Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ગીતા વિદ્યાલયમાં ગીતા જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો

આગામી ૧ ડિસેમ્બરે આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના કે.વી.રોડ, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સ્થિત અને પ.પૂ. મનહરલાલજી મહારાજ દ્વારા સ્થાપિત ગીતા વિદ્યાલયમાં તા. ૧-૧૨-૨૫ના ગીતા જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં બાળકોના હસ્તે સવારે ૯ વાગ્યે શ્રીમદ્ ભગવદ્ ગીતા, ભગવાન શ્રીકૃષ્ણ તથા શ્રી વેદ વ્યાસજીનું પૂજન, સવારે ૯ થી ૧૨ સમૂહમાં ગીતાજીના ૧૦૮ પાઠ, સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી ગીતા પાઠ અને ગીતાજીની આરતી કરવામાં આવશે. સંસ્થા દ્વારા યોજવામાં આવેલ અધ્યાય કંઠસ્થ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તથા અન્ય સ્પર્ધાઓમાં ઉત્તીર્ણ થયેલ બાળકોને પુરસ્કાર આપવામાં આવશે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કિરીટભાઈ ગોસ્વામી (બાળગીત અને બાળવાર્તા સર્જક) ઉપસ્થિત રહી પ્રાસંગિક વકતવ્ય આપશે. સર્વેને ઉપસ્થિત રહેવા જામનગર ગીતા મંદિર ટ્રસ્ટના મંત્રીએ અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh