ચિરવિદાય

જામનગરઃ રેખાબેન રાજેશભાઈ ગોસાઈ (ઉ.વ.૫૨) તે રાજેશભાઈ ગોવિંદજી ગોસાઈના પત્ની, સ્વ. અમૃતલાલ મુળજી મોદીના પુત્રી, પ્રતાપભાઈ, કિશોરભાઈ, દિલેશભાઈ, સરલાબેન, પ્રિતિબેનના ભાભી અને પાર્થ, જાન્હવીના માતા, કરણકુમાર ધિરેનભાઈ દાસાણીના સાસુનું તા. ૩ ના અવસાન થયું છેે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૫ ને શનિવારના સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન સુખનાથ મહાદેવ મંદિર, રાજપાર્ક, જામનગરમાં રાખેલ છે.

જામનગર (મૂળ વસ્તડી) નિવાસી ભૂપતસિંહ અમરસિંહ ગોહીલ (ઉ.વ.૬૮) તે જયેન્દ્રસિંહના મોટાભાઈ, રાજેન્દ્રસિંહ અને રામસિંહના પિતાનું તા. ૩ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૪ ને શુક્રવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ વાગ્યે પાબારી હોલ, તળાવની પાળ પાસે,જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

જામનગર : કરશનદાસ લાલજી રાબડીયા (ઉ.વ.૯૩) નું તા. ૧ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૪ ના શુક્રવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, લોબી નં.૧, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

જામનગર નિવાસી મો.કાસીમ અબ્દુલ કાદીર અલ્વારે, તે ડો. વસીમ , ઈમરાન, ઈરફાન, શાહીન ના પિતાનું તા. ૩૦ જૂનના અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૩ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ ગીતામંદિર, મહાવીર સોસાયટી, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh