Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ રસ્તાના વર્ષો જુના દબાણો દૂર થયા છે ત્યારે
જામનગર શહેરના હાર્ડસમા વિસ્તાર પંચવટી સર્કલમાં ગૌરવ પથનું મહાનગરપાલિકા દ્વારા નવીનિકરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું તે આવકાર્ય છે. આ ત્રણ રસ્તા ઉપરના વર્ષો જુના દબાણો દૂર થયા છે. ખાસ કરીને નગરજનોને માટે પરેશાનીરૂપ નોનવેજ હાટડીઓ પણ દૂર થઈ છે. નગરજનો ઈચ્છી રહ્યા છે કે હવે આ સ્થળે એવી ડિઝાઈન બાંધવી જોઈએ કે ભવિષ્યમાં નોનવેજ કે કોઈ પ્રકારની રેંકડીઓ આ સ્થળે દબાણ ન કરી શકે. પંચવટી સર્કલમાં ખાનગી કંપનીઓ અને શાળાઓની બસોના પીકઅપ અને ડ્રોપ પોઈન્ટ છે. તેથી ત્યાં આવાગમન કરતા લોકોને અનુકૂળ પડે તેવું બસ સ્ટેન્ડ પણ બનાવવું જોઈએ. આ સ્થળે લાઈટીંગ સાથે પંચવટી સર્કલ સહિત ત્રણ દિશાસૂચક બોર્ડ પણ લગાવવા સૂચન થયું છે. ભવિષ્યમાં કોઈ દબાણો આ સર્કલની શોભા ન બગાડે તેની કાળજી મહાનગરપાલિકા રાખે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial