Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની એચ.જે. દોશી આઈ.ટી.કોલેજમાં કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન

જિલ્લા રોજગાર કચેરી તથા નહેરૃ યુવા કેન્દ્ર દ્વારા

જામનગર તા.૧૪ઃ જામનગર જિલ્લા રોજગાર કચેરી અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા એચ.જે.દોશી આઈ.ટી.કોલેજમાં કારકિર્દી અને રોજગારલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર અંકીતભાઈ ભટ્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ વિષે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ એપ્લીકેશન દ્વારા ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી રોજગાર કચેરીની કામગીરી, રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ભરતીમેળાઓ વિષે પ્રેઝન્ટેશન દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને અનુસ્નાતક માટે વિવિધ તકો અને રોજગારીની તકો વિષે માર્ગદર્શન આપ્યું હતું.

સેમિનારના અંતે નહેરું યુવા કેન્દ્રના જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી શિખર રસ્તોગી દ્વારા આભારદર્શન કરીને આવા સેમીનાર દરેક કોલેજમાં થાય અને વિદ્યાર્થીઓને રોજગારીની તકો અને રોજગાર કચેરી વિષે માહિતી તેમજ અનુબંધમ પોર્ટલનો ઉપયોગ થાય તેમ જણાવ્યુું હતું. આ સેમિનારમાં ૧૩૬ જેટલા વિદ્યાર્થીઓેને માહિતી અને માર્ગદર્શન પી.પી.ટી. દ્વારા આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં એચ.જે.દોશી આઈ.ટી. કોલેજના આચાર્ય અને ડિરેક્ટર ડો. હંસાબેન શેઠ, રોજગાર કચેરીના પ્રેઝન્ટેટર ભાવનાબેન ગામીત, યુટ્યુબ મોટિવેશનલ સ્પીકર જયેશભાઇ વાઘેલા, યુએનડીપી પ્રોજેક્ટ ઓફિસર મિથુનભાઈ અને વિવેકાનંદ એકેડમીના પ્રોફેસર રાહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh