Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવેક દિવસ પહેલાં સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૧૦: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ટોલનાકા પછી આવેલી એસ્સાર ટાઉનશીપ તરફ શાપર પાટીયાથી ચાલીને આવતા એક પ્રૌઢને સપ્તાહ પૂર્વે મોટરે ઠોકર મારી હતી. સારવારમાં રહેલા આ પ્રૌઢનું મૃત્યુ થયું છે. મોટરચાલક સામે મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સિક્કા પાટીયાથી આગળ સિક્કા તરફના રોડ પર નાની ખાવડી ગામમાં વસવાટ કરતા ગંભીરસિંહ ભગવાનજી જેઠવા (ઉ.વ.પ૭) નામના પ્રૌઢ ગઈ તા.૧ની બપોરે બારેક વાગ્યે બેડ નજીકના શાપર ગામના પાટીયાથી એસ્સાર ટાઉનશીપ તરફ ચાલીને જતા હતા.
આ વેળાએ પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૧૦-ડીઈ ૩૪૮૦ નંબરની ઈકો મોટરે ગંભીરસિંહને હડફેટે લીધા હતા. જબરદસ્ત ટક્કર વાગતા આ પ્રૌઢ રોડ પર પછડાયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા ગંભીરસિંહને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર અજયસિંહ જેઠવાએ મોટરના ચાલક સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial