Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘાવી માહોલ વચ્ચે તાપમાનમાં વધ-ઘટઃ
જામનગર તા. ૨૮: જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર યથાવત રહ્યો છે. ૧.૫ ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી નોંધાયું હતું.
જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે માત્ર છાંટા પડતા લોકો નિરાશ થયા છે. મેઘાવી માહોલ વચ્ચે નગરમાં હાલ તાપમાનમાં વધારો-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. જે ગઈકાલે પણ યથાવત રહ્યો હતો. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૧.૫ ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી જયારે આંશિક વધીને લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૨ ટકા રહેતા બફારો યથાવત રહ્યો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૫ થી ૨૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial