Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૮: જામનગરમાં સુભાષબ્રિજ જંકશનથી નાગનાથ જંકશન સુધીનો માર્ગ એક માસ સુધી બંધ રાખવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ
જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદીએ ધ બી.પી.એમ.સી. એક્ટની કલમ - ની જોગવાઈ હેઠળ એક જાહેર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જામનગર મહાનગર પાલિકાની હદમાં સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફંલાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી અંતર્ગત સર્વિસ રોડ, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈન તથા નાગનાથ જંકશનના રેમ્પ સ્લેબ અને નાગનાથ જંકશનના મેઈન અન્ડરપાસ સ્લેબની કામગીરી અનુસંધાને સુભાષબ્રીજ જંકશન થી નાગનાથ બ્રીજ જંકશન સુધી નો રસ્તો તેમજ નાગનાથ જંકશન સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૨૬/૦૬/૨૦૨૫ થી ૨૫/૦૭/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેનો અમલ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે બી.પી.એમ.સી. એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે તમામ પ્રકારના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુભાષબ્રિજ જંકશન થી નાગનાથ જંકશન સુધીના રસ્તા પરથી જાવક બંધ રહેશે. જેના ડાયવર્ઝન રૂટ મુજબ સુભાષબ્રીજ જંકશનથી નાગનાથ ગેઇટ થઇ નાગનાથ જંકશન તરફ જઈ શકાશે.
નાગનાથ ગેઇટથી નાગનાથ જંકશન થઇ અંબર જંકશન, સ્વામિનારાયણનગર તથા સુભાષબ્રિજ તરફ જાવકનો રસ્તો બ્રિજ નીચેના હયાત ગાળા મારફત ચાલુ રહેશે.
અંબર જંકશન, સ્વામિનારાયણનગર તરફથી નાગનાથ ગેઇટ તરફનું જંકશન બંધ રહેશે. જેના ડાયવર્ઝન રૂટ મુજબ સુભાષબ્રિજ જંકશનથી નાગનાથ ગેઇટ તરફ જઈ શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial