Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર વર્ષે ૯ મી મે ના મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી વંદન કરવામાં આવ્યા હતાં. મહારાણા પ્રતાપનો જન્મ ૯ મે ૧પ૪૦ ના રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. તેમણે રણભૂમિમાં મુગલ શાસકોને ટક્કર આપી હતી. ગઈકાલ તા. ૯ ના તેમની જન્મ જયંતી નિમિત્તે જામનગરમાં કોંગ્રેસ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર અલ્તાફ ખફી, રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી ઉપરાંત કોંગ્રેસના ભરત વાળા, સાજીદ બ્લોચ, પ્રવિણભાઈ જેઠવા, એડવોકેટ જયેન્દ્રસિંહ ઝાલા, આનંદ ગોહિલ સહિતનાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial