Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ઘી નદી પરનો કેનેડી બ્રિજ બંધ

ગંભીરા પુલની દુર્ઘટના પછી ગંભીરતા સમજાણી?

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૦: વડોદરા ગંભીરા પુલ દુર્ઘટનાના પગલે ખંભાળિયાનો જર્જરિત કહેવાતો કેનેડી બ્રિજ બંધ કરાયો હોવાનું જાણવા મળે છે.

ખંભાળિયામાં ખામનાથ પાસે ઘી નદી પરનો કેનેડી બ્રિજ જર્જરિત અને જુનો હોય, ૩૧ કરોડના ખર્ચે નવો પુલ બનવાનો હોય, તથા નીચેથી ૯૦ લાખના ખર્ચે વ્યવસ્થિત ડ્રાયવર્ઝન પણ બનાવેલું હોવાથી આ પુલ પરથી ના નીકળવા ખાસ જાહેરનામું ર૦ર૩ માં જ બહાર પાડવામાં આવેલું.

આ પુલ પરથી ચાલવું પણ ભયજનક છે તેવા રિપોર્ટ પછી તંત્ર દ્વારા બન્ને તરફ દીવાલ બનાવીને આ પુલનો રસ્તો બંધ કર્યો હતો. નીચે પાકો રસ્તો હોવા છતાં આ પુલ ટૂંકા રસ્તાનો થતાં લોકોએ દીવાલ તોડીને બાઈક, સાયકલ તથા પગપાળા જવાનું ચાલુ કર્યું હતું. રોજ પ૦૦-૭૦૦ વાહનો નીકળી રહ્યા છે, ત્યારે ગઈકાલે વડોદરા ગંભીરા પુલની દુર્ઘટનાના પગલે તંત્ર દ્વારા ફરીથી પુલની બન્ને બાજુ મોટી માત્રામાં બરડ જેવા પદાર્થોનો ઢગલો કરીને ફરીથી રસ્તો બંધ કર્યો છે.

જો કે, આ પુલ જર્જરિત હોવા છતાં પણ જર્જરિત ના હોય અને ૯૦-૧૦૦ ઈંચ વરસાદ છેલ્લા ત્રણેક વર્ષથી પડવામાં અડીખમ હોય, લોકો અહીંથી નીકળવા સતત આ રસ્તા પરની આડશો-દીવાલો તોડીને પણ અહીંથી નીકળી રહ્યા છે. તો તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે પણ તેના ભંગના કેસની કોઈ કાર્યવાહી ન થતા પણ વાહનચાલકો ટુ-વ્હીલવાળા આવું કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh