Advertisement
Author: નોબત સમાચાર

હોથીજી ખડબામાં દવાનો છંટકાવ કરતા ખેડૂતને હૃદયરોગના હુમલો

સારવારમાં લઈ જવાયા પછી થયું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામજોધપુરના હોથીજી ખડબા ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે એક ખેડૂત  પાકમાં દવાનો છંટકાવ કરતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

જામજોધપુર તાલુકાના રામવાડી-૧માં રહેતા દિનેશભાઈ બાવનજીભાઈ ઘોડાસરા નામના બાંસઠ વર્ષના વૃદ્ધ ગઈકાલે સાંજે હોથીજી ખડબા ગામના વાડી વિસ્તારમાં આવેલા પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરતા હતા.

આ વેળાએ છાતીમાં દુખાવો ઉપડતા દિનેશભાઈ ઢળી પડ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર હાર્દિક ઘોડાસરાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh