Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સમર્પણ સર્કલથી ખંભાળિયાના માર્ગે
જામનગર તા. ૧રઃ જામનગરમાં ખંભાળિયા માર્ગ, સમર્પણ હોસ્પિટલવાળો એક તરફનો માર્ગ ભૂગર્ભ ગટરની કામગીરી માટે ત્રણ માસ માટે બંધ રાખવા કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ ધ બી.પી.એમ.સી. એક્ટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સત્તાની રૃપે જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી છે, જેમાં જામનગર મહાનગર પાલિકાની હદમાં સમર્પણ હોસ્પિટલ પાસે, સમર્પણ સર્કલથી જામનગર-જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધીના રસ્તા પર આવેલ સ્વામિનારાયણ મંદિરના ગેટથી જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી જામનગરથી જામખંભાળિયા જતા રસ્તાની મધ્યરેા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપલાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતિના ભાગરૃપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ૧૪-૭-ર૦રપ થી તા. ૧૩-૧૦-ર૦રપ એટલે કે ૩ મહિના સુધી તમામ વાહનવ્યવહાર બંધ રાખવામાં આવશે, જેનો અમલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ સર્કલથી જામનગર-જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધીના રસ્તા પર આવેલ સ્વામિનારાયણ મંદિરના ગેટથી જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી જામનગરથી જામ ખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ સર્કલથી જામનગર-જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી જામનગરથી જામખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની ઉત્તર દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખૂલ્લો રહેશે, તેમ કમિશનર જામનગર મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial