Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટીની ચેક પરતની ફરિયાદમાં એક વર્ષની કેદઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરની એક સોસાયટીના સભાસદ સામે ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા ફટકારી છે. જ્યારે એક કારખાનેદારને રૂા.પ લાખના ચેક પરતના કેસમાં બે વર્ષની કેદ આપવામાં આવી છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભાસદ જયકિશન હરીશભાઈ ખાનીયાએ સોસાયટીમાંથી લોન મેળવી હતી. તેની સામે ચેક અપાયો હતો. તે ચેક બેંક માંથી પરત ફરતા સોસાયટી દ્વારા અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ-૧૩૮ હેઠળ જયકિશન ખાનીયા સામે ફરિયાદ દાખલ કરાઈ હતી.
તે કેસ ચાલવા પર આવતા આરોપીને તક્સીરવાન ઠરાવી અદાલતે એક વર્ષની સજા, ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
જામનગરના યજ્ઞેશ મહેશચંદ્ર દવે પાસેથી રમેશકુમાર નાનજીભાઈ વિરાણીએ રૂા.૫ લાખ કટકે કટકે મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા યજ્ઞેશભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રમેશભાઈ વિરાણીને તક્સીરવાન ઠરાવી બે વર્ષની સજા તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ નીખિલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી, સમર્થ વેકરીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial