Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાહોદ નજીક સર્જાયો અકસ્માતઃ
અમદાવાદ તા. ર૭: અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં દાહોદ નજીક અકસ્માતમાં એકનું મૃત્યુ થયું છે, અને સત્તર ઈજાગ્રસ્ત થયા છે.
ઈન્દોરથી અમદાવાદ તરફ આવી રહેલી મધ્યપ્રદેશ પરિવહનની બસને આજે વહેલી સવારે કમકમાટીભર્યો અકસ્માત નડ્યો છે. અવંતિકા હોટલ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં એક મુસાફરનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે ૧૭ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ મુસાફરોને લઈને ઈન્દોરથી અમદાવાદ આવી રહી હતી. માર્ગમાં અવંતિકા હોટલ નજીક જ્યારે બસ ટર્ન લઈ રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી અને દૂર સુધી ઘસડાઈ હતી.
અકસ્માત સમયે બસમાં સવાર મુસાફરો સીટ પરથી ફંગોળાઈ ગયા હતાં. બસ પલટી જતા ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતાં. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત નિપજ્યું હતું, જ્યારે ૧૭ જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી ટ્રકચાલક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial