Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના બરડીયામાં શનિવારે પુષ્ટિ સંપ્રદાયના શ્રીમદ્ ગુંસાઈજીનો પ્રાગટયોત્સવ ધામધૂમથી ઉજવાશે

પૂ.પા.ગો. કાલિન્દી વહુજી તથા લાલનશ્રી નૃસિંહલાલજીના માર્ગદર્શન હેઠળ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૦ઃ દ્વારકાના બરડીયા બેઠકજીમાં શનિવારે શ્રીમદ્ ગુંસાઈજી (વિઠ્ઠલનાથજી)ના ૫૧૧માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઊજવણી કરાશે. જેમાં કુનવારા મનોરથ - જલેબી ઉત્સવ તથા ભવ્ય અન્નકૂટ દર્શનનો ત્રિવેણી સંગમ રચાશે.

દ્વારકાના બરડીયા ગામે આવેલ ગુંસાઈજીની બેઠકમાં આગામી તા.૧૩-૧ર-ર૦રપ ને શનિવાર માગસર વદ ૯ ના  પુષ્ટિ સંપ્રદાયના શ્રીમદ્ ગુંસાઈજી (વિઠ્ઠલનાથજી)ના ૫૧૧માં પ્રાગટ્ય મહોત્સવની દ્વારકાના પૂ.પા.ગો. કાલિન્દીવહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલનશ્રી નૃસિંહલાલજી નટવરગોપાલજી મહારાજ (પોરબંદર-વેરાવળ-દ્વારકા-બરડીયા બેઠકજી તથા કંપાલા હવેલી)ના માર્ગદર્શનમાં ધામધૂમપૂર્વક ઊજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે બરડીયા ગુંસાઈજીની બેઠકજીમાં શનિવારે બપોરે ૧ઃ૩૦ થી રઃ૩૦ સુધી કુનવારા મનોરથ જલેબી ઉત્સવ તથા ભવ્ય અન્નકૂટ દર્શન યોજવામાં આવનાર છે. આ ધાર્મિક પ્રસંગોમાં સર્વે વૈષ્ણવોને ઉપસ્થિત રહેવા પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh