હૈદરાબાદ / દિલ્હી તા. ૧૮ઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સમાપન-વ્યાખ્યાનમાં, રામચંદ્ર મિશનનાં ૭૫ વર્ષ પૂરા થયા, તે નિમિત્તે સહજ માર્ગના (હાર્ટફૂલનેસ મેડીટેશનનાં) અભ્યાસીઓને અભિનંદન આપતા જીવનની અનિશ્ચિતતાઓ સામે લડત આપવામાં યોગનો સહારો લેવા પર ભાર મૂક્યો હતો. શ્રી રામચન્દ્ર મિશનના અધ્યક્ષ અને હાર્ટફુલનેસ માર્ગના માર્ગદર્શક, શ્રી કમલેશ પટેલ (દાજી) સહિત, લાખો હાર્ટફુલનેસ ધ્યાન-પદ્ધતિના અભ્યાસીઓ તથા નવા સાધકો, આ વર્ચ્યુઅલ સમાપન-સમારોહના સહભાગીઓ હતા. સહજ માર્ગ તરીકે પણ ઓળખાતા શ્રી રામચંદ્ર મિશનના નેજા હેઠળ હાર્ટફુલનેસ, પ્રાચીન ધ્યાનની રાજ-યોગ પદ્ધતિની આધુનિક આવૃત્તિનો દુનિયાભરના ૧૫૦ દેશોમાં ફેલાવો થઈ રહ્યો છે. દુનિયાભરના લોકો, તેમના દૈનિક જીવનમાં સરળતાથી સ્વીકારી શકે તેવી પદ્ધતિનું સંકલન કરી તેનો લાભ લઈ રહ્યા છે.
વડાપ્રધાન શ્રી મોદીએ હાર્ટફુલનેસના માર્ગદર્શક શ્રી કમલેશ પટેલના પ્રયત્નોની પ્રશંસા કરતા જણાવ્યું કે આજની દુનિયામાં લોકો ઝડપથી આગળ વધવામાં માને છે. લોકોને સમયની અછત હોય છે. આવા સમયે, શ્રી રામચંદ્ર મિશન સહજ માર્ગ થકી લોકોને તંદુરસ્ત અને ઉર્જા-સભર રાખવામાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે. તમારા હજારો સ્વયંસેવકો અને પ્રશિક્ષકો દુનિયાને યોગ અને ધ્યાનની કળાનો પરિચય કરાવી રહ્યા છે. આ માનવ જાત પ્રત્યેની એક મહાન સેવા છે. તમારા પ્રશિક્ષકો અને સ્વયંસેવકોએ જ્ઞાનના સાચા અર્થને ચરિતાર્થ કર્યો છે. આપણાં પ્રિય કમલેશજી ધ્યાન અને આધ્યાત્મિકતાની દુનિયામાં દાજી તરીકે જાણીતા છે. હું માત્ર એટલું જ કહીશ કે તેઓ પાશ્ ચાત્ય દુનિયાના અને ભારતના સારા ગુણોનું સુંદર મિશ્રણ છે. દાજીના આધ્યાત્મિક નેતૃત્વ હેઠળ, શ્રી રામચંદ્ર મિશન, સમસ્ત દુનિયાને અને ખાસ કરીને યુવા પેઢીને તંદુરસ્ત શરીર સાથે તંદુરસ્ત મન માટે પ્રેરણા પૂરી પાડી રહ્યું છે.
હાર્ટફુલનેસ માર્ગદર્શક કમલેશ પટેલે (દાજીએ) સંબોધન કરતાં જણાવ્યું કે, *આમૂલ પરિવર્તન કરી શકનારો હાર્ટફુલનેસ મેડિટેશનનો લાભ પ્રાણાહુતિના (જીવન શક્તિના) સંચારણમાં રહેલો છે, જે આપણા અભ્યાસનું એક અનન્ય પાસું છે અને તે સાધકને તેનાં દરરોજનાં ધ્યાનને સરળ બનાવવામાં તથા તેનો લાભ મેળવવામાં મદદ કરે છે. સમગ્ર વિશ્વના લોકોને આ પ્રાચીન પરંપરાનું શિક્ષણ વિના મૂલ્યે મળી શકે તે માટે હાર્ટફુલનેસ સંસ્થા અથાક પ્રયત્નો કરી રહી છે. હાર્ટફુલનેસ અભ્યાસ એ શાંતિ પ્રાપ્ત કરાવી, સમાધી તરફ દોરી જતો સચોટ માર્ગ છે. આ પદ્ધતિ, અભ્યાસના પ્રથમ થોડા અઠવાડિયામાં જ ઊંડા ધ્યાન અને આનંદની સ્થિતિ પ્રદાન કરવા માટે જાણીતી છે.*
વડાપ્રધાને પોતાનાં પ્રવચનની શરૃઆતમાં જ મિશનને અભિનંદન આપ્યા અને હાર્ટફુલનેસના અભ્યાસીઓને પ્રેરણા આપતા જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણ અને સમાજને મજબૂત રીતે આગળ ધપાવવામાં આ ૭૫ વર્ષનો સીમાચિહ્નરૂપ ગાળો ખાસ મહત્ત્વ ધરાવે છે. આ લક્ષ્ય પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાનું પરિણામ છે કે આ મિશન આજે ૧૫૦થી વધુ દેશોમાં ફેલાયેલું છે. હૈદરાબાદમાંના હાર્ટફુલનેસના વૈશ્વિક વડા-મથકનાં (હેડક્વાર્ટરના) સંદર્ભમાં તેમણે કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે કાન્હા શાંતિવનમ એક એવા ક્ષેત્રમાં બાંધવામાં આવ્યું છે કે જે પહેલા ઉજ્જડ હતું. તે આપનું (દાજીનું) સમર્પણ અને પ્રતિબદ્ધતા છે. આપે તે ક્ષેત્રને હરિયાળા કાન્હા શાંતિવનમમાં પરિવર્તિત કરી દીધું છે.
તેમણે કહ્યું કે હાલ, ખાસ કરીને કોવિડ ૧૯ પછી, વિશ્વ ગંભીરતાપૂર્વક આરોગ્ય અને તંદુરસ્તીની જરૃરિયાત જોઈ રહ્યું છે. આ સંદર્ભે, ભારત પાસે આપી શકાય એવું ઘણું છે. આપણાં યોગ અને આયુર્વેદ, વૈશ્વિક તંદુરસ્તીમાં સ્વાસ્થ્યમાં પોતાનો ફાળો આપી શકે છે. આપણે તેના ફાયદાઓનું વૈજ્ઞાનિક રીતે વિસ્તૃત વર્ણન કરી, વિશ્વભરમાંથી લોકોને ભારતમાં આવી નવીનીકરણ પામવા માટે આમંત્રિત કરવા જોઈએ. તમારો પોતાનો હાર્ટફુલનેસ ધ્યાનનો અભ્યાસ, તે દિશામાંનું જ એક પગલું છે.
વૈશ્વિક સ્તરે દરેકને સ્પર્શતો અને બદલાવ લાવતો હાર્ટફુલનેસ કાર્યક્રમ
હાર્ટફુલનેસ વિષેઃ હાર્ટફુલનેસ જીવનશૈલી બદલવા માટે ધ્યાનની કેટલીક પદ્ધતિઓ પ્રસ્તુત કરે છે, જે સૌ પ્રથમ વીસમી સદીની શરૃઆતમાં વિકસાવવામાં આવી હતી અને ભારતમાં શ્રી રામચંદ્ર મિશન દ્વારા ૧૯૪૫માં આ પધ્ધતિને અભ્યાસ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ હૃદયમાં શાંતિ, ખુશી અને વિવેક લાવવાનો હતો. આ પદ્ધતિઓ યોગનું આધુનિક સ્વરૃપ છે, જે સંતોષ, આંતરિક સ્થિરતા અને શાંતિ, કરુણા, હિંમત, વિચારોમાં સ્પષ્ટતા વગેરેને મળી રહે, તે માટે રચાયેલ છે, જે હેતુપૂર્ણ જીવન જીવવા માટેનું પ્રથમ પગથિયું છે. આ પદ્ધતિ સરળ છે અને સરળતાથી અપનાવી શકાય તેવી છે અને પંદર વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ તે અપનાવી શકે છે. જીવનના દ રેક ક્ષેત્રના,દરેક સંસ્કૃતિના, કોઈ પણ ધર્મમાં માનનારા અને જુદી જુદી આર્થિક ક્ષમતા વાળા લોકો તેને અપનાવી શકે છે. વિશ્વભરમાં લાખો અભ્યાસીઓ હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિને અનુસરી રહયાં છે. હાર્ટફુલનેસ પદ્ધતિઓની તાલીમ અત્યારે હજારો શાળાઓ અને કોલેજોમાં ચાલુ છે તેમજ મહાનગરપાલિકાઓમાં, બિનસરકારી અને સરકારી સંસ્થાઓમાં વિશ્વભરમાં એક લાખથી પણ વધારે વ્યાવસાયિકો ધ્યાન કરી રહ્યા છે. હજારો પ્રમાણિત સ્વયંસેવકો અને તાલીમ આપનારાઓ ૧૬૦થી વધુ દેશોમાં કાર્યરત છે અને ૫૦૦૦થી પણ વધુ હાર્ટફુલનેસ કેન્દ્રો કાર્યરત છે.
શ્રી રામચંદ્ર મિશનના માર્ગદર્શકો
હાર્ટફુલનેસ ધ્યાનના પ્રથમ માર્ગદર્શક ફતેહગઢના શ્રી રામચંદ્ર હતા. (૧૮૭૩ ૧૯૩૧), જેઓ તેમના કુટુંબ અને સાથીઓ માટે લાલાજી તરીકે જાણીતા હતા. તેમણે લાંબા સમયથી લુપ્ત થયેલી પ્રાણાહુતિની કળા ફરીથી શોધી કાઢી હતી. તેમના સૌથી સક્ષમ શિષ્ય, શાહજહાંપુરના રામચંદ્ર (૧૮૯૯ ૧૯૩૧), જેઓ બાબુજી તરીકે જાણીતા છે. તેઓ લાલાજીના અધ્યાત્મિક પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયા હતા. બાબુજીએ સહજ માર્ગની ( હાર્ટફુલનેસ ધ્યાનની ) તકનીકોને વધારે શુદ્ધ બનાવી હતી અને તેમણે તેમના પ્રિય ગુરુજીના નામે એક બિનનફાકારક સંસ્થા, શ્રી રામચંદ્ર મિશનની સ્થાપના કરી હતી. તેમણે શ્રી પાર્થસારથિ રાજગોપાલાચારીજીને તેમના આધ્યાત્મિક પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા અને ત્યાર પછી શ્રી કમલેશ પટેલ (દાજી) હાર્ટફુલનેસના વર્તમાન માર્ગદર્શક છે.
હાર્ટફૂલનેસ કાર્યક્રમો-તેના લાભો
હાર્ટફુલનેસ પહેલ યોગ્ય રીતે જીવન ટકાવી રાખવાની રીત છે, જે જીવનના જુદા જુદા ક્ષેત્રના લોકોને સ્પર્શે છે. આમાં બીજા ક્ષેત્રો ઉપરાંત સ્વાસ્થ્ય, શિક્ષણ અને હરિયાળીની પહેલ છે. આમાંના કેટલાક કાર્યક્રમોની અસર નીચે આવરી લેવામાં આવી છે.
આરોગ્ય
દિવ્ય જનની કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યકરો અને આશા કાર્યકરોને તણાવનો સામનો કરવાની તાલીમ.
કોવિડની મહામારી દરમિયાન
આપણા સમાજને મદદ કરવામાં હાર્ટફફુલનેસનું યોગદાન
૧૦ લાખથી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું.
કોવિડ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓને લગભગ સાડા સાત લાખ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.
શિક્ષણ
હાર્ટફુલનેસ કેમ્પસ પ્રોગ્રામનો ૫૦૦૦થી વધારે યુનિવર્સિટી અને કોલેજને લાભ.
સરકારી અને ખાનગી શાળાઓના શિક્ષકો માટેનાં હાર્ટફુલનેસ એજ્યુકેશન ટીચર કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામમાં છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૧ કરોડ ૫૦ હજાર શિક્ષકોએ ભાગ લીધો.
ઁઈન્ઁ (ઁીટ્ઠિંકેઙ્મહીજજ ઈટૅીિૈીહષ્ઠી ન્ૈકીજ ઁર્ંીહંૈટ્ઠઙ્મ)ના નિઃશુલ્ક કાર્યક્રમ દ્વારા આત્મવિશ્વાસી અને સર્વાંગી વ્યક્તિ બનવા, ધોરણ ૧૦, ૧૧ અને ૧૨નાં ૧ કરોડ ૫૦ લાખથી વધારે વિદ્યાર્થીઓએ લાભ લીધો.
યુવાનોને મૂલ્ય આધારિત શિક્ષણ માટે પ્રેરિત કરવા હાર્ટફુલનેસ નિબંધ સ્પર્ધાનું આયોજન ૨૮ વર્ષથી કરવામાં આવી રહ્યું છે, જે દરેક વર્ષે ૨,૫૦,૦૦૦ શૈક્ષણિક સંસ્થાઓના ૧૦ લાખ વિદ્યાર્થીઓના જીવનને સ્પર્શી રહ્યું છે.
હાર્ટફુલનેસ એજ્યુકેશન શિક્ષકો, ટ્રેનરો અને વિદ્યાર્થીઓને વૈદિક ગણિતની તાલીમ પૂરી પાડે છે.
૧૦,૦૦૦થી વધારે ગરીબ વિદ્યાર્થીઓને મ્િૈખ્તરંીિ સ્ૈહઙ્ઘજ કે જે૫ થી ૧૫ વર્ષના બાળકો માટેનો સમજ-શક્તિના વિકાસનો કાર્યક્રમ છે, તેની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે.
પીએચ.ડી. કાર્યક્રમઃ અત્યાર સુધી ૨ છાત્રોએ મૂલ્ય આધારિત શિક્ષણની વિદ્યાર્થીઓની વર્તણૂક પરની અસરો અને માનવીના ગુણોમાં પરિવર્તન લાવવામાં હાર્ટફુલનેસની ભૂમિકા વિષય પર તેમના મહાનિબંધો પૂરા કરી લીધા છે અને યુનિવર્સિટી ઓફ મૈસુરની પીએચ.ડી. ની પદવી મેળવી લીધી છે. હજુ બીજા ૨૦ છાત્રો તેમના મહાનિબંધો તૈયાર કરી રહ્યા છે.
પર્યાવરણ-જાળવણીની પહેલ
પાંચ વર્ષમાં ૬૫ લાખથી વધારે વૃક્ષોને ઉછેરવામાં આવ્યા છે જેમાં દુર્લભ અને લુપ્ત થવાનું જોખમ ધરાવતી પ્રજાતિના વૃક્ષો પણ સામેલ છે.
માર્ગ પહોળા કરવા માટે કાપી નાખવાના હોય, એવા ૧૫,૦૦૦થી વધારે વૃક્ષોને એક જગ્યાએથી લાવીને, બીજી જગ્યાએ સફળતાપૂર્વક રોપીને નવજીવન આપવામાં આવ્યું છે.
તેલંગણામાં પહેલી વાર વરસાદી જંગલને સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે.
કાન્હા શાંતિવનમમાં ૬ લાખથી વધારે રોપા-ઉછેર કેન્દ્રો છે, જે પર્યાવરણને લીલુંછમ બનાવવા માટે રોપા પૂરા પાડે છે.