Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-પાક. વચ્ચે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ હતી ત્યારે
ખંભાળિયા તા. ૧રઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિતિ તથા સરહદે હુમલા તથા પ્રતિહુમલાના બનાવોના પગલે દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ બ્લેકઆઉટની સ્થિતિ સાથે લોકોનો સ્વયંભુ સારો પ્રતિષાદ મળ્યો હતો. ત્રણ દિવસ સુધી રોજ રાત્રે નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટો બંધ રહી તથા વેપારીઓ પણ પોતાની દુકાનોમાં તથા મોટી દુકાનોમાં રસ્તે ચાલુ રખાતા સાઈન બોર્ડ બંધ કરી લેવામાં આવ્યા હતાં. માત્ર એટીએમ પર નાની લાઈટો ચાલુ હતી. લોકોએ પણ સ્વયંભૂ પોતાના ઘર બહારની લાઈટો બંધ રાખવાની સાથે બારીઓમાં પડદા સાથે પ્રકાશ ઘરની બહાર ના જાય તેવી સાવચેતી રાખી હતી.
રાત્રે બાર-બે વાગ્યા સુધી રખડતા તથા ચા-નાસ્તની ધમધમાટ કરતા યુવાનોને પણ રાત્રે પોલીસ તંત્ર દ્વારા કડક ચેકીંગમાં ઘરભેગા કરાતા માતા-પિતાઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
ખંભાળિયા વેપારી મંડળના જયુભાઈ રાયચુરા, વિઠ્ઠલાણીભાઈ વિગેરે દ્વારા સોશિયલ મીડિયામાં સંદેશા મોકલીને જિલ્લા કલેક્ટર તથા તંત્રની સૂચના મુજબ બ્લેકઆઉટની સ્થિતિ હોય, રાત્રિના ૮ વાગ્યા સુધી વેપાર-ધંધા, દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા તથા કામ સિવાય રાત્રે ના નીકળવા તથા ઘરની બહારની લાઈટો બંધ રાખવા તથા રાત્રિ પેટ્રોલીંગમાં વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને સહકારની અપીલ પણ કરવામાં આવી હતી. દરરોજ રાત્રે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોય, શહેરના મંદિરોમાં દેવદર્શન જતા વૃદ્ધ સ્ત્રી-પુરુષો દ્વારા પણ તેમના દર્શન તથા આરતીનો સમય બદલાવી વહેલો કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial