Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક દ્વારા અકસ્માત વીમાનો પાંચ લાખનો ચેક અર્પણ

સ્વર્ગસ્થ મનસુખભાઈ ડૈયાના પરિવારને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: તાજેતરમાં જામનગર ખાતેની સુપ્રિન્ટેડેન્ટ પોસ્ટ ઓફિસ કચેરીમાં એક હ્ય્દયસ્પર્શી કાર્યક્રમ યોજાઇ ગયો. જે અંતર્ગત ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા લેવામાં આવેલી ગ્રુપ અકસ્માત જીવન વીમા પોલિસી અંતર્ગત પીઠડ ગામના સ્વર્ગસ્થ મનસુખભાઈ ડૈયાના ધર્મપત્ની ગં.સ્વ. પાર્વતીબેન મનસુખભાઈ ડૈયાને રૂા. ૫,૦૦,૦૦૦/- નો વીમાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ ડૈયાનું જામનગર-મોરકંડા પાસે માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. તેમણે વાર્ષિક માત્ર રૂા. ૨૮૯/- નું પ્રીમિયમ ભરીને આ રૂા. ૫,૦૦,૦૦૦/- ની ગ્રુપ અકસ્માત જીવન વીમા પોલિસી લીધી હતી.

આ તકે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ચીફ મેનેજર  રોહિત ચહલ, સુપ્રિન્ટેડેન્ટ પોસ્ટ ઓફિસ જામનગર ડિવિઝન અભિજીત સિંહ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મેનેજર જામનગર બ્રાન્ચ રાહુલ દ્વિવેદી, અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેડેન્ટ જામનગર પિનાકિન શાહ ઉપસ્થિત રહૃાા હતા. મહાનુભાવોના હસ્તે વીમાની રકમનો ચેક સ્વર્ગસ્થના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના માધ્યમથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા સામાજિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર ઉજાગર થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh