Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪ઃ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા આજે જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુંં હતુું.
દરેડ જીઆઈડીસી વિસ્તારમાં અસંખ્ય કારખાનાઓ ધમધમી રહ્યા છે. તેમાંથી અમુક કારખાનામાંથી ઝેરી કેમિકલ્સ યુકત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. તેના અનુસંધાને આજે જામનગરની પ્રદુષણ નિયંત્રણ કચેરીના સ્ટાફ દ્વારા દરેડ જીઆઈડીસી ફેસ-ર અને ૩માં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી અને કેટલાક સ્થળેથી પ્રદુષિત પાણીના નમુનાઓ પણ લીધા હતાં અને તેની નોંધ પણ કરી હતી. ખાસ કરીને ઈલેકટ્રોપ્લેટર્સ ના કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, કારણ કે તેમાંથી જ ઝેરી પાણી છોડવામાં આવતું હોય છે. આ ચેકીંગ કામગીરીની જાણ થતાં જ અમુક ફેકટરી સંચાલકો તાળા મારીને ચાલ્યા ગયા હતાં.
આ બાબતે કારખાના ધારકોમાંથી એવો સુર ઉઠ્યો હતો કે, જે-તે સમયે જીઆઈડીસી દ્વારા ઝેરી પાણીના નિકાલની કોઈ સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી ન હતી હવે કારખાનેદારોને તેમની ભૂલની સજા ભોગવવી પડી રહી છે. જ્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીએ પણ વર્ષો પછી આળસ ખંખેરી હોય તેમ જાણવા મળી રહ્યંુુ છે અને લાંબા સમયગાળા બાદ તેની ટીમ ઓફિસ છોડીને બહાર નીકળી છે.
આજે કરવામાં આવેલ ચેકિંગની સત્તાવાર વિગતો હજુ જાહેર થવા પામી નથી. ત્યારે આવા કારખાનાધારકો સામે કેવા પગલા લેવામાં આવે છે તે તો આવનારો સમય જ કહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag