Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના હમાપર ગામમાં પરિણીતાએ અકળ કારણથી ખાઈ લીધો ગળાફાંસો

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૩ ઃ ધ્રોલ તાલુકાના હમાપર ગામના એક પરિણીતાએ અકળ કારણે ગઈકાલે પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. પોલીસે તેમના સંબંધીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

ધ્રોલ તાલુકાના હમાપર ગામમાં વસવાટ કરતા અલ્પાબેન નિર્મલભાઈ કાનગડ (ઉ.વ.૩૦) નામના પરિણીતા ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અકળ કારણે મરી જવાનો કઠોર નિર્ણય કરી તેઓએ પોતાના ઘરના એક ઓરડામાં રહેલા પંખામાં દોરી બાંંધી ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની સાંજના ચારેક વાગ્યે તેમના પરિવારને જાણ થતાં અલ્પાબેનને નીચે ઉતારી સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા ભાવેશભાઈ ઉર્ફે બોલાભાઈ જેસાભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. ધ્રોલ પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh