Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેલેરિયાના રોગચાળા અંગે
લાલપુર તા. ૧૦: લાલપુર તાલુકાના પીએચસી હરીપરના લાલપુર ગામમાં જિલ્લા મેલેરિયા અધિકારી ડો. પટેલની સૂચના અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ડીઆઈઈસીઓ એન.બી. મોદી, ડીએચએસ કે.બી. પરમાર તથા આરોગ્ય સુપરવાઈઝર એન.આર પરમાર દ્વારા મેલેરિયા પોઝિટિવ દર્દીની મુલાકાત લઇ જરૂરી પૂછપરછ કરી રોગની દવા નિયત માત્રામાં અને નિયત કરેલ દિવસો સુધી પીવા બાબતે સમજણ આપી હતી વાહકજન્ય રોગચાળા અટકાયત, ટીમ દ્વારા ઘેર ઘેર આજે ટીબી રોગ બાબતે ઘનિષ્ટ સર્વેની તથા પત્રિકા વિતરણ કરી આઈ.ઈ.સી. કરવામાં આવી હતી તથા ટીમ દ્વારા કરેલ સર્વેની કામગીરીનું એનાલીસિસ કરી કામગીરી બાબત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લાલપુરના હુસેનીયા રઝવી શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને એકઠા કરી એન.બી. મોદી દ્વારા રોગચાળા, એનિમિયા, ધનુર અને ડિપ્થેરિયા રસી અંગે જરૂરી આઈ.ઈ.સી. સમજણ આપવામાં આવી હતી. આ તકે સંસ્થાના આચાર્ય અને ટ્રસ્ટી દ્વારા સહકાર આપી દરેક કાર્યક્રમમાં સહકાર આપવા ખાત્રી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial