Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાની એસીસી કંપનીની નોંધો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા રદ્દ કરાતા જાગી ચર્ચા

દાયકાઓ પહેલા બંધ થયેલી કંપનીની કિંમતી જમીન માટે કાવાદાવા ?

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૦ઃ દ્વારકા શહેરની મધ્યમાં આવેલી એસીસી કંપની સને ૧૯૮૦ના દાયકામાં બંધ થયા પછી કાું ની જમીનો અનેક કાુંને આપવામાં આવી હતી. ત્યાર પછી આ જમીનો કરારો અને દસ્તાવેજથી વેચાણ અથવા તો લીઝથી ખાનગી લોકોને તબદીલ કરવામાં આવી હતી. જેની કાચી નોંધો સિટી સર્વે કચેરી દ્વારકામાં પાડવામાં આવી હતી.

આમ, આ જમીનની નોંધો મંજુર થાય તે પહેલા સ્થાનિક રહેવાસીઓએ જાહેર હિત ખાતર વાંધા રજૂ કર્યા હતા. અને પછી અદાણી કાું એ પણ તકરાક ઉઠાવી હોવાનું જાણવા મળે છે. આમ, કરોડો રૂપિયાની આ વિશાળ જમીન પર અનેક વિધ કાવાદાવાઓ ચાલતા હોય, જેના કારણે અનેક વખત જમીન ઉપર કાવાદાવા સમયાંતરે ગૂંચ ઊભી થઈ રહી છે. દ્વારકાના વિકાસની સાથે જયારે જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે એસીસીની આ જમીન ઉપર રાજકીય થી લઈને બિલ્ડર્સ લોબી સહિતની બાજ નજર હોય, જેથી આ વિવાદ ખૂબ જ લાંબો સમય ચાલે તેમ છે. સિટી સર્વે દ્વારા નોંધ. નં. ૧ થી ૧૯૯ તમામ રદ્દ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh