Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં વિવિધ પુલનું નિરીક્ષણ કરવા ગાંધીનગરથી વિશેષ ટીમ દોડી આવી

'ગંભીરા' પુલ દુર્ઘટના પછી સરકાર ગંભીરઃ

                                                                                                                                                                                                      

માર્ગ સલામતી માટે જામનગર જિલ્લાના વિવિધ પુલોનું માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરની વિશેષ ટીમ દ્વારા નિરીક્ષણ હાથ ધરાયું છે. આગામી એક સપ્તાહ સુધી ખાસ ઝુંબેશના ભાગરૃપે જિલ્લાના વિવિધ પુલો તથા સ્ટ્રક્ચરોની ઝીણવટભરી સમીક્ષા કરાશે. જામનગર જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈપણ અકસ્માત કે દુર્ઘટનાને ટાળવા માટે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગની ડિઝાઈન સર્કલની ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામં આવી છે. આ ટીમ હાલ જિલ્લામાં આવેલા વિવિધ પુલો તથા સ્ટ્રક્ચરોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી રહી છે. આ નિરીક્ષણ અભિયાન આગામી એક સપ્તાહ સુધી ચાલશે, જેમાં ટીમ જામનગરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પુલોનું વિસ્તૃત નિરીક્ષણ અને ઈન્સ્પેક્શન કરશે. પ્રથમ તબક્કામાં ધ્રોળ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ પરના વિવિધ પુલોની ચકાસણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત તેમની મજબૂતાઈ, માળખાકીય મજબૂતી અને સુરક્ષા ધોરણોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં જામનગર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી વિજય ગૌસ્વામી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગાંધીનગરની ટીમ સાથે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh