Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પેટ્રોલ ભરાવવા લાંબી લાઈનો લાગી હતીઃ શાકભાજી-દૂધ-અનાજ ખરીદવા પડાપડી

ભારત-પાક. વચ્ચે યુદ્ધ લંબાયા તેવી આશંકા પછી ગભરાટ સાથે

                                                                                                                                                                                                      

ભારત-પાક. વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં બ્લેકઆઉટની જાહેરાતો, દુકાનો-વેપાર-ધંધા બંધ રાખવાની સૂચનાના પગલે લોકો ભયભીત થઈ ગયા હતાં અને યુદ્ધની સ્થિતિ લંબાય તો... તેવી આશંકા સાથે વાહનોમાં પેટ્રોલ ભરાવવા પેટ્રોલ પંપો ઉપર ઉમટી પડ્યા હતાં અને લાંબી લાંબી  લાગી ગઈ હતી. આ ઉપરાંત શાકભાજીની પણ લોકોએ જથ્થાબંધ ખરીદી કરી હતી. ગ્રેઈન માર્કેટ સહિત શહેરના પ્રોવિઝન સ્ટોરોમાં પણ લોકો અનાજ વગેરેની ખરીદી માટે દોડાદોડી કરતા નજરે પડ્યા હતાં, જો કે વહીવટી તંત્રએ લોકોને આવો કોઈપણ ડર નહીં રાખવા, પેટ્રોલ-ડીઝલ, શાકભાજી, અનાજ વગેરે મળી રહેશે તેવી સૂચના આપી હતી, પણ લોકોએ ચિંતા સાથે દોડાદોડી કરી મૂકી હતી. આ દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કેટલાક વિક્રેતાઓ દ્વારા બેફામ કાળાબજાર થયા હોવાની રાવ પણ ઊઠી હતી, અતે... યુદ્ધ વિરામની જાહેરાત થતા સૌએેેેેેેેેેેેેેેેેેેરાહતનો શ્વાસ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh