Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧.૩૦ લાખનો કરાયો દંડઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક આસામી પાસેથી તેમના કૌટુંબિક સાળાએ રૂ.૧ લાખ ૩૦ હજાર હાથઉછીના લઈ આપેલો ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. આ આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કરાયો છે.
જામનગરમાં વસવાટ કરતા તથા ડ્રાઈવીંગનું કામ કરતા ધર્મેન્દ્રસિંહ રઘુભા વાળા પાસેથી વાવબેરાજામાં રહેતા ભરતસિંહ જીલુભા જાડેજાએ રૂ.૧ લાખ ૩૦ હજારની રકમ હાથઉછીની મેળવી હતી. તે રકમની પરત ચૂકવણી માટે ભરતસિંહે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ નોંધાઈ હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ભરતસિંહ જીલુભા જાડેજાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા રૂ.૧ લાખ ૩૦ હજાર વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં નહીં આવે તો વધુ ત્રણ મહિનાની કેદનો આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા, કપિલ તીર્થાણી, વી.યુ. ચાવડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial