Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં વૃક્ષો કાપવામાં આવતા અનેક બગલાના મૃત્યુથી ચકચાર

વૃક્ષો કાપવાની પરવાનગી હતી?

                                                                                                                                                                                                      

લાલપુર તા. ૯: લાલપુરમાં સરકારી દવાખાના પાસેના દિવ્ય ગાર્ડનમાં વૃક્ષો ઉપર વર્ષોથી બગલાઓ માળા બનાવી નિવાસ કરે છે, પરંતુ તાજેતરમાં વૃક્ષો કાપવાની કામગીરી દરમિયાન અનેક પક્ષીના મૃત્યુ થતા ચર્ચા જાગી છે.

વૃક્ષ કટીંગ કરતા લોકોની પૂછપરછ કરતા સ્થાનિક પદાધિકારીની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું, જ્યારે પદાધિકારીને પૂછતા તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો કે, આજુબાજુના રહેવાસીઓ તરફથી ફરિયાદ મળી હતી. આથી માત્ર ડાળી કાપવાની સૂચના આપવામાં આવી હતી, તેમજ બગલાને નુક્સાન ન થાય તેનું ધ્યાન રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

એકતરફ સરકાર વૃક્ષ વાવેતર માટે અભિયાન ચલાવી રહી છે, અને તેના માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, તો બીજી તરફ લાલપુરમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે. આથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

જો કે, હજુ લોકોને આ સમજણ પડતી નથી કે તંત્રની મંજુરી હતી કે કેમ? મોટી સંખ્યામાં બગલાના મૃત્યુથી જીવદયા પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. હવે તંત્ર શું પગલા ભરે છે? તેના ઉપર સૌ કોઈની નજર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh