હતી. તે પછી ૧૦૮ જેટલા શ્રદ્ધાળુઓએ પણ આ મંદિરો પાસે આવેલા પુસ્તકાલયથી સત્યનારાયણ મંદિર સુધીનો રસ્તો તદ્દન ખુલ્લો રાખવાની લેખિત રજૂઆતો કરી છે.
ઉલ્લેખનિય છે કે મહાનગરપાલિકાના બજેટ પછી અપાયેલી વિગતો મુજબ બાલા હનુમાન મંદિર પાસે સ્વચ્છતા જળવાય અને ભિક્ષાવૃત્તિ કરતા લોકોનો જમાવડો થતો અટકે તેવો હેતુ જાહેર કરીને બાલા હનુમાનનો દરવાજો મનપાની સરકારી જમીન પર ઊભો કરવાનું જણાવાયું હતુ, અને ત્યાં ટૂ-વે તથા ગાર્ડન જેવી સુવીધા ઊભી કરવાનું જાહેર કરાયું હતું.
તે પછી સત્યનારાયણ મંદિરના ભાવિકો, મુખ્યાજી તથા તેની આજુબાજુના રહીશો વગેરેએ રજૂઆત કરી હતી કે આ પ્રકારની કાર્યવાહી અમલી બનશે તો સત્યનારાયણ મંદિર તરફ જવાની ચાલ સદંતર બંધ થઈ જશે, આ અંગે હવે ૧૦૮ વૈષ્ણવોએ ઈન્ડિવિઝયુલ (વ્યક્તિગત રીતે) પણ અરજીઓ કરીને આ પ્રકારે સત્યનારાયણ મંદિરની અવર-જવરની સુવિધા કે ચાલ બંધ થઈ જાય, તેવો પ્રોજેકટ પડતો મૂકવા અને લાયબ્રેરીથી સત્યનારાયણ મંદિરનો માર્ગ તદ્દન ખુલ્લો રાખવાની માંગણી કરી છે. આ મુદ્દે મ્યુનિ. તંત્ર પણ સંવેદના સભર રીતે સહાનુભૂતિપૂર્વક વિચારી રહ્યું હોવાના સંકેતો પણ મળી રહ્યા છે. તો બીજી તરફ વૈષ્ણવોની આ રજૂઆતો ધ્યાને નહીં લેવાય, તો અદાલતના દ્વાર ખખડાવવાની તૈયારી પણ હોવાની થતી ચર્ચા વચ્ચે વૈષ્ણવોને આ મુદ્દે પણ ખરાડી સાહેબના જૂના અનુભવો કામ લાગશે, તેવી આશા જાગી છે. જોઈએ, શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણું ગરવુ ગુજરાત માત્ર વ્યાપાર, ઉદ્યોગ જ નહીં, પરંતુ કલા, સંસ્કૃતિ અને અદ્યતન ટેકનોલોજી માટે પણ ગ્લોબલ ગરિમા ધરાવે છે. અને પ્રાચીન કાળ સુધી અર્વાચીન યુગ સુધીના ઈતિહાસમાં પણ ગુજરાતના નરબંકાઓ તથા નારીરત્નોની સુવર્ણ અક્ષરે નોંધ લેવાઈ છે...આકાશથી પાતાળ સુધી અને ગામડાથી ગ્લોબ સુધી ગુજરાતનો ડંકો વાગે છે. જેમાં ખેલજગતનું ક્ષેત્ર પણ બાકાત નથી. ગઈકાલે ભારત-પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડકપની લીગ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભવ્ય વિજય થયો તેમાં પણ ગુજરાતના ત્રણ બોલરોનો પણ સિંહફાળો રહ્યો છે. ઈશાન કિશનની ધૂંવાધાર બેટીંગથી ભારતીય ટીમ ૧૭૫ રન સુધી પહોંચી શકી હતી, પરંતુ પાકિસ્તાનને પૂરા સવાસો રન પણ થવા દીધા નહીં, તેમાં હાર્દિક પંડયા, જસપ્રીત બૂમરાહ અને અક્ષર પટેલ જેવા ત્રણ ગુજ્જુ ક્રિકેટરો સહિત તમામ છ બોલરોનો ફાળો રહ્યો હતો. બોલરોએ એવો તરખાટ મચાવ્યો હતો કે પાકિસ્તાનના બેટધરો ઘુંટણીએ પડી ગયા હતા અને ૧૦ ઓવર પછી તો ધીમે ધીમે મેચ એક તરફી જ થઈ ગઈ હતી. અને અંતે ભારતનો મોટી લીડથી વિજય થયો હતો. જેના વધામણાં જામનગર અને ગુજરાત સહિત દેશભરના ક્રિકેટ રસિયાઓએ કર્યા હતા.
કોઈપણ ટૂર્નામેન્ટમાં ફાયનલ મેચ કરતા યે વધુ રોમાંચ ભારત-પાકિસ્તાન વચ્ચેની લીગ મેચમાં પણ હોય છે, તેમાં પણ ઓપરેશન સિંદૂર પછી આંતરરાષ્ટ્રીય નીતિ-નિયમોના કારણે પાકિસ્તાન સાથે તટસ્થ સ્થળે મેચ રમવા છતાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાક.ના ખેલાડીઓ સાથે હાથ મિલાવતા નથી અને પાકિસ્તાનની સરકારના આતંકવાદીઓનું પાલન-પોષણ કરવાની મનોવૃત્તિનો વિરોધ પ્રતિકાત્મક રીતે દર્શાવે છે. જો કે, ભારત અત્યાર સુધીની નવ મેચોમાંથી વર્તમાન ટી-૨૦ વર્લ્ડકપમાં જ આઠ લીગ મેચો જીત્યું છે, જયારે પાકિસ્તાન એકાદ મેચ જ જીત્યું છે, જો કે, જ્યારે દેશની ટીમ રમતી હોય, ત્યારે કોઈપણ ખેલાડી કોઈ પ્રાન્ત કે વિસ્તારનો નહીં, પણ આખા દેશનો જ કહેવાય. પરંતુ જ્યારે ગુજરાતના કોઈપણ ખેલાડી દેશનું ગૌરવ વધારે, ત્યારે ગરવા ગુજરાતીઓની છાતી પણ ગજ ગજ ફૂલે જ ને ?
ગુજરાતીઓ સામાન્ય રીતે તો વ્યાપારી ગણાય છે અને વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે પણ અત્યારે ગ્લોબલ ઈન્ડસ્ટ્રાલિસ્ટોની અગ્રીમ હરોળમાં પણ ગુજરાતી ઉદ્યોગપતિઓ તથા બિઝનેસમેનો આજે પણ છે, અને ભૂતકાળમાં પણ હતા. તે ઉપરાંત કનૈયાલાલથી માણેકલાલ મુનશી જેવા નવલકથાકાર, સાહિત્યકાર, ઈતિહાસવિદ્દ, શિક્ષણવિદ્દ અને સ્વાતંત્ર્ય સેનાની તથા આઝાદી પહેલા અને પછી દેશના દિગ્ગજ નેતા તેમજ બંધારણસભાના સભ્ય હોય કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, તે બધા ગરિમામય દિગ્ગજ ગુજરાતી દેશભક્ત નેતાઓ જ હતા ને ?
ગુજરાતીઓનો દબદબો ખેલના મેદાનથી દિલ્હી અને વોશિંગ્ટન જ નહીં, વિશ્વના અનેક દેશો સુધી ફેલાયેલો છે અને ગુજરાતની ગ્લોબલ ઈમેજ પણ ગૌરવવંતી છે, જેને જાળવી રાખવાની જવાબદારી પણ બધા ગુજરાતીઓની જ છે ને ?
સિક્કાની બીજી બાજુ પણ છે. દેશના કેટલાક કૂખ્યાત દાણચોરો પણ ગુજરાતમાંથી પાક્યા હતા અને દેશવ્યાપી કે આંતરરાષ્ટ્રીય કક્ષાના કેટલાક ગેરકાનૂની ગોરખધંધા તથા મસમોટા કૌભાંડોમાં પણ કેટલાક કૂખ્યાત લોકો ગુજરાત સાથે સંકળાયેલા હતા. અર્થનીતિ હોય કે રાજનીતિ હોય, દેશનું ક્ષેત્ર હોય કે વૈશ્વિક કાર્યક્ષેત્ર હોય, ગરિમામય ઝળહળતી સિદ્ધિઓ કે ખ્યાતિ મેળવનાર ગુજરાતીઓનું ગૌરવગાન હંમેશાં થતું રહ્યું છે, પરંતુ તેમાં ચંદ્રમામાં દેખાતી કાલિમા જેવા ગોરખધંધા કરનારાઓ ઝાંખપ લગાડતા રહ્યા છે.
પ્રેસ મીડિયામાં હમણાંથી એનસીઆરબીની "ક્રાઈમ ઈન ઈન્ડિયા" નામની પુસ્તિકાની ચર્ચા થઈ રહી છે અને તેમાં રાજ્યવાર ગુનાખોરીના વિવરણ સાથે વર્ષોથી વિવિધ આંકડાઓ અપાતા હોય છે. તે ઉપરાંત રાજ્યના ગૃહવિભાગમાં પણ રાજ્યમાં ક્રાઈમની સ્થિતિ તથા તેના નિયંત્રણની સમીક્ષાઓ થતી રહેતી હોય છે. ગુજરાતમાં નોંધાતો ક્રાઈમ અને હકીકતે થતી ગુનાખોરીની ચર્ચા અલગથી કરવા જેવી છે, પરંતુ રાજ્યમાં હમણાંથી સાયબર-ક્રાઈમની વધતી જતી ઘટનાઓ ચિંતાજનક જણાય છે, તે ઉપરાંત દગાખોરી, વિશ્વાસઘાત તથા ખંડણીખોરીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, જે આપણા ગરવા ગુજરાતના સંસ્કાર કે સંસ્કૃતિને અનુરૂપ તો નથી જ, પરંતુ આપણા દેશની ગરિમા માટે પણ લાંછનરૂપ જ ગણાય. આ અંગે તમામ ગુજરાતીઓએ જાગવું જ પડે તેમ છે, જેનું નેતૃત્વ દિગ્ગજ ગુજરાતીઓએ કરવું જ જોઈએ.
ગઈકાલે એક તરફ મહાશિવરાત્રિની ઉજવણીનો અનેરો ઉત્સાહ હતો તો બીજી તરફ પાકિસ્તાન સામે ભારતની ટીમે ટી-૨૦ વર્લ્ડકપની લીગ મેચમાં મેળવેલા વિજયનો આનંદ પણ છલકાઈ રહ્યો હતો. આ કારણે જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમા ખુશીનો માહોલ હતો, અને આ માહોલની વચ્ચે દેશ-દુનિયાની પ્રવર્તમાન સ્થિતિની ચર્ચાઓ તથા ઉદ્ભવતી લોકલાગણીઓ જે રીતે પડઘાતી હતી, તે જોતાં એવું લાગતું હતું કે ગરવા ગુજરાતીઓ વિજયાનંદ અને ઉત્સવોની ઉત્સાહથી ઉજવણીઓને પણ માણી શકે છે, અને સાંપ્રત સમયની વિટંબણાઓ, સમસ્યાઓ તથા મુશ્કેલીઓને પચાવી પણ જાણે છે, જે જામનગરમાં કેટલાક વિસ્તારોમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ, તેની સામે થયેલો ઉહાપોહ અને આજની સાંસદબેનની તંત્રવાહકો-હિતધારકો સાથેની સૂચિત મિટિંગ સહિતના ઘટનાક્રમોમાંથી ફલિત થાય છે.
મહાશિવરાત્રિના દિવસે મહાવિજયના પ્રતિભાવો સાથે પાકિસ્તાન સામેના વિજયના વધામણાં કરવામાં સાધુ-સંતોનો એક વર્ગ પણ સામેલ થયો હતો, જે વિશેષતા હતી. નગરમાં મહાશિવરાત્રિના પર્વે થોડી વિટંબણા તથા ઘટનાક્રમ ટોક ઓફ ધ ટાઉન બન્યો, તો આજે બધાની નજર હનુમાન ટેકરી વિસ્તારના સૂચિત ડિમોલિશનના મુદ્દે યોજાનારી મોટી મિટિંગ પર હોવાથી તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
મહાશિવરાત્રિ અને ક્રિકેટ જંગના થયેલા વિજયની ઉજવણી પછી હવે આજથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના સત્રના કારણે તથા રાજયના બજેટના અનુસંધાને થતી ચર્ચા પણ થઈ રહી છે, તો, મહાશિવરાત્રિના પર્વની ઉજવણીનો નાદ હજુ પણ બધાના કાનોમાં ગુંજી રહ્યો હશે. શિવજી સૌને સદ્બુદ્ધિ, સમજણ અને શક્તિ આપે, અને જે કાંઈ વિટંબણાઓ અને વિવાદો છે, તે શાંતિપૂર્વક ઉકેલાઈ જાય, તેવું ઈચ્છીએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણી દરેકની જિંદગીમાં ઘણાં એવા પ્રસંગો આવતા હોય છે કે તેમાં હસવુ, રડવુ, દુઃખી થવું કે આનંદિત થવું, હરખાવું કે ગભરાવું, તેની ગુંચવણો ઊભી થઈ જતી હોય છે. દૃષ્ટાંત તરીકે દીકરી સાસરે જાય, ત્યારે માતા-પિતા પરિવારને વિદાયનું દુઃખ થતુ હોય છે, તો પુત્રીને સારા ઘરે વળાવ્યા પછી તેનો સંસાર સુખી થાય, તેવી શુભકામનાઓ સાથે મનોમન આનંદ પણ થતો હોય છે. પરિવારમાં વહુ કે દીકરીને સારા દિવસો રહ્યા હોય, તો સ્વાભાવિક રીતે જ પરિવાર ખુશખુશાલ થઈ જતો હોય છે, તો પ્રસૂતિ થતાં સુધી માતા અને ગર્ભસ્થ શિશુની સારસંભાળ અને આરોગ્યના જતનને લઈને ચિંતા પણ થતી હોય છે.
કોઈ નોકરી શોધતા શિક્ષિત યુવક કે યુવતીને ઈન્ટરવ્યૂ કોલ આવે, તો ખુશીનો પાર રહેતો નથી. પરંતુ તેની સાથે જ ઈન્ટરવ્યૂ પાસ કરવાનું ટેન્શન પણ સહજપણે જ અનુભવાતુ હોય છે. આ જ થિયરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજનીતિને પણ લાગુ પડે છે., અને કેટલાક ઘટનાક્રમો એવા હોય છે, જેમાં "થોભો અને રાહ જુઓ"ની નીતિ પણ અપનાવાતી હોય છે.
હમણાંથી ટ્રમ્પ ટેરિફની વિશ્વકક્ષાએ કાયમી ધોરણે ચર્ચા થતી રહે છે અને ટ્રમ્પનું મગજ ક્યારે ફરે અને ક્યારે શું કરશે કે બોલશે તેનો કોઈનેય અંદાજ હોતો નથી. ટ્રમ્પ સાથે ટ્રેડ ડીલ થઈ તેની શાસકપક્ષો વાહવાહી કરી રહ્યા અને વિપક્ષો આલોચના કરી રહ્યા છે, તટસ્થ વૈશ્વિક રાજકીય ક્ષેત્રના વિશ્લેષકો કહે છે કે હજુ કાંઈ કહી શકાય નહીં, અને આ ટ્રેડ ડીલથી ભારતે બહુ હરખાવા જેવું નથી કારણ કે અમેરિકાએ "ફૂદડી" વાળી જે ઓપન સિક્રેટ જેવી શરતો રાખી છે, તેની કેવી રીતે હકારાત્મક કે નકારાત્મક અસરો થાય છે, તેની વાટ જોવી પડે તેમ છે, જેથી જસ્ટ વેઈટ એન્ડ વોચ...
બીજી તરફ આ ટ્રેડ ડીલને લઈને બહુ ગભરાવા જેવું પણ નથી, કારણ કે ટ્રમ્પે ૫૦ ટકા જેટલો ઊંચો ટેરિફ ઝીંકી દીધો હતો, તેમાં તો ઘણી જ મોટી રાહત થઈ છે. જો કે, ફેકટ લિસ્ટ જાહેર થયા પછી ચિત્ર થોડું-ઘણું સાફ જરૂર થયું છે, છતાં જાણકારો અને તટસ્થ તજજ્ઞો માને છે કે હજુ તો શરૂઆત છે, અને હાલમાં કોઈ ચોક્કસ અભિપ્રાય પર પહોંચવું યોગ્ય ગણાય નહીં, જસ્ટ વેઈટ એન્ડ વોચ...
ગઈકાલે આપણા પડોશી દેશ બાંગલાદેશની સંસદની સામાન્ય ચૂંટણીના પરિણામો આવ્યા અને બીએનપીને બમ્પર વિજય મળ્યો. આ સાથે જ બાંગલાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મરહુમ ખાલીદા જીયાના પુત્ર તારિક રહેમાનને ત્યાંની જનતાએ બાંગલાદેશની હાલક-ડોલક સ્થિતિને સંભાળવાની તક આપી અને સાથે સાથે જુલાઈ ચાર્ટરની તરફેણમાં ત્યાંનો જનમત હોવાથી હવે ત્યાંનુ બંધારણ સુધરશે, તથા વડાપ્રધાન કરતા ત્યાંના રાષ્ટ્રપતિ પાસે વધુ સત્તાઓ હશે, તેથી જ બાંગલાદેશના રાજકીય ભવિષ્ય અંગે અત્યારથી તો માત્ર અટકળો જ થઈ શકે છે, અને વૈશ્વિક રાજનીતિમાં તજજ્ઞો કહે છે કે જમાતનો પરાજય થયો, તે બાંગલાદેશ અને પડોશી દેશો માટે રાહતરૂપ ગણાય, બાકી તો "નિવડે વખાણ થાય" એટલે કે "જસ્ટ વેઈટ એન્ડ વોચ..."
આપણાં દેશના પ્રેસ-મીડિયામાં તો મિશ્ર પ્રત્યાઘાતો પડયા છે અને તારિક રહેમાન વડાપ્રધાન થાય, તો ભારત સાથે બહુ ગાઢ સંબંધો નહીં રાખે, પણ તદ્દન સંબંધો બગાડશે પણ નહીં, તેવા તારણો નીકળી રહ્યા છે, પરંતુ વિદેશના પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયામાં ભિન્ન-ભિન્ન અભિપ્રાયો ચર્ચાઈ રહ્યા છે, જેને પણ લક્ષ્યમાં લેવા જોઈએ.
બ્લૂમબર્ગના અભિપ્રાય મુજબ શેખ હસીનાને કેન્દ્રમાં રાખીને જ ભારતે બાંગલાદેશ સાથે રાજનૈતિક અને રણનૈતિક સંબંધો વિકસાવ્યા, તેને એક ગંભીર ભૂલ ગણવામાં આવી રહી છે. જો કે, બ્લૂમબર્ગે પણ એવો જ અભિપ્રાય આપ્યો છે કે બાંગલાદેશમાં જે નવી સરકાર હશે, તે તદ્દન ભારત વિરોધી પણ નહીં હોય, અને એકદમ ચીન તરફી પણ નહીં હોય, હવે તારિક રહેમાનનું વલણ કેવુું રહે છે, તે જોવાનું રહે છે.
આંતરરાષ્ટ્રીય બાબતોના ભારતના તટસ્થ વિશ્લેષકોના તારણો એવા છે કે બાંગલાદેશમાં તારિક રહેમાનની સરકાર આવે, તેમા ભારતે બહુ હરખાવા જેવું નથી, કારણ કે ભારતે મરહૂમ ખાલીદા જીયાના ઘોરવિરોધી શેખ હસીનાને રાજ્યાશ્રય પણ આપ્યો છે, અને છેલ્લા ઘણાં વર્ષોથી ભારતની બાંગલાદેશ સંદર્ભે વિદેશનીતિ પણ શેખ હસીનાની આજુબાજુ જ કેન્દ્રીત હતી, તેથી બીએનપીના નેતાઓ એટલી સરળતાથી ભારત સાથે સંબંધો ગાઢ બનાવવા ઉત્સુક નહીં હોય, બીજી તરફ એટલું બધું ગુંચવાઈ જવા કે આશંકિત થવાની પણ જરૂર નથી, કારણ કે બાંગલાદેશ ઘણી રીતે ભારત પર નિર્ભર છે, અને ભૌગોલિક, આર્થિક અને સાંસ્કૃતિક રીતે સદીઓ જુના પબ્લિક-ટુ-પબ્લિક કોન્સેપ્ટ હોવાથી બાંગલાદેશની કોઈપણ સરકાર હોય, તો પણ ભારત સાથે ખુલ્લી દુશ્મની તો રાખી શકે તેમ જ નથી, તેથી ભારત-બાંગલાદેશના સંબંધો કેવા હશે, તે નવી સરકારના વલણ પર આધાર રાખશે, જેથી જસ્ટ વેઈટ એન્ડ વોચ...
ટાઈમ મેગેઝિન, ધ ગાર્ડિયન, વૈશ્વિક થિન્ક ટેન્કની સોશ્યલ મીડિયા પર આવેલી પ્રતિક્રિયાઓ બીબીસી અને અન્ય વિદેશી ચેનલો-અખબારોમાં તારિક રહેમાનની નેતૃત્વ ક્ષમતા, ભારતની રણનીતિ તથા શેખ-જીયા પરિવારો વચ્ચેના પરંપરાગત તંગ સંબંધો વગેરેને સાંકળીને જે અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે, તેનો નીચોડ પણ એવો જ નીકળે છે કે હજુ ભારતે હરખાવા કે અકળાવા જેવું નથી, બાંગલાદેશમાં નવી સરકાર રચાય, રાષ્ટ્રપતિની સત્તાઓ વધે કે વડાપ્રધાનનું વર્ચસ્વ વધે, તે પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે, ત્યાં સુધી "જસ્ટ વેઈટ એન્ડ વોચ..."
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણી સંસ્કૃતિમાં વિશ્વાસઘાતને મોટું પાપ માનવામાં આવ્યું છે અને 'વિશ્વાસે વહાણ ચાલે'ની વિભાવના પણ પ્રચલિત છે, પરંતુ અત્યારે હળહળતો કળીયુગ આવ્યો છે. ઘણાં એવા બનાવો બને છે, જેમાં માલ-મિલકત કે ભાયુભાગના વિવાદમાં મારામારી, હિંસા કે હત્યાઓ કરી નાખવામાં આવે છે. આપણાં જ દેશમાં સત્કાર્યો માટે મોટી સખાવતો કે જમીનો દાન કરનારા લોકો પણ છે, અને સંપત્તિ અને જમીનો પડાવી લેનારા નિર્દય લોકો પણ છે.
જમીન-મિલકતના ઝઘડા કે સંઘર્ષ તો પ્રત્યક્ષ હોય છે, અને તે સરાજાહેર તથા દુનિયા જોઈ શકે, તેવી રીતે ખુલ્લેઆમ થતા હોય છે, પરંતુ ઘણાં કિસ્સાઓ એવા બને છે, જેમાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને, છેતરપિંડીથી કે પછી વિશ્વાસ મૂકીને સોંપેલા નાણાકીય વહીવટના અધિકારો અથવા પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરીને પોતાના જ સ્વજન, કુટુંબીજન, સ્નેહીજન કે શેઠિયા, માલિકો કે નોકરીદાતા પેઢી-કંપની સાથે ફ્રોડ આચરવામાં આવે છે, અને સ્થાવર કે જંગમ મિલકતો કે જંગી રકમ પચાવી પાડવાના કાવત્રા રચાતા હોય છે.
આપણી સંસ્કૃતિમાં બહેનની રક્ષા માટે કે બહેનની માલ-મિલકતની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને અડિખમ રક્ષક બનતા ભાઈઓના ઘણાં દૃષ્ટાંતો છે, અને જીવના જોખમે ભગિનિના રક્ષક ભાઈઓ, પોતાના ભાઈ-ભાંડુના હિતો માટે ગમે તેવો ત્યાગ કરવા તત્પર રહેતા ભાંડરણાઓ અને માતા-પિતા કે વડીલોના આદર-સન્માન માટે હંમેશાં તત્પર રહેતા સંતાનોના ઘણાં પ્રેરક દૃષ્ટાંતો મોજુદ છે, અને ઈતિહાસના પાને સૂવર્ણ અક્ષરે લખાયેલા છે, પરંતુ હવે બદલાતા સમય સાથે આ બધી જ પારિવારિક ભાવનાઓ સાથે સાંસ્કૃતિક મૂલ્યો પણ ખતમ થવા લાગ્યા છે. હવે તો પીઠમાં છૂરી ભોંકીને હત્યા જેવી ગણી શકાય તેવી છેતરપિંડીઓ પણ થવા લાગી છે, જે મિલકતની તકરારો કરતાયે વધુ ભયંકર અને શરમજનક હોય છે.
અત્યારે વડીલો અને વૃદ્ધોની અજ્ઞાનતા, અલ્પશિક્ષણ કે અતિશય વિશ્વાસનો ફાયદો ઊઠાવીને કે પછી તેને પ્રતાદિત કરીને કે દબાવીને સહીઓ કરાવીને જમીન-મિલકત પચાવી લેતા સંતાનો કે પરિવારજનોના દૃષ્ટાંતો વધી રહ્યા છે, તો કોઈ બહેને મૂકેલા વિશ્વાસનો ઘાત કરીને. ભાઈ કે બહેન દ્વારા જમીન-મિલકત પડાવી લેવાના કિસ્સા પણ છાપે ચડી રહ્યા છે, તે જોતા આને હળહળતા કળીયુગની અસર ગણવી કે બદલાતી માનસિક્તાઓ અને ભૌતિકવાદની ગ્લોબલ ઈફેક્ટ ગણવી તે સમજાતું નથી.
આવી છેતરપિંડી કે વિશ્વાસઘાત માત્ર પરિવારજનો કે સંતાનો જ કરે છે, તેવું નથી, હવે તો મિત્રો અને બિઝનેસ પાર્ટનરોથી આગળ વધીને કેટલીક વિશ્વસનિય ગણાતી સંસ્થાઓ, ટ્રસ્ટો તથા જેનામાં વિશ્વાસ મૂકીને અત્યારે ડિજિટલ વિનિમયની સિસ્ટમો વિકસી રહી છે, તે બેન્કીંગ ક્ષેત્રો પણ એવી યુક્તિઓ અજમાવી રહી છે, જેને 'કાયદેસરનો વિશ્વાસઘાત' જ કહી શકાય.
છેલ્લા બે દિવસથી જે વિષય ટોક ઓફ ધ નેશન બન્યો છે, તે છે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં કેટલાક રિફોર્મ્સ માટે થઈ રહેલી કવાયત...
સોશિયલ મીડિયા અને પ્રેસ-મીડિયામાં આ મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. કસ્ટમરોને ખોટી લાલચ આપીને અથવા કોઈ લોન કે પ્રોસિઝરની મંજુરી માટે ફરજિયાત ગણાવીને, સિનિયર સિટીઝનોની એફ.ડી. સાથે લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાનને ફરજિયાત કે ફાયદાકારક ગણાવીને, જોખમી રોકાણો કે મ્યુચ્યુઅલ ફંડની સુરક્ષાના નામે, બેંક લોકર માટે કે સરળ સર્વિસના નામે કેટલીક બેંકો લિન્ક્ડ ઈન્સ્યોરન્સ એટલે કે વીમો વેંચે છે, જેને બેન્કીંગ લીગલ ભાષામાં મસ સેલીંગ કહે છે. આ પ્રકારે કસ્ટમરોનો વિશ્વાસ જીતીને અથવા ખોટી-સાચી લાલચોમાં ભરમાવીને તેઓની સહીઓ મેળવીને કેટલીક બેંકો એવા લેખિત કરાર કરાવી લ્યે છે, જેમાં ઊંચા પ્રિમિયરવાળો વીમો (ઈન્સ્યોરન્સ) સંકળાયેલો હોય છે, અને કેટલાક તોતિંગ ફંડની ચાર્જીસ વસૂલવાની જોગવાઈઓ પણ હોય છે, જ્યારે આ પ્રકારની મીસ સેલીંગની ફરિયાદ આવે કે પકડાય છે, ત્યારે કસ્ટમરની લેખિત સહી લીધી છે, સંમતિ લીધી છે અથવા કસ્ટમરે સ્વયં કરાર કર્યો છે, વિગેરે બહાના કરીને બેંકો જવાબદારીમાંથી છટકી જતી હોય છે.
રિઝર્વ બેંક હવે આ નિયમોને કડક બનાવીને કે નવા નિયમો ઘડીને આ રીતે મીસ સેલીંગની બેફામ અને 'કાયદેસરની છેતરપિંડી' અટકાવવાની કવાયત હાથ ધરી હોવાનું કહેવાય છે.
સરળ ભાષામાં કહીએ તો બેંકોમાંથી કોઈપણ સર્વિસ કે યોજનાકીય લાભો અથવા બચત કે રોકાણ કરવાની પ્રક્રિયા સાથે સાંકળીને મોંઘીદાટ વીમા પોલિસીઓ વેંચવાની બદી કાયદેસર ગણાવીને કેટલીક બેન્કીંગ સંસ્થાઓ દ્વારા જ ચાલી રહી છે, અને તેના માટે બેંકોના એજન્ટો, બેંકકર્મીઓ તથા 'બેંક તમારા આંગણે' જેવા સોહામણા ટાઈટલ્સ હેઠળ હોમ સર્વિસ આપવાના દાવાઓ હેઠળ કાર્યરત ફિલ્ડના બેન્કીંગ કર્મચારીઓને તગડું કમિશન આપવામાં આવતું હોય છે, જેની સામે સામાન્ય જનતા (કસ્ટમર્સ) ને રક્ષણ આપવા રિઝર્વ બેંક કડક કાનૂનો તૈયાર કરી રહી હોય તો તે આવકારદાયક પણ છે અને અનિવાર્ય પણ છે.
નવા નિયમોમાં મીસ સેલીંગની ચોક્કસ વ્યાખ્યા કરીને તેના પર સંપૂર્ણ અંકુશની જગવાઈઓ થશે, અને આ માટે વીમા પોલિસીના વેંચાણમાં કોઈપણ બેંકકર્મી કે એજન્ટ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા ન હોય, લોન કે લોકર માટે વીમો કે કોઈપણ પ્રોડક્ટ્સ ખરીદવાનું દબાણ ન થાય, થર્ડ પાર્ટી (વીમા કંપનીઓ વિગેરે) દ્વારા બેંકર્મીઓ કે એજન્ટોને કમિશન પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે, ગ્રાહકોની સહીઓ કરાવીને થતી છેતરપિંડી પણ નાબૂદ થાય, અને લોકોનો બેન્કીંગ ક્ષેત્ર પરનો ભરોસો (ગુડ ફેઈથ) જળવાઈ રહે, તે માટેના વૈધાનિક ઉપાયો થતા હોય તેવા સુધારા (રિફોર્મ્સ) રિઝર્વ બેંક લાવી રહી હોય, તો તેને વ્યાપક જનસમર્થન મળશે, તે નક્કી છે.
મોદી સરકાર અને શાસક પક્ષો ઘણી વખત બેન્કીંગ સેવાઓના લાભો જનધન ખાતાઓ તથા બેન્કીંગ સેવાઓ છેક ગ્રામ્ય વિસ્તારો સહિત જન-સામાન્ય સુધી પહોંચાડ્યા હોવાના દાવાઓ કરતા રહે છે, તો બીજી બાજુ એ જ બેન્કીંગ ક્ષેત્રમાં કેટલીક બેંકોમાં 'ધરાર' વીમા પોલિસી જેવા પ્રોડક્ટ્સ વેંચવાને જ પ્રાધાન્ય અપાઈ રહ્યું હોવાથી સામાન્ય જનતાને એ બેંકોમાં ભેદભાવનું ભોગ બનવું પડે છે અને વીમા પ્રોડક્ટ્સ નહીં ખરીદતા કસ્ટમરોને હેરાનગતિ કે ઉપેક્ષાનો ભોગ બનવું પડે છે. આમાંથી મુક્તિ મળે અને બેન્કીંગ સેક્ટરની કેટલીક સંસ્થાઓ દ્વારા થતો આ 'કાયદેસરનો વિશ્વાસઘાત' નાબૂદ થાય, તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં અવાર-નવાર રેંકડી-પાથરણાવાળાને ટ્રાફિકને અડચણરૂપ કે લોકોની અવર-જવરમાં અવરોધરૂપ થાય, ત્યારે તેઓને હટાવવાની ઝુંબેશો ચલાવવામાં આવે છે, અને તેવી જ રીતે અન્ય શહેરોમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી થતી હોય છે, આવી ઝુંબેશો છતાં આ સમસ્યા જેમની તેમ જ રહે છે અને ફરીથી થોડા દિવસોમાં એવી જ સ્થિતિ ઊભી થઈ જતા પુનઃ ઝુંબેશ ચલાવવામાં આવે છે, અને ઘણાં સમયથી આ પ્રકારની સાયકલ ચાલતી જ રહી છે અને તેનાં કારણોનું પોષ્ટમોર્ટમ થતું રહ્યું છે. આ સમસ્યાને માત્ર ટ્રાફિક વ્યવસ્થા, દબાણ કે કાયદો-વ્યવસ્થાની જાળવણીની દૃષ્ટિ જ સમજવાના બદલે તેની પાછળની સ્ટ્રીટ વેન્ડર્સની મજબૂરી પણ સમજવી પડે અને તંત્રોની કમજોરી પણ સમજવી પડે તેમ છે, તો સ્ટ્રીટ વેન્ડર્સે પણ નિયમ-કાયદાનું પાલન કરીને જન-સામાન્યને અનુકૂળ થવું જોઈએ.
આ સમસ્યા ફરી ફરીને ઊભી થવા પાછળ ફૂટપાથો અને માર્ગો પર આડેધડ રેંકડીઓ, પથારાઓ કે કાચી કેબિનો ખડકીને તંત્રોને નહીં ગણકારતા અને નિયમ-કાયદાઓની અગવણના કરતા કેટલાક વ્યવસાયિકોના કારણે તમામ નિયમ-કાયદાનું પાલન કરતા તથા જાહેર વ્યવસ્થાઓનું ધ્યાન રાખીને પોતાનું પેટીયું રળતા મહત્તમ સામાન્ય સ્ટ્રીટ વેન્ડર્સને પણ અવારનવાર થતી કાર્યવાહીનું ભોગ બનવું પડે તેમ છે, જેથી સુકા ભેગું લીલું પણ બળતું હોવા જેવી સ્થિતિ ઊભી થઈ રહી હોવાના મંતવ્યો પણ વ્યક્ત થતાં રહેતા હોય છે.
કોઈ બીજાના ધંધા-વ્યવસાયને નુકસાન થાય, જાહેર વ્યવસ્થાઓ ખોરવાય કે લોકોને મુશ્કેલી પડે, તેવી રીતે સ્ટ્રીટ વેન્ડર્સને મનસ્વી રીતે વ્યવસાય કરવાની છૂટ આપી શકાય નહીં, તેવી જ રીતે આ પ્રકારના માત્ર કારણો બતાવીને કોઈની રોજગારી ખોટી રીતે છીનવાઈ જાય, તેવી સ્થિતિ પણ સ્વીકાર્ય ગણાય નહીં. આ કારણે અવાર-નવાર જુદા જુદા શહેરોમાં સ્ટ્રીટ વેન્ડર્સ એકટ-૨૦૧૪નો વાસ્તવિક અને ચૂસ્ત અમલ થાય, તેવી માંગણી ઉઠતી રહે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે સ્ટ્રીટ વેન્ડર્સના હક્કોના રક્ષણ તથા તેઓની રોજગારીને આરક્ષિત કરવા તથા વ્યવસાયોના સમતુલન માટેના પણ નિયમ-કાયદા ઘડાયેલા છે, જેનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તો ઘણાં વિવાદો ઉકલી જાય તેમ છે.
વર્ષ ૧૦૧૪ના સ્ટ્રીટ વેન્ડર્સ એકટ અંગેની જાણકારી કદાચ બહુ ઓછા લોકોને હશે, અને તે પછી વર્ષ ૨૦૨૨ના મોેડેલ સ્ટ્રીટ વેન્ડર્સ અધિનિયમ અથવા આજીવિકા સંરક્ષણ ઔર સ્ટ્રીટ વેડીંગ અધિનિયમ દ્વારા લારી-ગલ્લા-પથારાવાળા (સ્ટ્રીટ વેન્ડર્સ) માટે સામાજિક સુરક્ષાના કરાયેલા પ્રબંધોની ચર્ચા પણ બહુ ઓછી થાય છે. આ કાનૂનો સ્ટ્રીટ વેન્ડર્સને નિયમોને આધિન રહીને તેઓની આજીવિકા ચલાવવાનો અધિકાર આપે છે. આ મોડેલ અધિનિયમમાં "વેડીંગ ઝોન્સ"ની વ્યાખ્યા, લાયસન્સીંગ તથા સ્ટ્રીટ વેન્ડર્સનો સર્વે કરવા, અસંગઠિત વિક્રેતાઓને નિયમિત કરવા તથા લાયસન્સના હસ્તાંતર તથા સોશ્યલ ડિફેન્સ સહિતની વિસ્તૃત અને સ્પષ્ટ જોગવાઈઓ છે, અને સ્ટ્રીટ વેન્ડર્સના અધિકારો તથા કર્તવ્યો-નિયમોનું પણ સ્પષ્ટ વર્ણન છે.
સ્ટ્રીટ વેન્ડર્સ માટે પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ રૂ।. ૧૦ થી ૫૦ હજારની લોનની જોગવાઈ પણ કરવામાં આવી હોવાનો દાવો કરાય છે, જેમાં રાહતદરે વ્યાજ વસુલવામાં આવે છે.
ગુજરાતમાં સ્ટ્રીટ વેન્ડર્સના હિતોના રક્ષણ તથા વ્યવસ્થાપન માટે આ એકટની જોગવાઈ હેઠળ શહેરોમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના વગેરે કરવા ઉપરાંત સર્વેક્ષણ, સર્ટિફિકેશનની જોગવાઈઓ થઈ અને વર્ષ ૨૦૨૧-૨૨માં જાહેર રસ્તાઓ પર બિન-શાકાહારી પદાર્થો પર અંકુશ લગાવાયો, જેને અદાલતની મહોર લાગી. તે ઉપરાંત નો-વેન્ડિંગ ઝોન પણ નક્કી કરવાની જોગવાઈઓ થઈ હોવાના અહેવાલો સૂચવે છે કે ઉભયપક્ષે સમતુલન અત્યંત જરૂરી છે.
આ તમામ નિયમ-કાયદા-જોગવાઈઓનો વાસ્તવમાં હાલાર સહિતના રાજ્યના તમામ શહેરોમાં યોગ્ય અમલ થાય છે ખરો ? સ્ટ્રીટ વેન્ડર્સ માટે ચોક્કસ સ્થળો નક્કી કરીને અથવા તેઓની આજીવિકા પણ ચાલે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, તેવા કોઈ નક્કર પ્રયાસો થયા છે ખરા ? તેવા સવાલોના જવાબ મળતા હોતા નથી.
શહેરોમાં અત્યારે જાહેરમાર્ગ, ફૂટપાથો તથા શેરી-મહોલ્લાઓમાં પણ બંને તરફ હરોળબંધ વાહનો પાર્ક કરેલા જોવા મળતા હોય છે. આ કારણે વાહનોની અવર-જવર માટેની જગ્યા સીમિત થઈ જાય છે. તાજેતરમાં પટેલ કોલોની વિસ્તારમાં જ્યાં રિક્ષા અને મોટરસાયકલની ટક્કર થઈ અને રિક્ષા પલટી મારી ગઈ, તે સ્થળ હોય કે અન્ય નાના-મોટા અકસ્માતો થતા હોય, તેમાં ટ્રાફિક સેન્સનો અભાવ, બેફિકરાઈથી દોડાવાતા વાહનો તથા વધતા જતા ટ્રાફિક સામે સાંકડા થતા જતા માર્ગો ઉપરાંત જાહેર માર્ગો પર આડેધડ કરાતા પાર્કિંગને પણ જવાબદાર ગણી શકાય.
અત્યારે ઝડપી યુગમાં વાહનો પણ જીવન-જરૂરિયાતના સાધનો બન્યા છે અને દ્વિચક્રી ત્રિચક્રી વાહનો તથા ફોરવ્હીલની સંખ્યા અનેકગણી વધી રહી છે, ત્યારે શહેરોમાં પબ્લિક પાર્કિંગની એસ્ટાબ્લિશ વ્યવસ્થાઓાનો સદંતર અભાવ છે, તેથી ના છૂટકે લોકોને વાહનો સડકો પર પાર્ક કરવા પડી રહ્યા છે. ઘણી સોસાયટીઓ, શોપીંગ મોલ્સ, હોટલ-ગેસ્ટ હાઉસમાં પાર્કિંગની વ્યવસ્થા ઘણી જ સીમિત હોય છે, અથવા કોઈ વ્યવસ્થા જ હોતી નથી, તેથી પ્રસંગોપાત ત્યાં અવારનવાર થતા સામૂહિક વાહન પાર્કિંગના કારણે નવી જ સમસ્યા ઊભી થતી હોય છે. નવી સોસાયટીઓ, એપાર્ટમેન્ટ, ટાઉનશીપ કે હોટલ-સમાજવાડીઓ, ગેસ્ટ હાઉસ, શોપીંગ મોલ્સ, સુપર માર્કેટસ કે શોપીંગ કોમ્પ્લેકસ માટે તો પાર્કિંગની પૂરતી વ્યવસ્થાઓ હોય તો જ બાંધકામની મંજુરી આપવાની જોગવાઈઓનો કદાચ અમલ શરૂ થયો હશે, પરંતુ દાયકાઓથી થયેલા બાંધકામોનું શું ? તે પ્રશ્નનો જવાબ પણ કોઈ પાસે હોતો નથી.
જો સર્વેક્ષણ કરવામાં આવે તો જાહેર માર્ગો કે સર્કલો, સંકુલો પર થતા વાહન પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા અડચણરૂપ સ્થાયી સ્વરૂપે રોકાતી જગ્યા ઉપરાંત દુકાનો, રેસ્ટોરન્ટો અને શોપીંગ મોલ્સ દ્વારા ફૂટપાથ કે માર્ગો પર ખડકાતી વેચાણ માટેની વસ્તુઓ, ડિસ્પ્લે બોર્ડ, ખુરશીઓ, ફર્નિચર કે છાંયડો કરવા ઊભી કરાતી છાજલીઓ-છત્રીઓ વગેરેની પણ જાહેર વ્યવસ્થાઓ, ટ્રાફિક અને અવર-જવર જેવી સુવિધાઓ ખોરવવામાં વરવી ભૂમિકા જણાશે.
સ્ટ્રીટ વેન્ડર્સની ચોક્કસ વ્યાખ્યા જનમાનસમાં તો "ફેરિયાઓ" એવી હોય છે અને ફેરી કરીને ગુજરાન ચલાવતા લોકો કોઈ એક ચોકકસ સ્થળે નહીં, પરંતુ હરતા-ફરતા છૂટક નાનો-મોટો વ્યવસાય કરતા હોય છે. શાકભાજી, ફળો, વાસણ કપડાં કે કટલરીનો સામાન લઈને એક સ્થળેથી બીજા સ્થળે લારી લઈને કે ખભે ચડાવીને અથવા મહિલાઓ માથા પર રાખીને વેચવા નીકળે, તેવું મુળભૂત ચિત્ર સ્ટ્રીટ વેન્ડસ્નું હતું. પરંતુ હવે કોઈ ચોક્કસ સ્થળે કાયમી ધોરણે રેંકડી, ગલ્લો કે ફર્નિચર ગોઠવીને નાની નાની હાટડીઓ ઊભી થાય છે, આ પ્રકારના સ્ટ્રીટ વેન્ડર્સ માટે વોર્ડવાર કોઈ ચોક્કસ સ્થળ નક્કી કરીને ત્યાં જ ચોક્કસ જગ્યા ફાળવવાનો વિકલ્પ પણ પાલિકા-મહાપાલિકાઓ પાસે રહેતો હોય છે, અને તે પ્રકારના પ્રયોગો પણ થવા લાગ્યા છે.
આ અનિવાર્ય સમસ્યામાંથી વચલો રસ્તો કાઢીને કોઈની આજીવિકા પણ ઝુંટવાઈ જાય નહીં, અને વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, તે માટે સૌ કોઈએ જાગૃત થવું પડે તેમ છે. હમણાંથી નાની વેન, છોટા હાથી કે રિક્ષામાં જ રોડ પર નાની નાની દુકાનો ખોલીને ઊભા રહી જતાં વ્યવસાયિકોને સ્ટ્રીટ વેન્ડર ગણવા કે નહીં ? તે નવો પ્રશ્ન પણ ઊભો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આધુનિક યુગને અનુરૂપ અને જેનઝેડની અપેક્ષાઓ મુજબ ઈન્ફ્રાસ્ટ્રકચર, સુવિધાઓ અને વ્યવસ્થાઓનો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ થાય, અને તેમાં જનસહયોગ કે લોકભાગીદારીનો અભિગમ અપનાવાય, તો તેમાં કાંઈ ખોટું નથી અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટીશિપેશન (પી.પી.પી.)નું મોડેલ અપનાવીને આ પ્રકારના ઘણાં વિકાસ, નગર સુશોભન અને પરિવહન, પ્રવાસન અને પબ્લિક પ્રોટેકશનના કામો થયા પણ છે, થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ થશે. જયારે વિકાસકામોમાં જનસહયોગની વાત થઈ હતી અને વીસેક વર્ષ પહેલાં વિકાસ પ્રક્રિયામાં જનસહભાગિતા એટલે કે પબ્લિક કો-ઓર્ડિનેશન તથા પબ્લિક પાર્ટનરશીપનો કોન્સેપ્ટ અપનાવાયો હતો, ત્યારે એવું લોજિક હતું કે લોકોનો વિકાસ પ્રક્રિયા તથા એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રે સહયોગ લેવાથી અને લોકોને તેમાં સહભાગી બનાવવાથી લોકોમાં વિકાસના કામોમાં પોતીકાપણાંની ભાવના રહે છે. અને પબ્લિક અસ્કયામતો અને સુવિધાઓની યોગ્ય જાળવણીમાં પણ લોકો જાગૃત રહેશે. આ કોન્સેપ્ટ કેટલાક અંશે સફળ પણ થયો અને લોકો, તંત્ર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મળીને કામો ગણવત્તાવાળા નિર્માણ થાય, તેનો યોગ્ય નિભાવ અને દેખરેખ થાય, તથા તેને નુકસાન કે બગાડ ન થાય, તેનું ધ્યાન રાખવા લાગ્યા હતા.
સમયની સાથે આ કોન્સેપ્ટમાં "પ્રાઈવેટ" શબ્દ જોડાયો. પબ્લિક કો-ઓર્ડિનેશન તથા પબ્લિક પાર્ટિશીપેશનમાં "પ્રાઈવેટ" શબ્દ ઉમેરાયો અને તેમાંથી જ ઉદ્ભવ્યો નવો "પબ્લિક-પ્રાઈવેટ પાર્ટિશિપેશન" કોન્સેપ્ટ એટલે કે પીપીપી મોડેલ !
ઘણાં લોકો પબ્લિક-પ્રાઈવેટ પાર્ટિશિપેશનનું અર્થઘટન જાહેર અકસ્માયતો અને સેવાઓમાં ખાનગી ક્ષેત્રની સહભાગિતા તથા વિકાસ કામોમાં ખાનગી ક્ષેત્રના સહભાગી તરીકે કરે છે, તો ઘણાં લોકો આ કોન્સેપ્ટ દાયકાઓ પહેલાંથી અલગ સ્વરૂપે મોજુદ હોવાનો દાવો પણ કરે છે. આ શબ્દપ્રયોગનું અર્થઘટન ભલે જુદી-જુદી રીતે કરવામાં આવતું હોય, પરંતુ ધીમે ધીમે પીપીપી મોડેલમાં "પ્રાઈવેટ" સેકટર હાવી થઈ ગયું અને "પબ્લિક" હાંસિયામાં ધકેલાઈ ગઈ હોવાનો આભાસ પણ ઊભો થવા લાગ્યો હતો.
ગુજરાત પછી આખા દેશમાં આ પીપીપી મોેડેલ વ્યાપી ગયું. આ મોડેલ કેટલું સફળ રહ્યું અને કેટલું નિષ્ફળ ગયું, તે ચર્ચાનો વિષય બની શકે છે, પરંતુ નાના ગામડાની મુળભૂત સુવિધાઓથી લઈને દેશના મેગા પ્રોજેકટો સુધી આ મોડેલ સ્વીકૃત બન્યું છે અને કેન્દ્ર સરકારના જ નહીં, વિવિધ પક્ષો દ્વારા શાસિત રાજ્ય સરકારોમાં પણ આ મોડેલ કોઈને કોઈ સ્વરૂપે અમલમાં જ છે, અને આ કોન્સેપ્ટ હેઠળ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા પણ આ મોડેલ અપનાવાઈ રહ્યું છે, જેમાં ગુજરાત, હાલારના બંને જિલ્લા અને જામનગર શહેરનો પણ સમાવેશ થાય છે. આ મોેડેલની ખૂબીઓ અને ખામીઓ સિક્કાની બે બાજુ જેવી છે, અને બંને બાજુઓને ધ્યાને લેવી પણ અત્યંત જરૂરી છે.
ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશનમાં પીપીપી મોડેલ અથવા જાહેર-ખાનગી ભાગીદારીના ફાયદા અને ગેરફાયદાની હંમેશાં ચર્ચા થતી રહે છે. આ મોડેલ હેઠળ પ્રાઈવેટ સેકટર ઈન્વેસ્ટમેન્ટ કરે છે, અને સરકાર નિયમન અને અમલ કરે છે. ખાનગી કંપનીઓ સાથે આ માટે કરાર કરવામાં આવે છે. આ મોડેલ હેઠળ નિર્માણ થયા પછી અથવા પ્રોજેકટ પૂરો થયા પછી સંપત્તિ સરકારને સોંપી શકાય છે. હવે તો કેટલીક સેવાઓ અને ડિજિટલ વ્યવસ્થાઓ પણ પીપીપી મોડેલથી ચલાવાઈ રહી છે. ગુજરાતમાં પ્રારંભમાં જ "સ્કોપ" જીકેએસ (ગુજરાત નોલેજ સોસાયટી) તથા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પીપીપી મોડેલની પહેલ થઈ હતી.
કેન્દ્ર સરકાર વી.જી. ફંડના માધ્યમથી સામાજિક ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેકટસ માટે નિયત પ્રમાણમાં નાણાકીય સહાય પૂરી પાડે છે. આ મોડેલના અમલીકરણના અનુભવે આ મોડેલના ફાયદા-ગેરફાયદાઓ અંગે ભિન્ન-ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે અને કેટલાક પ્રોજેકટોમાં ખાનગી ક્ષેત્રનો વધુ ફાયદો થતો હોવાની ચર્ચા પણ થતી રહે છે.
જામનગરમાં પણ પીપીપી મોડેલ અંતર્ગત કેટલીક માળખાકીય સુવિધાઓ, પ્રાથમિક જરૂરિયાતો અને જનલક્ષી સેવા-સગવડોના કામો થયા છે, જે પૈકી કેટલાક કામોમાં વિલંબ પણ થયો હશે અને વિવાદો પણ સર્જાયા હશે, પરંતુ "સત્તા સામે શાણપણ નકામું" તે કહેવત મુજબ અંતે તો શાસકો જ અને તંત્રોનું જ ધાર્યું થયું હશે.
હમણાંથી નગરના કેટલાક મુખ્ય સર્કલોનો પીપીપી મોડેલથી વિકાસ કરવાની વાતો થઈ રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં કરાયેલા કેટલાક વિકાસના કામોના નવીનીકરણ કે પછી ખાનગી ક્ષેત્રના માધાંતાઓના સહયોગથી નવી સુવિધાઓ કરવા માટે પીપીપી મોડેલનો વિકલ્પ અપનાવાશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.
હાલારમાં બજેટની મોસમ ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના બજેટ રજૂ થઈ રહ્યા છે. સંસદમાં તો બજેટ રજૂ થયા પછી બખેડો ઊભો થયો અને કેટલાક દિવસો બરબાદ થયા પછી ગઈકાલે બજેટને લઈને થોડી ચર્ચા થઈ હતી. ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર પણ ૧૬મી ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે, જયારે જામનગર મહાનગરપાલિકાનું બજેટ સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કરીને જનરલ બોર્ડને સોંપ્યું છે.
જામ્યુકોના બજેટના ઘણાં પ્રતિભાવો સામે આવ્યા છે, અને વિવિધ મુદ્દે અભિપ્રાયો પણ અપાઈ રહ્યા છે. આ પૈકીનો એક મુદ્દો હવે રસ્તાનું ખાનગીકરણ થવાનું છે કે પછી પીપીપી મોડેલ હેઠળ કેટલાક માર્ગોને મનઘડંત રીતે મોડિફાઈ કરવાની ઉઠેલી આશંકાઓનો પણ છે, અને આ આશંકાઓની સાથે પવિત્ર સ્થળો પણ સંકળાયેલા હોવાથી ગઈકાલથી આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.
જામ્યુકોના બજેટમાં બાલા હનુમાન, સત્યનારાયણ મંદિર વગેરેને સાંકળતા રસ્તાને અસર કરે અથવા જાહેર રસ્તાનું ખાનગીકરણ કરવાની હિલચાલ થતી હોય, તેવી જે આશંકારો ઊભી થઈ હતી. તેની જ ચર્ચા ગઈકાલથી થઈ રહી હતી. કોઈપણ પ્રકારના ખાનગીકરણ કે રસ્તો પ્રતિબંધિત થાય કે વાહન-વ્યવહાર અવરોધતો હોય, તેવા વિકાસકામો કરતા પહેલા સંબંધિત સ્ટેક હોલ્ડર્સ (હિતધારકો) ને વિશ્વાસમાં લેવા જોઈએ. આ અંગે જો કોઈ ધાર્મિક સંસ્થા, જાગૃત નાગરિક કે મંદિરના સંચાલક કે પૂજારી દ્વારા કોઈ સૂચન કે રજૂઆત થઈ રહી હોય, તો તેને લક્ષ્યમાં લઈને જ આગળ વધવું જોઈએ, તથા શક્ય હોય ત્યાં સુધી કોઈ માર્ગોનું ખાનગીકરણ થાય કે પીપીપી મોડેલ અપનાવાય તેવા પ્રોજેકટો નિવારવા જોઈએ, તેવા સ્થાનિક જનમતને અવગણવા જેવો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હિન્દીમાં એક કહેવત છે કે, "આયે થે હરિભજન કો, ઓટન ગયે કપાસ" અથવા "કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી' જેવી ગુજરાતી કહેવત કે પછી "તેલ પાઈને એરંડિયુ કાઢવું" જેવા મહાવરાને અનુરૂપ કહી શકાય તેવા તાજેતરના કેટલાક ઘટનાક્રમો જોતા એવું લાગે છે કે, આ પ્રકારની રણનીતિ અપનાવીને જનતાને ગૂમરાહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કાંઈપણ ગૂમાવ્યા વિના "વાહવાહી" મેળવવાની દલાતરવાડીની વાર્તા જેવા નાટકો ભજવાઈ રહ્યાં છે.
ભારતને સૌથી મોટી લોકશાહી અને અમેરિકાને સૌથી જૂનું અર્વાચીન લોકતંત્ર ગણાવીને બન્ને દેશોને એકબીજાના સહયોગી ગણાવવાની શરૂઆત તો આર્થિક ઉદારીકરણ અપનાવ્યા પછી વર્ષ-૧૯૯૦ થી ર૦૧૦ ના દાયકાઓ દરમિયાન જ થઈ ગઈ હતી, અને એ દરમિયાન વાજપેયી અને મનમોહનસિંહની સરકારો સત્તામાં રહી હતી, અને મોદી સરકાર રચાયા પછી તો ભારત અને અમેરિકાની સહયોગિતા તો ગાઢ બની જ હતી, પરંતુ ટ્રમ્પ-મોદીની દોસ્તી એટલી પ્રગાઢ બની હતી કે, એક સમયે બન્નેએ એકબીજા માટે બન્ને દેશોના પ્લેટફોર્મ પરથી ખૂલ્લેઆમ ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો.
ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્ર૫તિ તરીકે ચૂંટાયા પછી તેમણે જે કાંઈ મનઘડત નિર્ણયો લીધા તે આપણે જાણીએ જ છીએ અને તેમાં ભારત પર પહેલા રપ ટકા રેસિપ્રોકલ ટેરિફ અને પછી રશિયા પાસેેથી ક્રૂડ ખરીદવાના દંડ સ્વરૂપે બીજો રપ ટકા ટેરિફ ઝીંક્યો, તે પણ જાણીતી વાત જ છે. હવે અમેરિકાએ માત્ર ૧૮ ટકા રેસિપ્રોકલ ટેરિફ લેવાની તથા રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ લગાવાયેલો વધારાનો રપ ટકા ટેરિફ તદ્દન નાબૂદ કરવાનો નિર્ણય લીધા પછી ભારત પર લગાવાયેલા પ૦ ટકા ટેરિફ પછી ભારતના નિકાસકારો પાસેથી વસુલાયેલો રૂ।. ૪૦ હજાર કરોડ જેવો ટેરિફ પરત કરવાની પણ જાહેરાત કરી છે, જેથી ભારતના નિકાસકારોને રાહત થઈ છે.
આ રાહત મોદી-ટ્રમ્પની મિત્રતાને આભારી હોવાનો દાવો પણ ભારતમાં અમેરિકાના રાજદૂતે કર્યો છે, અને વાહવાહી થઈ રહી છે, પરંતુ હકીકતે કોને કેટલો ફાયદો થયો કે નુકસાન થયું, તેની ખબર તો હવે જ પડશે, વાસ્તવમાં ટ્રમ્પે પહેલાં જંગી ટેરિફ ઝીંક્યો, અને પછી પાછો ખેંચ્યો, તેની સાથે-સાથે કેટલીક શરતો રાખી હોવાથી એવો સવાલ ઉઠી રહ્યો છે કે, ક્યાંક "હવેલી લેવા જતા ગુજરાત ખોયું" એ કહેવત જેવો ઘાટ તો સર્જાયો નથી ને...? આ કારણે જ ઘણાં વિશ્લેષકો આ ઘટનાક્રમ પછી ટ્રમ્પે "તેલ પાઈને એરંડીયુ કાઢવા" જેવી ચાલાકીભરી ધૂર્તતા કરી હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે, તો ઘણાં લોકો હિન્દી કહેવત "આયે થે હરિ ભજન કો, ઔર ઓટન ગયે કપાસ" જેવો ઘાટ સર્જાયો હોવાનું તારણ કાઢી રહ્યાં છે. ભારત સરકાર માટે કહેવત "કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી" જેવી સ્થિતિ હોવાનો વ્યંગ પણ થઈ રહ્યો છે.
હકીકતે પહેલા પ૦ ટકા રેસિપ્રોકલ અને દંડાત્મક ટેરિફ લાદ્યો અને પછીથી એકંદર ૩ર ટકાની રાહત આપી, એમાં કોઈ નવી નવાઈ નથી, કારણ કે અમેરિકાને પણ ફાયદો થાય તેવી આ ડીલ છે અને હજુ પણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના નામે રપ ટકા દંડાત્મક ટેરિફ ફરીથી લાદવાની તલવાર તો લટકી જ રહી છે ને...? તેવા તારણો પણ નીકળી રહ્યાં છે.
આ તરફ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ મ્યુનિસિપલ કમિશ્નરે રજૂ કરેલા ડ્રાફટ બજેટમાંથી ૯.૧૦ કરોડના કરવેરા રદ્દ કરવાના અહેવાલો પણ આવ્યા છે. હકીકતે મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટમાં સૂચવાતા કરવેરામાં ઘણી વખત ફેરફાર કે કાપકૂપ થતી જ હોય છે, પરંતુ આખેઆખી નવા કરવેરા અથવા કરવેરામાં વધારાની દરખાસ્ત જ નામંજૂર કરવા પાછળ નજીકના સમયમાં આવી રહેલી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ જ કારણભૂત છે, જે ઓપન સિક્રેટ છે.
ટ્રમ્પે જેવી રીતે ટેરિફ લાદીને પાછો ખેંચ્યો, તેવી જ રીતે જામ્યુકો.ના તંત્ર તથા શાસન બોડી દ્વારા પણ કાંઈક એવું જ નાટક ભજવાયું છે, તેવો વ્યંગ થઈ રહ્યો છે. જો કે, ટ્રમ્પે કેટલોક ટેરિફ લાદીને વસુલાત કર્યા પછી પાછી આપવાનો નિર્ણય લીધો છે, જ્યારે જામ્યુકો.એ કરવેરા લાદવાની તલવાર ઉગામીને પછી મ્યાન કરી દીધી છે, તેનો મતલબ એવો પણ થાય કે ટ્રમ્પે જેવી રીતે પહેલાં રપ ટકા અને પછીથી પણ રપ ટકા ટેરિફ લાદ્યો, તેવી જ રીતે કદાચ ચૂંટણીઓ પછી પુનઃ સત્તા મળે તો બાકીના પાંચ વર્ષમાં તો કરવેરા બમણાં પણ વધારી જ શકાશે ને...? તેવી કૂનેહભરી રણનીતિ પણ અપનાવાઈ હોય શકે છે. જો કે, કરવેરા ભરવા એ પ્રત્યેક નગરવાસીની ફરજ છે, તો તેની સામે નગરજનોને માનભેર તમામ સુવિધાઓ આપવાનું પણ જામ્યુકો.ના શાસકો, તંત્રો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કર્તવ્ય છે, આ જવાબદારી કેવી અને કેટલી નિભાવાઈ રહી છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને...?
જામનગરના નગરજનો જામ્યુકો.ની સેવાઓથી કેટલા સંતુષ્ટ છે...? નગરમાં વિકાસ અને લોકકલ્યાણના કામો તથા મૂળભૂત જરૂરિયાતો અને સેવાઓને લઈને નગરજનોના કેવા પ્રતિભાવો છે અને ખાસ કરીને કેટલીક અમરપટ્ટો લખાવીને આવી હોય તેવી કેટલીક સમસ્યાઓના નિવારણને લઈને જામ્યુકો.નું પરફોર્મન્સ છેલ્લા પાંચ વર્ષમાં કેવું રહ્યું...? તેનો સર્વે કરવા જેવો છે. આ સર્વેક્ષણમાં કોઈપણ તારણો નીકળી શકે છે અને તે પ્રમાણે ચૂંટણીની તૈયારીઓ પણ થઈ શકે છે. ખાસ કરીને શહેરની ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર, આવારા કૂતરા, ગરીબો, મધ્યમવર્ગીય પરિવારોને મદદ, મનપાને લગતા રોજિંદા સરકારી કે દાખલા, પ્રમાણપત્રો, વસુલાત, બીલ પેમેન્ટ વિગેરે દરમિયાન જાન્યુકો.ના તંત્રનો વ્યવહાર વિગેરે મુદ્દે જનપ્રતિભાવો કેવા છે, તેનો તટસ્થ સર્વે કરવા જેવો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પ્રાચીનકાળથી કોઈપણ વિવાદ, યુદ્ધ કે સંઘર્ષ માટે વચગાળાનો માર્ગ કે સમાધાનનો માર્ગ શોધીને ઘર્ષણ ટાળવાના પ્રયાસો થતા રહ્યા છે, અને રાજા-રજવાડાના સમાજમાં સમાધાન માટે વિષ્ટિકારો અથવા શાંતિદૂતો મોકલવામાં આવતા હતા અને તેઓને દુશ્મન દેશ તરફથી પણ સુરક્ષાકવચ પૂરૃં પાડવામાં આવતા હતા. મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલા પાંડવો તરફથી ભગવાન શ્રીકૃષ્ણ કૌરવો સાથે સમાધાનનો પ્રસ્તાવ લઈને ગયા હતા અને ધૃતરાષ્ટ્ર સમક્ષ પાંડવો માટે પાંચ ગામ માંગ્યા, પરંતુ દૂર્યોધને પાંચ તસુ પણ જમીન આપવાની ના પાડી દીધી, ને પછી મહાભારત સર્જાયું હતું. તેવી જ રીતે રામાયણકાળમાં ભગવાન શ્રીરામ તરફથી અંગદ શાંતિદૂત થઈને રાવણ પાસે ગયા હતા અને સીતામાતાને સન્માનપૂર્વક પરત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ રાવણ ઘમંડમાં હતો, અને તેનો વિનાશકાળ નજીક હતો, તેથી તે માન્યો નહીં અને લંકામાં રામ-રાવણનું યુદ્ધ થયું અને રાવણ હણાયો.
આ બંને દૃષ્ટાંતો વચગાળાના માર્ગ અને સમાધાનકારી રસ્તો કાઢવાની પ્રક્રિયાની અગત્યતા સમજાવે છે. કોઈપણ વિવાદ કે સંઘર્ષો બે પક્ષો કે બેથી વધુ પક્ષો વચ્ચે મતભેદોના કારણે શરૂ થઈને મનભેદો સુધી પહોંચી ગયા પછી સર્જાતા હોય છે અને મોટાભાગે વિનાશકારી પરિણામો લાવતા હોય છે, અથવા શરમજનક શરણાગતિ સ્વીકારવા મજબૂર થવું પડતુ હોય છે અને એ પ્રકારના ઘણાં દૃષ્ટાંતો આપણા પ્રાચીન ઈતિહાસ તથા દેશ દુનિયાની હિસ્ટ્રીમાં મોજુદ છે, છતાં હજુ આપણે તેની પાસેથી કાંઈજ શીખ્યા નથી. આજે પણ દેશ-દુનિયામાં એવા ઘણાં રાવણો અને દૂર્યોધનો અટ્ટહાસ્ય કરી રહ્યા છે, જેને શાંતિદૂતોના પ્રસ્તાવો સ્વીકાર્ય નથી અને તેઓ અત્યારે પોતાને ભલે અજેય કે સર્વશક્તિશાળી માનતા હોય, પરંતુ અંતે તો તેને દુષ્પરિણામો ભોગવવા જ પડતા હોય છે.
ઘણાં લોકો વચગાળાનો માર્ગ કે સમાધાનને જવાબદારીમાંથી છટકવાની યુક્તિ માનતા હોય છે, પરંતુ દરેક કિસ્સામાં એવું હોતું નથી. કેટલાક વચલા રસ્તા બંને પક્ષોને સમજાવીને થતા હોય છે અને બંને તરફ સ્વીકૃત હોય છે, જ્યારે ઘણી વખત તે યુક્તિપૂર્વકની છટકબારી પણ હોય છે. આથી વચલા માર્ગને સમજદારી ગણવી કે ચાલાકીપૂર્વકની ચતુરાઈ ગણવી. તેના માપદંડો દરેક કિસ્સા માટે અલગ-અલગ હોય છે.
ટ્રમ્પ ટેરિફના તોફાન વચ્ચે ભારત-અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પણ એક રીતે "વચગાળાનો રસ્તો" જ છે, અને પહેલા ગોળ-ગોળ વાતો થયા પછી મોદી સરકારના મંત્રીએ (પિયુષ ગોયલે) કેટલીક વિગતો સ્પષ્ટ કરી છે. આ ટ્રેડ ડીલના ફાયદા-ગેરફાયદાની વ્યાપક ચર્ચા થઈ રહી છે અને મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. હવે આ ટ્રેડ ડીલને "વચગાળા"નો રસ્તો જણાવાઈ રહ્યો છે. ભારત સરકાર સત્તાવાર રીતે જે કાંઈ કહી રહી છે, તેમાં અને ટ્રમ્પ સરકારના દાવાઓમાં ઘણો તફાવત હોવાથી ભારતમાં ભ્રમ અને આશંકાઓનો માહોલ છે અને રશિયા પાસેથી ખરેખર ભારત ક્રૂડ ખરીદવાનું તદ્દન બંધ કરી દેશે કે પછી તેવું નહીં થાય તો અમેરિકા ફરીથી ૨૫ ટકા વધારાનો ટેરિફ લગાવી દેશે, તે સ્પષ્ટ થતું નહીં હોવાથી આ વચગાળાનો રસ્તો ખરેખર સમાધાન અને રાષ્ટ્રહિતનો નિવડશે કે પછી ચતુરાઈપૂર્વકની છટકબારી હશે, તે ભાવિના ગર્ભમાં છુપાયેલું છે, અને વૈશ્વિક સમીકરણોની ઉથલ-પાથલમાં ૧૪૦ કરોડ ભારતીયોના હિતોનું રક્ષણ કરાયું છે, કે ગીરો મુકાયા છે. તે ભવિષ્યમાં ખબર પડશે...જસ્ટ વેઈટ એન્ડ વોચ...
દુનિયાભરના દેશો સામે ટેરિફ અને સૈન્ય તાકાતનો ડર દેખાડીને મનઘડંત હરકતો કરતા રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ સ્વયં શાંતિદૂત બનવા થનગની રહ્યા છે, જે તેઓના બેવડા ધોરણો તો દર્શાવે જ છે, પરંતુ 'નોબેલ' નહીં મળ્યા પછી અમેરિકાએ હવે ઈરાન સામે આંખ લાલ કરી છે, તો ઈરાને પણ ખાંડા ખખડાવ્યા છે.
આ જ ટ્રમ્પે તાજેતરમાં "બોર્ડ ઓફ પીસ" નામની નવી ઈન્ટરનેશનલ પહેલ કરીને યુનોને સમાંતર તથા પોતાના વર્ચસ્વવાળી "શાંતિ" વ્યવસ્થા શરૂ કરી છે. આ બોર્ડની પ્રથમ બેઠક ૧૯મી ફેબ્રુઆરીના વોશિંગ્ટન ડી.સી.માં યોજાવાની છે. આ સંસ્થા આમ તો ઈઝરાયલ-ગાઝા સંઘર્ષના નિવારણ અને ગાઝાના પુનઃ નિર્માણના હેતુ માટે રચાઈ હોવાનું જાહેર કરાયું છે. હવે આ શાંતિદૂત બનેલા ટ્રમ્પને કોઈપણ રીતે પ્રાચીનકાળમાં આપણાં શાંતિદૂતો સાથે સરખાવી શકાય તેમ નથી. હકીકતે "કહીં પે નિગાહે...કહીં પે નિશાના"ની નીતિ અપનાવતા ટ્રમ્પે આ વચગાળાનો માર્ગ નહીં પણ વર્ચસ્વનો માર્ગ અપનાવ્યો છે.
"વચગાળાનો માર્ગ" વૈધાનિક પણ છે અને શાંતિપથ પણ છે. આપણાં દેશમાં વિલંબિત ન્યાય અને કેસોના ભરાવાની સમસ્યા હળવી કરવા લેવાઈ રહેલા વિવિધ કદમોમાં લોક અદાલતો અગ્રતાક્રમે છે અને તેમાં સમાધાનો થતા બંને પક્ષો સંતુષ્ટ થાય છે અને અપીલો નહીં થતા ભવિષ્યના કેસોનું નિવારણ પણ થાય છે, તેથી આ વચગાળાનો માર્ગ કાનૂને પણ સ્વીકાર્યો છે, પરંતુ તેનું સ્વરૂપ અલગ છે. આ જ રીતે "લવાદ"ની વ્યવસ્થા પણ "વચગાળાનો માર્ગ" જ છે, અને તેનો ઉપયોગ વિવાદોના સમાધાનકારી ઉકેલ માટે થાય છે, પરંતુ રાજનૈતિક, કુટનૈતિક અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં "વચગાળાના માર્ગ"નો ઉપયોગ ઘણી વખત "વ્યૂહાત્મક" હોય છે, જેનો અત્યારે મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે.
ઘણી વખત સામાજિક, પારિવારિક કે પડોશના ઝઘડાઓ કે મિલકત-સંપત્તિના દાવાઓમાં પણ વચગાળાનો માર્ગ રામબાણ ઈલાજ કે શાંતિકારક સર્વસ્વીકૃત સમાધાનનો સફળ ઉપાય બની જતો હોય છે, જ્યારે ઘણી વખત આ પ્રકારના ઉપાયના સ્વરૂપમાં જ દગાબાજી કે ચાલબાજી પણ છુપાયેલી હોય છે, અને આ જ પ્રકારે અન્ય કોઈપણ પ્રકારના "વચલા રસ્તા" માં આવી જ સંભાવનાઓ રહેતી હોય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે ક્યારેય વચગાળાનો માર્ગ કાઢવો જ નહીં...હકીકતે ચાલબાજી હોય તો વચગાળાનો માર્ગ સમજી વિચારીને અપનાવવો જોઈએ, પરંતુ ધુત્કારવો ન જોઈએ...બાકી તો ટ્રમ્પ જાણે અને તેના મિત્રો જાણે... જસ્ટ વેઈટ એન્ડ વોચ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
થોડા દિવસો પહેલા ત્રણ કિશોરીઓએ નવમા માળેથી કૂદીને કરેલી આત્મહત્યા પાછળ ઓનલાઈન ગેઈમ જવાબદાર હતી, તેવું બહાર આવ્યા પછી ઓનલાઈન ગેઈમીંગ-ગેમ્બલીંગ અને સોશ્યલ મીડિયાની આડઅસરોની ચર્ચા દેશભરમાં શરૂ થઈ ગઈ છે અને માતા-પિતા અને પરિવારો માટે સતત જાગૃત રહેવાની જરૂર પણ જણાવાઈ રહી છે, કારણ કે હવે આ બદી એટલી બધી વ્યાપક બની રહી છે કે થોડીક ચૂક, બેદરકારી કે ઉદારતાથી આપેલી છૂટછાટ ભારે પડી શકે છે.
ગાઝિયાબાદની એ કમનસીબ ઘટનામાં ૧૨ થી ૧૬ વર્ષની કિશોરીઓને કોરિયન કલ્ચરનો ક્રેઝ લાગુ પડયો હતો, તેવી હકીકત બહાર આવ્યા પછી તો આ મુદ્દો માત્ર સંતાનોના માતા-પિતા કે પરિવાર જ નહીં, પરંતુ સમાજ અને સરકારે પણ આ અંગે ચિંતા, ચિંતન અને પરવાહ કરવાની જરૂર છે. આ પ્રકારની હરકતોને માનસિક બીમારીની શ્રેણીમાં ગણીને આરોગ્ય વિભાગ તથા વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મુદ્દો વિવિધ દેશો સાથે ચર્ચા-પરામર્શ કરીને કોઈ એવો ઉકેલ કાઢવાની જરૂર છે કે જેથી સોશ્યલ મીડિયાનો સુદપયોગ તો સુનિશ્ચિત કરી જ શકાય, પરંતુ તેનો દુરૂપયોગથી અચાનક લોકોને વેઠવી પડતી આફતોથી બચાવી શકાય અને બાળકો, કિશોર-કિશોરીઓ અને જેનઝેડના વયજૂથોમાં આ મુદ્દે વ્યાપક જાગૃતિ ફેલાવી શકાય.
ઈન્ટરનેટની સુવિધાએ દુનિયાને ગામડુ (ગ્લોબલ વિલેજ)બનાવી દીધું છે અને હથેળીના પંજામાં આખી દુનિયા મોબાઈલ સેલફોનમાં ઈન્ટરનેટના માધ્યમથી તથા અદ્યતન સંચાર તકનીક (ટેકનોલોજી)થી મૂકાઈ ગઈ છે, ત્યારે ઈન્ટરનેટના થતા દુરૂપયોગનો મુદ્દો સોશ્યલ મીડિયાના દુરૂપયોગ કરતાંયે ઘણો જ ભયાનક, ખતરનાક અને ખોફનાક છે.
ઈન્ટરનેટના માધ્યમથી જ સાયબર ફ્રોડની સમસ્યાઓ વધી છે. ઓનલાઈન ગેઈમીંગ, ઈન્ટરનેશનલ ફ્રોડ, એકાઉન્ટ હેકીંગ અને ડેટા ચોરીના કારણે ઈન્ટરનેટ વાપરનારા તો પરેશાન છે જ, પરંતુ ઈન્ટરનેટ આધારિત સેવાઓ ખોરવાઈ જાય કે સર્વર ઠપ્પ થઈ જાય ત્યારે ગરીબ-સામાન્ય જનતા પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હેરાન-પરેશાન થતી હોય છે.
આ પ્રકારની વાતો સાંભળીએ અને વ્યાપક ચર્ચાઓ થાય, ત્યારે બધો જ વાંક સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઢોળીને કદાચ આપણે અર્ધસત્ય બોલી રહ્યા છીએ અથવા પોતાને જ છેતરી રહ્યા છીએ, તેવું પણ કહી શકાય, કારણ કે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા જો ઉપયોગી ન જ હોય તો, મોટા મોટા ઉદ્યોગપતિઓ, સરકારો અને દેશ-દુનિયાના બુદ્ધિજીવીઓએ તેનો વ્યાપ વધાર્યો જ ન હોત. હકીકત એ છે કે ઈન્ટરનેટ અને તેના આધારિત સોશ્યલ મીડિયા સહિતની અદ્યતન ટેકનોલોજી તથા સુવિધાઓ આજે રોજીંદી જીવનશૈલીનું અનિવાર્ય અંગ બની ગઈ છે અને થોડી મિનિટો માટે આ ઈન્ટરનેટ અટવાઈ જાય, તો દુનિયાભરમાં હલચલ મચી જાય છે અને મોટા ભાગની સેવાઓ ખોરવાઈ જતી હોય છે.
સોશ્યલ મીડિયાના વિવિધ સ્વરૂપોના માધ્યમથી અત્યારે એજ્યુકેશન અને સંદેશા વ્યવહાર ઘણાંજ સરળ અને ઝડપી બન્યા છે, તો રોજીંદા ઘરેલુ વ્યવહારોથી માંડીને માર્કેટીંગ, ટ્રાન્પોર્ટેશન, ટ્રાવેલીંગ, બિઝનેસ, પારિવારિક કે સામાજિક પ્રસંગો, ધાર્મિક આયોજનો તથા ઉત્સવો-તહેવારોની ઉજવણી જેવા તમામ ક્ષેત્રોમાં ઈન્ટરનેટ આધારિત સેવાઓ, ઈ-મેઈલ, વેબસાઈટ્સ તથા ખાસ કરીને સોશ્યલ મીડિયાનો સકારાત્મક અને ફળદાયી ઉપયોગ થઈ જ રહ્યો છે. સરકારી વહીવટ, પત્ર-વ્યવહાર, પરિપત્રો તથા હવે તો અદાલતી અને કાનૂની કાર્યવાહી, પોલીસ કાર્યવાહી તથા બેંકીંગ સેવાઓ માટે પણ ઈન્ટરનેટ આધારિત સેવાઓ હવે બુનિયાદી જરૂરિયાત બની ગઈ છે અને તેમાં સતત થતું રહેતું અપડેટ તથા વિસ્તૃતિકરણ આપણી બધાની રોજ-બ-રોજની જિંદગીને વધુ સુવિધાજનક પણ બનાવી રહ્યું છે.
જેવી રીતે લોઢામાંથી કૃષિ ઓજાર પણ બની શકે અને ઘાતક હથિયારો પણ બની શકે, અગ્નિથી અન્ન પણ રાંધી શકાય અને એ જ આગથી મોટી મોટી ઈમારતો પણ ભસ્મીભૂત થઈ શકે, તેવી જ રીતે ઈન્ટરનેટ અને તેના આધારિત સોશ્યલ મીડિયા સહિતની સેવાઓનો સારા હેતુઓ માટે અને સમજદારીપૂર્વક ઉપયોગ થાય, તે પણ આપણાં જ હાથમાં છે અને તેનો દુરૂપયોગ ન થાય અથવા તેનો ઈરાદાપૂર્વક ગુનાહિત ઉદૃેશ્યો માટે દુરૂપયોગ કરતા તત્ત્વોને અટકાવવા કડક કાનૂનોની વાસ્તવમાં અસરકારક અમલવારી થાય, તે પણ સમાજ અને સરકારના જ હાથમાં છે, આ ઉપયોગી સુવિધાઓનો બહુહેતુક સદુપયોગ વધતો રહે, અને નેગેટિવ કે ખંડનાત્મક ઉપયોગ ઘટતો રહે, તે માટે સહિયારા પ્રયાસોની જરૂર છે.
આજે સેટેલાઈટ આધારિત સંદેશા-વ્યવહાર, ટેકનોલોજી તથા ઈન્ટરનેટના નેટવર્કના કારણે પૃથ્વીના કોઈપણ ભાગમાં હવાના દબાણમાં વધઘટ થઈ હોય, ચક્રવાત ઉદ્ભવ્યો હોય કે કુદરતી સિસ્ટમમાં ફેરફાર થઈ રહ્યો હોય, તો તરત જ ખબર પડી જાય છે અને જરૂરી રાહત-બચાવ તથા આગમચેતીના કદમ ત્વરીત ઉઠાવી શકાય છે. કુદરતી આફતો પછી થયેલા નુકસાનના અંદાજો કાઢી શકાય છે. દરિયામાં અટવાયેલા વહાણો કે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરો-વિમાનોની દુર્ગમ વિસ્તારોમાં શોધખોળ ઝડપથી કરી શકાય છે, જરૂરી ચેતવણીઓ તત્કાળ જન-જન સુધી પહોંચાડી શકાય છે. હવે તો વિવિધ પ્રેસ-મીડિયાની એપ્સ તથા વેબસાઈટ્સ, સરકારી વિભાગો-તંત્રોની વેબસાઈટસ અને એપ્સ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વેબસાઈટ્સ અને એપ્સ, હવામાન વિભાગની વેબસાઈટસ તથા સચેત જેવી જુદી જુદી એપ્સ દ્વારા સોશ્યલ મીડિયા દ્વારા તથા ઈ-પેપર્સ, સંદેશાવ્યવહારની એપ્સ દ્વારા લોકોને તત્કાળ સાવચેત કરવાની વ્યવસ્થા થાય છે, જે ઈન્ટરનેટની વ્યવસ્થાને જ આભારી છે. સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલરૂમમાંથી નિરીક્ષણ હોય, સંસદની કાર્યવાહીનું જિવંત પ્રસારણ હોય કે પછી યુદ્ધના સમયમાં અવકાશી સંરક્ષણની વ્યવસ્થાઓ હોય, તેમાં ઈન્ટરનેટ આધારિત અદ્યતન ટેકનોલોજી ઘણી જ ઉપયોગી થઈ રહી છે.
આથી સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટની સુવિધાઓ પર દોષનું ઠીકડુ ફોડવાના બદલે આપણે અને આપણો પરિવાર-સંતાનો દ્વારા આ સુવિધાઓનો દુરૂપયોગ થતો અટકાવીએ, તે અત્યંત જરૂરી છે. હા, દુનિયાના કેટલાક દેશોની જેમ ભારતમાં સગીરો માટે સોશ્યલ મીડિયા સ્પેસ આંશિક કે પૂર્ણ પ્રતિબંધ માટે કાયદો બનાવવાનું વિચારી શકાય ખરૃં....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સુપ્રિમકોર્ટમાં એસઆઈઆરના મુદ્દે વકીલની ભૂમિકામાં મમતા બેનર્જીએ ધારદાર દલીલો કરીને કોઈ મુખ્યમંત્રી પદે રહેલા વર્તમાન મુખ્યમંત્રી દ્વારા વકીલાત કરવાનું અભૂતપૂર્વ દૃષ્ટાંત બેસાડ્યા પછી માત્ર રાજકીય જ નહીં, કાનૂની ક્ષેત્રો તથા બાર કાઉન્સિલના વર્તુળોમાં પણ તેની ચર્ચા થઈ રહી હતી. એ દલીલો પછી સુપ્રિમકોર્ટે ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે અને સોમવારે તેની સુનાવણી થવાની છે.
બીજી તરફ ભારતીય ચૂંટણીપંચે પણ સુપ્રિમકોર્ટમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ની કામગીરીમાં પશ્ચિમ બંગાળમાં સતત રાષ્ટ્રીય હસ્તક્ષેપના કારણે ચૂંટણી અધિકારીઓ પોતાની બંધારણીય ફરજો બજાવી શકતા નથી, તે પ્રકારનું એફિડેવિટ રજૂ કર્યુ છે. ચૂંટણીપંચે દલીલો કરી છે કે, દેશના બીજા કેટલાક રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થઈ છે અને ચાલી પણ રહી છે, પરંતુ પ.બંગાળમાં ચૂંટણીપંચે નિમેલા અધિકારીઓ સામે ધાકધમકી, હિંસા અને અડચણો ઊભી થવાની સંખ્યાબંધ ઘટનાઓ બની છે અને ઘણી વખત તો ચૂંટણીપંચના અધિકારીઓનો જીવ પણ જોખમમાં મૂકાયો હતો, આ પરિસ્થિતિ પર અંકુશ રાખવામાં ત્યાંની રાજય સરકાર નિષ્ફળ ગઈ છે, અને ઉલટાની ચૂંટણીપંચ સામે જ અવાજ ઉઠાવી રહી છે, જે ગેરબંધારણીય છે, અને ચૂંટણીપંચને બંધારણીય રક્ષણ મળી રહ્યું નથી.
બિહાર સરકારે એસઆઈઆરની બંધારણીય કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો કર્યો હોવાનો આક્ષેપ ત્યાંનો વિરોધપક્ષ પણ કરી રહ્યો છે, તો બીજી તરફ આ કાર્યવાહીને જ બિહાર સરકારે ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો છે. હવે આ સમગ્ર વિવાદનો દડો સુપ્રિમકોર્ટના મેદાનમાં છે, એટલે કે, આ વિવાદ અંગે બન્ને પક્ષોને સાંભળીને સુપ્રિમકોર્ટ અંતિમ ફેંસલો કેવો સંભળાવે છે, તેના પર આખા દેશની નજર મંડાયેલી રહેવાની છે.
આ વિવાદ તો હજુ સુપ્રિમકોર્ટમાં પેન્ડીંગ છે અને સોમવારે તેની વધુ સુનાવણી થવાની છે, પરંતુ પ.બંગાળ સરકારને એક અન્ય કેસમાં ઝટકો આપ્યો છે. આ ઝટકો મમતા સરકારને પ.બંગાળની રાજય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના મુદ્દે લાગ્યો છે, પરંતુ તેની દૂરગામી અને દેશવ્યાપી અવસરો થવાની છે, કારણ કે મોંઘવારી ભથ્થાનો મુદ્દો દેશભરની રાજય સરકારે તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ સ્પર્શે છે અને સુપ્રિમકોર્ટના આ ચૂકાદા પછી તેની અસર આ તમામ કર્મચારીઓના હિતોના રક્ષણ માટે હકારાત્મક થવાની છે અને ઉપયોગી નીવડવાની છે.
સુપ્રિમકોર્ટમાં પ.બંગાળની સરકારે નાણાકીય સ્થિતિ નબળી હોવાથી ડિયરનેસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થુ ચૂકવવું શક્ય નથી, તેમ જણાવ્યું હતું.
પ.બંગાળ સરકારે રાજય સરકારના કર્મચારીઓ સંબંધિત લીધેલા આ નિર્ણયને ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મોંઘવારી ભથ્થુ એ કર્મચારીઓનો વૈદ્યાનિક અધિકાર છે અને તેની ચૂકવણી મરજીયાત કે વૈકલ્પિક નથી, પરંતુ ફરજીયાત છે. સુપ્રિમકોર્ટ પ.બંગાળ સરકારે વર્ષ-ર૦૦૯ થી ર૦૧૯ સુધીનું બાકી મોંઘવારી ભથ્થુ ચૂકવવાનો કમ-સે-કમ રપ ટકા એરિયર્સ ચૂકવી દેવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો છે, જે દેશભરના સરકારી કર્મચારી માટે ટોક ઓફ ધ નેશનનો મુદ્દો બન્યા છે.
સુપ્રિમકોર્ટે આ ઐતિહાસિક નિર્ણય આપ્યો, તેના કારણે કોલકતા હાઈકોર્ટ સહિત વિવિધ ઉચ્ચ અદાલતોએ આ પ્રકારની અપીલોમાં આ જ પ્રકારના જે ચૂકાદાઓ આપ્યા છે, તેના પર મંજૂરીની મહોર લાગી ગઈ છે.
આ સુનાવણી દરમિયાન સુપ્રિમકોર્ટે મુખ્ય ૧૩ જેટલા કાનૂની પ્રશ્નો પર વિચાર કર્યો હતો અને કર્મચારીઓ મંડળો તરફથી થયેલી રજૂઆતો તથા હાઈકોર્ટના ફેંસલાઓની પણ ચર્ચા થઈ હતી. આ દરમિયાન "રોપા" ના નિયમો તરીકે ઓળખાતા બંધારણીય જોગવાઈઓ હેઠળ રાજય સરકારના કર્મચારીઓના હિતો તથા કલમ-૩૦૯ હેઠળ રાજય સરકારની સત્તાઓ વિગેરે મુદ્દે વિવિધ વ્યાખ્યાઓ તથા અર્થઘટનો સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યા હતાં અને કર્મચારીઓના લિજિટિમેટ એક્સપેકટેશન સહિતના મુદ્દાઓની વિગતવાર છણાવટ કરીને નિષ્કર્ષ આપ્યો હતો.
અદાલતે ઠરાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થુ કોઈ સ્થિર રકમ નથી. પરંતુ તે મહામૂલ્યવૃદ્ધિ (મોંઘવારી) મુજબ બદલાય છે. પ.બંગાળની સરકારે ડી.એ. (મોંઘવારી ભથ્થા) ના નિયમોમાં કરેલા ફેરફારોને મનસ્વી અને તરંગી ગણાવીને કર્મચારીઓની યોગ્ય માંગણીઓને કોઈ નક્કર કારણ વગર તોડી (કચડી) નાંખી હોવાના તીખા શબ્દપ્રયોગો વાપરીને અદાલતે રાજય સરકારના અભિગમની આકરી ટીકા પણ કરી હોવાની ચર્ચા વચ્ચે હવે પ.બંગાળ સરકાર પાસે કોઈ વિકલ્પ બચ્યો જ નહીં હોવાના તારણો પણ તજજ્ઞો કાઢી રહ્યાં છે.
સુપ્રિમકોર્ટે પ.બંગાળ સરકારની કાર્યશૈલી તથા હાઈકોર્ટના આદેશો પછી પણ અક્કડ વલણ અપનાવવાના વલણ પછી કર્મચારીઓને તબક્કાવાર એરિયર્સ ચૂકવવાની પ્રક્રિયા પણ સુપ્રિમકોર્ટની જ દેખરેખ હેઠળ થાય તેવી વ્યવસ્થા કરી છે અને તે માટે સુપ્રિમકોર્ટના નિવૃત્ત જ્જના નેતૃત્વમાં હાઈકોર્ટના બે નિવૃત્ત ન્યાયાધીશો અને કેગના વરિષ્ઠ અધિકારીઓની એક વિશેષ સમિતિની રચના પણ કરી દીધી છે, જેથી રાજય સરકાર વધુ મનમાની કરી નહીં શકે.
સુપ્રિમકોર્ટનો આ ચૂકાદો માત્ર પ.બંગાળ જ નહીં, પરંતુ દેશભરના સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ પુરવાર થશે, કારણ કે, આ ચૂકાદો એ સ્પષ્ટ કરે છે કે, મોંઘવારી ભથ્થાના નીતિ નિર્ધારણ અને ચૂકવણીમાં "કોઈપણ" સરકાર મનમાની કરી શકે નહીં.
ઘણી વખત રાજય સરકારો અને કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે ત્યારે તેઓ દ્વારા "કર્મચારીઓને ભેટ" કે "બક્ષિસ" જેવા શબ્દપ્રયોગો થતા હોય છે, તે શબ્દપ્રયોગો કરનારાઓને પણ સંદેશ છે કે, મોંઘવારી ભથ્થુ કોઈ ભેટ-સોગાત, બક્ષિસ કે ખેરાત નથી, પરંતુ કર્મચારીઓનો વૈધાનિક અધિકાર છે.
જો કે, આ ચૂકાદા પછી જન સામાન્યમાં કેટલાક પ્રશ્નો પણ ઉઠી રહ્યાં છે. સરકારી કર્મચારીઓને વૈદ્યાનિક અધિકાર તરીકે મોંઘવારી ભથ્થુ ચૂકવાતું રહે તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, કારણ કે સરકારી કર્મચારીઓ પણ દેશની જનતાનો જ હિસ્સો છે, પરંતુ વધતી મોંઘવારીની જેટલી અસર સરકારી કર્મચારીઓને થાય છે, તેટલી જ અન્ય લોકોને પણ થાય છે અને ગરીબ તથા નિમ્ન - મધ્યમવર્ગોને સૌથી વધુ સંઘર્ષમય આર્થિક અસરો થતી હોય છે, તેનું શું...?
જો કે, સરકાર દ્વારા ચલાવાઈ રહેલી કેટલીક યોજનાઓ, અપાતી સબસીડીઓ તથા ડીબીટીથી અપાતા લાભોનો ઉલ્લેખ કરીને સરકારી તંત્રો બચાવ કરી શકે છે, પરંતુ હકીકતે મોંઘવારી તથા બેરોજગારીમાં પિસાતી સામાન્ય ગરીબ-નિમ્ન-મધ્યમવર્ગીય જનતા માટે પણ કોઈ રાહતરૂપ નિયમિત મિકેનિઝમ ઉભું કરવું જોઈએ, તેવો જનમત અવગણી શકાય નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સુપ્રિમકોર્ટમાં મમતા બેનર્જીએ એસઆઈઆરના મુદ્દે વકીલ બનીને કરેલી ધારદાર દલીલો પછી સુપ્રિમકોર્ટને નોટિસ, સંસદમાં શરમજનક દૃશ્યો અને વાદ વિવાદો તથા નગરથી નેશન સુધી કેટલાક મોટા માણસોની જેલયાત્રાના અહેવાલો વચ્ચે પણ સોનુ, ચાંદી અને શેરબજારમાં હમણાંથી થતા રહેતા અસાધારણ ઉતાર-ચઢાવની ચર્ચા અને વ્યાપાર-ઉદ્યોગ તથા રાજકીય ક્ષેત્રોમાંથી તદ્વિષયક આવી રહેલા અભિપ્રાયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, તથા સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણે આપેલા મંતવ્યને કેન્દ્રમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાંથી પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોનાના ભાવોમાં અણકલ્પ્ય અને અસાધારણ ઉતાર-ચઢાવ પાછળ "ગ્લોબલ અનસર્ટેનિટી" અથવા વૈશ્વિક અનિશ્ચિતતાઓને જવાબદાર ગણાવી છે. ગ્લોબલ માર્કેટમાં સતત બદલાતી રહેતી આર્થિક સ્થિતિ તથા ભૌગોલિક-રાજકીય અને કૂટનૈતિક પ્રવાહો તરફ સંકેત કરતા નાણામંત્રીએ કહ્યું છે કે ઈન્વેસ્ટરોનો કેટલાક દેશોની કરન્સી (ચલણ) પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હોવાથી તેની સીધી અસર ગ્લોબલ ગોલ્ડ માર્કેટ પર પડી રહી છે., કારણ કે જનસામાન્ય ધારણા મુજબ સોનામાં થતું ઈન્વેસ્ટમેન્ટ સુરક્ષિત છે, જયારે પેપર કરન્સી એટલે કે રૂપિયો, પાઉન્ડ, ડોલર વગેરે જુદા જુદા દેશોની કાગળની કરન્સી (ચલણ)માંથી લોકોને વિશ્વાસ ડગમગી રહ્યો છે. રોકાણકારો સોનામાં મૂડી રોકાણને "સેઈફ હેવન" માનતા હોવાથી મોટા પાયે મૂડી રોકાણ સોનામાં કરે છે, ત્યારે ભાવો ઉછળે છે, પરંતુ જયારે નફો મેળવવા માટે એકસાથે પ્રોફિટ બુકીંગ થવા લાગે છે, અથવા વેચવાલી વધે છે, ત્યારે ભાવો તૂટે છે. આ સાયકલ હમણાંથી મોટા માર્જીન અથવા મોટા ગાબડાં પાડી રહી છે અને તેજ ગતિથી ફરી રહી છે. અને તેમાંજ સામાન્ય ગ્રાહકો, રોજીંદી જરૂરિયાતો કે પ્રસંગો માટે ખરીદી કરતી સામાન્ય જનતા પણ અટવાયા કરતી હોવાનો અભિપ્રાય પણ વ્યક્ત થતો હોય છે.
છેલ્લા એક અઠવાડિયામાં વૈશ્વિક બજારની અસરો, ભારત સરકારનું બજેટ, વૈશ્વિક અશાંતિનો પ્રભાવ તથા ટ્રમ્પ ટેરિફની તઘલખી જાહેરાતોના કારણે ભારતીય અને ગ્લોબલ માર્કેટોમાં થયેલી ઉથલ-પાથલો દરમ્યાન સોના-ચાંદીના ભાવો રોકેટ ગતિથી આસમાનને આંબી ગયા પછી તેટલી જ સ્પીડથી જમીન પર પછડાયા તેથી ઊંચા ભાવે રોકાણ કરનાર ઈન્વેસ્ટરો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ ગઈ, પરંતુ લગ્ન પ્રસંગો જેવી સામાજિક-પારિવારિક ઉજવણીઓ માટે સોનુ-ચાંદી ખરીદવાનું બાકી હતું તેઓને ટ્રમ્પ ટેરિફના ૧૮ ટકાની જાહેરાત પછી પછડાયેલા ગ્લોબલ અને નેશનલ માર્કેટના કારણે રાહત પણ થઈ છે.
બીજી તરફ નેશનલ-ઈન્ટરનેશનલ પ્રેસ-મીડિયામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું સોના-ચાંદીમાં ઈન્વેસ્ટમેન્ટને લઈને અપાયેલું મંતવ્ય આજે અગ્રીમ હરોળમાં ચર્ચાઈ રહ્યું છે.
મુકેશ અંબાણીએ જિયોની બ્લેકરોક પહેલની ચર્ચા કરતી વખતે આપણાં દેશમાં ગયા વર્ષે સોના-ચાંદીની થયેલી જંગી આયાતનો આંકાડાઓ સાથે ઉલ્લેખ કરતા કહ્યું કે ગતવર્ષે ૬૦ બિલિયન ડોલર સોનાની ભારતે આયાત કરી છે, જયારે ૧૦ થી ૧૫ બિલિયન ડોલર ચાંદીની પણ આયાત કરી છે, જેમાં ઈન્વેસ્ટરોએ મોટા પાયે રોકાણ કર્યું છે.
મુકેશ અંબાણીના અભિપ્રાય મુજબ સોના-ચાંદીમાં થતું મૂડી રોકાણ સુરક્ષિત તો છે, પરંતુ (વ્યક્તિગત, પારિવારિક કે રાષ્ટ્રીય) વૃદ્ધિ કે વિકાસને વેગ આપતું નથી, અને સીધા ઉત્પાદનમાં વધારો કરતુ નથી.
આપણે ભારતીયો બચત કરવામાં માનીએ છીએ, પરંતુ સોના-ચાંદીમાં મૂડી રોકાણ કરવાના બદલે જો આ બચત મૂડી બજારોમાં નાખવામાં આવે તો માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી કે વિવિધ કંપનીઓમાં કરેલા ઈન્વેસ્ટમેન્ટ થકી વ્યાપાર-ઉદ્યોગ, વ્યવસાયોને વેગ મળે, ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થાય, નોકરી-રોજગારીની તકો વધે, અને રોકારણકારોની સંપત્તિમાં વધારો થતો જણાય. ટૂંકમાં નાણાનો પ્રવાહ વહેતો રહે તે પ્રકારે બચત કરવી જોઈએ.
અંબાણીનું મંતવ્ય એવું હતું કે બચત કે મૂડી તિજોરીઓમાં સંગ્રહ કરીને રાખવાથી અથવા સોના-ચાંદી જેવી ધાતુઓમાં ઈન્વેસ્ટ કરીને રાખવાથી તે 'સ્થિર' થઈ જાય છે અને પ્રોડક્ટિવ રહેતી નથી, પરંતુ જો શેરબજારના માધ્યમથી ઈન્વેસ્ટમેન્ટ કરીને અર્થવ્યવસ્થાની સાયકલમાં રોકવામાં આવે તો તેના કારણે બહુહેતુક ફાયદાઓ થઈ શકે છે. તેમણે કહ્યું કે કિંમતી ધાતુઓ મૂલ્ય જાળવી રાખી શકે છે, જ્યારે શેરબજારમાં રોકાણ કરાયેલા (સમજદારીપૂર્વક) નાણા રિયલ એસ્ટેટ (સાચી સંપત્તિ)નું નિર્માણ કરી શકે છે.
તેમણે ભારતીય ઈકોનોમિને ફળ આપતા વૃક્ષ સાથે સરખાવીને કહ્યું કે ભારત લાંબા ગાળે આઠ થી દસ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરીને તેને ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે.
જયારે કિંમતી ધાતુઓની વાત આવે ત્યારે, રેર અર્થ માટે ફાંકા મારતા ટ્રમ્પદાદા અને જીનપીંગ અંકલ પણ યાદ આવી જ જાય. રેર અર્થ અથવા કિંમતી ખનિજોની ગ્લોબલ સપ્લાય પર ચીનનું વર્ચસ્વ હોવાથી ચીન સામે ટ્રમ્પે મોરચો માંડ્યો છે એન વોશિંગ્ટનમાં ભારત સહિત ૫૦ દેશોની કોન્ફરન્સ બોલાવીને આ મુદ્દે ચીનની પકડ ઢીલી કરવાની દિશામાં કદમ માંડ્યું, ત્યાં જ ચબરાક ચીને ચાલ બદલી અને શાણપણભર્યો પ્રત્યાઘાત આપ્યો. યુરોપિયન યુનિયન અને અમેરિકાના પ્રસ્તાવનો ઉલ્લેખ કરીને ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિશ્વમાં ક્રિટિકલ મિનરલ ઈન્ડસ્ટ્રીયલ અને સપ્લાય ચેઈનને મજબૂત કરવા સંયુક્ત રીતે તેને સુરક્ષિત રાખવાના પ્રયાસો જરૂરી છે. વિશ્વના દેશોએ માર્કેટ ઈકોનોમિના સિદ્ધાંતોનું પાલન કરવાની જરૂર છે, અને પરસ્પર સંવાદ વધારવાની જરૂર છે.
સોનુ-ચાંદી, શેરમાર્કેટ અને રેર અર્થના વિષયો પર થતી ચર્ચા, અભિપ્રાયો તથા પ્રવર્તમાન પ્રવાહોને લઈને તદ્વિષયક તજજ્ઞો, માર્કેટીંગ સેકટર તથા જન-સામાન્યના બુદ્ધિજીવી વર્ગમાંથી પ્રતિ-પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે, જેનો નિચોડ એવો નીકળે છે કે નાણામંત્રીના સોના-ચાંદીના ભાવોના ઉતાર-ચઢાવ અંગેનો અભિપ્રાય ભલે તથ્યપૂર્ણ હોય, તો પણ પ્રવર્તમાન પ્રવાહોમાં દેશનો સામાન્ય નાગરિક અટવાઈ ન જાય અને ભારતીય કરન્સી તથા અર્થતંત્રમાં ભારતીયો તથા લોકલ-ગ્લોબલ ઈન્વેસ્ટરોનો વિશ્વાસ જળવાઈ રહે, તેની જવાબદારી તો સરકારની જ ગણાય.
રેર અર્થને લઈને ચીન ભલે હવે ડાહી ડાહી વાતો કરે, પરંતુ અત્યાર સુધી સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના કરનાર ચીનનો જરાયે ભરોસો કરી શકાય તેમ નથી, તેવી જ રીતે અમેરિકાએ ભલે પ૦ દેશોની બેઠક બોલાવીને આ મુદ્દે ચીનને પડકાર્યું હોય, પરંતુ ભારતે તેમાં સહયોગ અને સમર્થન પણ સમજી વિચારીને કરવું જોઈએ, અને ચીન સામે અમેરિકા ભારતના ખભે રાખીને બંધુક ન ફોડે, તેની સાવચેતી રાખવી પડે તેમ છે.
બીજી તરફ એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે કે માત્રને માત્ર શેરબજારમાં જ રોકાણ કે બચત કરવી જોઈએ અને વેન્ડિંગ કે કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાથી તદ્દન દૂર રહેવું જોઈએ, તેવું તો કહી શકાય નહીં, પરંતુ એવું કહી શકાય કે બચત અથવા ઈન્વેસ્ટમેન્ટ પૂરેપૂરી સમજદારી સાથે અને વ્યક્તિગત તથા દેશનો વિકાસ થાય, તેવી રીતે "પ્રોડકટીવ" હોવું જોઈએ, ગેમ્બલીંગની જેમ પણ ન હોવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશની રાજનીતિમાં કેટલાક શબ્દો અને વાક્યો રૂઢીપ્રયોગો અને કહેવતોની જેમ વપરાતા હોય છે, પરંતુ તેમાંથી પક્ષો અને નેતાઓ પોતે બોધપાઠ લેતા હોતા નથી અને તેથી આ પ્રકારના વાક્યપ્રયોગો ઘણી વખત રિવર્સ થઈને બૂમરેંગ પૂરવાર થતા હોય છે. ઘણાં નેતાઓ-પક્ષો કેટલીક વખત એવું બોલી નાખતા હોય છે, જેના કારણે પાર્ટીની છબિ ઝંખવાતી હોય છે અને વ્યક્તિગત છાપને પણ નુકસાન થતુ હોય છે એટલે જ કહેવાય છે ને કે, થુંકયુ ગળી શકાતુ નથી અને બોલાયેલા શબ્દોની અસરો પાછી ખેંચી શકાતી નથી કે ભૂસી શકાતી નથી.
રાજનીતિમાં તો "અભી બોલા અભી ફોક" જેવી હરકતો વધી રહી છે એન પોતાના જ નિવેદનો ફેરવી તોળવા, યુ-ટર્ન લેવો કે પછી તેમના નિવેદનનું અર્થઘટન જ અધુરૃં કે ખોટું કર્યુું હોવાનો બચાવ કરવાની તો જાણે ફેશન આવી ગઈ હોય તેમ જણાય છે. પહેલા તો જિલ્લા કે બહુ બહુ તો પ્રદેશ કક્ષાના કેટલાક જ નેતાઓ આવું કરતા જોવા મળતા હતા, પરંતુ હવે તો રાષ્ટ્રીય કક્ષાના જ નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ, મોટા મોટા દેશોના વડાઓ અને પોતાને મહાસત્તા ગણાવતા અમેરિકા જેવા શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ કક્ષાના નેતા પણ હવે ગોળ ગોળ નિવેદનો કરતા હોય છે અથવા સાચા-ખોટા દાવાઓ કરતા હોય છે, કે પછી પોતે જ કરેલું નિવેદન ફેરવી તોળતા જોવા મળે છે.
અત્યારે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ ફેરવી તોળવાના ગ્લોબલ એક્સપર્ટ ગણાય છે અને એટલે જ તેમણે ભારતનો ટેરિફ ઘટાડયો હોવાના નિવેદન સાથે જે કાંઈ કહ્યું છે, તેનો કોઈ ભરોસો કરતું નહોતું, પરંતુ ભારત સરકાર અને વ્હાઈટ હાઉસ તરફથી કેટલીક ચોખવટો થઈ અને પિયુષ ગોયલે કેટલીક સ્પષ્ટતાઓ કરી તેમ છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી તદૃન બંધ કરી દેવાની બાબતે ગઈકાલે રાત સુધી ગુંચવણ પ્રવર્તતી હતી. આમ, પણ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આખી દુનિયા માટે વિશ્વસનિય નેતા રહ્યા નથી. એ જુદી વાત છે કે ટેરિફ ઘટાડયા પછી ઘણાં લોકોને ટ્રમ્પ "શાંતિદૂત" જેવા લાગ્યા હશે !
સંસદમાં અધ્યક્ષ પર કાગળો ફેંક્યા પછી આઠ સાંસદો સસ્પેન્ડ થયા છે. એ પહેલાં ગઈકાલે સંસદમાં વિવિધ મુદ્દે હોબાળો થયા પછી રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારે પ્રેસરમાં છે અને દેશહિત સાથે બાંધછોડ કરી રહ્યા છે, અને ગભરાયેલા છે, ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પોતાની છબિ ખરડાતી અટકાવવા મોદીએ માન્ય રાખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી "કોમ્પ્રોમાઈઝડ"છે. કરોડોના ખર્ચે બનાવેલી ઈમેજનો ફુગ્ગો ફુટવાની તૈયારીમાં છે. ભારત-અમેરિકાની ટ્રેડ ડીલમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોની મહેનત વેચી નાખી છે. તેમણે દેશ વેચી નાખ્યો, તેથી મને બોલવામાં રોકવામાં આવી રહ્યો છે."
રાહુલ ગાંધી આટલેથી અટક્યા નહીં, પરંતુ તેમણે ઉમેર્યું કે "જે લોકોએ મોદીની ઈમેજ બનાવી છે, તેઓ જ એ ઈમેજને ખંડિત કરી રહ્યા છે. અમેરિકામાં અદાણી પર કેસ ચાલી રહ્યો છે, અને એપસ્ટિન ફાઈલ્સમાં હજુ ઘણી જાણકારી જાહેર થઈ નથી. આ બે "પ્રેસર પોઈન્ટ" છે, જેના કારણે વડાપ્રધાન મોદી પર પ્રેસર છે."
રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલ્સનો જે આક્ષેપ કર્યો છે, તે ગંભીર ગણાય અને આ મુદ્દે અત્યારે ગ્લોબલ ટોક નો વિષય છે. એપસ્ટિન ફાઈલ્સમાં તો વિશ્વના ઘણાં દિગ્ગજોના નામ છે, અને તેમાં નામ હોવાની ચર્ચાના કારણે રાહુલ ગાંધીએ પછેડીમાં બાંધીને પાંચશેરી મારી હોય તેવો ઘાટ સર્જાયો છે. રાહુલ ગાંધીના આ નિવેદન પછી કેન્દ્રીય મંત્રીઓ તથા એનડીએના નેતાઓ પણ વિપક્ષ પર વળતા પ્રહારો કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે યૌન શોષણના અપરાધી જેફરી એપસ્ટિન સાથે સંકળાયેલા ૩૦ લાખથી વધુ પેઈજના દસ્તાવેજો સાર્વજનિક થયા છે, જેમાં દુનિયાની દિગ્ગજ હસ્તીઓના નામ હોવાની ચર્ચા છે. એવું કહેવાય છે કે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ ૨૦૧૭ની ઈઝરાયલની યાત્રાને એપસ્ટિન સાથે સાંકળીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, ભારત સરકારના વિદેશ મંત્રાલયે કોઈ ઈ-મેઈલને સાંકળતા આ અહેવાલોમાં કોઈ તથ્ય જ નહીં હોવાનું જણાવીને ધરમૂળથી પાયા વિહોણી પ્રકારની ચર્ચાને નિરર્થક ગણાવી હતી. વડાપ્રધાને સત્તાવાર પ્રવાસ કર્યો હોય, તેને સાંકળીને તદૃન વાહીયાત વાતો વહેતી થઈ હોવાનું જણાવી ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ કથિત ઈ-મેઈલની તમામ વાતોને બકવાસ ગણાવીને તેને રદિયો આપ્યો હતો.
કોંગ્રેસના પ્રવક્તાને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ પવન ખેડાએ સવાલ ઉઠાવ્યો હતો કે જેફરી એપસ્ટિન પાસેથી કયા પ્રકારની સલાહ લેવામાં આવી હતી ? જેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડયા હતા. સરકાર તરફથી સત્તાવાર રદિયો આપ્યા પછી પણ આ મુદ્દો રાજધાની દિલ્હીમાં ચર્ચાસ્પદ રહ્યો હતો.
હવે રાહુલ ગાંધીએ ટ્રમ્પ ટેરિફના મુદ્દે થયેલી ડીલ સાથે સાંકળીને તેમાં એપસ્ટિન ફાઈલ્સનો કથિત ઉલ્લેખ કર્યા પછી આ મુદ્દો ફરીથી ગરમાયો છે...
આ તરફ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પછી પૂરેપૂરી સ્પષ્ટતા તથા વિગતવાર માહિતી ભારત સરકારે અધિકૃત રીતે જાહેર કરી નહીં હોવાથી બટકબોલા ટ્રમ્પે જે કાંઈ કહ્યું છે, તેને ધ્યાને લઈને ખેડૂતો અને પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે, તો ત્રણ કૃષિ કાયદાનું આંદોલન ચલાવનાર ખેડૂત સંગઠનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. સરકાર જેને ઐતિહાસિક ડીલ ગણાવે છે, અને અર્થતંત્ર માટે ગેમ-ચેઈન્જ ગણાવી રહી છે, તથા આ ડીલમાં ખેડૂતો-પશુપાલકોના હિતો સુરક્ષિત રહેશે, તેવો દાવો કરી રહી છે, તેના પર સંયુક્ત કિસાન મોરચાએ ઘેરી આશંકાઓ વ્યક્ત કરી છે.
વર્ષ ૨૦૨૦-૨૧માં મોદી સરકારને ઘુંટણીયે પાડનાર સંયુકત કિસાન મોરચા સહિતના ખેડૂત સંગઠનોમાંથી તિવ્ર પ્રત્યાઘાતો મુજબ મોદી સરકારે અમેરિકન વસ્તુઓ પર શૂન્ય ટકા આયાત ડ્યુટી મંજુર કરીને સ્થાનિક ખેડૂતોના હિતો જોખમમાં મુકયા છે. અમેરિકા જંગી સબસીડી સાથે ભારતીય બજારોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની બજારો અમેરિકાના કૃષિ ઉત્પાદનોનું ડમ્પીંગ કરશે, જેથી ભારતના ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળે...વગેરે...વગેરે...
હવે ભારત અને અમેરિકાના સૂચિત સંયુક્ત નિવેદન તથા આખી ડીલની તલસ્પર્શી વિગતો સત્તાવાર રીતે જાહેર થાય, તેની જ રાહ જોવાઈ રહી છે, અને આ મુદ્દો સડકથી સાંસદ સુધી પડઘાઈ રહ્યો છે, ખેડૂત સંગઠનો પણ સામ્રાજ્યવાદી અમેરિકન રાષ્ટ્રપતિ સામે વડાપ્રધાન અને ભારત સરકાર ઝુકી ગઈ હોવાના આક્ષેપો કરવા લાગ્યા છે, ત્યારે હવે સત્તાવાર ઘોષણા તથા વિગતવાર પારદર્શક રીતે ડીલની વિગતો જાહેર થાય, તેની જ રાહ જોવી રહી..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે શેરમાર્કેટ ખુલતા જ ઉભરો આવ્યો અને સેન્સેકસ નિફટીમાં જબરો ઉછાળો આવ્યો. ગઈકાલે હજુ બજેટના પ્રત્યાઘાતો આવી રહ્યા હતા અને બજેટની જોગવાઈઓ સમજવાનો પ્રયાસ થઈ જ રહ્યો હતો, ત્યાં જ સંસદમાં બજેટસત્રના પ્રારંભે જ રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણ પર લોકસભામાં ચર્ચા દરમ્યાન વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ અચાનક એવો મુદ્દો ઉઠાવ્યો કે સરકાર હચમચી ગઈ, અને ટ્રેઝરી બેન્ચ પરથી આ મુદ્દા સામે જબરદસ્ત વિરોઘ થતાં ગૃહમાં હોબાળો સર્જાયો. આ કારણે વારંવાર ગૃહ મોકુફ રહ્યું અને ગૃહની કામગીરી ચાલી નહીં તેથી બીજા દિવસ સુધી ગૃહ મોકુફીની જાહેરાત થઈ ગઈ. જો કે, રાજ્યસભાની કાર્યવાહી દિવસભર ચાલી.
રાહુલ ગાંધીએ ચીનની સેના ભારતમાં ઘુસી હતી, તેવું પૂર્વ સેનાધ્યક્ષનું કથિત અને અપ્રકાશિત પુસ્તકના આધારે કહ્યું હોવાનો દાવો કરીને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે વાંધો ઉઠાવ્યો અને એવી ચોખવટ થઈ કે રાહુલ ગાંધી કોઈ મેગેઝિનના આધારે આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા, તો ગૃહમંત્રી અમીત શાહે મેગઝિનને આધારભૂત કેવી રીતે ગણી શકાય ? તેવો સવાલ ઉઠાવ્યો. લોકસભાના અધ્યક્ષે સેનાની ટીકા થાય, તેવી વાત ન થાય, અને રાષ્ટ્રપતિના ભાષણ પર જ વાત થવી જોઈએ, તેવો આગ્રહ રાખ્યો હતો પરંતુ ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.
સંસદની આ ઘટનાની ચર્ચાએ બજેટમાં થયેલી જોગવાઈઓ કે બજેટની ખૂબી-ખામીઓની ચર્ચાને પાછળ છોડી દીધી હતી અને ગઈકાલે સાંજ સુધી સંસદમાં થયેલી કાર્યવાહી અને ખાસ કરીને લોકસભામાં રાહુલ ગાંધીની સટાસટીની ચર્ચા થતી રહી હતી. પરંતુ બજેટની જેમ સાંજ થતા શરૂ થયેલી આ ચર્ચાને પણ એક બ્રેકીંગ ન્યુઝે પાછળ છોડી દીધી હતી, અને તે બ્રેકીંગ ન્યુઝ એ હતા કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થયા પછી, વધારાનો ટ્રમ્પ ટેરિફ ૨૫ ટકાના બદલે ૧૮ ટકા જ રહેશે.
એવી જાહેરાત થઈ કે એક મહત્ત્વપૂર્ણ ટ્રેડ ડીલ ભારત અને અમેરિકા વચ્ચે ફાયનલ થઈ ગઈ છે. આ બ્રેકીંગ ન્યુઝ આવ્યા પછી તેને કન્ફર્મ કરવામાં વાર લાગી હતી. અને ખુદ વડાપ્રધાને આ અંગેના સંકેતો આપ્યા પછી આ અહેવાલો માત્ર ટોક ઓફ ધ નેશન નહીં, પરંતુ ગ્લોબલ ટોકનો મુદ્દો બની ગયા હતા અને પ્રાદેશિક અને નેશનલ જ નહીં, પરંતુ દુનિયાભરની વિદેશી ન્યુઝ ચેનલોએ પણ આ અહેવાલને અગ્રીમતાથી પ્રસારિત કર્યા હતા, અને તે પણ ટેલિવિઝન ટોકીંગનો વિષય પણ બન્યા હતા. તે પછી મોડી રાત સુધીમાં આ અહેવાલો સોશ્યલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયા હતા.
જો કે, ગઈકાલે જયારે એવું જાહેર થયું કે ભારત પરનો ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરી દીધો છે, ત્યારે અસમંજસ પણ ઊભી થઈ હતી, કારણ કે ભારત પર ટ્રમ્પે કુલ ૫૦ ટકા ટેરિફ લાદ્યો હતો, તેમાં ૨૫ ટકા રેસિપ્રોકલ ટેરિફ તથા ૨૫ ટકા રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ વધારાના ૨૫ ટકા ટેરિફનો સમાવેશ થતો હતો. ગઈકાલે જે પહેલા જાહેરાત થઈ તે ૨૫ના બદલે ૧૮ ટકાની થઈ, એટલે કે ૭ ટકાનો ટેરિફ ઘટાડાયો અને ૪૩ ટકા ટેરિફ રહ્યો, તેવું પ્રારંભિક રીતે સમજાયુ હતું. જો કે, આ રીતે વલણ બદલાયા પછી ભારત અને અમેરિકા વચ્ચે તંગદિલી ઘટશે, તેવી આશા ફળીભૂત થતી જણાતી હતી. પરંતુ ભારતીય સમય મુજબ મધ્યરાત્રિ પછી ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ચોખવટ કરી હતી કે કુલ ૫૦ ટકા ટેરિફ હતો, તે ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે.
રશિયા પાસેથી ભારત ક્રૂડની ખરીદી નહીં કરે, તેવી શરત રખાઈ હતી. એ ઉપરાંત ટ્રમ્પે સ્વયં પણ એવો સંકેત આપ્યો કે હજુ ભારત-અમેરિકા વચ્ચે શૂન્ય ટેરિફનું લક્ષ્ય છે, અને સર્જિયો ગોરે પણ એવું કહ્યું કે હજુ પણ એક શાનદાર ડીલ થવાની છે, તેનો અર્થ એવો થાય કે ભારત-અમેરિકા વચ્ચે બગડેલા સંબંધો ફરીથી પહેલા જેવા ગાઢ-પ્રગાઢ થશે. જો કે, ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદવા તથા અમેરિકા-વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ખરીદશે, તેવો દાવો કર્યો છે, તેના સંદર્ભે કદાચ મોદી સરકાર પર પણ ટિપ્પણીઓ થઈ રહી છે, અને કોંગી નેતા જયરામ રમેશે કહ્યું છે કે ટ્રમ્પ સામે મોદી ઢીલા પડી ગયા છે, અને મોદી સરકાર "ટ્રમ્પ નિર્ભર" છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જનતા વતી ટ્રમ્પનો આભાર માન્યો, તો ટ્રમ્પે ભારત પ્રત્યે કૂણું વલણ દાખવ્યું અને મોદીને મિત્ર ગણાવીને ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી, બંનેએ પરસ્પર પ્રશંસા કરી,અને ૫૦૦ બિલિયન ડોલરના ભારતીય વ્યાપારનો કોણીએ ગોળ ચોંટાડ્યો, તે બધા મુદ્દાઓને સાંકળતા એવું કહી શકાય કે અંતે ટ્રમ્પે ઝુકવું પડયું છે.
ભારતની યુરોપિયન કન્ટ્રીઝ સાથે કરેલી તાજી ડીલ તથા (રશિયાને વિશ્વાસમાં લઈને) વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ખરીદવા તથા અન્ય દેશો સાથે વ્યાપાર વધારવાના પ્રયાસો તથા બ્રિક્સના દેશો વચ્ચે પરસ્પરના ચલણમાં જ વ્યાપાર કરીને અમેરિકન ડોલરને અગવણવાનો વ્યૂહ અપનાવ્યો, તેની અસરો પડી હોય તેવું જણાય છે. જો કે, ગત મધ્યરાત્રિ પછી પણ ટેરિફના ઘટાડાના અર્થઘટન અંગે કન્ફ્યુઝનની સ્થિતિ યથાવત રહી હતી, જે આજે સવારે કાંઈક અંશે સ્પષ્ટ થઈ હતી.
સંસદ ચાલુ હોવાથી ટ્રમ્પ ટેરિફમાં ઘટાડાના મુદ્દે સંસદમાં સરકાર સ્પષ્ટ અને વિગતે માહિતી આપશે, તેવી ધારણા હતી અને આ મુદ્દો સંસદ સંકુલમાં પડઘાશે, તે નક્કી જણાતુ હતું, અને તે પછી આજે સંસદમાં જે કાંઈ બની રહયું છે તે આપણી સામે જ છે.
આજે સવારે સંસદમાં મોદી સરકાર વિરૂદ્ધ નારેબાજીના કારણે લોકસભા બપોર સુધી ચાલી શકી નહોતી. પરંતુ બપોરે ૧૨ વાગ્યા પછી બંને ગૃહોમાં ચર્ચા શરૂ થઈ હતી, તે દરમ્યાન ટ્રમ્પ ટેરિફના ઘટાડાનો મુદ્દો સંસદ સંકુલમાં પડઘાતો રહ્યો હતો. વિરોધપક્ષોએ રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદવાની તથા ૫૦૦ બિલિયનના વ્યાપારની શરત અંગે આલોચના કરતા મોદી સરકાર અમેરિકા સાથે થયેલી ડીલની તમામ વિગતો સત્તાવાર રીતે જાહેર કરે તેવી માંગણી ઉઠાવી હતી. વિપક્ષી નેતાઓએ મોદી ટ્રમ્પ સામે ઝુકી ગયા હોવાના આક્ષેપો કર્યા હતા, અને ભારત સાથેની ડીલની જાહેરાત અમેરિકાએ કરી, તે અંગે વ્યંગબાણો છોડયા હતા, તો અખિલેશ યાદવે ભારતની કૃષિ બજાર અમેરિકા માટે ખોલી નાખી હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે. આજે સવારે એનડીએના સંસદીય દળને સંબોધતા વડાપ્રધાને આ ડીલ દેશ માટે હિતકારી હોવાનો ઉલ્લેખ કર્યો પરંતુ ડીલની વિગતવાર વાત કરી નહીં. તે પછી વિપક્ષી નેતાઓ વડાપ્રધાન મોદી પર તડાપીટ બોલાવી રહ્યા છે. આજે મોડી રાત્રે અમેરિકાના સમકક્ષ સાથે ભારતના કેન્દ્રીય મંત્રીની વાટાઘાટો પછી જ આ ડીલ અંગે વિગતવાર જાહેરાત થશે, તેવી ધારણા વચ્ચે સરકાર કદાચ બજેટસત્ર ચાલુ હોવાથી સંસદમાં જ આ અંગે નિવેદન આપે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે, જોઈએ...શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પહેલી ફેબ્રુઆરીના દિવસે રવિવાર હોવાથી ગઈકાલે સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૬-૨૭નું વાર્ષિક નાણાકીય બજેટ રજૂ કર્યું. બજેટનું વાચન (પ્રસ્તૂતિ) હજુ થઈ જ રહી હતી કે શેરબજાર તરત જ પછડાયું, અને તે પછી દિવસભર રિકવર જ થયું નહોતું.
બજેટની પ્રસ્તૂતિ પછી વિરોધપક્ષોએ આ બજેટને નિરાશાજનક, ખાલી ડબ્બા જેવું, હમ્પ્ટી-ડમ્પ્ટી, જનવિરોધી અને બોગસ ગણાવ્યુ, તો વડાપ્રધાને આ બજેટને વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યની બુનિયાદ જેવું ગણાવ્યું. એનડીએના અન્ય નેતાઓએ આ બજેટને આગામી ૨૫ વર્ષનો રોડમેપ, ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રકચરની દિશામાં નિર્ણાયક કદમ, સુધારાઓ અને અપેક્ષાઓની પૂર્તિ કરતુ કદમ, ગરીબ, મહિલા, યુવા, ખેડૂત ઉપરાંત પશુપાલન પર ભાર મુકતુ અને તમામ વર્ગોને સમાવી લેતુ બજેટ ગણાવ્યુ, એટલેે એવું કહી શકાય કે રાજનેતાઓએ આપેલા પ્રત્યાઘાતો તદૃન તટસ્થ કે આખા બજેટનો અભ્યાસ કરતા પહેલા જ અંતિમ અભિપ્રાયો આપી દીધા હોય તેમ લાગે છે, જો કે, રાહુલ ગાંધીએ પોતાનો અંતિમ અભિપ્રાય સંસદમાં રજૂ કરશે, તેમ પણ કહ્યું અને પ્રાથમિક દૃષ્ટિએ બજેટને ખોખલુ પણ ગણાવ્યું.
બજેટ રજૂ થયા પછી સાંજ થતા થતા થોડો-ઘણો અભ્યાસ કર્યા પછીના જે પ્રતિભાવો-પ્રત્યાઘાતો આવવા લાગ્યા, તે ચોક્કસ આંકડાઓ, દૃષ્ટાંતો, આર્થિક સર્વેક્ષણ સાથેની સરખામણી, અગાઉના બજેટો તથા વિવિધ સેકટરોમાં થયેલી જોગવાઈઓ તથા બજેટની ત્વરીત અને દૂરગામી અસરોની ચર્ચા પણ થવા લાગી હતી. ગઈકાલે મોડીરાત્રે ન્યુઝ ચેનલોમાં બજેટને થોડું-ઘણું સમજ્યા પછી પણ નેતાગણના આખરી અભિપ્રાયો તો પોતપોતાની પાર્ટીલાઈનને અનુરૂપ જ રહ્યા, પરંતુ તટસ્થ રીતે અભ્યાસ કરીને અભિપ્રાયો તથા તારણો કેટલાક જાણીતા અર્થશાસ્ત્રીઓએ સચોટ રીતે રજૂ કર્યા અને સરકાર તથા નેતાગણને દર્પણ પણ દેખાડયું.
એક તરફ નેતાઓ અને નિષ્ણાતો બજેટ અંગે જુદા જુદા એન્ગલ્સથી અભિપ્રાયો આપી રહ્યા હતા, ત્યારે સામાન્ય જનતાની દૃષ્ટિએ આ બજેટ પછી શું મોંઘુ થશે, અને શું સસ્તુ થશે, તેની કુતૂહલ સાથે વાટ જોવાતી હતી. એક જમાનો એવો પણ હતો કે જયારે કેન્દ્રીય બજેટ રજૂ થાય ત્યારે "આકાશવાણી"ના સમાચાર સાંભળવા લોકો રેડિયો કાને માંડીને બેસતા, તો જયારે સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ થતું તે જમાનામાં બીજા દિવસે સવારના અખબારોમાં આખા બજેટનું વિગતવાર વિવરણ પ્રસિદ્ધ થતું હતુ અને અખબારો ચપોચપ વેચાઈ જતા હતા. તે પછી ઘણાં દિવસો સુધી અખબારોમાં પ્રત્યાઘાતો અને અભિપ્રાયો છપાતા હતા. ઘણાં અખબારો બજેટ રજૂ થયા પછી સાંજના સમયે "વધારો" પણ બહાર પાડતા હતા, અને સવાર-બપોર(સાંધ્ય)ના દૈનિકોની જબરદસ્ત માંગ રહેતી હતી. મહત્ત્વપૂર્ણ બ્રેકિંગ ન્યુઝ હોય ત્યારે તે સમયે "નોબત" સહિતના સાંધ્ય દૈનિકો પણ "વધારો" બહાર પાડતા હતા.
આજે યુગ બદલાયો છે અને બજેટની લાઈવ પ્રસ્તૂતિ આપણે જોઈ શકીએ છીએ. આ કારણે આપણે બજેટને પૂરેપૂરૃં સમજીએ તે પહેલા જ અધકચરા પ્રતિભાવો, ટીકા અથવા વાહવાહી અને પૂર્વ નિર્ધારિત મંતવ્યો, કોમેન્ટોનો પ્રવાહ શરૂ થઈ જાય છે. શાસક પક્ષના નેતાઓ અને સમર્થક વિભૂતિઓ બજેટની વાહવાહી કરે છે, જ્યારે વિપક્ષો તથા તેના સમર્થક તજજ્ઞો બજેટની ટીકા કરે છે, પરંતુ સામાન્ય જનતાને જે જાણવુ હોય છે, તે ભાગ્યે જ સમજાતુ હોય છે.
જો કે, જીએસટી કાઉન્સિલ અમલી બન્યા પછી ૯૦ ટકા કરવેરાનો નિર્ણય પ્રતિવર્ષ અને જરૂર પડયે સમયાંતરે મળતી જીએસટી કાઉન્સ્લિની બેઠકમાં લેવાતા હોય છે, અને એ કાઉન્સિલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના નાણામંત્રીઓ સામેલ હોય છે. આ કારણે હજુ પણ કેન્દ્ર સરકાર હસ્તક જે કરવેરા લાદવાની સત્તાઓ છે, તેની જ ઈન્તેજારી રહેતી હોય છે, તેથી ગઈકાલે જે બજેટ રજૂ થયું, તેમાં સામાન્ય જનતાને કેટલો તત્કાળ ફાયદો થયો અથવા કઈ અપેક્ષા સંતોષાઈ નહીં, તેની ચર્ચા તત્કાળ વ્યાપકપણે અને તથ્યો સાથે પૂરેપૂરી થઈ રહી હોય, તેમ જણાતુ નથી. જો કે, બીજા દિવસે આ તમામ વિગતોની ચર્ચા થવા લાગે છે.
પહેલાના જમાનામાં શું સસ્તુ થશે, અને શું મોંઘુ થશે, તેની લાંબી યાદી થતી હતી, પરંતુ હવે થોડીક જ ચીજવસ્તુઓની કિંમતો પર કેન્દ્રીય બજેટની અસર થતી હોય છે.
ગઈકાલના બજેટમાં થયેલી જોગવાઈઓ મુજબ એપ્રિલ-૨૦૨૬ થી કેન્સર અને સુગરની ૧૭ દવાઓ, ડિજિટલ ગેજેટ્સ, કપડા, લેધર આઈટમ્સ અને સિન્થેટિક ફૂટવેર, માઈક્રોવેવ ઓવન, મિશ્ર સીએનજી, સોલાર, ગ્લાસ અને ઈલેકટ્રીક વ્હીકલ્સ, વિદેશ પ્રવાસ અને વિમાનનું ઈંધણ વગેરે સસ્તા થશે. તે ઉપરાંત ૭ જેટલી ગંભીર દવાઓ તથા વિમાનના સ્પેરપાર્ટસ પણ સસ્તા થશે. જો કે, મોજશોખની શરાબ અને સિગારેટ જેવી ચીજવસ્તુઓ મોંઘી થશે. તે ઉપરાંત ખનિજ પદાર્થો અને સ્ક્રેપ મોંઘા થશે. બ્રાસ સ્ક્રેપના વેચાણ પર ૧ ટકા ટીડીએસ નાબૂદ કરવાના બદલે ડબલ કરી દેવાયો છે. પરંતુ નાના ઉદ્યોગો માટે વિશેષ સવલતો જાહેર થઈ છે, તેવા મિશ્ર પ્રારંભિક પ્રત્યાઘાતો આવી રહ્યા છે.
ઉડતી નજરે બજેટને જોઈએ તો બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે કરાયેલી જંગી ફાળવણી "ઓપરેશન સિંદૂર" હજુ ચાલુ હોવાથી થઈ હોવાની સંભાવનાઓ તથા દેશની ફરતે પડોશી દેશો સાથેની સરહદોનું રક્ષણ કરવાના ઉદૃેશ્યથી આવું થયું હોઈ શકે છે. ઈન્કમ ટેકસના સ્લેબ યથાવત રખાયા છે, એટલે કે રૂ।. ૧૨ લાખની આવક સુધી ઈન્કમટેકસ નહીં,લાગે. જો કે, સ્ટાન્ડર્ડ ડિડકશન હજુ વધુ વધારવાની અપેક્ષા નાણામંત્રીએ સંતોષી નહીં હોવાથી નોકરિયાત-મધ્યમવર્ગ થોડો નિરાશ થયો હશે.
બજેટમાં ગુજરાત-પાકિસ્તાન વચ્ચે જળ અને જમીન સરહદની રક્ષામાં રૂ।. ૫૨૬૬ કરોડની ફાળવણી ઉપરાંત દેશમાં ૭ હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત થઈ, સુરતથી પ.બંગાળ સુધી માલગાડીનો વિશેષ ટ્રેક શરૂ કરવાની ઘોષણા થઈ. ટિયર-૨ અને ટિયર-૩ શહેરોના વિકાસ, શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ, દીકરીઓ માટે જિલ્લા ના મથકે હોસ્ટેલ્સ, નવા ૩ આયુર્વેદ એઈમ્સ, સી-માર્ટસ યોજના, ખેલો ઈન્ડિયા મિશનનું વિસ્તૃતિકરણ ટેકસની સિસ્ટમમાં સરળતા, બૌદ્ધ સરકીટ, જામનગરમાં નિર્માણાધીન ડબલ્યુએચઓ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરમાં પાંચ વર્ષમાં એક લાખ સ્પેશિયાલિસ્ટ પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય, પશુપાલન ક્ષેત્રે વધુ પ્રોત્સાહનો, વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય, ડેટા સેન્ટરો પર કરમૂક્તિ અને ઓરેન્જ ઈકોનોમિની જાહેરાતોને પણ પ્રો-પબ્લિક ગણવામાં આવે છે. જયારે, રેર અર્થ કોરિડોરની જાહેરાત ચૂંટણીલક્ષી ગણાય છે.
બીજી તરફ કોંગ્રેસની પત્રકાર પરિષદમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ટ્રમ્પ ટેરિફ, ઈન્વેસ્ટરોની મુંઝવણ, ભારતમાંથી રોકાણ ઘટવાની શરૂઆત, એમએસએમઈની હાલત, બેરોજગારી અને શહેરી વિસ્તારોમાં કથળતી સુવિધાઓ અંગે બજેટમાં કાંઈ નથી, તેવું જણાવ્યું, તો મમતા બેનર્જી, અખિલેશ યાદવ, શશિ થરૂર, શત્રુઘ્ન સિંહા, મલવિંદર સિંહ સહિતના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ તથા પ્રાદેશિક જિલ્લા કક્ષાના નેતાઓએ પણ બજેટની જુદા જુદા એંગલથી આલોચના કરી છે. પરંતુ "તમને શું લાગે છે ?"
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણાં પ્રાચીન શાસ્ત્રો-ગ્રન્થોમાં ઘણી એવી કથાઓ છે, જે સાંપ્રત સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે અને રાજનૈતિક અને રણનૈતિક આંટીઘુંટીઓને સમજવા અને ઉકેલવામાં મદદરૂપ થાય તેમ છે, એટલું જ નહીં કેટલી કથાઓ ગૂઢાર્થમાં છે, જેનો મર્મ સમજવો પડે. જો એ ગૂઢાર્થનું મૂળ હાર્દ સમજાઈ જાય,તો સાંપ્રત સમયની કેટલીક ગૂઢ અને ગુંચવાયેલી સમસ્યાઓને ઉકેલવાની ચાવી પણ તેમાંથી જ મળી શકે છે. કેટલાક રહસ્યો તથા તેના ઘટસ્ફોટની કથાઓ ઘણું શિખવનારી હોય છે, તો કેટલીક કથાઓ પ્રવર્તમાન વૈશ્વિક પ્રવાહોના સંદર્ભમાં એકદમ બંધબેસતી આવે છે.
એક એવી જ કથામાં ધ્રુવ તપસ્ચર્યા કરીને અચલપદ પામ્યો, તે પછી જ્યારે જંગલમાંથી પાછો આવ્યો, ત્યારે તે સૌપ્રથમ પોતાની સગી માતા કે પિતાને પ્રણામ કરતા પહેલા પોતાની એ જ અપરમાતા (સાવકી માતા)ને પગે લાગ્યો, જેમણે પોતાના પુત્રના મોહમાં તથા રાજાપરનું વર્ચસ્વ તથા રાજવારસાની લાલચમાં ધ્રુવને રાજા અને ધ્રુવના પિતાના ખોળામાં બેસતો અટકાવીને ધ્રુવને જંગલમાં મોકલી દીધો હતો. ધ્રુવે કહ્યું હતું કે જો તેમની અપરમાં એ તેમને જંગલમાં ન મોકલ્યો હોત, તો આજે તે અચલપદ ન પામ્યો હોત, અને તપશ્ચર્યા કરવાનો માર્ગ મળ્યો જ ન હોત. આ રીતે ધ્રુવે સકારાત્મક અભિગમ અને હકારાત્મક વિચારધારા (પોઝિટિવ થિન્કીંગ)નો પ્રેરણાદાયી પરિચય પણ આપ્યો હતો.
આજે પણ જે વૈશ્વિક પ્રવાહો ચાલી રહ્યા છે અને પરસ્પર દુશ્મનાવટ ધરાવતા દેશો અથવા સરહદી કે અન્ય વિવાદો અથવા મતભેદો ધરાવતા દેશો નજીક આવી રહ્યા છે અને ચીન, રશિયા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકા જેવા બ્રિકસ સંગઠનો દ્વારા અમેરિકન ડોલરનો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે, વ્યાપાર, ઉદ્યોગ અને સંરક્ષણ ક્ષેત્રમાં સમીકરણો બદલી રહ્યા છે, અને ટ્રમ્પ ટેરિફને કાઉન્ટર કરવા નવા નવા કરારો થઈ રહ્યા છે, તેનો યશ પણ બાકીના વિશ્વએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ આપવો જોઈએ, કારણ કે ધ્રુવની અપરમાતાની જેમ જો ટ્રમ્પે ટેરિફ તથા અન્ય મનસ્વી નિર્ણયો લીધા ન હોત તો આ તમામ દેશો વચ્ચે નજદીકી વધી ન હોત અને તંગદિલી ઘટી ન હોત. આ બધું ટ્રમ્પની તુમાખીને જ આભારી ગણાય ને ?
આવું જ કાંઈક આપણા દેશની રાષ્ટ્રીય રાજનીતિમાં પણ બની રહ્યું છે. એક તરફ તો ચૂંટણીપંચની એસઆઈઆરની પ્રક્રિયા સામે વિપક્ષો આગબબૂલા છે અને જામનગરમાં કોંગ્રેસે હાલારના ૬૮ હજાર નામો મતદારયાદીમાંથી હટાવવાના આક્ષેપ સાથે ધગધગતી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેવી જ રીતે દેશભરમાં કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયા સામે સવાલ ઉઠાવી રહ્યા છે, એટલું જ નહીં, આ બધું ભાજપના ઈશારે જ થઈ રહ્યું હોવાના સણસણતા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.
તે ઉપરાંત યુજીસીના નવા નિયમો પર સુપ્રિમકોર્ટે સ્ટે આપ્યા પછી આ મુદ્દે કેન્દ્ર સરકાર બેકફૂટ પર ભલે જણાતી હોય, પરંતુ હકીકતમાં તો આ પ્રક્રિયાની બુનિયાદ જ ખોખલી હતી અને યુજીસીના નવા નિયમો બનાવાયા જ એવી રીતે હતા કે પ્રથમ દૃષ્ટિએ જ તે શંકાસ્પદ જણાય અને તે કોઈને કોઈ પ્લેટફોર્મ પર પહોંચીને પટકાઈ જાય, અને તેનો વાસ્તવિક અમલ થતો જ અટકી જાય, (આ મુદ્દે હમામમેં સબ નંગે હૈ...ની કહેવત મુજબ બધા પક્ષોની મૂકસંમતિની આશંકાઓ પણ ઉઠી રહી છે)
એસઆઈઆર અને યુજીસીના મુદ્દાઓ ઉપરાંત શંકરાચાર્યજીના ગંગાસ્નાન સહિતના એવા મુદ્દા ઉઠયા કે જેથી તાજેતરની ચૂંટણીઓ પછી વેરવિખેર જણાતા વિપક્ષો ફરીથી એકજૂથ થવા લાગ્યા છે અને લોકસભાની ચૂંટણી પહેલા જેવી રીતે "ઈન્ડિયા" ગઠબંધન રચાયુ હતું, તેવી જ રીતે ફરીથી વિરોધપક્ષો એકજૂથ થઈને મોદી સરકાર સામે મોરચો માંડે...આ એકજૂથતા માટે ધ્રુવની જેમ કઈ અપરમાતાને યશ આપવો જોઈએ, તે કહેવાની જરૂર ખરી ?
ગુજરાતમાં પણ એક અલગ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહેલી જોવા મળે છે, અને રાજ્ય સરકારમાં ગૂપચૂપ અને આયોજનપૂર્વક સત્તાનું હસ્તાંતર થઈ રહ્યું હોય, તેવી જ હીલચાલ થઈ રહેલી જોવા મળે છે, અને પ્રદેશ કક્ષાના અંતરંગ વર્તુળોમાં થતી ગૂસપૂસ આ સ્થિતિને વર્ષ ૨૦૧૫માં આનંદીબેન પટેલની સરકારના સમયગાળાના માહોલ સાથે સાંકળી રહી છે. રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલ હતા, તે સમયે જેવી રીતે "સુપર સી.એમ."ની ચર્ચા થતી હતી, તેવી જ રીતે રાજ્યમાં ફરીથી સુપર સી.એમ. ની ચર્ચાઓ થવા લાગી છે. અને રાજ્ય સરકારના વહીવટમાં કોનું કેટલું ચાલે છે અને કોનું કેટલું ઉપજે છે, તેની વ્યંગાત્મક વાતો પણ વહેતી થઈ રહી છે. આ સ્થિતિ ઊભી થઈ, તે માટે પણ ધ્રુવની જેમ કઈ અપરમાતાને યશ આપવો જોઈએ, તે વિચારવું તો જોઈએ જ ને ?
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ।. ૧૮૬૦ કરોડનું બજેટ મ્યુનિ. કમિશનરે સ્ટેન્ડીંગ કમિટીને સુપ્રત કર્યું છે અને હવે કમિટી તેમાં સુધારા-વધારા કરીને જનરલ બોર્ડમાં મૂકશે. પહેલેથી થતું આવ્યું છે, તેમ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપાતી સેવાઓ પરના કરવેરામાં નવેક કરોડ રૂપિયાનો કુલ વધારો સૂચવાયો છે, તેમાં સ્ટેન્ડીંગ કમિટી કાપ મૂકશે અને કેટલાક સૂચિત વધારા રદ કરશે. આ વખતે પ્રોપર્ટી ટેકસમાં કમિશનરે વધારો સૂચવ્યો નથી, પરંતુ ગટર, પાણી, કચરા કલેકશન વગેરે સેવાઓ પર વધારો સૂચવ્યો છે, અને તેમાં સ્ટેન્ડીંગ કમિટી કાપ મૂકશે, તે પણ નક્કી જ છે., જો આ વખતે આ બજેટમાં રાહત મળે અને ફૂલગુલાબી અંતિમ બજેટ રજૂ થાય, તો સમજવું કે ધ્રુવની અપરમાતાની જેમ નગરજનોને "ચૂંટણીમાતા"ના આશીર્વાદ મળ્યા છે !!
આવતીકાલે કેન્દ્રનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે, ત્યારે બજેટમાં ક્યા કયા સેકટરો, વર્ગો અને પ્રદેશોને કેવી અને રાહતો મળી શકે છે, તેની અટકળો થઈ રહી છે, પરંતુ તે પહેલાં જ શેરબજારની જેમ સોના-ચાંદીની માર્કેટમાં પણ જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. જો કે, તેની પાછળ વૈશ્વિક પરિબળોને વધુ જવાબદાર ગણાવાઈ રહ્યા છે, ભારત માટે ડોલર સામે રૂપિયો વધુને વધુ ઘસાઈ રહ્યો છે અને પછડાઈ રહ્યો છે, તે ચિંતાનો વિષય છે.
સોના-ચાંદી પર બજેટમાં આયાત ડ્યુટી ઘટવાની સંભાવનાઓ સહિતના પરિબળોના કારણે ગઈકાલે માર્કેટમાં કડાકો બોલ્યો, અને આજે અન્ય અપેક્ષાઓની સામે સંભાવનાઓ અને સંકેતોની અસરો પણ જોવા મળશે. દેશભરમાંથી વિવિધ અપેક્ષાઓ સામે આવી રહી છે. મોરબીના સિરામીક સેકટર ઉપરાંત જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ પણ સ્પેશિયલ રાહત પેકેજની ઘોષણા કેન્દ્રીય નાણા બજેટમાં થાય, તેવી અપેક્ષા રાખી રહ્યું છે. તે ઉપરાંત કેપિટલ ગેઈનની વસુલાત તથા ટીડીએસને લઈને પણ આશાવાદી છે.
આશા રાખીએ કે નિર્મલાબેન દેશની સામાન્ય જનતાને "પણ" લક્ષ્યમાં રાખીને આવતીકાલે કેન્દ્રીય બજેટ રજૂ કરે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે આખી દુનિયામાં અજંપો, અનિશ્ચિતતાઓ અને અવિશ્વાસનો માહોલ છે, અને ગ્લોબલ માર્કેટ ગોટે ચડી ગયું હોય તેમ જણાય છે. શેરબજારમાં થતા ઉતાર-ચઢાવના કારણે રાતોરાત ઈન્ડોનેશિયાના એક ઉદ્યોગપતિને અબજો ડોલરનો ફટકો પડયો હોવાના અહેવાલો હોય કે સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યા પછી થયેલો ઘટાડો હોય, કે પછી ડોલર સામે રૂપિયો નબળો પડયો હોય, આ બધા દૃષ્ટાંતો દુનિયાની ડામાડોળ દશા દર્શાવે છે. અમેરિકન ડોલર જ્યારે નબળો પડે, ત્યારે સામાન્ય રીતે રૂપિયો મજબૂત થાય, પરંતુ ગઈકાલે અમેરિકન ડોલર તૂટવા છતાં રૂપિયો વધુ તૂટયો, જેના કારણે ફુગાવો વધુ ઝડપથી વધવાની સંભાવનાઓ વધી ગઈ છે અને આવું થવાના કારણોની ચર્ચા થવા લાગી.
ફોરેન એકસચેઈન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો જયારે ૯૨ની સપાટીએ પહોંચ્યો, એટલે કે એક અમેરિકન ડોલર સામે રૂ।. ૯૨નો ભાવ પહોંચ્યો, ત્યારે નવો ઈતિહાસ સર્જાયો અને તે પછી નહીંવત સુધારો થયો, પરંતુ આ સ્થિતિ ભારત અને એશિયન બજારોને ડામાડોળ કરનારી નિવડી. એ પછી આવું થવાના કારણોની ચર્ચા પણ થવા લાગી.
હકીકતે અમેરિકાની ફેડરલ રિઝર્વે એટલે કે ત્યાંની રિઝર્વ બેંકે વ્યાજદરમાં અપેક્ષા મુજબનો ઘટાડો કર્યો નહીં. અને યથાવત રાખ્યા, તેની સીધી અસર વિશ્વની અન્ય કરન્સીઓ પર પણ થઈ. આ કારણે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૦.૧૭ ટકા ઘટી ગયો, અને તેની અસર ફોરેન એક્સચેઈન્જ પર થઈ.
ગ્લોબલ માર્કેટમાં ક્રૂડના ભાવોમાં આવેલી તેજીના કારણે પણ ભારતમાં રૂપિયો પ્રેસરમાં આવ્યો હોવાનું તારણ ગ્લોબલ માર્કેટના તજજ્ઞો કાઢી રહ્યા છે. મુંબઈ શેરમાર્કેટમાં તેજીના કારણે રૂપિયો વધુ તૂટતા અટકયો હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. આમ છતાં આ બંને પરિબળોના કારણે ગ્લોબલ માર્કેટના પ્રવાહોની સીધી વિપરીત અસરો જોવા મળી રહી છે.
અમેરિકાની એચ.બી. વિણની કડક બનેલી નીતિ, વૈશ્વિક અશાંતિ અને આર્થિક ક્ષેત્રની અનિશ્ચિતતાઓના કારણે અમેરિકામાં જોબ માર્કેટ તથા ફુગાવાની અસરો હેઠળ નજીકના ભવિષ્યમાં પણ ફેડરલ રિઝર્વ વ્યાજદરો ઘડાડે, તેવી સંભાવનાઓ ઓછી હોવાના સંકેતો પણ અમેરિકન ઈકોનોમિસ્ટો આપી રહ્યા છે.
વિશ્વમાં કરન્સીના ભાવોમાં હાલમાં જબરી ઉથલ-પાથલ જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ડોલર સ્વીસ કરન્સી સામે પટકાયો અને લગભગ એક દાયકાના ઈતિહાસમાં પહેલી વખત તળિયે પહોંચ્યો, તેવી જ રીતે ડોલર સામે બ્રિટિશ પાઉન્ડના ભાવો સાડા ચાર વર્ષની ટોચે પહોંચ્યા છે., જયારે ઓસ્ટ્રેલિયાનો ડોલર પણ છેલ્લા ત્રણ વર્ષમાં પહેલી વખત અમેરિકન ડોલર સામે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. ન્યુઝીલેન્ડના ડોલરે પણ ચાલુ વર્ષે પહેલી વખત અમેરિકન ડોલર સામે તેજી દેખાડી છે, જ્યારે ચાઈનીઝ કરન્સી તથા યુરોપિયન કરન્સી યુરો પણ ડોલર સામે તેજીમાં રહ્યા હતા, પરંતુ ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે પ્રારંભમાં નબળો પડીને પછી ગઈકાલે થોડો સુધર્યો હતો, અને તેની પાછળ ભારતીય અર્થનીતિ, રાજનીતિ, કૂટનીતિ અને વૈશ્વિક સ્પર્ધાની મક્કમ રણનીતિ જેવા પરિબળો હોવાના મિશ્ર મંતવ્યો સાથેના પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
ગઈકાલે ભારતમાં સોના-ચાંદીના ભાવો રેકર્ડબ્રેક સપાટીએ પહચ્યા, તેની પાછળ પણ ગ્લોબલ માર્કેટના ઉતાર-ચઢાવ અને કરન્સી માર્કેટની અનિશ્ચિતતાઓના કારણે અસુરક્ષાની સામાન્ય જનતાની ભાવના તેમજ સોના-ચાંદીને સુરક્ષીત એસેટ્સ માનવાના જનમાનસની અવધારણાઓ હોવાનું માનવામાં આવે છે. જો કે, પહેલા રેકર્ડબ્રેક સ્થિતિએ પહોંચ્યા પછી સોનાના ભાવોમાં ૪ ટકા જેવો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદી પણ ૬ ટકા જેટલી તૂટી હતી. ગઈ મોડી રાત્રે આ પ્રકારનો બદલાવ અમેરિકન ડોલરની નબળાઈની ભારતીય માર્કેટ સુધી મોડેથી પહોંચેલી અસરો ઉપરાંત સોના-ચાંદીના ભાવો જ્યારે વિક્રમજનક સપાટીએ પહોંચ્યા, ત્યારે અચાનક વેચવાલીમાં વધારો થયો, તેના કારણે આવ્યો હોવાનું પણ કહેવાય છે. આ બંને કિંમતી ધાતુઓમાં જ્યારે સર્વોચ્ચ સપાટીએ ભાવ પહોંચ્યા ત્યારે ઊભી થયેલી નફાકારક સ્થિતિનો લાભ માર્કેટના ખેલાડીઓ તથા સોના-ચાંદીના વૈશ્વિક વેપારીઓએ ઉઠાવ્યો હોવાના તારણો પણ નીકળે છે. તે ઉપરાંત સામાન્ય જનતાના ઉચ્ચ મધ્યમવર્ગો બચત તરીકે સોના-ચાંદીની ખરીદી શેરમાર્કેટની અનિશ્ચિતતાના કારણે ઈન્વેસ્ટમેન્ટના વિકલ્પના સ્વરૂપમાં કરી રહ્યા હોય, તેઓએ પણ નફાકારક સ્થિતિમાં વેચાણ કર્યું હોય, તેવી અસરોના કારણે પણ મોડી રાતે સોના-ચાંદીના ભાવોમાં ચાર-છ ટકાનો કડાકો બોલ્યો હોય, તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે.
આ સ્થિતિ ભારતની સામાન્ય જનતાને અકળાવનારી છે. કારણ કે, આવું જ રહ્યું તો મોંધવારી વધુ વધશે. એવું કહેવાય છે કે ભારત અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર વધતા ટ્રમ્પ ટેરિફના કારણે ઊભી થયેલી સ્થિતિ સામે લડી શકાશે અને વ્યાપારની સાથે સાથે પૂરક રોજગારીની તકો પણ વધશે. એવું પણ કહેવાય છે કે ટૂંક સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે પણ એક ઐતિહાસિક ટ્રેડ ડીલ થશે. જો એવું થશે તો પણ તેના પરિણામો હવે આવતા નાણાકીય વર્ષ સુધીમાં જ આવશે, તેથી ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ના છેલ્લા ક્વાર્ટરમાં તો સ્થિતિ પડકારરૂપ જ રહેવાની છે, અને જનતા અનિશ્ચિતતાઓના આંધીમાં અટવાતી જ રહેવાની છે.
ગઈકાલે ભારતીય શેરમાર્કેટમાં પ્રારંભિક કડાકા પછી ઝડપી રિકવરી સાથે તેજી જોવા મળી, તેની પાછળ નાણામંત્રીએ સંસદમાં રજૂ કરેલા ઈકોનોમિક સર્વેની સકારાત્મક પ્રતિક્રિયાઓ તથા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ માટેનો અપેક્ષિત આશાવાદની અસરો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, અને અમેરિકાની રિઝર્વ બેંકે વ્યાજદરો યથાવત રાખ્યા પછી પણ ભારતીય શેરમાર્કેટમાં તેજી જળવાઈ રહી તેને સારો સંકેત પણ માનવામાં આવી રહ્યો છે.
આજે પણ ભારતીય શેરબજારમાં પ્રારંભિક કડાકો જોવા મળ્યો હતો અને મેટલ સેકટર ચર્ચામાં રહ્યું છે, અને ખુલતી બજારે ગ્લોબલ અસરો જોવા મળી રહી છે. અને બપોર સુધીનો ઉતાર-ચઢાવ માર્કેટની અનિશ્ચિતતાઓ દર્શાવે છે. જો કે, સવારે સોના-ચાંદીનો ચળકાટ જળવાઈ રહ્યો હતો તે પછી બપોર સુધીની સ્થિતિ આપણી સામે જ છે, અને બજાર તૂટી છે.
બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રને લઈને આશાવાદી સંકેતો ઈકોનોમિકલ સર્વેમાં દર્શાવાયા છે. વર્ષ ૨૦૨૬-૨૭માં અર્થતંત્રનો આર્થિક વૃદ્ધિનો દર અંદાજ ૬.૮ ટકાથી ૭.૨ ટકા મૂકાયો છે. એવું પણ જણાવાયુ છે કે આગામી વર્ષના આર્થિક દરના આ અંદાજોથી વૃદ્ધિ દર વધી પણ શકે છે.
આ અંદાજો ટ્રમ્પ ટેરિફ અને અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલની સ્થિતિ તથા તાજેતરમાં થયેલા યુરોપિયન સંગઠનો સાથેના કરારોની અસરો પડે, તે પહેલાના છે, તેથી જો ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ જાય અને "મધર ઓફ ડીલ" ગણીને યુરોપિયન યુનિયન સાથેની વ્યાપાર સમજૂતિની અમલવારી થાય, તથા ટ્રમ્પ ટેરિફ ઘટે, તો આ અંદાજો કરતા વૃદ્ધિદર ઘણો વધી શકે છે, તેવો આશાવાદ પણ દર્શાવાઈ રહ્યો છે.
અર્થતંત્ર અને આર્થિક વૃદ્ધિદરની આ બાબતો ભલે સામાન્ય જનતાને સરળતાથી સમજાતી ન હોય કે વ્યાપાર-ઉદ્યોગ તથા સેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો સુધી મર્યાદિત જણાતી હોય, પરંતુ હકીકત એ છે કે આ તમામ સામાન્ય બાબતોની પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો સામાન્ય જનતાને પણ થતી જ હોય છે, તેથી જ શાસન-પ્રશાસન અને ખાસ કરીને કેન્દ્ર સરકારે સામાન્ય જનતાના હિતો તથા સુખાકારીને ધ્યાને લઈને જ આર્થિક નિર્ણયો લેવા જોઈએ અને રણનીતિ ઘડવી જોઈએ. દેશની આર્થિક સ્થિતિ સુદૃઢ હોય, તો તેનો લાભ જનતાને થાય, તે નિર્વિવાદ હકીકત છે, પરંતુ દેશની આર્થિક વિકાસની દોટમાં ગરીબો વધુ ગરીબ થતા જાય અને અમીરો વધુ અમીર થતા જાય, તેવું તો ન જ થવું જોઈએ ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હાલારમાં હિમાલયની હિમવર્ષાની અસર પડી રહી હોય તેવી કડકડતી ઠંડી પડી રહી છે અને તેની માઠી અસરો જનજીવન પર પણ પડી રહી છે. બીજી તરફ ગઈકાલે બારામતીમાં પ્લેન ક્રેશ થતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન અને તે દુર્ઘટનાના કારણે છવાયેલા શોક તથા મમતા બેનર્જી અને અખીલેશ યાદવ સહિતના વિપક્ષના નેતાઓએ ઉઠાવેલી આશંકાઓ અને સુપ્રિમકોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસની માંગણીની તરફેણ અને વિરોધના અભિપ્રાયો-પ્રત્યાઘાતોની ચર્ચા મીડિયા-સોશ્યલ મીડિયામાં જોરશોરથી થઈ રહી છે, અને એ બધા વચ્ચે ગઈકાલે ટી-૨૦માં ત્રણ વિજય મેળવ્યા પછી ચોથી મેચ ભારતીય ક્રિકેટ ટીમ હારી કેમ ગઈ, તેના વિશ્લેષણો પણ થઈ રહ્યા છે. તો બીજી તરફ કોલંબિયામાં પણ પ્લેન ક્રેશમાં ત્યાંના સાંસદ સહિત ૧૫ લોકોના જીવ ગયા હોવાના ગમખ્વાર અહેવાલોએ હવાઈ સેવા સામે પ્રશ્નાર્થચિહ્ન લગાવી દીધું છે.
ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થયા પછી હવે લોકોની નજર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર મંડાયેલી છે, ત્યારે કયાંક સહકારી સંસ્થાઓની જેમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પણ કોઈ કારણ બતાવીને પાછળ, તો ઠેલી નહીં દેવાય ને ? તેવા સવાલો ઉઠી રહ્યા છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને જ જામનગરમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ ફટાફટ વિવિધ વિકાસકામો, પ્રોજેકટો તથા વહીવટી અને તાંત્રિક ખર્ચાઓને મંજુરી આપી હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની હતી. બીજી તરફ હજુ એસઆઈઆરની પ્રક્રિયા પૂરી થઈ નથી અને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ નથી, ત્યાં ફોર્મ નં. ૭ ના સામૂહિક પેંતરાની ફરિયાદો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી ઉઠી રહી હોવાથી આ વિવાદ શાંત થવાનું નામ જ લઈ રહ્યો નથી. આ કારણે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછળ ઠેલાઈ શકે છે, તેવા અનુમાનોને બળ મળે છે. જો એવું થાય તો મુદ્દત પૂરી થઈ જતી હોય તેવી પંચાયતો-પાલિકા-મહાનગરપાલિકાઓમાં ફરી એકવાર વહીવટદારો નિમાય અને કામચલાઉ અમલદારશાહી સ્થપાય, તેવી શક્યતાઓ પણ રહેતી હોવાથી આ મુદ્દે વિપક્ષો જ નહીં, શાસક પક્ષના નેતાઓ-કાર્યકરોમાં પણ અજંપો ઉઠે એ સ્વાભાવિક છે, જો કે, આ બધા માત્ર અનુમાનો છે અને વહીવટી તંત્રમાં એવી કોઈ હિલચાલ જોવા મળી રહી નથી, પરંતુ રાજયમાં વધી રહેલી એન્ટી-ઈન્કમ્બન્સી તથા શાસકપક્ષમાં વધી રહેલા આંતરિક અસંતોષને જોતા હવે સમજદારીપૂર્વકનું જોખમ ઉઠાવવું કે પછી ચૂંટણીઓ પાછળ ઠેલવી તેની વિચારણા કરીને જ આગળની રણનીતિ ઘડાશે તેમ જણાય છે.
આમ, તો એસઆઈઆરની સઘળી પ્રક્રિયા રાજ્ય અને કેન્દ્ર ચૂંટણીપંચ દ્વારા થતી હોવાથી ચૂંટણીઓનું સમયપત્રક તૈયાર કરવાની જવાબદારી પણ ચૂંટણીપંચની જ રહેતી હોવાથી સરકારને સીધી રીતે કોઈ લેવા-દેવા હોતી નથી, પરંતુ સંલગ્ન વ્યવસ્થાઓ તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, પરીક્ષાઓ, તહેવારો, મોસમ, લગ્નગાળો અને ભૌગોલિક સ્થિતિ વગેરે તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને ચૂંટણીઓ માટેનું ટાઈમ-ટેબલ નક્કી થતું હોવાથી સરકાર અને ચૂંટણીપંચ વચ્ચે તાલમેલ અને સંકલન થવું પણ જરૂરી હોય છે અને સરકારી તંત્રો જ ચૂંટણીપંચની ફરજો પણ બજાવતું હોવાથી મૂળભૂત ફરજો અને સરકારી કામો વગેરેનું પણ ધ્યાન રાખવું પડતુ હોય છે. આ કારણે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અત્યારે તો માત્ર અટકળો જ કરી શકાય, બાકી તો "ઉપરી"ની ઈચ્છા બળવાન !
જામનગર ભાજપમાં ગઈકાલે ધમધમાટ જોવા મળ્યો હતો અને પ્રેસ-મીડિયામાં પણ શહેર ભાજપની નવી ટીમની ચર્ચા વ્યાપક રીતે થઈ રહી હતી. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ પ્રદેશ હાઈ કમાન્ડ સાથે પરામર્શ કરીને ગઈકાલે ૪૨ સભ્યોની શહેર ભાજપની નવી ટીમ જાહેર કરી હતી, જેમાં કેટલીક મહત્ત્વની પોષ્ટ પર હોદ્દેદારો રિપિટ કરાયા હતા, તો કેટલાક નવા ચહેરાઓ પણ ઉમેરાયા હોવાની ચર્ચા હતી.
શહેર ભાજપ પ્રમુખે મંત્રીઓ, મહામંત્રીઓ, ઉપપ્રમુખો, સોશ્યલ મીડિયા, આઈ-ટી, અને મીડિયા ઈન્ચાર્જ વગેરે હોદ્દાઓ પર કેટલાક હોદ્દેદારો રિપિટ કર્યા છે, તો કેટલાક નવા, યુવા અને મહિલા કાર્યકર્તાઓને પણ સ્થાન અપાયું છે. આ ઉપરાંત શહેર ભાજપના યુવા મોરચા, બક્ષીપંચ, મહિલા, કિસાન, અનુસૂચિત જાતિ, લઘુમતિ વગેરે મોરચાઓના હોદ્દેદારોની નિમણૂકો પણ કરી છે અને તેનો આ નવી ટીમમાં સમાવેશ થયો હોવાનું જાહેર થયું છે. આ નવી ટીમની જવાબદારી હવે મહાનગરપાલિકાની આગામી ચૂંટણી જીતાડવાની રહેશે.
આ નવી ટીમની જાહેરાત થતાં જ ગઈકાલે શહેર ભાજપમાં ધમધમાટ જોવા મળી રહ્યો હતો, અને આ નવી ટીમ પણ આગામી ચૂંટણીઓના સમીકરણો તથા કાર્યકર્તાઓના આંતરિક સંકલનને ધ્યાનમાં રાખીને જ બનાવાઈ હોવાની ચર્ચા પણ થઈ રહી હતી, તો અંતરંગ વર્તુળોમાં કાંઈક અલગ જ પ્રકારની ચર્ચા ચાલી રહી હોવાનું પણ કહેવાય છે.
જે હોય તે ખરૃં, પરંતુ હવે ગુજરાતમાં પ્રદેશકક્ષાએ જગદીશ પંચાલની નવી ટીમથી લઈને જિલ્લા-શહેરોની સંગઠન શક્તિની પણ પરીક્ષા થવાની છે, કારણ કે આ વખતે ભાજપ માટે પંચાયત, પાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણી જીતવી એ સીધા ચઢાણ જેવી હશે અને સરળ નહીં હોય, તેવા તારણો નીકળી રહ્યા છે અને કેટલાક જિલ્લાઓમાં રાજ્ય-રાષ્ટ્રીયકક્ષાની રાજનીતિના અસંતુષ્ટો ગૂપ્ત રીતે અત્યંત સક્રિય છે, અને તેઓને અનુકૂળ "ગોઠવણ" નહીં થાય તો ખરે ટાણે બળવો કરવા કે પક્ષમાં રહીને જ તાકાત કરવાના મૂડમાં હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
ગઈકાલે એવી ચર્ચા પણ હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પબુભા માણેકના ધર્મોત્સવમાં હાજરી આપવા જ્યારે દ્વારકા આવશે, ત્યારે તેની સમક્ષ હાલારના કેટલાક મહત્તમ મુદ્દા તથા પ્રશ્નો તો રજૂ થશે જ, સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લઈને પણ કોઈને કોઈ ચર્ચા તો જરૂર થશે જ, તે પછી સાંજે આપણે જાણવા મળશે કે હકીકતે આ મુલાકાત દરમ્યાન કોઈ પોલિટિકલ ચર્ચા થઈ હતી કે નહીં ?
બીજી તરફ સરકારી કાર્યક્રમોથી પ્રજા પણ કંટાળી ગઈ છે, કારણ કે માત્રને માત્ર સરકારી પ્રચાર જ થઈ રહ્યો હોવાથી કેટલાક નિયમિત રીતે યોજાતા સરકારી કાર્યક્રમો, સમિતિઓની મિટિંગો, ગ્રામસભાઓ વગેરેમાં લોકો જતા જ નથી, તેવા પ્રત્યાઘાતો રાજ્યના તલાટી મહામંડળોમાં પણ પડ્યા છે, તલાટી મંડળે સરકાર સમક્ષ માંગણી કરી છે કે ગામડાઓમાં વર્ષમાં માત્ર બે વખત જ ગ્રામસભા યોજાવી જોઈએ, કારણ કે ગ્રામસભામાં ગ્રામજનો જ આવતા નથી. ઘણી જગ્યાઓ ખાલી જ છે અને ગ્રામસભાઓનો એજન્ડા માત્ર સરકારની વાહવાહી માટે જ હોય અને તેમાં ગ્રામજનોના પ્રશ્નો કે સમસ્યાઓ ઉકેલાતા ન હોય, તથા જવાબદાર અધિકારીઓ જ આવતા ન હોય તો તેનો અર્થ શું ?
આ પ્રકારનો અસંતોષ અને નારાજગી પ્રવર્તતી હોય, ત્યારે તેની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થવાની જ છે અને આ કારણે કદાચ વર્ષ ૨૦૧૫ જેવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પણ આવી શકે છે, તેથી હવામાં ઉડવાની જરૂર નથી, તેવા કટાક્ષો હવે વિપક્ષના નેતાઓ પણ કરવા લાગ્યા છે.
એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજયને લઈને ભાજપે હવામાં ઉડવાની જરૂર નથી, તેવા કટાક્ષો થઈ રહ્યા છે, તો બીજી તરફ સુપ્રિમકોર્ટે કેટલીક રાજ્ય સરકારોને રખડતા આવારા કૂતરાઓના મુદ્દે આડે હાથ લીધી છે. સુપ્રિમકોર્ટે આ મુદ્દે નિમેલા વકીલમિત્રની કેફિયત સાંભળ્યા પછી સુપ્રિમકોર્ટની બેચે કહ્યું છે કે રખડતા કૂતરાઓના મુદ્દે કોઈપણ રાજયોએ પૂરતા કદમ ઉઠાવ્યા નથી અને ખસીકરણ સહિતના મુદ્દે હવાઈ કિલ્લાઓ બાંધી રહ્યા છે. આસામ સિવાય (ગુજરાત સહિત) કોઈપણ રાજયે કૂતરા કરડવાના બનાવોના ડેટા જ આપ્યા નથી, તેથી રાજ્યોના તંત્રોને સુપ્રિમકોર્ટે તતડાવ્યા હતા.
ગુજરાતમાં પણ આવારા કૂતરાઓ અને રખડતા ઢોરના કાયમી ત્રાસનો મુદ્દો ચૂંટણીઓ માટે નિર્ણાયક અને વિપક્ષો માટે પ્રચારનું મુખ્ય ઓજાર બની શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે, અને પ્રથમ દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણની પરંપરા છે, અને આવતીકાલે સંસદમાં આર્થિક સર્વે રજૂ થશે અને પહેલી ફેબ્રુઆરીના કેન્દ્ર સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે, તેમ જાહેર થયું છે, ત્યારે આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે.
હકીકતે પરંપરા મુજબ કેન્દ્ર સરકારે બજેટસત્ર શરૂ થાય, તે પહેલા ગઈકાલે એક ઓલ પાર્ટી મિટિંગ યોજાઈ હતી. આ સર્વપક્ષીય બેઠકમાં ૪૦ જેટલા પક્ષોના ૫૦થી વધુ નેતાઓ હાજર રહ્યા હતા. અને "પ્રથમ ગ્રાસે મક્ષિકા" ની કહેવત મુજબ ગઈકાલે જ સરકાર અને વિપક્ષો વચ્ચે ઘેરા મતભેદો જોવા મળ્યા હતા.
હકીકતે વિરોક્ષપક્ષોએ બજેટસત્ર દરમ્યાન મનરેગાના સ્થાને લાગુ કરાયેલા જી-રામ-જી કાનૂન તથા એસઆઈઆરના મુદ્દે સંસદમાં ફરીથી વિસ્તૃત ચર્ચા કરવાની માંગણી ઉઠાવી હતી, પરંતુ સરકારે નનૈયો ભણી દેતા વિપક્ષો ગિન્નાયા છે.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ આ મુદ્દે સંસદમાં પૂરેપૂરી ચર્ચા થઈ ગઈ, અને કાનૂન બની ગયો, પછી હવે રિવર્સ ગીયર પડી શકે તેમ નહીં હોવાનું જણાવી બજેટસત્રમાં માત્ર બજેટની જ ચર્ચા કરવાની પરંપરાનું પાલન કરવા અને રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ દરમ્યાન વિપક્ષોને વિવિધ મુદ્દે બોલવાની છૂટ મળવાની હોવાથી તે સમયે પોતાની વાત રજૂ કરવી જોઈએ, તેવી સલાહ વિપક્ષોને આપીને હોબાળા નહીં કરવા કે ગૃહમાંથી ભાગી નહીં જવાની ટકોર પણ કરી હતી.
હકીકતમાં વિપક્ષો દ્વારા હોબાળો થાય અને બજેટસત્ર દરમ્યાન વિવાદાસ્પદ મુદ્દાઓ ઉછળે, અને તેની આડમાં અન્ય મહત્ત્વપૂર્ણ તથ્યો તથા નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટી જાય, તો સરકારને પણ દોડવું હોય અને ઢાળ મળી જશે અને હમણાંથી વિકસાવાયેલી સિક્રેટ સિસ્ટમ મુજબ હંગામા વચ્ચે પણ મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો અને બીલો સરકાર પસાર કરાવતી રહેશે, અને બજેટની જોગવાઈઓને બદલે બબાલ તથા વિવાદોના મુદ્દા ચર્ચાતા રહેશે તેવું પણ ઘણાં વિશ્લેષકો માને છે, જ્યારે ઘણાં રાજકીય પંડિતો એસઆઈઆર અને જી-રામ-જીના મુદ્દાઓ ફરીથી ઉછાળવાની સાથે સાથે પ્રવર્તમાન અન્ય મુદ્દાઓ પણ સંસદમાં વિસ્તૃત રીતે ચર્ચાય, અને તેમાં યુજીસી તથા બબ્બે શંકરાચાર્યોના અભિપ્રાયો-મંતવ્યોનો પણ સમાવેશ થાય, તે જરૂરી માને છે.
સંસદમાં એસઆઈઆર અને જી-રામ-જી કાયદાની ચર્ચા ફરીથી શરૂ થાય કે ન થાય, પરંતુ હવે બંને મુદ્દા જનસંસદમાં જરૂર ચર્ચાવા લાગ્યા છે. અને એસઆઈઆરની પ્રક્રિયાના મુદ્દે ખુદ મોદી સરકારે ક્ષોભમાં મુકાવું પડે, તેવી ઘટના ગુજરાતના સૌરાષ્ટ્રમાં બની છે, અને તેના પડઘા પણ સંસદમાં પડશે, તે નક્કી જણાય છે.
બન્યું એવું કે કેન્દ્ર સરકારે ૨૬ જાન્યુઆરીના દેશના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનાર હસ્તીઓને પણ પુરસ્કારો આપવાની જાહેરાત કરી હતી, જેમાં જૂનાગઢના મશહુર તબલાવાદક હાજી કાસમભાઈ, જેઓ "હાજી રમકડું" ના નામથી લોક્પ્રિય છે, તેઓને મદ્મશ્રીનું સન્માન આપવાની જાહેરાત પણ થઈ હતી.
આ "પદ્મશ્રી" હાજી કાસમ (હાજી રમકડું) નું નામ જ મતદાર યાદીમાંથી હટાવવવાની અરજી ભાજપના જ કોર્પોરેટરે કરતા જે હોબાળો મચ્યો છે, તે જોતા આ સ્થિતિ ભાજપના ટોચના નેતૃત્વમાં ક્ષોભજનક જણાય છે. કારણ કે "હાજી રમકડું" ના નામથી આ તબલાવાદક ભજન, સંતવાણી, કવ્વાલી, ગઝલ વગેરેમાં પોતાની આગવી સ્ટાઈલથી તબલાવાદન અને ઢોલક વગાડે છે અને હજારો સ્ટેજ પ્રોગ્રામો તથા અન્ય કાર્યક્રમો કર્યા છે. કલાક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર આ કલાકારે કોમી એકતાનું પણ અનોખુ યોગદાન આપ્યું છે, અને ગાયોના લાભાર્થે સંખ્યાબંધ કાર્યક્રમો કર્યા છે. કેન્દ્ર સરકારે હજુ હમણાં જ તેને "પદ્મશ્રી" જાહેર કર્યા અને શાસક પક્ષના જ કોર્પોરેટરે તેનો મતદાનનો અધિકાર પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે, તેવો સણસણતો આક્ષેપ કરતા કોંગ્રેસે કહ્યું છે કે આ જુઠ્ઠાણાની પરાકાષ્ટા છે.
કોગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ ગોલમાલની પરાકાષ્ટા છે, અને જો હાજી રમકડું જેવી હસ્તી સાથે આવો ખેલ થતો હોય તો સામાન્ય નાગરિકો સાથે શું થતું હશે ?
જો કે, વિવાદ વધતા અરજદાર કોર્પોરેટરે હાજી રમકડું પ્રત્યે સન્માન અને આદર બતાવીને માત્ર તેઓની સરનેઈમ (અટક) અલગ-અલગ હોવાથી સુધારણા કરવાની વાત કરીને વાતને વાળવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે તીર કમાનમાંથી છૂટી ગયું છે અને આ કારણે ભાજપની લીડરશીપ ફિક્સમાં મૂકાઈ ગઈ હોય તેવું લાગે છે, અને આ સંદર્ભે આજે પણ જે કાંઈ થઈ રહ્યું છે અને નિવેદનો આવી રહ્યા છે, તે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ જ છે ને ?
આ પ્રકારના અભિદ્રાવ્ય સાથે અને આ દૃષ્ટાંત સાથે આ મુદ્દો સંસદમાં રજૂ કરીને એસઆઈઆરના મુદ્દે પુનઃ ચર્ચા કરવાની માંગણી વિપક્ષના સાંસદો ગૃહમાં ઉઠાવશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
સંસદમાં બીજો એક મુદ્દો યુ.જી.સી.ના નવા નિયમોનો પણ ગુંજવાનો છે. ઉત્તરપ્રદેશની યોગી સરકાર સામે જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદજીના અપમાનના મુદ્દે પ્રહારો થઈ રહ્યા છે, ત્યારે અન્ય એક મુદ્દે એક બીજા ધર્માચાર્ય મેદાનમાં આવ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જાહેર કરાયેલા "ઈક્વિટી રૂલ્સ-૨૦૨૬" ને લઈને દેશભરમાંજ જનાક્રોશ પ્રગટી રહ્યો છે, ત્યારે અયોધ્યાની તપસ્વી છાવણીના પીઠાધિશ્વર જગદ્ગુરૂ પરમહંસ આચાર્યે યુજીસીનો કાયદો પાછો ખેંચવા અથવા તેમને ઈચ્છામૃત્યુની પરવાનગી આપવાની માંગણી કરતા સનસનાટી ફેલાઈ ગઈ છે. જો કે, કેન્દ્ર સરકાર તરફથી આ કાયદાનો દુરૂપયોગ નહીં થાય, અને સુપ્રિમકોર્ટની દેખરેખ હેઠળની આ વ્યવસ્થા હેઠળ કોઈ ભેદભાવ નહીં થાય, તેવી ખાતરી આપી છે. જેના સંદર્ભે પણ સંસદમાં પડઘા પડવાના છે.
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારની નીતિઓની તરફેણ અને વિરોધમાં એક-એક અધિકારીના રાજીનામા પછી બ્યુરોક્રેટસના રાજનીતિકરણનો મુદ્દો પણ બુદ્ધિજીવીઓમાં ચર્ચાસ્પદ બન્યો છે. જો કે, આ મુદ્દે લગભગ તમામ રાજકીય પક્ષોમાં પૂર્વ બ્યુરોક્રેટસ સામેલ હોવાથી તેના પડઘા સંસદમાં કેવા અને કેટલા પડે છે, તે જોવાનું રહે છે.
હવે આજ થી સંસદમાં હોબાળા, દેકારા-પડકારા અને સંસદ સંકુલમાં વિરોધ-પ્રદર્શનોની આશંકાઓ વચ્ચે એવો આશાવાદ પણ એવો સેવાઈ રહ્યો છે કે સરકાર કેટલાક મુદ્દે વ્યૂહાત્મક પીછેહઠ કરી શકે છે અને યુજીસી-હાજી રમકડુંના સંદર્ભે ઊભા થયેલા વિવાદો તથા ધર્માચાર્યો સાથે સમાધાનની નીતિ અપનાવી શકે છે, પરંતુ તે માટે ઉભય પક્ષે ઈગો છોડીને દેશહિતને જ પ્રાધાન્ય આપવું પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યું છે, અને શાળા-મહાશાળાઓ-સંસ્થાઓથી લઈને દરેક જિલ્લા-તાલુકા-ગામ-શહેરો અને રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય નારાઓ તથા દેશભક્તિના ગીતોની ગુંજ સંભળાઈ રહી છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિદેશી અતિથિઓ તથા દેશના ગણમાન્ય નેતાગણ, કેન્દ્રીય મંત્રીમંડળો, જનપ્રતિનિધિઓ ઉપરાંત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન થયું અને વિવિધ રાજ્યોની ઝાંખી રજૂ થઈ, દેશની સેનાની ત્રણેય પાંખો તથા સુરક્ષાદળોની પરેડ તથા સાંસ્કૃતિક અને ઓપરેશન સિંદૂર સહિતના સ્મરણો તાજા કરતા કાર્યક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યુ.
આજે પ્રજાસત્તાક પરેડમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન પ્રજાસત્તાક દિવસ પરેડમાં મુખ્ય અતિથિઓ ઉપરાંત દેશના સર્વોચ્ચ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે રાષ્ટ્રગીત વંદે માતરમ્ની થીમ રાખવામાં આવી છે અને આ ગીતની ૧૫૦મી વર્ષગાંઠ પણ ઉજવાઈ રહી છે. "જન ગણ મન"ના રાષ્ટ્રગાન તથા દેશભક્તિના ગીત-સંગીતથી ગગન ગુંજી રહ્યું છે, ત્યારે આપણા ગામ-વોર્ડ-નગર-તાલુકા અને જિલ્લામાં ઉજવાઈ રહેલા પ્રજાસત્તાક પર્વ તથા સંલગ્ન સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે દેશભરમાં રાષ્ટ્રનું ગૌરવ અને દેશપ્રેમનો એક અનોખો માહોલ પણ ખડો થઈ ગયો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો લહેરાવ્યા પછી કર્તવ્યપથ પર યોજાયેલી પરેડમાં વિવિધતામાં એકતા અને બહુરંગી પરંપરાઓ, ભવ્ય-દિવ્ય સંસ્કૃતિઓ તથા આપણાં દેશના જાંબાઝોના શોર્ય-વીરતાની સાથે સાથે દેશના વિકાસ અને કર્તવ્યપથની આગેકૂચના પણ ગૌરવપ્રદ દર્શન થયા હતા. આ પરેડ માત્ર ને માત્ર પ્રજાસત્તાક પર્વની ઉજવણીની મુખ્ય પ્રવૃત્તિ જ નહીં, પરંતુ આપણાં દેશની બહુર્મુખી ગરિમાને પણ દ્યૌતક કરી રહી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગુ ઉદ્બોધન કર્યું. આપણાં દેશની લોકતાંત્રિક પરંપરા અને બંધારણીય જોગવાઈઓને અનુરૂપ તૈયાર થતા આ પ્રવચનમાં પ્રવર્તમાન કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવાય અને પ્રશંસા થાય, તે સ્વાભાવિક છે, પરંતુ ગઈકાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રજોગા પ્રવચનમાં કેટલાક દેશહિત, રાષ્ટ્રીય ગૌરવ અને નાગરિકોની ગરિમા વધારતા કેટલાક મુદ્દાઓ પણ સામેલ હતા. તેણીએ રાષ્ટ્રગીત વંદે માતરમ્ના ગૌરવ અને તેના સમગ્ર ઈતિહાસનું પણ વર્ણન કર્યું. તેણીએ સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝને પણ યાદ કર્યા. રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્ત્વ સમજાવ્યું. દેશના વિકસતા અર્થતંત્ર, એક રાષ્ટ્ર, એક બજારનો સિદ્ધાંત અને મહિલાઓની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદારીની વાત પણ કરી. તેણીએ સ્વદેશી પર ભાર મૂકી આત્મનિર્ભર ભારતની વાત કરી. રાષ્ટ્રપતિએ દેશના ખેડૂતો, તબીબો, નર્સો, સફાઈમિત્રો, શિક્ષકો, શ્રમિકો, એન્જિનિયરો, કલાકારો, શિલ્પકારો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, વિશેષજ્ઞો, દેશનું રક્ષણ કરતા સેનાના જવાનો અને આંતરિક અને બાહ્ય સુરક્ષા સંભાળતા તમામ સુરક્ષાદળો તથા સંલગ્ન તંત્રો, કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્થાઓ, એનઆરઆઈ, મહિલાઓ, યુવાવર્ગ, દેશની દીકરીઓની સિદ્ધિઓ, મતદારો, ખેલાડીઓ, આરોગ્ય કર્મીઓ, ગ્રામ્ય કર્મીઓ, અર્થશાસ્ત્રીઓ, દેશની વિવિધતાઓ, ભાષાઓ, વિવિધ સંસ્કૃતિઓ સહિતના અનેક વિષયોને આવરી લીધા હતા. આ ઉપરાંતથી પદમ પુરસ્કારોની જાહેરાત પણ થઈ.
પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુભાંશુ શુકલાને "અશોકચક્ર" સહિત સશસ્ત્રદળોના ૭૦ જવાનોને શાંતિ સમયના સર્વોચ્ચ વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી, તો બે જવાનોને કીર્તિચક્ર પણ આપાશે, તેવું જાહેર થયું હતું.
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેેન્ડ સામેની ટી-૨૦ મેચમાં ધમાકેદાર વિજય મેળવીને ક્રિકેટ રસીયાઓ અને દેશવાસીઓને જાણે કે પ્રજાસત્તાક પર્વની ભેટ આપી દીધી.
ગઈકાલેની મેચનો વિજય સામાન્ય નહીં, પણ અસાધારણ હતો. બૂમ...બૂમ...બૂમરાહની કમાલ અને બોલીંગના પ્રહાર સામે ન્યુઝીલેન્ડની ટીમ માંડ દોઢસોના સ્કોરને વટાવી શકી. તેથી કહી શકાય કે ભારતીય બોલરોના બુલડોઝરે ન્યુઝીલેન્ડની વિકેટ ઈનિંગને કચડી નાખી, તે પછી ભારતીય બેટધરોએ તો ચોક્કા-છક્કા વરસાવીને ન્યુઝીલેન્ડના બોલરોને ધોઈ જ નાખ્યા. માત્ર ૧૦ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરીને ટીમ ઈન્ડિયાએ માત્ર મેચ નહીં, પણ પાંચ મેચોમાંથી ત્રણ મેચ જીતીને શ્રેણી પણ જીતી લીધી છે.
ગઈકાલે ભારતીય બેટધરોની ધમાકેદાર બેટીંગ પણ જોવાલાયક હતી અને તેમાં પણ અભિષેક શર્માની ફટકાબાજી તથા કપ્તાન સૂર્યકુમાર યાદવનું પાછું આવેલું ફોર્મ જોઈને ભારતીય ક્રિકેટ પ્રેમીઓ તો ખુશખુશાલ થઈ જ ગયા હતા, પરંતુ પ્રતિસ્પર્ધી ન્યુઝીલેન્ડની ટીમ પણ પ્રભાવિત થયેલી જણાતી હતી.
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગા સંબોધન અને ટી-૨૦માં ભારતના વિજયથી ફેલાયેલા આનંદના માહોલ વચ્ચે રાજકીય ક્ષેત્રેથી પણ એક એવા બ્રેકીંગ ન્યૂઝ આવ્યા, જેથી પ્રજાસત્તાક પર્વે જ રાજકીય ક્ષેત્રે અચંબા સાથેની હલચલ મચાવી દીધી છે.
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જ વિખ્યાત ભારતીય -અંગ્રેજ (બ્રિટિશ) પત્રકાર માર્ક ટુલીના નિધનના સમાચાર આવ્યા, જેઓએ આઝાદી કાળથી બીબીસી માટે ભારતમાં પત્રકારિત્વ કર્યું હતું.
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ લાલુ પ્રસાદ યાદવના પરિવારનો ડખ્ખો સામે આવ્યા. રાષ્ટ્રીય જનતાદળના કાર્યવાહક પ્રમુખપદે તેજસ્વી યાદવની ઘોષણા થતા જ તેની બહેનને જ તેજસ્વીએ લાલુ પ્રસાદ યાદવની વિચારધારા તથા રાજકીય વારસાનો દ્રોહ કર્યો હોય, તેવી આક્રોશપૂર્ણ ભાવના વ્યક્ત કરીને તેજસ્વી યાદવના કારણે આરજેડી ખોટા હાથોમાં ચાલ્યું ગયું હોવાના આક્ષેપો કર્યા, તો કેટલાક નેતાઓએ કહ્યું કે લાલુ યુગનો અંત આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ આરજેડીનો સાથ છોડી દેવાની માંગણી બળવતર બની રહી હોવાથી ગણતંત્રના દિવસે જ એક ગણરાજ્યના એક અગ્રીમ હરોળના રાજકીય પક્ષમાં આવેલો બિખરાવ (ભાગલા)ની ચર્ચા થઈ રહી છે.
ગઈકાલે રાત્રે જામનગરમાં જેવી રીતે મુખ્ય સંકુલો, સરકારી અને સંસ્થાકીય ઈમારતો તથા બજારો રોશનીથી ઝળહળી, તેવી જ રીતે આપણો દેશ પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ ઝગમગી ઉઠ્યો હતો, તો મંદિરોમાં તિરંગી રોશનીએ દેશની ગરિમા વધારી હતી. દરિયાની વચ્ચે જઈને, દૂર્ગમ પહાડોની ટોચે પહોંચીને તથા ઘનઘોર જંગલોની વચ્ચે પણ આજે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થઈ રહી છે, અને આન-બાન-શાનથી રાષ્ટ્રધ્વજ-તિરંગો લહેરાઈ રહ્યો છે.
નોબત કાર્યાલય અને માધવાણી પરિવાર, "નોબત" સાથે સંકળાયેલા તમામ લોકો, વાચકો, તથા ફોલોઅર્સ સહિત તમામ દેશવાસીઓ અને વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ભારતે ઉપરા ઉપર બીજી ટી-૨૦ ક્રિકેટ મેચ જીતી લીધા પછી પાંચ ટી-૨૦ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ ૨-૦થી આગળ હોવાથી ક્રિકેટ રસીયાઓ તથા દેશપ્રેમીઓને ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણીમાં થયેલ હારની કળ વળી ગઈ હશે. અને આગામી ટી-૨૦ વર્લ્ડકપ માટે આ મેચનો વિજય જો શ્રેણી વિજયમાં બદલાઈ જાય, તો તે "ટોનિક"નું કામ કરશે. ખાસ કરીને સૂર્યકુમાર યાદવનું ફોર્મ પાછુું આવ્યું અને ઈશાન કિશન તથા શિવમ્ દુબેની ફટકાબાજી પછી ટીમ ઈન્ડિયા જૂસ્સામાં હશે.
બીજી તરફ આગામી વર્લ્ડકપની બુનિયાદ મજબૂત બનાવવામાં આ શ્રેણીમાં ખેલાડીઓ પર થતા પ્રયોગો સફળ થતા ટીમ મેનેજમેન્ટ, સિલેકટરો અને બીસીસીઆઈ પણ ખુશ હશે.
ખેલ જગતમાં જેમ ક્રિકેટની ચર્ચા સૌથી વધુ થતી હોય છે, તેવી જ રીતે રાજનીતિમાં સૌથી વધુ ચર્ચા વિવાદાસ્પદ નિવેદનો, આંતરિક ડખ્ખા, ટાંટિયાખેંચ અને સત્તાની સાઠમારીની સૌથી વધુ ચર્ચા થતી હોય છે, તો બીજી તરફ પરસ્પર તીખા-તમતમતા નિવેદનો આપતા રાજનેતાઓ વચ્ચે પણ એક પ્રકારની ગોઠવણ હોય છે. સામાન્ય જનતા પણ હવે સમજી ગઈ કે વાકચાતુર્ય અને ડ્રામેટિકલ ગોકિરાં કરતા રહેતા નેતાઓ એકબીજાના હિતો અને એજન્ડાઓને આગળ વધારતા હોય છે. નેતાગણની સ્વાર્થી ગૂપ્ત મિલીભગતને રાજકીય એખલાસ અને ખેલદિલી ભરી રાજનીતિના રૂડાં-રૂપાળા આભૂષણો પહેરાવી દેવાતા હોય છે.
આપણે વસંત પંચમીની ઉજવણી કરી અને હવે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નગરોમાં ઠેર-ઠેર વિશેષ પ્રકારની સાફસફાઈ થઈ રહી છે, અને જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ આન-બાન-શાાનથી પ્રજાસત્તાક પર્વ ઉજવવાનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. વસંત પંચમીની ઉજવણીના ભાગરૂપે માતા સરસ્વતીનું પૂજન થાય છે અને પ્રજાસત્તાક પર્વે ભારતમાતાનો જયઘોષ થાય છે.
આપણાં દેશમાં માતૃભક્તિ અને નારીશક્તિ પ્રત્યેનો આદર અને પરંપરાગત સંસ્કૃતિના મૂળમાં વસુધૈવ કુટુંબકમ્ ની ઉત્કૃષ્ટ અને ઉદાર ભાવના છે, તે આ ઉજવણીઓથી પૂરવાર થાય છે આપણો દેશ વિવિધતામાં એકતાનું વિશ્વવિખ્યાત દૃષ્ટાંત છે અને આપણાં દેશમાં દંભ ફરેબ અને ભેદભાવને કોઈ સ્થાન નથી, તે આપણાં બંધારણમાંજ પ્રતિબિંબિત થાય છે.
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના પૂજનની સાથે સાથે વિદ્યા આપનારા ગુરૂજનોનું પણ સન્માન કરવામાં આવે છે.
શિક્ષકો, પ્રાધ્યાપકો અને સનાતન સંસ્કૃતિ મુજબનો ધર્મ-સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતા હોય, તેઓ તેઓના ગુરૂજનો પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરે છે. અને વસંત પંચમી તથા ગુરૂ પૂર્ણિમાના દિવસે આ તમામ ગુરૂજનોનું સન્માન કરીને તેના આશીર્વાદ મેળવવામાં આવતા હોય છે.
આ પ્રકારની સર્વસમાવેશી સંસ્કૃતિ ધરાવતા આપણાં દેશમાં જ્યારે જ્યારે સંતો-ધર્મગુરૂઓની અવગણના, અપમાન કે અનાદર થાય છે, ત્યારે ત્યારે સમગ્ર સંત સમાજ એકજૂથ થઈ જાય છે. ખાસ કરીને રાજસત્તા સાથે કોઈપણ કારણે મતભેદો થાય કે સંઘર્ષ જેવી સ્થિતિ ઊભી થાય છે, ત્યારે ત્યારે જનભાવનાઓ હંમેશાં સત્ય, નિષ્ઠા અને આપણી પરંપરાગત સંસ્કૃતિ તથા આદર્શોની સાથે રહેતી હોય છે.
ટૂંકમાં, આપણા દેશની જનતા એટલી પૂખ્ત અને સમજદાર છે કે તેને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને સ્થિતિને સમજતા સારી રીતે આવડે છે.
દૃષ્ટાંત તરીકે ગયા રવિવારે તા. ૧૮મી જાન્યુઆરીના દિવસે સવારે મૌની અમાવસ્યા હતી અને માઘમેળો ચાલી રહ્યો હતો, તે સમયે સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજી અને ત્યાંના તંત્ર વચ્ચે વિવાદ થયો હતો.
આ વિવાદ અંગે જ્યોતિર્મઠના શંકરાચાર્ય અંગે દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સહિતના સંત-મહંતોએ જે પ્રતિક્રિયાઓ આપી છે, તે જોતા યોગી સરકાર ઘેરાઈ રહી હોય, તેમ જણાય છે. તો આ મુદ્દે ઉત્તરપ્રદેશની સરકારમાં જ આંતરિક વિરોધાભાસ હોય, તેવો આભાસ પણ લોકોને થઈ રહ્યો છે.
દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ નાગપુરની ધર્મસભામાં આ પ્રકરણનો ઉલ્લેખ કર્યો, તો વૃંદાવનના સંત સમાજે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવડાવવાની માંગ ઉઠાવી. શંકરાચાર્યની સાથે સાધુ સંતોના કેટલાક સંગઠનોએ હરિદ્વારમાં ધરણાં કર્યા, તો અખાડાના અધ્યક્ષે તંત્ર માફી માંગે, તેવી માંગણી ઉઠાવી છે. આ ઉપરાંત યોગગુરૂ બાબા રામદેવ, મહામંડલેશ્વર રામદાસ મહારાજ, સ્વામી અતુલ કૃષ્ણદાસ મહારાજ, સંત ફલાહારી બાબા વિગેરે પણ વિવિધ પ્રત્યાઘાતો આપ્યા છે, કેટલાક પ્રખ્યાત કથાવાચકોએ પણ આ મુદ્દે પ્રત્યાઘાતો આપ્યા છે. આ બધા પ્રત્યાઘાતોનું તારણ એવું જ નીકળે છે કે જે કાંઈ બન્યુ છે, તે દૂર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનિય હતું અને હવે આ વિવાદનો સન્માનજનક અને સર્વસ્વીકૃત અંત લાવવાની જવાબદારી ઉત્તરપ્રદેશ સરકાર તથા સંત સમાજે ઉઠાવવી જોઈએ., અને જગદગુરૂ શંકરાચાર્ય ધરણાં છોડે, અને બધાનું માન-સન્માન જળવાઈ રહે તેવો ઉકેલ કાઢવો જોઈએ.
એક તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહે છે કે, સંત અને સન્યાસી માટે ધર્મ અને રાષ્ટ્રથી કોઈ મોટું હોતું નથી, પરંતુ કેટલાક "કપટી" લોકો સનાતન ધર્મને નબળો પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે, તો ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદજી ત્રિવેણી સંગમમાં ગંગા સ્નાન કરીને વિવાદનો અંત લાવે તેવી વાત કરી રહ્યા છે, તેથી એવું કહી શકાય કે યોગી સરકારમાં જ સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજી મહારાજના મુદ્દે મત-મતાંતરો છે, અથવા આ પ્રકારના નિવેદનો કરીને યોગી સરકાર ચાલાકી પૂર્વક દૂધ અને દહીંમાં પગ રાખવાનો પ્રયાસ કરી રહી હોઈ શકે છે...અખિલેશ યાદવે શંકરાચાર્યના અપમાનને તમામ સનાતનીઓનું અપમાન ગણાવ્યું, ત્યારે કેટલાક નેતાઓએ તેને તેમની સરકારનો ભૂતકાળ યાદ કરાવ્યો. આ બધા વચ્ચે યોગી સરકાર આ મુદ્દે બેકફૂટ પર આવેલી જણાય છે.
તાજા અહેવાલો મુજબ શંકરાચાર્ય સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજીની ધરણાં દરમ્યાન તબિયત બગડી છે. આ વિવાદે જોર પકડતા અને સંતો-મહંતો-ધર્માચાર્યોના પ્રત્યાઘાતો આવ્યા પછી ઉભય પક્ષે બાંધછોડ કરીને અને જેની ભૂલ હોય, તેમણે ભૂલ સ્વીકારીને અથવા સમગ્ર વિવાદનો સર્વસ્વીકૃત હલ શોધવા મધ્યસ્થી કરીને ઉકેલ લાવવો જોઈએ, તેવા અભિપ્રાયો પણ આવી રહ્યા છે. આ વિવાદ સમાવવા સત્તારૂઢ યોગી સરકારે પહેલ કરીને વધુ સંનિષ્ઠ પ્રયાસો કરવા પડે તેમ છે,અને ઉભય પક્ષે કાનૂની તથા અદાલતી કાર્યવાહીના સંદર્ભે થતા કથિત નિવેદનો અટકાવીને સંતો અને સત્તા વચ્ચેનો સંભવિત સંઘર્ષ ટાળવો જોઈએ, તેવા જનપ્રતિભાવો પણ સંભળાઈ રહ્યા છે, અને એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે આપણી સંસ્કૃતિ અને દેશભક્તિને જોડતા પર્વોની ઉજવણી સમયે આ પ્રકારના વિવાદો ટાળીને રાજધર્મ તથા નાગરિક ધર્મ બજાવવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં આમઆદમી પાર્ટી દ્વારા એસઆઈઆરની પ્રક્રિયામાં ગરબડને લઈને કલેકટરને આવેદનપત્ર અપાઈ રહ્યું છે, તો કોંગ્રેસે શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદજીના અપમાનના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. ભાજપ દ્વારા કોઈ ને કોઈ જાહેર કાર્યક્રમો તો યોજાતા જ રહે છે, પરંતુ શહેર-તાલુકા-જિલ્લા ભાજપમાં પણ કાંઈક આંતરિક હિલચાલ થઈ રહી હોય તેમ જણાય છે. જિલ્લા અને રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીમાં ગુજરાતના તંત્રો વ્યસ્ત છે, તો દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, અને રાબેતા મુજબની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. આ ઘટનાક્રમો વચ્ચે યુરોપિયન ચીફ ગેસ્ટના આગમનના સંદર્ભે પણ તડામાર તૈયારીઓ વિશેષ સ્વરૂપે ચાલી રહી છે, જે ધ્યાનાકર્ષક છે.
એવું કહેવાય છે કે યુરોપના દેશોએ એકજૂથતા બતાવતા ટ્રમ્પ ઢીલાઢફ પડી ગયા અને ગ્રીનલેન્ડ પર આક્રમણ નહીં કરવાનું જાહેર કર્યું, અને ગ્રીનલેન્ડની તરફેણ કરનારા યુરોપના દેશો પર પહેલી ફેબ્રુઆરીથી ઝીંકેલો જંગી ટેરિફ પણ અટકાવી દીધો છે. આ સાથે ટ્રમ્પે ભારત સાથે પણ મહત્ત્વપૂર્ણ ટ્રેડ ડીલના સંકેતો આપ્યા છે, જેને ભારતના કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે આવકાર્યા છે, તેથી ભારતના બિઝનેસ સેકટરમાં એક અકળાવનારું કુતૂહલ અને આશંકાઓ સાથેનો આશાવાદ પણ જાગ્યો છે.
ટ્રમ્પના માત્ર ટેરિફ જ નહીં, પરંતુ શાંતિના પુરસ્કારનું સપનું, વેનેઝુએલાના રાષ્ટ્રપતિની તેમના પત્ની સાથે ધરપકડ (અથવા અપહરણ) અને ગ્રીનલેન્ડને લઈને ધાકધમકીભરી ભાષાશૈલી પછી સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે ટ્રમ્પ ઈચ્છે છે શું ? ટ્રમ્પે પોતાને જ તાનાશાહ જેવા ગણાવ્યા, તેનો મતલબ શું ?
વેનેઝુએલાને નિયંત્રણમાં લઈને ત્યાંના તેલક્ષેત્ર (કુદરતી ક્રૂડના ભંડારો) પર કબ્જો જમાવવો અને ક્રૂડ ઉત્પાદક દેશોને સામ, દામ, દંડ, ભેદ અજમાવીને પણ પોતાના (અમેરિકાના) ઈશારે નચાવવાના ટ્રમ્પના પ્રયાસોએ પૂરવાર કર્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેલનો ખેલ કરી રહ્યા છે અને તેલ (ક્રૂડ) ના ભંડારો પર વર્ચસ્વ જમાવીને તથા દુનિયાના વ્યાપારને ટેરિફનું શસ્ત્ર ઉગામીને અમેરિકાના અર્થતંત્રને વધુ મજબૂત કરવા તથા અમેરિકન ટ્રેડ વધારવામાં ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી રહ્યા હોય, તેવો આભાસ પણ થાય છે.
જે વ્યક્તિ પોતાને શાંતિના નોબેલ પારિતોષિકના હક્કદાર જાહેર કરે અને જ્યારે આ સન્માન ન મળે, ત્યારે તેઓ એવું કહે કે તેઓને હવે શાંતિમાં રસ નથી. તે પછી ઈરાન પર હૂમલાની તૈયારીઓ કરાવે, ગ્રીનલેન્ડ પર કબ્જો કરવા શક્તિ પ્રદર્શનની વાતો કરે અને બીજા દેશોના સાર્વભૌમત્વની અવગણના કરે તથા મન ફાવે તેવી ધમકીઓ આપતા રહે, તેના પર કોઈને ય વિશ્વાસ ન રહે, તે સ્વાભાવિક છે અને આ પ્રકારનું તદૃન બે જવાબદાર વલણ તથા વિચિત્ર વર્તન પછી મિત્રો તથા મિત્રદેશો પણ દૂર ભાગે, તેમાં કાંઈ નવું નથી. પરંતુ ટ્રમ્પની આ ચતુરાઈ અને અલગ જ પ્રકારની વિદેશનીતિ પછી એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે એક નોબેલ વિજેતા મહિલાએ પોતાનો નોબેલનો શાંતિ પુરસ્કાર બક્ષીસ આપવાની વાત કર્યા પછી હવે ટ્રમ્પ શાંતિ પુરસ્કાર નહીં પરંતુ વિશ્વમાં અંધાધૂંધી, અવિશ્વાસ તથા અનિશ્ચિતતાનો નકલી પુરસ્કાર લેવાને લાયક બની રહ્યા છે.
અત્યારે નકલી યુગમાં કદાચ વિદેશનીતિઓમાં પણ નકલ થવા લાગી છે અને વિશ્વ અનેક ગ્રુપોમાં વહેચાવા લાગ્યું છે. ત્યારે એવો સવાલ ફરીથી ઉઠવા લાગ્યો છે કે ક્યાંક વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ તો ધકેલાઈ રહ્યું નથી ને ?
યુએઈમાં રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષિય વાટાઘાટો આજથી શરૂ થઈ છે, તેથી આવતીકાલ સુધીમાં તેના સકારાત્મક પરિણામો આવે અને યુદ્ધ વિરામ થાય, તેવા આશાસ્પદ સાથે આશંકાઓ પણ ઊભી થવા લાગી છે. આમ છતાં આખી દુનિયા રશિયા-યુક્રેનનું યુદ્ધ થંભી જાય, તેવું ઈચ્છે જ છે, કારણ કે ટ્રમ્પે આ યુદ્ધના નામે જ ટેરિફાતંક સાથે દુનિયામાં ઉથલપાથલ મચાવી દીધી છે.
આજે ટ્રમ્પના ટેરિફની સાથે તેની ગ્રીનલેન્ડ પર આધિપત્ય જમાવવાની તેની ઘેલછાની ચર્ચા વચ્ચે અમેરિકાના પરંપરાગત હરિફ (હવે દુશ્મન) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડેન્માર્કની પણ ટીકા કરી અને આ પ્રકરણમાં પોતાને કોઈ રસ નહીં હોવાનું કહીને સૌને અચંબિત કરી દીધા છે. રશિયાએ આવું કરીને યુરોપના દેશોને અને ખાસ કરીને નાટોના મેમ્બર્સને ચોંકાવી દીધા છે, તેમાં પણ પુતિને ગ્રીનલેન્ડનું જે મૂલ્ય દર્શાવ્યું તે ઘણું જ સૂચક છે.
બીજી તરફ દાવોસમાં ટ્રમ્પે બોર્ડ ઓફ પીસની જાહેરાત કર્યા પછી ટ્રમ્પે હાંકેલી ડંફાસોને પણ ગંભીરતાથી વિચારવી જ પડે તેમ છે. હમાસ વિરોધી કદમ ઉઠાવવા તથા ઈઝરાયેલને પ્રોટેકટ કરવા ટ્રમ્પની આ ચાલબાજીમાં પાકિસ્તાન તો સપડાયુ જ છે, પરંતુ કેટલાક અન્ય દેશોની સ્થિતિ પણ કફોડી જ થવાની છે.
ગાઝા શાંતિ બોર્ડ અથવા બોર્ડ ઓફ પીસને યુનો હેઠળની યુએનએસસીને સાઈડલાઈન કરવાની ટ્રમ્પની તરકીબમાં પણ નાણાભંડોળ એકઠું કરવાની ચાલબાજી પછી ટ્રમ્પ હવે વિશ્વના સૌથી ધૂની અને અવિશ્વસનિય નેતા બની ગયા છે.
ગાઝા શાંતિ સ્થાપનાના પ્રયાસો પાછળ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ નહીં, પણ પરિવાર ફર્સ્ટની ગૂપ્ત એન ભ્રષ્ટ પરંતુ આયોજનપૂર્વકની ચાલાકીભરી રણનીતિ હોવાની પણ ચર્ચા થવા લાગી છે, અને ગાઝાપટ્ટીમાં દરિયાકિનારે કરોડો ડોલરના ખર્ચે પ્રોજેકટ સનરાઈઝર અંતર્ગત વોટરફ્રન્ટ એક્ટિવિટી ઊભી કરવાના જેરેડ કુશ્નરને ફાયદો કરાવવા આ આખી કવાયત વિશ્વ શાંતિના નામે ટ્રમ્પ કરી રહ્યા હોવાની ગુસપુસ પણ વૈશ્વિક વર્તુળોમાં થઈ રહી છે, અને જેરેડ કુશ્નર ટ્રમ્પના જમાઈરાજા હોવાથી "પરિવાર ફર્સ્ટ"ના કટાક્ષો પણ થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ખોડીયાર કોલોનીનો દિગ્જામ સર્કલ સુધીનો રસ્તો સિક્સ લાઈન થવાનો છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે, તેવો દાવો કરાયો છે, જો જે પ્રકારે દાવો કરવામાં આવી રહ્યો છે, તેવી જ સુવિધાઓ સાથે જો ગુણવત્તા સભર નવીનીકરણ, આધુનિકરણ અને વિસ્તૃતિકરણ થશે, તો કદાચ ટ્રાફિક સમસ્યા હળવી પણ થાય, પરંતુ તે પહેલા ઘણાં પાસાઓનો વિચાર પણ કરવો પડે તેમ છે.
જો કે, આ પ્રકારના ડેવલપમેન્ટની જરૂર છે જ, અને એવું ઈચ્છિયે આ જ પ્રકારના આયોજનો થતા રહે, પરંતુ લોકો એવું કહે છે કે નવા આયોજનોનો અમલ કરતા પહેલા પહેલાના અધુરા કે લટકી પડેલા કામો પૂરા કરવા જોઈએ અથવા નવા કામોની સાથે સાથે અગાઉના કામો પણ સંપન્ન થાય, તેની દરકાર કરવી જોઈએ., અન્યથા આ પ્રકારના આયોજનો અને તેની પબ્લિસિટી માત્ર સ્ટંટ જેવા જ લાગે અને તંત્રો તથા શાસકોની નિયત અથવા તો આવડત પર નગરજનોને આશંકા ઉપજે, તે સ્વાભાવિક છે.
જામનગરની ફરતે જે વર્તમાન રીંગરોડ છે, તેના વિસ્તૃતિકરણને વર્ષો લાગી ગયા, છતાં હજુ પણ કામ અધુરૃં જ છે. કામની શરૂઆત થયા પછી કેટલાક સ્થળે રોડની બંને તરફના કાયમી અને હંગામી પ્રકારના દબાણો દૂર કરાયા અને તે પછી જુદા જુદા વિકાસ કામો માટે ખોદકામો થતા રહ્યા અને ફરી ડામર પાથરીને સડકો બનાવાતી રહી, પરંતુ તે રીંગરોડનું કામ ચાલતુ જ રહ્યું...ચાલતુ જ રહ્યું અને હજુ પણ ચાલી જ રહ્યું છે...
જામનગર જેવી સ્થિતિ હાલારના અન્ય શહેરોની પણ છે...ખંભાળીયાની ઘી નદીની ગાંડી વેલ એટલી જીદ્દી છે કે તેને ત્રિપલ એન્જિનની સરકાર કે પછી ત્રિપલ એન્જિનની ભ્રષ્ટાચારની જમાત પણ હટાવી શકી નથી. ખંભાળીયામાં ઈમારતો વધી છે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રકચર વધ્યું નથી, અદ્યતન એપાર્ટમેન્ટો તથા આધુનિક સુવિધાઓ સાથેના રહેણાંક વિસ્તારો વધ્યા છે, પરંતુ તેને સંબંધિત માળખાકિય સુવિધાઓ વધી રહી નથી. સંચાર અને ઈનટરનેટ આધારિત ડિજિટલ સેવાઓ વિકસી રહી છે, પરંતુ નગરની મોટા ભાગની બેંકીંગ અને ટપાલ સેવાઓને લઈને અવાર નવાર ફરિયાદો ઉઠતી જ રહે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો તેને વર્ષો વીતી ગયા, પરંતુ આ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં જિલ્લા મથક જેવી સુવિધાઓ તો ઠીક, એક નિયોજીત નગર જેવી સુવિધાઓ પણ પૂરેપૂરી વિકસી શકી નથી. નગરમાંથી સરકારી કચેરીઓ બહાર ખસેડાઈ અને ગીચ શહેરમાંથી સરકારી બાબુઓ પોતે હવા-ઉજાસવાળા ખુલ્લા સંકુલો બનાવીને ત્યાં કચેરીઓ લઈ ગયા, પરંતુ મૂળ ખંભાળીયાને એવુંને એવું જ છોડી દીધું. આ જિલ્લો નવો બન્યો ત્યારે જિલ્લાનું મુખ્ય મથક ખંભાળીયા રાખવું કે દ્વારકા રાખવું તેની ખેંચતાણ થઈ હતી, હજુ પણ સચિવાલયના કેટલાક વિભાગો કદાચ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નામ મુજબ દ્વારકાને પાટનગર માનીને કયાંક ગફલત કરતા હોય, તેવા અહેવાલો એ સૂચવે છે કે સરકારમાં કેવું લોલંલોલ ચાલે છે...
દેવભૂમિ દ્વારકા જિલ્લો થયો અને તેનું પાટનગર (હેડ કવાર્ટર) જામ-ખંભાળીયા રહેશે, તેવું જાહેર થયા પછી ખંભાળીયામાં તમામ જિલ્લા કચેરીઓ તબક્કાવાર કાર્યરત થવી જોઈતી હતી. પરંતુ વર્ષો વિત્યા પછી પણ હજુ ઘણી કચેરીઓ કાં તો જામનગરથી ચલાવાઈ રહી છે, અથવા તો હજુ બંને જિલ્લાઓ વચ્ચે તંત્રો અટવાયા કરે છે. દૃષ્ટાંત તરીકે હજુ ખંભાળીયામાં ગ્રાહક સુરક્ષાની જિલ્લાકક્ષાની કચેરી કે લેબર કોર્ટ પણ હજુ મળી નથી, તેથી એવો વ્યંગ પણ થઈ રહ્યો છે કે ખંભાળીયાને જિલ્લાનું મથક ભલે બનાવાયુ હોય, પરંતુ જિલ્લા મથક જેવું ગણીને તેનો વિકાસ થયો નથી. એવી આલોચના પણ સંભળાઈ કે ત્રિપલ એન્જિનની સરકારે શ્રમિકો અને ગરીબોની સુવિધાઓ માટે ગ્રાહક સુરક્ષા કે લેબર કોર્ટની માંગણીઓ કે રજૂઆતો સાંભળતી નથી, જ્યારે મોટા માથાઓ કે મોટી કંપનીઓની અનુકૂળતા માટે મેગા વિકાસ પ્રોજેકટો ઊભા કરવામાં કોઈએ "રજૂઆત" પણ કરવી પડતી નથી !
યાત્રાધામ દ્વારકા વિશ્વ વિખ્યાત યાત્રાનું ધામ હોવાથી દ્વારકા મંડળના ધાર્મિક પર્યટન સ્થળોનો વિકાસ થાય છે, પરંતુ એ જ તાલુકાઓ ગામડાઓની મૂળભૂત જરૂરિયાતો પણ સંતોષાતી નહીં હોવાની રાવ પણ ઉઠતી રહે છે. હાલારની અન્ય નગરપાલિકાઓમાં પણ આવી જ સ્થિતિ છે, એટલે જ કહી શકાય કે... "કહાની હર શહર કી...કહાની હર ગાંવ કી"
ગઈકાલે જ ખંભાળીયાની નગરપાલિકાના વોર્ડોની નવરચનાના સમાચાર આવ્યા હતા, અને નવા સીમાંકન મુજબ વર્ગીકરણ પણ જાહેર થયું હતું, ખંભાળીયાની નગરપાલિકાનો કાગળ પર તો ગ્રેડ વધી ગયો, પરંતુ એ નો એ જ સ્ટાફ અને એ ની એ જ સુવિધાઓથી કામ ગબડાવાઈ રહ્યું હોય, તો એ પ્રકારના અપગ્રેડેશનનો શું ફાયદો ? એ પ્રકારના પ્રશ્નો ઉઠે એ સ્વાભાવિક જ છે ને ?
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેટલાક વિસ્તારોને કાનૂની કાર્યવાહી માટે જિલ્લા કક્ષાની સુવિધાઓ ખંભાળીયા હતી, તે બરાબર હતું, પરંતુ તેને દ્વારકા ખસેડાઈ, તે પણ અણઆવડતનું જ દૃષ્ટાંત જ છે ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વખતે પ્રજાસત્તાક પર્વે દેશની રાજધાની દિલ્હીમાં થનારી ઉજવણી દરમ્યાન ધ્વજવંદન અને પરેડના કાર્યક્રમોમાં યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ વોન ડેર લેયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા વિદેશી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાના છે. તેઓ પ્રજાસત્તાક દિનના આગળના દિવસે જ ભારતમાં આવી જવાના છે અને ત્રણેક દિવસ ભારતમાં રોકાવાના છે. આ પ્રવાસ ટ્રમ્પના ટેરિફાતંક સામે પ્રતિકાર કરવાની રણનીતિ ઘડવા અને યુરોપના દેશો સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાય છે, અને આ દરમ્યાન લેવાનારા નિર્ણયો, વાટાઘાટો અને થનારા કરારો પણ દૂરગામી અને વૈશ્વિક પ્રભાવ પાડનારા હશે, તેવા વૈશ્વિક ચર્ચાના તારણો નીકળી રહ્યા છે. જો કે, ફ્રાન્સે ગાઝા શાંતિબોર્ડમાં જોડાવાનો ઈન્કાર કરીને ટ્રમ્પને માપમાં રહેવાની શિખામણ આપ્યા પછી પણ અમેરિકાના રાષ્ટ્રપતિએ કેનેડાને પણ અમેરિકાનું ગણાવ્યું છે. અત્યારે ટ્રમ્પનું મુખ ગ્રીનલેન્ડ તરફ છે અને ગ્રીનલેન્ડને હડપવા તેની ખૂલ્લેઆમ દાદાગીરી સામે વિશ્વના કેટલાક દેશો એકજૂથ થઈને અવાજ ઉઠાવી શકે છે. જો કે, આ મુદ્દે રશિયાએ "નરોવા, કુંજરોવા" જેવી નીતિ અપનાવી લેતા હવે ગ્રીનલેન્ડ મુદ્દે એશિયા અને યુરોપના દેશોના વલણ પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. ટ્રમ્પના તાજેતરના નિવેદનો જોતા તે હવે "શાંતિદૂત" બનવા માંગતા નથી, અને વેનેઝુએલા અને ગ્રીનલેન્ડ જેવા દેશો હડપી લઈને અથવા ત્યાં અમેરિકાની કઠપૂતલી સરકારો બેસાડીને ટ્રમ્પ સામ્રાજ્યવાદી તથા વિસ્તારવાદી રણનીતિ તરફ આગળ વધી રહ્યા છે, તે જોતાં એક વધુ લોકતાંત્રિક તાનાશાહીનું સ્વરૂપ તેઓ ધારણ કરી રહ્યા હોય, તેમ જણાય છે. રશિયા સાથેની મિત્રતાના કારણે ટ્રમ્પ ભારતના "જાની દુશ્મન" બની ગયા હોય, તેવા કદમ પણ ઉઠાવી રહ્યા હોવાથી હવે ભારત માટે પણ બિનજરૂરી પરંપરા જાળવી રાખીને વર્તમાન ગુંચવાયેલી વૈશ્વિક રાજનીતિમાં હાલ તુરંત ટેરિફાતંક સાથે લડવા માટે કોઈ મજબૂત વિકલ્પ, ખાસ કરીને આર્થિક અને વ્યાપારિક (ઈકોનોમિ એન્ડ ટ્રેડ) માટે શોધવો પડે તેમ છે. તેવામાં ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપના દેશો અને અમેરિકા (ટ્રમ્પ) વચ્ચેના પ્રવર્તમાન મતભેદોના કારણે દોડવું હતુ ને ઢાળ મળ્યો છે, જેનો ભારતે મહત્તમ ફાયદો ઉઠાવવો જોઈએ, તેવો અભિપ્રાય વૈશ્વિક અને આર્થિક પ્રવાહોના રાજનૈતિક અને કુટનૈતિક ગ્લોબલ વિશ્લેષકોના તારણો પણ સામે આવી રહ્યા છે. તેવા સમયે આ યુરોપિયન અતિથિઓનો ત્રણ દિવસનો ભારત પ્રવાસ ઘણો જ મહત્ત્વપૂર્ણ મનાય છે.
આ સંદર્ભે નેશનલ-ઈન્ટરનેશનલ મીડિયામાં એક અલગ જ ચર્ચા ચાલી રહી છે. જેમાં ટ્રમ્પના ટેરિફ સામે ભારત-ચીન-રશિયા-(બંને) કોરિયા વગેરે દેશો એકજૂથ રચે તેવી સંભાવના, બ્રિક્સના દેશો દ્વારા અમેરિકન ડોલરની સામે એક મજબૂત વૈશ્વિક ચલણ અમલી બનાવવાની દિશામાં આગેકદમ, વૈકલ્પિક માર્કેટોની શોધ અને ખાસ કરીને ટેરિફાતંક ને કાઉન્ટર કરવા એક વૈશ્વિક સમજૂતિ કરવાના વિકલ્પો ચર્ચાઈ રહ્યા છે, અને તેમાં જ ડબલ્યુઈએફ અર્થાત વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં કરાયેલી એક જાહેરાતને ટાંકવામાં આવી રહી છે.
યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની એન્યુલ મિટિંગ (એજીએમ)માં જણાવ્યું હતું કે ભારત અને ઈ.યુ. એક ઐતિહાસિક વ્યાપાર કરવા જઈ રહ્યા છે, અને આ ડીલ થઈ જશે તો યુરોપ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજાર (ઈન્ડિયન માર્કેટ) સાથે જોડાઈ જશે.
વૈશ્વિક વિશ્લેષકો આ ટ્રેડ ડીલને ટ્રમ્પના ટેરિફાતંકનો તોડ કાઢવા ઉપરાંત મહાસત્તા સામે એક આર્થિક તાકાત ઊભી કરવાનો પ્રયાસ માની રહ્યા છે. ભારત અને ઈ.યુ. વચ્ચેની આ ફ્રી ટ્રેડડીલ થાય તો ભારતીય બજાર સાથે યુરોપના દેશોના બજારો પરસ્પર જોડાઈ જાય, અને દુનિયાના કુલ જીડીપીનો ૨૫ ટકા હિસ્સો બની જાય.
આ ફ્રી ટ્રેડ ડીલ બંને માર્કેટો (ભારત અને યુરોપના દેશોની બજારો) માટે ગેમ ચેન્જર પૂરવાર થઈ શકે છે. એજીએમમાં ઉર્સુલા વોન ડેર લેયેને "અમે ફ્રી ટ્રેડ સમજૂતિની ખૂબ નજીક છીએ અને થોડું કામ બાકી છે" તેવા શબ્દપ્રયોગો કર્યા હોવાથી એવું જણાય છે કે હજુ ક્યાંક ને ક્યાંક કોઈ મુદ્દે સંપૂર્ણ સહમતિ સધાઈ નહીં હોય, આ કારણે કદાચ આ ઘોષણાની પુષ્ટિ હાલ તુરંત નહીં થાય, પરંતુ "મધર ઓફ ઓલ ડીલ્સ" ગણાવાતી આ સમજૂતિની જાહેરાત કદાચ પ્રજાસત્તાક પર્વે કોઈ સંયુક્ત કાર્યક્રમ કે પ્રેસ કોન્ફરન્સમાં થઈ શકે છે.
આ "મધર ઓફ ઓલ ડીલ્સ" થઈ જશે તો તે ટ્રમ્પ માટે ઝટકા સમાન હશે. ઈ.યુ.ની પ્રેસિડેન્ટે પોતાના ભાષણમાં કહ્યું હતું કે યુરોપે ઊર્જા, સંરક્ષણ, ડિજિટલ સેકટર અને રો-મટિરિયલ્સના સેકટર્સમાં ઝડપી કદમ ઉઠાવ્યા છે અને હવે તેને કાયમી ફેરફાર (પરમેનેન્ટ ચેઈન્જ)માં બદલાવાનો સમય આવી ગયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ, ટેકનોલોજી સ્પર્ધા, ઊર્જા સુરક્ષા જેવા મુદ્દાઓ પણ ઈ.યુ.ની પ્રાયોરિટી છે. આ પ્રસ્તાવ (ટ્રેડ ડીલ) બંને પક્ષે ગાઢ સહયોગને મજબૂત અને સક્ષમ બનાવશે અને ઈન્ડિયન કંપનીઓને ઈ.યુ.ના સિક્યોરિટી એકશન ફોર યુરોપ કાર્યક્રમ સાથે પણ જોડાશે.
અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે પુરોગામી મનમોહન સરકારે પણ વર્ષ ૨૦૦૪ની ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેની રણનૈતિક ભાગીદારીને આગળ વધારી હતી અને હવે બાજપેયી-મનમોહન સરકારોની યુરોપીય વિદેશ નીતિ તથા વ્યાપાર નીતિને એક નવું સ્વરૂપ મળવા જઈ રહ્યું છે. જો આ ટ્રેડ ડીલ થઈ જશે, તો ભારત અને યુરોપના ૨૦૦ કરોડ લોકોનું એક સહિયારું માર્કેટ ઊભું થશે. જો ભારત અને યુરોપ સિવાયના અન્ય જે દેશો ટેરિફાતંકથી પીડિત છે, તેઓ પણ આ માર્કેટમાં જોડાઈ જશે, તો અમેરિકન ડોલરના વિકલ્પે વૈશ્વિક ચલણ અસરકારક રીતે પરસ્પર નાણાકીય વ્યવહારોનું માધ્યમ બનશે, તો તે મહાસત્તા માટે પડકારરૂપ હશે.
જો કે, ટ્રમ્પની પણ આ હિલચાલ તથા બદલી રહેલા સમીકરણો પર નજર હશે, અને તેઓ પલટીબાજ તરીકે પણ પ્રચલીત થયા છે, ત્યારે આ "મધર ઓફ ઓલ ડીલ્સ" પછી તેઓ કૂણાં પણ પડી શકે છે.
આ તરફ ટ્રમ્પની ટેરિફ નીતિ સામે ભારતના રાજકીય પક્ષો પણ પ્રત્યાઘાતો આપતા હોય છે. અમેરિકા સાથે ટ્રેડ ડીલ અટકી પડયા પછી વિપક્ષી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તડાપીટ બોલાવી રહ્યા છે. જુલાઈમાં જ્યારે ૨૬ ટકા ટેરિફની મુદ્દત પૂરી થતી હતી, ત્યારે પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પિયુષ ગોયલ ગમે તે કહે, મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ સામે ઝુકી જશે. તે પછી જ્યારે ટ્રમ્પે ૫૦ ટકા ટેરિફ કર્યો અને યુરોપને પણ ભારત પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવા અનુરોધ કર્યો હતો, ત્યારે પણ મોદી સરકારની વિદેશનીતિ તથા વ્યાપારનીતિ સામે સવાલો ઉઠ્યા હતા.
વૈશ્વિક રાજકીય વર્તુળો અને ડિપ્લોમેટ્સના વર્તુળો તથા પ્રેસ-મીડિયામાં યુરોપિયન દેશો અને ભારત વચ્ચેની પ્રસ્તાવિત ટ્રેડ ડીલ અંગે મત-મતાંતરો પ્રવર્તે અને આ ટ્રેડ ડીલને એક સમજદારીપૂર્વકનું જોખમ પણ ગણાવાઈ રહ્યું છે. જોઈએ, શું થાય છે તે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે આપણાં નગર કે જિલ્લામાં માર્ગો પર ખાડાઓ કે તૂટેલા જોખમી પુલોની ફરિયાદો કરતા રહીએ છીએ અને તદ્વિષયક ચર્ચાઓ પણ થતી રહે છે, પરંતુ આ સમસ્યાઓથી રાજ્યનું પાટનગર કે દેશની રાજધાનીના આજુબાજુના વિસ્તારો પણ બાકાત નથી અને અમદાવાદમાં પડતા ભુવાઓ (ઊંડા ખાડાઓ) તો દેશભરમાં કૂખ્યાત છે.
શનિવારે દેશની રાજધાની દિલ્હીથી ચાલીસેક કિલોમીટર દૂર આવેલા ગ્રેટર નોઈડામાં એક આશાસ્પદ સોફટવેર એન્જિનિયરનું એક નિર્માણાધિન ઈમારતના બેસમેન્ટમાં ઊંડા ખાડામાં તેમની કાર પડી જતા મૃત્યુ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં સ્થાનિક તંત્રોની લાપરવાહી અને બચાવની કામગીરી હાથ ધરવાના આક્ષેપો થયા પછી આ મુદ્દો ગરમાયો હતો અને તેના પડઘા ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી દેશની રાજધાની દિલ્હી સુધી પડયા હતા. ગ્રેટર નોઈડા દેશની રાજધાની દિલ્હીથી નજીક છે, પરંતુ તુ ઉત્તરપ્રદેશનું શહેર છે અને યુ.પી.-દિલ્હી બોર્ડર નજીક આવેલું છે. આ કારણે આ દુર્ઘટનાની ગુંજ બંને રાજધાનીઓમાં સંભળાયા પછી તેની ચર્ચા ત્રણ દિવસથી પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયામાં પણ થઈ રહી છે, અને જવબાદાર તંત્રો પર માછલાં ધોવાઈ રહ્યા છે. આ પ્રકારની દેશભરમાં બનેલી તાજેતરની અન્ય ઘટનાઓ તથા બિલ્ડરો-કોન્ટ્રાકટરો-તંત્રો અને શાસકો-પ્રશાસકોની ભ્રષ્ટ મીલીભગતની આશંકા તથા ઉગ્ર જનાક્રોશને પડઘાવતી આ ચર્ચાઓ આજે દેશવ્યાપી ચિંતાનું કારણ પણ બની હતી.
હકીકતે ગ્રેટર નોઈડાના સેકટર-૧૫૦ પાસે એક બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું, તેની નજીક પાણીથી ભરેલો ઊંડો ખાડો હતો. ગુરૂગ્રામથી પરત ફરી રહેલા એક સોફટવેર એન્જિનિયર ગાઢ ધુમ્મસ વચ્ચે આ ખાડામાં કાર સાથે ખાબક્યા હતા અને તે પછી બચાવ કામગીરી શરૂ થઈ હતી., આ કવાયત છતાં એ આશાસ્પદ સોફટવેર એન્જિનિયરનો જીવ બચાવી શકાયો નહીં, અને પાંચેક કલાક પછી તેને બહાર કઢાયો ત્યારે તેનું નિધન થઈ ચૂક્યું હતું. સ્થાનિકોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ સર્વિસ રોડ પર રિફલેકટર નહોતા અને ખાડાને કોર્ડન કરીને ઢાંકવામાં આવ્યો નહોતો કે ચેતવણીના રિફલેકટર્સ સાથેના બોર્ડ મુકાયા નહોતા. પોલીસે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સામે એફઆઈઆર ફાડી હતી. તે પછી જનાક્રોશ સાથે વિરોધ-પ્રદર્શન પણ થયુું હતું.
એવું કહેવાય છે કે નોઈડાના તંત્રે લાપરવાહીના દોષિત ઠરાવીને એક જુનિયર એન્જિનિયરને નોકરીમાંથી બરખાસ્ત કર્યો હતો અને હવે તપાસ ચાલી રહી છે, તથા એસ.આઈ.ટી.ની રચના થઈ છે, તો તંત્રો જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે.
આ તરફ હાલાર અને સૌરાષ્ટ્ર સહિતના ઘણાં સ્થળે પણ કોઈને કોઈ કારણે માર્ગ અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો અવાર-નવાર આવતા હોય છે, તેથી ગ્રેટર નોઈડાની આ ઘટનાનું દૃષ્ટાંત એ દર્શાવે છે કે દેશની રાજધાનીની નજીક જ જો આ પ્રકારની લાપરવાહીથી લોકોના જીવ જતા હોય તો દેશના દૂર-સુદૂરના અને સરહદી, દુર્ગમ કે પહાડી વિસ્તારોની કેવી દશા થતી હશે ?
આપણાં જામનગરની જ વાત કરીએ તો કોરોનાકાળ પહેલાના સમયથી નગરમાં કોઈને કોઈ વિકાસના કામે નાનું મોટું ખોદકામ થતું જ રહે છે. અને ખોદકામ જે વિકાસના કામે નાનું મોટું ખોદકામ થતું જ રહે છે અને તે ખોદકામ જે વિકાસના કામ કે સુવિધાઓની સુધારણા કે વિસ્તૃતિકરણ માટે થયું હોય, તે વિકાસકામ સંપન્ન થઈ જાય, તે પછી એ ખોદકામ સમથળ કરીને તેના પુનઃ પાકી સડક બનાવવામાં ઘણો લાંબો સમય વ્યતીત થતો હોય છે., આ કારણે ઉબડ-ખાબડ રીતે બૂરાયેલા ખાડાઓમાં નાખેલી અણીયાળી કાંકરીઓ કે મગરની પીઠ જેવી સપાટીના કારણે વાહનચાલકો સહિત તમામ લોકો પરેશાન થતા રહે છે. અને ઘણી વખત નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે.
કેટલાક સ્થળે જુદા-જુદા કામે બે-ત્રણ વખત સડકો ખોદાયા અને બુરાયા પછી તેના પરથી પસાર થવું પડકારરૂપ બની જતું હોય છે, અને તેમાં પણ ચોમાસા પછી પણ માવઠાનો વરસાદ પડતા થયેલા તે સમયના કાદવ-કીચડ પછી હવે તો તે સુકાઈ જતા ખેડાયેલા ખેતર જેવા માર્ગો થઈ જાય છે, જેના પરથી ચાલવું કે વાહન ચલાવવું પણ ઘણું જ મુશ્કેલ હોય છે, આ તમામ સમસ્યાઓ જાણતા સંબંધિત તંત્રોએ કામો ચાલતા હોય ત્યારે પણ લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે, અને કામ પૂરૃં થયા પછી સારી સડકોનું પુનઃ નિર્માણ થાય, તેની તકેદારી રાખવી જ જોઈએ, પછી ભલે તે શેરી-ગલીના માર્ગો હોય, શહેરના આંતરિક માર્ગો હોય, રીંગ રોડ હોય કે પછી ધોરીમાર્ગો હોય...
રાજ્યમાં અત્યારે પાલિકા-મહાપાલિકાઓ, પંચાયતો, રાજ્ય સરકાર અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોય, ત્રિપલ એન્જિનની સરકાર હોવાનું ગૌરવ લેવામાં આવી રહ્યું છે, ત્યારે આ અવસરનો પ્રજાલક્ષી ઉપયોગ કરીને લોકોપયોગી કામો ગુણવત્તાસભર અને સમયોચિત રીતે સંપન્ન થાય, લોકોને નડતરરૂપ બને નહીં, તેવી રીતે કામો થાય અને લોટ, પાણીને લાકડાના બદલે મજબૂત માળખાકિય સુવિધાઓ ઊભી થાય, તેવો અભિગમ રાખવો જોઈએ, તેના બદલે ભ્રષ્ટ નેતાઓ, કોન્ટ્રાકટરો અને સંબંધિત અધિકારીઓના નકલી ત્રિપલ એન્જિનો ધમધમવા લાગ્યા હોય અને નબળા વિકાસકામો કરીને ખાનીગી તિજોરીઓ ભરવાના કારસા રચાયા હોય ત્યારે લોકોને મૂળ ત્રિપલ એન્જિનો પર આ ડુપ્લીકેટ ત્રિપલ એન્જિનો ભારે તો પડી રહ્યા નથી ને ? તેવો સવાલ ઉઠે એ સ્વાભાવિક છે.
ત્રિપલ એન્જિનોની સરકાર ધરાવતા ભારતીય જનતા પક્ષને આજે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા છે, અને હવે નીતિન નબિન લાંબી ઈનિંગ રમવાના છે, ત્યારે તેમની પણ ટોપ પ્રાયોરિટી સંગઠનના આંતરિક ખટરાગના ખાડાઓ બુરવા તથા નકલી ત્રિપલ એન્જિનને અંકુશમાં રાખીને સરકારોને "માપ"માં રાખવાની જ હશે, અને એ પ્રાયોરિટી જ તેમના માટે પડકારરૂપ બની શકે છે.
વિકાસના કામો થતા હોય, ત્યારે લોકોને પણ થોડી અગવડ પડે અને રોજીંદા જીવનને અસર થાય, તે સ્વાભાવિક છે, અને તેમાં સહયોગ આપવો તે એક નાગરિક તરીકે આપણી બધાની પણ મૂળભૂત ફરજ છે, પરંતુ જ્યારે કામો શરૂ થવામાં વિલંબ થાય, ચાલી રહેલા કામો મંથન (ધીમી) ગતિથી ચાલે અને એ કામો દરમ્યાન લોકોને વધારે પડતી હાડમારી ભોગવવી પડતી હોય અને ફિલ્ડ પર કામ કરતા પેટા કોન્ટ્રાકટરો અને તેના કર્મચારીઓનો જનતા સાથેનો વ્યવહાર યોગ્ય ન હોય, તો તેને નકલી ત્રિપલ એન્જિનની જ બલિહારી માનવી પડે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ટીમ ઈન્ડિયાએ વન-ડે મેચ તો હારી, પણ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ વન-ડે મેચોની શ્રેણી તો ગુમાવી...જો કે, હાર જીત તો ચાલ્યા કરે, ફાઈટ સારી આપી, વિરાટ કોહલીની સદી કાબિલે દાદ હતી, તેવા શબ્દપ્રયોગો સાથે ભારતીય ફેન્સ મન મનાવતા જોવા મળ્યા. કાંઈક એવું જ અન્ય ક્ષેત્રોમાં પણ થઈ રહ્યું છે, અને કેટલાક લોકો પોતાના પરાજય અને પડતીનું પણ મહિમાગાન કરતા જોવા મળી રહ્યા છે.
ગુજરાતીમાં તમાચો પોતાને જ મારીને પોતાનો જ ગાલ લાલ રાખવાની કહેવતની જેમ જ કેટલાક લોકો આત્મશ્લાધા અર્થાત પોતાની જ પ્રશંસા (કરાવવા)માં માહીર હોય છે અને પોતાની પ્રશંસા કરાવતા કરાવતા પોતે ફેલાવેલા ભ્રમના પોતે જ ભોગ બની જતા હોય છે, અને પોતાનું ધાર્યું થાય નહીં, ત્યારે "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" તેવું કહીને પોતાની જાતને જ છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. આ પ્રકારની શખ્સિયતો આપણા ગામડાઓના ગોંદરે તથા શહેરોના મિનારાઓથી લઈને વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસ સુધી મળી શકે છે અને હમણાંથી તેની વ્યાપક ચર્ચાઓ પણ ગામડાથી ગ્લોબલ સુધી વ્યાપક રીતે થઈ રહી છે.
જામનગર નજીક ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું મોટા ભાગનું કામ પૂરૃં થઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ પહેલા તેનું ઉદ્ઘાટન કરી શકે છે, તેવી વાતો વહેતી થઈ છે. જામનગર નજીક આવેલી રિલાયન્સ, નયારા, એસ્સાર જેવી જાયન્ટ કંપનીઓ, જામનગરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ, બ્રાસ-બાંધણી અને બાંધકામ-ઉદ્યોગના ક્ષેત્રે જામનગરની ખ્યાતિ તથા રજવાડી નગર જામનગરની વ્યૂહાત્મક અગત્યતાના કારણે જામનગરનું નામ વૈશ્વિક કક્ષાએ ચમકવા લાગ્યું છે, તે ખરૃં, પરંતુ એ જ જામનગરને મચ્છરથી મૂક્ત, રખડતા ઢોર તથા આવારા કૂતરાઓથી મૂક્તિ અને ફૂટપાથો-માર્ગો પરના દબાણોથી મૂક્ત નહીં કરાય, તો અન્ય સિદ્ધિઓની સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી સ્થિતિ ઊભી નહીં થાય ?
જ્યાં સુધી નગરની ગંદકી, ગટર અને પ્રાથમિક સુવિધાઓને લઈને ઉઠતી ફરિયાદોનું કાયમી ધોરણે નિવારણ થાય નહીં, ત્યાં સુધી વિશાળ વિકાસ સંકુલો, ફલાય ઓવર બ્રિજો કે ઝળહળતા રિવર ફ્રન્ટોનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ગામડાના માર્ગો તથા નગરના આંતરિક માર્ગોની દૂર્દશા સંપૂર્ણપણે દૂર થાય નહીં, ત્યાં સુધી વિકાસના માચડાઓ ખડકીને વિકાસની હરણફાળ ભરી હોવાની ડંફાસો મારવાનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ગરીબી, મોંઘવારી, બેરોજગારીની સમસ્યાઓ ઉકેલાય નહીં, ત્યાં સુધી ઔદ્યોગિક વિકાસ કે આર્થિક સદ્ધરતાના બણગા ફૂંકવાનો કોઈ મતલબ નથી, એ પ્રકારના પોલિટિકલ ડાયલોગ્સ આપણે બધા આઝાદી પછી આજ પર્યંત સાંભળતા આવ્યા છીએ, પણ કોઈ ફરક પડ્યો છે ખરો ?
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ કાંઈક એવું જ બની રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટેરિફ તથા રોજેરોજ ચિત્ર-વિચિત્ર નિવેદનો, જાહેરાતો અને હરકતો કરીને ભલે હાસ્યાસ્પદ બની રહ્યા હોય, પરંતુ તેની પાસે વિશ્વના સૌથી જૂના લોકતાંત્રિક સદ્ધર મહાસત્તા ગણાતા દેશની સત્તા છે અને એટલે જ વિશ્વના દેશો અત્યારે તેની ઉટપટાંગ વાતોને ગંભીરતાથી લેતા નથી, પરંતુ જ્યારે અન્ય દેશોના સાર્વભૌમત્વ કે આત્મસન્માનની દૃષ્ટિએ જોખમ જણાય, ત્યારે ઘેરા પ્રત્યાઘાતો પણ પડતા હોય છે. ઈરાન સામે ઉગામેલું યુદ્ધનું શસ્ત્ર ટ્રમ્પે જ્યારે મ્યાન કરવું પડયું, ત્યારે તેમણે કરેલો બચાવ પોતાના ગાલે જ તમાચો મારીને ચહેરો લાલ રાખવા જેવો જ છે ને ? હકીકતે ખાડીના ત્રણ-ચાર દેશોના પ્રેસરમાં આવીને ટ્રમ્પે ઈરાન સામે ઉગામેલું શસ્ત્ર મ્યાન કરવું પડયું હોવાના વૈશ્વિક વિશ્લેષકોના તારણોમાં પણ દમ છે અને ટ્રમ્પ આપણે કદાચ માનીએ છીએ એવા ચક્રમવૃત્તિના પણ નથી, માત્ર તેમણે વલણ જ બદલ્યું છે, તેવી દલીલો કરનારા પણ મોજુદ છે...!
જો કે, ટ્રમ્પે પોતાના પગ પર કૂહાડો માર્યો હતો અને યુરોપ તથા નાટો અંગે પણ હાંસી ઉડાવતા નિવેદનો કર્યા હતા, પરંતુ ગ્રીનલેન્ડના મુદ્દે જ્યારે યુરોપના દેશો એકજૂથ થઈ ગયા, તે પછી ટ્રમ્પ ઢીલા પડયા હોય તેમ જણાય છે, તેથી જો બાકીનું વિશ્વ એકજૂથ થઈ જાય, તો ટ્રમ્પને પણ મિયાઉં...મિયાઉં..કરતી મીંદડી બની જવું પડે, તે હકીકત યુરોપની એકજૂથતાએ પૂરવાર કરી દીધી છે, ઈરાનના મુદ્દે યુદ્ધના બણગાં ફૂક્યા પછી મજબૂરીમાં ઢીલા પડી ગયેલા ટ્રમ્પે "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" જેવા કેટલાક હાસ્યાસ્પદ નિવેદનો કર્યા હતા. હવે ટ્રમ્પે ભારતને વિશ્વકક્ષાની શાંતિ સમિતિમાં સામેલ કરવાનો દાવ અજમાવ્યો, તેની પાછળ પણ યુએઈ સાથે ભારતનો ઘરોબો છે. આજે જ યુએઈના રાષ્ટ્રપતિ ભારતમાં છે, તે સૂચક છે.
જયારે બેફામ નિવેદનબાજી થતી હોય ત્યારે ટ્રમ્પ જેવા આપણાં દેશના કેટલાક મોટા નેતાઓની આ પ્રકારની સમાન બણગાંબાજી યાદ આવી જાય, અને ક્યારેક ધાર્યું થયું ન હોય, ચૂંટણીમાં હાર-જીત થઈ હોય કે પછી કોઈએ ચેલેન્જ ફેંકી હોય, પરંતુ તે ઝીલી શકાય તેમ ન હોય, ત્યારે થતા કેટલાક ટ્રમ્પ ટાઈપ નિવેદનો પણ યાદ આવી જાય...
દૃષ્ટાંત તરીકે મહારાષ્ટ્રના એક નેતાએ પોતાના પરાજયને પણ ગરિમામય ગણાવીને પ્રતિસ્પર્ધી પક્ષો પર પ્રહારો કર્યા, ત્યારે પણ "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" તેવી કહેવત યાદ આવી જાય. મધ્યપ્રદેશના કોઈ ધારાસભ્યે મહિલાઓ અંગે આપેલા બેજવાબદાર નિવેદન પછી અને જનાક્રોશ ઊભો થયા પછી તેઓની સ્થાનિક નેતાગીરીની ચૂપકીદી હોય કે મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર પર પ્રહારો હોય, આ તમામ ઘટનાક્રમો પણ પોતાના ગાલે તમાચો મારીને પણ ગાલ લાલ રાખવાના પ્રયાસો જેવા જ જણાય છે.
ગુજરાતમાં પણ બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રે મળેલી સિદ્ધિઓના ગુણગાન ગવાઈ રહ્યા છે, અને ખેતી તથા ઘરવપરાશ માટે પૂરતો વીજપૂરવઠો અપાઈ રહ્યો હોવાના દાવાઓ છતાં તદ્વિષયક ફરિયાદો ઉઠતી જ રહી છે, ત્યારે સરપ્લસ પ્રોડકશન કે ઉર્જા વિકાસના ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે. ખરૃં ને ?
જામનગર શહેર માટે સારા સમાચાર આવ્યા અને ૧૩૫૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કોઈ લોજિસ્ટિક પ્લાન વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં જામ્યુકોએ રજૂ કર્યો છે, જેમાં ડબલ રીંગરોડ, માઈક્રો ડિલિવરી હબ અને લોજિસ્ટિક પાર્કો તથા રાજય સરકાર દ્વારા નગરને ૯૦૦ જેટલા ઈલેકટ્રીક વાહનોની ફાળવણીની જોગવાઈ હોવાનું જોરશોરથી ચર્ચાયું અને ગુણગાન ગવાયા, પરંતુ પછી ખબર પડી કે આ પ્લાન તો વર્ષ ૨૦૪૭ સુધીનો છે, તેથી કેટલાક લોકોએ કટાક્ષ કર્યો કે પહેલા નગરની મૂળભૂત અને કાયમી સમસ્યાઓ તો દૂર કરો, કારણ કે ન જાણ્યુ જાનકીનાથે, સવારે શું થવાનું છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મહારાષ્ટ્રમાં ઝળહળતા વિજય પછી ભારતીય જનતા પક્ષ હવે ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ફરીથી જવલંત વિજય મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે એ નક્કી છે, પરંતુ ગુજરાતમાં મહાનગરપાલિકાઓ સહિતના શહેરી તથા પંચાયતી વિસ્તારોમાં ઘણાં સ્થળે જનતાની નારાજગી અને અસંતોષના કારણે ઊભી થયેલી એન્ટી ઈન્કમ્બન્સી તથા કોંગ્રેસની મજબૂત તૈયારીઓ ઉપરાંત આમઆદમી પાર્ટીનું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પૂરી તાકાતથી લડી લેવાનું વલણ ભાજપ સામે પડકારો ઊભા કરશે તે પણ નકકી છે.
આ એન્ટી ઈન્કમ્બન્સી અને વિપક્ષોનો પડકાર ઝીલવા ભાજપ દ્વારા સંગઠનની વ્યૂહરચના તો ઘડાઈ જ ગઈ હશે, પરંતુ હવે કદાચ રાજ્ય સરકારના આ વખતે રજૂ થનારા બજેટમાં પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે કોઈ નવતર યોજનાઓ, પ્રોજેકટો અને ફંડ-ફાળવણી તો થશે જ, તેની સાથે સાથે મતદારોને લલચાવવા કોઈ "રેવડી" વહેંચવાની યોજના પણ અમલમાં મૂકાઈ શકે છે. બજેટમાં જ આ પ્રકારની જોગવાઈઓ થઈ જાય, પછી બરાબર ચૂંટણી નજીક આવે તેવા સમયે જ લોભામણી યોજનાઓ અમલી બનાવીને બિહારની જેમ ચોક્કસ મતદારોને રીઝવવા કે આકર્ષવાના પ્રયાસો થઈ શકે છે, કારણ કે બજેટમાં જોગવાઈ થઈ હોય, તેવી યોજનાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગવા લાગે તેવા સમયે પરંતુ ચૂંટણીની તારીખો જાહેર થાય, અને આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં ચાલાકીપૂર્વક અમલમાં મૂકીને મતદારોની નારાજગી દૂર કરવાનું સરળ બની જતુ હોય છે.
આ વખતે ઐતિહાસિક ઘટના એ બનવાની છે કે પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્ર સરકારનું બજેટ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે, જેથી કદાચ શેરબજાર પણ રવિવારે ચાલુ રહેશે. આ કારણે કેન્દ્રીય બજેટની સીધી અસરો દેશ-દુનિયાના શેરમાર્કેટમાં પણ તે જ દિવસે પણ થઈ શકે છે. કારણ કે, આપણા શેરમાર્કેટના રિએક્શન મોટા ભાગે બીજા દિવસ સુધી વિશ્વના શેરમાર્કેટોમાં આવતા હોય છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રીય બજેટ રજૂ થયા પછી રાજ્યોના બજેટો પણ તબક્કાવાર રજૂ થશે, કારણ કે ઘણી કેન્દ્રીય યોજનાઓની અસરો રાજ્યોના બજેટ પર પડતી હોય છે, તો ઘણી યોજનાઓ રાજ્યો અને કેન્દ્ર સરકારોની સંયુક્ત હોય છે. કેન્દ્રીય બજેટ અને રાજ્યોના અંદાજપત્રોમાં જીએસટી કાઉન્સીલ રચાયા પછી હવે કરવેરાની વધઘટનું એટલું બધું મહત્ત્વ રહ્યું નથી, તેમ છતાં વેટ અને મહેસુલ ક્ષેત્ર સહિત કેટલાક રાજ્યોના કરવેરા તથા કેન્દ્રના પેટ્રોલ, ડીઝલ વગેરે પરના જેટલા કરવેરા જીએસટી અંતર્ગત આવરી લેવાયા નથી, તેમાં થતા ફેરફારોની અસર રાજ્યોમાં બજેટ પર થતી હોય છે.
ગઈકાલે જ જાહેર થયું છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૧૬મી ફેબ્રુઆરીથી શરૃ થશે, અને ૨૫મી માર્ચ સુધી ચાલશે. સત્રના પ્રારંભે પરંપરાગત રીતે વિધાનસભામાં રાજ્યપાલનું અભિભાષણ થશે. તે પછી તે જ સમગગાળામાં સત્ર દરમ્યાન વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પણ થશે. કુલ ૨૩ દિવસ સુધી ચાલનારા આ સત્ર દરમ્યાન ૨૬ બેઠકો યોજાશે. આ દરમ્યાન રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ સહિતના સાત જેટલા નવા વિધેયકો રજૂ કરી શકે છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ધારાસભ્યો રાજ્યમાં કાયદો-વ્યવસ્થા, ખેડૂતોના પ્રશ્નો તથા કેટલાક કૌભાંડો તથા મનરેગાના બદલાયેલા નામ તથા યુસીસીના મુદ્દે ચર્ચા માંગશે અને ગૃહમાં હોબાળો સર્જાશે, તેવા અનુમાનો પણ થઈ રહ્યા છે.
આ વર્ષે બજેટનું કદ ગયા વર્ષ કરતા ૧૫ ટકા જેટલું વધારીને અંદાજે ચાર લાખ કરોડ જેટલું થઈ શકે છે. રાજ્યના આર્થિક ક્ષેત્ર તથા બજારક્ષેત્રના જાણકારોના મંતવ્યો મુજબ આ વખતે રાજ્ય સરકાર કદાચ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે કોઈ નવી યોજના જાહેર કરે કે લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી જમા થતી કેટલીક યોજનાકીય સહાયમાં વધારો કરે, તેવી સંભાવનાઓ પણ છે.
સચિવાલયમાં ચર્ચાતી સંભાવનાઓ મુજબ રાજ્ય સરકાર આ વખતે મહિલાઓ તથા ખેડૂત-ખેતમજુરો, અસંગઠિત ક્ષેત્રો તથા રાજ્યના કર્મચારીઓ માટે પણ કેટલીક નાની જાહેરાતો બજેટમાં કરી શકે છે અને એટલા માટે જ ૧૫ ટકાથી વધુનો વધારો બજેટના કદમાં થઈ શકે છે.
આ વખતે બજેટ સત્રની તારીખો અને સમયગાળો નક્કી કરવાની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય સરકારની કેબિનેટમાં વર્તમાન બજેટ, ખર્ચ અને નવી યોજનાઓ અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હોવાના પણ અહેવાલો છે. એવું કહેવાય છે કે ઈન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષણ-આરોગ્ય ઉપરાંત કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ ખેડૂતોને વળતર અને ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે પણ વિસ્તૃત સમીક્ષા સાથે ચર્ચા-પરામર્શ થયો હોય અને તે બજેટમાં સ્ટ્રીટ વેન્ડર્સની સમસ્યાઓ, રખડતા ઢોર-આવારા કૂતરાઓ પર અંકુશ તથા ગ્રામ્ય-શહેરી માર્ગોના નવીનીકરણ અને વિસ્તૃતિકરણની જરૃર પર ભાર મૂકાયો હોય, તેવી મજબૂત સંભાવનાઓ છે અને તમામ કવાયતનો પ્રભાવ અને અસરો રાજ્યના બજેટ પર પડશે, તે નકકી જણાય છે.
વર્ષ ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષના ગુજરાતના ગત બજેટમાં નવા કરવેરા નખાયા નહોતા પરંતુ ૧૪૮ કરોડ રૃપિયાની કર રાહત જાહેર કરાઈ હતી, તે ઉપરાંત વિકસિત ગુજરાત કોષની સ્થાપનાની જાહેરાત કરાઈ હતી. રાજ્યના ૧૫ જિલ્લાઓના ૩૩૮ ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૃા. ૨૦૦ કરોડ ફાળવાયા હતા. હવે આ વર્ષે ગુજરાત સરકાર તરફથી નાણામંત્રી કનુભાઈ દેસાઈના બજેટમાં કેવી જોગવાઈઓ હશે અને કેટલી નવી યોજનાઓ જાહેર થશે, તેની અટકળો થઈ રહી છે.
રાજ્ય સરકાર રાજ્યના ગરીબમાં ગરીબથી લઈને તમામ વર્ગો, તમામ વયજૂથના નાગરિકો, તમામ વિસ્તારો તથા સામાન્ય જનતાથી લઈને તટસ્થ તજજ્ઞો સહિતના મંતવ્યો-અભિપ્રાયો મેળવીને તમામ સમસ્યાઓ ઘટાડનારૃં અને ખોબલે ખોબલે મતો આપીને પ્રચંડ બહુમતી આપનાર રાજ્યની જનતાની અપેક્ષાઓ સંતોષનારું બજેટ તૈયાર કરશે, તેવી અપેક્ષા રાખીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મકરસંક્રાંતિ પછી ધીમે ધીમે ઠંડી ઘટવા લાગે છે, અને દિવસ થોડો મોટો થતો જતો હોય છે. જાન્યુઆરી મહિનો નવા ઈસ્વીસનના પ્રારંભે આવતો હોવાથી આ મહિનો ૨૧મી સદીના ૨૬મા વર્ષનો પ્રથમ મહિનો ગણાય, અને ૨૧મી સદીના ૨૫ વર્ષ પૂરા થયેલા ગણાય. ૨૧મી સદીનું આ બીજું ક્વાર્ટર (ત્રિમાસિક ગાળો) પણ શરૂ થયું ગણાય. આ ક્વાર્ટરના પ્રારંભે જ કાંઈ ઘટનાક્રમો બની રહ્યા છે, તે પૈકી કેટલાક ઘટનાક્રમો અકલ્પનિય, અણધાર્યા, આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ છે.
આજે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પછી તેની મત ગણતરી થઈ રહી છે, અને લીડ તથા પરિણામો જાહેર થઈ રહ્યા છે તેમાં સૌથી વધુ મુંબઈ મહાનગરપાલિકા, બોમ્બે કોર્પોરેશન અથવા બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી) પર સૌની નજર મંડાયેલી છે. ગઈકાલે બી.એમ.સી.ની ચૂંટણીઓના એકઝીટ પોલમાં કેટલાક અનુમાનો ત્રિશંકુ સ્થિતિ દર્શાવતા હતા, જ્યારે કેટલાક એકઝીટ પોલ્સમાં ભાજપ-શિવસેના (શિંદે)ના ગઠબંધનનો પરચમ લહેરાશે તેવા તારણો બતાવાયા હતા. તે પછી આજે જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આ પરિણામો આવ્યા પછી વિવિધ રાજકીય પક્ષો તેનું મનોમંથન કરશે. અને મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પછી મહારાષ્ટ્રની સ્થાનિક રાજનીતિ તથા રાષ્ટ્રીય રાજનીતિ ઉપરાંત પડોશી રાજ્યો ગુજરાત અને કર્ણાટકની ભાવિ રાજનીતિ પર પણ પરોક્ષ અસરો પડી શકે છે.
વર્ષ ૧૯૯૬થી બી.એમ.સી.ની સત્તા કાં તો શિવસેના પાસે હતી અથવા તો બીએમસી-ભાજપ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડયા પછી શિવસેનાએ સત્તામાં મુખ્ય ભાગીદારી કરી હતી. હવે સમીકરણો બદલાયા છે અને શિવસેનાના બે ફાડિયા થયા પછી ઠાકરે બ્રધર્સ એક તરફ છે, અને બીજી તરફ શિવસેના (શિંદે) નું ગઠબંધન છે. ગઈકાલથી જ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ચૂંટણી પ્રક્રિયાની ગરબડ અંગે ગંભીર આક્ષેપો કરી રહ્યા હતા અને ચૂંટણીપંચ તેનો જવાબ આપી રહ્યું હતું. હવે આજે પરિણામો આવ્યા પછીના વિપક્ષોના સંગઠીત પ્રત્યાઘાતો આવશે, તે નક્કી છે.
આજે પ્રારંભથી જ બીએમસી ઉપરાંત મોટાભાગની મહાનગરપાલિકાઓમાં પણ ભાજપ-શિંદેની મહાયુતિનો પરચમ લહેરાયા પછી સંજય રાઉત, ઠાકરે બ્રધર્સ અને કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી પ્રક્રિયા અંગે આક્ષેપો ફરીથી દોહરાવીને બીએમસીના કમિશનર પરિણામો પહેલા જ મહાયુતિઓને મળવા ગયા હોવાના કથિત આક્ષેપો કરીને આચાર સંહિતાનો ઉલાળીયો કરાયો હોવાના નિવેદનો કર્યા હતા.
આજે પ્રારંભમાં બીએમસીમાં ભાજપ-શિંદે ગઠબંધન અને મહાવિકાસ અઘાડી પૈકીના ઠાકરે બંધુઓ સાથેના ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર જણાતી હતી પરંતુ બપોર થતાં થતાં ચિત્ર બદલાવા લાગ્યું હતું
આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે, અને પરિણામો પછી મહારાષ્ટ્રની તર્જ પર અન્ય રાજયોમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાશે, તેમ જણાઈ રહ્યું છે.
આજે મધ્યાન્હમાં આવેલા વલણો (પરિણામોની લીડ) મુજબ નાગપુરમાં ભાજપની પ્રચંડ જીત, નાસિક-ઠાણેમાં ભાજપના ગઠબંધનો તો નવી મુંબઈ, મીરા ભાઈદરમાં કાંટે કી ટક્કર, લાતૂર માલેગાંવ, જલગાંવમાં વિપક્ષી ગઠબંધનની લીડ જોવા મળી રહી છે, તો મુંબઈ (બીએમસી)માં દાયકાઓ પછી શિવસેના (ઠાકરે) ના વળતા પાણી થતાં જોવા મળી રહ્યા છે. આ વખતે મહાવિકાસ અઘાડી અને મહાયુતિ બંને ગઠબંધનોના રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાંચ જેટલા અલગ-અલગ ગઠબંધનો બનાવ્યા હતા. અને જુદી જુદી મહાનગરપાલિકાઓમાં અલગ-અલગ ગઠબંધને ચૂંટણી લડી હતી.
ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આવી રહી છે, અને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે, તેમ જણાઈ રહ્યું છે.
આજે મહારાષ્ટ્રમાં આવી રહેલા વલણો જોતાં મહારાષ્ટ્રમાં ભાષાવાદ તથા ભેદભાવની રાજનીતિને ત્યાંની જનતાએ નકારી છે અને ગુજરાતીઓ તથા ઉત્તર ભારતીયોનો વિરોધ કરવાનું ઠાકરે બ્રધર્સને ભારે પડી ગયું હોય તેમ જણાય છે. બીજી તરફ કોંગ્રેસ, ઠાકરે બ્રધર્સ, એનસીપી (શરદ પવાર) વગેરેએ જુદા જુદા ગઠબંધનો રચીને ચૂંટણી લડતા તેનો ફાયદો પણ ભાજપ-શિંદેના ગઠબંધનને મળ્યો હોય તેમ જણાય છે. આ ચૂંટણીઓમાં કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ જ મુદ્દાઓ પર લડાશે કે નવા મુદ્દાઓ ઉમેરાશે તે જોવું રહ્યું.
સ્થાનિક રાજનીતિ ઉપરાંત રાષ્ટ્રીય રાજનીતિમાં પણ હલચલ મચી છે. સુપ્રિમકોર્ટે ગઈકાલે મમતા બેનર્જીની સરકારને નોટિસ ફટકાર્યા પછી ત્યાંનુ ભાજપ ગેલમાં છે, તો કર્ણાટકમાં કોંગ્રેસ આંતરિક વિખવાદોથી ઉપર ઉઠીને એકજૂથ થવાની દિશામાં આગળ વધી રહેલી જણાય છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન જાળવી રાખશે કે "એકલા ચલો રે" ની નીતિ અપનાવશે, તેની ચર્ચા મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી ફરીથી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ તામિલનાડૂ, કેરલ અને તેલંગાણા સહિતના દક્ષિણ ભારતમાં પોતાની હાજરી નોંધાવવા ભરચક્ક પ્રયાસો કરી રહેલી ભારતીય જનતા પાર્ટી ફરીથી ત્યાં ગઠબંધનમાં સ્થાનિક પક્ષોને સામેલ કરવાની રણનીતિ અપનાવી રહેલી જણાય છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી વધુ ચર્ચા ટ્રમ્પના રોજે રોજના નિર્ણયો તથા ટેરિફ અને યુદ્ધ નીતિ તથા વિદેશનીતિની થઈ રહી છે. અમેરિકા પર પણ હવે ચીન જેવી સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી નીતિ અપનાવવાનો આરોપ લાગી રહ્યો છે. ઈરાને સામૂહિક ફાંસી માટેનો નિર્ણય મોકૂફ રાખ્યા પછી ટ્રમ્પ ઢીલા પડી ગયા અને ઈરાનને ચેતવણી આપીને હાલ સુધી હૂમલો કરવાનું માંડી વાળ્યું હોવાના અહેવાલો છતાં ટ્રમ્પનો કાંઈ ભરોસો નહીં, તેવા પ્રત્યાઘાતો સાથે તેની આલોચના થઈ રહી છે. ઈરાન સાથે આંખો બતાવ્યા પછી ટ્રમ્પે ઢીલું વલણ અપનાવ્યુ તેની પાછળ અમેરિકાના મિત્ર દેશો ગણાતા કેટલાક ખાડીના રાષ્ટ્રો તથા યુએઈ, કતાર વગેરે પણ અમેરિકાની વિરૂદ્ધમાં જઈ રહ્યા હોવાનું કારણ પણ જણાવાઈ રહ્યું છે.
ભારતે હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે, તો અમેરિકાએ તદૃન તાજા નિર્ણયમાં વિઝાનીતિમાં ફેરફાર કર્યો છે. આજે જ પાકિસ્તાનને ઝટકો લાગે, તેવો ટ્રમ્પનો નિર્ણય પણ ચર્ચાના આકડે ચડયો છે.
જામનગર અને હાલારમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હલચલ થવા લાગી છે અને ભાજપ, કોંગ્રેસ તથા આમઆદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ તથા કાર્યકરો પ્રદેશ હાઈકમાન્ડના નિર્દેશોની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાય છે.
આમ, વર્ષ ૨૦૨૬ના પ્રારંભે જ સ્થાનિક કક્ષાથી માંડીને પ્રદેશ, દેશ અને દુનિયામાં જે ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે, જે સંઘર્ષમય તથા અસાધારણ છે, અને તેમાંથી જ શાંતિ અને સ્થિરતાનો કોઈ માર્ગ નીકળશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે મકરસંક્રાંતિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ ગયું. જામનગર સહિત ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વે હર્ષોલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા અને પતંગ રસિયાઓએ પતંગો ઉડાડવાની મજા માણી. જો કે, પતંગની દોરીથી ગળુ કપાઈ જતા કેટલાક લોકોનો જીવ ગયો, તો કેટલાક પંખીઓ પણ ઘાયલ થયા. સતત અપાતી વોર્નિંગ, તંત્રોની ગાઈડલાઈન્સ અને પ્રેસ-મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી અપાતી ચેતવણીઓ છતાં આ પ્રકારની ઘટનાઓ તદ્દન અટકતી નથી, તે દુર્ભાગ્યપૂર્ણ છે, અને આત્મ ચિંતનનો વિષય છે.
કેટલાક સ્થળે વીજ કરંટ તો કોઈ સ્થળે છત પરથી પડી જવાની ઘટનાઓ બની. કેટલાક સ્થળે પતંગ ઉડાડવા, કાપવા કે દેકારો કરવાના કારણે તકરારો પણ થઈ. નાની-મોટી તકરારો કેટલાક સ્થળે મારામારી અને જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ અને હત્યાના બનાવો પણ બન્યા. આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આપણી મૂળભૂત સંસ્કૃતિને અનુરૂપ નથી. આપણે પરસ્પર સ્નેહ, પ્રેમ, આદર અને સહનશીલતા રાખીને તહેવારો ઉજવતા રહેવા જોઈએ, ખરૃં ને ?
આજે પણ વાસી મકરસંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. મકરસંક્રાંતિ પર્વ સાત ધાનનો "ખીચડો" આપણાં પ્રદેશની પરંપરાગત વિશેષતા છે, અને તેને પાછળ ઋતુગત પોષણનો કોઈ સાયન્ટિફિક દૃષ્ટિકોણ પણ હોઈ શકે છે. હજુ પણ પતંગ ઉડાડતી વખતે સાવધાન રહેવાની અપીલો કરવામાં આવી રહી છે.
જો કે, ગઈકાલે ભારતના ક્રિકેટ રસિયાઓની મકરસંક્રાંતિ તો મોજભરી રહી હશે, પરંતુ રાજકોટના મેદાનમાં જે રીતે ન્યુઝીલેન્ડની ટીમ સાથે ભારતીય ટીમ હારી ગઈ, તે ઘણું જ નિરાશાજનક હતું...રોહિત શર્મા અને કોહલી, ગીલ સહિતના બેટધરોને ન્યુઝીલેન્ડના બોલરોએ એવા તો નિયંત્રણમાં રાખ્યા હતા કે એક સમયે એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા સાવ સસ્તામાં આઉટ થઈ જશે, પરંતુ કે.એલ.રાહુલે સદી ફટકારતા ભારતીય ટીમ કાંઈક સન્માનજનક સ્કોર પર પહોંચી હતી. જો કે, ભારતીય બોલરોની નિષ્ફળતાના કારણે ટીમ ઈન્ડિયા શરમજનક રીતે હારી ગઈ અને કે.એલ.રાહુલની સદી એળે ગઈ.
રમત-ગમત હોય કે રાજકારણ હોય, તેમાં હાર-જીત તો ચાલ્યા કરે, પરંતુ જ્યારે ક્રિકેટ જેવી રમતમાં કેટલીક વખત "લક" પણ કામ કરતા હોય તેવું લાગે. રાજકોટની ગઈકાલની રમતમાં નસીબ કદાચ ન્યુઝીલેન્ડની તરફેણમાં હતું, તેવું પણ ઘણાં ક્રિકેટ રસિયાઓ કહે છે, તેની સામે ઘણાં દુભાયેલા કે નિરાશ થયેલા ક્રિકેટ રસિયાઓ એવું પણ કહે છે કે એ તો બધી મન મનાવવાની વાતો છે, બાકી ભારતીય ટીમના કહેવાતા દિગ્ગજો કાગળ પર દોરેલા સિંહ જેવા જ પૂરવાર થયા છે. પહેલી વન-ડે માંડ માંડ જીત્યા, તેમાં પણ કે.એલ.રાહુલે છેલ્લે સુધી ચતુરાઈ પૂર્વક રમીને ભારતને જીત અપાવી હતી, તો ગઈકાલની મેચમાં પણ કે.એલ.રાહુલ સિવાયના મોટાભાગના બેટધરો તદ્દન નિષ્ફળ ગયા, તેથી કહી શકાય કે પહેલી બંને મેચો ન્યુઝીલેન્ડ અને કે.એલ.રાહુલ વચ્ચેની જ સ્પર્ધા હોય, તેવું ચિત્ર ઉપસ્યું છે.
જો કે, ટીમ ઈન્ડિયા પાસે હજુ શાખ બચાવવાની તક છે. ૧૮મી જાન્યુઆરીના દિવસે ત્રીજી વન-ડે ફાયનલ જેવી હશે, અને તેમાં ભારતીય ટીમ નહીં જીતે, તો વર્તમાન ટીમના ઘણાં ચહેરાઓ બદલી જશે, તે નક્કી છે. ક્રિકેટ રસિયાઓ રાજકોટની મેચમાં ભારતના ટોચના બેટધરો અને બોલરો નિષ્ફળ રહ્યા અને જેની "હોમ-પીચ" હતી, તેમણે પણ નિરાશ કર્યા હોવાની ચર્ચાઓ કરી રહ્યા છે. પરંતુ બધા દિવસો સરખા નથી હોતા તેવું કહીને ઘણાં ક્રિકેટ રસિયાઓ ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાના નિષ્ફળ ગયેલા બેટધરો, બોલરો અને ઓલરાઉન્ડરો "કમાલ" કરી બતાવશે, તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
જો કે, તટસ્થ રીતે ક્રિકેટની રમતને નિહાળતા વિશ્લેષકો ગઈકાલે જે રીતે બે ખેલાડીઓએ સદી ફટકારી અને બંને ટીમોના ખેલાડીઓએ જે રીતે સુંદર ફિલ્ડીંગ કરીને પોતાની ટીમ માટે પોતાની તમામ તાકાત અજમાવી દીધી, તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.
જો કે, રાજકોટમાં આ વખતે ખંઢેરી સ્ટેડિયમ કદાચ હાઉસફૂલ થયું નહીં, તેનું કારણ મકરસંક્રાંતિના શુભ દિને યોજાયેલા કેટલાક શુભ પ્રસંગો અને પરંપરાગત રીતે ધાર્મિક સ્થળો પર થતી ઉજવણીઓ વગેરે હોઈ શકે. મકરસંક્રાંતિનું પર્વ સૌરાષ્ટ્રમાં પૂર્વ-નિર્ધારિત અને પૂર્વ આયોજિત હોય છે અને તેની રાહ ઘણાં લોકો લાંબા સમયથી જોતા હોય છે. તેથી સ્ટેડિયમ પૂરેપૂરૃં ભરાયુ નહીં હોવા છતાં પ્રેક્ષકોની સંખ્યા સારી હતી. એવું કહેવાય છે. જો કે, ભારતની બોલીંગ નિષ્ફળ ગયા પછી ધીમે ધીમે પ્રેક્ષકો ત્યાંથી નીકળવા લાગ્યા હતા અને પતંગોત્સવમાં જોડાવા લાગ્યા હતા. તો ઘણાં ક્રિકેટ રસિયા પતંગ પ્રેમીઓએ છત પર જ પતંગ ઉડાડતા ઉડાડતા ક્રિકેટ મેચનું જિવંત પ્રસારણ નિહાળી શકાય, તેવી વ્યવસ્થા કરીને બંને પ્રકારની મોજ માણી હતી.
જામનગર સહિત હાલારમાં પણ મકરસંક્રાંતિનું પર્વ ધામધૂમથી ઉજવાયુ અને પતંગ ઉડાડતા ઉડાડતા વન-ડે મેચની મોબાઈલ સેલફોન પર આવતા જિવંત પ્રસારણનો ઓડિયો ચાલુ રાખીને તેની મોજ માણી, ત્યારે ભૂતકાળમાં રેડિયો પર અપાતી રનીંગ કોમેન્ટ્રીની યાદ પણ તાજી થઈ ગઈ હતી.
બીજી તરફ સરકારી 'પતંગોત્સવો'ના અહેવાલો પણ અગ્રીમ હરોળમાં રહ્યા હતા. કાઈટ ફેસ્ટિવલનું પહેલેથી વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતુ અને તે પછી મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓએ ગઈકાલે જ જ્યાં જ્યાં પતંગો ઉડાડયા, ત્યાં ત્યાં મીડિયાવાળા પહોંચ્યા હતા, અને "બાઈટ" લીધી હતી. તેવી જ રીતે સેલિબ્રિટીઝ તથા સામાન્ય જનતાના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.
ગઈકાલે નભમાં પતંગો અને વાતાવરણમાં કર્ણપ્રિય ગીત-સંગીતથી છવાયા હતા, તો "કાપ્યો છે" ના હર્ષનાદો સાથે પતંગ ઉડાડવાની તંદુરસ્ત સ્પર્ધાઓ પણ થઈ હતી. લોકોએ પરંપરાગત જીંજરા, બોર, ચિક્કી, શેરડી, મમરાના લાડવા, તલસાંકરી વગેરેની જહેમત માણી હતી, તો આ જ પ્રકારે ચીજવસ્તુઓનું દાન કરીને તથા મંદિરોમાં ધરાવીને પુણ્ય પણ કમાયુ હતું. ગૌશાળા-પાંજરાપોળમાં ગાયોને લાડુ અને ધાસચારો ખવડાવાયા હતા, તો સેવાભાવી સંસ્થાઓ તથા તંત્ર દ્વારા ઘાયલ પંખીઓને સારવાર માટે કરાયેલી વ્યવસ્થાઓ પણ ખૂબ જ ઉપયોગી બની હતી. કેટલાક સ્થળે ગરીબ પરિવારોને પતંગ-ફીરકી તથા ખાણીપીણીની ચીજવસ્તુઓનું વિતરણ પણ થયું હતું. કેટલાક સ્થળે રક્તદાન કેમ્પ, વિવિધ રોગ નિદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, લેબોરેટરી કેમ્પ વગેરે પણ યોજાયા હતા. તેથી એવું કહી શકાય કે ખેલ, પતંગ અને સેવાકાર્યોનો જાણે ત્રિવેણી સંગમ રચાયો હતો !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં ફરી એક વખત પાટીદાર આંદોલનની ચર્ચા છેડાઈ ગઈ છે, અને આ કારણે, હાલમાં ભાજપના ધારાસભ્ય અને વર્ષ ૨૦૧૫માં આ અનામત આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલે પણ પ્રતિક્રિયા આપતા રાજયમાં પાટીદાર સમાજને પછાતવર્ગમાં સમાવવાનો એક દાયકાથી વધુ જુનો મુદ્દો ફરીથી છંછેડાયો છે, અને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવી રહેલી ચૂંટણીઓ પર પણ અસર પડી શકે છે. કદાચ, આ મુદ્દો ફરીથી સપાટી પર આવવાનું કારણ પણ "રાજકીય" જ હોઈ શકે છે. એક પાટીદાર ઉદ્યોગપતિએ આ મુદ્દો કદાચ સામાજિક દૃષ્ટિએ ઉઠાવ્યો હોય કે પછી અજાણતામાં પોતાનો દૃષ્ટિકોણ ઉઠાવી દીધો હોય તો પણ રાજકારણીઓની જમાત હવે આ મુદ્દો વધુ ને વધુ ચગાવશે, તે પણ હકીકત છે !
આ મુદ્દો છેડાયા પછી એક વધુ એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે વિવિધ કારણે કેટલાક સમાજોની શહેરો તરફ વધતી દોટના કારણે ગામડાઓમાં તે સમાજોની ઘટી રહેલી વસતિની ચિંતાઓ પણ હવે સપાટી પર આવવા લાગી છે, અને તેના કારણે રાજ્યની તથા દેશની જ્ઞાતિ-જાતિ આધારિત વસતિ ગણતરીનો મુદ્દો પણ ફરીથી વેગ પકડવા લાગ્યો છે.
હકીકતે ગુજરાતમાં પંચાલ સમાજ બીજું સંતાન લાવનાર એટલે કે જે દંપતીને ત્યાં બીજા સંતાનનો જન્મ થાય, તેવા દંપતીને રૂ।. ૨૫ હજાર આપવાની જાહેરાતના અહેવાલો પછી રાજ્યમાં પંચાલ સમાજની ઘટી રહેલી વસતિની વાત કરી હતી. એ પછી હાલના ભાજપના ધારાસભ્ય અને વર્ષ ૨૦૧૫માં પાટીદાર આંદોલન ચલાવીને આનંદીબેન પટેલની સરકારને હચમચાવી નાખનાર યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે પાટીદારોને ગામડાઓને ધબકતા રાખવા અને ગામડાઓનું અસ્તિત્વ બચાવવા પર ભાર મુકતુ નિવેદન તો કર્યું પણ સાથે સાથે તેમણે શહેરોમાં રહેતા પાટીદારોને તેમનું ચૂંટણીકાર્ડ ગામડાઓનું જ રાખવાની અપીલ કરી હોવાના અહેવાલો પછી એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. અને ગામડાઓમાં પાટીદાર સમાજની વસતિ પણ ઘટી રહી હોવાનો મુદ્દો છેડાઈ ગયો છે.
મીડિયા અહેવાલો મુજબ રાજ્યના સામાજિક માળખામાં થતા ફેરફારો તથા જ્ઞાતિ-સમાજ આધારિત જનસંખ્યાના મુદ્દે પાટીદાર અને પંચાલ સમાજની ચિંતાઓની સરખામણી તથા બંને દૃષ્ટિકોણ વચ્ચેના તફાવતની ચર્ચામાંથી શહેરીકરણના કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા હોવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે, અને તેના કારણે ગામડાઓમાં ઝડપથી બદલાઈ રહેલા સામાજિક સમિકરણો તથા તેના આર્થિક અને પારિવારિક અસરોની ગહન ચર્ચા અને સામાજિક અને ગ્રામ્ય કક્ષાએ મનોમંથન શરૂ થઈ ગયું છે. હાર્દિક પટેલને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ તેમણે કહ્યું કે આજે આપણે શહેરો તરફ દોટ મૂકી રહ્યા છીએ, તેથી ગામડાઓમાં સમાજની વસતિ ઓછી થઈ રહી છે, જે આવનારા સમય માટે જોખમના સંકેતો છે. અમદાવાદ કે અમેરિકામાં સ્થાયી થનાર પાટીદાર પરિવારોને તથા તેઓના સંતાનોના ચૂંટણીકાર્ડ ગામડાઓના જ રાખવાની અપીલ કરવામાં આવી છે. આજે આ સામાન્ય લાગતી વાત દસ વર્ષ પછી ગામડાઓની સ્થિતિ બદલાશે, ત્યારે આ વાતની ગંભીરતા સમજાશે, તેમ જણાવીને ગામડાઓના અસ્તિત્વને ટકાવી રાખવા ગામડાઓમાં જ સામાજિક પ્રસંગો તથા સમૂહ લગ્નો યોજવાની અપીલ પણ કરવામાં આવી હતી.
આ મુદ્દો ચર્ચાની એરણે ચડતા વિશ્લેષકોના તારણો મુજબ પંચાલ સમાજ અને પાટીદાર સમાજની વસતિ ઘટાડાની આ ચિંતા સમાન જણાય છે. પરંતુ બંને ચિંતાઓમાં મૂળભૂત તફાવત છે. અને તેના સંદર્ભે જ પાટીદાર આંદોલન અને તેની ફલશ્રુતિઓ અંગે પણ ચર્ચા થઈ રહી છે. હાર્દિક પટેલનું મંતવ્ય એવું છે કે પાટીદાર આંદોલનના કારણે જ બિન અનામત વર્ગોને પણ ૧૦ ટકા અનામત મળી છે અને અન્ય રાહતો તથા પ્રોત્સાહનો પણ મળ્યા છે., તેથી અનામત વિરોધી આંદોલનના મુદ્દાને આગળ ધરીને પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ નિષ્ફળ જવાનો છે, વગેરે...વગેરે...
હકીકતે પંચાલ સમાજની ચિંતા એવી છે કે એક જ સંતાન રાખવાનો ટ્રેન્ડ પંચાલ સમાજમાં વધી રહ્યો હોવાથી વસતિ ઘટી રહી છે, તેથી વસતિ વધારવા, સમતુલન જાળવવા અને અસ્તિત્વ ટકાવી રાખવા દંપતીઓને બીજુ સંતાન લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, જયારે પાટીદાર અનામત, ઈડબલ્યુસી અથવા આર્થિક પછાત બિન અનામત વર્ગો માટે ૧૦ ટકા અનામત અને વર્તમાન સમયમાં શહેરીકરણ વધતા ગામડાઓમાં ઘટી રહેલી પાટીદાર સમાજની વસતિનો ઉલ્લેખ કરીને ગામડાઓ ભાંગી રહ્યા હોવાની થઈ રહેલી તર્કબદ્ધ દલીલો વચ્ચે મૂળભૂત તફાવત છે. પંચાલ સમાજમાં તો સમાજની ઘટી રહેલી વસતિની ચિંતા જ હોય તેમ જણાય છે, પરંતુ ગામડાઓ ભાંગી રહ્યા હોવાના તર્ક પાછળ કદાચ બહુહેતુક દૃષ્ટિકોણ હોઈ શકે છે, તેવા તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે.
એ હકીકત છે કે ગામડાઓ ભાંગી રહ્યા છે અને દેશનું અર્થકારણ ગામડાઓ પર વધુ નિર્ભર હોવાથી ગામડાઓ બચાવવા માટે શહેરો તરફ દોટ ઘટાડવાના અસકારક ઉપાયો કરવા જોઈએ, પરંતુ ગામડાઓમાંથી શહેરો તરફ કોઈ એક સમાજ કે સમુદાય નહીં, પરંતુ તમામ સમાજો-સમુદાયોના પરિવારો દોટ મૂકી રહ્યા છે, અને તે અટકાવવાના પ્રયાસોમાં ગ્રામ્યકક્ષાએ ભૌતિક, શૈક્ષણિક અને માળખાકિય સુવિધાઓ વિકસાવવા તથા તમામ સમાજોમાં જનજાગૃતિ ફેલાવવી જેવા ઉપાયો કરવા જ જોઈએ, અને પંચાલ સમાજની જેમ મંથન તમામ સમાજોમાં થાય, અને ગામડાઓમાંથી શહેરો તરફની દોટ ઘટે તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ ગામડાઓમાં જ ચૂંટણીકાર્ડ રાખવાની અપીલને ટાંકીને આ મુદ્દે બહુહેતુક દૃષ્ટિકોણ હોવાની વાતને પણ સમર્થન મળી રહ્યું છે.
તટસ્થ વિશ્લેષકોના મંતવ્ય મુજબ પંચાલ સમાજ અને પાટીદાર સમાજની ચિંતા તથા ગામડાઓ ભાંગતા અટકાવવાની જરૂરિયાત હોવાની તમામ ચિંતાઓ વાજબી છે, અને ગામડાઓમાં જ ચૂંટણીકાર્ડ રાખવાની અપીલ થતી હોય અને તેથી ગામડાઓનું મહત્ત્વ જળવાઈ રહેતું હોય, તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ આ ચિંતાની પાછળ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આવી રહેલી ચૂંટણીઓનું ગણિત પણ હોઈ શકે છે, તેથી જ કહે છે કે "કહીં પે નિગાહેં...કહીં પે નિશાના..."
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વખતે કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીને રવિવારે રજૂ થવાનું છે, અને તે પછી બે તબક્કામાં બજેટ સત્રનો આરંભ થશે. પહેલા સત્રમાં વૈધાનિક અને સંવૈધાનિક પ્રક્રિયાઓ પૂરી કરીને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરશે, અને સંલગ્ન ટૂંકી ચર્ચા થશે અને તે પછી બીજા તબક્કામાં બજેટ પર વિસ્તૃત ચર્ચા થશે. આ દરમ્યાન વિપક્ષો દ્વારા એસઆઈઆર, બાંગલાદેશ, ટ્રમ્પ ટેરિફ સહિતના મુદ્દાઓ તો ઉઠાવાશે જ, પરંતુ હવે તેમાં એક મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉમેરાઈ શકે છે.
હકીકતે સુપ્રિમકોર્ટે પોકસોના કાયદાનો દુરૂપયોગ થતો અટકાવવાના ઉપાયો પર વિચાર કરવાના નિર્દેશો કેન્દ્ર સરકારને આપ્યા હતા. એક સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે એડવાઈઝ અથવા ભલામણના સ્વરૂપમાં આપેલા આ નિર્દેશો પછી કેન્દ્ર સરકારે આ દિશામાં વિચારવું પડે તેમ જ છે અને આ મુદ્દે તત્કાળ ચર્ચા કરી સંસદ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કરવો જ પડે તેવા સંજોગો ઊભા થઈ ગયા છે. એક કેસના ચૂકાદાની નકલ કેન્દ્રીય કાયદા સચિવને આપવાનો નિર્દેશ જ્યારે સુપ્રિમકોર્ટે કર્યો હોય, ત્યારે આ મુદ્દાની ગંભીરતા વધી જાય છે, અને આ પ્રકારના સંવેદનશીલ મુદ્દે સિક્કાની બંને બાજુ જોવી પડે તેમ હોવાથી સંસદમાં પણ આ અંગે વિસ્તૃત અને તર્કબદ્ધ તંદુરસ્ત ચર્ચા થાય અને સર્વસંમત નિર્ણય લેેવાય તે પણ એટલું જ જરૂરી છે.
આપણાં દેશમાં શારીરિક શોષણ અને વિકૃત હરકતોથી બાળકોને બચાવવા "પોસ્કો" નામનો કાયદો બનાવાયો છે. જેનું ફૂલફોર્મ "પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એકટ-૨૦૧૨" થાય છે. આ કાયદો યુપીએ સરકારના શાસનમાં ઘડાયો હતો અને તે સમયે પણ આ કાયદાને લઈને સંવેદનશીલતા અને ગંભીરતાથી વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.
સુપ્રિમકોર્ટમાં પોસ્કોના એક કિસ્સામાં અલ્હાબાદ હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણી દરમ્યાન આપેલા પીડિતાની ઉંમરનો મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરાવવાના નિર્દેશો તથા સંલગ્ન સૂચનાઓને હાઈકોર્ટના સત્તાક્ષેત્ર (અધિકારક્ષેત્ર)થી આગળ વધીને આપી હોવાનું ઠરાવી રદબાતલ કર્યા હતા, પરંતુ તેની સાથે સાથે સુપ્રિમકોર્ટે પોસ્કો અધિનિયમના વધતા જતા દુરૂપયોગ અંગે લાલબત્તી ધરીને કેન્દ્ર સરકારને આ મુદ્દે વિચારવાની તથા "રોમિયો-જુલિયેટ ક્લોઝ" લાવવાની દિશામાં વિચારણા કરવાના જે નિર્દેશો આપ્યા છે, તે પછી આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બન્યો છે.
સુપ્રિમકોર્ટે કહ્યું છે કે પોકસોનો કાયદો બાળકોની સુરક્ષા માટે એક પવિત્ર અને સારા ઈરાદાની ફલશ્રુતિ છે, પરંતુ ઘણાં કિસ્સાઓમાં આ કાયદાનો હથિયાર તરીકે દુરૂપયોગ થાય છે, જે યોગ્ય નથી. અદાલતે કહ્યું છે કે ટીનેજર્સ (કિશોરો) વચ્ચે પરસ્પર સંપૂર્ણ સંમતિથી સંબંધો બંધાયા હોય, પરંતુ તેમાં પરિવારજનો સહમત ન હોય, ત્યારે તેને બાળકોનું જાતિય શોષણ કે શારીરિક સતામણી ગણીને પોસ્કો જેવા અત્યંત કડક કાયદા હેઠળ કાર્યવાહી કે ફરિયાદ કરવી યોગ્ય નથી. આ રીતે પવિત્ર કાયદાનો દુરૂપયોગ થતો હોવાથી આવા કિસ્સામાં રાહત આપવા માટે સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને રોમિયો-જુલિયેટ ક્લોઝ લાવવાની હિમાયત કરી છે. અદાલતે કહ્યું છે કે આ સારા ઉદ્દેશ્ય સાથેના અત્યંત પવિત્ર કાયદાનો ઘણી વખત બદલો લેવા માટે કે અંગત દુશ્મનાવટ કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તે યોગ્ય નથી.
અદાલતે કહ્યું છે કે જો રોમિયો-જુલિયેટ ક્લોઝ ઉમેરવામાં આવશે, તો પ્રેમ પાંગર્યા પછી પરસ્પર સહમતિથી બંધાયેલા સંબંધો પછી પોસ્કોમાં ફરતા તરૂણોને કાયદાકીય કઠોરતાથી બચાવી શકાશે. અને પવિત્ર કાયદાનો મલિન ઈરાદાથી થતો દુરૂપયોગ અટકાવી શકાશે. આ ફેંસલો લેતા પહેલા પીઠે એવું અવલોકન પણ કર્યું હતું કે દેશભરમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જ્યાં યુવતીની ઉંમર ઇરાદાપૂર્વક ૧૮ વર્ષથી ઓછી હોવાનું દેખાડીને પોસ્કોની કલમો હેઠળ કડક કાર્યવાહી કરવાની યુક્તિ અજમાવાઈ હોય.
અદાલતે કહ્યું છે કે એક તરફ એવા લાચાર બાળકો હોય છે, જેઓને વાસ્તવમાં પોકસો જેવા કાયદાના રક્ષણની જરૂર તો હોય છે, પરંતુ તેઓ ડર, ગરીબી, સામાજિક કલંક જેવા કારણે ન્યાય વ્યવસ્થા સુધી પહોંચી શકતા નથી, પરંતુ બીજી તરફ કેટલાક પહોંચેલા લોકો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સંસાધનોના દમ પર આ કડક કાયદાનો પોતાના ફાયદા માટે દુરૂપયોગ કરતા હોય છે. આવું થતુ અટકાવવા રોમિયો-જુલિયેટ ક્લોઝની ભલામણ કરતા અદાલતે વિશ્વના અનેક દેશોમાં આ ક્લોઝ અમલમાં છે, તેમ ભારતમાં પણ આ જોગવાઈ કરવા કેન્દ્ર સરકારને જે સૂચન કર્યું છે, તે જોતા હવે આ મુદ્દે દડો કેન્દ્ર સરકારના મેદાનમાં છે, અને જો કેન્દ્ર સરકાર આ ભલામણ પ્રત્યે તત્કાળ ધ્યાન નહીં આપે, તો વિરોધપક્ષો આ મુદ્દો હાથોહાથ ઉપાડી લેશે, તે નક્કી છે.
હવે સવાલ એ થાય છે કે કોઈ ફિલ્મના નામ જેવો રોમિયો-જુલિયેટ ક્લોઝ હકીકતે છે શું ? આ વિધિના ઘણાં દેશોમાં અમલમાં મૂકાયેલી એવી કાયદાકીય જોગવાઈ છે, જેમાં કિશોરવયે પરસ્પર સંમતિથી બનેલા સંબંધોને પોકસો જેવા જાતિય અપરાધોની શ્રેણીથી અલગ રાખે છે. ઉંમરના થોડા-ઘણાં તફાવતના કારણે પોકસો જેવા અત્યંત કડક કાયદામાં મલિન ઈરાદાથી કે બિનજરૂરી રીતે કિશોરોને ધકેલાતા અટકાવવા આ પ્રકારની જોગવાઈ જાતિય અપરાધોના સંદર્ભે ઘણાં દેશોએ કાનૂની રીતે કરી છે., જેને અનુસરવા સુપ્રિમકોર્ટે કરેલું સૂચન રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
જો કે, દેશમાં કેટલીક અદાલતોએ પોતાની વિવેકબુદ્ધિની સત્તા હેઠળ આ પ્રકારના કેસોમાં ઉદારતા બતાવી હોવાના પ્રતિભાવો પણ સામે આવ્યા છે. કેટલીક સુનાવણીઓમાં આ મુદ્દો ચર્ચાયો છે, તો કેટલાક કિસ્સાઓમાં ૧૮ વર્ષના છોકરા સાથે ૧૭ વર્ષની છોકરીના પોતાની પરસ્પર સંમતિથી સ્થપાયેલા સંબંધોના મુદ્દે અતિરિક્ત ઉદાર વલણ અપનાવાયુ હોવાના પણ કેટલાક દૃષ્ટાંતો ચર્ચાતા હોય છે. પરંતુ સુપ્રિમકોર્ટે પોસ્કો કાયદામાં જ સંશોધન કરીને કેટલાક અન્ય દેશોમાં અમલી બનેલા રોમિયો-જુલિયેટ ક્લોઝ ઉમેરવાનું જે સૂચન કર્યું છે, તે અંગે હવે કેન્દ્ર સરકાર, વિપક્ષો અને સમાજ તથા સંસ્થાઓ કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મકરસંક્રાંતિ નજીક આવી રહી છે અને માર્કેટમાં પતંગ, દોરી, ખાણીપીણીની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો નીકળી રહ્યા છે. સિઝનલ ફળો, જીંજરા અને ગોળમાંથી બનતી તલસાંકરી, પુસ્તાપાક, તલ-મમરાના લાડુ, રેવડી, ગુબીજ, ખજુરપાક, દારિયાપાક સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે સાતધાનનો ખીચડો બનાવવાનો પણ રિવાજ છે. શિયાળાની ઋતુમાં કોઈપણ ઉજવણીમાં ભજીયાપાર્ટી અને ગાંઠિયા-જલેબીની મહેફિલો તો સૌરાષ્ટ્રમાં યોજાતી જ હોય છે ને ?
મકરસંક્રાંતિ એટલે પતંગોત્સવનો તહેવાર...હવે તો સરકારો પણ પતંગોત્સવો ઉજવવા લાગી છે અને પતંગોત્સવને હવે ગ્લોબલ ઈવેન્ટ બનાવી દીધો હોવાથી તંત્રો પણ પતંગોત્સવો માટે ઘણાં જ એક્ટિવ રહેતા હોય છે. તાલુકા કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા સુધી કાઈટ ફેસ્ટિવલના આયોજનો માટે સ્પેશિયલ બેઠકો યોજાતી જ રહે છે, પરંતુ તેની સાથે સાથે દર વર્ષે નવા નવા આયામો જોડાતા રહે છે. હવે તો પતંગોત્સવો પણ અન્ય પ્રોડકટો તથા વિષયોના માર્કેટીંગનું માધ્યમ પણ બન્યા છે. પતંગોત્સવ એ રોજગારીની વિપુલ તકો પણ ઊભી કરી છે. અને ઘણાં સામાન્ય અને ગરીબ પરિવારોને પતંગોત્સવોના કારણે આર્થિક ઉત્તેજન પણ મળ્યું છે, તેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.
બીજી તરફ મકરસંક્રાંતિના તહેવારોમાં પશુ-પંખીઓ માટે જ નહીં, આપણાં બધા માટે પણ પતંગની દોરથી ઈજાગ્રસ્ત થવાનો ખતરો મંડરાતો રહેતો હોય છે, અને ઘણાં બાઈક સવારો કે સાયકલ સવારોએ પતંગની દોરથી ગળુ કપાઈ જતાં જીવ ગુમાવ્યો હોય, તેવા પણ દૃષ્ટાંતો છે. તે ઉપરાંત ઊંંચાઈ પર ઊભીને પતંગ ઉડાડતા ઉડાડતા કે કોઈ ની "કટી પતંગ" મેળવવા જતા ઊંચાઈએથી પડી જવાથી પણ ઘણાં લોકો ઈજાગ્રસ્ત થાય છે, અને જીવનું પણ જોખમ રહે છે. આ તમામ જોખમો હોવાથી પતંગ ઉડાડવા જ ન જોઈએ, તેવું તો કહેવું તો યોગ્ય જ નથી, પરંતુ આ પ્રકારની ઘટનાઓ બનતી જ અટકાવવા જરૂરી જાગૃતિ રાખવા લોકોને સાવચેત અને પ્રશિક્ષિત તો કરી જ શકીએ છીએ ને ?
થોડા સમયથી કેટલાક સ્થળે પોલીસતંત્ર દ્વારા દ્વીચક્રી વાહનોમાં દોર વિરોધી તારની રીંગ લગાવવાની પહેલ કરી છે, જેને સ્ટ્રીંગ પ્રોટેક્ટર પણ કહે છે, તે ઉપરાંત બાઈકર્સને ગળામાં દોર રક્ષક બેલ્ટ પણ બાંધવામાં આવી રહ્યા છે. આ એક યોગ્ય પહેલ છે અને આ કારણે લોકોમાં જાગૃતિ પણ આવી રહી છે. મકરસંક્રાંતિના પર્વે પગપાળા નીકળતી વખતે પણ આ પ્રકારના સેઈફગાર્ડનો ઉપયોગ કરવામાં આવે, તે ઈચ્છનિય છે. બીજી તરફ સૌથી વધુ જવાબદારી પતંગ ઉડાડનારાઓની પણ ગણાય કારણ કે કોઈને પણ ઈજા ન પહોંચે તેવી રીતે પતંગ ઉડાડવાની જાગૃતિ રાખવાની માનવીય ફરજ તો બજાવવી જ જોઈએ ને ?
આ તો થઈ માનવની એટલે કે આપણાં સૌના રક્ષણની વાત...પરંતુ પતંગની દોરીથી ઘણી વખત સડક પર જતા પશુઓને પણ હાનિ કે ઈજા પહોંચતી હોય છે, તે અંગે પણ સ્વયં પતંગબાજો જ વધુ જવાબદાર ગણાય., આ જોખમોને હળવાશથી લેવાના બદલે એવી રીતે વિચારવુ જોઈએ કે જો પતંગની દોરીથી આપણું કોઈ સ્વજન કે આપણા પાલતુ પશુઓને ઈજા થાય, ત્યારે આપણે કેવી રીતે વિચારીએ ? કેવી રીતે "રિએકટ" કરીએ અને તેવા સમયે આપણને સૌથી વધુ કેવી લાગણી જન્મે, તેની કલ્પના કરીએ તો પણ પતંગ ઉડાડતી વખતે આપણે આ પ્રકારની સાવચેતી તો જરૂર રાખીએ જ...
હવે કરીએ ગગન વિહાર કરતા કે વૃક્ષોની આજુબાજુ કલરવ કરતા નિર્દોષ માસુમ પંખીડાઓની વાત... પંખીઓ જ સૌથી વધુ પતંગબાજીની દોરનો ભોગ બનતા હોય છે, અને દર વર્ષે આ અંગે તંત્રો, સમાજ અને સંગઠનો (એનજીઓઝ) દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરતા હોય છે. અ વર્ષે પણ આ જ પ્રકારે કરૂણા અભિયાન, વિશેષ ટીમો તથા સારવાર કેન્દ્રોની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ પંખીઓને ઓછામાં ઓછું નુકસાન પહોંચે, તેવી સાવધાની રાખીએ છીએ ખરા ?
જો કે, જાહેરનામાઓ અને ગાઈડલાઈન્સ બહાર પડે છે, તંત્રો પરિપત્રો કાઢે છે, અને પંખીઓના ગગન વિહારના સમયે પતંગ નહીં ઉડાડવાની ચોક્કસ ટાઈમટેબલ સાથેની સૂચનાઓ પણ અપાતી હોય છે, પરંતુ શું આપણે તેનું ચૂસ્ત પાલન કરવા તૈયાર છીએ ખરા ? આપણે આપણી જાત (આત્મા)ને જ આ સવાલનો જવાબ પુછવાની જરૂર છે. જે કોઈપણ વ્યક્તિ દિલ પર હાથ રાખીને કહી શકે કે તે આ પ્રકારની સાવચેતી રાખે છે, અને તેમના પરિવાર, મિત્રોને પણ પંખીઓને નુકસાન ન થાય, તેનું ધ્યાન રાખવા સમજાવે છે, તે જ સાચો જીવદયાપ્રેમી ગણાય...ખરૃં ને ?
પતંગબાજી પણ હવે સસ્તી રહી નથી. સામાન્ય પતંગ અને દોરનો એક પરિવારનો જ ખર્ચ બાળક દીઠ સેંકડો અને પરિવાર દીઠ હજારોમાં પહોંચે તેવા ભાવો છે અને તેની સાથે ગીત-સંગીત, ખાણી-પીણી તથા ટેરેસ પર જ લંચ-ડીનર કે મહેફીલ કરવાનો તોતીંગ ખર્ચ તો હવે ગરીબો કે નિમ્ન મધ્યમવર્ગોના પરિવારોને પોષાય તેમ જ નથી. આમ, છતાં ઉછી ઉધારાના નાણાં મેળવીને પણ જયારે આ પરિવારો મકરસંક્રાંતિ ઉજવતા હોય છે, ત્યારે થોડી દયા ભાવના, જીવદયા અને સાવધાની રાખીને કોઈપણ જીવ કે માનવીને ઈજા પહોંચે જ નહીં, તેટલું તો આપણે બધા કરી જ શકીએ ને ?
એવું પણ નથી કે આપણે પતંગોત્સવ ઉજવીએ જ નહીં કે મોજ-મજા કરીએ જ નહીં, પરંતુ શક્ય તેટલી વધુ સતર્કતા, પરસ્પર સહયોગ અને સાંમજસ્ય દાખવીને થોડી જાગૃતિ રાખીએ અને માત્ર આદર્શ વાતોના વડા કરીને કે જાહેરનામા-ગાઈડલાઈન્સ જાહેર કરીને તથા ઉપદેશ આપીને નહીં, પરંતુ આપણાંથી જ જરૂરી જાગૃતિની શરૂઆત કરવી જોઈએ, અન્યથા આપણા જેવા દંભી કોઈ નહીં હોય...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત સરકાર લીગલ સેક્ટરમાં ધરખમ ફેરફારો કરવા જઈ રહી છે અને રેવન્યૂના હાલના ૧૬ કાયદાઓને નાબૂદ કરીને તેના સ્થાને માત્ર એક જ કાયદો લાવવાની તૈયારીમાં હોવાના અહેવાલો આજે ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે. રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયા અત્યંત જટિલ છે અને તેના કારણે જ સંખ્યાબંધ વિવાદો ઊભા થાય છે અને કૌભાંડકારોને પણ આ કારણે છટકબારીઓ મળી જાય છે. આ કારણે રાજ્ય સરકાર જમીન મહેસુલને સંબંધિત કાયદાઓમાં સુધારા-વધારા સાથે એકીકરણ કરીને માત્ર એક "ગુજરાત જમીન વહીવટ કાયદો" લાવવાની તૈયારીમાં હોવાના અહેવાલો પછી આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે.
હકીકતે આ પ્રકારની વિચારણા હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયથી જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ વર્ષ ૨૦૧૨ પછી અધૂરી રહી ગઈ હતી, તેથી જ આ પ્રક્રિયા કદાચ ઉપરના નિર્દેશો હેઠળ પુનઃ શરૂ થઈ રહી હોવાની ચર્ચા છે. એવા અહેવાલો છે કે આ માટે રાજ્ય સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટી નિમી હતી. જેના અહેવાલો (રિપોર્ટ) આવી ગયા પછી શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ રહી હોવાનું પણ કહેવાય છે.
આ નવા સૂચિત કાયદામાં લેન્ડ રેવન્યૂ કોડ-૧૮૭૯થી લઈને લેન્ડ ગ્રેબિંગ એકટ-૨૦૨૦ સુધીના તમામ કાયદાઓને સમાવીને ૧૬ કાયદાઓનું વિલીનીકરણ કરાશે. જેમાં ગુજરાત ટેનેન્સી એકટ-૧૯૪૮, સૌરાષ્ટ્ર ઘરખેડ વટહૂકમ-૧૯૪૯, મામલતદાર કોર્ટ એકટ-૧૯૦૬, સ્ટેમ્પ એકટ-૧૯૫૮ સહિતના વિવિધ સમયગાળામાં ઘડાયેલા અને અમલમાં મૂકાયેલા કાનૂનો તથા ઓર્ડિનન્સનો સમાવેશ થાય છે. તદુપરાંત ધ ગુજરાત એગ્રિકલ્ચરલ લેન્ડસ-એકટ-૧૯૬૧ અને ડિસ્ટર્બ્ડ એરિયાઝ એકટ-૧૯૯૧ ને પણ આ નવા કાયદામાં સમાવી લેવાશે, તેમ જણાય છે.
એવું કહેવાય છે કે ઉચ્ચસ્તરિય કમિટીને ગુજરાતના જમીન-મહેસુલના કાયદાઓ સંદર્ભે વિવિધ સમયે આપેલા ચૂકાદાઓનું અર્થઘટન, બિલ્ડર એસોસિએશન, વકીલ મંડળો, જમીન-મહેસુલ સાથે સંકળાયેલા હિતધારકો વગેરેની વખતોવખતની રજૂઆતો, સૂચનો તથા ફીડબેકને પણ ધ્યાને લેવાનું જણાવાયુ છે. આ ઉપરાંત વર્તમાન યુગને અનુરૂપ ડિજિટલ પ્રક્રિયાને પણ પ્રમાણભૂત કરાશે.
આ પ્રસ્તાવને ગુજરાત વિધાનસભામાં પસાર કરાવીને તેને રાજ્યપાલ મારફત રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલવામાં આવશે, તે પછી જ નવો કાયદો અમલી બનશે, જો કે, નવા કાયદાના અમલીકરણના ફાયદા અને ગેરફાયદાઓની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે, અને પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિવિધ પ્રત્યાઘાતો પણ સામે આવવા લાગ્યા છે. આ કાયદો અમલી બન્યા પછી પણ તેમાં સુધારા-વધારાને અવકાશ રહેશે, તેવા મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નવો કાયદો અમલમાં મૂકાશે તો તે પછી જમીન સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે લોકોને ગાંધીનગર સુધી હડિયાપટ્ટી નહીં કરવી પડે અને સ્થાનિક કક્ષાએથી જ નિવારણ થઈ જતા નાગરિકોનો ખર્ચ, સમય અને શ્રમ બચશે, તો તંત્ર પરનુ ભારણ પણ હળવું થશે. વિવિધ કાયદાઓના સ્પષ્ટ અર્થઘટનો થવાની કાનૂની ગૂંચવણો ઘટી જશે અને જમીન-મિલકતના અધિકારો વિષે બહુ સ્પષ્ટતા અને માર્ગદર્શન ઉપલબ્ધ થશે. કાનૂની છટકબારીઓ બંધ થતાં જમીન માફિયાઓ પર અંકુશ આવશે. કેટલાક સંજોગોમાં પોતાની જ જમીનમાં કરેલા ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવાની તક પણ મળશે.
તે ઉપરાંત પ્રક્રિયાત્મક પારદર્શકતા અને ઝડપમાં પણ વધારો થશે, અને જમીનના રેકર્ડસ તથા મ્યુટેશનની પ્રક્રિયા વેગીલી બનશે, જેથી જમીન સંબંધિત વર્ષો જૂના કેસો તથા અદાલતી કાર્યવાહીઓમાં તબક્કાવાર ઘટાડો થતા કાર્યબોજ ઘટશે, તેવી પણ સરકારને આશા છે.
આ ચર્ચા શરૂ જ થઈ છે, અને મુખ્ય રાજકીય પક્ષો તથા કાનૂનીક્ષેત્રના નિષ્ણાતો સૂચિત કાયદાનો તલસ્પર્શી અભ્યાસ કરીને પ્રતિભાવો આપશે, પરંતુ પ્રાથમિક પ્રત્યાઘાતો દરમ્યાન જ કેટલાક જાણકાર લોકો તથા લીગલ સેકટરના અભ્યાસુઓના પ્રારંભિક મંતવ્યો મુજબ ૧૬ કાયદાઓને વિલીન કરીને માત્ર એક કાયદો લાવવાનું આ કદમ એટલું બધું સરળ પણ નહીં હોય, આ કદમ ઉઠાવ્યા પછી તેના અમલીકરણ સામે ઘણાં બધા પડકારો ઊભા થઈ શકે છે, અને આ જટિલ પ્રક્રિયાના અમલીકરણમાં અણધાર્યા અવરોધો પણ આવી શકે છે. ખાસ કરીને ખેડૂતો, જમીન માલિકો, બિલ્ડર્સ લોબી, વકીલ મંડળો, બ્રોકર્સ અને અન્ય સંલગ્ન સંગઠનો દ્વારા જરૂરી સુધારા-વધારા તથા સૂચનો અને અભિપ્રાયો રજૂ થઈ શકે છે, અને એ કારણે વિધાનસભામાં પણ વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.
જો કે, આ પ્રસ્તાવ હજૂ વિચારણા હેઠળ છે અને આખરી ઓપ અપાય જાય ત્યાં સુધી જો સરકાર અને તેના દ્વારા નિમાયેલી સમિતિ તમામ હિતધારકોના મંતવ્યો, પ્રશ્નો, સૂચનો, રજૂઆતો અને સંભવિત આશંકાઓને ધ્યાને લઈને તેનું સંપૂર્ણ સમાધાન કરીને તેને આખરી ઓપ આપશે, અને તેમાં વિરોધ પક્ષો તથા લિગલ સેકટરના નિષ્ણાતોને પણ વિશ્વાસમાં લેશે, તો એક જ કાયદો સર્વસ્વીકૃત પણ બની શકે છે, અને તે સમગ્ર દેશ માટે મોડેલ પણ બની શકે છે. આમ પણ જમીનના કાયદાઓની જટિલ પ્રક્રિયાઓથી ખરેખર મૂક્તિ મળતી હોય તો તેમાં ગુજરાત જેવા રાજયમાં સર્વ સંમતિ પણ સધાઈ શકે છે, બસ, સરકારે સૌને સાથે લઈને ચાલવું જોઈશે અને આદરપૂર્વક પહેલ કરવી પડશે.
જો નવો કાયદો બને તો તેમાં ગેરકાયદે બાંધકામો હટાવાયા પછી કે પછી ગેરકાનૂની કબજો ખાલી કરાવાયા પછી સરકારી, અર્ધસરકારી કે ખાનગી માલિકીની ખુલ્લી થયેલી જમીનો પર પુનઃ ગેરકાયદે બાંધકામો ખડકવામાં આવે કે ફરીથી ગેરકાનૂની કબજો જમાવવાનો પ્રયાસ થાય તો તેને ખૂબ જ ગંભીર ગૂન્હો ગણીને આ પ્રકારની હરકત કે પ્રયાસ કરનારને આકરો દંડ, જેલની સજા થાય અને તેની સંપત્તિ જપ્ત કરીને તેને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે અને કોઈપણ સરકારી યોજનાઓનો લાભ અને મંજુરીઓ ચોક્કસ સમયગાળામાં લઈ શકે નહીં, તેવા પ્રબંધો કરવાની પણ જરૂર જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આઝાદ ભારતમાં બંધારણીય અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ વધુને વધુ સુદૃઢ થતી જાય છે, તેનું કારણ આપણાં દેશની સર્વસમાવેશી અને વસુધૈવ કુટુંબકમ્ની પરંપરાગત પ્રાચીન સંસ્કૃતિ છે, અને આપણાં દેશની વિધેયિકા, ન્યાયતંત્ર અને સંસદના ત્રિવેણી સંગમમાં હવે પ્રેસ-મીડિયા-જનભાવનાઓની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, તેવામાં તાજેતરમાં કેટલીક હાઈકોર્ટો તથા દેશની સર્વોચ્ચ અદાલતે કેટલાક સિમાચિન્હરૃપી દૂરગામી અસરો પાડતા ચૂકાદાઓ અથવા અવલોકનો આપ્યા છે, જેની સમાજ, સરકાર અને સામાન્ય જનતા પર સીધી અસરો પડવાની છે.
સુપ્રિમકોર્ટે એક તાજા ફેંસલામાં જણાવ્યું છે કે જનરલ કેટેગરી કોઈ જાતિ માટે અનામત નથી, પરંતુ મેરિટ પર આધારિત છે. જો અનામત શ્રેણીનો કોઈ ઉમેદવાર જનરલ કટ ઓફ થી વધુ માર્કસ મેળવે, તો તેને જનરલ સીટમાં જ જગ્યા મળશે. રાજસ્થાન હાઈકોર્ટે આપેલા એક ચૂકાદા સંદર્ભે સુપ્રિમકોર્ટે આ ફેંસલો સંભળાવ્યો હતો, જેની અસર આખા દેશમાં થવાની છે. અદાલતે બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૧૬ને ટાંકીને સમાનતાના અધિકારનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ફેંસલો દૂરગામી અસરો ઊભી કરવાનો છે.
એક ફેંસલો એવો પણ આવ્યો છે કે એક વખત નોકરીની પરીક્ષા આધારિત અનામતનો લાભ લઈ લીધો હોય, તે પછી તેને સામાન્ય કેટેગરીનો ફાયદો મળી શકે નહીં. આમ, સુપ્રિમકોર્ટમાં થતા અવલોકનો તથા લેવાતા નિર્ણયો સમાજ, સરકાર અને સામાન્ય જનતાને સીધી અસર કરતા હોય છે.
સાર્વજનિક હેતુઓ માટે થતા જમીન સંપાદનના વળતરમાં કોઈપણ કારણે વિલંબ થાય તો વળતરની રકમ પર વ્યાજ મેળવવાનો જમીન માલિકને અધિકાર છે, પરંતુ જમીનના બદલામાં નોકરી આપવાનો કે કોઈ સમાધાન હેઠળ જમીન માલિકને જમીન પરત આપવાની જોગવાઈ નથી, તે પ્રકારનો જે ફેંસલો સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો, તેની પણ દેશવ્યાપી અસરો થઈ છે અને કેટલાક વર્તમાન કિસ્સાઓમાં પણ તેનો સંદર્ભ અપાઈ રહ્યો છે.
સબરીમાલા મંદિરમાં દ્વારપાળ દેવતાઓની મૂર્તિઓ તથા શ્રીકોવિલના દરવાજાઓ પર ચડાવાયેલું સોનુ ચોરાઈ જવાના કેસમાં એસઆઈટીએ દેવસ્વોમ બોર્ડના બે પૂર્વ પ્રમુખો સહિત ૧૦ની ધરપકડ કર્યા પછી કેરળ હાઈકોર્ટે કરેલી એક ટિપ્પણી હટાવવા સુપ્રિમ કોર્ટમાં બોર્ડના સભ્યે કરેલી અરજી ફગાવી દેતા અદાલતે કડક ટિપ્પણી કરી હતી કે "તમે ભગવાનને પણ છોડયા નથી..." આ સુનાવણી તથા અદાલતની ટિપ્પણીઓની પણ દેશવ્યાપી અસરો પડવાની છે.
હાલાર સહિત રાજ્ય અને સમગ્ર દેશમાં આવરા કૂતરાઓની સમસ્યા વધુને વધુ વકરી રહી છે, અને હવે તે રખડતા ઢોર જેટલી જ ગંભીર બની ગઈ છે, શાળાએ જતા નાના બાળકો, સ્કૂલવેન કે રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘર તરફ જતા હોય, તેની પાછળ પડતા કૂતરાઓ, દ્વિચક્રી વાહનો પાછળ દોડીને બચકા ભરવાના પ્રયાસો કરતા રખડૂ કૂતરાઓ, જાહેર માર્ગો પર ટ્રાફિકની વચ્ચોવચ્ચ દોડાદોડી કરીને અકસ્માતો નોતરતા શ્વાનો અને ગામડું હોય કે શહેર, ગમે તેને ગમે ત્યારે કરડી લેતા કૂતરાઓની સમસ્યા હવે સડકથી સુપ્રિમકોર્ટ સુધી પહોંચી છે. અને હવે તો આ મુદ્દે સંસદમાં કોઈ કડક કાયદો ઘડીને આ ગંભીર અને જીવલેણ ગણાતી સમસ્યા અટકાવવાની (વ્યંગાત્મક?) જરૃર પણ જણાવાઈ રહી છે.
શેરી-ગલીઓમાં રખડૂ આવારા કૂતરાઓના મુદ્દે સુપ્રિમકોર્ટમાં એક અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે એવી ટિપ્પણી કરી હતી કે કોઈપણ વ્યક્તિ કૂતરું કરડવાના "મૂડ" માં છે કે નહીં તે નક્કી કરી શકે નહીં. સાયકલ કે દ્વિચક્રી વાહન પર જતા લોકોને કૂતરા પીછો કરે ત્યારે તે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. તમામ શેરી-ગલી-માર્ગો અને ધોરીમાર્ગો શ્વાનમૂક્ત (કૂતરાઓ વિહોણા) હોવા જોઈએ, તેવી દલીલનું સમર્થન કરતા અદાલતે કહ્યું હતું કે આવી સ્થિતિ સુનિશ્ચિત કરવા તંત્રોએ કવાયત કરવી જ પડશે.
પશુ અધિકાર ગૃપના વકીલ કપીલ સિબ્બલે જ્યારે એવી દલીલ કરી કે તેઓ યુનિવર્સિટીમાં હતા, ત્યારે ત્યાં ઘણાં બધા કૂતરાઓ હતા, પરંતુ એક પણ કૂતરું તેમને ક્યારેય કરડયું નથી, તો સુપ્રિમકોર્ટે કપિલ સિબ્બલની માહિતી આઉટડેટેડ ગણાવીને કહ્યું હતું કે નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટીમાં કૂતરા કરડવાના ઘણાંબધા બનાવો નોંધાયા છે. એક તબક્કે અદાલતે હળવા સ્વરે એવો કટાક્ષ પણ કર્યો કે શું કૂતરાઓ કરડે નહીં, તે માટે કૂતરાઓનું કાઉન્સિલીંગ થઈ શકે ખરૃં ?
આખી સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે મહત્ત્વપૂર્ણ અવલોકનો તથા ટિપ્પણીઓ કરી હતી. અદાલતે સ્કૂલો, હોસ્પિટલો, કોલેજો, કોર્ટ પરિસર, સરકારી સંકુલો, રસ્તાઓ સહિત જાહેર સ્થળોને કૂતરામુક્ત રાખવાની જરૃર જણાવી પશુપ્રેમીઓને કૂતરાઓ માટે નિયત આશ્રયસ્થળો (શેલ્ટર હોમ્સ)માં જ શ્વાનોને ભોજન આપવાની સલાહ આપી હતી. અદાલતે કહ્યું હતું કે શ્વાનોને ઠાર કરી દેવા કે હટાવી દેવાનું કોઈ કહી રહ્યું નથી. માત્ર તેઓથી સામાન્ય જનતાને થતી પરેશાનીઓ તથા ગંભીર અકસ્માતોની સંભાવના ખતમ કરવાની વૈકલ્પિક વ્યવસ્થાઓ જ સૂચવાઈ રહી છે.
ઘરમાં પશુને રાખવાના મુદ્દે પણ રસપ્રદ દલીલબાજી થઈ હતી. ઘરમાં શ્વાન રાખવાના મુદ્દે એવી દલીલ થઈ કે પોતાના ઘરમાં કયુ પશુ રાખવું તે નાગરિકોના વિવેક પર નિર્ભર કરે છે, તો અદાલતે કહ્યું કે ગેટેડ કોમ્યુનિટીમાં કૂતરાઓને ફરવા દેવા કે નહીં, તે અંગે ૯૦ ટકા રહેવાસીઓ અસહમત હોય અને માત્ર ૧૦ ટકા જ સહમત હોય, ત્યારે શું કરશો ? કાલે કોઈ કહેશેે કે મારે દૂધ માટે ભેંસ શેરીમાં બાંધવી છે તો તેને બાંધવા દેશો ?
સુપ્રિમકોર્ટમાં ચાલી રહેલી આ સુનાવણી સામાન્ય જનતાને સીધી સ્પર્શે છે, તેથી ગઈકાલથી જ આ મુદ્દો "ટોક ઓફ ધ નેશન" બન્યો છે.
રખડતા ઢોર, આવારા કૂતરા તથા બિસ્માર આંતરિક શહેરી માર્ગોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ પણ અવાર-નવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્ય સરકારની ઝાટકણી કાઢતી રહે છે, પરંતુ સમગ્ર રાજય અને દેશમાં પણ આ જ નાની ગણાવાતી સમસ્યાઓ હવે વિકરાળ સ્વરૃપ લેવા લાગી છે, અને તેના પડઘા સુપ્રિમકોર્ટ સુધી પડયા છે, ત્યારે હવે સમગ્ર દેશની રાજયસરકારો તથા કેન્દ્ર સરકાર સાથે મળીને તથા રાજનીતિથી ઉપર ઉઠીને રખડતા ઢોર અને આવારા કરડતા કૂતરાઓની સમસ્યાનો કોઈ કાયમી અને નક્કર ઉકેલ અમલમાં મૂકે, તેવું જનતા ઈચ્છી રહી છે, પણ...?!?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે સવારે ઉઠતા જ દિલ્હીમાં મધ્યરાત્રિથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશના અહેવાલો લોકોએ સાંભળ્યા. આ દબાણ હટાવ ઝુંબેશ હાઈકોર્ટના આદેશથી ચાલી રહી હોવાનું કહેવાય છે અને રાત્રે હોબાળો થતાં પોલીસ એકશન પણ લેવાયુ હતું. આ પ્રકારના અહેવાલો આવે ત્યારે સવાલ એ ઉઠે કે વર્ષો કે દાયકાઓથી આ પ્રકારના ગેરકાયદે બાંધકામો થવા જ કેમ દીધા ? ગેરકાયદે, કામચલાઉ દબાણ કે બાંધકામો થતા હોય ત્યારે જ અટકાવી દેવાની કોઈ કાર્યવાહી કેમ નહીં થતી હોય ? શું હાલમાં પણ નવા ગેરકાયદે બાંધકામો થતા જ અટકાવવાની કોઈ ચોક્કસ સિસ્ટમ આપણાં દેશમાં મોજુદ છે ખરી ? અત્યારે પણ ઠેર-ઠેર નવા ગેરકાયદે માળખા કે બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાની બાબત ઓપન સિક્રેટ છે, ત્યારે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ થતી જ અટકાવવાનું કોઈ મિકેનિઝમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સરકાર પાસે મોજુદ છે ખરૃં ?
આયોજનપૂર્વક દબાણો કરનારા લોકો પહેલા નાનુ સરખુ કાચુ માળખું ઊભું કરે અને પછી ધીમે ધીમે ત્યાં ઈંટો-પથ્થરો ગોઠવીને કાચુ ચણતર કામ કરે, ઝુંપડા જેવા માળખા ઊભા કરે કે છાપરાં ઊભા કરે, અને થોડા વર્ષો પછી ત્યાં પાકુ બાંધકામ થઈ જાય, આ દાયકાઓથી ચાલતી મોડસ ઓપરેન્ડીથી તમામ તંત્રો અને નેતાઓ પૂરેપૂરી રીતે વાકેફ જ છે, પરંતુ આ સમસ્યાના મૂળમાં જ "બોટમ ટુ ટોપ" ભ્રષ્ટાચાર, હપ્તા પદ્ધતિ, સગાવાદ, ભાઈ-ભતીજાવાદ અને લાપરવાહી જેવા પરીબળો તો જવાબદાર છે જ, પરંતુ પ્રવર્તમાન સમયમાં આ સમસ્યાને તદ્ન ડામી શકાતી નથી, તેની પાછળ ચૂંટણીનું રાજકારણ, મતબેંક અને જમીન માફિયાઓ તથા શાસન-પ્રશાસન વચ્ચેની સાઠગાંઠ પણ જવાબદાર છે, અને તે "ખુલ્લુ રહસ્ય" છે.
દબાણો કરનારાઓ પૈકી ઘણાં ગરીબ લોકો પરિવારને કાચી-પાકી છત મળી રહે, તે માટે નાનું સરખુ ઝુંપડુ કે છાપરૃં ઊભું કરતા હોય છે, ઘણાં બેરોજગાર લોકો પેટીયુ રળવા (રોજગારી મેળવવા) નાનકડી કેબીન, રેંકડી કે થડો (ગલ્લો) લગાવીને કે પાથરણું પાથરીને પરચૂરણ ધંધો-વ્યવસાય કરવાના પ્રયાસો કરતા હોય છે. આ પ્રકારના મજબૂર લોકોના દબાણો હટાવતા પહેલા સંવેદનશીલતાથી તેઓને વૈકલ્પિક વ્યવસ્થાઓ દ્વારા રાહત આપવાની માંગણી પણ હંમેશાં ઉઠતી હોય છે, અને જે પાર્ટીઓ વિપક્ષમાં હોય, તે આ મજબૂર વર્ગ માટે અવાજ પણ ઉઠાવતા હોય છે.
જો કે, સિક્કાની બીજી બાજુ પણ છે. જાહેર વ્યવસ્થાઓ અવરોધાઈ જાય, ટ્રાફિકમાં સતત અવરોધ ઊભો થાય, લોકોને પગે ચાલતા નીકળવામાં પણ તકલીફ થાય, કોઈની લાગણીઓ દુભાતી હોય કે નિયમ-કાયદાઓનું ઉલ્લંઘન થતું હોય કે પછી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાતી હોય, તેવા સંજોગોમાં લાચારી કે મજબૂરીના મુદ્દાનું રક્ષણ મળતું નથી, અને આ પાતળી ભેદરેખાના કારણે જ ઘણી વખત ઘર્ષણો સર્જાતા હોય છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. તાજેતરમાં જ સુપ્રિમકોર્ટે પણ કાંઈક એવું ઠરાવ્યું હતું કે જયારે કોઈ નાગરિકતાના અધિકારો જોખમાતા હોય, ત્યાં બંધારણીય રક્ષણની મર્યાદા આવી જતી હોય છે. અદાલતોના ચૂકાદાઓનું અર્થઘટન જુદી જુદી રીતે થતુ હોય છે, પરંતુ આ સંવેદનશીલ મુદ્દે ઉભય પક્ષોએ પરસ્પરને સમજવા અને સામૂહિક હિતોને પ્રાધાન્ય આપવાની જરૂર છે, ખરૃં ને ?
છેલ્લા કેટલાક વર્ષોથી ઘણાં યાત્રાધામો, દરિયાકાંઠાઓ, નદીકાંઠાઓ તથા ધોરીમાર્ગો પર ખડકાયેલા દબાણો હટાવાઈ રહ્યા છે, તેમ છતાં આ સમસ્યા નેસ્તનાબૂદ થઈ રહી નથી, કારણ કે દબાણો હટાવાયા પછી ફરીથી તે જ સ્થળે ફરીથી દબાણો થઈ જાય કે એક સ્થળેથી દબાણો હટાવ્યા પછી બીજી જગ્યાએ તેવા જ કે તેથી પણ વધુ નવા દબાણો ખડકાઈ જતા હોય છે, તેથી જ ઘણાં લોકો કહે છે કે માત્ર દબાણ હટાવ ઝુંબેશની સાથે સાથે "દબાણ અટકાવ ઝુંબેશ" પણ ચલાવવી જોઈએ, નહીંતર પૂર્ણ સરવાણી ધરાવતા કૂવામાંથી સતત પાણી ઉલેચવા છતાં કૂવો ખાલી થતો હોતો નથી, તેવી જ રીતે દબાણોની સમસ્યા પણ ક્યારેય ઘટવાની નથી, અને એકશન, રિએક્શન, પ્રોટેકશન અને ટેન્શનની આ સાયકલ ચાલતી જ રહેવાની છે.
જામનગરના બર્ધનચોકની સમસ્યા ઘણાં વર્ષોથી યથાવત રહી છે, તે પ્રકારના દૃષ્ટાંતો કદાચ દરેક નગરો અને મહાનગરોમાં મોજુદ હશે. આ સમસ્યા નિવારવા સ્ટ્રીટ વેન્ડર્સ માટે કેટલાક કદમ ઉઠાવાયા, કેટલાક શહેરોમાં વૈકલ્પિક જગ્યાઓ ફાળવાઈ, ક્યાંક આ પ્રયોગ અંશતઃ સફળ થયો, તો ક્ેટલાક સ્થળે ફિયાસ્કો થયો. આ સમસ્યા ઘણી જ વ્યાપક અને મુદ્દો સંવેદનશીલ છે, તેથી રાજ્યવ્યાપી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી ઘડીને સરકારે સામાજિક સમર્થન તથા જનસહયોગ મેળવીને કોઈ એવો રસ્તો કાઢવો જોઈએ, જેથી, ગરીબ-નિમ્ન મધ્યમવર્ગીય પરિવારોની રોજીરોટી પણ ઝુંટવાઈ ન જાય અને આ કામચલાઉ, હંગામી કે સ્થળાંતરિત થતી રહેતી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ પણ લાવી શકાય.
બર્ધનચોક જેવી રાજ્યવ્યાપી સમસ્યાઓ માટે અલગ, મોડસ ઓપરેન્ડીથી ધીમે ધીમે દબાણ વધારતા દબાણ માફિયાઓ માટે અલગ અને લેન્ડ ગ્રેબીંગ કે સરકારી કે અન્ય લોકોની ખાનગી જમીનમાં દબાણો કરીને મોટા મોટા બાંધકામો કે સંકુલો, ફાર્મહાઉસ, ગોડાઉનો વગેરે બનાવી લેનારા જમીન માફિયાઓ માટે અલગ પોલિસી ઘડાવી જોઈએ અને તેમાં રાજ્ય સરકારના પંચાયત, શહેરી વિકાસ, મહેસુલ, ગૃહવિભાગ (પોલીસતંત્ર) સહિતના સંલગ્ન તમામ વિભાગોને સામેલ રાખીને સમસ્યાઓ નિવારવાના પ્રયાસો નહીં, પણ કડક અમલવારી કરવી જોઈએ. નગરથી નેશન સુધીની આ સમસ્યાને સળગતી રાખીને રાજકીય રોટલા શેકવાની માનસિકતાના આક્ષેપોમાં દમ હોય તો કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ...જાગો....જનતા...જાગો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, અને રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં પી.એમ. મોદી આવવાના છે, તેથી સૌરાષ્ટ્રનું તંત્ર ઊંધા માથે તૈયારીઓમાં પડી જશે, તો બીજી તરફ ભાજપના નેતાઓ-કાર્યકરો વડાપ્રધાનના કાર્યક્રમો માટે હડિયાપટ્ટી કરવા લાગ્યા છે. બીજી તરફ આવી રહેલા તહેવારો તથા રાજકોટ, સોમનાથ વગેરે સ્થળે વડાપ્રધાનના કાર્યક્રમોના સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ. ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને તાલુકા મેજિસ્ટ્રેટો દ્વારા વિવિધ પ્રકારના જાહેરનામાઓ પ્રસિદ્ધ થવા લાગ્યા છે.
આ ઉપરાંત મહાનગરોની આંતરિક વ્યવસ્થાઓ, સાફસફાઈ કે ટ્રાફિક વ્યવસ્થાને લઈને મ્યુનિસિપલ કમિશનરો તથા પોલીસ કમિશનરો દ્વારા પણ વિવિધ પ્રકારના જાહેરનામા પ્રસિદ્ધ થતા હોય છે.
હકીકતે આ પ્રકારના મોટા ભાગના જાહેરનામા દાંત વગરના વાઘ જેવા પૂરવાર થઈ રહ્યા છે અને માત્ર કાગળ પર જ રહી જતા હોય છે, કારણ કે આ જાહેરનામાઓ પછી તેનો ચૂસ્ત અમલ પણ થાય, તે માટે કાં તો સંબંધિત તંત્રો દરકાર જ કરતા હોતા નથી, અથવા તો જાહેરનામાનો અમલ કયો વિભાગ કરે છે, તે નક્કી જ હોતું નથી, અથવા તો લોકોની જાણમાં (પબ્લિક ડોમેઈનમાં) નથી હોતું. ઘણાં જાહેરનામાઓની અમલવારીમાં તો એક થી વધુ સરકારી વિભાગો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કોર્પોરેશનો કે બોર્ડ-નિગમોના તંત્રો સંકળાયેલા હોય છે, તેથી જાહેરનામાનો અમલ કોઈ પણ વિભાગ દ્વારા યોગ્ય રીતે થતો જ નથી, અથવા જવાબદારીની ફેંકાફેંકી થતી હોય છે, ઘણી વખત સંયુક્ત જવાબદારી કોઈની નહીં, તેવો ઘાટ સર્જાતો હોય છે, અને તેના પરિણામો ઘણી વખત અવ્યવસ્થા, અંધાધૂંધી કે અનિચ્છનિય બનાવો પણ બનતા હોય છે. આ કારણે "જાજી સુયાણી વેંતર બગાડે"ની કહેવત જેવી ગંભીર સ્થિતિ પણ ઊભી થઈ જતી હોય છે, અને તેની જવાબદારી ઉઠાવવા કોઈપણ તૈયાર થતું હોતું નથી.
દૃષ્ટાંત તરીકે જામ-ખંભાળીયામાં ચાઈનીઝ દોરીએ એક બાળકના જીવ પર જોખમ ઊભું કરી દીધુ એન લોહીલુહાણ હાલતમાં માસુમ બાળકને ગળામાં ટાંકા લેવા પડયા, તે દુર્ઘટનાએ પૂરવાર કર્યું છે કે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું બેધડક અને ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. સરકારે ચાઈનીઝ દોરી-તુક્કલ પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં આવી દુઃખદ ઘટનાઓ બની રહી હોય તો તે જાહેરનામાઓની કોણ કેટલી પરવાહ કરે છે, અને કેટલો અમલ થાય છે, તેની વાસ્તવિકતા જ ઉજાગર કરે છે ને ?
હકીકતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પણ ચાઈનીઝ માંઝા, તુક્કલ અને કાચથી માંઝેલી દોરીનો પતંગ ઉડાડવા માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે, અને ગુજરાત સરકારે આદેશો તથા જિલ્લા તંત્રોએ જાહેરનામાઓ પ્રસિદ્ધ કર્યા છે, તેમ છતાં આવી દુર્ધટનાઓ બને તો તે માટે જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન અસ્થાને નથી.
હાલારના બંને જિલ્લાઓમાં પણ જુદા જુદા સમયે અવારનવાર ઘણાં જાહેરનામા, આદેશો અને ગાઈડલાઈન્સ પ્રસિદ્ધ થાય છે, પરંતુ તેનો કેવો અને કેટલો અમલ થાય છે, તે ઓપન સિક્રેટ છે. જો ચૂસ્ત અમલ કરવાની વ્યવસ્થા જ ન હોય, વ્યવસ્થા હોય તો તેનો અમલ કરવાની પરવાહ કે ઈચ્છાશક્તિ ન હોય અને માત્ર કાગળ પર જુની ફાઈલમાંથી કોપી-પેસ્ટ કરીને અને તારીખ સમય વગેરે બદલીને જાહેરનામાઓ કે હૂકમો પ્રસિદ્ધ થતા હોય તો તેનો કોઈ મતલબ ખરો ? આ તો જનતા સાથે છેતરપિંડી જ ગણાય ને ? આ જાહેરનામા જવાબદારીમાંથી છટકી જવાના ઓજાર જ માત્ર બની રહ્યા છે ને ?
ભાજપના જ પર્યાવરણવાદી અને જીવદયાની સંસ્થા સાથે સંકળાયેલા મેનકા ગાંધીએ તો ગ્રીન ફટાકડા, જેવું કાંઈ હોતુ નથી, તેમ જણાવી તહેવારો તથા ઉજવણીઓ દરમ્યાન ફટાકડા ફોડનારાઓને દેશદ્રોહી ગણાવીને ફટાકડા ફોડવા પર મુકાતા પ્રતિબંધની અમલવારી સામે સવાલો ઉઠાવ્યા છે. તેવી જ રીતે ટોપ ટુ બોટમ જાહેરનામાઓના થતા ભંગ સામે કાનૂની કાર્યવાહી તથા સજા આપવાની કે દંડ કરવાની પ્રક્રિયા પણ પુનઃ સમીક્ષા માંગતી હોવાની માંગણી ઉઠી રહી છે. જાહેરનામાઓ પ્રસિદ્ધ કરીને છુટી જતા તંત્રોને પણ જાહેરનામાનો ભંગ થવાના કિસ્સા વધવા લાગે, ત્યારે જવાબદાર ગણીને અમલીકરણ તંત્રો સામે શિક્ષાત્મક પગલા લેવાની જોગવાઈ થવી જોઈએ, તેવી માંગ ઉઠી રહી છે.
રાજકોટમાં વડાપ્રધાન આવવાના હોવાથી ત્યાં જે રીતે તંત્રોના જાહેરનામાઓ, આદેશો અને સૂચનાઓનો ચૂસ્ત અમલ થઈ રહ્યો છે, તેવી જ રીતે જિલ્લા તંત્રો દ્વારા વાર-તહેવાર કે વિવિધ કારણોસર જાહેર થતા જાહેરનામાઓ-આદેશોનો ચૂસ્ત અમલ કાયમી ધોરણે થવો જોઈએ. વીવીઆઈપી વિઝીટ વખતે જ જાહેરનામાઓનો ચૂસ્ત અમલ થાય, અને સામાન્ય સંજોગોમાં રૂટિનમાં જાહેર કરાતા હૂકમો કે નોટિફિકેશન્સનો અમલ યોગ્ય રીતે ન થાય કે બિલકુલ થાય જ નહીં, તો તેને પણ વીઆઈપી કલ્ચર જ ગણવું પડે ને ? માત્ર લાલ લાઈટો ગાડીઓ પરથી હટાવ્યે કાંઈ નહીં વળે, નેતાઓ-તંત્રોએ સ્વમૂલ્યાંકન કરીને માનસિકતા પણ બદલવી જ પડશે.
વિરોધપક્ષોએ પણ જાહેરનામાઓનો અમલ ચૂસ્તપણે થાય, તે માટે તંત્રોને ઢંઢોળવા પણ જોઈએ. જામનગરમાં કોંગ્રેસે કેટલાક વિસ્તારોમાં ઘેર-ઘેર ફરીને કેટલીક પ્રશ્નાવલી સાથેનું ફોર્મ ભરાવીને જનસંપર્ક અભિયાન આદર્યું હોવાના અહેવાલો આવ્યા હતા. આ ૧૪ મુદ ઉપરાંત જાહેરનામાઓની અમલવારીનો પ્રશ્ન તેમાં ઉમેરીને જનમત મેળવી શકાય તેમ છે. ફોર્મ્સ છપાઈ જ ગયા હોય તો પણ મૌખિક રીતે મકરસંક્રાંતિ પર લોકોના ગળા કપાઈ જાય, તેવી સામગ્રીનો ઉપયોગ કરીને જાહેર માર્ગો કે શેરી, ગલીઓમાં પતંગ ઉડાડવાના બદલે ખુલ્લા મેદાનો કે ઊંચી ઈમારતોની ટેરેસ પરથી કોઈને નુકસાન ન થાય, તેવી રીતે પતંગ ઉડાડવાની જાગૃતિ પણ ફેલાવી શકાય તેમ છે, અને ચાઈનીઝ તુક્કલ અને દોરીઓ કેવી રીતે ઘાતક છે, તેના સંદેશ પહોંચાડી શકાય તેમ છે. યે ટાઈમ ભી હૈ, ઔર દસ્તૂર ભી હૈ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ડિસેમ્બર-૨૦૨૪માં ભલે બહુ ઠંડી પડી ન હોય, પરંતુ નવા વર્ષે ઠંડી વધી રહી છે અને વર્ષ ૨૦૨૫ના પહેલા અઠવાડિયામાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતો ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જના કારણે ઋતુચક્ર બદલી રહ્યું હોવાના તારણો કાઢી રહ્યા છે અને હવામાન નિષ્ણાતો માવઠાઓ, ઠંડી-ગરમીના ટાઈમટેબલમાં બદલાવ અને રણપ્રદેશોમાં પૂર આવી જાય તેવો વરસાદ થવાના ઘટનાક્રમોના કારણો આપી રહ્યા છે, ત્યારે કંડલા તથા રાજકોટમાં ૧૦ ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન આવી જતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આ કારણે કેટલાક સ્થળે સ્કૂલોના ટાઈમટેબલ બદલાઈ રહ્યા છે, તો શેરી-ગલી-મહોલ્લાથી લઈને ધોરીમાર્ગો સુધી લોકો તાપણાંઓ તાપી રહેલા જોવા મળી રહ્યા છે. હાલાર, સૌરાષ્ટ્ર સહિત દેશમાં શિયાળો જમાવટ કરી રહ્યો છે.
એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ ગાઢ ધૂમ્મસની સમસ્યાએ પરિવહન અને જનજીવનને ઘણું જ પ્રભાવિત કર્યું છે. એક તરફ બંગાળની ખાડીમાં સાઈકોલોનિક સર્ક્યુલેશન ઊભું થતા પાંચેક દિવસ સુધી દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાં સાત દિવસ સુધી સવાર-સાંજ ગાઢ ધૂમ્મસ તથા રાજસ્થાન સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કડકડતી ઠંડીની આગાહી સાથે શીત લહેરની વોર્નિંગ આપવામાં આવી છે.
એક તરફ આપણે ત્યાં શિયાળો શરૂ થયો છે, અને ઠંડી વધી રહી છે, તો બીજી તરફ દેશના જુદા જુદા વિસ્તારોમાં મિશ્રઋતુની અનુભૂતિ થઈ રહી છે, તેમ જ વરસાદ પડવાની આગાહીઓ થઈ રહી છે, તેમાં વિશ્વનું રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે, અને ડામાડોળ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં અચાનક બદલાવ આવ્યો છે અને હવે યુએનએસસીની તાકીદની બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે.
અમેરિકાની સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ઉઠાવી લઈને તેને બંદીવાન બનાવ્યા છે, અને ન્યૂયોર્કની અદાલતમાં રજૂ કરીને તેના પર ખટલો ચલાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી તરફ સીરિયાના આતંકવાદી સ્થળો પર બ્રિટન અને ફ્રાન્સે સહિયારૂ આક્રમણ કર્યું છે. એવું કહેવાય છે કે સીરિયા અને ઈરાકમાં આઈએસઆઈએસના હજારો આતંકવાદીઓ રહે છે. અમેરિકાના વેનેઝુએલા પર કરાયેલા હૂમલાઓમાં કેટલાક લોકો માર્યા ગયા હોવાના અહેવાલો વચ્ચે ઘણાં દેશોએ અમેરિકાને વેનેઝુએલાના ઘટનાક્રમોમાં આંતરરાષ્ટ્રીય નિયમો-કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવી જોરદાર વિરોધ નોંધાવ્યો છે, તો કોલંબિયા, બ્રાઝીલ મક્સિકો વગેરે દેશો પર પણ અમેરિકા આક્રમણ કરી શકે છે, તેવી સંભાવનાઓના કારણે વૈશ્વિક અજંપા સાથે અનિશ્ચિતતાઓ પ્રવર્તિ રહી છે. યુનોની સલામતિ સમિતિની બેઠક (યુએનસી)ની બેઠકમાં અમેરિકા કે ટ્રમ્પ સામે કડક વલણ લેવાની કેટલી ત્રેવડ છે એન આ સમિતિનું ટ્રમ્પ માનશે ખરા ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
વૈશ્વિક પ્રવાહો સૌરાષ્ટ્ર સુધી પડઘાયા છે અને વિદેશોમાં ભારતીય રાજદૂત તરીકે કામ કરી ચૂકેલા સુજોય ચિનોપને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ભારતની બિનજૂથવાદી નીતિ તથા અમેરિકા અને રશિયા, ઈરાન અને સાઉદી અરેબિયા, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન, રશિયા અને યુક્રેન જેવા પરસ્પર ટકરાતા દેશો સાથે બંને તરફ કૂટનૈતિક સંબંધો જાળવવામાં ભારત સફળ રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વશાંતિ જાળવવા ભારત પરસ્પર સહયોગ અને વ્યાપાર વધારવાની નીતિ અપનાવી રહ્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્યાપારને હથિયાર બનાવીને અસહયોગ તથા મનસ્વી રણનીતિ અપનાવી રહ્યા છે, તેવા તારણો કાઢતા કેટલાક વિશ્લેષકો ટ્રમ્પની આ હકીકતને "દાદાગીરી" તથા "એક મહાસત્તાને ન છાજે તેવું શરમજનક વલણ" ગણાવી રહ્યા છે. શાંતિનો નોબેલ પુરસ્કાર મેળવવાના હક્કદાર હોવાનો દાવો કરતા ટ્રમ્પ પોતે જ વિશ્વમાં અશાંતિ, અરાજકતા અને અનિશ્ચિતતાઓ ફેલાવી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
ઘણાં લોકો એવું કહે છે કે જો વેનેઝુએલા પર અમેરિકાનું આધિપત્ય વધે, તો તેમાં ભારતને આડકતરો ફાયદો થશે. કેટલાક પ્રતિબંધો હટી જતા વેેનેઝુએલામાં ભારતની પાર્ટનરશીપ ધરાવતા, ઓએનજીસીના પ્રોજ્ેક્ટો પુનઃ શરૂ થશે અને ત્યાંથી સસ્તુ ક્રૂડ પણ ભારતને મળી રહેશે, જેથી ભારત રશિયા અને અમેરિકા વચ્ચેનું કુટનૈતિક તથા વ્યાપારિક સમતુલન બેસાડી શકશે. બીજી તરફ ભારત સામે બિનજૂથવાદી તટસ્થ પરંપરાગત નીતિને અનુસરવાનો પડકાર પણ રહેશે. આ મુદ્દે વૈશ્વિક ચર્ચાઓ વચ્ચે વેનેઝુએલાના ઘટનાક્રમ અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે, તેવા અહેવાલો પણ આવ્યા છે. ભારતે સત્તાવાર રીતે એક સમતોલ અને મર્યાદિત નિવેદન આપ્યું છે, જેને ઘણાં લોકો ભારતની બિનજૂથવાદી નીતિને અનુરૂપ ગણાવે છે, તો કેટલાક વિશ્લેષકો તેને સંયમિત પ્રતિક્રિયા ગણાવે છે.
વોશિંગ્ટનથી એક અહેવાલ એવો આવ્યો છે જે ભારત અને ભારતીયોનું ધ્યાન ખેંચે તેવો છે. અમેરિકાએ એક એવી યાદી જાહેર કરી છે, જેમાં બાંગલાદેશ અને પાકિસ્તાનનું નામ છે, પણ ભારતનું નામ નથી. અમેરિકામાં વસવાટ કરતા એશિયન વસાહતીઓમાં ભારતીયો બીજા ક્રમે હોવાનું કહેવાય છે. તાજેતરમાં ટ્રમ્પે વેલ્ફેર સ્કીમનો લાભ લેતા વિશ્વના ૧૨૦ જેટલા દેશોની યાદી જાહેર કરી છે, ઈમિગ્રન્ટ વેલ્ફેર રેસિપિય રેટ્સ બાય ઓરિજિનના મથાળા હેઠળ એક યાદી જાહેર કરાઈ છે. આ યાદી ઈમિગ્રન્ટ્સના જન્મનું સ્થળ (દેશ) અને ઈમિગ્રન્સ દ્વારા મેળવવામાં આવતી સહાયનું આંકડાકીય વર્ણન છે. અમેરિકાના વેેલ્ફેર સ્કીમની સહાય મેળવતા ૧૨૦ દેશોમાં ભારતનું નામ નહીં હોવાના અહેવાલોએ બધાનું ધ્યાન પણ ખેંચ્યું છે. આ ચાર્ટ મુજબ બાંગલાદેશના ૫૪.૮ ટકા અને પાકિસ્તાનના ૪૦.૨ ટકા, ચીનના ૩૨.૯ ટકા અને નેપાળના ૩૪.૮ ટકા વસાહતીઓને અમેરકિાની સરકારી સહાય મળે છે, સૌથી વધુ ભૂતાનના વસાહતીઓને ૮૧.૪ ટકા સહાય મળે છે, પરંતુ આ યાદીમાં ભારતનું નામ જ નથી.
ટ્યૂ રિસર્ચ સેન્ટરને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ અમેરિકામાં જે એશિયન વસાહતીઓ છે, તેમાં બીજા ક્રમે ભારતીયો વસાહતીઓ ૨૧ ટકા છે, પરંતુ ભારતીયો અમેરિકાની વેલ્ફેર એઈડ (કલ્યાણ સહાય) મેળવતા નથી.
બે વર્ષ પહેલાના આંકડાઓ મુજબ અમેરિકામાં રહેતા એશિયનો પૈકી ભારતીય મૂળના લોકોની આવકની સરખામણી કરીને એવા તારણો નીકળી રહ્યા છે કે ભારતમાંથી આવીને અમેરિકામાં વસેલા ભારતીયો કરતા અમેરિકામાં જ જન્મેલા ભારતીય મૂળના નાગરિકોની આવક વધુ છે. આ તારણો ભારતીયોની ક્ષમતા અને ડિગ્નીટીને પણ ઉજાગર કરે છે.
અત્યારે કડકડતી ઠંડી સાથે શિયાળો જમાવટ કરવા જઈ રહ્યો છે, ત્યારે ટ્રમ્પ ફેઈમ વૈશ્વિક પ્રવાહો વૈશ્વિક ગરમાટો ઊભો કરી રહ્યો છે. સર્વત્ર એક જ પ્રશ્ન છે કે, "હવે ટ્રમ્પ શું કરશે ?"
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સિયાસતમાં પણ સિદ્ધાંતો અને સચ્ચાઈનો રણકાર હોય છે, પરંતુ હવે શબ્દોની સટાસટી તથા સનસનાટી ભર્યા શબ્દપ્રયોગોની આંધીમાં સિદ્ધાંતો અને સત્યને ઉડાડી દેવાના ષડયંત્રો રચાઈ રહ્યાં હોય અને સુંવાળા શબ્દોની માયાજાળમાં જનતાને ભ્રમિત કરવામાં આવી રહી હોય તેમ જણાય છે. સોહામણા શબ્દોની અદ્ભુત ગુંથણી ચોક્કસ એજન્ડા અને વાકચાતુર્યથી સિયાસતદારો સંવેદનાઓ અને સૌજન્યતા સાથે ખિલવાડ કરીને પોતપોતાની રાજકીય ખીચડી પકવવાના પ્રયાસો કરી રહ્યાં હોય તેમ જણાય છે.
શાસકપક્ષો કેન્દ્ર અને રાજ્યોમાં વાયદાઓ વહેંચી રહ્યાં છે અને જનતાને રૂડા-રૂપાળા વચનો આપી રહ્યાં છે, તો વિરોધપક્ષો શાસકોનો વિરોધ કરી રહ્યાં છે. લોકતંત્રની આ જ ખૂબી છે કે, શાસકપક્ષે હંમેશાં જવાબો આપવા પડે છે અને વિપક્ષો સવાલોની ઝડી વરસાવી શકે છે. આપણા દેશનું બંધારણ ઘડાયુ ત્યારે કદાચ તંદુરસ્ત અને સરકારાત્મક રાજનીતિની અપેક્ષા રખાઈ હશે તથા ચોક્કસ સીમાઓ તથા સચ્ચાઈના સિદ્ધાંતોની અપેક્ષા રખાઈ હશે, પરંતુ હવે તો શાસનમાં હોય કે વિપક્ષમાં હોય, સિયાસતદારો (રાજનેતાઓ) ની ભાષા, હરકતો અને નિવેદનો એવા થવા લાગ્યા છે કે, બંધારણના ઘડવૈયાઓની આત્મા પણ દુભાતી હશે. આમાં કોઈના વખાણ કરવા જેવા નથી, કારણ કે, રાજનીતિ કે યે હમામ મેં સબ નંગે હી તો હૈ...!
નેતાઓ, સેલેબ્રિટીઝ અને વિવિધ ક્ષેત્રના દિગ્ગજોના ચિત્ર-વિચિત્ર અને વિવાદાસ્પદ નિવેદનોમાં ઉલઝન અને ઉચાટ હોય છે, તો ઘણી વખત ઘમંડ અને ઉન્માદ પણ હોય છે....
ગયા મહિને થયેલી હરાજી દરમિયાન બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાહરૂખખાનએ રૂ।. ૯.ર૦ કરોડમાં ખરીદ્યા પછી શાહરૂખાનની વિરૂદ્ધમાં તથા તરફેણમાં જે નિવેદનો આવી રહ્યાં હતા, તેના શબ્દપ્રયોગો, ભાષા અને હાવભાવો જોતા એવું જણાય છે કે, "જંગ ઔર પ્યાર મેં સબકુછ જાયઝ હૈ" ની કહેવતમાં હવે એવું કાંઈક ઉમેરવું જોઈએ, જે નફફટ નિવેદનબાજી કરતા લોકોની હરકતોને "જસ્ટીફાઈ" કરે...!
હરિયાણાના એક રાજકીય પક્ષ ઈન્ડિયન નેશનલ લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ અજય ચૌહાણના એક નિવેદને તો બે દિવસથી દેશભરમાં હલચલ મચાવી દીધી છે અને આ નિવેદનની તરફણે અને વિરોધમાં પણ તીખા તમતમતા નિવેદનો આવી રહ્યાં છે, અને સનસનાટીભર્યા શબ્દો સાથે અવનવી કોમેન્ટો થઈ રહી છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલાક દેશોમાં જેને ઝેડ આંદોલનો થયા છે અને બાંગ્લાદેશ, નેપાળ જેવા ભારતના પડોશી દેશોમાં ચૂંટાયેલી સરકારોના નેતાઓને રસ્તાઓ પર દોડાવી દોડાવીને જનતાએ વિરોધ વ્યક્ત કર્યા પછી રાજીનામા આપવા પડ્યા છે, અને બાંગ્લાદેશના વડાપ્રધાને તો દેશ છોડીને ભાગવું પડ્યું છે અને ભારતમાં આશ્રય લેવો પડ્યો છે. જનતાની આ તાકાતની વાત કરતા કરતા આઈએનએલડીના પ્રમુખ અજય ચૌટાલાએ એવું નિવેદન કર્યુ કે, તેના ઘેરા પડઘા દેશભરમાં પડ્યા છે અને ઘણાં લોકો એવો કટાક્ષ કરવા લાગ્યા છે કે, બંધારણના ઘડવૈયાઓએ લોકતંત્રમાં જરૂર પડ્યે હિંસક અને અરાજકતા ફેલાવવાનો અધિકાર પણ આપવાની જરૂર હતી...!
અજય ચૌટાલાએ મહેન્દ્રગઢમાં એક યુવા યોદ્ધા સંમેલનમાં એવું કથિત નિવેદન કર્યુ હતું કે, "શાસકોને ગાદી પરથી ખેંચી લાવો અને માર્ગો પર દોડાવી દોડાવીને મારો..."
તેમણે કોંગ્રેસને વર્તમાન શાસકોની "બી" ટીમ બતાવીને આકરી ટીકાઓ કરી હતી.
ભાષણબાજી ઉપરાંત ચૌટાલાએ "એક્સ" પર પણ કાંઈક આવી જ કોમેન્ટો કરી હતી. ભાષણો તથા કોમેન્ટોનું તારણ કાઢીને ચૌટાલા પર ચોતરફ ટીકાઓની ઝડી પણ વરસી રહી છે અને હરિયાણાના ભાજપ તથા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ચૌટાલાને દર્પણ દેખાડી રહ્યાં છે.
અજય ચૌટાલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, બાંગ્લાદેશ અને નેપાળમાં યુવાઓએ સડકો પર ઉતરીને શાસકો સામે બંડ પોકાર્યુ હતું અને વિશાળ માર્ગો પર આંદોલન કરીને નેતાઓ પર જીવલેણ હૂમલાઓ કર્યા હતાં, તેવી જ રીતે આપણે પણ શાસકોને દેશ છોડવા મજબૂર કરવા પડશે, જે રીતે બાંગ્લાદેશમાં થયું, તેવું જ હવે ભારતમાં કરવું પડશે, વિગેરે...!!
આ નિવેદનમાં જેટલું તથ્ય હોય, તેટલું ખરૂ, પરંતુ શબ્દપ્રયોગો અને ધમકીની ભાષા ભારત જેવા પુખ્ત લોકતાંત્રિક દેશ માટે તો ચાલે જ નહીં, તેમ જણાવીને આ નિવેદનનો વિરોધ પણ કદાચ એવી જ ભાષામાં થવા લાગ્યો હોય, તો તેને પણ જસ્ટીફાય કરી શકાય નહીં.
જો કે, ભાજપના ફાયરબ્રાન્ડ પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ શાણપણભરી ભાષામાં પ્રત્યાઘાત આપ્યો અને કહ્યું કે, અજય ચૌટલાનું આ નિવેદન ભારતના બંધારણ અને લોકશાહીને અનુરૂપ નથી. આ પ્રકારના નિવેદનો કરતા પરિવારોને ભારતની લોકશાહીમાં શ્રદ્ધા નથી... વિરોધ કરવાની પણ એક મર્યાદા હોય છે, પરંતુ ભારતની સિયાસત હવે કદાચ આવા "નિયંત્રણો" ઈચ્છતી જ નથી, તેમ જણાય છે.
શાહરૂખખાન સામે વિરોધનો વંટોળિયો ફૂંકાયો અને તેમાં રાજનીતિ સાથે નહીં જોડાયેલા પ્રભાવશાળી લોકો અને સંગઠનો - સંસ્થાઓ જોડાયા, તે પછી બીસીસીઆઈએ નિર્દેશો આ૫તા હવે બાંગ્લાદેશનો ખેલાડી આઈપીએલમાં નહીં રમી શકે તેવા સંકેતો શું સૂચવે છે...?
આ પ્રકારની સિયાસતમાં "ચીત્ત ભી મેરી ઔર પટ ભી મેરી" જેવો વ્યૂહ પણ અપનાવાતો હશે અને આ પ્રકારના વિવાદો પાછળ કદાચ કોઈ મોટું કદમ ઉઠાવવાની તૈયારી હોય કે કોઈક નિષ્ફળતા છૂપાવવાનો પ્રયાસ પણ હોય, જે હોય તે ખરૃં, પરંતુ શબ્દોની આ સટાસટીએ સિયાસતને શિયાળામાં પણ ગરમ તો કરી જ દીધી છે ને...?
મધ્યપ્રદેશની ભાજપ સરકારે દુષિત પાણીથી માત્ર ચાર લોકોનો જ જીવ ગયો હોવાનું એફિડેવિટ કરીને સેલ્ફ ગોલ કર્યો, તો ઉત્તરાખંડમાં મોટા ગજાના નેતાએ બિહારમાં વીસ-પચીસ હજારમાં છોકરીઓ (વેંચાતી) મળતી હોવાનું નિવેદન કરીને સેલ્ફગોલ કરી લીધો છે. ઉમા ભારતીએ પણ દુષિત પાણીના મુદ્દે નિવેદન કર્યુ, અને તેના પ્રત્યાઘાતો સેલ્ફગોલ જેવા જ આવ્યા. રાહુલ ગાંધીએ વોટચોરીનો મુદ્દો ગજવ્યો અને કર્ણાટકમાં ઈવીએમ અંગે કોંગ્રેસે સર્વે કરાવ્યો, તો તેના પરિણામો સેલ્ફગોલ જેવા જ આવ્યા હોવાની મીડિયામાં ચર્ચા થઈ. બાંગ્લાદેશ સાથે સંબંધોના મુદ્દે પાકિસ્તાનનું નિવેદન જ સેલ્ફગોલ જેવું બની જાય, તેવો ભારતે પ્રત્યાઘાત આપ્યો... ઈરાનમાં સુપ્રિમલીડર આયાતુલ્લાહા અલી ખોમૈનીના નિવેદનો એટલા બધા સેલ્ફગોલ જેવા બની ગયા કે, ત્યાંની જનતા સડકો પર ઉતરીને વિરોધ પ્રદર્શનો કરી રહી છે. કપિલ શર્માએ પોતાના કોઈ કાર્યક્રમના સંદર્ભે કરેલા શબ્દપ્રયોગોથી સેલ્ફગોલ થઈ ગયો.
ટૂંકમાં, રાજનીતિમાં શબ્દોની રમત, આક્રમક શૈલી, સટાસટી, સનસનાટી ફેલાવતા કે આક્ષેપો કરતા નિવેદનો ઘણી વખત પ્રતિસ્પર્ધા કે સામેના પક્ષને ક્રિકેટની ભાષામાં 'ક્લીનબોલ્ડ' કરી દેતા હોય છે, તો ઘણી વખત ફૂટબોલની ભાષામાં "સેલ્ફગોલ" પણ બની જતા હોય છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વર્ષ ર૦રપ નું વર્ષ પૂરૃં થયું અને વર્ષ ર૦ર૬ નો પ્રારંભ, તેના સંદર્ભે જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને વિવિધ દેશોમાં જુદી જુદી રીતે ઉજવણી પણ થઈ છે. નવા વર્ષને વધાવવા લોકતાંત્રિક દેશોમાં પણ ભિન્ન-ભિન્ન પદ્ધતિથી કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, અને કોઈપણ ઉજવણીની કોઈ ચોક્કસ પૃષ્ઠભૂમિ પણ હોય છે. ઘણાં દેશોમાં દિવાળી પણ ઉજવાય છે અને નાતાન પણ ઉજવાય છે, તો વિચારધારાઓ વચ્ચેના ટકરાવ અને મૂળભૂત રીતે રાજનૈતિક ઉદ્દેશ્યથી ઊભા થતા અથવા કરાતા વિવાદો પણ ચર્ચાની કોરાણે ચડતા હોય છે. આમ છતાં આપણી મૂળભૂત પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ અને સચવાઈ રહી છે, તે પણ હકીકત છે.
નવા વર્ષે કેટલાક દેશોના વડાઓએ કરેલા નિવેદનો તથા અપનાવાયેલા વલણોની ચર્ચા પણ થવી જ જોઈએ. ચીનના સરમુખત્યાર બની બેઠેલા રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમના દેશવાસીઓને ઉદ્દેશીને રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું અને તેમાં જે કાંઈ કહ્યું, તેનાથી તાઈવાન તમતમી ઊઠ્યું હશે અને ભારતના ભવાં ખેંચાયા હશે, કારણ કે નવા વર્ષની સ્વાભાવિક રીતે અપાતી શુભકામનાઓ સાથે સકારાત્મક, શાંતિ અને સુલેહનો સંદેશ આપવાના બદલે જીનપિંગે ઘમંડ, પડકાર અને સામ્રાજ્યવાદી માનસિક્તા પ્રગટ કરી છે અને તેના આ પ્રવચનના કારણે તેના (ચીનના) ખોળે બેઠેલા વિદ્રોહી બાંગલાદેશને પણ ઝટકો લાગવો જોઈતો હતો. આ પ્રવચન ગઈકાલથી ગ્લોબલ ચર્ચાનો વિષય બન્યો છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કરેલા આ સંબોધનમાં કહ્યું છે કે, તાઈવાનનું ચીનમાં એકીકરણ કોઈ અટકાવી શકે તેમ નથી. તાઈવાન જલ સંધિની બન્ને બાજુએ રહેનારા ચીનના લોકોને રાહત અને બંધુત્વના અતૂટ બંધનથી જોડાયેલા છે અને તેઓનું જોડાણ અમારી માતૃભૂમિની મહેચ્છા છે, તેથી તાઈવાનને ચીનમાં સામેલ થતું કોઈ રોકી શકે તેમ નથી.
એક તરફ શી જિનપિંગ આ પ્રકારની ફાંકેબાજી કરી રહ્યા છે, તો બીજી તરફ ચીનની સેના તાઈવાન નજીક યુદ્ધવિમાનો, જહાજો અને ડ્રોન્સ સાથે જબરદસ્ત યુદ્વાભ્યાસ કરી રહી છે. એવું કહેવાય છે કે, છેલ્લા ચાર વર્ષનો આ સૌથી વ્યાપક અને મોટો યુદ્ધાભ્યાસ છે. ચીન એક વર્ષમાં બબ્બે વખત યુદ્ધાભ્યાસ કરીને શક્તિ પ્રદર્શન કરતુંહોય છે. આવું આ પહેલા પણ ચીન પાંચ-છ વખત કરી ચૂક્યું છે.
ચીનના રાષ્ટ્રપતિનો આ રાષ્ટ્રજોગ સંદેશ તાઈવાન સામે એક ચેલેન્જ પણ છે અને તાકીદ પણ છે. ચીનના રાષ્ટ્રપતિની આ ભાષા નવા વર્ષના સંદેશમાં વપરાઈ છે, તે ઘણું જ સૂચક છે અને તેમાંથી જ સામ્રાજ્યવાદી માનસિક્તા અથવા ચીનની પરંપરાગત પોલિસીની ગંધ આવે છે. આ સંદેશના સમાચારો વહેતા થયા પછી તાઈવાન તમતમી ઊઠ્યું હશે, અને તેના પ્રત્યાઘાતો કદાચ અમેરિકામાં પણ પડઘાશે, તે નક્કી મનાય છે.
તિબ્બેટની જેમ જ ભારતને પણ ચીને ગર્ભિત ચેલેન્જ કરી હોય અને અરૂણાચલનું નામ લીધા વગર તાઈવાનની સાથે જ સૂચિત મહત્ત્વાકાંક્ષી ડેમનો ઉલ્લેખ કરીને જિનપિંગે ભારત-બાંગલાદેશની ચિંતાઓને ફગાવી દઈને એક કાંકરે અનેક પંખી માર્યા હોય તેમ જણાય છે.
આપણે જેને બ્રહ્મપુત્રા નદી તરીકે ઓળખીએ છીએ, તેને ચીનમાં ત્સાંગ વો તરીકે ઓળખવામાં આવે છે. આ નદી પર બંધાનારા વિવાદાસ્પદ ડેમનો ઉલ્લેખ કરતા જિનપિંગે કહ્યું કે વિશ્વનો આ સૌથી મોટો બંધ (ડેમ) પણ બનીને જ રહેશે. તેમણે કહ્યું કે, આ ૧૭૦ અબજ ડોલરનો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ છે, જે કોઈપણ કાળે અટકી શકે તેમ નથી, અને નિર્માણ પામીને જ રહેશે.
આ સંદેશ ભારત માટે તો જીવન-મરણનો સવાલ છે, અને સીધો સંકળાયેલો અરૂણાચલનો મુદ્દો પણ તેમાં સમાવી લેવામાં આવ્યો હોય તેમ જણાય છે. ચીને અરૂણાચલની નજીકમાં બ્રહ્મપુત્રા નદી પર ડેમ બાંધવાનો જે મેગા પ્રોજેક્ટ હાથ ધરવાના જે સંકેતો આપ્યા છે, તે ભારત અને બાંગલાદેશ માટે ખતરાની ઘંટડી નહીં, પરંતુ ઝળુંબતા જોખમનો ઘંટનાદ છે, અને તેને કોઈપણ દૃષ્ટિએ તદ્ન હળવાશથી લઈ શકાય તેમ નથી.
ભારતની અરૂણાચલ સરહદો બંધાનારો આ સૂચિત ડેમ ભારત અને બાંગલાદેશને મળતો બ્રહ્મપુત્રા પાણીનો વિપુલ જળરાશિ અટકાવી દેશે અને તે કારણે ભારત અને બાંગલાદેશએ બન્ને દેશોની ડેમોગ્રાફી તો બદલી જ જશે, પરંતુ ખેતી, રોજગાર અને જનજીવનને જબરદસ્ત ફટકો પડશે. એટલું જ નહીં, આર્થિક, વ્યાપારિક અને વિકાસ પ્રક્રિયાની દૃષ્ટિએ પણ બન્ને દેશોને વ્યાપાક માઠી અસર પહોંચાડશે.
જો બ્રહ્મપુત્રા નદી પર સૂચિત બંધ બંધાઈ જાય, તો ભારતના પૂર્વિય પ્રદેશો અને બાંગલાદેશમાં તારાજી સર્જાવાની એવી એક ચાવી ચીન પાસે હશે, જે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડીને ભારત અને બાંગલાદેશને નુક્સાન પહોંચાડી શકે છે. ખાસ કરીને પૂર્વોત્તર ભારત પર જળપ્રલયનો ખતરો કાયમી ધોરણે ઝળુંબતો રહેશે.
જો ચીન સૂચિત ડેમમાંથી જાણી જોઈને કોઈ ચોક્કસ અને વ્યુહાત્મકઢબે પાણી છોડે, તો તેથી આવેલા પ્રચંડ પૂરથી ભારત અને બાંગલાદેશમાં ધોવાણ થઈ જાય તથા વિનાશ વેરાય, તે ઉપરાંત આ મુદ્દો એક પ્રેસર ટેકનિક કે બ્લેક મેઈલીંગનું હથિયાર પણ બની જાય, તેથી ભારતે આ મુદ્દે ફૂંકી ફૂંકીને કદમ માંડવા જેવું છે. અમેરિકાના બદલેલા વલણ પછી એક તરફ જિનપિંગ અને પુતિન ચીન-રશિયા-ઈન્ડિયાનું ગઠબંધન રચીને મહાસત્તાને પડકારવાના અભરખા રાખતા હોય અને બીજી તરફ જિનપિંગ અરૂણાચલ પાસે બ્રહ્મપુત્રા નદી પર (ભારતના પ્રચંડ વિરોધ છતાં) ડેમ બાંધવાનો હૂકાર ભરતા હોય, તો વર્ષ ૧૯૬૦ ના દાયકાના અનુભવોને મમળાવીને ભારતે ચીનનો જરાય ભરોસો કરવો જ નહીં જોઈએ, તેવો જનમત પણ યથાર્થ છે.
વૈશ્વિક આંકલન સંસ્થા ફોર્બસ ઈન્ડોર્નેટે જાહેર કરેલા અહેવાલ મુજબ ચીન ગમે ત્યારે તાઈવાન પર હુમલો કરી શકે છે, અને તેની જાણ અમેરિકાને પણ હોવાથી તાઈવાનને ટ્રમ્પ હવા ભરી રહ્યા છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ઈઝરાયલ-હમાસની શાંતિ સમજુતિ માત્ર કાગળ પર છે અને અમેરિકા ગાઝા પર કબજો જમાવવા તત્પર છે.
આ રિપોર્ટમાં એવી સંભાવના પણ વ્યક્ત થઈ છે કે, પાકિસ્તાનની પ્રજા મોંઘવારી અને અરાજક્તાની સ્થિતિથી ત્રસ્ત છે, અને શાહબાઝ સરકાર પ્રજાનું ધ્યાન બીજી બાજુ વાળવા કોઈપણ બહાને ભારત સાથે યુદ્ધ છેડી શકે છે. આ રિપોર્ટમાં ચીન અને પાકિસ્તાનને ભારત સાથે સાંકળીને જે ગર્ભિત ઉલ્લેખો કર્યા છે, તે ચિંતાજનક છે. આ રિપોર્ટમાં વેનેઝુએલા, રશિયા-યુક્રેન સુદાન, યુગાન્ડા, ઈઝરાયલ-હમાઝ તથા ચીન-અમેરિકા વચ્ચેનું કોલ્ડવોર વગેરેને સાંકળીને ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ પણ જણાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વર્ષ ર૦રપ પૂરૃં થયું અને તેમાં જે તકલીફો પડી હોય, આફતો આવી હોય, વિનાશ વેરાયો હોય કે ભૂલો થઈ હોય, તે ભૂલીને આગળ વધીએ અને નવા વર્ષમાં કાંઈક નવું કરીએ... નવા સોપાનો સર કરીએ... સપનાઓ સાકાર કરીએ અને ભૂતકાળની ભૂલોમાંથી શીખીને તથા અનુભવોના આધારે આપણી જિંદગી સુધારીએ, સંબંધો સુધારીએ અને સારા સંબંધોને વધુ મજબૂત કરીએ. 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર 'નોબત'ના પ્રિયા વાચકો, એડવર્ટાઈઝર્સ, વિતરકો, પત્રકારો, પ્રતિનિધિઓ તથા 'નોબત'ના સ્પશિયલ મીડિયાના વિવિધ પ્રકલ્પો સાથે સંકળાયેલા ફોલોઅર્સ તથા શુભેચ્છકોને નવા વર્ષની ખૂબ કામનાઓ પાઠવીએ...
એવું નથી કે વિતેલા વર્ષમાં બધું જ હાનિકારક અને નાકારાત્મક જ હતું. આપણે, આપણાં પરિવારે, સમાજે અને સરકારે જે સિદ્ધિઓ હાંસલ કરી હોય, પ્રગતિ કરી હોય, સત્કાર્યો કર્યા હોય, તેને સ્મરીને તથા મમળાવીને તે દિશામાં જ આગળ વધીએ. ગયા વર્ષે જે ગુમાવ્યું હોય, તે પુનઃ મેળવવાનો પ્રયાસ કરીએ અને જે મળ્યું નથી, તે આશા અને પ્રામાણિક રસ્તે મેળવવાનો પ્રયાસ કરીએ. બીત ગઈ સો બાત ગઈ... દુઃખદભરી યાદો ભૂલી જઈને નવા વર્ષે નવી કેડી કંડારીને તેને ધોરીમાર્ગ બનાવવાનો પ્રયાસ કરીએ, અને ગણગણીએ...
નયે સાલ મેં લિખેંગે હમ મિલકર નઈ કહાની,
હમ હિન્દુસ્તાની... હમ હિન્દુસ્તાની
આજથી યુપીઆઈ અને પાનકાર્ડ સંબંધિત નવા નિયમો અમલી બન્યા છે. પી.એમ. કિસાન યોજના માટે નિયત ઓળખપત્ર ફરજિયાત બનાવાયું છે, પરંતુ જે રાજ્યોમાં હજુ ઓળખપત્રો આપવાનું શરૂ થયું ન હોય ત્યાં હાલતુરત રજિસ્ટ્રેશનની છૂટ અપાઈ છે અને જંગલી પશુઓના કારણે ખેતીનો પાક બરબાદ થાય, અને તેની તત્કાળ જાણ કરવામાં આવે, તો તેની સહાયની પણ યોજના અમલમાં મૂકાઈ રહી હોય તો તેથી ખેડૂતોને રાહત થવાની છે. કર્મચારીઓ અને પેન્શનરોમાં આઠમા પગાર પંચને લને કુતૂહલ હતું, તો નવા વર્ષથી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર પણ વધુ રાહતોની ઉમ્મીદ રાખી રહ્યું હતું, પરંતુ તે માટે હવે ફેબ્રુઆરીમાં કેન્દ્રનું બજેટ આવે, તેની રાહ જોવી પડશે, તેમ જણાય છે.
આ ઉપરાંત આજથી ક્રેડિટ કાર્ડના નિયમો, ઈન્કમટેક્સના નવા રિટર્ન ફોર્મ્સ તથા અન્ય પ્રક્રિયાત્મક ફેરફારો પણ થવા જઈ રહ્યા છે.
આજથી પાઈપલાઈન ગેસ (પીએનજી) ના ભાવોમાં ઘટાડો થયો છે, અને ઘરેલુ એલપીજીમાં ઘટાડાની ઉમ્મીદ પણ લોકોને હતી, પરંતુ તે યથાવત્ રહ્યા છે, જો કે કોમર્શિયલ એલપીજીમાં આજથી રૂ।. ૧૧૧ નો વધારો ઝીંકી દેવાયો છે.
આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટના નિયમો પણ વધુ ચૂસ્ત અને સખ્ત બનશે, તેવી ધારણા પહેલીથી જ હતી. આજથી પાનકાર્ડ અને આધાર કાર્ડ લિન્ક કરેલા નહીં હોય, તેઓને નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલી પડી શકે છે. તે ઉપરાંત વર્ષ ૧૯૬૧ ના કાયદાના સ્થાને નવો આવકવેરા કાયદો પણ આજથી લાગુ થવાની પૂરેપૂરી સંભાવના છે. આજથી બેન્કીંગ સેક્ટરના ક્રેડિટ સ્કોર, ટેક્સ વગેરેમાં બદલાવ થયા છે, કાર મોંઘી થઈ છે, નવી એમએએસ યોજના લાગુ થઈ છે.
ગુજરાત સરકારે નવા વર્ષના પહેલા જ દિવસથી લાગુ થાય તેવી રીતે કેટલાક આઈપીએસ તથા આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવાના આદેશ પણ કર્યા છે. કુલ ૧૯ ઉચ્ચ અધિકારીઓને બઢતી મળી છે. તે ઉપરાંત બીજા ૩પ જેટલા ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને સિલેક્શન ગ્રેડ અથવા જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી મળી છે. આમ આ અધિકારી વર્ગ માટે નવું વર્ષ ખુશી લઈને આવ્યું છે, તેમ કહી શકાય, જો કે એક તરફ અધિકારીઓને પ્રમોશન અપાયા, તો બીજી તરફ હજારો પોલીસ કર્મીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટવાયો હોવાના અહેવાલો હતાં!
બીજી તરફ ગુજરાતની જનતા પર પણ નવા વર્ષના પ્રારંભે જ એસ.ટી. બસ ભાડામાં વધારાનો બોજ નંખાયો છે. થોડા મહિના પહેલા જ એસ.ટી.ના ભાડામાં ૧૦ ટકાનો વધારો કરાયો હતો, અને ગત્ મધ્ય રાત્રિથી જ (વર્ષ ર૦ર૬ ના પ્રારંભે જ) ફરીથી એસ.ટી.ના બસભાડામાં ત્રણ ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. તે પહેલા રેલવે તંત્રે પણ રેલવેના કેટલાક ભાડામાં વધારો કરવાની વાત કરી હતી, જો કે નવ કિલોમીટર સુધી કોઈ વધારો લાગુ નહીં પડે, અર્થાત બસનો રૂટ જ્યાંથી શરૂ થાય તે બસસ્ટેન્ડ કે બસડેપો અથવા બસસ્ટોપથી ૯ કિલોમીટરના અંતર સુધી આ ત્રણ ટકાનો વધારો લાગુ નહીં પડે તેવા અહેવાલો હતાં, પરંતુ ગેસમાં રાહત આપીને પબ્લિક પરિવહનના ભાડાઓમાં વર્ષના પ્રારંભે જ વધારો ઝીંકી દેવાતા લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
બીજી તરફ ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓ, યુનિવર્સિટીઓ, શાળા-કોલેજો તથા ખાનગી કોચીંગ ક્લાસો વિગેરે માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન મેન્ટલ હેલ્થ પોલિસીના સંદર્ભે આપવામાં આવી હોય તેમ જણાય છે.
વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ અટકાવવા રાજ્ય સરકારે તમામ પ્રકારની શૈક્ષણિક અને તાલીમી સંસ્થાઓને સાંકળીને આ ગાઈડલાઈન્સ જાહેર કરી હોવાનો દાવો કરાયો છે. કોલેજ અને યુનિવર્સિટીઓમાં દર ૧૦૦ વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછો એક ક્વોલિફાયડ કાઉન્સિલર રાખવો પડશે, અને તેથી ઓછી સંખ્યા હોય તો બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે સંકલન કરીને ફરજિયાત વૈકલ્પિક રેફરલ વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. જ્યારે જ્યારે સિલેબસ. બદલે, અભ્યાસક્રમ કે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થાય ત્યારે પૂરેપૂરી માહિતી અને માર્ગદર્શન પૂરા પાડવાની વ્યવસ્થાઓ અચૂક કરવી પડશે. બિનશૈક્ષણિક-સ્ટાફ સહિત તમામ શિક્ષકોને વર્ષમાં કમ-સે-કમ બે વખત માનસિક સ્વાસ્થ્યના લક્ષણોની ઓળખ કરવા માટે તાલીમ આપવી પડશે.
ખાનગી ટ્યુશન-કોચીંગ ક્લાસીસ માટે પણ અત્યંત કડક નિયમો બનાવાયા છે, અને મંજુરી વિના જ ધમધમતા કોચીંગ ક્લાસો પર સકંજો કસાવાનો છે.
શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો-યુનિવર્સિટીઓને આત્મહત્યા નિવારણ માટે તત્કાળ રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવા, અને તેને સંલગ્ન માળખું ઊભું કરીને તેને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા, રેગિંગ, જાતીય સતામણી, દાદાગીરી, બ્લેકમેઈલીંગ, ગુંડાગર્દી કે કોઈપણ પ્રકારના ભેદભાવ અંગે ગુપ્ત ફરિયાદ કરવાની ચૂસ્ત વ્યવસ્થા ઊભી કરીને તત્કાળ એક્સન લેવાની વ્યવસ્થા ઊભી કરવા, હોસ્ટેલો, છાત્રાલયોમાં સુરક્ષા-સલામતી વધારવા, આત્મહત્યાનું માધ્યમ બનતા સીલીંગ ફેન, બાલ્કનીઓ વગેરેના સંદર્ભે વોચીંગ, નિયમન અને નિયંત્રણની વ્યવસ્થાઓ કરવા સૂચવાયુ હોવાના અહેવાલો છે.
ગુજરાતમાં પહેલેથી જ સહકાર ક્ષેત્ર મજબૂત છે. હવે આ માળખું વિસ્તારવા રાજ્ય સરકારે નવી ૯ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોનો મંજુરી આપી દેતા ખેડૂતોને નવા વર્ષથી સરળ ધિરાણ, ઘરઆંગણે બેન્કીંગ સુવિધા અને નજીકના સ્થળેથી જ નાના-મોટા નાણાકીય અને બેન્કીંગ કામકાજ સંપન્ન કરવાની સુવિધા મળશે, તેવો દાવો કરાયો છે.
આજથી જે ફેરફારો થઈ રહ્યા છે કે, નવી સુવિધાઓ ઊભી થઈ રહી છે, તે ઉપરાંત કેટલાક નવા નિયમો તથા ભાડાવધારાનો બોજ જનતા પર પડવા જઈ રહ્યો છે, અને કેટલીક બાબતોમાં રાહત પણ મળવા જઈ રહી છે, તેના ભલે મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા હોય, પરંતુ નવા વર્ષમાં પડકારોને પહોંચી વળીને તથા સાથે મળીને પરિવાર, સમાજ અને દેશને નવી ઊંચાઈએ લઈ જવા તથા સપના સાકાર કરવાની મહત્ત્વાકાંક્ષી ઉમ્મીદો સાથે નવા વર્ષને વધાવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે દિવાળી ઉપર તથા નાણાકીય વર્ષ પૂરૂ થાય ત્યારે માર્ચ એન્ડીંગમાં વાર્ષિક સરવૈયુ કાઢતા હોઈએ છીએ અને આગામી વર્ષના આયોજનો પણ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે 'સરવૈયુ' એવો શબ્દ વપરાતો હોય છે, પરંતુ હકીકતે સંસ્થાઓ, સરકારો અને સંગઠનો દ્વારા પણ 'સરવૈયા' નીકળતા હોય છે. ભલે, તેને જુદાજુદા નામે ઓળખતા હોઈએ, પરંતુ હકીકતે આપણે બધા કોઈને કોઈ રીતે પૂરા થયેલા વર્ષમાં શું મેળવ્યું અને ક્યા ક્યા કાર્યો કે આયોજનો બાકી રહી ગયા, તેનો વિચાર તો કરતા જ હોઈએ છીએ ને?
છેલ્લા એક અઠવાડિયાથી પ્રેસ-મીડિયામાં ફ્લેશ બેકના ઢગલાબંધ વિવરણો આવી રહ્યા છે, અને ગુજરાત રાજ્ય, દેશ અને દુનિયાના તમામ નેગેટીવ-પોઝિટિવ અને હૃદયદ્વાવક તથા મનોરંજક, પ્રસન્નતાદાયક ઘટનાક્રમોની તસ્વીરો, દૃશ્યો સાથેની સ્ટોરીઓ આપણે વાચી કે નિહાળી રહ્યા છીએ, અને દેશ-દુનિયાએ આખા વર્ષમાં શું મેળવ્યું, શું ગુમાવ્યુ અને કઈ કઈ સિદ્ધિઓ મેળવી તેમ જ કઈ કઈ ભૂલોકરી તેની પણ ચર્ચાઓ પણ થઈ રહી છે.
આખંુ વર્ષ સડકથી સંસદ સુધી વિવિધ વિષયો ચર્ચાતા રહ્યા. શેરબજારમાં ઉતાર-ચઢાવ થતા રહ્યા, દુનિયામાં ક્યારેય ન વિચાર્યું હોય, તેવા ઘટનાક્રમો સર્જાતા રહ્યા. કુદરતનો કોપ અને મહેરબાનીનો સંગમ રચાતો રહ્યો, છતાં જિંદગી આગળ વધતી જ રહી.
વર્ષના પ્રારંભે બીજા મહિનામાં જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ફેંકાઈ ગઈ અને ભાજપને જનાદેશ મળ્યો, તો સંસદમાં વકફના મુદ્દે વિવાદ વકર્યો, તે પછી દિલ્હી હાઈકોર્ટના એક જજને ત્યાં આગ લાગતા ત્યાંથી મળેલી કરોડોની બળેલી ચલણી નોટોનો વિવાદ વકર્યો. તહવ્વુર રાણાનું અમેરિકાથી ભારતને પ્રત્યાર્પણ થયું. અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની શરૂઆત કર્યા પછી દુનિયામાં હલચલ મચી ગઈ. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ સમજુતિ રદ્ કરી દીધી.
સૌથી વધુ ચર્ચામાં ઓપરેશન સિંદૂર રહ્યું, તો પહલગામ આતંકી હુમલાની વિશ્વવયાપી આલોચના થઈ. ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ ગુજરાત અને દેશને હચમચાવી દીધો. સીજેઆઈએ કહ્યું કે, આપણાં દેશમાં સંસદનહીં, પણ બંધારણ સર્વોપરિ છે. અયોધ્યાના રામમંદિરના પહેલા માળે રામદરબારની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અમદાવાદની પ્લેન દુર્ઘટનાએ તો હાહાકાર જ મચાવી દીધો હતો. જુલાઈમાં રંગમતી-નાગમતીનું પાણી પ્રદૂષિત હોવાનું બહાર આવ્યા પછી તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડના રાજીનામાની ચર્ચા ચાલી. સંસદના ચોમાસું સત્રમાં માત્ર ૩૭ ટકા જ કામ થયું. કેટલાક ક્રિકેટરોએ વિવિધ પ્રકારની નિવૃત્તિ જાહેર કરી. દેશભરમાં ભારે વરસાદ, વાવાઝોડા, લેન્ડ સ્લાઈડ અને ભારે પૂરે તારાજી મચાવી, તો કેટલાક ખેતઉત્પાદનોએ રેકોર્ડ તોડ્યા. રાવલમાં ૧૦ મોટા માથા કોંગ્રેસમાં જોડાઈ જતા નગરપાલિકામાં ઉલટફેર થયો. હાલારમાં વિવિધ રાજકીય ઘટનાક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યું.
ભારતે દોડતી ટ્રેનમાંથી મિસાઈલનું પરીક્ષણ કર્યું, તો એશિયાકપમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું. બીજી તરફ સપ્ટેમ્બર મહિનાથી કોંગ્રેસે આદરેલું 'વોટચોર... ગાદી છોડ' આંદોલન સતત ચર્ચામાં રહ્યું. જૂનાગઢમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું, જેમાં ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેજાબી ભાષણો કર્યા. 'વનતારા'ને સુપ્રિમ કોર્ટની રચેલી એસઆઈટીની તપાસ પછી ક્લીનચીટ મળી. દિવાળીના ઉત્સવો ઉમંગભેર ઉજવાયા અને નાતાલના તહેવારોમાં પણ યાત્રા-પ્રવાસન સ્થળોમાં મોટી સંખ્યામાં યાત્રિકો-પ્રવાસીઓ ઉમટ્યા. છેલ્લ બે-ત્રણ મહિનાના ઘટનાક્રમો તો આપણાં બધાની સ્મૃતિમાં જ છે, જે પૈકી સર્વાધિક ચર્ચા એસઆઈઆર, બિહારની ચૂંટણી તથા મુંબઈ મનપા (બીએમસી) ની આવી રહેલી ચૂંટણીઓની થઈ રહી છે, અને જામનગરમાં હિંસક બનવા જઈ રહેલી સ્થાનિક રાજનીતિ તથા બાંગલાદેશમાં ખાલિદા ઝિયાના નિધન પછી ત્યાંની સરકાર બદલતી રાજનીતિની થઈ રહી છે.
બરાબર એક વર્ષ પહેલા જ્યારે ર૦ર૪ ના ફ્લેશ બેકની ચર્ચા થઈ રહી હતી, તે સમયે ચર્ચાયેલા કેટલાક મુદ્દાઓ વર્ષ ર૦રપ માં પણ યથાવત્ જ રહ્યા હોય તેમ જણાય છે. ઘણાં પ્રશ્નો હજુ અણઉકેલ છે. સંસદમાં શોરબકોર, દેકારા અને હોબાળાઓ વચ્ચે જનતાની સમસ્યાઓ દબાઈ જવાની વોહી રફ્તાર ચાલુ જ રહી હતી, જો કે એ દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા અને કાયદાઓ પણ ઘડાયા. વર્ષ ર૦ર૪ કરતા પણ વધુ કુદરતી આફતો અને દુર્ઘટનાઓમાં એકંદરે હજારો લોકોના જીવ ગયા. વર્ષ ર૦ર૪ ના અંતે 'નકલી'ઓની ભરમાર ચર્ચાઈ હતી અને કેટલાક ષડ્યંત્રોની ચર્ચા પણ થઈ હતી, જયારે વર્ષ ર૦રપ માં તો ટોપ ટુ બોટમ કૌભાંડોની ભરમાર જ જોવા મળી હતી. દિલ્હીમાં થયેલા આતંકી વિસ્ફોટ પછી પકડાયેલા ષડ્યંત્રો તથા જાસૂસોના અહેવાલો પણ ખાસ્સા ચર્ચામાં આવ્યા હતાં.
વર્ષ ર૦ર૪ કરતા પણ વધુ ટ્રમ્પ વર્ષ ર૦રપ માં ચર્ચામાં રહેલા, અને તેની કેટલીક હરકતોએ સૌને ચોંકાવ્યા, તો પાકિસ્તાનમાં સર્વેસર્વા સીડીએફ બની ગયેલા મુનિર સાથે ટ્રમ્પની બનાવટી ઘનિષ્ઠતાની ચર્ચાઓ પણ થતી રહી. ટૂંકમાં વિવાદાસ્પદ અને જીવલેણ ઘટનાઓમાં કેટલીક રાષ્ટ્રીય અને વૈશ્વિક સિદ્ધિઓ, માનવીય પ્રવૃત્તિઓ, લોક-કલ્યાણ અને જીવસૃષ્ટિના કલ્યાણ માટે થયેલા વિવિધ સંશોધનો તથા ઉપ્લબ્ધિઓની સાફલ્યગાથાઓ જાણે દબાઈ જ ગઈ હતી. આપણે ભૂતકાળની નિષ્ફળતાઓ અને ભૂલોમાંથી કાંઈક નવું શીખીને આગળ વધીએ અને મળેલી સિદ્ધિઓ-ઉપલબ્ધિઓથી ફૂલાઈ જવાના બદલે વધુ ઉજળા ભવિષ્ય તરફ આગળ વધવાનો પ્રયાસ કરીએ, તો જ આપણે વિતેલા વર્ષની યાદોની સાચી ફલશ્રુતિ મેળવી ગણાશે.
આજે ભારતમાં મધ્યરાત્રિના વર્ષ ર૦ર૬ ના વધામણા થશે, અને થર્ટી ફર્સ્ટની ધમાકેદાર ઉજવણી પણ થશે. આ તહેવાર હવે મોજમસ્તીનો બની રહ્યો છે, પરંતુ ભગવાન ઈસુ ખ્રિસ્તની સ્મૃતિમાં દેવળોમાં કેટલાક કાર્યક્રમો નાતાલના અંતે યોજાતા હોય છે, જો કે ભારતમાં મધ્યરાત્રિ હશે, ત્યારે ઘણાં દેશોમાં કલાકો પહેલા નવું વર્ષ શરૂ થઈ ગયું હશે. દૃષ્ટાંત તરીકે આજે બપોરથી ભારતીય સમય મુજબ મધ્યરાત્રિ પહેલા જ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત અઢી ડઝન જેટલા દેશોમાં નવું વર્ષ શરૂ થઈ ગયું હશે. આનું કારણ પૃથ્વીની સૂર્ય-પ્રદક્ષિણાની સાથે સાથે પોતાની ધરી પર ગોળ ગોળ ફરવાથી થતા રાત-દિવસને સાંકળીને નક્કી થયેલું ટાઈમઝોન છે. આવો, વિતેલા વર્ષની વિદાય વેળાએ હકારાત્મક અભિગમ અને સકારાત્મક ઉમ્મીદો સાથે આગળ વધીએ અને વર્ષ ર૦રપ ને બાય... બાય કરીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે ત્યાં ગુજરાતીમાં એક પ્રચલિત કહેવત છે કે બકરુ કાઢતા ઊંટડુ પેઠું...કાંઈક તેવા જ ઘટનાક્રમો દેશ-દુનિયામાં સર્જાઈ રહ્યા છે, અને તેમાં સૌથી વધુ ચર્ચિત તથા તાજો ઘટનાક્રમ બાંગલાદેશનો છે. આપણાં પડોશી દેશમાં યુવા આંદોલન પછી ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો અને તેણીએ ભારતમાં રાજ્યાશ્રય લીધો. વર્ષ ૧૯૭૧માં બાંગલાદેશની આઝાદી માટે ભારતે હસ્તક્ષેપ કરતા યુદ્ધ થયું, જેમાં પાકિસ્તાન ભૂંડી રીતે હાર્યું અને ભારતે દરિયાદિલી દાખવીને બાંગલાદેશના શરણે આવેલા હજારો સૈનિકોને છોડી મૂક્યા, તે પછી બાંગલાદેશ એક સ્વતંત્ર દેશ ઘોષિત થયો, જેને ધીમે ધીમે દુનિયાના દેશોએ માન્યતા આપી.
તે સમયે બાંગલાદેશની આઝાદી માટે લડનાર ત્યાંના જનનાયક બની ચૂકેલા શેખ મુજીબુર રહેમાને રાષ્ટ્રનું સુકાન સંભાળ્યું અને આઝાદ બાંગલાદેશ પાકિસ્તાનથી સદંતર અલગ થઈ ગયું, પરંતુ બાંગલાદેશને આઝાદી પચી નહીં, અને આંતરયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ, લોકતંત્ર ખતરામાં પડ્યું. શેખ મુજીબુર રહેમાનની ૧૫મી ઓગષ્ટ ૧૯૭૫ના દિવસે તેમના ઘરમાં જ સૈન્ય વિદ્રોહીઓએ હત્યા કરી નાખી, અને તેના ઘરમાં હાજર તમામ સભ્યોને રહેંસી નાખ્યા, પરંતુ તે સમયે શેખ મુજીબુર રહેમાનની હસીના અને રેહાના નામની બે દીકરીઓ બર્લિન ગઈ હોવાથી બચી ગઈ અને તે સમયે બંને બહેનોને ભારતે રાજ્યાશ્રય આપ્યો હતો.
શેખ હસીનાએ ભારતમાં રહીને જ તેના પિતા શેખ મુજીબુર રહેમાને સ્થાપેલી અવામીલીગ નામની રાજકીય પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું. શેખ મુજીબુરની હત્યા તે સમયના બાંગલાદેશના સેના પ્રમુખ ઝિયાઉર રહેમાને કરાવી હોવાના આક્ષેપો થયા. તે પછી જીયાઉર રહેમાન જ બાંગલાદેશના રાષ્ટ્રપતિ બની ગયા હતા.
ગુજરાતીમાં કહેવત છે કે વાવો તેવું લણો, હાથના કર્યા હૈયે વાગવા, જેવું કરો તેવું પામો... તેની જેમ ૩૦મી મે ૧૯૮૧ના દિવસે રાષ્ટ્રપતિ જનરલ ઝિયાઉર રહેમાનની પણ ચિત્તગૌગની સૈન્ય વિદ્રોહમાં હત્યા થઈ ગઈ. તે પછી તેમના પત્ની, જેઓ રાજનીતિમાં નહોતા અને માત્ર ગૃહિણી હતા, તેમણે પતિનો વારસો સંભાળીને ઝિયાઉર રહેમાને સ્થાપેલી બાંગલાદેશ નેશનાલીસ્ટ પાર્ટી (બીએનપી)નું નેતૃત્વ સંભાળ્યું, તે પછી એક અલગ જ લોકતાંત્રિક સ્થિતિ ઊભી થઈ, અને ચૂંટણીઓમાં બે બેગમોની ફાઈટ શરૂ થઈ ગઈ.
બાંગલાદેશમાં "બેગમ"નો સન્માન સૂચક અર્થ થાય છે અને બે મુખ્ય રાજકીય પક્ષોનું નેતૃત્વ કરતી બે બેગમો વચ્ચે રાજકીય સ્પર્ધાની સાથે સાથે દુશ્મનાવટ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. બંને પરિવારો એકબીજા પર પોતાની પાર્ટીના સ્થાપકોની હત્યાના આરોપો મુકતા રહ્યા અને ચૂંટણીઓમાં બાંગલાદેશની જનતાએ જનાદેશ આપ્યો હોવાના દાવા સાથે દાયકાઓ સુધી બાંગલાદેશ પર વારાફરતી શાસન કર્યું. અને ચૂંટણીઓ જીતીને બંને બેગમોએ વર્ષ ૧૯૯૦થી ૨૦૨૪ સુધી શાસન સંભાળ્યું.
જનરલ ઝિયાઉરની હત્યા પછી બાંગલાદેશના સેના પ્રમુખ વર્ષ ૧૯૭૮માં ઝિયાઉર રહેમાનની હત્યા પછી કાવાદાવા કરીને અને વર્ષ ૧૯૮૨માં સૈન્ય વિદ્રોહ કરીને તે સમયની રાષ્ટ્રપતિ અબ્દુલ સત્તારની સરકારને બરખાસ્ત કરીને માર્શલ લો લગાડી દીધો હતો અને હુસૈન મુહમ્મદ ઈર્શાદે વિપક્ષના નેતાઓને જેલમાં પૂરીને પોતે સરમુખત્યાર બની ગયો હતો. જો કે, વૈશ્વિક દબાવ પછી વર્ષ ૧૯૮૩માં "જાતીય પાર્ટી" નામનો પક્ષ સ્થપાયો, તે સમયે શેખ હસીના અને ખાલિદા ઝિયાએ હાથ મિલાવ્યા અને ઈર્શાદ સામે આંદોલન કર્યું. વર્ષ ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી થયેલા આંદોલન પછી સરમુખત્યાર બનેલા રાષ્ટ્રપતિ ઈર્શાદે રાજીનામું આપી દીધું, પરંતુ તે પછી બંને બેગમો વચ્ચે ફરીથી સીધી સ્પર્ધા શરૂ થઈ ગઈ, અને વર્ષ ૧૯૯૧ની ચૂંટણીઓમાં ખાલિદા જિયાને જનાદેશ મળ્યો તેથી તેઓ બાંગલાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બની ગયા હતા.
ખાલિદા જિયાના પાંચ વર્ષના શાસન થી વિમૂખ થયેલી બાંગલાદેશની જનતાએ તે પછીની ચૂંટણીમાં શેખ હસીનાને જનાદેશ આપતા શેખ હસીના બાંગલાદેશના બીજા મહિલા વડાપ્રધાન બન્યા અને તે પછી વર્ષ ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીઓ જીતીને લગભગ બે દાયકા સુધી બાંગલાદેશના વડાપ્રધાન રહ્યા અને વર્ષ ૨૦૨૪માં જેનઝેડ જેવા વિદ્યાર્થી આંદોલન પછી શેખ હસીનાએ દેશ છોડીને ફરીથી ભારતમાં રાજ્યાશ્રય લીધો છે. બીજી તરફ ચૂંટણીઓમાં ગરબડ કરીને શેખ હસીના સતત સામાન્ય ચૂંટણીઓ જીતતા રહ્યા હોવાના આક્ષેપો પણ થયા, બંને બેગમો તથા તેની પાર્ટીઓ વચ્ચે રાજકીય ફાઈટ ચાલતી રહી અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા રહ્યા, પરંતુ બંને બેગમો વચ્ચે ૧૯૯૦ના દાયકાથી અત્યાર સુધીની રાજકીય સ્પર્ધા દુશ્મનાવટમાં બદલી જાય, તેવા ઘણાં ઘટનાક્રમો પણ બન્યા હતા.
બન્યુ હતું એવું કે, વર્ષ ૨૦૦૧થી વર્ષ ૨૦૦૬ સુધી ફરીથી ખાલિદા જિયા સત્તામાં હતા, ત્યારે વર્ષ ૨૦૦૪માં શેખ હસીના પર થયેલા હિચકારા હૂમલામાં ઘણાં લોકોના જીવ ગયા, પણ શેખ હસીના બચી ગયા હતા. આ હૂમલો ખાલિદા જિયાના દીકરા તારીક રહેમાને કરાવ્યો હોવાનો આક્ષેપ શેખ હસીનાએ લગાવ્યો હતો. તે પછીની ચૂંટણી જીતીને વર્ષ ૨૦૦૬માં શેખ હસીના વડાપ્રધાન બન્યા પછી જેલમાં જવાના ડરથી ખાલિદા જિયાના પુત્ર તારીક રહેમાન વર્ષ ૨૦૦૮થી લંડન ભાગી ગયા હતા અને છેક તાજેતરમાં વચગાળાની સરકારના શાસનમાં પોતે સુરક્ષિત રહેશે, તેવું જણાતા તેઓ સ્વદેશ પરત ફર્યા, અને આગામી ફેબ્રુઆરીની ચૂંટણીઓમાં તેમની માતાની સ્થપાયેલી પાર્ટી બીએનપી જીતશે અને તારીક રહેમાન બાંગલાદેશનું શાસન સંભાળશે, તેવી અટકળો પણ થવા લાગી હતી, અને તે મુજબનો તખ્તો ગોઠવાઈ રહ્યો હતો.
આ દરમ્યાન લાંબા સમયથી બીમાર રહેલા ખાલિદા ઝિયાનું ગઈકાલે નિધન થઈ ગયું છે. વચગાળાની સરકારનું નેતૃત્વ કરતા નોબેલ વિજેતા મહમદ યુનુસના શાસનમાં હિન્દુઓ સહિત લઘુમતિઓ પર અત્યાચાર વધ્યા હોવાની બૂમરાણ તથા કટ્ટરવાદીઓ બેકાબૂ થયા હોવાના આક્ષેપો વચ્ચે તારીક રહેમાને બાંગલાદેશ સૌ કોઈનું છે એન બધાને સાથે લઈને ચાલવાની વાત કરી છે, બીજી તરફ શેખ હસીનાની પાર્ટી પર વચગાળાની સરકારે પ્રતિબંધ મુક્યો છે તથા ત્યાંની ટ્રિબ્યુનલો શેખ હસીનાને નરસંહારના કોઈ કેસમાં દોષિત ઠરાવીને ફાંસીની સજા જાહેર કરી છે, જેની સામે શેખ હસીનાએ વકીલ મારફત અપીલ કરી છે. શેખ હસીનાની પાર્ટી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાયો છે, તેની સામે પણ અવામી લીગે કાનૂની ઉપાયો કર્યા છે, તેથી નવા સમીકરણો રચાઈ રહ્યા છે.
પડોશી દેશમાં બે બેગમોના શાસનનો યુગ હવે ખતમ થઈ રહેલો જણાય છે. બાંગલાદેશમાં શેખ હસીના બેગમ અને ખાલિદા જિયા બેગમના સંઘર્ષ પછી હવે નવા સમીકરણો રચાઈ રહ્યા છે. ૮૦ વર્ષિય ખાલિદા ઝિયાના નિધન પછી સહાનુભૂતિની લ્હેર દોડે, અને તારીક રહેમાનને ચૂંટણીઓમાં ફતેહ હાંસિલ થઈ જાય, તો પણ તે પછીની સ્થિતિની અત્યારે કલ્પના કરવી અઘરી છે. એક તરફ શેખ હસીનાને શરણ આપનાર ભારત સાથે તારીક રહેમાનની વંશપરંપરાગત નફરત અને બીજી તરફ ખાડે ગયેલા બાંગલાદેશને ફરીથી બેઠુ કરવા તથા ત્યાંની લઘુમતીઓને વિધિવત પુનઃ સ્થાપિત કરવા માટે કટ્ટરપંથી પરિબળો પર અંકુશ લાવવાનો પડકાર પણ રહેવાનો છે. ખાલિદા જિયાના નિધન પછી બદલાયેલા સમીકરણો ભારત માટે કેવા રહેશે અને તારીક રહેમાનને જનાદેશ મળશે, તો તેઓ કેવું વલણ લેશે, તેની આજે વ્યાપક ચર્ચા થઈ રહી છે. બાંગલાદેશમાં લોકતાંત્રિક સત્તા પરિવર્તન સાથે શાંતિ સ્થપાશે કે હજુ વધુ બગાવત થશે, તેવા સવાલો ઊઠી રહ્યા છે, જોઈએ, શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શનિવારે દિલ્હીના કોટલા માર્ગ પર હલચલ વધી ગઈ હતી અને હવાઈ પ્રદુષણની આબોહવા વચ્ચે ગરમાગરમ રાજકીય માહોલે ઉષ્ણતા જન્માવી હતી. આ માર્ગ પર આવેલા કોંગ્રેસના નવા હેડક્વાર્ટરમાં કોંગ્રેસ વર્કીંગ કમિટી (કોંગ્રેસ કાર્ય સમિતિ)ની બેઠક યોજાઈ અને તેમાં કોંગ્રેસે લીધેલા એક નિર્ણયના પડઘા સડકોથી લઈને કેન્દ્રીય સચિવાલય અને શાસક એનડીએના વર્તુળોમાં પણ પડ્યા હતા. કેન્દ્ર સરકારના તાજેતરના એક કદમથી માત્ર કોંગ્રેસ કે વિપક્ષો જ નહીં, પણ કદાચ એનડીએના કેટલાક સાથીદાર પક્ષો તથા સંગઠનોમાં પણ થોડા ઘણા અંશે નારાજગી હોવાનું કહેવાય છે. રાહુલ ગાંધી તો ત્યાં સુધી આક્ષેપ કરે છે કે આ નિર્ણય વડાપ્રધાને મનસ્વી રીતે લીધો છે, તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે કોઈની સલાહ લીધા વિના, વિપક્ષોને વિશ્વાસમાં લીધા અને લાંબુ વિચાર્યા વગર કેન્દ્ર સરકારે મનરેગા યોજના બંધ કરીને અથવા તેનું નામ બદલીને "વીબી-જી.રામ.જી." કર્યું છે, તે તદૃન અયોગ્ય છે અને જનવિરોધી છે. આ પગલું ઉઠાવીને કેન્દ્ર સરકારે પગ પર કુહાડો માર્યો છે અને જેવી રીતે ભૂતકાળમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા હતા, તેમ મનરેગાને સ્થાને નવી સ્કીમ લાવવાનો નિર્ણય તથા તેને સંલગ્ન કાયદો પણ મોદી સરકારે પાછો ખેંચવો જ પડશે, કારણ કે આ મુદ્દે કોંગ્રેસ હવે દેશવ્યાપી આંદોલન કરવા જઈ રહી છે.
કોંગ્રેસ તા. પાંચમી જાન્યુઆરી-૨૦૨૬થી દેશવ્યાપી "મનરેગા બચાવો" આંદોલન શરૂ કરવાની છે. આ જાહેરાત કરતા ખડગેએ કહ્યું છે કે આ નિર્ણય પાર્ટીએ સર્વસંમતિથી લીધો છે. મનરેગાને કમજોર કરવાના આ પ્રયાસને પૂરી તાકાતથી નિષ્ફળ બનાવાશે અને સડકથી સંસદ સુધી પાર્ટી સંઘર્ષ કરશે. બંધારણે આપેલા કામ કરવાના અધિકારને મોદી સરકારે છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે. આ યોજના સોનિયા ગાંધી અને સ્વ. મનમોહનસિંહની દીર્ઘદૃષ્ટિનું પરિણામ હતુ અને "કેગ" સહિતની ઘણી એજન્સીઓએ એ યોજનાના પ્રભાવ તથા ફલશ્રુતિને સ્વીકારી હતી.
કોંગી નેતા રાહુલ ગાંધીએ પણ પોતાના ચિરપરિચિત અંદાજમાં દોહરાવ્યું કે આ ફેંસલો (મનરેગાનું નામ અને સ્વરૂપ બદલવાનો નિર્ણય) સીધો પીએમઓમાંથી લેવાયો છે. તેમણે ત્યાં સુધી દાવો કર્યો કે આ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિભાગના મંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી નથી. આ આપણાં દેશના "સંઘીય ઢાંચા" પર હૂમલો છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોનું ફંડ તથા નિર્ણય લેવાનો રાજ્યોનો અધિકાર છીનવી રહી છે, અને સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. મનરેગા એક અધિકાર કેન્દ્રીત વિકાસ મોડલ હતુ, જેને વડાપ્રધાને ખતમ કરી દીધું. અને નોટબંધીની જેમ જ અચાનક નિર્ણય લાદી દેવાયો, હકીકતે આ કદમ ગરીબોનો હક્ક છીનવીને મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે લેવાયો છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે તમામ વિપક્ષો એકજૂથ હોવાનો દાવો પણ કર્યો હતો.
કોંગ્રેસના ૧૪૧મા સ્થાપનાદિન ઉજવણીની ચર્ચા દરમ્યાન કોંગ્રેસની આ પાવરફૂલ કમિટીમાં સંકલ્પ લેવાયો છે, ત્યારે તેને હવે દેશવ્યાપી કેટલું સમર્થન મળે છે અને તેના સામે સત્તાધારી પક્ષો કેવું વલણ અપનાવે છે, તે તો નવા કેલેન્ડર વર્ષ (૨૦૨૬)માં જ ખબર પડશે, પરંતુ અત્યારે તો કોંગ્રેસની આ મક્કમ ઘોષણાએ એનડીએમાં અજંપો તો જગાવી જ દીધો છે, અને સત્તાધારી ગઠબંધનની અંદર જ આ મુદ્દે મતભેદો કે ખેંચતાણ હશે, તો તે આજે નહીં તો કાલે, બહાર આવવાના જ છે, અને તેના પર "મનરેગા બચાવો અભિયાન"ની સફળતાનો આધાર પણ રહેવાનો છે, કારણ કે ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી નથી તેથી નાયડૂ-નીતિશ સિવાયના અન્ય પક્ષો કે સંગઠનો પણ "પ્રેસર" લાવી શકે છે.
ભાજપના આઈટી વિભાગના વડા અમિત માલવીયાએ સોનિયા ગાંધીના એક આર્ટિકલને ટાંકીને કહ્યું હતું કે મનરેગા એટલે રોજગાર ગેરંટી કાનૂનને ખતમ કરાયો નથી, પરંતુ રિપેર કરાયો છે. મનરેગાની જગ્યાએ આવેલો વિકસિત ભારત (વી.બી.)-ગેરંટી રોજગાર એવમ્ આજીવિકા મિશન-ગ્રામિણ (જી.રામ.જી.) સંસદે પસાર કર્યો છે, અને રાષ્ટ્રપતિએ માન્ય કર્યો છે. આ અધિનિયમ સંપૂર્ણપણે બંધારણીય કદમ છે અને તેમાં રોજગારીના દિવસો સવાયા કરાયા છે. માલવીયાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી કટાક્ષ પણ કર્યો કે સોનિયા ગાંધીનો લેખ આંકડાઓને નેવે મૂકીને રાજનૈતિક કલ્પનાઓની ઉડાન જેવો જણાય છે.
માલવીયાએ કહ્યું કે મનરેગાની પરિકલ્પના અને સંચાલન એક રાષ્ટ્રીય સલાહકાર સમિતિ દ્વારા થતું હતું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જનપ્રતિનિધિઓનો અભાવ હતો. એક સુપર પાવર પર્સનાલિટીને તો "સુપર કેબિનેટ સચિવ" કહીને મજાક પણ તે સમયે ઉડાવાતી હતી.
જો કે, ગુજરાતમાં તો મનરેગાના નામ બદલવાનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે, અને કેન્દ્ર સરકારના વિરોધમાં ઠેર-ઠેર દેખાવો થઈ જ રહ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા. રાજ્યના જિલ્લા મથકો પર પણ ઘણાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. ગુજરાતમાં મનરેગા યોજનામાં કથિત ભ્રષ્ટાચારના આંદોલનો પછી હવે મનરેગા બચાવ આંદોલનમાં જોડાઈ જવા હાઈકમાન્ડે આદેશ કર્યો છે, અને પાંચમી જાન્યુઆરીથી ગુજરાતમાં પણ રાજ્યવ્યાપી આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.
કોંગ્રેસે ભાજપ દ્વારા થતા વીબી-જી.રામ.જી. અધિનિયમના બચાવની દલીલોને ફગાવી દીધી છે. ભાજપે મનરેગાની જગ્યાએ અમલી બનાવાયેલી નવી યોજનાઓમાં કામના દિવસો ૧૦૦થી વધારીને ૧૨૫ કરાયા, નવી યોજનામાં ડીબીટી (શ્રમિકોના ખાતામાં સીધા નાણા જમા થાય તેવી પદ્ધતિ) થી ચૂકવણી, પારદર્શકતા વગેરે દલીલો કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર નામ બદલવાના મુદ્દે રાજનીતિ રચી રહી છે, જ્યારે સરકારનો ઉદૃેશ્ય માત્ર ગ્રામિણોના સશક્તિકરણનો છે.
કોંગ્રેસ અને ભાજપના આક્ષેપો, દાવાઓ અને સ્પષ્ટતાઓ જનતાની સામે જ છે, હવે પ્રજાએ જ નક્કી કરવાનું છે કે કોણ સાચુ છે અને કોણ જૂઠાણા ફેલાવી રહ્યું છે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટી-૨૦ મેચમાં ત્રીજો મુકાબલો જીતીને શ્રેણીમાં ભારતીય મહિલા ટીમે પાંચ મેચોની શ્રેણીમાં ૩-૦થી લીડ મેળવી, અને બીજા અર્થમાં આ શ્રેણી જીતી લીધી. શ્રીલંકાની ટીમે આપેલો ૧૧૩ રનનો લક્ષ્યાંક ભારતીય મહિલા ટીમે ૧૩.૨ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. શેફાલી વર્માએ ૪૨ બોલમાં અણનમ ૭૯ રન બનાવ્યા, તો ભારતીય ફાસ્ટ બોલર રેણુકાસિંહ ઠાકુરે શ્રીલંકાની ચાર વિકેટ અને સ્પિનર દિપ્તી શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી.
સામાન્ય રીતે જયારે ભારતીય ક્રિકેટની આંતરરાષ્ટ્રીય મેચો પુરૂષ ખેલાડીઓની ટીમો જીતે, ત્યારે તેની વ્યાપક ચર્ચાઓ થતી જ હોય છે, અને પ્રેસ-મીડિયામાં ગ્રીમ હરોળમાં તેના સમાચારોને સ્થાન મળતું હોય છે તથા ક્રિકેટ રસીયાઓમાં તેની ચર્ચાઓ પણ વધુ થતી હોય છે, પરંતુ મહિલા ટીમો આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરે કે શ્રેણી જીતે ત્યારે તેની યોગ્ય નોંધ લેવાતી નહોતી, પરંતુ હવે તેવું નથી, હવે તો નારી શક્તિની સિદ્ધિઓને પણ સન્માન અપાઈ રહ્યું છે અને ખેલકૂદ ક્ષેત્રે પણ મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, અને તે સારા સંકેતો છે.
દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મહિલાલક્ષી ઘણી યોજનાઓ ચાલી રહી છે. દૃષ્ટાંત તરીકે બાળકીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સમૃદ્ધિ યોજના, ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર અને ઉધમ યોજના, ગુજરાતની મહિલા અને બાલવિકાસ તથા કલ્યાણ યોજનાઓ, કન્યા છાત્રાલયો, કન્યા સુમંગલા યોજના, સાતફેરા સમૂહલગ્ન યોજના, કેન્દ્રની નમોશ્રી યોજના, મહિલા સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાયની યોજના, શિક્ષણ પ્રોત્સાહક યોજનાઓ, સગર્ભા અને ધાત્રી મહિલાઓ માટેની યોજનાઓ, મહિલા સ્વાવલંબી યોજનાઓ, પ્રધાનમંત્રી મહિલા વંદના યોજના, સખી યોજના, સખીમંડળો, ન્યુ સ્વર્ણીમ યોજના, ગુજરાત નમોશ્રી યોજના, પી.એમ., મહિલા શક્તિ યોજના વગેરે સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે, અને ઘણી યોજનાઓ મહિલાઓ માટે ફળદાયી પણ બની રહી છે.
જો કે, અન્ય સરકારી યોજનાઓની જેમ જ મહિલાલક્ષી યોજનાઓમાં પણ ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ઘણી ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે, જેમાં ઘણી વખત તટસ્થ તપાસ કરીને દોષિતોને દંડવામાં આવે છે, તો ઘણી વખત આ પ્રકારના કૌભાંડોને છાવરવામાં પણ આવતા હોય છે. તાજેતરમાં ઘણી સરકારી યોજનાઓમાં ગરબડ-ગોટાળા અને કરોડોના કૌભાંડો બહાર આવ્યા પછી મહિલાલક્ષી યોજનાઓમાં પણ છુપા વ્યાપક કૌભાંડો તો થતા નહીં હોય ને ? તેવી આશંકાઓ જાગે, તે સ્વાભાવિક છે અને હવે તે દિશામાં જાગૃત નાગરિકો અને પ્રેસ મીડિયાનું સંશોધન વધુ ઘેરૃં બનશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.
મહિલાઓને જનપ્રતિનિધિત્વમાં અનામત મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ અને કાયદા પણ ઘડાયા, પરંતુ મહિલા અનામતની બેઠકો પર પંચાયતો, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા પછી તમામ મહિલાઓ, મહિલા ધારાસભ્ય કે સંસદસભ્યોની જેમ સ્વતંત્ર રીતે કામ કરી શકતી હોતી નથી અને તેણીની સત્તાઓનો ઉપયોગ તેના પતિ, પિતા, ભાઈ કે અન્ય પુરૂષ પરિવારજન કરતા હોય છે, તે ઓપન સિક્રેટ છે, અને તેથી જ આ રીતે પરોક્ષ રીતે પોતાની ચૂંટાયેલી પત્નીની સરપંચની સત્તા ભોગવતા પતિઓને કટાક્ષમાં એસ.પી. (સરપંચ પતિ) કહેવામાં આવે છે... કમભાગ્યે હજુ પણ સમાજમાં એવો વર્ગ મોજુદ છે, જે મહિલાઓને જાહેરજીવન, ખેલકૂદ, કે બિઝનેસમાં સિદ્ધિઓ મળે, તેને સાખી શકતો નથી !
એવા અહેવાલો પણ આવ્યા છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એક મહત્ત્વકાંક્ષી યોજના ઘડી રહ્યું છે, અને આ સુચિત યોજના હેઠળ દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક સરકારી ગર્લ્સ હોસ્ટેલ ખોલવામાં આવશે. આ યોજના માટે કેન્દ્ર સરકાર આજે અને આવતીકાલે રાજ્ય સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે અને રાજયોની સંમતિ તથા જરૂરી જમીન તથા ફંડની ફાળવણી અંગે પણ વાતચિત થશે. માત્ર વિદ્યાર્થીઓ (કન્યાઓ) માટે દેશભરમાં ૭૦૦થી વધુ હોસ્ટેલો ખોલવાનો પ્લાન છે અને આગામી કેન્દ્રીય બજેટમાં તેની ઘોષણા થાય, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે.
નવી શિક્ષણ નીતિ હેઠળ આ પ્રકારની વ્યવસ્થાઓ થાય, તે આવકારદાયક છે, પરંતુ આ પ્રકારના પ્રસ્તાવો સામેના પડકારો પણ ઓછા નથી, સૌથી વધુ પડકારરૂપ વુમન હોસ્ટેલ્સની સુરક્ષા તથા વિદ્યાર્થીની બહેનોની સલામતિની ચાકચોબંધ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાનો છે અને બીજો પડકાર આ માટે ફંડીંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચરની નાણાકીય જોગવાઈ પછી પણ તેના કાયમી વ્યવસ્થાપન અને નિભાવ-રખરખાવનો છે. માત્ર સંકુલો ઊભા કરી દેવાથી કે સ્ટાફની થોડી-ઘણી નિમણૂકો કરી દેવાથી આ પ્રકારની હોસ્ટેલો ચલાવી નહીં શકાય, પરંતુ તેમાં સંવેદનશીલ અને જવાબદાર સંચાલનની પણ જરૂર પડવાની છે, કારણ કે, ગર્લ્સ હોસ્ટેલો કે વિમેન હોસ્ટેલોમાં રહેતી અને ભણતી વિદ્યાર્થિનીઓ કે નોકરીયાત બહેનો તદૃન નિર્ભય અને સુરક્ષિત રહીને અભ્યાસ અને નોકરી કરી શકે, તેવું વાતાવરણ ઊભુ કરવાની જવાબદારી પણ સરકાર અને તાબાના સરકારી તંત્રોની જ રહેવાની છે. આ પડકાર ઉપાડી લઈને જો વિદ્યાર્થિનીઓ તથા નોકરિયાત સીંગલ બહેનો માટે હોસ્ટેલ્સની વ્યાપક અને સુરક્ષિત વ્યવસ્થાઓ સફળતાપૂર્વક ઊભી કરાશે, તો તે નારીશક્તિ માટે પ્રેરણાદાયી અને દેશ માટે એક ક્રાંતિકારી કદમ હશે પણ.....?
મહિલાઓ પર થતા અત્યાચારો, દૂષ્કર્મો અને નાની નાની બાળકીઓ સાથે થતા વિકૃત અત્યાચારોનું દૂષ્કર્મોની માનસિકતા પણ ઝડપથી પનપી રહી છે અને ભણેલા-ગણેલા અને સીઈઓ કે ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ જેવા યુવાનો દ્વારા છાકટા થઈને ગેંગરેપ કે દૂષ્કર્મો કરવાની ઘટનાઓ પણ વધી રહી છે, તેથી એવુ કહી શકાય કે આપણે પ્રચારલક્ષી નહીં, વાસ્તવલક્ષી બનવાની વધુ જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
થોડા સમય પહેલા પી.એમ.ના આયુષ્માન કાર્ડની હેલ્થ સ્કીમમાં જામનગર સહિત ગુજરાતમાં કૌભાંડો પકડાયા અને કૌભાંડિયાઓ સામે કાનૂની કાર્યવાહી થઈ હતી. તે પહેલા કેન્દ્ર સરકારની તે સમયની મનરેગા યોજનામાં વ્યાપક કૌભાંડોની રાવ ઉઠી હતી અને તેમાં પણ તપાસ યોજાયા પછી કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે. હવે 'કેગ'ના રિપોર્ટમાં કેન્દ્ર સરકારની કૌશલ્ય યોજનામાં કૌભાંડના અહેવાલો આવ્યા છે, તેથી કેન્દ્રીય યોજનાઓમાં કચાશના કારણે કૌભાંડોની ભરમાર હોવાની ચર્ચા આજે ટોક ઓફ ધ નેશન બની રહી છે.
યુવાવર્ગને રોજગારીની વિપુલ તકો મળશે, તેવા દાવા સાથે વર્ષ-૨૦૧૫માં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરાઈ હતી, જેને ટૂંકમાં પી.એમ.કે.યુ.વાય. તરીકે ઓળખવામાં આવે છે. યુવાવર્ગને ઉદ્યોગ અને વ્યવસાય સંબંધિત ટૂંકાગાળાની તથા લાંબાગાળાની તાલીમ પૂરી પાડીને તેઓને સન્માનજનક રોજગારી પ્રાપ્ત થાય, તેવા હેતુથી શરૂ થયેલી આ યોજના હેઠળ નિઃશુલ્ક શિક્ષણ-પ્રશિક્ષણ-તાલીમ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારો આપવામાં આવે છે. આ યોજનામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો યુવાવર્ગ, મહિલાવર્ગ અને એસ.સી., એસ.ટી., ઓબીસી વર્ગોને વિશેષ લક્ષ્યમાં રાખીને ત્રણ વર્ષના અકસ્માત વિમા ઉપરાંત સ્કીલ લોનની જોગવાઈઓ પણ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી આ યોજનાનો વર્ષ ૨૦૨૨ સુધીમાં ૪૦ કરોડથી વધુ યુવાવર્ગે લાભ લીધો હોવાના અહેવાલો હતા અને ટેલિકોમ કંપનીઓ, ખાનગી કંપનીઓ તથા કેટલાક જાહેર સાહસોમાં યુવાવર્ગને નોકરી મળી હોવાના તથા આ તાલીમ મેળવ્યા પછી કેટલાક યુવાનોએ સ્ટાર્ટ-અપમાં ઝંપલાવ્યું હોવાના દૃષ્ટાંતો સાથે ઘણાં લાભાર્થીઓએ પોતીકો વ્યવસાય શરૂ કરીને રોજગારી મેળવ્યા ઉપરાંત આર્થિક પ્રગતિ કરી હોવાના સાફલ્યગાથાઓ પણ ગજવવામાં આવી રહી હતી, પરંતુ 'કેગ'ના રિપોર્ટે આ દાવાઓની પોલ ખોલી નાખી છે અને તેમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
લોકસભામાં રજૂ થયેલા 'કેગ'ના રિપોર્ટની વિસ્તૃત વિગતો જેમ જેમ બહાર આવતી જાય છે, તેમ તેમ કેટલીક કેન્દ્રીય યોજનાઓમાં રહેલી "કચાશ"ના કારણે ચાલી રહેલા કૌભાંડોનો પર્દાફાશ થતો જાય છે. આ જ પ્રકારના કેગના એક રિપોર્ટમાં પી.એમ. કૌશલ વિકાસ યોજનાના કૌભાંડનો ઘટસ્ફોટ પણ થયો છે.
પીએમકેવીવાય યોજના તરીકે ઓળખાતી આ યોજનાના કેગના રિપોર્ટ મુજબ સંખ્યાબંધ લાભાર્થીઓની મુળભૂત વિગતો જ બોગસ નીકળી છે. અને બેંકખાતા, ઈ-મેઈલ આઈડી, મોબાઈલ નંબર સહિતની મહત્ત્વપૂર્ણ વિગતો જ કાં તો અધુરી બતાવાઈ છે, અથવા તો તદ્દન ખોટી બતાવાઈ છે.
કન્ટ્રોલર એન્ડ એડિટર જનરલ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ અનેક લાભાર્થીઓ માટે એક જ તસ્વીર, કે એડ્રેસ અપાયા છે. ઘણાં ટ્રેનિંગ સેન્ટરો પર તાળા લટકતા હોવા છતાં તેના પ્રોગ્રેસ રિપોર્ટ બતાવાયા છે. વાસ્તવમાં ચાલતા હોય તેવા કેન્દ્રોના ૩૪ લાખથી વધુ ઉમેદવારોને પેમેન્ટ જ મળ્યું નથી. ગયા વર્ષના રિપોર્ટ મુજબ ૯૫ લાખમાંથી ૬૧લાખ જેટલા પ્રમાણિત ઉમેદવારોને જ યોજનાકીય સહાય મળી છે. ઘણાં લાભાર્થીઓના બેંક એકાઉન્ટ તો છે, પરંતુ નંબર ખોટા છે.
વર્ષ ૨૦૧૫-૧૬માં આ યોજના માટે પ્રથમ તબક્કામાં ૧૫૦૦ કરોડનું બજેટ ફાળવાયુ હતું. અને ૨૪લાખના લક્ષ્યાંક સામે લગભગ ૨૦લાખ યુવાનોને આ તાલીમ અપાઈ હતી.
બીજા તબક્કામાં કેન્દ્ર અને રાજ્યકક્ષાએ લાગુ કરાયેલી આ યોજના હેઠળ ૧૨હજાર કરોડનું બજેટ ફાળવાયુ હતું, જેમાં ૨૫ટકા હિસ્સો રાજ્ય સરકારોનો હતો, અને એક કરોડથી વધુ યુવાવર્ગોને કૌશલ્યવર્ધનની તાલીમ અપાઈ હોવાનો દાવો કરાયો હતો. કોરોનાકાળ પછી વર્ષ ૨૦૨૧-૨૨માં ત્રીજા તબક્કામાં ૯૪૯ કરોડનું બજેટ રખાયુ હતું.
કેગના રિપોર્ટ મુજબ સ્કિલ ઈન્ડિયા પોર્ટલ પર નોંધાયેલા બેંક એકાઉન્ટ્સના નામોના કોલમમાં 'નલ' કે 'ઝીરો' લખાયું હોય કે તે ખાના ખાલી જ રખાયા હોય તો તેમાં ગરબડની આશંકા જાગે છે. કેટલાક બેંક ખાતાના નંબરો એકથી વધુ લાભાર્થીઓ માટે નોંધાયા હતા. તો કેટલાક નંબરો તો માત્ર સિમ્બોલિક હોય તેમ બધા એકડા અથવા એકથી નવ સુધીના આંકડા લખીને કોલમ ભરી દેવાયા હતા.
કેગના રિપોર્ટ મુજબ વધુ ગરબડ જોવા મળી હોય તેવા રાજયોમાં ઉત્તરપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર મોખરે છે. ઘણાં સેન્ટરો યોગ્યતા નહીં ધરાવતા હોવા છતાં તેને કાગળ પર "શ્રેષ્ઠ"નો દરજ્જો આપી દેવાયો હતો. સૌથી વધુ આશ્ચર્યજનક તથ્ય તો એ બહાર આવ્યું છે કે એક જ અધિકારી એક જ દિવસે આ યોજના સંદર્ભે આંધ્રપ્રદેશ, બિહાર અને ગુજરાતના અનેક કેન્દ્રોની સ્વયં મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હોવાનો રેકર્ડ પર દર્શાવાયુ હતું.
રિપોર્ટનો સંદર્ભ આપીને આવી રહેલા અહેવાલો મુજબ રેકર્ડ પર દર્શાવેલા ૩૬ટકાથી વધુ ઈ-મેઈલ આઈડી જ બોગસ નીકળ્યા હતા. ઈ-મેઈલ પર પત્ર વ્યવહાર કરતા માત્ર ચાર ટકા લાભાર્થીઓએ જ પ્રતિક્રિયા આપી હતી. અહેવાલ મુજબ હવે સુધારાત્મક પગલાં લેવાયા છે અને કે.વાય.સી., ક્યૂ આર કોડ, અને ડિજિટલ પ્રમાણપત્ર જેવી "સિસ્ટમ" લાગુ કરાયા પછી "બોગસ" ખાતાઓ બંધ થયા છે અને ખોટા લાભાર્થીઓ બતાવીને કૌભાંડો કરનાર સંસ્થાઓ અને સેન્ટરોના સંચાલકો પાસેથી વસુલાત સહિતની કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જો કે, "અબ પછતાને સે ક્યા ફાયદા, જબ ચિડિયા ચુભ ગઈ ખેત..."ની કહેવત મુજબ આ બધી ઢાંક પીછોડો કરવાની કવાયત હોય તેમ જણાય છે.
પી.એમ. જેવા શબ્દો સાથે જોડીને શરૂ કરાયેલી અન્ય કેટલીક કેન્દ્રીય યોજનાઓમાં પણ વ્યાપક કચાશ રહેલી છે અને કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે "કેગ"ના આ રિપોર્ટને "દર્પણ" ગણીને સરકારે હવે અરીસો નહીં પણ સ્વયં આત્મમંથન તથા ઊંડી તપાસ કરીને મળતીયાઓના હિતોને એકબાજુ રાખીને પારદર્શક સિસ્ટમો અમલી બનાવવી જોઈએ તેવો જનમત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા બે અઠવાડિયાથી દેશમાં અરવલ્લીની પહાડીઓના મુદ્દાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી હતી અને સડકથી સુપ્રિમ સુધી અને દિલ્હીથી ગુજરાત સુધી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. રાજસ્થાનથી શરૂ થયેલું જન-આંદોલન દેશની રાજધાની સુધી પ્રસરી જાય, તેવા સંકેતો મળી રહ્યા હતા, અને આપણે ગઈકાલે આ મુદ્દે નોબતના છેલ્લા પાને વિશેષ અહેવાલમાં પણ જનતાની અવાજને વાચા આપીને આ મહત્ત્વપૂર્ણ વિષયનું હાર્દ સમજાવ્યુ હતું.
અરવલ્લીના આ મુદ્દે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હોવાનું જણાવી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સરકારના બચાવમાં ઉતરી આવ્યા હતા, અને સમગ્ર મુદ્દો જ બેબુનિયાદ હોવા તથા બિનજરૂરી રીતે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો હોવાના નિવેદનો પણ આવવા લાગ્યા હતા. આ મુદ્દો સુપ્રિમકોર્ટના એક કથિત ચૂકાદા પછી પ્રકાશમાં આવ્યો હતો, અને આ મુદ્દે વિવાદ વધ્યા પછી કોંગ્રેસે પણ આ વિવાદમાં કૂદાવ્યું હતું., અને મોદી સરકારને અણીયાળા સવાલો કર્યા હતા. કેન્દ્રીયમંત્રી ભૂપેન્દ્ર યાદવના ખુલાસાઓને જ ટાંકીને કોંગ્રેસે કહ્યું હતું કે સાચી હકીકત અલગ જ છે, અને સરકાર કાંઈક અલગ જ વાત કરી રહી છે.
હકીકતે ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની પહાડીઓને વર્ષ ૨૦૦૨થી જે વ્યાખ્યા હેઠળ સંરક્ષણ પ્રાપ્ત હતું, તે વ્યાખ્યા અંગે સુપ્રિમકોર્ટની સૂચનાથી રચાયેલી સમિતિના રિપોર્ટના આધારે રાજસ્થાનની જેમ અરવલ્લીની ૧૦૦ મીટરથી ઊંચી પહાડીઓને પહાડ ગણીને તેથી ઓછી ઊંચાઈની પાહડીઓના ખનનને છૂટ મળી શકે તેમ હતી. આ અંગે સુપ્રિમકોર્ટે ૨૦મી નવેમ્બર-૨૦૨૫ના આપેલા ચૂકાદા મુજબ નવી લીઝ પર હંગામી સ્ટે આવી ગયો હતો, અને તે પછી કાનૂની કાર્યવાહીની સાથે સાથે ન્યુઝ ચેનલો તથા અખબારોમાં આ મુદ્દો વધુને વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. આ વિવાદમાં ગુજરાતથી દિલ્હી સુધીના રાજ્યો, પર્યાવરણ પ્રેમીઓ, રાજયો અને કેન્દ્ર સરકારોના વન અને પર્યાવરણ વિભાગો તથા એનજીઓઝ સામેલ છે અને સડકથી સંસદ તથા સુપ્રિમકોર્ટ સુધી આ મુદ્દો પડઘાયા પછી હવે આ વિવાદનો સુખદ અંત આવી જશેે તેમ જણાય છે.
આ મુદ્દે જ્યારે વિવાદ ઘણો જ વકર્યો હતો, ત્યારે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સામે આવ્યા અને જણાવ્યું કે હકીકતે સુપ્રિમકોર્ટે ગ્રીન અરવલ્લી પ્રોજેકટને મંજુરી આપી છે, એન વૈજ્ઞાનિકોને અરવલ્લીનો સંપૂર્ણ નકશો એન સુરક્ષા પ્લાન તૈયાર કરવાની સૂચના આપી છે. જ્યાં સુધી વૈજ્ઞાનિકોનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ખનન શરૂ થઈ શકે જ નહીં. તેમણે કહ્યું કે અરવલ્લીની પહાડીઓનો ૯૦ ટકા હિસ્સો તદૃન સુરક્ષીત છે, અને માત્ર ૦.૧૯ ટકા વિસ્તાર જ પ્રભાવિત થઈ શકે છે. તેની સામે કોંગ્રેસે કહ્યું હતું કે એ હિસ્સો પણ હજારો કિલોમીટરનો થશે. ખનનના કારણે પહાડો ગાયબ થતા રહેશે તથા પર્યાવરણનું નિકંદન નીકળતુ રહેશે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ હતી, અને તે પછી રાજસ્થાનથી ઉઠેલો આંદોલનનો સૂર ગુજરાતથી દિલ્હી સુધી પડઘાયો હતો.
આ ચળવળ શરૂ થયા પછી ડબલ એન્જિનની સરકારો ભીંસમાં મુકાઈ ગઈ હતી, કારણ કે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર છે, જ્યારે રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે, એટલું જ નહીં, અત્યારે તો હરિયાણા અને દિલ્હીમાં પણ ભાજપની જ સરકારો છે અને હવાઈ પ્રદુષણના કારણે રાજધાની દિલ્હીની ઘેરી બનેલી સમસ્યાના કારણે ત્યાંની સરકાર બેકફૂટ પર છે. કેન્દ્ર સરકાર અને દિલ્હીની રાજ્ય સરકાર તથા એમસીડીના સંકલિત ક્ષેત્રોમાં ફેલાયેલી પ્રદુષણની સમસ્યા વચ્ચે અરવલ્લીનો વિવાદ વકરીને જનાક્રોશમાં બદલવા લાગતા મોદી સરકાર પાસે પરોઠના પગલા ભરવા સિવાય કોઈ બીજો વિકલ્પ પણ રહ્યો નહોતો.
અંતે...કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી સંપૂર્ણ અરવલ્લી પર્વતમાળાનું અવૈદ્ય ખનન અટકાવવા તથા તેના સંરક્ષણના નિર્દેશો આપવા પડ્યા છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે સંબંધિત તમામ રાજય સરકારો દ્વારા અરવલ્લીની પર્વતમાળાના વિસ્તારોમાં માઈનીંગ (ખનન) માટે લીઝ પર આપવા સામે પણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી પર્વતમાળા માટે રહેશે, આ પ્રતિબંધનો ઉદૃેશ્ય ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળાની અખંડિતતા તથા પર્યાવરણનું રક્ષણ કરવાનો બતાવાયો છે. આ ઉપરાંત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનને પણ અરવલ્લી પહાડીઓ સંબંધિત કેટલીક સંશોધનાત્મક તથા પ્રક્રિયાત્મક જવાબદારીઓ સોંપી છે. ખેર, દેર આયે દૂરસ્ત આયે...
જો કે, પહેલેથી અપાયેલી લીઝની મુદ્દત પૂરી થતા સુધી ખનન ચાલુ રહેશે, પરંતુ હવે લોલંલોલ નહીં ચાલે અને કડક નિયમોનું પાલન કરવું પડશે, તથા સુપ્રિમકોર્ટે ફરમાવેલા નિયમોનું પાલન કરવું પડશે, તેવું જાહેર થયું છે.
અરવલ્લી પર્વતમાળાના આ પ્રકરણ પછી આખા દેશનું ધ્યાન દેશભરમાં આવેલા નાના-મોટા પર્વતો-પહાડીઓમાં કે તેની આજુબાજુ ચાલતા ખનન તરફ ખેંચાયુ છે અને મોટા ભાગે ગેરકાયદે ધમધમતા ખનીજ-ખોદકામો સામે હવે જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપરાંત રાજકીય પક્ષો તથા તદ્વિષયક ક્ષેત્રિય એનજીઓઝ પણ અવાજ ઉઠાવશે, તેમ જણાય છે.સંકેતો એવા મળી રહ્યા છે કે દેશભરમાં ચોતરફ ચાલી રહેલા માઈનીંગ અને ખનીજોની હેરાફેરી પર હવે સૌ કોઈની બાજ નજર રહેવાની છે, અને લોકો પોતપોતાના વિસ્તારોમાં પહાડી ક્ષેત્રો કે વન વિસ્તારોમાં અવૈદ્ય ખનન થતું હશે, તો તેના વીડિયો-ફોટો ઉતારીને તંત્રોને રજૂઆતો કરશે અને આ પ્રકારના પૂરાવા સોશ્યલ મીડિયા અને મીડિયાના માધ્યમથી વાયરલ થશે, ત્યારે "મિલીભગત"થી ચાલતા ગેરકાયદે ખનનનો પર્દાફાશ થશે. આવું થશે તો અરવલ્લી પહાડીઓના પ્રકરણના ટ્રેલર પછી આખા દેશમાં ધમધમતી આ ગેરકાયદે પ્રવૃત્તિઓની સંપૂર્ણ ફિલ્મ બહાર આવશે. આ પર્દાફાશ થયા પછી તે પણ સડકોથી સંસદ અને સુપ્રિમ સુધી પડઘાઈ શકે છે. તેથી આ પ્રકારના ખનન જે ગેરકાયદે ચાલતા હોય, તો તેની સામે તંત્રોએ તથા નેતાઓએ પણ જાગૃત થઈ જવું પડે તેમ છે. આપણા હાલારમાં બરડો, કોયલો, ગોપ વગેરે ડુંગરો તથા નાની-મોટી પહાડીઓ પણ સુરક્ષિત રહે અને સંલગ્ન વનવિસ્તારોમાં ગેરકાનૂની ખનન કે વૃક્ષ છેદન ન થાય, તે માટે હવે સ્થાનિક તંત્રો અને નેતાગણ વિશેષ લક્ષ્ય આપશે, તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશભરમાં અત્યારે નાતાલના તહેવારોની ધૂમધામ જોવા મળી રહી છે અને નાતાલના મિનિ વેકેશનમાં ઘણાં લોકો હરવા-ફરવા નીકળવાના છે. ટૂર પેકેજો જાહેર થઈ ગયા છે અને એકાદ-બે દિવસથી લઈને આઠ-દસ દિવસ સુધી પ્રવાસ-પર્યટનના પ્લાનીંગ ઘડાઈ રહ્યા છે. ઘણાં ધાર્મિક પ્રસંગો પણ આ સમયગાળા દરમ્યાન જ યોજાનાર હોવાથી રિલિજિયસ ટુરિઝમ, ઈકો-ટુરિઝમ અને સ્ટડી ટુરિઝમનો નવો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે.
ગુજરાતમાં હજુ કડકડતી ઠંડીનો પ્રકોપ શરૂ થયો નથી અને શિયાળાની પ્રારંભિક ઠંડીના ખુશનુમા અને આહ્લાદક વાતાવરણમાં પ્રવાસને અનુકૂળ શિડ્યુલ સરળતાથી નક્કી થઈ રહ્યું છે, જે ગુજરાતીઓએ આપણાં ગરવા ગુજરાતના જ જોવા, જાણવા અને માણવાલાયક પ્રવાસન સ્થળોની હજુ સુધી મુલાકાત લીધી નહોતી, તેવા હમવતનીઓએ હવે ગુજરાતમાં જ પ્રવાસ કરવાની શરૂઆત કરી હોય, તેમ દક્ષિણ-ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકો દ્વારકા-બેટ દ્વારકાથી સોમનાથ, ઊના-તુલસીશ્યામ, મૂળ દ્વારકા, દીવ, ભાવનગર, ગિફટ સિટી, અમદાવાદ, જામનગર, વીરપુર, સાવરકુંડલા, કચ્છમાં ધોળાવીરા, સફેદ રણ, સહિતના હરવા-ફરવાના સ્થળો સાથે યાત્રાધામોને સાંકળીને પ્રવાસે નીકળી રહ્યા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, નર્મદા તટે આવેલા પાવનધામો, ચાંપાનેર, અંબાજી, શામળાજી, શ્રીનાથજી, અમદાવાદ અને કચ્છના પ્રવાસન સ્થળોને સાંકળીને ટુર પ્રોગ્રામ બનાવી રહ્યા છે. ટિકિટો, હોટલો અને વાહનો બુક થઈ ગયા છે, અને બસ હવે બે-ત્રણ દિવસમાં પ્રવાસનો આનંદ માણવા નીકળી પડવાની રાહ જોવાઈ રહી છે.
નાતાલનું મિનિ વેકેશન પૂરૃં થતાં જ થર્ટી ફર્સ્ટની ઉજવણી થશે, ઈસ્વીસન મુજબ ૩૧મી ડિસેમ્બરની મધ્યરાત્રિના બારના ટકોરે વર્ષ-૨૦૨૫ પુરૃં થશે અને વર્ષ ૨૦૨૬ના આગમનના વધામણાં થશે. આપણો દેશ સહિયારી સંસ્કૃતિ અને સાર્વજનિક ઉત્સવોનો ચાહક હોવાથી આપણાં દેશમાં પણ નાતાલના વીક-એન્ડમાં થર્ટી ફર્સ્ટની જોરદાર ઉજવણી થવાની છે.
આપણાં દેશમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે અને અનેક ભાષાઓ, બોલઓ, પરંપરાઓ, આસ્થાઓ અને ભિન્ન ભિન્ન જીવનશૈલી હોવા છતાં આપણો દેશ એક તાંતણે બંધાયેલો છે, તેની પાછળ આપણાં દેશની સર્વસમાવેશી મૂળભૂત પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન રહેલું છે અને આ જ ભાવનાને આપણાં બંધારણે પીઠબળ આપ્યું છે, અને તેથી જ આપણાં બંધારણની વિશ્વનું સૌથી વિસ્તૃત, લિખિત અને શ્રેષ્ઠ બંધારણીય વ્યવસ્થાઓ ધરાવે છે.
આ શ્રેષ્ઠ અને સર્વ-સમાવેશી સંવિધાનના સંદર્ભે દેશના સર્વોચ્ચ ન્યાયાધિશ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ એક કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન કહ્યું છે કે આપણાં દેશનું સંવિધાન એ માત્ર પથ્થર પર કોતરેલા સ્મારક જેવું નથી, પરંતુ એક બ્લ્યુ પ્રિન્ટ છે, જેનું સર્વોચ્ચ અદાલત અર્થઘટન કરે છે, સંસ્થાઓ તેને સ્ટ્રક્ચર (માળખુ) આપે છે, અને તેને અનુસરવામાં આવે છે, વગેરે...
સીજેઆઈ સુર્યકાંતે વકીલોને ઉદ્બોધન કરતા "કેસ મેકર" અને "નેશન એક્ટ"નો તફાવત સમજાવ્યો હતો, અને એક એવો વિષય આપ્યો છે, જેના પર દેશવ્યાપી ચર્ચાઓ શરૂ થઈ છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂરી થતાં જ જાન્યુઆરી મહિનો બેસી જશે અને આપણાં દેશને પ્રજાસત્તાક જાહેર કરાયો, તે ૨૬મી જાન્યુઆરીના રિપબ્લિક ડેની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ જશે. આ દિવસે વર્ષ ૧૯૫૦માં ભારતમાં લિખિત બંધારણનો અમલ શરૂ થયો હતો અને આટલું વિસ્તૃત બંધારણ ઘડાયુ, તેનું કારણ એ પણ છે કે આઝાદીકાળના તથા સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય ભાગ લેનારા આપણાં દેશના રાષ્ટ્રીય નેતાઓમાં પ્રથમ હરોળમાં જ ઘણાં વકીલો (ધારાશાસ્ત્રીઓ) હતા. ડ્રાફટ કમિટીના અધ્યક્ષ ડો. બાબા સાહેબ આંબેડકર તો વિદ્વાન વકીલ હતા જ, પરંતુ દ.આફ્રિકાથી વકીલાતની શરૂઆત કરનાર મોહનદાસ કરમચંદ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોતીલાલ નહેરૂ, જવાહરલાલ નહેરૂ, બાલગંગાધર તિલક, લાલા લજપતરાય, ચિતરંજનદાસ, આસફ અલી, બિપિનચંદ્ર પાલ, સૈફુદિન, વી.જે. પટેલ, તેજબહાદુર સાપ્રન, ગોપાલ ક્રિષ્ણ ગોખલે, દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, સુરેન્દ્રનાથ બેનર્જી, ડો. રાજેન્દ્ર પ્રસાદ, ગયાપ્રસાદ સિંહ, વ્રજકિશોર પ્રસાદ, રામદયાલુ સિન્હા, પરમેશ્વરલાલ, વિંધ્યાસિની પ્રસાદ, ભૂલાભાઈ દેસાઈ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, એચ.જે.મેહતા, ઝવેરચંદ મેઘાણી, રાજગોપાલાચારી સહિતના સંખ્યાબંધ વકીલોએ સ્વાતંત્ર્ય ચળવળ અને આઝાદીકાળમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આથી એવું પણ કહી શકાય કે આપણું બંધારણ શ્રેષ્ઠ અને સર્વસ્વીકૃત એટલા માટે પણ બન્યુ હતું કે તેમાં આપણી સહિયારી સંસ્કૃતિનો સર્વ સમાવેશી સિદ્ધાંત આપણા દેશના જ ખ્યાતનામ વકીલો અને વડીલોએ દીર્ઘ દૃષ્ટિથી કર્યો હતો.
સીજેઆઈએ પણ દેશના વકીલોને અનુરોધ કર્યો છે કે માત્ર કેસ નિર્માતા નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતા બનો, સંવિધાન માત્ર પથ્થર પર કોતરેલું સ્મારક નથી, પરંતુ એવી બ્લૂ પ્રિન્ટ છે, જે આપણાં દેશ માટે પથદર્શક બને છે. વકીલોનો ઉદૃેશ્ય માત્ર કેસ જીતવા, કલાકોનો ટ્રેક રાખવા અને કાનૂની પ્રક્રિયામાં નિપુણતા જેટલો મર્યાદિત નહીં રહેતા સ્વાતંત્ર્ય ચળવળ અને આઝાદ ભારતના ઘડતર સુધી પોતાનું સર્વસ્વ અર્પણ કરીને યોગદાન આપનારા વકીલોની જેમ રાષ્ટ્ર નિર્માતા બનવાનો હોવો જોઈએ, તે પ્રકારનો સીજેઆઈનો અનુરોધ ઘણો જ સૂચક છે અને પ્રોફેશન કરતા દેશ ઉપર છે, તેવી ટકોર પણ કરે છે.
સીજેઆઈનું આ નિવેદન જે પ્લેટફોર્મ પરથી અને જે સંદર્ભે આવ્યું છે, તે પણ મહત્ત્વપૂર્ણ છે. તેઓએ "ભારત જેવા રાષ્ટ્રમાં વકીલોની ભૂમિકા, તેનો ઈતિહાસ અને વર્તમાન" (પ્રેઝન્ટ) જેવો વિષય તરતો મૂક્યો છે, અને તેના પર કદાચ વિવિધ રાજ્યોની બાર કાઉન્સીલો, દેશની બાર કાઉન્સીલ, હાઈકોર્ટો અને સુપ્રિમકોર્ટોના બાર એસોસિએશનોથી લઈને જિલ્લા-તાલુકા અને શહેરોના બાર એસોસિએશનો સુધીના વિવિધ સ્તરે ચર્ચાઓ થશે, અને આ વિષય દેશના સર્વોચ્ચ ન્યાયાધિશો(સીજેઆઈએ) આપ્યો હોય, તો તેમાં તમામ કક્ષાના જસ્ટિસો-ચીફ જસ્ટિસો અને સરકારના કાયદા વિભાગો પણ જોડાશે, તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય, તો તેનો પ્રતિસાદ પણ મળવો જ જોઈએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે આશ્ચર્ય થાય તેવી કુદરતી ઘટનાઓ બનવા લાગી છે. સાઉદી અરેબિયા કે ખાડીના અરબ દેશોમાં અને રણપ્રદેશોમાં ભારે વરસાદને કારણે પૂર આવે, હિમવર્ષા થાય અને વરસાદના કારણે ક્રિકેટની મેચો અરબ દેશોમાં રમાતી હોય તો ત્યાં અટકાવવી પડે, તેવી ઘટનાઓ કુદરતી આબોહવામાં થઈ રહેલા વ્યાપક ફેરફારો દર્શાવે છે, રણપ્રદેશોમાં, જ્યાં કાયમી પાણીની તંગી રહેતી હોય ત્યાં વરસાદ પડે, તેથી ખુશી થાય, પરંતુ એકંદરે પલટાતા હવામાનની આ સ્થિતિ ચિંતાજનક ગણાય. અને આ "કલાઈમેટ ચેઈન્જ"ને ગ્લોબલ વોર્મિંગ સાથે સાંકળીને વિશ્વભરના હવામાન શાસ્ત્રીઓ ચિંતા પણ વ્યકત કરતા રહેતા હોય છે.
કલાઈમેટ ચેઈન્જનો વિષય કાંઈ નવો નથી. અને ગ્લોબલ વોર્મીંગની ચર્ચાઓ તથ છેલ્લા કેટલાક દાયકાઓથી થતી જ રહી છે, પરંતુ વૈશ્વિક સંકલન, સહમતિ અને સાચા મનથી સહયોગના અભાવે આ સમસ્યાઓ ઘટવાના બદલે વધુ ને વધુ વકરી રહી છે. ઉ.સાઉદી અરેબિયાના તાબુક નામના પ્રદેશમાં બરફવર્ષા થઈ અને હિમાલયના બરફાચ્છાહિત શિખરો જેવા દૃશ્યો ત્યાં જોવા મળ્યા હતા. તાપમાન માયનસમાં ચાલ્યું ગયુ.
બીજી તરફ દ.એશિયાના વધુ વરસાદ ધરાવતા દેશોમાં રેકર્ડબ્રેક ગરમી તથા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય, ત્યારે આ બદલાવથી હવામાન શાસ્ત્રીઓ જ નહીં, પરંતુ મોટા ભાગના દેશોની સરકારોને પણ ચિંતા થાય, તે સ્વાભાવિક છે, પરંતુ દુર્ભાગ્યે ટ્રમ્પ ફેઈમ તઘલખો હવે પેરિસ સમજૂતિથી દૂર ભાગી રહ્યા હોવાથી વિચિત્ર સ્થિતિ સર્જવા લાગી છે.
આ અહેવાલો વચ્ચે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી રિપોર્ટે એવું જાહેર કર્યું છે કે જો ભારતમાં આવી જ સ્થિતિ રહેશે, તો દેશને ૧૦૦ ટકા શુદ્ધ હવા મેળવવામાં ૧૮૮ વર્ષ લાગી જશે, જ્યારે ચીન આ લક્ષ્ય માત્ર ૨૫ વર્ષમાં પ્રાપ્ત કરી લેશે. દુનિયામાં સર્વાધિક પ્રદુષિત શહેરો ધરાવતા આપણા દેશમાં વધી રહેલુ હવાઈ પ્રદુષણ આપણી જ આવતી પેઢીઓની ઘોર ખોદશે. તેવા શબ્દપ્રયોગો પછી પણ આપણે કે આપણી સરકારો આ મુદ્દે જોઈએ તેટલા ગંભીર નથી, પરંતુ હવે "જાગ્યા ત્યારથી સવાર" ની નીતિ અપનાવીને પ્રદુષણો ઘટાડવાના સહિયારા પ્રયાસો કરવા અત્યંત જરૂરી છે. અને તેના સંદર્ભે સર્વપ્રથમ રાજનૈતિક સર્વસંમતિ તથા તે પછી જનચેતના જગાવી પડે તેમ છે. ડબલ્યુસીઆરના રિપોર્ટ મુજબ જો વર્ષ ૨૦૨૩માં દેશમાં માત્ર વાયુપ્રદુષણે જ ૧૭ લાખ જેટલા દેશવાસીઓનો ભોગ લીધો હોય, તો તે ખતરનાક સ્થિતિ જ ગણાય ને ?
હમણાંથી અરવલ્લીના પહાડીઓની સુરક્ષાને લઈને દેશવ્યાપી ચર્ચાઓ ચાલી રહી છે, અને તેમાં ન્યુઝ ચેનલો, અખબારો, સુપ્રિમકોર્ટનો તદ્વિષયક ચુકાદો અને સોશ્યલ મીડિયાથી લઈને કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ આ અંગે કરેલા ચિત્ર-વિચિત્ર નિવેદનોની ટિકા-ટિપ્પણીઓ સાથેના વિશ્લેષણો થઈ રહ્યા છે. સરકાર આ પ્રકારના અહેવાલોને ભ્રમ ગણાવે છે, ત્યારે રાજસ્થાનમાં આ મુદ્દે જનઆંદોલન શરૂ થઈ ગયા છે. આપણે પર્યાવરણનું જતન કરવાની વાતો કરીએ અને વનાચ્છાદિત કુદરતી પહાડીઓનું નિકંદન કાઢવાની તરકીબો અપનાવતા રહીએ તો તે એક પ્રકારનો દંભ જ ગણાય ને ? આપણે ટૂંકા ગાળાના ફાયદા માટે પથ્થરો, ખનિજ કે લાકડુ મેળવવા આ પ્રકારની હરકતો કરીએ છીએ, ત્યારે એ ભૂલી જઈએ છીએ કે આ ટૂંકા ગાળાના ફાયદા પછી આપણે એ લાંબા ગાળાના મોટા નુકસાનને નોતરી રહ્યા છીએ, જે આપણી આવનારી પેઢીનું નિકંદન કાઢી નાખશે, અથવા માયકાંગલી અને લાચાર બનાવી દેશે.
ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની પહાડીઓ આપણા દેશની કરોડરજ્જૂ જેવી ભૌગોલિક સ્થિતિ ધરાવે છે અને જો કરોડરજ્જૂ જ નબળી પડી જશે તો આપણો દેશ દુબળો પડી જશે અને વાંકો વળી જશે, એટલું જ નહીં, જ્ઞાનતંતુઓ સમાન આ પહાડીઓના જંગલો, નદી-નાળા, ઝરણાઓ, પ્રાણીસૃષ્ટિ અને કુદરતી સૌંદર્યો પણ નાશ પામશે, જેથી આપણો દેશ અપાહીજ (દિવ્યાંગ) બની જશે, તેનો કોઈ વિચાર "ખોદણીયા" સ્વાર્થી પરિબળો કરતા જ નહીં હોય, પરંતુ જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ તો જાગૃત રહેવું જ જોઈએ ને ? જો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ લે ભાગુ "ખોદણીયા" લોકોની જાળમાં ફસાઈ જશે, તો જનતાની પડખે કોણ ઊભું રહેશે, અને ખાસ કરીનેે આપણા કુદરતી રીતે સમૃદ્ધ દેશની હાલત શું થશે ? તે કોઈએ વિચાર્યું છે ખરૂ ?
ગુજરાતમાં પણ આ વર્ષે લાંબા ચોમાસા પછી માવઠાઓ થતા રહ્યા અને તેના કારણે ખેતીવાડી બરબાદ થતી રહી. રાજ્ય સરકારે મોટું મન રાખીને માવઠાથી થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કર્યું હોવાનો દાવો કર્યો અને કેટલીક સહાયની રકમ ડીબીટી ની સિસ્ટમ મુજબ ખેડૂતોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી, પરંતુ ખેડૂતોનું દેવુ બાકી હોવાના બહાને કેટલીક બેંકોએ આ સરકારી લાભોની રકમ ખેડૂતોને મળતી અટકાવી, ત્યારે કેટલાક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ રજૂઆત કરતા સરકારી તંત્રી લીડબેેંક મારફત તમામ બેંકોને આદેશ કર્યો કે સરકારી સહાયની આ રકમ બેંકો અટકાવી જ નહીં શકે. અને ચૂકવણુ કરી દેવું પડશે, હવે, તંત્રે આપેલી આ સૂચનાનો "યશ" લેવાની હોડ લાગી હોય, તેમ જણાય છે.ં
હજુ પણ આપણા રાજ્યમાં શિયાળાની અનુભૂતિ થઈ રહી નહીં હોવાથી તેના કારણોની છણાવટ થઈ રહી છે અને તેમાં "અર્બન હિટ આઈલેન્ડ" ની સ્થિતિને જવાબદાર ગણાવાઈ રહી છે, ત્યારે આપણે પ્રદુષણ અને પર્યાવરણના મુદ્દે વધુ જાગૃત બનીને સિમેન્ટના જંગલો તથા વિકાસના માચડાઓના કારણે ઉત્પન્ન થતી વધારે પડતી ગરમીને કાઉન્ટર કરવાના ઉપાયો પણ કરવા જ પડે તેમ છે. આ સ્થિતિ ગામડાઓના ભોગે થઈ રહેલા અનિચ્છનિય શહેરી વિકાસમાંથી ઊભી થતી સમસ્યાઓ તરફ અંગૂલી નિર્દેશ કરે છે. આપણે પ્રામાણિકતા પણ દેખાડવી પડે તેમ છે, કારણ કે, જ્યારે માર્કેટીંગ યાર્ડોમાં મબલખ જણસોની હરાજીના અહેવાલ આવે, ત્યારે ઘણા લોકો (કદાચ કટાક્ષમાં) એવું કહેતા પણ સંભળાતા હોય છે કે મહત્તમ ખેતીપાક બરબાદ થઈ જવા છતાં રેકોર્ડ તૂટતા હોય તો તે "મહેરબાની" જ કહેવાય ને ?
એવા અહેવાલો પણ આવ્યા છે કે ખાતરની તંગી, દેવાના ડુંગર, રવિપાકની સમસ્યાઓ વગેરે મુદ્દે આગામી બારમી જાન્યુઆરીના દિવસે કિસાનસંઘ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જબરદસ્ત આંદોલન કરશે અને તેમાં રાજ્યમાંથી હજારો ખેડૂતો એકઠા થશે. કિસાનસંઘ ખેડૂતોની દુઃખદાયી સ્થિતિ વર્ણવે છે, જ્યારે રાજ્ય સરકાર કૃષિ સહાય પેકેજના કારણે ખેડૂતો ખુશ હોવાનો દાવો કરી રહી છે, ત્યારે કેટલાક ચતુર વિશ્લેષકો એવું તારણ કાઢે છે કે ખેડૂતોના મુદ્દે "ચીત્ત ભી મેરી પટ ભી મેરી..." ની રણનીતિ અપનાવાઈ રહી છે, અને વિપક્ષો નિવેદનો કરતા રહે છે, જ્યારે શાસક પક્ષ "એક પાત્રિય અભિનય"માં માહિર છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સંસદનું શિયાળુ સત્ર સંપન્ન થઈ ગયું અને મનરેગાનું સ્થાન "વીબી-જી રામ જી" નામના નવા અધિનિયમે લીધુ છે અંડર-૧૯ એશિયાકપની ફાયનલ મેચ રમાઈ ગઈ છે, અને તેમાં પાકિસ્તાનની ટીમ સામે ભારતીય ટીમ હારી ગઈ છે અને દશેરાના દિવસે જ ઘોડુ દોડે નહીં, તેમ વૈભવ સૂર્યવંશી ફાયનલમાં જ ફેઈલ ગયો છે. આ બધી હેડલાઈન વચ્ચે આજે સર્વાધિક ચર્ચા મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આવેલા પરિણામોની થઈ રહી છે. પંજાબમાં જેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના સુપડાં સાફ થઈ ગયા હતા, તેના કરતા પણ ભૂંડી રીતે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરાજય થતા સુપડા સાફ થઈ ગયા છે. અને મહાયુતિને પ્રચંડ જનાદેશ સાંપડયો છે.
જો કે, મનરેગાને હટાવીને લાગુ કરાયેલા વીબી જી-રામ-જી અધિનિયમમાં વધુ રોજગાર ગેરંટી હોવાનો દાવો સત્તાધારી પક્ષો કરી રહ્યા છે, જ્યારે વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ મોદી સરકાર પર ટીકાની ઝડી વરસાવી રહ્યા છે, ત્યારે સાચુ કોણ અને ખોટું કોણ, તેનો નિર્ણય હવે દેશની જનતાએ જ કરવો પડે તેમ છે. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવુ એ ગાંધીજીની હત્યા કરવામાં આવ્યા જેવું જ છે. ગાંધી અને નહેરૂને રેકર્ડમાંથી ભૂંસી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. તે પહેલા સોનિયા ગાંધીએ પણ કહ્યું હતું કે સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવ્યું છે. હવે કોને, ક્યાં, કેટલો રોજગાર મળશે, તે દિલ્હીમાં બેઠા બેઠા મોદી સરકાર નક્કી કરશે. નવા બિલમાં વર્ષે ૧૨૫ દિવસના રોજગારની ગેરંટી સહિતના અનેક પ્રશ્નો સામાન્ય જનતામાં પણ ઉઠી રહ્યા છે, જેના જવાબો મળવાના બાકી છે.
રાજનીતિ હોય કે રમતનું મેદાન હોય, હાર-જીત તો ચાલ્યા જ કરવાની છે, પરંતુ મહત્ત્વનું એ છે કે આ બંને ક્ષેત્રે ખેલદિલીની ભાવના હોય, રાજનીતિના ખેલ અટપટા હોય છે, તેવી જ રીતે ખેલજગતનું રાજકારણ પણ કાંઈક અલગ જ હોય છે. અંડર-૧૯ની ટી-૨૦ ટૂર્નામેન્ટ રમાઈ ગઈ અને તેની ફાયનલમાં ભારતીય ટીમ હારી ગઈ, તો બીજી તરફ ટી-૨૦ના વર્લ્ડકપ માટે ભારતીય ટીમની કરાયેલી પસંદગી પણ ચર્ચાઓના કેન્દ્રમાં છે, તથા અનેક ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો પછી હવે ટૂંક સમયમાં આવી રહેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોવાથી તેના સંદર્ભે પણ અલગથી ચોકઠાં ગોઠવાઈ રહ્યા છે.
મહાષ્ટ્રમાં મ્યુનિસિપલ કાઉન્સિલો અને પંચાયતો માટે શનિવારે મતદાન થયું હતું, જેમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ અને ઉદ્ધવ ઠાકરે-કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીના ગઠબંધન મહાવિકાસ અઘાડી વચ્ચે ફાઈટ હતી. મહાયુતિમાં શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર) પણ સામેલ હતા. પરિણામો આવ્યા પછી એ પણ પૂરવાર થયું કે શિંદે અને અજીત પવારના પક્ષોને અસલ મૂળ પ્રાદેશિક પક્ષોની માન્યતાને જનતાની મ્હોર પણ લાગી ગઈ છે.
મીડિયા અહેવાલો મુજબ મહારાષ્ટ્રમાં મ્યુનિ. કાઉન્સિલો-પંચાયતોની ચૂંટણીમાં આવેલા પરિણામોના આંકડાઓ જોતા ભાજપનું વર્ચસ્વ વધ્યું છે, તો શિંદેની શિવસેના પણ મજબૂત બની ગઈ છે. અજીત પવારની એનસીપીએ પણ પોતાનો જનાધાર પૂરવાર કર્યો છે.
બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સૌથી વધુ બેેઠકો કોંગ્રેસને મળી છે., જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા શરદ પવારની એનસીપી તો સીંગલ ડિજિટમાં જ સંકોચાઈ ગઈ છે. અરૂણાચલ પ્રદેશમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપને વધુ બેઠકો મળી છે.
આ પરિણામો જોતા એક મોટા રાજ્ય જેવડું બજેટ અને દેશની આર્થિક રાજધાની સમા મુંબઈને સમાવતા બૃહદ મુંબઈ મ્યુનિ. કોર્પોરેશન (બીએમસી) ની આવી રહેલી ચૂંટણીઓમાં તમામ રાજકીય સમીકરણો બદલાઈ જશે તે નક્કી છે. આ પરિણામો પછી શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉતે આ ચૂંટણીમાં નાણાની કોથળીઓ ખુલ્લી મુકાઈ હતી, તેવા આક્ષેપો કર્યા, તો ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર પ્રહારો કર્યા. જો કે, કોંગ્રેસ હવે "એકલા ચલો રે" ની નીતિ અપનાવી રહી હોવાથી "અઘાડી" નું અસ્તિત્વ જ હવે જોખમમાં મુકાઈ ગયું છે.
અરૂણાચલ પ્રદેશ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જોતા એવો નિષ્કર્ષ પણ કાઢી શકાય કે, સામાન્ય રીતે રાજ્યમાં જેનું શાસન હોય, તે પક્ષ કે ગઠબંધનનો હાથ ઊંચો રહેતો હોય છે, પરંતુ દરેક વખતે તેવું થતુ હોતુ નથી. ભૂતકાળમાં ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં પાટીદાર આંદોલનની અસર હેઠળ પંચાયત-પાલિકાઓમાં ભાજપને જબરદસ્ત પછડાટ પડી જ હતી ને ?
જો કે, અત્યારે ભાજપ યુગ હોય તેમ મોટાભાગના રાજયોમાં ભાજપ કે ભાજપના સમર્થનવાળી સરકારો છે, જયારે અડધા ડઝનથી વધુ કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્ર સરકારના શાસન હેઠળ આવે છે. દિલ્હીમાં પણ ભાજપની ત્રિપલ એન્જિનની સરકાર છે, પરંતુ પ્રદુષણના મુદ્દે ત્રણેય એન્જિનો ફેઈલ ગયા હોવાના કટાક્ષો થઈ રહ્યા છે...ભાજપની મતપેટીઓ (ઈવીએમ) જ છલકાઈ રહ્યા છે, તેવું નથી, ભારતીય જનતા પક્ષની તિજોરીમાં પણ સખાવતોની સરવાણી વહેતી થતા છલકાવા લાગી હોવાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણીપંચમાં રજીસ્ટર્ડ ૧૯ ટ્રસ્ટોમાંથી ૧૩ ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને કેટલું દાન આપ્યું છે તેની વિગતો ચૂંટણીપંચને આપી હતી. તે મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં આગળના વર્ષ કરતા ૨૦૦ ટકાથી વધુ દાન રાજકીય પક્ષોને મળ્યું છે, અને તેમાં પણ સર્વાધિક સખાવત ભાજપને મળી છે. કોઈપણ રીતે ભાજપનો પરચમ લહેરાઈ રહ્યો હોય, ત્યારે હવે ભાજપની જવાબદારી પણ વધી જાય છે. અને પ્રજાની અપેક્ષાઓ સંતોષાય નહીં, તો ગમે ત્યારે ગાદીએથી ઉતારી પણ શકે છે, તે કેજરીવાલના કિસ્સામાંથી ફલિત થાય છે... અત્યારે તો જો જીતા વોહી સિકંદર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત ગુજરાતના ઘણાં મતદારો એસઆઈઆર કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી જાહેર કરાયેલી ચૂંટણીપંચની ડ્રાફટ મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં, અને પોતાના પરિવારજનો પૈકી પણ કોઈનું નામ ઉડી ગયું નથી ને ? તે જોવા ચૂંટણીપંચની સંબંધિત વેબસાઈટો અને એપ્સ ખંગાળી રહ્યા છે, અને તેથી વેબસાઈટ પર લોડ વધી ગયો હોવાથી થોડા સમય પછી પ્રયાસ કરવાની ઈન્સ્ટ્રકશન આવી રહી હોવાની તથા ડ્રાફટ યાદીઓની પીડીએફ ફાઈલો સરળતાથી ડાઉનલોડ થઈ નહીં રહી હોવાની તથા તદ્વિષયક ઓનલાઈન પ્રક્રિયામાં સામાન્ય મતદારોને મુશ્કેલી પડી રહી હોવાની રાવ પણ ઉઠી રહી હતી, અને તેના સંબંધે મતદારો પરસ્પર કે આ કામગીરીના જાણકારોને ફોન કરીને માર્ગદર્શન માંગી રહેલા પણ જોવા મળ્યા હતા. આ પ્રકારની તાલાવેલી મતદારોમાં આવેલી જાગૃતિ પણ દર્શાવે છે.
આ સ્થિતિ ઊભી થવાનું કારણ એે છે કે ગઈકાલે જામનગર જિલ્લાના ચૂંટણીતંત્ર સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓના તંત્રોએ એસઆઈઆરનો પ્રથમ તબક્કો સંપન્ન કરીને સુધારેલી મતદાર યાદીઓની ડ્રાફટ યાદી (પ્રાથમિક મતદાર યાદી) ઓનલાઈન વેબસાઈટ પર મૂકી દીધી હોવાનું જાહેર કર્યું હતું અને મતદારો તેનું નિરીક્ષણ કરીને જો પોતાનું નામ મતદાર યાદીમાં ન હોય, તો નિયત કરેલા ફોર્મમાં આધાર-પુરાવા સાથે ઈઆરઓ સમક્ષ દાવો રજૂ કરવાનો રહેશે, તેમ જણાવાયુ હતું, અને આ પ્રક્રિયા માટે એક મહિનાનો સમય મળશે, તેવું જણાવી ચૂંટણીપંચના વેબ એડ્રેસ તથા સંબંધિત એપ્સ વગેરેની માહિતી પણ જાહેર કરાઈ હતી. એ પછી માત્ર મતદારો જ નહીં, પરંતુ રાજકીય પક્ષોની ટીમો પણ ડ્રાફટ યાદી ખંગોળવા લાગી છે, અને જે નામો હટાવાયા છે, તે પૈકી જેના આધાર-પુરાવા સાથેના ફોર્મ્સ મળશે, તથા અન્ય રજૂઆતો વગેરે થશે, તો તેના પર નિયમાનુસાર કાર્યવાહી કર્યા પછી સુધારા, વધારા, ઘટાડા કે ઉમેરા કરીને તે પછી જ ફાયનલ મતદાર યાદી જાહેર કરાશે, તેથી આ પ્રક્રિયામાં ખોટી ઉતાવળ કરવાની જરૂર નથી, પરંતુ જેઓના નામ આ પ્રાથમિક મતદાર યાદીમાં સમાવાયા જ ન હોય, તેઓએ પોતાના બીએલઓ તરફથી નોટિસ મળ્યેથી અથવા સામેથી સંપર્ક કરીને જરૂરી ફોર્મ્સ ભરાવી દેવા અને જરૂરી આધારો રજૂ કરવાની પ્રક્રિયા પણ લોકતાંત્રિક સંસ્થાઓ અને રાજનૈતિક પક્ષો-સંગઠનો-મતદારોને મદદરૂપ થશે, તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે, જેના નામ કે ડેટા મેચ થયા નહીં હોય કે અન્ય ટેકનિકલ કારણોસર હટાવાયા હશે, તો તેની નોટિસ પણ ચૂંટણીપંચ દ્વારા સંબંધિત મતદારોને અપાશે, તેથી તે અંગે બીએલઓને પણ હજુ મોટી કવાયત કરવી પડે તેમ છે, અને સંપર્ક નંબરો કે કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરીને એક પણ યોગ્ય મતદાર મતદાર યાદીમાં ચડાવવાથી વંચિત રહી ન જાય, તેની તકેદારી પણ બીએલઓથી લઈને ઈઆરઓ સુધી તથા ચૂંટણીપંચની હાઈ-ઓથોરિટીઝે આપવી જ પડશે, સામૂહિક કવાયતનો કોઈ જ અર્થ નહીં રહે અને આક્ષેપો-આશંકાઓનો દોર શરૂ થઈ જશે.
ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા પછી પ્રવર્તમાન-મતદાર યાદીમાંથી કમી કરાવેલા (મતદાર યાદીમાંથી હટાવાયેલા) ૭૩.૭૩ લાખ નામો પૈકી મૃત્યુ પામેલા અને કાયમી સ્થળાંતર કરી ચૂકેલા મતદારો સિવાયના જે નામો હટાવાયા હોય, તેમાં ડેટા મેચ થતો ન હોય કે સર્વેક્ષણ સમયે મળી આવ્યા ન હોય, તેમજ જેઓના નામો વર્ષ-૨૦૦૨-૦૩ની મતદાર યાદીમાં ન હોય, અથવા ચોક્કસ વયજૂથના મતદારોના માતા-પિતાના નામો વર્ષ ૨૦૦૨-૦૩ની મતદાર યાદીમાં મળી આવ્યા નહીં હોય, કે મેચ થતા નહીં હોય, તેવા મતદારોને બીએલઓઝ તરફથી કે તંત્ર તરફથી નોટિસ પાઠવીને જાણ કરાશે, તેવું જાહેર કરાયું હતું, અને તે પછી આ પ્રકારના મતદારો ઉપરાંત મતદાનનો અધિકાર મળવાપાત્ર વયજૂથના નવા મતદારોના નામો ચડાવવાના રહી ગયા હોય, તે તમામના જરૂરી ફોર્મ ભરાવીને તથા જરૂરી આધાર-પુરાવા મેળવીને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થાય, ત્યાં સુધીનું ખૂબ જ જવાબદારીવાળુ ભગીરથ કામ ચૂંટણીપંચે પણ સંપન્ન કરવાનું છે, અને તેમાં ચૂંટણીતંત્રે સૌ કોઈના સહયોગની અપેક્ષા પણ વ્યક્ત કરી છે.
જામનગર જિલ્લામાં પણ પહેલાની મતદાર યાદીમાં ૧.૭૭ લાખ જેટલા મતદારોના નામો ડ્રાફટ યાદીમાં નહીં હોય, અને તેમાં જેઓના નામો રહી ગયા છે, અને મતદાર તરીકે હક્કદાર છે, તેઓ તા. ૧૮ જાન્યુઆરી સુધીમાં વાંધા અરજી કે હક્કદાવા ઓનલાઈન અથવા ઓફલાઈન રજૂ કરી શકશે, તેમ જાહેર થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીમાં નામ ન મળ્યા હોય કે નામોમાં ફરક વગેરે ટેકનિકલ કારણોસર જે મતદારોના નામ આ પ્રાથમિક યાદીમાં નહીં હોય, તેઓને નોટિસો બજાવશે.
આ પ્રકારના ૧,૨૯,૧૨૮ જિલ્લાના મતદારોને નોટિસો પાઠવ્યા પછી પણ તેઓનો સંપર્ક કરીને તથા એસઆઈઆર પ્રક્રિયાના પ્રથમ તબક્કાની જેમ જ સમયાંતરે વિસ્તારવાર, બૂથવાર અને બીએલઓના વિભાગવાર કેમ્પો યોજીને આધાર-પુરાવા સાથે નિયત ફોર્મ્સ ભરાવવાની વ્યવસ્થા પણ ચૂંટણીતંત્રે કરવી પડશે. આ માટે વ્યાપક જન સહયોગની પણ જરૂર પડશે. કોઈપણ યોગ્ય મતદારનું નામ હટી ન જાય, તેવા "ક્લિન" આખરી મતદાર યાદી જાહેર થાય અને કોઈ ગરબડ નહીં થાય તેવી અપેક્ષા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસને સિંગલ ડિજિટમાં બેઠકો મળી, ત્યારે દેશભરમાં તેની જેઓએ હાંસી ઉડાવી હતી અને વ્યંગબાણો છોડ્યા હતા, તે નેતાઓ અત્યારે સુનમુન થઈ ગયા હોય તેમ લાગે છે, કારણ કે પંજાબની પ્રજાએ પૂરવાર કરી દીધું છે કે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો અને ખાસ કરીને ભાજપની પંજાબમાં જગ્યા જ નથી. પંજાબમાં ૩૪૬ ઝોનમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને માત્ર ૭ બેઠક જ મળી છે, જે કુલ ઝોનની સંખ્યાની દૃષ્ટિએ માત્ર બે ટકા જ થાય છે !
અહેવાલો મુજબ પંજાબ જિલ્લા પરિષદોની ચૂંટણીઓમાં ૩૪૮ ઝોનમાંથી ૨૧૮ ઝોન પર આમઆદમી પાર્ટીનો ઝાડુ ફરી વળ્યો છે, તો ૬૨ ઝોનમાં કોંગ્રેસનો પંજો પડ્યો છે. પંજાબમાં વર્ષો સુધી શાસન કરનાર શિરોમણી અકાલીદળને પણ માત્ર ૪૬ બેઠકો મળી છે. પંજાબની જિલ્લા પરિષદો પૈકી ૧૦માં અપક્ષો જીત્યા છે, જ્યારે ભાજપ અપક્ષોમાંથી પણ પાછળ ધકેલાઈને ૭ ઝોનમાં સમેટાયું છે, જ્યારે ૩ ઝોનમાં બસપા જીતી છે. ૨૨ ઝોનમાં તો આમઆદમી પાર્ટીનો નિર્વિરોધ વિજય થયો છે. આ પરિણામો ભાજપ માટે તો શરમજનક છે જ, પરંતુ કોંગ્રેસ માટે પણ ચિંતનનો વિષય છે, કારણ કે એક સમયે પંજાબમાં ટોપ ટુ બોટમ કોંગ્રેસનું શાસન હતુ, અને આજે રાજ્યનો બીજા નંબરનો વિજય મેળવવા છતાં આમઆદમી પાર્ટીથી કોંગ્રેસ ઘણી જ પાછળ રહી ગઈ છે.
ટકાવારીની દૃષ્ટિએ બેઠકોની સંખ્યા મુજબ આમઆદમી પાર્ટીને જિલ્લા પરિષદોમાં ૬૩ ટકા અને પંચાયત સમિતિઓમાં ૫૪ ટકા બેઠકો મળી છે. પંજાબમાં આમઆદમી પાર્ટીએ વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા છે, તેમ પણ કહી શકાય. પંચાયત સમિતિઓમાં પણ આમઆદમી પાર્ટીનો દબદબો રહ્યો છે. પંચાયત સમિતિઓ ૧૫૩ છે, જેના ૨૮૩૮ વિભાગો (ઝોન)માંથી આપને ૧૫૩૧, કોંગ્રેસને ૬૧૨ વિભાગ, શિરોમણી અકાલીદળને ૪૪૫ વિભાગ, ભાજપને ૭૩ વિભાગ અને અન્ય પક્ષો તથા અપક્ષોને ૧૪૪ વિભાગોમાં વિજય મળ્યો છે. આ પરિણામોએ પંજાબના વર્તમાન વિપક્ષોને ઝટકો આપ્યો છે, તે ભાજપને તો ધોઈ જ નાખ્યું હોય, તેવો જનાદેશ આપ્યો છે.
આ પરિણામો પછી દિલ્હીમાં પછડાટ ખાઈ ચુકેલા "આપ"ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને કળ વળી ગઈ હોય, એ તો સ્વાભાવિક જ છે, પરંતુ ચિરપરિચિત અંદાજના તેજતર્રાર નેતા પણ પુનઃ પ્રગટવા લાગ્યા છે.
આ રિઝલ્ટ આવ્યા પછી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પત્રકાર પરિષદમાં રણટંકાર કર્યો છે. તેમણે દાવો કર્યો કે પંજાબમાં સંપૂર્ણ ગ્રામ્ય ક્ષેત્રમાં સ્વીપ કર્યું છે. કેજરીવાલે આ પ્રચંડ વિજયના કારણો પણ વર્ણવ્યા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પીઠ પણ થાબડી. તેમણે "નશા વિરોધી યુદ્ધ" અભિયાનના આંકડા આપી તેની ફલશ્રુતિઓ પણ વર્ણવી.
કેજરીવાલે પંજાબમાં બનેલા અદ્યતન માર્ગો, ખેડૂતોને આઠ કલાક વીજળી, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુધારણાઓ વગેરેના આંકડાઓ આપીને પંજાબની જનતાએ "આપ"ને અપનાવીને ભાજપ-કોંગ્રેસને ઠુકરાવી દીધી હોવાનો દાવો પણ કર્યો. માન-કેજરીવાલની આ પ્રેસ કોન્ફરન્સ જોઈને બિહાર ચૂંટણીમાં વિજય પછી ભાજપના નેતાઓનો ઉન્માદ અને તે સમયની પ્રેસ કોન્ફરન્સો પણ યાદ આવી ગઈ. બિહારમાં કોંગ્રેસની જે દશા થઈ હતી, તેવી જ દશા પંજાબમાં ભાજપની થઈ છે, તેથી જ કહેવાય છે ને કે કાચના ઘરમાં રહેનારે પથ્થરો ફેંકવા ન જોઈએ. એક ગુજરાતી કવિએ પણ એક કવિતામાં ખરતા પાનને જોઈને હસતી કળીઓને ઉદ્દેશીને લખ્યું હતું કે, "મુજ બીતી તુજ બીતસે...ધીરી બાપુડિયા !"
જો કે, પંજાબમાં જ્યારે શિરોમણી અકાલીદળ અને ભાજપનું ગઠબંધન હતું અને રાજ્ય તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એ ગઠબંધનની બોલબાલા હતી, ત્યારે પણ ત્યાં (પંજાબમાં) ભાજપની ભૂમિકા નાનાભાઈ જેવી જ હતી અને ગઠબંધનનું નેતૃત્વ શિરોમણી અકાલીદળ જ મોટાભાગે કરતુ રહ્યું હતું, તો બીજી તરફ પંજાબમાં દાયકાઓ સુધી ટોપ ટુ બોટમ સત્તામાં રહેલી કોંગ્રેસની સરકાર પણ કેપ્ટન અમરિન્દસિંહ સુધી ચાલી હતી. તેથી પંજાબમાં આમઆદમી પાર્ટીનો વિકલ્પ કોંગ્રેસ જ બની શકે તેમ છે, કારણ કે ભાજપ અને અકાલીદળનું ગઠબંધન તૂટી ગયું છે, તેથી આમઆદમી પાર્ટીએ પણ વધારે પડતા આત્મવિશ્વાસમાં રહેવાની ભૂલ કરવા જેવી નથી.
જો કે, પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા લોકસભાની ચૂંટણીઓમાં વોટીંગ પેટર્ન એકસમાન જ રહેશે, તેવું કોઈ ગેરંટીથી કહી શકે તેમ નથી અને ઘણી વખત આ ત્રણેય સ્તરે અલગ-અલગ પાર્ટીઓ અથવા ગઠબંધનોનું શાસન રહ્યું હોય, તો ઈતિહાસ પણ આપણાં દેશમાં ઘણાં રાજ્યોમાં છે, તેથી બીજા ક્રમે રહેલી કોંગ્રેસને અંડર એસ્ટિમેટ કરવાના બદલે તેનું મુખ્ય વિપક્ષ તરીકે સન્માન કરવું, એ લોકતાંત્રિક કર્તવ્ય પણ છે અને રાજકીય શાણપણ પણ ગણાય, રાઈટ ?
આ પ્રકારના અભિપ્રાયો એટલા માટે વ્યક્ત થઈ રહ્યા છે કે ગઈકાલે પંજાબની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આમઆદમી પાર્ટીને ઝળહળતી સફળતા મળ્યા પછી વિજય સરઘસો નીકળ્યા, તે સમયે ગોળીબાર થયો, હિંસક ટકરાવ થયો અને કેટલાક લોકોને ઈજા પહોંચી. મીડિયા અહેવાલો મુજબ બીજા ક્રમે રહી હોવા છતાં ઘણી પાછળ રહી ગયેલી કોંગ્રેસ પરાજય પચાવી શકી નહીં હોવાના આક્ષેપો થયા, તો અન્ય અહેવાલો મુજબ "આપ" અને "કોંગ્રેસ" ના કાર્યકરો પરસ્પર ટકરાતા અથડામણ થઈ હતી. આ પ્રકારની અથડામણો તથા આમઆદમી પાર્ટીએ ઈન્ડિયા ગઠબંધનમાં રહેવા અંગે બદલેલા વલણના કારણે થઈ રહી હોવાની પણ ચર્ચા છે. અત્યારે તો પંજાબમાં "આપ"નો પરચમ લ્હેરાયો છે, તે નક્કર વાસ્તવિકતા છે, અને આ વિજયની અસર ગુજરાતના કાર્યકરો પર પણ થવાની જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગાઢ ધૂમ્મસના કારણે ગઈકાલે ભારત-દ. આફ્રિકા વચ્ચેની ટી-ર૦ ક્રિકેટ મેચ રદ્ કરવી પડી અને મેદાન પર મોજુદ હજારો પ્રેક્ષકો સહિત કરોડો ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હશે, પરંતુ આ મેચ પડતી મૂકવાનું કારણ તથા તેની બુનિયાદમાં હવાઈ પ્રદૂષણ કારણભૂત હતું, તેની ચર્ચા ઓછી થઈ રહી છે. ખરેખર તો દેશની રાજધાની દિલ્હીમાં જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું હોય અને વ્યાપક હવાઈ પ્રદૂષણ હવે દિલ્હી, પંજાબ, હરિયાણાથી આગળ વધીને પડોશના રાજ્યોમાં ફેલાઈ રહ્યું હોય તો તે ગંભીર ચિંતાની વાત જ ગણાય.
ગઈકાલે સમીસાંજે શરૂ થનારી લખનૌની ક્રિકેટ મેચ મોડી રાત સુધી શરૂ થઈ નહીં, અને અમ્પાયરોએ છ-છ વખત નિરીક્ષણ કર્યા પછી મેચ પડતી મૂકવાનો અંતિમ નિર્ણય લેવો પડ્યો હોય તો તે ખેલકૂદથી લઈને હવાઈ શુદ્ધતા, પર્યાવરણ અને જાહેર આરોગ્યને લઈને પણ ખૂબ જ ચિંતાજનક ગણાય, અને તેને કેજ્યુલી (હળવાશથી) અવગણી શકાય નહીં. ઉત્તર ભારતના રાજ્યોમાં ધૂમ્મસની કુદરતી સમસ્યા તથા હવાઈ પ્રદૂષણ જેવા કૃત્રિમ કારણોથી ઊભી થતી સમસ્યાઓ વચ્ચેની પાતળી ભેદરેખા સમજવી પડે તેમ છે. એક દૃષ્ટિએ હાલના ધૂમ્મસની મહત્તમ સમસ્યા માનવસર્જિત જ હોય છે, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય.
જો કે, ધૂમ્મસના કારણે આ પહેલા પણ ક્રિકેટ મેચમાં ખલેલ પહોંચી હોય તેવી ઘટનાઓ બની છે, અને છેલ્લે કદાચ મધર્મશાળામાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ અટકી પડી હતી, પરંતુ થોડા સમયના અવરોધ પછી મેચ શરૂ થઈ શકી હતી અને તેનું પરિણામ પણ આવ્યું હતું, જ્યારે ગઈકાલે એટલું ગાઢ ધૂમ્મસ છવાયું હતું કે છેવટે મેચ જ રદ્ કરવી પડી, અને તે કારણે જ ધૂમ્મસના કુદરતી અને કૃત્રિમ કારણો તથા તેના નિવારણની જરૂર, લોકોની લાપરવાહી, તંત્રોના તિક્કડમ્ અને રાજનેતાઓની રાજરમતની પણ ચર્ચા થવા લાગી છે, અને તે બધાના મૂળમાં હવાઈ પ્રદૂષણ છે અને હવાઈ પ્રદૂષણના મૂળમાં રહેલા કારણોમાં મહત્તમ જેની ચર્ચા થાય છે તે ખેતરોમાં સામૂહિક રીતે સળગાવી નંખાતી પરાલીને સૌથી મોટું કારણ માનવામાં આવે છે.
ગઈકાલે લખનૌમાં હાર્દિક પંડ્યા માસ્ક પહેરેલો જોવા મળ્યો, તેવી જ રીતે વર્ષ ર૦૧૭ માં ભારત-શ્રીલંકા વચ્ચેની ટેસ્ટમેચના બીજા દિવસે શ્રીલંકાના ખેલાડીઓ ફિલ્ડીંગ કરતી વખતે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતાં. તેનું કારણ પ્રદૂષણ જ હતું. તે સમયે તો શ્રીલંકાના કેટલાક ખેલાડીઓને શ્વાસ લેવામાં પડી રહેલી તકલીફના કારણે ઉલટી થતા લગભગ અડધો કલાક સુધી રમત અટકાવી પડી હતી. તે પછી વર્ષ ર૦ર૩ માં પણ દિલ્હીમાં વર્લ્ડકપની શ્રીલંકા-બાંગલાદેશની પ્રેક્ટીસ મેચો કેન્સલ થઈ હતી. તે ઉપરાંત મેચોના સ્થળાંતર પણ થયા હતાં. ભારત-વેસ્ટઈન્ડિઝ ટેસ્ટ મેચ એક મહિનો વહેલી રમવી પડી હોય કે ભારત-દ. આફ્રિકા વચ્ચેની ટેસ્ટમેચ દિલ્હીના બદલે ગૌહાટીમાં રમાડવી પડી હોય, તે ફેરફારોના મૂળમાં દિલ્હીનું પ્રદૂષણ જ જવાબદાર હતું.
આજે પણ એર ક્વોલિટી ઈન્ડેક્ષ ૧૯૯ બતાવતો હોવાથી લખનૌમાં હવાઈ પ્રદૂષણનું સ્તર ગંભીર કેટેગરીમાં આવે છે. યુ.પી.ના શહેરોમાં આજની સ્થિતિમાં સવારે એક્યુઆઈની માત્રા ર૧૪ થી ૪૦૧ વચ્ચે હતી તથા પીએમ-ર.પ અને પીએમ-૧૦ નું સ્તર ઘણું જ ઊંચુ હતું. આવી સ્થિતિમાં એન-૯પ માસ્ક પહેરવા તથા ઘરના બારી-દરવાજા બંધ રાખવાની એડવાઈઝરી અપાતી હોય, તેવામાં ખુલ્લા મેદાનમાં ક્રિકેટ કેવી રીતે રમી શકાય? ઘણાં લોકોએ પ્રશ્ન ઊઠાવ્યો છે કે બીસીસીઆઈ ટાઈમ-ટેબલ નક્કી કરતી વખતે આ બધા સિઝનલ સેક્ટર ધ્યાને નહીંં લેતી હોય? અત્યારે ઉત્તરપ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં ભાજપની સરકાર છે, અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર છે, ત્યારે હવાઈ પ્રદૂષણના નિયંત્રણ માટે સંકલિત કદમ કેમ ઊઠાવાઈ રહ્યા નથી? દિલ્હીમાં ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી, ત્યારે કેજરીવાલ હવાઈ પ્રદૂષણ માટે પંજાબના ખેડૂતોને પરાલી રોકવા તે સમયની પંજાબની કોંગ્રેસ સરકાર કાંઈ કરી રહી નહીં હોવાના સવાલો ઊઠાવતા હતાં, જ્યારે આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યારે ત્યાંના મુખ્યમંત્રી ભગતસિંહ માન કેમ કાંઈ કરી રહ્યા નથી? તેવા સવાલો ઊઠે તે સ્વાભાવિક છે.
હવે દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે દિલ્હીની ભાજપ સરકાર પર તડાપીટ બોલાવી છે, અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ચમચીઓથી થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીની ભાજપ સરકારને ઉદ્દેશીને કટાક્ષમય રીતે 'પ્રદૂષણના સંદર્ભે 'પોલ્યુશન તુઝે જાના હોગા'ની નારેબાજી કરી હતી.
આમ આદમી પાર્ટીએ દિલ્હીના પ્રદૂષણ સામે નિદ્રાધીન દિલ્હીની રેખા ગુપ્તા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં અને એક્યુઆઈ કેન્દ્રોમાં ગરબડ-ગોટાળા ચાલી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતાં. સૌરભ ભારદ્વાજે સણસણતો સવાલ કર્યો હતો કે રાજ્યમંત્રી મનજિંદરસિંહ સિરસા કૃત્રિમ વરસાદ કરાવવાના હતાં, તેનું શું થયું?
દિલ્હી સરકાર હવાઈ પ્રદૂષણ નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગઈ હોવાથી હવાઈ પ્રદૂષણના ઊંચા સૂચકાંકોને નીચા દેખાડીને જનતા અને અદાલતો સાથે પણ દગાબાજી કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ તેમણે કર્યા છે.
ભારદ્વાજે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ હવાઈ પ્રદૂષણને લઈને કહ્યું છે કે, દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો હોવાના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ હકીકતે હવાઈ પ્રદૂષણ સાયલન્ટ કીલર બનીને નરસંહાર કરી રહ્યું છે, અને સરકાર આંકડાઓ સાથે રમત રમી રહી છે.
હકીકતે હવાઈ પ્રદૂષણની દિલ્હીની સરકારને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીની સરકારે પરસ્પર દોષારોપણ કરીને જનતા સાથે રમત રમી રહી છે. સત્તાધારી પાર્ટી બદલાઈ જાય છે, ત્યારે સૂર બદલાઈ જાય છે. લખનૌમાં હવાઈ પ્રદુષણે એક ક્રિકેટ મેચ રદ્ કરાવી તો ઘણી બધી ચર્ચા થઈ, જ્યારે દિલ્હીના હવાઈ પ્રદુષણની કાયમી સમસ્યા નિવારવા પાર્ટીલાઈન તથા વોટબેંકની રાજનીતિ, વાહવાહી કરાવવાની આદત અને લીંબડજશ ખાટવાની માનસિક્તા છોડીને તમામ પક્ષો સહિયારા પ્રયાસો કરે, તે જ સમયની માંગ છે, અને જનતાની અપેક્ષા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે દેશના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસીઓ સડક પર ઉતરીને ગાંધીજીના પોસ્ટરો સાથે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવા અને આગામી તા. ૨૮મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપનાદિને તમામ ગામડાઓ, શહેરો તથા તાલુકા મથકો પર ગાંધીજીની તસ્વીરો સાથે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવા કોંગ્રેસ હાઈ કમાન્ડે સૂચના આપી છે. આ વિરોધ કેન્દ્ર સરકારે મનરેગા યોજના નાબૂદ કરી તેના વિરોધમાં થઈ રહ્યો છે, અને વધુ પ્રબળતાથી મનરેગાના સ્થાને રજૂ થયેલી નવી યોજનાના નામકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મનરેગા અને નવી યોજનામાં ઓફિશયલ લાંબા નામોના શોર્ટફોર્મમાં થતા ઉચ્ચારણોનો આ વિવાદ દર્શાવે છે કે આપણાં દેશની રાજનીતિની દશા અને દિશા બદલાઈ રહી છે અને શાસન-પ્રશાસન તથા રાજનીતિના કેન્દ્રમાં હવે દેશનો નાગરિક નહીં પણ રાજનૈતિક નફા-નુકસાનની ગણતરીઓ સાથેનું મતલક્ષી ગણિત આવી ગયું છે.
હકીકતે મનરેગાનું ફૂલફોર્મ અથવા આખું નામ "મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ" થતું હતું, જે વર્ષ ૨૦૦૫માં સાંસદે પસાર કર્યો હતો, અને આ મહત્ત્વાકાંક્ષી યોજના ગ્રામીણ સ્તરે ગરીબ લોકોને વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી આપવાની ગેરંટી આપવા માટે લાગુ કરાઈ હતી અને તે "મનરેગા" તરીકે પ્રચલીત હતી.
મોદી સરકારે આ યોજના સામે પ્રારંભમાં વાંધા-વચકા કાઢયા હતા, પરંતુ કેટલાક સુધારા-વધારા સાથે આ યોજના ચાલુ રહી હતી. આમ છતાં આ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર તથા પર્યાપ્ત રોજગાર ગેરંટી તથા તેની ફલશ્રૃતિઓ નહીં હોવાના કારણે તેમાં ધરમૂળથી ફેરફાર કરાશે તેવા દાવાઓ થતા રહ્યા હતા અને વાર્ષિક રોજગારીના દિવસો વધારવાની જરૂર, રાજ્ય સરકારોની આ યોજનાઓમાં સક્રિય સામેલગીરી તથા પેમેન્ટની પારદર્શક તથા સાપ્તાહિક પદ્ધતિ અંગે ચર્ચાઓ થતી રહેતી હતી, રજૂઆતો થઈ હતી અને માંગણીઓ પણ ઉઠી રહી હતી. આ કારણે મોદી સરકારે મનરેગા યોજના નાબૂદ કરીને તેના સ્થાને નવી વધુ પારદર્શક અને લાભાકારી યોજના અમલમાં મૂકવાના દાવા સાથે નવા નામકરણ સાથે ગઈકાલે એક નવું બીલ સંસદમાં રજૂ કર્યું હતું.
આ બીલની સામે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જબરદસ્ત વાંધો ઉઠાવ્યો છે, આ વાંધો મૂળ યોજના કે નવી યોજનામાં સામેલ રાખેલી જોગવાઈઓ કે અન્ય સુધારા-વધારા સામે ઓછો અને નવા નામ કરણ સામે વધુ ઉઠાવાઈ રહ્યો હોવાનો દાવો એક તરફ થઈ રહ્યો છે, તો બીજી તરફ ભાજપના નેતૃત્વની એનડીએ સરકાર મહાત્મા ગાંધીની વિરોધી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ સડકો પર ઉતરી રહી છે, જ્યારે કોંગ્રેસમાં પાર્ટીલાઈનથી અલગ મંતવ્યો વ્યક્ત કરતા રહેતા તથા વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને કરતા રહેતા શશિ થરૂરના સૂર પણ આ મુદ્દે બદલાયા હોવાનું જણાય છે, કારણ કે તેમણે આ વખતે કોંગ્રેસના "વિરોધનો વિરોધ" નથી કર્યો, પણ તરફેણ કરી હોય તેમ જણાય છે.
મીડિયા અહેવાલો મુજબ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આને બંધારણના આર્ટિકલ-૩૪૮નું ઉલ્લંઘન બતાવીને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે મનરેગાની જગ્યાએ જે નવી યોજનાનું બીલ રજૂ કર્યું છે, તેના (લાંબા) નામનું શોર્ટફોર્મ અંગ્રેજી તથા હિન્દી બંને ભાષાનું સંયોજન કરીને "જી રામ જી" જેવું કર્યું ત્યારે બાળપણનું ગીત યાદ આવી ગયું હતું, જેના શબ્દો હતા, "રામ કા નામ બદનામ ના કરો..."
વાસ્તવમાં મોદી સરકારના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે લોકસભામાં જે "વિકસિત ભારત-ગેંરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ)-૨૦૨૫" બીલ રજૂ કર્યું હતું, તેમાં વર્ષ ૨૦૦૫ના રદ કરાયેલી મનરેગા એકટ હેઠળની "મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ" ના સ્થાને નવી યોજનાની જોગવાઈ હતી. આ નવા બીલ મુજબ રોજગાર ગેરન્ટી, પેમેન્ટ પદ્ધતિ તથા અન્ય સુધારા-વધારા સાથે નવી યોજના "વિકસિત ભારત-ગેંરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન" લાગુ થશે, તેવો દાવો કેન્દ્ર સરકારે રજૂ કર્યો હતો, પરંતુ તેનું શોર્ટફોર્મનું નામ "વીબી-જી રામજી" રખાયુ છે, તેનો જબરદસ્ત વિરોધ ઉઠયો છે. પ્રિયંકા ગાંધીએ પણ મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે "ગાંધીજી અમારા ગાંધી પરિવારના નથી, પરંતુ પરિવાર જેવા જ છે, અને આખા દેશની પણ એવી જ લાગણી છે, જેના નામથી ચાલતી મનરેગા યોજના બંધ કરીને મોદી સરકાર ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવા જઈ રહી છે."
ભાજપ તરફી લોકોનું કહેવું છે કે ગાંધીજીના અંતિમ શબ્દો પણ "હે રામ" હતા અને તેઓ રામરાજયની કલ્પના કરતા હતા, પરંતુ કોઈ યોજનાના ટૂંકા નામમાં રામનું નામ આવી જાય, તો પણ વાંધો ઉઠાવાઈ રહ્યો છે, આ પહેલાના "મનરેગા" યોજનાથી પ્રચલીત નામમાં મહાત્મા ગાંધીનું નામ ઉચ્ચારમાં આવતુ જ નહોતું, અને આખુ નામ પ્રચલીત જ નહોતુ, પરંતુ હવે મહાત્મા ગાંધીના નામે રાજનીતિ રમાઈ રહી છે. ભાજપે મહાત્મા ગાંધીનું મહાત્મય વધારવા ક્યા ક્યા પગલા લીધા અને કેટલા નવા નામ કરણોમાં ગાંધીજીને સામેલ કરાયા, તેના વિવરણો પણ અપાઈ રહ્યા છે, પરંતુ પબ્લિક નક્કી કરશે કે કૌન સચ્ચા ઔર કૌન જૂઠા ?
આ વાદ-વિવાદ વચ્ચે બાર રાજ્યોમાં એસાઆઈઆરનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે, અને મોદી સરકારે સંસદમાં કેટલાક જૂના કાયદા રદ કરાવી નાખ્યા છે અને કેટલાક નવા બીલો પસાર કરાવી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ સડકથી સંસદ સુધી મોદી સરકાર પર તડાપીટ બોલાવી રહી છે....મેરા ભારત મહાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નાતાલના તહેવારો આવી રહ્યા છે અને નાતાલના વેકેશનમાં પણ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, હર્ષદ માતાજી, શિવરાજપુર, ઓખા મઢી સહિતના દર્શનીય અને પર્યટન સ્થળો પર ભાવિકોની ભારે ભીડ થવાની સંભાવના છે, ત્યારે તંત્રોએ પણ સુરક્ષા, સલામતિ, ટ્રાફિક, નફાખોરી, તત્કાળ સારવાર, જરૂર પડયે તત્કાળ રાહત-બચાવ યાત્રિકોના નિવાસ-ભોજન તથા પરિવહન અને તદ્વિષયક તમામ વ્યવસ્થાઓ ચૂસ્ત દૂરસ્ત કરવી પડશે.
યાત્રાધામોમાં દર્શનની વ્યવસ્થામાં ટ્રસ્ટીમંડળ અથવા સમિતિ, પૂજારીવર્ગ, સ્થાનિક પોલીસ તથા સંલગ્ન સુરક્ષાદળોનું લોકલ વ્યવસ્થાતંત્ર સાથે સારૃં સંકલન હોવું જ જોઈએ, એટલું જ નહીં, ભૂતકાળના સ્થાનિક અનુભવો તથા અન્ય યાત્રાસ્થળોના અનુભવોને સાંકળીને ફૂલપ્રૂફ એવો પ્લાન બનાવવો જોઈએ. જેથી યાત્રિકોને પણ તકલીફ ન પડે. અને સુરક્ષા, સલામતિ અને વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, તથા સ્થાનિક પરિવહન, અલ્પાહાર કે સેવા-પૂજાની સામગ્રીમાં નફાખોરી ન થાય, તેના પર ધ્યાન આપવું પડે તેમ છે, અને કેટલાક સ્થળે આ પ્રકારની બાબતોમાં સંકુલમાં જ સ્થાપિત ઈજારાશાહી ખતમ કરવી જોઈએ. આ તમામ મુદ્દાઓમાં ક્યાંય પણ કચાશ રહી જશે તો નાતાલના તહેવારો દરમ્યાન વ્યવસ્થાઓ જાળવી રાખવી મુશ્કેલ બની જવાની છે.
યાત્રાધામોમાં ત્રણ પ્રકારના પ્રવાસીઓ આવતા હોય છે. ખૂબ જ ધનવાન લોકો તો પહેલેથી જ મોંઘી હોટલો બૂક કરાવી લેતા હોય છે, અને પોતાની ગાડીઓ કે અદ્યતન ટેકસીઓની વ્યવસ્થા કરી લેતા હોય છે. બીજા ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારો કાં તો પોતાની ગાડીમાં, અથવા ટ્રેન કે બસ દ્વારા આવતા હોય છે. આ વર્ગોના મોટા ભાગના દર્શનાર્થીઓ પેકેજ ટૂરમાં આવતા હોય છે, જેની તમામ વ્યવસ્થાઓ ટ્રાવેલ્સ સંચાલકો કરતા હોય છે. ત્રીજા પ્રકારના નિમ્ન મધ્યમવર્ગીય તથા ગરીબ લોકો પણ દર્શનાર્થે કે પ્રવાસ-પર્યટન માટે આવતા હોય છે. જે પૈકી એક વર્ગ એવો પણ હોય છે કે જેઓ માનતા ઉતારવા કે પછી અન્ય ભાવનાત્મક અને આર્થિક કારણોસર પદયાત્રાઓ કરીને પણ આવતા હોય છે. આ તમામ પ્રવાસીઓનો ધ્યેય દર્શન કરીને હરવા-ફરવાનો હોય છે. જો કે, કેટલાક સમૂહો માત્ર દર્શનાર્થે જ આવતા હોય છે, જ્યારે કેટલાક સહેલાણીઓ માટે આનંદદાયક પ્રવાસ-પર્યટન, હરવું-ફરવું અને નવું નવું જાણવાનો મુખ્ય ઉદૃેશ્ય હોય છે. તંત્રોએ આ તમામ પ્રકારના પ્રવાસીઓ માટે સમાન ઘોરણે તમામ વ્યવસ્થાઓ કરવી જોઈએ, વ્યવસ્થાપકોએ સમાન ભાવે દર્શન-સેવા વગેરે કરાવવા જોઈએ અને દર્શનાર્થીઓમાં અમીર-ગરીબનો ભેદભાવ નહીં જ હોવો જોઈએ, પરંતુ બધી જગ્યાએ કાયમ માટે એવું થતું હોતું નથી, અને કેટલાક સ્થળે તો એનાથી વિપરીત માનસિકતાથી યાત્રિકો-પ્રવાસીઓને વિધિવત રીતે "લૂંટવા"માં આવતા હોય છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને ? આ સ્થિતિ માત્ર હાલાર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નથી, પરંતુ દેશવ્યાપી છે. અને તેનું નિવારણ વ્યવસ્થાઓ સંભાળતા તંત્રના અધિકારીઓ, ટ્રસ્ટો, સંસ્થાઓ અને વિવિધ મંદિર-ધાર્મિક સ્થળોની સમિતિઓ કે પ્રાધિકરણોએ કરવાનું હોય છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે.હવે તો "પૈસા ફેંકો, તમાશા દેખો" જેવો ઘાટ સર્જાયો છે. અને ભાવનાઓ-શ્રદ્ધા અને આસ્થાને નાણાકીય ત્રાજવે માપવામાં આવતી હોય, તેવું જણાય છે. પ્રવાસ-પર્યટન ક્ષેત્રે તથા દર્શનીય સ્થળોમાં પણ વીઆઈપી કલ્ચરની જ બોલબાલા છે.
મંદિરોમાં વીઆઈપી કલ્ચર એટલું વ્યાપક અને ભયાનક બન્યું છે કે તેના પડઘા સડકથી સંસદ સુધી તો પડતા જ હતા, પરંતુ હવે આ મુદ્દો છેક સુપ્રિમકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે, અને દેશની સર્વોચ્ચ અદાલતે તો ત્યાં સુધી કહી દીધું છે કે ભગવાનને પણ આરામ કરવા નથી દેતા, તે તો શોષણ જ કહેવાય. સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી ધનવાનો માટે કેટલાક મંદિરોમાં અલગ (વીઆઈપી) વ્યવસ્થા કરવામાં આવે છે, તેને લઈને કરી હતી અને તે કોઈ એક ચોક્કસ મંદિરની સૂનાવણી માટે જ હતી, પરંતુ તેની દૂરગામી અને દેશવ્યાપી અસરો થવાની છે અને રાષ્ટ્રવ્યાપી પડઘા પણ પડયા છે.
સુપ્રિમકોર્ટે કહ્યું કે રૂપિયા લઈને ધનવાન લોકો માટે વિશેષ દર્શનીય વ્યવસ્થા આપવી કે સુવિધા આપવી, એ અયોગ્ય છે. એક મંદિર સમિતિના મેનેજમેન્ટે કરેલ અરજી પર સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે આ સવાલો ઉઠાવ્યા હતા.
જે મંદિરની સુનાવણી થઈ રહી હતી, તે મંદિરમાં બપોરે મંદિર બંધ થયા પછી પણ વિશેષ પૂજા-પાઠ-દર્શન વગેરે થતા હોય છે અને સૌથી વધુ રકમ અપાય, તેને ખાસ પૂજા કરાવાય છે, તેવી ફરિયાદ સાથે મંદિરના બદલી નખાયેલા સમયપત્રક અંગે પણ સવાલો ઉઠાવાયા હતા, સીજેઆઈ સહિતની બેન્ચે મોટી રકમ આપનારાઓને વિશેષ પૂજા કરાવાય, તેને અયોગ્ય ગણાવી હતી.
આ મુદ્દે કડક ટિપ્પણીઓ કર્યા પછી સર્વોચ્ચ અદાલતે યુપી સરકાર તથા સંબંધિત પાવરેડ કમિટીને નોટિસ ફટકારીને જવાબ પણ માંગ્યો છે.
આ સુનાવણીનો સારાંશ એ નીકળે છે કે સેંકડો-હજારો કિલોમીટર દૂરથી દર્શનાર્થે આવતા સામાન્ય દર્શનાર્થીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહે, અને ધનિકો, સામાન્ય નેતાઓ, ઉદ્યોગપતિઓ, મોટા અફસરો કે અન્ય પોતાને વીઆઈપી માનતા લોકોને વીઆઈપી ટ્રિટમેન્ટ આપીને દર્શનની અલગ વ્યવસ્થા કરી અપાય, તે કદાચ જેના દર્શન કરાવાય છે, તે ઈશ્વરને પણ નહીં ગમતું હોય, જેની એક-એક ક્ષણ કિંમતી હોય અને દેશસેવા કે પબ્લિક સર્વિસ માટે સમર્પિત હોય, અથવા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના સંતો-મહંતો હોય, તેવા અપવાદો સિવાય તંત્રો, વ્યવસ્થાપકો તથા સમિતિઓ, ટ્રસ્ટોએ સામાન્ય દર્શનાર્થીઓની વધુ ચિંતા કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ક્રિકેટ રસીયાઓ માટે ગઈકાલે સુપર સન-ડે હતો, કારણ કે અન્ડર-૧૯ની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને પછાડી, તો ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને વન-ડે મેચમાં હરાવ્યું. આ બંને જીત માત્ર સાધારણ વિજય નહોતો, પરંતુ બંને મેચોની કેટલીક વિશેષતાઓ હતી.
સિયાસતના સમરણાગણમાં પણ ગઈકાલે સુપર સન્ડે જ હતો. દિલ્હીના રામલીલા મેદામાં રવિવારે રાહુલ ગાંધીએ રણકાર કર્યો અને મોદી સરકારને પડકાર કર્યો. રાહુલ ગાંધીએ આરએસએસના વડા ભાગવતની પણ ટીકા કરી અને મોદી-શાહ બંધારણને ખતમ કરી નાખશે, તેમ જણાવીને એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસે દેશને આઝાદી અપાવી, ત્યારે પી.એમ. મોદીનો જન્મ પણ થયો નહોતો. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના ડીએનએમાં સરચાઈ છે, જયારે તેમના (ભાજપના !) ડીએનએમાં વોટ ચોરી છે. વિવિધ રાજ્યના આંકડાઓ સાથે રાહુલ ગાંધીએ વોટ ચોરીના ફરીથી ગંભીર આક્ષેપો કર્યા અને ચૂંટણી કમિશનર ભાજપ સાથે મળીને કામ કરી રહ્યું હોવાના આક્ષેપો પણ દોહરાવ્યા.
પ્રિયંકા ગાંધીએ પણ વડાપ્રધાન પર જનતાના દુઃખમાં સહભાગી નહીં થવાના આક્ષેપો લગાવીને રૂપિયો ગગડી રહ્યો હોવાનો કટાક્ષ પણ કર્યો, તો બીજી તરફ ખડગેએ કેન્દ્ર સરકાર ગરીબો પ્રત્યે બેદરકાર હોવાનો આક્ષેપ લગાવીને દગાબાજ લોકોને સત્તા પરથી હટાવવા હાંકલ કરી હતી. રામલીલા મેદાન પરથી કોંગ્રેસે જે "વોટ ચોર-ગાદી છોડ" ના નારા સાથે જે વિશાળ રેલી યોજી હતી, તેના પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ હવે એકલા હાથે ભાજપના નેતૃત્વમાં સત્તા ભોગવી રહેલી સરકાર સામે તથા એનડીએ ગઠબંધન સાથે ચૂંટણીઓ લડશે, અને કોંગ્રેસના ભોગે અન્ય પક્ષો કે શાસક પક્ષને ફાયદો થાય, તેવી મૂર્ખામી નહીં કરે.
એક તરફ સિયાસતના મેદાનમાં સટાસટી બોલી રહી હતી, તો બીજી તરફ અન્ડર-૧૯ની ભારતીય ક્રિકેટ ટીમનો પાકિસ્તાનની ટીમ સામે ભવ્ય વિજય અને તે પછી રાત્રે દ.આફ્રિકાની ક્રિકેટ ટીમ સામે ભારતીય ક્રિકેટ ટીમનો જબરદસ્ત વિજય માત્ર ક્રિકેટ રસિયાઓ જ નહીં, પરંતુ તમામ ભારતીયો માટે ખુશી અને ગૌરવનો પ્રતીક હતો, અને દેશભરમાં તથા જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરી રહ્યા છે, ત્યાં ત્યાં "મેરા ભારત મહાન" તથા "જય હો" ના નારાઓ ગુંજી રહ્યા હતા.
રવિવાર તો રસ-રોમાંચ અને રંગીલો રહ્યો હતો, તો ગયા અઠવાડિયાનો અંત (વીક-એન્ડ અથવા શનિ-રવિ) અદ્ભુત હતા. વન્ડરફૂલ વીક-એન્ડમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણાની લંબાવાયેલી મુદ્દતમાં ચૂંટણીતંત્ર દોડતું રહ્યું હતું, તો રાજ્ય અને કેન્દ્ર સરકારોના ક્ષેત્રોમાં આ વીક-એન્ડમાં ભારે હલચલ જોવા મળી હતી, અને કેટલીક વન્ડરફૂલ ભવિષ્યવાણીઓ, આગાહીઓ, અનુમાનો અને અટકળોએ રહસ્યમય સસ્પેન્સ પણ ઊભું કરી દીધુ હતું અને તેના અધારે જ આજે નવા અઠવાડિયાના પ્રારંભે જે કાંઈ બની રહ્યું છે તે આપણી સામે જ છે, અને ટૂંક સમયમાં કાંઈક નવાજૂની થવાની છે, અને કડાકા-ભડાકા થવાના હોય, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.
રમત-ગમત હોય કે રાજનીતિ હોય, તેમાં હાર-જીત તો ચાલ્યા જ કરતી હોય છે, પરંતુ ગઈકાલે ક્રિકેટની બંને મેચોમાં જે રીતે ભારતીય ટીમો જીતી છે અને વિરોધી ટીમોનો તોતીંગ પરાજય થયો છે, તે જોતાં એવું કહી શકાય કે આ બંને વિજય અસાધારણ હતા અને પ્રતિસ્પર્ધી ટીમોને જે રીતે પછાડી હતી, તેમાં ખેલદિલી તથા વિજિગીષા (જીતવાની ઝંખના) તો હતી જ, પરંતુ તે ઉપરાંત પણ એક અલગ જ પ્રકારનું ઝનૂન ઝળકી રહ્યું હતુ, જેમાંથી જુસ્સેદાર દેશભાવના છલકાતી દેખાઈ હતી.
આ વીક-એન્ડમાં ફૂટબોલના ખ્યાતનામ ખેલાડીનું ભારતભ્રમણ પણ ચર્ચામાં રહ્યું. કોલકાતાના કોલાહલ અને બંગાળમાં બબાલ થયા પછી હૈદરાબાદ અને મુંબઈની તેની મુલાકાત દરમ્યાન તંત્રો વિશેષ તકેદારી રાખતા જોવા મળ્યા, તો સેલિબ્રિટીઝ તથા સંબંધિત રાજ્યોની સરકારોના વરિષ્ઠો પણ જોડાયા. આમ, વીક-એન્ડ આ વિવાદાસ્પદ પણ રહ્યું અને વન્ડરફૂલ પણ રહ્યું તેમ કહી શકાય.
આ વીક-એન્ડમાં જ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિમણૂકે બધાને ચોંકાવી દીધા છે, તો બીજી તરફ ૧૯ ડિસેમ્બરે દેશના વડાપ્રધાન જ બદલાઈ જશે, તેવી વહેતી થયેલી વાતોને ભ્રમ ગણાવીને ભાજપે ફગાવી દીધી, અને તેની પાછળ જે ફરી એપસ્ટેઈન ફાઈલ્સના કરેલા ઉલ્લેખોને પણ નકારી દેવામાં આવ્યા છે. આ ઘટનાક્રમથી વન્ડરફૂલ વીક-એન્ડમાં એક ઘેરા સસ્પેન્સનો ઉદ્ભવ થયો છે, જેની ચર્ચાઓ ટોક ઓફ ધ નેશન બની છે, અને હવે ૧૯મી ડિસેમ્બરે કાંઈ થવાનું છે કે કેમ ? તેની જ રાહ જોવાની રહી, અને આ ખરેખર એક ભ્રમ જ છે કે પછી તેમાં તથ્ય છે, તે માટે તો ઈન્તેજાર જ કરવો પડશે.
આ તરફ કોંગ્રેસમાં પાર્ટીના અધ્યક્ષ પરિવારવાદ હેઠળ મોટા ભાગે નહેરૂ ગાંધીના પરિવારોમાંથી જ આવે છે, તે જ ભાજપે હવે ભાજપના એક વરિષ્ઠ નેતાના પુત્રને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા પછી સવાલ પૂછાઈ રહ્યો છે કે હવે પરિવારવાદ કયાં ગયો ?
છે....ને....વન્ડરફૂલ વીક-એન્ડ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કવિવર રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતાનો મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો, તે કવિતાના શબ્દો છે...
તારી જો હાક સુણીને કોઈ ના આવે રે,
તો એકલો જા ને રે...એકલો જા ને રે...
આ કવિતાની પ્રત્યેક પંક્તિમાં એક મજબૂત સંદેશ છૂપાયેલો છે. અને જ્યારે બધા લોકો મોઢું ફેરવી જાય કે વિપરીત સંજોગો ઊભા થાય ત્યારે, એકલા જ આગળ વધવાની પ્રેરણા અપાઈ રહી છે. આવી જ એક કવિતા ગોળમેજી પરિષદમાં લંડન જતા ગાંધીજી માટે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીએ "છેલ્લો કટોરો" શીર્ષકથી લખી હતી.
ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખેલી કવિતાના શબ્દો છે...
છેલ્લો કટોરો ઝેરનો, પી જજો બાપુ !
સાગર પીનારા, અંજલિ નવ ઢોળજો બાપુ !
અણખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન મારૃં,
ધૂર્તો-દગાબાજો થકી પડિયું પનારૃં,
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સુનારૂ,
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !
આ બંને કવિતાઓનો સંદર્ભ હાલના રાજકીય રંગમંચના ઘટનાક્રમોને આબેહૂબ લાગુ પડે છે. વર્ષ ૨૦૨૪માં ભાજપને પહેલાની બે લોકસભાની ચૂંટણીઓ કરતા ઓછી બેઠકો મળી હોવા છતાં એનડીએ ગઠબંધનની સરકારનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર પછીના દસ વર્ષ પછીની સ્થિતિમાં નવા નામકરણ સાથે વિપક્ષોનું "ઈન્ડિયા" ગઠબંધન રચાયું છે, જે હાલનું મજબૂત વિપક્ષી ગઠબંધન ગણાય છે.
વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતાપક્ષની પીછેહઠ પછી પણ સાથીદાર પક્ષોના ટેકાથી મોદી સરકાર ચાલી રહી છે, ત્યારે વિપક્ષો માટે એકજૂથ થઈને ભાજપને વધુ પડકાર આપવાની તક હતી, પરંતુ કેટલાક રાજ્યોમાં ભાજપને જનાદેશ મળ્યો, તો અન્ય કેટલાક રાજ્યોની વિધાનસભાઓમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકારોના સથવારે ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધુ છે અને કેટલાક રાજ્યોમાં, ઉભયપક્ષે તોડફોડ પછી સત્તા પરિવર્તનો થયા છે, તો બીજી તરફ કોંગ્રેસ બદલાયેલી રાજકીય સ્થિતિનો લાભ લઈ શકી નથી. છેલ્લે બિહારમાં તો વિપક્ષોના સુપડા સાફ થઈ ગયા, અને નીતિશકુમારના નેતૃત્વમાં ત્યાં ફરીથી એનડીએની સરકર તોતીંગ બહુમતીથી રચાઈ, અને કોંગ્રેસને સિંગલ ડિજિટમાં બેઠકો મળી, તે પછી હવે કોંગ્રેસે કદાચ "એકલો જા ને રે..."કવિતાની જેમ એકલા જ ચૂંટણીઓના મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હોય અને છેલ્લો ઝેરનો કટોરો પી લેવાની ગાંધીબાપુને ઉદૃેશીને લખાયેલી કવિતા મુજબ ધૂર્ત અને ધોખેબાજો સાથે લડવા માટે કાંઈક અલગ જ રણનીતિ ઘડીને કોંગ્રેસે મક્કમતાથી એકલા હાથે રાજકીય પડકારો ઝીલવાનું નક્કી કર્યું હોય, તેવા સંકેતો મળી રહ્યા છે, અને કોંગ્રેસે દિલ્હીમાં એસઆઈઆર વિરોધી રેલીમાં અન્ય પક્ષોને બોલાવ્યા જ નથી.
બિહાર અને તે પહેલાની ચૂંટણીઓના અનુભવે એ સમજાયું છે કે જો કોંગ્રેસે એકલા હાથે ચૂંટણીઓ લડી હોત તો અત્યારે જે બેઠકો મળી રહી છે, તેના કરતા તો વધુ બેઠકો મળી જ હોત. કોંગ્રેસ જો એકલા હાથે ચૂંટણી લડે, તો સૌથી જૂની અને સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન રચાયેલી કોંગ્રેસ પાર્ટીના કમિટેડ મતો વહેંચાઈ ન જાય, અને સાથીદાર પક્ષોના વિરોધી જનમતનો ભોગ પણ કોંગ્રેસને બનવું ન પડે...
વિપક્ષોના ગઠબંધનમાં કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં બેઠકોની વહેંંચણી સમયે ઓછી બેઠકો મળે, તેમાં પણ કોંગ્રેસના કમિટેડ મતો તથા ભાજપ-એનડીએ વિરોધી જનમત રહેતો હોય, તેવી બેઠકો સાથીદાર પક્ષોને ફાળે જાય, ચૂંટણી પ્રચાર દરમ્યાન પ્રાદેશિક પક્ષોનો પ્રચાર પણ કોંગ્રેસે કરવો પડે, ત્યારે પ્રાદેશિક પક્ષો શાસિત રાજ્યોમાં ત્યાંની એન્ટી ઈન્કમ્બન્સીનો ભોગ કોંગ્રેસને પણ બનવું પડે, અને સૌથી વધુ મહત્ત્વનું એ પણ છે કે ગઠબંધન ધર્મ નિભાવીને કોંગ્રેસને ફાળે આવેલી બેઠકો પર સાથીદાર પક્ષોના કાર્યકરોએ કોંગ્રેસનો પ્રચાર કરવો જોઈએ અને પ્રાદેશિક પક્ષોના કમિટેડ મતો કોંગ્રેસને ટ્રાન્સફર થવા જોઈએ, તેવું થવાના બદલે મતો વહેંચાઈ (કે વેચાઈ) જાય, તેથી એકંદરે હવે ગઠબંધન રચીને ચૂંટણી લડવી, એ કોંગ્રેસ માટે ખોટનો સોદો બની રહ્યું હોવાના તારણો આંતરિક સર્વે તથા તટસ્થ વિશ્લેષકો દ્વારા નીકળી રહ્યા હોવાનું કહેવાય છે.
બીજી તરફ કોંગ્રેસના કમિટેડ મતો ગઠબંધનના સાથીદાર પક્ષોને ટ્રાન્સફર થતા ગઠબંધનના અન્ય પક્ષો મજબૂત બનતા જાય, અને કોંગ્રેસ નબળી પડતી જાય, તેવો ઘાટ સર્જાતા કોંગ્રેસ પણ "આપ" ની જેમ "એકલો જા ને રે..."ની નીતિ અપનાવવા જઈ રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. કેટલાક ચોક્કસ વિસ્તારો કે બેઠકો પર ગઠબંધનમાં રહીને લડવાથી કોંગ્રેસને ફાયદો પણ થઈ શકે, પરંતુ એકંદરે કોંગ્રેસના ભોગે અન્ય પક્ષો વધુ શક્તિશાળી બનતા જાય, અને કોંગ્રેસ દિવસે દિવસે નબળી પડતી જાય, તેના કરતા કોંગ્રેસ મોટેભાગે એકલા હાથે ચૂંટણી લડે, તો સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટીની શાખ પણ જળવાઈ રહે અને ભાજપ-એનડીએ સામેની એન્ટી ઈન્કમ્બન્સીનો મહત્તમ ફાયદો કોંગ્રેસને મળી શકે, તેવું ગણિત મંડાયું હોય તેમ જણાય છે.
કોંગ્રેસમાં ભૂતકાળમાં પણ ઘણી વખત પડકારો ઊભા થયા હતા અને ભાગલા પડતા રહ્યા હતા. અત્યારે ભાજપ, શિવસેના, સમાજવાદી, સામ્યવાદી અને ડાબેરી પક્ષો, મુસ્લિમ લીગ, ઓવૈસીની પાર્ટી જેવા કેટલાક રાજકીય પક્ષો સિવાયના મોટા ભાગના રાજકીય પક્ષો ભૂતકાળમાં વિખરાયેલી કોંગ્રેસમાંથી જ સ્થપાયા છે. વર્ષ ૧૯૬૯, ૧૯૭૫, ૧૯૮૯, ૧૯૯૫ અને ૧૯૯૯માં કોંગ્રેસને ઝટકો આપીને ઘણાં કદાવર નેતાઓએ કાં તો અન્ય રાજકીય પક્ષ બનાવ્યો, અથવા તો અન્ય પક્ષમાં પક્ષાંતર કર્યું, અને જે તે સમયે કોંગ્રેસ નબળી પડી ગઈ. કેટલીક વખત તો કોંગ્રેસના અસ્તિત્વનો સવાલ ઊભો થાય, તેવા ઘટનાક્રમો પણ સર્જાયા, પરંતુ ધીમે ધીમે આપબળે લડીને કોંગ્રેસ પુનઃ ઊભી થતી રહી. એકવીસમી સદીના પ્રારંભે કેન્દ્રમાંથી ભાજપના નેતૃત્વમાં રચાયેલી એનડીએની સરકારને હટાવવા કોંગ્રેસે યુપીએ ગઠબંધનનું નેતૃત્વ કર્યું અને દસ વર્ષ શાસન પણ કર્યું, પરંતુ તે પછી મોદી યુગ આવ્યો અને છેલ્લા દાયકામાં કોંગ્રેસ ધીમે ધીમે ઘસાતી જ રહી, જ્યારે યુપીએના સાથીદાર પક્ષોનું જોર વધતું રહ્યું. એકવીસમી સદીના પ્રારંભે કોંગ્રેસ પાસે જે રાજ્યો હતા, તે પણ ધીમે ધીમે સરકવા લાગ્યા. તેથી બિહારની ચૂંટણી પછી કોંગ્રેસે હવે "એકલા હાથે" તમામ ચૂંટણીઓ લડવાનો નિર્ણય લીધો હોય, તો તે સાચી દિશાનું કદમ હોવાના પ્રતિભાવો અને અભિપ્રાયો સામે આવી રહ્યા છે.
બીજી તરફ ભાજપ અને એનડીએને અંકુશમાં રાખવા કે મહાત કરવા એકજૂથ થવું પડે, તો પણ ગઠબંધનોમાં જોડાવાના બદલે પ્રદેશવાર તથા બેઠકવાર વિચારણા કરીને બેઠકોની વહેંચણી કરી શકાય, તેવો વિકલ્પ પણ ખુલ્લો રહે છે. ટૂંકમાં આ પ્રયોગ ટૂંકા ગાળા કે એકાદ ચૂંટણી પૂરતો મર્યાદિત નહીં, પણ લાંબા ગાળા માટે કરવો જોઈએ, તેવું તારણ નીકળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સંસદમાં એસઆઈઆરને લઈને બંને ગૃહોમાં લાંબી ચર્ચાઓ ચાલી અને કોંગ્રેસે સત્તાધારી પક્ષો અને ખાસ કરીને ભાજપ પર વોટચોરીના આક્ષેપો લગાવ્યા, ચૂંટણીપંચ પર આક્ષેપો કર્યા અને વોટ ચોર, ગાદી છોડની નારેબાજી સડકથી સંસદ સંકુલ સુધી ગુંજી. બીજી તરફ બિહાર પછી ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં એસઆઈઆરની કામગીરીનો પ્રથમ તબક્કાનો સમયગાળો ચૂંટણીપંચે વધારવો જ પડ્યો, અને થોડા દિવસો પહેલા અહીંથી જે સશંક અનુમાન કરાયું હતું, તે યથાર્થ ઠર્યું.
"નોબત"ના તા. ૧-૧૨-૨૫ના અખબારમાં તંત્રીલેખના માધ્યમથી અનુમાન કરાયું હતું કે બીએલઓ દ્વારા ઘેર ઘેર ફોર્મ્સ પહોંચાડીને યોગ્ય વિગતો લખાવીને પરત એકત્ર કરવા માટે એક મહિનાનો સમયગાળો પૂરો નહીં પડે, અને આ મુદ્દત ચૂંટણીપંચે વધારવી જ પડશે, અને ચૂંટણીપંચે આ મુદ્દત પુનઃ એક અઠવાડિયા સુધી લંબાવવી પડી છે, આ મુદ્દત વધાર્યા પછી પણ ફૂલપ્રૂફ મતદારયાદી તો તૈયાર નહીં જ થાય, અને એક વખત પ્રાથમિક (ડ્રાફટ) મતદારયાદી પ્રસિદ્ધ થશે, તે પછી તેને સુધારવા અને વાંધા-સૂચનો પૂરાવા મેળવ્યા પછી પણ ફાયનલ મતદારયાદી તૈયાર કરવા સુધીની પ્રક્રિયા માટે હજુ પણ સમયગાળો પૂરો નહીં પડે, તેવી આશંકા રહે છે.
ગઈકાલે સમાચાર આવ્યા હતા કે ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડૂ, છત્તીસગઢ અને આંદામાન નિકોબારમાં ચૂંટણીપંચે એસઆઈઆરની પ્રક્રિયાની મુદ્દત લંબાવી દીધી છે. આ કારણે ગુજરાતમાં એસઆઈઆરના ફોર્મ્સ ભરવાની છેલ્લી તારીખ ૧૪ ડિસેમ્બર થઈ ગઈ છે, અને ડ્રાફટ મતદારયાદી એટલે કે પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવાની તારીખ પણ ૧૬ ડિસેમ્બરથી લંબાવીને ૧૯મી ડિસેમ્બર કરવામાં આવી છે. આ જાહેરાત થયા પછી પણ વાંધા-સૂચનો તથા ચૂંટણીપંચની નોટિસ મળ્યેથી જરૂરી આધાર-પૂરાવા રજૂ કરવાની તક મળશે અને તે પછી નિયત કરેલા તથા વખતોવખત સુધરતા રહેતા ટાઈમટેબલ મુજબ આખરી મતદારયાદીઓ પ્રસિદ્ધ થવાની છે.
સંસદમાં એસઆઈઆરનો મુદ્દો દરરોજ ઉછળી રહ્યો છે, તો કેટલાક રાજયોમાં પણ એસઆઈઆરના મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે જ એસઆઈઆરનું ફોર્મ નહીં ભર્યું હોવાના ગઈકાલે આવેલા અહેવાલોના અનુસંધાને રાજનીતિ ગરમ થઈ ગઈ છે અને તેણીએ વેલણ લઈને તૈયાર રહેવા જેવી કોઈ વાત કરી હોવાના અહેવાલોએ પણ વિવાદ જગાવ્યો છે, તો બીજી તરફ ગુજરાતમાં પણ આ મુદ્દે રાજનીતિ ગરમાઈ રહી છે, અને કોંગ્રેસે રાજયમાં કેટલી વોટ ચોરી થઈ છે, તેના આંકડાઓને ટાંકીને ચૂંટણીપંચ તથા સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા પછી હલચલ મચી ગઈ છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ગઈકાલની પ્રેસ-કોન્ફરન્સના પડઘા પણ દેશની રાજધાની સુધી પડ્યા હશે. આ પત્રકાર પરિષદમાં ચાવડાએ એવો દાવો કર્યો હતો કે ગુજરાતમાં ૧૪ ટકા જેટલી વોટ ચોરી થઈ છે.
રાજ્યમાં ૫.૦૮ કરોડથી વધુ મતદારો મતદારયાદીમાં હતા, તેમાંથી મૃત્યુ પામેલા, સ્થળાંતર કરી અન્યત્ર ચાલ્યા ગયેલા, ડુપ્લીકેટ અને મળી નહીં આવતા કુલ ૭૪ લાખથી વધુ મતદારોના નામ હટાવાયા હોય, તો એમ કહી શકાય કે ગુજરાતની મતદારયાદીઓના દૃષ્ટિકોણથી ૧૪.૬૧ ટકા મતોની અત્યાર સુધી ચોરી થતી હશે. જે નામો હટાવાયા છે, તેના નામે તાજેતરની ચૂંટણીઓમાં મતદાન કરાયું હતું કે કેમ ? અને કરાયું હોય તો કોણે કર્યું હતું, તેની તપાસ તો થવી જ જોઈએ, પરંતુ નિયમાનુસાર જો કોર્ટ કેસ થયો ન હોય કે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ ન થઈ હોય તો નિયત સમય મર્યાદા પછી ચૂંટણી પ્રક્રિયાના વીડિયો ફૂટેજ, સીસીટીવી ફૂટેજ, વગેરેનો નાશ કરી દેવાતો હોવાથી આ પ્રકારની તપાસ સંભવ બનતી નહીં હોવાની ચર્ચા પણ થઈ રહી છે. તો ભાજપ એવું કહે છે કે માત્ર પ્રેસ-મીડિયા સમક્ષ નિવેદનો અને પ્રેઝન્ટેશનો રજૂ કરવાના બદલે પહેલા ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરવા અને જરૂર પડયે અદાલતના દ્વાર ખખડાવવાની હિંમત કેમ થતી નથી ? જો આક્ષેપો સાચા જ હોય તો બંધારણીય અને ન્યાયિક વ્યવસ્થાઓનો માર્ગ અપનાવવાના બદલે ગૃહમાં હોબાળા કરવા તથા પ્રેસ-મીડિયામાં ગોકીરૃં કરવાની તરકીબોને જનતા ઓળખી ગઈ છે વગેરે...
આ આંકડાઓને જ મુદ્દો બનાવીને અમિત ચાવડાએ એવો સણસણતો આક્ષેપ કર્યો છે કે વર્ષ ૨૦૦૨ થી અત્યાર સુધીમાં જેટલી ચૂંટણીઓ થઈ છે, તેમાં ભાજપે ૧૪ ટકા થી વધુ "વોટ ચોરી" કરી છે. તેમણે એસઆઈઆરની અણઘડ કાર્યવાહી તથા અંધાધૂંધ દબાણયુક્ત આદેશો દ્વારા માનસિક તાણ અને પ્રેશરના કારણે ૯ જેટલા બીએલઓએ જીવ ગુમાવ્યો હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ચૂંટણીપંચ પોતાની ભૂલો પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
બીજી તરફ ચૂંટણીપંચે દાવો કર્યો હતો કે ૧૧મી ડિસેમ્બર સુધીમાં રાજ્યના ૨૭ જિલ્લાઓમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલની મતદારયાદીમાંથી અવસાન પામેલા ૧૮ લાખથી વધુ મતદારો, ૩.૩૭ લાખથી વધુ રિપીટેડ મતદારો અને કાયમી ધોરણે સ્થળાંતર થયેલા ૪૦.૪૪ લાખ સહિત ૭૪લાખ મતદારો અંગે ચૂંટણીપંચ નિયમાનુસાર પ્રક્રિયા હાથ ધરશે, તેમ જાહેર થયું છે.
આ આંકડાઓ જોતાં પ્રશ્ન એ ઉઠે છે કે કાયમી સ્થળાંતર થયેલા મતદારોના નામો તેઓના નવા સરનામે ઉમેરાયા છે ખરા ? જે નામો રિપીટેડ એટલે કે બ જગ્યાએ નોંધાયેલા હોય, તે ચૂંટણીપંચની જ સિસ્ટમની ગંભીર ક્ષતિ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. નોકરી-ધંધાના કારણે ગામ-શહેર કે જિલ્લો બદલીને અન્યત્ર રહેવા ગયેલા મતદારોને જ્યારે કોઈ ચૂંટણી આવે ત્યારે નવા સ્થળે ઉમેરવાનું ફોર્મ ભરતી વેળાએ જ તેના જૂના સરનામાની વિગતો મતદારે દર્શાવી હોવા છતાં, જૂની જગ્યાએથી જેઓના (સિસ્ટમની કાયમી ખામીના કારણે) નામ કમી થયા નહોતા, તેવા રિપીટેડ ઉમેદવારોના નામ હટાવાયા હોય તો તેમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ પણ સર્જાયો છે, હવે એસઆઈઆર પ્રક્રિયા સંપન્ન થયા પછી પણ સ્થળાંતર થયેલા ૪૦ લાખથી વધુ મતદારો નવા સ્થળે મતદાર તરીકે ઉમેરાયા છે કે નહીં, તેની તપાસ કોણ કરશે ? તેવો સવાલ અસ્થાને નથી...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નગરમાં ઝળહળાટ, દેશમાં ઉલ્લાસ, 'રામરાજ્ય'ની પરિકલ્પના સાકાર થશે ?
ગઈકાલે છોટી કાશી ગણાતું રજવાડીનગર જામનગર રાત્રિના સમયે વધુ ઝળહળી ઉઠયું હતું અને દીપોત્સવી પર્વ પછી ફરીથી દિવાળીની ઉજવણી શરૂ થઈ રહી હોય, તેમ રંગોળીઓ દોરવામાં આવી હતી, નગરના મ્યુઝિયમમાં એક હજાર દિવળાઓ પ્રજજવલીત થયા હતા, જેથી "દીપોત્સવી" પર્વ જેવો માહોલ સર્જાયો હતો. રંગબેરંગી રોશની, રૂપાળી રંગોળીઓ અને દીપોત્સવ નો ત્રિવેણી સંગમ થતા લાખેણું લાખોટા તળાવ ઘણું જ આકર્ષક, મનમોહક અને સોહામણું લાગી રહ્યું હતું.
જામનગરમાં કરોડોના ખર્ચે નિર્માણ થયેલો ફલાય ઓવરબ્રિજ તાજેતરમાં જ ખુલ્લો મુકાયો છે, અને તેમાં અંગ્રેજોને હંફાવનાર રાણી લક્ષ્મીબાઈની ઘોડેશ્વાર સ્વરૂપની તલવાર ધારણ કરેલી પ્રતિમાની ફરતે થયેલા સુશોભન અને તેને ફરતે નવનિર્મિત ફલાય ઓવરબ્રિજને રંગબેરંગી રોશનીથી ઝળહળતો કરાયો છે, તેની સાથે નયનરમ્ય કલરફૂલ ફૂવારાઓનો સંગમ તથા અદ્ભુત દૃશ્યો સર્જાય છે. આ સ્થળે રોશનીનો ઝગમગાટ કાંઈક અલગ જ ભાત પાડી રહ્યો હતો, અને દિવાળીના પર્વે થતા સુશોભન અને રોશની જેવા જ આબેહૂબ દૃશ્યો ખડા થયા હતા.
આ ઉપરાંત જામનગરમાં ઠેર ઠેર સુશોભનો તથા રંગબેરંગી અદ્ભુત અને આકર્ષક રોશનીના ઝળહળાટથી ઐતિહાસિક અને પ્રવર્તમાન સમયમાં વ્યૂહાત્મક તથા વિકાસની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવું જામનગર કાંઈક અલગ જ ભાત પાડતું જણાતુ હતું. અનેક સ્થળોએ વિશેષ રંગોળીઓ દોરવામાં આવી હતી અને તેની ફરતે દિવડાઓ ગોઠવીને સુંદર કલાત્મક દૃશ્યો ઊભા કરાયા હતા. કલેકટરની કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી જેવા સરકારી કાર્યાલયો પણ ઝળહળી રહ્યા હતા અને જિલ્લા સેવા સદનો ઉપરાંત લાલબંગલા સર્કલ, કેટલાક મંદિરો તથા નગરના મુખ્ય સંકુલોમાં સુશોભન, અને કલરફૂલ લાઈટીંગ સાથે દિવડાઓ પ્રગટાવાયા હતા અને રંગોળીઓ દોરવામાં આવી હતી.
આ ઝળહળાટ જોઈને કોઈને પણ સવાલ ઉઠે કે ફરીથી દિવાળી આવી ગઈ કે શું ? આવી રીતે આખું નગર કેમ સુશોભિત અને ઝગમગતું કરાયું છે ? તો તેનો જવાબ પણ એવો મળ્યો કે, હા, જામનગરમાં આ વર્ષે ફરીથી દિવાળી ઉજવાઈ રહી છે, અને જામનગરમાં ગઈકાલે 'ઈન્ટેન્જિબલ દિવાળી'ની ઉજવણી થઈ હતી અને તેના સંદર્ભે આજે સવારે પણ ટાઉનહોલમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
હકીકતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે સંકળાયેલી સંસ્થા યુનેસ્કોની આ વર્ષે દિલ્હીના લાલ કિલ્લામાં યોજાયેલી બેઠક દરમ્યાન દિવાળીના તહેવારને "અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત" માં સામેલ કરવાની જાહેરાત થઈ, તેના સંદર્ભે થઈ રહેલી દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે જામનગરમાં પણ ગઈકાલે આ ઉજવણી થઈ હતી, અને એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આપણાં દેશના આ તહેવારને મળેલા ગૌરવના વધામણાં થયા હતા. યૂનેસ્કોએ ભારતના ગૌરવભર્યા સાંસ્કૃતિક વારસા તરીકે દિવાળીના તહેવારનો સ્વીકાર કર્યો હતો, તેને વિશ્વભરમાં વસવાટ કરતા ભારતીયો દ્વારા પણ આવકાર અપાઈ રહ્યો છે, અને તદ્ વિષયક પ્રશંસાત્મક પ્રતિભાવો આવી રહ્યા છે.
હકીકતે યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્ર સંઘને સંલગ્ન સંસ્થા છે, જેનું ફૂલફોર્મ "યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન" છે, એટલે કે "સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન" તેવો તજુરમો કરી શકાય.
યુનેસ્કો વિશ્વના દેશોમાં શિક્ષણ, સાંસ્કૃતિક અને વિજ્ઞાનના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગને વિસ્તારવા અને પ્રોત્સાહિત આપવાનું કામ કરે છે. યુનેસ્કોનું મુખ્ય મથક ફ્રાન્સના પેરિસમાં છે. યુનેસ્કોના પ્રમુખપદે વર્ષ-૨૦૧૭થી સેવા આપતા મહિલા અગ્રણી ઓડ્રે અકોલેના સ્થાને નવેમ્બર-૨૦૨૫માં ચૂંટાયેલા ખાલિદ અલ એનાની હવે કાર્યભાર સંભાળવાના છે, તેવા સમયે ભારતને મળેલું આ ગૌરવ આપણાં દેશના તહેવારોની વૈશ્વિક ઓળખ પણ પ્રસ્થાપિત કરે છે. યુનેસ્કોમાં ૧૯૪ દેશ સામેલ છે, અને બીજા ૧૨ દેશો સહયોગી છે. એટલે કે લગભગ આખી દુનિયામાં સકારાત્મક અને સર્વવ્યાપી દૃષ્ટિએ કાર્યરત આ સંસ્થા ઘણી જ મહત્ત્વપૂર્ણ છે, આ સંસ્થાના પ્રમુખને મહાનિર્દેશક કહેવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવાના ઉદૃેશ્યથી ૧૬ નવેમ્બર ૧૯૪૫ના દિવસે થઈ હતી, અને ભારત આઝાદી પહેલાથી જ વર્ષ-૧૯૪૬થી આ સંસ્થાનું સભ્ય છે. આ વૈશ્વિક સંસ્થાએ આપણાં દેશના હવે સાર્વજનિક તહેવાર જેવા બની ચૂકેલા ફેસ્ટિવલને "અમૂર્ત સાંસ્કૃતિક વારસો" જાહેર કર્યો છે, જેની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. દિવાળીના પર્વે વનવાસ પછી "રામરાજ્ય" ની અયોધ્યામાં પુનઃ સ્થાપનાનો ઈતિહાસ છે.
આ દેશવ્યાપી ઉજવણી હતી, અને આપણે તેની ઉજવણી દિવાળી અને રાષ્ટ્રીય પર્વની જેમ જ જામનગર સહિત હાલારમાં ભલે કરી હોય, પરંતુ આ ઝળહળાટ પાછળ છુપાયેલી કેટલીક કડવી વાસ્તવિકતાઓને પણ સ્વીકારવી પડે અને દેશના પ્રત્યેક નાગરિકના જીવનમાં આ જ પ્રકારનો ઝળહળાટ આવે, સામાન્ય જનતાના જીવનમાં રોનક આવે અને હવાઈ સિદ્ધિઓના ગુબ્બારાના ગ્લેમરમાં ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ વિસરાઈ ન જાય, તેનું ધ્યાન રાખીએ. દિવાળીના તહેવારને મળેલા વૈશ્વિક ગૌરવને આવકારીએ અને દિવાળીના પર્વે સ્થપાયેલા "રામ રાજ્ય"ની પરિકલ્પનાને સાર્થક કરવા માટે આશાવાદી બનીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ટી-૨૦ ક્રિકેટ મેચમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ૧૦૧ રને જીતી અને દ.આફ્રિકાની ટીમ માત્ર ૭૪ રનમાં જ સમેટાઈ ગઈ. આમ, પહેલી જ મેચ હારીને દક્ષિણ આફ્રિકાની ટીમ થોડી બેકફૂટ પર આવી ગઈ, અને ઈન્ડિયાનો જુસ્સો વધ્યો. દ.આફ્રિકાની ટીમ પૂરી ૧૩ ઓવર પણ રમી શકી નહીં, અને ભારતના બોલરો સામે દ. આફ્રિકાએ ઘૂંટણીયા ટેકવી દીધા હોય,તેમ જણાયુ. ક્રિકેટના ટી-૨૦ મેચની જેમ જ રાજકીય પીચ પર પણ રસાકસીભરી રાજરમત રમાઈ રહી છે અને રોમાંચક રાજકીય ખેલ જામશે, તેમ જણાય છે.
સંસદમાં પણ વંદે માતરમ્ના વિષય પર ઐતિહાસિક ચર્ચા થઈ અને એસઆઈઆરના મુદ્દે પણ ગરમાગરમ ચર્ચા થશે, આ ચર્ચાઓ દરમ્યાન ટ્રેઝરી બેન્ચ અને ઓપોઝીશન (શાસક પક્ષો અને વિપક્ષો) વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપોની ફટકાબાજી થઈ, ચોકા અને છક્કા ફટકારાયા, બાઉન્સર અને પેસ બોલીંગ પણ થઈ અને સ્પીન તથા મીડિયમ પેસર બોલરની જેમ દ્વિઅર્થી તથા વ્યંગાત્મક વકતવ્યો પણ થયા, ગુગલી પણ ફેંકાઈ અને શોર્ટપીચ બોલીંગની જેમ તીખા-તમતમતા નિવેદનો પણ થયા. છેલ્લી ત્રણ સદીના ઈતિહાસથી લઈને રામાયણ-મહાભારત કાળ અને તેથીયે પ્રાચીનકાળના ઉલ્લેખો થયા. એકંદરે આ બધી ચર્ચાઓ સાર્થક નિવડી, નિરર્થક હતી કે કેટલાક અંશે ઉપયોગી અને કેટલાક અંશે ફાલતૂ હતી, તેનું તારણ કાઢવાનું મહત્ત્વપૂર્ણ કામ દેશની શાણી અને લોકતાંત્રિક ઢબે પરિપક્વ થઈ ચૂકેલી જનતા પર છોડીએ, પરંતુ આ ચર્ચાઓ દરમ્યાન પણ "ઘૂંટણીએ" પડી જવાના વ્યંગાત્મક સંકેતો પણ અપાયા, અને કટાક્ષો પણ થયા.આ પ્રકારની ચર્ચાઓ દરમ્યાન દેશની ગરીબી, બેરોજગારી, મોંઘવારી જેવી સમસ્યાઓથી લઈને બેલેટ પેપરથી ચૂંટણીઓમાં થતા બૂથ કેપ્ચરીંગ થી લઈને ઈવીએમ અને એસઆઈઆર સુધીના ઉલ્લેખો કરીને રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા અને પરસ્પર "ચીર હરણ" કરતા હોય, તેવા તથ્યો વર્ણવીને પૂરવાર કર્યું કેે "હમામ મેં સબ નંગે હૈ..."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે માતરમ્ના મુદ્દે મુસ્લિમ લીગ સામે ઘૂંટણીએ પડવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો, તો વિવિધ ચર્ચાઓ દરમ્યાન સંસદમાં રાહુલ ગાંધીએ "વોટચોરી"નો મુદ્દો ઉઠાવ્યો, અને નિશાંત દુબેએ ભૂતકાળની વોટચોરી વર્ણવી...તો ગુજરાતમાં કાંઈક અલગ જ દૃશ્યો સર્જાયા.
જેવી રીતે દ.આફ્રિકાની ટીમે ટીમ ઈન્ડિયા સામે ઘુંટણીયા ટેકવી દીધા, અને રાજકીય ખેલની વાતોમાં પણ ઘુંટણીયે પડવાનો મતલબ નીકળતો હોય, તેવા વ્યંગબાણો છૂટ્યા હતા, તેવી જ રીતે ગુજરાતની મુલાકાતે "આપ"ના અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર ઈન્ડિગો એરલાઈન્સ સામે ઘુંટણીયે પડી ગઈ હોવાનો આક્ષેપ કર્યો...
જેવી રીતે અમદાવાદમાં વિરાટ ખેલ સંકુલ ઊભું કરીને તથા મોટેરા સ્ટેડિયમને વધુ મોટું કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવીને ગુજરાતને ગ્લોબલ ઓલિમ્પિક તથા કોમનવેલ્થ ખેલો માટે તૈયાર કર્યું, તેવી જ રીતે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ પણ આગામી ચૂંટણીઓ માટે ગુજરાતની ભૂમિ પસંદ કરી લીધી હોય તેમ જણાય છે. કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રીયકક્ષાનું અધિવેશન યોજ્યું અને યાત્રાઓ કાઢી, તો આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં શ્રેણીબદ્ધ પ્રવાસો, કાર્યક્રમો અને સભાઓ યોજવાની શરૂઆત કરી દીધી છે. અરવિંદ કેજરીવાલના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે અને જિલ્લા-તાલુકા અને ગ્રામ્યકક્ષા સુધી આમઆદમી પાર્ટીનું નેટવર્ક ગોઠવાઈ રહ્યું છે, તેથી હવે રાજકીય ક્ષેત્રના ટી-૨૦, વન-ડે અને છેલ્લે ટેસ્ટમેચ એટલે કે પંચાયત, પાલિકા, મહાપાલિકાની ચૂંટણીઓ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને વર્ષ ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીઓ માટેની રાજકીય પીચ પણ તૈયાર કરવામાં આવી રહી હોય તેમ જણાય છે.
અરવિંદ કેજરીવાલે રાજકોટની મુલાકાત દરમ્યાન ગુજરાતની ભાજપની સરકારને તાનાશાહીનું જિવંત ઉદાહરણ ગણાવી છે. ગોવા અગ્નિકાંડના દોષિતો દેશ છોડીને ભાગી ગયા, અને ખેડૂતો સાથે અન્યાય થાય છે, તેવા આક્ષેપો ઉપરાંત કેજરીવાલે પેપરલીક, દારૂબંધી, ડ્રગ્સ વગેરે મુદ્દાઓ ઉઠાવીને એવો વિચિત્ર આક્ષેપ પણ કર્યો કે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સાઠગાંઠ છે, અને બંને સાથે મળીને શાસન ચલાવી રહ્યા છે !
કેજરીવાલે આક્ષેપબાજી અને બળાપો કાઢયા પછી એવો દાવો પણ કર્યો છે કે વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીને બહુમત મળશે. કેજરીવાલની આ મુલાકાત દરમ્યાન ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા વગેરે સ્થાનિક નેતાઓના નિવેદનો પણ ઘણાં જ સૂચક છે.
હવે કોણ કોના ઘુંટણીએ પડયું છે, કોની-કોની વચ્ચે મિલીભગત છે અને આગામી ચૂંટણીઓ કોણ જીતશે, તેનો નિર્ણય અંતે તો ગુજરાતની જનતા જ કરશે ને ? યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ...
એટલું ચોક્કસ છે કે આવતા વર્ષે થનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને તે પછી વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ભાજપ તદૃન સરળતાથી જીતી શકે તેમ જણાતુ નથી, જ્યારે આપ અને કોંગ્રેસ માટે પણ કપરાં ચઢાણ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના એક રિસર્ચ પેપરને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ દેશના જીડીપી ગ્રોથમાં ગુજરાત ટોપ-ફાઈવમાં આવ્યું છે. ગુજરાતનો દેેશના જીડીપીમાં હિસ્સો વર્ષ-૨૦૨૦-૨૧માં ૭.૫ ટકા હતો, જે વર્ષ ૨૦૨૦-૨૧માં ૮ ટકા અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૮.૧ ટકા થયો છે. મહારાષ્ટ્રનો દેશના જીડીપીમાં વર્ષ ૨૦૧૦-૧૧માં ૧૫.૨ ટકા હિસ્સો હતો, તે વર્ષ ૨૦૨૩-૨૪માં ઘટીને ૧૩.૧ ટકા થયો છે. આ રિસર્ચ પેપરમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોનું દેશના જીડીપીમાં અવ્વલ યોગદાન રહ્યું હોવાના તારણો કઢાયા છે. અને બંને રાજ્યોને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે.
ભારત આઝાદ થયા પછી ભાષા આધારિત રાજ્યોની વર્ષ ૧૯૫૬માં રચના થઈ, તે સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો નહોતા, પરંતુ મરાઠી અને ગુજરાતી ભાષા બોલતા નાના નાના રાજ્યોનો સમૂહ બૃહદ મુંબઈ રાજ્યમાં સમાવાયો હતો. રાજાશાહીના સમયના નાના મોટા રાજ્યોના વિલીનીકરણ પછી દેશમાં જ્યારે ભાષા આધારિત રાજ્યો રચાયા, ત્યારે બૃહદ મુંબઈમાં મુખ્યત્વે બોલાતી મરાઠી અને ગુજરાતી ભાષા આધારિત રાજ્યોની કોઈ કારણે રચના થઈ નહીં, પરંતુ તે પછી મહાગુજરાત આંદોલન તથા બીજી તરફ મરાઠી ભાષા બોલતા રાજ્યની રચના માટે પણ જન ચળવળો શરૂ થઈ, તે પછી અંતે વર્ષ ૧૯૬૦ના દિવસે બૃહદ મુંબઈ રાજ્ય (બોમ્બે સ્ટેટ)માંથી બે રાજ્યોની રચના થઈ, જેમાંથી એક રાજ્ય ગુજરાત અને બીજું રાજ્ય હતું મહારાષ્ટ્ર...
આ બંને રાજયોની રચના સમયે દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ ગુજરાતમાં રહેશે કે મહારાષ્ટ્રમાં, તે અંગે પણ ખેંચતાણ થઈ હતી એન છેવટે મુંબઈ મહારાષ્ટ્રમાં રહ્યું હતું. જ્યારે પશ્ચિમ રેલવેના મુખ્ય મથક સહિતના કેટલાક રાજ્યકક્ષાના એકમો અને સંસ્થાનો ગુજરાતને ફાળવવાની વાત થઈ હતી, જેમાંથી મોટા ભાગે તે પછી અમલ થયો નહોતો, જેથી એ એક અલગ વિવાદનો વિષય બન્યો હતો.
દેશની આર્થિક રાજધાની મુંબઈ મહારાષ્ટ્રમાં હોવાથી દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન સર્વાધિક રહે, તે સ્વાભાવિક છે, પરંતુ ગુજરાત પણ દેશના વિકાસમાં પહેલેથી જ સહભાગી રહ્યું છે, અને પ્રવર્તમાનકાળમાં ટોચના ઉદ્યોગપતિઓ તથા બિઝનેસમેનોમાં ઘણાં ગુજરાતીઓ છે. મુંબઈ તથા મહારાષ્ટ્રમાં રહેતા મૂળ ગુજરાતના વતનીઓ પણ ત્યાંના વ્યાપાર ઉદ્યોગમાં સહભાગી છે. ગુજરાતીઓ બિઝનેસ-ઈન્ડસ્ટ્રીઝમાં પાવરધા અને પાવરફૂલ ગણાતા હોવાથી બંને રાજ્યોમાં ગુજરાતીઓની બોલબાલા જળવાઈ રહી છે, અને બંને રાજ્યો દેશની જીડીપી અગ્રતાક્રમે સહભાગી બનતા આવ્યા છે, અને ગ્લોબલ બિઝનેસ તથા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં પણ અવ્વલ રહ્યા છે.
મહારાષ્ટ્ર માથાદીઠ આવકમાં હંમેશાં ગુજરાતથી આગળ રહ્યું છે, અને બંને રાજ્યો છુટા પડયા અથવા બંને રાજ્યોની રચના થઈ, તે વર્ષ ૧૯૬૦થી વર્ષ ૨૦૧૦-૧૧ સુધી હંમેશાં મહારાષ્ટ્રની માથાદીઠ આવક ગુજરાત કરતા વધુ રહી હતી, પરંતુ છેલ્લા એક દાયકામાં ભારતે આ મામલે પણ મહારાષ્ટ્રને પાછળ છોડી દીધું છે, અને ગુજરાત માથાદીઠ આવકમાં દેશમાં ટોપ-ફાઈવમાં આવ્યું હોવાનો દાવો કરાયો છે.
અહેવાલો અનુસાર ગુજરાતે ઈકોનોમિ સેકટરમાં નવો માઈલસ્ટોન પાર કર્યા છે, અને રાજ્યની માથાદીઠ આવક (ઈન્કમ પર હેડ) રૂ. ત્રણ લાખને વટાવી ગઈ છે. દેશના તમામ રાજ્યોમાં ગુજરાત ત્રણ લાખ નવસો સતાવન રૂપિયાની માથાદીઠ આવક સાથે દેશના ટોપ-ફાઈવમાં પહોંચ્યું છે. તાજેતરના ડેટા અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૨૪.૬૨ લાખ કરોડના ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી) સાથે દેશના ટોપ-ફાઈવ રાજ્યોમાં ગુજરાત પહોંચ્યું છે અને મહારાષ્ટ્રને માથાદીઠ આવકમાં પાછળ છોડયું છે.
વિવિધ માપદંડો મુજબ થતા રિસર્ચમાં કેટલાક ક્ષેત્રે ગુજરાત અવ્વલ રહ્યું છે. વર્ષ ૨૦૧૨-૧૩થી વર્ષ ૨૦૨૩-૨૪ના સમયગાળામાં હાંસલ કરેલો ૮.૪૨ ટકાનો ગ્રોથ રેઈટ રૂા ૧૦ લાખ કરોડથી વધુની ઈકોનોમિ ધરાવતા રાજ્યોમાં સૌથી વધુ છે. આ માપદંડોમાં ગુજરાતે કર્ણાટક અને તમિલનાડુને પાછળ છોડીને હાઈ જમ્પ લગાવ્યો છે. ગુજરાતમાં સ્ટ્રોંગ ઈન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર, ઈન્વેસ્ટર ફ્રેન્ડલી સિસ્ટમ અને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રકચર તથા કાર્યક્ષમ અને પ્રો-પબ્લિક તથા પ્રો-બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ પોલિસીના કારણે ગુજરાતે ઈકોનોમિના ક્ષેત્રે હાઈ જમ્પ લગાવ્યો હોવાના તારણો પણ કાઢવામાં આવી રહ્યા છે.
આ નોંધપાત્ર સિદ્ધિ છે અને ગુજરાત માટે ગૌરવરૂપ છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં માથાદીઠ આવક વધુ હોય અને બંને રાજ્યો ભલે દેશની ઈકોનોમિમાં અવ્વલ હિસ્સો આપનાર ટોપ-ફાઈવ રાજ્યોમાં સ્થાન પામ્યા હોય, તો પણ બંને રાજ્યોની જનતાની મૂળભૂત જરૂરિયાતો હજુ પૂરેપૂરી સંતોષી શકાઈ નથી અને નાની નાની જણાતી સમસ્યાઓ પણ હલ થઈ શકી નથી. બંને રાજયોમાં શિક્ષણ, આરોગ્ય, પોષણની અપૂરતી વ્યવસ્થાઓ, ગરીબી, સ્થાનિક બેરોજગારીની સમસ્યાઓ છે. બંને રાજયોમાં શહેરી વિકાસની તુલનામાં ગ્રામ્ય વિકાસ ઘણો જ ઓછો છે. ટૂંકમાં જે માથાદીઠ આવક વધી રહી છે, તેમાં ધનિકો વધુ ધનવાન બની રહ્યા છે, અને ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો નથી, તે કડવી વાસ્તવિકતા છે.
આ બંને રાજ્યો વચ્ચે ઘણી સમાનતા હોવા છતાં પ્રવર્તમાન રાજકીય વિરોધાભાષને કારણે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ભાષાવાદ ફરીથી પનપી રહ્યો છે. તાજેતરમાં એક ગુજરાતી પરિવારને કાર ઓવરટેઈકના સામાન્ય મુદ્દે મરાઠા પરિવાર સાથે નાનકડી તકરાર થઈ અને ગુજરાતી પરિવારને જે-તે સમયે માફી મંગાવ્યા પછી ફરિયાદ થતા આ મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ પ્રકારની ઘટનાઓ દેશની એકતા અને અખંડિતતા માટે ખતરારૂપ ગણાય.
ભાષાના આધારે ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે થયેલા આંદોલનો સમયે મુદ્દા આધારિત લડત કેન્દ્ર સરકાર સામે હતી, પરંતુ ગુજરાતીઓ અને મરાઠાઓ વચ્ચે નફરત ફેલાય, તેવી ભાવના નહોતી, પરંતુ અત્યારે જે કાંઈ બની રહ્યું છે તે બંને રાજ્યોના સહ-અસ્તિત્વ અને શાંતીમય સૌજન્ય તથા સૌહાર્દ માટે ઘાતક બની શકે તેમ છે, તેથી આ મુદ્દે તમામ રાજકીય પક્ષોની રાષ્ટ્રીય નેતાગીરીને ગંભીર ચિંતન કરીને હસ્તક્ષેપ કરવો પડે તેમ છે.
મહારાષ્ટ્રનો આર્થિક ગ્રોથ ઘટી રહ્યો હોય, તો તેની પાછળ કદાચ છેલ્લા બે દાયકાથી ચાલી રહેલી રાજકીય ઉઠાપટક જવાબદાર (કાંઈક અંશે) હોઈ શકે, પરંતુ ગુજરાતમાં તો ત્રણ દાયકાથી ભાજપની જ સરકાર છે ને ? સમસ્યાઓ ઉકેલો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ગોપલ ઈટાલિયા પર જુતુ ફેંકાયુ, અને તેમણે વિધિવત ફરિયાદ ન કરી., જૂતુ ફેંકનારના પૂર્વ-ઈતિહાસની વાતો થઈ, અને તેમણે કયા કારણે આવું કર્યું તેની કરેલી ચોખવટ પણ ચર્ચાના ચાકડે ચડી. આ આખા ઘટનાક્રમનો રાજકીય ફાયદો એકંદરે કોને થશે અને આ પ્રકારની ઘટનાઓ શું પ્રિ-પ્લાનેડ હોય છે કે વ્યક્તિગત ઉશ્કેરાટ કે સંતોષનો ઉભરો હોય છે, તેની ચર્ચાઓ પણ થઈ, પરંતુ અંતે આ પ્રકારની ઘટનાઓ સ્વીકૃતી નથી, તેવા અભિપ્રાયો સાથે પ્રકરણ વાઈન્ડ અપ કરવાની રાબેતા મુજબ કોશિશ થઈ.
બીજી ઘટના જોઈએ, ભાજપના આખાબોલા સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ કોઈનું નામ કે સંદર્ભ જણાવ્યા વિના એવો આક્ષેપ કરી દીધો કે સનસનાટી મચી ગઈ.
તંત્રના અધિકારીઓ પર નાના-મોટા વિકાસકાર્યોમાં તપાસ માંગી, તેને સોશ્યલ મીડિયામાં મૂકી અને પ્રચાર-પ્રસિદ્ધિ કર્યા પછી તેની પાસેથી લાખો રૂપિયાનો તોડ નો આમઆદમી પાર્ટી પર આક્ષેપ મુકતા મુકતા મનસુખભાઈ વસાવાએ કેટલાક દૃષ્ટાંતો આપ્યા, પણ નામ, સંદર્ભ વિના...
એવું કહેવાય છે કે આ વાત કરતા કરતા મનસુખભાઈ આ પ્રકારના ષડયંત્રો તમામ પક્ષોના કેટલાક નેતાઓ કરી રહ્યા હોવાનું કહેતા પોતાની જ પાર્ટી માટે સેલ્ફ ગોલ કરી લીધો હતો, અને પૂરવાર કર્યું હતું કે હમામ મેં સબ નંગે હૈ...!
ત્રીજું દૃષ્ટાંત જોઈએ તો, એક કાર્યક્રમમાં ભાજપ અને વિપક્ષની સેલિબ્રિટિઝ બહેનોએ એક સાથે નૃત્ય કર્યું, અને તેના રાજકીય પ્રત્યાઘાતો પણ પડવા લાગ્યા હતા.
બન્યું હતું એવું કે ભાજપના સાંસદ નવીન જીંદાલને ત્યાં લગ્ન પ્રસંગમાં ભાજપના કંગના રનૌત, તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા અને એનસીપી (શરદજૂથ) ના સુપ્રિયા સુલે એક સાથે એક જ સ્ટેજ પર ડાન્સ કરતા હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. એવું કહેવાય છે કે આ વીડિયો કોઈ કાર્યક્રમ માટે રિહર્સલનો છે, પરંતુ તેમાં રાજનીતિની વાસ્તવિકતા પણ પ્રગટે છે, રાજનેતાઓ ભલે સડકથી સંસદ સુધી સટાસટી બોલાવતા રહેતા હોય, પરંતુ વ્યક્તિગત રીતે તેઓ એકબીજા પ્રત્યે આદર રાખતા હોય છે, અને રાજકીય ખેલદિલીનો પરિચય આપતા હોય છે.
આ પ્રકારે જ એક અન્ય "રાજકીય ખેલદિલી"નો પ્રસંગ ગઈકાલથી જ ચર્ચામાં છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ૩૬નો આંકડો છે, પરંતુ ઘણાં પ્રતિસ્પર્ધી નેતાઓના પરસ્પર મજાક-મસ્તીના સંબંધો પણ હોય છે. સંસદમાં ૬ઠ્ઠી ડિસેમ્બરે ગરમાગરમ આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા પ્રતિસ્પર્ધી નેતાઓ ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
આ પ્રસંગે આવેલા કેન્દ્રીયમંત્રી કિરેન રિજિજૂ અને લોકસભામાં વિપક્ષના નેતાએ જ્યારે એકબીજાને જોયા કે તરત જ સસ્મિત હસ્તધૂનન કર્યું અને એકબીજાની મજાક-મસ્તી પણ કરી અને હળવાશથી વાતો કરી. ભાજપ પર હંમેશાં આગબબૂલા રહેતા કોંગી નેતા ઉદિત રાજની હાજરીમાં બનેલી આ ઘટનાનું પણ તાજ્જુબ સાથે "રાજકીય ખેલદિલી" ગણાવાઈ રહી છે.
તે પહેલા પાંચમી ડિસેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભોજન સમારંભમાં વિપક્ષના સાંસદ શશિ થરૂરને આમંત્રણ અપાયું હતું, જેને શાસક પક્ષની "ખેલદિલી" ગણાવાઈ હતી, તો બીજી તરફ કોંગ્રેસના અન્ય દિગ્ગજોને આમંત્રણ નહીં મળ્યું હોવાથી એક અલગ જ વિવાદ શરૂ થઈ ગયો હતો. પવન ખેડાએ આને રાજરમત ઠરાવી હતી, તો થરૂરે પણ વિપક્ષના દિગ્ગજોને આમંત્રણ અપાયું નહીં હોવાને અયોગ્ય ઠરાવ્યું હતું, પરંતુ પોતે હાજરી પણ આપી હતી, તેથી આને પણ રાજરમત જ ગણાવાઈ હતી.
ઈન્ડિગોના મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર અને ઈન્ડિગો વચ્ચેના "મેચ ફિક્સીંગ"નું પરિણામ ગણાવ્યું હતું, ત્યારે કેટલાક લોકોએ આ મુદ્દે પ્રત્યાઘાતો આપવાના ટાઈમીંગને લઈને સવાલો ઉઠાવતા કહ્યું હતું કે રાજકીય પક્ષો વચ્ચે પણ આ મુદ્દે "મેચ ફિકસીંગ" જ છે !
ગુજરાતના પ્રવાસે આવેલા "આપ"ના અરવિંદ કેજરીવાલે રાજકોટમાં રણકાર કર્યો અને ભાજપના શાસન પર પ્રહારો કર્યા, તો ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકવાની જામનગરની ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી. આ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાઠગાંઠ હોવાની કેજરીવાલે જે વાત કરી, તે ઘણી જ સૂચક છે., અને રાજનીતિમાં કાંઈપણ અશક્ય નથી, તેના તરફ પણ ઈશારો કરે છે. ખુદ કેજરીવાલે અન્ના આંદોલન પછી પાર્ટી રચી અને પહેલી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કોંગ્રેસનો ટેકો લીધો હતો, તેને યાદ કરાવીને કોંગ્રેસના અંતરંગ વર્તુળોમાં પણ એવી ચર્ચા છે કે કેજરીવાલ કદાચ રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાને સુરક્ષિત કરવાના ચક્કરમાં છે !
કેન્દ્રીય કક્ષાએ અનેક વિવાદો તથા અદાલતી કાર્યવાહીથી ઘેરાયેલા કેજરીવાલ હવે ગુજરાતમાંથી ભાજપ સામે પડકાર ઊભો કરવાની મહેનત કરી રહ્યા છે, તેવા મહત્તમ પ્રત્યાઘાતો વચ્ચે કેટલાક લોકો એવું પણ કહે છે કે હકીકતે પોલિટિકલ બ્લેક મેઈલીંગ હેઠળ કેજરીવાલ ભાજપના ઈશારે જ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓમાં તોડફોડ કરી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ કે કોઈ રાજ્યોમાં ચૂંટાયેલા નેતાઓ પક્ષાંતર કરે, ત્યારે તેને ખરીદ-વેચાણ ગણવામાં આવતું હોય, તો ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો પછી હવે કોંગ્રેસના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા નેતાઓના પક્ષાંતરને શું કહેશો ? તેવા સવાલો ઉઠતા હોય, તો તેને અવગણી શકાય તેમ નથી.
ટૂંકમાં કેજરીવાલની ભાજપ અને કોંગ્રેસની વિરૂદ્ધમાં ચાલી રહેલી આક્ષેપબાજીને વિશ્લેષકો ભિન્ન ભિન્ન રીતે મુલવી રહ્યા છે, અને વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે.
હકીકતમાં રાજનેતાઓ જાહેરમાં ભલે પરસ્પર આક્રમક -આલોચક દેખાતા હોય, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે દુશ્મનાવટ રાખતા નથી, અને રાજનીતિમાં રાગદ્વેશ નહીં રાખતા હોવાનો દાવો કરાય છે. તેવી જ રીતે કલાકારો જયારે સ્ટેજ પર પરફોર્મન્સ કરે ત્યારે તેમાં રાજકીય કંકાસ આડે આવતો નથી. જો કે, આ ખાસ પ્રકારની "ખેલદિલી" હકીકતે આ જ નેતાઓ માટે પરસ્પર ઝઘડતા, કયારેક મારામારી કરતા કે જીવ ગુમાવતા જિલ્લા-ગ્રામ્યકક્ષાના નેતાઓ તથા કાર્યકરો સાથે "ખિલવાડ" જ ગણાય, કારણ કે રાજનીતિના ક્ષેત્રે "હમામ મેં સબ નંગે હૈ..."ની કહેવત લાગુ પડતી હોવાની અવધારણા પણ અગવણવા જેવી તો નથી જ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સંસદ ગુંજી રહી છે અને રાજયોમાં પણ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આવતા વર્ષે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનારી છે, તો મહારાષ્ટ્રમાં બીએમસી એટલે કે એક નાનકડા રાજ્ય જેટલું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકા અથવા મુંબઈના કોર્પોરેશનની ચૂંટણી થવાની છે, જેને મરાઠી તથા હિન્દી ભાષામાં અલગ નામથી અળખવામાં આવે છે. ઓફિશ્યલી બૃહદ મુંબઈ કોર્પોરેશનને ટૂંકમાં બીએમસી કહેવાય છે. આ ચૂંટણી સાથે શિવસેનાના બે ફાડિયા, એનસીપીના બે ફાડિયા, કોંગ્રેસ અને ભાજપનું મુખ્યત્વે ભવિષ્ય જોડાયેલું છે.
આવી જ રીતે કેટલાક રાજ્યોમાં વિવિધ કારણે ખાલી પડેલી વિધાનસભાઓ, વિધાન પરિષદો તથા લોકસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણી, સમયાંતરે ખાલી થતી રહેતી રાજયસભાની બેઠકો પર નિયત સમયે કરવી પડતી ચૂંટણીઓ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધીના જનપ્રતિનિધિઓ તથા રાજકીય પક્ષોની આંતરિક ચૂંટણીઓ વગેરેના કારણે પણ આગામી વર્ષે, તે પછી વર્ષ-૨૦૨૭માં અને છેલ્લે વર્ષ-૨૦૨૯માં ચૂંટણીઓનો સીલસીલો ચાલતો રહેવાનો છે. તેથી ક્રિકેટની ભાષામાં એવું કહી શકાય કે પહેલા લીગ મેચો, પછી સેમી ફાયનલો અને છેલ્લે ફાયનલ મેચ રમાવાની છે. આ પોલિટિકલ ફાયનલને ધ્યાને રાખીને મોદી-શાહની જોડીને મહાત કરવા વિપક્ષો દ્વારા ગુજરાતથી જ શરૂઆત કરીને લીગ મેચોમાં વિજય મેળવીને પછી સેમિ ફાયનલોમાં વિવિધ રાજ્યોમાં ભાજપ-એનડીએને પછડાટ આપીને છેલ્લે લોકસભામાં સત્તા-પરિવર્તનની રણનીતિ અપનાવવા રહી હોય તેમ જણાય છે.
આ રણનીતિ હવે સિક્રેટ રહી નથી, કારણ કે કોંગ્રેસે ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન યોજ્યું. રાષ્ટ્રીયકક્ષાના નેતાઓએ વારંવાર ગુજરાતની મુલાકાત લીધી. રાહુલ ગાંધીના આંટાફેરા વધ્યા અને સંગઠનાત્મક ફેરફારો પછી ચારણી ફેરવીને કેટલાક નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ હટાવાયા. આગામી વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈને કોંગ્રેસે ગુજરાતમાં થોડા મહિનાઓ પહેલા સક્રિયતા વધારી, કેટલીક યાત્રાઓ કાઢી તથા વિવિધ મુદ્દે કેન્દ્ર-રાજય સરકારની સામેના વિરોધ પ્રદર્શનો વધુ તેજાબી અને પ્રભાવી બન્યા. કોંગ્રેસ વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી અને તે પહેલા આગામી વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝળહળતી સફળતા મેળવીને સત્તા પ્રાપ્ત કરશે, તેવો રણકાર પણ કરાયો.
બીજી તરફ દિલ્હીમાં સત્તા ગુમાવ્યા પછી આમઆદમી પાર્ટીએ પણ હવે ગુજરાત પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેમ જણાય છે. પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન સાથે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આંટાફેરા વધાર્યા અને કેટલાક સ્થળે તેના જાહેર કાર્યક્રમોમાં લોકમેદની પણ નોંધપાત્ર રહી, તો રાજ્યના નેતાઓ પણ બે-ત્રણ મહિનાથી એકદમ સક્રિય થઈ ગયા છે. આમઆદમી પાર્ટીને પેટા ચૂંટણીમાં વિસાવદરમાં વિજય મળ્યો, અને તેમાં પણ ગોપાલ ઈટાલિયા જેવા યુવાનેતા ધારાસભ્ય બન્યા, તેથી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત ગુજરાત વિધાનસભામાં "આપ" ના ધારાસભ્યોની મોજુદગી પણ "આપ" માટે ટોનિક બની ગઈ છે., અને હવે આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં વધુ પગપેસારો કરીને ભાજપ-કોંગ્રેસ સામે બ્યુગલ ફૂંકવાની તૈયારી કરી લીધી હોય તેમ જણાય છે.
જામનગરમાં કોંગી કોર્પોરેટરનું રાજીનામું તથા રાજ્યકક્ષાએ કેટલાક નેતાઓનો અસંતોષનો અવાજ જોતા હવે કોંગ્રેસે પણ ગુજરાતમાં સંગઠનાત્મક ક્રાંતિ લાવવાની જરૂર વિશ્લેષકો જણાવી રહ્યા છે, તો બીજી તરફ બિહારની ચૂંટણીના પરાજય પછી કોંગ્રેસમાં આવેલી હતાશાનો રાજકીય ફાયદો લઈને આમઆદમી પાર્ટી રાજ્યો અને રાષ્ટ્રીયકક્ષાએ દ્વિતીય વિકલ્પ બનવાની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે. અને તેના એંધાણ હાલાર અને ગુજરાતમાં બની રહેલા તાજા રાજકીય ઘટનાક્રમો પછી સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યા છે. આ સંજોગોમાં જો રાષ્ટ્રીયકક્ષાએ ભાજપ-એનડીએને પડકારવું હોય તો કોંગ્રેસે પણ આંતરિક મતભેદોને કિનારે રાખીને મોટા લક્ષ્ય સાથે આગળ વધવું પડશે, આ માટે જિલ્લાઓ તથા રાજ્ય કક્ષાએ એકના એક ચહેરાઓને વિવિધ હોદ્દાઓ પર ફેરવ્યા રાખવાના બદલ સાહસભર્યો નિર્ણય લઈને ધરમૂળથી ફેરફારો કરવા પડશે. કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ પણ ગુજરાતને જ્યારે રાષ્ટ્રીય રાજનીતિનું બુનિયાદી મેદાન બનાવવાનું નક્કી કર્યું હોય અને આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં જોર વધાર્યું હોય ત્યારે મૂળ મેદાન અને પીચને પારખીને જ ટીમનું સિલેકશન કરવું પડશે, અને ત્રિપાંખીયા જંગમાં અવ્વલ રહેવાનું લક્ષ્ય રાખવું પડશે.
બીજી તરફ આમઆદમી પાર્ટીએ વિકલ્પ બનવાના બદલે "અવ્વલ" બનવા માટે કોઈ ગૂપ્ત રણનીતિ ઘડી હોય અને તેમાં ભાજપના શાસન સામેની એન્ટિ ઈન્કમ્બન્સીનો લાભ કોંગ્રેસના બદલે "આપ" ને વધુ મળે, તેવી ચાલ અપનાવી હોય, તથા તેના ભાગરૂપે કોંગ્રેસના કાંગરા ખેરવીને કોંગી દિગ્ગજો તથા સ્થાનિક નેતાઓને "આપ"માં લઈ જવાની વ્યૂહરચના ગોઠવી હોય, તો તેમાં સાવધાનીપૂર્વક આગળ વધવુ પડે તેમ છે, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના કમિટેડ મતદારો તથા વર્તમાન શાસન સામેની એન્ટિ-ઈન્કમ્બન્સીના કારણે કોંગ્રેસ તરફી જનતાનો સંભવિત ઝોક અવગણવા જેવો નથી. ટૂંકમાં, કોંગ્રેસને અંડર એસ્ટિમેટ કરવાની ભૂલ ભારે પડી શકે છે, અને સપના રોળાઈ શકે છે. દાયકાઓના ભાજપના શાસન પછી જો ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છતી હશે, તો તેની શરૂઆત આવતા વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓથી જ થવાની છે, અને બીએમસીની ચૂંટણીની પરોક્ષ અસરો ગુજરાતમાં અને બીએમસીની ચૂંટણીઓમાં ગુજરાતી મતદારોની ભૂમિકા પરસ્પર સંકળાયેલી હોવાથી આ બાબતે ગુજરાત અને મહારાષ્ટ્રથી જ દિલ્હી ગાદી મેળવવાની જાળ બીછાવાઈ રહી હોય તેવા તારણો પણ કાઢી શકાય છે.
ટૂંકમાં ગુજરાત એક વખત ફરીથી રાષ્ટ્રીય રાજનીતિનું એ.પી. સેન્ટર બનવા જઈ રહ્યું છે, અને તેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં આમઆદમી પાર્ટી ત્રીજા મજબૂત પરિબળ તરીકે ઝંપલાવવાની તૈયારી કરી રહી છે, તેથી ગુજરાત દેશની પોલિટિકલ લેબ બનવા જઈ રહ્યું છે, તેમ કહી શકાય.
આ પહેલા વર્ષ ૧૯૭૪-૭૫ના સમયગાળામાં કોંગ્રેસ જ્યારે દેશભરમાં શક્તિશાળી હતી અને લગભગ તમામ રાજ્યોમાં કોંગ્રેસની સરકારો સત્તામાં હતી, ત્યારે તે સમયના વિપક્ષોએ ગુજરાતમાં "જનતા મોરચા" નો કરેલો પ્રયોગ સફળ રહ્યો અને તે જ ફોર્મ્યુલા પર તે સમયે, કટોકટી પછી જનતા પાર્ટી રચીને વિપક્ષોએ કોંગ્રેસને હરાવીને સત્તા પ્રાપ્ત કરી હતી. તે સમયથી જ ગુજરાત પોલિટિકલ લેબ બન્યું છે. આવતા વર્ષે પંચાયતો-પાલિકા-મહાપાલિકાની ચૂંટણીઓની લીગ મેચો પછી વર્ષ ૨૦૨૭ની સેમિફાયનલ મેચમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે, તે નક્કી છે. જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્ર જાણે બદલાઈ ગયું હોય તેમ શિયાળો, ઉનાળો અને ચોમાસાની સમય સારણીમાં બદલાવ આવી રહ્યો છે અને વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે. ગરમી વધી રહી છે અને શિયાળો ટૂંકો થઈ રહ્યો હોય તેમ જણાય છે. જે વિસ્તારમાં વરસાદની તંગી રહેતી હતી, ત્યાં વરસાદનું પ્રમાણ વધી ગયું હોય અને જ્યાં અતિવૃષ્ટિ થતી રહેતી હોય તેવા પ્રદેશોમાં દુષ્કાળ પડતા હોય, તેવા બદલાવ પર્યાવરણ, પૃથ્વી અને સમગ્ર જીવસૃષ્ટિ પર આડી અસરો ઊભી કરી રહ્યા છે અને માનવજિવન તથા પ્રાકૃતિક પરિસ્થિતિઓ પર વિપરીત અસરોના કારણે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે.
એક પર્યાવરણ અને પ્રકૃતિના ક્ષેત્રે કાર્યરત સંસ્થા કલાઈમેટ સેન્ટ્રલના રિપોર્ટ મુજબ ગ્લોબલ વોર્મિંગ તથા કલાઈમેટ ચેઈન્જના કારણે દરિયાઈ સ્તર ઝડપથી વધશે, જે સમગ્ર વિશ્વને અસર કરશે. પૃથ્વીનું વાતાવરણ બદલી રહ્યું છે અને દરિયાની જળસપાટી ધીમે ધીમે વધી રહી છે, જેના કારણે દુનિયાના દરિયાકાંઠે વસેલા અને ઝડપભેર વિસ્તરી રહેલા મોટા મોટા શહેરોમાં દરિયાઈ પૂરની સમસ્યા ઊભી કરશે. આ રિપોર્ટ મુજબ ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જના કારણે તથા ગ્લેશિયરો પીગળવાથી વધી રહેલી દરિયાઈ જળસપાટી થોડા દાયકાઓ પછી દરિયાકાંઠાના ઘણાં બધા વિસ્તારોને ડૂબાડી શકે છે, એટલું જ નહીં, ભારતના મુંબઈ અને કોલકાતા સહિત ઘણાં શહેરોમાં દરિયાઈ પાણી ઘૂસી જતાં ભારે તબાહી સર્જાઈ શકે છે.
આપણે નાનપણથી શિખતા આવ્યા છીએ કે પૃથ્વીનો મોટો ભાગ ખારા જળનો દરિયો ધરાવે છે, જ્યારે જે જમીન છે, તેમાં વસ્તી વધારાના કારણે જે પ્રાકૃતિક અસમતુલન ઊભું થઈ રહ્યું છે, અને ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રાકૃતિક સ્વરૂપ બદલી રહી છે, તે ખતરનાક બની શકે છે. આ માટે જો સમયોચિત સતર્કતા નહીં આવે તો પૃથ્વી પર પ્રલય અથવા કયામતની જે સંભાવનાઓ પ્રાચીન શાસ્ત્રો અને વર્તમાન માન્યતાઓમાં વર્ણવવામાં આવે છે, તેવી સ્થિતિ વહેલી ઊભી થઈ શકે છે.
એ રિપોર્ટ મુજબ તો પૃથ્વી પરના મોટા મોટા શહેરોની ગણતરી કરીને દરિયાઈ સપાટી વધવાથી વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતના નવી મુંબઈ તથા વિકસિત કોલકાતા જળમગ્ન થઈ શકે છે, તેવી શક્યતાઓ ગણાવાઈ રહી છે, અને સાડાત્રણ કરોડથી ચાર કરોડ લોકો ડૂબી જાય, તેવી સંભાવના જણાવાઈ રહી હતી, પરંતું પ્રવર્તમાન સ્થિતિ તથા ઋતુચક્રમાં રહેલા બદલાવ મુજબ તો દરિયાકાંઠાના ઘણાં બધા વિસ્તારો જળમગ્ન થઈ શકે છે અને ડૂબી જનાર લોકોની સંખ્યા ઘણી વધુ સંભવી શકે છે. આ ઝડપી શહેરીકરણ તથા આર્થિક વિકાસની સિક્કાની બીજી બાજુ છે, જેની સામે અત્યારે સરકારે તથા વૈશ્વિક સંગઠનો તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ જણાય છે.
આ અમેરિકન સંસ્થા ઉપરાંત નાસાના એક અન્ય રિપોર્ટ મુજબ તો થોડા દાયકાઓ પછી જ ભારતમાં જ મુંબઈ-કોલકાતા જેવા દરિયાકાંઠે આડેધડ વિકસેલા મહાનગરોના ત્રણ-ચાર કરોડ લોકોનું તત્કાળ સ્થળાંતર કરવું પડશે. શટલ રડાર ટોપોગ્રાફી મિશન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ દરિયાઈ સ્તર વધવાથી એક મોટી માનવતાવાદી કટોકટી ઊભી થશે, જે વિકાસના માચડાઓને હડપ કરી જશે, અને અનેક શહેરોની સુરત જ બદલાઈ જશે, અને કેટલાક વિસ્તારો તો જળમગ્ન થઈ જશે.
આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે દ્વારકાનો દરિયો થોડો-થોડો વધી રહ્યો છે, મતલબ કે થોડા દાયકાઓ પહેલા હતો ત્યાંથી દરિયો ધીમે-ધીમે જમીનને ડૂબાડી રહ્યો છે. દરિયાની જળસપાટી ભલે મીલિમીટર કે સેન્ટિમીટરના માપથી વધી રહી હોય, પરંતુ તેને તદૃન અવગણી શકાય તેમ નથી.
ઉક્ત રિપોર્ટ મુજબ ગુજરાતના પણ કેટલાક દરિયાઈ વિસ્તારો પર કેટલાક દાયકાઓ પછી ડૂબી જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે, એ રિપોર્ટમાં સુરત શહેર પણ ભયંકર દુર્ઘટનાઓનો સામનો કરી શકે છે, તેવો ઉલ્લેખ છે.
તદુપરાંત ઓડિશાના પારાદીપ અને ઘંટેશ્વર જેવા દરિયાકાંઠાના વિસ્તારોના લાખો લોકો દરિયાઈ પૂરનો ભોગ બનશે અને કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જશે, તેવો ઉલ્લેખ પણ એ રિપોર્ટમાં થયો હતો. વર્ષ ૨૦૧૮માં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવેલા પૂરના કારણે દોઢ કરોડ લોકો પ્રભાવિત થયા હતા, તે પછી પ્રતિવર્ષ થતા રહેતા સ્ટડીના આધારે એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૫૦ સુધીમાં દરિયાકાંઠે સમુદ્રની જળસપાટીમાં થનારા વધારાના કારણે એશિયા પેસિફિક વિસ્તારના ૭ સહિત વિશ્વના ૧૦ દેશો સૌથી વધુ પ્રભાવિત થશે. આ મુદ્દો હવે ગ્લોબલ ચિંતાનો વિષય બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને તંદુરસ્તીની સાથે સ્વાસ્થ્યની સતર્કતા રાખવાની મોસમ પણ શરૃ થઈ ગઈ છે. આ ઠંડીની મોસમમાં પણ રાજધાની દિલ્હીમાં અલગ જ અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને સુપ્રિમકોર્ટે રાજ્ય-કેન્દ્ર સરકારોનો કાન આમળ્યો હતો, અને દેશના શહેરોમાં વધી રહેલા પ્રદુષણની ચર્ચાઓ જોર પકડ્યું હતું તો બીજી તરફ સંસદના શોરબકોર અને રાજકીય હાકલા-પડકારાના કારણે પણ રાજનીતિ ગરમાઈ છે.
દિલ્હીમાં ભાજપને જંગી જીત આપીને કેજરીવાલની આમઆદમી પાર્ટીને નકાર્યા પછી દિલ્હીની જનતાનો મોહ ભંગ થયો હોય તેમ, એક પેટા ચૂંટણીનું રિઝલ્ટ આજે "ટોક ઓફ ધ કેપિટલ" બન્યું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પેટા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીના ત્રણ નગરસેવકો ચૂંટાયા છે. આમઆદમી પાર્ટીએ એવો દાવો કર્યો છે કે ભાજપની ભ્રામક પ્રચાર-પદ્ધતિ તથા બિનબુનિયાદ આક્ષેપબાજીના કારણે વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપને જનાદેશ આપનાર દિલ્હીની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જનતા આમઆદમી પાર્ટીની સત્તામાં પુનઃ વાપસી ઈચ્છે છે.
આમઆદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આ પેટા ચૂંટણીમાં 'આપ'ના વડા અરવિંદ કેજરીવાલ દ્વારા પસંદ કરાયેલા અને સમર્પિત એવા જનતાની વચ્ચે કામ કરતા આમઆદમી પાર્ટીના નગરસેવકો દિલ્હીની જનતાએ સ્વીકાર્યા છે.
એમસીડી (દિલ્હી મહાનગરપાલિકા)ની પેટા ચૂંટણી મોટા ફેરફારોના સંકેત આપે છે, અને થોડા સમયમાં જ ભાજપના શાસનનો અસલી ચહેરો સામે આવી જતા જનતાનો મોહભંગ થયો છે. દિલ્હીની જનતાની ચેતના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પ્રામાણિકતાના ચાર સ્તંભો પર ટકેલી આમઆદમી પાર્ટીમાં જ રહેલી છે, તે દિલ્હીની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેને રાજકીય ઘોંઘાટ નહીં પરંતુ સકારાત્મક રાજનીતિ ઈચ્છે છે. આમઆદમી પાર્ટીએ એવો દાવો કર્યો છે કે દિલ્હીનું હૃદય હજુ આમઆદમી પાર્ટી સાથે જ ધબકે છે.
હકીકતે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી પ્રથમ વખત એમસીડીના ૧૨ વોર્ડની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને ૭ બેઠકો મળી, પરંતુ ભાજપનો ગઢ ગણાતી બે બેઠકો ભાજપે ગુમાવી, તો સંગમવિહારની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી. આમઆદમી પાર્ટી જે ત્રણ બેઠકો પર જીતી છે, તે ત્રણ બેઠકો પર "આપ"ના જ નગરસેવકો હતા, અને આમઆદમી પાર્ટીએ પ્રતિષ્ઠિત ચાંદનીચોકની બેઠક ગુમાવી હોવાથી ભાજપ અને કોંગ્રેસ આમઆદમી પાર્ટીને આ ચૂંટણી જોરદાર વિજય મળ્યો હોવાના દાવાઓને નકારી રહી છે, અને કોંગ્રેસનો જનાદેશ વધ્યો છે, તેવો દાવો થઈ રહ્યો છે.
જો કે, આ પેટાચૂંટણી પછી ભાજપને ધારી સફળતા તો નથી જ મળી, પરંતુ થોડો રકાસ પણ થયો હોવાથી ભાજપને આત્મમંથન કરવા જેવું છે, જ્યારે કોંગ્રેસ બીજા ક્રમે રહી છે, તેમ છતાં ભાજપ નબળુ પડતા તેનો વધુ ફાયદો કોંગ્રેસને થશે, તેવા તારણો પણ વિશ્લેષકો કાઢી રહ્યા છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદગી થયા પછી એમસીડીમાંથી રાજીનામું આપનાર રેખા ગૂપ્તાએ પોતે ખાલી કરેલી બેઠક "શાલીમાર બાગ" પર ભાજપના ઉમેદવારને ૧૦ હજારથી વધુ મતોની જંગી લીડથી વિજય અપાવીને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા જાળવી રાખી છે. ભાજપની પાસે ૧૨ માંથી એમસીડીની જે પેટાચૂંટણી થઈ તે પૈકીની ૯ બેઠકો હતી, જેમાંથી બે બેઠકો ગુમાવી છે, અને આ જનાદેશ રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ ભાજપની ઘટી રહેલી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાનો પૂરાવો છે, તેવા તારણો પણ નીકળી રહ્યા હોવાથી અત્યારે કોંગ્રેસ અને આપ ગેલમાં છે, જ્યારે ભાજપ ૯ માંથી ૭ બેઠકો પર થયેલા વિજયની ઉજવણી કરી રહ્યું છે !
આ તરફ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૃના મુદ્દે રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી કરેલી કોમેન્ટનો શિક્ષણમંત્રીએ આપેલો જવાબ પણ ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે ગુજરાતમાં જનાક્રોશ યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રાજ્ય (ગુજરાત)માં વધતા ગેરકાનૂની શરાબના કારણે અસુરક્ષાની સ્થિતિ વકરી છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની એ ધરતી છે જયાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે, જામનગરના ધારાસભ્ય અને ગુજરાતના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ રાહુલ ગાંધીની આ કોમેન્ટના જવાબમાં 'એકસ' પર લખ્યું છે કે ગુજરાતમાં મહિલાઓ વિરોધી અપરાધોની ટકાવારી માત્ર ૧.૪૮ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૪ ટકાના અડધાથી પણ ઓછી છે. માતાઓ-બહેનોની સુરક્ષાના મામલે ગુજરાત દેશમાં નંબર વન હતું અને હજુ પણ રહેશે. યાદ રાખજો, વર્ષ ૨૦૨૭ની ચૂંટણીઓમાં (ગુજરાત વિધાનસભા)માં કોંગ્રેસ સિંગલ ડિજિટના આંકડામાં જ સમેટાઈ જશે.
દિલ્હી અને ગુજરાતમાં જુદા જુદા વિષયો પર થતા રાજકીય નિવેદનો તથા આક્ષેપો-પ્રતિઆક્ષેપોને તટસ્થ દૃષ્ટિએ મુલવીને જનતાનો મૂડ પારખવો હોય તો, તે માટે આગામી વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતની ચૂંટણીઓના પરિણામોની રાહ જોવી પડે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
થોડા સમય પહેલા ભારતના અર્થતંત્રને લઈને ઘણાં જ પ્રોસ્તાહક અને પોઝિટીવ અહેવાલો આવ્યા હતા અને ભારત વિશ્વની ઈકોનોમિકમાં ચોથા સ્થાનથી આગળ વધીને ત્રીજા સ્થાન તરફ ગતિશીલ છે અથવા ટોપ ફાઈવમાં મજબૂતીથી સ્થાન મેળવ્યું છે, તેવા અહેવાલો આવ્યા છે, તો ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજા સ્થાને પહોંચી ગયું હોવાનો દાવો પણ થયો હતો, અને પીપીપી અથવા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના આધારે આ દાવાઓને પુષ્ટિ આપવામાં આવી હોય તેમ જણાતુ હતું. જો કે, જીડીપીની દૃષ્ટિએ ભારત ચોથા સ્થાને હતું, અને ટોપ ફાઈવમાં હતું, તેનો જોરશોરથી પ્રચાર-પ્રસાર પણ થયો હતો.
જો કે, ઈન્ટરનેશનલ મની મોનીટરી ફંડ (આઈએમએફ) ના વર્ષ ૨૦૨૫-૨૬ના દ્વિતીય ક્વાર્ટરના આંકડા પ્રસિદ્ધ થયા તેમાં, પણ ૮.૨ ટકાના દરે જીડીપી વધ્યો હતો, જે ગત વર્ષે ત્રિમાસિક ગાળામાં ૫.૬ ટકા હતો, અને તેને ટાંકીને ભારતની વિકસતી અર્થવ્યવસ્થાનો દાવો ભારત સરકારે કર્યો હતો. ભારતે તેનું કુલ ઘરેલુ ઉત્પાદન-જેડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન ૭.૩ ટ્રિલિયન ડોલર હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ આઈએમએફના તાજેતરના રિપોર્ટમાં 'સી' રેટિંગ આપ્યું હોવાથી ભારતની ઈકોનોમી તથા જીડીપીના માપદંડોને લઈને એક રાષ્ટ્રીય કક્ષાની ચર્ચા છેડાઈ ગઈ છે, અને વિપક્ષોને ભારત સરકારના દાવાઓ સામે જ સવાલો ઉઠાવતા એક પ્રકારે વૈશ્વિક ફજેતી થાય, તેવો પડકાર પણ સરકાર સામે ઊભો થયો છે.
આ મુદ્દો સૌથી પહેલા દેશના પૂર્વ નાણામંત્રી અને કોંગી નેતા પી. ચિદમ્બરમે ઉઠાવ્યો હતો, અને મોદી સરકારને પ્રશ્ન પૂછયો હતો કે આઈએમએફ દ્વારા વાર્ષિક સમીક્ષામાં ભારતના નેશનલ એકાઉન્ટન્ટ અને 'સી' ગ્રેડમાં કેમ રાખ્યા છે ?
કોંગ્રેસ નેતા જયરામ રમેશના પ્રત્યાઘાત મુજબ દેશમાં ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન વધ્યનું નથી કે ઈન્વેસ્ટમેન્ટમાં ખાસ પ્રોગ્રેસ જણાતી નથી, તેથી એવું કહી શકાય કે જીડીપી દર સસ્ટેનેબલ નથી, તો મહિલા કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત કહે છે કે "આઈએમએફના રિપોર્ટ મુજબ ભારતના નેશનલ એકાઉન્ટસ અને મોંઘવારીના ફિગર્સમાં લોકોની ખર્ચ કરવાની ક્ષમતા કે અનૌપચારિક ક્ષેત્ર જેવી ઈન્પોર્ટન્ટ પેટર્ન પ્રતિબંધિત થતી નથી. ગત વર્ષે પણ ભારતને આઈએમએફ દ્વારા 'સી' ગ્રેડ જ અપાયો હતો, તેથી થતાં દાવાઓ મુજબ જો ભારતની ઈકોનોમીએ જમ્પ માર્યો હોય તો તેની અસર આઈએમએફના રિપોર્ટમાં પ્રતિબંધિત થતી જ ન હોય, તો એવું કહી શકાય કે હકીકતમાં કાંઈ બદલાયું જ નથી."
આઈએમએફ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ભારત અંગેના એકાદ અઠવાડિયા પહેલાના રિપોર્ટનો ઊંડો અભ્યાસ કર્યા પછી કેટલાક પ્રખર અર્થશાસ્ત્રીઓ તથા વિશ્લેષકોએ પણ મિશ્ર પ્રત્યાઘાતો આપ્યા છે. કેટલાક તજજ્ઞોના જણાવ્યા અનુસાર આઈએમએફના તારણો તેની પાસે ઉપલબ્ધ ડેટા મુજબ જ હોય છે, અને જે ડેટા મળે, તેનું ચાર શ્રેણીમાં વર્ગીકરણ કરીને તારણો કાઢવામાં આવતા હોય છે. આ ચાર શ્રેણીમાં ડેટાની ઉપલબ્ધીની સ્થિતિ દર્શાવીને ગ્રેડ અપાતા હોય છે, તેથી ગ્રેડ ઈકોનોમીની વાસ્તવિકતા નહીં, પરંતુ ડેટાની ઉપલબ્ધી દર્શાવે છે.
અહેવાલો મુજબ વિવિધ દેશો દ્વારા અપાતા ડેટા જો પૂરેપૂરા મળ્યા હોય, તો તેને "એ" ગ્રેડમાં મુકવામાં આવે છે, પરંતુ સંપૂર્ણ અને સર્વાંગી સમીક્ષા કરવા માટે પૂરતો ડેટા હોય તો પણ થોડી-ઘણી ખામી હોવાથી તેને "બી" ગ્રેડ મળે છે. જો ડેટાની ખામીઓ સમીક્ષાની પ્રક્રિયાને આંશિક રીતે પ્રભાવિત કરે તેવી હોય ત્યારે તેને "સી" ગ્રેડ મળે છે, જયારે ડેટાની ખામી કે અનુપલબ્ધિ આખી સમસ્યાની પૂરેપૂરી પ્રક્રિયાને જ પ્રભાવિત કરે તેમ હોય, ત્યારે તેને "ડી" ગ્રેડ આપવામાં આવે છે. ભારત અંગેના રિપોર્ટ મુજબ ઉપલબ્ધ ડેટામાં નેશનલ એકાઉન્ટ્સના ફિગર્સની ફ્રિકવન્સી પણ ઉપલબ્ધ છે તથા બારિક માહિતી (માઈક્રો ઈન્ફર્મેશન) પણ પૂરી પાડવામાં આવી છે, પરંતુ કેટલીક પદ્ધતિલક્ષી ખામીઓના કારણે સંપૂર્ણ અને સર્વાંગી સમીક્ષામાં બાધા ઊભી થાય છે આ કારણે ભારતને "સી" ગ્રેડ મળ્યો હોવાના અંતિમ તારણો નીકળી રહ્યા છે.
વિશ્વસનિય આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસિઝ તથા પ્રતિષ્ઠિત અખબારોમાં પણ ભારતને મળેલ "સી" ગ્રેડ પ્રક્રિયાત્મક ખામીઓ તથા ડેટા ઉપલબ્ધી પદ્ધતિલક્ષી ક્ષતિઓના કારણે "સી" ગ્રેડ મળ્યો હોય તો તેને ટેકનિકલ કે સિસ્ટોમેટિક એરર ગણી શકાય કે કેમ ? તે અંગેની અલગથી ચર્ચા થઈ રહી છે.
ભારતના ડેટાની ત્રુટિઓની ચર્ચા પણ થઈ રહી છે. ભારત સરકાર વર્ષ ૨૦૧૧-૧૨ ને આાધારવર્ષ ગણે છે, તે પણ પ્રાસંગિક જણાતુ નથી, તથા ભારત પીપીઆઈ (પ્રોડયુસર પ્રાઈસ ઈન્ડેકસ)ના સ્થાને જથ્થાબંધ ભાવાંક એટલે કે હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસનો ઉપયોગ કરે છે, તેથી ડેટામાં જણાતી ખામીઓના કારણે ભારતને "સી" ગ્રેડ અપાયો હોઈ શકે છે. સિસ્ટોમેટિક ફાયનાન્સિયલ ઈન્ટર કનેકટેડનેસ તથા એનબીએફસી અંગે ખૂબ જ મર્યાદીત ડેટા ઉપલબ્ધ હોવાનો આ જ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે, તે પણ ભારતને "સી" ગ્રેડ મળ્યો હોવાના મહત્ત્વપૂર્ણ કારણો પૈકીનું એક હોઈ શકે છે.
ભારતીય જનતાપક્ષના નેતાઓ અને પ્રવક્તાઓ તો આ પ્રકારની ચર્ચાને જ નિરર્થક ગણાવે છે. અને આઈએમએફની કાર્યપદ્ધતિ અંગે કેટલાક લોકોને પૂરી સમજ જ પડતી નહીં હોવાનું જણાવીને આ મુદ્દે થતી આલોચના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની ઈકોનોમિની થતી પ્રગતિકૂચ પર કોઈપણ કારણ વિના આશંકાઓ ઊભી કરતી હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે, જ્યારે વિપક્ષના નેતાઓ તેનો પ્રતિકાર કરતા કહી રહ્યા છે કે, ફરેબી આંકડાની માયાજાળ ઊભી કરીને દેશને ગૂમરાહ કરાઈ રહ્યો છે, ભાજપ આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ કહ્યું છે કે કોંગ્રેસે સત્તા છોડી, ત્યારે ભારત "ફ્રેઝાઈલ ફાઈવ ઈકોનોમી" માંથી એક હતી. વર્ષ ૨૦૧૩માં મોર્ગન સ્ટેનબીએ બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, તૂર્કી, દ.આફ્રિકા અને ભારતને ફ્રેઝાઈલી ફાઈવ ઈકોનોમી ગણાવી હતી, જેનો અર્થ "ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પર અવલંબિત અસુરક્ષિત અર્થવ્યવસ્થાઓ" એવો કરાયો હતો, અને તે પછી અન્ય દેશોનો ઉમેરો થયો હતો.
માલવિયેના દાવા મુજબ આજે ભારત ફ્રેઝાઈલ ફાઈવ ઈકોનોમીમાંથી તો બહાર નીકળી જ ગયું છે, પરંતુ વિશ્વની ટોપ ફાઈવ ઈકોનોમીમાં હાઈજમ્પ માર્યો છે, તે હકીકત કોંગ્રેસ પચાવી શકતી નથી અને પૂર્વ નાણામંત્રી જુઠાણું ફેલાવીને દેશની જનતાને ગૂમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દેશના અર્થશાસ્ત્રીઓ તથા તટસ્થ વિચારકોના સંખ્યાબંધ પ્રત્યાઘાતોનું તારણ એવું નીકળે છે કે વર્ષ ૨૦૧૧-૧૨ના આંકડા જે-તે સમયની સરકારોના જ છે. નોટબંધી વખતે પણ ત્રણ લાખ જેટલી રજિસ્ટર્ડ કંપનીઓને શેલ કંપની ગણાવીને બંધ કરી દેવાઈ હતી. સર્વિસ સેકટરમાં ૩૫ ટકા કંપનીઓ કાર્યરત જણાઈ નહોતી, તેથી તેના ડેટામાં કચાશ ગણાય. જ્યારે બેરોજગારીનો દર વધી રહ્યો હોય અને વાસ્તવિક વસતિ ગણતરી ન થઈ હોય ત્યારે મહામારી પછીની સ્થિતિમાં વિવિધ આંકડાઓ પર સવાલ ઉઠે એ સ્વાભાવિક છે. ઘી વાયર ને ટાંકીને કહેવાયું છે કે જીડીપીની ગણતરી કરવાની પદ્ધતિની ત્રુટિઓના કારણે ભારતનો ઝડપથી વિકસતા અર્થતંત્ર ના દાવાને ઝાંખપ લાગે છે, જે ચંદ્રમાના ડાઘ જેવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દેશ-દુનિયામાં ગીતા જયંતીની ઉજવણી થઈ રહી હતી અને કુરૂક્ષેત્રના મેદાનમાં પોતાના જ પિતરાઈ ભાઈઓ, ગુરૂજનો તથા સગા-સંબંધીઓને સામા પક્ષે યુદ્ધ લડવા ઉભેલા જોઈને કન્ફ્યુઝડ થયેલા અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો, તેને શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે આપણે પણ સાંભળીએ છીએ અને મમળાવીએ છીએ, ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને હિંમત આપતા જે કાંઈ કહ્યું છે, તેમાંથી જ જીવનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોનો જવાબ મળી જાય છે, અને સમસ્યાઓનું સમાધાન મળી જાય છે, બસ...પ્રત્યેક શબ્દનો ગૂઢાર્થ સમજવો પડે...
ગલકાલથી જ સંસદનું શિયાળુ સત્ર અને બિહારમાં નવી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. બિહાર વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથવિધિ થઈ રહ્યો હતો, ત્યારે સંસદમાં એસઆઈઆરના મુદ્દે હોબાળો થઈ રહ્યો હતો. તે પછી ગઈકાલે લોકસભા આખો દિવસ ચાલી શકી નહીં, જ્યારે રાજ્યસભામાં વિપક્ષો દ્વારા સરકાર પર તડાપીટ બોલતી રહી અને બપોર સુધી ગૃહમાં કામકાજ થઈ શક્યું નહી, અને તે પછી વિપક્ષોએ વોક આઉટ કર્યો હતો. જો કે, લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિપૂરમાં જીએસટીનો કાયદો, તમાકુ, પાન-મસાલા પર નવો ટેક્સ અને સેન્ટ્રલ એકસાઈઝ (અમેડમેન્ટ) બિલ-૨૦૨૫-એમ ત્રણ બિલ પસાર કરાવી લીધા હતા અને આ અંગે ટૂંકી ચર્ચા પણ થઈ હતી.
એક તરફ એસઆઈઆર, બીએલઓના મૃત્યુ સહિતના વિવિધ મુદ્દે વિપક્ષો આક્રમક મૂડમાં હતા, તો બીજી તરફ બિહારની વિધાનસભામાં તોતીંગ બહુમતિ મેળવ્યા પછી એનડીએ જુસ્સામાં હતું. વડાપ્રધાને સ્વયં ચિંટિયો ભરીને વિપક્ષોને પરાજય પચતો નહીં હોવાનું કહી ડ્રામા નહીં, પણ ડિલિવર પર ધ્યાન આપવાનું કહ્યું, તો વિપક્ષ તરફથી પ્રિયંકા ગાંધીએ આક્રમક શૈલિમાં જવાબ આપ્યો કે દિલ્હીમાં હવાનું પ્રદુષણ અને એસઆઈઆરના મુદ્દા સંસદમાં ઉઠાવવા એ ડ્રામેબાજી નથી, પરંતુ આ પ્રકારના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા જ થવા ન દેવી એ ડ્રામા છે. વિપક્ષો સાંસદમાં લોકલક્ષી ઘણાં પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. બીએલઓની આત્મહત્યા અને દિલ્હીમાં થયેલા આતંકી હૂમલા પછી રાષ્ટ્રીય સુરક્ષાની ચર્ચા એ કાંઈ ડ્રામા નથી, હકીકતે ડ્રામા તો સંસદમાં લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા જ થતી અટકાવવાના પ્રયાસોને જ ગણી શકાય. દિલ્હીમાં પ્રદુષણનો મુદ્દો સરકાર માટે શરમજનક છે, જો સરકારે આ તમામ સીધા લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા જ કરવા દેવા માંગતી ન હોય, તો ગૃહ કેવી રીતે ચાલે ?
રાજયસભામાં પણ કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ઘનખડના રાજીનામા પછી ગૃહને તેની વિદાયની તક પણ મળી નહી, તેવી ટકોર કરતા ભાજપના સાંસદો આગબબૂલા થઈ ગયા હતા અને કોંગ્રેસને પોતાનો ભૂતકાળ યાદ કરાવવા લાગ્યા હતા. ગૃહની અંદર અને બહાર આ પ્રકારની આક્ષેપબાજી વચ્ચે એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા હતા કે સરકારને દોડવું હતું અને ઢાળ મળી ગયો છે, તો વિપક્ષોને પણ "સર" અને "સાહેબ"ના મુદ્દાઓનો આધાર મળી ગયો છે, આ બધા વચ્ચે સામાન્ય જનતા ક્યાં છેે ?
અખિલેશ યાદવે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રામા વાળા નિવેદન પર તીખા પ્રહારો કરતા કહ્યું કે લગ્નગાળામાં એસઆઈઆરની પ્રક્રિયા કરવા પાછળ પણ ષડ્યંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી, તો કેટલાક વિપક્ષી સાંસદોએ વડાપ્રધાન મોદી પર જ ડ્રામેબાજીના વ્યક્તિગત આક્ષેપો કર્યા, જેના જવાબમાં સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષ પાસે બીજા મોઈ મુદ્દા જ નથી, અને કોઈપણ ચર્ચા માટે સરકાર ક્યારેય ઈન્કાર કરતી નથી, પરંતુ ગૃહના અધ્યક્ષના રૂલીંગને સાંસદોએ માન આપવું જોઈએ. વિપક્ષો એસઆઈઆરના મુદ્દે સરકાર ભાગી રહી હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે, જ્યારે સરકાર વિપક્ષોને ઉપહાસ કરી રહી હોવાના આક્ષેપો વચ્ચે આજે પણ બંને ગૃહોમાં જે કાંઈ થઈ રહ્યું છે તે આપણી સામે જ છે.
એક તરફ વિપક્ષો એસઆઈઆરના મુદ્દે વ્યાપક ચર્ચા માંગી રહ્યા છે, તો બીજી તરફ ગૃહમાં "વંદે માતરમ્" ના મુદ્દે ૧૦ કલાકની ચર્ચા કરવાની મંજુરી મળી ગઈ હોવાના અહેવાલો પછી એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ તરફ ગુજરાતમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં રાજ્યપાલના નિવાસસ્થાનને ગવર્નર હાઉસ કે રાજભવન કહેવાતું હતુ, તેને કેન્દ્રની મંજુરીથી "લોકભવન" નામ રાખ્યું એન તેની સત્તાવાર જાહેરાત થઈ, તે પછી તેના સંદર્ભે પણ ચર્ચા થઈ રહી છે. રાજ્યપાલે કહ્યું કે જનતા સર્વોપરિ છે અને માત્ર બંધારણીય જવાબદારીઓ સુધી જ મર્યાદિત નહીં રહેતા સમાજ કલ્યાણ તથા લોકોની સમસ્યાઓ-અપેક્ષા સાથે જિવંત રીતે જોડાય તે જરૂરી છે, તેઓએ ગુજરાતના લોકભવન દ્વારા પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ઉલ્લેખ કરીને વિવિધ વિષયો પર રાજ્યના રાજભવન (લોકભવન)ની છેલ્લા કેટલાક વર્ષોથી લોકલક્ષી ભૂમિકા વર્ણવી હતી.
બીજી તરફ રાષ્ટ્રીયકક્ષાએ એવી ચર્ચા થઈ રહી છે કે, રાજ્યપાલે બંધારણીય જવાબદારીઓના બદલે રાજકીય રંગે રંગાઈ રહ્યા હોય તો તે ઠીક નથી. માત્ર કેન્દ્રના એજન્ટની જેમ કામ કરતા રાજ્યપાલોએ બિજજરૂરી ઢબે રચનાત્મક અને પ્રાકૃતિક કૃષિ અભિયાનો જેવા લોકલક્ષી અભિયાન ચલાવવાનું ગુજરાતના રાજ્યપાલ પાસેથી શિખવા જેવું છેે. આ પ્રકારના પ્રતિભાવો જ હકારાત્મક અને પ્રોત્સાહિત કરનારા પણ ગણી શકાય, અને ગર્ભિત ક્ષણ પણ ગણી શકાય.?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એસઆઈઆરમાં ફોર્મ્સ ભરવાની મુદ્દત એક અઠવાડિયું લંબાવાઈ છે, પરંતુ સમજવા જેવી વાત એ છે કે જે આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે, તે માત્ર ફોર્મ વિતરણની ટકાવારી દર્શાવાઈ રહી છે, અને હજુ પૂરેપૂરા ફોર્ર્મ્સ પહોંચાડી શકાયા નથી, ત્યારે માત્ર આઠ દિવસમાં પૂરેપૂરા ફોર્મ્સ વેરીફિકેશન સાથે ભરાઈ જ જશે તેવું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી, હકીકતે અત્યારે જે આંકડા ફોર્મ વિતરણના જાહેર કરાયા છે તે ફોર્મ્સ પહોંચાડી દેવાના જણાય છે. ફોર્મ્સ ભરીને પાછા આવી ગયા હોય તે રિસિવીંગની ટકાવારી તથા તેની "સિસ્ટમ" માં ડેટા એન્ટ્રી કેટલી થઈ છે, તેની વાસ્તવિક ટકાવારીના આધારે જ આ સંપૂર્ણ કાર્યવાહીનો પ્રથમ તબક્કો પૂરો થયો ગણાય, તેથી ખરેખર એક અઠવાડિયું નહીં, પરંતુ એક મહિના માટે આ મુદ્દત વધારાય, તો પણ માંડ લક્ષિત પ્રથમ તબક્કો પૂર્ણ થાય તેમ હોવાના તારણો આ પ્રકારની કામગીરીના અનુભવીઓ કાઢી રહ્યા છે, અને તે પછી વાંધા-સૂચનો તથા નોટિસ પીરિયડ પણ એક મહિનાની મર્યાદામાં પૂરો નહીં થાય, કારણ કે અત્યારે જે રીતે ફોર્મ ભરાઈ રહ્યા છે તે જોતાં ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી મોટી સંખ્યામાં અન્યત્ર રહેવા ગયેલા, કામચલાઉ સ્થળાંતર ગયેલા, લગ્ન પછી સાસરે ગયેલી દીકરીઓ, અભ્યાર્થીઓ ને કામ-ધંધા-નોકરી-મજુરી માટે અન્યત્ર ગયેલા મતદારો, તંત્રની ભૂલથી ખોટા સરનામે ચૂંટણીકાર્ડ નીકળ્યા હોય તેવા વગર વાંકે હેરાન થતા મતદારો, ભાડેથી રહેતા હોય અને વર્તમાન મતદારયાદી તૈયાર થયા પછી અન્યત્ર રહેવા ગયેલા મતદારો, કોઈ કારણે નામ-સરનામા અપડેટ કર્યા પછી નામ-સરનામું બદલી ગયું હોય, તેવા મતદાર યાદી તૈયર પછી પરણેલી દીકરીઓ, જેનું સાસરિયામાં ગયા બાદ સરનેમ-નામ-સરનામું બદલી જતું હોય છે અને પિતાની જગ્યાએ પતિનું નામ લાગી જતું હોય છે, તેવા તાજેતરના કિસ્સાઓ, આપણે ત્યાં નામની પાછળ ભાઈ, લાલ, કુમાર, રાય જેવા શબ્દો લગાડાય છે, તેમાં મામુલી ફેરફાર હોઈ વર્ષ ૨૦૦૨-૦૩ની મતદાર યાદી સાથે સુસંગત ન હોય અને 'સિસ્ટમ' કાઢી નાખતી હોય, તેવા ઘણાં બધા મતદારો પોતાના નામ ડ્રાફટ યાદીમાં નહીં મળે, ત્યારે વાંધો લેવાના જ છે અને રાજકીય પક્ષો પણ આ વખતે ડ્રાફટ યાદી બિલોરી કાચ લઈને જોવા બેસવાના છે, (જે જરૂરી પણ છે). તો બીજી તરફ પોતપોતાના મતવિસ્તારોમાં જનપ્રતિનિધિઓ પણ ડ્રાફટ યાદીમાં મતદારોના નામ ન હોય, તો તેની કમ્પલેઈન કરવા માટે ગલી-મહોલ્લા-વોર્ડ અને ગામ વાર સહાય કેન્દ્રો, હેલ્થ સેન્ટરો ઊભા કરવાની તૈયારીમાં હોવાના સંકેતો પણ મળી રહ્યા છે, જેથી પાછળથી હોબાળા થાય, આક્રોશ થાય અને બીએલઓની વિટંબણાઓ વધે તેના કરતા અત્યારે જ આ તમામ સંભાવનાઓ ઉકેલીને જ ડ્રાફટ યાદી બહાર પડે, તે માટે કમ-સે-કમ ચાર અઠવાડિયાની પ્રથમ તબક્કાની મુદ્દત જ વધારી દેવી જોઈએ, તેવો અભિપ્રાય આ પ્રકારની કામગીરીના અનુભવી તથા રાજકીય ક્ષેત્રના નિષ્ણાતો, અનુભવીઓ અને વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે, જે અવગણવા જેવો નથી જણાતો.
ચૂંટણીપંચે બીએલઓના પ્રોત્સાહક ભથ્થામાં વધારો કરીને સારૃં કામ કર્યું છે, આ વખતે જે વર્કલોડ છે, તે અભૂતપૂર્વ છે અને વસતિ, વિસ્તાર તથા મતદારોની સંખ્યામાં થયેલ વધારા ઉપરાંત ઓનલાઈન એન્ટ્રી-ડેટા કલેકશનની કામગીરીને જોતા તો બીએલઓ ડબલ પગાર તથા તેના મદદનીશો દોઢા પગારના હક્કદાર હોવાની ટકોર પણ સંભળાવા લાગી છે.
જો કે, કેટલાક બીએલઓએ ઉત્કૃષ્ટ કામ કર્યું છે, અને તેને બીરદાવાઈ રહ્યા છે, પરંતુ દરરોજ કોઈને કોઈ બીએલઓ કામના ભારણ કે ડિપ્રેશનમાં બીમાર પડી જતાં હોવા કે આત્મહત્યા અથવા તેવો પ્રયાસ કરવાની બની રહેલી ઘટનાઓને પણ અવગણી શકાય તેમ નથી, અને એ દૃષ્ટિએ પણ પ્રથમ તબક્કો ચાર અઠવાડિયા માટે લંબાવવામાં ચૂંટણીપંચને કોઈ વાંધો તો નહીં જ હોય...
જો કે, ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે અને ૧૨ પૈકી કેટલાક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓની સંભાવનાઓ હોય, તો તેને સુસંગત રહીને આ કામગીરી આટોપી લેવી પડે તેમ હોવાની તર્કબદ્ધ દલીલો પણ છે, પરંતુ કોઈના જીવના જોખમે અને મતદારોના અધિકારો છીનવાઈ જવાથી લેશમાત્ર પણ સંભાવના રહી જાય, તેવી રીતે ઉતાવળ કરવાના બદલે યોજાનારી ચૂંટણીઓ જરૂર પડયે થોડી ઘણી પાછળ ઠેલીને પણ આ એસઆઈઆરની કામગીરી એક પણ યોગ્ય મતદાર વંચિત ન રહી જાય, તેવી રીતે જ સંપન્ન થવી જોઈએ.
આ માટે મુદ્દત લંબાવવી પડે તો લંબાવ્યા કરવી જોઈએ, કારણ કે આપણાં દેશમાં તો સંસદની મુદ્દત પણ એક વર્ષ માટે લંબાવી શકાઈ હોવાના બંધારણીય દૃષ્ટાંતો છે, તેથી રાજકીય એન્ગલ નહીં પણ બંધારણીય એન્ગલથી મતદારોના હિતમાં જ નિર્ણયો લેવાય તે જરૂરી છે, અને એ પ્રકારની સ્થાપિત સત્તાઓ તો ચૂંટણીપંચ પાસે હશે જ ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હમણાંથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ જામનગર સુધી પહોંચીને જુદી જુદી તપાસ હેઠળ દરોડા પાડી રહી હોવાથી જામનગર નેશનલ મીડિયામાં પણ ગુંજતું રહે છે અને જામનગરમાં તો આ પ્રકારના દરોડા ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. દોઢેક દાયકા પહેલા ઈન્કમટેક્સ અને વેચાણવેરા ખાતાની ટીમોના દરોડા ચર્ચાસ્પદ બન્યા હતા, અને હવે જીએસટી તથા આઈટીના દરોડા પડેે છે, પરંતુ જ્યારે સીબીઆઈ, ઈડી, એનઆઈએ કે વિજિલિન્સની ટીમોના આંટાફેરા વધી જાય, ત્યારે તે ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક પણ છે.
અત્યારે બીજો સૌથી વધુ ચર્ચાનો વિષય રાજ્ય અને દેશમાં ચાલી રહેલ એસઆઈઆરની ઝુંબેશ દરમ્યાન કેટલાક બીએલઓના થયેલા મૃત્યુ તથા આ કાર્યવાહી કરતા કરતા મહેસાણામાં થયેલા બીએલઓના મૃત્યુનો મુદ્દો ઉઠાવીને સવાલો ઉઠી રહ્યા છે, તથા કોંગ્રેસે આ મુદ્દે રાજ્યવ્યાપી વિરોધ કરવાનો વ્યૂહ અપનાવ્યો હોય તેમ જણાય છે. સંસદસભ્ય પ્રતાપગઢીના પ્રહારો તથા ડો.મનિષ દોશીના આક્ષેપો પછી રાજ્યમાં જ નહીં, સમગ્ર દેશમાં એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયા સામે જનાક્રોશ પણ વધી રહ્યો હોય તેમ જણાય છે. આ કામગીરી જીવલેણ બની રહી હોવાનો પ્રતાપગઢીનો આક્ષેપ ઘણો જ સૂચક છે.
રાજ્ય સરકાર તરફથી દલીલો કરતા પ્રવક્તાઓ તથા ભાજપના નેતાઓ આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણીપંચના હસ્તક છે, અને તેમાં રાજ્ય સરકારની કોઈ પ્રત્યક્ષ ભૂમિકા જ હોતી નથી, તેમ જણાવી મોટાભાગે હાથ ઊંચા કરી રહ્યા છે, તો ચૂંટણીપંચ તરફથી કાર્યરત રાજ્ય સરકારના જ અધિકારી-કર્મચારીઓ દ્વારા બીએલઓની મદદ માટે કરાયેલી વિશેષ નિમણૂકો તથા કામના ભારણની વહેચણી સહિતની વ્યવસ્થાઓની માહિતી આપીને આ રાષ્ટ્રીય કામગીરીમાં સૌ કોઈનો સહયોગ માંગવામાં આવી રહ્યો છે અને રાજયમાં અત્યાર સુધીમાં થયેલી કામગીરીના આંકડા પણ રજૂ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં પાંચેક કરોડ મતદારોને એસઆઈઆર ફોર્મ્સ પહોંચાડીને કેટલા ટકા ડિજિટલાઈઝેશનની કામગીરી સંપન્ન થઈ છે, તેની વિગતો ચૂંટણીપંચ તરફથી જાહેર કરવામાં આવી રહી છે. ગઈકાલના અહેવાલો મુજબ અત્યાર સુધીમાં મતદારયાદીઓ પૈકીના ૧૩ લાખથી વધુ મૃતક મતદારોના નામો હટાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, તે ઉપરાંત ૧૬ લાખથી વધુ મતદારોએ સ્થળાંતર કર્યું હોવાનું બહાર આવ્યું છે, તથા અઢી લાખ જેટલા મતદારો તેના સરનામે મળી આવ્યા જ નહોતા.
અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જે મળી આવ્યા નથી કે સ્થળાંતર કરીને અન્યત્ર ચાલ્યા ગયા છે, તેઓનું શું થશે ? શું તેઓની શોધખોળ કરીને કે અન્યત્ર ગયા હોય, ત્યાંના બીએલઓ સાથે કે અન્ય રાજ્યના ચૂંટણીતંત્રો સાથે સંકલન કરીને ત્યાં નામ ઉમેરવાની કોઈ પ્રક્રિયા કરવાની હોય, તો તે માટે આ મુદ્દત પર્યાપ્ત છે ખરી ? જો આાવી કોઈ પ્રક્રિયા વિચારાઈ જ ન હોય કે પછી યોગ્ય રીતે અમલ ન થાય તો એ પ્રકારના મતદારોના નામ કોઈ પણ સ્થળે નહીં ઉમેરાતા તેઓ મતદાનના અધિકારોથી વંચિત તો રહી નહીં જાય ને ? તે અંગે લોકોના મનમાં ઉઠી રહેલા સવાલોનો ચૂંટણીપંચે જવાબ આપવો જ પડે તેમ છે, અને સ્પષ્ટ ભાષામાં લોકભોગ્ય ઢબે લોકોને ગળે ઉતરે તેવી રીતે વાસ્તવિકતા જાહેર કરવી જોઈએ.
ચૂંટણીપંચના આંકાડાઓ જોઈએ તો ટોપ ટેન ડિજિટાઈઝેશન કરનારા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રનો માત્ર જુનાગઢ જિલ્લો જ છે, અને મધ્ય ઉ.ગુજરાતના જિલ્લાઓ અગ્રેસર છે૪ ટોપ ટેન જિલ્લાઓમાં ૭૯ થી ૮૯ ટકા વચ્ચે મતદારયાદીઓની એસઆઈઆર પ્રક્રિયા હેઠળ ડિજિટાઈઝેશન થઈ ગયું છે, પરંતુ બાકીના જિલ્લાઓ પૈકી ધીમી કામગીરી કેટલા જિલ્લાઓમાં થાય છે અને તેના કારણો શું ? તેના તારણો કાઢીને જરૂરી સુધારા-વધારા કરવા જોઈએ.
બીજી દૃષ્ટિએ જોઈએ તો ડાંગ જિલ્લો વસતિની દૃષ્ટિએ નાનો હોવાથી ત્યાં ૮૯ ટકાથી વધુ ડિજિટાઈઝેશન થઈ ગયું હોય, અને તે અગ્રસ્થાને હોય, તે સ્વાભાવિક છે, પરંતુ કેટલાક મોટા જિલ્લાઓ પણ ટોપ ટેનમાં છે, તે જોતા પાછળ રહી ગયેલા જિલ્લાઓમાં કામગીરી સુધારવા અને વધારવા દૈનિક સમીક્ષા થવી જરૂરી છે. બધા જિલ્લાઓ વસતિ, વિસ્તાર, વ્યવસાય અને ભૌગોલિક તથા સુવિધાઓની દૃષ્ટિએ ભિન્ન-ભિન્ન હોવાથી એક લાકડે ઢોરને હાંકવાની જેમ એક સરખા ધારાધોરણો કે કર્મચારીઓની સંખ્યા રાખવાની પદ્ધતિ અપનાવાઈ રહી હોય તો તે ભૂલ ભરેલી છે અને આ તમામ પાસાઓ ધ્યાને રાખીને જ બીએલઓ તથા તેના મદદનીશોની ફાળવણી થવી જોઈએ., બીજી તરફ પ.બંગાળમાં મમતા બેનર્જીએ ઉઠાવેલા સવાલો પણ દેશમાં પડઘાઈ રહ્યા છે.
રાજકીય પક્ષોએ ચૂંટણીની કામગીરી કરતા કરતા મૃત્યુ પામ્યા હોય, અકસ્માતનો ભોગ બન્યા હોય કે બીમાર પડી ગયા હોય તો તેને અથવા તેના પરિવારોને સહાય, મૃતક કર્મચારીઓના પરિવાર પૈકી એકને નોકરી અને સારવાર-અંતિમક્રિયાનો ખર્ચ આપવાની માંગણી પણ ઉઠાવી છે, બીજી તરફ સર્વર ડાઉન થવા, નેટવર્ક નહીં મળવું કે મોબાઈલ ફોન રિચાર્જીંગ જેવા મુદ્દાઓ માટે રાજ્ય સરકાર આ રાષ્ટ્રીય કામગીરીની કચાશ નો દોષ ચૂંટણીપંચ પર ઢોળીનેે ઊંચા હાથ કરી શકે નહી, તેવા પ્રત્યાઘાતો ખોટા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણાં દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ ખતમ થઈ ગઈ છે, બંધારણીય સંસ્થાઓ હાઈજેક થઈ રહી છે અને જનવિરોધી નિર્ણયો લેવાઈ રહ્યા છે, એટલું જ નહીં, કેટલાક મુદ્દે વિપક્ષો તો ઠીક, સાથીદારપક્ષો કે સત્તા પર રહેલી પાર્ટીના નેતાઓને પણ વિશ્વાસમાં લેવામાં આવતા નથી, તે પ્રકારના આક્ષેપો કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં શાસન ચલાવી રહેલા નેતાઓ તથા પ્રાદેશિક હોદ્દેદારો પર થતા રહે છે અને રાજકીય પક્ષો તીખા-તમતમતા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરતા રહે છે, તેમ છતાં કેટલીક વખત રાજનેતાઓ પાર્ટીલાઈનથી અલગ પ્રકારના નિવેદનો કરતા હોય છે, અને આઝાદી પછી આ સીલસીલો સતત ચાલતો રહ્યો છે, જ્યારે દુશ્મન દેશો સામેની લડત હોય, કે આતંકવાદ કે દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે પ્રહાર હોય, ત્યારે આ પ્રકારની એકજૂથતા પણ હંમેશાં આપણાં દેશે દેખાડી છે, અને તે જ આપણી તથા આપણાં લોકતંત્રની તાકાત છે. ઓપરેશન સિંદૂર પછી વિદેશોમાં ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ વિદેશમાં જે રીતે આપણાં દેશની ગરિમામય છબિ રજૂ કરી અને પાકિસ્તાનના પ્રપંચોને ખુલ્લા પાડયા, તેની પ્રશંસા પણ થઈ હતી અને પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને જે રીતે દેશભાવના દેખાડાઈ, તેથી પ્રત્યેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી.ં
જો કે, હમણાંથી પાર્ટીલાઈનથી અલગ થઈને અપાતા કેટલાક નિવેદનોના સૂચિતાર્થો કાંઈક અલગ જ પ્રકારના જણાઈ રહ્યા છે, અને "કહીં પે નિગાહેં, કહીં પે નિશાના" જેવા વ્યૂહાત્મક અથવા આંતરિક અસંતોષ કે બળાપો કાઢવા માટેના પ્રયાસો જેવા જણાય છે., અને ખાસ કરીને ભારતીય જનતા પક્ષમાં ચાલતા આંતરિક ઘુંઘવાટ આ રીતે પ્રગટી રહ્યો હોય તેમ જણાય છે, જ્યારે કેટલાક નિવેદનો એવા હોય છે, જે પછેડીમાં પાંચશેરી વિંટીને ઘા કરવા જેવા હોય છે, તો કેટલાક નિવેદનો અડધા ભરેલા અને અડધા ખાલી ગ્લાસ જેવા દૃષ્ટિભેદથી પણ મુલવી શકાય તેવા "વચલા" અથવા ડબલ ઢોલકી જેવા હોય છે.
આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની ઉજવણીના ભાગરૂપે વડોદરાથી એકતા માર્ચ નીકળવાની છે. આ એકતા માર્ચમાં જોડાવા થોડા દિવસો પહેલા જ વડોદરાના ભાજપના સંસદસભ્ય ડો.હેમાંગ જોશીએ કોંગી નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને આમંત્રણ આપ્યું હોવાના અહેવાલોએ ઘણી ચર્ચા જગાવી હતી. કેટલાક વિશ્લેષકોએ આ રીતે ડો. જોશીએ પોતાનો આંતરિક બળાપો ઠાલવીને પરોક્ષ અસંતોષ વ્યક્ત કર્યો હોવાનો અંદાજ લગાવ્યો, તો કેટલાક વિશ્લેષકોએ આને વિપક્ષના નેતાને સરદાર પટેલની ૧૫૦મી જયંતીની ઉજવણીમાં પાર્ટીલાઈનથી ઉપર ઉઠવાની શુદ્ધ બુદ્ધિની અપીલ ગણાવી. હકીકતે વડોદરા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કથિત ગજગ્રાહના કારણે ડો. હેમાંગ જોશીના આ પત્ર ચર્ચાના ચાકડે ચડયો હોવાના તારણો નીકળ્યા.
ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કર્યા પછી રાજ્યના પોલીસતંત્રે તેનો જવાબ આપ્યો અને આ વિવાદ વધુ વકર્યો. હવે તો નેતાઓના નિવેદનો પોલીસના પટ્ટા ઉતરાવવાથી પેન્ટ સુધી પહોંચી ગયા છે અને આ નિવેદનબાજીમાં ભાજપના નેતાઓએ ભૂતકાળમાં અન્ય મુદ્દે પોલીસતંત્ર માટે આપેલા આ જ પ્રકારના નિવેદનો તથા ભદૃા શબ્દપ્રયોગોના દૃષ્ટાંતો પણ ઉમેરાયા છે, ત્યારે દારૂ-ડ્રગ્સની બદી અને તેનાથી યુવાવર્ગની થતી બરબાદીનો મુદ્દો હાંસીયામાં ધકેલાઈ ગયો છે, એટલું જ નહીં, ભાજપના કેટલાક નેતાઓએ પણ પોલીસતંત્ર અથવા કાયદો-વ્યવસ્થાના મુદ્દે એવા નિવેદનો કર્યા, જેને પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને જિજ્ઞેશ મેવાણીના મૂળ મુદ્દાને સમર્થન આપનારા પણ ગણાવાયા, તેથી ક્ષોભજનક સ્થિતિ પણ ઊભી થઈ ગઈ છે.
સુરતના ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વમંત્રી કુમાર કાનાણીએ સુરતના એક બ્રિજ નીચે ચાલતા ગોરખધંધા તરફ અંગૂલી નિર્દેશ કર્યો.
નાયબ મુખ્યમંત્રી તથા રાજ્યના ગૃહમંત્રીના કાર્યક્ષેત્રમાં જ કાયદો-વ્યવસ્થા તથા દારૂ-ડ્રગ્સની બદી અંગે જિજ્ઞેશ મેવાણી જેવા જ થયેલા નિવેદનોએ એક તરફ રાજ્યની વાસ્તવિકતા ખુલ્લી પાડી, તો બીજી તરફ ભાજપના નવા-જુના નેતાઓ વચ્ચેનો સંભવિત ખટરાગ પણ બહાર આવ્યો. એવી અટકળો પણ થઈ છે કે પૂર્વમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી વચ્ચે બધું બરાબર નથી, અને તેથી જ પાર્ટી માટે બૂમરેંગ પૂરવાર થાય, તેવા નિવેદનો અપાઈ રહ્યા છે. એટલું જ નહીં, સુરતના બ્રિજ નીચે તત્કાળ "સાફસુફી" થઈ જતાં ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પણ બહાર આવ્યો હતો, તો પાર્ટીમાં "સાફસુફી"ની જરૂર હોવાની વાતો પણ થવા લાગી !
કોંગી નેતા પરેશ ધાનાણીએ તો ત્યાં સુધી કહી દીધું કે ડ્રગ્સ-દારૂના માફિયાઓ સામે ગુજરાતમાં જન આંદોલન વેગ પકડી રહ્યું છે, અને રાજકીય ઈશારે નાચનારા અને બંધારણના (ખોટા) સોગંદ લેનારાઓની જોવા જેવી થશે. !
કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ભરતભાઈ સોલંકીએ કરેલું એક નિવેદન પણ ચર્ચામાં છે, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કહે, તે કરી બતાવે છે, તેવું અર્થઘટન કાઢવામાં આવી રહ્યું છે. તેમણે બુદ્ધિમત્તાની વાત કર્યા પછી તેના ભિન્ન ભિન્ન સૂચિતાર્થો નીકળી રહ્યા છે.
કોંગ્રેસમાં પણ કર્ણાટકના શિવકુમાર એપિસોડ પછી હવે એક અન્ય દિગ્ગજ નેતાએ કોંગ્રેસનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીને સોંપવાની હિમાયત કરતા એવી ચર્ચા થઈ રહી છે કે આ નિવેદન ખડગેને ખસેડવા માટે અપાયું હશે કે રાહુલ ગાંઘીની ક્ષમતા પર પ્રહાર હશે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ગ્લાસગોમાં ગુજરાત માટે ગૌરવભરી ક્ષણ આવી હતી, જ્યારે કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે અમદાવાદમાં આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો.
ગઈકાલનો દિવસ ઐતિહાસિક હતો અને આગામી ઓલિમ્પિક ગેઈમ્સ માટે પણ ભારતને ચાન્સ મળે, તે દિશામાં કૂચ થઈ છે. કોમનવેલ્થ ગેઈમ્સ અમદાવાદમાં યોજવાની જાહેરાત ગુજરાત માટે ગૌરવ અને દેશનો દબદબો વધારનારી હતી, સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેઈમ્સની એસેમ્બલીમાં અંતિમ સત્તાવાર નિર્ણય લેવાયો, તેથી ભારતના સંવિધાન દિવસે જ યોગાનુયોગ લેવાયો, તેને શુભ સંકેત અને ગરિમામય સંયોગ ગણાવાઈ રહ્યો છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું પ્રતિનિધિ મંડળ ગ્લાસગો ગયું છે. અને ગુજરાતને ગ્લોબલ મલ્ટી સ્પોર્ટસ હબ બનાવવાના દ્વાર ખુલી ગયું તેવો આ નિર્ણય લેવાયા પછી ગુજરાતીઓનો "હર્ષ" આસમાને પહોંચ્યો છે અને દેશની ગરિમા વધી છે, તેથી એકંદરે દેશભરમાંથી આ નિર્ણયને આવકારતા પ્રતિભાવો પણ ગઈકાલથી જ આવી રહ્યા છે.
ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી.ઉષા, બોકસર જૈસ્મીન લામ્બોરિયા સહિતની હસ્તીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણયને આવકારતા કહ્યું હતું કે યુવાશક્તિના સશક્તિકરણ, ખેલ જગતને પ્રોત્સાહન અને દેશની સર્વક્ષેત્રિય પ્રતિભા વધારવાના આ ઉદૃેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રકચર અને વૈશ્વિક ક્ષમતા સાથે આપણે આ ગૌરવપ્રદ ક્ષણને આવકારીએ. વડાપ્રધાને પણ આ ઈવેન્ટને લઈને તત્પરતા વ્યક્ત કરી છે.
કોમનવેલ્થ ગેઈમ્સને મીની ઓલિમ્પિક ગેઈમ્સ પણ ગણવામાં આવે છે, અને ગુજરાતના અમદાવાદમાં આ માટે પ્રવર્તમાન સુવિધાઓ ઊભી થશે, તેથી આ મેગા આયોજનથી સ્થાનિક રોજગારી, ઈન્ફ્રાસ્ટ્રકચર, વિકાસ તથા ટુરિઝમ ડેવલપમેન્ટ સહિતના મહત્ત્વપૂર્ણ પૂરક ફાયદાઓ પણ મળવાના છે.
ક્રિકેટની કેટલીક મહત્ત્વપૂર્ણ મેચો ક્ષમતા, સુવિધાઓ તથા પરિવહનની દૃષ્ટિએ અને મોટું સ્ટેડિયમ હોવાથી અમદાવાદને મળે, તેની સામે અદેખાઈ કરતા અન્ય રાજ્યોના કેટલાક રાજનેતાઓએ પણ કોમનવેલ્થના આયોજનમાં ગુજરાત અને દેશની પડખે ઊભું રહેવું પડશે.
આ સ્પર્ધાઓ અમદાવાદમાં યોજાતા ટુરિઝમ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને એમ્પ્લોયમેન્ટનું ટ્રિપલ બુસ્ટર મળશે અને હજારો કરોડના ઈન્વેસ્ટમેન્ટ સાથે ગ્લોબલ મેપમાં અમદાવાદ અને ગુજરાતનું ગૌરવવંતુ સ્થાન મળશે. બસ, ધ્યાન એટલું રાખવાનું કે જામનગરના ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા પછી ત્યાં જે પ્રકારની ગંદી અને લાપરવાહી પૂર્ણ હરકતો થઈ છે, તેવું કોમનવેલ્થના ડેસ્ટિનેશન પર તો હરગીઝ ન જ થવું જોઈએ.
ગુજરાતને કોમનવેલ્થ ગેઈમ્સની યજમાની તો મળી ગઈ પરંતુ આ કારણે માત્ર ગુજરાત સરકાર કે તેના તંત્રો જ નહીં, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગુજરાતીઓ તથા ખાસ કરીને અમદાવાદના રહીશોની જવાબદારી ઘણી જ વધી જવાની છે. આ તકને ઓલિમ્પિકના અવસરમાં બદલવા માટે સૌ કોઈએ સમર્પિત થવું જ પડશે. ગંદકી કરવાની, ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરવાની તથા છીછરી હરકતો કરવાની આદતો ધરાવતા લોકોને અંકુશમાં રાખવા પડશે તથા તમામ વ્યવસ્થાઓને અનેકગણી સુદૃઢ અને સક્ષમ બનાવવી પડશે.
કોમનવેલ્થ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે આ વખતે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેઈમ્સમાં એથ્લેટિક્સ, સ્વિમીંગ, બાઉલ્સ, તમામ પેરા સ્પોર્ટસ સહિત વેઈટ લિફટીંગ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, બોક્સિંગ, નેટબોલ અને ટેબલટેનિસ સહિત કુલ ૧૫ થી ૧૭ સ્પોર્ટસનો સમાવેશ થશે.
આ ગેઈમ્સ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવ-અમદાવાદમાં રમાશે, અને વિશ્વના સૌથી મોટા ગણાતા સ્ટેડિયમ ઉપરાંત આ કોમ્પ્લેક્ષમાં અત્યાધુનિક ફૂટબોલ સ્ટેડિયમ, બે વિશાળ ઈન્ડોર એરેના, હાઈટેક એક્વેટિક્સ સેન્ટર અને તમામ પ્રકારની પૂરક અદ્યતન વ્યવસ્થાઓ તથા સુખ-સુવિધાઓ તથા આવાસ, નિવાસ, પરિવહન અને પ્રેકટિસની સગવડો પણ ઊભી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ આવકારદાયક છે અને આપણાં ગરવા ગુજરાત માટે એક સુવર્ણ અવસર છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે, તે જ અમદાવાદ ભયંકર ટ્રાફિકજામ માટે પણ જાણીતું છે. આ મહાનગરની આંતરિક ટ્રાફિક વ્યવસ્થા અંગે અવાર-નવાર હાઈએલર્ટ તથા સરકારી કાર્યાલયો સુધી પડઘા પડયા છે. અમદાવાદમાં રખડતા ઢોર, ટ્રાફિક નિયમોના ભંગ તથા માર્ગો પર પડતા ભુવાઓ (ઊંડા ખાડાઓ) અંગે રાજ્યની હાઈકોર્ટે પણ અવાર-નવાર એે.એમ.સી. તથા રાજય સરકારના તંત્રોને તતડાવ્યા છે, અને કેટલીક વખત તો વડી અદાલતે સુઓમોટો સુનાવણી કરીને કોર્પોરેશન તથા રાજ્ય સરકારના તંત્રોને તથા ઉચ્ચ અધિકારીઓના ખુલાસાઓ પણ માંગ્યા છે.
જો કે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તથા વિકસિત કરાઈ રહેલા સંકુલો, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવ અને તેમાં સમાવિષ્ટ ન.મો. સ્ટેડિયમ સહિતના ખેલસંકુલોમાં સમસ્યાઓ તથા ગીચતા અને ટ્રાફિકજામની ઉણપો પ્રમાણમાં ઓછી હશે, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની આટલી બધી ગેઈમ્સ અને પ્રવૃત્તિઓ થવાની હોય, ત્યાં બહારથી પણ બહોળી સંખ્યામાં લોકો તથા પ્રવાસીઓ, ખેલાડીઓ, સંલગ્ન અધિકારી-કર્મચારીઓ અને પૂરક વ્યાવસાયિકો તો આખા અમદાવાદમાં ફેલાઈ જવાના છે, તેથી અત્યારના અમદાવાદને પાંચ વર્ષમાં ઘણું જ બદલવું પડશે. આપણી પાસે વર્ષ ૨૦૧૦માં દિલ્હીમાં કોમનવેલ્થ સ્પર્ધાઓ યોજયાનો અનુભવ પણ છે અને તે સમયની સરખામણીમાં ટેકનોલોજી, સંચાર વ્યવસ્થાઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચર પણ ઘણું જ એડવાન્સ તથા આધુનિક બની ગયું છે, તેમ છતાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માટે તો આ મોટો પડકાર જ છે અને તેમાં જો થોડી ઘણી પણ કચાશ રહી જાય, તો આ જ ગૌરવ આપણા દેશ માટે બૂમરેંગ પણ પૂરવાર થઈ શકે તેમ છે, તેથી આગામી પાંચ વર્ષમાં તમામ પ્રકારની સંભાવનાઓને સાંકળીને આ ભગીરથ પડકાર ઝીલવાની તૈયારી કરવી પડે તેમ છે. આ પાંચ વર્ષના સમયગાળામાં જ ગુજરાત વિધાનસભાની વર્ષ-૨૦૨૭માં ચૂંટણીઓ થવાની છે, જયારે વર્ષ ૨૦૨૯માં લોકસભાની ચૂંટણીઓ પણ આવશે, અને સરકારો બદલાશે, પરંતુ આ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં કોઈ ખામી ન રહી જાય, તે માટે રાજકીય એકજૂથતા બતાવીને રાષ્ટ્રીય ગૌરવ માટે રાષ્ટ્રીય પર્વો જેવી જ અખંડિત તાકાત પણ બતાવવી પડશે, અને તે જવાબદારી આપણી બધાની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લો મૂકાયા પછી ટ્રાફિક નિયમન નહીં, પણ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા અને એકાદ અકસ્માત પણ થયો, તે પુલના નિર્માણમાં રહી ગયેલી ત્રુટિઓ અને અધરૂપ ઉપરાંત નગરજનોની કુતૂહલપ્રવૃત્તિ તથા કેટલાક પરિબળોની અયોગ્ય તથા અનિચ્છનિય હરકતોનો પણ પર્દાફાશ કરે છે. મુખ્યમંત્રી બ્રિજ ખુલ્લો મૂકીને ગયા, તેની પ્રથમ બે રાત્રિ દરમ્યાન રંગીન રોશનીનો નજારો માણવા તથા લાંબા સમયથી નિર્માણધિન બ્રિજ કેવો બન્યો છે, તે નિહાળવા એટલા બધા લોકો ઉમટી પડયા હતા કે ટ્રાફિક જામ નિવારવા માટે ટ્રાફિક પોલીસને તથા તંત્રના નાકે દમ આવી ગયો , તો બીજી રાત્રિએ કેટલાક સ્થળે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા દૃશ્યો જોવા મળ્યા, અને એકંદરે નગરના નજરાણા જેવા આ બ્રિજની સ્વચ્છતા, સુરક્ષા તથા ટ્રાફિક તથા કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ જરૂરી એવા "ત્રીજા નેત્ર"ની વ્યવસ્થા જ હજુ થઈ નથી, તે જાણીને લોકોને તાજ્જુબ થયું. બ્રિજમાંથી ઉતરતા ઢાળીયા પાસે વળાંક પાસે વધુ ચોકસાઈ માટે વધુ ડિવાઈડરની જરૂર જણાવાઈ, તો બ્રિજ પર આવતા વળાંકો અંગે સતર્કતા રાખવાની જરૂર તથા તદ્વિષયક વધુ સાઈનીંગ બોર્ડની ચર્ચા પણ થઈ.
આપણે આપણું તદ્ન નવું મકાન આપણું પોતાનું બનાવ્યું હોય અને વાસ્તુ કરીને રહેવા જઈએ કે તરત ત્યાં દીવાલો પર થુંકીએ કે હોલ-બેડરૂમ કે ગમે ત્યાં કચરો ફેંકીએ ખરા ?...ન જ ફેંકીએ, પરંતુ નવા નકોર બ્રિજ પર આ પ્રકારની હરકતો થઈ, તેને બેશરમ અથવા નિર્લજ્જ તથા એક જવાબદાર નાગરિક તરીકે તદૃન અયોગ્ય હરકતો જ કહી શકાય...જાહેર મિલકતો પબ્લિક મનીમાંથી જ બને છે અને આપણે ભરેલા ટેકસમાંથી જ વિકાસના સંકુલો તથા માળખાકીય મિલકતો બને છે, તેવો દાવો તો આપણે હંમેશાં કરતા હોઈએ છીએ, પરંતુ આ પ્રકારની પબ્લિક પ્રોપર્ટી અથવા જનસુવિધાઓ તદૃન નવનિર્માણ પામી હોય, ત્યાં જ તેને ગંદી, ગોબરી કરવા લાગીએ, તો આપણને તંત્રની ટિકા કરવાનો કે હક્કો માંગવાનો અધિકાર ખરો ?...જરા વિચારો... દિલ પર હાથ રાખીને અંતરઆત્માને પૂછો...!
કલેકટર-એસ.પી.-મ્યુનિસિપલ કમિશનર સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉદઘાટન પછી આ બ્રિજની સ્થિતિ નિહાળવા આંટો માર્યો હશે. નગરના કેટલાક શ્રેષ્ઠીઓ તથા પ્રેસ-મીડિયા, લબ્ધ-પ્રતિષ્ઠિત લોકો દ્વારા વિવિધ પ્રતિભાવો વ્યક્ત થયા, કેટલાક ઉપયોગી સૂચનો પણ થયા, તો કેટલીક બાબતે આલોચના પણ થઈ, પરંતુ કોઈના તરફ એક આંગળી ચિંધીએ, ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી તરફ હોય, અને અંગૂઠો, "ડબલ ઢોલકી" વગાડતો હોય, તેમ તદૃન વચ્ચે જ હોય છે, તે ભૂલવું ન જોઈએ !
આટલા લાંબા સમયથી બ્રિજનું નિર્માણ થતું હોવા છતાં જો મૂળભૂત જરૂરિયાતો અથવા ટ્રાફિક નિયમનની પૂરતી વ્યવસ્થાઓ કે સીસીટીવી કેમેરાઝ ગોઠવી શકાયા ન હોય, તો તે આ બ્રિજની ડિઝાઈન કરનારાઓથી લઈને એન્જિનિયરો, કોન્ટ્રાકટરો, તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા ઘણી વખત નગરમાં ઊંચો કોલર રાખીને સીનસપાટા કરતા રહેતા કેટલાક નેતાઓ, નાની-નાની બાબતોમાં પ્રેસનોટના ઢગલા કરતા રહેતા કેટલાક નિવેદનીયા "જાગૃત જનસેવકો", મહાપાલિકાના પદાધિકારીઓ અને લોકોએ ચૂંટેલા નગરસેવકો તથા જનપ્રતિનિધિઓ સહિત આપણી બધાની ભાગે પડતી જવાબદારી ગણાય, અને સહિયારી ખામી જ ગણાય, ખરૃં ને ?
આજે સવારે જ સમાચાર આવ્યા છે કે આ નવાનકોર બ્રિજમાં આગ લાગતા ફાયરબ્રિગેડને દોડવું પડ્યું હતું, અને શોટસર્કિટ થતાં વાયર બળ્યું હોવાનું સામે આવ્યુું હતું, મહાનગરપાલિકાનું તંત્ર હોય કે જિલ્લાનું વહીવટી તંત્ર હોય, કોન્ટ્રાક્ટરોનું તંત્ર હોય કે લોકતંત્રના પહેરેદારો દાવો કરતા રહેતા કેટલાક બોલકા લોકો હોય, કોઈનાય બહુ વખાણ કરવા જેવા નથી,...બ્રિજના ઉદઘાટન પછી પહેલા બે દિવસના અનુભવે જ સામે આવેલી વાસ્તવિકતાઓ માટે જવાબદાર કોણ ? તે પ્રશ્નનો જવાબ આત્મચિંતન કરીને સ્વયં જ શોધવો પડે તેમ છે.
નગરના નજરાણાં સમા બનેલા ફલાય ઓવરબ્રિજના સુશોભન, લાઈટીંગ અને ઝગહળાટ નમૂનેદાર છે અને સુંદર દૃશ્યો જોવા મળી રહ્યા છે, તે હકીકત છે, પરંતુ તેની પાછળ મૂળભૂત જરૂરિયાતો, વ્યવસ્થાઓ અને "તિસરી આંખ", તથા ટ્રાફિક નિયમન જેવી તકેદારીઓમાં કચાશ રહી ગઈ, તે ક્ષમ્ય નથી...
આ ફલાય ઓવરબ્રિજના પ્રથમ બે દિવસના અનુભવે એવું કહી શકાય કે અડધો પાણીનો ગ્લાસ ઘણાંને અડધો ભરેલો દેખાય, તો ઘણાંને અડધો ખાલી દેખાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ બ્રિજ અંગે ટિકા-ટિપ્પણી થાય, વાસ્તવિક ભૂલો પ્રત્યે અંગૂલી નિર્દેશ થાય કે ઉયોગી સૂચનો થાય, તે આવકાર્ય પણ છે અને જરૂરી પણ છે, પરંતુ કેટલાક સૂફિયાણી સલાહો આપતા પરિબળો ડાહી ડાહી વાતો કરતા રહેતા હોય અને પોતે જ આ બ્રિજના લોકાર્પણની પહેલી રાત્રે શું કર્યું તે ભૂલી જતા હોય, તો એવું કહી શકાય કે આ પ્રકારના લોકો હાથી જેવા હોય છે, જેના ખાવા (ચાવવા)ના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા હોય છે...!!!
ખેર, હવે ઝડપથી રેલવેની જમીનનું હસ્તાંતરણ થઈ જાય, અને અંબર ચોકડી પાસે નવા સ્લેબ જલદી બની જાય, સમગ્ર બ્રિજને આવરી લેતા સીસીટીવી કેમેરા ઝડપથી ફિટ થઈ જાય, અને વચગાળામાં ડ્રોન કેમેરાથી નિરીક્ષણનો વિકલ્પ વિચારાય, બ્રિજની ઉપર તથા બંને છેડે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો-વ્યવસ્થા જાળવવાની રાઉન્ડ-ધ-કલોક વ્યવસ્થા ઉપરાંત અભ્યાસ કરીને ટ્રાફિક વધુ રહેતો હોય ત્યારે વિશેષ વ્યવસ્થાઓ થાય, ટ્રાફિકના સમયે બ્રિજ પર બિનજરૂરી રીતે વાહનો ઊભા રાખીને ટ્રાફિક જામ કરતા, બ્રિજ પર ગમે ત્યાં પાન-મસાલાની પિચકારી મારતા, કચરો ફેંકતા કે અયોગ્ય હરકતો કરતા પરિબળો દંડાય અને જરૂર પડ્યે તેવા રીઢા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા, તે અત્યંત જરૂરી છે...નગરને નવલું નજરાણું મળ્યુ છે, તેને જાળવીએ, અને આપણે પણ સુધરીએ અને બીજાને પણ સાચો માર્ગ બતાવીએ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
થોડા દિવસો પહેલા દેશમાં ૨૯ જૂના કાયદાઓ રદ કરીને નવા શ્રમ કાયદા લાગુ કરાયા છે અને તેના કારણે ૪૦ કરોડ જેટલા કામદારોને સામાજિક સુરક્ષા મળશે, તેવો દાવો કરાયો છે. તે પહેલા મોદી સરકારે ઘણાં બિનજરૂરી કાયદાઓ નાબૂદ કર્યા છે. બ્રિટિશ સલ્તનતના શાસનકાળમાં ઘડાયેલા આઈપીસી, સીઆરપીસી તથા એવિડેન્સ એક્ટની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ-૨૦૨૩), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ-૨૦૨૩) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ-૨૦૨૩) લાગુ કર્યા હતા, અને ગૂન્હો, સજા, દંડ, પ્રક્રિયા અને કલમોમાં ફેરફાર કરીને વર્તમાન યુગને અનુરૂપ કાયદાઓ ઘડવાની તાર્કિક દલીલો સાથે સંસદમાં લાંબી ચર્ચાઓ પણ આ સંદર્ભે થઈ હતી.
આપણાં દેશમાં વર્ષ ૧૯૩૦ થી ૧૯૫૦ વચ્ચે બ્રિટિશ શાસન દરમ્યાન શ્રમ કાયદાઓ ઘડાયા હતા, જેમાં વર્તમાન સમયની જરૂરિયાતો, શ્રમના પ્રકારો તથા શ્રમિકોના હિતો પ્રતિબિંબિત થતા નહોતા. જૂના કાયદાઓમાં ફિક્સ પગાર, ગિગ વર્કર્સ, માઈગ્રેશન ઓફ લેબર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ કે લેબર્સ કોન્ટ્રાક્ટ્સ જેવા મુદ્દાઓ નહોતા. આ પ્રકારના શબ્દપ્રયોગો પણ જૂના કાયદાઓમાં જોવા મળતા નહોતા. તેથી જૂના ૨૯ કાયદાઓ હટાવીને શ્રમિકોના હિતોને સાંકળીને નવા કાયદા અમલ બનાવાયા હોવાનો દાવો કરાયો છે, અને ગિગ વર્ક, પ્લેટફોર્મ વર્ક, એગ્રીગેટર્સની વ્યાખ્યાઓ નિયત કરીને નવી શ્રમ સંહિતામાં ફિક્સ્ડ પગારથી કામ કરતા કામદારો, ટર્મ કર્મચારીઓને પણ કાયમી કર્મચારીઓની જેમ જ સમાન ધોરણે રજા, પગાર, મેડિકલ સહાય અને સામાજિક સુરક્ષાનો અધિકાર મળશે અને પાંચ વર્ષ પછી જ ગ્રેચ્યુઈટીનો અધિકાર મળશે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો, પ્લાન્ટેશન, ડિજિટલ મીડિયા, ઈલે. મીડિયા, પત્રકારો, ડબિંગ કલાકારો, સ્ટંટ કલાકારો, ખાણ કામદારો, જોખમી ઉદ્યોગો, ટેક્ષ્ટાઈલ, આઈ.ટી., આઈ.ટી.એસ કામદારો, પોર્ટસ અને એક્સપોર્ટસ ક્ષેત્રના કામદારો તથા કર્મચારીઓને પણ નવા કાયદાઓ હેઠળ આવરી લેવાયા હોવાનો પણ દાવો કરાયો છે.
આ કાયદાઓના સુદૃઢ અમલ તથા શ્રમિકો-કામદારો-કર્મચારીઓના હિતોના રક્ષણ માટે પ્રવર્તમાન કાનૂની વ્યવસ્થાઓ ઉપરાંત બે સભ્યોની નવી ઔદ્યોગિક ટ્રિબ્યુનલની વ્યવસ્થા કરાશે, તથા જ્યાં ૯૫૦૦ થી વધુ કામદારો હોય, ત્યાં સલામતિ સમિતિઓ ફરજિયાત કરાશે. સરકારે દાવાઓ તો ઘણાં કર્યા છે, પરંતુ હવે "નિવડે વખાણ થાય..."ની કહેવત મુજબ જસ્ટ વેઈટ એન્ડ વોચ...
આ જ રીતે કેન્દ્ર સરકારે હવે સાયબર ક્રાઈમના ક્ષેત્રે પણ વધુ કડક અને નવા કાયદાઓ ઘડવાની જરૂર છે. ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન બેન્કીંગના ઘણાં ફાયદા છે અને ટ્રાન્સપરન્ટ વ્યવહારોના કારણે બ્લેકમની પ્રોડકશન તથા ગેરકાનૂની નાણાકીય વ્યવહારો પર અંકુશ આવે છે, એ ખરૃં, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે... ગુજરાત સહિત દેશમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ દિન-પ્રતિદિન ઝડપભેર વધી રહી છે, અને ગુજરાત તેમાં પણ નંબર વન હોવાનુું સામે આવ્યું છે.
તાજેતરના અહેવાલો મુજબ ગુજરાતમાં દર કલાકે સાયબરની ૨૧ ફરિયાદો એવરેજ નોંધાય છે. છેલ્લા નવ મહિનામાં જ ગુજરાતીઓ સાથે રૂ. ૧૦૧૧ કરોડની ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના સાયબર ક્રાઈમ ૩૦ ટકા જેટલો વધ્યો હોવાના તારણો નીકળ્યા છે. નાણાકીય રોકાણમાં લોભામણી લાલચો આપીને સૌથી વધુ છેતરપિંડી થાય છે, ગુજરાતમાં નવ હજારથી વધુ લોકો તો લલચામણી જાહેરાતોમાં લોભાઈને જ રૂ. ૪૦૦ કરોડ જેટલી રકમ ગુમાવી બેઠા છે. ઓટીઝ, કાર્ડ ફ્રોડ અને ખોટી ઓળખાણ આપીને છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે. માત્ર ખોટી ઓળખ આપીને જ ગઠિયા ઠગોએ ૨૭ હજારથી વધુ લોકો સાથે ઠગાઈ કરીને રૂ. ૧૩૭ કરોડ જેવી માતબર રકમ ખંખેરી છે. આમ, ગુજરાતમાં સાયબર ઠગો માટે મોકળું મેદાન મળી ગયું હોવાની ટિકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે.
ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં એવરેજ દરરોજ ૧૫૫ ફરિયાદો નોંધાતી હતી, એટલે કે પ્રતિ કલાક ૬ ફરિયાદો થતી હતી, જે ચાલુ વર્ષે વધીને પ્રતિ કલાક ૨૧ એટલે કે ેદરરોજની ૫૨૦ જેટલી ફરિયાદો નોંધાઈ છે.
છેલ્લા પાંચ વર્ષમાં નાગરિકોએ કુલ ૩૩૮૭ કરોડ રૂપિયા ગુજરાતીઓએ ગુમાવ્યા હોય, તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે હવે "હાઈટેક" નવા કાયદાઓ પણ ઘડવા જ પડે તેમ છે., કારણ કે વર્તમાન યુગને અનુરૂપ ઘડાયેલા નવા કાયદાઓમાં પણ દરરોજ અપડેટ થતી ઈન્ટરનેટ આધારિત બેંન્કીંગ અને ડિજિટલ સિસ્ટમોને અનુરૂપ નવા કાયદા અને તાલીમબદ્ધ અલાયદી પોલિસીંગ વ્યવસ્થા પણ ઊભી કરવી અથવા વિસ્તારવી જરૂર છે.
જો કે, ગુજરાતમાં સાયબર સેલ આ પ્રકારના ગૂન્હાઓને પકડવા નિષ્ઠાપૂર્વક કાર્યરત છે અને જરૂર મુજબનું આધુનિકરણ પણ થાય છે, પરંતુ સાયબર ક્રાઈમના નવા સ્વરૂપો તથા આંતરરાષ્ટ્રીય વ્યાપને જોતાં સતત અદ્યતન તાલીમ સાથે વર્કફોર્સને કાનૂની પીઠબળ પણ જરૂરી છે, અને સાયબર ઠગોમાં કાનૂનનો ડર પ્રવેશે તેવા નવા કાયદા ઘડવા અત્યંત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે રજવાડીનગર જામનગરના આંગણે નોબત-નગારાનો નાદ ગુંજી રહ્યો છે, અને નગરમાં ખુશીનો માહોલ છે. એક તરફ મંગલ પ્રસંગો, સગાઈ, લગ્ન સમારંભોની ધૂમ મચી છે, તો બીજી તરફ નગરમાં રૂ. સવા બસો કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલા ફલાય ઓવરબ્રિજના લોકાર્પણની સાથે સાથે અન્ય વિકાસ પ્રોજેકટોના લોકાર્પણો તથા ખાતમુહૂર્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવ્યા છે, જેને નગરજનો આવકારે છે...
ગઈકાલથી પ્રેસ-મીડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના એક માનવીય અભિગમની ભરપૂર પ્રશંસા થઈ રહી છે અને એક પરિવારના લગ્ન પ્રસંગમાં અડચણ ન આવે, તે માટે મુખ્યમંત્રીએ આજના લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમો-પ્રસંગો યોજાનાર સમારંભનું સ્થળ ટાઉનહોલથી બદલીને ધન્વન્તરિ મંદિરના ઓડિટોરિયમમાં કરાવ્યું તેની ચો તરફ ચર્ચા થઈ રહી છે અને તેમાં રાજ્ય સરકારનું માહિતી ખાતું કેવી રીતે નિમિત્ત બન્યું હતું, તેની પણ ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની રહી છે. એકંદરે "અંત ભલા તો સબ ભલા..." મુજબ જેને ત્યાં લગ્ન પ્રસંગ હતો, તે પરિવારે પણ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે, અને સૌ સારા વાના થયા છે.
આમ તો મુખ્યમંત્રી ૨૦મી નવેમ્બરે ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકવા અને અન્ય વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણો કરવા માટે જામનગર આવવાના હતા. અને તેના સંદર્ભે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજાનાર હતો, પરંતુ મુખ્યમંત્રીને બિહારમાં નીતિશકુમારની શપથવિધિમાં જવાનું થતાં કાર્યક્રમની તારીખ બદલી, અને તેની અસર પહેલેથી નિર્ધારિત એક પરિવારના લગ્ન પ્રસંગ પર થાય તેમ હતી, તે જોતાં વહીવટીતંત્રે પણ સ્વયં જાગૃત રહીને "આમ જનતાને" પ્રાયોરિટી આપીને જરૂરી ફેરફાર કરવા જોઈએ, અને જાહેર કાર્યક્રમોમાં ફેરફાર થાય ત્યારે સ્થળ પસંદગી, રૂટ અને અન્ય સંલગ્ન તમામ બાબતોની તલસ્પર્શી પુનઃ સમીક્ષા કરીને સ્થાનિક કક્ષાએથી જ જરૂરી ફેરફાર "સામાન્ય જનતા"ને કેન્દ્રમાં રાખીને જ કરવા જોઈએ. ખેર, દેર આયે...દૂરસ્ત આયે... ભવિષ્યમાં ધ્યાન રાખવા જેવું ખરૃં !
આજે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હસ્તકના કુલ મળીને ૬૨૨ કરોડથી વધુના ૬૯ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા પછી મુખ્યમંત્રીએ કરેલા સંબોધન તથા આ વિકાસકામોના કારણે લોકોની સુખ-સુવિધામાં થનારા સુધારા-વધારા અંગે પણ આજે નગરચર્ચા થઈ રહી છે, અને ભિન્ન-ભિન્ન મંતવ્યો વ્યકત થઈ રહ્યા છે. કેટલાક કોંગી મહિલા અગ્રણીઓના ઘર પાસે વિશેષ બંદોબસ્ત તથા કથિત નજરકેદની પણ ચર્ચા છે.
આજે મુખ્યમંત્રી નગરની મુલાકાતે આવ્યા, ત્યારે જામનગર અને હાલારની કેટલીક સમસ્યાઓ, જરૂરિયાતો અને પ્રાણપ્રશ્નો અંગે સ્થાનિક નેતાગીરી અને તંત્રો સાથે ચર્ચા-પરામર્શ થયો જ હશે, તો મુખ્યમંત્રીએ સ્થાનિક તંત્રોને કોઈ સૂચનાઓ તથા સ્થાનિક નેતાગીરીને સલાહ-માર્ગદર્શન કે દિશાનિર્દેશો પણ આપ્યા હશે, તો કેટલાક મુદ્દે સ્પોટ ડિસિશન લેવાયા હશે. તે પૈકી જિલ્લાની જનતા તથા નગરજનોને સ્પર્શતા હોય કે હાલારને સંબંધિત કોઈ મુદ્દે પ્રગતિ થઈ હોય, તો તે પબ્લિક ડોમેનમાં આવે તે જરૂરી છે. કારણ કે આ વખતે મુખ્યમંત્રીની જામનગરની મુલાકાત સમયે કેટલાક મુદ્દે રાજ્ય સરકારના સહયોગ અથવા હસ્તક્ષેપની આશા રાખીને રજવાડી નગરની રાંકડી રૈયત બેઠી હતી....!
આપણે શનિવારે "નોબત"ના તંત્રી લેખમાં પણ અહીં આ પ્રકારના સ્પોટ ડિસિશનની તક હોવાની વાત કરી હતી, જેમાં મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા થી લઈને રાજ્યકક્ષા સુધીની કેટલીક સમસ્યાઓ, જરૂરિયાતો લોકોની માંગણીઓ તથા નવા ઉદ્ભવેલા પ્રશ્નો તરફ અંગૂલી નિર્દેશ કર્યો જ હતો, અને તેના સંદર્ભે મુખ્યમંત્રીની મુલાકાત દરમ્યાન સ્થાનિક નેતાગીરીએ રજૂઆતો કે ચર્ચા કરી જ હશે, તો તેની ફલશ્રુતિ શું નીકળી તેની જાણ પણ જનતાને થવી જ જોઈએ ને ?
આજે જ સમાચાર આવ્યા છે કે કોઈ ખેડૂતે ડુંગળીના ભાવો તળીયે બેસી જતા પોતાના ખેતરમાં વાવેલા ૧૧ વીઘાના ડુંગળીના ઊભા પાક પર રોટાવેટર ફેરવી દીધુ છે. જે ખેડૂતોએ ડુંગળી માર્કેટીંગ યાર્ડ સુધી પહોંચાડી, તેને ટ્રાન્સ્પોર્ટેશનની રકમ પણ ન મળે, તેટલા ઓછા ભાવ આવી રહ્યા હોવાથી ખેડૂતો સરકારના સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે. ડુંગળીની આયાત-નિકાસની પોલિસી બદલવાના લાંબા ગાળાના ઉપાય ઉપરાંત અત્યારે જે ખેડૂતોની માર્કેટમાં ડુંગળી આવી જ રહી છે, તેને પોષણક્ષમ ભાવો મળી રહે, તેવા તત્કાળ કદમ ઉઠાવવા જરૂરી છે. આ અંગે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સહકારીક્ષેત્રના દિગ્ગજો તથા ધારાસભ્યો તથા સંસદસભ્યો સાથે ચર્ચા કરીને મુખ્યમંત્રી સ્વયં તાકીદનો નિર્ણય લેશે, તેવી આશા રૈયત રાખી રહી છે.
માર્કેટીંગ યાર્ડો-ખેડૂતો પાસેથી ડાયરેકટ ખરીદી કરીને ખૂબ ઓછા ભાવે મેળવેલી ડુંગળી સામાન્ય ગ્રાહક સુધી છુુટક વેચાણમાં પહોંચે, ત્યારે તેના અનેકગણા ભાવો થઈ જતા હોય છે. આ રીતે ખેડૂતોનું શોષણ થાય અને સામાન્ય જનતા સુધી પહોંચતા પહોંચતા તેનો ભાવ અનેકગણો વધી જતો હોવાથી તે મુદ્દે પણ ગાંધીનગર પરત ગયા પછી મુખ્યમંત્રી કોઈ એકશન લેવડાવશે, તેવી અપેક્ષા પણ લોકો રાખી રહ્યા છે.
ખેત-ઉત્પાદનોની ખેડૂતો પાસેથી ખરીદી કર્યા પછીના તેના ટ્રાન્સ્પોર્ટેશન, બગાડ અને નુકસાન વગેરે ઉમેરીને થતી એકંદરે પડતર કિંમત થી પણ અનેકગણા ભાવો જથ્થાબંધ કે છૂટક વેચાણ થતું હોય, તો એ તગડી નફાખોરી અટકાવવા કોઈ મિકેનિઝમ જ કાર્યરત નથી. અથવા મોજુદ નથી, તે નક્કર હકીકત ધ્યાને લેવી પડે તેમ છે.
રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા હાલારમાં ગ્રામ્ય વિસ્તારો સહિતના વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ સહિતની શૈક્ષણિક વ્યવસ્થાઓ ચકાસી રહ્યા છે, ત્યારે તેઓના ધ્યાને પ્રવર્તમાન એસઆઈઆરની ચૂંટણીપંચની કામગીરી કરતા બીએલઓને પડતી કેટલીક તકલીફો પણ આવી હશે. આ તકલીફોનું સમાધાન થાય અને કોઈ એવો રસ્તો નીકળે, કે જેથી બીએલઓની સમસ્યાઓનું નિવારણ પણ થાય અને ચૂંટણીપંચની રાષ્ટ્રીયકક્ષાની આ કામગીરી પણ સમયમર્યાદામાં સંપન્ન થાય. આ માટે ચૂંટણીતંત્ર સાથે સંકલન કરીને ઝડપી પ્રયાસો થવા અત્યંત જરૂરી છે.
ટૂંકમાં, મુખ્યમંત્રીની જામનગરની મુલાકાત અને તેઓ દ્વારા લોકાર્પિત કે ખાતમુહૂર્ત કરાયેલા વિકાસકામો નગર અને હાલારની જનતાની સુખ-સુવિધામાં વધારો કરે, રૈયતને રાહત થાય તેવા નિર્ણયો લેવાય અને ચૂંટણીપંચની રાષ્ટ્રીય કામગીરીમાં પૂરેપૂરો જનસહયોગ મળે, તથા મતદાન અને બીએલઓની સમસ્યાઓ હળવી થાય, તેવા નિર્ણયો ચૂંટણીપંચ તરફથી પણ લેવાય, તેવી આશા રાખીએ, અને મુખ્યમંત્રીના આગમનને યાદગાર બનાવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે આવવાના છે અને શહેરના ફલાય ઓવરબ્રિજને ખૂલ્લો મુક્યા પછી તેનું નિરીક્ષણ કરીને ધન્વન્તરિ ઓડિટોરિયમમાં ભાષણ કરશે અને રૂ. ૨૨૫ કરોડથી વધુ ખર્ચે નિર્મિત ઓવરબ્રિજ ઉપરાંત મહાનગરપાલિકાના રૂ. ૩૬ કરોડના કામો તથા જી.જી.હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પંચાયત તથા અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ મળીને કુલ રૂ. ૬૨૨ કરોડથી વધુના કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરશે, તેવું જાહેર થતા જ નગરમાં તંત્રોની દોડધામ વધી છે, અને જિલ્લા ઉચ્ચ અધિકારીઓની ટીમે ફલાય ઓવરબ્રિજ તથા મુખ્યમંત્રીના નિર્ધારિત રૂટનું નિરીક્ષણ કર્યું, તેથી પાક્કું થઈ ગયું છે કે હવે સોમવારે ફલાય ઓવરબ્રિજ તો ખૂલ્લો મૂકાઈ જ જશે.
આ પહેલા તા. ૨૦મી નવેમ્બરે મુખ્યમંત્રી આવનાર હોવાથી શહેરમાં "નિશ્ચિત" માર્ગો તથા વિસ્તારો એકદમ સ્વચ્છ અને સુઘડ થઈ ગયા, નિયમિત ચાર-પાંચ દિવસ રોડની બંને તરફ દવાનો છંટકાવ થઈ ગયો, ઉકરડા-ઉભરાતા કચરા કન્ટેનરો હટાવી લેવાયા, રખડતા ઢોરની કાયમી અવર-જવર તથા સંકુલો પર થતા ઢોર-કૂતરાના અડીંગા બંધ થઈ ગયા અને ચોતરફ રંગરોગાન થવા લાગ્યું હતું.
મુખ્યમંત્રીને બિહાર જવાનું થતાં તા. ર૦નો કાર્યક્રમ મોકૂફ રહ્યા પછી એકાદ-બે દિવસ તેમાં ઓટ આવી ગઈ હતી, પરંતુ મુખ્યમંત્રી સોમવારે આવવાના છે, તે જાહેર થતાં જ ફરીથી એવી જ કવાયત શરૂ થઈ ગઈ છે., આથી લોકો કહે છે કે મુખ્યમંત્રી અવાર-નવાર આવતા હોય તો કેવું સારૃં ? કેટલાક માર્ગોની નિયમિત સફાઈ તો થતી રહે !
કેટલાક લોકો એવું માને છે કે મુખ્યમંત્રીએ તંત્ર અને સિક્યોરિટી દ્વારા નક્કી કરેલા રૂટ સિવાયના અન્ય કેટલાક વિસ્તારોની પણ નગરમાં (ભાજપના નેતાઓ કે તંત્રને અગાઉથી ભનક પણ ન આવે, તેવી રીતે "નાયક" ફિલ્મની જેમ) અચાનક મુલાકાત લેવી જોઈએ, જેથી રૂડું રૂપાળું દેખાડાતું હોય, તે સિવાયનું સ્લમ એરિયા સહિતનું જામનગર વાસ્તવમાં કેવું છે, તે સિક્કાની બીજી બાજુ પણ જોવા મળે !!
જો કે, આ પ્રકારના "પ્રોટોકોલ"થી મુખ્યમંત્રી પણ અજાણ્યા નથી, તેઓએ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતા, ત્યારે તે સમયે વીઆઈપી કે વીવીઆઈપી આવતા હશે, ત્યારે આવું જ નાટક કરવું પડ્યું હશે, તેથી તેઓને આ બધી ખબર હોઈ શકે છે, પરંતુ હવે મુખ્યમંત્રી તરીકે "રાજધર્મ" બજાવીને અને આઉટ ઓફ બોક્સ તથા પ્રોટોકોલ તોડીને તેઓ દૃષ્ટાંત બેસાડે, તો જામનગરના નગરજનોને તે ગમશે, અને જામનગરની જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હકીકતે "પોતાના" લાગશે !
જામનગરની મહાનગરપાલિકાથી લઈને રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીયકક્ષા સુધીની ઘણી કાયમી સમસ્યાઓ વણ ઉકેલી છે., અને ઘણી માંગણીઓ પડતર છે, જેના વિષે સ્થાનિક તમામ નેતાઓ અને તંત્રના વર્તમાન ઉચ્ચ અધિકારીઓ પૂરેપૂરા માહિતગાર છે, તેથી મુખ્યમંત્રીની મુલાકાત સમયે ઔપચારિક મિટિંગો ઉપરાંત અનૌપચારિક રીતે થતી રહેતી ચર્ચા દરમ્યાન પણ મુખ્યમંત્રી તથા રાજ્યકક્ષાના અધિકારીઓના કાને વાત નાખીને કેટલાક "સ્પોટ ડિસિશન" લેવાય, તેવો પ્રયત્ન કરાશે, તો તંત્રો માટે સુગમ બનશે અને સ્થાનિક નેતાગીરીને પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નજીકમાં આવી રહેલી ચૂંટણીની દૃષ્ટિએ રાજકીય રીતે પણ ઉપયોગી બનશે. તથા હાલારની ઘણી બધી સમસ્યાઓ તથા લોકોની માંગણીઓ, રજૂઆતોની ચર્ચા રાજ્યની સર્વોચ્ચ સત્તા સાથે કરવાની આ તક જિલ્લાતંત્ર અને જિલ્લાના "ટોપ ટુ બોટમ" ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઝડપી લેશે, તો લોકોને ગમશે અને એકંદરે લોકતંત્રની મૂળભૂત વિભાવના સાકાર થશે...
આમ, તો જામનગરમાં ઘણી સમસ્યાઓ તો ઘર જ કરી ગઈ છે, અને હવે કેટલીક નવી સમસ્યાઓ ઉમેરાઈ ગઈ છે, પરંતુ તાજેતરમાં નિર્માણ થયેલા ફલાય ઓવરબ્રિજ સહિતના વિકાસકામો તથા ભૂગર્ભ ગટર, પાણી પૂરવઠો, ગેસ-વીજળીની પાઈપલાઈનો વગેરે માટે થયેલા ખોદકામો પછી નગરના મોટા ભાગના આંતરિક માર્ગો, શેરી-મહોલ્લાઓ તથા સોસાયટી વિસ્તારની સડકોની હાલત ખરાબ થઈ ગઈ છે અને હજુ પણ કેટલાક ખોદકામો ચાલી રહ્યા છે. મહાનગરપાલિકામાં દાયકાઓ સુધી શાસન હોવા છતાં વર્તમાન શાસકપક્ષની નેતાગીરી હજુ સુધી શહેરનો રીંગરોડ પણ અદ્યતન અને પૂરેપૂરો ઉપયોગમાં લઈ શકાય, તેવો લાંબો-પહોળો અને મજબૂત બનાવી શકી નથી.
જામનગર તથા તેને જોડતા હાલારના માર્ગોની ટ્રાફિક વ્યવસ્થામાં પણ ધરમૂળથી ફેરફારો થવા જરૂરી છે., નગરને જોડતા માર્ગો પર અકસ્માતો વધી ગયા છે. જામનગરથી ખંભાળીયાના માર્ગો જાયન્ટ કંપનીઓ હોવાથી દરરોજ સવાર-સાંજ ભયંકર ટ્રાફિક જામ થતો હોવાથી સિક્કાના પાટિયાથી આરાધના ધામ સુધી ફલાય ઓવરબ્રિજના તાકીદે નિર્માણની જરૂર હોય, તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે હિંમતભર્યો જનલક્ષી નિર્ણય ઝડપથી લેવો જ પડે તેમ છે., નગરમાં સાફ-સફાઈ, સ્વચ્છ-સુઘડ શૌચાલયો અને જાહેર મૂતરડીઓની સંખ્યા વધારવી, રખડૂ ઢોર એન આવારા શ્વાનની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવો વગેરે અનેક સમસ્યાઓ છે, જેમાં રાજ્ય સરકારની પણ મહત્ત્વની ભૂમિકા છે અથવા હસ્તક્ષેપની જરૂર છે. ખાસ તો રાજકીય ઈચ્છાશક્તિની ઉણપ હટાવવી પડે તેમ છે.
દૃષ્ટાંત તરીકે જામનગરના વોર્ડ નં. ૧થી૪માં પ્રારંભમાં ડહોળુ અને પછી ટૂંકા સમય માટે જ પીવાનું પાણી આવતું હોય અને વોર્ડનં. ૬માં સોસાયટી, ટાઉનશીપમાં એકાંતરા અડધી રાતે પાણી અપાતું હોય, તો તેને મહાનગરપાલિકાની "શરમ" જ ગણવી પડે, અને અબજો રૂપિયાના વિકાસના પ્રોજેક્ટો ઊભા કરવા છતાં જો રૈયતને શુદ્ધ પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં ટાઈમસર મળતું ન હોય, તો તેને સુશાસન કેવી રીતે ગણી શકાય ? પ્રજાની નાડને પારખવી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેની વિરૂદ્ધ નિવેદનો કર્યા હતા અને "મંડાની" કહીને મજાક ઉડાવી હતી, તે ભારતીય મૂળના ન્યૂયોર્કના મેયર તરીકે "વટ થી" ચૂંટાયેલા જોહરાન મમદાણીને આજ મુલાકાત આપી રહ્યા છે, ટ્રમ્પ ક્યારે કોની તરફેણ કરે છે, કોનો વિરોધકરે છે અને કયારે વલણ ફેરવે છે અને પોતાનું જ બોલ્યું ફેરવી તોળે છે, તે નક્કી જ હોતુ નથી, પરંતુ ભારત અને વડાપ્રધાન મોદીને સાંકળીને ઓપરેશન સિંદૂર દરમ્યાન યુદ્ધ વિરામને લઈને તેનો દાવો એવો ને એવો જ રહ્યો છે અને ફરીથી એક વખત તેમણે આ જ પ્રકારનું નિવેદન વિદેશની ધરતી પરથી એક આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમ્યાન આપ્યું છે અને એક વધારાનો ચોંકાવનારો દાવો પણ કર્યો છે, જે આજે ગ્લોબલ ટોકનો વિષય બન્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમ્યાન જ નાનકડુ યદ્ધ થયું હતું તે અટકાવ્યાનો ૬૦ થી વધુ વખત દાવો કરનાર ટ્રમ્પે ફરી એ જ રેકર્ડ વગાડી, પરંતુ તેમણે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો સાથે તેમની ક્યા શબ્દોમાં વાતચીત થઈ હતી, તેનું ડીટેઈલમાં વર્ણન કરતા તેમનું નવું નિવેદન વિશ્વભરના પ્રેસ મીડિયામાં તો ચર્ચાનો વિષય બન્યું જ છે, પરંતુ ભારતના રાજકીય વર્તુળોમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ટ્રમ્પના આ દાવાને ભારતના વિદેશ મંત્રાલયે અવાર નવાર ફગાવ્યા છતાં તેઓ આવું જ રટણ કરતા રહેતા હોવાથી ઘણાં લોકો વડાપ્રધાન મોદી આ અંગે સ્પષ્ટપણે રદીયો કેમ આપી દેતા નથી, તેવા સવાલો ઉઠાવી રહ્યા છે.
"અમેરિકા-સાઉદી નિવેશ મંચ" માં બોલતા વૈશ્વિક કક્ષાના કાર્યક્રમમાં કહ્યું હતું કે પરમાણુ હથિયારો ધરાવતા બે દેશ (ભારત અને પાકિસ્તાન) ને તેમણે ૩૫૦ ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી પછી મોદીએ પોતે તેમને યુદ્ધ અટકાવવાની જાણ કરી હતી. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એ યુદ્ધ અટકાવવા બદલ આભાર માનતો ફોન કર્યો હોવાનો દાવો પણ કર્યો હતો.
આમ તો ટ્રમ્પ અનેક વખત આ પ્રકારની વાતો કરતા રહ્યા છે અને ભારત તરફથી તેમના દાવાઓને ફગાવાઈ રહ્યા છે, પરંતુ આ વખતે તેમણે વધુ સ્પષ્ટતાથી અને થયેલી વાતચીતોનું શબ્દશઃ વર્ણન કરતા હવે જો સ્વયં વડાપ્રધાન સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પના આ દાવાઓને નહીં નકારે, તો લોકોમાં વધુ આશંકાઓ ઉઠશે અને બિહારમાં વધુ વિફરેલા વિપક્ષો આ મુદ્દાને સરળતાથી નહીં છોડે, તે નક્કી છે.
એક તરફ આ વિવાદ વૈશ્વિક કક્ષાએ વધુ ગરમાયો છે, તો બીજી તરફ ભારતે અમેરિકા પાસેથી જરૂરિયાતના ૧૦ ટકા એલપીજી ખરીદવાનો કરાર કર્યા પછી સવા આઠસો કરોડ રૂપિયાના શસ્ત્રો ખરીદવાની ડીલ કરી છે, જેમાં ૧૦૦ જવેલિન મિસાઈલ્સ, એક ફલાય બાય-ટુ-બાય રાઉન્ડ, ૨૫ કમાન્ડ લોન્ચ યુનિટ, ટ્રેનિંગ એડ્સ, સ્પેરપાર્ટસ, સિમ્યુલેશન રાઉન્ડ તથા ફૂલ લાઈફ સાયકલ સપોર્ટ વગેરે યુદ્ધ સામગ્રીનો સમાવેશ થાય છે. આમ એક તરફ યુદ્ધ નહીં થવાની વાતો કરતું અમેરિકા શસ્ત્રોની ડીલ કરતી વખતે "અહિંસક" સિદ્ધાંતો કેમ વિચારતું નહીં હોય ? જો કે, શસ્ત્રો લડાઈ માટે નહીં, પણ રક્ષણ માટે વસાવાતા હોય છે, તે હકીકત છે, પરંતુ કોઈના દબાણમાં આવીને જે અંડરપ્રેશર શસ્ત્રોની ખરીદી કે વેચાણ થતું હોય તો વિશ્વના સૌથી વધુ લોકતાંત્રિક દેશો ગણાતા ભારત અને અમેરિકા માટે તો યોગ્ય નથી જ !
જો કે, ટ્રમ્પ હવે ઘર આંગણે વધુ ને વધુ ઘેરાઈ રહ્યા છે. તાજેતરના અમેરિકાના તંત્રના નિર્ણયો તથા રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનો વચ્ચે પણ ઘણો જ વિરોધાભાસ જોવા મળે છે, અને ઓપરેશન સિંદૂરના સંઘર્ષમાં પાકિસ્તાનનો વિજય થયો હતો અથવા પાકિસ્તાનનો હાથ ઊંચો રહ્યો હતો, તેવા અમેરિકન રિપોર્ટો તથા તેની વ્યાપક પ્રસિદ્ધિ પછી આપણાં દેશમાં પણ "કૌન સચ્ચા, કૌન જુઠા !" જેવા સવાલો ઉઠવા લાગ્યા છે, ત્યારે ભારતની છબિ ઝાંખી પડતી અટકાવવાના હેતુથી પણ હવે ચુપકીદી તૂટવી જ જોઈએ, તેવા અભિપ્રાયો ખોટા નથી જણાતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે બિહારમાં નીતિશકુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને પ્રચંડ બહુમતી સાથે એનડીએની સરકારે ફરીથી સત્તા સંભાળી. બિહારની આ શપથવિધિની સીધી અસર જામનગરમાં થઈ અને હાલારનું રાજકારણ ગરમાયું, તે મુદ્દો હાલારમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે બિહારમાં એનડીએમાં સત્તાની ખેંચતાણ તથા મહાગઠબંધનમાં તિરાડની અસર મહારાષ્ટ્રની રાજનીતિ પર થઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. તો બીજી તરફ લાલુપ્રસાદ યાદવના પરિવારમાં ચાલી રહેલ તકરાર પછી તેજસ્વી યાદવના મિત્ર સંજય યાદવ સામે આરજેડીમાં જ વધી રહેલા વિરોધની અસર હરિયાણા સુધી થઈ, અને આ તમામ ઘટનાક્રમોના પડઘા દેશની રાજધાની દિલ્હીમાં પડ્યા, તે જોતાં એવું કહી શકાય કે પાડાના વાંકે પખાલીને ડામ, કહીંપે નિગાહે, કહીંપે નિશાના તથા ખાય ભીમ અને ભોગવે મામા શકૂનિ જેવી તળપદી કહેવતો આ જુદા જુદા પરંતુ પરસ્પર સંકળાયેલા રાજનૈતિક ઘટનાક્રમોને આબેહૂબ લાગુ પડે છે !
છેલ્લા એક અઠવાડિયાથી જામનગરમાં નિર્માણ થયેલા ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે તા. ૨૦મી નવેમ્બરે થવાનું હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને સરકારી વાજિંત્રો ઉપરાંત કેટલાક લાડકવાયા સાજીંદાઓ પણ આ લોકાર્પણને સાંકડીને વખાણવાણી વહાવી રહ્યા હતા. તેવામાં જાહેર થયું કે આજે જ બિહારમાં નીતિશકુમાર ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રીની શપથ લેનાર હોવાથી તેમાં હાજરી આપવા આપણાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટણા ગયા હોવાથી આજે જામનગરમાં ફલાઈ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે અને હવે નવી તારીખ મળે ત્યાં સુધી રાહ જોવી પડશે. આ કારણે નગરજનો નિરાશ થયા, અને વિપક્ષી નેતાઓ વિહ્વળ થયા, તેથી બિહારની શપથવિધિના નેગેટિવ પડઘા જામનગરમાં પડયા છે અને આ મુદ્દે હાલારની રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો છે.
આ ફલાય ઓવર બ્રિજ બની રહ્યો હતો, ત્યારે ઘણાં લાંબા સમય સુધી જામનગરની જનતાએ જુદા જુદા માર્ગો વારંવાર બંધ રહેતા હોવાથી ઘણી તકલીફો વેઠી હતી, અને હવે જ્યારે આ બ્રિજના લોકાર્પણનો સમય આવ્યો, ત્યારે મુખ્યમંત્રી રાજ્યની બહારના પ્રવાસે ચાલ્યા ગયા, તેથી નગરજનોમાં નિરાશા વ્યાપે, તે સ્વાભાવિક છે. બીજી તરફ એક લોકતાંત્રિક સરકારની શપથવિધિમાં જામનગર સહિત સમગ્ર ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરવા જ મુખ્યમંત્રી ગયા છે, તેવા તર્ક સાથે મન મનાવવામાં આવી રહ્યું છે, અને માર્મિક એવી ટકોર પણ થઈ રહી છે, કે આ વિલંબના કારણે આ ફલાય ઓવર બ્રિજના નાના-મોટા કામો તથા નીચેના સર્વિસ રોડ તથા સૂચિત પાર્કિંગ સ્થળો, ફૂડઝોન, પબ્લિક સર્વિસ સેન્ટર્સ વગેરેના કામો કરવાનો ટાઈમ મળી ગયો છે, જેથી જે થયું તે ઠીક જ થયું છે !
બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દાને હાથોહાથ લીધો છે અને જાહેર કર્યું છે કે વર્ષ-૨૦૨૧થી હાલારની જનતા હાલાકી ભોગવી રહી છે અને જામનગરના નગરજનો તકલીફો વેઠી રહ્યા છે, છતાં કેટલાક નિર્માણ થઈ ગયેલા વિકાસના કામો માત્ર લોકાર્પણના વાંકે લટકતા રહે, તેની સામે આક્રોશ ઠાલવ્યો છે. કોગ્રેસે જામનગરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ તાત્કાલિક કરવાની માંગણી ઉઠાવીને જાહેર કર્યું છે કે જો હવે વધુ વિલંબ થશે તો તા. ૩૦મી નવેમ્બરે જામનગરની જનતા સ્વયં કોંગ્રેસના નેતૃત્વમાં આ બ્રિજને ખૂલ્લો મુકી દેશે !
શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવીને જનતાની વેદના વ્યક્ત કરી છે, ત્યારે હવે જોઈએ, મુખ્યમંત્રીને ટાઈમ મળે છે કે પછી તેઓ વર્ચ્યુલી ઈ-લોકાર્પણ કરવાનો વિકલ્પ અપનાવે છે !
બીજી તરફ એવી ટકોર પણ થઈ રહી છે કે જનતાના હાથે લોકાર્પણ જ કરાવવું હોય તો વિપક્ષે સરકારને ૧૦ દિવસનો સમય શા માટે આપ્યો ? એટલા સમયમાં તો રાજ્ય સરકાર અને મનપાના શાસકો લોકાર્પણની આમ પણ ગોઠવણ કરી જ લેવાના હોય ને ? જો આ રીતે લોકાર્પણ કરવું જ હોય તો રાહ થોડી જોવાની હોય ? બે દિવસની નોટીસમાં પણ આવું થઈ જ શકે ને ?
ટૂંકમાં ઘણી વખત ઘણું બધું એવું હોય છે, જે સામે દેખાય તેવું હોતું નથી. જો મુખ્યમંત્રી આવી શકે તેમ ન હોય, તો પ્રભારી મંત્રી તથા સ્થાનિક રાજ્યમંત્રીના હસ્તે પણ લોકાર્પણ થઈ જ શકતું હોત ?
જો કે, લોકલ કે પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ કરવાનો વિકલ્પ વિચારાયો હોત તો નગરમાં જે રીતે ઠેર-ઠેર સાફ-સફાઈ થઈ, કેટલાક માર્ગો રાતોરાત અદ્યતન બની ગયા, ખાડા-ચીરોડા બુરાઈ ગયા અને છેલ્લા અઠવાડિયાથી જાહેર માર્ગો પર દવા છંટકાવ થઈ રહ્યો છે, તે થઈ રહ્યો ન હોત, તેથી આ વિલંબની સાઈડ ઈફેક્ટના ફાયદા પણ હોવાનો કટાક્ષ પણ થઈ રહ્યો છે.
બિહારની નવી સરકારની શપથવિધિથી વડાપ્રધાન અને એનડીએના સાથીદાર પક્ષોના નેતાઓ હાજરી આપે, તે સ્વાભાવિક છે, પરંતુ પબ્લિકમની ખર્ચીને સરકારી વિમાનો-હેલિકોપ્ટરોમાં ડઝનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ તેના કાફલા સાથે હાજરી આપવા જાય, તેમાં કરોડો રૂપિયા ખર્ચાય અને જામનગરની જેમ સંબંધિત તમામ રાજ્યોમાં પ્રજાલક્ષી કાર્યો તથા વિકાસકામોને પણ માઠી અસર પહોંચતી હોય છે, તેથી આ અંગે કોઈ આચારસંહિતા ઘડવી જોઈએ, કારણ કે વિપક્ષની સરકારો છે, ત્યાં પણ ઘણી વખત શપથવિધિમાં બીજા રાજ્યોના નેતાઓ કે મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હોવાના દાખલા છે. શું આ પ્રજાના પૈસે શક્તિ પ્રદર્શન નથી ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે સામાન્ય તાવ, શરદી, દુઃખાવો કે નાની-મોટી તકલીફ હોય તો પહેલા દેશી ઓસડિયા કરતા હતા અને કેટલીક રસોડામાં ઉપલબ્ધ ચીજ-વસ્તુઓનો ઔષધિ તરીકે ઉપયોગ કરતા તો ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ વનસ્પતિ કે બાહ્ય ઉપચારો કરી લેતા હતા. હવે આરોગ્ય અને તબીબી સેવાઓનો સરકારી અને ખાનગીક્ષેત્રે વ્યાપ વધી રહ્યે છે ત્યારે આપણે હવે વિવિધ પ્રકારની તબીબી વ્યવસ્થાઓનો લાભ લેતા થયા છીએ અને એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ પણ કરતા થયા છીએ, અને એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, એક્યુપ્રેશર, એક્યુપંકચર, સુજોક થેેરાપી, ફિઝીયોથેરાપી વગેરે વિવિધ પ્રકારની સારવાર પદ્ધતિઓ અપનાવતા હોઈએ છીએ, અને કોઈપણ પ્રકારની સારવાર તબીબ, વૈદ્ય કે આર.એમ.પી. જેવા માન્ય તથા વિશ્વસનિય નિષ્ણાતોના નિદાન-સારવાર પછી જ થાય, તે ઈચ્છનિય પણ હોય છે.
જો કે, હવે ગ્રામ્ય વિસ્તારો સુધી મેડિકલ સ્ટોર્સ ઉપલબ્ધ બન્યા છે, તથા આપણે આપણાં ઘરોમાં પણ ફર્સ્ટ-એઈડ બોક્સ વસાવીને જુદી-જુદી પ્રકારની પ્રાથમિક સારવારની ચીજવસ્તુઓ રાખતા થયા છીએ, તે સારી વાત છે અને ઈમરજન્સી કે દૂર્ગમ વિસ્તારોમાં મોડી રાત્રે કે વિપરીત અનિવાર્ય સંજોગોમાં તાકીદે વચગાળાની સારવાર તરીકે કેટલીક દવાઓ, ટેબ્લેટ્સ, કફસિરપ વગેરેનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.
જો કે, ધીમે ધીમે આપણે નાની મોટી તકલીફો માટે ડાયરેકટ આડેધડ એન્ટિબાયોટિક દવાઓ લેવા લાગ્યા અને તેના કારણે આ પ્રકારની દવાઓથી આપણું શરીર ટેવાઈ જવા લાગ્યું હોવાથી હવે આપણા દેશના મહત્તમ લોકોને એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નહીં હોવાનો એક ચોંકાવનારો સર્વે રિપોર્ટ સામે આવ્યો છે, અને આ રિપોર્ટ નેશનલ અને ગ્લોબલ મીડિયામાં ચર્ચા તથા ચિંતાનો વિષય પણ બન્યો છે.
તબીબી ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને વિશ્વસનિય ગણાતા જર્નલ "ધ લેન્સેટ"માં ઈક્લિનિકલ મેડિસિનના તાજેતરના એક સર્વે રિપોર્ટે આપણા દેશમાં ખળભળાટ મચાવ્યો છે. અને હિન્દી-અંગ્રેજી ન્યુઝ ચેનલો પછી હવે પ્રાદેશિક ભાષાઓમાં પણ આ અંગેની ચર્ચા અખબારી તથા મીડિયાના માધ્યમથી થવા લાગી છે, તથા સોશ્યલ મીડિયામાં પણ કોમેન્ટો પોસ્ટ થવા લાગી છે.
આ રિપોર્ટ મુજબ ભારતના ૮૩ ટકા દર્દીઓ "મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ્સ" નો શિકાર બન્યા છે, જેને તબીબી ભાષામાં ટૂંકમાં એમ.ડી.આર.ઓ. કહેવામાં આવે છે.
આ તબીબી ભાષાને સરળ ભાષામાં કન્વર્ટ કરીએ તો તેવું કહી શકાય કે દેશના ૮૦ ટકાથી વધુ લોકો પર હવે એન્ટિબાયોટિક દવાઓની અસર થવાનું સદંતર બંધ થઈ ગયું છે અને ૩ થી ૫ ટકા દર્દીઓ આ સ્થિતિની બોર્ડર પર છે. એલ.આઈ.જી. હોસ્પિટલના સ્ટડીના આધારે આ ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે, અને સેંકડો દર્દીઓના ડેટાના આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો હોવાનો દાવો પણ કરાયો છે.
તાજેતરમાં એન્ટિ માઈક્રોબાયલ સ્ટેવર્ડશીપ વિક ઉજવાયું, અને તેમાં ચાર દેશોના ડેટા આધારિત તારણો રજૂ થયા હતા, અને એવું તારણ નીકળ્યું હતું કે નિયમિત રીતે એન્ટિબાયોટિક દવાઓ લેતા દર્દીઓમાં દવાઓ પ્રત્યેની પ્રતિકારક શક્તિ વધી ગઈ છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, અથવા ખતમ થઈ રહી છે. આ પ્રકારના સૌથી વધુ દર્દીઓ ભારતમાં જણાયા છે. ટકાવારીની દૃષ્ટિએ ભારતમાં એમ.ડી.આર.ઓ.થી પીડિત દર્દીઓની ટકાવારી ૮૩ ટકા, ઈટાલીમાં ૩૧.૫ ટકા, અમેરિકામાં ૨૦.૧ ટકા અને નેધરલેન્ડમાં ૧૦.૮ ટકા છે. આથી એવું કહી શકાય કે ભારતમાં ૮૦ ટકાથી વધુ લોકો મેડિસનપ્રૂફ બની ગયા છેે, અથવા દવા-પ્રતિરોધક બેકટેરિયાનો શિકાર બની ગયા છે, અને આ સ્થિતિ હવે હોસ્પિટલોમાંથી ઘેર-ઘેર પહોંચવા લાગી છે.
નિષ્ણાતોના અભિપ્રાયોનું તારણ કાઢીએ તો આ એક ગંભીર સ્થિતિ છે, જેની પાછળ દવાઓનો આડેધડ ઉપયોગ, દરેક વખતે મેડિકલ સ્ટોર્સમાથી ડાયરેક્ટ એન્ટિબાયોટિકલ દવાઓ ખરીદીને તબીબી સલાહ લીધા વગર બારોબાર ઉપયોગ કરવાની વધી રહેલી માનસિકતા, તબીબોએ સૂચવેલો એન્ટિબાયોટિક દવાઓનો કોર્ષ અધુરો જ છોડી દેવાની વધી રહેલી માનસિકતા, સેલ્ફ-મેડિક્શન અથવા ગુગલગુરૂ કે એ.આઈ.ના માધ્યમથી વિવિધ દવાઓની માહિતી મેળવીને તબીબી સલાહ લીધા વિના સ્વયંને ડોક્ટર માનીને પોતે હાઈ-ડોઝની દવાઓ લેવી કે પરિવારજન કે અન્યોને લેવડાવવી, વગેરે અયોગ્ય આદતો અથવા "ટાઈમ" ના અભાવે આડેધડ એન્ટિબાયોટિક દવાઓના સેવનના કારણે શરીરની અંદરના બેકટેરિયાઝ એટલા મજબૂત બની ગયા છે કે તે હવે એન્ટિબાયોટિક દવાઓ સામે લડતા શીખી ગયા છે અને આ કારણે આપણાં દેશની ૮૦ ટકાથી વધુ વસતિ એમ.ડી.આર.ઓ.માંથી પીડિત ગણાવાઈ રહી છે.
જેમ જેમ આપણું શરીર સામાન્ય એન્ટિબાયોટિક દવાઓથી ટેવાઈ જાય, તેમ તેમ તે દવાઓ બિનઅસરકારક બનતી જાય એને ડોક્ટરોએ ગંભીર તો ઠીક, સામાન્ય બીમારીઓ માટે પણ નાછૂટકે હાઈ-પાવર દવાઓ આપવી પડે, જેથી તેની આડઅસરોમાંથી નવી બીમારીઓ ઊભી થાય અને સારવારનો ખર્ચ પણ વધતો જાય.
જો કે, આ રિપોર્ટની સેમ્પલસાઈઝ અને પ્રસ્તૂતિકરણ અંગે એક અલગ જ પ્રકારની ચર્ચા થઈ રહી છે, અને બાહ્ય ઉપચારો તથા એન્ટિબાયોટિક એલોપેથિક દવાઓના વિકલ્પો પર ધ્યાન વધારવાની જરૂર જણાવાઈ રહી છે, તો ડિસ્કલેયર સાથે ઉક્ત રિપોર્ટને રજૂ કરીને કેટલાક નિષ્ણાતો વિવિધ તર્કો આપી રહ્યા છે, પરંતુ એકંદરે સમગ્ર વિશ્વમાં અત્યારે એમ.ડી.આર.ઓ.નો વ્યાપ વધી રહ્યો છે, તે નક્કર હકીકત પણ સ્વીકારાઈ રહી છે, અને તેના સંદર્ભે ભારતીઓએ ચેતવા જેવું પણ છે.
મેડિકલ તબીબીક્ષેત્રની જેમ જ અત્યારે ઈન્ટરનેટ યુગમાં અપરાધો પણ હાઈ-ટેક થવા લાગ્યા છે. રીઢા અને ખંધા ગૂન્હેગારોને હવે આપણી વર્તમાન કાયદો-વ્યવસ્થા જાળવવાની સિસ્ટમ પચવા લાગી છે, અને કાયદાનો ડર રહ્યો જ ન હોય, તેમ ગૂન્હાખોરી વધવા લાગી છે. મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ્સની જેમ જ હવે ગૂન્હાખોરીના ક્ષેત્રે પણ કાયદાનો ડર ઘટી રહ્યો છે. જેવી રીતે દવાઓના આડેધડ ઉપયોગ તથા યોગ્ય રીતે સારવારના અભાવે આ પ્રકારની સ્થિતિ વધી જાય, અને શરીર દવાઓ માંથી ટેવાઈ જાય, તેવી જ રીતે ગૂન્હાખોરી વિરોધી વર્તમાન સિસ્ટમથી ગૂનાખોરો ટેવાઈ રહ્યા છે, અને તેની સામે પહેલા હાઈ-ટેક ઉપચારો કરીને યુગને અનુરૂપ નવા અને નક્કર વિકલ્પો શોધવા જ પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર સહિત રાજ્યમાં અત્યારે ચૂંટણીપંચ દ્વારા એસ.આઈ.આર. એટલે કે સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન-વિશેષ સઘન પુનઃ નિરીક્ષણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેને મતદારયાદી સઘન સુધારણા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે બૂથ લેવલ ઓફિસર એટલે કે બી.એલ.ઓ. ઘેર-ઘેર ફરીને નિયત કરેલા ફોર્મ્સ ભરાવી રહ્યા છે. આ પ્રક્રિયામાં કેટલાક વિસ્તારોમાં ઢીલી કામગીરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં બી.એલ.ઓ. ડોર-ટુ-ડોર ફોર્મ્સ પહોંચાડયા પછી તેને એકત્રિત કરવા પહોંચ્યા નથી, અથવા તો ફોર્મ્સ ભરવાનું માર્ગદર્શન આપી રહ્યા નથી, તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે. આ પ્રક્રિયા માત્ર યોગ્ય મતદારોની ઓળખ કરવા અને મૃત્યુ પામેલા અથવા ખોટા મતદારોના નામો વર્તમાન મતદારયાદીમાંથી હટાવવા માટે થઈ રહી હોવાથી ફોર્મ્સ ભરવામાં થતી નાની-મોટી ક્ષતિઓ કે ખાલી જગ્યા મતદારોએ રાખી હોય, ત્યાં જરૂરી સુધારા-વધારા કરાવી લેવાની બી.એલ.ઓ.ની મૂળભૂત ફરજ છે, અને મોટાભાગના બી.એલ.ઓ. પ્રેકટીકલ અને વોટર ફ્રેન્ડલી અભિગમ અપનાવીને આ પ્રક્રિયા સંપન્ન કરી પણ રહ્યા છે, પરંતુ જેમ જેમ અનુભવ થતો જાય, તેમ તેમ નવી નવી સમસ્યાઓ ઊભી થતી જાય છે, જેનો નિવેડો લાવવા તથા આ પ્રક્રિયા દરમ્યાન વર્ષ-૨૦૦૨ની યાદીમાંથી તે સમયે નોંધાયેલા નામોની ચકાસણી પ્રેકટીકલ બનીને બી.એલ.ઓ. દ્વારા થવી જોઈએ અને ગુજરાતીમાં કાના-માત્રા કે નામોની પાછળ લાગતા દાસ, લાલ, ભાઈ, બહેન, બેન, કુમાર વગેરે શબ્દોને લઈને કે કકા બારખડી કે વ્યાકરણની ક્ષતિઓ બતાવીેને ગૂંચવણ ઊભી કરવાના બદલે વોટર આઈડી કાર્ડમાં દેખાતી વ્યક્તિનું જ નામ વર્ષ-૨૦૦૨ની યાદીમાં છે કે નહીં, તેની ચકાસણી વ્યવહારૂ ઢબે કરીને તથા આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્ેશ્ય ધ્યાને રાખીને જ તમામ પ્રક્રિયા થાય, તો જ આ પ્રક્રિયા વધુ સરળ અને યોગ્ય બનશે તેમ જણાય છે. આ અંગે ચૂંટણીતંત્રે પણ બી.એલ.ઓ. ને સ્પષ્ટ સૂચનાઓ આપવી જ પડે તેમ છે. કારણ કે તે પ્રકારની ઉલઝનમાં પડવાથી આપણા શહેર-જિલ્લા કે રાજ્યમાં આ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂરી જ નહીં થાય. આ પ્રક્રિયાનો મૂળ ઉદ્ેશ્ય જાળવી રાખીને તથા બિનજરૂરી ક્રોસ ચેકીંગ ટાળીને (નિવારીને) વ્યવહારૂ અભિગમ અપનાવવાની જરૂર હોવાના અભિગમ અપનાવવાની જરૂર હોવાના અભિપ્રાયો તથા સૂચનો આ પ્રક્રિયાના જાણકાર વર્તુળો તથા આ પ્રકારની કામગીરી ભૂતકાળમાં કરી ચૂકેલા વરિષ્ઠ અનુભવીઓ દ્વારા વ્યક્ત થઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં જેટલી ગૂંચવણો ઊભી થશે, તેટલો વિલંબ થશે અને આશંકાઓ વધશે, તે હકીકત છે.
જામનગરમાં આ પ્રક્રિયામાં મદદરૂપ થવા તથા કામગીરી બરાબર ચાલે છે કે નહીં, તેની ચકાસણી કરવામાં રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે, તે સારી વાત છે, અને મુખ્ય રાજકીય રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો આ પ્રક્રિયામાં રસ લઈ રહ્યા છે, તેથી ઘણાં સ્થળે બી.એલ.ઓ.ની કામગીરી સરળ પણ બની રહી છે, અને આ જટિલ વિકટ અને લાંબી પ્રક્રિયામાં તેઓને પડતી મુશ્કેલીઓ પણ તંત્રો સુધી પહોંચી રહી છે. આ રાષ્ટ્રીય લોકતાંત્રિક કામગીરીમાં વ્યાપક જનસહયોગ પણ જરૂરી છે એન તંત્રો વ્યવહારૂ અભિગમ તથા પ્રો-પબ્લિક વલણ દાખવતું રહે, તે પણ એટલું જ જરૂરી છે.
કોંગ્રેસે તો આ અંગે કલેકટરને તથા જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું હોવાના પણ અહેવાલો છે. કેટલાક મતદારો સુધી હજુ ફોર્મ પહોંચ્યા નથી, અને પહોંચ્યા છે તો કલેકટ કરવાનું શરૂ થયું નથી, અને ફોર્મ ભરાયા પછી કેટલાક સ્થળે વ્યવહાર અભિગમ દાખવવાના બદલે બેન્કિંગ સિસ્ટમમાં ચેક ક્લિયરન્સની પ્રક્રિયાની જેમ ચિકાસ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ ઉઠી છે, તો શનિ-રવિમાં બૂથમાં કેટલાક સ્થળે અનિવાર્ય કારણોસર બી.એલ.ઓ. રજા પર હોય, તો તેના વિકલ્પે કોઈ વ્યવસ્થા થઈ નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે, તો કેટલાક લોકલ સ્થળાંતરિત થયેલા લોકોના જૂના સરનામેથી કે ફોન નંબર પર સંપર્ક કરીને હાલ નગરમાં જ અન્ય સ્થળે રહેતા હોય, તો તેને પહોંચાડવાની તકેદારી રખાતી નહીં હોવાની પણ રાવ ઉઠી રહી છે. કોંગ્રેસે તો આ પ્રક્રિયામાં ગરબડ થતી હોવાનું જણાવી હજારો મતદારોના નામો મતદારયાદીમાંથી જ નીકળી જશે, તેવી દશેહત વ્યક્ત કરી હોવાથી ચૂંટણીતંત્રે "સબ સલામત"ની રેકર્ડ વગાડવાના બદલે જરૂરી કદમ ઉઠાવવા જોઈએ, અને વોર્ડ, ઓફિસો, સોસાયટીઓ, તથા કલેકટર, પ્રાંત, મામલતદાર કચેરીમાં રાઉન્ડ ધ ક્લોક વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી જોઈએ.
બીજી તરફ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એવો દાવો કરી રહ્યા છે કે યોગ્ય મતદારોના નામ તો મતદારયાદીમાંથી નહીં જ હટે. ફોર્મ્સ ભરાઈ ગયા પછી પણ મતદારોને તેનું નામ નીકળી ગયું હોય કે ભૂલ રહી ગઈ હોય, તો તે સુધારવાની તક મળવાની હોવાનો દાવો પણ તંત્ર કરી રહ્યું છે. કલેકટર કહે છે કે મુશ્કેલી હોય ત્યાં સંબંધિત તંત્રના જાહેર કરાયેલા ફોન નંબરો પર સંપર્ક કરો, પરંતુ જ્યાં ભણેલા-ગણેલાને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે, અને કેટલાક બી.એલ.ઓ. પણ આ પ્રક્રિયાને પૂરેપૂરી સમજ્યા હોય તેમ જણાતું નથી અને બિનજરૂરી ક્રોસચેકીંગ કે ચિકાસ કરી રહ્યા હોય તો તંત્રે વ્યવહારૂ બનવું પણ એટલું જ જરૂરી છે.
આ પ્રક્રિયામાં જિલ્લા અને પ્રાન્તકક્ષાનું ચૂટણીતંત્ર ખૂબ જ સક્રિય છે અને માત્ર એસ.એમ.એસ. થતા જ પ્રાંત ઓફિસરે બી.એલ.ઓ.ને સૂચનાઓ આપીને મતદારોને મદદરૂપ થવાના દૃષ્ટાંતો પણ છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કેટલીક સમસ્યાઓ છે અને તેના નિવારણ માટે ચૂંટણીતંત્રે તમામ વિકલ્પો વિચારવા પડે તેમ છે. આ આખી પ્રક્રિયાનો મૂળ ઉદેશ્ય તો યોગ્ય મતદારોના નામની ખરાઈ થઈ જાય, મતદારો વંચિત ન રહી જાય, અને મૃત્યુ પામેલા, કાયમી ધોરણે સ્થળાંતરિત થઈને અન્યત્ર ગયેલા અને ખોટી રીતે નોંધાયેલા અયોગ્ય મતદારોના નામો હટી જાય તેવો હોય, વ્યવહારૂ અને વોટર ફ્રેન્ડલી અભિગમ ગ્રાઉન્ડ લેવલ સુધી અત્યંત જરૂરી છે, આ સૂચનો માત્ર જામનગર જ નહીં, સમગ્ર રાજ્ય માટે પણ ઉપયોગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ ભારતમાં બેરોજગારીનો દર ઘટીને ૫.૨ ટકા થઈ જતા ભારતની ઈકોનોમી વિશ્વમાં ત્રીજું સ્થાન લેવાની તૈયારીમાં હોવાનો જોરશોરથી પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, તો બીજી તરફ ભારતમાં સ્થાનિક અને વૈશ્વિક પ્રવાહોની બેવડી અસરોના કારણે અનિશ્ચિતતાઓનો માહોલ ઊભો થઈ રહ્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે. લગભગ બે કરોડ ભારતીય નોકરીઓ જોખમમાં હોવાનો અભિપ્રાય આજે ટોક ઓફ ધ નેશન અને ગ્લોબલ ટેન્શનનું માધ્યમ બન્યો છે. વિશ્વ ક્ષેત્રોના તજજ્ઞો તથા ખાસ કરીને અર્થતંત્રના નિષ્ણાતોના તારણો જોતાં વિરોધાભાસી દાવાઓના કારણે એક એવી ગૂંચ ઊભી થઈ રહી છે, તેના અર્થઘટનો ગંભીર છે અને અનુમાનો પણ અણધાર્યા પરિણામોની આશંકા ઊભી કરે છે.
મીડિયામાં થતી ડિબેટીંગ અને અખબારી આલમમાં થતી ચર્ચાઓ મુજબ આપણો દેશ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી ઈકોનોમી બનવા જઈ રહી છે, કારણ કે અન્ય ટોપ ફાઈવ ઈકોનોમી દેશો પૈકીના ચાર દેશોમાં રોજગારી ઘટી રહી છે અને બેરોજગારી વધી રહી છે, જયારે તેનાથી વિપરીત ભારતમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો છે. ભારતની ગ્રામીણ રોજગારીમાં ક્રમશઃ વૃદ્ધિ થઈ રહી હોવાથી ભારતમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, અર્થશાસ્ત્રીઓ ભારતને ચેતવણી પણ આપી રહ્યા છે અને દેશની અર્થનીતિ ઘડનારાઓ નહીં ચેતે તો ભારતમાં આર્થિક સંકટોની આંધી ઉઠી શકે છે., એટલું જ નહીં, ગંભીર પરિણામો પણ આવી શકે છે. ભારતમાં નોકરીઓ પર ઝળુંબી રહેલું જોખમ માત્ર આર્થિક મંદીના કારણે નહીં આવે, પરંતુ તેની પાછળ યોગ્ય નીતિમાં તથા બદલી રહેલી ટેકનોલોજી પણ જવાબદાર હોઈ શકે છે, તે પ્રકારના અભિપ્રાયો આપીને લાલબત્તી દર્શાવી રહ્યા છે.
એમ.આઈ.એમ.ના સ્થાપક અને પ્રખર ઈકોનોમિસ્ટ સહિતના તજજ્ઞો એ.આઈ. તરફ તથ અંગૂલી નિર્દેશ કરી રહ્યા છે. કેટલીક કંપનીઓ ખર્ચ ઘટાડવા તો ઠીક, પરંતુ નવીનીકરણ અને આધુનિકરણ માટે પણ અસાધારણ કદમ ઉઠાવી રહી છે. અને યુગને અનુરૂપ તથા સ્પર્ધાના જમાનામાં કાર્યક્ષમતા અને ઝડપ વધારવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય, તે સ્વાભાવિક પણ છે., પરંતુ કેટલાક ક્ષેત્રોમાં તો આઈ.ટી. અને કોમ્પ્યુટરાઈઝેશન તથા ઈન્ટરનેટ બેઈઝ સિસ્ટમના કારણે કેટલાક સેકટર્સમાં પરંપરાગત મધ્યમવર્ગોની નોકરીઓનું સ્થાન હવે ગિગ જોબ્સ લઈ રહી છે.
ઈકોનોમી અને વૈશ્વિક પ્રવાહોના જાણકારોના અભિપ્રાયોનું તારણ એવું નીકળે છે કે આગામી બે-ચાર વર્ષમાં તો ભારતની વર્કફોર્સ ગિગ અર્થતંત્રમાં પરિવર્તીત થઈ જશે, અને અત્યારે જેવી રીતે ડિલિવર બોયઝ, ફૂડ અને કોમોડિટી ડિલિવરીની જેમ અન્ય ઘણાં ક્ષેત્રો ધીમે ધીમે કામચલાઉ અથવા અસુરક્ષિત કાર્યબળમાં બદલતા જશે, અને તેની વ્યાપક અસરો તમામ પ્રકારના વ્યવસાયો પર પણ થશે.
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ફાયદાઓ પણ ઘણાં છે અને સિસ્ટોમેટિક, ટ્રાન્સપરન્ટ તથા એક્યુરેટ પરિણામો માટે એ.આઈ. ખૂબ જ ઉપયોગી પૂરવાર થઈ રહ્યું હોવાની જોરદાર દલીલો પણ થતી રહે છે, તો બીજી તરફ સંવેદના અને માનવીય લાગણીઓ વિહોણા મશીનીયા એડમિનિસ્ટ્રેશન કે પ્રોડક્શન સામે સવાલો પણ ઉઠી શકે છે.
ભારતનું અર્થતંત્ર ઘરઆંગણાના દેવાના બોજમાં દબાઈ રહ્યું હોવાનો અભિપ્રાય પણ અવગણવા જેવો નથી. જો હોમલોન સિવાયના દેવાની ગણતરી કરવામાં આવે, તો તે આવકના ૩૦થી ૩૫ ટકાની વચ્ચે અંદાજી શકાય, અને આ દેવું વૈશ્વિક સરખામણીમાં સામાન્ય ગણી શકાય નહીં. આ સ્થિતિ માટે ટ્રમ્પ ટેરિફનું પ્રેશર પણ જવાબદાર ગણાય, અને જો ભારત પરથી ટ્રમ્પ ટેરિફ નહીં હટે અથવા નહીં ઘટે તો લગભગ બે કરોડ જેટલા ભારતીયો ગ્લોબલ કક્ષાએ બેરોજગાર થઈ જશે, એટલે કે તેઓ નોકરી ગુમાવશે, જેનો બોજ ભારતીય અર્થતંત્ર તથા રોજગારીક્ષેત્ર પર પડી શકે છે.
આ તમામા પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિશ્લેષણો વચ્ચે ગૂગલનો મેગા પ્રોજેક્ટ ભારતમાં આવી રહ્યો હોવાના તથા ગૂગલ આગામી પાંચ વર્ષમાં ૧૫ બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરશે, તેવું જાહેર થયું છે. વિશાખાપટ્ટનમમાં એક ગીગાવોટ ડેટા સેન્ટર કેમ્પસના ડેવલપમેન્ટ થતા યુ.એસ.ની બહાર ગૂગલનું આ સૌથી મોટું એ.આઈ. હબ બનશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે. આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં એરટેલ અને અદાણી કોનેએકસની કથિત પાર્ટનરશીપની ફલશ્રુતિઓ અંગે પણ અલગથી અનુમાનો અને અંદાજો થઈ રહ્યા છે. ભારતી એરટેલના મેનેજીંગ ડિરેક્ટરે તો આ પાર્ટનરશીપને ભારતના ડિજિટલ ભવિષ્યની બુનિયાદ જેવું એક સમયોચિત નિર્ણાયક કદમ ગણાવ્યું, તો વડાપ્રધાને નવું એ.આઈ. હબ ટેકનોલોજીના લોકશાહીકરણમાં એક શક્તિશાળી બળ ગણાવીને શાસનવ્યવસ્થાને એ.આઈ. સાથે સાંકળીને ભારત ગ્લોબલ ટેકનોલોજીકલ લીડર બનવા જઈ રહ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
આમ, એક તરફ ઊંચા ઊંચા સપના દેખાડાઈ રહ્યા છે, અને બીજી તરફ એ.આઈ.ને લઈને વોર્નિંગ પણ અપાઈ રહી છે, ત્યારે ભારત ત્રીજી ઈકોનોમી બને ત્યારે ખરી, પરંતુ અત્યારે તો "વેઈટ અને વોચ"ની પોલિસી અપનાવીને તેલ અને તેલની ધાર જોઈ, ને જ નિર્ણયો લેવા પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આદિવાસી વર્ગો જેને ભગવાન માને છે, તે બિરસા મુંડાની ૧૫૦મી જયંતી નિમિત્તે આજે ગુજરાતના ડેડિયાપાડામાં વડાપ્રધાનના હસ્તે ૯૭૦૦ કરોડથી વધુ રૃપિયાના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે, અને જિલ્લે જિલ્લે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે, અને ગઈકાલે બિહારની ચૂંટણીના પરિણામો પછી ત્યાં સરકાર રચવાની હલચલ તેજ બની રહી છે, તેવામાં જમ્મુ-કાશ્મીરના નૌગામમાં પ્રચંડ વિસ્ફોટમાં કેટલાક જવાનોના જીવ ગયા અને કેટલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલોએ સવારથી જ ચિંતા જગાવી હતી. જો કે, આ વિસ્ફોટ અકસ્માતે થયો કે કોઈ ષડ્યંત્ર હતું, તે અંગે સવારે કાંઈ સ્પષ્ટ થયું નહોતું. પોલીસ મથકમાં થયેલો ધમાકો અને સંલગ્ન તપાસના ધમધમાટ વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે અહીં જપ્ત કરાયેલા કેટલાક વિસ્ફોટકોની ચકાસણી થઈ રહી હતી. દિલ્હીના વિસ્ફોટની તપાસ કરતી એક ટીમ અહીં પહોંચી હોવાના અહેવાલો પણ આવ્યા હતા. જેથી કન્ફ્યુઝન પણ ઊભું થયું હતું.
તે પછી એવા અહેવાલો આવ્યા હતા કે શ્રીનગરના નૌગામ પોલીસ મથકમાં એમોનિયમ નાઈટ્ર્ેટનું પરીક્ષણ થઈ રહ્યું હતું, ત્યારે આ ધમાકો થયો હતો. દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જમ્મુ-કાશ્મીરનું કનેક્શન બહાર આવ્યા પછી ધરપકડ કરાયેલા કેટલાક આતંકવાદીઓની આ પોલીસ મથકમાં પુછપરછ કરવામાં આવી રહી હતી. આ પોલીસ મથકમાં જ આતંકવાદી મોડયુલની તપાસ માટે જરૃરી પુછપરછ અને જપ્ત કરાયેલા હથિયારો, વિસ્ફોટકના પરીક્ષણ માટે થતો હોવાથી એવી શંકા સેવાઈ જ રહી હતી, કે આ વિસ્ફોટ વિસ્ફોટકોના પરીક્ષણ દરમ્યાન જ થયો હોવો જોઈએ, આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે આ ધમાકો પરીક્ષણ દરમ્યાન થયેલી એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના હોવાની પુષ્ટિ કરતા સ્થિતિ સ્પષ્ટ થઈ હતી.
આ અંગે વિસ્તૃત જાણકારી મળ્યા પછી સ્થિતિ સ્પષ્ટ થઈ હતી અને નૌગામના ધમાકામાં શહીદ થયેલા જવાનોને સહાનુભૂતિપૂર્વક અંજલિ અર્પણ કરાઈ હતી. આ તમામ ઘટનાક્રમોના પડઘા દેશની રાજધાનીમાં પડયા છે. પરીક્ષણ દરમ્યાન પણ આ પ્રકારનો ધમાકો થાય, અને જવાનો શહીદ થઈ જાય, તેવી દુર્ધટનાને હળવાશથી લેવાશે નહીં, તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
આ અહેવાલો વચ્ચે ગુજરાત એ.ટી.એસ.દ્વારા પંજાબનો એક ફરાર આરોપી દબોચી લેવાયો હોવાના અહેવાલ પણ આવ્યા હતા અને આ ભાગેડુ આરોપી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું. આ પહેલા તાજેતરમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક તબીબ સહિત ત્રણ શખ્સોને ઝડપ્યા પછી તેઓ ખતરનાક ઝેર બનાવીને મંદિરોના પ્રસાદમાં ભેળવવાનું કાવતરૃં ઘડી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું, અને તેના થોડા દિવસોમાં દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, તે યોગાનુયોગ છે, કે આ ઘટનાક્રમો વચ્ચો કોઈ કનેક્શન છે, તે તપાસનો વિષય છે. તેવામાં આ ભાગેડુ આરોપી ઝડપાયા પછી તેના આતંકવાદી કનેક્શનની તપાસ ઉપરાંત આ આરોપીની પુછપરછના આધારે વધુ શખ્સો દબોચાશે અને આતંકવાદી ષડયંત્રોના સંદર્ભે વધુ એક ઘટસ્ફોટ થશે, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે.
બીજી તરફ અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની જરૃર પણ જણાવાઈ રહી છે. ખાસ કરીને ઉપરાછાપરી મોટા મોટા ષડયંત્રો પકડાઈ રહ્યા હોવાથી હવે માત્ર બોમ્બ ધડાકા કે ફાયરીંગ જ નહીં, પરંતુ પ્રસાદ, ખોરાક કે પાણીમાં ઝેરી પદાર્થો ભેળવવા જેવા ખતરનાક અખતરાઓ પણ થવા લાગ્યા હોવાનું બહાર આવ્યું છે. આ કારણે હવે મોટા ધર્મસ્થળો, મોટા ભોજન સમારંભો, સદાવ્રતો, અને પ્રસાદ વિતરણ કે અલ્પાહાર, ઠંડાપીણાના સામૂહિક વિતરણ સમયે પણ સંબંધિત લોકોએ સતર્ક રહેવું પડે તેમ છે.
ઘણાં લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે આપણાં દેશમાં આ શું થઈ રહ્યું છે ? શું ચિદમ્બરમ્ ફેઈમ બે પ્રકારના આતંકીઓ એકબીજા સાથે મળીને આપણાં દેશને બરબાદ કરવાના કાવતરા ઘડી રહ્યા છે ? શું આઈ.એસ.આઈ.એ હવે સરહદપારથી આતંકીઓ મોકલવા ઉપરાંત ભારતમાં જ ગદ્દારોની ફોજ ઊભી કરાવીને પરોક્ષ યુદ્ધની નવી મોડસ ઓપરેન્ડી અમલમાં મૂકી છે ? જો એવું જ હોય તો આપણી કેન્દ્રીય એજન્સીઓ તેને અટકાવવામાં પૂરેપૂરી સક્ષમ નથી ? યે ક્યા હો રહા હૈ ?
કેટલાક લોકો પરોક્ષ રીતે એવી ટીકા કરી રહ્યા છે કે દેશમાં બોમ્બ ધડાકા થતા હોય ત્યારે વિદેશ પ્રવાસો કરવા યોગ્ય નથી અને ઉત્સવો ઉજવવા કે કોઈ ચૂંટણીના વિજયોત્સવોના આયોજનો પણ નિવારવા જોઈએ. બીજી તરફ આ પ્રકારની ટીકા સામે તાર્કિક જવાબો પણ અપાઈ રહ્યા છે, આ ટીકા-ટિપ્પણીઓ વચ્ચે જનતામાંથી અવાજ ઊઠી રહ્યો છે, કે "યે ક્યા હો રહા હૈ?"
જો કે, ગુજરાતના આજના દેવમોગરાના લોકસંસ્કૃતિના તહેવાર તથા જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરલા મુંડાની ૧૫૦મી જયંતીને આ વાદ-વિવાદ અને ટીકા-ટિપ્પણીઓ સાથે સાંકળવામાં આવી રહી નથી અને અંગ્રેજો સામે ઝઝુમનાર આદિજાતિ સ્વાતંત્ર્યસેનાનીઓને આજે બિરદાવાઈ રહ્યા છે, તેને સાંકળીને આક્ષેપો-પ્રતિઆપેક્ષો થઈ રહ્યા નથી, તે સાચી વાત છે.
આજે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના દિને તમામ દેશવાસીઓને ઉદ્દેશીને જે સંદેશ અપાઈ રહ્યો છે અને બીજી તરફ દેશ પર આતંકવાદના મંડરાઈ રહેલા નવતર ખતરાઓને લઈને એલર્ટ અપાઈ રહ્યા છે, ત્યારે આતંક અને અન્યાય સામે એકજૂથ થઈને પહેલેથી ચાલતા રહેલા સંઘર્ષને આગળ વધારીએ અને તેનાથી રાજનીતિને દૂર રાખીએ, એ જ દેશહિતમાં ગણાશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે વહેલી સવારથી બિહારમાં તો રાજકીય ચહલપહલ તેજ થઈ જ ગઈ હતી, પરંતુ રાજધાની દિલ્હીમાં પણ રાષ્ટ્રીયકક્ષાના મુખ્ય રાજકીય પક્ષોમાં પણ હલચલ વધી ગઈ હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી જેમ જેમ આગળ વધી રહી હતી, તેમ તેમ લોકોની ઉત્કંઠા અને કુતૂહલ પણ વધી રહ્યા હતા. બે દાયકાથી મુખ્યમંત્રીપદ સંભાળી રહેલા નીતિશકુમાર માટે આ લિટમસ ટેસ્ટ હતો અને આરપારની લડાઈ હતી. તો તેજસ્વી યાદવ માટે તેની રાજકીય કારકીર્દિની અગ્નિપરીક્ષા હતી. બિહારની ચૂંટણીના બહુ કોણીય મુકાબલો હતો પરંતુ મુખ્ય ફાઈટ એનડીએઅ ને મહાગઠબંધન વચ્ચે હતી., અને ભારતીય જનતા પક્ષ, જે.ડી.યુ.ની સામે આર.જે.ડી. અને કોંગ્રેસની પ્રતિષ્ઠાનો સવાલ પણ હતો. બિહારની ૨૪૩ સભ્યોની વિધાનસભામાં સાદી બહુમતી માટે ૧૨૨ બેઠકોની જરૂર હતી, પરંતુ મતદારોએ દોઢીથી વધુ બેઠકો આપી દીધી છે.
એકઝીટ પોલના તારણો એન.ડી.એ.ની તરફેણમાં આવ્યા હતા પરંતુ મહાગઠબંધન અને ખાસ કરીને તેજસ્વી યાદવે તે ફગાવી દીધા હતા તથા હરિયાણાની જેમ બિહારમાં પણ એકઝીટ પોલ્સ ઉલટા પૂરવાર થશે તથા તેજસ્વી યાદવના નેતૃત્વમાં જ સરકાર રચાશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે સાંજે તેજસ્વી યાદવે તો મહાગઠબંધનની બેઠક પણ બોલાવી લીધી હતી, પરંતુ આજે પરિણામોમાં સુપડા સાફ થતાં જણાયા હતા.
બિહાર વિધાનસભાની ચૂંટણીની રાષ્ટ્રીય રાજનીતિમાં પણ વ્યાપક અસરો થવાની છે, અને આગામી બે-ત્રણ વર્ષમાં આવનારી અન્ય રાજ્યોની ચૂંટણીઓ પર પણ તેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો થવાની છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જયાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા વર્ષે થનાર છે, ત્યાં પણ આ પરિણામોની અસરો થવાની સંભાવના હોવાથી પણ આજના પરિણામોની દૂરગામી અસરો થશે, તથા તેના સુચિતાર્થોનું વિશ્લેષણ પણ થશે, એટલું જ નહીં, ચૂંટણી પ્રક્રિયા તથા એસ.આઈ.આર.ના મુદ્દા પણ રાષ્ટ્રીયકક્ષાએ ગુંજતા રહેવાના છે.
આજે સવારે જ્યારે પહેલા પોષ્ટલ મતો ગણાતા હતા, ત્યારે પ્રારંભમાં મહાગઠબંધનની સરસાઈ હતી, પરંતુ પછી કાંટે કી ટક્કર હતી. તે પછી રાઉન્ડવાર મતગણતરી શરૂ થયા પછી ચિત્ર ધીમે ધીમે બદલવા લાગ્યું હતું, અને મહાગઠબંધનમાં તેજસ્વી યાદવની આરજેડીની સર્વાધિક બેઠકો પર સરસાઈ હતી, જ્યાએ એનડીએ ગઠબંધનમાં ભાજપ અને જેડીયુ અગ્રેસર જણાતા હતા. બિહારમાં કોંગ્રેસનો પહેલેથી જ નબળો દેખાવ રહ્યો હતો, જ્યારે ગઠબંધનોના સાથીદાર અન્ય પક્ષોના પરિણામો પર પણ સૌ કોઈની નજર મંડાયેલી હતી. એનડીએને મળેલા પ્રચંડ જનાદેશના કારણો અને તારણોની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
પક્ષવાર જોઈએ તો શરૂઆતથી જ પ્રથમ ત્રણ (ટોપ થ્રી) માં ભાજપ, જેડીયુ અને આરજેડીનો સમાવેશ થતો જણાયો હતો. મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય તથા પ્રાદેશિક પક્ષોમાં તેજસ્વીના સમર્થક મતદારો અથવા આરજેડીના મતો ટ્રાન્સફર થયા નહીં હોવાનું તારણ પણ નીકળી રહ્યું છે તો ઘણાં વિશ્લેષકો કોંગ્રેસે એકલા હાથે લડવાની જરૂર હતી તેવું માને છે, જ્યારે કેટલાક વિશ્લેષકોના અભિપ્રાય મુજબ આરજેડીએ એકલા હાથે ચૂંટણી લડી હોત તો પણ કાંઈક સારૃં પરિણામ આરજેડીને મળ્યું હોત.
આ ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત મળ્યો, પરંતુ જેડીયુને પાછળ રાખીને ભાજપની તોતીંગ બહુમતી થાય, તેવા ગૂપ્ત કથિત મનસુબા ઘણાં નેતાઓના હતા, તે સાકાર થયા નથી. અને જેડીયુનો હાથ ઊંચો રહ્યો છે. બીજી તરફ એનડીએમાં તમામ પક્ષોના સમર્થકોના મતો એકબીજાને ટ્રાન્સફર થયા, પરંતુ મહાગઠબંધનમાં તે પ્રકારે મતો ટ્રાન્સફર નહીં થવાના તારણો નીકળી રહ્યા છે. જે હોય તે ખરૃં, પરંતુ હવે તો જો જીતા વોહી સિકંદર...!!
મહાગઠબંધનના નેતાઓ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણીતંત્રને લઈને પહેલેથી જ સવાલો ઉઠાવી રહ્યા હતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તો ઘણાં સમયથી "વોટચોરી" નો મુદ્દો ઉઠાવી રહ્યા હતા, ત્યારે હવે બિહાર વિધાનસભાની ચૂંટણી પછી વિપક્ષી ગઠબંધનનું આવું જ મંતવ્ય રહેશે, તે સ્વાભાવિક હતું અને ચૂંટણીપંચ પર થતા આક્ષેપો તથા ચૂંટણીપંચ દ્વારા અપાતા જવાબોનું પિષ્ટપિંજણ પણ થતું રહેશે, જો કે, એકઝીટ પોલ્સમાં પણ એનડીએના આટલા પ્રચંડ બહુમતની સંભાવના દર્શાવાઈ નહોતી.
હવે આ પરિણામોની રાષ્ટ્રીય રાજનીતિ પર ઘેરી અસર થશે, અને ખાસ કરીને કોંગ્રેસે આત્મમંથન કરવું પડે તેમ છે. જો આ રીતે રકાસ જ થતો રહેશે તો કોંગ્રેસ માટે હવે પછીની ચૂંટણીઓ માટે વધુ મોટા પડકાર ઊભા થશે. કોંગ્રેસે જો પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવાના બદલે એકલા હાથે ચૂંટણી લડે, તો પણ આ વખતે આવી છે તેના કરતા ઘણી વધુ બેઠકો આવી શકે છે. બિહારની જનતાએ પૂનરાવર્તનનો આદેશ આપ્યો હોવાથી હવે આગામી પાંચ વર્ષ માટે નીતિશકુમાર જ બિહારના મુખ્યમંત્રી રહેશે કે પછી તેઓને રાષ્ટ્રીય રાજનીતિમાં ખસેડીને (અથવા હાંસીયામાં ધકેલીને) બિહારને કોઈ નવો ચહેરો મળે છે, તે જોવાનું રહેશે. મહાગઠબંધન જો ૨૪૩ માંથી ૫૦ મા જ સમેટાઈ ગયું હોય તો તેના સંદર્ભે ઊંડા વિશ્લેષણો તથા મંથનની જરૂર છે, બીજી તરફ વિપક્ષો દ્વારા સતત ઉઠાવાઈ રહેલા ચૂંટણી પ્રક્રિયા તથા વોટચોરીને સંબંધિત સવાલોનો ટ્રાન્સપરન્ટ સંતોષજનક જવાબ પણ આપવો જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યું અને તે પછી વારંવાર કમોસમી વરસાદ પડતો રહ્યો, જેના કારણે જામનગર અને હાલાર સહિત સમગ્ર રાજ્યોમાં નગરો-મહાનગરોના આંતરિક માર્ગો, જિલ્લા-રાજ્યના ધોરીમાર્ગો, ગ્રામ્ય માર્ગો અને નેશનલ હાઈ-વેમાં પણ ઠેર ઠેર ખાડા પડી ગયા, તે અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં પોલાણવાળી જમીન પર બનેલી સડકોમાં ભૂવા (ઊંડા ખાડા) પડી ગયા. આ સ્થિતિમાં કેટલાક અન્ય વિકાસકામો તથા બાંધકામો અને મૂળભૂત જરૂરિયાતના ચાલી રહેલા કામો પણ અટવાઈ પડ્યા હતા. અવરિત વરસાદને કારણે જામનગર પણ ખાડાનગર બની ગયું અને ભૂગર્ભ ગટર તથા ફ્લાયઓવર બ્રિજના ચાલી રહેલા કામોના કારણે છેલ્લા પાંચ-છ મહિનાથી જુદા જુદા સ્થળે થતા ખોદકામોના કારણે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ ગઈ અને નગરજનો પરેશાન થતા રહ્યા હતા.
હાલારમાં યાત્રાધામ દ્વારકા અને સંલગ્ન યાત્રા-પ્રવાસધામોમાં પણ માર્ગોની દૂર્દશા થઈ અને નગરોના આંતરિક માર્ગો તૂટી-ફૂટી ગયા છે, ત્યારે હવે કમોસમી વરસાદ બંધ થયો છે અને શિયાળો શરૂ થયો છે, ત્યારે તમામ માર્ગોના નવીનીકરણની જરૂર છે. માત્ર થીંગડા મારીને નહીં ચાલે, પરંતુ પાક્કા માર્ગો બનાવવા પડે તેમ છે. આંકડાઓ જાહેર કરીને આયોજનોની પબ્લિસિટી કરીને જ નહીં ચાલે, પરંતુ જમીન પર વાસ્તવિક કામો પણ થવા અત્યંત જરૂરી છે.
શિયાળાની ઋતુમાં બાંધકામો માટે અનુકૂળ વાતાવરણ હોવાથી યાત્રાધામ દ્વારકા, હર્ષદ, બેટ દ્વારકા, વૈષ્ણવ સંપ્રદાયના બેઠકજીઓ, ગોપ, ભાણવડ, હાથલા, કાલાવડ, જામજોધપુર, સીદસર, કેશોદ, બેરાજા, આસોટા, રાણ, ગોરીંજા, જોડીયા, ખીજડીયા, ખીમરાણા, ફલ્લા, શીંગડા વગેરે આસ્થા અને પ્રવાસનને સંયુક્ત રીતે જોડતા અનેક માર્ગોની તત્કાળ મરામત કરવી જરૂરી છે, જ્યારે હાલારની તમામ નગરપાલિકાઓ તથા જામનગર મહાનગરપાલિકાના તમામ આંતરિક માર્ગો, શેરી-ગલીઓ અને સોસાયટી વિસ્તારોમાં માર્ગોને થયેલા નુકસાનનો ડીપ સર્વે કરીને તત્કાળ તેની પ્રાથમિક મરામત ઉપરાંત જરૂરી પ્રક્રિયા તત્કાળ સંપન્ન કરીને પાક્કા માર્ગો ફરીથી બની જાય, તેવું નવીનીકરણ તથા વિસ્તૃતિકરણ તત્કાળ કરવું જોઈએ.
દેવભૂમિ દ્વારકા જિલ્લો જાહેર થયો, અને ખંભાળીયા તેનું મુખ્યમથક બનાવાયું, પરંતુ ખંભાળીયાની ખાડાનગરી તરીકેની છાપ ભૂંસાઈ શકી નથી. એકાદ વર્ષથી મંજુર થયેલું ઓવરબ્રિજનું કામ અટવાઈ જવું, રિવરફ્રન્ટનું કામ ગાંધીનગરના સચિવાલયમાં ગોટે ચડી જવું, વર્ષો સુધી ભૂગર્ભ ગટરના કામો ટીંગાતા રહેવા અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા પછી પણ નગરમાં ઠેર-ઠેર માર્ગો પર ગંદા પાણી વહેતા રહેવા જેવા પ્રશ્નો આજે પણ એવાને એવા જ છે. આ સ્થિતિમાં કમોસમી વરસાદે દુષ્કાળમાં અધિક માસની જેમ આ સમસ્યાઓને વધુ વકરાવી દીધી છે. આ કારણે ભૂતકાળમાં પ્રવર્તમાન શાસકોની વાહવાહી કરતા ઘણાં લોકો પણ હવે ટીકાકાર બની ગયા છે !
હાલારની અન્ય નગરપાલિકાઓમાંથી પણ આ જ પ્રકારની રાવ ઉઠી રહે છે. ઓખા નગરપાલિકામાં તો સુરજકરાડી, આરંભડા, બેટ દ્વારકા, ઓખા સહિતના વિસ્તારો સમાવિષ્ટ હોવાથી ત્યાંની સ્થિતિ "ઓખો જગથી નોખો" જેવી છે, જ્યારે યાત્રાધામ દ્વારકા અને નાગેશ્વરને સંલગ્ન માર્ગો-ધોરીમાર્ગોની સ્થિતિ પણ ચોમાસા પછી નવીનીકરણ માંગે છે. દ્વારકા નગરપાલિકાએ નગરના આંતરિક માર્ગો તથા નગરમાંથી પસાર થતા ધોરીમાર્ગ માટે પ્રશાસનિક અને રાજકીય સંકલન બેસાડીને તત્કાળ કેટલીક તૂટેલી-ફૂટેલી સડકોની તત્કાળ મરામત હાથ ધરવી જ પડે તેમ છે.
રાવલ નગરપાલિકામાં તો શાસકીય અને પ્રશાસનિક અસ્થિરતાની કાયમી સમસ્યા રહી છે અને તેના કારણે જ મૂળ નગરની બજારની એકમાત્ર જાહેર મૂતરડી પણ બંધ કરાયા પછી પુનઃ શરૂ થઈ શકી નથી. રાવલમાં કોઈપણ એક પેનલનું શાસન સતત રહેતું નથી એન ચીફ ઓફિસરો પણ સતત બદલતા રહે છે, તેથી લોકોને નાના નાના દાખલા કઢાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ જ પ્રકારે સલાયા, ભાણવડ, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ વગેરે નગરપાલિકાઓ તથા ભાટીયા, લાલપુર, ભાડથર, વાડીનાર જેવા મોટા ગ્રામ્ય મથકોમાં માર્ગોની હાલત પણ કાંઈક એવી જ છે.
ચોમાસા અને કમોસમી વરસાદ દરમ્યાન પણ રાજ્યમાં કેટલાક સ્થળે મરામતના અનિવાર્ય પ્રકારના કામો, ડાયવર્ઝન અને થીંગડા મારવાના કામો થયા, પરંતુ અવાર-નવાર કમોસમી વરસાદ થતો રહ્યો હોવાથી ફરી ધોવાતા રહ્યા. હવે જ્યારે વાતાવરણ ચોખ્ખું થયું છે, ત્યારે વાતોના વડા કરવાના બદલે જવાબદારીની ફેંકાફેંકી કરવાની મનોવૃત્તિ ત્યાગીને શાસકો, પ્રશાસકોએ ઝડપભેર માર્ગોનું પુનઃ ઉચ્ચ ગુણવત્તા સાથે નવીનીકરણ અને જરૂર હોય ત્યાં વિસ્તૃતિકરણ કરવું જ જોઈએ, ખરૃં ને ?
જામનગરમાં કમોસમી વરસાદથી ઠેર-ઠેર પડેલા ખાડા અને ચીરોડાઓમાં થીગડાં મારવાનું બંધ કરીને હવે પાક્કા અને પહોળા માર્ગો માટે નવેસરથી નિર્માણ થાય તથા વિસ્તૃતિકરણ થાય, તે જરૂરી છે. ફ્લાય ઓવર બ્રિજ અને તેના સર્વિસ રોડના કામોની સાથે સાથે લાંબા ચોમાસા અને કમોસમી વરસાદના કારણે બિસ્માર થયેલા શેરી-ગલીઓ-સોસાયટીઓ સહિતના માર્ગોનું તત્કાળ નવીનીકરણ અને આધુનિકરણ થવું જરૂરી છે. આ કાર્યવાહી દરમ્યાન સંબંધિત સડકો કેટલા વર્ષ પહેલા બની છે, તેની હિસ્ટ્રીને અનુરૂપ આયોજનો થવા જોઈએ.
જો કે, જામનગરમાં સ્ટેન્ડિંગ કમિટીએ કેટલાક આંતરિક માર્ગોની મરામતના કામોને મંજુરી આપી છે, અને કેટલાક સી.સી.રોડના કામો બહાલ કરાયા છે, જેમાં હાપા, ઢીંચડા સહિત મહાનગરની ચોતરફ વિસ્તરેલી કેટલીક સોસાયટીઓને પણ આવરી લેવામાં આવી છે. તે પૈકી રવિપાર્ક અને તિરૂપતિ સોસાયટીના મુખ્ય માર્ગોમાં સી.સી.રોડ બનાવવાનો સમાવેશ કરાયો છે, પરંતુ શેરીઓ તથા પેટા ભાગોનો ઉલ્લેખ નથી અને મંજુર કરાયેલી રકમ પણ પર્યાપ્ત જણાતી નથી. જો કે, પ્રશાસકિય મર્યાદાઓના કારણે કદાચ ટૂકડે-ટૂકડે મંજુરીઓ અપાતી હોઈ શકે છે, તેથી નગરજનો માત્ર ગુણવત્તાયુક્ત અને ઝડપી કામો સાકાર થાય, તેવું જ ઈચ્છે છે. લોકોને "ટપ ટપ" થી નહીં, રોટલાથી મતલબ છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વર્ષ-૨૦૧૮નો એ ગોઝારો દિવસ અમને બધાને કારમો આઘાત આપી ગયો હતો. જ્યારે માધવાણી પરિવાર સહિત સૌનો લાડકવાયો રોનક યુવાનવયે વૈકુંઠયાત્રાએ નીકળી ગયો હતો.
રોનક સાંધ્ય દૈનિક "નોબત"ના કોમ્પ્યુટર વિભાગમાં અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ સાથે સંકળાયેલી બાબતોમાં પારંગત હતો અને 'નોબત' ને સોશ્યલ મીડિયા, ઈ-પેપર તથા વેબસાઈટના માધ્યમથી સાત સમંદર પાર પહોંચાડયું હતું. અખબારનું આકર્ષક પ્રિન્ટીંગ, લે-આઉટ અને યુગને અનુરૂપ અપડેટ કરતા રહીને રોનકે 'નોબત' ને વધુ આકર્ષક બનાવ્યું હતું.
રોનક સ્ટાફ તથા પરિવાર સાથે એટલો હળીમળી ગયો હતો કે આજે પણ તેની ખોટ સૌ કોઈને વર્તાય છે. હરહંમેશ હસતો ચહેરો, મળતાવડો સ્વભાવ, વિવેકપૂર્ણ વાણી અને વિનયી વ્યવહારના કારણે રોનકનું વ્યક્તિત્વ કાંઈક અલગ જ ભાત પાડતું હતું.
નોબત પરિવાર અને માધવાણી પરિવારનો આંખોનો તારો અને સૌ કોઈનો પ્યારો રોનક વર્ષ-૨૦૧૮ની ૧૨મી નવેમ્બરે જ્યારે અનંતયાત્રાએ નીકળી ગયો, ત્યારે નગર નિમાણું થઈ ગયું, હાલાર હિબકે ચડ્યું હતું, મિત્રમંડળમાં માતમ છવાયો હતો, 'નોબત' ભવનમાંથી રોનક ઉડી ગઈ હતી અને સર્વત્ર શોક છવાઈ ગયો હતો. એ વસમી વિદાય અમારા માટે કઠુરાઘાત સમાન હતી. રોનક વૈકુંઠવાસી થયો, તે દિવસે લાભપાંચમનું પાવન પર્વ હતું.
રોનકે 'મેઘધનુ' જેવા વાર્ષિક ત્રિદિવસીય કાર્યક્રમો યોજીને લોક-સાહિત્ય, ગીત-સંગીત અને પત્રકારિત્વનો અનોખો ત્રિવેણી સંગમ સર્જ્યો હતો, જેથી પ્રતિવર્ષ નોબતની વર્ષગાંઠની ઉજવણી વધુ શાનદાર બની હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓના માધ્યમથી નગરના નવોદિતોને પણ પરફોર્મન્સનું પ્લેટફોર્મ મળ્યું હતું. રોનક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સદૈવ અગ્રેસર રહેતો હતો અને યુવાવર્ગમાં ખૂબજ લોકપ્રિય બન્યો હતો.
રોનકની "આઉટ ઓફ ધ બોક્સ" એક્ટિવિટીઝમાં સમગ્ર માધવાણી પરિવાર અને નોબત પરિવારનો સક્રિય સહયોગ મળ્યો હતો. અને ગત વર્ષે જ પહેલી નવેમ્બરે વૈકુંઠવાસી થયેલા પિતા કિરણભાઈ માધવાણીનું પ્રોત્સાહન અને પથદર્શન મળતું રહ્યું હતું. રોનક તેમના માતા જ્યોતિબેન માધવાણીની સામાજિક અને મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં પણ સહભાગી થતો હતો અને સંતાનોના ઉછેર-પરિવારની જવાબદારીઓ તથા નોબતની રોજીંદી કામગીરી ઉપરાંત સેવાપ્રવૃત્તિઓ તથા બિઝનેસ એક્ટિવિટીઝ પણ સફળતાપૂર્વક કરતો હોવાથી હંમેશાં પ્રવૃત્તિમય રહેતો હતો. આ કારણે આજે પણ નોબત ભવનના ખૂણે ખૂણે રોનકની અનુભૂતિ થઈ રહી છે.
આજે રોનક ભલે સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેના સત્કાર્યોની સુવાસ અને સંસ્મરણો-સ્મૃતિઓના સ્વરૂપમાં રોનક આજે પણ આપણાં સૌના દિલો-દિમાગમાં છવાયેલો જ છે અને આપણી વચ્ચે જ હોય, તેવી અનુભૂતિ થાય છે. માત્ર ૪૦ વર્ષની યુવાવયે કાયમી વિદાય લઈ લેનાર રોનકની કદાચ ઈશ્વરને પણ જરૂર પડી હશે. આપણે કુદરતની ઘટમાળ પાસે લાચાર છીએ અને જન્મ-મૃત્યુ આપણાં હાથમાં નથી, તે વાસ્તવિકતા સ્વીકારીને આજે રોનકની પુણ્યતિથિ નિમિત્તે આપણે સૌ અશ્રુભીની આંખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પીએ...
જામનગર - માધવાણી પરિવાર
તા. ૧૨-૧૧-૨૦૨૫ - નોબત પરિવાર
આજે આખો દેશ હાઈ એલર્ટ પર છે અને દિલ્હીમાં થયેલા ઘાતક જીવલેણ કાર વિસ્ફોટ પછી દેશના હૃદયસમી રાજધાનીમાં બોદી સુરક્ષા વ્યવસ્થાઓ તથા ગુપ્તચર સંસ્થાઓની નાકામિયાબીની ચર્ચા પણ થવા લાગી છે, એટલું જ નહીં, ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક તબીબ સહિત પ્રારંભમાં ત્રણ શખ્સોને હથિયારો-વિસ્ફોટકો સાથે દબોચી લીધા પછી જમ્મુ-કાશમીર પોલીસે હરિયાણા પોલીસની મદદથી વિસ્ફોટકના જંગી જથ્થા તથા હથિયારો વગેરે સાથે ત્રણેક તબીબો સહિત કેટલાક લોકોને દબોચી લીધા હોવા છતાં આ પ્રચંડ ધડાકો દેશની રાજધાનીમાં થયો હોય, તો કેન્દ્રની એજન્સી, દિલ્હી પોલીસ અને ગૃહમંત્રાલયથી અંતગત કાર્યરત સુરક્ષા એજન્સીઓની કચાશ, ઢીલાશ કે ઓવર-કોન્ફીડેન્સ અથવા લાપરવાહી પણ દર્શાવે છે. આ તમામ ઘટનાક્રમોને પુલવામા હૂમલા અને તે પછીના ઘટનાક્રમો સાથે જોડીને કડીઓ મેળવવામાં આવી રહી છે, તેવું જાહેર કરાયું છે. ખેર, જે હોય તે ખરૃં, પરંતુ નાપાક પડોશી દેશ પાકિસ્તાને આઈએસએસ સહિતની આતંકી સંસ્થાઓ સાથે મળીને જો ભારતને નિશાન બનાવ્યું હોય, અને સરહદ પારથી આતંકીઓ ઘૂસાડવાના બદલે ભારતમાં જ કટ્ટરવાદી બ્રેઈનવોશ કરીને સ્થાનિક આતંકવાદીઓ ઊભા કરવાની રણનીતિ અપનાવી હોય, તો તે વધુ ખતરનાક અને ચિંતાજનક બની શકે છે. અહેવાલો મુજબ જૈસ-એ-મહોમ્મદનું જ આ ષડયંત્ર હોવાની પૂરેપૂરી શક્યતા છે.
છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી ષડયંત્રો સામે જે ઝુંબેશ ચાલી રહી હતી અને ગુજરાત એ.ટી.એસ. પછી જમ્મુ-કાશમીર પોલીસ અને હરિયાણા પોલીસ દ્વારા કેટલાક શખ્સોને જંગી વિસ્ફોટકો, હથિયારો સાથે ઝડપીને આતંકીઓની મેલી મુરાદ નિષ્ફળ બનાવ્યા પછી અંતે ડો. ઉંમર નામના શખ્સે આ સુસાઈડ એટેક કર્યો હોઈ શકે છે, અથવા તે વિસ્ફોટકની હેરાફેરી કરી રહ્યો હોય, તેવા તર્કો અને આશંકાઓ સાથે ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલી તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ જોડાઈ ગઈ છે અને જુદા જુદા એંગલોથી ચાલી રહેલી તપાસ પછી આજે બપોરે સત્તાવાર અને બિન સત્તાવાર રીતે જે કાંઈ જાહેર થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આ લખાય છે ત્યાં સુધીમાં શંકાસ્પદ ડો. ઉંમરના પરિવારજનોની પુછપરછ થઈ રહી હોવાનું બહાર આવ્યું છે.
આ વિસ્ફોટ લાલ કિલ્લા નજીક અને દિલ્હી હાઈકોર્ટ સમા ચાંદનીચોકના માર્ગે કરવા પાછળ પણ સમજી-વિચારીને ઘડાયેલું ષડયંત્ર હોઈ શકે છે. આ ઘટનાના હૃદયદ્રાવક દૃષ્યો ઘટનાની તીવ્રતા અને કરૂણતા તો દર્શાવતા જ હતા, સાથે સાથે આ પ્રકારના કાવતરાં રચનારાઓની ઘાતકી અને કટ્ટર મનોવૃત્તિ પ્રત્યે ફિટકાર વરસાવનારી પણ હતી.
આ વિસ્ફોટ પાછળ જૈશ-એ-મહોમ્મદનો હાથ હોય અને ફરિદાબાદ જેવી મોડસ ઓપરેન્ડી અપનાવાઈ હોય, તેવા પ્રથમ દૃષ્ટિએ નીકળેલા તારણો પછી સતત વિવિધ એંગલથી તપાસ સાથે ઠેર-ઠેર દરોડા પડી રહ્યા છે. આ આતંકી હૂમલા જેવી મોડસ ઓપરેન્ડી આધુનિક ટેકનોલોજી અને હાઈટેક નવતર પદ્ધતિથી એજ્યુકેટેડ આતંકીઓની તૈયાર થયેલી એક આંતરરાષ્ટ્રીય સાંકળ (નેટવર્ક) તરફ પણ અૂંગલી નિર્દેશ કરે છે. એટલું જ નહીં, બિહારની વિધાનસભા માટે બીજા તબક્કાના મતદાનના આગલા દિવસે જ થયેલા દિલ્હીનો ધમાકો ટાઈમીંગ અને પોલિટિકલ દૃષ્ટિએ પણ ચર્ચાસ્પદ બન્યો છે, આ એંગલથી પણ એજન્સીઓ તપાસ કરશે, પરંતુ મેડિકલ લાઈનમાં ઉચ્ચ અભ્યાસ કરેલા આતંકીઓનું જુદા જુદા રાજ્યોમાં એક નવું જ નેટવર્ક ઊભું થયું હોય, તો તે વધુ ભયાવહ અને ખતરનાક બની શકે છે.
દિલ્હીની આ ઘટના પછી યુ.એ.પી.એ. અંતર્ગત કેસ દાખલ કરાયો હોય અને કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે સવારે લીધેલી ઉચ્ચસ્તરીય બેઠક પછી દેશવ્યાપી હાઈએલર્ટની સ્થિતિ વચ્ચે કાંઈક નવાજૂનીના સંકેતો મળી રહ્યા હોય ત્યારે એ પણ નોંધનીય છે કે આતંકવાદીઓએ હવે જે નવી પદ્ધતિઓ અપનાવી છે તેની સામે લડવા કેન્દ્રીય એજન્સીઓએ વધુ સતર્ક અને સંકલિત થવું પડશે. ફરિદાબાદ મોડ્યુલની પણ પહેલેથી જ ચર્ચા થઈ રહી હતી. પુલવામાના રહીશ અને ડોક્ટર ઉંમર ગની ઘણાં સમયથી ફરાર હતો અને તેમણે આ વિસ્ફોટ કર્યો હોવાની સંભાવના પર આજે સવારથી જ તપાસ કેન્દ્રીત થઈ હતી અને આઠથી અગિયારના મૃત્યુ તથા કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સાથે દેશભરમાં સતર્કતા અને દિલ્હીમાં ભયનો માહોલ ફેલાયો હતો, તે પછી સત્તાવાર રીતે જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે તે આપણી સામે જ છે.
આ લખાય છે ત્યારે કેન્દ્રીયમંત્રી અમિતભાઈ શાહની મિટિંગ ચાલી રહી છે અને તે પછી જ સત્તાવાર રીતે સરકાર વિગતવાર જાણકારી દેશના લોકો સમક્ષ મુકશે, તેમ જણાય છે.
દિલ્હીમાં વિસ્ફોટ પછી યાત્રાધામ દ્વારકા એન અંબાજી, સોમનાથ સહિત ગુજરાતના યાત્રાધામોમાં પણ સુરક્ષા વ્યવસ્થાઓ વધુ સઘન બનાવી દેવામાં આવી રહી છે. એન કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો ત્વરીત કદમ ઉઠાવીને તેનું રિપોર્ટીંગ ઉચ્ચકક્ષાએ કરવાની સૂચનાઓ જો રાષ્ટ્રીયકક્ષાએથી અપાઈ રહી હોય, તો તે હૂમલાની ગંભીરતા દર્શાવે છે.
આપણે ત્યાં આતંકવાદી ઘટનાઓ ભલે ભૂતકાળની સરખામણીમાં ઓછી-વત્તી થઈ હોય કે બંધ થઈ હોય અથવા સીમિત થઈ ગઈ હોય, તો પણ તેનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ સાવધાનીપૂર્વક થવો જરૂરી છે, અને દેશમાં સંપૂર્ણપણે આ પ્રકારની ઘટનાઓ અટકી જ ગઈ છે કે બંધ થઈ ગઈ છે, તેવો દાવો કરવામાં આવે કે પછી આતંકી ઘટનાઓ ફરી શરૂ થઈ ગઈ છે કે વધી ગઈ છે, તે પ્રકારના નિવેદનો ચૂંટણી ટાણે થાય, તે પણ તેને સાંકળીને આતંકવાદીઓ "ચેલેન્જ" ઊભી કરવા કે લોકતાંત્રિક પ્રક્રિયા પર અસર પાડવા પ્રેરાતા હોય છે તેથી આ સંવેદનશીલ મુદ્દે રાજનેતાઓએ પણ "સંવેદનશીલ" રહીને સાવધાનીપૂર્વક નિવેદનબાજી કરવી જોઈએ, તેવા તટસ્થ પ્રતિભાવો પણ અવગણવા જેવા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કુદરત જ્યારે મહેર કરે છે, ત્યારે જીવસૃષ્ટિ અને સંસાર સોહામણા લાગે છે, પરંતુ જ્યારે એ જ કુદરત જ્યારે કહેર કરે ત્યારે બિહામણા પણ લાગે છે. લોખંડમાંથી તલવાર પણ બને છે અને ઓજાર પણ બને છે. બંદુક, દારૂગોળો અને હથિયારો રક્ષણનું કામ પણ કરે છે અને ખોટા હાથમાં હોય, ત્યારે વિનાશક પણ બની જાય છે, તેવી જ રીતે વિદ્યા પણ જો યોગ્ય રીતે વપરાય, તો તે જીવનને ઉપયોગી અને હેતુલક્ષી પૂરવાર થાય છે, પરંતુ તે જ વિદ્યા એટલે કે કૌશલ્ય, ડિગ્રી કે જ્ઞાન જ્યારે ખોટા માર્ગે વપરાય, ત્યારે તે વિનાશક અને વિકૃત બની જાય છે અને પોતાને તથા સમાજને પણ નુકસાન પહોંચાડે છે. આ જ રીતે એમબીબીએસ કરેલા લોકો જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવે, ત્યારે એવું પ્રતિત થાય છે કે માનવ કલ્યાણ માટે કરાવાતા તબીબી અભ્યાસ પણ હવે ખતરનાક બનવા લાગ્યા છે.
ગુજરાત એટીએસ દ્વારા કેન્દ્રીય એજન્સીએ સાથે મળીને ચલાવાયેલા અભિયાનમાં આપણાં શાંતિપ્રિય ગણાતા વ્યાપારિક છાપ ધરાવતા ગુજરાતમાંથી ૩૫ વર્ષના ડોક્ટર સહિત ત્રણ કથિત આતંકીઓને ઝડપી લીધા હોવાના જ્યારે અહેવાલો આવ્યા, ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હશે, એવું પણ બહાર આવ્યું કે આ ત્રણેય શખ્સો અમદાવાદ, દિલ્હી અને લખનૌ વગેરે સ્થળે આતંકી હૂમલાની તૈયારી કરી રહ્યા હતા, અને સૌથી ચોંકાવનારી વાત એ બહાર આવી હતી કે ડોક્ટરનું ભણેલો એક શખ્સ સાઈનાઈડથી પણ ખતરનાક ઝેર રાયઝિન બનાવી રહ્યો હતો. હવે આ ઝેરનો તે કેવી રીતે ઉપયોગ કરવાનો હતો, તે તપાસ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.
આ પ્રકારના અહેવાલો સુત્રોને ટાંકીને અથવા અન્ય માધ્યમો દ્વારા આવતા હોય છે, પરંતુ આ પ્રકારના અહેવાલો જ્યારે જ્યારે આવે, ત્યારે ત્યારે એક પ્રકારની સનસનાટી ફેલાઈ જતી હોય છે, અને જ્યારે આ અંગે સત્તાવાર રીતે જાહેરાત થતી હોય કે માહિતી અપાતી હોય છે, ત્યારે જ લોકોને થોડી રાહત થતી હોય છે, અને વાસ્તવિક તથ્યો જાણવા મળતા હોય છે, હવે આ ત્રણ શખ્સોની તપાસ પછી શું બહાર આવે છે અને કેવા કદમ ઉઠાવાય છે, તે જોવું રહ્યું...
એ.ટી.એસ.ની કાર્યવાહીને આવકારવી જોઈએ, અને સાથે સાથે આ પ્રકારની હિંસક અને ઘાતક માનસિકતા આપણાં રાજ્ય અને દેશમાં પનપી રહી હોય, તો તેના મૂળમાં જઈને તેને અટકાવવી જ પડે અને આ પ્રકારના પરિબળોને ઝેર કરવા જોઈએ, એ ખરૃં પરંતુ આપણાં રાજ્યમાં વધી રહેલી વિવિધ પ્રકારની ગુનાખોરીની ચિંતા પણ કરવી જ પડે તેમ છે. છોટા ઉદેપુરના બોડેલીમાં બુટલેગરની ગાડીનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યા પછી અકસ્માત થયો અને બૂટલેગર નાસી છૂટ્યો તથા કારમાં ભરેલો શરાબનો જથ્થો લૂંટાઈ ગયો, તે પ્રકારના અહેવાલો શું સૂચવે છે ?
જો કે, પાછળથી પોલીસે એકાદ બૂટલેગરને દબોચી લીધો અને અન્ય ફરાર શખ્સોની શોધખોળ આદરી, પરંતુ આ પ્રકારે દારૂની બેફામ અને બેરોકટોક હેરાફેરી થતી રહેતી હશે, તેવું પણ તારણ નીકળી શકે છે. અને દારૂબંધી ધરાવતા રાજ્યમાં દારૂની હેરાફેરીનો આ આઈસબર્ગની ટોચ જેવી આ ઘટનાઓ સપાટીની નીચેથી થઈ રહેલી વિરાટ હેરાફેરી તરફ પણ અૂંગલી નિર્દેશ કરે છે. આ પ્રકારે કોઈ જંગી જથ્થો પકડાય, ત્યારે ભલે લાપરવાહી થાય અને ગૃહમંત્રી પોતાની અને પોલીસતંત્રની પીઠ થાબડતા હોય, પરંતુ જ્યારે બૂટલેગરો હાથતાળી આપીને નાસી છૂટે, દારૂનો જંગી જથ્થો લૂંટાઈ જાય કે મોટો જથ્થો પકડાયા પછી પણ તેની હેરાફેરી કરનારા પરિબળોને વર્ષો સુધી કોઈ સજા જ થતી હોય તો આ બધી કવાયતનો અર્થ શું ? તેવા સવાલો સ્વાભાવિક રીતે જ ઉઠે ને ?
રાજ્યમાં ગુનાખોરી વધી રહી હોય અને નાગરિકો માટે ફરિયાદો નોંધાવવાની પ્રક્રિયા જ દુષ્કર થઈ ગઈ હોય કે પછી ગુંડાગીરી, દાદાગીરી, લુખ્ખાગીરી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરનારાઓને કાનૂનનો ડર જ લાગતો ન હોય, તેવી ઘટનાઓની સમીક્ષા કરીને રાજ્યના ગૃહવિભાગે ગુનાખોરી સામે પરિણામલક્ષી પ્રિવેન્ટીવ કદમ ઉઠાવવા જ પડે તેમ છે.
બીજી તરફ ગુજરાત સુધી પહોંચેલા આતંકી ઓછાયાને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ગણાવીને અવગણી શકાય નહીં, કે તેને કોઈપણ દૃષ્ટિએ જસ્ટીફાય પણ કરી શકાય નહીં, કારણ કે વર્ષ ૨૦૦૮માં અમદાવાદ અને સુરતમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકી હૂમલાઓમાં 'સિમી'માંથી ઈન્ડિયન મુઝાહિદિન નામક સંગઠનનો હાથ હોવાનું બહાર આવ્યું હતું, તે સમયે દેશભરમાં આતંકી ઘટનાક્રમોમાં સેંકડો નિર્દોષ લોકોના જીવ ગયા હતા અને આ તમામ વિવિધ આતંકી સંગઠનોનું પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને/અથવા પાક. સ્થિત આતંકી સંગઠનો કે આતંકી આકાઓ સાથે સંકળાયેલું હતું. ગુજરાતમાં પકડાયેલા આ ત્રણેય શખ્સો અંગે ઉંડી તપાસ થશે, ત્યારે તેની વાસ્તવિકતા બહાર આવશે અને ન્યાયની દેવડી તેને સજા કરશે અને ન્યાય કરશે, પરંતુ જ્યારે લોકલ ગુનાખોરી વકરી રહી હોય ત્યારે આતંકી પરિબળોને પોતાનો ખતરનાક ઉદૃેશ્ય પાર પાડવા માટે સ્થાયી પ્લેટફોર્મ મળી જતું હોય છે, અને તેની આડમાં દેશવિરોધી તત્ત્વોને પનપવાની તક મળતી હોય છે, હવે ફરીથી ગુજરાતમાં "બીનવારસુ ચીજવસ્તુને અડકવું નહીં." તેવી ચેતવણીઓ આપવી જ ન પડે, તે માટે આતંકી કાવતરાઓને ઝડપી પાડવાની સાથે સાથે સ્થાનિક ગુંડાગીરી અને ગુનાખોરી પર વધુ મજબૂત સકંજો કસવાની જરૂર પણ જણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજ્ય સરકારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેના નુકસાન સામે ખેડૂતોને સહાય આપવા માટે રૂા. દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ ઘોષણામાં જંગી રકમની રાહત આપવામાં હેકટર દીઠ રૂા. ૨૨ હજાર સુધીની સહાય મહત્તમ બે હેકટર દીઠ અપાશે, તેવું જાહેર થયું હોવાથી "નામ બડે ઔર દર્શન છોટે" ની ઉક્તિ યાદ આવી જાય છે. તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.
આ ઉક્તિ હકીકતે કહેવત નથી, પરંતુ "અલબેલા" ફિલ્મની એક પંક્તિ છે, જેનો ઉપયોગ કટાક્ષ કરવા માટે થતો રહ્યો છે અને મોટા ભાગે રાજનેતાઓ, રાજકીયપક્ષો, પ્રશાસકો કે સરકારો દ્વારા મોટા મોટા વાયદાઓ કર્યા પછી તેને નહીં અનુસરવાના કારણે વ્યંગ માટે થતો રહ્યો છે. રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે, તેને સહાય પેકેજ તો ઠીક, પરંતુ રાહત પેકેજ પણ કહી શકાય તેમ નથી., પરંતુ રાજ્યભરમાંથી ભાજપના નેતાઓ તથા તેના સમર્થકો આ પેકેજને આજથી જ આવકારવા લાગશે અને સરકારની વાહવાહી કરવા લાગશે, તે પહેલેથી જ નક્કી હતું, તેવી આલોચના પણ થવા લાગી છે.
જો કે, રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને કુલ રૂા. ૯૮૧૫ કરોડનું નુકસાન થયું હોવાના પ્રાથમિક અંદાજો છતાં કોઈ પણ ખેડૂત આ રાહત પેકેજથી વંચિત ન રહી જાય, તે માટે આ માતબર પેકેજ જાહેર કર્યું હોવાનો દાવો કર્યો છે, અને સહાય મેળવવા માટે ખેડૂતે પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તે પણ જણાવ્યું છે. તેમણે આવતીકાલથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી માટે પણ રૂા. ૧૫ હજાર કરોડથી વધુ મૂલ્યની રકમ ફાળવાશે, તેવો અંદાજ પણ જાહેર કર્યો છે., અને આ કારણે ખેડૂતોને કમોસમી વરસાદ સામે પૂરતી મદદ મળી રહેશે અને રવિપાક માટે પણ ખેડૂતોને આ સહાયથી ટેકો મળી રહેશે, જેમાં કિસાન સમૃદ્ધિ યોજનાનો હપ્તો પણ સહાયભૂત થશે, તેવી પણ દલીલ થઈ રહી છે.
આ સહાય પેકેજ એસ.ડી.આર.એફ.ના નિયમોને અવગણીને ખાસ કિસ્સા તરીકે સરકારે જાહેર કર્યું છે, અને આ પેકેજથી ખરેખર જરૂર છે તેવા લાખો ખેડૂતોને સમયસરનો ટેકો મળી રહેશે, અને સતત વરસતો કમોસમી વરસાદ થંભી ગયા પછી ખરીફ પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરવા હજારો અધિકારી-કર્મચારીઓ તથા મંત્રીઓ, મુખ્યમંત્રીઓ સહિતના નેતાઓ ફિલ્ડમાં ઉતર્યા હોવાનું જણાવી સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશ્યલ મીડિયા દ્વારા આ રાહત પેકેજને સૌથી વધુ મોટું પેકેજ ગણાવ્યું છે. જીતુભાઈ વાઘાણીએ પણ કહ્યું કે એસ.ડી.આર.એફ.ના નિયમો મુજબ રૂા. ૬૫૦૦ની સહાય મળવાપાત્ર હોવા છતાં રાજ્ય સરકારે તેનાથી ત્રણગણી મર્યાદા નક્કી કરીને ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ ડાયરેક્ટ જમા કરાવવાનો નિર્ણય લીધો છે, જે ખેડૂતોના હિતમાં છે. રાજ્યની ૪૨ લાખ હેકટર ખેતીની જમીનમાં કમોસમી વરસાદથી ખરીફ પાકોને નુકસાન થયા પછી રાજ્ય સરકારે આ ખેડૂતલક્ષી નિર્ણય લીધો હોવાનો દાવો પણ કરાયો છે.
આ સહાય પેકેજને આવકારતા પ્રત્યાઘાતો પણ આવવા લાગ્યા છે અને સમગ્ર પેકેજનો ઊંડો અભ્યાસ કર્યા પછી આજે વધુ પ્રત્યાઘાતો સામે આવશે, પરંતુ ઘણાં લોકો આ પેકેજને નામ બડે ઔર દર્શન છોટે જેવું પણ ગણાવવા લાગ્યા છે.
અમરેલી ભાજપમાંથી જ આ મુદ્દે અસંતોષના સૂર ઉઠયા છે, જેથી ભાજપમાં ભડકો થયો હોવાના અહેવાલો વહેતા થયા છે.
ચિતલકર, લતા માંગેશકરના કંઠે ગવાયેલું અને રાર્જિંદર કૃષ્ણે લખેલું દાયકાઓ પહેલાનું ફિલ્મીગીત આજે પણ ઘણાં લોકો વિવિધ સંદર્ભમાં ટાંકતા હોય છે અને તેની જુદી જુદી પંક્તિઓનો જુદા જુદા સંદર્ભે ઉપયોગ કરતા હોય છે. આ ગીતની શરૂઆતથી જ એવી રીતે થાય છે કે આ ગીત વ્યંગગીત હોવાનું પૂરવાર થાય છે. "ભોલી સુરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે" થી શરૂ થયેલા ગીતની જુદી જુદી પંક્તિઓમાં જુદા જુદા કટાક્ષો થયા છે, જે ફેશન તથા જીવનશૈલી પર વ્યંગ કરે છે, પરંતુ તેમાંથી એક-બે પંક્તિઓ બહુલક્ષી કટાક્ષ કરે છે, જેમાં "ઉજલે કપડે, દિલ હૈ મૈલા, રંગ-રંગીલી દુસરે ટુકડે, પર ઘરમેં હૈ કડકી છાઈ" વગેરે કટાક્ષોનો વિવિધ અન્ય સંદર્ભો માટે પણ ઉપયોગ થતો રહ્યો છે. અહીં "ભોલી સુરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે" ની પંક્તિ ટાંકીને કટાક્ષ થઈ રહ્યો હોય તે બંધ બેસતો જણાય. જો કે, બીજી તરફ આ જંગી રાહત પેકેજ હેઠળ વાસ્તવિક સહાય, ટેકાના ભાવે ખરીદી તથા કિસાન સમૃદ્ધિ યોજનાના સંયોજન થકી ખેડૂતોને હકીકતે નોંધાપાત્ર રાહત થશે કે કેમ ? તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અન્ય પ્રાદેશિક નેતાઓ રાજ્ય સરકારના આ સહાય પેકેજને માત્ર રાહતનું પડીકું ગણાવીને એવી ટીકા કરી રહ્યા છે કે સરકારે ખેડૂતોના દેવા માફીની કોઈ જાહેરાત કરી નથી અને લિમિટેડ રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને છેતર્યા છે. રાજ્ય સરકારના રાહત પેકેજ સામે વિપક્ષને બોલવા જેવું કાંઈ જ નહીં હોવાથી હવે દેવા માફીનું રટણ કરવામાં આવી રહ્યું હોવાના પ્રતિપ્રહારો સરકારની તરફેણ કરતા વર્તુળો દ્વારા થવા લાગતા હવે આ મુદ્દો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી ગુંજવાનો છે, તે નક્કી છે.
રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું તે પહેલા કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથે સોમનાથથી દ્વારકાની ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થઈ ગઈ હતી. અને વિસાવદરમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં કોંગી અગ્રણીઓ વિક્રમભાઈ માડમ, પાલભાઈ આંબલીયા, લલિતભાઈ કગથરા, જે.પી.માલવીયા, લાલજીભાઈ દેસાઈ સહિતના દિગ્ગજોએ જે તેજાબી પ્રવચનો કર્યા અને આ યાત્રામાં ખેડૂતોના જે પ્રતિભાવ જોવા મળ્યા, તે જોતાં આ મુદ્દો હવે લાંબા સમય સુધી ગુંજશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બિહારમાં વિધાનસભાની ચૂંટણીનું ગઈકાલે થયેલું બમ્પર મતદાન ૬૪ ટકાને ઓળંગી ગયું અને કેટલાક મતવિસ્તારમાં થયેલા બમ્પર મતદાને કેટલાક સંકેતો આપી દીધા છે. આચારસંહિતા હોવાથી અત્યારે એકઝીટ પોલ કે કોના તરફ હવા છે, તેની ચોક્કસ ડેટા કે અનુમાનો સાથેની ચર્ચા તો થઈ રહી નથી, પરંતુ ઉભય પક્ષે કરેલા ભવ્ય વિજયના દાવા છતાં જનતાને શું જનાદેશ આપ્યો છે, તેની ખબર તો બીજા તબક્કાના મતદાન પછી ૧૪મી નવેમ્બરે મત ગણતરી સમયે જ પડશે, પરંતુ રેકર્ડબ્રેક ઐતિહાસિક મતદાને ચર્ચા જરૂર જગાવી છે.
ઘણાં લોકો આ બમ્પર મતદાનને પરિવર્તનની હવા ગણાવી રહ્યા છે, તો ઘણાં લોકો આ મતદાનને પૂનરાવર્તનનો જનાદેશ ગણાવી રહ્યા છે. ઘણાં લોકો એવું માની રહ્યા છે કે બિહારમાં એન્ટી ઈન્કમ્બન્સીની હવા છે, તો ઘણાં વિવેચકો આ બમ્પર મતદાનને પ્રો-ઈન્કમ્બન્સી એટલે કે નીતિશકુમાર સરકારની લોકપ્રિયતા ગણાવી રહ્યા છે. આ વખતે વર્ષ ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીથી ૧૦ ટકા જેટલું વધુ મતદાન થયું છે, તેનું વિશ્લેષણ થઈ રહ્યું છે. ઘણાં લોકો કહે છે કે "તેજસ્વી" સિતારાનો ઉદય થશે અને આગામી મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જ હશે, અને નીતિશકુમારના વળતા પાણી થશે. જ્યારે ઘણાં લોકો કહે છે કે એનડીએ ને જનાદેશ મળશે જેથી નીતિશકુમાર જ ફરીથી મુખ્યમંત્રી બનશે. આ બધા વિશ્લેષણો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કામાં ૧૨૧ બેઠકોમાં થયેલા બમ્પર મતદાનને એનડીએના વિજયનો સંકેત ગણાવ્યો છે, તો ઈન્ડિયા ગઠબંધને જણાવ્યું છે કે તેઓ તો બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં કાર્યકરો નિરાશ થઈ ન જાય, તે માટે જુસ્સો વધારી રહ્યા છે, બાકી આ વખતે એનડીએની હાર નક્કી છે. બીજી તરફ બિહારમાં આ વખતે પ્રો-ઈન્કમ્બન્સી એનડીએ તરફી હવા વહી રહી હોવાના જોરદાર દાવાઓ પણ થઈ રહ્યા છે. કેટલાક તટસ્થ વિશ્લેષકો અત્યારે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ ગણાવીને બીજા તબક્કાના મતદાનની રાહ જોવાનું મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે, તો ઘણાં એવા વિવેચકો પણ છે કે જેઓ ત્રિપાંખીયા જંગની હવા નીકળી ગઈ હોવા છતાં હંગ એસેમ્બલી એટલે કે ત્રિશંકૂ વિધાનસભાની સ્થિતિ ઊભી થશે, તેવા અનુમાનો કરી રહ્યા છે. ડેટાબેઈઝ મીડિયા વિશ્લેષણો દરમ્યાન જંગી મતદાન થયું હોય, ત્યાં ભાજપ અથવા એનડીએની સરકાર રચાઈ હોય અને કેટલાક રાજ્યોમાં તો સતત પૂનરાવર્તન થયું હોવાના દૃષ્ટાંતો પણ અપાઈ રહ્યા છે. બમ્પર મતદાન પછી ગુજરાત, રાજસ્થાન, બિહાર, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ભાજપ અથવા એનડીએને જનતાએ પુનઃ જનાદેશ આપ્યો હોવાના દૃષ્ટાંતો પણ અપાઈ રહ્યા છે. ઘણાં લોકો નીતિશ સરકારે મહિલાઓના ખાતામાં રૂ. દસ હજાર જમા કરાવાયા, તેને પણ સાંકળી રહ્યા છે. અને ચૂંટણી પહેલા છેલ્લી ઘડીએ આ પ્રકારની હરકતને આચારસંહિતાનો ભંગ ગણાવાઈ રહ્યો છે.
આ પ્રથમ તબક્કાના મતદાનમાં બંને મુખ્ય ગઠબંધનો તથા અન્ય પક્ષોના જે દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે, તેઓ હવે બીજા તબક્કા માટે છૂટથી પ્રચારમાં નીકળશે, જેથી બીજા તબક્કામાં કદાચ પ્રથમ તબક્કા કરતાં પણ વધુ મતદાન થશે, તેવી સંભાવનાઓ અંગે પણ ભિન્ન-ભિન્ન અનુમાનો થઈ રહ્યા છે.
ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ થઈ છે. આ પહેલા વર્ષ ૨૦૦૨-૦૩માં સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચલાવાઈ હતી. તેના આધારે વર્ગીકરણ કરીને નક્કી કરાયેલા માપદંડો મુજબ વર્ષ ૨૦૦૨-૦૩ની મતદાર યાદીમાં નામ હશે તેવા મહત્તમ મતદારોને કાંઈ આધાર-પુરાવા નહીં આપવા પડે. પરંતુ વર્ગીકરણ મુજબ ક્યા-ક્યા મતદારોને ક્યા આધારો અથવા દસ્તાવેજો આપવા પડશે, તેની સમજ ઘેર-ઘેર ફરીને બી.એલ.ઓ.ની ફોજ આપી રહી છે. આ જ પ્રકારે બિહારમાં પણ એસ.આઈ.આર. થયું હતું અને તે પછી આ પ્રથમ ચૂંટણી છે, તેથી તેના અનુભવે ભવિષ્યમાં પ્રક્રિયાત્મક સુધારા-વધારા પણ થઈ શકે છે, ત્યારે પ્રથમ તબક્કાના મતદાન ટાણે જ થયેલા વોટ ચોરીના આક્ષેપો અને બ્રાઝીલીયન વોટરના પ્રકરણમાં સંબંધિત બ્રાઝીલીયન યુવતીએ આપેલું કથિત નિવેદન અથવા પ્રત્યાઘાતો આજે ટોક ઓફ ધ નેશન બન્યા છે, તો બીજી તરફ સામાન્ય રીતે જંગી મતદાન થાય ત્યારે લોકો પરિવર્તન ઈચ્છતા હોય છે, તેમ જણાવીને બિહારમાં નીતિશ સરકાર ભૂંડી રીતે હારશે અને ઈન્ડિયા ગઠબંધનનો જયજયકાર થશે, તેવો જોરદાર દાવો થઈ રહ્યો છે.
બીજી તરફ એનડીએ પણ બમ્પર વિજયનો દાવો કરી રહ્યા છે, અને ઈન્ડિયા ગઠબંધનને પરાજયની ગંધ આવી ગઈ હોવાથી વોટ ચોરી, એસઆઈઆર અને બોગસ મતદાનની બહાનાબાજી થઈ રહી હોવાના પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે બિહારની જનતામાં મતદાન માટે જોવા મળતો જુસ્સો પણ ઘણો જ સૂચક છે.
પ્રિયંકા ગાંધી કહે છે કે જે લોકો પેપરલીક તો અટકાવી શકતા નથી અને સ્થાનિક યુવાનોને રોજગારી પણ મળી રહી નથી, ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને દેશના ગૃહમંત્રી લોકોને એરપોર્ટના સપના દેખાડી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ નીતિશકુમાર સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું છે કે દેશમાં હવે ટૂંક સમયમાં જયારે ઈન્ડિયા ગઠબંધનની સરકાર રચાવાની છે, ત્યારે નાલંદા જેવી વિશ્વકક્ષાની બહેતર (શ્રેષ્ઠ) યુનિવર્સિટી બિહારમાં ખોલવામાં આવશે. લાલુ યાદવે તવામાં રોટલી ફેરવતા રહેવી જોઈએ, તેવું જે નિવેદન કર્યું હતું, તેના જવાબમાં એવી ટિખળભરી ટકોર થઈ રહી છે કે વર્ષો સુધી જેલની રોટલીઓ તોડી (ફેરવી) હોય, તે વયોવૃદ્ધ નેતા આ પ્રકારની વાત કરી રહ્યા છે, પરંતુ ઘાસ કોણ ખાઈ ગયું હતું, તેની વાત કરતા નથી. તો ઈન્ડિયા ગઠબંધનવાળા કહે છે કે એનડીએમાં પણ ક્યાં બધા દૂધે ધોયેલા છે? હવે બીજા તબક્કાના મતદાનનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની તારીખ અને સંલગ્ન વિગતો જાહેર કરી, પરંતુ કમોસમી વરસાદ સામે વળતરની કોઈ જાહેરાત ગઈકાલે થઈ નહીં, તેથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. અને તે સંદર્ભે જ કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં અઠવાડિયા સુધી ખેડૂત આક્રોશયાત્રાની જાહેરાત કરી છે. આજથી સ્કૂલો અને આવતીકાલથી કોલેજો ફરીથી ધમધમશે, અને દિવાળી વેકેશન માણીને સ્ટુડન્ટ્સ પુનઃ અભ્યાસમાં જોડાશે. આજે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને સવારથી કેટલાક વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ જોતાં બિહારમાં આશ્ચર્યજનક જનાદેશ મળશે, તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે, આ તમામ ઘટનાક્રમો વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો વચ્ચે ચોથી ટી-૨૦ મેચ પર ક્રિકેટ રસીયાઓની નજર મંડાયેલી છે. જો કે, આજથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ એક નવું "અભિયાન" શરૂ થયું તેની ચર્ચા વધુ થઈ રહી છે.
આજથી વેકેશન પછીનો શાળાઓનો માહોલ સ્વાભાવિક રીતે જ એકાદ-બે દિવસ માટે હળવાશભર્યો રહે તથા પરસ્પર શુભેચ્છાઓ પાઠવીને નવા સત્રના પ્રારંભનો ઉલ્લાસ જોવા મળે. તે પછી સ્ટુડન્ટ્સ અભ્યાસ, ટ્યુશન અને હોમવર્કના રોજીંદા શિડ્યુલમાં ગોઠવાઈ જશે અને શિક્ષણકાર્ય ધમધમવા લાગશે. જામનગર સહિત આજથી રાજયમાં પુનઃ ધમધમતી થયેલી સ્કૂલોમાં કિલ્લોલ સાંભળવા મળ્યો અને વેકેશનમાં સુના પડેલા શિક્ષણ સંકુલો ફરીથી ગુંજી ઉઠયા છે, ત્યારે એક સર્વેના રિપોર્ટે રાજ્યમાં થોડી ચિંતા પણ જગાવી છે, અને લોકલ-નેશનલ-ઈન્ટરનેશનલ કક્ષાના વિવિધ સમાચારોની આંધી વચ્ચે પણ આ રિપોર્ટની ચર્ચા પણ થવા લાગી છે. આ અહેવાલ (રિપોર્ટ) સરકારી બેઈઝ પર આધારિત હોવાથી તેને ઉપજાવી કાઢેલો કે રાજકીય હેતુઓ સાથેનું જૂઠ્ઠાણું ગણાવીને ફગાવી શકાય તેમ પણ નથી, અને આ રિપોર્ટને મુદ્દો બનાવીને વિપક્ષો સરકારને ઘેરી શકે છે, તો રાજ્યના શિક્ષણક્ષેત્રના તટસ્થ વિશ્લેષકોના મંતવ્ય મુજબ આ રિપોર્ટને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે જો ગુણવત્તા સુધારણાના કદમ ઉઠાવવાનું શરૂ કર્યું હોય તો તેમાં વિપક્ષોએ સહયોગી બનવું જોઈએ. જે હોય તે ખરૃં, પરંતુ ગઈકાલથી ચર્ચામાં અને પ્રેસ-મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી રહેલો "પરખ" સર્વેના અહેવાલે આપણાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની પોલ તો ખોલી જ નાંખી છે !
પ્રેસ મીડિયાના અહેવાલો તથા વિશ્લેષકો-જાણકારોના તારણો મુજબ કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય સર્વેક્ષણ-૨૦૨૪નો રિપોર્ટ ગુજરાત રાજ્ય માટે આંચકા સમાન અને ચિંતાજનક છે. જો કે, આ સંદર્ભે જ રાજ્યકક્ષાએથી વિશેષ અભિયાન ચલાવીને આ કચાશ દૂર કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત "પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ" એટલે કે પ્રદર્શન મૂલ્યાંકન, સમીક્ષા અને સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું વિશ્લેષણ કરવાના હેતુથી કરેલા સર્વેને શોર્ટફોર્મસ્ માં "પરખ" કહેવામાં આવે છે, જેમાં રાષ્ટ્રવ્યાપી સર્વે કરીને વિદ્યાર્થીઓના શિક્ષણનું મૂલ્યાંકન કરાયું હતું અને તેના તારણો જાહેર કરાયા હતા. આ સર્વેક્ષણના આધારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન અને કૌશલ્ય તથા ગુણવત્તા અંગે વ્યાપક અને તટસ્થ ડેટા ઉપલબ્ધ કરાવીને તેમાં રહેલી કચાશ દૂર કરવાની નવી યોજનાઓ અમલી બનાવવા તથા પ્રદેશવાર જરૂરી ગુણવત્તા સુધારણા કરવાનો ઉદૃેશ્ય જણાવાયો છે, અને તેના સંદર્ભે ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા તથા તેમાં સુધારણાની ચર્ચા થઈ રહી છે.
"પરખ" ને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ વર્ષ ૨૦૨૪ના સર્વેના તારણો દર્શાવે છે કે ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ સરળતાથી વાંચી પણ નથી શકતા, તેથી લેખન અને ગણન (દાખલા ગણવા વગેરેમાં) પણ પારંગત થઈ શકતા નથી. રાજ્યના સરકારી શિક્ષણમાં આમુલ સુધારણા તથા તગડી ફી લઈને ટ્યુશન કરાવતા ક્લાસીસ તથા ખાનગી સ્કૂલોના સંચાલકોને સાંકળીને રાજ્યમાં વ્યાપક જાગૃતિ ફેલાવવાના સૂચનો પણ આ સંદર્ભે થઈ રહ્યા છે. રાજયમાં શૈક્ષણિક વિકાસનો ઢોલ પીટતા રહેતા શાસકપક્ષના નેતાઓએ આ રિપોર્ટનો ઉંડો અભ્યાસ કરવો જોઈએ.
જો કે, આ રિપોર્ટના સંદર્ભે રાજ્ય સરકારે અનુસંધાન લીધું અને રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થી ભાઈ-બહેનોના વાચન, લેખન અને ગહન માટે ધોરણ ૩ થી ૮ (ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ) એક વિશેષ ઝુંબેશ હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકારની ઝુંબેશ ચલાવવી પડે, તે જ રાજ્યની બોદી શિક્ષણ પદ્ધતિ તથા પોકળ દાવાઓની પોલંપોલ ઉજાગર કરે છે. ખેર, જે હોય તે ખરૃં, દેર આયે દૂરસ્ત આયે...પણ...હવે ગુણવત્તા સુધારણાની આ વિશેષ ઝુંબેશમાં ક્યાંય પણ કચાશ ન રહેવી જોઈએ...
એવું કહેવાય છે કે આજથી એક અઠવાડિયા સુધી રાજ્યના ધો. ૩ થી ૮ના લગભગ ૪૦ લાખ જેટલા બાળકોને માત્ર વાચન-લેખન અને ગણન કરાવીને વિશેષ મૂલ્યાંકન હાથ ધરાશે. આ માટે શિક્ષણ વિભાગે જિલ્લા તંત્રોને ગાઈડલાઈન મોકલી છે, અને સી.આર.સી.-બી.આર.સી.ને મોનીટરીંગ કરવાની તાકીદ કરી છે. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ અભિયાન હેઠળ જી.સી.ઈ.આર.ટીના અધિકારીઓ સ્કૂલોની રેન્ડમ ચકાસણી પણ કરવાના છે, ત્યારે આ નવું અભિયાન અદ્યતન કરાયેલો નવો ગુણોત્સવ હકીકતે સફળ થાય અને વિદ્યાર્થી ભાઈ-બહેનોની શૈક્ષણિક તથા ગાણિતિક ગુણવત્તા હકીકતે સુધરે તેવું ઈચ્છીએ.
અત્યારે એક અઠવાડિયાનું અભિયાન ચલાવ્યા પછી તેનું સતત અનુસરણ કરીને ત્રણેક મહિના પછી એટલે કે ફેબ્રુઆરી-૨૦૨૬માં ફરીથી ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓનું આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન થશે. અને તે સમયે બાળકો અપેક્ષિત વાચન, લેખન અને ગણિત ગણવામાં કમજોર ગણાશે, તો તેની જવાબદારી નક્કી કરીને "જવાબદારો" સામે કદમ ઉઠાવાશે. તેવું પણ જાહેર થયું છે. તેથી આ જવાબદારોમાં માત્ર શિક્ષકો જ નહીં, પરંતુ આચાર્ય, તાલુકા-જિલ્લા કક્ષાના જવાબદાર અધિકારી-કર્મચારીઓ તથા બી.આર.સી.-સી.આર.સી. પણ સામેલ હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરના વોર્ડ નં.૬ ના રબડીરાજના મુદ્દે રસ્તાઓની દુર્દશા અને કમોસમી વરસાદ પછી ગંદકીના ખાબોચીયામાં બેસીને વિરોધ પ્રદર્શીત કરવાની કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ગઈકાલે પહેલ કરી અને કાદવ-કીચડથી ખરડાયેલા કપડા સાથે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર સુપ્રત કર્યું, તથા જો સમસ્યાનો તાકીદે ઉકેલ નહીં આવે, તો મેયરની ચેમ્બરનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલનની ચિમકી આપી, તે પછી નગરના આ વોર્ડના કાયમી સમસ્યાગ્રસ્ત રહેતા નગરજનોને આશા જાગી છે કે શાસકપક્ષની ઉપેક્ષાનો ભોગ બનતા રહેતા આ વિસ્તારની વેદનાને કમ-સે-કમ વાચા તો મળી !
જે વોર્ડે વિપક્ષને અવસરો આપ્યા અને સામા પ્રવાહે ચાલીને જે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જનાદેશ આપ્યો, તે પક્ષોની પ્રાથમિક ફરજ પણ છે અને ચૂંટણીમાં મતદાન સંપન્ન થયા પછી સત્તાસ્થાને આવેલા પદાધિકારીઓની પણ જવાબદારી છે કે આ વિસ્તારના લોકોની સમસ્યાઓ હલ કરે, પરંતુ માત્ર નિવેદનબાજી અને આક્ષેપો, પ્રતિઆક્ષેપો કરતી રહેતી નેતાગીરીની વચ્ચે ખાનગીમાં ઈલૂ ઈલૂ ચાલતુ હોવાથી જે આશંકાઓ જાગી રહી હતી, તેને વિરામ આપીને શાસક અને વિપક્ષના નગરસેવકોએ સાથે મળીને આ વિસ્તારની કમનસીબ જનતાને ન્યાય આપવો જોઈએ, તેવા જન-પ્રતિભાવોમાં દમ જણાય છે.
કોંગ્રેસે વોર્ડ નં. ૬માં જ્યાં ધરણાં કર્યા તે ડિફેન્સ કોલોની, એરફોર્સ ગેઈટથી વાયુનગરનો દેશની સુરક્ષા માટે તૈનાત વાયુસેનાના મથકથી નજીકનો વિસ્તાર જ ગંદકીથી ખદબદતો હોય, ત્યારે આ વોર્ડમાં વિસ્તરેલી સંખ્યાબંધ સોસાયટીઓ, ટાઉનશીપો અને એપાર્ટમેન્ટોમાં વસવાટ કરતા હજારો નગરજનોની દશા કેવી હશે, તેની કલ્પના કંપાવનારી છે.
કોંગ્રેસના ધરણાં પછી અખબારો મીડિયામાં પડઘા પડતા એ ચોક્કસ સ્થળે ભલે તત્કાળ કામ હાથ ધરાયું હોય, પરંતુ અન્યત્ર આ વોર્ડમાં હજુ પણ ઘણાં સ્થળે ગંદકી છે અને રીંગરોડ સહિતના માર્ગો તો તદૃન બિસ્માર જ છે !
નગરના સોસાયટી વિસ્તારોમાં ઠેર-ઠેર તૂટેલા-ફૂટેલા માર્ગો અને તેમાં ભરાયેલા કાદવ-કીચડ અને કમોસમી વરસાદના પાણીમાં ઉત્પન્ન થતા જીવ-જંતુ અને મચ્છરોના કારણે જાહેર આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક પરિવહન અને પગપાળા અવર-જવરમાં પણ આ ગંદા ખાબોચિયાઓના કારણે અવરોધ ઊભો થઈ રહ્યો છે.
જામ્યુકોના તંત્ર અને પદાધિકારીઓ માટે વોર્ડ નં. ૬ કેમ અણમાનીતો હશે, તે જ આ વોર્ડના નગરજનોને સમજાતું નથી. કોર્પોરેશનની ચૂંટણીમાં થતા મતદાનના અંદાજોનો માપદંડ હોય, તો એ પણ વિચારવું જોઈએ કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં આ જ વોર્ડની જનતા કોને ખોબલે ખોબલે મતો આપે છે., જો કે, લોકતંત્રમાં ચૂંટણી પછી આ પ્રકારના અંદાજો કે આંકડાઓને ભૂલી જઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સમાન ધોરણે "જનસેવા" કરવી જોઈએ અને એવું જ વર્તમાન શાસકો પ્રશાસકો પણ માનતા હશે, તેવી અવધારણા જૂઠી ન ઠરે, તે માટે હવે વોર્ડ નં. ૬ના તમામ વિસ્તારો માટે ઝડપભેર કદમ ઉઠાવશે અને રોડ-રસ્તા-સ્ટ્રીટ લાઈટ-ગટર-પાણી અને સફાઈ-સ્વચ્છતાને લગતી સમસ્યાઓ હળવી થશે તેવી આશા રાખીએ, અને માત્ર વોર્ડ નં. ૬ જ નહીં, સમગ્ર નગરના તમામ નગરજનો તથા ચોતરફ વિસ્તરેલા વિસ્તારો સહિત આખા મહાનગરની જનતાની મૂળભૂત જરૂરિયાતોને અવરોધતી સમસ્યાઓ દૂર થવી જોઈએ., તેવું ઈચ્છીએ.
વોર્ડ નં. ૬માં આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં તો મુખ્યમાર્ગ અને શેરી ગલીના માર્ગો એટલી હદે બિસ્માર થઈ ગયા છે કે તેમાં ભરાયેલા વરસાદી પાણી અને કચરા-ગંદકીના કારણે અહીં વસવાટ કરતા પરિવારોના જામનગરના જ અન્ય વિસ્તારોમાં રહેતા તેના સગા-સંબંધીઓએ દિવાળી જેવા તહેવારોમાં મળવા આવવાનું પણ ટાળવું પડે તેવી સ્થિતિ હતી. આ ટાઉનશીપની સ્થાપનાને દોઢ દાયકો થવા આવ્યો હોવાથી અને ભૂગર્ભ ગટર, પાણી, ગેસની પાઈપલાઈનો વગેરે માટે વારંવાર ખોદકામ થયા પછી તેને સમતળ કરવામાં લાપરવાહી રખાઈ હોવાથી આમ પણ આંતરિક તમામ માર્ગો બિસ્માર થઈ ગયા હતા અને તેમાં ભારે વરસાદે વધારો કર્યો, અને હવે કમોસમી વરસાદ પછી તો આ ટાઉનશીપમાં રહેવું દુષ્કર થઈ ગયું છે, ત્યારે હવે એ ટાઉનશીપમાં અગ્રતાના ધોરણે મુખ્યમાર્ગ અને શેરી-ગલીઓના પેટા માર્ગોનું મજબૂત નવીનીકરણ થાય. અને તેની સાથે સાથે વરસાદી પાણીના ઝડપથી નિકાલ કરવાની વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને ત્યારે વરસાદમાં પણ જળભરાવ ન થાય, તેવી વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે ત્યાં રહેતા સેંકડો પરિવારો વોટર ટેક્સ સહિતના તમામ કરવેરા ભરે છે અને તમામ વિકાસકાર્યોમાં જામ્યુકોને સહયોગી બનતા રહ્યા છે. ત્યારે હવે આ દુર્દશામાંથી મૂક્તિની ઈચ્છા તો રાખે જ ને ?
આ જ પ્રકારની સમસ્યાઓ આ વિસ્તારના તિરૂપતિ વિસ્તારની ડઝનેક સોસાયટીઓ, યાદવનગર, નિલકંઠ તથા અન્ય નવી સોસાયટીઓમાં પણ છે. આ તમામ સમસ્યાઓ તરફ પક્ષ-વિપક્ષનું ધ્યાન પણ દોરવામાં આવતું રહ્યું છે. હવે જ્યારે કોંગ્રેસના નેતાઓએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું છે, ત્યારે વોર્ડ નં. ૬માંથી ચૂંટાયેલા અન્ય જનપ્રતિનિધિઓ પણ અવાજ ઉઠાવશે અને વોર્ડ નં. ૬ સહિત નગરના તમામ વોર્ડની જનતાની સમસ્યાઓ ઉકેલાશે, તો જ આગામી જામ્યુકોની ચૂંટણીમાં જનાદેશ મળશે તે ભૂલવું ન જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર આપવાના મુદ્દે રાજ્ય સરકાર દ્વિધા (વિમાસણ)માં હોય તેમ જણાય છે. મુખ્યમંત્રી પોતે નુકસાનનું નિરીક્ષણ કરવા નીકળ્યા અને જુદા જુદા મંત્રીઓને ખેતીને માવઠાથી થયેલા નુકસાનના અંદાજો કાઢવા મોકલ્યા, તે દરમ્યાન પણ વરસાદ ઘણાં સ્થળે વરસ્યો હતો, અને એક વખત થયેલા સર્વે અથવા અંદાજોને ફરીથી ચકાસવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ, તો બીજી તરફ આ વખતે માવઠું જાણે ફરીથી ચોમાસુ બની ગયું હોય તેમ જામ્યુ અને સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો, એટલું જ નહીં, કેટલાક જિલ્લાઓમાં તો ધોધમાર વરસાદ પડ્યો અને ત્યાં ખેતીનો ઊભો પાક અને મગફળી વગેરેના પાથરા કે કાલરા પલળી જતાં, થોડું ઘણું નુકસાન નહીં પરંતુ તમામ ખેતી ઉત્પાદન જ બરબાદ થઈ ગયું. આ કારણે હવે સર્વે અને રિસર્વે કરવામાં સમય બગાડવાના બદલે તમામ ખેડૂતોને સહાય આપવાની માંગણી માત્ર વિપક્ષો જ નહીં, પરંતુ શાસક પક્ષમાંથી પણ જોરદાર રીતે ઉઠવા લાગ્યા પછી હવે રાજ્ય સરકારે કોઈ ને કોઈ ચોક્કસ નિર્ણય તો લેવો જ પડે તેમ છે.
જો કે, રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાનનું વળતર આપવાના રાહત પેકેજની તૈયારી બતાવી અને ઝડપભેર રાહત પૂરી પાડીને જે પાક બરબાદ થયો છે, તે હટાવીને રવિપાકની તૈયારી ખેડૂતો કરી શકે, તે માટે સહાયની રકમ તેઓના હાથમાં ઝડપથી આવી શકે, તેવી તૈયારીઓ પ્રશાસન કરી રહ્યું હોવાના સંકેતો પણ મળ્યા, પરંતુ તમામ ખેતી જ બરબાદ થઈ ગઈ હોય, ત્યારે સર્વે કરવાના ખર્ચા કરવાના બદલે તમામ ખેડૂતોને લમસમ સહાય આપવાની જે માંગણી ઉઠી, તે પછી ગઈકાલે રાજ્ય સરકાર અનિર્ણાયક કે મુંઝવણભરી સ્થિતિમાં મુકાઈ ગઈ હોય, તેવા સંકેતો મળી રહ્યા હતા. વારંવાર સર્વેક્ષણોને અર્થહિન ગણાવીને વિપક્ષના નેતાઓ તો તમામ ખેડૂતો તત્કાળ સહાય પૂરી પાડવાની માંગણી કરી જ રહ્યા હતા, તેવામાં દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેક સહિતના ભાજપના જ કેટલાક નેતાઓએ પણ આ જ પ્રકારના મંતવ્યો વ્યક્ત કર્યા, તે પછી રાજય સરકાર પણ પુનઃવિચારણા કરી રહી હોય તેમ જણાતું હતું. રાજ્ય સરકાર કોઈ રાહત પેકેજ જાહેર કરે તે પહેલા જ સૌરાષ્ટ્રમાંથી શરૂ થયેલો વિરોધ રાજ્યવ્યાપી બની ગયો છે. અને હવે તો શાસકપક્ષના દિગ્ગજો પણ આ મુદ્દે ખુલીને પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે. પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ તો મુખ્યમંત્રીને એક પત્ર લખીને ખેડૂતોને દેવાદારના બદલે દેવામૂક્ત કરવાના ઉપાયો સૂચવ્યા છે અને વિકાસના (માચડા સમા) કેટલાક પ્રોજેક્ટો સ્થગિત કરીને પણ ખેડૂતોની પડખે (હકીકતે) ઊભા રહેવાની સલાહ આપી છે. કુમાર કાનાણીએ કહ્યું છે કે ખેડૂતોની આર્થિક બરબાદી, ગંભીર સમસ્યાઓ ઊભી કરશે અને જો ખેડૂતો ખેતી જ કરતા બંધ થઈ જશે, તો તે સમગ્ર માનવજીવન માટે હાનિકર્તા નિવડશે. વગેરે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરષ્ટ્ર-કચ્છ માટે અલગ-અલગ કૃષિ સહાય પેકેજો જાહેર થાય અને જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે, તેવા સૌરાષ્ટ્રના હાલાર સહિતના જિલ્લાઓને વધુ સહાય મળે, તેવી માંગણી પણ ઊઠી રહી છે, કારણ કે માવઠાથી દ. ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને સર્વાધિક નુકસાન થયું છે, અથવા સંપૂર્ણ ખેતી તબાહ થઈ ગઈ છે, તેમ કહી શકાય.
માવઠાથી થયેલા નુકસાનના ડિજિટલ સહિતના સર્વેની પદ્ધતિ સાથે રાજ્યવ્યાપી વિરોધવંટોળ ઉઠ્યો છે અને કેટલાક સ્થળે તો ભાજપના ધારાસભ્યોને ખેડૂતોના આક્રોશનો જાહેર કાર્યક્રમોમાં જ સામનો કરવો પડયો હતો, તે જોતાં રાજ્ય સરકાર માટે ખેડૂતોને સંતોષકારક રાહત પેકેજ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં આપવું અને કયા માપદંડો રાખવા, તેનો પડકાર ઊભો થયો છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્ય સરકાર અને તંત્રો દ્વારા થઈ રહેલી ગોળ-ગોળ વાતો અને વિરોધાભાસી પ્રત્યાઘાતો-નિવદેનો જોતા ખરેખર રાજ્ય સરકાર આ મુદ્દે મુંઝવણ અનુભવી રહી હોય તેમ જણાય છે. આ અંગે કેન્દ્રીય નેતૃત્વ પણ બિહારના ચૂંટણીપંચમાં વ્યસ્ત હોવાથી રાજ્ય સરકારે સ્વયં કોઈ નિર્ણય લેવો પડે તેમ છે. જો કે, જે જંગી નુકસાન થયું છે, તે જોતાં મોટું રાહત પેકેજ જાહેર કરવું પડે અને તેમાં કેન્દ્રીય સહયોગ અનિવાર્ય બને, પરંતુ ચૂંટણીની વ્યસ્તતાના કારણે કેન્દ્રીય નેતૃત્વ કદાચ આ મુદ્દે ધ્યાન આપી શકતું ન હોય, તેવું પણ બની શકે છે. કેટલાક કૃષિક્ષેત્રના વિશ્લેષકો ખેતીના નુકસાનનું સર્વે કર્યા વિના જ સહાય ચૂકવવાની જગ્યાએ જેને સર્વાધિક નુકસાન થયું હોય કે જેની ખેતી તદ્ન તબાહ જ થઈ ગઈ હોય, તેને મહત્તમ વળતર આપવા અને પ્રક્રિયામાં સમય જાય તેમ હોય તો ટોકનની જેમ લમસમ કાર્યકારી સહાય તત્કાળ ચૂકવીને તેને સર્વે પછી મળવાપાત્ર સહાય સાથે સરભર કરવાનો વચલો રસ્તો કાઢવાની એડવાઈઝ પણ આપી રહ્યા છે.
એવું મનાય છે કે રાજ્ય સરકાર હાલ તુરંત કોઈ લમસમ રાહત તત્કાળ ચૂકવીને કેન્દ્રના સહયોગથી નેતા દ્વારા જ જાહેર થાય, તેવો તખ્તો ગોઠવાય રહ્યો છે. ઘણાં લોકો આ જાહેરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ સાથે સાંકળી રહ્યા છે, તો કેટલાક લોકો આ પ્રકારની જાહેરાત કેન્દ્રીય કૃષિમંત્રી કરશે, તેવું પણ માને છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના કૃષિમંત્રી આ મુદ્દે રાજ્ય સરકાર તરફથી આજે કોઈ તો સંકેતો આપશે તેવું મનાતું હતું, અને આજે આ મુદ્દે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. જગતના તાતને તબાહ થતો અટકાવવા હવે સરકાર કેટલી ઝડપથી ખેડૂતોના હાથમાં રોકડ સહાય મૂકે છે, તે જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દેવોની દેવદિવાળી તરીકે ઓળખાતો તહેવાર હતો અને દેવઉઠી એકાદશી હતી. દ્વારકાના જગતમંદિર સહિત યાત્રાધામો તથા ઠેર-ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો યોજાયા હતા અને શેરડીના સાઠા સાથે તુલસીજી અને ભગવાન શાલીગ્રામનું ઘેર-ઘેર પૂજન થયું હતું. રંગોળીઓ દોરાઈ હતી, ફટાકડા ફૂટ્યા હતા અને કથા-કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. ઊના નજીકના જંગલમાં આવેલા યાત્રાધામ તુલસીશ્યામના મંદિરે તો આ પ્રસંગ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે, અને માતા તુલસીના મહિમાનું ગાન થાય છે. તુલસીજીનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્ત્વ તો છે જ, પરંતુ સ્વાસ્થ્ય અને પર્યાવરણની દૃષ્ટિએ પણ તુલસી છોડનું અલગ જ મહત્ત્વ છે, તેના ઉલ્લેખ સાથે આ દિવસે જન જાગૃતિ પણ ફેલાવાતી હોય છે.
ગઈકાલે ધાર્મિક સાંસ્કૃતિક ઉપરાંત ભારત માટે ક્રિક્ેટક્ષેત્રે પણ સુપર સન્ડે હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ ક્રિકેટ મેચ જીતીને ભારતે શ્રેણીમાં બરાબરી કરી લીધી, તો ભારતની મહિલા ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડકપ પોતાના નામે કરી લીધો. ગઈકાલે નવી મુંબઈમાં રમાયેલી આ રસાકસીભરી ફાયનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દ.આફ્રિકાની ટીમને ૫૨ રને હરાવીને જે શાનદાર સિદ્ધિ હાંસલ કરી, તેથી પુરવાર થઈ ગયું કે આપણાં દેશમાં વાસ્તવમાં મહિલાઓ પુરૂષ સમોવડી છે અને દરેક ક્ષેત્રમાં પુરૂષોના ખભેખભા મિલાવીને સંઘર્ષ પણ કરી શકે છે અને સફળતા પણ મેળવી શકે છે. ગઈકાલની મહિલા વર્લ્ડકપની જીત માત્ર ભારતીય મહિલાઓની નહીં પરંતુ દુનિયાભરની મહિલાઓ માટે ગૌરવનો દિવસ હતો, કારણ કે વિશ્વની બે શ્રેષ્ઠ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને બહેનોએ પૂરવાર કરી દીધું હતું કે "હમ કીસી સે કમ નહીં..."
ભારતમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રે પહેલેથી જ અગ્રેસર રહી છે અને ધર્મ-આધ્યાત્મકતા, શિક્ષણ અને શાસન, પ્રશાસનથી માંડીને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ફેઈમ યુદ્ધની રણભૂમિ સુધી મહિલાઓએ હંમેશાં સાહસ, હિંમત, આવડત, બુદ્ધિ-કૌશલ્ય, વીરતા અને જ્ઞાનનો પરિચય આપ્યો છે. આપણે ત્યાં કહેવત પણ છે કે દરેક સફળ પુરૂષની સફળતામાં મહિલાઓનો હાથ (સહયોગ) હોય છે. આપણે કસ્તુરબા ગાંધી, મણીબેન પટેલ, લલિતાદેવી શાસ્ત્રી જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓના દૃષ્ટાંતો તથા ઋષિકાળથી લઈને રાજા-રજવાડાઓના કેટલાક દૃષ્ટાંતો પણ આપતા હોઈએ છીએ. એવી જ રીતે સફળ થયેલી સ્ત્રીઓને પણ પરિવારમાંથી જ પુરૂષોનું પ્રોત્સાહન મળતું હોય છે., જેથી ભારતમાં સ્ત્રી-પુરૂષને એક રથના બે પૈડાં પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના દૃષ્ટાંતો પતિ-પત્નીના અપાય છે, પરંતુ ઘણાં સફળ પુરૂષોની સફળતામાં માતા, બહેન, પુત્રી કે અન્ય મહિલા પરિવારજનનું યોગદાન અથવા ત્યાગ પણ હોય છે, જેનું દૃષ્ટાંત સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ છે, જેઓએ પિતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. આપણાં દેશમાં નારીશક્તિને માતા તરીકે પૂજવામાં આવે છે, અને ભગવાનના વિવિધ સ્વરૂપો સાથે પણ માતૃસ્વરૂપ જોડાયેલા છે. આપણે ત્યાં શ્રી લક્ષ્મી-નારાયણ, શ્રીરામ-સીતા, શિવ-પાર્વતી વગેરેનો મહિમા એ જ દર્શાવે છે કે નારીશક્તિનું સમાન માહત્મય છે.
ગઈકાલે મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ઝળહળતો વિજય થયો અને બીજી તરફ તુલસી વિવાહનો પ્રસંગ હતો, તે પણ અદ્ભુત સંગમ હતો. તુલસી માતાના શાલીગ્રામ ભગવાન (શ્યામ) સાથે લગ્નની જે કથા છે, તે પણ આપણાં દેશમાં ધાર્મિક માન્યતાઓ અને સાયન્ટિફિક તથા પર્યાવરણીય સંદર્ભોને પરસ્પર પરોક્ષ રીતે સાંકળતી હોય તેવું લાગે. ટૂંકમાં ભારતમાં મહિલાઓને પહેેલેથી જ ઉત્કૃષ્ટ દરજ્જો મળેલો છે.ં
આપણો દેશ પુરૂષપ્રધાન છે, અને મહિલાઓને તુચ્છ ગણે છે અથવા માત્ર ગૃહિણી ગણીને મહિલાઓને અન્ય ક્ષેત્રે અવગણવામાં આવે છે, તેવી માન્યતાઓ હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. એ પ્રકારની અપવાદરૂપ પરંતુ અનિચ્છનિય સ્થિતિ આજે દૂર થવા લાગી છે., તે આપણાં જ દેશના વિવિધ સેક્ટર્સમાં મહિલાઓની કામીયાબીઓ તથા સિદ્ધિઓએ પૂરવાર કર્યું છે. ભારતીય સેનામાં પણ મહિલા વિંગનું વિસ્તૃતિકરણ હોય, ખેલ જગત અને ઓલમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓની સફળતાઓ હોય કે અંતરિક્ષની ઉડાન હોય, આપણાં દેશની મહિલાઓ દરેક ક્ષેત્રે ઝળહળતી સફળતાઓ અને સિદ્ધિઓ મેળવી રહી છે, મેડલ્સ જીતી રહી છે, વર્લ્ડકપો મેળવી રહી છે, અને તમામ ક્ષેત્રે સફળ થવા છતાં જમીન સાથે જોડાયેલી રહી છે, જે દેશ-દુનિયા માટે પથદર્શક ગરિમામય વાસ્તવિકતા છે. ઘણી સફળ અને સર્વોચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી મહિલાઓ પોતાનો ઘરસંસાર પણ સારી રીતે સંભાળી રહી છે અને ગૃહસ્થી સાચવી રહી છે, તે પણ આપણાં દેશની પરિવાર સિસ્ટમ અને સંસ્કારોનું જ પરિણામ છે ને ?
આ વખતે મહિલા વર્લ્ડકપ વિજેતા ટીમને વર્ષ ૨૦૨૨ કરતા ચાર ગણું ઈનામ અપાયું અને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોને પણ ટોકન ઈનામ અપાયું, તે સારી વાત છે, અને તેની આ ટીમો હક્કદાર પણ છે. બી.સી.સી.આઈ. જેવી ધનાઢય સંસ્થા પણ ખેલાડીઓને વિશેષ પુરસ્કારો આપે, તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ દરેક રમત-ગમત સ્પર્ધાઓ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટો તથા એશિયાડ, કોમનવેલ્થ અને ઓલમ્પિક જેવા આયોજનો દરમ્યાન વિવિધ મેડલ્સ મેળવનાર તથા તમામ સ્પર્ધકોને આવી જ રીતે પ્રોત્સાહિત કરવા માટે કોઈ અલાયદી સિસ્ટમ કે મિકેનિઝમ ઊભું કરવાની જરૂર છે. અત્યારે જુદી જુદી રમતો તથા સ્પર્ધાઓ માટે અલગ-અલગ ફેડરેશનો તથા સ્થાપિત અને ખાનગી સંસ્થાઓ અસ્તિત્વમાં છે જ...જરૂર છે માત્ર સંગઠનની તથા આ તમામ ખેલ સંસ્થાઓને પક્ષીય રાજનીતિથી દૂર રાખવાની...પરંતુ તેવું થઈ શકે ખરૃં ?
મહિલા વર્લ્ડકપની ફાયનલમાં ભારતીય ટીમના વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગી નેતા રાહુલ ગાંધીએ જે શબ્દોમાં અભિનંદન આપ્યા છે, અને "એક્સ" પર જે પોસ્ટ મૂકી છે, તે જોતાં આપણાં દેશના સર્વોચ્ચ નેતૃત્વ તરફથી સમગ્ર મહિલા ખેલજગતને સમાન ધોરણે સુવિધાઓ, ફંડીંગ અને પુરસ્કારો મળશે, તેવી આશા જાગી છે.
ગઈકાલે દેવદિવાળીના તહેવારના ફટાકડા તો ફૂટતા જ હતા, પરંતુ મહિલા વર્લ્ડકપમાં વિજય મળતા જ મોડી રાતે તેની ઉજવણી પણ હાલાર સહિત્ ઠેર-ઠેર થઈ. ક્રિકેટ વર્લ્ડકપ મેળવીને ભારતની નારીશક્તિએ ઈતિહાસ રચ્યો છે, અને તે આ માટે દિવસ રાત મહેનત કરી છે, તેવી જ મહેનત બીજા નંબરે રહેલી દ.આફ્રિકાની ટીમની બહેનોએ પણ ઉજવણી કરી જ હશે...ટીમ વુમન ક્રિકેટ ઓફ ઈન્ડિયાને ઈતિહાસ રચવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારે હૃદયે ભાવભરી શ્રદ્ધાંજલિ...
જામનગરના વિવિધ ક્ષેત્રોમાં દીર્ઘકાલિન સેવાઓ આ૫નાર કુશાગ્ર અગ્રણી અને "નોબત"ની કરોડરજ્જુ સમા વડીલ સ્વ. કિરણભાઈ માધવાણીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. પહેલી નવેમ્બર-૨૦૨૪ના દિવસે તેઓ વૈકુંઠયાત્રાએ નીકળી ગયા.ત્યારે માધવાણી પરિવાર અને નોબત પરિવાર તથા તેઓના બહોળા મિત્રમંડળને કારમો આઘાત લાગ્યો હતો અને પત્રકાર જગતમાં, બેંકીંગ ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર, લોહાણા સમાજ સહિત સૌ કોઈને આંચકો લાગ્યો હતો. અને શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વિક્રમ સંવતની તિથિ અનુસાર તેઓએ દીપોત્સવી પર્વે અનંતયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું.
સ્વ. કિરણભાઈ પાંચ દાયકાથી "નોબત"ના અડીખમ સ્તંભ તો હતા જ, પરંતુ તેઓ સામાજિક સેવાઓ તથા વિવિધ ક્ષેત્રોમાં પણ સતત કાર્યશીલ રહેતા હતા. જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક-નવાનગર બેંકના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અને લોહાણા મહાજનના ઉપપ્રમુખ તરીકે તેઓએ વર્ષો સુધી આપેેલી સેવાઓની સુવાસ આજે પણ પ્રસરી રહી છે. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન ૧૦૦થી વધુ વખત રક્તદાન કર્યું હતું. તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણાં જરૂરતમંદ લોકોને રોજગારી અપાવી હતી અને સામાન્ય ગરીબ લોકોને સંકટના સમયે મદદ કરી હતી. તેઓએ તેઓના પુત્ર સ્વ. રોનક તથા નોબત પરિવારનું પથદર્શન કરીને "મેઘધનુ" સહિતના કાર્યક્રમો, નવરાત્રિના આયોજનો વગેરેમાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું. તેઓ દાયકાઓથી બ્લડ ડોનેશન પ્રવૃત્તિના પ્રણેતા અને પછીથી થેલેસેમિયા પરીક્ષણના હિમાયતી રહ્યા હતા.
તેઓ બે દાયકાથી વધુ સમય માટે જામનગર લોહાણા મહાજનના ઉપપ્રમુખ રહ્યા, અને તે દરમ્યાન પંચેશ્વર ટાવર પાસેની લોહાણા મહાજનવાડીનું નવનિર્માણ, વિવિધ ઉત્સવો, જલારામ જયંતીના કાર્યક્રમો તથા રઘુવંશી સમાજના કલ્યાણ, ઉત્કર્ષ અને શૈક્ષણિક-આર્થિક વિકાસ માટે તેઓનું યોગદાન અવિસ્મરણીય રહેશે. તે ઉપરાંત તેઓના જીવનસંગિની જ્યોતિબેન માધવાણીની મહિલા ઉત્કર્ષ અને સામાજિક સેવાઓની પ્રવૃત્તિઓ પણ તેઓના પથદર્શક અને પ્રેરક રહ્યા હતા.
આઝાદી પછીના પહેલા દાયકામાં જ રાજ્યના પ્રથમ સાંધ્ય દૈનિક "નોબત" ની પ્રારંભિક યાત્રા જયારે પડકારોનો સામનો કરી રહી હતી, ત્યારે સ્વ. રતિલાલભાઈ માધવાણીની સાથે ખભેખભા મિલાવીને જ્યારે સમગ્ર પરિવારે સફળ સંઘર્ષ કર્યો હતો, તે સમયે કિરણભાઈ અખબાર વિતરણ, ફોટોગ્રાફી, બ્લોક બનાવવા, ટ્રેડલ મશીનના જમાનામાં બીબા ગોઠવવાથી લઈને માર્કેટીંગ, એડવર્ટાઈઝીંગ અને એકાઉન્ટીંગ, પ્રૂફ રિડીંગ સુધીનું કામ સંભાળતા હતા.
કિરણભાઈ પિતાના પગલે પગલે ચાલીને નખશીખ ઈમાનદાર, નિડર અને સ્પષ્ટવક્તા હતા. વિઘ્નસંતોષીઓ દ્વારા "નોબત" માંજ તેઓના પર સ્ટેબીંગ થયું, તે પછી તેઓએ જે દૃઢ મનોબળનો પરિચય આપ્યો અને જીવનના અંતિમ સમયની થોડા સમયની બીમારી સાથે પણ તેઓ ઝઝુમ્યા, તે તેઓનું પોલાદી મનોબળ અને પ્રબળ આત્મબળ દર્શાવે છે. સ્પષ્ટ વક્તા હોવા છતાં તેઓ અંદરથી મૃદુ અને ઘણાં જ સંવેદનશીલ, દયાળુ અને નરમદિલ હતા. આ કારણે જ તેઓનો બહોળો મિત્રવર્ગ આજે એક વર્ષ વિત્યા પછી પણ તેઓની વસમી વિદાયથી બહાર આવ્યો નથી. તેઓની વિદાયથી પરિવાર અને સમાજને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. નોબતના ખૂણે ખૂણે આજે પણ અમને બધાને સ્વ. કિરણભાઈની અનુભૂતિ થઈ રહી છે.
માધવાણી પરિવાર અને નોબત પરિવાર ઉપરાંત સમાજ, બેંકીંગ ક્ષેત્ર, લોહાણા મહાજન તથા વિવિધ ક્ષેત્રો માટે કિરણભાઈની વિદાય આઘાતજનક નિવડી હતી, પરંતુ ઈશ્વરની ઘટમાળ સામે પામર માનવીનું કાંઈ ચાલતું નથી. તેઓની સ્મૃતિઓ અને સત્કાર્યોની સુવાસના સ્વરૂપે તેઓ હંમેશાં આપણી વચ્ચે જ રહેવાના છે. ઠાકોરજી સ્વ. કિરણભાઈના આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે આંખમાં આંસુ અને હૃદયના વલોપાત સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ...
જયશ્રી કૃષ્ણ
જામનગર, તા. ૧-૧૧-૨૦૨૫
- માધવાણી પરિવાર - નોબત પરિવાર
આજે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતીએ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી જ કેવડિયાના એકતાનગરમાં પહોંચ્યા છે અને ગઈકાલે રૂ. ૧૨૧૯ કરોડથી વધુ રકમના વિકાસ ર્પ્રોજેકટોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યા છે. આજે સવારથી પ્રજાસત્તાક દિન ફેઈમ વિવિધ ઝાંખીઓ સાથે એકતા પરેડ યોજાયા પછી શ્રેણીબદ્ધ કાર્યક્રમો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગરમાં દેશના સર્વોચ્ચ નેતૃત્વની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યા છે.
આજ થી દોઢ સદી પહેલા આ મહામાનવનો જન્મ ગુજરાતમાં થયો હતો, અને બ્રિટિશ સલ્તનત સામે લગભગ બે સદી સુધી ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામ પછી મળેલી આઝાદી તોઓએ ભારતમાં રાજા-રજવાડા-કબીલાઓને ભારતમાં સામેલ કરીને એક અને અખંડ ભારતનું સ્વાતંત્ર્ય સેનાનીઓનું સપનું સાકાર કર્યું હતું. તેથી આજે રાષ્ટ્રીય એકતા દિવસ પણ મનાવાઈ રહ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી પણ ઉજવાઈ રહી છે, ત્યારે આપણે સૌ આ અખંડ ભારતના રચિયાતા અને દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ.
આજે એકતાનગરમાં ભારતીય વાયુસેનાના કરતબો, બીએસએફ દ્વારા ડોગ શો, સ્કૂલ બેન્ડ, બ્રાસ બેન્ડ, ઘોડા, ઊંટ અને શ્વાન દળોનું નિદર્શન, ડેર ડેવિલ રાઈડર્સ શો, મહિલાઓના માર્શલ આર્ટ સાથે પરેડ યોજાઈ અને વિવિધ સુરક્ષાદળો, અર્ધસૈન્ય દળો અને સેનાની પાંખો દ્વારા રજૂ થયેલા દેશભક્તિથી તરબતર અને ભારતની તાકાત દર્શાવતા વિવિધાસભર કાર્યક્રમોએ ગરિમામય આકર્ષણ જમાવ્યું હતું. અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કવનને અદ્ભુત રીતે રજૂ કરતા નાટક "લોહપુરૂષ"ની પ્રસ્તૂતિએ સૌને ગદ્ગદીત કરી દીધા હતા. દેશના વિવિધ રાજ્યોની વિવિધતાઓ, વિકાસ, સંસ્કૃતિ અને ઈતિહાસ વગેરેને સાંકળતુ એકઝીબિશન પણ અહીં ૧૫ દિવસ સુધી ખુલ્લું રહેશે. તેવું જાહેર કરાયું હતું. આ કાર્યક્રમોનું જિંવંત પ્રસારણ પણ રાજ્ય અને દેશભરમાં તથા મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિદેશોમાં વસવાટ કરતા ભારતીયોએ નિહાળ્યું હતું.
આજે વિવિધ પ્રકારના પડકારો અને કુદરતના બદલતા ઘટનાક્રમો વચ્ચે ભારતીયોએ સ્વાતંત્ર્ય ચળવળ સમયે હતી તેવી દેશભાવના સાથે ફરીથી એકજૂથ થઈ જવાની જરૂર છે, અને આઝાદી મળ્યા પછી પ્રારંભમાં ઉઠ્યા હતા તેવા ફરીથી ઉઠી રહેલા કેટલાક વાદ-વિવાદોને બાજુ પર મૂકીને નવા પડકારો સામે ટકી રહેવા એકજૂથ થવું પડે તેમ છે. ભાષાવાદ, જાતિવાદ, પ્રદેશવાદ, વર્ગવિગ્રહ, ધર્મ-સંપ્રદાય કે અન્ય ભાવનાત્મક વિવાદોને ટાળીને પરસ્પર સન્માન અને સદ્ભાવ સાથે સહ-અસ્તિત્વ ટકાવી રાખવા મથવું પડે તેમ છે. નફરતના સ્થાને પ્રેમ અને વિવાદના સ્થાને સંવાદ સાધવાની કવાયત હવે વધારવી જ પડે તેમ છે. લોકતંત્રને વધુ મજબૂત કરીને ભારતને એક અને અખંડ રાખવા ફરીથી સરદાર પટેલની વ્યૂહાત્મક રણનીતિ અપનાવવી પડે તેમ છે.
બંધારણને સર્વોપરી ગણીને તથા સત્તા, શક્તિ અને સંખ્યાલક્ષી લોકતાંત્રિક પ્રવૃત્તિઓમાં સહભાવ, સૌજન્યતા અને સંયમની જરૂર છે. ઘમંડ અને ગાલી-ગલોચની ભાષાના સ્થાને તાર્કિત અને તથ્યપૂર્ણ પ્રસ્તૂતિ સાથે પ્રશંસા કે ટીકાઓ અથવા સહમતિ અને અસહમતિના અધિકારોનો ઉપયોગ કરવો જરૂરી છે. લોકતંત્રમાં સત્તાનો ઘમંડ સ્વીકાર્ય પણ નથી અને સારા પરિણામો પણ લાવતો હોતો નથી, તેવી જ રીતે બંધારણે આપેલી અભિવ્યક્તિની આઝાદીનો દુરૂપયોગ કે સભ્યતા અને સુરૂચિનો ભંગ કરે તેવી હરકતો પણ સ્વીકાર્ય ગણાતી નથી. ચૂંટણી પ્રચાર સમયે તો સંયમ અને સૌજન્યતા સૌથી વધુ જરૂરી હોય છે, કારણ કે ભારતની ૭૫ વર્ષ ઓળંગી ગયેલી આઝાદી પછી દેશની જનતા હવે એટલું તો શિખી જ ગઈ છે કે ક્યારે, કોને, કેટલો જનાદેશ આપવો, ક્યારે અને કોને સત્તાના સિંહાસને બેસાડવા અને ક્યારે અને કોને સત્તા પરથી ફેંકી દેવા...
અત્યારે એક તરફ ટ્રમ્પ ટેરિફનો આતંક વધી રહ્યો છે, તો બીજી તરફ પડોશી આતંકવાદી દેશની હરકતો બદલતી નથી. ભારતની ફરતે ચીન, બાંગલાદેશ અને પાકિસ્તાન જેવા દેશો ઘેરાબંધી કરી રહ્યા છે, તો હવે અમેરિકા (ટ્રમ્પ) પણ આડુ ફાટ્યું છે. રશિયા જુનુ મિત્ર છે, એ ખરૃં, પરંતુ તેની ક્ષમતા અને ભૂમિકા પણ હવે વૈશ્વિક પ્રવાહો, યુક્રેન યુદ્ધ અને અમેરિકા સાથેના ઠંડા યુદ્ધના કારણે ડગમગી રહી છે, આ સંજોગોમાં આપણે હવે એક અને અતૂટ જ રહેવું પડે તેમ છે. ભારત આઝાદ થયા પછી અવરિત પ્રગતિ કરતું રહ્યું, તબક્કાવાર સ્વાવલંબી બનતું રહ્યું, વિકસતું રહ્યું, સમૃદ્ધ બનતું ગયું અને આજે વિશ્વની ટોપ ફાઈવ ઈકોનોમીમાં પહોંચ્યું છે, ત્યારે ભારતથી આગળની હાલની મહાસત્તાઓ અમેરિકા, ચીન વગેરેને તે ગમતું નહીં હોય, તેથી તેઓ પણ હવે ભારત સામે એકજૂથ થઈ રહ્યા છે અને ટ્રમ્પ-જીનપીંગે હાથ મિલાવ્યા છે, તેથી ભારતે હવે ચેતવા જેવું છે.
સ્વાતંત્ર્યની ચળવળ સમયે ગાંધીજીએ માત્ર રાજકીય નહીં, પરંતુ આર્થિક આઝાદીની વાત પણ કરી હતી. ભારત આઝાદ ભલે થયું, પરંતુ હવે આબાદ કરવાનો પડકાર છે, તેવો સંદેશ પણ અપાયો હતો, ગાંધીજીની સ્વદેશીની ચળવળ આગળ વધારવાના બદલે આપણે ધીમે-ધીમે "મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઈંગ્લિશ્તાની" જેવી ફિલ્મી પંક્તિઓમાં પડઘાતી આઝાદી પછીના દાયકાઓની સ્થિતિ મુજબ વિદેશી વસ્તુઓ અપનાવતા થઈ ગયા, તેના કારણે જ આજે આપણે ટ્રમ્પ જેવા તરંગી તિક્કડબાજના ટેરિફ સામે ઝઝુમવુ પડી રહ્યું છે અને ચીન જેવા દગાબાજ પડોશી દેશ સાથે પણ મોટા પાયે વ્યાપાર કરીને ત્યાંથી ઘણી વસ્તુઓની આયાત કરવી પડી રહી છે.
નહેરૂ, સરદાર પટેલ અને ગાંધીજી જેવા મહાપુરૂષો આઝાદી પછી તબક્કાવાર પહેલા પ્રેરણાના પાત્રો હતા તે ધીમે ધીમે રાજકીય પ્રચારના માધ્યમો બની ગયા અને ચૂંટણીઓ જીતવા માટેના ઓજારની જેમ તેઓનો ઉપયોગ થવા લાગ્યો, તે આપણી કમનસીબી જ છે ને ? સરદાર વલ્લભભાઈ પટેલ ને કોટિ કોટિ વંદન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
માવઠાના માર થી જેવી રીતે ઘણાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને ખેતીપાકને નુકસાન થયું, અને ખેડૂતોએ સરકાર તરફ મીટ માંડી, તેવી જ રીતે ટ્રમ્પના ટેરિફનો માર ભારત સહિત દુનિયાના ઘણાં દેશો સહન કરી રહ્યા છે, ત્યારે ધૂની-તરંગી અને અવિશ્વસનિય બની ગયેલા ટ્રમ્પની તિક્કડમબાજી પણ સતત ચાલી રહી છે. ટ્રમ્પે ચીન તરફ નરમ વલણ દેખાડયા પછી હવે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે, અને તેના કરતાંયે વધુ મહત્ત્વનું એ છે કે ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થવાના સંકેતો પણ આપ્યા છે. તેમણે કહ્યું છે કે "મોદી હેન્ડસમ અને જબરદસ્ત ઈન્સાન છે." તેઓ ઘણાં જ ટફ છે. અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે. તેમણે એમ પણ કહ્યું કે, "ભારત અને પાકિસ્તાનની વાત કરવા માંગતા હોવ તો હું ભારત સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યો છું. !"
એવા અહેવાલો પણ છે કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ ન કરે પણ ઘટાડો કરવા સંમત થાય તો અમેરિકા ટેરિફ ૧૬ ટકા કરવા તૈયાર છે.
આ અહેવાલો પછી ભારતના વ્યાપાર ઉદ્યોગ અને આર્થિક ક્ષેત્રે ભલે પોઝિટીવ પ્રત્યાઘાતો પડયા હોય કે પછી મીડિયામાં પી.એમ.મોદીની પ્રશંસા થતી રહે, પરંતુ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ રાહુલ ગાંધીનું મંતવ્ય કાંઈક અલગ જ છે અને મીડિયા અહેવાલો મુજબ રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદી અમેરિકા (ટ્રમ્પ)થી ડરે છે.
રાહુલ ગાંધીની સોશ્યલ મીડિયાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશ-વિદેશમાં સતત અપમાન કરી રહ્યા છે, જેનું તાજું દૃષ્ટાંત દક્ષિણ કોરિયાનું છે. ટ્રમ્પે ફરીથી કહ્યું છે કે, તેમણે ટ્રેડનો ઉપયોગ કરીને ઓપરેશન સિંદૂર અટકાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે સાત વિમાનો તોડી પડાયા હતા.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા હોય તેમ લખ્યું કે તેઓ (મોદી) ડરે નહીં, અને ટ્રમ્પને જવાબ આપવાની હિંમત બતાવે.
એક ચૂંટણી પ્રચારમાં પણ રાહુલ ગાંધીએ પડકાર ફેંકયો કે બિહારની ચૂંટણી પ્રચાર દરમ્યાન મોદી કહી બતાવે કે "ટ્રમ્પ જુઠ્ઠું બોલી રહ્યા છે".
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે આવી હિંમત મોદી દાખવી શકે તેમ જ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિએ વારંવાર કહ્યું કે તેમણે ભારત-પાક. વચ્ચે ઓપરેશન સિંદૂર અટકાવ્યું, પરંતુ નરેન્દ્ર મોદી તે અંગે કાંઈ પણ કહેતા નથી. મોદીજીએ એક વખત પણ એવું નથી કહ્યું કે ટ્રમ્પ આડી-અવળી (ખોટી) વાતો કરી રહ્યા છે.
બીજી તરફ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને ટ્રેડ ડીલ અંગેના સંકેતો આપ્યા, તથા ટેરિફમાં ઘટાડો થશે, તેવી આશા જાગી છે, તેના અહેવાલો ખૂબજ ઝડપથી અને વ્યાપક રીતે પ્રચલિત અને પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ એ જ સમયે ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન અને તેના સેનાધ્યક્ષ મુનિરના પણ વખાણ કર્યા હતા., તેની ચર્ચા ઓછી થઈ રહી છે, કારણ કે હવે ટ્રમ્પની "ડબલ ઢોલકી" ને તથા ટ્રમ્પ ટેરિફ વોર તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના પડઘા બિહારના ચૂંટણી પ્રચારમાં પડવા લાગ્યા હોવાથી આ મુદ્દો અત્યારે તો પૂર્ણપણે રાજકીય જ બની ગયો છે, અને કોણ સાચુ અને કોણ જુઠ્ઠું એ પણ જનતા જાણે જ છે ને ?
જો કે, મત માટે નાચવાના કટાક્ષનો મદ્દો એટલો બધો ગરમાયો છે કે લાલઘૂમ થયેલા ભાજપના નેતાઓ પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર તીખા પ્રહારો કરી રહ્યા છે. અમિત શાહે તો ત્યાં સુધી કહી દીધું કે સોનીયા ગાંધી રાહુલને વડાપ્રધાન બનાવવા માંગે છે, અને લાલુ યાદવ તેના દીકરા (તેજસ્વી)ને બિહારના મુખ્યમંત્રી બનાવવા માંગે છે. પરંતુ દિલ્હીમાં નરેન્દ્ર મોદી છે અને બિહારમાં નિતીશકુમાર છે, તેથી હાલમાં કોઈ જગ્યા ખાલી નથી !
ચૂંટણીના પ્રચાર દરમ્યાન ઘણાં જુઠ્ઠાણા ચાલતા હોય છે, જ્યારે ઘણાં કડવા સત્યો પણ બહાર આવી જતા હોય છે. આ તરફ વર્ષ ૨૦૨૬ની ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે આ વખતે યુરોપિયન કમિશનના પ્રમુખ યુર્સલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયા કોસ્ટાને ભારત સરકારે આમંત્રિત કર્યા હોવાના અહેવાલો જોતા, તેને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક સંબંધો વધતા ટ્રમ્પના ટેરિફ એટેકનો સામનો કરવા તરફનું વ્યૂહાત્મક કદમ ગણાવાઈ રહ્યું છે. આ માટે નક્કી કરાયેલા એજન્ડામાં મૂક્ત વ્યાપાર (એફ.ટી.એ.) ઉપરાંત રક્ષાક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ ડીલની સંભાવના જણાવાઈ રહી છે. તો બીજી તરફ ચૂંટણી સભાઓમાં રાહુલ ગાંધી જે સટાસટી બોલાવી રહ્યા છે, તેના કેન્દ્રસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હોય છે... જોઈએ, બિહારની જનતાનો જનાદેશ શું આવે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે સામાન્ય રીતે સ્કૂલોમાં વિદ્યાર્થીઓના મૂખેથી તેના શિક્ષક માટે "સર" જેવો શબ્દ સાંભળતા હોઈએ છીએ, તેવી જ રીતે કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓ માટે જુનિયર અધિકારીઓ તથા સ્ટાફ પણ આ માનવાચક શબ્દનો ઉપયોગ કરતા હોય છે., પરંતુ જ્યારે અંગ્રેજીના "સર" શબ્દોના "એસઆઈઆર" આલ્ફાબેટને અલગ અલગ કરીને તેના ફૂલ ફોર્મ્સ કરીએ, તો અંગ્રેજીમાં તેના ભિન્ન ભિન્ન ઉચ્ચાર અને ભિન્ન ભિન્ન અર્થ થતા હોય છે., તેમાંથી ચૂંટણીપંચના તાજેતરના એક અભિવાદનના "સર" એટલે કે એસઆઈઆરની હમણાંથી સર્વાધિક ચર્ચા થઈ રહી છે.
આમ તો, એસઆઈઆર ગુજરાતમાં ઘણાં સમયથી પ્રચલિત એક મેગા પ્રોજેક્ટનું પણ નામ છે જે હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી પ્રચલિત છે. આ મેગા પ્રોજેકટનું ફૂલફોર્મ સ્પેશિયલ "ઈન્વેસ્ટમેન્ટ રિજિયન" છે, જેમાં ચોક્કસ વિસ્તારોના વિકાસ માટે ઈન્વેસ્ટરોને આકર્ષવાનો કોન્સેપ્ટ હતો. ગુજરાતનું ઘોલેરાસર તેનું દૃષ્ટાંત છે.
એસ.આઈ.આર., એટલે કે "સર" ના કોન્સેપ્ટને સાકાર કરવા માટે ગુજરાત વિધાનસભામાં સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ એકટ-૨૦૦૯ પસાર કરાયો હતો, જેમાં ઔદ્યોગિક અને માળખાકીય ક્ષેત્રોમાં મૂડીરોકાણના દ્વાર ખૂલ્યા હતા અને તે માટે લિગલ ફ્રેમવર્ક, ઉદ્ેશ્ય, ગવર્નન્સ વગેરેની વિસ્તૃત જોગવાઈ કરાઈ હતી, અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ સિટી વિકસાવવાના અને દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરની જેમ ઔદ્યોગિક-માળખાકીય વિકાસ કરવાની વિપુલ તકો અપાઈ હતી.
નાણા ક્ષેત્રે એસઆઈઆરનું ફૂલફોર્મ સ્ટ્રક્ચર્ડ ઈન્વેસ્ટમેન્ટ રિવ્યુનો અર્થ મૂડીરોકાણની સમીક્ષાને સંબંધિત છે. આ કોન્સેપ્ટ હેઠળ ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનો ડિટેઈલ રિવ્યુ થાય છે., અને તેના આધારે નીતિઓ (પોલીસી) નક્કી થાય છે.
અંતરીક્ષ તકનીકોના સંદર્ભમાં એસઆઈઆર અથવા "સર"નું ફૂલફોર્મ સેટેલાઈટ ઈન્ફારેડ થાય છે. જે સેટેલાઈટમાં એનર્જીનું સંબંધિત રિમોટ સેન્સીંગ સિસ્ટમ છે. એવી જ રીતે સાયન્સ ક્ષેત્રે સ્ટાન્ડરડાઈઝ્ડ ઈન્સિડન્સ રેસિયો, સ્ટાન્ડરડાઈઝ ઈન્ફેકશન રેસિયો, સ્પેસબોર્ન ઈમેજીંગ રડાર વગેરે માટે "સર" અથવા એસઆઈઆર વપરાય છે. બિઝનેસ સેકટરમાં પણ સેલ્ફ-ઈન્સ્યોર્ડ રેટેન્શન, સપ્લાયર ઈન્વોયસ રિકવેસ્ટ, સેલ્ફ ઈન્વેસ્ટીંગ રિપોર્ટ વિગેરે શબ્દો પ્રચલીત છે. તે ઉપરાંત વિવિધ સંદર્ભોમાં સમરી ઈન્ફર્મેશન રિટર્ન, સ્કોલર ઈન રેસિડેન્સ વગેરે માટે એસઆઈઆર (સર) નો સંક્ષિપ્ત શબ્દપ્રયોગ થાય છે.
આપણે અહીં વાત કરવી છે, તે એ એસઆઈઆરની છે, જે આજે દેશભરમાં ચર્ચાનો વિષય છે અને આ મુદ્દો બિહારના રાજકીય ગલીયારાઓથી લઈને સુપ્રિમકોર્ટ સુધી પડઘાયો હતો.
ચૂંટણપંચે બિહારમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન કરાવ્યા પછી ઘણો હોબાળો થયો હતો. અને વિપક્ષોએ એનડીએ પર આક્ષેપો લગાવ્યા હતા, અને ચૂંટણીપંચને પણ ઘેર્યું હતું. તે પછી ત્યાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને હવે ચૂંટણીપંચે આ જ પ્રકારની પ્રક્રિયા દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવાનું નક્કી કર્યું છે, જેના ઘેરા પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.
ગઈકાલે ચૂંટણીપંચે યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની મતદાર યાદીનું એસઆઈઆર કરવામાં આવશે. બીજા તબક્કામાં જે ૧૨ રાજ્યોનો સમાવેશ કરાયો છે, તેમાં ગુજરાત પણ છે. અને આ પ્રક્રિયા ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બરે હંગામી મતદારયાદી, આઠમી જાન્યુઆરી-૨૦૨૬ સુધી સુધારા-વધારા અને સાતમી ફેબ્રુઆરીના દિવસે અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરી શકાશે. આ પ્રક્રિયા દરમ્યાન મતદારયાદીમાંથી મૃતકો તથા કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામો તો રદ કરાશે જ, સાથે સાથે મતદાનની પાત્રતા ધરાવતા મતદારોનો ઉમેરો, તથા નાગરિકતા ચકાસવા માટે ડોર-ટૂ-ડોર ચકાસણી થવાની છે. આ અંગે જે પ્રક્રિયા બિહારમાં થઈ છે, તેવી રીતે તમામ પ્રક્રિયા સંપન્ન થશે, તેમ લાગે છે.
આમ તો મધ્યરાત્રીથી બીજો તબક્કો શરૃ થઈ જતા તંત્રો આજથી જ નવ રાજ્યો અને ત્રણ રાજ્યોમાં એસઆઈઆરના કામે લાગી ગયા છે., અને પ્રાથમિક તૈયારીઓ કરી રહ્યા હોવાના અહેવાલો જોતા ચૂંટણીપંચ આ મુદ્દે ખૂબ જ ગંભીર હોવાનું પ્રતિત થાય છે.
કોંગ્રેસે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એસઆઈઆરના મુદ્દે જે સવાલો ઉઠાવ્યા છે તે જોતા આ મુદ્દો હવે રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. અને તંત્રોમાં પણ આ કપરી કામગીરીને સંપન્ન કરવાની દોડધામ થઈ રહી છે, ત્યારે મતદારોએ પણ પોતાનું નામ મતદારયાદીમાંની નીકળી જાય નહીં તે માટે જાગૃત રહેવું પડશે. આ ચકાસણી માટે ક્યા-ક્યા દસ્તાવેજો માન્ય રહેશે, તેની આગોતરી જાણકારી મેળવીને બીએલઓની મુલાકાત સમયે તે દસ્તાવેજો તૈયાર પણ રાખવા પડશે.
ચૂંટણીપંચ કે સરકાર તરફથી જ્યારે જયારે ડોર-ટૂ-ડોર મુલાકાત લઈને કોઈ પણ પ્રક્રિયાની જાહેરાત થાય છે, ત્યારે ત્યારે ઘણાં સ્થળે ડોર-ટૂ-ડોર મુલાકાત લેવાના બદલે શેરી-મહોલ્લા કે સોસાયટીના એકાદ સ્થળે ખુરશી ટેબલ ગોઠવીને બીએલઓ દ્વારા આ પ્રક્રિયા થતી હોય છે, તેથી પુરતો પ્રચાર થયો ન હોય, લોકોને ખબર જ ન હોય કે સમય-તારીખમાં પહોંચી શકાય તેમ ન હોય, તેવા લોકો આ પ્રક્રિયાથી જ વંચિત રહી જતા હોય છે, તેથી ઓસઆઈઆર જેવા મુદ્દે વાસ્તવમાં ઘેર-ઘેર ફરીને અને ઘર બંધ હોય તો ફરીથી મુલાકાત લેવા કે ઘરની આજુબાજુમાંથી માહિતી મેળવીને અથવા ફોન નંબર દ્વારા જે-તે વ્યક્તિનો સંપર્ક કરવો અત્યંત જરૃરી છે, કારણ કે આવું થશે તો જ સ્થળાંતરિત કે મૃતકોના નામ કમી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વર્ષે ચોમાસુ તો લાંબુ ચાલ્યુ જ હતું અને હવે માવઠાનો માર પડી રહ્યો છે. છેલ્લા બે-ચાર દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસી રહેલા વરસાદના કારણે હવે નવી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. આ સંકટના સમયે દેશના કેટલાક વિસ્તારોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ૨૧મો હપ્તો હજુ સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા નહીં થયો હોવાથી લગભગ દસેક કરોડ ખેડૂતો તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હોવાના પણ અહેવાલો છે. આ હપ્તો દિવાળી પહેલા જ તમામ લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા થઈ જવો જોઈતો હતો, પરંતુ હવે મોદી સરકાર બાકીના ખેડૂતોના ખાતામાં નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આ હપ્તો જમા કરાવી શકે છે. કેન્દ્રીય કૃષિમંત્રીએ રાજ્ય સરકારોને ઈ-કેવાયસી, આધાર સીડીંગ અને અન્ય પ્રક્રિયા પૂરી કરીને ચકાસાયેલી ખેડૂત લાભાર્થીઓની યાદી સત્વરે કેન્દ્રને મોકલી આપવા જે અપીલ કરી છે, તે દર્શાવે છે કે કેન્દ્ર અને રાજયો વચ્ચે આ યોજનાના સંદર્ભે જોઈએ તેવો તાલમેળ નથી અથવા આ મુદ્દે પણ રાજનીતિ રમાઈ રહી છે. કેટલાક વિવેચકો કેટલાક રાજ્યોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિનો રૂા. બે હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવવા થયેલા વિલંબને બિહારની ચૂંટણીમાં થનારા પ્રથમ તબક્કાના મતદાન સાથે પણ સાંકળે છે, જ્યારે કેટલાક વિવેચકો આને પ્રક્રિયાત્મક વિલંબ અને કેટલાક રાજયોમાં તંત્રોની લાપરવાહી અથવા અસહયોગ પણ ગણાવે છે.
પડ્યા પર લાત લાગે તેવી રીતે હવે રાજ્યમાં માવઠાનો માર પડી રહ્યો છે. આજે પણ સવારથી જ હાલાર સહિત રાજયમાં ઠેર ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે, અને હવામાન ખાતાએ જુદા જુદા એલર્ટ આપ્યા છે. ગઈ રાત્રે પણ જામનગર સહિત અનેક સ્થળે વારસાદ પડતા રસ્તાઓ પર પાણી નીકળ્યા અને ખેતરોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો ચિંતા ઊભી કરનારા છે. કેટલાક ધાર્મિક-સામાજિક પ્રસંગો તથા ભાગવત સપ્તાહના આયોજનોમાં પણ કમોસમી વરસાદના કારણે વિક્ષેપ સર્જાયો હોવાના અહેવાલો જોતાં દિવાળીના તહેવારો પછી આવેલી આ કુદરતી આફતે જનજીવન પર માઠી અસર તો કરી જ છે, પરંતુ, આ કારણે જગતના તાત ધરતીપુત્રોને પડનારો આર્થિક ફટકો પણ ચિંતાજનક છે અને જેને જેને હકીકતે ભારે નુકસાન થયું હોય, તેઓને તત્કાળ સહાયની જરૂર છે.
માવઠાનો માર પડ્યો અને ખેડૂતોની માઠી દશાની સ્થિતિ પછી રાજ્ય સરકાર પણ સફાળી જાગી છે. જામનગર જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરના ભયસૂચક સિગ્નલો લગાવાયા અને વારસાદી ઝાપટાંના કારણે વાતાવરણમાં ઠંડક અને લોકોમાં ઉચાટ પ્રસર્યા છે. આજે સવારથી ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા પવન અને ઘટાટોપ વાદળોથી છવાયેલા વાતાવરણ વચ્ચે ૩૦મી ઓક્ટોબર સુધી વરસાવદની નવી આગાહી થતાં માત્ર ખેડૂતો નહીં, તમામ લોકો વિમાસણમાં મુકાયા છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે, જેથી તાજેતરમાં દરિયામાં એક બોટ ડૂબી જતાં આઠ લોકોનું મહામુસીબતે કરાયેલા રેસ્કયૂ જેવી દુર્ઘટનાને નિવારી શકાય.
જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે આ મુદ્દે તત્કાળ સિનિયર અને સંબંધિત મંત્રીઓની બેઠક યોજીને અડધો ડઝન જેટલા રાજ્ય સરકારના મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચના આપ્યા પછી આજે જિલ્લે-જિલ્લે બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને વિપક્ષના નેતાઓ સહિતના જનપ્રતિનિધિઓ પણ પોતપોતાના વિસ્તારોની સ્થિતિનું આલંકન કરીને તંત્રો સમક્ષ રજૂ કરી રહ્યા છે. પ્રાથમિક તબક્કે જ્યાં જરૂર જણાય ત્યાં લોકોને તત્કાળ મદદ-રાહત-બચાવની કામગીરી અને તે પછી તબક્કાવાર સર્વે કરીને ખેડૂતોને થયેલા ખેતીપાકના નુકસાન સંદર્ભે ઝડપભેર સહાય ચૂકવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આગામી ૪૮ કલાકમાં રાજ્ય સરકાર ખેડૂતોના હિતાથે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરશે, તેવા સંકેતો પણ અપાઈ રહ્યા છે. બીજી તરફ કમોસમી વરસાદથી ફેલાઈ રહેલા સિઝનલ રોગચાળા સંદર્ભે ઝડપભેર પગલાં લેવા તથા સફાઈ-સ્વચ્છતાના શ્રેણીબદ્ધ કદમ તત્કાળ ઉઠાવવાના નિર્દેશો પણ અપાઈ રહ્યા છે.
માવઠાને કારણે ઠેર-ઠેર વીજપુરવઠો પણ ખોરવાયો છે, અને સંખ્યાબંધ ફીડરમાં માવઠાના કારણે ટ્રાન્સફોર્મર્સ ડેમેજ થતા અને કેટલાક સ્થળે થાંભલાઓ પડી જતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રિથી અંધારપટ છવાયો છે. તે ઉપરાંત વીજ કરંટથી લોકોનો જીવ ગયો હોવાના દુઃખદાયી અહેવાલો પણ આવ્યા છે. વીજતંત્રની ટીમો પુરવઠો પૂર્વવત કરવા કામે લાગી ગઈ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ ભાજપ સરકાર પર કોંગ્રેસે તડાપીટ બોલાવી છે અને સૌરાષ્ટ્રમાં વર્તમાન વિકટ સ્થિતિમાં સરકાર નિષ્ક્રિય હોવાના આક્ષેપો કરાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે ભાજપના નેતાઓ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતા હતા, પરંતુ કમોસમી વરસાદના કારણે પાયમાલ થયેલા ધરતીપુત્રો માટ રાજય સરકાર જરાયે ચિંતિત જણાતી નથી. તેમણેે સત્વરે રાહત પેકેજ જાહેર કરવા અને દેવામાફીની જાહેરાત નહીં થાય તો કોંગ્રેસ ગામે ગામ ઉગ્ર આંદોલનો કરશે, તેવી ચિમકી પણ રાજ્ય સરકારને આપી છે. તેમણે ભૂપેન્દ્ર પટેલ સરકારને રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર ગણાવીને ધગધગતા શાબ્દિક પ્રહારો કર્યા હતા, તો કેટલાક કોંગી નેતાઓએ તો બિહારની ચૂંટણી પછી ગુજરાતના મુખ્યમંત્રી પણ બદલાઈ જશે, તેવી ભવિષ્યવાણી કરી દીધી છે !
ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળે, તે માટે એપીએમસીમાં ગ્રેડર રાખવાના મુદ્દે પણ ભાજપ પર પ્રહારો થઈ રહ્યા છે અને ડિજિટલ બોર્ડ પર માહિતી દર્શાવાતી નહીં હોવાના આક્ષેપો સાથે રાજ્યના એપીએમસી પર ભાજપના મળતિયાઓએ ગોડાઉનો પર કબ્જો જમાવી દેવાયો હોવાના સણસણતા પ્રહારો થઈ રહ્યા છે, અને તેની સામે આને વિપક્ષની હતાશા ગણાવતા પ્રતિપ્રહારો થઈ રહ્યા છે, ત્યારે સહકારીક્ષેત્રે પણ રાજકારણ ગરમાયુ છે. આ પ્રકારના પ્રહારો કરાવનાર ભાજપના જ પરિબળો હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.
આ તમામા ઘટનાક્રમો વચ્ચે જયારે ખેડૂતો માવઠાના મારથી પીડિત છે, ત્યારે રાજનીતિ ઉપર ઉઠીને શાસકપક્ષ અને વિપક્ષો પ્રોપાગન્ડા બંધ કરીને હકીકતમાં ખેડૂતોની વચ્ચે જઈને તેઓને મદદરૂપ થાય, તે જરૂરી હોવાના તટસ્થ પ્રતિભાવો પડી રહ્યા છે.
એક વર્ગ એવો પણ છે કે જેને વરસાદી પ્રકોપથી માલ-મિલકત, દુકાનો-ઘરવખરી કે રોજગારીના સાધનોને નુકસાન થયું હોય અને માંડ માંડ ગુજરાન ચલાવતા આ પ્રકારના લોકોને પણ સરકારે ખેતીના નુકસાનની જેમ જ સર્વે કરાવીને સહાયભૂત થવું જોઈએ, તેવી જનમાંગણીને પણ વિપક્ષોનું સમર્થન મળશે, તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દિવાળીના તહેવારોમાં લાભપાંચમ વીતી ગઈ, પરંતુ હજુ દેવદિવાળી-તુલસીવિવાહ સુધીનો સમયગાળો તથા દિવાળી વેકેશનનો સંયોગ હોવાથી હજુ પણ યાત્રા-પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓની નોંધપાત્ર અવર-જવર રહેવાની છે, અને બીજી તરફ કારતક મહિનામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ સહિતના ધાર્મિક અને પારંપારિક પ્રસંગો-કાર્યક્રમોની શ્રૃંખલા પણ ચાલી રહી હોવાથી હજી પણ માહોલ ધમધમતો જ રહેવાનો છે.
નવું વર્ષ શરૂ થયું અને લાભપાંચમ સુધી રજાઓ ભોગવ્યા પછી બજારો અને માર્કેટીંગ યાર્ડો પુનઃ ધમધમવા લાગ્યા. મીની વેકેશન માણીને વ્યાપારી વર્ગ તથા ઔદ્યોગિક ક્ષેત્રના કેટલાક લોકો પાછા પોતપોતાના કામે લાગ્યા.
જામનગરમાં પણ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો તથા શ્રીમદ્ ભાગવત સપ્તાહોના કારણે હજુ પણ એકાદશી અને દેવદિવાળી સુધી ધમધમાટ રહેવાનો છે, અને તેમાં પણ શરૂસેક્શન રોડ પર ચાલી રહેલી જિગ્નેશ દાદાની કથાએ અનોખું આકર્ષણ જમાવ્યું છે, અને ત્યાં દરરોજ હજારો લોકો ઉમટી રહ્યા છે.
નવા વર્ષ, નવી આશા, નવો ઉમંગ અને નવા સપના સાકાર કરવાની ઊર્જા આ પ્રકારના મંગલમય આયોજનોમાંથી પણ મળતી હોય છે. બીજી તરફ ખેતીવાડીની મહત્ત્વપૂર્ણ સિઝન પણ શરૂ થતી હોય છે, જેમાં ખરીફ પાકો લણીને તેનું વેંચાણ કરવા માટે ખેડૂતો માર્કેટ સુધી પહોંચતા હોય છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેલ બગાડ્યો છે, પરંતુ એકંદરે આ વર્ષ કૃષિક્ષેત્રે કાંઈક આશાવાદી ચિત્ર પણ ઊભું થયું છે, જેમાં ખેડૂતોની માંગણી મુજબ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની મર્યાદા વધારવામાં આવે, તો તે ખેડૂતો માટે નવા વર્ષનું બોનસ ગણાશે, જો કે આ માટે નવેસરથી મિકેનિઝમ કે પ્રક્રિયા કરવી પડે, તો પણ આપણી અદ્યતન બનેલી 'સિસ્ટમ' તે માટે સક્ષમ છે. બસ, વારંવાર સર્વ ડાઉન થવા ન જોઈએ કે પછી તેવા પ્રકારની બહાનાબાજી કરીને સરકારી કામો માટે લોકોને ધક્કા ખવડાવવાની માનસિક્તા નિરંકુશ બને નહિં, તેનો ખ્યાલ સરકારે રાખવો જરૂરી છે!!
ગુજરાત એકંદરે સમૃદ્ધ રાજ્ય ગણાય છે, અને ગુજરાતીઓ કોઈપણ ક્ષેત્રે મેગા આયોજનો કરીને તેને સફળ પણ કરતા હોય છે, અને ધાર્મિક, સામાજિક અને હેલ્થ સેક્ટર પાછળ એકસાથે જંગી ખર્ચવાળા આયોજનો પણ થતા હોય છે. આમ છતાં રાજ્યમાં બાળકોના આરોગ્ય ક્ષેત્રના એક ચિંતાજનક સમાચારે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.
કેન્દ્રના સ્ટેટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન વિભાગ દ્વારા એક સ્ટડીના જે તારણો જાહેર કરાયા છે, તે ચોંકાવનારા છે. 'ચિલ્ડ્રન ઈન ઈન્ડિયા'ના વર્ષ ર૦રપ ના રિપોર્ટમાં વર્ષ ર૦૧૬ થી વર્ષ ર૦ર૩ સુધીના આરોગ્ય, શિક્ષણ, પોષણ વિગેરેના આંકડાઓની સમીક્ષા કરીને જે તારણો નીકળ્યા, તેમાં ગુજરાતના બાળકોમાં મધૂપ્રમેહ માટે વધુ પડતા સંવેદનશીલ હોવાનું જણાવાયું છે.
આ તારણો મુજબ એ સમયગાળામાં ૧૦ થી ૧૯ વર્ષના વયજુથના લગભગ ત્રણ ટકા જેટલા બાળકો ડાયાબિટીસથી પીડાતા હતાં, જે આંકડો દેશના ડાયાબિટીસથી પીડાતા બાળકોની તે સમયની ૦.૬ ટકાનો સરેરાશ કરતા લગભગ પાંચ ગણો વધુ હતો.
આ વયજુથમાં પ્રિ-ડાયાબિટિક બાળકોની કેટેગરીમાં ગુજરાતના ર૦.૯ ટકા બાળકો હતાં, અને લગભગ એટલા જ એટલે કે ર૦.૮ ટકા પાંચથી નવ વર્ષની વયજુથના બાળકો પણ બોર્ડર પર હોય તેવા પ્રિ-ડાયાબિટિક જણાયા હતાં. આ ચોંકાવનારા આકંડાઓ જાહેર થયા પછી રાજ્યમાં ડાયાબિટીસના દર્દીઓના અંદાજ અને બાળકોમાં આ બીમારી વધવાના કારણોની ચર્ચા થાય, તે જરૂરી પણ છે અને સ્વાભાવિક પણ છે.
માત્ર ડાયાબિટીસ જ નહીં, અન્ય કેટલાક પરીક્ષણો પણ ચોંકાવનારા હતાં. ગુજરાતના બાળકોમાં ૬.૪ ટકા હાઈરટેન્શન, ૪.૪ બાળકોને હાઈ કોલેસ્ટ્રોલ, ૧૭.૪ ટકા બાળકોને હાઈ ટ્રાયગ્લિસરાઈડ્ઝ અને રપ.૪ ટકા બાળકોને હાઈ એચડીએસ જેવી જે સ્વાસ્થ્ય માટે જોખમી સ્થિતિ જણાઈ હતી, તે હૃદયરોગના દરવાજા ખખડાવનારી અને ચિંતાજનક જણાઈ હતી.
આ રિપોર્ટ વ્યાપક પરામર્શ, સંકલન, પરીક્ષણો તથા તેના તારણોના પરિણામોના આધારે હવે જ્યારે જાહેર થયો છે, ત્યારે રાજ્યમાં બાળકોના સ્વાસ્થ્ય માટે શાળા બાળ આરોગ્ય તપાસણી અને સારવારના કાર્યક્રમો ઉપરાંત બાળ આરોગ્યના જતન માટે માતા-પિતા-વાલીઓ અને બાળકો માટે અલગ-અલગ જનજાગૃતિ કાર્યક્રમો તથા હેલ્થવર્કસ અને ખાસ કરીને ગ્રાસરૂટ પર કામ કરતા આરોગ્ય કર્મચારીઓ-તબીબો-નર્સીંગ સ્ટાફ વિગેરે માટે વિશેષ તાલીમ આપતા વર્કશોપ પણ યોજવા પડે અથવા તેની ગતિ અને સંખ્યા તથા સંવેદનશીલતા વધારવાની જરૂર છે.
નવા વર્ષે જ્યારે વડીલો આશીર્વાદ આપે, કે પછી ભક્તો ભગવાનને પ્રાર્થના કરે ત્યારે પોતાના, પરિવાર અને સમાજના અને ઘણાં લોકો વિશ્વના કલ્યાણ અને સૌના સારા સ્વાસ્થ્ય, દીઘાર્યુષ્ય તથા સુખ-સમૃદ્ધિની કામના વ્યક્ત થતી હોય છે, ત્યારે આ વર્ષે નૂતન વર્ષે આપણે બધા સાથે મળીને બાળ-સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણ તથા બાળમજૂરીની નાબુદી માટે સહિયારા પ્રયાસો કરીએ તે જરૂરી છે. બધી જ બાબતે માત્ર સરકાર અને તેના તંત્રો પર જ આધાર રાખવાના બદલે આપણે સ્વયં તથા સમાજો-સંસ્થાઓ પણ આ અંગે જાગૃત અને સહયોગી બને, તે અત્યંત જરૂરી છે, અને તેમા ખાસ કરીને ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને માતૃ-બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરતા વિભાગો તથા સંસ્થાઓનું 'વાસ્તવિક' યોગદાન અને સંકલન થવું અત્યંત જરૂરી છે.
માત્ર બાળકો જ નહીં, તમામ વયુથના ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈપરટેન્શન જેવી 'કાયમી' બીમારીઓ વકરવા પાછળ અનિયમિત ભોજન, જંકફૂડનો અતિરેક, વ્યાયામ-શ્રમનો અભાવ, બેઠાડું જીવન, આઉટડોર શારીરિક રમત-ગમતની સંસ્કૃતિમાં ઘટાડો, મોબાઈલ સેલફોનમાં ઓનલાઈન ગેઈમ કે અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ પાછળ ગાંડપણ અને અંતર્મુખી બની રહેલું બાળપણ વિગેરે વધુને વધુ ખતરનાક બની રહેલા પરિબળો છે, અને જો અત્યારથી જ નહીં ચેતી જઈએ, તો આપણી આગામી પેઢી માયકાંગલી, બીમારીગ્રસ્ત અને લાચાર બની જશે, તેથી જાગ્યા ત્યારથી સવાર...
આમ તો માત્ર ગુજરાત જ નહી, દેશભરમાં બાળઆરોગ્ય, બાળપોષણ, બાળશિક્ષણ, બાળ સુરક્ષા અને બાળગુનાખોરીની સમસ્યા વધુને વધુ વકરી રહી છે. તેથી આ મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોએ માત્ર પ્રચાર કરવાના બદલે સંવેદનશીલ ઢબે વધુ પ્રયાસો કરીને આ ગંભીર મુદ્દાઓ માટે પ્રયાસો કરવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે આપણે દિવાળી ધામધૂમથી ઉજવી. રાતભર રોશની, ખાણીપીણી અને હરવા-ફરવાના આયોજનો થયા, તો ફટાકડા પણ ફૂટ્યા. આનંદોત્સવ ઉજવાયો. અયોધ્યામાં દિવાળીની ઉજવણી કાંઈક અલગજ આકર્ષણ સાથે ઉજવાઈ. દેશ-દુનિયામાં ઉજાસ અને ઉમંગના પર્વને મનભરીને ઉજવવામાં આવ્યું.
વિક્રમ સંવતમાં આ વખતે આસો વદ અમાવસ્યા બે ભાગમાં વહેંચાયેલી હોવાથી આજે ખાલી દિવસ છે, જેજે તળપદી ભાષામાં "ધોકો" કહેવામાં આવે છે. આવતીકાલે સંવત ૨૦૮૨નો પ્રારંભ થશે. આજે જે ખાલી દિવસ અથવા ધોકો છે, તે પ્રકારે ઘણી વખત જુદી જુદી વિક્રમ સંવતની તિથિઓ વચ્ચે ખાલી દિવસ આવતો હોય છે, જે ક્યા કારણે આવે છે, અને તેની પાછળનું ગણિત કેવું હોય છે, તે જાણવું પણ રસપ્રદ બની રહ્યું છે.
ઈસ્વીસન પહેલા ૫૭ વર્ષ અગાઉ વિક્રમ સંવતની શરૂઆત રાજા વિક્રમાદિત્યે કરાવી હતી. વિક્રમ સંવતમાં તિથિઓનો ક્ષય અથવા તિથિઓની વૃદ્ધિ અવાર-નવાર આવે છે, જેથી ઘણી વખત એકજ તિથિ બે દિવસ વચ્ચે વહેંચાઈ જાય છે. આ જ કારણે આ વર્ષે વિક્રમ સંવત ૨૦૮૧ની આસો વદ અમાસ બે તારીખો વચ્ચે વહેંચાયેલી છે., અને ૨૦મી ઓક્ટોબરે દિવાળી પછી આજે પણ સાંજ સુધી અમાસ છે, અને તે પછી વર્ષ ૨૦૮૨ બેસતું હોવાથી આવતીકાલે નૂતનવર્ષ ઉજવાશે. અને આજે વચ્ચેના ખાલી દિવસે પણ ધાર્મિક આયોજનો સહિતના વિશેષ દિવસોની ઉજવણી થઈ રહી છે, તેનું મહાત્મય પણ ઘણું જ મહત્ત્વપૂર્ણ અને કાંઈક અલગ જ છે.
ચંદ્ર અને સૂર્યની પરિક્રમા પર આધારિત જુદા જુદા કેલેન્ડરો વચ્ચે તાલમેલ બેસાડવા વિક્રમ સંવતમાં તિથિક્ષય અને તિથિવૃદ્ધિ થતા હોય છે. જાણકારોના જણાવ્યા મુજબ ચંદ્ર પર આધારિત એક મહિનામાં ૨૯.૫ દિવસો હોય છે, જ્યારે સૂર્ય પર આધારિત કેલેન્ડર મુજબ વર્ષના ૩૬૫ દિવસો હોય છે. આથી દર મહિને આ તફાવતને સરભર કરવા માટે ગણતરી થતી હોય છે, અને તે મુજબ સમયાંતરે તિથિક્ષય અથવા તિથિવૃદ્ધિ થતી હોય છે. યોગાનુયોગ સંવત ૨૦૮૧ના અંતિમ દિવસે જ તિથિવૃદ્ધિ થતા આ વર્ષે દિવાળી અને નૂતનવર્ષની વચ્ચે "ધોકો" આવ્યો છે અને આવતીકાલે જ નૂતનવર્ષની ઉજવણી થવાની છે.
ચંદ્રના ૧૨ ચક્કર લગભગ ૩૫૪ દિવસોમાં થાય છે, જ્યારે સૂર્યના ૧૨ ચક્કર અંદાજે ૩૬૫ દિવસે સંપન્ન થતા હોય છે, તેથી અંદાજે ૧૧ દિવસોનો તફાવત સરભર કરવા તિથિક્ષય અને તિથિવૃદ્ધિનો આધાર લેવો પડતો હોય છે. ચંદ્ર આધારિત હિન્દુ કેલેન્ડરને સૂર્ય આધારિત કેલેન્ડર સાથે સમયોજિત કરવા માટે કેલેન્ડરમાં તિથિક્ષય અથવા તિથિવૃદ્ધિ કરીને બંને કેલેન્ડરને સંરેખિત રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.
તિથિ નક્કી કરવા માટે ભારતીય પંચાંગ અનુસાર ઈસ્વીસનની તારીખની જેમ હિન્દુ કેેલેન્ડરમાં તિથિ બદલતી હોતી નથી. સૂર્ય અને ચંદ્રની અલગ-અલગ ગતિ અને જુદા જુદા પથ હોવાથી તિથિ અને તારીખનું નિર્ધારણ અલગ-અલગ રીતે થાય છે, અને બીજા દિવસે કોઈપણ સમય સુધી ચાલુ રહે છે. ટૂંકમાં તારીખ જે રીતે રાત્રે ૧૨ વાગ્યે બદલી જાય છે, તેવી રીતે તિથિ બદલતી હોતી નથી.
ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ પછી શરૂ થયેલા ઈસ્વીસન અનુસાર અત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં વહીવટ ચાલે છેે, પરંતુ તે શાસકીય, નાણાકીય અને વ્યવહારિક સમાનતા અને સંયોજન જાળવવા માટે હોય છે, જ્યારે ભારતમાં વિક્રમ સંવત મુજબ કારતક સુદ એકમથી આસો વદ અમાસ સુધીના વર્ષને પારંપારિક, સાંસ્કૃતિક અને વ્યવહારિક દૃષ્ટિએ એક વર્ષ માનવામાં આવે છે, જો કે, મૂળ હિન્દુ સંસ્કૃતિમાં યુગાબ્દની દૃષ્ટિએ અલગ મહિનાઓ વચ્ચેનું વર્ષ ગણાય છે, જ્યારે ઈસ્વીસન ૭૮માં શરૂ થયેલા શકસંવત મુજબ કેટલાક દેશોમાં વ્યવહારો ચાલે છે. આ તમામ ભૌગોલિક અને પંચાંગની ગણતરીઓના કારણે જ તિથિક્ષય, તિથિવૃદ્ધિ અને અધિક મહિનો આવે છે, અને આ વિષય ઘણો જ ગહન, ગાણિતિક અને અટપટો લાગે છતાં, તે ઘણો જ મહત્ત્વપૂર્ણ અને પારંપારિક છે.
આપણાં જ્યોતિશ શાસ્ત્રમાં ઘણુંજ ઊંડુ ગણિત તથા ગ્રહોની ગતિ, સૂર્ય ચંદ્રના ભ્રમણ અને ઋતુચક્રની માઈક્રોમેથ્સ ગણતરીઓ આધારિત ભવિષ્ય લખવાની પદ્ધતિઓ શિખવવામાં આવે છે, અને ગ્રહોની ભ્રમણગતિ તથા સ્થાનના આધારે સુત્રો અને દાખલા ગણીને જુદા જુદા તારણો કાઢવામાં આવતા હોય છે.
એકાદશી, વાગબારસ અથવા વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ધોકો, લાભ પાંચમ અને છઠ્ઠનું પર્વ મળીને એક અઠવાડિયા જેટલું લાંબુ હોવાથી તથા તેમાં શિક્ષણક્ષેત્રે તથા ન્યાયક્ષેત્રે વેકેશનોનું સંયોજન થતા આ વર્ષે દિવાળીનું પર્વ લોકો પૂરેપૂરા સમયનો ઉપયોગ કરીને મનભરીને માણી રહ્યા છે, તેવા સમયે અગ્નિશામક તંત્રો, હેલ્થ સેક્ટર, સેનીટેશન, સ્ટ્રીટલાઈટ, ટ્રાફિક નિયમન, કાયદો-વ્યવસ્થા અને યાત્રાધામો તથા પ્રવાસ પર્યટન સ્થળોમાં જરૂરી મૂળભૂત વ્યવસ્થાઓ જાળવતા પાણી પુરવઠો, વીજ પુરવઠો, આવશ્યક પુરવઠો જાળવી રાખવાની વ્યવસ્થાઓ જાળવવા માટે રજાઓનો ત્યાગ કરીને કાર્યરત રહેતા અધિકારી-કર્મચારીઓ, સ્વયંસેવકો તથા સરહદે બાહ્ય અને ગામડાઓ, શહેરોમાં આંતરિક સુરક્ષા જાળવવા કાર્યરત તૈનાત જવાનો અને ઈન્ટરનેટના અદ્યતન ઓનલાઈન વ્યવસ્થાઓ જાળવતા તમામ લોકોને બિરદાવવા જોઈએ.
આજે ધોકો છે, અને આવતીકાલે નૂતનવર્ષ પછી ભાઈબીજથી લાભપાંચમ સુધી વેકેશનનો માહોલ રહેવાનો છે, અને હવે તો છઠ્ઠ માતાજીના તહેવારની ઉજવણી પણ દેશવ્યાપી બની છે. યુ.પી. અને બિહારમાં છઠ્ઠના પર્વનું વિશેષ મહત્ત્વ છે અને ઉત્તર ભારતના રાજ્યોમાં આ તહેવાર ધામધૂમથી મનાવાય છે. અને સૌરાષ્ટ્ર સહિત હવે વિશ્વભરમાં રઘુવંશી પરિવારો દ્વારા કારતક સુદ સાતમના દિવસે જલારામ જયંતી ધામધૂમથી ઉજવાય છે. જામનગર સહિત જલારામ જયંતીની ઉજવણી માટે તૈયારીઓ આજથી શરૂ થઈ ગઈ છે. "નોબત" પરિવાર આ તમામ તહેવારોની શુભકામનાઓ સૌ કોઈને પાઠવે છે.
ગુજરાતીમાં એક કહેવત પ્રચલિત છે કે, "નવી ઘોડી, નવો દાવ..." ગુજરાતમાં રાજકીય ક્ષેત્રેથી એવા સંકેતો મળી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મહત્તમ ફેરફારો કર્યા પછી હવે નવા પ્રદેશ ભાજપ પ્રમુખ પોતાની ટીમ બનાવશે અને પ્રદેશ ભાજપમાં નવા હોદ્દેદારો તથા કારોબારી નિમાશે. આ નવા પ્રાદેશિક માળખામાં હાલારમાંથી કોને મહત્ત્વનો હોદ્દો અપાશે, અને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયેલા મંત્રીઓના કારણે ઊભી થયેલી નારાજગી દૂર કરવા રાજ્યભરના ભાજપના માળખામાં કેવા ફેરફારો થશે તેની ઉત્કંઠા વધી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે દિપાવલી છે, અને સંવત ૨૦૮૧નો છેલ્લો દિવસ છે. આમ, તો આજે બપોર પછી આસો વદ અમાસ જ રહેશે તેથી વિક્રમ સંવતનો અંતે આ વર્ષે બે દિવસો છે, તેમાંથી આજે દિવાળી ઉજવાઈ રહી છે અને આવતીકાલે 'અવકાશ' રહેશે, જેને આપણે ગામઠી ભાષામાં 'ધોકો' કહીએ છીએ. તા. ૨૨મી ઓક્ટોબરે નૂતનવર્ષ ઉજવાશે એટલે કે કારતક સુદ એકમથી વિક્રમ સંવત ૨૦૮૨ શરૂ થશે. આજે ઘેર-ઘેર રંગોળીઓ દોરાઈ છે, આતશબાજી થઈ રહી છે. વેપારીઓ ચોપડા પૂજન કરી રહ્યા છે. મીઠાઈઓની આપ-લે થઈ રહી છે. લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં રોનક છે, મંદિરોમાં વિશેષ દર્શનો થઈ રહ્યા છે અને અન્નકોટ મનોરથો સહિતના વિશેષ મનોરથો, સેવા-પૂજા-મહાપ્રસાદના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં કેટલાક સમાજોમાં આજે બાળકોની "હાટડી" ભરવાનો રિવાજ પણ પ્રચલીત છે. મોટા ભાગે રઘુવંશી વ્યાપારી સમાજના લોકો સંતાનોના નામની "હાટડી" ભરે છે, અને ભગવાન સમક્ષ મીઠાઈ-ફરસાણ, ફ્રૂટ-ડ્રાયફ્રૂટ અને વિવિધ પ્રકારની વાનગીઓ ધરીને અને દીપમાળા પ્રગટાવીને વિશેષ સેવા-પૂજા કરે છે, તે પછી પ્રસાદ લોકોને વહેંચીને સામૂહિક રીતે ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. આવી જ રીતે જુદા જુદા સમાજોમાં વિવિધાસભર પરંપરાઓ અને રિવાજો મુજબ દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે અને દીપાવલી પર્વની શુભકામનાઓ પણ અપાઈ રહી છે. ઘરો શણગારાયા છે, આજે રાત્રે ઠેર-ઠેર દીપમાળાઓ, રોશની અને સુશોભન-શણગાર સાથેનો અનોખો ઝગમગાટ અદ્ભુત દૃશ્યો ઊભા કરશે. અયોધ્યામાં તો લાખો દીવડાઓની વિક્રમસર્જક રોશની આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે અને આજે દીપાવલીના દિવસે ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકની ઉજવણી પણ અયોધ્યાની રામ જન્મભૂમિ સહિત દેશ-વિદેશમાં થઈ રહી છે.
ગુજરાતના યાત્રાધામો રોશની સુશોભનથી ઝળહળી રહ્યા છે અને યાત્રિકો-પ્રવાસીઓનો પ્રવાહ પણ વધી રહ્યો છે, જ્યારે હરવા-ફરવાના સ્થળો તથા ઐતિહાસિક અને હેરિટેજ સાઈટ્સ પર પણ પર્યટકો વધી રહ્યા છે, જામનગરમાં નવીનીકરણ પછીનો ભુજીયો કોઠો, તળાવની પાળ, રણજીતસાગર સાઈટ, નગરના બાગ-બગીચા તથા અન્ય તમામ હરવા-ફરવાના સ્થળો, મંદિરો, ધાર્મિક સ્થળો તથા હોટલ-રેસ્ટોરન્ટો-ભોજનાલયો-ડાઈનીંગ હોલમાં ભીડ ઉમટવા લાગી છે. જામનગરમાં તો બે-ત્રણ દિવસથી ઘણાં રેસ્ટોરન્ટો, ડાઈનીંગ હોલ અને હોટલ્સની "ઓનલાઈન" તથા "હોમ ડીલીવરી"ની સેવાઓ કામચલાઉ રીતે બંધ કરવી પડી હતી, કારણ કે એટલા બધા ઓર્ડર આવ્યા હતા કે પહોંચી શકાય તેવું નહોતું. બીજી તરફ મોટી હોટલો, રિસોર્ટસ, ટ્રાવેલ્સ તથા નાના-મોટા વાહનોમાં એડવાન્સ બુકીંગ પણ છેલ્લા એક અઠવાડીયામાં વધી જતાં ઘણાં સ્થળો હાઉસફૂલ થઈ ગયા છે. દિવાળીના તહેવારોમાં દેશ-વિદેશના પ્રવાસ-પર્યટન અને પારિવારિક તથા સામાજિક પ્રવાસો વધ્યા છે અને ટૂર પેકેજોના માધ્યમથી ઘણાં બધા લોકો પ્રવાસ-પર્યટન માટે અન્ય રાજયો કે દેશોમાં પણ પહોંચ્યા છે.
જામ-ખંભાળીયની ડમ્પીંગ સાઈટ સળગી, તેથી જે ચિંતા સર્જાઈ, તેના પરથી તમામ હરવા-ફરવાના સ્થળો, મંદિરો, બાગ-બગીચા, હોટેલ-રિસોર્ટસ, ધાર્મિક-સામાજિક સ્થળો, વાહન મથકો, પાર્કિંગ સ્થળો, દર્શનીય-ઐતિહાસિક કે હેરિટેજ સ્થળો, રેલવે-બસ વિમાનમથકો સહિત જ્યાં જ્યાં લોકોની ભીડ થતી હોય, તેવા તમામ સ્થળો પર વિશેષ સાવધાની રાખવાની ચેતવણી પણ અપાઈ રહી છે. અને લોકોને ફટાકડા ફોડીને આતશબાજી કરતી વખતે તથા દીપમાળાઓ કે દર્શન-પૂજન-સામૂહિક આરતી વગેરે કરતી વખતે વિશેષ સાવચેતી રાખવાની સલાહ અપાઈ રહી છે.
દ્વારકામાં જગતમંદિરનો ઝળહળાટ અને નગરીમાં ધમધમાટ દુનિયાભરમાં વિવિધ આધુનિક માધ્યમોથી પ્રસરી રહ્યો છે. અગિયારસથી લાભપાંચમ સુધી જગતમંદિરમાં વિવિધ પ્રકારના વિશેષ દર્શન થઈ રહ્યા છે અને થવાના છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ હુંડી લખી હતી અને તે શામળીયા શેઠે અથવા શામળશાએ સ્વીકારી હતી, તેની સ્મૃતિઓને પણ આવરી લેવામાં આવી રહી છે. સુદર્શન બ્રિજના આકર્ષણ સાથે ભગવાન દ્વારકાધીશના નિવાસસ્થાન મનાતા બેટ દ્વારકા ઉપરાંત લોકો દ્વારકા સંકુલના બીચ શિવરાજપુર, ઓખામઢી અને નાગેશ્વર તથા હર્ષદ માતાજી, જલારામ મંદિર સહિતના દ્વારકામંડળના સ્થાનિક મંદિરોમાં પણ ઉમટી રહ્યા છે.
આપણા દેશના વિવિધ પ્રદેશોમાં વિવિધ તહેવારો-પ્રસંગો અને પરંપરાઓ પ્રચલીત છે, જે હવે પ્રદેશ-ભાષા-જ્ઞાતિ-જાતિ-સમાજના સિમાડા તોડીને સાર્વજનિક થઈ ગયા છે. ગુજરાતના ગરબા આખી દુનિયામાં પ્રસર્યા છે તો મહારાષ્ટ્રનો ગણેશોત્સવ પણ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં પ્રચલીત થયો છે., દિવાળી પછી લાભપાંચમ સુધીમાં નૂતનવર્ષ, ભાઈબીજ અને તે પછી દેવદિવાળીના તહેવારો તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સદીઓથી ઉજવાતા હતા, પરંતુ હવે દિવાળી પછી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઉજવાતું છઠ્ઠનું પર્વ પણ આપણે ત્યાં ઘણું જ પ્રચલીત થયું છે. છઠ્ઠના બીજા દિવસે કારતક સુદ સાતમના દિવસે જલારામબાપાની કર્મભૂમિ વીરપુર તથા જામનગર-હાલાર સહિત દેશ-દુનિયામાં ઠેર ઠેર જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થાય છે, અને રઘુવંશી પરિવારોના સમૂહ ભોજનના કાર્યક્રમો પણ ઘણાં સ્થળે યોજાય છે. જલારામ જયંતી પણ હવે વૈશ્વિક બની છે. આમ, વિવિધતામાં એકતાના સુત્રને સાર્થક કરતી આ ઉજવણીઓ વિશ્વવ્યાપી બની છે, તેમાં અદ્યતન ટેકનોલોજી, ઈન્ટરનેટ, સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયાનું આધુનિકરણ, ઈલેકટ્રોનિક મીડિયાનું કવરેજ, મુખ્ય સ્થળોના સુધરેલા માર્ગો, પરિવહન બુકીંગ અને ટ્રાન્સ્પોર્ટેશનની વધેલી સુવિધાઓ, રોડ-રેલવે-હવાઈ પરિવહનની સુધરી રહેલી અને વિસ્તૃત બની રહેલી સગવડો તથા લોકોમાં પ્રવાસ, પર્યટન અને ધર્મ-ભક્તિ સાથે આનંદ-મોજ-મસ્તીના સંયોજન સાથે આયોજનપૂર્વકના ક્ષમતા મુજબના ટૂર પેકેજોના વિકલ્પો સાથે ગ્રુપ બનાવીને ફરવા જવાની મનોવૃત્તિ પણ કારણભૂત છે.
બીજી ટર્મમાં ચૂંટાયા પછી વિવાદાસ્પદ બનેલા ટ્રમ્પની સામે આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો હોય તેમ લાખો લોકો સડક પર ઉતર્યા હોય કે દિલ્હીમાં જંતરમંતર પર દેશના પેન્શનરોના દેખાવો થયા હોય, અધકચરા યુદ્ધ વિરામોના કારણે ઈઝરાયલ-ગાઝા-હમાસ જેવા ધૂંધવાતા ભારેલા અગ્નિ હોય કે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંઘર્ષ, ચીન-અમેરિકા ટ્રેડ વોર અને રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે પછી પાકિસ્તાન સહિતના દેશોમાં આંતરિક ગ્રહ યુદ્ધ ફાટી નીકળ્યા હોય, આ વખતે અનેક પ્રકારના આરોહ-અવરોહ અથવા ઉતાર-ચઢાવ છતાં આપણો દેશ વિચલીત થયો નથી, તે આપણાં દેશની જનતાની તાકાત છે.
હવે વિક્રમ સંવત ૨૦૮૨ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે નવા વર્ષે દુનિયામાં તૂંડ મિજાજી, તાનાશાહી અને સરમુખત્યારશાહી ધરાવતી શાસનવ્યવસ્થાઓ પર અંકુશ આવે, અથવા નષ્ટ થાય, સુખ-શાંતિ અને સહ-અસ્તિત્વના સિદ્ધાંત સાથે વિશ્વશાંતિ સ્થપાય અને વિશ્વકલ્યાણને કેન્દ્રમાં રાખીને દુનિયાના બધા દેશો પરસ્પર સહયોગી બનીને આગળ વધે તેવી આશા રાખીએ અને નવું વર્ષ આખી દુનિયા માટે મંગળમય, શાંતિમય અને વિકાસ તથા કલ્યાણમય બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરીએ.
'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો, ઈ-પેપરના વાચકો, વીડિયો સમાચારના દર્શકો, નોબતની વિવિધ સોશ્યલ મીડિયા એક્ટિવિટીઝના ફોલોઅર્સ, મોબાઈલ ફોન-વ્હોટ્સએપ બ્રેકીંગ ન્યુઝના ગ્રુપના સભ્યો, ગ્રાહકો, વિજ્ઞાપનદાતાઓ, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો સહિત સૌ કોઈને દિવાળીની શુભકામનાઓ પાઠવે છે, અને નવું વર્ષ સુખ-શાંતિ-સમૃદ્ધિ સારૃં સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય આપનારૃં નિવડે, તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ વ્યક્ત કરે છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ધનતેરસ છે. ભગવાન ધન્વન્તરિનો પ્રાગટ્ય દિવસ છે. અને આજે ઘનલક્ષ્મી માતાજીનું પૂજન પણ થાય છે. આજે લોકો શુકનવંતી ખરીદી કરે છે અને શુભકાર્યો કરે છે. સોનાના આસમાને પહોંચેલા ભાવોના કારણે સોનાની ખરીદી કરવી જેની પહોંચની બહાર હોય, તેવા લોકો આજે ટોકન પૂરતી ખરીદી કરીને કે ચાંદીના આભુષણોની ખરીદી કરી રહ્યા છે., અને આજે ધન્વન્તરિ જયંતી નિમિત્તે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિના પ્રચાર-પ્રસાર સહિત સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે.
બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળને ખાતાઓની ફાળવણી પછી આજથી પોત-પોતાના કાર્યભાર સંભાળી રહ્યા છે અને દિવાળીના તહેવારોમાં પોત-પોતાના મત વિસ્તારો તથા વતનના ગામોમાં પહોંચશે, ત્યારે તેઓને લોકો આવકારશે. જે નવા મંત્રીઓ બન્યા છે, તેઓના નિવાસસ્થાનો, વતન અને કાર્યસ્થળો પર ધમધમાટ વધ્યો છે, જ્યારે સ્વાભાવિક રીતે જ જેઓને ભૂપેન્દ્ર પટેલની સરકારમાંથી પડતા મુકાયા છે, ત્યાં ભીડભાડ અને લોકોની ચહલ-પહલ ઓછી થઈ જશે. જો કે, તેઓ ધારાસભ્ય તરીકે પોતાની સેવાઓ ચાલુ જ રાખશે, પરંતુ મંત્રીપદે હોય તેવો દબદબો નહીં રહે.
આ વખતે મંત્રીમંડળમાં કેટલાક એવા મંત્રીઓ છે, જેઓ હાલમાં કાયમી ધોરણે જુદા જિલ્લા કે શહેરમાં નિવાસસ્થાન ધરાવે છે, અને તેઓ જ્યાંથી ચૂંટાયા છે તે મતક્ષેત્ર અલગ જિલ્લામાં છે અને/અથવા વતન જુદા જિલ્લામાં છે. જો કે, મંત્રીપદ મળ્યા પછી તો ગાંધીનગરમાં મંત્રીઓનો ફાળવાતા બંગલાઓમાં રહીને જનસેવા કરવાની હોવાથી તેઓનો લાભ તેમના કાયમી નિવાસસ્થાનના શહેર/ગામ, વતનનો જિલ્લો અને પોતાના મતક્ષેત્ર સહિત સમગ્ર રાજ્યને મળશે. બીજી દૃષ્ટિએ જોઈએ તો આ પ્રકારની વ્યૂહરચના અથવા માપદંડ "ચાણક્ય નીતિ" હેઠળ પણ ગોઠવાઈ હોઈ શકે છે. જે હોય તે ખરૃં, મંત્રી તો આખા રાજ્યના હોય, અને આખા રાજ્યનું પ્રતિનિધિત્વ જ કરવું પડે, તે પણ હકીકત છે.
જામનગર શહેરના ધારાસભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના વિશ્વસનીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક એન પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે, હાલારને બે કેબિનેટકક્ષાના મંત્રી સામે એક રાજ્યકક્ષાના મંત્રી મળ્યા છે અને રાજકોટને તો કોઈ મંત્રીપદ મળ્યું નથી, તેથી આ વખતે કાંઈક અલગ જ દૃષ્ટિકોણ અને રણનીતિથી હાઈકમાન્ડે મંત્રીમંડળની પસંદગી કરી હોય તેમ જણાય છે. એક હકીકત છે કે આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઈટાલીયા વિસાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી જીતી ગયા તે પછી દર વખતે ખોબલે ખોબલે ભાજપને મતો આપતા મતદારોના બદલાતા મિજાજને પારખીને આ વખતે સૌરાષ્ટ્રને વધુ પ્રતિનિધિત્વ મળ્યું છે અને નવા મંત્રીઓની પસંદગીમાં મતવિસ્તારવાર તથા મેરિટને ધ્યાને લઈને જ માપદંડો નક્કી કરાયા હોય તેમ જણાય છે. ટૂંકમાં એક જ લાકડે ધણ વાળવાની માનસિકતાના સ્થાને ઊંડુ મનોમંથન તથા બદલતી જનભાવનાઓની પણ નોંધ લેવાઈ હોય તેમ લાગે છે.
દિવાળી ટાણે ભારતમાં ઉત્સવનો માહોલ છવાયો છે, અને વહેલા પગાર અને ખાનગી ક્ષેત્રે પણ અપાઈ રહેલા પ્રોત્સાહનો છતાં હજુ એકંદરે બજારોમાં અત્યાર સુધી જોઈએ તેવી રોનક જોવા મળતી નહોતી, પરંતુ આજથી બજારો ધમધમશે, પ્રવાસન સ્થળોમાં ચહલ-પહલ વધશે અને યાત્રાધામોમાં ભીડ વધવા લાગશે, તેથી તંત્રો પણ તેની તૈયારીઓમાં વ્યસ્ત બની રહ્યા છે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોમાં વૈશ્વિક શાંતિભંગ અને કેટલાક દેશોમાં ગ્રહયુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે રશિયા-યુક્રેન ઉપરાંત નવા યુદ્ધો શરૂ થવા લાગ્યા છે, તેની ચિંતા વધી છે.
જો કે,જગત જમાદારની ભૂમિકાના ચિત્રવિચિત્ર હરકતો કરતા રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાક સહિત સાત-આઠ યુદ્ધો સમાપ્ત કરી દેવાયા હોવાનો દાવો કરતા રહે છે. અને હવે અફઘાનિસ્તાન-પાકિસ્તાનનું પૂર્ણકક્ષાનું યુદ્ધ સમાપ્ત કરવાનું સરળ હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.
જામનગર જિલ્લાને રાજયના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું, પરંતુ વન, પર્યાવરણ અને ખાસ કરીને પ્રવાસન મંત્રી તરીકે એકંદરે સારૃં કામ કરતા ખંભાળીયાના ધારાસભ્ય અને ભાણવડના વતની મૂળુભાઈ બેરાને પડતા મુકાયા અને દ્વારકા જિલ્લાને કોઈ વૈકલ્પિક પ્રતિનિધિત્વ પણ મળ્યું નહીં. જ્ઞાતિ-જાતિની દૃષ્ટિએ કચ્છ જિલ્લાને પ્રતિનિધિત્વ આપીને ભલે સમીકરણ સરભર કરી દેવાયું હોય, પરંતુ દ્વારકા જિલ્લાનું પ્રતિનિધિત્વ ખુંચવાઈ જતા થોડી નારાજગી જોવા મળી રહી છે.. બીજી તરફ પડોશના જિલ્લા પોરબંદરને કેન્દ્ર સરકાર પછી હવે રાજ્ય સરકારમાં પણ કેબિનેટ કક્ષાનું મંત્રીમંડળ મળતા એકંદરે ઘેડ-બરડા-બારાડી-હાલારના સંયુક્ત ક્ષેત્રનું પ્રતિનિધિત્વ વધ્યું છે, તેવા તારણો પણ ખોટાં નથી.
દિવાળીના તહેવારોમાં જ બદલાયેલી રાજ્ય સરકાર હવે વધુ ગતિશીલતાથી કામ કરશે અને અધુરા કામો ઝડપથી પૂરા થશે, તેવી આશા લોકો રાખી રહ્યા છે. હવે, જામનગરનો ફ્લાય ઓવર બ્રિજ પણ દિવાળી પછી ટૂંક સમયમાં ખુલ્લો મૂકી દેવાશે, તેવી હૈયાધારણા પણ અપાવા લાગી છે !!
અફઘાનિસ્તાને "વટ"થી ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં પાકિસ્તાન સાથે રમવાની ના પાડી દીધી, તે પછી ભારતીય ટીમે પણ હવે પછી કોઈપણ પ્રકારની ક્રિકેટ મેચ કે અન્ય રમતો પાકિસ્તાન સાથે રમવી જોઈએ નહીં, તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુદ્ધ વિરામ છતાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હૂમલો કર્યો અને તેમાં કેટલાક ક્રિકેટરો પણ માર્યા ગયા, તે પછીનો ઘટનાક્રમ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મોટું યુદ્ધ ફાટી નીકળશે, તેવા સંકેતો પછી હવે ટ્રમ્પ આ સંભવિત ભીષણ યુદ્ધ કેવી રીતે અટકાવી શકે છે તે જોવાનું રહ્યું...
રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર રિવાબા જાડેજાને આવકારીએ અને આજથી દિવાળીના તહેવારોની ઉજવણીએ વેગ પકડ્યો છે અને ધનતેરસ ઉજવાઈ રહી છે, ત્યારે "નોબત" પરિવાર અને માધવાણી પરિવાર પ્રિય વાચકો તથા નોબતની ઈન્ટરનેટ સાથે સંલગ્ન સેવાઓ સાથે સંકળાયેલા ફોલોઅર્સ સહિત સૌ કોઈને ધનતેરસની શુભકામનાઓ પાઠવે છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

