Advertisement
Author: નોબત સમાચાર

ઈનએક્ટિવ આયુષ્માન કાર્ડ રિન્યુની તાકીદ

દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૦ઃ રાજ્ય સરકાર દ્વારા 'માં વાત્સલ્ય' યોજનાના વાર્ષિક રૂા. ૪ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો, વાર્ષિક રૂા. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સિટીઝનો અને સામાજિક રીતે વંચિત જૂથના આયુષ્માન કાર્ડને આવકના દાખલાની (તા.૩૧-૦૩-૨૫ પહેલાની) સમયમર્યાદા પૂર્ણ થવાપાત્ર કુટુંબોના આયુષ્માન કાર્ડને ઈનએક્ટિવ કરવામાં આવેલ છે.

ઈનએક્ટિવ થયેલા આયુષ્માન કાર્ડને એક્ટિવ કરવા માટે યોજના હેઠળ જોડાયેલા તમામને સરકારી/ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે. રિન્યુ કરતા સમયે પી.એમ.જે.વાય. આઈ.ડી. બદલાશે નહીં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાભાર્થીઓને સરકારી/ખાનગી એમ્પેનલ હોસ્પિટલમાં જઈને નવા આવકના દાખલાની માહિતી અપલોડ કરાવી આયુષ્માન કાર્ડ વહેલી તકે કરાવી લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી. ચોબીસા દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh