Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન શ્રી જગન્નાથજીનું પરિભ્રમણ

તારીખ ૩૦ જૂન સોમવારે શહેરના વિવિધ માર્ગો પર

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૯: જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા ૩૦ જૂન, સોમવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય ૧૮મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર-રાજકોટ હાઈવે  ધુંવાવ રોડ  પહેલા ઈસ્કોન મંદિરમાં સવારે મંગળા આરતી, પ્રવચન, છપ્પન ભોગ વિગેરે ધાર્મિક કાર્યક્રમો થશે

ભગવાન જગન્નાથજી (જગન્નાથજી-શુભદ્રા-બલરામના વિગ્રહ) ની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે  કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે-જય જગન્નાથજીના નાદ સાથે બપોરે ૩:૩૦ વાગ્યે નગરના મહાનુભાવોની અને કૃષ્ણભક્તોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ પછી સુમેર ક્લબ પાસે, સાત રસ્તા પાસેથી પ્રારંભ થશે અને રથયાત્રા ત્યાંથી ઓશવાળ હોસ્પિટલ રોડ, ખંભાળીયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, સજુબા હાઈસ્કૂલ, બેડીગેઈટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, સુભાષબ્રીજ, રાજપાર્ક, ગુલાબનગર, કાર શો-રૂમ રોડ થઈ ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની  પૂર્ણાહુતિ થશે.

રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત થશે તેમજ પ્રસાદ, ફ્રૂટ્સ, ઠંડા પાણી,  સરબતનું વિતરણ થશે. અને દરેક રૂટ ઉપર બરોડા, વલ્લભ વિદ્યાનગર, ભરૂચ, સુરત, પોરબંદરથી પધારેલ કૃષ્ણ ભક્તો સંકીર્તન, હરે કૃષ્ણના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવશે.

રાત્રે ૭-૩૦ વાગ્યે પૂર્ણાહુતિ પછી રાત્રે ૮ વાગ્યે દરેક કૃષ્ણ ભક્તો માટે ઈસ્કોન મંદિર પાસેના મેદાનમાં પ્રસાદમ્ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

વધુ વિગત માટે મુરલીધરદાસ (મો. ૯૪ર૮૯ ૦૧૮૯૬) તેમજ (મો. ૯૪૨૬૯ ૧૮૭૫૫) એડવોકેટ દિલીપ ભોજાણીનો સંપર્ક કરવો.

શ્રી ચૈતન્ય મહાપ્રભુજી

દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા પર વિશેષ પ્રવચન

ઈસ્કોન-જામનગર કેન્દ્ર દ્વારા તારીખ ૨૯ જૂન, રવિવાર સાંજના ૭-૩૦ વાગ્યે કૃષ્ણપાર્ક સામે, જામનગર રાજકોટ હાઈવે, ધુંવાવ પહેલા, ઈસ્કોન મંદિરમાં ઈસ્કોનના વલ્લભ વિદ્યાનગરના શ્રી ચૈતન્ય મહાપ્રભુજી દાસ શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમજ જગન્નાથજી પર ખાસ પ્રવચન આપશે. ત્યારપછી ભગવાન શ્રી જગન્નાથ લીલાનું નાટકનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં કૃષ્ણ ભક્તોને પધારવા શ્રી મુરલીધર દાસ (મો. ૯૪ર૮૯ ૦૧૮૯૬)  અનુરોધ કર્યો છે. પ્રવચન પછી રાત્રે ૯ વાગ્યે મહાપ્રસાદમ્ની કૃષ્ણ ભક્તો માટે વ્યવસ્થા રાખેલ છે.  તેમ રમારમણદાસ પ્રભુ (મો. ૯૪૨૯૦ ૭૧૫૧૪)એ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh