Advertisement
Author: નોબત સમાચાર

જય ભગવતી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ

૧૧ યુગલે માંડ્યા પ્રભૂતામાં પગલાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ જામનગરના ઓશવાળ સેન્ટરમાં જય ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને અનુસૂચિત જાતિ સમાજ સમૂહલગ્ન સમિતિ-ર૦રપ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૧ યુગલોએ પ્રભૂતામાં પગલાં માંડ્યા હતાં.

આ તકે સમૂહ લગ્નમાં જમણવારના દાતાશ્રી અને એફ.આઈ.પી.એલ. બિલ્ડીંગ ફ્યુચરના ઓનરજમનભાઈ ફળદુનું ફૂલહાર તથા પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ કાર્યમાં સહયોગ આપનારા દાતાશ્રીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

ટ્રસ્ટના કન્વિનર અને વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર આનંદભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદ પરિવારોને આ સમૂહલગ્નનો લાભ મળ્યો છે. કબાટ, પેટી સેટી, ટીપાઈ સહિતની ૬૦ થી વધારે વસ્તુઓ કરિયાવરમાં દીકરીઓને આપવામાં આવી છે.

સ્વ. નાથાભાઈ એમ. ખીમસૂર્યા અને સ્વ. મણિબેન એન. ખમીસૂર્યા (હસ્તેઃ મેયર વિનોદભાઈ ખીમસૂર્યા), હિરજીભાઈ કાનજીભાઈ સાગઠિયા, સ્વ. નંદલાલ પ્રાગડા (હસ્તેઃ જય નંદલાલ પ્રાગડા), હરદાસભાઈ કંડોરિયા, ક્રિષ્ના મોન્ટુ મુજર અને દેવજીભાઈ વાઘેલા (ધારા બ્રાસ) તથા યોગેશ કન્સ્ટ્રક્શન કેપિટલ ગ્રુપ તરફથી પ૧-પ૧ હજાર આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત પણ અનેક દાતાઓએ આર્થિક તથા વિવિધ વસ્તુઓ આપીને સહયોગ આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh