Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિર સાથે શંકરાચાર્ય આશ્રમ તેમજ કોલેજ, રમતગમતના મેદાનનું પણ આયોજન
જામનગર તા. ૧૪: જામનગર-લાલપુર રોડ પર દરેડમાં શારદાપીઠ (દ્વારકા) સંચાલિત બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ તેમજ તક્ષશિલા પરશુરામ ધામ દ્વારા ભગવાન પરશુરામજીના ભવ્ય મંદિરનું નિર્માણ થનાર છે. આ મંદિરના નિર્માણ કાર્ય અંગે જાણકારી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં સંસ્થા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સંસ્થાના ગુણવંતભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે દરેડના તક્ષશિલા સંકુલમાં છ હજાર ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં ૬પ ફૂટ ઊંચુ ભગવાન પરશુરામજીનું મંદિર બનાવવામાં આવશે. જેમાં મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન પરશુરામ પ્રતિમા ઉપરાંત પરશુરામજીના આદ્યગુરુ ભગવાન ગુરુદત્તાત્રેયજી તથા જગદ્ગુરુ શંકરાચાર્યજીની મૂર્તિનું પણ સ્થાપન કરવામાં આવશે.
આ મંદિરમાં દરરોજના નિત્ય ક્રમ પ્રમાણે પૂજા, શ્રૃંગાર, આરતી, થાળની વિધિ કરવામાં આવશે તેમજ વર્ષ દરમિયાન ધાર્મિકોત્સવ ઉજવવામાં આવશે.
આ મંદિરના નિર્માણ માટે ભગવાન પરશુરામના જન્મસ્થળ મધ્યપ્રદેશમાંથી પવિત્ર માટી લાવીને તેની ઈંટો બનાવવામાં આવી છે. આ ઈંટોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું તથા યજ્ઞ યોજાયો હતો. આ પૂજિત ઈંગો વડે જ આગામી તા. પ-પ-ર૦રપ ના દિને પરશુરામ મંદિરનો શિલાન્યાસ સંતો, મહંતો, જગદ્ગુરુ શંકરાચાર્યજી, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, બ્રહ્મસમાજના શ્રેષ્ઠીઓ ભાવિકોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ દિવસે બ્રહ્મચોર્યાસી સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
આ મંદિરના નિર્માણ સાથે તક્ષશિલા સંકુલના વિશાળ પરિસરમાં જ શંકરાચાર્ય આશ્રમનું પણ બાંધકામ કરવામાં આવશે. આ ત્રણ માળના ભવનમાં સાધુ-સંતોના રહેવાની તેમજ સત્સંગ વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં કોલેજ ભવન તેમજ રમતગમતના મેદાન બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial