Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહામતિ શ્રી પ્રાણનાથજી પ્રાગટય મહોત્સવની ત્રિદિવસીય ઉજવણીનું આયોજન

શ્રી પ.નવતનપુરીધામ ખીજડા મંદિરે તા. ૧૯ સપ્ટેમ્બરથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિરમાં તા. ૧૯ સપ્ટેમ્બર થી ૨૧ ઓક્ટોમ્બર, ૨૦૨૫ સુધી ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.

મહામતિશ્રી પ્રાણનાથજીનો જન્મ જામનગરમાં વિક્રમ સંવત ૧૬૭૫ ભાદરવા વદ ચૌદશને રવિવાર ( ૬ સપ્ટેમ્બર - ૧૬૧૮ ) ના રોજ જામરાજાના દીવાન કેશવરાયજીને ત્યાં થયો હતો. તેઓએ જામનગરથી પન્ના (મ.પ્ર.) સુધી ધર્મયાત્રા કરી સામાજિક જાગૃતિ , ધાર્મિક ચેતના અને રાજનીતિ ક્ષેત્રે નવા ક્રાંતિકારી મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે. ધર્મપ્રચાર યાત્રા દરમ્યાન ૧૮૭૫૮ ચોપાઈઓ પ્રકટી હતી. તેમનું સંકલન શ્રી તારતમ સાગર''માં થયું છે. માનવીના આધ્યાત્મિક ઉત્થાનની સાથો-સાથ સમાજ સુધારણાનો ઉપદેશ આપી વિશ્વ ધર્મની બુનિયાદ ખડી કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને વિશ્વ કલ્યાણના મહાન સંદેશ દ્વારા વ્યક્ત કરી માનવ જાતને સાતા આપવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રતિ વર્ષે મહામતી શ્રી પ્રાણનાથજીનો જન્મોત્સવ જામનગરમાં દેશ-વિદેશથી હજારો ભાવિકો ધર્મપ્રેમી ભક્તોની હાજરીમાં ઉજવવામાં આવે છે.

મહામતિ શ્રી પ્રાણનાથજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે જામનગર અને ગુજરાત તેમજ આસપાસના જિલ્લાઓમાંથી તેમજ અન્ય રાજ્યો ઉપરાંત દેશ વિદેશમાંથી આવેલા સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થિતિમાં તારતમ સાગરની અખંડ પારાયણનો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ અને સંતો મહંતોની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ થનાર છે. પ્રતિવર્ષે મહામતિ શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવની દબદબાભેર ઉજવણી થાય છે.  જે મુજબ આ વર્ષે પણ ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અવસરે પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે તા.૧૯, સપ્ટેમ્બર,૨૦૨૫ના શુક્રવારે શ્રી તારતમ સાગરની પારાયણ અને મહોત્સવનો શુભારંભ થશે. બીજા દિવસે એટલે કે, ૨૦ ઓકટોબરના શનિવારે સવારે ૧૦ કલાકે પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા નૂતન ધ્વજારોહણ થશે ત્યારબાદ બપોરે ૩ કલાકે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પણ નીકળશે. જે શોભાયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મહામતિ શ્રી પ્રાણનાથજીના જન્મ સ્થાન 'શ્રી પ્રાણનાથ મેડી મંદિર' થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુનઃ ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થશે. તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ને રવિવારના *શ્રી તારતમ સાગર''ના શ્રી ૧૦૮ પારાયણની સવારે ૧૦:૩૦ વાગ્યે પૂર્ણાહુતિ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh