Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એરપોર્ટ આજથી પુનઃ ખુલ્યું:

વર્તમાન સ્થિતિના કારણે બંધ કરાયેલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ પ્રવર્તમાન ઊભી થયેલી સ્થિતિ વચ્ચે જામનગરનું એરપોર્ટ બંધ કરાયું હતું, જેને આજથી પુનઃ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે, જો કે મુંબઈથી જામનગર આવનારી ફ્લાઈટ આજે આવશે નહીં. ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિના કારણે દેશમાં કેટલાક એરપોર્ટ મસુાફરી વિમાન માટે બંધ કરવામાં આવ્યા હતાં, જેમાં જામનગરનો પણ સમાવેશ થાય છે. પરંતુ પરિસ્થિતિમાં સુધારો થતા આજથી અનેક એરપોર્ટ પુનઃ ખોલી નાખવામાં આવ્યા છે. જેમાં જામનગર એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. જામનગરના એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ આજથી જામનગરનું એરપોર્ટ ખુલ્લી ગયું છે, જો કે મુંબઈથી જામનગર આવનારી ફ્લાઈટ આજે આવશે નહીં. સંભવતઃ આવતીકાલે ફ્લાઈટ જામનગર આવી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh