Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જાગરણઃ તળાવની પાળ સહિતના સ્થળોએ ઉમટ્યો માનવ મહેરામણ

વ્રતધારી યુવતીઓ-મહિલાઓનું પરિવારજનો સાથે વિવિધ સ્થળોએ ભ્રમણઃ પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ

                                                                                                                                                                                                      

જામનગરમાં ગત્ શનિવારે રાત્રે જયાપાર્વતીના જાગરણ નિમિત્તે જાહેર સ્થળોએ માનવ મહેરામણ ઉમટ્યો હતો. રણમલ તળાવ સંકુલ, એમ્યુઝમેન્ટ પાર્ક તથા રણજીતસાગર ડેમ પાસે આવેલો જામરણજીતસિંહ પાર્ક આખી રાત ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આ પર્યટન સ્થળોએ બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં. વ્રતધારી યુવતીઓ-મહિલાઓએ પરિવારજનો સાથે પર્યટન સ્થળોએ ભ્રમણ કર્યું હતું. જાગરણને પગલે શનિવારે રાતભર નગરમાં ચહલ પહલ જોવા મળી હતી અને નાસ્તાની લારીઓ-ખાણીપીણીના એકમો મોડે સુધી ચાલુ રહ્યા હતાં. છેડતીના બનાવો ન બને એ માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આમ, શહેરમાં કોઈપણ અનિચ્છનિય બનાવ વગર જાગરણ ઉલ્લાસપૂર્ણ અનં શાંતિમય વાતાવરણમાં ઉજવાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh