Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કાલાવડ નાકા બહારના પુલનું સમારકામ સત્વરે શરૂ કરવા ઊઠતી માંગણી

શું મોરબી જેવી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ જામનગર શહેરમાં ધડાધડ પુલ બની રહ્યા છે, તે સારી વાત છે, પરંતુ શહેરના છેવાડે અને જર્જરિત હાલતમાં રહેલા બ્રિજની પણ મરામત-નવીનીકરણ કામગીરી કરવાની જરૂરિયાત છે. તે પણ મહાનગરપાલિકા તંત્રએ ભૂલવું જોઈએ નહીં.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લાંબા ફ્લાય ઓવર બ્રિજ જામનગરમાં નિર્માણ પામ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું. ત્યાં જ વધુ એક બ્રિજ બનાવવાની ઉત્સાહભેર જાહેરાત કરી નાખવામાં આવી છે. જે સારી બાબત છે, પરંતુ જ્યાં ખાસ જરૂર છે ત્યાં હવે ઝડપથી પુલ બનાવવા જોઈએ.

ખાસ કરીને અન્ય જિલ્લાને જોડતા કાલાવડ નાકા બહારના પુલનું કામ હવે સત્વરે શરૂ કરવાની જરૂર છે, કારણ કે તેની વૈકલ્પિક વ્યવસ્થા વધુ ખર્ચાળ સબિત થઈ શકે છે. જનપ્રતિનિધિઓ તરફથી આ મામલે કોઈ અધિરાઈ જાણવા મળતી નથી. શું મોરબીના પુલની બનેલી ઘટના જેવી ઘટના બને તેની રાહ જોવાઈ રહી છે?

આ અંગે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માગણી અને રજૂઆત જામનગર રિજિયોનલ પેસેન્જર એસોસિએશનના માનદ્મંત્રી ચંદ્રવદનભાઈ પંડ્યાએ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh