Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૧રઃ હવે પાકિસ્તાને કબુલ કર્યું છે કે તેની પાસે કોઈ પાયલોટ નથી. પાક. સેનાના જનરલ ચૌધરીએ કહ્યું, હું તમને બધાને સ્પષ્ટ કરવા માગું છું કે કોઈ પાયલોટ અમારી કસ્ટડીમાં નથી. આ બધી માત્ર સોશિયલ મીડિયાની અફવા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયું છે, જો કે આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણાં દાવા કરવામાં આવી રહ્યા છે કે, પાકિસ્તાની સેનાએ એક ભારતીય પાયલોટને પકડી લીધો છે.
ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં ભારતના એર માર્શલ એકે ભારતીએ સ્પષ્ટતા કરી હતી કે ભારતીય પાયલોટ સુરક્ષિત છે. હવે પાકિસ્તાની સેનાએ પણ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે, અને ભારતીય સેનાએ કરેલી ચોખવટની પુષ્ટિ કરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ પછી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આમાંનો એક દાવો એ છે કે એક ભારતીય પાયલોટ પાકિસ્તાનની કસ્ટડીમાં છે, જો કે હવે પાકિસ્તાની સેનાએ આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે, પાકિસ્તાન પાસે કોઈ ભારતીય પાયલોટ નથી. આ બધું ફક્ત સોશિયલ મીડિયા પ્રચાર છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જનરલ ચૌધરીને પૂછવામાં આવ્યું કે, શું કોઈ ભારતીય પાયલોટ પાકિસ્તાન સાથે છે અને જો હા, તો શું આપણે તેને ભારત પરત કરીશું? આના જવાબમાં જનરલ ચૌધરીએ કહ્યું કે અમારી પાસે તેમનો કોઈ પાયલોટ નથી.
ગઈકાલે સાંજે પ્રેસ બ્રિફીંગ દરમિયાન ભારતીય સેનાએ પણ સ્પષ્ટતા કરી હતી કે ભારતના તમામ પાયલોટ સુરક્ષિત છે. મીડિયા સાથે વાત કરતી વખતે એર માર્શલ એકે ભારતીએ કહ્યું હતું કે, 'અમે જે પણ લક્ષ્ય નક્કી કર્યું હતું તે પ્રાપ્ત કર્યું છે અને અમારા બધા પાયલોટ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial