Advertisement
Author: નોબત સમાચાર

આઈસીડીસીના સુપરવાઈઝરને ફરજ મોકૂફ કરાયા

સિક્કામાં આંગણવાડી બહેનોના વિરોધ પછી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: સિક્કાની આંગણવાડી (૧૮૭) મા ફરજ બજાવતા લીલાબેન નાથાભાઈ પરમારનું આંગણવાડી પત્રક મિટિંગમાં ગયા પછી તબિયત લથડી હતી. તેઓ ગર્ભવતી હતાં. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા આંગણવાડી બહેનોમાં રોષ ફેલાયો હતો.

સુપરવાઈઝર ભાનુબેન જાદવ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આંગણવાડી બહેનોએ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત આઈસીડીસી કચેરી સામે સૂત્રોચ્ચાર કરી સુપરવાઈઝરના ત્રાસમાંથી મુક્ત કરવા માગણી કરી હતી અને સામૂહિક રાજીનામાની ચિમકી આપતા પ્રોગ્રામ ઓફિસરે તાત્કાલિક અસરથી સુપરવાઈઝર ભાનુબેન જાદવને ફરજ મોકૂફીનો આદેશ અપાયો હતો અને તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh