Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુર પંથકના મામલતદારે ૧૦૬ દબાણકારોને ફટકારી નોટીસઃ દોડધામ

ખંભાળિયા તા. ર૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત દબાણ હટાવ ઝુબેશ હાથ ધરવામાં આવનાર છે. કલ્યાણપુર પંથકના ૧૩૮ મિલકતો અન્વયે તંત્ર દ્વારા નોટીસો પાઠવાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારી અમોલ આવરેના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર મામલતદાર દ્વારા ૧૦૬ દબાણકારોને નોટીસ આપવામાં આવી છે, અને નિયત સમયમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા ઓપરેશન ડીમોલિશન હાથ ધરવામાં આવશે.

આમ કલ્યાણપુરનો વારો આવી રહ્યો છે, તો એમ લાગે છે કે, હવે ખંભાળિયા, ભાણવડનો પણ વારો આવી શકે છે. હાલ તો કલ્યાણપુર પંથકમાં નોટીસો ઈસ્યુ થતા દબાણકારોમાં દોડધામ મચી જવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh