Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવાર દ્વારા પોલીસને જાણ કરાઈઃ
જામનગર તા. ૧૦: જામજોધપુરમાં વસવાટ કરતા એક પરિવારની અભ્યાસ કરતી અને વીસ વર્ષની વયની પુત્રી પોતાના ઘરેથી ક્યાંક ચાલી જતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
જામજોધપુર શહેરના ભગવતીપરા મેઈન રોડ પર રહેતા દિવ્યેશભાઈ વાલજીભાઈ ભલસોડ નામના પ્રજાપતિ પ્રૌઢની વીસ વર્ષની પુત્રી ક્રિષ્નાબેન પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ છે.
ઉપરોક્ત તસ્વીરવાળી યુવતી ઘરે કંઈ જ કહ્યા વગર જતી રહેતા તેણીના પરિવારે શોધખોળ શરૂ કરી હતી. સંભવિતઃ તમામ સ્થાનોએ તપાસ કરાવ્યા પછી પણ આ વિદ્યાર્થિનીનો પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે તેણીનું વર્ણન, ફોટો મેળવી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial