Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ
જામનગર તા. ૧૩: મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ ભારતના ચૂંટણીપંચ દ્વારા સમયપત્રકમાં સુધારો કરાયો હતો, તે મુજબ ગણતરી ફોર્મનો સુધારેલ સમયગાળો આવતીકાલ તા. ૧૪ ડિસેમ્બર તથા ડ્રાફટ રોલ પ્રસિદ્ધિનો સમયગાળો તા. ૧૯ ડિસેમ્બર રહેશે.
ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ માટેનું સમયપત્રક સુધારવામાં આવ્યું છે. અગાઉ તા. ૨૭-૧૦-૨૫ના પત્રથી જાહેર કરાયેલા કાર્યક્રમમાં ઈસીઆઈ દ્વારા તા. ૧૧-૧૨-૨૫ ના સુધારો કરવામાં આવ્યો છે, જે મુજબ ગણતરી ફોર્મનો સુધારેલ સમયગાળો હવે તા. ૧૪-૧૨-૨૫ (રવિવાર) સુધીનો રહેશે. જ્યારે ડ્રાફટ રોલ પ્રસિદ્ધિનો સુધારેલ સમયગાળો તા. ૧૯-૧૨-૨૫ (શુક્રવાર) ના રાખવામાં આવ્યો છે.
અગાઉના સુધારા પ્રમાણે ગણતરી ફોર્મનો સમયગાળો તા. ૧૧-૧૨-૨૫નો હતો અને ડ્રાફટ રોલ પ્રસિદ્ધિની તારીખ ૧૬-૧૨-૨૫ હતી. કોઈ પણ લાયક મતદાર બાકી ન રહે તે માટે ગણતરી ફોર્મ તા. ૧૪-૧૨-૨૫ સુધી ભરીને પોતાના ભાગના બૂથ લેવલ ઓફિસરને આપી શકાશે. નવા મતદારો ફોર્મ નં. ૬ સાથે ઘોષણાપત્ર ભરીને બૂથ લેવલ ઓફિસરને પ્રત્યક્ષ આપી શકે છે. અથવા તેઓ ભારતના ચૂંટણીપંચની વેબસાઈટ પર અથવા એપનો ઉપયોગ કરીને ફોર્મ અને ઘોષણાપત્ર ભરી શકશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયુ ં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial