Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવનમાં
શ્રી ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન, જામનગરમાં શ્રીમતી અપર્ણા જાની અને શ્રીનિવાસ જાનીની પુત્રી કુ. મૌલિ શ્રીનિવાસ જાની એ કથક નૃત્ય શૈલીમાં મંચ પ્રવેશ કાર્યક્રમ શિવ-આરાધના રજૂ કરી હતી. તેણીએ શિવ-સ્તુતિ, ત્રિતાલ, ઠુમરી, તરાના, ગદભાવ, નવરસ, શ્રી કૃષ્ણ ધૂન, શિવ ધૂનની કથક નૃત્ય માં પ્રસ્તુતિ કરી હતી. તે પછી તેણીની નૃત્યમાં પારંગતતા બદલ ગુરુ શ્રી ડો. નેહાબેન શુક્લના વરદ્ હસ્તે તેની શિષ્યાને વિસારદની પદવી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી પ્રો. વસૂબેન ત્રિવેદી, નરેન્દ્રભાઇ ત્રિવેદી, તપોવન ફાઉન્ડેશનના ફોઉન્ડર રાજેનભાઈ જાની, ગૌડ મેડતવાડ બ્રાહ્મણ સમાજ જામનગરના પ્રમુખ પરેશભાઈ જાની, પત્રકાર સંજય જાની, ઉદ્યોગપતિ વિજયભાઇ સંઘવી તથા આજેશભાઈ પટેલ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતાં. પ્રારંભમાં પ્રસ્તાવના અને મહેમાનોનું સ્વાગત હીમાંશુભાઈ જાની તથા આભાર વિધિ ડો. વિભાકર જાની અને કાર્યક્રમનું સંચાલન દર્શી મારુ, હેત્વી વડગામા, લલીત જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial