Advertisement
Author: નોબત સમાચાર

એટીએમમાં ભરવાના રૂા.૩૧ લાખની ઉચાપતના કેસમાં બે આરોપીની અટક

નાણાની ઉચાપતની કરાઈ હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના બે શખ્સે પોતાની પેઢી પાસે આવેલા અને જુદા જુદા એટીએમ સેન્ટરમાં જમા કરાવવાના નાણા ઘરભેગા કરી દીધાની પોલીસમાં ફરિયાદ થયા પછી બંને આરોપીને દબોચી લેવાયા છે.

જામનગરના નહેરૂનગરમાં રહેતા પ્રકાશ નાથાભાઈ મેરીયા તેમજ ખોડિયાર કોલોની નજીક હીરાપાર્કમાં રહેતા કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરીયા નામના બે શખ્સ એક બેંકની કસ્ટોડિયલ તરીકે કામ કરતી પેઢીમાં નોકરી કરતા હતા. જુદી જુદી બેંકના એટીએમમાં પૈસા જમા કરાવવા અથવા ઉપાડવાનું કામ કરતી પેઢીના આ કર્મચારીઓએ છેલ્લા સાતેક મહિનામાં રૂા.૩૧ લાખ ૩૬ હજાર ઘરભેગા કરી દીધા હતા.

આ શખ્સોએ જે તે બેંકમાંથી પેઢીને સોંપવામાં આવેલા નાણા છ એટીએમ સેન્ટરમાં જમા કરાવવાના હતા. તે રકમની ઉચાપત કરી લીધાની આ પેઢીના બીજા કર્મચારી ભાવિન જોષીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેના પગલે ગઈકાલે પીઆઈ પી.પી. ઝાના વડપણ હેઠળની સિટી બી ડિવિઝનની ટીમે બંને આરોપીને પકડી પાડ્યા છે. આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh