Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે દ્વારકાના સ્વામિનારાયણ આશ્રમમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૯: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારકા અને પૂ. રણછોડદાસજી બાપુ, ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ તેમજ માતુશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે.ચે. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૦-૩-ર૦ર૬ ને મંગળવારના દ્વારકાના નાગેશ્વર રોડ પર આવેલ સ્વામિનારાયણ આશ્રમમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે.

આગામી મંગળવારે સવારે ૯-૩૦ થી ૧૧ વાગ્યા સુધી યોજાનાર નેત્રયજ્ઞમાં રણોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના ડોક્ટર્સની ટીમ સેવા આપશે. નેત્ર નિદાન કરી દર્દીઓને દવા આપવામાં આવશે. મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને કેમ્પના દિવસે રાજકોટ લઈ જઈ આધુનિક ફેકો મશીનથી વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણિ બેસાડી પરત દ્વારકા લાવવામાં આવશે. દર્દીઓને લાવવા-લઈ જવા, રહેવા-જમવાની વ્યવસ્થા પણ નિઃશુલ્ક કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh