Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૨૬,૭૭,૫૦૦ પર વ્યાજ ચૂકવાશેઃ
જામનગર તા. ૨૮: જામનગરના એક આસામીની મર્સીડીઝ મોટરમાં થયેલી નુકસાનીનું વળતર ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા વીમા કંપની સામે ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા અને ફરિયાદ ખર્ચ પણ અલગથી આપવા આદેશ કર્યાે છે.
જામનગરના અમિત ધનજીભાઈ તારા નામના આસામીએ પોતાની મોટર માટે રિલાયન્સ જનરલ ઈન્સ. કંપની પાસેથી વીમો મેળવ્યા પછી વીમો ચાલુ હતો તે દરમિયાન મોટર રોડ પરથી નીચે ઉતરી જતા તેમાં નુકસાન થયું હતું.
અકસ્માતની વીમા કંપનીને જાણ કરાઈ હતી અને રૂ.૨૬૭૭૫૦૦નું વળતર માંગવામાં આવ્યું હતું. આ આસામી ભલસાણ જતા હતા ત્યારે ઉપરોક્ત બનાવ બન્યો હતો. વીમા કંપનીએ વળતર ચૂકવવા ઈન્કાર કરતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે નુકસાનીની રકમ છ ટકાના વ્યાજ સાથે અને ખર્ચના રૂ.પ હજાર અલગથી ચૂકવી આપવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણિયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial