Advertisement
Author: નોબત સમાચાર

દાદાની મિલકતમાં હક્ક હોવાનો પૌત્રીઓનો દાવો રીજેક્ટ કરવાની અરજી અદાલતે નકારી

હક્ક છોડ્યાનું રીલીઝ ડીડ કરી અપાયું નથીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરમાં રહેતા બે મહિલાએ પોતાના દાદાની ખરીદેલી જમીનમાં પોતાનો હક્ક હોવાનો અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો રીજેક્ટ કરવાની પ્રતિવાદીઓએ કરેલી અરજી અદાલતે નકારી છે.

જામનગર રેવન્યુ સર્વે નં.૪૯૭/૧ અને ૪૯૭/૨ માં જીવા ગોવાની ખેતીની જમીન આવેલી હતી. તે મિલકતમાં પુત્ર રવજી, ગોપાલ, મોહન, પુત્રી વેજીબેનનો હક્ક થતો હતો. ગોપાલ જીવાના અવસાન પછી તેમની પુત્રી વાસંતીબેન અને ચતુરાબેને અદાલતમાં દાવો કર્યાે હતો.

તેઓના જણાવ્યા મુજબ જીવા ગોવાના પુત્ર તરીકે ગોપાલ જીવાનો ઉભો થતો હક્ક ગોપાલ જીવાની પુત્રીઓને પ્રાપ્ત થાય છે. પ્રતિવાદીઓના કહેવા મુજબ વર્ષાે પહેલાં ગોપાલ જીવાની પુત્રીઓના હક્ક છોડ્યાની નોંધ થઈ છે. તેની સામે વાસંતીબેન તથા ચતુરાબેને કોઈ રજીસ્ટર્ડ રીલીઝ ડીડ કરી આપ્યું નથી તેવી દલીલ કરી હતી.

વાદીઓના જણાવ્યા મુજબ પિતા ગોપાલભાઈનું અવસાન થયું હતું અને વાદીઓને કાકાઓ પર ભરોસો હતો. રેવન્યુની નોંધથી મુદ્દત શરૂ થતી નથી પરંતુ તે નોંધની જાણ થાય ત્યારથી મુદ્દત શરૂ થાય છે તેમ પણ દલીલમાં જણાવાયું હતું. અદાલતે પ્રતિવાદીઓની આ દાવો રીજેક્ટ કરવાની અરજી નકારી છે. વાદી તરફથી વકીલ અનિલ કોઠારી, રવિન્દ્ર વાઘેલા, વિશાલ વાઘેલા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh