Advertisement
Author: નોબત સમાચાર

પિતા બની શકે તેમ ન હોવાની વાત લાગી આવતા યુવાનનું વિષપાનઃ મૃત્યુ

ભાણવડના સઈદેવરીયામાં બન્યો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામના એક યુવાને પોતે પિતા બની શકે તેમ નથી તેની જાણ થતાં માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે જામનગર દવાખાને ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામમાં રહેતા કમલેશભાઈ નારણભાઈ મોરી ઉર્ફે કનુભાઈ રબારી (ઉ.વ.૩૦) નામના યુવાને ગયા સોમવારે રાત્રે સાડા દસેક વાગ્યે કોઈ ઝેરી દવા પી લીધી હતી.

આ યુવાનનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે જામનગર દવાખાને લઈ જવાયા પછી મૃત્યુ નિપજ્યું છે. ડો. સુધીર ગોહેલે પોલીસને જાણ કરી છે. ભાણવડ પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ આ યુવાનને લગ્નના વર્ષાે પછી પણ સંતાનની પ્રાપ્તિ થઈ ન હતી અને તે દરમિયાન કમલેશભાઈને સંતાન થઈ શકે તેમ ન હોવાની જાણ થતાં લાગી આવ્યું હતું અને તેના કારણે કમલેશભાઈએ જિંદગીનો અંત આણી લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh