Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરમાં અકળ કારણથી પરિણીતાએ ખાધો ગળાફાંસોઃ
જામનગર તા. ૧: જામનગરના વાલ્મિકીનગરમાં રહેતા એક પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે સલાયા નજીકના આથમણાબારામાં એક મહિલાએ પોતાના પતિના કૌટુંબિક દિયર સાથેના ઝઘડાના કારણે ચિંતા સેવી વિષપાન કર્યા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
જામનગરની આયુર્વેદ હોસ્પિટલ પાછળ આવેલા વાલ્મિકીનગરમાં રહેતા ભારતીબેન શ્યામભાઈ પરમાર નામના પચ્ચીસ વર્ષના પરિણીતાએ ગઈકાલે સાંજે પોતાના ઘરે ઉપરના ઓરડામાં જઈ છતમાં રહેલા હુંકમાં કોઈ કારણથી દોરી બાંધ્યા પછી ગળાટૂંપો ખાઈ લીધો હતો.
આ બાબતની તેમના પરિવારને જાણ થતાં આ મહિલાને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. દીપકભાઈ બાબુભાઈ પરમારે પોલીસને જાણ કરી છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના આથમણાબારા ગામમાં રહેતા ધર્મિષ્ઠાબા રાજેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.ર૪) નામના પરિણીતાએ ગયા બુધવારે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ મહિલાનંુ ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે.
મૃતકના પતિ રાજેન્દ્રસિંહ મુળુભા પરમારે પોલીસને જાણ કરી છે. તેઓએ જણાવ્યા મુજબ પતિ રાજેન્દ્રસિંહને તેણીના કૌટુંબિક દિયર સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી તેની ચિંતામાં રહેતા ધર્મિષ્ઠાબાએ વિષપાન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial